________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
मो
त्थ
॥ ૬૯૦ || મ
ण
स्स
रजोहरणं च प्रत्युपेक्षन्ते, भक्तार्थिन एवमनेन क्रमेण प्रत्युपेक्षणं कुर्वन्ति ॥
|j
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૨૯-૬૩૦-૬૩૧-૬૩૨ : ટીકાર્થ : અહીં પ્રતિલેખનામાં પૂર્વે દર્શાવેલ જ વિધિ સમજી લેવી કે જેમાં ‘મુહપત્તીથી પ્રારંભીને પ્રતિલેખના ક૨વી’ વગેરે વાત અમે કરેલી. તેમ પાત્રની પ્રતિલેખનમાં પણ શ્રોત્રેન્દ્રિયાદિના ઉપયોગવાળો....' વગેરે જે વિધિ કહેલી, અહીં બપોરના પાત્રા પ્રતિલેખનમાં પણ એ જ વિધિ સમજવી.
માત્ર સવારની પ્રતિલેખનાવિધિ કરતા સાંજની પ્રતિલેખનાવિધિમાં જે ભેદ છે, તે વધારાની વિધિને હું સંક્ષેપથી કહીશ. જે પ્રત્યુપેક્ષકો છે, તે બે પ્રકારના છે. વાપરી ચૂકેલા અને ઉપવાસી. આ ભુક્ત અને ઉપવાસી બેયની આ પ્રત્યુપેક્ષણા તો પહેલા સમાન જાણવી કે તેઓ સૌ પ્રથમ મુહપત્તીનું પ્રતિલેખન કરે, ત્યારબાદ મુહપત્તી વડે પોતાના દેહનું પ્રતિલેખન કરે. આમ આટલી પ્રત્યુપેક્ષણાવિધિ એ બેયની સમાન છે.
હવે ઉપવાસીની પ્રત્યુપેક્ષણાવિધિને દેખાડે છે કે ઉપવાસી સાધુ મુહપત્તી અને શરીરની પ્રત્યુપેક્ષણા કર્યા બાદ ગુરુ સંબંધી ઉપધિને પ્રતિલેખે એ પછી તપસ્વીની ઉપધિનું પ્રતિલેખન કરે. એટલે કે અનશનમાં રહેલા સાધુની ઉપધિનું પ્રતિલેખન કરે. ત્યારબાદ તરત ગ્લાનસંબંધી ઉપધિનું પ્રતિલેખન કરે.
તથા જે નૂતનદીક્ષિત હોય કે જે સાધુ આ સાધુને સાધુસામાચારીની શિક્ષા આપવા માટે સોંપાયેલો હોય, તેની ઉપધિનું પ્રતિલેખન તે સાધુની સામે જ કરે (કે જેથી એ જોઈને પણ એને આ બધી શિક્ષા મળતી જાય.)
મ
મ
व
म
મ
|| ૬૯૦ ||