________________
T
શ્રી ઓઘ- J નિર્યુક્તિ
ભાગ-૨
સૂર્યસંવત્સરમાં ૩૬૬, એક અયનમાં ૧૮૩, ઋતુમાં ૬૧ અને માસમાં ૩૦ દિવસ હોય છે.
ભાવાર્થ આ છે. શ્રાવણના પહેલા દિવસથી માંડીને જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે દિવસે દિવસે અંગુલનો કંઈક ન્યૂન સાતમો ભાગ વધે. આશય એ છે કે શ્રાવણના પહેલા દિવસે બે પાદ અને અંગુલના કંઈકન્સૂન એવા સાતમાં ભાગ વડે અધિક પોરિસી હોય. એમ બીજા દિવસે બે પાદ અને અંગુલના કંઈકન્યૂન બે સમભાગો જેટલી પોરિસી હોય. આમ આ વૃદ્ધિ પ્રમાણે મૈં છેક શ્રાવણ પુનમે બે પાદ અને ચાર અંગુલ વૃદ્ધિ થાય. આમ આ જ ક્રમવૃદ્ધિ વડે ત્યાં સુધી જાણવું કે છેલ્લે પોષ માસની પુનમ આવે. ત્યાં ચારપાદવાળી પોરિસી હોય. ત્યારબાદ માઘના પ્રથમ દિવસથી માંડીને આજ ક્રમથી હાનિ જાણવી કે છેક V અષાઢ પુનમ સુધી એ જાણવી.
॥ ૮૨ ॥
મ
स्स
स
પ્રશ્ન ઃ તમે કહ્યું કે સાત દિવસે અંગુલ વધે. અને પંદર દિવસે બે અંગુલ વધે. પણ આમાં તો વિરોધ છે. વિરોધ શી રીતે? એમ જો પૂછો તો ઉત્તર એ છે કે જો ૧૫ દિવસે બે અંગુલ વધે તો સીધા ગણિત પ્રમાણે એક અંગુલ સાડા સાત દિવસે જ વધે ને ? ૭ દિવસે શી રીતે વધે ? સાડાસાત દિવસે અંગુલ વધવાનું હોય, એને બદલે સાત દિવસે અંગુલ વધારો તે કેમ ચાલે ?
आ
ઉત્તર : તમારી વાત સાચી છે. પણ આના વડે જ તે વાત જણાય છે કે કંઈક વધેલી પોરિસીમાં પચ્ચ. પરાય એ સારુ, પણ કંઈક ઓછી પોરિસીમાં પરાય એ સારુ નહિ. કેમકે ઓછી પોરિસીમાં પચ્ચ. પારીએ તો પચ્ચ. ભંગનો દોષ લાગે.
स्स
मो
પોરિસીમાં ન્યૂનતા આ પ્રમાણે થાય કે જે આ માપવા માટે શરુ કરાયેલ છાયા છે, તે જો લાંબી હોય અને વાપરે તો ન્યૂન પોરિસી થાય, અને પોરિસી વધારે ત્યારે થાય કે જ્યારે તે છાપા સ્વલ્પ હોય અને વાપરે.
| f
A
व
મ
|| ૮૨ ॥