________________
ઉત્તર : જે આત્મા પ્રયત્નવાળો હોય, તે અહિંસક છે જે પ્રમત્ત હોય તે હિંસક છે. આ પરમાર્થ છે. શ્રી ઓઘનિર્યુક્તિ
અથવા તો આ (હમણા કહેવાશે તે) અભિપ્રાય વડે આ ગાથા વ્યાખ્યાન કરાય છે. ભાગ-૨
નૈગમનયના મતે જીવમાં અને અજીવમાં બે યમાં હિંસા સંભવી શકે છે. એ પ્રમાણે લોકોમાં બોલનારાઓ પણ દેખાય IT
જ છે કે “આના વડે જીવ મરાયો, આના વડે ઘટ ખતમ કરાયો...' એટલે અહીં બધે જ હિસી શબ્દનો વપરાશ થતો હોવાથી // ૮૩૭ vજીવમાં અને અજીવમાં બે યમાં હિંસા સંભવિત છે.
આ નૈગમનય માને છે. આ નય અહિંસા પણ એ જ રીતે બેયમાં માને છે. સંગ્રહ અને વ્યવહારનયના મતે પટ્ટાયમાં જ હિંસા સંભવે છે. અજીવમાં નહિ.
(પ્રશ્ન : સંગ્રહ તો બધાનો સંગ્રહ કરનાર છે. તો એ છ કાયમાં હિંસા શું કામ માને ? છ કાયો છેવટે તો જીવ જ છે " ને ? તો એ બધાને જીવ ગણી માત્ર જીવમાં જ હિંસા માનવી જોઈએ ને ?)
ઉત્તર : અહીં તમારે દેશગ્રાહી સંગ્રહનય સમજવો. આશય એ કે સંગ્રહ બે પ્રકારે છે. દેશગ્રાહી અને સર્વગ્રાહી. એમાં જે સર્વગ્રાહી સંગ્રહ છે, એ બધા જ કાયોનો જીવ તરીકે સંગ્રહ કરે છે. એ સંગ્રહ સામાન્યરૂપ કહેવાય છે અને એ તો નૈગમની અંદર જ આવી જાય છે. કેમકે નૈગમ પણ બધા જીવોને જીવ તરીકે એક ગણીને જ જીવમાં હિંસા માને છે.
જ્યારે દેશગ્રાહી સંગ્રહ નય બધા જ જીવોનો સંગ્રહ જીવ તરીકે નથી કરતો. પણ તમામ પૃથ્વીજીવોનો પૃથ્વીકાય તરીકે : સંગ્રહ કરી લે છે. તમામ પાણીજીવોનો અપૂકાય તરીકે સંગ્રહ કરી લે છે...આમ આ દેશતઃ સંગ્રહ કરનાર છે.
u૮૩૭.