________________
(૩૭).
નજર ભરખી જશે. જયાં જ્યાં તેની નજર પડી, બસ સંહાર, નાશ, વિસર્જન, ક્રોધાગ્નિ, કામાગ્નિ, વિષયાનિ, બસ આગ-આગ ને આગ, ને કરેલ અંગાર પર ફૂલ ને કબર પર ઘીના દીવા, હા, તું જા અને સુણતો
* કે
* *
*
*
* *
*
“સાગર જાદૂની જહાં-જૂઠા પર શો રાગ; નામ, રૂપ, ગુણ સબ ગલત! જાગ! જાગ! મન જાગ!”
-શ્રી સાગર તરું એ જ મન છે. જે વફાદાર હોય તો દાનો દોસ્ત બની દિલને દેવત્વની દાસ્તાન સંભળાવી દેવતા બનાવે અને જે મન હડકાયું થાય તો માલિકનું પણ વેરી બની કરડી ખાય. માટે વિષયોથી પાછું બોલાવવા કૂતરા જેવા ચંચળ અને વિષયાસક્ત મનને ઉપદેશથી, સમજાવટથી, દોષદષ્ટિથી, વિવેકથી, ઉપરામના રસ્તે વાળવું આવશ્યક નહીં, અનિવાર્ય છે. તિતિમા:
सहनं सर्व दुःखानाम् तितिक्षा सा शुभा मता॥ “સર્વ પ્રકારનાં દુ:ખ સહન કરવાની શક્તિને તિતિક્ષાના નામથી ઓળખાવી છે.” આવી સહનશીલતા સાધકના જીવન માટે સવોત્તમ રત્ન સમાન છે. જેવા જતાં સહન કોણ નથી કરતું? સૌને કોઈ ને કોઈ કાળે કંઈક સહન કરવાનું આવે જ છે. છતાં જે રોતાં, કકળતાં અને પ્રતિક્રિયા સાથે સહન કરતાં જાય છે અને રોદણાં રોતાં જાય છે તેનું નામ તિતિક્ષા હરગિજ નથી, તેવી જ રીતે જે કોપાયમાન થઈ સહન કરે છે તે પણ તિતિક્ષા નથી અને જે ભયભીત થઈ સહન કરે છે તે પણ સહનશીલતા નથી. સાચી તિતિક્ષાનો ઉપદેશ આપણે વૃક્ષોથી લેવાનો, પચાવવાનો અને જીવનમાં ઉતારવાનો છે. શસ્ત્ર લઈ જયારે કોઈ તેનું છેદન કરવા તત્પર | થાય છે ત્યારે વૃક્ષ ભયથી નાસી જતું નથી; તેમ જ એક ડાળું કોઈ છે કાપે છે ત્યારે કોધિત થઈ વૃક્ષ બીજું ડાળું તે વ્યક્તિ પર પટકતું નથી. પણ ઊલટું પથ્થર મારનારને ફળ આપે છે; શસ્ત્રનો ઘા કરનારને છાંયો આપે છે; વૃક્ષ મૌનમાં તિતિક્ષાનો સંદેશ આપે છે અને સર્વ સહન કરે છે પ્રતિક્રિયા વિના; અને લોકો તેને શું આપે છે તેનો વિચાર છોડી પોતે માથે તડકો સહી છાંયો આપે છે અને આપવામાં સહનની યાતના તે ભૂલી જાય છે, આનું નામ તિતિક્ષા.
શાનમાર્ગના પથિકે પણ આવી તિતિક્ષા જીવનમાં ઉતારવી જોઈએ.
નક
-
"
#ક ન#';
[
4
-
*** *
- નાજા