________________
શ્રી
ઓ
ઉત્તર : પશ્ચાઈમાં નતિ શબ્દ છે. એનો અર્થ એ કે કર્મક્ષપણ માટે ઉદ્યત છે. અને ૩ઢ શબ્દનો અર્થ એ કે 1 સમ્યગુજ્ઞાનસંપન્ન છે. અહિંસામાં ઉદ્યમવંત છે. પરંતુ પ્રયત્ન કરનારા એવા પણ એના થકી અચાનક જ પ્રાણીવધ થઈ ગયો. નિર્યુક્તિ
" આવા પ્રકારનો સાધુ શુદ્ધ ભાવવાળો હોવાથી અહિંસક જ છે. ભાગ-૨
આવા પ્રકારના કર્મક્ષય માટે ઉઘત બનેલા તથા “જીવો છે' એમ નહિ જાણનારા કે જાણનારા એવા તે સાધુના યોગને // ૮૩૪ vપામીને જીવો મરે, તો પણ તે સાધુને કાષાયિક, સંસારજનક, દુઃખજનક હિંસાફલ મળતું નથી.
પ્રશ્ન : પણ એ સાધુ જીવને નહિ જાણનારો શી રીતે બને ?
ઉત્તર : એણે “નીચે જીવ છે કે નહિ ?' એ જોવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ કોઈપણ પ્રકારે એ જીવ ન દેખાયો અને એટલે એણે પગ મૂક્યો અને જીવ મર્યો એ સંભવિત છે. આ પ્રશ્ન : પણ તમે તો જીવ જાણનારા સાધુ થકી પણ જીવવધ થવાનું લખ્યું છે. શું જીવની હાજરી જાણ્યા પછી પણ સાધુ ના ત્યાં પગ મૂકે ? 'T ઉત્તર : એ સાધુએ જાણ્યું કે “અહીં પ્રાણી છે” એ પ્રાણી દેખાયો પણ હતો. પણ સાધુનો પગ એવી રીતે ઉપડી ચૂક્યો " હતો કે હવે એ પગને ત્યાં જમીન ઉપર પડતો અટકાવવાનો પ્રયત્ન કરે તો પણ એ તેને અટકાવી શકે તેમ ન હતો. આમ
એ પગ પડવાથી જીવ મર્યો. પણ આમાં એના મનમાં કષાયભાવ ન હોવાથી કષાયજન્ય કર્મબંધ એને થતો નથી. હા ! માત્ર ઇયંપ્રત્યય = ગમનાગમન રૂપ નિમિત્તે થનાર કર્મબંધ થાય. પણ એ કર્મ એક સમયે બંધાય અને જીવ એને બીજા સમયે
; ૮૩૪