________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
એવા થાય
સ્વરૂપ ટીપાયલી છે. અને તેના અ દિવાએની શ્રેણી છે, જો કે સામાન્ય રીતે પ્રતિદિન સદ્દગૃહસ્થાના ઘરમાં અનેક દિવા થાય છે, પણ તેને દિવાનીશ્રેણી તા કહેવાય જ નહિ. દિવાની શ્રેણી તો દિવાળીને દિવસે લાઇનબંધ જે દિવાએ થાય છે તેને જ કહી શકાય. પરંતુ આ દિવાએ લાઈનબધ જે કરવામાં આવે છે.તે એક બાહ્ય ચિન્હ છે, જો આપણે એકલા બાહ્ય ચિન્હને વળગીએ તે ખરેખર આપણે સાપ અને લીસેાટાના ભેદ નથી સમજયા એમ ગણાય.
૨૫૭:
વિચાર કરવાની જરૂર છે કે હુંમેશાં દીપક અંધકારને નાશ કરવા માટે વપરાય છે, તે પછી આ દવાઓની શ્રેણીથી કયા અંધારાના નાશને લક્ષ્યમાં કર્યું હશે ? વિચક્ષણ પુરુષ સમજી શકશે કે કઈ એવા અખ'ડ ઉદ્યોતના અભાવને લીધે અગર તેના અસ્તને લીધે આ દીપાવલિકા શરૂ થયેલી હાવી જોઈએ, આ દીપાવલિકા માટે જૈનસૂત્રોમાં શિરોમણિ તરીકે ગણાતું શ્રી પયું`ષણાકલ્પસૂત્ર છે જેની રચના ભગવાન મહાવીર મહારાજ પછી એકસાસિત્તેર વર્ષે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામિજીએ કરેલી છે. તેમાં દીપાવલિકાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અને તેનાથી પ્રાચીન કાઈપણ ઉલ્લેખ દીપાવલિકા માટે જૈનશાસ્ત્ર કે અન્ય દશનશાસ્ત્રોમાં નથી.
શ્રી કલ્પસૂત્રના ફરમાન પ્રમાણે ભગવાન મહાવીર મહારાજ રૂપી અખંડ ઉદ્યોતકારક કેવલજ્ઞાની જિનેશ્વર ભગવાનના અસ્તસમયથી જ થયેલા ભાવ અંધકારને ટાળવાના ઉપલક્ષણમાં જ આ દીપાવલિકા પ્રવોલી છે. ધ્યાન રાખવુ' જરૂરી છે કે અઢારે દેશના મહારાજાઓએ એકત્રિત થઈ ને આ દીપાવલિકા પ્રવર્તાવેલી છે. અને તેથી જ આ દીપાવલિકા સમગ્ર ભરતક્ષેત્રમાં વ્યાપક થઈ ગઈ છે. એમાં કાઈપણ જાતનું આશ્ચય નથી.
આ દીપાવલિકાના બાહ્યસ્વરૂપ દીપની શ્રેણીને જેટલુ વળગવું જોઈ એ તેના કરતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પેાતાની હૈયાતિમાં અન્ય અવસ્થાએ જે સેાળ પહેાર સુધી અખંડ ધારાએ દેશના આપી હતી અને તેમાં પંચાવન અધ્યયને પાપળને જણાવનારાં, પંચાવન
૧૭