________________
(૩) તથા બ્રહ્મચર્યની ગુપ્તિ માટે ન વાપરે. શ્રી ઓઘનિર્યુક્તિ
(૪) તપ માટે (૫) શરીરના વ્યવચ્છેદ માટે ન વાપરવું. ભાગ-૨
હવે ભાષ્યકાર પ્રત્યેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ અવયવ આતંકનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે . (૧) આતંક એટલે તાવ વગેરે. આદિ શબ્દથી બીજા પણ રોગો જેવા કે જેમાં ભોજન કરવું હિતકારી = પથ્ય ન હોય, તો + ૬૩૧ એ વખતે વાપરવું અપથ્ય હોવાના કારણે ન વાપરે.
" (૨) રાજાએ સાધુને રાજકુળની અંદર પકડી રાખવા - પૂરી દેવા વગેરે રૂપ ઉપસર્ગ કરેલો હોય અથવા તો કોઈ સ્વજનો
સાધુને દીક્ષા છોડાવવા માટે ઉપસર્ગ કરે તો એ વખતે ન વાપરે. (આવા વખતે ન વાપરવાથી ઉપસર્ગ દૂર શી રીતે થાય? |
એ એક પ્રશ્ન છે. તેનું સમાધાન એ કે (૧) સાધુ ઉપવાસ કરે તો એ તપના પ્રભાવથી દેવની સહાય મળે અને આ ઉપસર્ગ જ 1 ટળે, (૨) સાધુને ઉપવાસ ઉપર ઉતરેલો જાણી રાજાસ્વજનાદિ ગભરાઈ જાય. “આ રીતે તો આ મરી જ જશે.” એમ | વિચારી છેવટે એને છોડી મૂકે. આમ આવી રીતે ઉપસર્ગ ટળે. બાકી જો બીજી કોઈ રીતે ભાગી જવાદિ દ્વારા ઉપસર્ગ ટળી ઘ
જતો હોય તો તો કોઈ વાંધો જ નથી. ત્યાં વાપરવાનું બંધ કરવાની જરૂર નથી.) ૫ (૩) બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ન વાપરે. કેમકે ભૂખ્યાને ઉન્માદ ન થાય, એટલે જો વાપરે નહિ, તો કામોન્માદ શાંત થવાથી બ્રહ્મચર્યપાલન સરળ બને.
(૪) જીવદયા માટે એટલે કે વરસાદ કે ધુમ્મસ હોય તો ન વાપરે.
મેં ૧ થs a
૬૩૧ ||