________________
શ્રી ઓ.યુ. ચન્દ્ર. : પ્રશ્ન : એ કયા કારણો છે ? નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૬૦૯ : ટીકાર્થ : ઉત્તર : (૧) ક્યારેક કોઈક ક્ષેત્રમાં આચાર્યપ્રાયોગ્ય વસ્તુ દુર્લભ હોય તો પછી બધા ભાગ-૨ જ સંઘાટકો આચાર્યને અનુકૂળ વસ્તુઓ આચાર્ય માટે વહોરે. હવે આમાં એવું બને કે ક્યારેક બધાને આચાર્યપ્રાયોગ્ય ઘી
વગેરે વસ્તુનો લાભ થાય, આચાર્ય તો એકાદનું વાપરે, અને એ સિવાય બીજાનું ઘી વધી પડે હવે આચાર્ય સિવાયના બીજા | ૬૬૫૫ સાધુઓને તો પોતાના પૂરતું ભોજન મળી જ ગયું હોય એટલે એ લોકો તો આ વધેલી વસ્તુ વાપરવા અસમર્થ બને. આમ
ને આ રીતે આચાર્યને માટે ગ્રહણ કરેલા શુદ્ધ વસ્તુની પણ પરિષ્ઠાપના કરવી પડે.
(૨) તથા ગ્લાનને માટે પણ એ જ પ્રમાણે બધાએ વસ્તુ વહોરી હોય અને એટલે પાછળથી વધી પડે. (૩) એમ મહેમાનો માટે પણ આ જ વાત સમજવી.
(૪) કોઈક જગ્યાએ તે તે વસ્તુનો લાભ દુર્લભ હોય, અને જોગાનુજોગ બધા જ સંઘાટકોને એ દિવસે એ વસ્તુ મળી છે એટલે બધાએ વહોરી અને એટલે ગોચરી વધી પડે.
(૫) ક્યારેક અચાનક જ કોઈક વસ્તુનો લાભ થઈ જાય તો એને સાધુ વધુ પ્રમાણમાં વહોરી લે અને એટલે પાછળથી એ વધી પડે.
આમ આ બધા કારણોસર અજાતા પરિષ્ઠાપનિકા થાય.
* F = =
= fee
': ૬૫ |