________________
(૫૯).
છે; સર્વનો આધાર અને અધિષ્ઠાન છે. છતાં પણ વિચાર વિના તે અંતરાત્માનું જ્ઞાન કે ભાન થતું નથી. અને “સદા પાસે છતાં આધે અભાગીને અરે દીસતો” તેવી સ્થિતિમાં આપણે મુકાઇએ છીએ. માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે “વિચાર” એટલે શું? અદ્વિતીય આ પ્રસંગ, વિચારકોની વચ્ચે હું વિચાર કરીને કહું છું કે આ વિચારયજ્ઞ છે. તેમાં વિચારની વિચ્ચે હું વિચાર કરીને કહું છું કે આ વિચારયજ્ઞ છે. તેમાં વિચારની]
આહુતી આપી આપણે વિચારની પેલે પાર જવાનો પ્રયત્ન કરવાનો છે. તેવા પ્રયત્નમાં પ્રથમ વિચારીએ કે વિચાર એટલે શું?
વિચાર-વિ=વિરુદ્ધ દિશામાં ચાર ચાલવું. અર્થાત્ આપણા પ્રતિ ચાલવું. અન્યની દિશામાં તો વિચારવા આપણે ટેવાયેલા છીએ-અને તેથી જ વિષય, વસ્તુ, વ્યક્તિનો વિચાર કરી આપણે બહિર્મુખ બનીએ છીએ. હવે આંતરનિરીક્ષણ- ઈન્ટ્રોસ્પેકશન” કરવાનું અંતર્મુખી બનવાનું અને વિચારવાનું કે વિષયોને ભોગ્ય પદાર્થોને જાણે છે કોણ? માણે છે કોણ? જો ઈન્દ્રિયો ભોક્તા અને જ્ઞાતા છે તો ઈન્દ્રિયોને વિષયમાં જવાની પ્રેરણા પ્રદાન કરે છે કોણ? જે મન છે સ્ત્રોત પ્રેરણાનું તો મનને ચલિત-ઉત્તેજિત કરે છે કોણ? જે પ્રાણ, તો કોના ઇશારાથી પ્રાણ આવજા કરે છે? કોની ચેતનાથી વાણી શબ્દોચ્ચાર કરે છે? આવા પ્રશ્નો વિચારો તે વિરુદ્ધ=વિ, દિશાનો પ્રવાસ-ચાર છે, માટે તે વિચાર છે. વિરુદ્ધ દિશામાં ચાલવું તે જ રિવર્સ ડ્રાઈવિંગ છે.
આવું ડ્રાઈવિંગ અભ્યાસ વિના અઘરું છે, પછી તો સરિતાની જેમ વિના પ્રયત્ન ઢાળમાં ઢળી જવા જેવું છે. રીવર્સ ડ્રાઈવિંગ કે વિરુદ્ધ દિશામાં ચાલવું.
તે જ દશ્યથી-અદશ્યની આગેકૂચ વ્યક્તથી-અવ્યક્તની યાત્રા પદાર્થથી-પરમાત્માનો પ્રવાસ
કાર્યથી-કારણની સફર વિનાશીથી-અવિનાશીનું પ્રયાણ
અને આરોપથી-અધિષ્ઠાનની પરિક્રમા છે, વ્યક્તિથી-વિરાટની વણથંભી દોટ છે.