________________
(૫૧)
રહેજો. તો જ અણમોલ માનવજન્મ વ્યર્થ નહીં જાય.
ઝબકતી વીજ અજવાળે! પરોવી મોતી લે-લે-લે,
ચલી-ચલી ઓ ચલી જાશે! પછી તું વ્યર્થ પસ્તાશે.” અને તેવો જ આદેશ મા - શ્રતિ મુંડકોપનિષદ દ્વારા આપે છે. પ્રમાદ છોડીને જીવનના લક્ષ્યમાં તત્પરતાથી એકાગ્ર થઈ જાઓ - તો જ ! સમાધાન શક્ય છે.
प्रणवो धनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते।
अप्रमत्तेन वेधव्यं शरवत् तन्मयो भवेत्॥४॥ પ્રણવ = ઓમકાર ધનુષ્ય છે, જીવાત્મા બાણ છે, પરબ્રહ્મ તેનું લક્ષ્ય ! છે. માટે તત્પરતાથી કારની ઉપાસના દ્વારા બાણને ધારદાર બનાવ, એકાગ્ર કર અને પછી પ્રમાદ વિના લક્ષ્યને વેધી તન્મય થા, તકૂપ થઈ બાણ અને લક્ષ્યના અભેદભાવનો અનુભવ કર.
આમ, પરબ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા તે જ ચિંતન. સતત-નિરંતર-અવિરત, ! લક્ષ્યનું મનન-ચિંતન-મનોમન્થન કે વિચાર - તે પરબ્રહ્મ સિવાય બીજાનો ચિત્તમાં પ્રવેશ બંધ કરવો. જે દેશ, કાળ, વસ્તુથી પર છે તેનું ચિંતન કરવાનો માત્ર એક જ રસ્તો છે અને તે ચિત્તને નિર્વિષય કરવું. અચિંતન એ જ બ્રહ્મચિંતન છે. આવું ચિંતન જ જન્મોજન્મના ખોટા તાદાત્મને દૂર કરી શકશે - અધ્યાસ મિટાવી શકશે - જૂના વાસનાયુક્ત સંસ્કાર ભૂસી નિર્વાસનિક સ્થિતિમાં લાવી શકશે. બાકી તો જગતમાં નાટકી રેગ છે, જે અરંગી તત્વને નહીં પામી શકે.
શું થયું વેદવાણી બક્યાથી ઘાણી?
શું થયું શાસ્ત્ર ને પુરાણ વાંચે?
શું થયું સ્નાન ને દાન દીધા થકી? શું થયું તીર્થ તે હાણ પૂજે? શું થયું ગદ્ય ને પદ્ય રચના થકી?
શું થયું શુષ્ક હરિનામ લીધે? વેદના મૂળને, શાસ્ત્રના સૂરને, જગત કિરતારને જો ન જોયો. વ્યર્થ નર અવતરી, માતયૌવન હરીફ રંગચિંતામણિ જન્મ ખોયો. '
-શ્રી રંગ અવધૂત “કરોડરજજુ સીધી રાખો, આંખો સ્થિર કરો, નાક પર દષ્ટિ એકાગ્ર