________________
(૪૧)
લોકો વિદેશમાં ફરવા જાય છે, હાઈકિંગ, ટ્રેક્નિ, હન્ટિંગ ગમે ત્યાં જવા તેઓ પ્રથમ પર્યટન વિભાગની માહિતી કચેરીનો સંપર્ક સાધે છે. “ટૂરિસ્ટ ઈન્ફરમેશન બ્યુરો પાસેથી કાં તે ભાડે ગાઈડ કે ભોમિયો સાથે લે છે અગર નકશા અને માહિતી પુસ્તિકા લઈ નીકળી પડે છે. જયાં શંકા જાગે ત્યાં નકશાનો ઉપયોગ કરી આગળ જાય છે. અજાણ્યો મુસાફર કે સાચો યાત્રી કદી પણ માઈલસ્ટોન કે રોડ સાઈન પર શંકા નથી કરતો, બલકે નકશા કે માઈલસ્ટોન પર વિશ્વાસ રાખી, પ્રવાસ આગળ ધપાવે છે. માટે જ ગંતવ્યસ્થાને પહોંચે છે. આમ, “ટુરિસ્ટ ઈન્ફરમેશન બ્યુરોની માહિતી પુસ્તિકા, નકશો અને માઈલસ્ટોન જેવા જ આપણા ગ્રંથો છે, વેદો છે, શાસ્ત્રો છે અને અનુભવી ભોમિયા જેવા આપણા ગુરજનો કે આચાય છે. તેમની વાણીમાં નિશંક અપરંપાર વિશ્વાસ, ભક્તિ તે જ શ્રદ્ધા છે. અને તેવી અખંડ શ્રદ્ધા વિના કદી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. માટે જ ભગવાન કૃષ્ણ કહ્યું “શ્રદ્ધાવાન તમને જ્ઞાન”શ્રદ્ધાયુકતને જ્ઞાન પ્રાપ્ત છે. અને સાથે જ કહ્યું કે જેને શાસ્ત્ર અને ગુરમાં અશ્રદ્ધા છે અને જેનું માનસ શંકાયુક્ત છે તે વિનાશને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેવો અજ્ઞાની લ્યાણથી ભ્રષ્ટ થાય છે.
__ अज्ञश्चाश्रद्धानश्च संशयात्मा विनश्यति॥४-४०॥ આત્મજ્ઞાનની વાત તો ગહન છે, સૂક્ષ્મ છે, શ્રદ્ધાયુક્ત પ્રયત્ન વિના અભેદ્ય છે. પણ સામાન્ય રોજિંદો વ્યવહાર પણ શ્રદ્ધા વિના ટકી શકે તેમ નથી. ‘ઈર્પોટેડ વસ્તુના મોહમાં ને વિદેશી માલની ઘેલછામાં આપણે શું ખરીદતા નથી? અને તે પણ બિલ વિનાની બ્લેડ જ સવારે પ્રથમ પુણ્યનું કામ કરે, પછી આવે “આફ્ટર શેવ લોશન'. આ બધું ખરીદતાં કોણ કોના પર રાખે છે વિશ્વાસ!
ધારો કે તમે બિલ સાથે ડયૂટી પેઈડ ઈમ્પોર્ટેડ સીવવાનો સંચો “સિંગર લઈ આવ્યા કે હોન્ડા મોટર-સાઈક્લ લાવ્યા. પણ તમે તેનાથી પરિચિત નથી કે કઈ રીતે મોટર-સાઈક્લ ચાલે! ગિયર કયાં? પાછલી-આગલી લાઈટ ક્યાં? કિક અને સ્પિડ ઈન્ડિકેટર વિશેનો ખ્યાલ મેળવવો હોય તો, અગર પેલા મશિનમાં પોતાની મેળે ઑટોમૅટિક ગાજ કઈ રીતે થાય તેની માહિતી મેળવવી હોય તો? ત્રણ રંગીન દોરાથી સ્વયંસંચાલિત રીતે ભરત-ગૂંથણ કેમ થાય? આવી શંકા ઊભી થાય ત્યારે તમે મોટરસાઈકલ લઈ જાપાન તો જઈ ન શકો તેથી કાં તો જે વ્યક્તિ હોન્ડા મોટરસાઈકલ ચલાવવાનું