Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat
Catalog link: https://jainqq.org/explore/005118/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ વિરચિત યોગશા (ગુ ર્જ રા નું વા દ) થો હેમચંદાચાય મ ALLA અનુવાદક ૫. પૂ. આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરિ મ.સા. સંપાદક ૫.પૂ. આચાર્યદેવ શ્રી મુનિયન્દ્રસૂરિ મ.સા. विमानाला मालामाल | प्रात मगा दान सागा दहित सिंगा दाहन सा jan mary.org Pers Brani Page #2 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત સ્વોપજ્ઞ વિવરણ સહિત યોગશાસ્ત્ર (ગુર્જરાનુવાદ) અનુવાદક ક8 પ. પૂ. આગમોદ્ધારક આ. ભ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. આચાર્ય શ્રી હેમસાગરસૂરિ મ.સા. @ સંપાદક @ આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ મ.સા. 6 પ્રકાશક શe આચાર્ય કારસૂરિ જ્ઞાનમંદિર, સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ : યોગશાસ્ત્ર (સટીકનો ગુર્જરનુવાદ) હું મૂલ્ય : ૩૦૦ ન આવૃત્તિ : તૃતીય Iકલ : પ00 : પ્રાપ્તિસ્થાન : સુરત આ. 3ૐકારસૂરિ જ્ઞાનમંદિર, આ. ૐકારસૂરિ આરાધના ભવન, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ ભીલડીયાજી વિજય ભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ હાઈવે રોડ, ભીલડીયાજી (બ. કા.) અમદાવાદ વાવપથકની વાડી દશાપોરવાડ, પાલડી, અમદાવાદ, અમદાવાદ સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, અમદાવાદ. મુદ્રક 68 રાજ આર્ટ્સ રાજેશ શાહ નારણપુરા, સોલા, અમદાવાદ. (M) : 094274 70773 E-mail : raj_ancor82@yahoo.co.in Page #4 -------------------------------------------------------------------------- ________________ દિવ્યાશીષ ઉ૫કા૨સ્મરણ પ. પૂ. મુનિરાજ શ્રી વિનયવિજય મ.સા. સંઘસ્થવિર પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. સંઘ એકતા સંયોજક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ૐૐકારસૂરીશ્વરજી મ.સા. પૂજ્યોના સંયમ જીવનની ભૂ િભ િઅનુમોદના દીક્ષા પર્યાય પ. પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. ૐ પ. પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. ૐ પ. પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ૬૭ વર્ષ ૫૦ વર્ષ ૪૦ વર્ષ પ. પૂ. મુનિરાજ શ્રી જિનચન્દ્રવિજયજી મ.સા. ૫. પૂ. સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મ.સા. (પૂ. બા. મ.) ૪૦ વર્ષ ૪૦ વર્ષ મહા સુદ ૧૦ના પવિત્ર દિવસે દીક્ષા સ્વીકારી નિર્મળ સંયમ જીવન આરાધતાં પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના. દ. શ્રી વાવ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ મુ વાવ, જિ. બનાસકાંઠા, વિ. સં. ૨૦૬૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય સ્વપજ્ઞ વિવરણ સાથે યોગશાસ્ત્રનો ગુર્જર અનુવાદ પૂ. આ. ભ. શ્રી હેમસાગરસૂરિ મ.સા.એ વિ.સં. ૨૦૨૫માં કયો. તેનું પ્રકાશન ઈ.સ. ૧૯૬૯માં શ્રી દેવચંદલાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી થયું. એ પછી ઈ.સ. ૧૯૮૦માં આ ગ્રંથનું પુનઃ પ્રકાશન શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ દ્વારા થયું. છેલ્લાં કેટલાક વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથનો પુનઃ પ્રકાશન કરવા પૂ. આ. ભ. મુનિચન્દ્રસૂરિ મ.સા.એ પ્રેરણા કરી. મુનિરાજ શ્રી અમરેન્દ્રસાગરજી મ.સા. અને મુનિરાજ શ્રી મહાભદ્રસાગરજી મ.સા એ પણ કાર્ય માટે પ્રસન્નતા પ્રગટ કરી. - આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) તરફથી કાલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ.સા. અને કુમારપાલ મહારાજાના ફોટાની સામગ્રી મળી છે. આભાર. આ ગ્રંથના સંપાદનમાં પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. ને તેઓના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હ્રીંકારરત્ન વિ. મ.સા. એ સહાય કરી છે. સાથે સાથે જણાવતા હર્ષ થાય છે કે “યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ” ગ્રંથ કે જેનું પ્રકાશન “જૈન સાહિત્ય વિકાસ મંડળ” દ્વારા વર્ષો પૂર્વે થયેલ. તેનું પુનઃ પ્રકાશન પણ અમે ટૂંક સમયમાં કરવાના છીએ. આ ગ્રંથ પ્રકાશનનો લાભ શ્રી વાવ જૈન શ્વે. મૂ. પૂ. સંઘે જ્ઞાનદ્રવ્યમાંથી લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના. – પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી જૈનપ્રવચનના મહાનું પ્રભાવક, સમર્થ ધર્મોપદેશ “કલિકાલસર્વજ્ઞ' બિરુદથી પ્રખ્યાત આચાર્ય "શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી આજથી આઠસો વર્ષ પહેલાં-વિક્રમની બારમી અને તેરમી સદીમાં (સંવત ૧૧૪૫ થી ૧૨૨૯માં) વિવિધ સાહિત્યની રચના કરી સમાજ પર શ્રેષ્ઠ ઉપકાર કરી ગયા-એ સુવિદિત છે. સત્કર્તવ્યનિષ્ઠ, પરોપકાર-પરાયણ, રાજ-માન્ય, લોક-માન્ય,વિદ્ધમાન્ય, શ્રી સંઘમાન્ય, ગુજરાતનું ગૌરવ ગુજરાતના એ સપત ધર્માચાર્યની પ્રસ્તુત શ્રેષ્ઠ કતિ સંસ્કૃત યોગશાસ્ત્ર અપરનામ “અધ્યાત્મોપનિષદ'ને ગુજરાતી અનુવાદ સાથે વાંચી વિચારી જિજ્ઞાસુ સજ્જન વાચકો પ્રમુદિત થશે-એવી પૂર્ણ આશા છે. ગૂર્જરેશ્વર પરમહંત મહારાજા કુમારપાલના પણ આપણે સૌ આભારી છીએ કે, જેમની સભાવનાભરી પ્રાર્થના-પ્રેરણાને અનુસરી ધર્માચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે આવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ શાસ્ત્રની રચના લોક-કલ્યાણ માટે કરી. પ્રાચીન સમયમાં મહર્ષિ પતંજલિએ સંસ્કૃત સૂત્રાત્મક સંખ્ય-પ્રવચનરૂપ યોગાનુશાસન-યોગશાસ્ત્રની રચના કરી હતી. જેમાં ૧ સમાધિપાદ, ૨ સાધનપાદ, ૩ વિભૂતિપાદ અને ૪ કૈવલ્યપાદ એવા જ વિભાવો છે. તેના ઉપર વ્યાસનું ભાષ્ય, તથા વાચસ્પતિમિશ્રની વૃત્તિ અને ધારેશ્વર મહારાજા ભોજદેવની “રાજમાર્તડ નામની વૃત્તિ અન્યત્ર પ્રસિદ્ધ છે. એથી જુદી શૈલીમાં જૈનપ્રવચનને અનુસરતી પ્રસ્તુત યોગશાસ્ત્રની રચના શ્રી હેમચંદ્રાચાર્યે ૧૨ પ્રકાશમાં વિભક્ત કરી સુગમ સંસ્કૃત પ્રાસાદિક ૧૦0૯ જેટલાં પદ્યોમાં કરી છે. તેના ૧ લા પ્રકાશમાં અનુરુપ શ્લોકો ૫૬, રજામાં શ્લો. ૧૧૫, ૩ જામાં ૧૫૫, ૪ થામાં ૧૩૬, ૫ મામાં ૨૭૩, ૬ ઢામાં ૮, ૭ મામાં ૨૮,૮મામાં ૮૧, ૯ભામાં ૧૬, ૧૦મામાં ૨૪, ૧૧મામાં આર્યા ૬૧ અને ૧૨મામાં પ૩ પદ્યો, છેલ્લે ૨ શાર્દૂલવિક્રીડિત વૃત્ત-એવી રીતે ૧૦૦૮ પદ્યોમાં આ સ્વોપજ્ઞ મૂળ યોગશાસ્ત્રની સરસ સંક્લના છે, તેના ઉપર બારહજાર શ્લોક-પ્રમાણ તેમનું જ સ્પષ્ટ સ્વોપજ્ઞ વિવરણ છે. તેના પ્રારંભમાં, પ્રાન્તમાં અને પ્રત્યેક પ્રકાશના અંતમાં આ રચનાના પ્રેરક, પ્રાર્થના કરનાર, શ્રવણ કરવા ઈચ્છનાર પરમાત મહારાજા કુમારપાલનો ઉલ્લેખ જોઈ શકાય છે. યોગશાસ્ત્રની સંકલના - પ્રસ્તુત યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશોની સંકલના આ રીતે છે - (૧લા પ્રકાશમાં-) યોગિનાથ શ્રી મહાવીરનું મંગલ, અભિધેય, સંબંધ, પ્રયોજન દર્શાવી યોગનું મહાભ્યયોગનો પ્રભાવ દર્શાવવા દઢપ્રહારી, ચિલાતીપુત્ર, ભરત ચક્રવર્તી, મરુદેવીમાતા વગેરેનાં દૃષ્ટાન્તો સાથે યોગનું સ્વરૂપ સમજાવ્યું છે. “યોગ” અક્ષરરૂપ શલાકા વડે જેના કાન વિંધાયા નથી, તેવા નિષ્ફળ જન્મવાળા, નરપશુની ઉત્પત્તિ ન થાય-એ બહેત્તર છે-એમ જણાવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર વર્ગ-પુરુષાર્થોમાં ૧. અનેક પ્રાચીન-અર્વાચીન વિદ્વાનોએ એમના સંબંધમાં ચરિત્ર-પ્રબંધ આદિ રચેલ છે, તથા મારો લેખ આચાર્ય શ્રી હેમચંદ્ર (ઐતિહાસિક પ્રામાણિક પરિચય) “સુવાસ' માસિકમાં, સંવત ૧૯૯૫ ચૈત્રમાં ગુજરાતી સાહિત્ય પરિષદૂના નિબંધ-સંગ્રહમાં તથા “ઐતિહાસિક લેખ સંગ્રહ' સયાજી સાહિત્યમાલામાં પુષ્પ ૩૩૫, વડોદરા પ્રા. વિ. મ. મ. સ. યુનિવર્સિટી - પ્રકાશનમાં વિ. સં. ૨૦૧૯માં પ્રકાશિત છે. વાચકો અવશ્ય વાંચે. ૨. “રાજર્ષ કુમારપાલ” નામનો મારો લેખ, “સ્વાધ્યાય' તૈમાસિક પુસ્તક ત્રીજાના ચોથા જન્માષ્ટમી અંકમાં સં. ૨૦૨૨માં વડોદરામાં પ્રકાશિત છે, વિશેષ પરિચય માટે જિજ્ઞાસુઓએ વાંચવો. લા.ભ. Page #7 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ મોક્ષ મુખ્ય છે, તેનું કારણ યોગ છે અને તે સમ્યગુજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયાત્મક છે. એમ જણાવ્યા પછી સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ દર્શાવતાં પાંચ મહાવ્રતોનું સંક્ષિપ્ત સ્વરૂપ તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પરિચય કરાવ્યો છે. એ પછી ગૃહિધર્માધિકારી થવા યોગ્ય જીવનમાં જરૂરી માર્ગનુસારી ૩૫ ગુણોનું આવશ્યક પ્રતિપાદન છે. (૨ જા પ્રકાશમાં-) શ્રાવકનાં ૧૨ વ્રતોનો પરિચય આપતાં, પહેલાં મૂળ સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવતાં મિથ્યાત્વનું સ્વરૂપ, એવી રીતે સુદેવ સાથે કુદેવ, સુગુરુ સાથે કુગુરુ અને સુધર્મ સાથે કુધર્મનાં લક્ષણો દર્શાવ્યાં છે, જેથી સુદેવ, સુગુરુ અને સુધર્મને ઓળખી, તેના ઉપર શ્રદ્ધા કરી સમ્યક્તનો સ્વીકાર કરી શકાય સમ્યક્ત્વનાં પાંચ ચિહ્ન પાંચ ભૂષણ તથા તજવાના પાંચ દુષણો સમજાવ્યાં છે. શ્રાવકોએ સમ્યકત્વમૂલક બાર વ્રતો સ્વીકારવાનાં હોય છે. તેમાંનાં પાંચ અણુવ્રતો સમજાવ્યાં છે - (૧લા) અહિંસા અણુવ્રતનું સ્વરૂપ સમજાવતાં હિંસા તજવા માટે વિવિધ પ્રકારનો ઉપદેશ, હિંસા કરનારની નિંદા, હિંસા કરનાર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને નરકમાં જવું પડ્યું - તેના કથાનકો આપ્યાં છે. કુલ-ક્રમથી આવેલી હિંસાને તજનાર કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની પ્રશંસાત્મક કથા આપી છે. હિંસા કરનારના દમ, અધ્યયન, તપ વગેરે નિરર્થક જણાવ્યા છે. હિંસાના ઉત્તેજક અને ઉપદેશક શાસ્ત્ર રચનારની નિંદા, શિકારીઓ દ્વારા કરાતી હિંસા, લૌકિક શ્રાદ્ધાદિમાં થતી હિંસા, દેવને ભેટ ધરવાના અને યજ્ઞમાં હવન કરવાના બહાને તથા વિષ્ણ-શાંતિ માટે કરાતી-વગેરે સર્વ પ્રકારની હિંસા વર્જનીય જણાવી છે. તથા અહિંસાની સ્તુતિ, પ્રશંસા અને તેનાં શુભ ફલો કહેલાં છે. (૨ જા) અણુવ્રત (સત્ય)નું સ્વરૂપ સમજાવતાં અસત્યનાં અશુભ ફલો આ લોક અને પરલોકમાં કેવી રીતે ભોગવવાં પડે છે, તે ઉપર શુભ ફળવાળી કાલકાચાર્યની અને અશુભ ફલ આપનારી વસુરાજની કથા, પરપીડાકારી સત્ય વિષયક કૌશિકની કથા આપી છે. તથા અસત્ય બોલનારની નિંદા અને સત્ય બોલનારની સ્તુતિ કરવામાં આવી છે. (૩ જા) અણુવ્રત (અચૌર્ય)નું સ્વરૂપ સમજાવતાં અપેક્ષાએ હિંસા કરતાં પણ ચોરીમાં અધિક દોષ, ચોરી કરનાર મંડિક ચોર અને તેને તજનાર રૌહિણેય ચોરની ક્રમસર અશુભ-શુભ ફળ દર્શાવનારી કથા જણાવી છે. (૪થા) અણુવ્રત સ્વદારાસંતોષ અને પરદારાગમન-વિરમણ)નું સ્વરૂપ સમજાવતાં મૈથુનના, સ્ત્રીના, વેશ્યાના, પરદારાગમન, પરસ્ત્રીરમણ કરવાની અભિલાષાના પણ દોષો; તે સંબંધી રાવણની અને પરસ્ત્રીનો ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા, નારીએ પરપુરુષમાં આસક્તિ તજવી-તે સંબંધી ઉપદેશ, બ્રહ્મચર્ય-પાલનથી આ લોક અને પરલોકમાં થનાર શ્રેષ્ઠ ફળો દર્શાવ્યાં છે. (પમા) અણુવ્રત (પરિગ્રહ-પરિમાણ)નું સ્વરૂપ સમજાવતાં પરિગ્રહના દોષો, તે સંબંધમાં સગર ચક્રવર્તી, કુચિકર્ણ, તિલક શેઠ અને નંદરાજાની કથાઓ, પરિગ્રહ તજનાર સંતોષી અભયકુમારની કથા જણાવી સંતોષની પ્રશંસા કરી છે. (ત્રીજા પ્રકાશમાં) શ્રાવકનાં ૩ ગુણવ્રતોનો પરિચય આપ્યો છે. ૧લા દિવિરમણ ગુણવ્રત પછી બીજા ભોગોપભોગ-વિરમણ ગુણવ્રતનો વિસ્તારથી ખ્યાલ કરાવ્યો છે. વર્જવા યોગ્ય વસ્તુઓમાં મદિરાપાનના ત્યાગના અનેક પ્રકારે બોધ કરાવ્યો છે. માંસાહારના દોષો દર્શાવી તેના આહારનો નિષેધ કર્યો છે. મતાન્તરનું ખંડન કર્યું છે. માખણ, મધ, પાંચ પ્રકારનાં ઉદુમ્બર-ફલ-ભક્ષણ, અનંતકાય, અજ્ઞાત ફલ-ભક્ષણ-નિષેધ, રાત્રિભોજન-વર્જન, કાચા ગોરસ-મિશ્રિત દ્વિદલ, જન્તુમિશ્ર ફલ, ફૂલ આદિ અભક્ષ્ય તજવા ઉપદેશ આપ્યો છે. ૩જા અનર્થદંડ-વિરમણ નામના ગુણવ્રતનું સ્વરૂપ સમજાવતાં આર્ત-રૌદ્ર નામના દુર્ગાનને તજવા, પાપોપદેશ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અને વિવિધ પ્રકારના પ્રમાદને પરિહરવાની સમજાવટ છે. ત્યાર પછી ચાર શિક્ષાવ્રતોમાં ૧લા સામાયિકનું સ્વરૂપ, તેનાથી થતી કર્મ-નિર્જરાએ સંબંધમાં ચંદ્રાવતં સુકની કથા, રજા દેશાવગાસિક વ્રતનું સ્વરૂપ પૌષધવ્રત નામના ત્રીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ સમજાવી ચુલની પિતાની કથા, ૪ થા અતિથિસંવિભાગનું સ્વરૂપ સમજાવતાં સુપાત્રદાન વિષયક સંગમકની કથા કહેલી છે. શ્રાવકનાં બાર વ્રતોના અતિચારો સમજાવી પંદર પ્રકારનાં કર્માદાનના વેપાર-ધંધાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યો છે. મહાશ્રાવકની વ્યાખ્યા સમજાવતાં પોતાનું શુભ દ્રવ્ય વાવવાનાં સાત ક્ષેત્રો (૧ જિનબિંબ, ૨ જિનમંદિર, ૩ જિનાગમ૪ સાધુ ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા) વિસ્તારથી સમજાવ્યાં છે. પ્રાસંગિક દિગમ્બરમતની માન્યતાને અયોગ્ય સાબિત કરી છે. મહાશ્રાવકની દિનચર્યા, ચૈત્યપૂજા, જિનવંદનની વિધિ સમજાવી છે. ઉત્કૃષ્ટ આદિ ચૈત્યવંદન-પ્રસંગે “ઈરિયાવહી' આદિ સૂત્રોના, નમોઘુર્ણ”, “અરિહંતચેઈ યાણ', લોગસ્સ પુફખરવદીવડુ', “સિદ્ધાણં બુદ્ધાણં', “જય વિયરાય', ‘વંદનક' આદી પ્રાકૃત સૂત્રોના અર્થ વિસ્તારથી સમજાવ્યા છે. ગુરુવંદનવિધિ, ઉભયકાલપૂજા, ૨૫ અવશ્યકો, ગુરુવંદનના ૩૨ દોષો, ગુરુ-શિષ્યના આલાપો, ૩૩ આશાતનાઓ, પ્રતિક્રમણ-શબ્દની વ્યાખ્યા, કાયોત્સર્ગ-વિધિ, કાયોત્સર્ગમાં તજવાના ર૧ દોષો, પ્રત્યાખ્યાનનું વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાર પછી રાત્રિ-કૃત્ય સમજાવતાં સ્ત્રીઓનાં અંગોની વૈરાગ્યાત્મક તાત્ત્વિક વિચારણા પ્રસંગે સ્થૂલભદ્રની અને વ્રત-પાલનની દઢતા વિષયક કામદેવ શ્રાવકની કથા, ઉત્તમ મનોરથોનું ચિંતન, શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું સ્વરૂપ, સમાધિ-મરણ તે માટે આનંદ શ્રાવકની કથા, શ્રાવકત્વની પ્રશંસા, શ્રાવકની શ્રેષ્ઠગતિ જણાવી છે. (૪થા પ્રકાશમાં) આત્માનું રત્નત્રયી સાથે ઐક્ય, આત્મજ્ઞાનની સ્તુતિ, ક્રોધાદિ ચાર કષાયોનું સ્વરૂપ, કષાય અને ઈન્દ્રિયો ઉપર વિજય, મનઃશુદ્ધ વિના તપની નિષ્ફળતા, વેશ્યાઓનું સ્વરૂપ, રાગ-દ્વેષની દુર્જયતા, બંનેના વિજયના ઉપાય, સમતા(સામ્ય)નો પ્રભાવ, અનિત્ય, અશરણ, ભવ, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મસ્વાગતતા, બોધિદુર્લભતા, લોક અને એ બાર ભાવનાઓનું વિસ્તૃત સ્વરૂપ, સામ્ય-ફલ, ધ્યાનનું સ્વરૂપ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યશ્મ ચાર ભાવનાઓ, ધ્યાન કરનાર યોગીનું સ્વરૂપ સમજાવ્યું છે. (પમા પ્રકાશમાં) પ્રાણાયામ, રેચક, કુંભક, પૂરક વગેરેના ભેદો, તેની વિધિ, તેનું ફલ, પ્રાણનાં સ્થાન વગેરે, ગમાગમ પ્રયોગ, ધારણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન વાયુનું સ્વરૂપ, પ્રાણાદિ જયનું ફળ. ધારણા, વિધિ-ફલ, પવનની ચેષ્ટા, પવન-ચાર વગેરે જ્ઞાનનું ફળ, ભૌમાદિ ૪ મંડલ,પુરંદર વગેરે ચાર વાયુ, તેન જ્ઞાનનો ઉપયોગ, કાર્યને અનુલક્ષી વાયુ-ફળ, નાડી-સ્વરૂપ અને ફળ, કાલ(મરણ)-જ્ઞાન, મૃત્યકાલ-નિર્ણય માટે બાહ્ય લક્ષણ, બીજા પ્રકારે કાલ-જ્ઞાન, સ્વપ્નદ્વારા, બીજા નિમિત્તો, શકુન, આતુરશકુન, ઉપશ્રુતિ, શનૈશ્ચર પુરુષ, પ્રશ્ન-લગ્નને અનુલક્ષી, મેષ વગેરે રાશિઓમાં લગ્નાધિપતિઓ, યંત્ર, વિદ્યા-દ્વારા કાલમૃત્યજ્ઞાન, જય-પરાજય જાણવાનો ઉપાય, પ્રકારાન્તરે કાલજ્ઞાન, પવન-નિશ્ચય અને બિન્દુ-નિરીક્ષણના ઉપાય, નાડી-પરાવર્તન-શુદ્ધિ, સંચાર-ફળ, વેધવિધિ, પરકાય-પ્રવેશ વિષયક વિમર્શ. (૬ કા પ્રકાશમાં) પરકાય-પ્રવેશ અપારમાર્થિક જણાવી, પ્રાણાયામ મોક્ષ-હેતુ નથી-એમ સૂચવેલ છે. પ્રત્યાહાર અને ધારણાનાં સ્વરૂપ તથા ફળ દર્શાવ્યાં છે. (૭મા પ્રકાશમાં) ધ્યાન કરવા ઈચ્છનારનો ક્રમ, ધ્યાતા અને ધ્યેયનું સ્વરૂપ, ૧ પાર્થિવી, ૨ આગ્નેયી, ૩ વાયવી, ૪ વાણી અને ૫ તત્રભૂ ધારણાનું સ્વરૂપ, પિંડસ્થ ધ્યેયનું માહાસ્ય દર્શાવ્યું છે. (૮મા પ્રકાશમાં) પદસ્થ ધ્યેયનું લક્ષણ, ફળ, પદમયી દેવતા, મંત્રરાજના ધ્યાનનું ફળ, પરમેષ્ઠિ-વાચક Page #9 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ પદમયી દેવતા, તેના પ્રકારો, સયુષ્ટિ-સહિત અન્યમંત્ર, તેનું ફળ, પ્રકારાન્તરે ધ્યાન સમજાવેલ છે. (૯મા પ્રકાશમાં) રૂપસ્થ ધ્યેય સમજાવી અશુભ ધ્યાનનો નિષેધ કર્યો છે. (૧૦મા પ્રકાશમાં) રૂપાતીત ધ્યેય ૧ આજ્ઞાવિચય, ૨ અપાયરિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચયનો પરિચય કરાવી લોકધ્યાન, ધર્મધ્યાનનું સ્વરૂપ સમજાવેલ છે. (૧૧મા પ્રકાશમાં) શુક્લધ્યાન, તેના અધિકારી, તેના ચાર ભેદો, અમનઔપણામાં પણ કેવલીની ધ્યાનસિદ્ધિ શુકલધ્યાનના ચાર પ્રકારો, ધાતિકર્મો, તીર્થંકરના અતિશયો, સામાન્ય-કેવલિનું સ્વરૂપ, કેવલિ-સમુદ્રઘાત, શૈલેશીકરણ, સિદ્ધાત્માના ઊર્ધ્વગમનનાં કારણો સમજાવેલ છે. (૧૨મા પ્રકાશમાં) અનુભવસિદ્ધ તત્ત્વનું કથન, ૧ વિક્ષિપ્ત, ર યાતાયાત, ૩ શ્લિષ્ટ અને ૪ સુલીન ભેદોવાળું ચિત્ત સમજાવી નિરાલંબન ધ્યાન, યોગનું સ્વરૂપ, ૧ બાહ્યાત્મા, ૨ અન્તરાત્મા અને ૩ પરમાત્માનું સ્વરૂપ, આત્મા અને પરમાત્માનું ઐક્ય, ગુરુ-પારતંત્રની આવશ્યકતા અને ગુણવત્તા, ગુરુના ઉપદેશાનુસાર યોગીનું વર્તન, ઔદાસીન્ય, તેનું ફળ, ઈન્દ્રિય-રોધ-નિષેધ, મનની સ્થિરતાનો ઉપાય, મન પર જય મેળવવાનો વિધિ, તેનું ફળ, અમનસ્કપણાનું ફળ, ઉપદેશનું સર્વસ્વ, યોગશાસ્ત્રની રચનામાં કારણ, ચૌલુકય મહારાજા કુમારપાલ ભૂપાલની પ્રાર્થના પ્રકાશિત કરેલ છે. ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલ વિ. સં. ૧૧૯૯ થી ૧૨૩૦ના રાજ્યકાલ-સમયે રાજર્ષિ, ધર્માત્મા અને પરમાઈત તરીકે પ્રસિદ્ધ થયા. તેમ જ મારિ-અર્થાત્ હિંસાના નિવારક થયા. રાજ્યમાં સર્વત્ર અહિંસાની ઉદ્યોષણા કરાવનાર-પળાવનાર થયા-જીવોને અભયદાન આપનાર-અપાવનાર થયા. તથા રાજ્યમાંથી શિકાર, જૂગાર, મદિરાપાન આદિ વ્યસનોને દેશવટો કરાવનાર થયા. એમાં નિમિત્તભૂત સદ્દગુરુ ધર્માચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમનો સદ્ધર્મોપદેશ કહી શકાય. એ સદુપદેશને તત્ત્વજ્ઞાનમૃત-જલનિધિરૂપ તેમના પ્રસ્તુત યોગશાસ્ત્રમાં સરસ રીતે સંકલિત કરેલ છે, તે સુજ્ઞ વાચકો વાંચી-વિચારી શકે છે. મહારાજા કુમારપાલે આ યોગશાસ્ત્રનું ગૌરવ કરી તેને “અધ્યાત્મોપનિષદ્' નામનો પટ્ટબંધ કર્યો હતો. વીતરાગસ્તોત્ર-વૃત્તિ, કુમારપાલ-પ્રબંધ વગેરે પ્રસ્થમાં જણાવેલ છે કે જૈનધર્મ સ્વીકારતાં પહેલાં કોઈવાર મહારાજ કુમારપાલે અભક્ષ્ય-ભક્ષણ કર્યું હશે, તેના પ્રાયશ્ચિત તરીકે ગુરુજીએ તેમના માટે રચેલ વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશો અને પ્રસ્તુત યોગશાસ્ત્રના બાર પ્રકાશનું પ્રતિદીન પઠન-પાઠન કરવા સૂચવ્યું હતું, જેથી ૩૨ દાંતોની શુદ્ધિ સાથે જીવન વિશુદ્ધ બને. તે પ્રમાણે મહારાજા સ્વાધ્યાય કરતા હતા. મહારાજા કુમારપાલના પઠન-પાઠન માટે વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર વગેરેની પ્રતિઓ સોનેરી અક્ષરોથી લખાયેલી હતી-એવા ઉલ્લેખો મળે છે. વર્તમાનમાં એ અપ્રાપ્ય છે, તેમ છતાં તેમના સ્વર્ગવાસ પછી ર૧મા વર્ષે વિ. સં. ૧૨૫૧માં ભીમદેવ (બીજા) મહારાજાના રાજ્યમાં, દર્ભવતી (ડભોઈ)ના શ્રીમાળી શ્રાવક દેવધરે લખાવેલ અને વટપદ્રક(વડોદરા)ના ૫. વોસરિના હાથે લખાએલ સવૃત્તિ યોગશાસ્ત્રનું તાડપત્રીય પુસ્તક ખંભાતના શ્રી શાંતિનાથ જૈન ભંડારમાં વિદ્યમાન છે, તેનો અંતિમ ઉલ્લેખ પિટર્સનના રિપોર્ટ ૩, પૃ ૭૭માં છે. “વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો' નામના લેખમાં અને તે દર્શાવ્યો છે. (જુઓ “ઐતિહાસિક લેખ સંગ્રહ' સયાજી સાહિત્યમાલા પુષ્પ ૩૩૫, પૃ. ૪૧૧-૪૧૨) પાટણ, ખંભાત, વડોદરા, જેસલમેર વગેરેના અનેક પુસ્તક-ભંડારોમાં-જ્ઞાનમંદિરોમાં સ્વાધ્યાય પુસ્તિકાઓમાં, પ્રકરણસંગ્રહોમાં, યોગશાસ્ત્ર મૂળની તથા સ્વપજ્ઞ વૃત્તિની અનેક પ્રતિઓ મળી આવે છે. જેસલમેર અને પાટણના જૈન ગ્રંથભંડારોની વર્ણનાત્મક સૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, ૭૬) વગેરેમાં અમે સૂચવેલ છે. મારા સ્મરણ પ્રમાણે ૫૦ વર્ષ પહેલાં કલકત્તા-એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ તરફથી બિબ્લિઓથેકા Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઈન્ડિકામાં ઈ. સ. ૧૯૦૭ થી ઈ. સ. ૧૯૨૧ના ગાળામાં આ યોગશાસ્ત્ર વૃત્તિ સાથે પ્રકાશિત થતું હતું, ત્યારે સંપાદક સદ્દગત શ્રી વિજયધર્મ સૂરિજીએ વિશુદ્ધ સંપાદન માટે તેની ૨૭ પ્રતિઓ એકત્ર કરી હતી. સં. ૧૯૭૩માં તેમના અમરેલીના ચાતુર્માસમાં તેમાંની કેટલીક પ્રતિયો પાઠાન્તરો મેળવવા મેં જોઈ હતી. એ પ્રકાશન પૂર્ણ થયું જાણવામાં નથી, તેમ છતાં તેમના શિષ્ય સદ્ગત. શ્રી વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી થયેલી આર્થિક સહાય દ્વારા ભાવનગરની જૈનધર્મ-પ્રસારક સભાએ ઈ. સ. ૧૯૨૬, વિ. સં. ૧૯૮૨માં વિવરણ-સહિત યોગશાસ્ત્ર પ્રતાકારે પ્રકાશિત કરેલ છે. પ્રસ્તુત અનુવાદમાં તેનો ઉપયોગ કરાયો છે. શ્રી હેમચંદ્રાચાર્ય સ્વોપજ્ઞ વિવરણમાં પ્રસંગાનુસાર સ્તુતિ લાત્રિશિકા, વીતરાગસ્તવ, અભિધાન ચિંતામણિ કોશ, શબ્દાનુશાસન, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે પોતાની કૃતિઓનાં અવતરણો પણ આપ્યાં છે. તેના આ ગૂર્જરાનુવાદ રચી આગમોદ્ધારક સદ્ગત શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી હેમસાગરસૂરિજીએ જન-સમાજ ઉપર ખાસ કરીને ગુજરાતી વાચકો ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. -આ પહેલાં યોગશાસ્ત્રના ભાષાન્તર માટે કેટલાક પ્રયત્નો થયા છે. તેમાં પં. કેસરવિજયજી ગણિ (પાછળથી આચાર્ય)નો પ્રયત્ન ગણાવી શકાય. તેમનું બારે પ્રકાશનું બાલાવબોધરૂપ સંક્ષિપ્ત ભાષાન્તર સંવત ૧૯૬૩માં પ્રકાશિત થયેલ. જેની સંવત ૧૯૮૦માં ચોથી આવૃત્તિ મુંબઈમાં પ્રકાશિત થઈ હતી. જે હાલ મળતી નથી. એ જ અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી સંક્ષિપ્ત ભાષાન્તર સાથે યોગશાસ્ત્રના મૂળ માત્ર ચાર પ્રકાશો પ્રકાશિત થયેલા છે. જેનો અભ્યાસ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અને તેની શાખાઓમાં તથા બીજી પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે, તથા તેને ધાર્મિક પરીક્ષાઓમાં પણ ઊંચું સ્થાન અપાયું છે, પરંતુ તેમાં પણ તે પ્રથમના ૪ પ્રકાશોની જ પરીક્ષા થાય છે. તેમ જ વર્તમાનમાં કેટલેક સ્થળે ચાતુર્માસમાં મુનિરાજો વ્યાખ્યાન વાંચવા માટે યોગશાસ્ત્રની પસંદગી કરે છે, તેમાં પણ પ્રથમના ચાર પ્રકાશનાં વ્યાખ્યાનો વંચાય છે. મૂળ શ્લોકો સાથેનો પ્રસ્તુત અનુવાદ, આ. શ્રી હેમચંદ્રસૂરિએ સ્વોપજ્ઞ વિવરણ સાથે રચેલ સંપૂર્ણ યોગશાસ્ત્રના બારે પ્રકાશોનો-લગભગ બાર હજાર શ્લોકોનો અનુવાદ છે. એ ક્રાઉન પેજી સાઈઝ મોટા કદનાં પૃ. પ૬૮માં પ્રથમ વખત પ્રકાશિત થઈ વાચકો સમક્ષ રજુ થાય છે. આ અનુવાદ ઘણી સાવધાનતાથી કરેલો જાણી શકાશે અને વાંચતાં-વિચારતાં શુદ્ધ સ્વરૂપમાં જણાશે. પઠન-પાઠનમાં તેનો સર્વત્ર પ્રચાર થાય-એ આવશ્યક છે. એના સદુપદેશ-પ્રચારથી હિંસાઓ અટકે, અધિકારીઓ અને પ્રજાજનો સત્યના પક્ષપાતી બને, ચોરીઓથી અટકે, સદાચારી બને, સ્વદારસંતોષી, પરસ્ત્રી સહોદર, નીતિમાન બને, પરિગ્રહનું પરિમાણ કરી ન્યાયમાર્ગે ઉપાર્જન કરેલ દ્રવ્યને ધર્મકર્તવ્યોમાં અને સન્માર્ગમાં વાપરનાર થાય, શિકાર, જૂગાર, મદિરાપાન આદિ દુર્વ્યસનો-દુર્ગુણોને તથા માંસાહારને તજનાર થાય, સદ્ગુણી-સુસંસ્કારી બને, એથી પોતે સુખી થાય અને બીજાને સુખી કરે-બીજા જીવોને શાંતિ આપવાથી પોતે શાંતિ મેળવી શકે. એ આશા અસ્થાને નથી, સંભવિત છે. અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે, વર્તમાનમાં ભારતમાં-આર્યદેશમાં અહિસાને બદલે હિંસાને ઉત્તેજનો-પ્રલોભનો-પ્રોત્સાહનો અપાઈ રહ્યાં છે, તેના પ્રચારો થઈ રહ્યા છે. માંસ, મત્સ્ય, ઈંડા આદિના અભક્ષ્ય-અનાર્ય આહાર તરફ લલચાવાઈ રહ્યા છે-મુગ્ધ-અજ્ઞજનો દોરવાઈ રહ્યા છે-તેઓ પ્રસ્તુત યોગશાસ્ત્રના સદુપદેશોમાંથી શુભ પ્રેરણા મેળવી એથી વિરત થાય-એમ ઈચ્છીએ. મહર્ષિ પતંજલિના યોગાનુશાસનમાં સૂચવેલ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ-એ અષ્ટાંગ યોગનું સાચું સ્વરૂપ શ્રી હેમચન્દ્રાચાર્યના પ્રસ્તુત યોગશાસ્ત્રદ્વારા સમજી સજ્જનો Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ સાચા યોગીઓ બને. મહર્ષિ પતંજલિએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એને યમ કહ્યા છે. શ્રી હેમચન્દ્રાચાર્યે એને મહાવ્રતો અને અણુવ્રતોના સ્વરૂપમાં સમજાવ્યા છે. મહર્ષિ પતંજલિએ “હિંપ્રતિષ્ઠા તનથી વૈરત્યા' એવું સૂત્ર રચ્યું છે-અર્થાત્ અહિંસાની પ્રતિષ્ઠા થતાં, તેની સમીપમાં વેરનો ત્યાગ કરવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે લોકોમાં પ્રચલિત વિવિધ પ્રકારની હિંસા તજવા વિસ્તારથી સમજાવ્યું છે, તથા અહિંસાની પ્રતિષ્ઠા કરનારા-કરાવનારા યોગીશ્વરો-અન્તો-તીર્થકરોના સાંનિધ્યમાં જાતિવેરવાળા પ્રાણીઓ પણ વેરનો ત્યાગ કરે છે-એ દર્શાવ્યું છે. એવી રીતે સત્યની, અચૌર્યની, બ્રહ્મચર્યની અને અપરિગ્રહની પ્રતિષ્ઠા થતાં ઉત્તમ લાભો સૂચવ્યા છે. વિદ્યાવ્યાસંગી સગુણાનુરાગી સરલપ્રકૃતિ ઉદારચિત્ત અનુવાદક આચાર્ય શ્રી હેમસાગરસૂરિજીનો યોગાશાસ્ત્રનો ધન્યવાદાઈ આ અનુવાદ-પરિશ્રમ, તેમના પહેલા પ્રયત્નો પ્રા. કુવલયમાલાકથાનો અનુવાદ, પ્રા. સમરાદિત્ય-મહાકથાનો અનુવાદ આદિની જેમ અધિક સફલ અને ઉપયોગી થાય એવી આશા રાખીએ અને આશા છે કે-એવી રીતે શીલાંક શીલાચાર્યના પ્રા. ૫૪ મહાપુરુષોના ચરિત્રના એમના અનુવાદને થોડા સમયમાં પ્રકાશિત થયેલો આપણે જોઈ શકીશું. –આવા અત્યંત ઉપયોગી શાસ્ત્રના શુભ સંપાદનકાર્યમાં અનુવાદક આચાર્યશ્રીએ, વિશેષ યોગ્યતા ન ધરાવનાર મારા સરખા અલ્પજ્ઞને જોડ્યો, એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. આ શાસ્ત્રના સહસંપાદન કાર્યમાં મેં અલ્પમતિ પ્રમાણે શુદ્ધબુદ્ધિથી સાવધાનતાથી યથાશક્ય પ્રયત્ન કર્યો છે, તેમ છતાં મંદમતિને લીધે અથવા દૃષ્ટિદોષથી અલના થઈ ગઈ હોય, કે રહી હોય, તેની હું ક્ષમા યાચું છું. શુદ્ધિપત્ર પ્રમાણે રહેલી સ્કૂલનાઓ શુદ્ધ કરીને સુજ્ઞ સજ્જનો વાંચે-વિચારે અને અમને સૂચવવા કૃપા કરશે-તો આભારી થઈશું. બીજી આવૃત્તિપ્રસંગે સુધારી શકાશે. -શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના વ્યવસ્થાપકોએ ઘણાં ઉપયોગી ઉત્તમોત્તમ શ્રેષ્ઠ ગ્રન્થોનું પ્રકાશન કર્યું છે. એમના પ્રકાશનોમાં વિશેષ યશસ્વિ કહી શકાય-એવું આ પ્રકાશન ગણાશે. શાસન કરનારા શાસકોમાં-રાજા-પ્રજામાં સુસંસ્કાર સ્થાપન કરનાર, ઉત્તમ પ્રેરણા આપનાર, આ લોકનું અને પરલોકનું હિત કરનાર આવા ગ્રન્થોના અનુવાદો, દેશની અનેક ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી વગેરેમાં પણ થાય. તથા તેનો પઠન-પાઠનાદિ પ્રચાર થાય એ અભિષ્ટ છે, હિતાવહ છે. આ શાસ્ત્રના પઠન-પાઠનથી મુમુક્ષુ સર્વ કોઈ ભવ્ય આત્મા સમ્યગ-જ્ઞાન-શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરી મોક્ષ મેળવવા શક્તિશાળી થાય'-એવી શુભેચ્છા સાથે વિરમું છું. સંવત ૨૦૨૫ માધ શુ. ૫ બુધ વડી વાડી, રાવપુરા, વડોદરા. લાલચંદ્ર ભગવાન ગાંધી. (નિવૃત્ત “જૈનપંડિત વડોદરા-રાજ્ય) Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકીય નિવેદન मत्थु ते वीरागाणं । સર્વજ્ઞ કેવલી તીર્થંક૨ ભગવંતે નિરૂપણ કરેલ અનંત દુઃખસ્વરૂપ, દુઃખફલ અને દુઃખપરંપરાવાળા, ચાર ગતિ અને ૮૪ લાખ જીવયોનિસ્વરૂપ આ સંસારમાં જીવને ભવિતવ્યતા પરિપક્વ થવાના કારણે, ઉત્તરોઉત્તર પુણ્યપ્રકર્ષ થવાના યોગે મનુષ્યજન્મ, આર્યક્ષેત્રાદિ ધર્માનુકૂલ સમગ્ર સામગ્રી પ્રાપ્ત થઈ. સામગ્રી પ્રાપ્ત થયા છતાં સદ્ગુરુ-સમાગમ, ગીતાર્થ ગુરુમુખથી પ્રભુ-વાણીનું શ્રવણ-પરિણમન અત્યન્ત દુર્લભ છે. પૂર્વના મહાગીતાર્થ જ્ઞાની પુરુષોએ ભાવી ભવ્યાત્માઓને અને ચતુર્વિધ શ્રીસંઘને હિતકારક-ઉપકારક થાય, તેવા શુભહેતુથી અનેક શાસ્ત્રો, ગ્રન્થો, પ્રકરણો, ચરિત્રો વગેરેની ચારે અનુયોગગર્ભિત અનુપમ રચનાઓ કરી છે. જો કે તેમાંની સર્વ રચનાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી; કાલાન્તરે અનેક કારણે એ વિચ્છેદનષ્ટ થવા પામી છે, છતાં પણ વર્તમાન કાલમાં અનેક નગરોના પ્રાચીન અને અર્વાચીન જૈન જ્ઞાન-ભંડારોમાં આગમાદિ શાસ્ત્રોના મુદ્રિત અને અમુદ્રિત પ્રતિઓ અને પુસ્તકો હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે. પૂર્વના ઉપકારી મહાપુરુષ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ, ૧૪૪૪ ગ્રન્થકર્તા આ. શ્રી હરિભદ્રસૂરીજી મ., કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચન્દ્રાચાર્ય મ., મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજ મ. મલયગિરીજી આદિ વિદ્વાન્ આચાર્યોએ પોતાના જીવનની એક પણ પળ સંયમસાધના સાથે જ્ઞાનોપાસના સિવાયની નિરર્થક ગુમાવી નથી. વર્તમાનમાં આપણે જેમના પઠન-પાઠન-શ્રવણ દ્વારા આનંદરસ આસ્વાદી રહેલા છીએ. તે પૈકી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પણ અનેકાનેક વિષયોની સર્વતોમુખી ગ્રન્થરચનાઓ કરેલી છે. જેને સમર્થ વિદ્વાનોએ અનેક સ્થળે પ્રશંસાનાં પુષ્પોથી સન્માન્યા છે. તેમાં વિશેષ કરીને પરમાર્હત કુમારપાલ ભૂપાલને નિરંતર સ્વાધ્યાય કરવા માટે મૂળ ૧૨૦૦ શ્લોકો અને વિવરણ સાથે બાર હજાર શ્લોક-પ્રમાણ બાર પ્રકાશવાળા આ યોગશાસ્ત્રની અપૂર્વ રચના કરી, જેમાં આ લોક અને પરલોકનું જીવન કેવી રીતે પવિત્ર બનાવવું ? તે માટે આચાર્યશ્રીએ વિસ્તારથી હૃદયંગમ શૈલીથી વિવેચન કરેલું છે. પહેલા પ્રકાશમાં ભ. મહાવીરની સમભાવવાળી કરુણા દૃષ્ટાંતપૂર્વક સમજાવી સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીરૂપ યોગને મોક્ષના કારણરૂપે સમજાવેલ છે. બીજા અને ત્રીજા પ્રકાશમાં સમ્યક્ત્વ, મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવી શ્રાવકોનાં બાર વ્રતો, ચોથા પ્રકાશમાં ક્રોધાદિ ક્રષાયો પર વિજય અને ઈન્દ્રિયજ્ય, મનઃશુદ્ધિ, સમભાવ, ધ્યાન, મૈત્રીઆદિ ચાર અને અનિત્યાદિ બાર ભાવનાઓ, ધ્યાન માટેનાં સ્થળ અને આસનો, પાંચમા અને છઠ્ઠા પ્રકાશમાં પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, સાતથી અગિયાર સુધીના પ્રકાશમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, ચાર ધ્યાન ઉપરાંત ધર્મધ્યાન અને શુકલધ્યાનનું સ્વરૂપ પેટાભેદો સહિત વિસ્તારથી સમજાવ્યું છે. બારમાં પ્રકાશમાં પોતાના યોગાનુભવ, મનનો જય, પરમાનંદ યોગ, અભ્યાસક્રમ, તત્ત્વજ્ઞાન, ઉન્મનીભાવ જણાવી આત્મોપદેશ આપ્યો છે. પાતંજલ યોગદર્શનમાં કહેલ આઠ યોગાંગના ક્રમથી સાધુ અને ગૃહસ્થના જીવનની આચાર-પ્રક્રિયા-યમ-નિયમાદિનું જૈનશૈલી અનુસાર વર્ણન કરેલું છે. તેની સાથે દિગંબરાચાર્ય શુભચંદ્રગણિએ રચેલા જ્ઞાનાર્ણવ તથા કાર્તિકેયની અનુપ્રેક્ષામાંના પદસ્થાદિ ધ્યાનોનું સ્વરૂપ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ર યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સરખાવી શકાય. આ સિવાય આયુષ્ય જાણવાની-કાલજ્ઞાનની રીત, નાડી-સ્વરોદયજ્ઞાન, પરકાયપ્રવેશ, તથા છેલ્લે વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવા મનના ચાર ભેદોનું વર્ણન કરી પોતાનો સ્વાનુભવ બતાવ્યો છે. આ યોગશાસ્ત્ર એ જૈનોનાં તત્ત્વજ્ઞાનનો અને આચારનો મહત્ત્વનો અને આચારનો મહત્ત્વનો પાઠ્યગ્રન્થ છે. આ ઉપરાંત આમાં પ્રસંગાનુસાર દષ્ટાંતો, તથા ચૈત્યવંદન, ગુરુવંદન, આવશ્યક, પ્રત્યાખ્યાન(પચ્ચક્ખાણ) આદિ સૂત્રોના અર્થો વિસ્તારથી સમજાવ્યા છે. આમાં શ્રાવકો માટે જન્મથી મરણ સુધીમાં કરવા લાયક તમામ અનુષ્ઠાનોનું નિરૂપણ કરેલું છે. ગ્રન્થની મૂળભાષા સંસ્કૃત હોવાથી શ્રાવકોને તેટલો અભ્યાસ ન હોવાથી, જો ગુજરાતીમાં તેનો અનુવાદ થાય, તો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ-અજાણને પણ સ્વાધ્યાય-વાંચન સુલભ થાય. જો કે પહેલાં અપૂર્ણ ભાષાન્તરો થયાં છે; પ.પૂ. આગમોદ્ધારક શાસનસંરક્ષક આચાર્ય શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી મ.ની યોગશાસ્ત્રનો સંપૂર્ણ અનુવાદ કરાવી પ્રગટ કરવા પ્રેરણા પામેલા શ્રાદ્ધધર્મપરાયણ મોતીચંદ મગનભાઈ ચોક્સી તરફથી કેટલાંક વર્ષો પહેલાં અભ્યર્થના થયેલ; પરંતુ પ્રાકૃત ગ્રંથોના અનુવાદ તરફ વિશેષ લક્ષ્ય જવાથી તે માટે વિલંબ થયો. - પ્રા. કુવલયમાલા મહાકથા, તથા પ્રા. સમરાદિત્યમહાકથાના અનુવાદ પૂર્ણ થયા બાદ તેઓએ પુનઃ સ્મરણ કરાવ્યું, જેથી તે કાર્યનો આરંભ કરી, સતત કાર્યશીલ બની, ધાર્યા કરતાં ટુંક સમયમાં સમગ્ર અનુવાદ શાસનદેવની સહાયતાથી, તથા સહવર્તી શિષ્યો મુનિરાજ શ્રી મનોજ્ઞસાગરજી, મુનિ શ્રી નિર્મળસાગરજી, મુનિશ્રીનંદીષેણસાગરજી અને મુનિ શ્રી જયભદ્રસાગરજીના સહકારથી પૂર્ણ કર્યો. તેમાં કોઈ ત્રુટિ ન રહેવા પામે, તે માટે પંડિતવર્ય લાલચંદ્ર ભગવાન ગાંધી પાસે સંશોધન કરાવી મુદ્રાણકાર્ય શરૂ કરાવ્યું, તે હાલમાં પૂર્ણ થઈ પ્રકાશમાં આવે છે. આજે તે સવિવરણ યોગશાસ્ત્રનો અનુવાદ વાચકવર્ગના હસ્તકમલમાં સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ સંવત ૨૦૨૫ માધ શુ. ૫ - લિ. હેમસાગરસૂરિ ૧. દિ. વિદ્વાન શુભચંદ્રનો જ્ઞાનાર્ણવ, શ્રી હેમચંદ્રાચાર્યના પ્રસ્તુત યોગશાસ્ત્ર સાથે ઘણાં શ્લોકોમાં સામ્ય ધરાવે છે. કેટલાક શુભચંદ્રને શ્રી હેમચંદ્રાચાર્ય પહેલા થઈ ગયેલા સમજી તેના ગ્રંથમાંથી હેમચંદ્રાચાર્યે અવતરણો-શ્લોકપરાવર્તનો કર્યા હશે - તેવી શંકા કરે છે. પરંતુ અમારી સમજ પ્રમાણે ૫. યોગી શુભચંદ્રનો સમય શ્રી હેમચંદ્રાચાર્ય પછીનો છે. પં. આચાર્ય શ્રી શુભચંદ્ર રચેલ જ્ઞાનાર્ણવ (યોગપ્રદીપાધિકાર)નું એક તાડપત્રીય પુસ્તક જે. સં. ૧૨૮૫માં વૈ. શુ. ૧૦ના ગોમંડલમાં લખાવીને જાહિણિ સંયતિકાએ ધ્યાનાધ્યયનશાલી તપશ્રુત-નિધાન તત્વજ્ઞ યોગી મહાત્મા શુભચંદ્રને અર્પણ કર્યું હતું. તે એ જ શુભચંદ્ર જણાય છે. પાટણ (ગુજરાત)માં ખેતરવસી પાડાના જૈન ભંડારમાં નં. ૧૩ની એ પ્રતિનો અંતિમ ઉલ્લેખ અમે પાટણ જૈન ભંડાર-ગ્રંથસૂચીમાં દર્શાવ્યો છે. (ગાયકવાડ ઓ. સિરીઝ નં. ૭૬ જુઓ પૃ. ૨૭૬-૨૭૭) એથી સંભવિત છે કે શ્રી હેમચંદ્રાચાર્યના સ્વોપજ્ઞ યોગશાસ્ત્રના આધારે શ્રી શુભચંદ્ર જ્ઞાનાર્ણવની રચના કરી હશે. - લા. ભ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમણિકા (શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા) આર્યાવર્ત તરીકે નિર્દેશાતા અને ભવ્ય ભૂતકાળ તથા ગૌરવાંકિત નૈતિક્તાદિ માટે સુપ્રસિદ્ધ એવા આપણા આ દેશનું “ભારત” વર્ષનું એ અહોભાગ્ય છે કે એને સમસ્ત જગતમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરાવવામાં એના “નંદનવન સમાન ગણાતી “ગૂર્જર ભૂમિનું-ગુજરાતનું સમર્પણ મહામૂલ્યશાળી અને નોંધપાત્ર છે. આ ગુજરાતના અનેક પનોતાં-પુણ્યશાલી પુત્ર-પુત્રીઓએ પોતાનાં સત્કાર્યોથી એને ચિરંજીવી સત્કીર્તિ સંપાદિત કરાવી છે, આવા એક ગૂર્જરરત્ન ધંધુકાના નરવીર અને “મોઢ વણિક જ્ઞાતિના શણગારરૂપ ચાચ અને ચાહિણી નામના જન્મદાતાઓનાં નામોને અમર કરનાર તે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ છે. આ પૂર્ણતલ ગચ્છના દીપકે સાહિત્યસર્જનદ્વારા જે યશ પ્રાપ્ત કર્યો તે તેમજ એમની વિદ્વત્તાનો જે પ્રભાવ પડ્યો તે બંને જૈન જનતા પૂરતા મર્યાદિત રહ્યા નથી. આથી તો ભારતીય તેમજ અભારતીય અજૈન સાક્ષરોએ પણ એમનાં જીવન અને કવનને ઉદ્દેશીને વિવિધ ભાષામાં અન્યાન્ય દૃષ્ટિકોણથી મનનીય કૃતિઓ રચી છે. આ દિશામાં મેં પણ નીચે મુજબ નમ્ર કર્યો છે : (૧) સૂરિવર્યના જીવનવૃત્તાન્ત ઉપર પ્રકાશ પાડનારી એક કામચલાઉ સૂચિ મેં “ચતુર્વિશતિપ્રબન્ધનો ગુજરાતી અનુવાદ” (૧) નામની મારી પ્રકૃતિ (પૂ. ર૩૪)માં આપી છે. (૨) આ આચાર્ય પ્રવરની જીવનરેખા અને વિશેષતઃ એમની અનેકવિધ કૃતિઓનાં નામાદિ વિષે મેં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ એટલે ?"