Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 882
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ / ૮૭૩ | ઓઘનિર્યુક્તિ-૭૯૬ : ટીકાર્થ : જાતિ, કુલ, બલ, રૂપ વગેરે ૩૬ ગુણોથી યુક્ત તથા જ્ઞાનક્રિયાના વ્યવહારમાં અત્યંત કુશલ એવા પણ સાધુએ પણ અવશ્ય પરની સાક્ષીએ શુદ્ધિ = આલોચના કરવી જોઈએ. અહીં દૃષ્ટાન્ત અપાય છે. ઓઘનિર્યુક્તિ-૭૯૭ : ટીકાર્થ : જેમ કુશલ પણ વૈદ્ય બીજા વૈદ્યને પોતાની વ્યાધિ કહે છે અને તે વૈદ્યની તે વ્યાધિ w સાંભળીને તે પણ વૈદ્ય કે જેને વ્યધિ કહેવાયેલી છે, તે પ્રતિકર્મનો આરંભ કરે છે. - ઓઘનિયુક્તિ-૭૯૮ : ટીકાર્ય : આમ પ્રાયશ્ચિત્તવિધિને જાણનારા આચાર્યાદિએ પણ પોતાને સમ્યફ રીતે કરીને અત્યંત પ્રગટપણે અવશ્ય આલોચના કરવી જોઈએ. s) ઓઘનિર્યુક્તિ-૭૯૯ : ટીકાર્થ : સુગમ છે. (ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ કરીને તમામે તમામ વ્યક્તિઓએ આત્મશુદ્ધિ કરવી જોઈએ, આ ઉપદેશ છે.) ઓઘનિર્યુક્તિ-૮૦૦ : ટીકાર્થ : શલ્યવાળો પુરુષ શુદ્ધ થતો નથી. પ્રશ્ન : કેવી રીતે શુદ્ધ થાય ? ઉત્તર : જે રીતે જિનેશ્વરોના શાસનમાં કહેવાયેલું છે, તે રીતે શુદ્ધ થાય. પ્રશ્ન : પણ શાસનમાં શું કહ્યું છે ? કે જે પ્રકારે શુદ્ધ થવાય. Tu ૮૭૩ II

Loading...

Page Navigation
1 ... 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894