________________
(૫૮)
પોતા દ્વારા આપે છે જાતે જ મુલાકાત પોતાની જાતને જાત દ્વારા કરે છે વાર્તાલાપ પોતાની સાથે અને થોડી વાર શ્રોતા, થોડી વાર વક્તા અને ક્ષણભર બન્નેનો દ્રષ્ટા. આમ, મુમુક્ષુ “સ્વ” સ્વરૂપથી અન્યને વિચારના વમળમાં ડુબાડી જાતે તરતો રહે છે નિજ વિચારમાં. મુમુક્ષુને સ્પષ્ટ છે કે જે હું બીજા કોઈને ભૂલી જાઉં તો કોઈ યાદ કરાવે; પણ જે હું મને જ ભૂલી જાઉં તો કરાવે યાદ કોણ?
મારે જાતે જ મારી જાતને શોધવી પડે, મારે જ મારી યાદ મને, મારા દ્વારા તાજી કરાવવી પડે, પણ મને શોધે કોણ? મારાથી અન્ય હરગિજ નહીં. હું જ મને શોધું, મારી જ શોધનો શોધક છે. અને જો શોધ સફળ થાય તો ન રહે શોધક, ન રહે શોધ; બચે શોધનો સાર કે હું જ મારો શોધક છું. અંતે અન્યનો સહારો નિરર્થક છે. હું હું ને દ્વારા જ પામી શકીશ. માટે જ અન્યના વિચારો દફનાવી દઈ મારે વિચાર કરવો જોઈએ મારો- “સ્વ” સ્વરૂપનો; નિજાનંદનો, બ્રહ્માનંદનો, આત્માનંદનો, સહજાનંદનોનિત્યાનંદનો. આવો જે વિચાર છે તે જ મોક્ષનો-મુક્તિનો સુવિચાર છે. તેને જ આત્મવિચાર કહે છે-કાં તો મુમુક્ષુ કંઈ ન વિચારે,
ને જે મુક્તિના વિચારે ચડે, તો નિશ્ચય જગત પડે,
કો દી તે ના રહે,
અંતે ગન્નાથને જઈ અડે. વિચારમાં અદ્ભુત શક્તિ છે, પ્રેરણા છે. માટે ભગવાન શંકારાચાર્યે વિચારને જ્ઞાનની પ્રાપ્તિનું અલૌકિક સાધન ગણું છે.
“કારિતા વિવ: વર્તવ્ય એટલું જ નહીં પણ સ્પષ્ટતા કરી છે કે વિચારમાત્ર જ્ઞાનપ્રાપ્તિનું, આત્મજ્ઞાન કે સાક્ષાત્કારનું એક સાધન છે. “અન્ય સાધને જ્ઞાનં ર ૩ શ્રુતિ પણ લગભગ તેવો જ સંદેશ આપે છે “તમેવ વિલિત્વાતિમૃત્યુનેતિ નાન્ય: વસ્થા વિદાયનાથ ” “તે બ્રહ્મને જાણવાથી જ મુક્તિ મળે છે તે માટે બીજો કોઈ રસ્તો નથી.” અને બ્રહ્મજ્ઞાન માટે વિચાર માત્ર એક સહજ સરળ રસ્તો છે. જેવી રીતે પ્રકાશ વિના mતના પદાર્થો હાજર હોય છતાં અદશ્ય અને અજ્ઞાત રહે છે તેમ આત્મસ્વરૂપ સચરાચર વ્યાપ્ત છે; ક્યાંય નથી તેમ નથી; તે સર્વ નામ-આકારનું સત્વ છે; તત્વ છે; પ્રાણ