નામના લેખમાં વિચાર કર્યો છે. એમની પાઈય કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામના મારા પુસ્તકમાં મેં આપ્યો છે. (૪) સિદ્ધહેમશબ્દાનુશાસન (અ. ૮)ની સ્વોપન્ન વૃત્તિગત “અપભ્રંશ' મુક્તકો મારા પઘાત્મક અનુવાદપૂર્વક મેં રજૂ કર્યા છે. (૫) જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૧-૨) માં આ સૂરીશ્વરની સંસ્કૃત રચનાઓની રૂપરેખા સાધનાનુસાર વિષયદીઠ મેં આલેખી છે. મુંબઈ સરકારની માલિકીની અને વર્તમાનમાં “ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મંદિરમાં રખાયેલી જૈન સાહિત્યની વિવિધ હસ્તલિખિત પ્રતિઓનો પરિચય આપતી વેળા મેં કેટલીક કૃતિઓ વિષે પણ Descriptive Catalogne of the Government Collections of Manusreripts (Vols. XVIII & XIX) માં-વર્ણનાત્મક સૂચીપત્રમાં વિચાર કર્યો છે. (૨) નૈનસાહિત્ય | ગૃહદ્ કૃતિહાસ ના ચતુર્થ ભાગ માટે મેં જે આગમિક પ્રકરણો પૂરતું લખાણ ગુજરાતમાં તૈયાર કર્યું હતું, તેનો હિન્દી અનુવાદ હાલ છપાય છે. આ લખાણમાં હૈમ કૃતિઓની અને ખાસ કરીને યોગશાસ્ત્ર વગેરે યોગવિષયક કૃતિઓની મેં નોંધ લીધી છે. ૧. આ તેમજ મારી અન્ય કૃતિઓ તથા મારા લેખો વગેરેના ઘણાં ખરાં પ્રકાશનોની નોંધ મેં હીરકસાહિત્ય-વિહારમાં લીધી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ જૈ.સં.સા.ઈ. (ખંડ ૨, ઉપખંડ ૨, પૃ. ૧૪૨-૧૫૬)માં યોગશાસ્ત્ર અને એની સ્વોપજ્ઞવૃત્તિ તેમજ એની યોગિરમા વગેરે અન્ય વિવરણાત્મક કૃતિઓ વિષે મેં કેટલીક બાબતો રજૂ કરી છે એટલે અહીં તો ખપપૂરતી જ બિના હું આપું છું. જૈનસાહિત્યમાં અહિંસા, અનેકાન્તવાદ અને કર્મસિદ્ધાંતના નિરૂપણની જેમ “યોગ' પણ વિશિષ્ટ સ્થાન ભોગવે છે. એ મોક્ષ મેળવવાનું એક અનુપમ સાધન છે. આથી કરીને આ વિષય હેમચન્દ્રસૂરિના પૂર્વકાલીન તેમ જ ઉત્તરકાલીન શ્રમણોએ અને અમુક અંશે શ્રમણોપાસકોએ પણ હાથ ધર્યો છે. એનો યથાયોગ્ય ઉલ્લેખ તો સ્થળ-સંકોચને લીધે હું જતો કરું છું. પ્રસ્તુત યોગશાસ્ત્રને “અધ્યાત્મોપનિષદ્' તેમ જ “અધ્યાત્મવિદ્યોપનિષદ્' પણ કહે છે. આ સંસ્કૃત ગ્રન્થ યોગોપાસનાના અભિલાષી પરમાઈત કુમારપાળની અભ્યર્થનાથી શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને સ્વાનુભવને આધારે સંસ્કૃતમાં રચાયો છે. એ ગૃહસ્થોને પણ યોગની નિસરણી (નિઃશ્રેણિ) એ આરૂઢ કરનારો તેમજ મુમુક્ષ જનોને વજકવચ જેવો છે. એ ન્યૂનાધિક પદ્યોવાળા બાર પ્રકાશોમાં વિભક્ત કરાયો છે. પાંચમો પ્રકાશ સૌથી મોટો અને છઠ્ઠો સૌથી નાનો છે. એમાં અનુક્રમે ર૭૩ અને ૮ પડ્યો છે. આશરે ૧૨૦૦ પદ્યોમાં “અનુરુપ છંદમાં નિબદ્ધ આ ગ્રંથનો મોટો ભાગ ગૃહસ્થોના-શ્રવાકોના ધર્મને અંગેનો છે. આ સમગ્ર ગ્રંથને બે ખંડમાં વિભક્ત કરી શકાય. (૧) પ્રકાશ ૧-૪ અને (૨) પ્ર. ૫-૧૨. પ્રથમ ખંડમાં ગૃહસ્થોને ઉપયોગી થાય એવા ધર્મનું સ્વરૂપ આલેખાયું છે, તો દ્વિતીય ખંડમાં પ્રાણાયામાદિનું નિરૂપણ છે. પ્રથમ ખંડના બે ઉપખંડો હોવાનું ચતુર્થપ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિનો પ્રારંભ જોતા જણાય છે. એમાં કહ્યું છે કે પ્ર. ૧-૩માં આત્માના જ્ઞાનાદિ ત્રણ રત્નોનો વિચાર ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માની કરાયો છે, તો ચતુર્થ પ્રકાશનું આલેખન આ બેનો અભેદ માની-બંનેની એકતા માનીને કરાય છે. આમ હોઈ એ દ્વિતીય ઉપખંડ નિશ્ચયના અર્થીને આનંદજનક અને માર્ગદર્શક થઈ પડે તેમ છે. સમગ્ર ગ્રન્થના અન્ય રીતે પણ બે વિભાગ પડી શકે છે. (૧) પ્રણેતાએ પોતાના શ્રતબળે જાણેલા તેમજ ગુરુમુખથી જાણેલા અને સાંભળેલા પદાર્થોનું નિરૂપણ અને (૨) સ્વાનુભવસિદ્ધ બાબતોની પ્રરૂપણા. પ્રથમ વિભાગ પ્ર. ૧-૧૧ પૂરતો છે, તો દ્વિતીય વિભાગ ૧૨માં પ્રકાશરૂપ છે. જૈન સાહિત્ય ચરણ કરણ, ધર્મકથા, દ્રવ્ય અને ગણિત એમ ચાર અનુયોગોનું નિરૂપણ પૂરું પાડે છે. આ યોગશાસ્ત્ર અને એની સ્વોપજ્ઞ વૃત્તિ મુખ્યતયા પહેલા બે અનુયોગો સાથે સંબંધ ધરાવે છે. આ “હુંડા’ અવસર્પિણીમાં આપણા દેશમાં જે કૌશલિક ઋષભદેવથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુધી જે ચોવીસ તીર્થંકરો થયા તેમાંના અંતિમ અને એ દૃષ્ટિએ આસનોપકારી મહાવીરસ્વામીને પ્રસ્તુત યોગશાસ્ત્રના આદ્ય પદ્યમાં નમસ્કાર કરતી વેળા હેમચન્દ્રસૂરિએ એમને “યોગિનાથ' કહ્યા છે. સાથે સાથે ચારે મૂલાતિશયોથી એઓ વિભૂષિત હોવાનું એમણે અત્ર ઘોતન કર્યું છે. યોગીનું એક લક્ષણ તે એમનો અસાધારણ સમભાવ છે, તે એમનામાં ચરિતાર્થ થાય છે. એ બાબત એમના જીવનના નિમ્નલિખિત બે પ્રસંગો દ્વારા દર્શાવાય છે : ૧-૨ આ બંનેનો તેમજ અન્ય હૈમ - કૃતિઓનો પરિચય હમસમીક્ષામાં અપાયો છે. પ્રસ્તુત લખાણ પૃ. ૨૪૮-૨૭૧માં છે. એમાં સ્વોપજ્ઞવૃત્તિના પત્રો માટે આત્માનંદ જૈન સભાનો ઉલ્લેખ છે, તેને બદલે “જૈન ધર્મ પ્રસારક સભા' જોઈએ. આ હેમસમીક્ષા ઇ.સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાઈ છે. ત્યાર બાદ કેટલીક નવીન બાબતો પ્રકાશમાં આવી છે. એથી એનું સંશોધિત અને સંવર્ધિત સંસ્કરણ હવે તો તૈયાર કરાવવું ઘટે. ૩. આનો પરિચય શ્રી જુગલકિશોર મુખારે નિમ્નલિખિત લેખ દ્વારા આપ્યો છે– આ. શ્રી હેમચંદ્ર કે યોગશાસ્ત્ર પર એક પ્રાચીન દિગમ્બર ટીકા’ આ લેખ શ્રમણ (વ. ૮, એ, ૧૧)માં છપાયો છે. એના આધારે મેં કેટલીક વિગતો જૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૨, પૃ. ૧૫૪)માં આપી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમણિકા ૧૫ (૧) દષ્ટિવિષ ચંડકૌશિકને એમણે કરેલા પ્રતિબોધ. (૨) સંગમ દેવે કરેલા જાતજાતના પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો વચ્ચે પણ એમણે ચાલુ રાખેલું આદરણીય ધ્યાન અને એ અધમ દેવની દુર્ગતિમાં પોતે નિમિત્ત બન્યાનું એમને થયેલું દુઃખ-એમની કરુણાદષ્ટિ. કથાઓ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં મૂળમાં બીજરૂપે નિર્દેશાએલી કથાઓ પલ્લવિત કરાઈ છે. કથાઓ આદ્ય ત્રણ પ્રકાશ સાથે સંબદ્ધ છે. એમાં નાની મોટી એકંદર ૩૨ કથાઓ છે. સૌથી નાની કથા પરપીડાકારી સત્યનો ત્યાગ કરનાર કૌશિકની છે. જ્યારે મોટામાં મોટી કથા ભરત ચક્રવર્તી અંગેની છે. આ કથાઓ કેટલીક વાર આનુષંગિક રૂપે છે. એ મુખ્યતયા વિષયનો બોધ કરાવે છે. આ કથાઓ ઋષભદેવ અને મહાવીર સ્વામી એમ બે તીર્થકરો બ્રહ્મદત્ત, સગર, ભરત, સનકુમાર અને સુભૂમ એ પાંચ ચક્રવર્તીઓ, રાવણ નામના એક પ્રતિવાસુદેવ, સંગમક નામના અધમ દેવ, આદિસિદ્ધ મરુદેવા, સતી સીતા અને વનમાલા એ ત્રણ સ્ત્રીરત્નો, કાલકાચાર્ય અને સ્થૂલભદ્ર એ બે મુનિવરો, રૌહિણેય અને મંડિક એ બે ચોરો, શ્રેષ્ઠી સુદર્શન, વસુ નૃપતિ, હિંસક કાલસૌકરિક તેમ જ અહિંસાનુરાગી સુલસ એમ વિવિધ વ્યક્તિઓનાં જીવનવૃત્તાંતો ન્યૂનાધિક પ્રમાણમાં પૂરાં પાડે છે. વર્ણનો - કાવ્યકળાના કેવળ રસિક જનોને નહિ પણ એના કોવિદોને પણ આસ્વાદ્ય એવાં વર્ણનો પ્રસંગોપાત્ત આલેખાયાં છે. જેમ કે દુષ્ટ દેવે વિકલું વિકરાળ વેતાલનું રૂપ (પૃ.૩-૪), છ ઋતુઓ (પૃ.૧૦) દેહ (પૃ. ૧૪-૧૫-૧૯-૨૦), લગ્નમંડપ (૨૧), અયોધ્યા (૨૧-૨૨), સમવસરણ (૨૫-૨૬) અને પિશાચ (૩૫૫). નગર નગરીઓનાં વર્ણનોના પ્રારંભ ભિન્ન ભિન્ન રીતે કરાયો છે. અનેકાર્થ પઘો-આ યોગશાસ્ત્ર અનેકાર્થી પઘોથી વિભૂષિત છે. દા. ત. આના આદ્ય પદ્યના લાભવિજય ગણિએ ૫OO અને વિજયસેનસૂરિએ ૭૦૦ અર્થો કર્યા છે. પ્રસ્તુત પુસ્તક પ્રમાણે દ્વિતીય પ્રકાશના દસમા અને માનસાગરના મતે બારમા પદ્યના ૧૦૬ અર્થો માનસાગરે કર્યા છે અને તે છપાયા છે. આ અર્થોની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧)ના ઉપોદ્દાત પૃ. ૬૩-૬૪માં લીધી છે. આ ઉપરાંત આ દ્વિતીય પ્રકાશના ૮૫માં પદ્યને લક્ષીને જયસુંદરસૂરિએ શતાર્થ રચ્યાનું તેમ જ કોઈક પદ્યને અંગે અજ્ઞાતકર્તક શતાર્થી રચાયાના ઉલ્લેખો મળે પણ તેની વાસ્તવિકતા વિચારવી બાકી રહે છે. શંકાઓ અને સમાધાનો - વૃત્તિકાર હેમચંદ્રસૂરિએ વિષયને વિશદ, રોચક અને સચોટ બનાવવા માટે જાતે કેટલીક વાર પ્રશ્ન ઉપસ્થિત કરી એનો ઉત્તર આપ્યો છે. અન્ય શબ્દોમાં કહું તો શંકા રજૂ કરી એનું સમાધાન કર્યું છે. આ તમામ શંકાઓ અને સમાધાનો એકત્ર કરી એ પ્રકાશિત કરાય તો એક મહત્ત્વનું ભલે નાનું પણ પુસ્તક તૈયાર થાય તેમ છે. એ શંકાઓ અને સમાધાનોનો સંક્ષિપ્ત નિર્દેશ અત્ર સ્થળ-સંકોચને લીધે કરી શકતો નથી એટલે ફક્ત એને અંગેનાં પૃષ્ટાંકોનો ઉલ્લેખ કરું છું. કે જેથી એ ઉપર્યુક્ત પુસ્તક રચનારને સહાયક થઈ પડે – ૪૯, ૫૦, ૭૨, ૭૮, ૭૯, ૮૫, ૮૮, ૧૯૬, ૨૦૧,૨૦૪, ૨૦૬, ૨૦૮, ૨૧૨, ૨૧૫, ૨૨૩, ૨૨૫, ૨૩૩, ૨૩૪, ૨૪૩, ૨૪૪, ૨૪૮, ૨૬૩, ૨૬૪, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૯, ૨૯૩, ૨૯૬, ૨૯૭, ૩૦૧, ૩૦૭, ૩૦૯,૩૧૦, ૩૨૩, ૩૨૨, ૩૩૩, ૩૩૯, ૩૪૧,૩૬૮, ૩૬૯, ૩૭૬, ૩૯૧,૪૦૮, ૪૧૫,૪૧૯,૪૨૩, ૪૪૦, ૪૪૩, કોઈ કોઈ છે. પૃઇમાં એક કરતાં વધારે શંકા-સમાધાનો છે. ૧. એમને અંગે “મુનિરાજ શ્રીસ્થૂલભદ્રના જીવનનો એક પ્રસંગ” નામનો મારો લેખ “ર્જ. ધ. પ્રકાશ” (પુ. ૫૫, અં. ૪)માં છપાયો છે. જ્યારે ભદ્રબાહુ સ્વામીએ કરેલા “મહાપ્રાણ’ ધ્યાનનો વિચાર મેં “મહાપ્રાણ (સં. મહાપાન કિવા મહાપ્રાણ) ધ્યાન' નામનાં લેખમાં કર્યો છે. આ લેખ જૈ. ધ. પ્ર. (પૃ. ૭૭ અં. ૯)માં પ્રસિદ્ધ થયો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ અર્થાન્તરો - પ્રસ્તુત સ્વોપજ્ઞવૃત્તિમાં કેટલાક શબ્દોના એક કરતાં અધિક અર્થો મતાંતરાદિરૂપે અપાયા છે. નમૂના તરીકે એ પૈકી થોડાક હું અત્ર પૃષ્ઠક પૂર્વક નોંધું છું : અનંગ ૨૪૯ તમ ૩૦૩ રજ ૩૦૧ અપદેશ ૨૬૬ ધર્મધ્યાન પર૧ તિમિર ૩૦૩ અભય ૨૮૮ નિર્વેદ ૮૧ દગમટ્ટી ૨૭૭ આવ્યંતર તપ ૪૧૯ પ્રતિક્રમણ ૩૨૮ વાગુબલી ૧૬ ઉનિંગ ૨૭૭ પ્રાયશ્ચિત ૪૧૬ વિચિકિત્સા ૮૪ ઉપસર્ગ ૩૬૪ ભગ ૨૮૨ શુક્લધ્યાન ૫૩૫ કૌત્કચ્ય ૨૬૧ ભોગોપભોગ ૧૯૭ સંવેગ ૮૧ ચક્ષુ ૨૮૮ મલ ૩૦૧ સમિતિ ૫૪. છ% ૨૯૦ માર્ગ ૨૮૮ સન્માન ૨૯૬ આ ઉપરાંત લોગસ્સની ગા. ૨-૪ ગતતીર્થકરોનાં નામોના સામાન્ય તેમ જ વિશેષ અર્થ અપાયા છે. કેટલાક શબ્દોમાં જે વિશેષતા રહી છે તે પણ વૃત્તિકારે દર્શાવી છે. દા. ત. સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં અંતર (૩૦૮) વિદ્યા અને મંત્રમાં ભેદ (૩૦૬), દિવ્રત અને દેશાવગાસિકમાં તફાવત (૨૬૪), શંકા અને વિચિકિત્સામાં તફાવત (૮૪) તેમજ માન અને મદમાં તફાવત (૭૦) પાઠાંતરો-આ વૃત્તિમાં કોઈ કોઈ વાર પાઠાંતરો અપાયા છે. જેમ કે પૃ. ૨૪૫માં વ્યાખ્યાન પૃ. ૩૦૧ મા મહિયા અને પૃ. ૩૨૬માં રૂછામિ મતભેદો - આને લગતાં કેટલાંક પૃષ્ઠોના અંકો નીચે મુજબ છે : ૮૦, ૮૧, ૨૪૯, ૨૫૧, ૨૫૫, ૨૫૮, ૨૭૪, ૨૮૦, ૨૮૮, ૩૧૮, ૩૩૨, ૩૪૧, ૩૭૫ અને ૪૯૨. શંકા અને સમાધાન માટે જે લઘુ પુસ્તક રચાય તેના એક વિભાગરૂપે આ મતાંતરો રજૂ કરાય, તો તેની ઉપયોગિતામાં વૃદ્ધિ થશે. વિશેષમાં આ મતાંતરોને વિશદ બનાવતી તેમ જ સમન્વય સાધતી બીનાઓ જો ઉમેરાશે, તો તે વિશેષ આદરણીય થશે. ન્યાયો - આ સંબંધમાં પૃ. ૨૬૧, ૩૩૪, ૩૪૩, ૪૦૦, ૪૦૭, ૪૧૫, ૪૨૧, ૪૪૦ ઈત્યાદિ જોવાં ઘટે. સુભાષિતો - સ્વોપન્ન વૃત્તિમાં કેટલીક વાર સુભાષિતો નજરે પડે છે. દા. ત. જુઓ પૃ. ૯, ૪૨, ૯૯, ૧૦૧ અને ૧૭૮. વિશેષ માટે શ્રીગોપાલદાસ પટેલે કરેલો અનુવાદ જોવો. આસનો - પ્ર. ૪, ગ્લો ૧૨૪માં નવ આસનોનાં નામો શ્લો.૧૩૩ સુધીમાં અને એની સ્વોપજ્ઞ વૃત્તિમાં દર્શાવાયાં છે. આગળ ઉપર એ પ્રત્યેકનું સ્વરૂપ જણાવાયું છે. સ્વોપજ્ઞવૃત્તિમાં બે આસન માટે મહર્ષિ પતંજલિનાં મતાંતર અને બે માટે નામાંતરનો ઉલ્લેખ છે. ગ્લો. ૧૩૩ની સ્વોપજ્ઞ વૃત્તિમાં થોડાંક અધિક આસનોનાં નામો છે. અમુક આસનોનો મહાવીર સ્વામીએ ઉપયોગ કર્યાની વાત પણ અત્રે જણાવાઈ છે. આસનોને અંગે મેં હૈમ કૃતિઓમાં આસનો નામના મારા લેખમાં કેટલીક વિગતો આપી છે. અને એ લેખ જે છે , વ પ એ કમાં છપાયો પણ છે એટલે અહીં તો અન્યત્ર-આગમો વગેરેમાં આસનોનાં જે કેટલાક ઉલ્લેખો મારા જોવા-જાણવામાં છે, તેની નોંધ લઉં છું. ઠાણ (ઠા. ૫. ઉ. ૧)માં “ઉકકુડાસણિય' શબ્દ વપરાયો છે. પ્રસ્તુત સૂત્ર પત્ર ૩૦૦માં ગોદોહિયાસણ અને પલિયંકાસણનો ઉલ્લેખ છે. આની વૃત્તિમાં અભયદેવસૂરિએ કેટલાંક આસનોનું સ્વરૂપ સમજાવ્યું છે. “ઉકકુડ" શબ્દ વિવાહપષ્ણત્તિ (સ. ૭, ઉ. ૬)માં, નાયાધમ્મકહા (સુય- ૧, અ. ૫) માં તેમજ ઓહનિફ્ફત્તિના ભાસ (ગા. ૧૫૯)માં, વપરાયો છે ‘ભદ્રાસણ' શબ્દ નાયા. Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમણિકા ૧૭ (સુય ૧, અ. ૫)માં પહાવાગરા , દાર, ૪)માં વવાય વગેરેમાં નજરે પડે છે. એવી રીતે દંડાસણિય' શબ્દ કપૂસુત્ત નામના છેય સુત્તમાં વિરાસણ નાયયા (પત્ર ૭૨)માં અને પલિયંકાસણ સુપાસનાહચરિયું (પૃ. ૬૬૫)માં દષ્ટિગોચર થાય છે. વિશેષમાં સાગરચંદ્ર કૃત મંત્રાધિરાજકલ્પ (પટલ ૫, ગ્લો ૧૦)માં દંડ, સ્વાસ્તિક પંકજ, કુકકુટ, વજ અને ભદ્ર એ છ આસનોનો ઉલ્લેખ છે. - હઠયોગ-પ્રદીપિકા અને ઘેરંડસંહિતામાં પણ આસનો વિષે નિરૂપણ છે. સંતુલન-“યાપનીય તંત્રગત પાઠ લલિતવિસ્તરામાંથી લીધો લાગે છે. કેમ કે એની પૂર્વેના કોઈ ઉપલબ્ધ ગ્રન્થમાં તો એ નથી. પંચાસગ (પંચા ૨, ગા. ૮-૧૦)નો તેમજ યોગબિન્દુ (ગા. ૧૧૦)નો વૃત્તિમાં (પૃ. ૩૨૧)માં અને લલિતવિસ્તરા-ગત “શિકસ્તવ'ના વિવરણનો આ પૂર્વે ઉપયોગ કરાયો છે, છતાં હરિભદ્રસૂરિનો ઉલ્લેખ નથી. સંપ્રદાયગમ્ય જે કથાઓ વૃત્તિકારે આપી છે, તે પૈકી કોઈ કોઈ આગમમાં નજરે પડે છે. યોગશાસ્ત્ર પ્ર. ૪)ના શ્લો. ૯૩, ૯૪, ૯૬, ૯૭, ૯૮, ૯૯ અને ૧૧૨ એ સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી મહાવીરાત્રિશિકા નામની ૨૧મી દ્વાત્રિશિકાના શ્લોક ૧૯ થી ૨૪ સાથે સામ્ય ધરાવે છે. જો પ્રસ્તુત દ્વત્રિશિકા સિદ્ધસેન દિવાકરની જ રચેલી હોય તો એને આધારે યોગશાસ્ત્રમાં ઉપર્યુક્ત શ્લોકો રચાયાનું મનાય. સૌધર્મ દેવલોકના ઇન્દ્ર નામે શ મહાવીર સ્વામીની પૃ. ૨માં કરેલી એ સ્તુતિ નમુત્થણનું સ્મરણ કરાવે છે. ભરત ચક્રવર્તીએ કૌશલિક ઋષભદેવની બે વાર કરેલી સ્તુતિને પૃ. ૨૬ અને ૩પમાં સ્થાન અપાયું છે. આ સ્તુતિઓ તો ગમે તે તીર્થકરને અંગે ઘટી શકે તેવી છે. મહાવીર સ્વામીના છદ્મસ્થપણાનું પૃ. ૫માંનું આલેખન પોસણાકપ્પનું અને માર્ગાનુસારીના ૩૫ ગુણો ધર્મબિન્દુના પ્રારંભિક ભાગનું સ્મરણ કરાવે છે. પૃ. ૬૭ તથા ૨૮૯ ગત બુદ્ધિના આઠ ગુણો વિસે સાવસ્મય ભાસની ગા. પ૬૧મીમાં દર્શાવાયા છે. એ આવસ્મયની નિષુત્તિની ૨૧મી ગાથા જણાય છે. “અગ્નિ ને અગ્નિ જ ઓલવે' એ પૃ. ૧૯૮માંનું કથન ઉત્તરકાલીન જ્ઞાનસાર (અ. ૨૨, શ્લો ૭)માં પણ જોવાય છે, તો આનો સૌથી પ્રથમ ઉલ્લેખ કયાં છે, તેની તપાસ થવી ઘટે. ગત્તા નવન્નિ " બોલતાં અક્ષરોનાં ઉચ્ચારણ માટે અનુદાત્ત સ્વરિત અને "ઉદાત્ત સ્વરો (Accent)નો નિર્દેશ કરાયો છે, પરંતુ આજ-કાલ પ્રચલિત અહો કાય, કાયસંફાસ માટે નથી. આ “વત્તા વગેરેને લક્ષીને મેં લેખ લખ્યો છે અને એ જૈન સત્યપ્રકાશ (વ. ૧૦, અં. ૭)માં છપાયો છે. યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર પૈકી ઘણાખરા શબ્દો નાયાધમ્મકતામાં વપરાયા છે. ઈડા, પિંગલા અને સુષુમ્યા એ ત્રણ નાડીઓ પૈકી કઈ નાડીમાં પવન ક્યાં સુધી વહે છે, તે ઉપરથી એનું શુભાશુભ ફલ તેમ જ મૃત્યુની આગાહી વિષે પાંચમાં પ્રકાશમાં માહિતી અપાઈ છે. અહીં જે કાલજ્ઞાનનો વિસ્તૃત અધિકાર છે, તેની વિગતો કોષ્ટક દ્વારા અપાય તો તે વિશેષ ઉપયોગી નીવડે. આઠમાં પ્રકાશમાં, ૭૫માં પદ્યમાં સિદ્ધચક્રનો ઉલ્લેખ છે. આ “સિદ્ધચક્ર' યંત્ર પાદલિપ્તકૃત નિર્વાણલિકા (પત્ર ૩)માં જે ‘નિત્યપૂજા' યત્રનું સ્મરણ કરાવે છે. પ્ર. ૧૧, શ્લોક ૨૪-૪૭માં તીર્થંકરના અતિશયોનો નિર્દેશ છે. એ અભિધાનચિન્તામણિ (કાં ૧, શ્લો ૧. આ અર્થમાં “ઉક્કડિય’ શબ્દ પણ વપરાયો છે ૨. આ વાત વૃત્તિમાં બેવડાઈ છે. ૩. નીચા સ્વરવાળું ૪. ઉદાત અન અનુદાત્ત બંનેના લક્ષણવાળું ૫. ઊંચા સ્વરવાળું (accute accent) તાન્યાવિહુ મોડુ સ્થાને પૂર્ણ થા નિનોનુલ:” s. K. “સાહાર: રત: –''Pan, 1 Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પ૭-૬૪)માં પણ શ્રી હેમચંદ્રસૂરિએ દર્શાવ્યા છે. આ વિષય જે વિવિધ કૃતિઓમાં આલેખાયો છે, તે બાબત મેં “તીર્થકરની વિભૂતિ-અતિશયો અને પ્રતિહાર્યો' નામના મારા લેખમાં બીજી પણ કેટલીક વિગતો સહિત રજૂ કરી છે, આ લેખ જૈ. ધ. પ્ર. પુ. ૭૬, અં. ૧-૭, ૧૨ અને પુ. ૭૭ (અ. ૧, ૨ અને ૬-૭માં છપાવ્યો છે. આ સંબંધમાં મારી એક કવિતા નામે તીર્થકરની વિભૂતિ દિગંબર જૈન' વર્ષ પર, અં. ૪માં છપાએલ છે. પ્રકાશ ૧૨ના શ્લો. ૧૨માં સિદ્ધરસનો ઉલ્લેખ છે એને અંગે મેં ‘સિદ્ધરસ અને રસકૂપ' નામનો મારો જે લેખ “જૈન સત્યપ્રકાશ' (વ.૧૪, અં. ૭)માં છપાયો છે છપાયો છે, તેમાં કેટલીક બીના દર્શાવી છે. પ્રસ્તુત વૃત્તિ અનેક રીતે મહત્ત્વની છે. એમાં પ્રસંગોપાત્ત કેટલીક બાબતો જે અપાઈ છે, તે નોંધપાત્ર છે. જેમકેપૃષ્ઠક બાબત પૃષ્ઠક બાબત ૨૯ બ્રહ્માંડની કલ્પનાનો આદિકાળ ૧૪૦ ચોરના સાત પ્રકાર ૫ “સોમ' વંશની ઉત્પત્તિ ૧૪૪ શેરડી કેમ મોકલાય ૩૬ “સૂર્ય વંશની ઉત્પત્તિ ૩પ૩ બ્રહ્માદિની વિડંબના +૪૪ જીવોના ભેદ-પ્રભેદો ૧૧૫ દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ૪૫ ચૌદ ગુણસ્થાનકો ૧૮૬ મંત્રી માટે પરીક્ષા ૪૫-૪૬ અજીવાદિ તત્ત્વો +૩૦૬ સિદ્ધના ૧૧ પ્રકારો, પ્રત્યેક પ્રકારના ૪૬ બંધનાં પાંચ કારણો સિદ્ધ તરીકે એકએક વ્યક્તિનું નામ ૮૭, ૧૩૩ ચાવક ૩૪૦ ઉંટડીના દૂધનું દહી થતું નથી. ૧૩૩ કૌલિક-પાંચરાત્રિક ૪૦૨ મૃત્યુ સમયે કીડીઓને પાંખ આવે ૧૩૩ અસ્પૃશ્ય-અન્ય ૪૦૨ કીડીઓને પાંખ મૃત્યુસમય જણાવનાર છે ૩૭૩ “જાંગુલિ' વિદ્યા ૯૧ સંસારમોચક ૧૨૩ અજૈન દેવોનાં આયુધો ૮૪ બુદ્ધનો ધર્મ ૭૭ રુદ્રાદિ દેવોની પત્નીઓનાં નામ ૧૨૨ હરણોની જાતિઓ ૧૩૦ ઉત્કૃષ્ટતાના ઉદાહરણો ર૯૯ વસુજાતિના આઠ દેવો ૧૪૬ વિદ્યુલ્લિપ્ત કરણ ૪૯૪ નીરોગી પુરુષના પ્રાણવાયુનાં ગમન અને આગમનની એક અહોરાત્ર પૂરતી સંખ્યા નવીનતા - પ્રતિક્રમણની એક સમયે પ્રચલિત વિધિને અંગે જે ૩૩ પદ્યો સ્વોપજ્ઞવૃત્તિમાં અપાયાં છે. તે આ વૃત્તિની નવીનતા-એક પ્રકારની વિશિષ્ટતા પૂરી પાડે છે. ચિત્તની વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એ ચાર ભેદોનું વર્ણન જે સ્વાનુભવને આધારે કરાયું છે, તે આ યોગશાસ્ત્ર પૂર્વેની કોઈ જૈનકૃતિમાં મારા જોવામાં આવ્યું નથી. તો એ ન જ હોય તો આ યોગશાસ્ત્રની અપૂર્વતાનું અને શ્રી હેમચંદ્રાચાર્યની કુશળતાનું ઘોતન કરે છે. પિંડસ્થાદિ ધ્યાનો તો જ્ઞાનાર્ણવમાં જોવાય છે. એ એમના પુરોગામીની કૃતિ હોવા વિષે એક્વાક્યતા નથી. + આ નિશાનીવાળી બાબતો દ્રવ્યાનુયોગને લગતી છે. ૧. આ પૈકી “રૂપસ્થ' ધ્યાનના નિરૂપણમાં ભાવવિજયે કલ્યાણ મંદિર સ્તોત્રનો શ્લોક ૧૭મો અવતરણરૂપમાં આપ્યો છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમણિકા ૧૯ પ્રકાશનો - યોગશાસ્ત્રના પહેલા ચાર તેમ જ એના બારે પ્રકાશો અન્યાન્ય સ્થળેથી, સ્વોપજ્ઞ વૃત્તિ સંપૂર્ણ અને અપૂર્ણ એમ ઉભય રીતે છપાએલ છે. જૈનધર્મ પ્રસારક સભા તરફથી સંપૂર્ણ અને એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ ત૨થી ૧૯૦૭ થી ૧૯૨૧ના ગાળામાં કટકે કટકે પ્રસિદ્ધ થયા બાદ અપૂર્ણ રહેલ છે. આંતર શ્લોક - યો. શા.ની સ્વોપજ્ઞ વૃત્તિમાં પ્રસંગોપાત્ત આંતરશ્લોકો છે. એ પૈકી જે ઉપયોગી જણાયા, તે સહિત સંપૂર્ણ મૂળકૃતિ આ. શ્રીદાનસૂરિ ગ્રં. મા. ત૨ફથી ઈ. સ. ૧૯૩૯માં પ્રકાશિત કરાઈ છે. અનુવાદો - યોગશાસ્ત્રના પ્રકાશ ૧-૪ના ગુજરાતીમાં વિવિધ અને જર્મનમાં એક એમ અનુવાદો ઉપરાંત બારે પ્રકાશના ગુજરાતી તેમ જ હિન્દીમાં અનુવાદ થાય છે. વળી સ્વોપશ-વૃત્તિનો એક અપૂર્ણ અનુવાદ તો આ પૂર્વે થયેલો જ છે. એટલે પ્રસ્તુત અનુવાદ સંપૂર્ણ અક્ષરશઃ કર્યાનું જે અનુવાદકશ્રીએ કહ્યું છે, તે તેમ હોવાથી આનંદજનક ગણાય. આ વિવિધ પ્રકાશનો પૈકી ઘણાં ખરાંની નોંધ મેં હૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૧૪૨-૧૪૪માં લીધી છે. યોગશાસ્ત્ર એક પરિશીલન નામનું પુસ્તક ઉપાધ્યાય અમરમુનિએ રચ્યું છે અને એ ‘સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રથી ઈ. સ. ૧૯૬૩માં પ્રકાશિત કરાયુ છે. એમાં ‘યોગ’ અંગે નિરૂપણ છે. એમાં યોગશાસ્ત્રની પ્રકાશ દીઠ સંક્ષિપ્ત માહિતી અપાઈ છે.' સ્વોપજ્ઞ વૃત્તિનો અનુવાદ આ વૃત્તિ સાથે મેળવવાનું તેમજ અન્ય અનુવાદો સાથે આની તુલના કરવાનું કાર્ય મને સોંપાયું નથી, એટલે આ વાત હું જતી કરું તે પૂર્વે નોંધીશ કે ચૈત્યનો અર્થ એક હિન્દી અનુવાદમાં વૃત્તિકા૨ના મતથી ભિન્ન કરાયો છે. ભોજ્યાભોજ્યાદિ પદાર્થો-આનાં નામો પૃ.૧૮૨, ૨૦૪, ૨૧૦, ૨૧૮, ૨૨૩ અને ૨૫૨માં દર્શાવાયાં છે. એ પૈકી કેટલાંકનો ઉલ્લેખ વૃત્તિમાં નથી, પરંતુ અનુવાદકશ્રીએ ઉમેર્યા છે. પુષ્પોનાં નામો માટે પણ આમ બન્યું છે. આ જાતના ઉમેરા માટે કૌંસનો ઉપયોગ કરાયો હોત તો ઠીક થાત. એમણે વિસ્તૃત વિષયસૂચીઅનુક્રમણિકા લખી છે. તે આ પુસ્તકના માર્ગ-દર્શનની ગરજ સારશે. ભાષાની શુદ્ધિ અને ઝમક, વાક્યોની રચના, આવશ્યક અવતરણોનાં મૂળનો નિર્દેશ, વિષયનો સત્વર અને સુગમ બોધ કરાવનારી કંડિકાઓ સ્વોપજ્ઞ વૃત્તિગત મનનીયતાઓ, વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાત, સંતુલનરૂપે ટિપ્પણો, પૂર્વાપરના ઉલ્લેખો (Cross references) ઉપર ધ્યાન અપાયું હોત તો આ અનુવાદની પાછળ શ્રી હેમસાગરસૂરિજીએ જે પરિશ્રમ સેવ્યો, તે વધારે સાર્થક બનત. અને પ્રસ્તુત પ્રકાશનની ઉપયોગિતામાં નોંધપાત્ર વૃદ્ધિ થાત. ગમે તેમ પણ સવૃત્તિક મૂળનો સંપૂર્ણ અનુવાદ એક પણ થયો જણાતો નથી, ત્યારે તો અનુવાદકશ્રી અને પ્રકાશક સંસ્થા પણ ધન્યવાદપાત્ર ગણાય. કેમકે પ્રસ્તુત અનુવાદ બે રીતે ઉપયોગી છે. (૧) જેઓ સંસ્કૃત ભાષાનું યથાયોગ્ય જ્ઞાન ધરાવતા નથી તેમને આ અનુવાદ આશીર્વાદરૂપ થઈ પડશે અને (૨) જેઓ સંસ્કૃત સારી રીતે જાણે છે પરંતુ કોઈ કારણસર આ વૃત્તિના લાભથી વંચિત રહ્યા છે, તેમને એ વૃત્તિ વાંચવા વિચારવાની પ્રેરણા મળશે. મને તો આ અનુવાદ મારા બોધને સતેજ કરવામાં સહાયક થયો છે. એટલે એ બાબત હું અનુવાદકશ્રીનો આભાર માનું છું. અંતમાં અનુવાદકશ્રીએ પોતાના સાંસારિક પક્ષ, અભ્યાસ અને સાહિત્યવિષયક પ્રવૃત્તિઓનો નિર્દેશ કર્યો છે, એટલે મારે લખવાનું રહેતું નથી. એ સૂચવતો અને એઓ આપણને એમની શ્રુતભક્તિનો ઉત્તરોત્તર વિશેષ લાભ આપતા રહે-એ અભિલાષા દર્શાવતો આ ઉપક્રમણિકા પૂર્ણ કરું છું. કાયસ્થ મહુલ્લા ગોપીપૂરા, સુરત તા. ૨૯-૧-૬૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય ૧ ૧ ગુરૂ સ્તુતિ (રાગ-કલ્યાણ) કલિસર્વજ્ઞ !, ત્રિકાલવંદન હો !!! સિદ્ધરાજ કુમાર પ્રતિબોધી, મહિમા વધાર્યો જૈનશાસન હો-કલિ. અમારિપડહ વજડાવી જંતુ, દાન અભય દિધું હેમ સુધન્ય હો-કલિ. ધવલકીર્તિગીત ગાઈએ ત્હારાં, ગૂર્જર બાલ થઈ સુપ્રસન્ન હો-કલિ ૩ ‘કલિકાલ સર્વજ્ઞ’એ નામનું ઉત્તર બિરૂદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી કુમારપાળ રાજન દ્વારા અમારીપડહ વજડાવી માંસાહાર, મદિરાપાનને દેશવટો અપાવનાર, અખંડ બ્રહ્મચારી, શાસનપ્રભાવક મહાત્ મુનિ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યથી કોણ અપરિચિત છે ? જૈન તેમજ જૈનેતરસર્વ શિક્ષિત જગમાં તેઓનું નામ સજીવન, જ્વલંત અને પ્રસિદ્ધ છે. ૧ ૧. શ્રીમદ્ના ગુરૂ આવા સુવિખ્યાત જયશ્રીવાળા મહાત્માનું જીવનવૃત્તાંત કંઈપણ લખીએ, તે પહેલાં તેમના ગુરુની ઓળખાણ કરીએ. (કોટિક ગણ, વજ્રશાખા, ચંદ્રકુળ.) દિન્નસૂરી | યશોભદ્રસૂરિ. ૨ । પ્રદ્યુમ્નસૂરિ. ગુણસેનસૂરિ. દેવચંદ્રસૂરિ આમાં છેલ્લા દેવચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં ધંધુકાનગર આવ્યા. તેઓ શ્રીમદ્ના ગુરુ છે, તેથી તેમને Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય ૨૧ અને શ્રીમદ્ ગુરુશિષ્યનો સંબંધ કઈ રીતે થયો તે જોઈશું. ૨. જન્મ ધંધુકા નગરમાં ચાચિગ (ચાચો) શાહ નામનો મોઢ વણિક વસતો હતો, તેને પાહિની (ચાહિરી) નામની સ્ત્રી હતી. તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું કે “મેં એક અમૂલ્ય ચિતામણિ રત્ન ગુરુ મહારાજને સમર્પણ કર્યું, આ સ્વપ્નનું ફળ પૂછવા તે ઉપાશ્રયે ગઈ. આ વખતે ઉપરોક્ત શ્રી દેવચંદ્રસૂરિ ઉપાશ્રયમાં બિરાજતા હતા. તેમને પૂછવામાં આવતાં કહ્યું કે- “હે શ્રાવિકા ! તમને એક સુંદર પુણ્યશાળી અને મહિમાવંતો પુત્ર થશે, પરંતુ તે પુત્રરત્નને તમે ગુરુ મહારાજને અર્પણ કરશો અને તે શ્રી જૈનશાસનનો ઉદ્યોત કરશે !” ગુરુ વિહાર કરી ગયા. આ દિવસથી તેને ગર્ભ રહ્યો, અને નવ માસ પૂરા થતાં સંવત ૧૧૪૫ના કાર્તિક સુદી પૂર્ણિમાને દીને પુત્રનો જન્મ થયો. માતપિતાએ તેનો ઉત્સવ કરી ચંગદેવ એ નામ આપ્યું. ૩. દીક્ષા પુત્ર પાંચ વર્ષનો થયો, ત્યારે દેવચંદ્રસૂરિ પણ આ અવસર જોઈ પધાર્યા. સૂરિને વંદવા સર્વ સંઘ ગયો, ત્યારે માતા પણ આ પુત્રને લઈ વંદન કરવા ગઈ. આ વખતે પુત્ર ચંગદેવ બાલચેષ્ટા કરતો ગુરુના આસનપાટ ઉપર બેસી ગયો. આ જોઈને આચાર્યે માતાને કહ્યું કે “પ્રથમ મેં જણાવેલું સ્વપ્નનું ફળ યાદ છે કે? તે પૂર્ણ થવાનો હવે અવસર આવ્યો છે. તો અમોને તે પુત્ર ભાવસહિત આપો તો ઘણું પુણ્ય થશે.” પછી બાળકના અંગનાં લક્ષણો ગુરુએ જોયાં, અને તે પરથી કહ્યું કે “જો આ પુત્ર ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોય તો સાર્વભૌમ રાજા થાય, બ્રાહ્મણ યા વણિક કુળમાં જન્મ્યો હોય તો મહા અમાન્ય થાય. વણિક કુળમાં જન્મ્યો છે તેથી તે જો દીક્ષા ગ્રહણ કરે તો આ કલિયુગમાં કૃતયુગ પ્રવર્તાવે તેવો થાય ! ત્યારે પુત્રની માતા બોલી મારો પતિ કે જે માહેશરી-વૈષ્ણવ છે તે બહારગામ ગયેલ છે. જો તે કોપે તો તેને શો ઉત્તર દેવો?' આ સંવાદ પછી માતાએ પોતાના ભાવોલ્લાસપૂર્વક પુત્રને ગુરુને સોંપ્યો. ગુરુએ તેને શો ઉત્તર દેવો?' આ સંવાદ પછી માતાએ પોતાના ભાવોલ્લાસપૂર્વક પુત્રને ગુરુને સોંપ્યો. ગુરુએ તેને કર્ણ પુરીમાં ઉદયનમંત્રી પાસે તેને ઘેર રાખ્યો, અને ત્યાં વિદ્યાભ્યાસ કરતો વધવા લાગ્યો. હવે અહીં ચાચો શેઠ ઘેર આવતાં બાળકને જોયો નહિ, એટલે સ્ત્રીને પૂછતાં થયેલી હકીકત સાંભળી, ત્યારે બહુ સુખેદ થયો, અને અન્ન પાણીનો ત્યાગ કોપથી કરી શ્રી ગુરુપાસે કર્ણપુરી (કર્ણાવતિ) આવ્યો; એટલે શ્રી ગુરુમહારાજે એવો સજ્જડ પ્રતિબોધ આપ્યો કે તેણે પીગળી જઈ પોતાનો પુત્ર દીક્ષા લીએ તેની અનુમતિ આપી. ઉદયનમંત્રીએ શેઠને પોતાને ઘેર તેડી જઈ ઉત્તમ ભોજન કરાવીને કહ્યું કે “હે શેઠ ! આપે આપના પુત્ર ને ગુરુને આપ્યો તેથી મહાનું પુણ્ય ઉપાર્જન કર્યું છે. લ્યો આ ત્રણ લાખ મહોર. તેથી તમે ધર્મ કાર્ય કરજો . ચાચાશેઠે કહ્યું કે “મે ધનને માટે પુત્રદાન કર્યું નથી, તેથી મારે તે મહોરો જોઈતી નથી. મેં ધર્મને માટે કરેલ છે.” આમ કહી તે પોતાને ઘેર પાછો આવ્યો. ચંગદેવ જ્યારે નવ વર્ષનો થયો ત્યારે-સંવત ૧૧૫૪માં ગુરુએ દીક્ષા આપી, સોમદેવ મુનિ એ નામ આપ્યું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૪. સૂરિપદ એક સમયે ગુરુસાથે વિહાર કરતાં કરતાં તે સોમદેવ મુનિ નાગપુરે (નાગપુરમાં) આવ્યા, તે વખતે ધનદ નામનો વણિક વસતો હતો. તે પૂર્વભવના કર્મથી ઘણો ગરીબ હતો. તેણે ઘરની જમીન ખોદી ત્યારે કોલસાનો ઢગલો નીકળી આવ્યો. આ કોયલાને તેણે ઘરને આંગણે ભેગા કર્યા હતા. ધનદને ત્યાં સોમદેવ મુનિ ગુરુ સાથે ગોચરી માટે પધાર્યા, અને ધર્મલાભ આપ્યો. ત્યારે ધનદે કહ્યું કે ઘરમાં જુવારની ઘેંસ રાંધી છે, તે દેતાં શરમ થાય છે, છતાં તે સુજતો (પ્રાસુક) આહાર છે તે લેવાની કૃપા કરો, ત્યારે સોમદેવમુનિએ ગુરુમહારાજને ગુપ્ત રીતે કહ્યું કે “આ વણિકના આંગણામાં તો સોના મહોરોનો ઢગલો પડ્યો છે, છતાં તે પોતાને નિર્ધન કેમ કહે છે?” ત્યારે ગુરુશ્રીએ જાણ્યું કે આ મુનિના સ્પર્શથી ખરેખર આ કોલસાનો ઢગલો સોના મહોરોનો થશે એમ વિચારી તેમણે તે ઢગલા ઉપર સોમદેવ મુનિને બેસવાનું કહ્યું અને તેમ કર્યાથી તુરત તે કોલસાનો ઢગલો હેમનો થઈ ગયો. ધનદે આમ થયે તરત ગુરુશ્રીને કહ્યું કે “શ્રી સોમદેવમુનિને સૂરિપદ આપો, હું તે મહોત્સવ કરીશ.” એટલે ગુરુમહરાજે શિષ્યને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી તેમનું નામ હેમચંદ્રચાર્ય રાખ્યું સંવત ૧૧૬૨ ૫. મંત્રસાધનો પ્રચંડ બ્રહ્મચર્ય શ્રી હેમાચાર્ય કાશ્મીર ભણી ચાલ્યા, અને ત્યાં પોતાના બળથી સરસ્વતી દેવીને પ્રત્યક્ષ બોલાવી તેની પાસે વર લીધો. પછી પોતાના ગુરુએ આપેલા સિદ્ધચક્ર મંત્ર સાધતા હતા. આ સાધવામાં શ્રી દેવેન્દ્રસુરિએ તથા મલયગીરિસૂરિ નામના બે આચાર્યોનો માર્ગમાં સમાગમ થયો. ત્રણે કુમાર નામના સંગ્રામમાં આવ્યા, ત્યાં એક ધોબી પાણીને આરે લુગડાં ધોતો હતો; ને લુગડાં ઉપર અનેક ભમરાઓ ગુંજાવર કરી રહ્યા હતા. શ્રી હેમસૂરિએ એક સાડીમાં ભમરા જોઈને તે પદ્મિની નારીના ચીર હોવાં જોઈએ, તેથી ધોબીને તે કોનાં લુગડાં છે એમ પૂછતાં તેણે કહ્યું કે “આ ગામના રાજાની રત્નાવતિ નામની પદ્મિની સ્ત્રી છે તેનાં છે. ત્રણે આચાર્યો રાજાને ત્યાં જઈ ધર્મલાભ આપ્યો. રાજાએ નિરવદ્ય સ્થાનકે ઉતાર્યા. હંમેશાં દેશના સમતાપોષક દેવાવા લાગી. આમ થતાં ચોમાસું પૂરું કરી પછી વિહાર કરવાનું જણાવ્યું તે ગામના રાજાએ ઘણું રહેવાનું કહ્યું, ત્યારે તેઓ તે વિનતી સ્વીકારી ન શક્યા કારણકે એક સ્થલે સુવિહિત મુનિ ન રહે અને રહેવાથી સંયમ ન સચવાય એમ શાસ્ત્રની આજ્ઞા છે. પછી “કોઈ કામ હોય તો કહો' એમ રાજાએ કહેતાં શ્રી દેવેંદ્રસુરિ બોલ્યા કે “એક છે તો ખરું, પણ જીભ ઉપડતી નથી. પણ તેથી વિદ્યા સિદ્ધ થાય તેમ છે. પછી આગ્રહ કરતાં કહ્યું કે તારી સ્ત્રી પદ્મિની છે, તે જો નગ્નપણે અમારી સન્મુખ ઉભી રહે તો અમે વિદ્યા સાધી શકીએ. તે વખતે તું પણ તલવાર લઈને ઉભો રહે, અને જો અમે તન, મન, અને વચનથી કંઈ પણ ચૂકીએ, એક રોમમાં પણ તે સંબંધી કામ થાય તો અમોને હણી નાખજે., ગુણથી રાજી થયેલ રાજાએ હા કહી. પછી આચાર્યો ગિરનાર આવ્યા, અને ત્યાં જિનપ્રતિમા આગળ રહી નગ્ન પધિનિ પાસે આચાર્યો મંત્ર સાધવા લાગ્યા, અને નૃપ તલવાર લઈ ઉભો રહ્યો, મેરુ ચૂલિકા નવિ ચળે, ન ચળે શેષ ફણીદ્ર; વિધિ લિખત જિમ નવ ચળે, ન ચળે ચિત્ત મુનીંદ્ર. મુનિઓનું ચિત્ત ચળ્યું નહી, મંત્ર સધાયો, અને વિમલેશ્વર યક્ષ આવી ઉભો રહ્યો અને વર માંગવા કહ્યું. શ્રી દેવેન્દ્રસૂરિએ કાંતિથી જિનપ્રાસાદ શ્રીસેરીસમેમાં લાવવો, અને વિદ્યાવાદ પોતાને આપવો એ વર માગ્યો. શ્રી મલયગિરિ સૂરિએ સિદ્ધાંતોની વૃત્તિ કરું એવી શક્તિ માગી, જ્યારે શ્રી હેમાચાર્યે હું વચનબળથી Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય ૨૩ રાજાને બૂઝવું અને તેથી શાસનને દીપાવું એવી વિદ્યા આપવા કહ્યું તે વિમળશ યક્ષે માંગેલી વિદ્યા ત્રણેને દીધી. પછી શ્રી આચાર્ય વિદ્યા ગ્રહીને ગુરુ પાસે આવ્યા, અને વંદન કર્યું, ગુરુ હર્ષ પામી ધ્યાનમાં બેસી આંબીલથી છ માસ સુધી દેવતાનું આરાધન કર્યું, એટલે શાસનદેવી પ્રગટ થઈ કે “આપના શિષ્ય હેમાચાર્ય તે પદવીને લાયક છે. આથી મનમાં જે હતું તે દેવીએ કહેલ છે એ જાણી ગુરુહર્ષિત થયા. ત્યારપછી પોતે નાગપુરિ જ્યાં ધનદ નામનો વણિક વસતો હતો ત્યાં આવ્યાં ત્યાં શ્રી હેમાચાર્યને પાટ પર બેસાડી ગુરુ શિષ્ય સાથે પાટણમાં આવ્યા. ૬. શ્રી હેમચન્દ્રજી અને મહારાજા સિદ્ધરાજ આ વખતે મહારાજા સિદ્ધરાજ જયસિંહ પાટણમાં રાજ્ય કરતો હતો, તેને અને શ્રી હેમાચાર્યને મેળાપ થયો. વાતચિતપરથી આચાર્યપર રાજાને બહુ પ્રીતિ થઈ, તેથી પોતાને ત્યાં આવી ધર્મોપદેશ કરવા રાજાએ વિનંતિ કરી. એક વખત રાજસભામાં શ્રી હેમસૂરિ બેઠા હતા, ત્યા રાજાએ પ્રશ્ન કર્યો કે “ખરો ધર્મ કયો?' સૂરિએ કહ્યું કે “ધર્મની પરીક્ષા કરવી જોઈએ, અને તેમાં જે કસોટી કરતાં ખરો લાગે તે ખરો. આ ઉપર એ દષ્ટાંત આપું છું, તે પરથી સમજાશે યશોમતિ નામની નારી એક શંખ નામના વણિકને હતી. તે વાણીયો બીજ પરણ્યો, અને તેમાં લુબ્ધ રહેવા લાગ્યો. આથી યશોમતિને દ્વેષ થયો, તેથી એક મંત્રવાદી પાસેથી મંત્રવાળી મૂળી લીધી કે જે ખવરાવવાથી ધણી બળદ થાય. યશોમતિએ તે પોતાના ધણીને ખવરાવી બળદ કર્યો, આથી શોકયે રાજાને વાત કરી. રાજાએ યશોમતિને તે બળદ આપ્યો. હવે યશોમતિ હંમેશા તે બળદને ચારવા લઈ જાય છે. એક વખતે વિદ્યાધર અને વિદ્યાધરી વિમાનમાં બેસીને જતાં હતાં, ત્યારે વિદ્યાધરીએ યશોમતિને રૂદન કરતી જોઈ અને તેના દુઃખનું કારણ પોતાના સ્વામી વિદ્યાધરને પૂછ્યું, તેણે કહ્યું પોતાના ધણીને બળદ કરેલ છે તે છે.” ત્યારે ફરી વિદ્યાધરીએ દયા લાવી તેનો ઉપાય પૂછ્યો. ત્યારે વિદ્યાધરે કહ્યું “જ્યાં તે નાર બેઠી છે ત્યાં એક જડીબુટ્ટી છે. તે જો બળદને ખવરાવે તો ફરી તે પુરુષ થાય.” વિદ્યાધર પોતાની સ્ત્રીની સાથે ચાલ્યો ગયો, પણ યશોમતિએ તે સાંભળ્યું એટલે જેટલાં ઘાસ ત્યાં ઉગ્યાં હતાં તે બધાં ચુંટી લઈ દરેક છોડ બળદને ખવરાવવા લાગી. આમા શુદ્ધ મૂળીયું-જડી-બુટી હતી તે ખવરાવી, એટલે તે બળદ પુરુષ થયો. આ દૃષ્ટાંત ઉપરથી હે મહારાજ! આપ લક્ષ આપી દર્શન છે તે સર્વ પારખીને તેમાંથી સાચો ધર્મ ગ્રહણ કરો. આવાં ગુરુનાં વચન સાંભળી શ્રી સિદ્ધરાજ હર્ષિત થયો. પછી રાજાએ સિદ્ધપુરીમાં રૂદ્રમાળ નામનું મંદિર બંધાવ્યું તેની સાથે પોતાના આભ મંત્રી પાસે એક રાયવિહાર નામે જિનપ્રાસાદ કરાવી તેમાં શ્રી વિરપ્રભુની મૂર્તિ સ્થાપી. . એક વખત શ્રી હેમસૂરિને રાજાએ પૂછ્યું કે “ઈશ્વર અને અરિહંતમાં અંતર શું? ત્યારે તેણે કહ્યું કે ઈશ્વર (શંકરની ઉપર છે તેમ) ના મસ્તકે ચંદ્ર રહે છે, જ્યારે અરિહંતના ચરણે તે ચંદ્ર નમે છે.” વળી સુતારને તેડાવી તેને તે અંતર પૂછો એમ કહેતાં સુતારને રાજાને બોલાવ્યો. તેણે કહ્યું કે “અમારા શાસ્ત્રમાં એવું છે કે સામાન્ય ઘરમાં નરની પાંચ શાખા છે, રાજાના ભુવનમાં સાત છે, ઈશ્વરભુવનમાં નવ અને જિનગૃહમાં એકવીશ હોય છે. શિવમંદિરમાં એક મંડપ હોય છે, જ્યારે જિનગૃહમાં એકસો આઠ હોય છે. જિનમુદ્રા પદ્માસનમાં સ્થિત હોય છે અને નવગ્રહ તેમના ચરણને સેવે છે. વળી તેને દેખીને ભય ઉપજતો નથી. જ્યારે બીજા દેવોના હાથમાં હથિયાર, પાસે નારી વિગેરે હોય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ એક વખત તેઓશ્રી ચતુર્મુખ મંદિરમાં શ્રી નેમિચરિત્ર વાંચતા હતા; તેમાં તેમણે એમ કહ્યું કે પાંડવ શત્રુંજ્ય ચડી સિદ્ધ થયા. આ બ્રાહ્મણો ખમી ન શકાયા, અને તેમણે કહ્યું કે તેઓ હિમાલયમાં ગળી મુક્તિ પહોંચ્યા છે. ત્યારે સિદ્ધરાજે પૂછ્યું ‘ગુરુરાય ! આમાં શું સત્ય છે ?' ત્યારે આચાર્ય મહારાજ મહાભારતનો શ્લોક બોલ્યા. ૨૪ अत्र भीमरातं दग्धं । पाण्डवानां रातत्रयम् । द्रोणाचार्यसहस्त्रं तु । कर्णसंख्यान विधते । અર્થ - અહિંયાજ સો ભીમ, ત્રણસો પાંડવો, હજા૨ દ્રોણાચાર્ય મરી ગયા અને કર્ણ કેટલા મરી ગયા તેની તો સંખ્યા નથી. આ ઉ૫૨થી એમ સૂચન કીધું કે આમાંથી કેટલાક પાંડવો જૈન હોય અને શત્રુંજ્યે ચઢી મુક્તિમાં જાય એ અસંભવિત નથી. આથી રાજા હર્ષિત થયો. એક દિવસ બ્રાહ્મણો સિદ્ધરાજને એમ કહેવા લાગ્યા. ‘જૈનધર્મ એ આદિ ધર્મ નથી . તેનું નામ વેદબાહ્ય છે,' ત્યારે રાજાએ કહ્યું એમ શા માટે બોલો છો ? વાસ્તુ શાસ્ત્ર તપાસો. તેમાં જિનમંદિરના ભેદ જણાવેલ છે.’ વળી એક વખત સર્વે બ્રાહ્મણો પોતપોતાના સ્થાને રાજસભામાં બેઠા હતા તેવામાં શ્રી હેમચંદ્રસૂરિને આવતા જોઈ તેમાંનો એક ઈર્ષ્યાથી કહેવા લાગ્યો કે. आगतो हेमगोपालो दण्डकम्बलभुद्वहन् । અર્થ - હાથમાં દંડ અને કામળી લઈને હેમ નામનો ગોપાલ આવ્યો. શ્રી હેમચંદ્રસૂરિએ જાણ્યું કે મારી મશ્કરીમાં ગોપાલની ઉપમા મને આપી, પણ પોતે અવસ૨શ હોવાથી તરતજ તેનો પ્રતિકાર કરવા શ્લોકમાં જવાબ આપ્યો કે - षड्दर्शनपशुप्रायांश्चारयन् जैनवाटके ॥ અર્થ - જૈન ધર્મ રૂપી વાડામાં છ દર્શન રૂપી પશુઓને ચરાવનાર હું ગોપાલ છું. - આ સાંભળી બ્રાહ્મણો આશ્ચર્યચકિત બની નિરૂત્તર થયા. એકદા સિદ્ધરાજ જયસિંહને આચાર્યશ્રીએ કહ્યું કે ‘'તારી જગત્માં ખ્યાતિ છે તે વિસ્તારવા માટે હું પંચાંગી વ્યાકરણ કરું. રાજાએ હા પાડી. ત્યારે હેમચંદ્રસૂરિએ કહ્યું કે ‘કાશ્મિરમાં શારદા ભંડાર છે ત્યાં આદિ વ્યાકરણની ગંભીર પ્રતો છે કે જે બીજે કોઈ પણ સ્થળે નથી, તો તે તુરત મંગાવો તો વ્યાકરણની રચના કરું.’ રાજાએ પ્રધાનને તે લેવા મોકલ્યા. પ્રધાનોએ ત્યાં જઈને અગરધૂપ આદિથી શારદા માતાને તુષ્ટ કરવાથી માતાએ આઠ પુસ્તકો આપ્યાં, તે લાવીને પ્રધાનોએ રાજાને આપ્યાં, રાજાએ સૂરિને આપ્યાં. પછી તેમણે પંચાંગી વ્યાકરણ બનાવ્યું, અને રાજાએ પંડિતોને તેડાવ્યા. બ્રાહ્મણ પંડિતોએ રાજાને કહ્યું કે કાશ્મિરમાંથી શારદાભંડારમાંથી લાવેલા તે પુસ્તકોની તે નકલ છે ! ખરું તો તે ત્યારે કહેવાય કે જો પાણીમાં નાખવાથી તે વ્યાકરણ ભીનું ન થાય તો, રાજાએ જાણ્યું કે આ દ્વેષ છે, છતાં આચાર્યશ્રીએ કહ્યું ‘ખુશીની સાથે, ભલે પ્રમાણતાની તે કસોટી થાઓ.' પછી પ્રધાન આદિ નગરજનોને લઈ તે વ્યાકરણ કુંડમાં નંખાવ્યું, પણ લેશ માત્ર ભીનું થયું નહિ. આથી રાજા ઘણો આનંદિત થયો અને તેણે ત્રણ વર્ષ લગી ત્રણસેં દ્રમ હંમેશ આપી સોનાના અક્ષરથી તે વ્યાકરણ લખાવ્યું. અને હાથીની અંબાડી પર તે સામૈયા સાથે પધરાવી ગામમાં ફેરવ્યું હતું. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય ૨૫ પછી હેમસૂરિના વચનથી જયસિંહ રાજાએ કર માફ કર્યો. મચ્છી જાળ બંધ કરાવી, અને કરોડો સોનૈયા પુણ્યદાનમાં ખર્મા. આવી રીતે જયસિંહ રાજાને દઢધર્મી કરી આચાર્યશ્રીએ પાટણથી વિહાર કર્યો. ઉગ્ર વિહાર કરતાં કરતાં એક અવસરે એક દેવતાએ મધ્ય રાત્રે આવી હેમસૂરિને કહ્યું કે “અન્ય દેશમાં જવું તજો, આપ ગુજરાતમાં રહેશો તો ઘણો લાભ થશે.' ગુરુ દેવતાનું વચન માની પાટણમાં પાછા આવ્યા. ૭. શ્રી હેમચન્દ્ર અને કુમારપાળનો સમાગમ એક વખત કુમારપાળ નામનો સિદ્ધરાજના પિતરાઈ ભાઈ ત્રિભુવનપાળનો પુત્ર* રાજ્યસભામાં આવ્યો; ત્યાં તેણે સિદ્ધરાજની પાસે બેઠેલા હેમચંદ્રસૂરિને જોઈ વિચારવા લાગ્યો કે આ દમી મુનિ, રાજાને માન્ય છે તો *વિમળદેવ કરણ ક્ષેમરાજ સિદ્ધરાજ ત્રિભુવનપાળ કુમારપાળ મહિપાળ કૃતપાળ પ્રેમલબાઈ દેવલબાઈ સિદ્ધરાજના | સાઠંબરીના સેનાપતિ કૃઢ | પૂર્ણ રાજાને દેવને વરી. | વરી. સત્ત્વશાલી હોવા જોઈએ. તેથી તે પૈષધશાળામાં આચાર્યશ્રીને વાંદવા ગયો. ત્યાં વંદના કરી બેઠો અને પુછ્યું કે હે મહારાજ! નર કયા ગુણથી શોભે છે? ત્યારે સૂરિએ કહ્યું “સત્ત્વ ગુણથી અને પરદારા ત્યાગથી” કહ્યું છે કે – प्रयातु लक्ष्मीश्चपलस्वभावा, गुणा विवेकप्रमुखा प्रयान्तु । प्राणाश्च गच्छन्तु कृतप्रयाणाः मा यातु सत्त्वं तु नृणां कदाचित् ॥ અર્થ - ભલે ચંચળ સ્વભાવવાળી લક્ષ્મી જતી રહે, ભલે વિવેક આદિ ગુણો ચાલ્યા જાય, અને પ્રયાણ કરવાનો તત્પર એવા પ્રાણ પણ જાય, પણ મનુષ્યોનું સત્ત્વ કદાપી ન નાશ પામશો. પછી અર્જુને હનુમાનને જીતી સત્ત્વના પ્રભાવે કનક મેળવ્યું હતું તે દષ્ટાંત આપ્યું, અને કહ્યું કે સત્ત્વ એકલો હોય, અને શીયળ ન હોય તો તે નકામું. પછી શીયલનું દષ્ટાંત કલિકાલમાં થયેલસંગ્રામ સોની કે જેણે રૂત વગર આંબો ફળવાળો કર્યો હતો તે કહ્યું. આથી કુમારપાળે ત્યાંજ પરનારીના ત્યાગનો નિયમ ગુરુ પાસેથી લીધી. પછી હંમેશ ઉપદેશામૃતનું પાન કરવા કુમારપાળ ઉપાશ્રયે આવતો, અને કેટલાએક દિવસ જયસિંહની સેવામાં રહી દધિસ્થળમાં ગયો. Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૮. સિદ્ધરાજની પુત્રની ઈચ્છા અને હેમસૂરિ સિદ્ધરાજને રાજ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવી, દેવ દેવીઓની ઘણી માનતાઓ કરી, પણ પુત્ર થયો નહિ. આખરે તેણે હેમસૂરિ સાથે શત્રુંજ્ય, ગિરનાર વિગેરે તીર્થની યાત્રા કરી, અને સૂરિને પૂછ્યું કે ‘મારે હવે પુત્ર થશે કે નહિ ? સૂરિએ ત્રણ ઉપવાસ કરીને, અંબાદેવીને આરાધી. તેણે આવી ના કહી, તેથી સૂરિએ કહ્યું ‘તમોને પુત્ર થશે નહિ, તમારું રાજ્ય કુમારપાળને મળશે’ ‘પછી રાજાએ બીજા પંડિત જોશીને બોલાવ્યાઃ તેમણે પણ તેવુંજ કહ્યું. આથી રાજાને ખેદ થયો અને કુમારપાળને મરાવી નાંખવાથી સોમેશ્વરની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થશે, એવી ખોટી કલ્પના કરી કુમારપાળને મારવા છૂપા મારા સિદ્ધરાજે મોકલ્યા, અને લડાઈ કરી ત્રિભુવનપાળ (કુમા૨પાળના પિતા)ને મારી નંખાવ્યો; જ્યારે કુમારપાળનું પુણ્ય પ્રબળ હોવાથી તેને કંઈ ન થયું, અને સર્વ ઉપાયો મિથ્યા થયા. કુમારપાળને સંકટો ઘણાં પડ્યા પણ આખરે તેને સિદ્ધરાજની ગાદી મળી. ૨૬ ૯. કુમારપાળનાં સંકટો અને હેમચંદ્રાચાર્ય કુમારપાળ પ્રથમ પોતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં પાટણમાં રહ્યો, પણ સિદ્ધરાજના માણસોની નજર ચુકાવવી એ મહા મુશ્કેલ વાત હતી. તેણે યોગીનો વેષ લીધો, તેમાં પણ પકડાયો. ત્યાંથી નાશી એક ગામથી બીજે ગામ ફરવા લાગ્યો. તેનાં સર્વ વિતકો તથા સંકટો અહીં અપ્રસ્તુત હોવાથી લખ્યાં નથી. પણ તેમાંનો એક કે જેમાંથી આપણા ચરિત્રનાયકે કુમારપાળને બચાવેલ છે તેની નોંધ લઈએ. કુમારપાળ એક વખત ફરતો ફરતો ખંભાતના બહારગામના પ્રાસાદ આગળ આવી પહોંચ્યો, ત્યાં શ્રી હેમાચાર્ય કે જે પાટણથી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા હતા તે પણ બહિર્ભૂમિ આવ્યા હતા. સૂરિશ્રીએ ત્યાં સર્પના મસ્તક ઉપર ગંગેટક નાચતો જોઈ અનુમાન કર્યું કે આટલામાં કોઈ રાજા હોવો જોઈએ; તે વખતે કુમારપાળ નજરે પડ્યો, અને ઓળખ્યો. કુમારપાળે આચાર્યને ઓળખ્યા અને બધી સંકટની વાત કહી સંભળાવી, અને પૂછ્યું કે ‘આ મારા કષ્ટોનો અંત ક્યારે આવશે ? ત્યારે આચાર્યશ્રીએ નિમિત્ત જોઈ કહ્યું કે ‘થોડા વખતમાં એટલે વિક્રમ સંવત ૧૧૮૯માં માગશર વદ-૪ રવિવારે પુષ્પ નક્ષત્રમાં ત્રીજે પહોરે રાજ્ય મળશે.' એવામાં ત્યાં ઉદયન મંત્રી આવી ચડ્યા; તેને આચાર્યશ્રીએ કહ્યું કે ‘આ રાજકુમારનું તમારે રક્ષણ કરવું, કેમકે આ રાજકુમારથી આગળ જતાં જૈનનો ઘણો મહિમા થવાનો છે.' પછી ઉદયનમંત્રી કુમારપાળને પોતાને ઘેર લઈ ગયો. એવામાં સિદ્ધરાજને ખબર મળ્યા કે કુમારપાળતો ઉદયન મંત્રીને ધેર છે. તેથી ત્યાં તેણે પોતાનું લશ્કર મોકલ્યું; ત્યારે ઉદયનમંત્રીએ કુમા૨પાળને કહ્યું કે ‘હવે આ વખતે તમો અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો આપણા બંનેનું મોત થશે.' આ સાંભળી કુમારપાળ નાસીને હેમચંદ્રાચાર્ય પાસે આવ્યો, ત્યારે તેમણે ઉપાશ્રયના ભોંયરામાં છુપાવ્યો, તથા ઉપર પુસ્તકો ખડકી મૂક્યાં. કુમારપાળની શોધ માટે આવેલ સિદ્ધરાજનાં માણસોએ ઉદયન મંત્રી તથા હેમચંદ્રસૂરિને ત્યાં ઘણી તપાસ કરી, પરંતુ ત્યાં પત્તો નહિ મળવાથી નિરાશ થઈ પાછા ગયા. પછી કુમારપાળે વિદેશમાં ભ્રમણ કરવા માંડ્યું. અનેક સંકટો કરી સહન કરી સિદ્ધરાજ મૃત્યુ પામ્યાની ખબર મળતાં પાટણમાં આવ્યા, અને પ્રધાનોએ કુમારપાળને આચાર્યશ્રીએ કહેલા દિવસે રાજગાદી આપી. ૧૦. કુમારપાળ રાજા અને હેમચન્દ્રાચાર્ય. પોતાના સંકટમાં મદદ કરનાર સર્વને કુમારપાળ રાજાએ નવાજ્યા, અને જે જે વચનો બીજાને આપ્યાં હતાં તે પાળ્યાં, પણ દૈવયોગે પોતાના ખરા ઉપકારી હેમચંદ્રાચાર્યશ્રીને વિસરી ગયો. એક સમયે હંમચંદ્રજીએ ઉદયન મંત્રીને બોલાવીને કહ્યું કે ‘આજે કુમારપાળ રાજાની નવી રાણીના મહેતલમાં મધ્યરાત્રીએ પ્રાણઘાતક ઉપસર્ગ થવાનો છે, માટે આજે રાજાને ત્યાં જતાં અટકાવજો; અને આ બાબતની જો વધારે પુછપરછ રાજા કરે તો મારું નામ જણાવો' ઉદયન મંત્રીએ રાજાને તે રાત્રીએ ત્યાં જતાં Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય અટકાવ્યા અને રાત્રેત્યાં વીજળી પડવાથી તે રાણીનું મરણ થયું. આ વખતે રાજાએ ઉદયન મંત્રીને બોલાવી પૂછ્યું કે હે મંત્રી ! આવો ભવિષ્યજ્ઞાની માણસ તમોને કોણ મળ્યો કે જેણે મને આજે જીવિતદાન આપ્યું.’ મંત્રીએ જણાવ્યું કે ‘’હે રાજન્ ! અહીં શ્રી. હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે, અને તેમણે આ વાત જણાવી આપને ત્યાં જતાં અટકાવ્યા છે.’ આ સાંભળી બહુ ખુશી થઈ રાજાએ આચાર્યશ્રીને રાજસભામાં બોલાવ્યા. હેમચંદ્રજી ત્યાં ગયા, એટલે રાજાએ ઉભા થઈ તેમને વંદન કર્યું, તથા હાથ જોડી આંખોમાં આંસુ લાવી કુમારપાળે કહ્યું ‘હે ભગવન ! આપને મુખ દેખાડતાં મને શરમ આવે છે; કારણ કે આજદિનસુધી આપને મેં સંભાર્યા પણ નહિ; આપના ઉપકારનો બદલો મારાથી કોઈ રીતે વળી શકે તેમ નથી. માટે હે પ્રભો ! આપે પ્રથમથીજ મારા પર નિઃકારણ ઉપકાર કર્યો છે, અને આપનું તે કરજ હું કયારે વાળીશ ? આચાર્યશ્રીએ ત્યારે કહ્યું શે ‘હે રાજન ! હવે દિલગીર ન થાઓ. તમને ઉત્તમ પુરુષ જાણીનેજ મેં ઉપકાર કર્યો છે. હવે અમારા ઉપકારના બદલામાં તમો ફક્ત જૈન ધર્મ સમાચારો, એટલી મારી આશીષ છે' કુમારપાળે જવાબમાં કહ્યું ‘ હે ભગવન્ ! આપની તે આશિષ તો મને હિતકારી છે.’ એમ કહી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. ' ૧૧. હેમચન્દ્રસૂરિ અને શિવમંદિર એક વખત એક પુરુષે રાજસભામાં આવી રાજાને વિનંતિ કરી કે ‘હે મહારાજ ! દેવકીપાટણપ્રભાસપાટણનું સોમેશ્વરનું દહેરું પડી ગયું છે, તો તેનો જીર્ણોદ્ધાર કરાવો.' રાજાએ કહ્યું કે ‘બહુ સારું, જ્યાં સુધી હું તે દહેરું ન સમરાવું, ત્યાં સુધી હું માંસ નહિ ખાઉં.' રાજાએ ત્યારપછી દેહરાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને પછી માંસભક્ષણ ચાલુ કીધું. ત્યારે હેમચંદ્રજીએ કહ્યું ‘રાજન્ ! આપણે ચાલો સોમેશ્વરને દહેરે જઈને જોઈ એ, અને ત્યાં સુધી માંસની આખડી લ્યો. રાજાએ તેમ કરવા હા પાડી. ૨૭ પ્રભાસપાટણ જવાનું સૂરિએ પ્રયાણ કર્યું. ત્યારે રાજાએ હેમચંદ્રજી ગુરુને પાલખીમાં બેસવા કહ્યું, પણ ગુરુશ્રીએ તે ન સ્વીકાર્યું કા૨ણ કે મુનિ હમેશાં પગેજ ચાલે. પછી આગળથી જવાનું કહી પોતે પછી આવશે એમ કુમારપાળ રાજાએ કહ્યું. સૂરિ શત્રુંજ્ય, ગિરનાર વિગેરે જઈ યાત્રા કરીદેવકીપાટણ આવ્ય, ત્યાં રાજા પણ આવ્યા. આ વખતે કેટલાક દ્વેષી બ્રાહ્મણોએ કહ્યું કે ‘રાજન ! સર્વ કોઈ સોમેશ્વર દેવને માને છે, પણ હેમસૂરિ શીશ નમાવે તેમ નથી.' રાજાએ શા માટે મહાદેવને પૂજતા નથી એમ પૂછતાં સૂરિશ્રીએ જવાબ આપ્યો કે નિગ્રંથ એવા યતિઓ મહાદેવની કવ્યથી પૂજા કરતાં નથી, પણ તેઓ માત્ર ભાવથી જ પૂજા કરે છે. તેથી હું મહાદેવની પૂજા ભાવથી કરીશ.' પછી આચાર્યશ્રી આ વખતે મહાદેવસ્તોત્ર દેવપત્તનામાં મહાદેવના સન્મુખ ઉભા રહી દેરાસરમાંજ રચના કરી બતાવે છે, તેમાં જણાવ્યું કે. भवबीजांफुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થ - ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષ વિગેરે દોષો જેના ક્ષય પામ્યા છે તે ગમે તો બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, કે જિન હોય તેને નમસ્કાર કરીએ છીએ. આ સાંભળી તે બ્રાહ્મણો ચકિત થઈ ગયા, રાજા હર્ષિત થયો. પછી સૂરિએ રાજાને ત્યાં મંત્રના પ્રભાવથી સાક્ષાત્ મહાદેવનાં દર્શન કરાવ્યા. મહાદેવને ખરો ધર્મ શું છે તે રાજાએ પૂછતાં જણાવ્યું કે ‘હે રાજન્ ! તને ધર્મપ્રાપ્તિ આ બ્રહ્મા જેવા હેમચંદ્રાચાર્યથી થશે.’ આ વખતથી રાજા અત્યંત ભક્તિથી આચાર્ય સાથે વર્તવા લાગ્યા. Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૨. બ્રાહ્મણો સાથે વાદવિવાદ કુમારપાળ રાજાને જૈન ધર્મ પાળતો જોઈ બ્રાહ્મણોને દ્વેષ થાય તે સ્વાભાવિક જ છે, તેથી તેમણે પોતાના મંત્ર તંત્રવાદી એવા દેવબોધિ નામના શંકર આચાર્યને બોલાવ્યાં. દેવબોધ એ શંકરાચાર્યના મઠનો આચાર્ય હતો એમ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં સાઝેર મણિલાલ નભુભાઈ લખે છે. આ આચાર્યે મંત્ર, તંત્ર, ગારુડી વિદ્યા, ઈંદ્રજાળ આદી અનેક ખેલ કરી વાદવિવાદ કર્યો, અને રાજાને ઈંદ્રજાળથી એવું દેખાડ્યું કે જેથી રાજાના ઘરડાં પૂર્વજો આવીને કહેવા લાગ્ય કે ‘તું જૈન ધર્મ પાળીશ તો નરકે જશે.’ ત્યારે આચાર્યે તેવીજ ઇંદ્રજાળ કરી બતાવ્યું કે તેઓ કહેછે કે ‘તું સ્વર્ગે જશે’અને તે ઉપરાંત પ્રતિકાર તરીકે સામી બધી વિદ્યા વાપરી જણાવી. આથી તે આચાર્ય નિરૂત્તર થયો અને ચાલ્યો ગયો. ૧૩. આચાર્યના અન્ય મહાત્કાર્યો ૨૮ આચાર્યના કહેવાથી કુમારપાળ રાજાએ માળવાના રાજા અર્ણોરાજને પણ પોતાનો મિત્ર કરી તેને પ્રતિબોધીને જૈન ધર્મી કર્યો; બાહડ મંત્રીએ (ઉદયન મંત્રીના પુત્રે) સંવત ૧૨૧૪માં શત્રુંજ્યતીર્થનો ઉદ્ધાર કર્યો; તથા હેમચંદ્રજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. વળી તે મંત્રીના ભાઈ અંબડે ભરૂચમાં શમળિકાવિહાર નામના જિનમંદિરનો જીર્ણોદ્ધાર સંવત ૧૨૨૦માં કર્યો, તથા તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામિજીની પ્રતિમાની હેમચંદ્રજીએ પ્રતિષ્ઠા કરી. કુમારપાળ રાજાએ સૂરિમહારાજના ઉપદેશથી સર્વ મળી ચૌદ હજાર નવા જિનમંદિરો બંધાવ્યાં, તથા સોળ હજાર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તારંગાજી પર ઘણુંજ ઉચું વિસ્તારવાળું જૈનમંદિર બંધાવી તેમાં શ્રી અજિતનાથજીની મૂર્તિની સ્થાપન કરી; તથા હેમચંદ્રાચાર્યજીનાં ચરણોની પણ સ્થાપના કરી. ઘણા નિર્ધન શ્રાવકોને તેણે દ્રવ્ય આપી સ્વામીવાત્સલ્ય કર્યો. કુમારપાળ જૈનધર્મી થયો એટલુ જ નહિ પણ જૈનધર્મને ખરી રીતે પાળી બતાવ્યો. બારવ્રત અગીંકાર કયા, રાજ્યમાં અહિંસાનો પ્રચાર કર્યો. એક અંગ્રેજ વિદ્વાન લખે છે કે - આટલું તો તદ્દન નિઃશંસય છે કે કુમારપાળ ખરેખરી રીતે જૈન ધર્મી થઈ ગયો હતો અને આખા ગુજરાતને પણ એક નમુનેદાર જૈન રાજ્ય બનાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો.' હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જૈનધર્મમાં નિષેધ કરેલ નહિ ખાવા યોગ્ય વસ્તુઓ તથા શિકાર વિગેરે મોજશોખ કુમારપાળ રાજાએ તજી દીધાં, અને રૈયતને પણ ઇંદ્રિયનિગ્રહ રાખવા ફરજ પાડી. આખા રાજ્યમાં અમારિપડહ વગડાવ્યો એટલે કોઈ પણ જીવને મારવો નહિ એવો પડો વગડાવી સર્વ જંતુને અભયદાન આપ્યું. આથી યજ્ઞોમાં જે જીવો બલિદાન તરીકે વપરાતા, તે ન વપરાતાં બચ્ચા, અને તેથી યજ્ઞો ઓછા એટલુંજ નહિ પણ બલિદાન તરીકે જીવોને બદલે બીજી નિર્જીવ ચીજો વપરાવા લાગી. લોકો મદ્યપાન અને માંસાહારનો ત્યાગ કરનારા થયા, અને પાલીદેશ-૨જપુતાના દેશમાં પણ તે નિયમ પ્રચલિત થયો, મૃગયાશિકાર આજ્ઞાપત્રથી બંધ કરવામાં આવ્યો તેથી કાઠીયાવાડ (સૌરાષ્ટ)ના શિકારી તથા કોળીભીલ જે હતા તેઓને પણ આ આજ્ઞાપત્રથી શિકાર બંધ કરવો પડ્યો. ખાટકી કસાઈનો ધંધો ભાગી પડ્યો (કે જેનું વર્ણન દ્વાશ્રય કાવ્યમાં આપવામાં આવ્યું છે) ને તેના બદલામાં તેને ત્રણ વરસની પેદાશ જેટલી રકમ તેઓને એકંદ આપવામાં આવી. રાજા ચુસ્ત જૈનધર્મી બની અનર્ગલ દ્રવ્ય જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ. સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં ખર્યું અને હમેશાં દેવપૂજા, આવશ્યક આદિ ક્રિયા કરતો. તે રાજાને હંમેશાં. સ્વાધ્યાય કરવા માટે હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્ર એ નામનું પુસ્તક બનાવ્યું તે અતિ મનોહર અને સાદી શૈલિમાં જૈનધર્મનું રહસ્ય દાખવનાર, અને આત્માને ઉંચ્ચ પરિણતિપર લાવનાર ગ્રંથ છે કે જે આ સાથે સામેલ છે એટલે વિશેષ લખવાની જરૂર પણ નથી. બીજું લુતા નામનો રોગ કુમારપાળની રાજગાદીપર વંશપરંપરાથી ઉતરી આવેલ હતો તે સૂરિશ્રીએ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય ૨૯ * મંત્રના પ્રભાવથી દૂર કર્યો, તેમજ બ્રાહ્મણ ધર્મના દેવબોધિ આચાર્ય સાથે વાદવિવાદ થતાં આજે શું, તિથિ છે એમ પૂછતાં તે વખતે અમાવાસ્ય હતી છતાં પ્રમાદથી પૂર્ણિમાં એમ આચાર્યશ્રીથી કહી જવાયું, એટલે બ્રાહ્મણોએ મસ્કરી કરી. આ મશ્કરી ટાળવા માટે મંત્રના પ્રભાવથી તે રાત્રે પૂર્ણિમાના ચંદ્રની જ્યોતિ બાર ગાઉ સુધી પ્રગટ કરી. ૧૪. કાલધર્મ - દેહોત્સર્ગ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીનો દેહોત્સર્ગ કઈ રીતે થયો તેને માટે જુદી જુદી દંતકથા ચાલે છે. સાક્ષર મણિલાલ નભુભાઈ પોતાના દ્વાશ્રયના ગુજરાતી ભાષાંતરમાં લખે છે કે ‘શંકરાચાર્યે ઝેર દેવરાવી મારી નાંખ્યા, તો કોઈ પાયવગર કહે છે કે શંકરાચાર્યને ને એમને વાદ થયેલો તેમાં શંકરાચાર્યે કુમારપાળના મહેલને છેલ્લે માળથી માયાવી પ્રલય દેખાડી માયાવી હોડી તેમને બતાવી, તેમાં પોતે બેસવા ગયા એટલે નીચે પડી છુંદાઈ મુઆ. પણ એ વાતો પર કશો આધાર પણ રાખી શકાય નહિ.” આ વાતમાં બીલકુલ વજુદ ઉક્ત ભાષાંતરકારે સ્વીકાર્યું નથી પણ તે સાથે તેવી દંતકથા ઉપજાવનાર બીજા કોઈ નહિ પણ બ્રાહ્મણો હોવાથી તે દ્વેષનું જ પરિણામ ભાસે છે. શ્રી જિનહર્ષસૂરિ પોતાના કુમારપાળ રાસમાં નીચે પ્રમાણે કહે છે : કુમારપાળ રાજાને અજયપાળ નામનો એક ભત્રિજો હતો. તેણે જાણ્યું કે કુમારપાળને પુત્ર નથી તો તે રાજગાદી પોતાની પુત્રીના પુત્ર પ્રતાપમલ્લને આપશે, તો જો હું કુમારપાળને મારી નાંખું તો મને રાજગાદી મળે, એવો વિચાર તે હંમેશા રાખ્યા કરતો હતો. બીજી બાજુએ હેમચંદ્રાચાર્યને બાલચંદ્ર નામનો શિષ્ય હતો, તેને અને અજયપાળને બહુ સારી મિત્રાચારી હતી, તેથી તે એમ વિચારતો હતો કે જો અજયપાળને ગાદી મળે તો તેના તરફથી જેમ કુમારપાળ તરફથી હેમચંદ્રાચાર્ય પૂજાય છે તેમ હું પૂજાઉં અને માનસન્માન પામું. એવામાં કુમારપાળે હેમચંદ્રજીને વિનતિ કરી કે ‘હે ભગવાન્ ! આજદિન સુધી મેં યથાશક્તિ પુણ્યકાર્યો કર્યાં, પરંતુ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરવાની મને ઘણી હોંશ છે ! ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે બહુ સારું. પછીએ રાજાએ સુવર્ણ આદિ ધાતુઓની પ્રતિમાઓ બનાવીને અંજનશલાકા માટે તૈયારી કરી, તથા તે માટેનો મહોત્સવ શરૂ કર્યો. દૈવયોગે મુહૂર્તના સમયની ખબર રાખવાનું કાર્ય સૂરિશ્રીએ બાલચંદ્રને સોપ્યું, તે વખતે અજયપાળ પણ ત્યાં આવી ચડ્યો. તેને બાલચંદ્રે કહ્યું કે જો આ સમયે હું મુર્હુતના વખતમાં ફેરફાર કરી નાખું તો હેમચંદ્રજીનું તથા રાજાનું એમ બંનેનું થોડા વખતમાં મૃત્યુ થશે. આ સાંભળી દુષ્ટ અજયપાળે પણ તેમ કરવાનું બાલચંદ્રને સમજાવ્યું, અને કહ્યું કે, જો મને રાજ્ય મળશે તો હું પણ તમોને આ હેમચંદ્રજીની પેઠે ઉંચે દરજ્જે ચડાવીશ અને પૂર્ણ સન્માન આદર આપીશ. પછી તે દુષ્ટ શિષ્યે તે મુહૂર્તના સમયમાં ફેરફાર કરી નાખ્યો; જુઓ ! કીર્તિલોભ માટે મનુષ્યો શું નથી કરતા ? આ વાતની હેમચંદ્રાચાર્યને આખરે અબર પડી ત્યારે કુમારપાળને કહ્યું કે ‘આ બાલચંદ્ર કુશિષ્ય નિવડ્યો છે, અને તે અજયપાળને અંદરખાને મળી ગયો છે, તેથી તેણે મુહૂતમાં ફેરફાર કરી અનર્થ કર્યો છે, તો હવે આપણા બન્નેનું મૃત્યુ નજીક છે, એવામાં ત્યાં એક યોગી આવી ચડ્યો; તેણે હેમ ચંદ્રજીના મસ્તકમાં મણિ જોયો, તેથી તે લેવાની તેણે તદબીર રચવા માંડી. એક દિવસે હેમચંદ્રજી મહારાજનો કોઈક શિષ્ય આહાર લેઈને આવતો હતો, તે આહારની ઝોળીમાં તે યોગીએ હાથ ચાલાકી વાપરી ઝેર નાખી દીધું; તથા તે શિષ્ય સાથે તે કેટલીક મીઠી વાતો કરીને ચાલ્યો ગયો. તે મુગ્ધ મુનિને તે બાબતની ખબર ન રહેવાથી તે આહાર તેમણે હેમચંદ્રજીને ભોજન માટે આપ્યો; હેમચંદ્રાર્યે ભોજન કર્યું ત્યાર પછી તેમનું શરીર કંપવા લાગ્યું, ત્યારે તુરતજ તેમણે તે શિષ્યને બોલાવી પૂછ્યાથી માર્ગમાં મળેલા તે યોગીની હકીકત માલુમ થઈ; જેથી સૂરિશ્રીએ વિચાર્યું કે જેમ ભાવી બનનાર હતું તે બન્યું છે. પછી તેમણે પોતાના શિષ્યોને બોલાવી કહ્યું ‘જ્યાં મારી ચિતા સળગાવો, ત્યાં મારા મસ્તક નીચે એક દૂધથી ભરેલું પાત્ર રાખજો, જેથી મારા મસ્તકમ રહેલું મણિ તેમાં પડશે, તે મણિને તમો સાચવીને રાખજો, અને કોઈ પણ રીતે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તે મણિને તે યોગીના હાથમાં જવા દેશો નહિ.” આમ કહી અનશન કરી હેમચંદ્રસૂરિ મહારાજ ચોરશી વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં સ્વર્ગે પધાર્યા, ત્યાર પછી કુમારપાળ રાજાનું મરણ પણ અજયપાળે આપેલા ઝેરથી વિક્રમ સંવત ૧૨૩૦માં થયું. ૧૫. જૈનમાં સમકાલિન પ્રખર વિદ્વાનો - આ વખતે તપાગચ્છની ૪૦મી પાટે શ્રીમદ્ હરિભદ્રસૂરિએ કૃત અનેક પુસ્તકો પર સમર્થ અને વિદ્વત્તાપૂર્ણ ટીકા લખનાર તાર્કિક શિરોમણિ શ્રી મુનિચંદ્રસૂરિ હતા. તેમનો જન્મ સંવત ૧૧૩૪માં પણ દીક્ષા હેમચંદ્રસૂરિએ લીધેલી દીક્ષા પછી બે વર્ષે એટલે સં. ૧૧૫૨માં, સૂરિપદ સ. ૧૧૭૪માં, અને સ્વર્ગગમન ૧૨૨૦માં થયું હતું. આ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્યો શ્રી અજિતદેવસૂરિ તથા દેવસૂરિ પણ મહા વિદ્વાન પંડિતો હતા. તેમણે અણહિલ્લપુર પાટણમાં શ્રી સિદ્ધરાજ જયસિંહ રાજાની સભામાં અનેક વિદ્વાનો સાથે વાદ કરી ચોરાશી વાદથી સર્વ વાદિયોને પરાજય પમાડ્યા, તે પ્રસંગે દિગંબર મતના ચક્રવર્તિ શ્રી કુમુદચંદ્ર આચાર્યને પણ વાદમાં જીતી લીધા, અને દિગંબરોનો પાટણમાં પ્રવેશ બંધ કરાવ્યો. આ બીના અત્યાર સુધી પ્રસિદ્ધ છે. આ દેવસૂરિ બીજા કોઈ નહિ પણ જે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધના કરી વાદિ ઉપર જીત મેળવવાનું વરદાન મેળવ્યું હતું તે. મલયગિરિસૂરિ કે જેમણે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધી વૃત્તિકારનું મહાનું વરદાન મેળવ્યું હતું એમણે મહાનું સૂત્રો પર તથા અનેક ગ્રંથો પર વૃત્તિઓ સમર્થ અને અભૂત ન્યાયપૂર્વક રચી છે. ૧૬. શિષ્ય પરંપરા ઉપર કહી ગયા તે પ્રમાણે સૂરીશ્વરજીને રામચંદ્ર તથા બાલચંદ્ર શિષ્ય હતા, તેમાં રામચંદ્રસૂરિ હતા, તે ગુરુને પાટે બેઠા હતા.સુભાષિત કોશ, કુમાર વિહાર આદિ અનેક ગ્રંથોના પ્રણેતા છે. બીજા અનેક શિષ્યો તેઓને હોવા જોઈએ, પણ તેમના સંબંધે કંઈ જાણવામાં નથી. ૧૭. સૂરિશ્રીની સંસ્કૃત કૃતિઓ તેમની સર્વ કૃતિઓમાંની ઉત્તમમાં ઉત્તમ અને મહાભારત કૃતિ સિદ્ધહૈમવ્યાકરણ છે, કે જે સવાલક્ષ શ્લોક પ્રમાણ પંચાંગ વ્યાકરણ છે. આના પર અનેક વિદ્વાનોએ ટીકા લખી છે, એટલું જ નહિ પરંતુ આના વિષે એવું સભ્યતાથી કહેવાય છે કે સમર્થ વ્યકરણકાર પાણિનીનું સિદ્ધાંત કૌમુદિવ્યાકરણ કે જે આના કરતાં મોટું છે તેનો અભ્યાસ કરતાં તેના જ્ઞાન કરતાં આ હૈમવ્યાકરણનું જ્ઞાન ચડે છે, અને તેની સાથે તે કરતાં વધારે સહેલાઈથી અને ઓછા વખતમાં શીખી શકાય છે. તે વ્યાકરણ સંબંધે નીચેની ઉક્તિઓ છે. किं स्तुमः शब्दपाथोधेहेमचंद्रयतेर्मतिम् । एकेनापि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥ અર્થ - શબ્દરૂપી સમુદ્રને ઉલ્લાસમાન કરનાર હેમચંદ્ર મુનિની બુદ્ધિની કેટલી સ્તુતિ કરીએ, કારણ કે તેમણે એકલાએજ શબ્દાનુશાસન રચ્યું છે. વળી તેમના વ્યાકરણનાં વખાણ કરતાં એક કવિ કહે છે કે : भ्रातः पाणिनि ! संवृणतु प्रलपितं, कातंत्रकथा-कथा मा कार्षीः कटु शाकटायन ! वचः, क्षुदेण चांद्रेण किम् । कः कण्ठाभरणादिर्भिबठकरयत्यात्मानमन्यैरपि श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्ध हेमोत्कयः ॥ અર્થ - હે ભાઈ પાણિનિ ! હવે તું તારો પ્રલાપ સંકેલી દે, કા-તંત્ર વ્યાકરણ તો કથા જેવું છે (એટલે તેનું તો શું કહેવું?) હે શાકટાયન ! તું તારાં કટુવચન કાઢીશજ નહિ, અને શુદ્ર ચાંદ વ્યાકરણથી શું સર્યું? જ્યાં સુધી શ્રી સિદ્ધહેમની ઉક્તિમાં-સિદ્ધહેમ વ્યાકરણમાં અર્થની મધુરતા સંભળાય છે. ત્યાં સુધી કંઠાભરણાદિ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય ૩૧ બીજા ગ્રંથો ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિ જડ કરે ?! આ વ્યાકરણને સિદ્ધહેમ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, હૈમવ્યાકરણ એવા નામોથી ઓળખવામાં આવે છે. આ પર અનેક વિદ્વાનોએ હજારો શ્લોક પ્રમાણવાળી ટીકાઓ લખી છે (નામ માટે જુઓ જૈન ગ્રંથાવલિ પૃ. ૨૯૯ થી ૩૦૩.) તે પરથી જણાશે કે તે કેવું અદભુત અને સારભૂત ઉમદા વ્યાકરણ હોવું જોઈએ. ૨. અનેકાર્થ નામમાળા (સશેષ) શ્લોક ૧૮૨૬. ૩. અનેકાર્થવૃત્તિ સ્વોપજ્ઞ શ્લોક ૬૦૩૦. ૪. અભિધાન ચિંતામણિ નામમાળા શ્લો ૧૫૯૧. ૫. અભિધાન ચિંતામણિ વૃત્તિ સ્વોપજ્ઞ શ્લોક ૧૦OOO. ૬. દેશી નામમાળા શ્લોક ૮૫૦. ૭. દેશી નામમાળા વૃત્તિ (રત્નાવલી) શ્લોક ૩૫૦૦. ૮. શેષનામમાળા શ્લોક ૨૨૫. ૯. નિઘંટશેષ. ૧૦. શિલોછ નામમાળા. ૧૧. વીતરાગ સ્તોત્ર શ્લોક ૪૭૪. ૧૨. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર શ્લોક ૩૪000. ૧૩. દ્વાશ્રય સંસ્કૃત શ્લોક. ૨૮૨૮. ૧૪. દ્વાશ્રય પ્રાકૃત શ્લો. ૧૫૦૦ ૧૫. નાભેયનોમિસિંઘાન મહાકાવ્ય. ૧૬. અહંન્નીતિ શ્લોક ૧૪૦૦. ૧૭. અલંકાર ચુડામણિ વૃત્તિ (કાવ્યાનુશાસન) શ્લોક ૨૮૦૦ ૧૮. અલંકાર ચૂડામણિ વૃત્તિ (વૃત્તિ વિવેક) શ્લોક ૪000 ૧૯. હૈમ વ્યાકરણ ઉણાદિવૃત્તિ શ્લોક ૩૨૫૦ ૨૦. હૈમ વ્યાકરણ લઘુવૃત્તિ. ૨૧. હૈમ ધાતુ પારાયણ શ્લોક પ૬૦૦. ૨૨. હૈમ પ્રાકૃત વ્યાકરણ આ સિદ્ધહેમ શબ્દાનુંશાસનનો આઠમો અધ્યાય છે. ૨૩. અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા-આ સ્યાદ્વાદ મંજરીનું મૂળ છે. ૨૪. અયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા. ૨૫. પ્રમાણ મિમાંસાવૃત્તિ સહિત. શ્લોક ૨૫૦૦. નોટ-૨-૧૦ શબ્દકોશના ગ્રંથો છે અને તેપર પણ અનેક વૃત્તિઓ થઈ છે. ૨૬. યોગશાસ્ત્ર શ્લોક ૧૨૦૦. ૨૭. યોગશાસ્ત્ર વૃત્તિ શ્લોક ૧૨000. ૨૮. આંતર ચૈત્યવંદનવૃત્તિ. શ્લોક ૧૦૧૧ ૨૯. કિંજવદન ચપેટિકા. ૩૦. હેમવાદાનુશાસન ટીકા સાથે. ૩૧. શબ્દાર્ણવ મહાન્યાસ અથવા તત્ત્વ પ્રકાશિકા, ૩૨. બલબલ સૂત્ર બૃહવૃત્તિ. ૩૩. લિંગાનું શાસન બૃહવૃત્તિ સાથે. Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૮. સૂરિશ્રીનાં ચરિત્ર માટે સાધનો શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું સંપૂર્ણ ચરિત્ર લખવામાં આવે તો એક મોટું દળદાર પુસ્તક થઈ પડે તેમ છે, કારણ કે તેમના સંબંધમાં જે જે જાણવા યોગ્ય છે તે ઘણા વિદ્વાન સાધુઓ ગદ્યપદ્યપરૂપે નોંધી ગયા છે. આ પુસ્તકો બધા હજુ પ્રગટ થઈ બહાર પડ્યા નથી તે માટે દિલગીરી છે. જે સાધનો છે તે નીચે પ્રમાણે - સોમપ્રભાચાર્ય કૃત હેમકુમાર ચરિત્ર. અથવા કુમારપાલ પ્રતિબોધક સંવત ૧૨૪૧ ૧. ૨. મેરુતુંયાચાર્ય કૃત પ્રબંધ ચિંતામણિ. સંવત ૧૩૬૭ ૩. ૪. ૫. ૬. ૭. ૮. શ્રી રાજશેખરસૂરિષ્કૃત ચતુર્વિંશતિ પ્રબંધ સં. ૧૪૦૫, ૯. સોમતિલકસૂરિ કૃત કુમારપાળ ચરિત્ર (આ ગ્રંથ જૈન ગ્રંથાવલીમાં જણાવેલ નથી.) ૧૦. યશપાલ મંત્રી કૃત મોહપરાજય નાટક. ૩૨ શ્રી જયસિંહસૂરિ કૃત કુમારપાલ ચરિત્ર. સંવત ૧૩૧૩. શ્રી ચારિત્રસુંદરસૂરિ કૃત કુમારપાલ ચરિત્ર. શ્રી હરિશ્ચંદ્ર (દિગં-?) કૃત કુમારપાલ ચરિત્ર (પ્રાકૃત). શ્રી જિનમંડનસૂરિ કૃત કુમારપાલ પ્રબંધ સં. ૧૪૪૧. શ્રી પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવક ચરિત્ર. સં. ૧૩૩૪ ૧૧. જિનપ્રભસૂરિ કૃત તીર્થકલ્પ. ૧૨. શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસ (ગુજરાતી) ૧૩. શ્રી જિનહર્ષસૂરિ કૃત કુમારપાળ રાસ. (ગુજરાતી) અહીં ઉ૫૨ના સર્વ ઉપલબ્ધ ન હોવાથી. સ્થળ સંકોચ હોવાથી તથા રા. મોતીચંદ ગિરધર કાપડીઆ બી. એ. એલ. બી. એ આખું જીવનચરિત્ર લખવાનું માથે લઈ તે સંબંધી ઘણું પ્રકટ કરવાનું હોઈ અહીં ફક્ત દિગ્દર્શનરૂપે શ્રી જિનહર્ષ સૂરિ કૃત કુમારપાલરાસ, અર્હન્નીતિ (ભાષાંતરકાર રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી.બી.એ.)હ્રયાશ્રય મહાકાવ્ય વિગેરેમાંથી સાર લઈ એક અઠવાડીઆના ટુંક વખતમાં જેટલું બન્યું તેટલું નિવેદન કર્યું છે. દોષ, સ્ખલન, ઇત્યાદિ સંબંધે મિચ્છામિ દુઃકકડં દઈ તે સુધારનારનો ઉપકાર થશે એમ કહી, હું વિરમું છું. પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ. વીરાત્ ૨૪૩૭ વૈશાખ સુદિ પ્રથમા. ગુરુ ચરણો પાસક. મોહનલાલ દલીચંદ દેશાઈ બી.એ.એલ.એલ.બી. કેટલાક શબ્દોમાં સુધારો વધારો કરી યોગશાસ્ત્રની ચોથી આવૃત્તિ માટે પ્રસિદ્ધ કર્તા પં. દેવવિજયજીગણી મુંબઈ. ૧૯૮૦ ફાગણ સુદ ૭-બુધવાર (ક. સ. હેમચન્દ્રસૂરિ મ. સા. અને તેઓના ગ્રંથો વિષે ઘણાં સ્થળેથી પ્રગટ થયું છે. કેટલીક વિગત આ પ્રમાણે છે.) ૧. ૨. ૩. Life of Hemchandra હેમચન્દ્રાચાર્ય-ધૂમકેતુ હેમસમીક્ષા-મધસૂદન મોદી (યોગશાસ્ત્ર પ્ર. બાલચંદ સાકરચંદ શાહ પ્રસ્તાવનામાંથી સાભાર) Page #34 -------------------------------------------------------------------------- ________________ પરમાહત કુમારપાળ મહારાજાનું જીવન વૃત્તાંત પરમ આહત મહારાજા કુમારપાળનું સંક્ષેપમાં જીવનવૃત્તાંત આ પ્રમાણે છે – સિદ્ધપુર પાસે દધિસ્થલીમાં ચૌલુક્યવંશીય ત્રિભુવનપાલ રાજાની કશ્મીરદેવી નામે ધર્મપત્નીની કુક્ષિથી વિક્રમ સંવત ૧૧૪૯માં મહારાજા કુમારપાળનો જન્મ થયો હતો. યુવાવસ્થામાં અણહિલપુરપત્તન (પાટણ)માં તેઓ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના સમાગમમાં આવ્યા હતા અને તેમના ધર્મોપદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા. વિક્રમ સંવત ૧૧૯૯ માગસર વદી ૪ રવિવારે અણહિલપુરપત્તન (પાટણ)માં તેમનો રાજ્યાભિષેક થયો હતો. પછી દિગ્વિજય કરીને તેઓ ૧૮ દેશના મહારાજા બન્યા હતા. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજના સમાગમ અને સદુપદેશથી તેઓ પરમ આહત (પરમ જૈન શ્રાવક) થયા હતા. ગુરુ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ પાસે વિક્રમ સંવત ૧૨૧૬માં તેમણે સમ્યત્વમૂલ બાર વ્રતોનો સ્વીકાર કર્યો હતો. તેમણે ગામે ગામ જિનમંદિરો બંધાવીને પૃથ્વીને જિનાયતનમંડિત કરીને, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને અનેક રીતે વિશ્વમાં અહિંસા ધર્મનો - અમારિનો પ્રચાર કરીને, પ્રજામાંથી સાતેય વ્યસનો નિર્મૂળ કરીને સ્વજીવનને અને પ્રજાને પણ ધર્મવાસિત કરી દીધી હતી. ઈતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. છેવટે તેમનો વિક્રમ સંવત ૧૨૩૦માં સ્વર્ગવાસ થયો હતો. (યોગશાસ્ત્રમાંથી, મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.) Page #35 -------------------------------------------------------------------------- ________________ સંઘએકતાસંયોજક શાસનધૌરેય પરમ પૂજ્ય આ. ભ. શ્રીકારસૂરીશ્વરજી મહારાજા જન્મ અને શૈશવ શંખેશ્વર મહાતીર્થની પશ્ચિમ દિશામાં, કચ્છના રણને અડીને આવેલ ઝીંઝુવાડા નગર. સેંકડો વર્ષ પ્રાચીન ગૌરવવંતા ઇતિહાસનું સાક્ષી બનેલ ઝીંઝુવાડા અત્યારે પણ પ્રાચીન સ્થાપત્યોથી રમણીય ગામ છે. કાળની થપાટો ખાઈને જીર્ણ થયેલ ગામ ફરતો વીંટળાયેલો પથ્થરનો કિલ્લો અને કળાપૂર્ણ પ્રતોલિકાઓથી યુક્ત સિંહદ્વાર દર્શકોને ચૌલુક્યોના ગૌરવપૂર્ણ શાસનકાળ સુધી લઈ જાય છે. તળાવના ઘાટ પાકા બાંધેલા છ. ગામથી દૂર ઝીલાદાન સરોવર, ગૌમુખીગંગા આદિ પાંચ જળસ્ત્રોતો છે, જે પંચ સરોવરના નામે ઓળખાય છે. તે સમયે જૈનોના ૭૦ ઘરો હતા અને ગામની વસ્તી સાત હજારની હતી, શાંતિનાથ દાદાનું ભવ્ય જીનાલય ઉપર નીચે ત્રણ... ત્રણ.. ગર્ભગૃહ ઉપરાંત ઉપાશ્રય, પાઠશાળા, જ્ઞાનભંડાર, આયંબિલ શાળા આદિ ધર્મસ્થાનથી સુશોભિત હતું. વિ. સં. ૧૯૭૯ના આસો સુદ તેરસના મંગળમય પ્રભાતે ગુરુદેવોના સાન્નિધ્યમાં ઉપધાન તપની નાણ મંડાઈને આરાધનાનો મંગળમય પ્રારંભ થયો. અને આવા મંગળમય દિવસે સમી સાંજે આજ ગામના રહેવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી ઈશ્વરલાલના ધર્મપત્ની કંકુબહેનની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ થયો. લોકો એ બાળકને ઉપધાનિયા એવા નામથી બોલાવવા લાગ્યા. ચીનુ એવું નામકરણ પછી કરવામાં આવ્યું. ગોરો અને હસમુખો ચહેરો લોકોને ન બોલાવવો હોય તો પણ પરાણે બોલાવવો ગમે તેવો એ લાગતો હતો. જ્યારે પહેલી વખત ભવતારક શાંતિનાથ દાદાના દર્શન કરાવી પૂજ્યપાદ ગુરુદેવ પાસે લઈ જવાયો ત્યાર તેઓએ પણ ઉપધાનિયાને મસ્તકે વાસક્ષેપ ઠવી પરંપરાગત ‘નિત્યારગ પારગા હોહ !' નો મંગળ આશીર્વાદ ઉચ્ચારવાપૂર્વક કહ્યું. ઉપધાનની નાણના દિવસે અવતરનાર આ બાળક દીક્ષાની નાણ મંડાવશે. ચીનુ મોટો થતો જાય છે. શાળાના અને પાઠશાળાના અભ્યાસમાં એ મોખરે રહેતો હતો. એક વખતની વાત. ચીનુનું વય તે વખતે સાડા સાતનું, ભાઈબંધો સાથે તળાવે નહાવા ગયા. ભાઈ સાહેબ કિનારે બેઠા છે. તરતા આવડે નહીં પણ હજારોને ભવિષ્યમાં તારનાર આ માણસ કિનારે આખરે ચુપ્પ થઈ બેસી કેમ શકે ? પગથિયે પગથિયે થોડુંક ઉતરવા વિચાર્યું, ઉતરવા જતા પગ લપસી ગયો. સામે અગાધ જળરાશિ અને તરવાનો કક્કો આવડે નહીં. એ ક્ષણોમાં આ ભવવૈરાગી આત્મા શું વિચારતો હશે ? પાછળથી તેમણે કહ્યું હતું તેમ એ ક્ષણોમાં એક જ વિચાર ઝબકેલો કે મારે તો દીક્ષા લેવાની છે. હવે શું થશે ? ને ત્યાં જ પાણીમાં તરતા એક છોકરાનો પગ ચીનુના હાથમાં આવી જાય છે પણ પેલો છોકરોય શિખાઉ છે, એ પોતાનો પગ છોડાવવા મથે છે, ચીનુને ભાસ થાય છે કે, આમ તો કદાચ બેઉં ડૂબશું, પણ ના, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પૂ. આ. શ્રીૐકારસૂરિ જીવનચરિત્ર એ બરાબર નથી શા માટે બીજાનો જાન જોખમમાં મૂકવો ? પોતાનું જે થવાનું હોય તે થાય અને તેણે પગ છોડી દીધો, મૃત્યુની નજીકની ક્ષણોની આ વિચારધારા જન્માન્તરીય સાધના વિના કેમ ફૂરે ? પરમાત્માનું નામ લઈને હવે ચીનુકુમાર પોતાના પગને આમથી તેમ હિલોળે છે. ને આશ્ચર્ય ! પગ પગથિયે છબે છે, પગતળે પગથિયું આવતાં જ પગથિયે પગથિયે એ બહાર આવી ગયો. આ ઘટનાએ ભીતરમાં મોટી હલચલ મચાવી. કુમળા હૃદયમાં એક વાત નક્કર થઈ ગઈ કે દીક્ષા લેવા માટે જ નવું જીવન પામ્યો છું. લક્ષ્ય એકદમ સ્પષ્ટ બની ગયું. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા સાથે ઈશ્વરભાઈના સસરા મુનિ લાભવિજય અને સાળા મુનિ સંયમ વિજયજી મ.સા.એ. દીક્ષા લીધેલી. પૂ. આ.