________________
(૫) “ભણ્યો અંગ્રેજી! તેથી શું?!
વકીલ-દાક્તર બન્યાથી શું?! ક્લા-કવિતા એ શું? શું આવ્યું ત્યારું સફળ થાશે?!
લગાડી લે અસલ લગની,
મહોબત છોડ મિટ્ટીની: ન કિમ્મત હારી કૌડીની ક્યામત પર કબૂલાશે!”
-શ્રી સાગર પ્રશ્ન થાય કે પહેલાં ગુરુનો સ્વીકાર થાય પછી શ્રદ્ધા જાગે કે શ્રદ્ધા પ્રથમ જાગે પછી કોઈ વ્યક્તિને ગુરુ બનાવી શકાય?
ગુરુ શોધવાની-બનાવવાની વસ્તુ નથી. તે તો પુણ્ય - પ્રારબ્ધ -યોગે પ્રાપ્ત થાય છે. એક વસ્તુ આપણા હાથમાં છે તે શિષ્ય બનવું. શિષભાવે શિષ્યત્વ સ્વીકારવાથી શ્રદ્ધાના વિકાસ અને દઢતામાં મદદ મળે છે. પણ ફરી સંશય જાગે કે કોની સમીપ શિષ્યત્વ સ્વીકારવું? સામાન્ય રીતે મન
તો થોડા પરિચિતમાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખવા પ્રેરાય છે, કાં તો તદ્દન અપરિચિત વ્યક્તિ આગળ નમન કરવા દોરાય છે. પછી વિચિત્ર મન જેને નમન કરે છે તેના ભૂતકાળમાં ડોકિયાં કરવા આતુર બને છે. કાં તો તેની વર્તમાન જીવન પદ્ધતિનો ચોકીપહેરો રાખે છે અને પોતાના નિરીક્ષણ ઉપરથી ગુરુ “સારા”,“ખરાબ”,“અયોગ્ય’,‘ચાલે તેવા’, ‘ધ્યાની’, ‘જ્ઞાની', ત્યાગી', “મૌની' તેવા નિર્ણય પર આવે છે. સાચા સાધકે માત્ર જ્ઞાન ) પૂરતી જ ગુર પર નજર રાખવી તેની જીવનચર્યા કે ભૂતકાળમાં રસ લેવો નહીં. તેમ કરવાથી શ્રદ્ધા ખંડિત થવાનો ભય રહે છે.
અંતે એક મહત્ત્વની વસ્તુ યાદ રાખવી કે અતિપરિચિતને ગુરુ ન બનાવવા; નહીં તો તેમની જ્ઞાનની ઉચ્ચતમ કક્ષાને પામ્યા વિના આપણે ખાસા જ રહેવાના. માનવનું મન જે ખૂબ જ પરિચિત હોય તેને આત્મજ્ઞાની તરીકે ઝડપથી સ્વીકારવા તૈયાર થતું નથી. તમે જેને સારી રીતે ઓળખો છો. જેની સાથે રમ્યા છો, જેની સાથે ભણ્યા છો, જમ્યા છો તે વ્યક્તિ આટલી મહાન થઈ જાય અને તમે ત્યાંના ત્યાં જ રહી જાઓ તેવું માનવા અહમ તૈયાર નહીં થાય. તેથી જો કોઈ સંત કે જ્ઞાનીનો પૂર્વે-પરિચય હોય તો તેવી વ્યક્તિને ગુરુ બનાવતાં ખૂબ ખૂબ વિચારજો; જલદી શ્રદ્ધા ઢ