________________
શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ પરમાત્મા ચાતુર્માસાન્તર અન્યત્ર વિહાર કરી ગયા.
ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ઉપમાઓને ધારણ કરતી તે શ્રાવસ્તી નગરીમાં એક દિવસ ભગવાન મહાવીરસ્વામી ચતુવિધ સંઘ સાથે વિહાર કરતા પધાર્યા, જેમના ચરણેની સેવામાં દેવ તથા મનુષ્ય ઉપસ્થિત હતા.
(૧) દિવ્ય કામ-વિલાસે, સુગંધી જળની ભરેલી વાવડીએ, વિમાને અને પૌગલિક સુખે પાપોત્પાદક, પાપવર્ધક અને પાપ પરંપરક સમજીને સમ્યજ્ઞાનપૂર્વક તેમની મેહમાયાને યથાશક્તિ અમુક સમય સુધી ત્યાગ કરીને દેવ સમૂહ સદૈવ તત્પર હતે.
(૨) ઘાતી કર્મરણના અંશ માત્રથી પણ સર્વથા રહિત બનેલા માટે કૃતકૃત્ય થયેલા કેવળજ્ઞાની મૂનિઓ અને સાધ્વીજીઓ પણ સાથે હતાં.
(૩) કેવળજ્ઞાનની ચરમ સીમા સુધી પહોંચી ગયેલા ચાર જ્ઞાનના, ત્રણ જ્ઞાનના ધારકે, શ્રુતકેવળી મુનિઓ, મહામુનિઓ, મહાગીઓ અને મહાતપસ્વીએ પણ તીર્થંકરદેવની સેવામાં હતા.
(૪) વૈભવ વિલાસથી પૂર્ણરૂપે કંટાળી ગયેલા માટે સંસારરૂપ દાવાનલથી તપ્ત થયેલા મોક્ષાભિલાષી ગૃહસ્થાશ્રેમીએ પણ હાજર હતા.
(૫) પહેલે ગુણસ્થાનકે રહેલાઓ પણ જેઓ ભદ્રિક, સરળ, નિરભિમાની અને સમ્યગ જ્ઞાનને પ્રકાશ મેળવવા ઈકે હતાં, તે પણ પરમાત્માની સેવામાં મેજૂદ હતા.