ભ. ઝીંઝુવાડા પધાર્યા. એમના સત્સંગે ઈશ્વરભાઈના હૃદયમાં વૈરાગ્યભાવ દઢ થવા માંડ્યો. નાનકડો ચીનુ કહે હું પણ પિતાજીની સાથે દીક્ષા લેવાનો. વિ. સં. ૧૯૯૦ના મહા સુદ દસમના દિવસે ઝીંઝુવાડાની પાવન ધરતી પર પિતા પુત્રની આ બેલડીએ પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં જીવન સમર્પિત કર્યું અને ત્યારથી આ પરિવારમાંથી દીક્ષાનો પ્રવાહ ચાલ્યો. પિતા ઈશ્વરલાલભાઈનું નૂતન નામ મુનિ શ્રી વિલાસ વિજયજી અને ચીનુકુમારનું નામ શ્રી ૐકાર વિજયજી પાડવામાં આવ્યું. જ્યોતિષ શાસ્ત્રોના અધ્યેતાઓને નવાઈ થઈ કે મીન રાશિમાંથી નામ મેષ રાશિમાં શી રીતે પહોંચ્યું? બન્યું એવું કે એ વખતે વ્યાકરણ, સાહિત્ય જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત પં. વર્ષાનન્દજી પૂજ્યશ્રીની સાથે હતા. પંડિતજી એ જ આ નામાભિધાન સૂચવેલું. એમનો અભિમત એ હતો કે દીક્ષા એ નવો જન્મ છે, એથી એ સમયની લગ્નકુંડળીને આધારે નવું નામ પાડવું જોઈએ. પૂજ્યશ્રીએ એ અભિમતને સ્વીકારી લીધો અને ચીનુકુમાર બન્યા મુનિ ૐકાર વિજય. દીક્ષા પછીના થોડા સમયમાં જ દાદા ગુરુદેવની આંખો ઓપરેશનમાં ફેઈલ થઈ ગઈ. શિષ્યોની ઉદ્વિગ્નતાનો પાર ન રહ્યો. એક આંખ ઝામરમાં ગઈ, બીજી મોતિયાના ઓપરેશનમાં ગઈ. છતાં પૂજ્યશ્રી પ્રસન્ન હતા. હસતાં હસતાં શિષ્યોને કહ્યું કે – ચર્મચક્ષુ ગઈ પરંતુ આંતરચક્ષુ તો ખુલી જ છે ને ! બાળમુનિશ્રી ૐકાર વિજયજી દાદા ગુરુજીની શારીરિક પીડાના કારણે ઘણા જ વ્યથિત હતા. ગુરુદેવ તેમને આશ્વાસન આપતા કહ્યું: જ્ઞાનયોગ પૂર્ણ થયો ધ્યાનયોગ શરુ થયો, આવી ઘટનાઓનો વિષાદ ન હોય. અને ખરેખર પૂજ્યશ્રીએ જપયજ્ઞ શરૂ કરી દીધો. સવારે પાંચ વાગ્યાથી શરૂ થતી જાપ રૂપી અન્તરયાત્રા સાથે સાથે બાળમુનિશ્રીની જ્ઞાનયાત્રા પણ ચાલવા લાગી. આ યાત્રા રાત્રે દસ વાગ્યા સુધી ચાલતી હતી. ઉત્તરાધ્યયન સૂત્રની પંક્તિને પોતે જીવનમાં ઉતારી ગુરૂUTIK ગંતિસિય. બાલમુનિ સતત ગુરુદેવની નજીક રહેતા. પ્રવચન ધારા દિક્ષા પછીના બીજા વર્ષે ગુરુદેવે બાળમુનિને નજીક બોલાવી કહ્યું: ૐકાર આવતીકાલે તારે પ્રવચન આપવાનું છે. હંમેશા ગુરુઆજ્ઞા તહત્તિ કરનાર બાલમુનિ વિચારમાં પડી ગયા. મારાથી વ્યાખ્યાન કઈ રીતે અપાશે, મારી પાસે જ્ઞાન કયું? અને ગુરુદેવને ના પણ કેમ કહેવાય? “સાહેબજી, હું કઈ રીતે વ્યાખ્યાન વાંચીશ ?' સાહેબે કહ્યું જેમ મારી પાસે ગૌતમપૃચ્છા વાંચે છે તેમ બસ તારે એ રીતે વ્યાખ્યાન વાંચવાનું છે, અને તે દિવસથી શરૂ થયેલ પ્રવચનધારા જે વિ. સં. ૨૦૪૪ના વૈશાખ સુદ ૧ સુધી ચાલુ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ રહી. લગભગ આ પ્રવચનધારા અડધી સદી સુધી ચાલી. તીવ્ર ક્ષયોપશમ બાળ મુનિરાજ માટે બિહારથી પંડિત બોલાવ્યા. અભ્યાસ અને અધ્યાપન શરૂ થયું. બાળમુનિનો ક્ષયોપશમ-ગ્રાસ્પિંગ પાવર એટલો તીવ્ર કે છ માસનો કોર્સ અઢી માસમાં પૂર્ણ કર્યો, અને વિહાર હોવાથી પંડિતજીને બોલાવ્યા સાહેબજીએ પૂછ્યું, પંડિતની ! બાપા વિદ્યાર્થી પૈસા હૈ ? ત્યારે સંઘના અગ્રણીઓ હાજર હતા. પંડિતજીએ કહ્યું મહારાજ જે વાત મુનિ તીવ્ર મેઘાવી છે. વિશ્વના हमे गेरलाभ हुआ है । छ मास का कोर्स ढाई मास में पूरा कर दिया । इसलिए हमे ढाई मास की દિ તારા મિત્રે ! આ વાર્તાલાપ સાંભળી સંઘવાળાએ છ માસનો પગાર આપી પ્રસન્ન કર્યા. અધ્યયન નિષ્ઠા પંડિતવર્ય વર્ષાનંદજી અને છોટાલાલજી સંસ્કૃત ભાષાના વિદ્વાન પંડિતો પૂજ્યશ્રીને ભણાવે. એક વખત પોતે એકલા ભણનાર. પાંચથી છ કલાક પાઠ-લે-આપે. આ જોઈ બંને પંડિતો ખુશ થઈ ગયા. રાત્રે પણ દસે કાળના દસગણના રૂપોનો સ્વાધ્યાય આદિ કરતા, દિવસે નવો પાઠ લેવો અને રાત્રે પુનરાવર્તન કરવું. આ રીતે અભ્યાસ કરતા કરતા શાસ્ત્રના પારગામી થયા. ગુરૂ વિરહ પૂ. વિલાસ વિજય મહારાજે છ વર્ષ સંયમ જીવનને પાળ્યું. જીવનમાં ઘણી તપશ્ચર્યા કરી. સુદીર્થ એવા ૩૧-૪પ-૬૦-૭૦ જેવા ઉપવાસો કરી ૧૯૯૬ના આસો સુદ ૭ના સમી મુકામે મહાપ્રયાણ કર્યું. બાળમુનિશ્રી ૐકાર વિજયજી પૂ. દાદા ગુરુની છત્રછાયામાં રહી અધ્યયન આદિમાં આગળ વધ્યા. અજોડ પ્રભાવકતા પૂજ્યશ્રીનું તીવ્ર મેધાવી વ્યક્તિત્વ, અત્યંત પ્રભાવશાળી વસ્તૃત્વ, અત્યંત ધારદાર મુદાસર પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રવચન આપતા હતા. તે સમયે જૂનાડીસાના મુમુક્ષુ સેવંતીભાઈ પૂજ્યશ્રીની પાસે અભ્યાસ કરતા હતા. તેઓ પૂજ્યશ્રીના શિષ્ય મુનિ જયાનંદ વિજય તરીકે પ્રસિદ્ધ થયા અને દાદા ગુરૂદેવને યોગ્યતા દેખાતા મુનિ ૐકાર વિજયજીને ૨૦૦૫માં યોગોદ્ધહન કરાવવા પૂર્વક રાધનપુરમાં ૨૦૦૬ના માગસર સુદ ૫ ના ગણી અને ૬ના દિવસે પંન્યાસ પદે વિભૂષિત કર્યા. મહેસાણામાં ૨૦૦૯નું ચાતુર્માસ કરી ૨૦૧૦માં ઉપધાન તપની આરાધના કરાવી. અને ત્યાં જ ૨૦૧૦ના મહા સુદ ૧ના ઉપધાન તપના માળારોપણ પ્રસંગે ૧૦ હજારની જનમેદની વચ્ચે પૂજ્યશ્રીને પંચપરમેષ્ઠિના તૃતીય પદે આરૂઢ કરાયા. - ગુરુકૃપા અને વિદ્વત્તાના કારણે પૂજ્યશ્રીની પ્રભાવકતા ખીલી ઉઠી, લોકો પણ પોતાના મહોત્સવ સંઘના અનુષ્ઠાનો પૂજ્યશ્રી પાસે જ કરાવવા તેવી ઈચ્છા દર્શાવતા હતા. છરિપાલક સંઘ, પ્રતિષ્ઠા, અંજન શલાકા આદિ અનેક અનુષ્ઠાનો પૂજ્યશ્રીની નિશ્રામાં સંપન્ન થયા. વાવ પથક વિ. સં. ૨૦૨૩માં વાવસંઘ રાધનપુર પૂજ્યશ્રીને વિનંતી માટે આવેલ. શાસન પ્રભાવનાનું વિશિષ્ટ કારણ જાણી આ. ભ. શ્રી વાવ પધાર્યા. તે સમયે આચાર્ય તુલસીનું પણ વાવમાં આગમન થયેલું અને બંને આચાર્યનું મિલન પાઠશાળાના હોલમાં યોજાયેલ અને જીનશાસનને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરેલ. પછી વાવ સંધે ચાર્તુમાસ માટે વિનંતી કરી. જુનાડીસા સંઘને રજા આપેલ. પરંતુ વાવ સંઘનો Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રીકારસૂરિ જીવનચરિત્ર ૩૭ આગ્રહ જોઈ ચોમાસું વાવ કર્યું. અને ચાર્તુમાસ દરમિયાન અનેક ખાતા જોયા અને દરેકના બાકી નીકળતા પૈસા ભરવાનું સૂચન કર્યું. અને સંઘને દેવામાંથી મુક્ત કર્યો. ચાતુર્માસ પછી વાવપથકના ગામડામાં રેતાળ પ્રદેશમાં વિચર્યા. માડકા, તીર્થગામ, બેણપ, વાસરડા, સુઈગામ, મોરવાડા ગરાંબડી, ભરડવા, અસારા જેલાણા આદિ અનેક ગામમાં વિહારયાત્રા દ્વારા ધર્મનો પ્રચાર કર્યો. અને લોકોના ઉત્સાહને વધાર્યો. જૈનજૈનેતર વગેરેએ નિયમો લીધા. પાંજરાપોળમાં સુંદર દાન આપ્યું. જે જે ગામમાં જૈનોની વસ્તી હતી ત્યાં ત્યાં પૂજ્યશ્રીની પ્રેરણાથી જીનાલયો બન્યા. વિ. સં. ૨૦૨૭ પછી માડકા, ભરડવા, વાવ, તીર્થગામ આદિ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા કરાવવી ૨૦૩૦માં ગોડીજીની પ્રતિષ્ઠા સાથે સાથે પૂ. આ. ભદ્રસૂરિ મ.સા.ના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ૧૦૮ છોડનું ઉજમણું કરવાપૂર્વક શાનદાર પ્રતિષ્ઠા મહોત્સવ થયો. ૨૦૪૧માં અજીતનાથ દાદાનું ઉત્થાપન થયું. નૂતન જીનાલયની શરૂઆત કરાવી અને પૂજ્યશ્રીના વરદ્હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાની જે સંઘની ભાવના હતી તે પૂર્ણ ન થઈ. જૂનાડીસામાં આદીશ્વર ભગવાનના જિનાલયનું શીલા સ્થાપન થયું, પરંતુ પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે ન થઈ શકી. તે પણ એક ભક્ત વર્ગનું સ્વપ્ન અધૂરું રહ્યું. ગુરુવિરહ જુનાડીસા નગર વિ. સં. ૨૦૩૩ના જેઠ મહિનામાં પાંથાવાડા મહોત્સવના છેલ્લા દિવસે પૂજ્યશ્રી દેરાસરમાં સિદ્ધચક્ર પૂજનમાં હતા અને સમાચાર આવ્યા. દાદા ગુરુદેવ બીમાર છે. સાંજે જ વિહાર કર્યો અને સવારે રસ્તામાં સમાચાર મળ્યા કે ગુરુદેવ ચાલ્યા ગયા. આથી વિરહની પ્રબળ વેદના થઈ. ભગવાન મહાવીર માટે ગૌતમ સ્વામીની જેમ. ગુરુ શિષ્યનું અંતિમ મિલન ન થઈ શક્યું. પોતાના ભવોદધિ તારક ગુરુદેવના અસીમ ઉપકારને તેઓ સતત યાદ કરતા. ભીલડીયાજી તીર્થમાં નૂતન ધર્મશાળા માટે પ્રેરણા કરી અને ગુરુભક્તોએ “વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “પાર્થ ભક્તિનગર” સંકુલ આકાર કર્યું. માડકા, જૂનાડીસા અને રાધનપુરમાં પૂ.આ. ભ. શ્રી ભદ્રસૂરિ મ.સા.ના ગુરુમંદિરો પૂજ્યશ્રીની પ્રેરણાથી બન્યા. પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ રાધનપુરમાં પણ પૂજ્યશ્રીની સ્મૃતિ જળવાય તેવી પ્રેરણા આપી. વર્ષો પછી આજે પૂ. આ. ભ. અરવિંદ સૂરિ મ.સા. પૂ.આ. ભ. યશોવિજયસૂરિ મ.સા., પૂ. આ. ભ. મુનિચંદ્રસૂરિ મ.સા. આદિના માર્ગદર્શનથી વિજયભદ્ર સાધના સંકુલમાં જિનાલય ધર્મશાળા આદિનું નિર્માણ થઈ રહ્યું છે. ગરથ ગાંઠે વિદ્યાપાડે પૂજ્યશ્રી ઘણીવાર પોતાને અધ્યાપન કરાવનાર પંડિતોની વિદ્વત્તાની વાત કરતા. પંડિત છોટાલાલ પાણિની વ્યાકરણના અનુલોમ અને પ્રતિલોમ કડકડાટ બોલી જતા. અનુલોમ એટલે પહેલથી શરૂ કરીને છેલ્લે સુધી અને પ્રતિલોમ એટલે છેલ્લા સૂત્રોથી ઉંધા ક્રમમાં. આવા અધ્યાપકો પાસે સિદ્ધહેમ વ્યાકરણ ભણેલા પૂજ્યશ્રીની સ્મરણ શક્તિ અપ્રતીમ હતી. પૂજ્યશ્રીના અંતેવાસી વિદ્વદ્વર્ય શ્રી મુનિચંદ્ર વિજયજી મહારાજે તેઓશ્રીની અસાધારણ સ્મૃતિની વાત કહેલી. એ મને યાદ છે વર્તમાનાચાર્ય શાસ્ત્ર સંશોધક શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજના શબ્દોમાં “વિ. સં. ૨૦૨૪ની સાલ. મારી દીક્ષાનું બીજું વર્ષ પૂજ્યશ્રી મને વ્યાકરણ ભણાવતા. “સિદ્ધહેમ વ્યાકરણ ભણ્યાને ૩૦ વર્ષનો ગાળો થઈ ગયેલો. છતાં હું આશ્ચર્ય ચક્તિ થઈને રહેતો કે બધા સૂત્રો લગભગ એમને મોઢે. શબ્દસિદ્ધિ કે Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३८ રૂપસિદ્ધિ વખતે આગળ પાછળના જે સૂત્રો લાગતા હોય તે બધા પૂજ્યશ્રી ફટાફટ બોલતા. અને હું તો આમથી તેમ ને તેમથી આમ પાના ફેરવ્યે રાખું. પણ એ પહેલાં તો પૂજ્યશ્રી ધડાધડ બધા સૂત્રો બોલી દે. ‘હું પૂછતો આપને આટલાં બધા લાંબા સમયગાળા પછી પણ આટલું બધું શી રીતે યાદ રહે છે ?' પૂજ્યશ્રી કહેતાઃ વિઘાપાઠે જ શોભે ભાઈ ! આપણે ત્યાં કહેવત છે કે ગરથ ગાંઠે વિદ્યાપાટે કપડાંને છેડે ગાંઠ મારી. પૈસા રાખવા એટલે ગરથગાંઠે વિદ્યા પાઠે. વિદ્યા કંઠસ્થ હોવી જોઈએ. જેટલા સ્તવનો અને સંજ્ઞાયો પૂજ્યશ્રીને આવડતા હતા મહિનાઓ સુધી બોલવાનો પ્રસંગ ન આવ્યો હોય તોય ગમે ત્યારે તેઓ બોલતા. ત્યારે એક પણ ભુલ ન હોય. પથ્ય આહાર પૂજ્યશ્રીનો આહાર પરિમિત. આરામ ઓછો. સતત સક્રિય, કશુંક કરતા જ હોય. રોગને દવાથી મટાડવાં કરતાં પથ્ય આહારથી મટાડવાનો એમનો આગ્રહ હતો. રોગનો મૂળગામી ઉપચાર તેઓ કરતાં. એસીડિટીની તકલીફ થઈ ત્યારથી મરચું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું. છેલ્લા ત્રીસથી વધુ વર્ષ તેમણે મરચાંવાળી બધી વસ્તુ બંધ હતી. ડાયાબિટીસની અસર જણાઈ ત્યારથી ગોળ વિગઈ મૂળથી બંધ કર દીધી. કેવો અદ્ભૂત સ્વાદ-વિજય ? ‘આંખે પાણી, દાંતે લૂણ, જમતા રાખે ખાલી ખૂણ, ડાબું પડખું દાબી સૂવે તેની નાડ વૈદ્ય શું જુવે ? જેવા આરોગ્ય શાસ્ત્રના દુહા ઘણીવાર તેઓશ્રી કહેતા. સૌથી મોટો શિક્ષક પૂજ્યશ્રી જ્યારે પોતાના અધ્યાપકો વર્ષાનન્દજી અને છોટાલાલજી આદિની અસીમ વિદ્વત્તાની વાત કહેતા ત્યારે એક જિજ્ઞાસુએ પૂછેલું. સૌથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપ કોને ગણો છો ? પૂજ્યશ્રીએ હસીને કહ્યું, સૌથી મોટો શિક્ષક છે, ગુરુદેવ. તેમની કૃપાએ જ મને વિદ્યાજગતમાં પ્રવેશ કરાવ્યો છે. ગમે તેવો અઘરો ગ્રંથ હોય. પૂજ્યશ્રી કહે કે વાંચ, એટલે હું વાંચતો અને મારા આશ્ચર્ય વચ્ચે મને ઊંચી કક્ષાનો ગ્રંથ પણ ગુરુકૃપાથી એકદમ સરળ અને સુગમ થઈ જતો. પછી હળવેકથી તેઓ ઉમરેતા. ભવસાગરને પેલ પાર લઈ જતી ગુરુકૃપા વિદ્યાસમુદ્રને પેલે પાર લઈ જાય એમાં ‘શું' આશ્ચર્ય ? અજોડ કુનેહ દૃષ્ટિ ચૌદશનો દિવસ. પક્ષી પ્રતિક્રમણ પૂર્ણ થયું. એક મુનિરાજ પૂજ્યશ્રીની પાસે આવ્યા. તેઓ અન્ય સમુદાયના હતા. તેઓએ કહ્યું. સાહેબજી આપે ‘પક્ષીસૂત્ર કહું ? નો આદેશ માગ્યો, પણ અમારે ત્ય વડીલ ગુરુજી ‘પક્ષી સૂત્ર સંભલેમિ'નો આદેશ માગે છે અને પક્ષી સૂત્ર બોલનારને ‘હું' નો આદેશ માગે છે, ‘પૂજ્યશ્રી કહે, આ સમાચારીની બાબત છે, જુદા જુદા સમુદાયોમાં આવી બાબતોમાં ભિન્ન પ્રણાલિકાઓ જોવા મળે છે, અમારે ત્યાં આ પ્રણાલિકા છે, તમારે ત્યાં તેવી હોય. વડીલોની પ્રણાલિકા પ્રમાણે આપણે વર્તવું. ઉત્તર બહુ સુંદર હતો. પણ મુનિરાજ આગળ વધ્યા. તેઓ કહે, બેઉ પ્રણાલિકાઓ ખરી. પણ એમાં અમારી પ્રણાલિકા જ તર્કસંગત કહેવાયને ? જેને બોલવું હોય તે કહું કહે, સાંભળવું હોય તે ‘સંભલેમિ' કહે, બધાના કાન સરવા થયા. પૂજ્યશ્રી શો જવાબ આપશે ? મંદ મંદ સ્મિત કરતા પૂજ્યશ્રી બોલ્યાઃ આપણે રોજ દેવસિ પ્રતિક્રમણમાં ‘સજ્ઝાય સંદિસાહુ' ? અને સજ્ઝાય કરું ? નો જે આદેશ મંગાય છે તેમાં સજ્ઝાય બોલનાર જુદો અને આદેશ માંગનાર જુદો એવા આદેશ માંગતા નથી Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રીૐકારસૂરિ જીવનચરિત્ર ૩૯ મુનિવરનું મને સંતુષ્ટ થયું. બીજાની વાતનું સમન્વય સ્વીકારવાની ઉદારદષ્ટિની સાથો સાથ પોતાની વાતને તર્ક શુદ્ધ પ્રસ્થાપિત કરવાની કુનેહ પૂજ્યશ્રીમાં હતી. વાદ નિપુણતા વિ. સં. ૨૦૧૪ની સાલ અમદાવાદમાં મુનિ સંમેલનની કાર્યવાહી ચાલતી હતી. પૂજ્યશ્રી સંમેલનમાં ઉપસ્થિત હતા. વિદ્યાશાળાએ પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબને વંદન કરવા પ્રતિદિન જતા. તે વખતે વિદ્યાશાળામાં પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા. એક વખત આચાર્યદેવો તિથિ ચર્ચાની વાતે વળગ્યા, સંમેલન તિથિ ચર્ચા અંગે જ હતું. લક્ષ્મણસૂરિ મહારાજ કહે, આમા તમે કેટલા ઊંડા ઉતર્યા ? પૂજ્યશ્રી કહે, ચાલો આપણે ચર્ચા કરીએ, તમે રામચંદ્રસૂરિ મહારાજ થાવ અને હું બનું સાગરજી મહારાજ. દલીલોને એ રીતે આપણે જોઈએ. વાત સ્વીકારાઈ અને સામસામી દલીલો ચાલી. લક્ષ્મણસૂરિ મહારાજે કહ્યું તમે ગજબની દલીલો કરો છો ? તમને જીતવા મુશ્કેલ છે. પૂજ્યશ્રી એ તરત બાજી પલટી. લ્યો ત્યારે એમ કરો. હવે આપ સાગરજી મહારાજ થાવ અને હું રામચંદ્રસૂરિ મહારાજ બનું. પાછી દલીલ બાજી ચાલી. ને એમાં પણ ધારદાર અકાઢ્ય દલીલો. લક્ષ્મણ સૂરીશ્વરજી મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. કમાલ છે તમારી શક્તિને ! આ હતી પૂજ્યશ્રીની વાદ નિપુણતા. નિર્ભિક વૃત્તિ વાવની બાજુમાં આવેલ ગામ માડકામાં બાજુ બાજુમાં બે જિનાલય. તેમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને શાંતિનાથ ભગવાન મૂળનાયક હતા. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય જીર્ણ થયેલ હતું અને પૂજ્ય શ્રી માડકા પધાર્યા. શાંતિનાથ પ્રભુનું જિનાલય જીર્ણ થયેલ જોઈ પૂજ્યપાદશ્રીએ જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. સંઘના આગેવાનો કહે, સાહેબજી જિર્ણોદ્ધારનો વિચાર તો ક્યારનોય છે, પણ મંડપમાં રંગા બાપજી બિરાજમાન છે. હવે એમનું ઉત્થાપન થાય નહીં તો મંદિર નવેસર કેમ બનાવવું? ઉત્થાપન માટે એકવાર પ્રયત્ન પણ કરેલો. સોમપુરાએ ટાંકાણું હાથમાં લીધું ને તે માંદો પડ્યો. રાત્રે તે મરી ગયો. આ પછી બાપજીને ઉત્થાપન કરવાનો કોઈએ પણ વિચાર કર્યો નથી. પ્રયત્ન કરવાવાળાને તકલીફો થાય છે. પૂજ્યશ્રી કહે છે, જીર્ણોદ્ધાર માટે તીર્થંકર પ્રભુની પ્રતિમાનું ઉત્થાપન થઈ શકે તો અન્ય દેવ-દેવીઓનું કેમ ન થાય? પૂજ્યપાદશ્રીના પ્રભાવથી જાણકાર આગેવાનોએ કહ્યું, સાહેબજી આપને ઉચિત લાગે તેમ કરો. પૂજ્યશ્રીએ કહ્યું આપણે મંત્રોચ્ચાર કરી વિધિપૂર્વક ઉત્થાપન કરવું એટલે વ્યવસ્થિત કામ થઈ જશે. નિશ્ચિત કરેલો દિવસ આવી ગયો. ઝીઝુવાડાનાં બે મુમુક્ષઓ રાજેન્દ્ર (હાલ પં. રાજેશ વિ. મ. સા.) અને ભરત (હાલ પં. ભાગ્યેશ વિ. મ. સા.) પૂજ્યશ્રીની સાથે હતાં. આ મુમુક્ષુઓ સાથે પૂજ્યશ્રી દહેરાસરમાં પધાર્યા. મુમુક્ષઓના હાથે ઉત્થાપન કરાવી રંગા બાપજીને મંદિરના ચોકમાં આરસની દેરીમાં પધરાવી દીધા. પછી જિનાલયનું કાર્ય શરૂ થયું અને પરમતારક શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ પૂર્વક થઈ ધારણા શક્તિ વિ. સં. ૨૦૧૪ની સાલ અમદાવાદમાં મુનિ સંમેલનની કાર્યવાહી ચાલતી હતી. મુખ્ય આચાર્ય ભગવંતો પધારી ચૂક્યા હતા. અમદાવાદનો જ નહીં આખા ભારતનો જૈન સમાજ આ સંમેલન સામે મીટ Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ માંડી બેઠો હતો. પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબ (પૂ. સંઘસ્થવિર આ.ભ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ) વયોવૃદ્ધવયના કારણે સંમેલનના સ્થળે પધારી શકતા ન હતા, પૂજ્યશ્રી રોજના સંમેલનનો અહેવાલ વિગતવાર પૂજ્ય બાપજી મહારાજ સાહેબને સંભળાવતા. પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબ પણ પૂજ્યશ્રીના કહેવાની પદ્ધતિથી બહુ પ્રસન્ન થઈ ગયેલા. એક બે વખત પૂજ્યશ્રી મોડા પડેલા અને બીજા મુનિરાજને થયું કે હું વાત કરું પણ બાપજી મહારાજ સાહેબે ના પાડી દીધી. હમણાં 3ૐકાર આવશે અને તે વિગતે બધી વાત કરશે. તમે બધા અધૂરી અધૂરી વાત કરો છો. “ખરેખર ! પૂજ્યશ્રીની ધારણા શક્તિ અજોડ હતી. જે ક્રમમાં સંમેલનમાં ચર્ચા ચાલતી હતી તે જ ક્રમમાં પૂજ્યશ્રી બાપજી મહારાજને સંભળાવતા હતા, કેવી અદ્ભુત શક્તિ ? ભીલડીયાજી તીર્થનો પુનરુદ્ધાર તીર્થાધિપતિ ભીલડીયાજી પાર્શ્વનાથજી ભગવાનનું જિનાલય જીર્ણ-શીર્ણ હાલતમાં હતું અને તીર્થધિપતિ શ્રી ભારવટની નીચે બિરાજમાન હતા. દાદા ગુરુદેવશ્રીએ સંકલ્પ કર્યો તીર્થના પુનુરુદ્ધારનો અને તીર્થાધિપતિને મૂળનાયકના સ્થાને બિરાજિત કરવાનો. ભીલડીયાજી તીર્થના વ્યવસ્થાપકશ્રી જૂનાડીસા સંઘ અને તીર્થ કમિટીએ પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી. નવા દહેરાસરની વાત નક્કી થઈ. પ્રશ્ન આવ્યો ભગવાનના ઉત્થાપનનો. લોકો જાત-જાતની ચર્ચા કરવા લાગ્યા. કોઈ કહેઃ પહેલા અમુક સંઘવાળા ભાઈઓ ભગવાનને લેવા આવેલા અને ત્યારે ભમરા છુટેલા. કોઈ કહેઃ બીજા એક આવા પ્રસંગે નાગ-નાગણીનું જોડકું નીકળેલું. પછી તેઓ ભવિષ્યવાણી કરતા. આ વખતે પણ આવું કંઈક થશે. પૂજયશ્રીની તીવ્ર મેધા આવા પ્રસંગે સરસ સમાધાન શોધી આપતી. પૂજ્યશ્રી આ બધી વાતો સાંભળ્યા પછી ટીપ્પણી કરતાં એ સમય અને આ સમય જુદો છે. ત્યારે લોકો પ્રભુને પોતાને ત્યાં લઈ જવા આવેલા જે અધિષ્ઠાયક દેવને મંજૂર ન હોય અને એ કારણે આવી ઘટનાઓ ઘટી હોય. અત્યારે આપણે પ્રભુજીને ઉત્થાપિત કરી બીજે ક્યાંય નથી લઈ જવાના. અહી જ નવીન જિનાલયમાં પરમાત્માને આપણે બિરાજમાન કરવાના છે. પછી તો એવો ભાવોલ્લાસ ઉમટ્યો કે પ્રભુની એ ચલપ્રતિષ્ઠાના ચડાવા બોલાયેલા. ભવ્ય દેવવિમાન જેવા જિનાલયમાં તીર્થાધિપતિ ભીલડીયાજી દાદાની પ્રતિષ્ઠા વિ. માં ૨૦૨૭ જેઠ સુદ ૮ના દાદા ગુરુદેવ આચાર્ય ભગવંત ભદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજની પ્રભાવક નિશ્રામાં ખૂબ જ ઉત્સાહભેર થયેલી. બાળમુનિ 3ૐકાર વિજય મહારાજે વિ. સં. ૧૯૯૪ની સાલમાં ઝીંઝુવાડાના ચાતુર્માસમાં કલ્પસૂત્ર સુબોધિકા વાંચેલ. તેમની વાંચન - છટા અને અર્થ કરવાની નિપુણતા જોઈ શ્રોતાઓ આશ્ચર્ય વિભોર બની ગયેલા. એ ચોમાસું ઉતર્યે વિહારમાં પાટણમાં વિહર્ય પં. શ્રી કાન્તિવિજય મ.સા. મળેલા. વાતવાતમાં પંન્યાસજી મહારાજે પૂછયું, તમે કલ્પસૂત્ર ખિમશાહી જ વાંચેલુ ને? પૂજ્યશ્રી તે વખતે ચૌદ વર્ષની વયના બાળમુનિ કહે ના-ના મેં તો સુબોધિકા વૃત્તિ વાંચેલી. “અરે પણ તમને એ કેવી રીતે ફાવે ?' કેમ ન ફાવે ?' “સામો પ્રશ્ન ને લાગતું જ આમંત્રણ' કલ્પસૂત્ર સુબોધિકાનો અઘરામાં અઘરો ભાગ આપો અને જુઓ કેવું કડકડાટ વાંચુ છું. ભંડારમાંથી પ્રત મંગાવવામાં આવી. પંન્યાસજીએ સ્વપ્નવર્ણનનો સમાસપ્રચૂર ભાગ આપ્યો. આ બાજુ પ્રતનું એ પૃષ્ઠ હાથમાં આવતાં જ જાહનવીના પ્રવાહની પેઠે સૂત્રનો અને ટીકા પાઠનો અખ્ખલિત ઉચ્ચાર શરૂ થયો. એ સાથે જે મીઠી ગુજરાતીમાં અનુવાદ, પંન્યાસજી મહારાજ પ્રજ્ઞાનો આ ઉન્મેષ જોઈ પ્રસન્ન થઈ ગયા. Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રીકારસૂરિ જીવનચરિત્ર મધ્યાહ્ને સૂર્યાસ્ત વિ. સં. ૨૦૪૪ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે અમદાવાદ શહેરમાં શ્રમણ સંમેલનનો પ્રારંભ થયો. ઘણી રીતે આ સંમેલન અપૂર્વ હતું. અરસપરસના ભેદ ભાવોને દૂર કરી મહાન આચાર્યો એક મંચ પર ભેગા થઈ સંઘના યોગ-ક્ષેમની તેઓએ વિચારણા કરી. પાછળથી ગુણાનુવાદ સભામાં અનેક પૂજ્યપાદ આચાર્ય ભગવંતોએ કહેલું તેમ સંઘ ઐકયનું આ મહાન કાર્ય પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિજય ૐકાર સૂરીશ્વરજી મહારાજની અદ્ભૂત કાર્ય કુશલતા વિના શક્ય નહોતું. શ્રમણ સંમેલનમાં વહેલી સવારથી મોડી રાત સુધી વ્યસ્ત રહેતા હોવા છતાં વહેલી સવારે પૂજ્યશ્રી હંમેશા પ્રસન્ન વદન સ્વસ્થ લાગતા. જરાય થાક નહીં. વૈશાખ સુદ ૧ના દિવસે તો હજારો ભાવુકોની વચ્ચે સવા કલાક સુધી ઐતિહાસિક શ્રમણ સંમેલન સર્વાનુમતે પસાર કરેલ. બાવીસ ઠરાવોની પૃષ્ઠભૂ વિગતે સમજાવી. વૈશાખ સુદ ૨ની બપોરે અઢી વાગે થોડી અસ્વસ્થતા આવી ગઈ. વૈ. સુ. ૩ની સવારે દશ વાગ્યે ફરી અસ્વસ્થતા જણાતા પૂજ્યશ્રીને હોસ્પિટલમાં દાખલ કરાયાં. પાંચમની સવારે જરા સારું લાગ્યું. ડોક્ટરોએ કહ્યું કે, થોડો સુધારો થઈ રહ્યો છે. પૂજ્યશ્રીની અસ્વસ્થતાના સમાચાર સાંભળી દૂર દૂરથી આવેલા ભક્તો પૂજ્યશ્રીના સ્વાસ્થ્યમાં થઈ રહેલ સુધારા જોઈ પ્રસન્ન અને આશ્વસ્ત બન્યા. પણ એ વખતે ક્યાં ખ્યાલ હતો કે આશા ક્ષણિક હતી. ૪૧ વૈશાખ સુદ પાંચમની સવારે આચાર્ય ભગવંતો સુખશાતા પૂછવા આવ્યા ત્યારે નવવાગ્યે પૂજ્યશ્રી નવકારવાળી ગણતા હતા. સાંજે થોડાક આરામમાં હોવાથી પ્રતિક્રમણ થોડું મોડું શરૂ કરાવ્યું. પૂજ્યશ્રી સ્વસ્થતાથી પ્રતિક્રમણ કરતા હતા. અબ્બુદ્ઘિઓ ખામ્યો. આયરિય ઉવજ્ઝાય સૂત્ર દ્વારા ક્ષમાપના કરી અને બે લોગસ્સનો કાઉસગ્ગ પૂજ્યશ્રીએ શરૂ કર્યો. કાઉસ્સગ્ગધ્યાનમાં જ પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. વૈ. સુ. ૫ ગુરુવાર ૨૧-૪-૮૮ની રાત્રે ૯-૨૦ મિનિટે થયેલ તેઓ શ્રીમદ્ની ચિરવિદાયથી કદી ન પૂરી શકાય તેવી ખોટ સકળ સંઘને પડી છે. ગુરુદેવ ચાલ્યા ગયા... પાટ પર બેસી વાત્સલ્ય ધારાથી સહુને ભીંજવી દેતા ગુરુદેવના દર્શન હવે નહીં થઈ શકે, અંતસ્તલમાં જોડાયેલી એમની પાવન મૂર્તિના જ દર્શન હવે થઈ શકશે અને થશે તો ફોટાઓ ચિત્રોમાં જ તેઓશ્રીનું દર્શન. પંકજ સોસાયટીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ્યાં શ્રમણ સંમેલનના ૧૮ દિવસ પૂજ્યશ્રીની ડોળી પડી રહેતી. જે ઠેકાણેથી ડોળીમાંથી નીચે ઉતરી સંમેલનનું સંચાલન કરવા પંકજ ઉપાશ્રયમાં પધારતા. ત્યાં જ તેઓશ્રીની પાલખી આવી ઊભી રહી. અગ્નિની લપેટોમાં પૂજ્યપાદશ્રીનો પાવન દેહ ભસ્મીભૂત થઈ ગયો. ઉપનિષા ઋષિના શબ્દો વાપરીને કહીએ તો ‘એકોઽહં બહુસ્યામ’ની પેઠે ગુરુદેવ એક રૂપમાંથી અનેક રૂપે વિલસ્યા. (અનેક રૂપે ભક્તોના હૈયે રહેલા પૂજ્યપાદ ગુરુદેવશ્રી આજે અહીં જ, આપણી વચ્ચે જ છે.) ગુરુદેવ ! તમે અહીં જ છો. Page #43 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૬૨ના ચાતુર્માસ સંભારણા સૂરત અમરોલી મુકામે ઉપધાનતપની માળપ્રસંગે પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ. સા. અને પૂ આ. ભ શ્રી યશાવિજયસૂરિ મ. સા., પૂ. મુ.શ્રી. જિનચંદ્ર વિજયજી આદિને ચાતુર્માસ માટે વિનંતી શ્ર વાવસંઘે કરી. પૂજ્યશ્રી દ્વારા વિનંતીનો સ્વીકાર થતા વાવસંઘના ભાઈઓના હૃદયમાં આનંદની લહેરો ફ્લાઈ ઉઠી અષાઢ સુ. ૧૦ તા. ૬-૭-૨૦૦૬ ગુરૂવારે પૂજ્ય ગુરુદેવોના ચાતુર્માસ પ્રવેશ માટે દૂર-દૂરથી ભક્ત આવવા લાગ્યા વાવના વિશાળ માર્ગો સાંકડા બની ગયા. મેઘરાજાએ પણ પ્રવેશની પૂર્વસંધ્યાથી જ અમી-વૃષ્ટિ ચાલુ કરી દીધેલી. અભૂતપૂર્વ હર્ષોલ્લાસ અને જયઘોષના નાદ સાથે શાનદાર ચાતુર્માસ પ્રવેશ થયો. બે આચાર્ય મ. સા., બે પંન્યાસજી સહિત ૨૦ ઠાણા મુનિરાજ, ૬૫ સાધ્વીજી ભગવતીઓન ચાતુર્માસ પ્રવેશ થતાં જ તપસ્યા અને આરાધનાઓની હેલી વરસવા લાગી. વિ. સં. ૨૦૬૨નું ચાતુર્માસ અનેક નવા વિક્રમો સર્જીને અસ્મરણીય બની રહ્યું. મેઘરાજા મન મુકીને વરસ્યા, છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ બ્રેક થયો. ૭૫ ઇંચ વર્ષાદ નોંધાયો. ૫૧ ઉપવાસની તપશ્ચર્યા વાવતાલુકામાં-સમાજના આંગણે પહેલી જ વાર થવા પામી. એક-બે નહીં ત્રણ ત્રણ તપસ્વીઓએ નિર્વિઘ્ને ૫૧ ઉપવાસ કર્યા. ૦ ૫૧ ઉપવાસના તપસ્વીઓ મુનિશ્રી ડ્રીંકારરત્ન વિજય મ.સા. સાધ્વીશ્રી કલ્પરતિશ્રીજી મ. સાધ્વીશ્રી આર્જવરતિશ્રીજી મ. ૩૬ ઉપવાસના તપસ્વીઓ સાધ્વીશ્રી પ્રશમરતિશ્રીજી મ. સાધ્વીશ્રી દર્શનરતિશ્રીજી મ. સાધ્વીશ્રી આજ્ઞારતિશ્રીજી મ. આદિ ♦ માસક્ષમણના તપસ્વીઓ સા. શ્રી રૂચિતાશ્રી આદિ • સિદ્ધિતપના તપસ્વીઓ સા. શ્રી. મહાયશાશ્રીજી મ. સા. શ્રી હર્ષશીલાશ્રીજી મ. સા. શ્રી મૃગિરાશ્રીજી મ. આદિ ૫૦ તપસ્વીઓ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૬રના ચાતુર્માસ સંભારણા ૪૩ ૧૬ ઉપવાસના ૭ અને અઝાઈના ૭૫થી અધિક તપસ્વીઓએ દેવ-ગુરુ કૃપાએ નિર્વિબે તપ પૂર્ણ કર્યો. નાની નાની વયના બાળકો તપમાં જોડાયા અને સિદ્ધિતપ વગેરેમાં બાલ તપસ્વીઓના દર્શન કરતાં માથું અહોભાવથી ઝુકી જતું. પૂ. આ. ભ. યશોવિજયસૂરિ મ.સા.ની ચોવીસી ઉપરના પ્રવચનો-વાચનાઓ અને પ્રવચનકાર પં. શ્રી ભાગ્યેશ વિ. મ. ના યોગશાસ્ત્ર ઉપરના પ્રવચનોમાં વિશાળ હોલ પણ નાનો પડતો. આરાધનાથી મઘમઘતી ચાતુર્માસની સ્મૃતિમાં શ્રી વાવ જૈન મૂ. પૂ. સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ગૌરવવંતુ વાવ નગર છે. શ્રી વાવનગરમાં ઘણાં વર્ષોથી શ્રી અજિતનાથ દાદા અને શ્રી ગોડી પાર્શ્વનાથ દાદાના જિનાલયોમાં અનેક જિનબિંબોની પૂજા-ભક્તિ શ્રી સંઘ કરતો રહ્યો છે. સમયે સમયે પારકર (સિંધપ્રદેશ-પાકિસ્તાન) વગેરે સ્થળોથી અહીં પ્રભુની પ્રતિમાની પધરામણી થતી રહી. શ્રી અજિતનાથ દાદાની પંચધાતુની પ્રતિમા ૭૮ સેમીની ઊંચાઈ ધરાવે છે. પરિકર સાથે ૫ બાય ૫ ફૂટ વિસ્તાર ધરાવે છે. આ પરિકર ઉપર લેખ છે. તેમાં વિક્રમ સંવત ૨૩૬... વર્ષે આટલું જ વંચાય છે. જ શ્રી ધર્મનાથ ભગવાન, આદીશ્વર ભગવાન આદિ પાકિસ્તાનની રચના થતા નગર પારકરમાંથી વિ.સં. ૨૦૦૪માં લાવેલ જે અજિતનાથ જિનાલયમાં ત્રીજે માળે વિ. સં. ૨૦૦૭ મહા સુ. ૧૩ના રોજ પૂ. મુનિરાજ શ્રી લાવણ્યવિજય મ.ના વરદ હસ્તે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. જ શાંતિનાથ દાદા અતિ પ્રાચીન છે. દુઠવા પાર્શ્વનાથ ભગવાન સાંચોરની પાસે આવેલ દુઠવા ગામમાં જૈનોની વસ્તી ઓછી થતાં વિ. સં. ૨૦૪૧ના માગસર સુ. ૧૦ના વાવમાં લાવેલ તેની ચલપ્રતિષ્ઠા પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરિ મ.સા.ના વરદ્હસ્તે કરવામાં આવેલ. છેવિ. સં. ૧૮૧૦માં. પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી મ. સા. વાવના ખીમાણાવાસમાં ચોમાસું કરી જીવદયાનો મહિમાં રજૂ કરતો “શ્રી હરીબલ મચ્છીનો રાસ” રચેલો અને વાવના રાણા ગજસિંહને પ્રતિબોધ કરેલ. જ વિ.સં. ૧૯૩૭માં વાવમાં પં. રત્નવિજયજીએ ચોમાસું રહી અજિતનાથ દાદાના સ્તવનની રચના કરી હતી અને દાદાની ભક્તિ કરતા કરતા નેત્રો ખુલી ગયા હતા. છે. વિ. સં. ૧૯૮૬ વૈ. સુ. ૬ના શ્રી અજિતનાથ દાદા આદિની પ્રતિષ્ઠા શ્રી સંઘના ઉપકારી (તે સમયે મુનિ હતા) પૂ. આ. ભ.શ્રી મતિસાગરસૂરિ મ.સા.ના વરદ્હસ્તે થઈ અને શ્રી સંઘનું સંગઠન મજબૂત થયું. તેમની સ્વર્ગવાસ ભૂમિ પણ વાવ બની. છે કાળક્રમે જીર્ણ થયેલ અજિતનાથ જિનાલયને નિરખી જીર્ણોદ્ધારની પ્રેરણા પૂ. આ.ભ. શ્રી ૐકારસૂરિ મ.સા.એ કરી. શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ અજોડ અને ધવલ આરસપહાણમાં કમનીય રૂપકામયુક્ત બનાવવાની પ્રેરણા શ્રી સંઘે વધાવી લીધી. પૂજ્યશ્રીના જ વરદ્હસ્તે વિ. સં. ૨૦૪૧ના વૈ. વ. ૬ના અજિતનાથ ભગવાન આદિ જિનબિંબોનું ઉત્થાપન થયું. પ્રાચીન જિનાલયના વિસર્જન સમયે Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જિનાલય નીચે બીજો ગભારો તેની નીચે ત્રીજો ગભારો મળી આવેલ. ગર્ભગૃહની દીવાલ ઉપર વિ.સં. ૧૬૩૨ ફાગણ સુદ-૨ના રાણા રણમલજીના વખતમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ લખાણ સાથે મોગલ શૈલીના ચિત્રો પણ દોરેલ હતા. શ્રી અજિતનાથ મહાપ્રસાદ નવનિર્માણ પ્રતિષ્ઠા પાવન નિશ્રા પ્રેરણા : શાસન પ્રભાવક પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા ખાત મુહૂર્ત : વિ. સં. ૨૦૪૧ દ્વિતીય શ્રાવણ સુદ ૬ શિલા સ્થાપન : વિ. સં. ૨૦૪૧ દ્વિતીય શ્રાવણ સુદ ૧૩ વિ.સં. ૨૦૫૦નો આસો સુદ ૧૩ના શુભદિને ભીલડીયાજી તીર્થે આ. ભ. યશોવિજયસૂરિ મ.સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત વધાવવામાં આવ્યું અને તેજ વખતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે પ્રતિષ્ઠા પ્રસંગના તમામ પૂજનો આદિ અનુષ્ઠાનો અને સાધાર્મિક ભક્તિ વગેરે બધું જ શ્રી સંઘના નામથી રાખવું. વિ. સં. ૨૦૫૧ના મહા સુદ-૫ના બપોરે શ્રી અજિતનાથ ભગવાન આદિ જિનબિંબોની ભવ્ય રથયાત્રા નીકળેલી. વિ. સં. ૨૦૧૧ના મહા સુદ-૬ ના દિવસે નવનિર્મિત શ્રી અજિતનાથ મહાપ્રસાદ માં શ્રી અજિતનાથ ભગવાન આદિ પરમાત્માનો ભવ્ય પ્રવેશ થયો. વિ. સં. ૨૦૫૧ વૈશાખ સુદ-૭. તા. ૭-૫-૧૯૯૫ રવિવારે શ્રી અજિતનાથ પ્રભુ આદિ જિનબિંબો, ધ્વજદંડ, કળશ આદિની પ્રતિષ્ઠા થઈ. નવનિર્મિત શ્રી અજિતનાથ મહાપ્રસાદ અંજનશલાકા પ્રતિષ્ઠા – પ્રશસ્તિ તપાગચ્છીય સંઘસ્થવિર આ.ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક યુગમહર્ષિ આ. ભ શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી વાવ જૈન શ્વેતામ્બર મૂ. પૂ. સંઘે નવનિર્મિત શ્રી અજિતનાથ મહાપ્રસાદમાં શ્રી અજિતનાથપ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા અને શ્રી સીમંધરસ્વામી ભગવંત આદિ વિશવિહરમાન શંખેશ્વર પાર્શ્વનાથની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. પાવન નિશ્રા પૂ. આ. ભ. શ્રી વિજય અરવિંદસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્ર. મુ જયાનંદવિજયજી મહારાજા, પૂ. મુનિરાજશ્રી જિનચંદ્રવિજય મ.સા., પૂ. પં. શ્રી મુનિચંદ્રવિજય ગણી, પૂ. ગણી શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ. સા. પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તિની પ્રવર્તની પૂ. સાધ્વીજી શ્રી મનકશ્રીજી મ., પૂ. સા. શ્રી શ્રીમતિશ્રીજી, મ., પૂ.સા. શ્રી સુવર્ણાશ્રીજી મ., પૂ.સા.શ્રી ધર્મરત્નાશ્રીજી મ., પૂ.સા. શ્રી નૂતનપ્રભાશ્રીજી મ., પૂ. આ. ભ. શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તિની તપસ્વીની પૂ.સાધ્વીશ્રી દમયંતીશ્રીજી મ. આદિની નિશ્રામાં. Page #46 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૬૨ના ચાતુર્માસ સંભારણા ૪૫ શ્રી સંઘે યોજેલ ૧૧ દિવસના ભવ્ય પ્રભુભક્તિ મહોત્સવ પંચકલ્યાણકની ઉજવણી આદિ દ્વારા સંપન્ન થયેલ. મહામહિમ શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુ શ્રી ગોડી પાર્શ્વનાથ ભ.નું જિનાલય ગામના છેવાડે (માંડવીની પોળ) આવેલું અને જીર્ણ થયું હતું. વિ.સં. ૨૦૨૩માં પૂ. આ. ભ. ભદ્રસૂરિ મ.સા. તથા પૂ. આ. ભ. કારસૂરિ મ.સા.ના ચોમાસાની જય બોલાવી. અને પછી દેરાસર વિશે વાર્તાલાપ થયો. જીર્ણોદ્વાર વિશે પ્રેરણા કરી અને પૂજ્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે ગામની મધ્યમાં નૂતન જિનાલય તૈયાર થયું. જીર્ણ થયેલ જિનાલયમાંથી પરમાત્માને વિધિપૂર્વક ઉત્થાપન કરી. વિ. સ. ૨૦૨૯ના નૂતન જિનાલયમાં પ્રવેશ કરાવ્યો તે સમયે પ્રતિમાજીના પાછળના ભાગમાં લેખ છે તે ખ્યાલ આવ્યો. જ્યારે આ લેખ વિષે ઉંડાણથી ચિંતન કરવામાં આવ્યું ત્યારે એક વાત સ્પષ્ટ બની કે પારકરમાં (પાકિસ્તાનના સિંઘ પ્રદેશન ઉમરકોટ તાલુકામાં) ગોડી ગામમાં મેઘાશાએ બનાવેલા મંદિરમાં વર્ષો સુધી પૂજાએલા અને વર્ષોથી લુપ્ત મનાતા મૂળગોડીજીનું જ આ બિંબ છે. અત્યારે પણ ત્યાં જીર્ણ મંદિર છે. ત્યાંના લોકો દર્શન કરવા આવે છે. ઘુમટમાં ચિત્રો પણ દોરેલ છે. વિ. સં. ૨૦૩૦ના થૈ. સુ. ૧૦ના પૂ. આ. ભ. ભદ્રસૂરિ મ.સા. પૂ. આ. ભ. ૐૐકારસૂરિ મ.