________________
૨૮
પર્વ મહિમા દર્શન સાથે પ્રકરણના રહસ્ય સાથે અભ્યાસ કરાવે અને ત્રિલેકનાથ તીર્થકરના વચનામૃતનું પાન કરાવવું, અને જે શ્રમણોપાસક વર્ગ શ્રદ્ધાળુપણાની ખામીવાળે હેય તેને મધુર, શાંત અને શાસ્ત્રાનુસારી વચનોથી યથાસ્થિત તત્ત્વ સમજાવી શ્રદ્ધાળુ શ્રોતા બનાવવા જોઈએ.
મુનિ મહારાજના સમાગમમાં એક દિવસ અને એક વખત પણ આવવાવાળે ભવ્યજીવ ભદધિના ઉદ્ધારનાં સાધને મેળવી શકે છે એવાં અનેક શાસ્ત્રીય દૃષ્ટાંત અને અનુભવથી પણ કાંઈક અંશે સિદ્ધ થએલું છે, તે પછી ચાર મહિના જેવા લાંબા ટાઈમની સ્થિરતા છતાં શ્રમણોપાસક વર્ગમાંથી એક પણ શ્રદ્ધાળુ વ્યકિત અને શ્રોતાપણાથી બેનસીબ રહે છે તે સાધુમહાત્મા અને શ્રમણોપાસક વર્ગ બંનેને વિચારવા જેવું છે. જે કે શ્રમણોપાસક વગે સાધુ મહાત્માઓના જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં આરાધન અને વિકાસને માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ, વસ્ત્ર, કંબલ, પુસ્તક, પંડિત, ઉપાશ્રયઆદિની સગવડ કરવી તે તેમની ફરજ છે, પણ ચોમાસું રહેનાર સાધુ મહાત્માઓએ જેમ બને તેમ તે શ્રમણોપાસક વર્ગના ભાવોને ઉલ્લાસ રહે તેમ વર્તવું જોઈએ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આષાઢ માસીના વખતમાં વરસાદના સંજોગને અંગે ઉપાશ્રયના ચેકમાં, માત્રા કે સ્થડિલની જગ્યામાં લીલેરી અને લીલફૂલ થવાને ઘણો સંભવ હોય છે, અને તેમાં જે શ્રમણોપાસક વર્ગ વરસાદની શરૂઆત થવા પહેલાં જે તે લીલોતરી અને લીલફૂલ થાય નહિ, તે ઉપયોગ કરી લે તે શ્રમણ અને શ્રમણોપાસકના બંને વર્ગો ની વિરાધનાથી બચી જાય છે.
શ્રમણોપાસક અને શ્રમણવર્ગો લલકૂલના એક સેય જેટલા ભાગમાં પણ અનંત છે સ્પષ્ટપણે માનેલા જ છે, તે પછી તેવી લીલફૂલ થવાના સ્થાનકે રાખ, ચૂનો, કાંકરી કે એવી ચીજને ઉપયોગ પહેલેથી જ કરી લીધું હોય તે લીલકૂલની વિરાધના થતી બચી જાય. શ્રમણોપાસક વર્ગ અનંતજીવની વિરાધનાના ભયે કંદમૂળને છેડવાવાળે હોય છે, છતાં ચિકટાં ભાજને અને સ્થાનેને માટે ચૂના વગેરેને ઉપયોગ ન કરવાથી અનંતકાયની સજજડ વિરાધના કરવાવાળા થાય