________________
(૫૪) સંતોની મજાકમશ્કરી કરવાના હેતુથી જ પ્રશ્નપેપર લઈને પૂછવા ગયા હતા અને જ્યારે પાછા ફર્યા ત્યારે માથે મુંડન, હાથમાં કમંડળ અને ભગવાં વસા લઈને પાછા આવ્યા. જવાબ અને પરિણામ (રિઝલ્ટ) તેમને સાથે જ મળ્યાં.
જે આપણે મુમુક્ષુ છીએ કે થવાનો પ્રયત્ન કરીએ છીએ તો સતત આપણી જાતને આપણે પ્રશ્નો પૂછવા જોઈએ. પેપરસેટર આપણે જ બનાવાનું પરીક્ષાર્થી પણ આપણે જ, સુપરવાઈઝર પણ આપણે જ રહેવાનું આપણી જાતના અને પેપર પણ જાતે જ તપાસવાનાં અર્થાત્ એક્ઝામિનર પણ આપણે જ આપણા થવાનું અને અને આપણું પરિણામ પણ આપણે જ જાહેર કરવાનું રખે નંબર બીજાને જેવા મોક્લતા, પરિણામ જાતે જ હાજર રહી મેળવવાનું - આ છે અદ્ભુત પરીક્ષા! જો પ્રયોગ કરશો તો તરત જ સમજાશે કે આપણામાં વૈરાગ્ય કેટલો, વિવેક કેવો અને કેવી છે શ્રદ્ધા. તિતિક્ષા કે પરીક્ષાના ભયથી ગૃપ લીધો છે? પળવારમાં સમજાઈ જશે.
પણ પ્રશ્નો કેવા પૂછવા જોઈએ જેથી મુમુક્ષતા દિવસે દિવસે તીવ્ર
બને?
જગત એટલે શું? જીવ કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો? બંધન શું છે? શું બંધન નિત્ય છે? મુક્તિ એટલે શું? મારી મુક્તિ સંભવ છે?
તો તેનાં સાધન ક્યાં? મોક્ષ ઉત્પન્ન થાય? તેનો નાશ થાય? ઈશ્વર છે?
હા, તો ક્યાં? આવા પ્રશ્નોની હારમાળા જેના ચિત્તમાં રમતી હશે તે સંસારને હાર આપી, હાર-જીતની પેલે પાર પહોંચી જશે. આવા પ્રશ્નો તે જ જીવનના અંતિમ લક્ષ્ય માટેનો સુદઢ વિચાર -“તિ યા તા લુદ્ધિ” અને આવા વિચાર જ આપણને “સ્વ” સ્વરૂપની અપરોક્ષ-અનુભૂતિની દિશામાં આગળ લઈ જશે. ત્યાં ન તો કર્મ, દાન, તપ, સ્નાન,કે પૂજાપાઠ કામ આવશે