સા. આદિની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ અને પૂજ્યશ્રીના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૦૮ છોડનું ભવ્ય ઉજમણું થયેલ. વિ. સં. ૨૦૨૯માં રાધનપુરથી (ભોંયરા શેરીમાંથી) મહાવીર સ્વામી ભગવાન લાવેલ અને ગોડી પાર્શ્વનાથ ભગવાન સાથે તે જ જિનાલયના ગર્ભગૃહમાં બાજુમાં પ્રતિષ્ઠિત થયેલ છે. બડભાગી છે વાવશ્રી સંઘ જ્યાં અજોડ પ્રાચીન અદ્ભૂત એવા અજિતનાથદાદા, ગોડી પાર્શ્વનાથ દાદા, શાંતનાથ દાદા બિરાજમાન છે. ગોડીજી પાર્શ્વનાથ ભ. ની. પ્રતિમા પાછળ લેખ આ પ્રમાણે છે. वि. सं. १४३२ वर्षे फागण सुद बीज भृगुवासरे अचलगच्छे श्रीमंत महेन्द्रसूरि गच्छेशितुः पिपलाचार्य अभयदेवसूरिणामुपदेशेन उसवंशे शह मेपाकेन (વિશેષ માટે જુઓ ‘જય ગોડી પાર્શ્વનાથ' પ્રાપ્તિસ્થાન - વાવ સંઘ પેઢી) Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉઘડતા પાને છે. [ પ્રથમ પ્રકાશ પૃષ્ઠ ૧-૭૧] અતિશયગર્ભિતા સ્તુતિરુપ મંગલાચરણ ૧ | યોગનું સ્વરૂપ ચંડકૌશિકને પ્રતિબોધ ૨ | જ્ઞાન, જીવોના ભેદો, ચૌદ ગુણ સ્થાનકો દેવદમન અજીવ તત્ત્વ સંગમદેવના ઉપસર્ગના સમય પ્રભુની ભાવકરુણા આસ્રવ આદિ તત્ત્વોનું સ્વરૂપ યોગનું માહાત્મય ૧૨ | દર્શનતત્ત્વ સનકુમાર ચક્રવર્તીની કથા ૧૩ ચારિત્ર તત્ત્વ વિવિધ લબ્ધિઓનાં નામો અને તેની વ્યાખ્યા મહાવ્રતો ઋષભદેવ પ્રભુના ચાર કલ્યાકોનાં વિસ્તૃત અધિકાર ૧૮ | પાંચ મહાવ્રતોની ભાવનાઓ ચક્રવર્તી ભરત કરેલી પ્રભુ-સ્તુતિ ૨૬ | ઉત્તરગુણો રૂપી ચારિત્ર ભરતે કરેલી છ ખંડની સાધના ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ અંગારદાહનું ઉદાહરણ ૩૧] એષણા સમિતિ, તેના ૪૨ દોષની વ્યાખ્યા બાહુબલિ સાથે ભારતનું યુદ્ધ અને બાહુબલિને... આદાન-નિક્ષેપ-સમિતિ ભરતે કરેલી ભગવંતની સ્તુતિ ૩૫ | ઉત્સર્ગ સમિતિ , ત્રણ ગુપ્તઓની વ્યાખ્યા દઢપ્રહારીની કથા દેશવિરતિ શ્રાવક, કયા ગુણોવાળો ધર્માધિકારી... ચિલાતીપુત્રની કથા ૪૦| માર્ગાનુસારીના ૩૫ ગુણોની વિસ્તૃત વ્યાખ્યા ૬૩ ૧૫ ૨૭ ૩૨ ( દ્વિતીય પ્રકાશ ૭ ૧૨૪ સમ્યક્ત્વનું સ્વરૂપ પાંચ પ્રકારનાં મિથ્યાત્વ દેવનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો સમ્યક્ત્વનાં પાંચ ભૂષણો સમ્યક્ત્વના પાંચ દૂષણો શ્રાવકનાં અહિંસાદિક પાંચ અણુવ્રતો શ્રાવકનાં પ્રથમવ્રતના ભાંગા હિંસાના કડવાં ફલ અહિંસા વિષયક આંતરશ્લોકોના અર્થ અહિંસાનો ઉપદેશ ઘોરહિંસા કરનાર શુભમ્ ચક્રવર્તીની કથા બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા | પૃષ્ઠ ૭ર-૧૯૪) ૭૨ | હિંસા કરનારની નિંદા ૧૧૨ ૭૩ | કાલ સૌકરિકપુત્ર સુલસની કથા ૧૧૩ ૭૪ | હિંસક શસ્ત્રોના ઉપદેશકો ૧૧૯ અહિંસાવ્રતનાં ફલ અસત્ય વચનનું ફલ પાંચ મોટા અસત્યો ૧૨૫ ૮૦) સત્ય ઉપર કાલિકાચાર્યની કથા ૧૨૭ | અસત્ય ઉપર વસુરાજાની કથા ૧૨૮ ૮૩ | પરપીડાકારી સત્ય પણ ન બોલવું ૮૫ | તે ઉપર કૌશિકની કથા ૧૩૧ | સત્યવાદીઓનો પ્રભાવ, બીજા વ્રત સત્યને લગતા ૧૩૨ આંતર શ્લોકોનાં અર્થો ત્રીજું અસત્યેય વ્રત | મૂલદેવ અને મંડિક ચોરની કથા ૯૧- રૌહિણેય ચોરની કથા ૧૪૫ અચૌર્ય વિષયક ઉપદેશ ૧૪૯ ૧૩૧ ૧૩૬ ૧૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉઘડતા પાને ४७ ૧૮૦ પૂલ બ્રહ્મચર્યવ્રતનો અધિકાર ૧૫૦ | પાંચમું સ્થૂલ પરિગ્રહ-પરિણામવ્રત ૧૭૭ અબ્રહ્મ ઉપર રાવણની કથા ૧૫૭ તે ઉપર સાગરચક્રીની કથા રામ રાવણનું યુદ્ધ ૧૫૯ | પરિગ્રહ ઉપર કુચિકર્ણ અને તિલક શેઠની કથા ૧૮૨ પરસ્ત્રી ત્યાગ ઉપર સુદર્શનની કથા ૧૬૭ નંદરાજાની કથા ૧૮૩ બ્રહ્મચર્યના ગુણો અને તેને લગતા ૧૭૫ સંતોષી અભયકુમારની કથા ૧૮૪ આંતરશ્લોકોના અર્થો સંતોષની સ્તુતિ અને તેને લગતા શ્લોકોનાં અર્થો ૧૯૨ (તૃતીય પ્રકાશ પૃષ્ઠ ૧૯૫-૩૬૭) દિશિપરિમાણ-પ્રથમ ગુણવત ૧૯૫] ૧લા વ્રતના અતિચારો ૨૪૩ ભોગાપભોગ વિરમણનું નામનું બીજું ગુણવ્રત ૧૯૭. બીજા વ્રતના અતિચારો ૨૪૫ અભક્ષ્ય વસ્તુઓ ૧૯૮ ત્રીજા વ્રતના અતિચારો ૨૪૬ મદિરા છોડવાના કારણો ૧૯૯ ચોથા વ્રતના અતિચારો ૨૪૭ માંસના દોષો ૨૦૧ પાંચમાં વ્રતના અતિચારો ૨૫૦ માંસભક્ષણ વિષયક આંતરશ્લોકોના અર્થો ૨૦૬ ] ધન-ધાન્યાદિક પરિગ્રહના પ્રકારો અને સ્વરૂપ ૨૫૧ માખણ-મધ-ભક્ષણનાં દોષો ૨૦૭ છઠ્ઠા વ્રતના અતિચારો ૨૫૩ અનંતકાય-ત્યાગ ૨૦૯ | સાતમા અતિચારો ૨૫૩ રાત્રિભોજન-ત્યાગ ૨૧૧ પંદર કર્માદાનના વેપાર કયા? ૨૫૫ રાત્રિભોજન કરવાના કટુક ફલ ૨૧૨ આઠમા વ્રતના અતિચારો ૨૬૧ વિદળ ભોજન ત્યાગ ૨૧૮ નવમા વ્રતના અતિચારો ૨૬૨ અનર્થદંડ-વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત ૨૧૯ દશમાં વ્રતના અતિચારો ૨૬૩ આર્ત-રૌદ્ર ધ્યાન ૨૧૯ | અગિયારમાં વ્રતના અતિચારો પાપોપદેશ, બીજાને અધિકરણો ન આપવાં, ૨૨૧ | બારમાં વ્રતના અતિચારો ૨૬૫ પ્રમાદાચરણ-પરિહાર ૨૨૧ | મહાશ્રાવક કોણ કહેવાય છે? સાત ક્ષેત્રોમાં ધન ૨૯૬ ચાર શિક્ષાવ્રતો કેમ વાવવું? સામાયિક-સૂત્ર-કરોમિ ભંતે'ના અર્થો ૨૨૪ જિનબિંબ ૨૬૬ સામાયિકમાં મહાનિર્જરા કરનાર ચંદ્રા વતંસક ૨૨૭ જિનમંદિર ૨૬૭ રાજાની કથા જિનાગમ ૨૬૯ પૌષધ અને અતિથિ સંવિભાગ વ્રત નામના ૨૨૮ | | સાધુ-સાધ્વીનું ક્ષેત્ર પૌષધવ્રત કરનાર ચુલનીપિતાનું દષ્ટાંત શ્રાવક-શ્રાવિકાનું ક્ષેત્ર ૨૭૧ અતિથિસંવભાગ શિક્ષાવ્રત ૨૩૨ બાહ્યધન ન વાપરનાર ચારિત્ર કેવી રીતે લઈ શકશે ૨૭૩ સાધુની ભક્તિ કેવા કેવા પ્રકારે કરવી? ૨૩૨ | મહાશ્રાવકની દિનચર્યા ૨૭૩ તેનું વિસ્તૃત વર્ણન પ્રભુમંદિરમાં કેવી રીતે જવું? દ્રવ્ય અને ભાવ પૂજા ૨૭૪ સંયમમાં સહાય કરનાર, આહાર, વસ્ત્ર, ઔષધ, ૨૩૫ દેવવંદનનો વિધિ ૨૭૬ વસતિ દાન વિષયક આંતરશ્લોકોનો અર્થ ઈરિયાવહી સૂત્રના અર્થ ૨૭૭ ઉત્તમ, મધ્યમ, જઘન્ય-પાત્ર કેવા કેવા ગુણવાળા ૨૩૬ ] ‘તસ્સ ઉતરી” અન્નત્થ' સૂત્રના અર્થો ૨૭૮ ગણાય? ચૈત્યવંદન, “નમોલ્યુ'ના વિસ્તૃત અર્થો ૨૮૦ કુપાત્રની ઓળખાણ ૨૩૬ અરિહંત ચેઇયાણં'ના અર્થ ૨૯૫ દાનફળ ઉપર સંગમક-શાલિભદ્રનું દષ્ટાંત ૨૩૮ | લોગસ્સ'ના અર્થ ૨૬૫ ૨૨૩] કમ વાવ ૨૭૦ ૨૨૯ ૨૯૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ‘પુફખરવરદીવઢ'ના અર્થ ૩૦૩ | નમુક્કારસી’ આદિ પચ્ચકખાણોના કેટલા કેટલા ૩૩૪ ‘સિદ્ધાણ બુદ્ધાણ' સૂત્રના અર્થ | આગારો? જય વિયરાયે' - પ્રાર્થના સૂત્રના અર્થ ૩૧૧ | બ્રહ્મચર્ય ઉપર સ્થૂલભદ્રની કથા ૩૪૩ ગુરુવંદના ધર્મશ્રવણ ધર્મના અવિરોધપણે અર્થચિંતા ૩૧૨ | દુષ્કર-દુષ્કરારક ૩૪૭ મધ્યાહ્ન અન સંધ્યાકાળનાં પ્રભુપૂજા ૩૧૩ રથકાર અને કોશાનું કલા-વિજ્ઞાન ૩૪૯ છ આવશ્યક, વંદનમાં તજવાના ૩૨ દોષો ૩૧૪ સ્થૂલભદ્ર યક્ષાને બતાવેલ સિંહનું રૂપ ૩૫૧ વંદનસૂત્રના અર્થ ૩૧૭ સ્ત્રીઓના અંગની અમનોહરતા ૩૫૨ ગુરુની ૩૩ આશતનાઓ ૩૨૨ નિંદ્રા ઉડી ગયા પછી શું વિચારવું? ૩૫૩ આલોચના સૂત્ર, અર્થ ૩૨૪ | કામદેવ શ્રાવકની કથા ૩૫૫ સબૂસ્તવિ' સૂત્રના અર્થ ૩૨૬ | શ્રાવકની પ્રાતઃકાળની ભાવનાઓ ૩૫૭ અભુકિઓ' સૂત્રના અર્થ ૩૨૬ | શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ૩૬૮ ગુરુવંદનનું ફળ ૩૨૬ | શરીર અને કષાયોની સંખના- વર્તમાન ૩૬૨ પ્રતિક્રમણની વ્યાખ્યા ચોવીશીની ભગવંતનોની જન્મ અન અને દીક્ષાના ૩૬૨ પ્રતિક્રમણ-વિધિ ૩૩૦] નગર તથા સ્થળો પકખી આદિ પ્રતિક્રમણની વિશેષાવિધિ તેમની કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક ભૂમિઓ ૩૬૩ કાયોત્સર્ગની ૨૧ દોષો ૩૩૧ | | સંલેખનના અતિચારો પચ્ચક્ખાણ-પ્રકરણ ૩૩૨ | બાવીશ પરિષહો અદ્દાકાળ પચ્ચખામના પ્રકારો ૩૩૩ | આનંદશ્રાવકની અંત-ક્રિયા ૩૬૬ ૩૨૭] ૩૩૦ ૩૬૭ ૩૬૪ ( ચોથો પ્રકાશ | પૃષ્ઠ ૩૬૮-૪૫ર ૩૬૮ | ઈન્દ્રિયવિજય વિષયક આંતરશ્લોકાર્થ ૩૮૪ ૩૭૦] અનિયંત્રિત મનના દોષો ૩૮૫ ૩૭૧ | મનની શુદ્ધિ ૩૮૯ ૩૭૩ | વેશ્યાધિકાર લેશ્યા સમજવા માટે બે દષ્ટાન્ત ૩૭૬ | દુર્જય રાગ-દ્વેષનું સ્વરૂપ અને ફળ ૩૯૮ ૩૭૮ સામ્યભાવ અધિકાર ૩૯૧ ૩૮૦ સામ્યભાવને લગતા આંતરશ્લોકોના અર્થ ૩૯૯ ૩૮૩ આત્માના જ્ઞાનાદિ ત્રણેયનું એકત્વ કષાયોના પ્રકારો, તેના અધિકારી ક્રોધનું સ્વરૂપ અને ફળ માનનું સ્વરૂપ અને ફળ માયાનું સ્વરૂપ અને ફળ લોભકષાયનું સ્વરૂપ અને ફળ ઈન્દ્રિય-જય અધિકાર એક એક ઈન્દ્રિયના દોષો ૩૮૮ બાર ભાવનાઓ ૪૦૬ અનિત્ય ભાવન, તેને લગતા ઉપદેશ અશરણ ભાવના નરકગતિના દુઃખો તિર્યંચગતિના દુઃખો મનુષ્યગતિનાં દુઃખો દેવગતિનાં દુઃખો એકત્વ ભાવના અન્યત્વભાવના પૃષ્ઠ ૩૯૫-૪૪૮ ૩૯૫ અશુભચિભાવના ૪૦૫ ૩૯૬ આસ્રવ ભાવના ૩૯૯ સંવરભાવના ૪૧૦ ૪૦૦ નિર્જરાભાવના ૪૧૨ ૪૦૧ | સકામ-અકામ નિર્જરા, તપના બાર ભેદો ૪૧૩ ૪૦૧ પ્રાયશ્ચિતના દશ પ્રકારો ૪૦૩ | વૈયાવૃત્યાદિક આત્યંતરતપ ૪૦૪] ધર્મ-સ્વાખ્યાતભાવના, દશ યતિ ધર્મો ૪૨૦ ૪૧૪ ૪૧૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉઘડતા પાને ધર્મનો પ્રભાવ લોકભાવના સાથે ચૌદ રાજલોકનું વિસ્તૃત સ્વરૂપ સાડીપચ્ચીસ આનંદેશોનાં નામ, અનાર્ય દેશો, છપ્પન અંતરદ્વીપો આઠમા નંદીશ્વરદ્વીપનું વિસ્તૃત વર્ણન સમુદ્રોના જળના સ્વાદો, સિદ્ધશિલાનું પ્રમાણ, વિમાનોના આકાર, તે કોના આધારે રહેલાં છે ? દેવાના પ્રકારો વિમાનોની સંખ્યા, દેવાનો આહાર-ગ્રહણનું પાંચમો પ્રકાશ પ્રાણાયામ રેચક, પુરક અને કુંભકનાં લક્ષણ પવન-ધારણાનું ફલ મંડલોના નામ અને સ્થાન પાર્થિવ આદિ મંડળોનું સ્વરૂપ કયા વાયુમાં કયું કામ કરવું ? ચારે વાયુનાં અતિસૂક્ષ્મ ફળ સ્વરોદય-નાડીઓનાં નામ,લક્ષણ, સંચારફળ શુકલ-કૃષ્ણ પક્ષમાં નાડીના ફલાદેવ કાલાન સરખા રાત્રિ-દિવસ સમયે નેત્ર ફરકવાનું ફળ નાડી-સંક્રાંતિ-ફલ, માસ આશ્રયી નાડીસંચાર-ફલ પૌષ્ણકાલનું લક્ષણ ચંદ્ર-સૂર્ય નાડીમાં સતત પવન-સંચારથી થતું વિવિધ જીવિત-સમય જ્ઞાન છઠ્ઠો પ્રકાશ પરકાય-પ્રવેશ પારમાર્થિક નથી સાતમો પ્રકાશ પદસ્થ ધ્યાનનું લક્ષણ પદમયી-મંત્રમયી દેવતાના ધ્યાનનું વિસ્તૃત સ્વરૂપ પ્રણવ (ઓકા૨)નું ધ્યાન, પંચ પરમેષ્ટિનું ધ્યાન ૪૨૩ | અને ઉચ્છ્વાસ-ગ્રહણનો કાળ, દેવીઓની ઉત્પત્તિ ૪૨૭ ક્યાં સુધી ? પ્રવીચારી અને અપ્રવીચારી દેવો ૪૩૪ | લોકનું વિશષ સ્વરૂપ ૪૩૪ | બોધિ દુર્લભ ભાવના ૪૩૫ સામ્યભાવના ફલ ૪૩૭ ૪૩૮ ૪૩૮ ૪૩૮ ધ્યાનસ્વરૂપ મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ ધ્યાન માટે કેવા સ્થાનની જરૂર ? વિવિધ આસનો અન તેની વ્યાખ્યાઓ ૪૫૩ બ્રાહ્મકાલ-લક્ષણ ૪૫૯ ૪૫૪ | સ્વપ્નમાં નિશાચાર પક્ષીઓથી ભક્ષણ કરાતા કે તુચ્છ પશુઓથી ખેંચાતા દેખાવાનું ફલ ૪૬૦ પ્રકારાન્તરે મૃત્યુ જ્ઞાન ૪૬૦ | કાગડાનાં શકુન ૪૬૨ | ઉપશ્રુતિથી કાલજ્ઞાન ૪૬૨ | શનૈશ્વર પુરૂષથી કાલજ્ઞાન ૪૬૩ | પૃચ્છા લગ્નાનુસાર કાલજ્ઞાન ૪૬૩ | યંત્રાનુસાર કાલજ્ઞાન ૪૬૪ |વિદ્યાથી કાલજ્ઞાન ૪૯૭ ૪૬૪ | જય-પરાજ્યાદિ પ્રૠજ્ઞાન, સ્વરોદય આશ્રીને ૪૬૫ | શુભાશુભ ફલ, કાર્યસિદ્ધિ, વશીકરણ-ઉપાય નાડી શુદ્ધિકરણ ઉપાય તથા ફલ ૪૬૭ ૪૬૮ | વેવિધિ પરકાય પ્રવેશ ધ્યાન કરનારાની યોગ્યતા, ધ્યાનના ભેદો, પિંડસ્થ ધ્યામાં પાર્થિવી, આપ્નેથી, વાયવી, વારુણી તત્ત્વમ્ નામની પાંચ ધારણાઓ, પિંડસ્થ ધ્યાનનો પ્રભાવ આઠમો પ્રકાશ પૃષ્ઠ ૪૫૩-૪૯૬ પ્રત્યાહાર, ધારણાસ્થાનો અને તેનું ફલ ૪૯ ૪૩૯ ૪૩૯ ૪૪૦ ૪૪૨ ૪૪૩ ૪૪૪ ૪૪૭ ૪૪૮ ૧૦૩ માયાબીજ થ્રી કાર અને સ્વીં વિદ્યાનું ધ્યાન ૫૦૪ | અષ્ટાક્ષરી વિદ્યા ૫૦૫ | કેટલાક બીજા મંત્રો અને વિદ્યાનાં ધ્યાન ૪૭૩ ૪૭૬ ૪૮૨ ૪૮૩ ૪૮૩ ૪૮૪ ૪૮૫ ૪૮૬ ૪૮૭ ૪૮૮ પૃષ્ઠ ૪૯૭-૪૯૮ ૪૯૩ ૪૯૪ ૪૯૬ ૪૯૮ પૃષ્ઠ ૪૯૯-૫૦૨ ૪૯૯ પૃષ્ઠ ૫૦૩-૫૧૬ ૫૧૦ ૫૧૪ ૫૧૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નવમો પ્રકાશ રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ દશમો પ્રકાશ રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ ધર્મધ્યાનના બીજા પ્રકારો, આજ્ઞાવિચળ, અગિયારમો પ્રકાશ શુક્લધ્યાનું સ્વરૂપ શુક્લધ્યાનના ચારે ભેદોનું સ્વરૂપ મન વગર કેવલીને ધ્યાન કેવી રીતે હોય ? ધ્યાન શબ્દનાં અર્થો શુકલધ્યાનનાં ચારે પ્રકારોની વિશેષ સમજ બારમો પ્રકાશ ચિત્તના ચાર પ્રકારોનું સ્વરૂપ બહિરાત્મા અને અંતરાત્મા ભેદજ્ઞાન અંતરાત્માનું ભેદજ્ઞાન પરમાત્મપણાની પ્રાપ્તિ, ગુરુમુખ-દર્શનની અનિવાર્યતા લયની પ્રાપ્તિ કેમ થાય ? મને સ્થિર કરવાનો ઉપાય ઈન્દ્રિયજયનો ઉપાય પૃષ્ઠ ૫૨૦-૫૨૫ ૫૨૦ | અપાયવિચય, વિપાક-વિચય અને સંસ્થાનવિચય ૫૨૨ ૫૨૧ | ધર્મધ્યાનું ફળ ૫૨૪ તત્ત્વજ્ઞાન થયાની નિશાની યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પૃષ્ઠ ૫૧૭-૫૧૯ ૫૨૭ ૫૨૬ | તીર્થંકર ભગવંતના અતિશયો સામાન્ય કેવલીઓનું સ્વરૂપ ૫૨૯ | કેવલિસમુદ્રઘાતનું સ્વરૂપ ૫૨૯ | સિદ્ધાત્મા અલોકમાં કેમ જતા નથી ? ૫૨૯ ૫૩૯ ૫૪૦ | અમનસ્કનું ફળ પૃષ્ઠ ૫૨૬-૫૩૮ ૫૧૯ સર્વોપદેશનો સાર ૫૪૧ | સદ્ગુરુની ઉપાસના, ગ્રંથનો ઉપસંહાર અનુવાદક-પ્રશસ્તિ ૫૪૨ અકારાદિ અનુક્રમ, પ્રકાશ ૧ થી ૪ ૫૪૩ | અકારાદિ અનુક્રમ, પ્રકાશ ૫ થી ૧૨ ૫૪૪ પૃષ્ઠ ૫૩૯-૫૪૯ ૫૩૧ ૫૩૧ ૫૩૪ ૫૩૬ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૮ ૫૪૯ ૫૫૮ ૫૫૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ शासनाधिपति-श्रीमहावीरस्वामिने नमः । अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः । કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય - રચિત સ્વોપજ્ઞ વિવરણ સહિત યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પ્રથમ પ્રકાશ १ नमो दुर्वाररागादि - वैरिवारनिवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥ १ ॥ અર્થ: દુ:ખપૂર્વક રોકી શકાય તેવાં રાગાદિ શત્રુઓના સમૂહને અટકાવનારાં, યોગીઓના નાથ, સંસાર સાગરથી રક્ષણ કરનારા ને પૂજાના પાત્ર એવા શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર થાઓ. / ૧ / અતિશયગર્ભિત સ્તુતિરૂપ મંગલાચરણ આ ટીકાર્ય :- શ્રી યોગશાસ્ત્રના પ્રથમ શ્લોકમાં “મહાવીર' પદ વિશેષ્ય છે. તેમાં વિશેષ પ્રકારે કર્મને દૂર કરનાર વીર કહેવાય. કહ્યું છે કે :- કર્મને જે વિદ્યારે અને તપથી જે વિરાજમાન થાય, તપસ્યામાં વીર્યથી યુક્ત હોય, તે કારણથી વીર કહેવાય છે. આ પ્રમાણે લક્ષણ અથવા નિરુક્તથી “વીર' શબ્દની વ્યાખ્યા જણાવી. બીજાવીરની અપેક્ષાએ ભગવંત મહાવીર તરીકે શાથી ખ્યાતિ પામ્યા ? તે વાત જણાવે છે. મહાવીર ભગવંતના જન્મમહોત્સવ સમયે “આવા નાના શરીરવાળા આ ભગવંત આટલા જળ-ભારને કેવી રીતે ઝીલીને સહન કરી શકશે ? એ ઈન્દ્રની શંકા દૂર કરવા માટે ભગવંતે ડાબા પગના અંગુઠાથી સુમેરુપર્વતને દબાવ્યો, જેથી પર્વત અને પૃથ્વીતલ કંપવા લાગ્યાં. સમુદ્રો ખળભળવા લાગ્યા. બ્રહ્માંડ શંક્તિ બની ગયું. આ સમયે ઈન્દ્ર મહારાજે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો એટલે જાણ્યું કે, આ તો ભગવંતનો પ્રભાવાતિશય છે. આ સમયે ઈન્દ્ર ભગવંતનું “મહાવીર' એવું નામ સ્થાપન કર્યું. તે વળી અનાદિભવનાં ગાઢ અને ચીકણા બાંધેલા કર્મોને મૂળમાંથી ઉખેડી નાંખવાના સામર્થ્યની તેઓએ મહાવીર નામની સાર્થકતા કરી. માતા-પિતાએ “વર્ધમાન' એવું નામ પાડ્યું. લોકોએ “શ્રમણ” અને “દેવાર્ય” નામો પાડ્યાં. તેમને નમસ્કાર થાઓ. બાકીના ચોથી વિભક્તિવાળા વિશેષથી પદો અતિશય દ્વારા જણાવે છે. અંતરાય વિઘ્ન-અપાયભૂત રાગાદિક દૂર થવાથી ભગવંતને આત્મસ્વરૂપ પ્રગટ થયું. અપાયાપગમાતિશય, સમગ્ર દેવોએ અસુરોએ તથા મનુષ્યોએ ઉત્કૃષ્ટ પ્રકારની પૂજા કરેલી હોવાથી ૨ પૂજાતિશયવાળા, અવધિ આદિ જ્ઞાનવાળા યોગીઓ તેઓના નાથ નિર્મલ કેવલજ્ઞાનના સામર્થ્યથી લોકાલોકના સ્વભાવને જાણનાર ભગવંતો જ હોય છે; તે દ્વારા ૩ જ્ઞાનાતિશય જણાવ્યો. ‘તાયી’ એટલે સમગ્ર દેવો, દૈત્યો, મનુષ્યો અને તિર્યંચોના રક્ષણ કરનાર હોવાથી ૪ વચનાતિશય, જગતના સમગ્ર જીવોને અભયદાન આપવામાં સમર્થ, Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવા સમગ્ર ભાષામાં પરિણમનાર ધર્મદેશના દ્વારા ભગવંત રક્ષણ કરનાર હોવાથી ભગવંત જ સાચા પાલ ગણાય. નહિતર વાઘ સિંહ વગેરે પણ પોતાના બચ્ચાનું તો પાલન કરે છે. આ પ્રમાણે ચાર અતિશયોથ ગર્ભિત ભગવાન મહાવીરની પરમાર્થવાળી સ્તુતિ કરી છે ૧ | હવે યોગ-ગર્ભિત સ્તુતિ કરતા જણાવે છે. २ पन्नगे च सुरेन्दे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः ॥ २ ॥ અર્થ : ચરણનો સ્પર્શ કરનારા ઈન્દ્ર મહારાજા અને કૌશિક નામના સાપની ઉપર મધ્યસ્થભાવનાથી યુક્ત મનને ધારણ કરનારા શ્રી વીર સ્વામીને પ્રણામ થાઓ. | ૨ | ટીકાર્ય - પૂર્વભવના કૌશિક ગોત્રવાળા સર્પને “હૈ કૌશિક ! તું પ્રતિબોધ પામ’ એ પ્રમાણે ભગવંત બોલાવેલ હતો. ઈન્દ્રનું બીજું નામ “કૌશિક છે. કૌશિક સર્પ ડંખવાની બુદ્ધિથી અને ઈન્દ્ર ભક્તિબુદ્ધિથી ચરણ-સ્પર્શ કરે છે; તે બંને પ્રત્યે ભગવંત દ્વેષ કે રાગથી રહિત-મધ્યસ્થબુદ્ધિવાળા હોવાથી સમભાવવાળા તે મહાવીર પરમાત્માને નમસ્કાર થાઓ. તે વાતને દૃષ્ટાંત કહેવા દ્વારા સમજાવે છેચંડકૌશિકને પ્રતિબોધ પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ ઉત્તમ તીર્થંકર-નામકર્મવાળા, ત્રણ જ્ઞાનથી પવિત્ર આત્માવાળા, શ્રીવી ભગવંત પ્રાણત નામના દેવલોકના પુષ્પોત્તર વિમાનથી વી. સિદ્ધાર્થ રાજાના ઘરે. સરોવરમાં જે રાજહંસ તેમ ત્રિશલારાણીની કુક્ષિમાં આવ્યા. તે સમયે ગર્ભના પ્રભાવથી ૧. સિંહ, ૨. હાથી, ૩ વૃષભ, ૪. અભિષેક સહિત લક્ષ્મીદેવી, ૫. પુષ્પમાળા, ૬. ચંદ્ર ૭. સૂર્ય, ૮. ઈન્દ્રધ્વજ ૯. પૂર્ણકુંભ ૧૦. પદ્મરોવર, ૧૧. સમુદ્ર ૧૨. દેવવિમાન, ૧૩. રત્નરાશિ ૧૪. નિધૂમ અગ્નિ એવા ચૌદ મહાસ્વપ્ન ક્રમસર દેવી એ દેખ્યા. ત્યાર પછી ઉત્તમ યોગવાળા દિવસે ત્રણ લોકમાં ઉદ્યોત કરનાર, દેવો અને દાનવોના આસનને કંપાવનાર, નારકી જીવોને પણ ક્ષણવાર સુખ આપનાર એવા પ્રભુએ સુખપૂર્વક જન પ્રાપ્ત કર્યો અને તરત જ દિકકુમારીઓએ સૂતિકર્મો કર્યો. ત્યાર પછી સૌધર્મેન્દ્ર જન્માભિષેક કરવા માં મેરુપર્વતના શિખર ઉપર જગતપ્રભુને ખોળામાં બેસાડી સિંહાસન પર બિરાજમાન થયા. “આટલો મોટે પાણીનો ભાર સ્વામી કેવી રીતે સહન કરી શકશે ? એ પ્રમાણે ભક્તિથી કોમળ ચિત્તવાળા ઈંદ્રમહારાજા શંકા થઈ. તે સમયે તેની શંકા દુર કરવા માટે પ્રભુએ લીલાથી ડાબા પગના અંગુઠાથી મેરુપર્વત દબાવ્યો. મેરુનાં શિખરો જાણે પ્રભુને નમન કરતાં હોય તેમ નમી ગયાં. ભગવાનની પાસે આવવાની ઈચ્છા કરતા હોય તેમ કુલપર્વતો ચલાયમાન થયા. તથા સમુદ્રો સ્નાત્ર કરવાની ઈચ્છાવાળા હોય તેમ અતિશય ઉછળવા લાગ્યા. પૃથ્વી જાણે નૃત્ય કરવાની તૈયારી કરતી હોય તેમ ત્યાં એકદમ કંપવા લાગી અરે ! અણધાર્યું આ શું? એમ વિચારતા ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે, આ તો ભગવંતની લીલા છે, આવા પ્રકારનું ભગવંતનું સામર્થ્ય જાણી ઈન્દ્ર મહારાજ પ્રભુને કહેવા લાગ્યા : “હે સ્વામિ મારા સરખા સામાન્યજન આપનું આવા પ્રકારનું માહાભ્ય કેવી રીતે જાણી શકે. ? માટે મે જે વિપરીત વિચાર્યું, તેની ક્ષમા માંગુ છું” એમ બોલતા ઈન્દ્ર પ્રભુને નમસ્કાર કર્યો. આનંદપૂર્વક વાજિંત્રો વાગતા હતા, ત્યારે ઈન્દ્રોએ જગદ્ગુરુનો પવિત્ર તીર્થોના સુગંધી જળથી અભિષેક-મહોત્સવ કર્યો તે અભિષેકજળને દેવોએ, અસુરોએ અને ભવનપતિ દેવોએ વારંવાર નમન કર્યું. અને સર્વેને છાંટયું. પ્રભુન સ્નાત્રજળથી સ્પર્ધાયેલી માટી પણ વંદનને યોગ્ય બની. કારણ કે, “મોટાઓની સોબતથી નાનાનું પણ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.. ગૌરવ વધે છે. ત્યાર પછી સૌધર્મેન્દ્ર, પ્રભુને ઈશાન ઈન્દ્રના ખોળામાં બેસાડીને, સ્નાન કરાવીને, પૂજા કરીને, આરતી ઉતારી સ્તુતિ કરવા લાગ્યા. “હે અરિહંત ભગવંત ! સ્વયંબુદ્ધ, બ્રહ્મા, તીર્થકર, ધર્મની આદિ કરનારા, પુરૂષોમાં ઉત્તમ એવા આપને નમસ્કાર થાઓ. હે લોકને પ્રકાશિત કરનાર ! લોકમાં ઉદ્યોત કરનાર, લોકમાં ઉત્તમ, લોકના સ્વામી, લોકનું હિત કરનાર એવા તમોને નમસ્કાર હો. પુરૂષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન સુખ કરનાર, પુરૂષોમાં અદ્વિતીય ગંધહસ્તિ સમાન, એવા તમોને નમસ્કાર થાઓ, ચક્ષુ આપનાર, અભય દેનાર, બોધિ આપનાર, માર્ગ બતાવનાર, ધર્મ દેનાર, ધર્મનો ઉપદેશ આપનાર, શરણ આપનાર, તમોને નમસ્કાર થાઓ, હે ધર્મના સારથિ ! ધર્મમાં દોરનાર, ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી ! છદ્મસ્થપણાથી રહિત સમ્યગુ જ્ઞાનદર્શન ધારણ કરનાર, રાગાદિ અરિવર્ગને જિતનાર અને જિતાડનાર, સંસાર-સમુદ્રથી તરેલા અને બીજાઓને તારનાર, કર્મથી મુકત બનેલા અને બીજાઓને મુક્ત બનાવનાર, બોધ પામેલા અને બોધ પમાડનાર તમોને નમસ્કાર હો. હે સર્વજ્ઞ ! સ્વામી, સર્વ દેખનારા, સર્વ અતિશયના અધિકારી, આઠે કર્મનો ચૂરો કરનાર, હે ભગવંત ! તમોને નમસ્કાર થાઓ. ઉત્તમ પુણ્યબીજ વાવવા માટે ક્ષેત્ર, ઉત્તમ પાત્ર, તીર્થ, પરમાત્મા, સ્યાદ્વાદ કહેનાર વીતરાગ મુનિ ! તમોને નમસ્કાર હો. પૂજ્યોના પણ પૂજ્ય મોટાઓથી પૂજાએલ આચાર્યોના આચાર્ય, મોટાથી પણ મોટા હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. કેવલજ્ઞાનથી વિશ્વમાં વ્યાપેલા, યોગીઓના નાથ ! યોગને ધારણ કરનાર સ્વયં પવિત્ર અને બીજાઓને પવિત્ર કરનાર, અનુત્તર, ઉત્તર (શ્રેષ્ઠ) એવા તમોને નમસ્કાર હો. યોગાચાર્ય કર્મમલ સાફ કરનાર શ્રેષ્ઠ, અગ્રેસર, વાચસ્પતિ, મંગલસ્વરૂપ હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. સહુપ્રથમ ઉદય પામેલા, અપૂર્વવર સૂર્ય સરખા, ૐ મુર્ણવઃ સ્વઃ એવા વચનથી સ્તવવા યોગ્ય હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ સર્વ જનોના હિતકારી સર્વ અર્થ સાધનાર, અમૃત્યુને પામેલા, ઉદય પામેલા બ્રાહ્મચર્યને ધારણ કરનાર, (સંસાર સમુદ્રનો) પાર પામેલા, કૌશલ્યવાળા, નિર્વિકાર, રક્ષણ કરનાર, વજઋષભનારા સંધયણથી યુક્ત શરીરવાળા, તત્ત્વ દેખનાર ! તમોને નમસ્કાર થાઓ. ત્રણ કાળને જાણનાર જિનેન્દ્ર, સ્વયંભૂ જ્ઞાન-બલ-વીર્ય-તેજ-શક્તિ-ઐશ્વર્યવાળા તમોને નમસ્કાર થાઓ. ધર્મના આદિ પુરુષ પરમેષ્ટિ મહેશ (મહાદેવ), જ્યોતિસ્તત્વ સ્વરૂપ હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. એ પ્રમાણે સ્તુતિ કરી. નમસ્કાર કરી પરમેશ્વરને ગ્રહણ કરી પાછા લાવી ઈન્દ્ર મહારાજાએ તે જ ક્ષણે માતાને આપ્યા. પોતાના વંશની વૃદ્ધિ થવાથી તેને યોગ્ય એવું પ્રભુનું “વર્ધમાન” નામ માતાપિતાએ પાડ્યું. “હું પહેલી સેવા કરું, હું પ્રથમ ભક્તિ કરું એ પ્રમાણે સ્પર્ધાથી ભક્તિવાળા દેવોથી અને અસુરોથી સેવા કરતા, અમૃતવૃષ્ટિ કરનાર આંખો વડે કરીને જાણે પૃથ્વીને સિંચતા હોય તેવા, તેમજ એક હજાર અને આઠ લક્ષણોવાળા, સ્વાભાવિક ગુણો વડે વૃદ્ધિ પામેલા ભગવાન અનુક્રમે વયથી પણ વધવા લાગ્યા. દેવદમન- કોઈક સમયે સરખી વયવાળા રાજપુત્રો સાથે વયને યોગ્ય રમતોની રમત રમતાં અતુલ પરાક્રમવાળા ભગવંત ક્રીડા રમવા ગયા. તે સમયે દેવસભામાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી “સર્વ દુનિયાના) વીરો મહાવીર પ્રભુથી ઉતરતી કોટીના છે.” એમ વર્ણવ્યું. તે વખતે કોઈ ઈર્ષ્યાળુ દેવ “હું તેને ક્ષોભ પમાડીશ' એમ કહી જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા, ત્યાં આવ્યો. રાજપુત્રો સાથે પ્રભુ આમલકી-ક્રીડા રમી રહ્યા હતા ત્યારે, તે દેવ કપટથી સર્પ બની ઝાડ સાથે વીંટળાઈ ગયો. તે વખતે તે ભયંકર સર્પને દેખી ત્રાસ પામેલા રાજપુત્રો દરેક દિશામાં ભાગી ગયા, પરંતુ પ્રભુએ હાસ્ય કરતાં કરતાં તેને દોરડાની માફક ભૂમિ પર પટક્યો. લજ્જા પામેલા રાજકુમારો ફરી રમવા આવ્યા. ત્યારે તે દેવ કુમારનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો અને તે સર્વે વૃક્ષ પર ચડી ગયા. પ્રભુ તો પ્રથમથી જ વૃક્ષની ટોચે ચડી ગયા અથવા તો Page #55 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ લોકના અગ્રભાગ પર જનાર ને આ વૃક્ષાગ્રનો ક્યો હિસાબ ? ત્યાં આગળ રહેલા ભગવાન તો મેરુ શિખર પર જેમ સૂર્ય શોભે, તેમ શોભવા લાગ્યા. જ્યારે બીજા કુમારો ડાળી પર લટકતા હતા ત્યારે વાનર જેવા દેખાતા હતા. આવી રીતે ભગવાન જિત્યા. તે રમતમાં એવી શરત નક્કી કરી હતી કે જે કોઈ જિતે તે બીજાની પીઠ પર ચડે અને તેને હારનાર વહન કરે. વીરકુમાર પણ પીઠ પર ચડીને ઘોડા ઉપર સ્વારની જેમ કુમારોના ઉપર સ્વાર બન્યા. અનુક્રમે મહાપરાક્રમી ભગવાન દેવની પીઠ પર ચડી બેઠા. ત્યાર પછી દુષ્ટબુદ્ધિવાળો દેવ વિકરાલ વેતાલનું રૂપ કરી પર્વતોને પણ હિસ્કાર કરતો વધવા લાગ્યો. પાતાલ સરખા તેના મુખમાં જીભ સર્પ સરખી દેખાવા લાગી, તથા મસ્તકરૂપ પર્વત પર પીળા અને ઊંચા કેશોએ દાવાનળનું અનુકરણ કર્યું. તેની અતિ ભયંકર દાઢાઓ કરવત સરખી દેખાવા લાગી, આંખો બળતા અંગારા ભરેલી સગડી જેવી, નસ્કોરાં તો જાણે મહાઘોરા પર્વતની ગુફા જેવા દેખાવા લાગ્યાં. ભૂકુટી ચડાવેલ ભયંકર બે નાગણીઓ હોય, તેવા ભવાં દેખાવા લાગ્યાં. એમ વૃદ્ધિ પામતો તે દેવ અટક્યો નહિ, ત્યારે મહાબળવાળા એવા પ્રભુએ પીઠ પર મુષ્ટિ-પ્રહાર કરી તેને વામન બનાવ્યો. એવી રીતે ઈન્દ્ર વર્ણવેલ ભગવંતના પૈર્યનો સાક્ષાત્ અનુભવ કરી પોતાનું મૂળરૂપ પ્રગટ કરી પ્રભુને નમસ્કાર કરી તે દેવ સ્વસ્થાનકે ગયો. કોઈક દિવસે માતા-પિતા ભણાવવા માટેનો નિશાળ-ઉત્સવ કરતા હતા ત્યારે ઈન્દ્ર મહારાજાએ વિચાર્યું કે, “શું સર્વજ્ઞને પણ વિદ્યાર્થી અવસ્થા !” એમ વિચારી ત્યાં આવ્યા. ઈન્દ્ર ભગવંતને તે ઉપાધ્યાયના આસન ઉપર બેસાડી, પ્રણામ કરી સ્વામીને પ્રાર્થના કરી, એટલે ભગવંતે શબ્દપારાયણ એટલે વ્યાકરણશાસ્ત્ર કહ્યું. ભગવંતે આ શબ્દાનુશાસન ઈન્દ્રને કહ્યું, તે સાંભળીને ઉપાધ્યાયે લોકોમાં તેને “ઐન્દ્ર વ્યાકરણ' તરીકે પ્રસિદ્ધ કર્યું. દીક્ષાની ઉત્કંઠાવાળા પ્રભુ અઠ્ઠાવીસ વર્ષ સુધી માતા-પિતાના આગ્રહથી કોઈ પ્રકારે ગૃહવાસમાં રહ્યા. માતા-પિતાનું આયુષ્ય પૂર્ણ થયું અને તેઓ દેવપણું પામ્યા પછી પ્રભુએ રાજ્ય-સંપત્તિ છોડી દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી. એટલે મોટાભાઈ નંદિવર્ધને કહ્યું. હે ભાઈ ! લોહી નીકળતા તાજા ઘા ઉપર ક્ષાર નાખવા સરખું અત્યારે આ વચન ના બોલો. એમ કહી દીક્ષા લેતા રોક્યા. પરંતુ પ્રભુ વિવિધ પ્રકારના આભૂષણ પહેરી, ચિત્રશાળામાં કાર્યોત્સર્ગમાં રહી ભાવથી સાધુ તરીકે રાહ્યા. સાધુને કલ્પે તેવા અચિત્ત આહાર-પાણીથી વૃત્તિ કરનાર, મહાઆશયવાળા, ભગવંતે કોઈ પ્રકારે એક વર્ષ વીતાવ્યું. તે સમયે લોકોન્તિક દેવોએ આવી પ્રભુને અભ્યર્થના કરી કે, “હે સ્વામિ ! આપ તીર્થ પ્રવર્તાવો'. ત્યાર પછી માગનારાઓની (વર્ષીદાની ઈચ્છા પ્રમાણે દાન આપવાનો પ્રારંભ કર્યો. બીજા વર્ષમાં પૃથ્વીને કરજ વગરની કરીને તૃણ સરખી ગણી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો. સર્વ નિકાયના દેવોએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કર્યો. હજાર દેવતાઓથી વહન કરાતી ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં જઈ સર્વ પાપવાળા વ્યાપારનો ત્યાગ કરી દિવસના ચોથા પ્રહરે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. તે સમયે ભગવંતને મન સંબંધી ભાવોને જાણનાર એવું ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી સંધ્યા સમયે પ્રભુ કુમારગામની પાસે મેરુપર્વત માફક અડોલપણે કાઉસ્સગ્નમાં ઉભા રહ્યા. રાત્રે નિષ્કારણ ક્રોધાયમાન થએલો આત્મ-શત્રુ ગોવાળિયો ભગવંતને ઉપસર્ગ કરવા લાગ્યો. એટલે ઈન્દ્ર મહારાજે અવધિજ્ઞાનથી પ્રભુને ઉપદ્રવ કરતો જાણી વિચાર્યું કે, ખરેખર ઉંદર જેમ મહાપર્વતને ખોદી નાખવા ઈચ્છે, તેમ દુષ્ટવર્તનવાળો આ ગોવાળિયો પ્રભુને ઉપદ્રવ કરવા તૈયાર થયો છે. ! કલ્યાણ કરનાર ભક્તિથી ઈન્દ્ર મહારાજ પ્રભુના ચરણ પાસે પહોંચ્યા એટલે ઉપદ્રવ કરનાર ગોવાળિયો માંકડ માફક ક્યાંય ભાગી ગયો. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૨ ત્યાર પછી ત્રણ પ્રદક્ષિણા કરીને મસ્તકથી પ્રણામ કરી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે ભગવંત ! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગોની પરંપરા થવાની છે, તો તે અટકાવવા માટે હું આપની પાસે રહેવા માંગું છું.” સમાધિ પૂર્ણ કરીને ભગવંતે ઈન્દ્રને કહ્યું. “હે ઈન્દ્ર ! અરિહંતો કદાપિ પારકી સહાયની અપેક્ષા રાખતા નથી. ત્યાર પછી જગદ્ગુરુ ચંદ્ર સરખી શીતલ વેશ્યાવાળા, સૂર્ય માફક તપના તેજથી દુ:ખે કરી સામે જોઈ શકાય તેવા, હાથી સરખા બળવાળા, મેરુ માફક અડોલ, પૃથ્વી પેઠે સર્વ સ્પર્શ સહન કરનાર, સમુદ્ર સરખા ગંભીર, સિંહ જેમ નિર્ભય, સારી રીતે આહુતિ કરેલ યજ્ઞના અગ્નિ માફક મિથ્યાદષ્ટિઓથી દુઃખે કરી જોવા લાયક, ગેંડાના શિંગડા માફક એકાકી, મોટા વૃષભ માફક બળવાળા, કાચબાની જેમ ગુપ્ત ઈન્દ્રિયવાળા, સર્પની જેમ એકાન્ત દૃષ્ટિવાળા, શંખ માફક નિરંજન, સોના જેવા ઉત્તમ રૂપવાળા, પક્ષી પેઠે વિપ્રમુક્ત, જીવ માફક સ્કૂલના-રહિત ગતિવાળા, આકાશ માફક આલંબન વગરના, ભારંડ પક્ષી જેમ અપ્રમત્ત, કમલિનીપત્ર માફક લેપ વગરના, શત્રુ અને મિત્ર, તૃણ અને સુવર્ણ અને પત્થર, મણિ અને માટી, આ લોક અને પરલોક, સુખ અને દુઃખ, ભવ અને મોક્ષ એ તમામ પદાર્થોમાં સરખા આશયવાળા, નિઃસ્વાર્થભાવે કરૂણા કરવામાં તત્પર મનવાળા હોવાથી, ભવ-સમુદ્રમાં ડૂબી રહેલા જગતના જીવોને ઉદ્ધાર કરવાની અભિલાષાવાળા પ્રભુ વાયુ માફક અપ્રતિબદ્ધ સમુદ્રની મેખલાવાળી, વિવિધ પ્રકારનાં ગામો, નગરો અને વનોવાળી પૃથ્વીમાં વિચરવા લાગ્યા. કોઈ વખતે દક્ષિણવાચા નામના દેશમાં પહોંચી શ્વેતાંબીનગરી તરફ જતા હતા, ત્યારે ગોવાળિયાના બાળકોએ કહ્યું, “હે દેવાર્ય ! શ્વેતાંબી નગરી તરફ આ સીધો માર્ગ જાય છે. પરંતુ આની વચમાં કનકખલ નામનો તાપસ-આશ્રમ છે. અત્યારે ત્યાં દૃષ્ટિ-વિષ સર્પ સ્થાન કરીને રહેલો છે. તેથી ત્યાં માત્ર વાયુ સિવાય પક્ષીઓ પણ ફરી શકતા નથી; માટે આ માર્ગને છોડીને આ વાંકા માર્ગે પધારો, કારણકે કાન તુટી જાય તેવા સુવર્ણથી સર્યું.” ભગવંતે ઉપયોગ મુક્યો એટલે તે સર્પને ઓળખ્યો કે, આગલા જન્મમાં કોઈ તપસ્વી સાધુ વહોરવા માટે ઉપાશ્રયથી બહાર ગયા. માર્ગમાં ચાલતા એક દેડકી પર તેનો પગ પડતા મૃત્યુ પામી. એક નાના સાધુએ આલોચના માટે તેને મરેલી દેડકી બતાવી. ત્યારે તે તપસ્વી સાધુએ ઉલ્ટી તેને લોકોએ મારેલી દેડકી બતાવીને કહ્યું કે, હે અધમ ક્ષુલ્લક ! આ સર્વ દેડકીઓ શું મેં મારી નાંખી છે? નિર્મલ બુદ્ધિવાળો નાનો સાધુ કંઈ પણ જવાબ આપતો નથી, અને એમ માને છે કે અત્યારે આ મહાનુભાવ ભલે ન માને, પણ સાંજે તો આલોચના કરશે. સાંજે પ્રતિક્રમણ-સમયે પણ તે આલોચ્યા વગર બેસી ગયા, ત્યારે ક્ષુલ્લકે વિચાર્યું, કે તે વિરાધનાની વાત ભૂલી ગયા જણાય છે. તેણે પેલી દેડકાની વિરાધના યાદ કરાવીને કહ્યું કે, તમે તેની આલોચના કેમ નથી કરતા ? તે સમયે તપસ્વી સાધુ ક્રોધાયમાન બની ક્ષુલ્લક સાધુને મારવા દોડ્યો. કોપાન્ધ બનેલો તપસ્વી સાધુ થાંભલા સાથે એવો અફળાયો કે ત્યાં જ મૃત્યુ પામી, શ્રમણપણું વિરાધિત કરી જ્યોતિષ્ક દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી તે કનકખલ આશ્રમમાં પાંચસો તપસ્વીના કુલપતિ સ્ત્રીનો કૌશિક નામનો પુત્ર થયો. ત્યાં કૌશિકગોત્રવાળા બીજા પણ ઘણાં કૌશિકો હતા. આ કૌશિક ઘણો ક્રોધી હોવાથી લોકોએ તેનું નામ “ચંડકૌશિક' પાડી દીધું, તેના પિતા મૃત્યુ પામ્યા એટલે પછી આ ચંડકૌશિક કુલપતિ બન્યો. તે કુલપતિ વનખંડની મૂછથી રાત-દિવસ વનમાં ભમ્યા કરતો અને કોઈને પણ ત્યાંથી પુષ્પ, મૂળ, ફળ કે પાંદડાં લેવા દેતો નહિ, નાશ પામેલા નિરુપયોગી ફળાદિકને પણ જો કોઈ ગ્રહણ કરે તો પરશુ કુહાડી લાકડી કે ઢેફાંથી તેનો ઘાત કરતો. ફળાદિ ન મળવાથી તે તપસ્વીઓ સદાવા લાગ્યા એટલે ઢેકું પડવાથી જેમ કાગડાઓ ઉડી જાય તેમ તેઓ જુદી જુદી દિશાઓમાં નાસી ગયા. કોઈક દિવસે કંદિકા માટે કૌશિક બહાર ગયો ત્યારે શ્વેતાંબીથી આવી રાજકુમારોએ તેને બગીચો ભાંગી તોડી વેર-વિખેર કરી નાંખ્યો. કૌશિક કંટિકા લઈ પાછો આવ્યો ત્યારે ગોવાળોએ તેને તે વાત જણાવી કે જાવો Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જુવો ! તમારો બગીચો કોઈ વિનાશ કરે છે. ઘીથી જેમ અગ્નિ પ્રજ્વલિત થાય. તેમ ક્રોધથી અત્યંત તપેલો તે કૌશિક તીક્ષ્ણ ધારવાળો કુહાડો ઉગામીને દોડ્યો. તે સમયે બાજપક્ષીથી જેમ બીજા પક્ષીઓ નાસી જાય તેની માફક રાજપુત્રો ત્યાંથી નાસી ગયા. તે તપસ્વી દોડતાં દોડતાં અલના પામી યમરાજાના મુખસરખા ઉંડા કૂવામાં પડ્યો. પડતાં પડતા હાથમાં ઉગામેલ તીક્ષ્ણ કુહાડો મુખ સન્મુખ હોવાથી તેનાથી મસ્તકના બે ટુકડા થઈ ગયા. અહો ! કર્મના વિપાકો કેવા ભોગવવા પડે છે ! તે મરીને આ જ વનમાં અતિક્રોધી દષ્ટિવિષ સર્પ થયો. ‘તીવ્ર અનુબંધવાળો ક્રોધ ભવાંતરમાં સાથે જાય છે.” “આ અવશ્ય પ્રતિબોધ પામશે' એમ વિચારી જગદગુરુ પોતાની પીડાની અવગણના કરીને તે જ સરળ માર્ગે ગયા. મનુષ્યોનાં પગ-સંચાર ન હોવાથી સરખી રેતીવાળું પાણી પીવાતું ન હોવાથી પ્રવાહ વગરની નીકવાળું, સુકાં જીર્ણ વૃક્ષવાળું, જીર્ણ પાંદડાના ઢગલાઓથી વ્યાપ્ત રાફડાના ટેકરાઓથી છવાયેલ, ઝુંપડીઓના સ્થાનો નાશ પામી અવાવરાં સ્થળ બની ગયા હતા. એવા અરણ્યમાં પ્રભુએ પ્રવેશ કર્યો અને ત્યાં યક્ષમાંડવીના મધ્યભાગમાં નાસિકાના અગ્રભાગ પર નેત્રદષ્ટિ સ્થાપન કરી પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યાર પછી અહંકારી સર્પ કાલરાત્રિના મુખની જિલ્લાની જેમ દરમાંથી બહાર ફરવા માટે નીકળ્યો. તે વનમાં ફરતા રેતીમાં સંક્રમણ થતી દેહની લેખાથી પોતાની આજ્ઞાનો લેખ લખતો હોય તેમ ભ્રમણ કરતા સર્વે પ્રભુને જોયા અને વિચાર્યું કે, “મને જાણ્યા વગર કે મારી અવજ્ઞા કરીને નિઃશંકપણે અહીં પ્રવેશ કરીને આ શંકુ માફક સ્થિર ઊભો રહ્યો છે; માટે હમણાં જ એને બાળી ભસ્મ કરી નાખું.” એમ કોપથી સળગતા તેણે ફણા ચડાવી. જ્વાલા-શ્રેણીને વમતી વેલડી વૃક્ષોને બાળતી નજરથી ભયંકર હુંફાડા મારતો તે પ્રભુને જોવા લાગ્યો. આકાશથી પર્વત પર દુઃખે કરી જોઈ શકાય તેવી ઉલ્કા જેવી તેની સળગતી દષ્ટિ-જ્વાલા ભગવંતના શરીર પર પડી પરંતુ મહાપ્રભાવવાલા પ્રભુને તે કંઈ નુકશાન કરી શકી નહિ. ગમે તેવો મહાન વાયરો મેરુ ને ચલાયમાન કરવા સમર્થ બની શક્તો નથી. અરે ! હજુ આ કાષ્ઠ માફક બળ્યો નહિ એમ ક્રોધથી વધારે તપેલો તે સૂર્ય તરફ વારંવાર દષ્ટિ કરીને ફરી દષ્ટિ-જ્વાલા છોડવા લાગ્યો. પરંતુ તે પણ પ્રભુને જળધારા સરખી બની, એટલે નિર્દય સર્વે પ્રભુના ચરણ-કમળ ઉપર ડંખ માર્યો. પોતાનું ઝેર આકરું છે. એટલે ડંખ મારી મારીને પોતે ત્યાંથી સરકી જાય છે, કે રખેને મારા ઝેરથી મૂછ પામેલો મને ચગદી ન નાંખે. વારંવાર ડંખવા છતાં પ્રભુને તેના ઝેરની કશી અસર ન થઈ. માત્ર દૂધની ધારા સરખું ઉજવલ લોહી ઝરવા લાગ્યું. ત્યાર પછી આગળ આવી આ શું? એમ વિચારતો વિલખો બનેલો સર્પ પ્રભુ તરફ જોવા લાગ્યો. પછી જગદગુરુના અનુપમ રૂપને નીહાળીને કાન્તિ અને સૌમ્યતા વડે એકદમ તેની બંને આંખો બુઝાઈ ગઈ. સર્પને ઉપશાંત થએલો જાણી ભગવંતે તેને કહ્યું, “હે ચંડકૌશિક ! તું પ્રતિબોધ પામ, સમજ અને મોહ ન પામ.” ભગવંતના તે વાક્યને શ્રવણ કરી મનમાં તે ઊહાપોહ કરતો હતો ત્યારે તેને પૂર્વભવોનું જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી તેણે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરીને કષાયોથી મુક્ત બની મનથી અનશન અંગીકાર કર્યું. અનશનકર્મ સ્વીકારનાર પાપકર્મ રહિત, પ્રશમરસમાં તરબોળ બનેલા તે મહાસર્પને જાણી પ્રભુએ તેને ઉપદેશ આપ્યો કે, “હવે તારે ક્યાંય પણ ન જવું.” “મારી આંખમાં ભયંકર ઝેર ભરેલું છે' એમ વિચારીને તે દરની અંદર મુખ રાખીને સમતારૂપ અમૃતનું પાન કરવા લાગ્યો. સ્વામી પણ તેની અનુકંપાથી ત્યાં જ રોકાયા “મહાપુરૂષોની પ્રવૃત્તિઓ બીજાના ઉપકાર માટે હોય છે. ' તેવી સ્થિતિમાં ઉભા રહેલા ભગવાનને દેખી આશ્ચર્યચકિત નેત્રવાળા ગોવાળો અને વાછરડાં ચરાવનારાઓ એકદમ ત્યાં દોડી આવ્યા. વૃક્ષોની વચ્ચે સંતાઈ ને હાથમાં જે પથરાં-ઢેફાં આવ્યા. તે વડે તેઓ મહાત્મા સરખા સર્પને નિર્દયતાથી મારવા લાગ્યા, તો પણ તેને અડોલ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩ અને સ્થિર રહેલ જોઈ વિશ્વાસી એવા તેઓ નજીક આવી તેના શરી૨ ૫૨ લાકડી વડે સ્પર્શ કરવા લાગ્યા. ગોવાળોએ આ વાત ગામ લોકો પાસે કરી એટલે લોકો ભગવંતની અને તે મહાસર્પની પૂજા કરવા લાગ્યા. તે માર્ગેથી વેચવા જતી ગોવાલણો નાગને ઘી અને માખણ ચોપડી સ્પર્શ કરે છે, તે ઘીની ગંધથી આકરા ડંખ દેતી કીડીઓએ તે સર્પના કલેવરને કોરીને ચાલણી સરખુ કર્યું. ‘મારા કર્મની આગળ આ વેદના કેટલી ? એ પ્રમાણે આત્માને પ્રતિબોધ કરતો તે મહાનુભાવ સર્પ અતિ દુઃસહ વેદનાને સહન કરતો હતો. આ વિચારી નિર્બલ કીડીઓ દબાઇ ચગદાઈ ન જાય એમ વિચારી તે મહાસર્પ પોતાના અંગને બિલકુલ ચલાયમાન કરતો ન હતો. ભગવંતની કૃપારૂપ અમૃતદૃષ્ટિથી સિંચાએલ આ સર્પ પંદર દિવસે મૃત્યુ પામી સહસ્ત્રાર નામના વૈમાનિક દેવલોકમાં ગયો. પોતાને વિવિધ ઉપસર્ગ કરનાર દૃષ્ટિવિષ ણિધર અને ભક્તિ કરનાર ઇન્દ્રને વિષે ચરમ તીર્થપતિ ત્રણ જગતના અદ્વિતીય બંધુ મહાવીર પરમાત્માની તુલ્ય મનસ્કતા કહી. || ૨ || ત્રીજા પ્રકારે ફરી યોગગર્ભિત સ્તુતિ કરે છે. ३ कृताऽपराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईषद्बाष्पार्द्रयो भद्रं श्रीवीरजिनेत्रयोः 11 ३ 11 અર્થ : અપરાધ કરનાર સંગમ આદિલોક ઉપર પણ કરૂણાથી નમેલી કીકીવાળા અને આંસુથી કંઈક ભીના થયેલા શ્રીવીરજિનેશ્વરના બે નેત્રોને કલ્યાણ-નમસ્કાર થાઓ. ।। ૩ ।। ૭ ટીકાર્થ : અપરાધ કરનાર સંગમ વગેરેને વિષે જેની કીકીઓ કરૂણાથી નમેલી છે તથા જેની આંખો લગાર અશ્રુજળથી ભીંજાએલી બની છે; એવી તે વીજિનની આંખોનું કલ્યાણ થાઓ અર્થાત્ સામર્થ્યથી નમસ્કાર કર્યો. તે વૃત્તાન્ત આ પ્રમાણે સંગમ દેવના ઉપસર્ગસમયે પ્રભુની ભાવકરૂણા એક ગામથી બીજા ગામે અને એક નગરથી બીજા નગરે વિહાર કરતા પ્રભુ કોઈક સમયે અનેક મ્લેચ્છ કુલોવાળી દઢભૂમિમાં પધાર્યા. પેઢાલ ગામની નજીક પેઢાલ ઉદ્યાનમાં તેમણે અક્રમતપ કરીને પોલાસ નામના ચૈત્યમાં પ્રવેશ કર્યો. નિર્જીવ શિલાતલ ઉપર ઉભા રહીને ઢીંચણ સુધી હાથ લાંબા કરી કંઈક નમેલા શરીરવાળા તેઓ અંતઃકરણ સ્થિર કરી આંખ મીંચ્યા વગર એક રાત્રિ સંબંધી મહાપ્રતિમા ધારણ કરીને રહેલા હતા. તે વખતે સુધર્મા સભામાં ચોર્યાસી હજાર સામાનિક દેવોથી પરિવરેલા, તેત્રીશ ત્રાયસિઁશ, ત્રણ, પર્ષદા, ચાર લોકપાલ, અસંખ્યાતા પ્રકીર્ણ દેવો, ચારે દિશામાં મજબૂત રીતે બાંધેલા બન્નર અને હથિયારવાળા ચૌર્યાશી હજાર અંગરક્ષક દેવો, સેનાથી પરિવરેલા સાત સેનાપતિઓ, આભિયોગિક, કિલ્બિષિક વગેરે દેવ-દેવીઓ તથા ત્રણ પ્રકારનાં વાંજિત્રો વગેરેથી પરિવરેલા, વિનોદથી વખત પસાર કરતાં, દક્ષિણ લોકાર્ધનું રક્ષણ કરનાર શક્ર નામના ઈન્દ્ર મહારાજા સિંહાસન ઉપર બેઠા. અધિજ્ઞાનથી ભગવંતને તેવા પ્રકારના રહેલા જાણી ઉભા થઈ પાદુકાનો ત્યાગ કરી ઉત્તરાસંગ કરી, ડાબો પગ ભૂમિ પર સ્થાપન કરી, જમણો પગ લગાર ઊંચો કરી, ભૂતલ ૫૨ મસ્તક નમાવી, તેણે શક્રસ્તવથી ભગવાનની સ્તુતિ કરી. પછી ઉભા થઈ સર્વાંગે રોમાંચકંચુક ધારણ કરનાર ઈન્દ્રમહારાજાએ આખી સભાને સંબોધી ક્યું. અરે ! સૌધર્મ દેવલોકવાસી સર્વ ઉત્તમ દેવો ! તમો મહાવીર ભગવંતનો અદ્ભૂત મહિમા સાંભળો પાંચ સમિતિ ધારણ કરનાર, ત્રણ ગુપ્તિથી પવિત્ર થએલા; ક્રોધ, માન, માયા, લોભને વશ કરનાર, આશ્રવ-રહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મમતા-વગરના વૃક્ષ કે એક પુદ્ગલમાં દિષ્ટ Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સ્થાપન કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા વીર ભગવંતને દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, નાગકુમાર, મનુષ્ય કે ત્રણે લોક એકઠા મળે તો પણ તેમને ધ્યાનથી ચલાયમાન કરવા સમર્થ બની શકે નહિ. આવા પ્રકારનું ઈન્દ્રનું વચન સાંભળી શકેન્દ્રનો સામાનિક દેવ લલાટપટ્ટમાં ભૂકટીની રચના કરવાથી ભયંકર, કંપતા હોઠવાળો, કોપથી લાલ આંખવાળો અભવ્ય ગાઢમિથ્યાત્વી સંગમ નામનો દેવ બોલ્યો. “હે દેવ ! શ્રમણ માત્ર એક મનુષ્યને આટલું વર્ણન કરી ઊંચી ટોચે ચડાવો છો, તે સત્યાસત્યના વિવાદમાં સ્વચ્છંદતાયુક્ત આપનું પ્રભુપણું જ કારણ છે. આને દેવો પણ ધ્યાનથી ચલાયમાન કરી શકે તેમ નથી. એવું સ્વામીનું ઉભટ વચન હૃદયમાં ધારણ પણ કેવી રીતે કરી શકાય ? કદાચ ધાર્યું હોય તો બોલાય કેમ ? આકાશ સુધી પહોંચે તેવા ઊંચા શિખરવાળા, પાતાલ સુધીના મૂળવાળા મેરુપર્વતને જે દેવો બે હાથથી ઢેફાં માફક ફેકી શકે, કુલપર્વતો સહિત પૃથ્વીને ડૂબાડવાની શક્તિવાળા, મહાસમુદ્રને કોગળા સરખો નાનો બનાવવાની તાકાતવાળા, અનેક પર્વતયુક્ત પૃથ્વીને પ્રચંડ બનેલા એક ભુજદંડથી જેઓ ઊંચકી શકે છે, એવા અસાધારણ ઋધ્ધિવાળા પરાક્રમી અને ઈચ્છા માત્રથી જ જેમની કાર્યસિદ્ધિ થાય છે, તો દેવો આગળ આ મનુષ્યમાત્ર ક્યા હિસાબમાં ? હમણાં જ હું તેને ધ્યાનથી ચલાયમાન કરીશ'- એમ કહી હાથ વડે ભૂમિ ઠોકી તે સભામંડપમાંથી ઉભો થયો. ‘અરિહંતો પારકી સહાયથી અખંડિત તપ કરે છે'- એમ રખે ન સમજે, તે કારણથી ઈન્દ્ર મહારાજાએ તે દુર્બુદ્ધિ દેવતાની ઉપેક્ષા કરી. ત્યાર પછી તેના ચાલવાના વેગથી પવનના સપાટાથી વાદળાંઓ પડવા લાગ્યા. રૌદ્ર આકૃતિ કરેલી હોવાથી ભયંકર દેખાતા તેના ભયથી અપ્સરાઓ આથી ખસી ગઈ. વિશાળ વક્ષસ્થળ અથડાવા યોગે જેણે ગ્રહમંડળને એકઠા કર્યા. એવો તે પાપી ત્યાં આવ્યો. જ્યાં પરમેશ્વર પ્રતિમા ધારણ કરી કાઉસ્સગ્ન કરી રહેલા હતા. નિષ્કારણ જગબંધુ વીર ભગવંતને તેવા પ્રકારના નિરુપદ્રવપણે રહેલા દેખી તેને વધારે ઈર્ષ્યા થઈ. દુષ્ટ એવા તે નીચ દેવે જગતપ્રભુના ઉપર અણધારી અશુભ ધૂળવૃષ્ટિ વરસાવી. રાહુ જેમ ચંદ્રને, મેઘાંધકાર જેમ સૂર્યને, તેમ ધૂળવૃષ્ટિએ પ્રભુના આખા શરીરને ઢાંકી દીધું.. ચારે બાજુ ધૂળવૃષ્ટિ થવાથી દરેક ઈન્દ્રિયોનાં દ્વારા પુરાઈ ગયાં. અને સ્વામી નિઃશ્વાસ-ઉચ્છવાસરહિત થયા. આટલું થવા છતાં જગદ્ગુરુ ધ્યાનથી તલમાત્ર પણ ચલાયમાન ન થયા. મોટા હાથીઓથી કુલ પર્વત શું ચલાયમાન થાય ખરા કે ? ત્યાર પછી ધૂળ દૂર કરીને સર્વાગે પીડા કરનારી વજ સરખા મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી. વસ્ત્ર સીવવા માટે જેમ સોય તેમ તીક્ષ્ણ મુખાઝવાળી કીડીઓ સ્વેચ્છાથી અંગના એક ભાગ તરફથી પ્રવેશ કરી, અને બીજી તરફથી બહાર નીકળી, નિભંગીની વાંછાઓ જેમ નિષ્ફળ જાય, તેમ કીડીના ઉપદ્રવમાં નિષ્ફળતા મળવાથી તેણે ડાંસોની વિમુર્ણા કરી. ‘દુરાત્માઓના દુષ્કૃત્યોનો અંત હોતો નથી. તેમના એક ડંખથી ગાયના દૂધ સરખું લોહી વહેવા લાગ્યું. જેથી ભગવાન ઝરણા વહેતા પર્વત સરખા દેખાવા લાગ્યા. તેવા ઉપસર્ગથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા. એટલે તે દુમતિ સંગમ દેવે અતિપ્રચંડ ડંખ દેનારી અને દુઃખે કરી જેનું નિવારણ થાય તેવી (લાલ રંગવાળી) ઘીમેલો વિદુર્થી. પ્રભુના શરીર પર તેનાં મુખો એવા ઊંડા ઉતરી ગયા કે ત્યાર પછી તે ઘીમેલોનો દેખાવ એવા પ્રકારનો દેખાવા લાગ્યો કે જાણે પ્રભુના શરીર પર રોમાંચ એક સાથે ખડાં થયા છે. તેવા ઉપસર્ગમાં પણ પ્રભુ પોતાના એકાગ્રતાવાળા યોગમાં અચલ ચિત્તવાળા રહ્યા, ત્યારે ધ્યાન-ભંગ કરવાના નિશ્વયવાળા તે દેવે મોટા વીંછી વિકુવ્ય. પ્રલયકાળના અગ્નિના તણખા સરખી કાન્તિવાળા, તપાવેલા બાણ સરખા ભયંકર પુંછના વાંકા કાંટાઓથી પ્રભુનું શરીર ભેદવા લાગ્યા. તેનાથી પણ નાથ ક્ષોભ ન પામ્યા, ત્યારે કૂટ સંકલ્પ કરનાર તેણે દાંતવાળા નોળિયા વિદુર્ગા. ખિખિ એવા શબ્દ કરતાં તેમણે દાઢો વડે ભગવાનના શરીરમાંથી માંસના ટુકડા તોડી તોડીને નીચે નાંખ્યા. તેમાં પણ તેની ઈચ્છા પાર ન પામવાથી કોપ પામેલા તેણે યમરાજના બાહુ સરખા ભયંકર અતિઉત્કટ ફટાટોપવાળા સર્પો Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩. બનાવ્યા. મહાવૃક્ષને જેમ કૌચલતા વીંટળાઈ વળે તેમ તેઓ એવી રીતે ફણા-પ્રહાર કરવા લાગ્યા, જેથી ફણાઓ પણ ત્યાં ફૂટવા લાગી, તેવી રીતે ડંખ મારે છે, જેથી તેના દાંત પણ ભાંગી ગયા. તેઓ નિર્વિષ બની દોરડા માફક નીચે ઢળી પડ્યા, ત્યાર પછી વજ સરખા કઠણ દાંતવાળા ઉંદરોને તરત જ વિદુર્ગા. તેઓ સ્વામીના અંગને કઠોર નખો, દાંતો અને મુખોથી કોરી કોરીને ખાવા લાગ્યા અને ઘા પર જેમ ક્ષાર પડે તેમ કોરેલા ઘા ઉપર મૂતરતા હતા. તેમાં પણ જ્યારે તે સર્વથા નિષ્ફળ થયો અને ભગવંતને ધ્યાનથી ચલાયમાન ન કરી શક્યો, ત્યારે ભૂતનો આવેશ થયો હોય તેમ ક્રોધથી પ્રચંડ દંતશૂળ રૂપી મુશળવાળું હાથીનું રૂપ વિકવ્યું. પગલાઓ પાડવા વડે જાણે પૃથ્વીને નમાવતો હોય તથા નક્ષત્રમંડળને અને આકાશને તોડતો હોય તેમ, તે ઊંચી સૂંઢ કરીને પ્રભુ સન્મુખ દોડ્યો. તે હાથીએ પ્રચંડ સૂંઢના અગ્રભાગથી પ્રભુને પકડીને આકાશતલમાં અતિ ઊંચા ઉછાળ્યા. પીંખાઈને આના ટુકડે ટુકડા થઈ જાય એવા ખરાબ આશયથી દંતશૂળ ઊંચા કરીને તે આકાશમાંથી પડતા પ્રભુને ઝીલી લે છે. દાંતની અણીમાં પડેલા ભગવાનને હાથી વારંવાર વજ સરખી કઠિન છાતીમાં વિધે છે. જેથી તેમાંથી તણખા ઉડતા હતા. તે રાંકડો હાથી કંઈ પણ કરવા સમર્થ ન થયો એટલે દૈવ વૈરિણી સરખી હાથણી બનાવી તેણે આખી સૂંઢ અને દાંતથી ભગવાનનું શરીર ભેદી નાંખ્યું અને ઇચ્છા પ્રમાણે વિષ સરખા શરીરના જળ વડે સિંચવા લાગી. તે હાથણીનો કરેલો પ્રયોગ ધૂળ ભેગો થયો, એટલે તે સુરાધમે મગરની દાઢ સરખા ઉત્કટ દાંતવાળા, અનેક જ્વાળામુક્ત અગ્નિકુંડ સરખા બીહામણા પહોળા ફાડેલ મુખ-કોટરવાળા, યમરાજાના મહેલના તોરણસ્તંભ સરખી લાંબી ભુજાવાળા, ઊંચા તાડ વૃક્ષની ઉપમાવાળા જંઘા-સાથળવાળા, અત્યંત અટ્ટહાસ, સ્કાર મોટા શબ્દથી ક્લિકિલારવ કરતા, ચામડાના વસ્ત્ર પહેરેલ, કટાર ધારણ કરનાર એવા પિશાચના રૂપની વિમુર્ણા કરીને તેણે ભગવંતને ઘણા ઉપદ્રવો કર્યા. ક્ષીણ થએલા તેલવાળો દીપક જેમ ઓલવાઇ જાય. તેમ તે પિશાચનો ઉપદ્રવ નિષ્ફળ ગયો અને ક્રોધ ભરાએલા તે નિર્દય દેવે એકદમ વાઘનું રૂપ તૈયાર કર્યું. હવે તે વાઘ પુછડું અફળાવવાથી પૃથ્વીને ફાડતો હોય, બુકાર શબ્દના પડદાથી પૃથ્વી અને આકાશને રોવડાવતો હોય, કાંટાની શૂળો સરખા નખો અને વજ સરખી દાઢા વડે તે વાઘ ભગવંત ઉપર એકસરખા ઉપદ્રવ કરવા લાગ્યો. તેમાં દાવાનળમાં બળી ગએલા વૃક્ષ જેવા તેને નિષ્ફળતા મળવાથી સિદ્ધાર્થરાજા અને ત્રિશલાદેવીનાં રૂપો બનાવ્યા. તે કહેવા લાગ્યા- “હે પુત્ર ! આવું અતિદુષ્કર આપે શું કરવા માંડ્યું ! આ દીક્ષા છોડી દે. અમારી પ્રાર્થનાની અવગણના ન કર. વૃદ્ધાવસ્થામાં નંદિવર્ધને અમારો ત્યાગ કર્યો છે અને અમે શરણ વગરના બન્યા છીએ, અમારૂં તું રક્ષણ કરએમ અત્યંત દીન સ્વરથી વિલાપ કરવા લાગ્યા. તેમના આવા વિલાપોથી પણ પ્રભુનું મન સ્નેહમાં ન લેપાયું ત્યારે દુરાચારી તે દેવે ત્યાં સૈન્યનો પડાવ વિકર્યો. ત્યાં રસોયાને ચૂલો કરવા પત્થરો ન મળ્યા, એટલે પ્રભુના બે પગનો ચૂલો બનાવી તેના પર હાંડલી ગોઠવી. તરત પર્વતની તળેટીમાં જેમ દાવાનલ તેમ પ્રભુના ચરણમાં અગ્નિ સળગાવ્યો, તે અધિક સળગવા લાગ્યો. તપેલા સુવર્ણની માફક પ્રભુની કાંતિ ઓછી ન થઈ. એટલે અધમ દેવે ભયંકર શબ્દ કરતું ભીલોનું રહેઠાણ વિકુવ્યું. ભીલોએ પ્રભુના કંઠ, કાન, ભુજા અને અંધાઓ વિષે શુદ્ર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યા. પક્ષીઓએ ચાંચ અને નખો વડે પ્રભુના શરીરમાં કાણાં પાડ્યા, જેથી પ્રભુનું શરીર સેકંડો. છિદ્રવાળું જાણે પાંજરું હોય તેવું દેખાવા લાગ્યું. તેમાં પણ પાકેલા પાંદડા માફક દેવે કંઈ સાર ન કાઢ્યો એટલે મહા ઉત્પાત કરનાર ખરવાતની (પ્રચંડ પવન) વિદુર્ણા કરી. મહાવૃક્ષોને આકાશમાં તૃણ માફક ઊંચે નીચે ફેરવતો અને દરેક દિશામાં પત્થર અને કાંકરા ધૂળ માફક ફેંકતો, પૃથ્વી અને આકાશમાર્ગને ધમણ માફક પૂરતો તે પવન ભગવંતને પણ ઉંચકી ઉંચકી નીચે અફાળતો હતો. તે ખરવાતથી પણ ન ફાવ્યો એટલે દેવના કુલમાં કલંક સમાન એવા તે દેવે વંટોળિયો પવન બનાવ્યો. મોટા મોટા પર્વતોને Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૦ ભમાવવા સમર્થ તે વંટોળિયા પવને પ્રભુને પણ ચક્ર પર રહેલા માટીના પિંડ માફક ભમાવ્યા. તેવા વંટોળિયા પવનથી સમુદ્રના આવર્તની જેમ ભમવા છતાં એકતાનવાળા પ્રભુનું ધ્યાન લગાર પણ ઓછું ન થયું. ‘વજ્ર-સરખા મનવાળો આ પૂરૂષ અનેક પ્રકારે કદર્થના કરવા છતાં ક્ષોભ પામતો નથી. એનું ધ્યાન ભગ્ન કર્યા સિવાય ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો એવો હું સભામાં કેવી રીતે જાઉં ? માટે એના પ્રાણનો નાશ કરીશ, તો જ ધ્યાન નાશ પામશે, નહીંતર નહિ,' એમ વિચારી અધમ દેવે કાલ ચક્ર બનાવ્યો ત્યાર પછી એક હજાર ભારવાળા વજન પ્રમાણ લોઢાના ઘડેલા ચક્રને રાવણે જેમ કૈલાશ પર્વતને ઉંચકયો, તેમ આ દેવે ઉપાડયું. પૃથ્વીને સંપુટ કરવા માટે બીજું પુટ જાણે તૈયાર કર્યું ન હોય તેવું કાલચક્ર ઊંચે ઉપાડીને પ્રભુના ઉપર ફેંક્યું. ઉછળતી જ્વાલાશ્રેણિ વડે સર્વ દિશાઓને ભયંકર કરતું સમુદ્રમાં જેમ વડવાનલ તેમ તે પ્રભુના ઉપર પડયું. મોટા પર્વતોનો ચૂરો કરવા સમર્થ આ ચક્રના પ્રભાવથી ભગવંત ઘુંટણ સુધી પૃથ્વીતલમાં ખૂંપી ગયા. આવી સ્થિતિમાં પણ ભગવંત વિચાર કરવા લાગ્યા કે, વિશ્વના સમગ્ર જીવોને તારવાની અભિલાષાવાળો હોવા છતાં હું આ બિચારા માટે સંસારનો કારણભૂત બનું છું. ? સંગમદેવે વિચાર્યુ કે, છેલ્લામાં છેલ્લો ઉપાય કાલચક્ર તેનાથી હણવા છતાં પણ આ મૃત્યુ ન પામ્યો. માટે હવે શસ્ત્ર કે અસ્ત્રના સિવાય બીજો કયો ઉપાય કરવો ? અનુકુળ ઉપસર્ગ કરવાથી કદાચ કોઈ પ્રકારે ક્ષોભ પામે એવી બુદ્ધિથી વિમાનમાં બેઠેલો તે આગળ આવી કહેવા લાગ્યો - ‘હે મહર્ષિ ! તમારા સત્ત્વથી અને પ્રાણોની દરકાર કર્યા વગર આરંભેલા અને નિરવાહ કરેલા તપના પ્રભાવથી હું તમારા પર તુષ્ટ થયો છું. હવે શરીરને કલેશ કરાવનાર એવા આ તપથી સર્યું, તમો કહો અને માગણી કરો કે હું તમને શું આપું ? આ વિષયમાં શંકા ન કરશો. જ્યાં ઈચ્છા થતાં જ મનોરથ પૂર્ણ થાય છે, એવું સ્વર્ગ તમને આ દેહ દ્વારા જ પ્રાપ્ત કરાવું? અથવા તો અનાદિભવનાં કરેલા કર્મોથી મુક્ત બનવા સ્વરૂપ એકાન્ત પરમાનંદવાળા મોક્ષમાં તમને લઈ જાઉં ? અથવા સમગ્ર રાજાઓ તમારી આજ્ઞા મસ્તકે ધારણ કરે એવું અખૂટ સંપત્તિવાળું સામ્રાજ્ય તમને આપું ?' આ પ્રમાણે પ્રલોભનનાં વાક્યોથી પ્રભુનું મન ક્ષોભ ન પામ્યું. તેમજ પ્રત્યુત્તર પ્રાપ્ત ન થવાથી પાપી દેવે ફરી આ પ્રમાણે વિચાર્યું કે, ‘આને મારી સમગ્ર શક્તિને નિષ્ફળ બનાવી છે, તો હવે માત્ર એક કામશાસનનો સફળ ઉપાય છે, તે અજમાવું કારણ કે કામના અન્ન સરખી કટાક્ષ કરનારી કામીનીઓની દિષ્ટ પડતાં મહાપુરૂષો પણ પુરુષવ્રતનું ખંડન કરનારા બને છે,' એમ ચિત્તથી નિશ્ચય કરીને દેવાંગનાઓ અને તેના વિલાસની સહાયક છ ઋતુઓ પણ સાથે વિક્ર્વી. મત્તકોકિલાના મધુર શબ્દોથી કરેલી પ્રસ્તાવનાવાળી કામદેવ-નાટકની મુખ્ય નટી સરખી, વસંતલક્ષ્મી શોભવા લાગી. વિકસિત કંદબપુષ્પોના પરાગથી મુખની સુગંધ બહલાવતી દિશા-વધૂઓની કળા શીખેલી દાસી સરખી ગ્રીષ્મઋતુની શોભા ફ્લાવા લાગી. કામદેવના રાજ્યાભિષેકમાં મંગલતિલકરૂપ, કેવડા પુષ્પના બાનાથી રોમાંચિત થએલ ‘સર્વાંગવાળી વર્ષાઋતુ શોભતી હતી. નવીન નીલકમળના બાનાથી હજા૨ નયનોવાળી બની પોતાની ઉત્કૃષ્ટ સંપત્તિને જાણે જોતી હોય તેવી શરદ-લક્ષ્મી શોભવા લાગી. શ્વેત અક્ષર સરખી તાજા મોગરાની કળીઓ વડે જાણે કામદેવની જય-પ્રશસ્તિ લખતી હોય તેવી હેમંતલક્ષ્મી વિકુર્તી, મોગરાનાં અનેક સિન્કુવારનાં પુષ્પોથી ગણિકા માફક આજીવિકા કરતી હેંમત સરખી સુગંધીવાળી શિશિરઋતુની શોભા બનાવી. આ પ્રમાણે ચારે બાજુ સર્વ ઋતુઓ પ્રગટ થઈ, ત્યારે કામદેવની ધ્વજા સરખી દેવાંગનાઓ ઉત્પન્ન થઈ. ત્યારપછી ભગવંત પાસે ખુલ્લા અંગોપાંગવાળી તેણીઓએ કામદેવને જિતવાનું મંત્રાણ સરખું સંગીત શરૂ કર્યું. કેટલીક દેવાંગનાઓ લયની ગોઠવણીપૂર્વક ગાંધાર ગ્રામ વડે મનોહર શુદ્ધ વીણાની જાતિઓ વગાડવાપૂર્વક, ગાયન ગાવા લાગી, સુલટા-ઉલટા' ક્રમવાળા તાન વ્યક્ત વ્યંજન-ધાતુ સહિત Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૪ ૧૧ સંપૂર્ણ કળાવાળી મધુર વીણા વગાડતી હતી. કેટલીક દેવાંગનાઓ પ્રગટ તકાર, ધોકારના પ્રકારોથી મેઘસરખા શબ્દવાળા ત્રણે પ્રકારનાં મૃદંગો વગાડતી હતી. વળી કેટલીક દેવીઓ આકાશ અને ભૂમિ પર ચાલતી આશ્ચર્ય કરાવનાર હાવ-ભાવથી નવા નવા કટાક્ષો કરતી નૃત્ય કરવા લાગી. વળી કેટલીક તો અંગના મરોડ કરવા પૂર્વક અભિનય કરે ત્યારે તૂટી જતા તેને કંચુકને અને ઢીલા થઈ ગએલા અંબોડાને બાંધતી પોતાના બગલને બતાવતી હતી. કેટલીક લાંબા પગના અભિનયના બાનાથી વારંવાર મનોહર ગોરોચનના લેપવાળા ગૌરવર્ણવાળા સાથળના મૂળને બતાવતી હતી. કેટલીક દેવીઓ ચણિયાની ઢીલી પડેલી ગાંઠને મજબૂત કરવાની લીલાથી વાવડી સરખું નાભિમંડલ પ્રગટ કરતી હતી. કેટલીક હસ્તિદંત જેવા હસ્તના અભિનયના બાનાથી વારંવાર ગાઢ રીતે અંગના આલિંગનની સંજ્ઞા કરતી હતી., વળી કેટલીક કમ્મર નીચેના અંદરના વસ્ત્રનું નાડું દૃઢ બાંધવાના બાનાથી ઉપરની સાડી ખસેડીને નિતંબ-બિંબોને પ્રગટ કરવા લાગી. અંગ-મરોડના બાનાથી મનોહર નેત્રવાળી કેટલીક દેવીએ છાતી પર પુષ્ટ અને ઉન્નત એવા સ્તનોને લાંબા સમય સુધી બતાવવા લાગી. “જો તમે વીતરાગ છો, તો અમોને રાગ કેમ ઉત્પન્ન કરો છો ? શરીર તરફ નિરપેક્ષ છો, તો પછી અમને છાતી કેમ અર્પણ કરતા નથી ? વળી જો તમે દયાળુ છો, તો પછી અચાનક ખેંચેલા ધનુષ્ય હથિયા૨વાળા કામદેવથી અમારૂં રક્ષણ કેમ કરતા નથી ? પ્રેમની લાલસાવાળી અમને કૌતુકથી તરછોડતા હો, તો તે અલ્પ સમય કરવું યોગ્ય ગણાય. પણ મરણ સુધી પકડી રાખવું યોગ્ય ન ગણાય.” કેટલીક દેવીઓ એમ કહેવા લાગી. “હે સ્વામિ ! કઠોરપણાનો ત્યાગ કરી કોમળ મનવાળા થાવ, અમને અમારા મનોરથો પૂર્ણ કરો. અમારી પ્રાર્થનાની ઉપેક્ષા ન કરો.”– એ પ્રમાણે દેવાંગનાઓના ગીત, વાંજિત્ર, નૃત્ય, વિલાસ, હાવભાવ તેમજ પ્રેમની મીઠી વાતોથી જગતપ્રભુ ક્ષોભ ન પામ્યા. આવી રીતે ઉપસર્ગ સહન કરવામાં આખી રાત્રિ પૂર્ણ થઈ ત્યાર પછી આહાર વગર વિચરતા પ્રભુને સુરાધમ તે સંગમદેવે છ મહિના સુધી ઉપદ્રવ કર્યા ‘હે ભટ્ટા૨ક ! તમો સુખેથી રહો અને ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરો. હવે હું જાઉં છું,' એમ કહી ખેદ પામેલો તે સંગમક છ મહિનાના અંતે ગયો. આવા પ્રકારના પાપકર્મ વડે આ બિચારો ક્યાં જશે ? અમારા સરખા તારકો વડે પણ એ તારી શકાય તેવો નથી' એ પ્રમાણે ભગવંત ચિંતા કરતા હતા, ત્યારે તેમની ચલિત બે નેત્ર-કીકીઓ કૃપાથી અશ્રુભીની બની હતી || ૩ || એ પ્રમાણે ઈષ્ટદેવને નમસ્કાર કરી મુક્તિમાર્ગના કારણભૂત યોગને કહેવાની અભિલાષાવાળા તે શાસ્ત્રનો પ્રસ્તાવ કરે છે— ૪ श्रुताम्भोधेरधिगम्य, स्वसंवेदनतश्चापि, सद्गुरोः 1 विरच्यते " ૪ I અર્થ : શ્રુતરૂપ સમુદ્રથી, સદ્ગુરુની પરંપરાથી, તેમજ સ્વાનુભવથી જાણીને હું યોગશાસ્ત્રની રચના કરું છું. || ૪ || सम्प्रदायाच्च योगशास्त्रं ટીકાર્થ : અહીં નિર્ણય ન કરાયેલા યોગની પદ-વાક્યોનાપ્રબંધવાળી રચના કરવી યોગ્ય નથી, તેથી ત્રણ હેતુવાળા યોગનો નિર્ણય જણાવ્યો. (૧) શાસ્ત્રથી (૨) ગુરુ-પરંપરાથી અને (૩) સ્વાનુભવથી એમ ત્રણ પ્રકારે યોગનો નિર્ણય કરી તે શાસ્ત્રની રચના કરાય છે, એ વાતનો નિર્વાહ કરવા કહે છે– શ્રુત સમુદ્રથી, સ્વગુરુના મુખથી અને સ્વાનુભવથી યોગને જાણીને, નિર્ણય કરીને તે યોગનું શાસ્ત્ર રચાય છે, એ જ અંતમાં કહેવાશે- “શાસ્ત્રથી, સ્વગુરુના મુખથી અને અનુભવથી જે ક્યાંક કંઈક યોગની ઉપનિષદ્ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જાણી. જે વિવેકીઓની પરિષદ્ના ચિત્તને ચમત્કારી કરનારી છે, તેને શ્રીચૌલુક્યશવંશના કુમારપાલ રાજાની અત્યંત પ્રાર્થનાથી હેમચંદ્રાચાર્યે વાણીના માર્ગમાં સ્થાપન કરેલી છે. || ૪ || યોગના જ માહાત્મ્યને કહે છે : ५ योगः सर्व्वविपद्बल्ली अमूलमन्त्रतन्त्रं च विताने परशुः शितः । निर्वृतिश्रियः कार्म्मणं, ॥ ક્ II અર્થ : યોગ સર્વ આપત્તિરૂપ વેલડીના સમૂહને કાપવા માટે તીક્ષ્ણ ધારવાલા કુહાડા સમાન છે, તેમ મૂળ મંત્ર તંત્ર વગરનું મોક્ષલક્ષ્મીનું વશીકરણ કરવાનું કાર્પણ છે. ॥ ૫ ॥ ટીકાર્થ : આધ્યાત્મિક ભૌતિક, દૈવિક આપત્તિઓ રૂપ વેલડીઓના સમૂહને છેદવા માટે તીક્ષ્ણ પરશુ સમાન યોગ અનર્થફળનો નાશ કરનાર છે, પાછલા અર્ધા શ્લોકથી પરમપુરષાર્થરૂપ મોક્ષની પ્રાપ્તિ જણાવે છે. જગતમાં કાર્મણ કરવા માટે મૂળ, મંત્ર-તંત્રોના વિધાન કરવા પડે છે. પરંતુ મૂળ-મંત્ર-તંત્ર રહિત યોગ એ મોક્ષલક્ષ્મીને વશીકરણ કરવાનો અમોઘ ઉપાય છે. | ૫ || ६ भूयांसोऽपि हि पाप्मानः, प्रलयं यान्ति योगतः 1 चण्डवाताद् घनघना, घनाघनघटा इव 11 ६ 11 અર્થ : પ્રચંડ પવનથી જેમ ગાઢ વાદળાની શ્રેણિ વિખેરાઈ જાય છે, તેમ યોગથી ઘણાં પાપો વિનાશ પામે છે. || ૬ || ટીકાર્થ : એક જન્મમાં ઉપાર્જન કરેલ પાપ યોગથી નાશ પામે, પણ અનેક ભવ-પરંપરામાં ઉપાર્જન કરેલા અનેક પાપોનો વિનાશ યોગથી થવો અસંભવ છે || ૬ || એવી શંકા થાય, તેના સમાધાનમાં જણાવે છે– 1 ७ क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि प्रचितानि यथैधांसि क्षणादेवाशुशुक्षणिः 11 ७ " અર્થ : જેમ અગ્નિ લાંબા સમયથી એકત્રિત કરેલા ઈંધનને એક ક્ષણમાં જ બાળી નાંખે છે, તેમ યોગ ચિરકાળથી એકઠા કરેલા પાપોનો ક્ષય ક્ષણવારમાં કરે છે || ૭ || ટીકાર્થ : જેમ લાંબા કાળથી એકઠાં કરેલા ઈંધણને અગ્નિ ક્ષણવારમાં બાળી નાંખે છે, તેમ લાંબા કાળથી અનેક ભવોનાં ઉપાર્જન કરેલાં પાપોને પણ ક્ષણમાત્રમાં ક્ષય કરવા યોગ સમર્થ છે. || ૭ || યોગનું બીજું ફળ જણાવે છે—– ८ 1 सर्वोषधिमहर्द्धयः यौगं ताण्डवडम्बरम् "I ८ "I અર્થ : કફ, ઝાડો, અને કાન-નાક આદિ શરીરના અવયવોમાં ઉત્પન્ન થયેલો મળ, હાથ આદિ અંગોનો સ્પર્શ આદિ સઘળી ઔષધિઓ જે મોટી ઋદ્ધિરૂપ ગણાય છે અને સંભિન્નશ્રોત લબ્ધિ જે પ્રાપ્ત થાય છે, તેમાં યોગનો જ પરમ પ્રભાવ છે. || ૮ | ટીકાર્થ : કફ, શ્લેષ્મ, વિષ્ટા, કાન, દાંત, નાસિકા, આંખ જિલ્લા અને શરીરમાં થએલા મેલો, હાથ कफविप्रुण्मलामर्श सम्भिन्नश्रोतोलब्धिश्च - Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૫-૮ ૧૩ વગેરે વડે સ્પર્શ કરવો. વિષ્ટા, મૂત્ર, કેશ નખ વગેરે કહેલા અને નહિ કહેલા આ સર્વ પદાર્થો યોગના પ્રભાવથી ઔષધિઓ બની જાય છે, એટલું જ નહિ, પરંતુ અણિમાદિ, “સંભિન્નશ્રોતાદિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે યોગનો ઉત્કૃષ્ટ પ્રભાવ છે. તે આ પ્રમાણે– સનતકુમાર ચક્રવર્તીની કથા સનતકુમાર માફક યોગીઓનાં કફ-બિન્દુઓ પણ યોગના પ્રભાવથી સર્વ રોગ દુર કરનાર બને છે. હસ્તિનાપુર નગરમાં પૂર્વ છખંડ પૃથ્વીને ભોગવનાર સનતકુમાર નામના ચોથા ચક્રવર્તી થયા. કોઈક સમયે સુધર્મા નામની દેવસભામાં ઈન્દ્ર મહારાજે વિસ્મય પામીને તેની અપ્રતિમ રૂપસંપત્તિનું વર્ણન કર્યું કે, કુરુવંશ-શિરોમણિ સનતકુમાર ચક્રવર્તીનું જે પ્રકારનું રૂપ છે, તેવું દેવ કે મનુષ્યમાં ક્યાંય નથી. આવા પ્રકારના રૂપની પ્રશંસા નહીં માનનારા વિજય અને વૈજ્યન્ત નામના બે દેવો પૃથ્વી પર નીચે આવ્યા. ત્યાર પછી તે બંને દેવો બ્રાહ્મણોનું રૂપ કરી તેના રૂપની ખોળ કરવા માટે રાજાના મહેલના દરવાજા પાસે દ્વારપાળ પાસે રહ્યા. તે સમયે સનતકુમાર પણ ન્હાવાની તૈયારી કરતા હતા. સર્વ વેષનો ત્યાગ કરી સર્વાગે તેલ માલિસ કરાવી રહેતા હતા. દ્વારપાળ દરવાજે ઉભેલા બે બ્રાહ્મણની વાત રાજાને નિવેદન કરી, એટલે ન્યાયવાન ચક્રવર્તી રાજાએ પણ તુરત જ ત્યાં તેમનો પ્રવેશ કરાવ્યો. સનતકુમારને દેખીને વિસ્મયથી વિકસિત બનેલા મનવાળા તે બંને મસ્તક ધુણાવી વિચાર કરવા લાગ્યા. અષ્ટમી રાત્રિના ચંદ્ર સરખું લલાટ, કાન સુધી પહોંચે તેવા બે નેત્રો, નીલકમળને જિતનાર શરીર-કાંતિ, પાકેલા ચિલોડા ફળ સરખી કાંતિવાળા બે હોઠ, છીપ સરખા બે કાન, પાંચજન્ય શંખથી ચડિયાતો કંઠ, ઐરાવણ હાથીની સૂંઢનો તિરસ્કાર કરનાર બે હાથ, મેરુપર્વતની શિલાની શોભાને લુંટનાર વક્ષસ્થલ. સિંહ બચ્ચાના ઉદર સરખી કેડ, તેના કેટલાં અંગો વર્ણવવા? આખા અંગની શોભા વર્ણવવી તે વાણીના વિષયની બહાર છે. અહો ! જયોત્ના વડે જેમ નક્ષત્રની પ્રજા તેમ આના અઢળક લાવણ્ય-નદીપ્રવાહમાં અભંગન પણ જાણી શકાતું નથી. ઈન્દ્ર મહારાજે જેવું વર્ણન કર્યું હતું તે જ પ્રમાણે આનું રૂપ છે–એમાં ફેરફાર નથી. મહાત્માઓ કદાપિ પણ ખોટું બોલતા નથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણો ! તમે બંને શા માટે અહીં આવ્યા છો ? એ પ્રમાણે સનતકુમારે પુછ્યું ત્યારે તેઓએ કહ્યું કે, નરસિંહ ! ચરાચર એવા આ ભુવનમાં તમારું રૂપ લોકોત્તર અને આશ્ચર્ય કરનારું છે, તે પૃથ્વીન્દ્ર ! દૂરદૂરથી આપના રૂપનું વર્ણન સાંભળી કુતુહલ થઈ અમે જોવા માટે આવેલા છીએ. હે રાજન્ ! લોકમાં અમે અભૂત-રૂપ-વર્ણન સાંભળ્યું. પરંતુ તેથી પણ તમારું રૂપ વધારે દેખીએ છીએ. હાસ્યથી વિકસિત થએલા સનતકુમારે પણ કહ્યું. અત્યંગ કરેલા અંગની આ કાન્તિ થઈ નથી. તે ઉત્તમ બ્રાહ્મણો ! આ બાજું થોડીવાર બેસો અને મારું સ્નાનકાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી થોડી રાહ જુઓ, અનેક આશ્ચર્યકારી વિવિધ વેષભૂષાવાળું ઘણાં આભૂષણો પહેરેલ એવા પ્રકારનું રત્નજડિત સુવર્ણ સરખું રૂપ ફરી જો જો, ત્યાર પછી અવનિપતિ સનતકુમાર સ્નાન કરી વેષભૂષા સજી આડંબરથી ચંદ્ર જેમ આકાશમાં, તેમ સભામાં બિરાજ્યા, રાજાએ ત્યાર પછી બંને બ્રાહ્મણોને બોલાવ્યા, એટલે રાજા સામે આવીને રાજાના રૂપને જોઈને બંને વિચારવા લાગ્યા કે, ક્ષણવારમાં તે રૂપ, તે કાંતિ, તે લાવણ્ય ક્યાં ગયું ? મનુષ્યોનાં સર્વે પદાર્થો ક્ષણિક છે. રાજાએ તેમને પૂછ્યું કે, પહેલાં તમો મને દેખીને હર્ષ પામ્યા હતા. અત્યારે એકદમ વિષાદથી મલિન મુખવાળા કેમ બની ગયા? ત્યારે તે અમૃત સરખા વચનથી કહેવા લાગ્યા, હે મહાભાગ્યશાળી અમે બંને સૌધર્મ દેવલોકવાસી દેવો છીએ. ઈન્દ્ર મહારાજે દેવ-પર્ષદામાં તમારા રૂપની પ્રશંસા કરી, તેમાં અશ્રદ્ધા કરતાં અને મનુષ્યનું રૂપ ધારણ કરી તમારૂં રૂપ જોવા માટે અહીં ૧ ગમે તે ઈન્દ્રિયથી ગમે તે ઈન્દ્રિયનો વિષય જાણી શકાય તેવી જ્ઞાનશક્તિ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૪. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આવ્યા, શક્રમહારાજે વર્ણવેલ રૂપવાળું શરીર પ્રથમ યથાર્થ જોયું પરંતુ હે રાજા ! હાલમાં તે વિપરીત બની ગયું છે. અત્યારે તમારો દેહ નિશ્વાસથી જેમ દર્પણ તેમ સર્વકાંતિ હરણ કરનાર વ્યાધિથી ચારે બાજુ આક્રાન્ત થયો છે. સાચી હકીકત જણાવીને તે બંને અદશ્ય થયા અને રાજાએ હિમથી બળેલા વૃક્ષ સરખા નિસ્તેજ પોતાના દેહને જોયો અને વિચાર્યું કે હંમેશા રોગના ઘર સરખા આ શરીરને ધિક્કાર થાઓ. તુચ્છ બુદ્ધિવાળા ભોળાઓ જે વગર ફોગટની તેની મમતા કરે છે. ભયકંર લાકડું કોરી ખાનાર ઘુણ કીડાસમુદાયથી જેમ લાકડું તેમ વિવિધ પ્રકારની વ્યાધિઓ શરીરમાં ઉત્પન્ન થઈ આ શરીરને કોરી ખાય છે, બહારથી આ શરીર ભલે ગમે તેવું દેખાય. પણ વડલાના ફળ માફક તો કીડાઓનાં ફલોથી વ્યાપ્ત હોય છે. જેમ સુશોભિત મહાસરોવરને પાણીની સેવાલનો જથ્થો, તેમ કાયાની રૂપસંપત્તિને રોગ તત્કાલ નાશ કરે છે. શરીર ઢીલું થાય છે પણ આશા ઘટતી નથી. રૂપ ચાલ્યું જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી. જરા વધતી જાય છે પણ જ્ઞાનવૃદ્ધિ પામતું નથી. આત્માઓનાં આવા સ્વરૂપને ધિક્કાર થાઓ. આ સંસારમાં ઘાસના અગ્ર ભાગ પર રહેલા જળબિન્દુ સરખા રૂપ, લાવણ્ય, કાન્તિ, શરીર, ધન, વગેરે સર્વ પદાર્થો ચિંચળ છે, આજ કે કાલ નાશ પામવાના સ્વભાવવાળા સંસારી આત્માઓનાં શરીરનું મોટું ફળ હોય તો માત્ર સકામ નિર્જરા કરનારું તપ છે. આ પ્રમાણે વૈરાગ્યભાવના ભાવતાં તે રાજા દીક્ષા લેવાની અભિલાષાવાળો થયો અને તેણે પુત્રનો રાજ્યાભિષેક કર્યો; વિનયપૂર્વક ઉદ્યાનમાં જઈ વિનંયધર સૂરિ પાસે સર્વ સાવધવિરતિ-પ્રધાનતાવાળો તપ અંગીકાર કર્યો. મહાવ્રતોને તેમજ ઉત્તર ગુણોને ધારણ કરનાર એક ગામથી બીજા ગામે વિહાર કરતાં સમતાવાળા એકાગ્ર ચિત્તવાળા યુક્ત રાજર્ષિ વિચરી રહેલા છે, ત્યારે જેમ હાથીનું ટોળું યુથપતિની પાછળ જાય, તેમ ગાઢ અનુરાગવાળું પ્રજા-મંડળ પાછળ પાછળ ગયું. કષાય વગરના ઉદાસીન નિર્મમ નિષ્પરિગ્રહ એવા તેમની છ મહિના સેવા કરી તેઓ કોઈપણ પ્રકારે પાછા ગયા. યથાવિધિ ભિક્ષા ગ્રહણ, અકાલે અપથ્ય ભોજન કરવા વડે કરીને સંપૂર્ણ દોહલા વડે જેમ ગર્ભ વૃદ્ધિ પામે તેમ આની વ્યાધિઓ વૃદ્ધિ પામવા લાગી. ખરજવું, સોજો, તાવ, શ્વાસ, અરુચિ, પેટનો વ્યાધિ અને આંખની વેદના એવી સાત પ્રકારની વેદના આ મહાત્માએ સાતસો વર્ષો સુધી સમતાપૂર્વક સહન કરી. દુસ્સહ સમગ્ર પરિષદોને સહન કરતાં તેના નિવારણનો ઉપાય ન આચરતાં એવા તેમને લબ્ધિઓ પ્રગટ થઈ. આ સમયે હૃદયમાં ચમત્કાર પામેલા ઈન્દ્ર મહારાજે દેવોને ઉદેશીને તેની પ્રશંસા કરી કે “સળગતા ઘાસના પૂળાની માફક ચક્રવર્તીપણાની સંપત્તિનો ત્યાગ કરી આ સનતકુમાર મુનિ દુષ્કર તપ તપે છે. તપના પ્રભાવથી સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પોતાના શરીરની પણ અપેક્ષા ન કરતાં પોતાના રોગોની ચિકિત્સા કરતા નથી” આ વાતની અશ્રદ્ધા કરતા વિજય અને વૈજયન્ત નામના બે દેવો વૈદ્યનું રૂપ ધારણ કરી તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “હે ભાગ્યશાળી ! તમે રોગોથી શા માટે હેરાનગતિ ભોગવો છો ? અમે વૈદ્યો છીએ અને અમારા ઔષધ વડે સર્વની ચિકિત્સા કરીએ છીએ. રોગગ્રસ્ત શરીરવાળા તમે અમને રજા આપો તો તે જ દિવસે તમારા રોગોનો ઉપાય કરી મટાડી દઈએ તે વખતે સનતકુમારે પ્રત્યુત્તર આપ્યો. “હે ચિકિત્સકો ! જીવને બે પ્રકારના રોગો હોય છે– એક દ્રવ્ય રોગ અને બીજો ભાવરોગ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે ભાવરોગો શરીરધારી પ્રાણીઓને હોય છે, જે હજારો જન્મો સુધી જીવની સાથે રહેનારા તેમજ અનંત દુઃખ દેનારા છે, તેવા રોગો જો તમે મટાડી શકતા હો તો તમે ચિકિત્સા કરો અને જો તમે માત્ર શરીરના દ્રવ્યરોગ મટાડનારા હો, તો તમે જુઓ.” ત્યાર પછી સડી ગયેલી પરુ ઝરતી આંગળી ઉપર પોતાના કફના બિન્દુઓનો લેપ કર્યો એટલે સિદ્ધરસ વડે જેમ તાંબાને તેમ એકદમ તેને સુવર્ણ કાંતિવાળી બનાવી. ત્યાર પછી સુવર્ણસળી સરખી ચળકતી આંગળીને Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૮ ૧૫ દેખી તેઓ તેના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે, ‘પહેલાં અમે તમારું રૂપ જોવા આવ્યા હતા, તે જ અમે બંને દેવો છીએ. ઈન્દ્ર મહારાજાએ કહ્યું કે, લબ્ધિઓ સિદ્ધ થવા છતાં પણ વ્યાધિની પીડાઓ સ્વેચ્છાએ સહન કરી સનતકુમાર ભગવાન તપ તપે છે. તે કારણે અમે અહીં આવ્યા અને પ્રત્યક્ષ પરીક્ષા કરી.’ એમ કહી તે દેવો નમસ્કાર કરી અદશ્ય થયા. કફલબ્ધિનું તો માત્ર તમને દૃષ્ટાંત આપ્યું. ગ્રંથવિસ્તાર થવાના ભયથી બીજી અનેક લબ્ધિઓ અહીં કહેતા નથી. યોગના પ્રભાવથી યોગી પુરૂષોની વિષ્ટા પણ રોગોના નાશ માટે થાય છે અને તેમાંથી કમળ સરખી સુગંધ પણ મહેકે છે. સર્વ દેહધારીઓનો મલ બે પ્રકારનો માનેલો છે. એક કાન, નેત્ર, આદિમાંથી નીકળનારો, બીજો શરીર પર થયેલો. યોગીઓના યોગ-પ્રભાવથી બંને પ્રકારનો મલ સર્વ રોગીઓના રોગ દૂર કરનાર તથા કસ્તૂરીના સરખી સુગંધવાળો હોય છે. યોગીઓની કાયાનો સંસ્પર્શ અમૃતરસ વડે જાણે સિંચાયો હોય તેમ તે જ ક્ષણે સર્વ રોગોનો વિનાશ કરે છે, યોગીઓના શરીરમાં રહેલા નખો, કેશો અને દાંતો તેમજ બીજા અવયવો ઔષધિપણાને ધારણ કરે છે; તેથી તેને સર્વોષધિ કહેલી છે. તે આ પ્રમાણે-તીર્થનાથના અને યોગ ધારણ કરનાર ચક્રવર્તીઓના દેહના હાડકાના સર્વ સમૂહ સર્વ દેવલોકમાં પૂજાય છે, વળી કહ્યું છે કે– વિવિધ લબ્ધિઓ જેમના શરીરના સંગમાત્રથી સ્પર્શાએલ વરસાદનું પાણી જે નદી કે વાવડીમાં રહેલું હોય તે પાણી સર્વ રોગને હરણ કરનાર થાય છે. જેના શરીરનો સ્પર્શ ઝેર વ્યાપેલો કે મૂર્છા પામેલાને અડકે તો તેના સ્પર્શ માત્રથી નિર્વિષ અને મૂર્છા વગરનો બની જાય છે. ઝેર-મિશ્રિત અન્ન પણ જેના મુખમાં પ્રવેશ કરે. તે અન્ન પણ ઝેર વગરનું બની જાય છે. મહાઝેર અને મહાવ્યાધિથી પીડાતા પણ તેમના વચન શ્રવણથી અને દર્શન માત્રથી પણ ઝેરના વિકારથી મુક્ત બને છે. આ સર્વ સર્વોષધિનો પ્રકાર છે. આ કફ વગેરે મોટી ઋદ્ધિઓ સરખા છે, અથવા તો મોટી ઋદ્ધિઓ જુદી વૈક્રિય લબ્ધિઓ અનેક પ્રકારની છે. અણુત્વ, મહત્ત્વ, લઘુત્વ, ગુરુત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, અપ્રતિઘાતિત્વ, અંતર્ધાન, કામરૂપિત્વાદિ અનેક ભેદવાળી સમજવી. અણુ જેવડું શરીર વિષુર્થીને તંતુના છિદ્રમાં પ્રવેશ કરી શકે અને ત્યાં ચક્રવર્તીના ભોગો પણ ભોગવે. મેરુથી પણ મોટું શરીર કરવાનું સામર્થ્ય, વાયુથી પણ હલકુ શરીર બનાવવાની તાકાત, વજ્રથી પણ વધારે વજનદાર શરીર બનાવી મહાબળવાળા ઈન્દ્રાદિકને પણ દુઃસહ બને, પ્રાપ્તિ = એટલે ભૂમિ પર રહેલો આંગળીના અગ્રભાગથી મેરુ પર્વતના અગ્રભાગને અને સૂર્યને પણ સ્પર્શ કરી શકે તેવું સામર્થ્ય હોય. પ્રાકામ્ય = એટલે પાણીમાં ભૂમિ પર ચાલે તેમ ચાલવાની અને પાણીની માફક ભૂમિ પર તરવાની અને ડૂબવાની શક્તિ, ઈશિત્વ-ત્રણ લોકની પ્રભુતા-તીર્થંકર અને ઈન્દ્રની ઋદ્ધિ વિપુર્વણા કરવાની શક્તિ, વશિત્વ-સર્વ જીવોને વશ કરવાની શક્તિ, અપ્રતિઘાતિત્વ = પર્વતની અંદર પણ રોકાયા વગર ગમન કરવાની શક્તિ. અંતર્ધાન-અદૃશ્ય બનવાની શક્તિ. કામરૂપિત્વ-એકી સાથે અનેક રૂપો કરવાની શક્તિ-એ વગેરે મહાઋદ્ધિઓ જાણવી. અથવા પ્રકૃષ્ટ શ્રુતાવરણ અને વીર્યાન્તરાય અને કર્મના ક્ષયોપશમથી પ્રગટ થએલ અસાધારણ પ્રજ્ઞાઋદ્ધિના લાભથી બાર અને ચૌદ પૂર્વે ભણવા છતાં પણ ચતુર્દશપૂર્વી જે પદાર્થનું નિરૂપણ કરે છે, તેવા ગંભીર-અઘરા અર્થને નિરૂપણ કરવાની બુદ્ધિવાળા પ્રાજ્ઞ-શ્રમણો સમજવા, વળી બીજા વિદ્યાધર-શ્રમણો તેઓ કહેવાય જેઓ દશ પૂર્વે ભણેલા હોય, રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે મહાવિદ્યાઓ અને અનુષ્ટ-પ્રસેનિકાદિ અલ્પવિદ્યા જાણનારાઓની અત્યંત ઋદ્ધિને પણ આધીન ન થાય તેઓના વિષયમાં ન આવે, વિદ્યા-વેગ ધારણ કરનાર હોવાથી. કેટલાક બીજ, કોષ્ટ, પદાનુસારી બુદ્ધિની ઋદ્ધિવાળા હોય છે. બીજબુદ્ધિવાળા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ - તેઓ કહેવાય, જેઓ બુદ્ધિપૂર્વક સારી રીતે ખેડેલી જમીનવાળા ક્ષેત્રમાં ફળદ્રુપ જમીન, વરસાદનું જળ વગેરે અનેક વિશેષ કારણોની અપેક્ષાએ બગડ્યા વિનાનું એક બીજ જેમ અનેક ક્રોડો બીજને આપનાર થાય છે. તેમ જ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમના અતિશયપણાની પ્રાપ્તિ યોગે એક અર્થરૂપ બીજ-શ્રવણના યોગે અનેક અર્થરૂપ બીજોની પ્રાપ્તિ કરનાર, બીજબુદ્ધિવાળા, કોષ્ઠબુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ કાષ્ઠાગારિએ સ્થાપન કરેલા એકબીજા ધાન્યો એક બીજામાં ભળી ન જાય, સડીને બગડી ન જાય તેવી રીતે ઘણાં ધાન્ય બીજા કોઠારમાં સારી રીતે સચવાઈ-જળવાઈ રહે છે, તેમ બીજાની પાસેથી સાંભળી અવધારણ કરેલા શ્રુતના અર્થો રૂપ ગ્રંથ-બીજો અનેક હોવા છતાં સ્મરણ કર્યા વગર તેને તે જ પ્રમાણે યાદ રાખવા. વિસ્મરણ થવા ન દેવો તે રૂપે અર્થનું સ્મરણ રહેલ હોવાથી કોઇ-બુદ્ધિવાળા. પદાનુસારી બુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ તે ગ્રંથના પ્રથમ પદ કે અર્થને બીજા પાસેથી સાંભળી અન્ત્યપદ સુધીના આખા ગ્રંથની વિચારણા કરવા સમર્થ અત્યંત તીવ્રબુદ્ધિ ધરાવે. પ્રતિશ્રોત પદાનુસારિ બુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ અન્ત્યપદના અર્થ કે ગ્રંથને બીજાની પાસેથી સાંભળીને આદિપદ સુધીના અર્થ કે ગ્રંથને યાદ કરવાની બુદ્ધિવાળા હોય. ઉભયપદાનુસારિ બુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ ગ્રંથના વચલા અર્થ કે પદને બીજાની પાસે જાણી આદિથી અંત સુધીના તમામ પદોના સમૂહો, પ્રતિનિયત અર્થરૂપી ગ્રંથ-સમુદ્ર પાર પામવા માટે સમર્થ એવી અસાધારણ અતિશય-તીવ્રબુદ્ધિવાળા હોય. એકપદનો અર્થ જાણવાથી અનેક અર્થો જાણવાની શક્તિવાળો બીજબુદ્ધિવાળો અને એક પદ જાણીને બીજા પદોને જાણનાર પદાનુસારી બુદ્ધિવાળો કહેવાય. આટલું વિશેષ સમજવું તથા મન, વચન અને કાયાના બળવાળા તેમાં નહિ તે અક્ષીણ મહાનસ લબ્ધિ કહેવાય, અક્ષીણ – મહાનસની લબ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ જે. તેમાં મનોબલી તે કહેવાય જેઓ ઘણાં જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ-વિશેષથી અંતરમુહૂર્તમાં સારભૂત તત્વનો ઉદ્ધાર કરી સમગ્ર શ્રુતસમુદ્રમાં અવગાહન ક૨વા સમર્થ નિર્મળ મનને ધારણ કરનાર હોય. એક અંતમુહૂર્તમાં સમગ્ર શ્રુતવસ્તુ બોલી જવા સમર્થ હોય,તે વાદ્બલી કહેવાય. અથવા પદ, વાક્ય અને અલંકાર સહિત વચનોનું ઉચ્ચારણ કરતાં વગર અટક્યે વાણીનો પ્રવાહ ચાલ્યા કરે, કંઠને હરક્ત ન આવે તે પણ વાગ્બલી કહેવાય. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થએલા અસાધારણ કાયબલયોગે કાઉસ્સગ્ગમાં ઉભા રહેવા છતાં થાક અને ક્લેશ વગર એક વરસ સુધી જેમ બાહુબલી વગરે પ્રતિમા ધારીને રહ્યા તે કાયબલી કહેવાય. તથા ક્ષીર, મધ, ઘી, અમૃત, ઝરાવનાર લબ્ધિવાળા પણ હોય. જેમના પાત્રામાં પડેલું ખરાબ અન્ન પણ દૂધ, મધ, ઘી, અને અમૃતરસ સરખું થઈ શક્તિવર્ધક બને છે. અથવા જેમનું વચન શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત થએલા આત્માઓને દૂધ વગેરેની માફક આનંદદાયક બને છે. ત્યારે તેઓ ક્ષીરાસવ લબ્ધિવાળા મધ્યાન્નવ, સર્પિસ્રવ, અમૃતાસ્રવ લબ્ધિવાળા કહેવાય. કેટલાક અક્ષીણ લબ્ધિવાળા હોય છે. તે બે પ્રકારના છે. એક અક્ષીણ-મહાનસ, બીજા અક્ષીણ-મહાલય. અસાધારણ અંતરાયકર્મના ક્ષયોપશમ થવાથી જેમના પાત્રમાં વહેરાવેલ અલ્પમાત્ર અન્ન પણ ગૌતમસ્વામીની માફક ઘણાને પીરસવામાં કે દેવામાં આવે તો પણ ખૂટે નહિ તે અક્ષીણ - મહાનસ લબ્ધિ કહેવાય, અક્ષીણ- મહાલયની ઋધ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ જે જે પ્રમાણો પ્રેત-ભૂમિ પ્રદેશમાં રહેલા હોય, ત્યાં અસંખ્યતાદેવો તિર્યચો કે મનુષ્યો સપરિવાર એકબીજાને અગવડ ન પડે તેમ તીર્થંકરની પર્ષદાની માફક સુખપૂર્વક બેસી શકે. આ પ્રમાણે પ્રજ્ઞાશ્રમણ વગેરેની અંદર મહાપ્રજ્ઞાદિક મહાઋદ્ધિઓ બતાવી. જેના પ્રભાવથી એક ઈન્દ્રિય સર્વ ઈન્દ્રિયના વિષયો જાણી શકે, તે સંભિન્નશ્રોતો લબ્ધિ કહેવાય છે ॥ ૮ ॥ તથા— * Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૯ चारणाशीविषावधि योगकल्पदृ मस्यैताः, 11 ९ 11 અર્થ : વિદ્યાચારણ, જંઘાચારણ-લબ્ધિ, આશીવિષ-લબ્ધિ, અવધિજ્ઞાન, મન:પર્યાયવજ્ઞાનની સંપત્તિઓ આ સર્વ લબ્ધિઓ યોગરૂપી કલ્પવૃક્ષનો વિકસિત પુષ્પોની શોભા છે. ॥ ૯ | मनःपर्यायसम्पदः I विकासिकुसुमचियः ૧૭ ટીકાર્થ : અતિશયવાળું ગમન કરવાની લબ્ધિ તે ચારણ લબ્ધિ. આશીવિષલબ્ધિ તે કહેવાય, કે જેનાથી બીજા ઉપર અપકાર કે ઉપકાર કરી શકાય. મૂર્તદ્રવ્ય-વિષયક ‘અવધિજ્ઞાન.’ પરિણમેલા મનોદ્રવ્યને જાણી શકવાની શક્તિ તે ‘મનઃપર્યવજ્ઞાન.’ આ લબ્ધિઓ યોગ-કલ્પવૃક્ષના પુષ્પ સરખી છે. ફળ હોય તો કેવલજ્ઞાન અથવા મોક્ષ. ભરત અને મરુદેવીનાં ઉદાહરણ વડે ફળ આગળ કહેવાશે. ચારણ મુનિઓ બે પ્રકારનાં :– જંઘા અને વિદ્યાથી ઉત્પન્ન થએલ શક્તિવાળા. તેમાં જંઘાચારણ' એક પગલે ઉડીને સહેલાઈથી સીધા રુચકદ્દીપે જાય. પાછા વળતાં રુચકીપથી એક પગલે ઉડીને નંદીશ્વરદ્વીપે આવે અને બીજા પગલે જ્યાંથી ગયા હોય ત્યાં મૂળ સ્થાને પાછા આવી જાય. વળી તે ઊર્ધ્વગતિથી ઉડીને એક પગલે મેરુ પર્વતના શિખર પર રહેલા પાંડુકવનમાં જાય છે. ત્યાંથી પણ પાછા વળીને એક પગલે નંદનવનમાં આવે છે. અને બીજા પગલે ઊડીને પ્રથમ જ્યાંથી ઊઠ્યા હતા, તે મૂળ સ્થાને આવી જાય છે. ‘વિદ્યા-ચારણ’ મુનિઓ તો એક ડગલે ઉડીને માનુષોત્તર પર્વતે જાય અને બીજા ડગલે નંદીશ્વર દ્વીપે જાય. ત્યાંથી એક જ પગલે ઉડીને જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવી જાય. તથા તિમ્બંગતિના ક્રમથી ઉર્ધ્વમાર્ગમાં પણ આવ-જાવ કરી શકે. વળી બીજા પણ બહુભેદવાળા ચારણો હોય છે તે આ પ્રમાણે પલાઠીવાળી બેઠેલાં કાર્યોત્સર્ગ કરતા હોય. પગોને ઉંચા-નીચા કર્યા વગર આકાશમાં ગમન કરી શકે. કેટલાંક તો જલ, જંધા, ફળ, પુષ્પ, પત્ર-શ્રેણિ અગ્નિશિખા, ધૂમ, હિમ, ધૂમસમેઘ-જળ-ધારા-કરોળિયાની જાળ જ્યોતિષ-કિરણ પવન વગેરેનું આલંબન લઈને ગતિ કરવામાં કુશળ, તેમાં વાવડી, નદી, સમુદ્ર વગેરે જળાશયમાં અકાયાદિક જીવની વિરાધના કર્યા વગર પાણીમાં જમીન માફક પગ ઉંચા-નીચા સ્થાપન કરવામાં કુશળ હોય તે, ‘જલચારણ’ લબ્ધિવાળા જમીન ઉપર ચાર આંગળ પ્રમાણે ઉંચે આકાશમાં જંધાને ઉંચે નીચે કરવામાં કુશળ હોય તે 'જંઘાચારણો' કહેવાય. જુદા જુદા વૃક્ષોના ફળો લઈને, ફળનો આશ્રય કરીને રહેલા પ્રાણીઓને પીડા ન થાય તેવી રીતે ફળના તલ ઉપર આગળ પગ ઊંચા-નીચા સ્થાપવામાં કુશળ તે ‘ફલચારણો' કહેવાય. જુદા જુદા પ્રકારના વૃક્ષલતા, છોડના પુષ્પો ગ્રહણ કરીને તેમાં સૂક્ષ્મ જીવોની વિરાધના કર્યા વગર પુષ્પતલથી પાંખડીઓનું અવલંબન કરી ગતિ કરનાર ‘પુષ્પચારણો’ કહેવાય. વિવિધ પ્રકારના છોડ વેલી લતા, જુદા જુદા પ્રકારના અંકુરો, નવા કુંપળો-તરુણ પલ્લવો વગેરેનું અવલંબન કરીને પાંદડાના બારીક જીવોને પીડા કર્યા વગર ચરણને ઉંચો-નીચો મૂકે અને ચાલે તેમાં જે કુશળ હોય તે ‘પત્ર-ચારણો' કહેવાય. ચારસો યોજન ઊંચાઈવાળા નિષધ કે નીલપર્વતની છેદાએલી શિખર શ્રેણિનું અવલંબન કરીને ઉપર કે નીચે પગથી ચડવા ઉતરવાં નિપુણ હોય તે શ્રેણિ-ચારણો' જાણવા. અગ્નિ-જ્વાલાની શિખા ગ્રહણ કરીને અગ્નિકાય જીવોની વિરાધના કર્યા વગર અને પોતે નહીં બળતાં તેમાં પાદ-વિહાર કરવાની શક્તિવાળા તે ‘અગ્નિશિખા-ચારણ' કહેવાય. ધૂમાડાની ઊંચી કે તિચ્છ્વ શ્રેણીનું અવલંબન કરીને અસ્ખલિત રીતે ગમન કરનાર તે ‘ધૂમ-ચારણ' કહેવાય. હિમ-બરફની મદદથી અટ્કાયની વિરાધના કર્યા વગર અસંગ ગતિને પામેલા, ‘નીહાર-ચારણ’ કહેવાય. અવશ્યાય-ધૂમસને આશ્રીને, તેના આશ્રયે રહેલા જીવોની Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ વિરાધના કર્યા વગર જનારા, તે “અવશ્યાયચારણ કહેવાય. આકાશમાર્ગમાં વિસ્તાર પામેલા મેઘ-સમૂહમાં જીવોને પીડા ન થાય તેમ ચાલવાની શક્તિવાળા, તે “મેઘચારણ” કહેવાય. વર્ષાકાળમાં વરસાદ વગેરે જળધારાનું અવલંબન કરીને પ્રાણીઓને પીડા કર્યા વગર ચાલનારા, તે “વારિધારા-ચારણ' કહેવાય. વિચિત્ર અને જુના વૃક્ષોની બખોલ જેવા સ્થાનમાં કરોળિયાના ઘરની જાળના બારીક તાંતણાનું આલંબન લઈને પગ ઉંચકવા-મૂકવાની ક્રિયા કરતાં તે તંતુઓને ન તોડતાં ચાલે, તે “મર્કટતંતુચારણ” કહેવાય. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વગેરે કોઈપણ જ્યોતિના કિરણ સંબંધથી જમીન માફક તેના આધારે પગથી ચાલવાની શક્તિવાળા, “જ્યોતિરશ્મિ-ચારણ” કહેવાય. અનેક દિશામાં પ્રતિકુળ કે અનુકુળ પવન વાતો હોય પણ પવનસંબંધી પ્રદેશાવલીને ગ્રહણ કરીને ગતિનું અલન કર્યા વગર પગ સ્થાપન કરી ચાલવાની કુશળતાવાળા તે વાયુ-ચારણ' કહેવાય. તપ અને ચારિત્રના પ્રભાવ સિવાય બીજા ગુણોની પણ લબ્ધિઓ અને ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ‘આશીવિષ' લબ્ધિવાળા અપકાર અને ઉપકાર કરવામાં સમર્થ હોય છે. મૂર્તિમંત રૂપી દ્રવ્ય સંબંધી મર્યાદાવાળું જ્ઞાન સર્વ પ્રકારે થાય તે “અવધિજ્ઞાન” કહેવાય. મનુષ્ય ક્ષેત્રવર્તી-અઢીદ્વીપમાં રહેલા પ્રાણીઓના મનરૂપે પરિણામેલા મનોદ્રવ્યને પ્રકાશિત કરનાર “મનઃ પર્યાયજ્ઞાન' તેના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે પ્રકારો છે. વિશુદ્ધ અને આવેલું ન જાય, તેવા પ્રકારનું વિપુલમતિ વિશેષ છે . ૯ // કેવલજ્ઞાન-લક્ષણ ફળ બતાવવા દ્વારા યોગની જ સ્તુતિ કરે છે– १० अहो योगस्य माहात्म्यं प्राज्यं साम्राज्यमुद्वहन् । अवाप केवलज्ञानं भरतो भरताधिप : ॥ १० ॥ અર્થ : અહો ! યોગનું માહાભ્ય કેવું અનુપમ છે કે, વિશાળ સામ્રાજ્યવાળી ચક્રવર્તીની સંપદાને ભોગવતાં ભોગવતાં પણ પખંડ ભરતક્ષેત્રના અધિપતિ શ્રી ભરત મહારાજા કેવળજ્ઞાનને પામ્યા. / ૧૦ ટીકાર્થ : અહો ! યોગનો કેટલો મહાપ્રભાવ છે કે, પુષ્કળ સામ્રાજ્યવાળી ચક્રવર્તિની સંપત્તિ ભોગવતા ભોગવતાં પણ ભરતક્ષેત્રના સ્વામી ચક્રવર્તી ભરત મહારાજાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે આ પ્રમાણે- || ૧૦ ||. ઋષભ ભગવંતના ચાર કલ્યાણકો આ અવસર્પિણીના સુષમસુષમ નામનો ચાર કોડા-કોડી સાગરોપમ પ્રમાણવાળો પહેલો આરો, ત્યાર પછી ત્રણ કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળો સુષમ નામનો બીજો આરો અને બે કોડાકોડી સાગરોપમપ્રમાણવાળા સુષમદુઃષમ નામના ત્રીજા આરામાં પલ્યોપમનો આઠમો ભાગ ન્યૂન આટલો કાળ ગયા પછી ૧ વિમલવાહન, ૨ ચક્ષુખાન, ૩. યશસ્વી ૪. અભિચંદ્ર, ૫ પ્રસેનજિત્ ૬ મરુદેવ, અને ૭ નાભિ નામના સાત કુલકરો થયાં. તેમાં નાભિ કુલકરને ઉત્તમ શીલથી ત્રણ જગતને પવિત્ર કરનાર મરુદેવા નામની પત્ની હતી. ત્રીજા આરામાં ચોરાશી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે તેની કુક્ષિએ સર્વાર્થ નામના વિમાનમાંથી ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પ્રથમ જિનેશ્વર ઉત્પન્ન થયા. તે સમયે સ્વપ્નના અર્થને નાભિ અને મરુદેવા યથાર્થપણે ન જાણતા હોવાથી ઈન્દ્ર મહારાજે આવીને હર્ષપૂર્વક કહી સંભળાવ્યા. ત્યાર પછી શુભ દિવસે પરમેશ્વરનો જન્મ થયો. ત્યારે છપ્પન દિકકુમારીઓએ સૂતિકર્મ કર્યું. મેરુ પર્વત ઉપર પ્રભુને લઈ જઈને ઈન્દ્ર મહારાજે પોતાના ખોળામાં બેસાડીને તીર્થના જળથી પ્રભુનો અને હર્ષાશ્રુ-જળથી પોતાનો અભિષેક કર્યો. ત્યાર પછી ઈન્દ્ર મહારાજે માતાને અર્પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦. ૧૯ કરેલા પ્રભુનું સર્વ ધાત્રીકર્મ દેવીઓએ કર્યું. પ્રભુના જમણા સાથળમાં ઋષભના આકારનું લાંછન દેખી માતા-પિતાએ હર્ષથી “ઋષભ' એવું નામ પાડ્યું. ચંદ્ર-કિરણ સરખા પ્રભુ અતિશય આનંદ પમાડતા દિવ્ય આહાર વડે પોષણ કરાતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. કોઈક વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુની સેવા માટે આવેલા ત્યારે વિચાર્યું કે, હવે અહીં ભગવંતનો વંશ કયો સ્થાપન કરવો ? પ્રભુએ અવધિજ્ઞાનથી તેનો અભિપ્રાય જાણીને હાથણી જેમ સૂંઢને તેમ તેના હાથમાંથી શેરડીનો સાંઠો લેવા માટે હાથ લંબાવ્યો. પ્રભુને તે શેરડી અર્પણ કરી પ્રણામ કરીને તે વખતે ઈન્દ્ર “ઈશ્વાકુ' એવા પ્રકારના પ્રભુના વંશનું નામ સ્થાપન કર્યું. ટૂંકા કાળમાં બાલ્યકાળ વીતાવીને મધ્યાહ્ન કાળના સૂર્ય સરખા પ્રભુ વિભાગવાળા અવયવ જણાવનારી બીજી યૌવન વયનો આશ્રય કરવા લાગ્યા. યૌવન વયમાં પણ પ્રભુના સરખા તલવાલા બંને પગ કમળ-ગર્ભ સરખા કોમળ અને લાલ ઉષ્ણકંપ વગરના પરસેવા-રહિત હતા. નમન કરનારાઓની પીડા છેદવા માટે હોય, તેમ પ્રભુને પગના તળિયામાં ચક્ર, અભિષેકયુક્ત લક્ષ્મીદેવી, હાથણીની જેમ પુષ્પમાળા, અંકુશ ધ્વજા હોય તેવી આકૃતિઓ હતી. લક્ષ્મીદેવીના ક્રીડાગૃહ માફક ભગવંતના બંને પાદતલમાં શંખ અને કળશ તથા પાનીમાં સ્વસ્તિક શોભતા હતા. સ્વામીનો અંગુષ્ટ માંસ ભરેલ હોવાથી પુષ્ટ ગોળ ઊંચો સર્પની ફણા સરખો, વત્સ માફક શ્રીવત્સના ચિહ્યથી યુક્ત હતો. પ્રભુના ચરણ-કમળની અંગુલીઓ પવન વિના નિષ્કપ ચળકતી લીપ-શિખા જેવી છિદ્ર વગરની અને સીધી કમળ-પાંખડીઓ સરખી હતી. વળી પ્રભુની પાદાંગુલીઓના તલમાં નંદાવર્ત શોભતા હતા કે જેઓના પૃથ્વીમાં પડેલા પ્રતિબિંબો ધર્મ-પ્રતિષ્ઠાને હેતુઓને પામ્યાં. અંગુલી પર્વના નીચે રહેલા જવો વાવડી સાથે શોભતા હતા, તે જાણે પ્રભુના જગલક્ષ્મી સાથે થનારા વિવાહ માટે જ્યારા વાવ્યા ન હોય? ચરણ-કમળના કંદ જેવી પાની ગોળ લાંબી પહોળી હતી અને નખો જાણે અંગુઠા અને આંગળીરૂપી સર્પોના મસ્તક પર રહેલા મણિ જેવા જણાતા હતા. પ્રભુના પગની ઘૂંટીઓ સુવર્ણ-કમલનાં ડોડાની કર્ણિકાની શોભાને અત્યંત વિસ્તારની હતી. પ્રભુના બંને પાદ ઉપરથી નીચે સુધી અનુક્રમે કાચબા જેવા ઉન્નત જેમાં નસો દેખાતી ન હતી. ચળકતી ક્રાંતિવાળા અને રૂંવાટા રહિત હતા. જગત્પતિની જંઘાઓ એવા પ્રકારની હતી કે અંદરના હાડકાં માંસમાં મગ્ન થઈ દેખાતાં ન હતા. માંસથી પુષ્ટ ક્રમસર ગોળ હરણીની જંઘા સરખી અને ગૌરવર્ણવાળી હતી. પ્રભુની માંસપૂર્ણ ગોળાકાર ઘૂંટણો રૂથી ભરેલ ઓશીકાની અંદર દર્પણ જડેલું હોય તેવા દેખાતા હતા તેમજ તેમના કોમળ ચમકતા અનુક્રમે પુષ્ટ સાથળો કેળના સ્તંભની શોભાને ધારણ કરનાર હતા. સ્વામીના બે વૃષણો હાથીની જેમ ગૂઢ અને સરખા તેમજ કુલીન ઘોડાના જેવું પુરુષચિહ્ન અતિગુપ્ત હતું. વળી તેમાં નસો દેખાતી ન હતી. વળી તે નીચું નહીં, ઊંચું નહીં ટૂંકું નહીં, લાબું નહીં, શ્લથ નહી, સરળ કોમલ રૂંવાટીરહિત ગોળ સુગંધી ઈન્દ્રિયયુક્ત, શીતળ પ્રદક્ષિણાવર્ત, શબ્દવાળું, એકધારયુક્ત બીભત્સ નહીં તેવા આવર્તાકારયુક્ત કોશમાં રહેલા પિંજર (આવરણ)વાળું હતું. તેમજ કેડ લાંબી માંસથી યુક્ત જાડી, વિશાલ, કઠણ હતી અને મધ્યભાગ પાતળો હોવાથી ઈન્દ્રના વજના મધ્યભાગ જેવો હતો. નાભિ ગંભીર અને નદીના આવર્તની શોભા ધારણ કરતી હતી તથા કુક્ષિઓ સ્નિગ્ધ માંસવાળી કોમળ, સરલ અને સરખી હતી. સુવર્ણ શિલા સરખું વિશાળ અને ઉન્નત શ્રીવત્સરત્નની પીઠિકા સરખું જાણે લક્ષ્મીદેવીની ક્રિીડા કરવાની વેદિકા ન હોય તેવું વક્ષ:સ્થળ હતું. બળદના ખાંધની ઉપમાવાળી મજબૂત, પુષ્ટ અને ઊંચી બે ખાધો અને અલ્પરોમવાળી ગંધ, પરસવો અને મેલરહિત કાખ હતી, સર્પની ફણા સરખા પુષ્ટ હાથ, ઘૂંટણ સુધી લાંબી, ચંચળ લક્ષ્મીને વશ કરવા માટે જાણે નાગપાશ ન હોય તેવી બે ભુજાઓ હતી. પ્રભુની હથેલીઓ આમ્રવૃક્ષના નવીન પલ્લવ સરખી લાલ, કાર્ય વગર કઠણ, પરસેવા વગરની છિદ્ર સહિત અને ઉષ્ણ હતી. વળી હથેલીના તળમાં દંડ, ચક્ર, ધનુષ્ય, મત્સ્ય, શ્રીવત્સ, વજ, અંકુર, ધ્વજ, કમળ, ચામર, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૦ . યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ છત્ર, શંખ, કળશ, સમુદ્ર, મેરુપર્વત, મગર, વૃષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક, દિગ્ગજ પ્રાસાદ, તોરણ, હાથી વગેરે લક્ષણો અને ચિહનોવાળા હાથ અને પગના તળીયા હતા. તેમના અંગુઠા અને આંગળીઓ લાલ, સરલ, લાલ નખવાળી જાણે કલ્પવૃક્ષના અંતભાગમાં માણિક્યરૂપી પુષ્પોના અંકુરા ન હોય તેવા શોભતા હતા. સ્વામીના અંગુઠાના પર્વમાં યવો પ્રગટ શોભતા હતા કે, જે તેમના યશરૂપી ઉત્તમ અશ્વની વિશેષ પુષ્ટિ કરવા માટે જાણે ન હોય ! પ્રભુની અંગુલીના ઊર્ધ્વભાગમાં સર્વ સંપત્તિ જણાવનાર દક્ષિણાવર્ત શંખ સરખી રેખાઓ હતી. આ ત્રણ જગતનો ઘણા કષ્ટથી ઉદ્ધાર કરવાનો છે, એટલે તેની સંખ્યાના લેખો જ હોય તેવી હસ્તકમળના મૂળમાં ત્રણ રેખાઓ હતી. તેમનો કંઠ ગોળ બહુ લાંબો નહિ અને ત્રણ રેખાઓથી પવિત્ર ગંભીર શબ્દવાળો શંખનું અનુકરણ કરતો હતો. પ્રભુનું વદન નિર્મલ, ગોળ, તેજસ્વી જાણે લાંછન વગરનો બીજો ચંદ્ર ન હોય ? તેવું હતું. પ્રભુના બે ગાલ કોમળ માંસથી ભરેલા ચળકતા જાણે સરસ્વતી અને લક્ષ્મીના સાથે રહેલા બે સુવર્ણ-દર્પણો હોય તેવા જણાતા હતા. પ્રભુના બે કાનો અંદર રહેલા આવર્તાથી સુભગ, ખાંધ સુધી લટકીને રહેલા જાણે પ્રભુના મુખની પ્રભાના સમુદ્ર-કિનારા પર રહેલી બે છીપો ન હોય તેવા શોભતા હતા. પ્રભુના બિંબફળની ઉપમાવાળા બે હોઠ, મોગરાના પુષ્પ સરખા ઉજ્જવળ બત્રીશ દાંત, ક્રમસર, વિસ્તારયુક્ત અને ક્રમસર ઉંચી વંશ સરખી નાસિકા હતી. પ્રભુને બહુ લાંબી નહિ, બહુ ટુંકી નહિ, માંસવાળી ગોળ કોમળ હડપચી તથા કાળી ઘણા કેશયુક્ત, ચળકતી કોમળ દાઢી-મૂછ હતા. નવીન ઉગેલા કલ્પવૃક્ષના પલ્લવ સરખી લાલ અને કોમળ, બહુ જાડી નહિ, બાર અંગના અર્થને કહેનારી પ્રભુની જિલ્લા હતી. પ્રભુના બે નેત્રો વચ્ચે કાળા અને ઉજ્જવળ છેડા લાલરંગવાળા જાણે નીલ સ્ફટિક અને માણિકયરત્નનાં બનાવ્યાં હોય તેવા દેખાતા હતા વળી તે કાનના છેડા સુધી લાંબા અને અંજન સરખી શ્યામ પાંપણવાળા વિકસ્વર કમળોની અંદર ભમરાનાં ફુલો સંતાઈ ગયા ન હોય તેવા શોભતા હતા. પ્રભુની બે ભમરો શ્યામ વાંકી એવી શોભતી હતી કે જાણે દૃષ્ટિરૂપી વાવડીના કિનારે ઉગેલી લતાની શોભા ન હોય ? પ્રભુનું ભાસ્થળ અષ્ટમીના ચંદ્ર સરખું વિશાલ માંસયુક્ત ગોળ સુંવાળું અને કઠણ હતું. પ્રભુનું મસ્તક ક્રમે ઉંચું જાણે નીચા મુખવાળું છત્ર હોય તેના સરખું જણાતું હતું. પ્રભુનું મસ્તક છત્ર વિષે જગતના સ્વામીપણાને કહેનાર ગોળ ઉંચું કળશની શોભા સરખું ઉષ્ણીષ-મસ્તક પર રહેલા મધ્યભાગનો આશ્રય કરીને રહેલું હતું. પ્રભુના મસ્તક પર રહેલા કેશો ભમરા સરખા શ્યામ, કાંસકાથી ઓળેલા હોય તેવા કોમલ ચળકતા યમુના નદીના તરંગ સરખા દીપતા હતા, ત્રણ જગતના સ્વામીના શરીરની ત્વચા ગોરોચનના ગર્ભ સરખી ગૌરવર્ણવાળી ચિકાશદાર સ્વચ્છ સુવર્ણના પ્રવાહી રસવડે જાણે લેપ કર્યો હોય તેમ શોભતી હતી. સ્વામીના શરીર પર કમળતંતુ કરતા પણ પાતળા. કોમળ ભમરાના વર્ણ સરખા શ્યામ બીજા ઉપગમન વગરના રૂંવાડાં ઉગેલા હતા. ખીલેલા કમળની સુગંધ સરખો શ્વાસ અને દુર્ગધ વગરનું માંસ તથા ગાયના દૂધની ધારા સરખું પ્રભુનું લોહી હતું. આ વગેરે અસાધારણ વિવિધ લક્ષણોથી યુક્ત પ્રભુ રત્નો વડે જેમ રત્નાકર તેમ કોને સેવા કરવા લાયક ન હતા ? કોઈક સમયે બાલપણાને યોગ્ય માંહમાંહે ક્રીડા કરતું કરતું કોઈક યુગલીયું તાલવૃક્ષ નીચે આવ્યું. તે સમયે દેવના દુર્યોગથી એરંડા પર જેમ વીજળીદંડ પડે તેની માફક તે પુરુષના મસ્તક ઉપર મોટું તાલફલ પડ્યું. કાકતાલીય-ન્યાયથી મર્મસ્થાનમાં હણાએલો તે બાળક તરત જ ત્યાં પ્રથમ અપમૃત્યુથી મરણ પામ્યો. તે બાળક કાળધર્મ પામ્યો એટલે બીજી બાળકી ટોળાથી વિખુટી પડેલી હરણી માફક “હવે શું કરવું ?” એ મુંઝવણમાં મુકાઈ ગઈ. અકાળે વજઘાત સરખા તેના કુમૃત્યુથી બીજા યુગલીયાઓ પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ ૨૧ મૂછ પામ્યા પુરુષરહિત તે કન્યાને આગળ કરીને હવે શું કરવું ? તે વાતમાં મૂંઝાયેલા તે યુગલીયાઓ નાભિ કુલકર પાસે લઈ ગયા. “આ કન્યા ઋષભનાથની ધર્મપત્ની થાવ, એમ કહી નેત્રકમળને વિકસ્વર કરનાર ચંદ્રિકા સરખી તેને ગ્રહણ કરી કોઈક સમયે પ્રભુના પૂર્વે બાંધેલા શુભકર્મના ઉદયરૂપ ભોગકર્મ જાણી અનેક દેવ પરિવાર સાથે ઈન્દ્રમહારાજ પ્રભુનો વિવાહ કરવા માટે આવ્યા, ત્યાર પછી દેવતાઓએ સુવર્ણમય સ્તંભ ઉપર શોભાયમાન રત્ન-પૂતળીઓવાળો, પ્રવેશ અને નિર્ગમનનાં અનેક ધારવાળો મંડપ તૈયાર કર્યો. તે મંડપ શ્વેત દિવ્ય વસ્ત્રના ચંદ્રવાના બાનાથી જાણે મંડપની શોભા જોવાની ઈચ્છાથી આકાશમાં રહેલી ગંગાથી આશ્રિત કરાયો હોય તેવો હતો. ચારે દિશામાં વૃક્ષપલ્લવની શ્રેણિવાળા તોરણો જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો ન હોય તેવા બાંધ્યા હતા. આકાશમાં ઉંચી સુધી પહોંચેલી રતિના નિધાન જેવી ચાર રત્નકલશોની શ્રેણી દેવીઓએ ચારે બાજુ સ્થાપના કરી. મંડપના દ્વારમાં મેઘો વસ્ત્રોનો વરસાદ કરતા હતા અને દેવીઓએ મધ્યભાગની ભૂમિને ચંદનરસ વડે કાદવવાળી કરી. વાજિંત્રો વાગી રહેલા છે. મંગલગીતો ગવાય છે. દિશાવપુઓ તેના પડઘા દ્વારા વાગવાનો અને ગાવાનો શબ્દ કરતી હતી ઈન્દ્ર મહારાજે પ્રભુનો સુમંગલા અને સુનંદા કન્યા સાથે પાણિગ્રહણનો મહોત્સવ કર્યો. ત્યાર પછી દેવોએ કરેલા મંગલવાળી સુમંગલાદેવીએ ભારત અને બ્રાહ્મીને જોડલા રૂપે જન્મ આપ્યો. ત્રણે લોકને આનંદ ઉત્પન્ન કરનાર સુનંદા દેવીએ મહાબળવાળા બાહુબલી અને અતિસુંદર રૂપવાળી સુંદરીને યુગલરૂપે જન્મ આપ્યો. ફરી સુમંગલાદેવીએ બળવાન ઓગણપચાસ પુત્રોને પુરુષયુગલ રૂપે જન્મ આપ્યો જેઓ સાક્ષાત્ દેવોના રૂપને અનુસરનારા હતા. એક દિવસ બાહુ ઊંચા કરતા સર્વ યુગલિકોએ એકઠા થઈ નાભિકુલકરને વિનંતી કરી અન્યાય થયો એમ પોકારીને કહ્યું. હવે અકાર્ય કરનારા લોકો હકાર, મકાર અને ધિક્કાર નામની સુંદર નીતિઓને ગણકારતા નથી. ત્યારે નાભિ કુલકરે યુગલીયાઓને કહ્યું કે, આ અકાર્યથી તમારું રક્ષણ કરનાર આ ઋષભ છે, માટે તેની આજ્ઞા પ્રમાણે વર્તો, તે વખતે કુલકરની આજ્ઞાથી પ્રગટ રાજ્ય સ્થિતિ કરવા માટે ત્રણ જ્ઞાનવાળા પ્રભુએ યુગલોને આવી શિખામણ આપી. મર્યાદાનો ભંગ કરનાર ગુનેગારને રોકનાર રાજા હોય અને તેને ઊંચા આસને બેસાડી જળથી અભિષેક કરવો જોઈએ. પ્રભુના આ વચન સાંભળી તે સર્વ યુગલીયાઓ તેમની શિખામણ પ્રમાણે પત્રના પડીયા બનાવી જળ લેવાની અભિલાષાથી જળાશય ગયા તે સમયે આસન કંપવાથી અવધિજ્ઞાનના ઉપયોગથી ભગવંતના રાજ્યાભિષેકનો સમય જાણીને ઈન્દ્રમહારાજ અહીં આવી પહોંચ્યા. ઈન્દ્ર મહારાજે પ્રભુને રત્નસિંહાસન ઉપર બેસાડી રાજ્યાભિષેક કરી મુગટ વગેરે આભૂષણોથી શોભાયમાન કર્યા. આ બાજુ અંજલિમાં ધારણ કરેલા કમળપત્રના પડીયામાં પોતાના મન સરખું નિર્મળ જળ યુગલિકો પણ લાવ્યા. સૂર્યથી જેમ ઉદયાચલપર્વત તેમ સિંહાસન પર મુગટ વડે શોભાયમાન, શરદના મેધો વડે જેમ આકાશ તેમ અત્યંત નિર્મળ વસ્ત્રો વડે શોભતા, હંસો વડે જેમ શરદકાળ તેમ મનોહર ઉજ્જવળ ચામરોથી વિંજાતા અને અભિષેક કરાએલા પ્રભુને યુગલિયાઓએ આશ્ચર્ય-પૂર્વક જોયા. આવા અલંકૃત ભગવાનના મસ્તક પર જળ નાખવું યોગ્ય નથી એમ માનીને વિનયવાળા યુગલિયાઓએ પ્રભુના ચરણ કમળમાં જળ રેડ્યું. આ સમયે ઈન્દ્રમહારાજ નવયોજન પહોળી બાર યોજન લાંબી “વિનીતા’ નામની નગરી બનાવવાની કુબેરદેવને આજ્ઞા આપી પોતે સ્વસ્થાને ગયા. ત્યારે કુબેરે પણ માણિક્યના મુગટની ઉપમાવાળી રત્નમય ભુમિવાળી શત્રુ જિતી ન શકે તેવી “અયોધ્યા' એવા બીજા નામવાળી નગરી બનાવી. નગરીનું નિર્માણ કરી સરળ સ્વભાવી કુબેર યક્ષરાજનો ક્ષય ન થાય તેવા રત્નો, વસ્ત્રો અને ધન ધાન્યો Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૨. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વડે ભરી દીધી. હીરા, નીલમ, વૈડૂર્યરત્નના બનાવેલ મહેલના વિવિધ રંગના કિરણો વડે આકાશમાં વગર ભિત્તિવાળું ચિત્ર બની ગયું. તેના કિલ્લા ઉપર તેજસ્વી માણેકના બનાવેલા કાંગરાની શ્રેણી લાંબાકાળ માટે ખેચર દેવોની દેવાંગના માટે પ્રયત્ન વગરના આરિલાપણાને પામી. તે નગરના ગૃહોનાં આંગણાની ભૂમિમાં મોતીના સાથીના આલેખ્યા હતા, તેનાથી બાલિકાઓ સ્વેચ્છાથી કાંકરા રમવાની ક્રીડા કરતી હતી તે નગરીના ઉદ્યાનમાં રહેલા ઊંચા વૃક્ષોની ટોચથી અલના પામતાં ખેચર દેવીઓનાં વિમાનો હંમેશા ક્ષણવાર પક્ષીઓનાં માળાપણાને પામતાં હતાં. તે નગરીના બજારમાં અને મહેલમાં મોટા અને ઊંચા રન-ઢગલાઓને દેખીને રોહણાચલ પર્વત એ તો ઉકરડાનો ઢગલો છે, એમ અનુમાન કરવું પડે છે, ત્યાં જલક્રીડામાં એકાગ્ર બનેલી સ્ત્રીઓનાં તૂટેલા હારનાં મોતીઓ વડે ઘરની વાવડીઓ તામ્રપર્ણીની શોભાને ધારણ કરતી હતી. ત્યાં મોટા ધનાઢ્યો છે. તેમાંથી કોઈ એકાદની પાસે વેપાર કરવા માટે વણિકપુત્ર કુબેર ગયો હશે – એમ હું માનું છું. ત્યાં રાત્રે ચંદ્રકાન્ત મણિની ભીંતવાળા મહેલમાંથી ઝરતા જળથી માર્ગની ધૂળ સર્વત્ર શાન્ત કરાય છે. અમૃત તુલ્ય જળવાળી લાખો, વાવડી, કૂવા, સરોવરો, નવીન અમૃતના કુંડવાળા નાગલોકને પણ પરાભવ પમાડતા હતા. તે નગરીને અલંકૃત કરતા તે ઋષભ રાજા પોતાના પુત્રોની માફક પ્રજાનું પાલન કરતા હતા. ત્યાર પછી લોકોના ઉપકારની ઇચ્છાથી ઋષભ રાજાએ એક એકના વીશ પ્રકારવાળી પાંચ શિલ્પી કન્યાઓ ઉત્પન્ન કરી. રાજ્ય સ્થિતિ માટે ગાયો, ઘોડાઓ, હાથીઓ વગેરે એકઠા કર્યા અને સામ વગેરે ઉપાયવાળી રાજ્યનીતિ પણ બતાવી. ભરત પુત્રને બોતેર કળાઓનો સમુદાય શીખવ્યો અને ભારતે પણ પોતાના ભાઈઓને અને પુત્રોને તથા બીજાઓને પણ ભણાવ્યા. ઋષભ રાજાએ બાહુબલિને અનેક ભેદવાળા હાથી, ઘોડા, સ્ત્રી અને પુરુષોનાં લક્ષણો શીખવ્યાં. બ્રાહ્મી પુત્રીને જમણા હાથથી લિપી અને ડાબા હાથથી સુંદરી પુત્રીને ગણિત બતાવ્યું. વર્ણવ્યવસ્થાની રચના કરતા ન્યાયમાર્ગ પ્રવર્તાવતા નાભિપુત્રે વ્યાશી લાખ, પૂર્વો પસાર કર્યા. કામદેવે કરેલ આવાસ સરખા વૈશાખ મહિનામાં કોઈક સમયે પરિવારના આગ્રહથી પ્રભુ ઉદ્યાનમાં ગયા. ખીલેલા આંબાના મોર વડે આનંદ પામેલા ભમરાઓ ગુંજારવ કરવાના બાનાથી જાણે પ્રભુનું સ્વાગત કરતા હોય તેવી વસંતલક્ષ્મી પ્રગટ થએલી હતી. પંચમ સ્વરથી ટહુકા કરનાર કોયલોએ જાણે નાટકની પ્રથમ પ્રસ્તાવના શરૂ કરી હોય તેમ મલયનાં સુગંધી વાયરાએ લતાને નૃત્ય કરતી દેખાડી. દરેક શાખાઓ ઉપર કુહલથી પુષ્પો એકઠાં કરતી સ્ત્રીઓ વડે વૃક્ષો જાણે સ્ત્રી-ફળવાળાં હોય તેવા બની ગયા. પુષ્પના વાસગૃહમાં બેઠેલાં, પુષ્પના આભરણોથી ભૂષિત, પુષ્પના દડાયુક્ત હસ્તવાળા પ્રભુ જાણે વસંતનો સાક્ષાત્કાર હોય તેવા શોભવા લાગ્યા. ત્યાં ભરત વગેરે આનંદપૂર્વક રમી રહ્યા હતા, ત્યારે સ્વામીએ વિચાર્યું કે દોગંદક દેવોને આવા પ્રકારની ક્રીડા હશે ખરી ? તે સમયે પ્રભુને અવધિજ્ઞાન-યોગે અનુત્તર દેવલોકનાં સુખો પૂર્વે પોતે ભોગવ્યા હતા - એ વગેરે આગળ આગળનાં દેવલોકોનાં સુખો જાણ્યાં. પછી પણ જેમનું મોહ-બંધન ગળી ગયું છે એવા પ્રભુએ કરી પણ ચિંતવ્યું કે વિષયાધીન એવા આ આત્માને ધિક્કાર થાઓ કે જે આત્મહિત સમજતો નથી. અહો ! આ સંસારરૂપી કૂવાને વિષે જીવો કર્મ વડે અરઘટ્ટઘટી ન્યાયથી ઊંચા-નીચા સ્થાનમાં ચડવા-ઉતરવાની ક્રિયા કરે છે. એ વિગેરે વિચારી મનથી પ્રભુ ભવ પરામુખ બન્યા. તેટલામાં સારસ્વત વગેરે લોકાંતિક દેવો આવ્યા અને મસ્તક પર અંજલિ જોડી જાણે બીજો મુગટ પહેર્યો હોય તેવા થઈ, પ્રણામ કરી તેઓએ વિનંતી કરી કે, “હે સ્વામિ ! તીર્થ પ્રવર્તાવો તે દેવો ગયા પછી નંદન નામના ઉદ્યાનથી પાછા વળી નગરીમાં પહોંચી રાજાઓને બોલાવ્યા. મોટા પુત્ર Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ ભરતનો રાજ્યાભિષેક કરીને ત્યાર પછી પ્રભુએ બાહુબલી વગેરે પુત્રોને પણ રાજ્ય વહેંચીને આપ્યું. સંવત્સરી-દાન આપીને પૃથ્વીને તેવા પ્રકારની તૃપ્ત કરી છે, જેથી કરીને “મને આપોએવું દીન વચન ક્યાંય રહ્યું જ નહિ. આસન કંપવાથી સર્વ ઈન્દ્રોએ આવી વૃષ્ટિએ જેમ પર્વતનો તેમ પ્રભુનો અભિષેક કર્યો. પુષ્પમાળા, સુગંધી અંગરાગ અને દેવોએ સ્થાપન કરેલાં સુગંધી પુષ્પ-સમૂહ વડે પ્રભુ પોતાના યશ વડે જાણે ન હોય તેમ શોભવા લાગ્યા. પહેરેલા વિવિધ વસ્ત્રોથી તથા રત્નજડિત આભૂષણોથી પ્રભુ સંધ્યા સમયનાં વાદળાં અને તારાગણથી જેમ આકાશ શોભે તેવા શોભવા લાગ્યા. ઈન્દ્ર આકાશમાં દેવદુદુભિનો નાદ કરાવ્યો, જાણે પોતાના આત્મામાંથી ઉભરાતો આનંદ જગતને આપતા ન હોય? ઊર્ધ્વ લોકગતિનો માર્ગ જગતને બતાવવા હોય તેમ દેવો, દાનવો અને મનુષ્યોથી વહન કરાતી શિબિકામાં પ્રભુએ આરોહણ કર્યું. આ પ્રમાણે દેવો સાથે ઈન્દ્રોએ પ્રભુનો દીક્ષા નિષ્ક્રમણ મહોત્સવ કર્યો. જેને દેખનારાઓએ પોતાની દષ્ટિને, નિર્નિમેષવાળી બનાવીને કૃતાર્થ બનાવી. સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પહોંચીને પ્રભુએ કષાયોની માફક પુષ્પો અને આભરણોનો સર્વ પ્રકારે ત્યાગ કર્યો. ચાર મૃષ્ટિથી કેશોનો લોચ કર્યા પછી પ્રભુ પાંચમી મુષ્ટિ લોચ માટે તૈયારી કરતા હતા, ત્યારે ઈન્દ્ર મહારાજે વિનંતી કરી કે, સુવર્ણકાંતિવાળા આપના ખભા ઉપર વર્ણવી ન શકાય તેવી કેશની લટ અતિશય શોભે છે. માટે આમ જ રહેવા દો, એટલે સ્વામીએ તેને ધારણ કરી રાખી. પોતાના ઉત્તરાસંગ વસ્ત્રમાં સૌધર્મ ઈન્દ્ર પ્રભુના કેશોને ગ્રહણ કર્યા અને તે કેશોને ક્ષીરસમુદ્રમાં નાંખી પાછા આવીને નાટકાચાર્યની માફક મુઠ્ઠી-ચપટીની સંજ્ઞાથી લોકોનો કોલાહલ બંધ કરાવ્યો. “હું સર્વ સાવદ્યનાં પચ્ચખાણ કરું છું.' એ પ્રમાણે ઉચ્ચરી પ્રભુ મોક્ષમાર્ગે પ્રયાણ કરવા ઉત્તમ ચારિત્ર-૨થ પર આરૂઢ થયા. તે સમયે પ્રભુને સર્વ બાજુએથી સર્વ જંતુઓના મનોદ્રવ્યને જાણનારું એવું ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. પોતાના સ્વામીને અનુસરનારા ચાર હજાર રાજાઓએ પણ ભક્તિથી તે વ્રત અંગીકાર કર્યું. કારણકે કુલીન પુરુષોનો આ જ ક્રમ છે. ત્યાર પછી સર્વ ઈન્દ્રો પોતાના સ્થાનમાં ગયા અને હાથીઓ સાથે જેમ યૂથપતિ તેમ તે સર્વની સાથે સ્વામી વિચારવા લાગ્યા. ભિક્ષા માટે ભ્રમણ કરતા પ્રભુને ભિક્ષા સ્વરૂપને નહીં જાણનારા લોકો કન્યા, હાથી, ઘોડા વગેરે વસ્તુઓ સામે ધરે છે. ખરેખર કોઈ વખત સરળતા પણ તિરસ્કારપાત્ર બને છે.' ઉચિત ભિક્ષા નહિ પ્રાપ્ત કરતાં પરિષદોને સહન કરતાં, દીન મન વગરના સ્વામીએ મૌનવ્રતનો આશ્રય કર્યો. સાથેના ક્ષધાપીડિત ચાર હજાર સાધઓએ ભગવાનનો સાથ છોડી. દીધો. “ભગવાન જેવા સત્ત્વવાળા બીજા કોણ હોઈ શકે ? વનમાં ફુલ-ફલનો આહાર કરનારા તેઓ તો તાપસો બની ગયા. મોક્ષમાર્ગથી ચૂકેલા અને ભવ અટવીના માર્ગને સેવતા એવા તેઓને ધિક્કાર થાઓ. - હવે પ્રભુની આજ્ઞાથી ક્યાંક બહાર ગયેલા કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ પ્રતિમાપણે રહેલા ભગવંતની પાસે આવ્યા. બંનેએ પ્રભુને પ્રણામ કરી વિનંતી કરી કે, અમારા સ્વામી બીજા કોઈ નથી. માટે તે સ્વામી ! અમને રાજ્યો આપો. પ્રભુ તે બંને સેવકોને પણ તે વખતે કંઈ જવાબ આપતા નથી. “મમત્વ વગરના મહાપુરુષો કોઈ પણ લોકોની ચિંતાથી લેપાતા નથી.” ઉઘાડી તલવાર ખેંચી પહેરેગીર બની જેમ સૂર્ય અને ચંદ્ર મેરુપર્વતની, તેમ બંને હંમેશા સ્વામીની સેવા કરે છે. પ્રભુને વંદન કરવાની ઈચ્છાથી આવેલ ધરણેન્દ્ર તે બંનેને પૂછ્યું કે, અહીં આવવામાં તમને શું કારણ છે? ત્યારે તેઓએ કહ્યું કે, આ અમારા સ્વામી છે, અમો તેમના સેવકો છીએ, કોઈક સમયે અમને બહાર મોકલ્યા હતા, તે સમયે પોતાના સર્વ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે, તો અમને રાજ્ય કેવી રીતે આપશે ? તેમની પાસે છે કે નથી? એની ચિંતા શી કરવી? સેવકોએ તો હંમેશા સેવા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૪. યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ જ કરવાની હોય ? “આ સ્વામી તો મમતા વગરના અને પરિગ્રહ રહિત છે, માટે તમો ભરત પાસે રાજ્યની માંગણી કરી. આ સાધુ તમને શું આપી શકવાના છે ?' આમ તેમને કહ્યું ત્યારે તેઓએ ધરણેન્દ્રને કહ્યું. કે “વિશ્વના સ્વામી એવા પ્રભુને મેળવીને હવે અમે બીજાને સ્વામી કરવાના નથી, કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને કેરડાની સેવા કરવા કોણ જાય? પરમેશ્વરને છોડીને અમે બીજા કોઈ પાસે માગવા જવાના નથી, ચાતક વરસાદને છોડીને બીજા જળની યાચના કરતો નથી, ભરતાદિકનું કલ્યાણ થાઓ, તમારે પણ શા માટે અમારી ચિંતા કરવી જોઈએ? આ સ્વામિથી અમારું જે થવાનું હોય તે થાય, અમારે બીજાનું શું પ્રયોજન છે ?' તેમના પ્રત્યુત્તરો સાંભળી ખુશી થએલા ધરણેન્ટે કહ્યું કે, હું આ જ સ્વામીનો સેવક પાતાલપતિ ધરણેન્દ્ર છું. એ પ્રમાણે પોતાની ઓળખ આપી. આ જ સ્વામી સેવા કરવા યોગ્ય છે - એ તમારી પ્રતિજ્ઞા બહુ સુંદર છે. સ્વામિસેવાના ફળરૂપ વિદ્યાધરોનું ઐશ્વર્ય હું તમને આપું છું. તમે સ્વામીની સેવાથી જ આ મેળવ્યું છે. - એમ જાણજો, બીજો વિચાર ન કરતા - એમ સમજાવીને પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ તેમને આપી. ત્યાર પછી તેની રજા પ્રાપ્ત કરેલ તેઓ પચાસ યોજન વિસ્તારવાળા પચીશ યોજન ઊંચા વૈતાઢ્યપર્વત પર આવ્યા. ત્યાં નમિએ દશ યોજન વિસ્તારવાળી દક્ષિણશ્રેણિના મધ્યભાગમાં રહેલી પચાસ નગરીઓ વિદ્યાબલથી બનાવી. વળી ઉત્તરશ્રેણિમાં વિદ્યાધરપતિ વિનમિએ દશ યોજના વિસ્તારવાળી સાઠ નગરી વસાવી. તે નમિ અને વિનમિ લાંબા કાળ સુધી વિદ્યાધર રાજાઓમાં ચક્રવર્તીપણું ભોગવવા લાગ્યા. તેવા પ્રકારની સ્વામિ-સેવાથી શું દુષ્કર હોઈ શકે ? એક વરસ સુધી મૌન ધારણ કરનાર અને આહાર વગર વિચરતા વિચરતા ભગવાન ઋષભદેવ પણ પારણાની ઈચ્છાથી ગજપુર-હસ્તિનાપુર પધાર્યા તે સમયે સોમયશાના પુત્ર શ્રેયાંસકુમારે સ્વપ્ન દેખ્યું કે, શ્યામ થયેલા મેને મેં અમૃતના ઘડાઓથી પખાળીને ઉજ્જવળ બનાવ્યો. સુબુદ્ધિ નામના શેઠે પણ સ્વપ્ર દેખ્યું કે, “સૂર્યથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસે ત્યાં સ્થાપ્યાં, તેથી તે તેજસ્વી થયો.” સોમયશા રાજાએ પણ સ્વપ્ન દેખ્યું કે “એક રાજા બીજા ઘણા શત્રુઓથી ઘેરાયો હતો. શ્રેયાંસની સહાયથી તેણે જય મેળવ્યો.” ત્રણે એ પોતપોતાના સ્વમો રાજ્યસભામાં એકબીજાને નિવેદન કર્યા પણ તેના ફળાદેશ નહીં જાણનારા તેઓ પોતપોતાના સ્થાને પાછા ગયા. તે સમયે તે સ્વપ્રના નિર્ણય પ્રગટ કરવા માટે જ હોય તેમ ભગવાન પણ ભિક્ષા માટે શ્રેયાંસને ત્યાં ગયા. ચંદ્રને દેખીને જેમ સમુદ્ર ઉછળે, તેમ ભગવંતને આવતા દેખીને શ્રેયાંસે કલ્યાણના ભાજનભૂત હર્ષનો આશ્રય કર્યો. શ્રેયાંસકુમારને સ્વામીના દર્શન-યોગે ઊહાપોહ કરતાં પૂર્વે ખોવાયેલ નિધાનની જેમ જાતિસ્મરણ પ્રગટ થયું. આગલા જન્મમાં આ વજનાભ નામના ચક્રવર્તી હતા, ત્યારે હું તેમનો સારથિ હતો. એમની પાછળ મેં પણ તે વખતે દીક્ષા લીધી હતી, એ વગેરે યાદ આવ્યું. ત્યાર પછી બુદ્ધિશાળી શ્રેયાંસકુમારે નિર્દોષ ભિક્ષા આપવાની વિધિ જાણી એટલે હર્ષ પામેલા તેણે પ્રભુને કલ્પે તેવો પ્રાસુક શેરડીરસ વહોરાવ્યો. ઘણો રસ હતો છતાં પણ ભગવંતના હસ્ત-પાત્રમાં તે સમાઈ ગયો. તે સમયે શ્રેયાંસના હૃદયમાં હર્ષ ન સમાયો. તે રસ અંજલિમાં થીજી ગયો હોય અને થંભી ગયેલ હોય તેમ આકાશમાં ઊંચી શિખાવાલો થયો. કારણકે પ્રભુનો પ્રભાવ અચિન્ય શકિતવાળો હોય છે. ત્યાર પછી તે રસથી ભગવંતે પારણું કર્યું અને દેવો, અસુરો અને મનુષ્યોનાં નેત્રોએ તેમના દર્શનામૃતથી પારણું કર્યું. આકાશમાં દેવોએ મેઘની જેમ દુંદુભિનાદ અને જળવૃષ્ટિની જેમ રત્નો અને પુષ્પોની વૃષ્ટિ કરી, પછી પ્રભુ બાહુબલી રાજાની તક્ષશીલા નામની નગરીમાં પધાર્યા અને ત્યાં તેઓએ બહારના ઉદ્યાનમાં એક રાત્રિ સંબંધી પ્રતિમાનો સ્વીકાર કર્યો, “હું સવારે સ્વામીનાં દર્શન કરી લોકોને કરાવી પવિત્ર થઈશ' એમ વિચારતા બાહુબલિની રાત્રિ એકમાસના સરખી પસાર થઈ, સવારે તે ત્યાં જાય છે, એટલામાં તો પ્રભુ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, ગ્લો.૧૦ ૨૫ બીજે સ્થળે વિહાર કરી ગયા. તેથી ચંદ્ર વગરના આકાશ જેવા ઉદ્યાનને નિસ્તેજ દેખ્યું. ઉખર-ખારી ભૂમિમાં જેમ બીજ તેમ મારા હૃદયનો મનોરથ નાશ પામ્યો. પ્રમાદી એવા મને ધિક્કાર થાઓ” એમ કહી તે પોતાની નિંદા કરવા લાગ્યો. જ્યાં આગળ પ્રભુએ પગલાં સ્થાપન કર્યા હતા. ત્યાં બાહુબલીએ રત્નોની વેદિકા અને હજાર આરાવાળું, સૂર્ય સરખા તેજવાળું ધર્મચક્ર બનાવ્યું. વિવિધ અભિગ્રહવાળા સ્વામી આર્યદેશની માફક અધર્મવાળા પ્લેચ્છ દેશોમાં વિહાર કરતા હતા. કારણકે યોગીઓ હંમેશા સમભાવવાળા હોય છે. ત્યારથી માંડી પાપકાર્ય કરનારા અનાર્યો પણ ધર્મની આસ્તિકય બુદ્ધિથી દઢ ધર્માનુષ્ઠાન કરનાર બન્યા. આ પ્રમાણે વિહાર કરતા કરતાં પ્રભુને એક હજાર વર્ષો પૂર્ણ થયા ત્યારે સ્વામી પુરિમતાલ નામના નગરમાં પધાર્યા. તેના ઈશાનદિશા-ભાગમાં શકટાનન નામના વનમાં વડલાના વૃક્ષ નીચે પ્રભુ અઠ્ઠમ તપ કરીને કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. પ્રભુ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ અપૂર્વકરણના ક્રમથી નિર્મળ શુકલધ્યાનના મધ્યભાગમાં ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી મેઘની માફક ધાતિકર્મો વીખરાઈ ગયા, એટલે સ્વામીને કેવલજ્ઞાન-સૂર્ય પ્રગટ થયો. અતિ ગીરદી હોવાના કારણે પરસ્પર વિમાનો અથડાવતા અનેક દેવપરિવારસાથે ત્યાં ચોસઠ ઈન્દ્રો આવ્યા. પોતાના માનનું માર્જન કરનાર વાયુકુમાર દેવોએ પ્રભુનું સમવસરણ કરવાના સ્થાનનું ભૂતલ સાફ અને સપાટ તૈયાર કર્યું. મેઘકુમાર દેવોએ સુગંધી જળની વૃષ્ટિ કરી પૃથ્વીને સિંચી. ઋતુઓએ પૃથ્વી ઉપર ઢીંચણ સુધી પુષ્પો પાથર્યા, એમ ઈચ્છીને કે ખરેખર પૂજ્યોનો સંસર્ગ પૂજા માટે થાય છે.” ત્યાં વહ્નિકુમાર દેવોએ સ્નિગ્ધ ધૂમના શ્રેણિસમૂહે સુગંધમય બનાવેલ આકાશવાળા ધૂપધાણાઓ તૈયાર કર્યો. ઈન્દ્રો અને દેવોએ રંગ-બેરંગી રત્નકાન્તિવડે સેંકડો ઈન્દ્રધનુષવાળું ન હોય તેવું સમવસરણ બનાવ્યું. ભુવનપતિ જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોએ રજત, સુવર્ણ અને માણિક્યના બનાવેલા ત્રણ કિલ્લાઓ શોભતા હતા. આ માર્ગ સ્વર્ગનો છે. આ માર્ગ મોક્ષનો છે – એમ પ્રાણીઓને જાણે કહેતી ન હોય તેવી કિલ્લા ઉપર ફરકતી પતાકાઓ શોભતી હતી. ગઢ ઉપર રત્નની બનાવેલી વિદ્યાધરીઓની પૂતળીઓ શોભતી હતી, જાણે અંદર સમાવેશ નહિ થાય તે કારણથી દેવોએ અંદર પ્રવેશ કરાવ્યો નહિ હોય. હર્ષથી લાંબા કાળ સુધી માણિક્યના કાંગરા જોઈ રહેલી મુગ્ધ દેવાંગનાઓ ચાર પ્રકારના ધર્મના ચાર ગવાક્ષો સરખા દરેક ગઢના ચાર દરવાજા શોભતા હતા. જ્ઞાનાદિક ત્રણ રત્નોને અનુલક્ષીને હોય તેમ દેવોએ સમવસરણની અંદર ત્રણ કોશ ઊંચો કલ્પવૃક્ષ બનાવ્યો. તે વૃક્ષની નીચે પૂર્વ દિશામાં દેવોએ સ્વર્ગની શોભા સરખાં શ્રેષ્ઠ પાદપીઠ સહિત રત્નસિંહાસન બનાવ્યું. પૂર્વના દ્વારથી પ્રવેશ કરી “નમો તિસ્થ' એમ તીર્થને પ્રણામ કરી પૂર્વાચલ ઉપર જેમ અંધકાર દૂર કરનાર સૂર્ય તેમ પ્રભુ સિંહાસન પર બિરાજમાન થયા. તે જ સમયે દેવોએ બાકીની ત્રણ દિશામાં ભગવંતના પ્રતિબિંબો સિંહાસન ઉપર સ્થાપન કર્યા. પૂર્ણિમાના ચંદ્રમંડળને હરાવનાર. ત્રણે લોકના સ્વામીપણાના ચિહનરૂપ ત્રણ છત્રો પ્રભુને શોભતાં હતા. ભગવાન એક જ અમારા સ્વામી છે. એમ કહેવાને જ ઈન્દ્ર જાણે હાથ ઊંચો કર્યો હોય તેમ પ્રભુની આગળરત્નમય ઈન્દ્રધ્વજ શોભતો હતો. કેવલજ્ઞાનીઓમાં ચક્રવર્તીપણાને સૂચવનાર અતિ અભૂત પ્રભાસમૂહથી યુક્ત ધર્મચક્ર પ્રભુ પાસે શોભતું હતું. વળી ગંગાનદીના તરંગ સરખા ઉજ્જવલ બે મનોહર ચામરો પ્રભુના મુખકમળ તરફ દોડતા હંસ ન હોય તેવા શોભતા હતા. જેની આગળ સૂર્યમંડળ ખજવાના બચ્ચા જેવું લાગે એવા પ્રકારનું ભામંડલ પ્રભુના શરીર પાછળ પ્રગટ થયું. જેના પડઘા શબ્દો વડે ચાર દિશાઓને અત્યંત શબ્દમય કરતી મેઘની જેમ ગંભીર આકાશમાં દુંદભિ વાગવા લાગી. શાન્તિ પામેલા લોક પ્રત્યે કામદેવ જેમ બીજા શસ્ત્રોનો ત્યાગ કરે, તેમ દેવોએ ચારે બાજુ નીચે ડીંટીયા હોય તેવા Page #77 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૬ 4 પુષ્પોની વૃષ્ટિ કરી. ભગવંતે ત્રણે લોકને ઉપકાર કરનાર પાંત્રીશ ગુણયુક્ત વાણીથી ધર્મદેશના શરૂ કરી. તે સમયે ભરત રાજાને દૂતે આવી કહ્યું કે, ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું. બીજા દૂતે આવીને કહ્યું કે આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું છે. પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ બાજુ ચક્રરત્ન આવ્યું છે. આ બેમાં પ્રથમ પૂજા કોની કરૂ ? એમ ક્ષણવાર રાજાએ વિચાર્યું, વિશ્વને અભયદાન દેનાર પિતાજી ક્યાં ! અને પ્રાણિઓનો ઘાત કરનારું ચક્ર ક્યાં ! એમ વિચારી તેણે પ્રભુની પૂજા માટે પોતાના પરિવારને હુકમ કર્યો. પુત્રના પરિષના સમાચાર વડે દુઃખાશ્રુથી ઉત્પન્ન થયેલ નેત્રરોગવાળા મરુદેવા માતા પાસે જઈ નમન કરી ભરતે વિનંતી કરી કે, હે માતાજી ! તમો મને હંમેશા ઠપકો આપતા હતા કે મારો સુકુમાર પુત્ર ચોમાસામાં પદ્મવનની માફક પાણીનો ઉપદ્રવ સહન કરે છે. વળી શિયાળામાં અરણ્યમાં માલતીના છોડની માફક હિમ પડવાના પરિક્લેશવાળી અવસ્થા હંમેશા અનુભવે છે. વળી ઉનાળામાં સૂર્યના અતિ ભયંકર ઉષ્ણ કિરણોથી હાથી માફક અધિક સંતાપ અનુભવે છે. આ પ્રમાણે સર્વકાલ વનવાસી એકલો મારો પુત્ર આશ્રય વગરના તુચ્છજન માફક દુઃખ ભોગવી રહેલો છે, તો હવે અત્યારે ત્રણ લોકનાં સ્વામીપણાને પામેલા તમારા પુત્રની સંપત્તિ દેખવા ચાલો. એમ કહીને તેમને હાથી ઉપર બેસાડ્યાં. સાક્ષાત્ લક્ષ્મી સરખા સુવર્ણ, હીરા, માણક્યિના આભૂષણો પહેરાવેલાં ઘોડાં, હાથી, પાયદળ સેના અને રથો સાથે સમોવસરણ તરફ ભરત ચાલ્યો. આભૂષણથી એકઠા કરેલા જંગમ તોરણ સરખા સૈન્યો સાથે જતા રાજાએ દુરથી આગળ એક રત્નનો ધ્વજ દેખ્યો. એટલે ભરતે મરુદેવાને કહ્યું કે માતાજી ! દેવતાઓએ તૈયાર કરેલ આ પ્રભુના સમવસરણને જુઓ. પિતાજીના ચરણ કમળોની સેવા ઉત્સવ માટે આવેલા દેવોના જય જયારાવ શબ્દ સંભળાય છે. માલવ કૌશિકી વગેર ગ્રામરાગથી પવિત્રિત બનેલી કર્ણામૃત સમાન દેશના-વાણી સંભળાય છે, મોર, સારસ, ક્રૌંચ, હંસ વગેરે પક્ષીઓના અવાજ કરતા અધિક મધુર સ્વરવાળી ભગવંતની વાણી, વિસ્મયપૂર્વક એકાગ્રતાથી કાન દઈને સાંભળે છે. હે દેવિ ! પિતાજીની એક યોજન સુધી જતી મેઘના શબ્દ સરખી ગંભી૨ વાણી સાંભળીને વાદળા માફક બલવાન મન આ તરફ દોડી જાય છે, મરુદેવા માતાએ ત્રણ લોકના સ્વામીની ગંભીર, સંસારથી તારનારી, વાયરા વગરના દીપક જેવી સ્થિર વાણી હર્ષથી સાંભળી, પ્રભુવાણી સાંભળતા મરુદેવીનાં નેત્રોનાં પડલો આનંદ અશ્રુજળના પ્રવાહથી કાદવ માફક સાફ થઈ ગયા. તેણે અતિશયવાળી તીર્થંકરની ઋદ્ધિ જોઈ. તે જોવાના આનંદની સ્થિરતાથી તેના કર્મો વીખરાઈ ગયાં. ભગવંતના દર્શનથી થએલા આનંદ-યોગથી સ્થિરતાને પામેલી તેણે તે જ સમયે નિર્મલ કેવલજ્ઞાન મેળવ્યું. આ અવસર્પિણીની અંદર આ પ્રથમ સિદ્ધ થયા. ત્યાર પછી દેવોએ તેમના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવીને મોક્ષનો મહોત્સવ કર્યો. તેનો મોક્ષ થયેલો જાણી રાજા હર્ષ અને શોક સાથે વાદળાનો છાંયડો અને સૂર્યનો તાપ અને બંનેનો યોગ હોય તેવા શરદકાળને પામ્યો-રાજ્ય-ચિહ્નોનો ત્યાગ કરી પરિવાર-સહિત પગે ચાલતા રાજાએ સમવસરણમાં પ્રવેશ કર્યો. દષ્ટિરૂપી ચકોરને ચંદ્રસમાન ચાર દેવનિકાયોથી પરિવારેલા પ્રભુને ભરત મહારાજાએ જોયાં. