________________
૧૩૪
પર્વ મહિમા દર્શન આવી જ રીતે ઉપાશદશાંગમાં પણ આ જ વાત જણાવે છે કે ત્યારપછી રાજગૃહનગરની અંદર કઈ એક દિવસ અમારિપડહ વગડાવ્યું હતું. ___ 'तए णं रायगिहे नयरे अन्नया कय.इ अमाघाए घुटे यावि થા' (૩૫૦ સૂ૦ ૪૨)
આ રીતે કલિકાલ સર્વજ્ઞના વચનથી તેમજ તે પૂર્વેના ચૂર્ણિકાર મહારાજ અને તેથી આગળ ગણધર ભગવાનના વચનથી તે વાત સાબિત કરી ગયા કે અમારિ પડહ વગાડાવવો જ જોઈએ, ચાહે તો પછી સ્વશક્તિ હોય, ચાહે રાજશક્તિ હય, ચાહે દ્રવ્યશક્તિ હોય, યા ગમે તે પ્રકારે પણ અમારિ પહો વગડાવો જ જોઈએ. દયા અને દાનના દુશ્મન કે જેઓને સૂત્ર બેલતયે નથી આવડતું, પણ સૂતર બેલે છે, તેવાઓને માટે પણ ગણધર મહારાજાના વચનથી તે વાત સાબિત થાય છે કે અમારિ પડહ વગડાવ જ જોઈએ. શાસનની શ્રદ્ધાવાળા માટે તે ચાહે પંચાંગીનું કે ચાહે પ્રકરણનું કે ચાહે ચરિત્રનું વચન પણ માન્ય જ છે. અર્થાત્ શ્રદ્ધાવાળાને માટે તે અમારિ પડહે દ્રવ્ય
ખરચીને પણ કરવાની જરૂર જ છે.) अष्टाह्निकापर्वसु शासनोन्नति, नानाविधां धर्मविवृद्धिहेतवे । पूर्वोक्तयुक्तया विदधतु भावुकाः (वितनुध्वमार्हताः!,) सौभाग्यलक्ष्म्यञ्चितपुण्यसंस्पृहाः॥१॥
સૌભાગ્ય રૂ૫ લક્ષ્મીથી ઓતપ્રેત એવા ઉત્તમપુણ્યની ઈચ્છાવાળા હે ભવ્યજને ! આ પર્યુષણ પર્વ સંબંધીના આઠેય પર્વ દિવસમાં-ધર્મની વિશેષ પ્રકારે વૃદ્ધિ કરવા માટે પૂર્વે કહી ગયા તે યુક્તિવડે વિવિધ પ્રકારે તમે શાસનની ઉન્નતિનાં કાર્યો કરો.