________________
•!
परिसमज्झे तो लेवो जातिओ, अहो असुई समणा खलु एए । मा एएसिं भिक्खं पि देउ । एते अविहीअणुण्णवणाए શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ભાગ-૨
ચન્દ્ર. : આ વિષયમાં અવિધિથી રજા લેવા સંબંધી દષ્ટાન્ત છે. (એ હવે કહે છે.)
ઓઘનિર્યુક્તિ-૩૮૬ : ટીકાર્થ : એક સાધુ લેપ લેવા માટે નીકળ્યો અને એ ગાડાઓને જુએ છે. સાધુએ પૃચ્છા કરી | ૨૭૧ || જ
કે આ ગાડાઓ કોના છે?” ગૃહસ્થ કહ્યું કે “રાજાના છે.” હવે અગીતાર્થ સાધુ વિચારે કે “માલિકની રજા તો લેવી જ પડે, ચાલો, હું જાઉં. રાજાને જોઉં” (અર્થાત્ એને પૃચ્છા કરી લઉં.) તે રાજા પાસે ગયો. રાજા કહે છે “તને શું આપું?” સાધુ | કહે કે “તમારા ગાડાઓ તલના તેલથી પ્રષિત કરાયેલા છે, તેમાં લેપ સારો હોય છે. તે મને આપો. ' હવે આવું બને ત્યારે ભદ્રક અને પ્રાન્તના દોષો છે. તે આ પ્રમાણે જો રાજા ભદ્રક સારો હોય તો પછી બધે જ ઘોષણા કરાવે કે “આ રાજ્યમાં કોઈએ પણ ઘી વડે ગાડા પ્રષિત ન કરવા. જે કરશે તે દંડ પામશે.” (“બધા તેલ વડે કરે એટલે
સાધુઓને તેલનો લેપ સુલભ થઈ જાય” એવો રાજાનો આશય છે.) આમ ભદ્રકરાના આવા પ્રકારના પ્રસંગ કરે. અર્થાત્ - સાધુને માટે દોષિત બની જાય એવા પ્રકારના લેપને ઉત્પન્ન કરાવવાનું કામ કરી બેસે.
હવે જો એ રાજા પ્રાન્ત - વિચિત્ર હોય તો એ બોલે કે “આ સાધુએ આ ભરસભામાં મારી પાસે બીજું કશું ન માંગ્યું વી અને આ તુચ્છ લેપ માંગ્યો. આ બધા સાધુઓ ગંદા છે. હવે તો કોઈએ આ સાધુઓને ભિક્ષા જ આપવા જેવી નથી.” (અને
-
s
*
=
F
૭૧|
,