Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 549
________________ પર્વ મહિમા દર્શન થયા વગર પંચ પરમેષ્ઠિની આરાધના યથાસ્થિતિએ પહોંચાડી ન શકે. કર્મને ક્ષયને આત્માના પરિણામથી થવાવાળા માનવાવાળા છે, તે સર્વને એમ માનવું પડશે કે આત્માના પરિણામની શુદ્ધિ એ કર્મક્ષયનું કારણ છે. આપણે આત્માના પરિણામને આધારે કર્મબંધે કર્મ ક્ષય માનનારા હાઈએ તે શુદ્ધ પરિણામને અગ્રપદ આપવું પડે. વિચારની કાતિ ચારે ગુણમાં પ્રથમ ગુણ આત્માની શુદ્ધિ દર્શન છે. શાંતિ ફેલાવવી હેય, બળ જગાડે હોય, દેશને તૈયાર કરે હેય તેવા મનુષ્યને વિચારની ક્રાંતિ માટે સજ્જડ પ્રયત્ન કરે પડે. વિચાર પરિવર્તન નહિ કરાવે તે ધારેલાં કાર્યો કરી નહિ શકે. જૈનશાસન માગ્યું આપે એવું કલ્પવૃક્ષ છે. માગવામાં લાયકાત ઓછી હોય તે લાંબા કાળે મળે પણ આપે ચક્કસ. જૈનશાસન માગનારને ખાલી નથી કાઢતા. મોક્ષની ઈચ્છા કરનારને એક પગલપરાવર્તને જરૂર મેક્ષ મળે. માગનાર માગે તેટલી જ વાર. માગનારે માગતાં ચૂકે. ઈન્દ્રાસનના બદલે નિદ્રાસન માગી લે! તે આપનાર શું આપે? કલ્યાણ માગવાની જગ્યાએ ડેખાળા ઇંટાળા માગીએ તેમાં કલ્પવૃક્ષ શું આપે? માગનારે ચૂકી જાય તેમાં જૈનશાસનને ઉપાય નથી. માગવામાં બીજું ન માગીશ! તેમ ચેતવે છે. મેક્ષ તે મળશે, ત્યારે મળશે, પણ બાયડી છોકરાં તે મેળવી લેવા દે, આવું માગનારા કલ્યાણની જગ્યાએ કલેશ, કહીનુર બદલે કાચ માંગે છે. સુલસાની પરીક્ષા. સમ્યકત્વ શી ચીજ? રૂંવાડે રૂંવાડે એક ચીજ ભરી દો, દેવ, ગુરુ, ધર્મને જીવાદિકના જ્ઞાનને પછી વળગજે. પણ સમકિતિને પહેલાં વળગજે, મેક્ષ સિવાય બીજી સ્વમમાં પણ માગણી ન હોય, દેવ, ગુરુ, ધર્મ જીવાદિક માનવા જાણવા તે મોક્ષ માટે છે. બંદુક ભરી નિશાન બીજે રાખે છે માટે મોક્ષની નિશાનીની દિશા નક્કી કરે, મેક્ષ “પણે જોઈએ છે. મોક્ષ “જ” જોઈએ છે તે નક્કી કરે. પ્રાચીનકાળમાં દેવતા તુષ્ટમાન થાય ત્યાં માંગ ! માંગ! તું કહે તે આપું ! સમકિતિ શું કહે ? “મારે જોઈએ છે મેક્ષ, તે તારી પાસે નથી. તું શું આપીશ ?” એ આત્માની સ્થિતિ કેવી હશે ? આપણે દહેરા ઉપાશ્રયમાં મેક્ષ, દુકાને પૈસા, ઘરે કુટુંબ જોઈએ છે.

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580