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી તેમ જ નમસ્કાર કરી મસ્તક ૫૨ અંજલિ જોડી ચક્રવર્તી રાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ભરતે કરેલી પ્રભુ સ્તુતિ — હે સમગ્ર જગતના નાથ ! તમારો જય થાઓ, આખા વિશ્વને અભયદાન દેનારા ! તમારો જય હો, હે પ્રથમ જિનેશ ! જય થાઓ, હે સંસારથી તા૨ના૨ ! તમારો જય હો, અવસર્પિણિના ભવ્ય જીવોરૂપી પદ્મસરોવરને પ્રતિબોધ કરવા માટે સૂર્ય-સમાન હે પ્રભુ ! આજે તમારા દર્શન થવાથી અંધકાર નાશ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ કરનાર પ્રભાતનો ઉદય થયો. હે નાથ ! ભવ્ય જીવોનાં મનરૂપી જળને નિર્મળ કરનાર કતકના ચૂર્ણ સરખી આપની વાણી જય પામો. હે નાથ ! કરૂણાના ક્ષીરસમુદ્ર ! તમારા શાસનરૂપી મહારથમાં જેઓ આરૂઢ થાય છે. રાગ, દ્વેષ, કષાયો રૂપી શત્રુઓ વડે ઘેરાયેલા જગતનો ઉદ્ધાર આપનાથી જ થશે. હે નાથ! એવા સંસારને પણ અમે લોકાગ્ર કરતાં અધિક માનીએ છીએ. હે સ્વામી ! તમારા દર્શનના મહાઆનંદરસમાં સ્થિર બનેલા નેત્રો વડે, સંસારમાં પણ મોક્ષસુખનો આસ્વાદ અનુભવાય છે, અભયદાન દેનારા હે નાથ ! તેમને લોકાગ્ર દૂર નથી. હે દેવ ! નિષ્કારણ જગતના બંધુનાં જ્યાં સાક્ષાત દર્શન થાય છે. આપ સ્વયં તત્ત્વને સમજાવો છો. જાતે જ મોક્ષમાર્ગ બતાવો છો. સ્વયં વિશ્વનું રક્ષણ કરો છો તેથી કરી આપ સિવાય બીજા કોની સ્તુતિ કરૂં? આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ પ્રભુની સ્તુતિ કરીને બે કાનને અંજલીરૂપ પ્યાલો બનાવી દેશનારૂપ વાણીનું અમૃતપાન કર્યું. તે વખતે ઋષભસેન વગેરે ચોરાશી ગણધરોને ઋષભદેવ ભગવંતે સ્વહસ્તે દીક્ષા આપી. ત્યાર પછી બ્રાહ્મીને અને ભારતના પાંચસો પુત્રોને, સાતસો પૌત્રોને ઋષભદેવ ભગવંતે દીક્ષા આપી. પુંડરીક વગેરે સાધુઓ, બાહ્યી વગેરે સાધ્વીઓ, શ્રેયાંસ વગેરે શ્રાવકો અને સુંદરી વગેરે શ્રાવિકાઓ, એ પ્રમાણે તે સમયે પ્રભુએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. ત્યારથી માંડીને શ્રી સંઘની તે પ્રમાણેની વ્યવસ્થા ચાલ્યા કરે છે. પછી પ્રભુ ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે પરિવાર સાથે બીજે સ્થળે વિહાર કરી ગયા. તેમને પ્રણામ કરી ભરત મહારાજા પણ અયોધ્યા નગરીમાં ગયા. ભરતે કરેલી છ ખંડની સ્થાપના ઋષભદેવના વંશમાં રત્નાકર પ્રત્યે જેમ ચંદ્ર તેની માફક આહ્વાદ કરાવનાર સાક્ષાત્ દેહધારી ન્યાય હોય તેવા ભરત મહારાજાએ પૃથ્વીનું યથાર્થ વિધિથી પાલન કર્યું. જેઓની રૂપસંપત્તિઓ આગળ લક્ષ્મી તો દાસરૂપી હતી. એવી તેને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. તે ઈન્દ્રની સાથે અર્ધાસને બેસતો તે વખતે બંનેના ભેદ ન સમજનારા દેવો સંશયમાં પડતા હતા. અન્ય તેજોને જિતનાર એવા તેજથી જગતને પ્રકાશિત કરતો સૂર્ય જેમ પૂર્વમાં ઉદય પામે છે, તેમ તેણે પૂર્વ દિશાઓમાંથી દિગ્વિજય કરવાની શરૂઆત કરી. કલ્લોલરૂપી હસ્તોથી પરવાળા ઉછળતાં જાણે ધન ઉછળતા હોય તેવા ગંગાના સંગમથી મનોહર એવા પૂર્વ સમુદ્ર તે પહોંચ્યો. ત્યાં માગધતીર્થના કુમારદેવનું મનમાં સ્મરણ કરીને તેણે અર્થસિદ્ધિના પ્રથમ દ્વારરૂપ અઠ્ઠમ તપ અંગીકાર કર્યું. તરત જ રથમાં બેસીને જળચરોને ત્રાસ પમાડતા મહાભુજાવાળા ભરતે મેરુની જેમ સમુદ્રમાં પ્રવેશ કર્યો. રથની નાભિ સુધીની પાણીમાં રથને ઉભો રાખી પોતાના નામથી અંકિત દૂત સરખા બાણને બાર યોજન દૂર માગધ તરફ મોકલ્યું. અહીં બાણ પડ્યું એટલે માગધતીર્થનો માલિક દેવ ભૂકુટી ચડાવવાથી પ્રગટ ક્રોધયુક્ત બન્યો. બાણ ઉપર મંત્રાક્ષર સરખા તેના નામાક્ષર જોઈને નાગકુમાર શાંત મનવાળો થયો. “આ પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે” એમ વિચારતો જાણે મૂર્તિમાન વિજય હોય તેમ તે ભારત પાસે આવ્યો. પોતાના મસ્તકમાં રહેલા મણિ સરખું લાંબા કાળ ઉપાર્જન કરેલા તેજ માફક તે બાણ ચક્રવર્તી પાસે પાછું લાવ્યો. સેવક એવો હું પૂર્વદિશાનો પાલક છું. માટે મારે શું કાર્ય કરવું ? એ પ્રમાણે વિનંતી કરતો હતો. ત્યારે મહાપરાક્રમવાળા ભરતે તેને જયસ્તંભની માફક માગધના અધિપતિ તરીકે સ્થાપન કરી માન્ય કર્યો. તે પૂર્વસમુદ્રના કિનારેથી ભરત મહારાજા પાછા ફર્યા. એક પૃથ્વીથી બીજી પૃથ્વીમાં પર્વતોને પણ કંપાયમાન કરતો ચતુરંગી સેના સાથે તે દક્ષિણ સમુદ્ર પહોંચ્યો. ભુજા બળવાળા તે ચક્રવર્તીએ અનેક એલાયચી, લવંગ, લવલી-ચારોલી, કક્કોલકની વનસ્પતિવાળા કિનારા ઉપર સૈન્યોનો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ પડાવ નખાવ્યો. તેજથી દેખી ન શકાય તેવા, જાણે બીજા સૂર્ય હોય, તેવા, મહાબાહુવાળા ભરત રાજા માટે અશ્વોથી યુક્ત મહારથમાં આરૂઢ થયા ત્યાર પછી ઉછળતા તરંગ સરખા ઊંચા ઘોડા જોડેલા રથમાં બેસી રથની નાભિ સુધીના પાણીમાં સમુદ્રનું લંઘન કર્યું. ત્યાં વરદામ નામના દેવ તરફ બાણ તૈયાર કરીને ધનુર્વેદના આકાર સરખો દોરીનો ટંકાર કર્યો અને કાન સુધી ખેચેલા ધનુષ પર સુવર્ણના કુંડળ સરખા કમળના નાળ જેવા સોનાના બાણને ધનુષ પર ચડાવ્યું ત્યાર પછી ઈન્દ્ર સરખા બળવાળા ભરત રાજાએ વરદામ નામના તીર્થના સ્વામી પ્રત્યે પોતાના નામથી અંકિત બાણ છોડ્યું. વરદામના સ્વામીએ બાણ જોઈ અને ગ્રહણ કરી પ્રતિ ઉપાય જાણકાર તે ભેટયું લઈ ભારત પાસે ગયો અને ભરતાધિપને કહ્યું કે, “આપ અહીં મારે ત્યાં પધાર્યા, તેથી હું ધન્ય બન્યો છું. આપ સરખા નાથ વડે હું સનાથ બન્યો છે. ત્યાર પછી તેને પોતાને આધીન બનાવી કાર્યની કદર કરનાર ભરતેશ્વર સૈન્યથી પૃથ્વીને કંપાવતો, પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. પશ્ચિમ સમુદ્ર પહોંચી પ્રભાસતીર્થના સ્વામી તરફ જળહળતું વિજળીદંડ સરખું બાણ ભરતે ફેંક્યુ. જો સુખે જીવવાની ઈચ્છા કરતો હોય, તો દંડ આપ અને આજ્ઞાનો અમલ કરએવા અક્ષરો પ્રભાસપતિએ તે બાણ ઉપર વાંચ્યા. ભરત રાજાને પ્રસન્ન કરવા માટે આશ્ચર્યકારી ઘણા ભેંટણાં તૈયાર કરી તે બાણ લઈને સામે ગયો. લાંબા કાલથી ઉપાર્જન કરેલ પોતાના યશના ઢગલા સરખા સમગ્ર બરફ સરખા ઉજ્જવળ મનોહર મોતીના) હાર, તથા કૌસ્તુભમણિ જેની આગળ પત્થર જેવો દેખાય તેવા પ્રકારનાં મણિરત્નો નર-શિરોમણી ભરત મહારાજાને અર્પણ કર્યા. વળી પોતાના મૂર્તતેજ સરખા કડા, કંદોરા, મુગટ, કૌસ્તુભરત્ન, સુવર્ણ-સિક્કાઓ પણ અર્પણ કર્યા. એ પ્રમાણે નિષ્કટપણે અને ભક્તિભાવથી તેણે ભરત રાજાને પ્રસન્ન કર્યા. તે પછી ભરત ત્યાંથી ઉત્તર દ્વાર ડેલી સરખી સિધુનદી તરફ ગયા ત્યાં સિન્ધદેવીના મંદિર પાસે રાજાએ સૈન્યની છાવણી નાખીને સિન્ધદેવીને ઉદેશીને અઠ્ઠમ તપ કર્યો. પોતાનું આસન કંપાયમાન થવાથી તેણે જાણ્યું કે “ચક્રવર્તી આવેલા છે તેથી સિન્ધદેવી દિવ્ય ભેટણાઓ લઈને આવી અને ભરત મહારાજાની અર્ચના કરી, તેની સેવા સ્વીકારી તેને રજા આપીને ભરતે પારણું કર્યું અને તેનો આઠ દિવસનો મહોત્સવ કર્યો. તે પછી ચક્રને અનુસરતો ઉત્તર-પૂર્વની વચ્ચેની ઈશાન વિદિશામાં જતાં ભરત ક્ષેત્રના બે વિભાગને જોડનાર વૈતાઢય પર્વત પાસે પહોંચ્યો ત્યાં તેના દક્ષિણ વિભાગની તળેટીમાં સૈન્ય છાવણી નાંખીને વૈતાઢ્યકુમાર દેવને ઉદ્દેશીને ભરતરાજાએ અઠ્ઠમતપ કર્યો, તે પણ અવધિજ્ઞાનથી જાણી તેવા તેવા દિવ્ય ભેટણાં લઈને આવ્યો. અને આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેને રજા આપીને રાજાએ અઠ્ઠમતપનું પારણું કર્યું. અને યથાવિધિ તેના નામે અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ક્રાંતિ વડે સૂર્ય સરખા તે રાજા તમિસ્ત્રા નામની ગુફા પાસે ગયા અને નજીકમાં સૈન્યનો પડાવ નાખ્યો. કૃતમાલ નામના દેવને અનુલક્ષીને ત્યાં તેણે અઠ્ઠમ કર્યો એટલે આસન કંપવાથી તે આવ્યો અને રાજાની સેવા સ્વીકારી, તેને પણ રજા આપીને અઠ્ઠમ તપનું પારણું કર્યું અને ત્યાર પછી તેનો અષ્ટાઢિાકા મહોત્સવ કર્યો. ભરતની આજ્ઞાથી સુષેણ નામના સેનાપતિએ ચર્મરત્નની સહાયથી સિધુ નદી ઓળંગીને દક્ષિણ સિન્ધના નિષ્કટને તરત જીતી લીધો. વૈતાઢય પર્વતના વજના દ્વારથી બંધ કરેલી તમિસ્રા નામની ગુફાને ઉઘાડવા માટે સુષેણને ઋષભપુત્ર ભરતે આજ્ઞા કરી. શેષાની માફક પ્રભુની આજ્ઞાને મસ્તકે ધારણ કરતો સુષેણ સેનાપતિ પણ તમિસ્રા ગુફાની નજીકના પ્રદેશમાં ગયો. તેના અધિષ્ઠાયક કૃતમાલ નામના દેવનું સ્મરણ કરતો વિશુદ્ધ બુદ્ધિવાળો તે પૌષધશાળામાં અઠ્ઠમ કરીને રહ્યો. અઠ્ઠમ તપના અંતે સ્નાન કરી બાહ્ય અને અત્યંતર શૌચ ધારણ કરનાર તેણે પવિત્ર વસ્ત્રો અને વિવિધ આભૂષણ પહેર્યા. ત્યાર પછી હોમકુંડ સરખા જળના અગ્નિવાળા ધૂપધાણામાં સ્વાર્થ સાધવાની આહુતિની જેમ ધૂપની મુષ્ટિઓને ફેંકતો તે Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, ગ્લો.૧૦ સ્થાનથી તે ગુફાના દ્વાર તરફ જેમ ભંડારના દ્વાર તરફ સાવધાનીથી જાય તેમ ઉતાવળથી ગુફા દ્વાર ખોલાવવા માટે ગયો. નેતાની જેમ તે બારણાના યુગલને જોતાં જ નમસ્કાર કર્યો. નહિતર અંદર પ્રવેશ કેવી રીતે થઈ શકે ? ત્યાર પછી ગુફદ્વારમાં આઠ આઠ મંગલોના આલેખનપૂર્વક પોતાના ગૌરવને ઉચિત તેણે અઠ્ઠાઈ-મહોત્સવ કર્યો. ઈન્દ્ર જેમ વજને તેમ સેનાપતિએ સર્વ શત્રુના નાશ કરનાર વજ જેવા દંડરત્નને ગ્રહણ કર્યું. વક્રગ્રહની માફક કેટલાંક પગલા પાછા હઠીને દંડરત્નથી બારણાને ત્રણ વખત જલ્દી તાડન કર્યુંવજથી જેમ પર્વતની પાંખો તેમ દંડરત્નથી અફળાયેલાં તે બંને બારણાંઓ તડ કરતા છુટા પડી ગયા. તે ખુલી ગયેલા ગુફદ્વારથી તરત જ પ્રસન્ન મુખવાળા સુષેણ સેનાપતિએ ભરત રાજા પાસે જઈ નમસ્કાર કરી વિનંતી કરી. ઘણા તપથી પતિના મુકિ જાય તેમ આપના પ્રભાવથી આજે ગુફાના દ્વાર અર્ગલા વગરના બની ખુલી ગયા. ઐરાવત પર જેમ ઈન્દ્ર તેમ તરત જ ભરતરાજા ગંધહસ્તી ઉપર આરૂઢ થઈ ગુફદ્વાર તરફ ગયા. રાજાએ ગુફાનો અંધકાર દૂર કરવા માટે પૂર્વાચલ પર સૂર્ય જેવું મણિરત્ન હાથીના જમણા કુંભસ્થળ પર સ્થાપન કર્યું. ત્યાર પછી જેની પાછળ સૈન્ય ચાલી રહેલ છે, એવા ક્રમે અનુસરતા ભરત મહારાજે મેઘની વચમાં સૂર્યની જેમ ગુફાની અંદર પ્રવેશ કર્યો. અને તેણે એક એક યોજનના અંતરે આંતરે બંને બાજુ અંધકાર દૂર કરનાર ગૌમૂત્રિકાના આકારવાળા માંડલાઓ કાકિણીરત્નથી આલેખ્યા. કાકિણીરત્નથી કરેલા સૂર્યમંડળ સરખા ઉદ્યોત કરનાર પ્રકાશવાળા ઓગણપચાસ માંડલાનાં તેજનું સુખ તેની સેનાએ અનુભવ્યું. પછી રાજાએ ગુફામાં ઉન્મગ્ના અને નિમગ્ના નામની બે નદીઓ જોઈ; જે એક નદીમાં પત્થર પણ તરે અને બીજીમાં તુંબડું પણ ડુબી જાય. મહા મુશ્કેલીથી તરી શકાય તેવી બંને નદીઓ હોવા છતાં તે નદીમાં વર્કિ રત્ન વડે નહેરની માફક પગે ચાલી શકાય તેવી નિર્દોષ કેડી બનાવી. કેડી વડે તે બંને નદીનો પાર પામી મહોમેઘમંડળમાંથી જેમ સૂર્ય નીકળે તેમ ગુફામુખથી રાજા બહાર નીકળ્યો. પછી ભરતે ભરતક્ષેત્રના ઉત્તરખંડમાં પ્રવેશ કર્યો અને ઈન્દ્ર જેમ દાનવો સાથે તેમ તેણે મ્લેચ્છો સાથે યુદ્ધ કર્યું. ભરત રાજાએ શ્લેચ્છોને હરાવ્યા ત્યારે ફરી જીત મેળવવાની અભિલાષાવાળા સ્વેચ્છાએ મેઘકુમાર વગેરે પોતાના કુલ દેવતાની ઉપાસના શરૂ કરી ત્યાર પછી મુશલ પ્રમાણ ધારાવાળો કલ્પાંતકાળના જેવો સંવર્તક વરસાદ ચારે બાજુ વરસવા લાગ્યો. ભરત રાજાએ નીચે જમીન પર ચર્મરત્ન બાર યોજન સુધી લંબાવ્યું. અને તેની ઉપર છત્રરત્ન અને વચ્ચે સેનાને રાખી. રાજાએ મહાઅંધકારને નાશ કરવા માટે પૂર્વાચલ પર જેમ સૂર્ય હોય તેમ છત્રદંડ ઉપર મણિરત્ન સ્થાપન કર્યુ. ચર્મરત્ન અને છત્રરત્ન બે રત્નનો સંપુટ તે તરતું ઈંડુ હોય, તેવું શોભતું હતું. તેથી ત્યારથી માંડી લોકમાં “બ્રહ્માંડમાં એવી કલ્પના શરૂ થઈ. વળી ગૃહપતિને સવારે રોપેલા ડાંગર સાંજે ઉગીને તૈયાર થઈ જતા, એટલે ભોજન માટે દરેક રહેઠાણે પહોંચાડી દેવાતા વરસી વરસીને કંટાળેલા મેઘકુમારોએ પ્લેચ્છોને કહ્યું કે, “આ ચક્રવર્તી છે, અમારા સરખાથી તેને જીતી ન શકાય. તેમની વાણીથી નિરાશ બનેલા પ્લેચ્છો ભરતને શરણે ગયા. “અગ્નિથી દાઝેલા હોય, તેમને અગ્નિ એ જ મહાઔષધ છે.” ત્યાર પછી સિધુ નદીના ઉત્તર તરફના અજેય નિષ્ફટને યોગી જેમ સંસારને જીતી લે તેમ સ્વામીના હુકમથી સેનાનીને જીતી લીધો. ઐરાવતની માફક લીલાપૂર્વક કેટલાક પ્રયાસો કરતો રાજાના હિમવાન પર્વતની દક્ષિણ તળેટીએ પહોંચ્યો. ત્યાં ભરતરાજાએ હિમવતકુમાર દેવને ઉદેશીને અઠ્ઠમ તપ કર્યો. કારણકે તપ એ કાર્યસિદ્ધિનું પ્રથમ મંગલ છે. અઠ્ઠમ તપના અંતે હિમવાન પર્વત પર જઈને રાજાઓના શિરોમણિ ભરતે આંડબર પૂર્વક રથના મસ્તક વડે ત્રણ વખત તાડન કર્યું. પછી ભરત રાજાએ નાના હિમવાન પર્તવના શિખર ઉપર બાણ ફેંક્યું. યોજન દૂર પોતાના નામવાળું Page #81 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૦ * બાણ દેખીને હિમવાનકુમારે તરત આવીને ભરતની આજ્ઞાને મુગટની પેઠે પોતાના મસ્તકે ચડાવી ત્યાર પછી ઋષભકુટ પર્વત પાસે જઈને ઐરાવત હાથી જેમ દંતશૂળથી તેમ ૨થ મસ્તકથી ત્રણ વખત તેના દ્વાર ઠોક્યાં. ‘અવસર્પિણીની ત્રીજા આરાના પ્રાન્ત ભાગમાં ભરતમાં હું ચક્રવર્તી છું. એમ તે પર્વતના પૂર્વના મધ્યભાગમાં કાકિણીરત્નથી અક્ષરો લખ્યા. પછી ત્યાંથી પાછા વળી તે રાજાએ પોતાની છાવણીમાં આવીને અઠ્ઠમ તપનું પારણું કર્યું. પછી નાના હિમવતકુમાર દેવને આશ્રયીને ચક્રવર્તીની સંપત્તિને અનુરૂપ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. ત્યાર પછી ચક્રના માર્ગને અનુસરતો ચક્રવર્તીની સંપત્તિને સિન્ધુ અને ગંગાના અંતરને સાંકડા કરતો પાછો ફર્યો. હવે વૈતાઢય પર્વતના ઉત્તર તરફના તળેટીના સ્થળ પાસે તે પહોંચ્યો. ત્યાં સ્વસ્થ પરિવારવાળા સૈન્યને સ્થાપન કર્યુ. ત્યાર પછી નમિ અને વિનમિ નામના વિદ્યાધરોના બંને સ્વામીઓ તરફ દંડ માંગનારૂં બાણ મોકલવા માટે આજ્ઞા કરી. દંડ માંગવાથી કોપાયમાન થએલા, વૈતાઢયપર્વતથી નીચે ઉતરી વિદ્યાધર સૈન્યથી પરિવરેલા તેઓ બંને યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યા. મણિરત્નના વિમાનોથી આકાશને ઘણા સૂર્યવાળું ચમકતા હથિયારોથી વિજળીમય, પ્રચંડ દુંદભિના શબ્દથી મેઘ ગર્જારવ કરતું હોય તેવા વિદ્યાધર સૈન્યને આકાશમાં ભરતે જોયું. ‘હે દંડાર્થી ! તારે અમારી પાસેથી દંડ લેવો છે. ? એમ બોલતા તે વિદ્યાભિમાનીઓએ ભરતને યુદ્ધ માટે આહ્વાન કર્યું. સૈન્ય પરિવારવાળા બંને સાથે તેણે વિવિધ પ્રકારનાં યુદ્ધોથી જુદાં જુદાં અને એકી સાથે યુદ્ધ કર્યુ. કારણકે ‘જયશ્રી યુદ્ધ કરીને ઉપાર્જન કરાય છે.’ તે નમિ અને વિનમિ વિદ્યાધરપતિઓ બાર વરસ સુધીના યુદ્ધથી હારી ગયા, એટલે અંજલિપૂર્વક નમસ્કાર કરી ભરત રાજાને કહેવા લાગ્યા, સૂર્ય કરતાં ચડિયાતું બીજું ક્યું તેજ ? વાયુ કરતાં વેગવાન શું ? મોક્ષ કરતા ચિડયાતું સુખ કયું ? અને તમારા કરતા વધારે શૂરવીર કોણ ? હે ભરત મહારાજા ! આજે તમને દેખવાથી સાક્ષાત્ ઋષભદેવ ભગવંતના જ જાણે દર્શન થયા. હે કુલસ્વામિ ! અજ્ઞાનથી અમે તમારી સાથે લડ્યા, તેની ક્ષમા આપો, હવે તમારી આજ્ઞા, મુગટ માફક અમારા મસ્તકનું ભૂષણ છે. કોશ (ધનભંડાર) શરીર, પુત્રો અને બાકીનું સર્વ આપનું જ છે. એ પ્રમાણે ભક્તિગર્ભિત વચનો કહીને અતિ વિનયવાળાં વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ રત્નનો રાશિ ભરતને અર્પણ કર્યો. ત્યાર પછી ભરતની રજા પામેલા વૈરાગ્ય પામેલા બંનેએ પુત્રોનો રાજ્યાભિષેક કરી ઋષભદેવ ભગવંતની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. ત્યાંથી પણ આગળ ચાલતા ચક્રરત્નની પાછળ જતા ભરત રાજાએ ગંગાનદીનો કિનારો પ્રાપ્ત કર્યો. સેનાપતિ સુષેણે તરત ગંગાનો ઉત્તરપ્રદેશ જીતી લીધો. ‘મહાત્માઓને શું અસાધ્ય હોય ?' રાજા એ પણ અમતપ કરીને ગંગાદેવીની સાધના કરી. દેવીએ પણ દેવતાને યોગ્ય એવા ભેટણાથી ભરતની પૂજા કરી. ત્યાર પછી કમળોની સુગંધવાળા ગંગા નદીના કિનારે પૃથ્વીના ઈન્દ્ર-ભરત મહારાજા પોતાના વાસભવન માફક રહ્યા. કામદેવના રૂપ લાવણ્યથી અધિક રૂપવાળા ભરત મહારાજાને દેખી ગંગાદેવી પણ ક્ષોભવાળી દશા પામી. મુક્તામય આભૂષણોથી સર્વાંગ શોભાયમાન, જાણે વદન ચંદ્રની ચારે તરફ ચળકતા તારાનો પિરવાર હોય તેવી, કેળના ગર્ભની પાતળી ત્વચા સરખા કોમળ બારીક વસ્ત્ર ધારણ કરતી, પોતાના પ્રવાહ જળનું જ હોય તેવું રૂપ પરિણમાવતી, રોમાંચિત ગાત્રવાળી, સ્તનની પુષ્ટતાના યોગે જર્જરિત કંચુકવાળી, કટાક્ષો કરતી ગંગાદેવી તરત ભરત પાસે ગઈ. પ્રેમના ગદ્ગદ્ શબ્દોથી રાજાને અતિશય પ્રાર્થના કરી. તે રાજાની સાથે ક્રીડા કરવાની અભિલાષાવાળી પોતાના ભવને લઈ ગઈ. તેની સાથે વિવિધ પ્રકારના ભોગો ભોગવતાં રાજાએ એક દિવસની માફક એક હજાર વર્ષ પસાર કર્યા. તે પછી તે સ્થાનથી હાથી એક વનથી બીજા વનમાં પહોંચે તેમ પરાક્રમી રાજા ખંડપ્રપાત નામની ગુફામાં પહોંચ્યો. કૃતમાલની માફક ત્યાં પણ અશ્રુમતપ કરીને નાટ્ય માલની સાધના કરી અને તેની માફક તેનો પણ આઠ દિવસનો મહોત્સવ કર્યો. સુષેણે ઉઘાડેલા દ્વારોના કપાટવાળી તે ગુફામાં પ્રવેશ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ કર્યો એટલે તેને દક્ષિણ દ્વારા પોતાની મેળે જ ઉઘડી ગયું. તે ગુફાના મધ્યભાગમાંથી કેસરીસિંહ માફક ચક્રવર્તી બહાર આવ્યો અને ગંગાના પશ્ચિમ કાંઠે સૈન્યનો પડાવ નાંખ્યો. ગંગા-કિનારે આવી પહોંચતા ચક્રવર્તીને તે વખતે નાગકુમાર દેવોથી અધિષ્ઠિત થએલા નવ નિધિઓ હાજર થઈ કહેવા લાગ્યા કે, હે મહાભાગ્યશાળી ! ગંગાના મુખ પાસે માગધમાં રહેનારા, તમારા ભાગ્યથી વશ કરાએલા અમે તમારી પાસે આવ્યા છીએ. અમને તમારી ઈચ્છા પ્રમાણે નિરંતર ભોગવો, અથવા દાન આપો. સમુદ્રમાં જળનો કદાચ ક્ષય થશે. પણ અમારો ક્ષય થવાનો નથી. તમારા કિંકર સરખા નવ હજાર યક્ષો વડે હંમેશા પૂરાતા, આઠ ચક્રોથી પ્રતિષ્ઠિત થએલા. બાર યોજના લાંબા અને નવ યોજન પહોળા તમારા પહેરેગીર માફક રહીને હે દેવ ! અમે ભૂમિની અંદર તમારી સાથે ચાલ્યા કરીશું. પછી સુષણ સેનાપતિ પણ મહાવાયુ જેમ મહાવનને તેમ ગંગાના દક્ષિણ પ્રદેશને વેરાન જેવું બનાવી આવી પહોંચ્યા. એવી રીતે સાઠ હજાર વર્ષ છ ખંડ પૃથ્વીને જિતને ચક્રમાર્ગની પાછળ જતા ભરત ચક્રવર્તી અનુક્રમે અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યો. ત્યાર પછી રાજાઓએ આવી બાર વરસ સુધી ભરત મહારાજાનો ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કર્યો. પોતાના કુટુંબની સાર સંભાળ કરતા માત્ર હાડકાંવાળી, દુબળા અંગવાળી સુંદરીને જોવાથી ભરતેશ્વર રાજા ક્રોધે ભરાયા અને નજીક રહેલા સેવકોને કહ્યું, અરે સેવકો ! મારે ત્યાં શું ભોજન નથી કે, આ આવા પ્રકારના હાડકાં અને ચામડી માત્ર શરીરવાળી થઈ ગઈ ? એમ થવાનું કારણ શું બન્યું ? ત્યારે સેવકોએ કહ્યું કે, હે સ્વામિ ! જ્યારથી તમો વિજય-યાત્રાએ ગયા, ત્યારથી માંડીને સુન્દરીએ પારણું કર્યા વગર લગાટ આંબેલનું તપ ચાલુ જ રાખ્યું છે. આ સમયે ઋષભદેવ ભગવંત પૃથ્વીમાં વિચરીને અષ્ટાપદ પર્વત ઉપર સમોસર્યા. તે વાત સાંભળી ચક્રવર્તી ભરત મહારાજા પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. પ્રભુની દેશના સાંભળી સુંદરીએ દીક્ષા લીધી. તે રાજ્યાભિષેક મહોત્સવમાં ભાઈઓ આવેલા નથી, તે જાણીને ભરત રાજાએ દરેકની પાસે દૂતો મોકલ્યા અને તેમને કહેવરાવ્યું કે, “જો રાજ્યની ઈચ્છા હોય તો ભારતની સેવા સ્વીકારો આ પ્રમાણે દૂતથી કહેવાએલા તેઓ એકઠા થઈ વિચાર-વિનિમય કરી જવાબ કહેવરાવ્યો કે, પિતાજીએ અમને અને ભરતને રાજ્ય વહેંચી આપ્યું છે. ભરતની સેવા કરવાથી એ અમને વધારે શું કરવાનો છે ? યમરાજા આવશે ત્યારે શું તેને રોકી શકશે ? દેહને દુર્બળ કરનારી- જરા રાક્ષસીઓ નિગ્રહ કરશે ? હેરાનગતિ પમાડનાર વ્યાધિરૂપી શિકારીને હણશે ખરો કે ! અનુક્રમે વૃદ્ધિ પામતી તૃષ્ણાદેવીનું દલન કરશે ? આવા પ્રકારનું સેવાફળ આપવા જો ભરત સમર્થ ન હોય, તો અમારાં બંનેનું મનુષ્યપણું સમાન છે, તો પછી કોણ કોને સેવા લાયક છે ? ઘણાં રાજ્ય હોવા છતાં અસંતોષથી અને બળાત્કારથી અમારું રાજ્ય પડાવી લેશે, તો અમે જેના પુત્રો છીએ એ જ તાતનો તે પણ પુત્ર છે. તે દૂત ! પિતાજીને જણાવ્યા વગર સગા મોટાભાઈ અને તારાસ્વામી સાથે અમે યુદ્ધ કરવાના ઉત્સાહવાળા નથી. એ પ્રમાણે દૂતને કહીને તેઓ ઋષભ પ્રભુ પાસે ગયા અને નમીને ભરતનો જે સંદેશો આવ્યો હતો, તે સર્વ નિવેદન કર્યો. જેના નિર્મળ કેવળજ્ઞાનરૂપી આરિસામાં સમગ્ર જગત સંક્રાન્ત થએલ છે. એવા કૃપાવાળા આદિનાથ ભગવંતે તેઓને ઉપદેશ આપ્યો કે, અનેક યોનિમાં જન્મ થવો, અનંતપીડાનું કારણ, અભિમાન-ફળવાળી આ રાજ્યલક્ષ્મી છેવટે તે પણ ચાલી જવાના સ્વભાવવાળી છે. વળી સ્વર્ગના સુખથી જે તૃષ્ણા આગલા ભવમાં તૃપ્ત ન થઈ, તે તમારી તૃષ્ણા અંગાર દાહકની માફક મનુષ્યભોગોથી કેવી રીત તૂટશે ! અંગારદાહકનું ઉદાહરણ કોઈક અંગારા પાડનારો નગરમાંથી પાણીની ચર્મથેલી (મસક) લઈને નિર્જલ જંગલમાં અંગારા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પાડવા ગયો. તે અંગારાના અગ્નિના તાપથી અને મધ્યાહ્નના સૂર્યના તડકાથી બેવડો તરસ્યો થવાથી લાવેલ મસક થેલીનું સર્વ પાણી પી ગયો, તો પણ તેની તરસ તૃપ્ત ન થઈ, ત્યાર પછી ઊંઘી ગયો એટલે સ્વપ્નમાં ઘરે જઈને ઘડા ગળી અને ઘરના પાણીના ભરેલા તમામ ભાજનોનું સર્વ પાણી પી ગયો. તેલથી જેમ અગ્નિ તૃપ્ત ન થાય, તેમ તેટલાં પાણી પીવાં છતાં તેની તૃષ્ણા ઓછી ન થઈ, ત્યારે વાવડી કૂવા તળાવનું પાણી પી પીને ખાલી કર્યા. તો પણ અતૃપ્ત રહ્યો. નદીએ ગયો, સમુદ્રોના જળનું પાન કર્યું. છતાં નરકની તરસ વેદનાની માફક તેની તરસ ઓછી ન થઈ. પછી દરેક જળાશયોનાં જલપાન કરી ખાલી કરી તે મારવાડના કુવાનું પાણી પીવા માટે ગયો. દોરડાથી એક ઘાસનો પૂળો બાંધી પાણી માટે કૂવામાં ઉતાર્યો. “પરેશાન થએલો શું ન કરે ? મારવાડના કુવાનું પાણી ઉંડું અને દૂર હોવાથી ખેંચાતા પૂળામાંથી ઘણું પાણી તો ગળી ગયું. તો પણ ઝાકળના બિન્દુ જેવા પૂળાના તણખલા પર ચોટેલા બિન્દુઓને નીચોવી નીચોવી તે પીવા લાગ્યો. જે તૃષા સમુદ્ર-જળથી ન છેદાઈ, તે પૂળાના પાણીથી કેવી રીતે દૂર થાય ? તેની માફક સ્વર્ગના સુખોથી તમને જે તૃપ્તિ ન થઈ, તો પછી આ રાજ્યલક્ષ્મીથી તમારી તૃષ્ણા કેવી રીતે છેદાશે ? હે વત્સો ? અત્યંત આનંદ રસ ઝરાવનાર અને નિર્વાણ-પ્રાપ્તિના કારણ-સ્વરૂપ સંયમ-સામ્રાજ્ય જ તમારા સરખા વિવેકીને યોગ્ય ગણાય. પ્રભુનો આ વૈરાગ્યમય ઉપદેશ સાંભળી તે જ સમયે વૈરાગી અઠ્ઠાણું ભાઈઓએ ભગવંતની પાસે તરત દીક્ષા લીધી. ત્યાર પછી અહો ! તેમનું ધૈર્ય, અહો ! સત્ત્વ, અહો ! વૈરાગ્ય-બુદ્ધિ એ પ્રમાણે તેનું સ્વરૂપ ચિંતવતા દૂતોએ રાજાને હકીકત નિવેદન કરી. તે સાંભળી તેઓનાં રાજ્યો ભરતે પોતે ગ્રહણ કર્યા. લાભ થાય તેમ લોભની વૃદ્ધિ થાય.” અને હંમેશા રાજધર્મો આવા જ પ્રકારના હોય છે.” બાહુબલી સાથે યુદ્ધ અને તેને કેવલજ્ઞાન હવે સેનાપતિએ ભરત મહારાજાને વિનંતી કરી કે, “હે પ્રભુ ! હજુ પણ આપની આયુધશાળામાં ચક્ર પ્રવેશ કરતું નથી. હે પ્રભુ ! દિગ્વિજય કરતાં કરતાં કોઈક રાજાએ હજુ આપની આજ્ઞા સ્વીકારી નથી.” - ભરતે કહ્યું કે, હા ! જાણ્યું લોકોત્તર પરાક્રમવાળા મારા બંધુ મહાબલવાળાં બાહુબલી જિતવાનાં બાકી છે. એક બાજુ એક ગરુડ અને બીજી બાજુ સર્પના કુળો. એકબાજુ એકલો સિંહ જે કાર્ય કરી શકે તે મૃગટોળું ન કરી શકે. એક બાજુ સર્વ દેવો, દાનવો અને મનુષ્યો હોય અને બીજી બાજુ એકલો બાહુબલી હોય, તો તેને જિતનાર પ્રતિમલ્લ કોઈ નથી. એક બાજુ આયુધશાલામાં ચક્ર પ્રવેશ કરતું નથી અને બીજી બાજુ બાહુબલી બીજાની આજ્ઞા સ્વીકારવા તૈયાર નથી. ખરેખર હું તો સંકટમાં આવી પડેલો. છું શું આ બાહુબલી કોઈની પણ આજ્ઞા માનવા તૈયાર છે ? કોઈ દિવસ સિંહ કોઈના પલાણને વહન કરી શકે ખરો ? એ વિચારતા તેને સેનાપતિએ કહ્યું. તે સ્વામિ ! તમારા પરાક્રમ આગળ ત્રણે લોક પણ તૃણ સમાન છે. ત્યાર પછી ઓરમાન નાનાભાઈ બાહુબલીની રાજધાની તક્ષશિલા નગરીમાં રાજાએ દૂત મોકલી સંદેશો કહેવરાવ્યો. પર્વત-શિખર ઉપર જેમ સિંહ તેમ ઉંચા સિંહાસન પર બેઠેલા બાહુબલીને પ્રણામ કરી દૂતે યુક્તિયુક્ત વચન કહ્યું. “ખરેખર તમો એક પ્રશંસવા લાયક છો, જેના મોટાભાઈ, જગતને જીતનારા ભરતના છ ખંડના સ્વામી અને લોકોત્તર પરાક્રમવાળા છે. તમારા ભાઈના ચક્રવર્તીપણાના અભિષેકમાં માંગલિક ભેટો લઈને અને આજ્ઞાકિંત બની કયા રાજાઓ નથી આવ્યા? અર્થાત્ દરેક આવ્યા છે, સૂર્યોદય જેમ કમલ વનના પ્રત્યે તેમ ભરતનો ઉદય તમારી જ શોભા માટે છે. પરંતુ તમે તેના અભિષેકમાં કેમ નથી આવ્યા? તેથી કરીને હે કુમાર ! તમારું ન આવવાનું કારણ જાણવા માટે નીતિ જાણકાર રાજાએ મને આવવાની આજ્ઞા કરી છે, તેથી હું આપની પાસે આવ્યો છું. તમે કદાચ સરળતાથી Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ ૩૩ નહિં આવ્યા હશો, તેમાં પણ કેટલાંક લોકો તમારી અવિનીતતાને બોલશે. કારણકે ‘ખલ પુરુષો છિદ્ર ખોળનારા હોય છે.' માટે તેવા હલકા ખલ પુરૂષોને બોલવાનો વખત ન આવે તે વાતનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ અને તમારે ત્યાં પધારવું યોગ્ય છે. મોટાભાઈ મહારાજા થાય, તેની ઉપાસના કરવામાં કંઈ શરમ નડે ? વળી હું તેનો ભાઈ છું, એમ નિર્ભય બની કદાચ તમે ન આવ્યા, તે પણ યોગ્ય નથી, કારણકે ‘આજ્ઞા મનાવનાર રાજાઓ સગા-સબંધીની ખેવના રાખતા નથી.' લોહચુંબકથી જેમ લોહ તેમ દેવો, દાનવો અને માનવો તેના પરાક્રમ અને તેજથી આકર્ષાએલા છે અને અત્યારે એક ભરતને જ અનુસરે છે. ઈન્દ્ર મહારાજા પણ જેને અર્ધ આસન આપીને મિત્રતા બાંધે છે, તો પછી તમે સેવા માત્રથી કેમ તેને અનુકુળ થતાં નથી ? વળી કદાચ તમે વીરમાનીપણાથી રાજાની અવજ્ઞા કરતા હશો, તો તમે તેની આગળ લશ્કર સાથે પંચસમુદ્રમાં સાથવાની મુઠ્ઠી જેટલા છો., વળી તેમની પાસે ઐરાવણ જેવા ચોરાશી લાખ હાથી છે કે જેઓને જંગમ પર્વતની માફક ચલાવવા કોણ સમર્થ છે ? તેટલી જ સંખ્યાવાળા, અશ્વો તથા રથો છે કે જે કલ્પાન્ત કાળના સમુદ્રના કલ્લોલ સરખા છે, તેને અટકાવવા કોણ સમર્થ છે? તે રાજાને છન્નુ ક્રોડ ગામો છે અને સિંહ જેવી છન્નુ ક્રોડ પાયદળની સેના છે, તે કોને ત્રાસ ન પમાડે ? વળી તેને હાથમાં દંડવાળો યમરાજા સરખો સુષેણ નામનો એક સેનાપતિ છે. તે દેવોથી અને અસુરોથી પણ સહન કરી શકાતો નથી. વળી અમોઘ ચક્રને ધારણ કરતા ભરત ચક્રવર્તીની આગળ સૂર્યની આગળ જેમ અંધકાર-સમૂહ તેમ ત્રણ લોક પણ વીસાતમાં નથી. હે બાહુબલ ! ભરત મહારાજા તેજ અને વયથી સર્વથા મોટાં છે. માટે રાજ્ય અને જીવિતની ઈચ્છાવાલા તમારે તેની સેવા કરવી જોઈએ.'’ જેણે બાહુબલથી જગતનું બલ દૂર કર્યું છે, એવા બાહુબલિએ ભૃકુટી ચડાવી જાણે બીજો સમુદ્ર હોય તેવા શબ્દોથી દૂતને કહ્યું. “ હે દૂત ! તે લોભથી ક્ષોભવાળું વચન કહ્યું. પરંતુ હંમેશા દૂતો તો યથાર્થપણે સ્વામીના વચનનો સંદેશો પહોંચાડનારા હોય છે, હે દૂત ! સુરો, અસુરો અને નરેન્દ્રોને પૂજ્ય ઉત્તમ પરાક્રમવાળા પિતાજી નથી અને મારે માટે પ્રશંસાના કારણભૂત ભરત છે, એ વાત તે નવીન કરી. કર આપનારા રાજાઓ કદાચ તેની પાસે ન આવે પણ બલવાન બાહુબલી જેનો ભાઈ છે તે તો દેખાતો નથી. સૂર્ય અને કમલખંડની માફક અમારી બંનેની પરસ્પર પ્રીતિ ભલે દૂર રહેલી તો પણ તે ભાઈના હૃદયમાં અમારું સ્થાન છે. ત્યાં જવાથી વધારે શું ? અમારી પ્રીતિ તો જન્મથી સ્વાભાવિક છે જ. અમે સરલતાથી નથી આવ્યા તે વાત સત્ય છે. તેમાં ભરત સાથે કુટિલતા કઈ ગણાય. ? વિચાર કરીને કાર્ય ક૨ના૨ સજ્જન પુરૂષો દુર્જનના વચનથી ભરમાતા નથી. ભગવંત ઋષભદેવ પ્રથમ તીર્થનાથ એ જ એકલા અમારાં બંનેના નાથ છે, તે એક સ્વામી વિજયવંતા હોય, પછી મારે બીજા સ્વામી શી રીતે હોઈ શકે ? જો ભાઈ છે, તો બીક શી ? તે આજ્ઞા કરનારા સ્વામી છે, તો ભલે આજ્ઞા કરે, જો સગાનો સંબંધ હોય તેથી સર્યું. શું વજ્ર વજ્રને, હીરો હીરાને કાપતો નથી ? દેવો દાનવો અને માનવોને સેવા કરવા લાયક તે હોય અને તેમના પર પ્રીતિ રાખનારો હોય તેથી મારે તેની સાથે શું લાગે વળગે ? સીધા માર્ગમાં ૨થ ચલાવવો તેમાં હરક્ત ન આવે, પણ ઠુંઠા કે ઝાડના થડ વચમાં અથડાય તો સારો ૨થ પણ ભાંગી જાય છે. પિતાજીના ભક્ત ઈન્દ્ર કદાચ પિતાના પુત્રને બેસવા માટે અર્ધસન આપે, તેટલા માત્રમાં તે આટલો અહંકારી બની જાય છે ! સમુદ્ર સરખા તેના સૈન્ય સહિત બીજા રાજાઓ સાથવાના લોટની મુષ્ટિ સરખા છે, પરંતુ હું તો તેજ વડે દુઃસહ એવા વડવાનલ સરખો છું. સૂર્યના તેજમાં બીજા તેજોની જેમ મારા વિશે તેના પાયદળ, ઘોડાઓ, રથો, હાથીઓ, સેનાપતિ અને ભરત પણ પ્રલય પામશે. હે દૂત ! તું જા, જો તેને રાજ્યની અને જીવિતની ઈચ્છા હોય તો ભલે લડવા આવે, પિતાજીએ આપેલા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ રાજ્યના ભાગથી મને સંતોષ છે. મેં તો તેની પૃથ્વીની ઉપેક્ષા કરી છે.” ત્યાંથી પાછા ફરેલા દૂતે સર્વ હકીકત જણાવી એટલે તે જ ક્ષણે બાહુબલી સાથે યુદ્ધ કરવાની અભિલાષાવાળા ભરત મહારાજાએ સેના સાથે પ્રયાણ કર્યું. ચોમાસામાં વાદળાં જેમ આકાશને ઢાંકે તેમ સૈન્ય વડે પૃથ્વીને ઢાંકતો મહાપરાક્રમી બાહુબલી પણ ભરત સામે લડવા માટે આવી પહોંચ્યો. બંનેના સૈન્યોના મહાસુભટો રૂપી જીવજંતુઓના પરસ્પર શસ્ત્રો અફળાવવા રૂપે મોજાંઓનો ભયાનક ભેટો થયો. તેઓના સૈનિકોનું માંહેમાંહે ભાલા સામે ભાલાનું, બાણો સામે બાણોનું યમરાજની હાજરીવાળું યુદ્ધ પ્રવર્યું. ત્યાર પછી મહાબળવાળા બાહુબલિએ રૂના પૂંમડાની માફક સમગ્ર સૈન્યને દૂર હટાવી ભરતને આ પ્રમાણે કહ્યું “અરે ! હાથી, ઘોડા, પાયદલ, સેનાનો ઘાત કરી ફોગટ પાપ શા માટે ઉપાર્જન કરે છે ? જો તું એકલો લડવા સમર્થ હોય તો એકલા મારી સાથે યુદ્ધ કર” ત્યાર પછી બન્નેએ એક અંગથી દ્વન્દ્વયુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી અને બંને પક્ષોના સૈનિકોને યુદ્ધ કરતા નિવારણ કર્યા. એટલે તેઓ સાક્ષીની માફક બંને પક્ષે જોતા ઉભા હતા. પ્રથમ દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. એટલે નિર્નિમેષ નેત્રવાલા આ બંને નરદેવો દેવો છે.’ એમ દેવતાઓએ પણ અનુમાન કર્યું. જેમાં સાક્ષીઓ દેવતા હતા એવા તે બંનેમાં ભરત હારી ગયો એટલે પક્ષ અને પ્રતિપક્ષ સ્થાપવારૂપ વાદ-વિવાદરૂપ વાગ્યુદ્ધ કર્યું. તેમાં પણ ભરતનો પરાજય થયો. એટલે મહાભુજાવાળા બંનેએ ભુજાયુદ્ધથી યુદ્ધ શરૂ કર્યું. બાહુબલીએ પોતાની બાહુ લંબાવી તેને ભરત વાળવા મંડ્યો. પણ મહાવૃક્ષની ડાળી ઉપર વાંદરો લટકે તેમ લટકતો દેખાયો. ભરતની મોટી ભુજાની બળવાન બાહુબલિએ એક જ હાથ વડે લતાનાલની માફક વાળી નાંખી. મુષ્ટિયુદ્ધ શરૂ થયું. એટલે બાહુબલીના ઉપર ભરત પ્રહાર કરવા લાગ્યો. પણ સમુદ્રના મોજાં કિનારા પરના પર્વત પર અથડાય, તેની માફક તેની મુષ્ટિઓ નિષ્ફળ થઈ. બાહુબલિએ વજ્ર સરખી મુષ્ટિનો પ્રહાર કર્યો. એટલે ભરત પોતાના સૈન્યના અશ્રુજળ સાથે પૃથ્વીમાં પડ્યો; મૂર્છા ઉતર્યા બાદ હાથી દંતશૂળથી પર્વતને તાડન કરે તેવી રીતે ભરત અભિમાનથી બાહુબલિને દંડ વડે તાડન કર્યું. ત્યાર પછી બાહુબલીએ પણ ભરતને દંડથી માર્યો. જેથી તે ભૂમિમાં નાંખેલા ખીલા માફક જાનું સુધી ખૂંચી ગયો. પછી ભરતને સંશય થયો કે શું આ ચક્રવર્તી હશે ? તેટલામાં યાદ કરતા ચક્ર તેના હાથમાં તરત આવી ગયું. મહાકોપથી ભૂમિમાંથી બહાર નીકળીને ભરત મહારાજાએ લશ્કરના હાહાકર સાથે તેવા પ્રચંડ ચમકતાં ચક્રને ફેંક્યું. તે ચક્ર બાહુબલિને પ્રદક્ષિણા કરી પાછું ફર્યું. કારણકે દેવતાથી અધિષ્ઠિત શસ્ત્રો એકગોત્રવાળા સ્વજનોનો પરાભવ કરતા નથી. તેને અનીતિ કરતા દેખીને કોપથી લાલ નયનવાળા બાહુબલીએ ચક્ર સાથે તેને ચૂરી નાખું.' એમ વિચારી મુઠ્ઠી ઉગામી, ‘તેની માફક હું પણ કષાયો વડે ભાઈનો વધ કરવા તૈયાર થયો છું ! માટે ઈન્દ્રિયોને જીતી હું કષાયોને હણું ! એમ વિચારતા ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા બાહુબલીએ તે જ મુષ્ઠિથી મસ્તકના કેશનો લોચ કર્યો અને તરત સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. ‘સુંદર કર્યું, સુંદ૨ કર્યું' એમ આનંદ-પૂર્વક બોલતા દેવતાઓએ બાહુબલિના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. બાહુબલિએ મનમાં વિચાર્યું કે, ‘ભગવંતની પાસે જઈ જ્ઞાનાતિશયવાળા નાના ભાઈઓને વંદના કેવી રીતે કરું? માટે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી હું પર્ષદામાં જઈશ.' એમ વિચારી કૃતાર્થ બનેલા તે ત્યાં જ પ્રતિમા ધારણ કરી મૌનપણે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યાં. બાહુબલિને તેવી સ્થિતિમાં દેખી, અને પોતાનું ખરાબ વર્તન વિચારી, નમાવેલી ગ્રીવાવાળો ભરત જાણે પૃથ્વીમાં પેસવાની ઈચ્છાવાલો હોય તેવો ઝંખવાણો બની ગયો. સાક્ષાત્ શાન્તરસવાળા બંધુને પ્રણામ કર્યા. અને બાકી રહેલા કોપનો જાણે ત્યાગ કરતા હોય તેમ લગાર ઉષ્ણ આંસુ નેત્રમાં ભરાઈ આવ્યા. પ્રણામ કરતાં ભરત મહારાજા અધિક સેવા કરવાની અભિલાષાથી નખરૂપી આદર્શમાં પ્રતિબિંબ પડવાથી જાણે વિવિધરૂપવાળા બની ગયા. બાહુબલ મુનિના ગુણ સ્તવનાપૂર્વક પોતાના દોષરૂપ રોગની ઔષધિ સમાન આત્મનિંદા કરવા લાગ્યા. ખરેખર Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ ૩૫ તમોને ધન્ય છે, જેણે મારી અનુકંપા ખાતર રાજ્યનો ત્યાગ કર્યો. ખરેખર હું પાપી, અસંતોષી અને ખરાબ અહંકારવાળો છું કે જેણે તમને ઉપદ્રવ કર્યા. જેઓ પોતાની શક્તિ જાણતા નથી. અન્યાય માર્ગે પ્રવર્તે છે અને જેઓ લોભથી જિતાયા છે, તે સર્વમાં હું અગ્રેસર છું. રાજ્ય એ ભવ-વૃક્ષનું બીજ છે, તે વાત જેઓ સમજતા નથી, તેઓ અધમ છે, તેવા રાજ્યને જાણવા છતાં તેને ન છોડવાથી હું અધમ કરતા પણ વધારે અધમ છું. પિતાનો પુત્ર ખરેખર તું જ ગણાય કે, જે પિતાજીના માર્ગે ગયો. હું પણ તેમનો તો જ પુત્ર થાઉં. જો તમારા સરખો થાઉં.” પશ્ચાતાપના પાણી વડે વિષાદરૂપી કાદવને સાફ કરી બાહુબલિનાં પુત્ર સોમયશાને તેની ગાદીએ રાજ્યાભિષેક કર્યો. ત્યારથી માંડીને સેંકડો શાખાઓ યુક્ત તે પુરૂષ-રત્નોની ઉત્પત્તિના એક કારણરૂપ એવો સોમવંશ ચાલુ થયો. ત્યાર પછી બાહુબલિને પ્રણામ કરી પરિવાર સાથે ભરત રાજા પોતાની રાજ્યલક્ષ્મી સરખી અયોધ્યા નગરીમાં ગયો. દુષ્કર તપ તપતાં બાહુબલિમુનિને પૂર્વભવના કર્મ સાથે એક વર્ષનો કાળ પસાર થયો ત્યાર પછી મહાજ્ઞાની ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને ત્યાં જવા આજ્ઞા કરી એટલે તેની પાસે આવી તેઓ કહેવા લાગી. “હે મહાસત્ત્વવાળા ! સુવર્ણ અને પત્થરમાં સરખા ચિત્તવાળા ! સંગ ત્યાગ કરનારને હાથી-સ્કંધ ૫૨ આરોહણ કરવું યોગ્ય ન ગણાય. આવા પ્રકારના તમને ખરેખર જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય ? નીચે લીંડીનો અગ્નિ હોય એવા વૃક્ષને નવપલ્લવો ઉગતા નથી. માટે જો તમારે ભવ-સમુદ્ર તરવાની ઈચ્છા હોય તો તમે જાતે જ વિચાર કરીને લોઢાની નાવ સરખા આ હાથી ઉપરથી નીચે ઉતરો.” ત્યાર પછી તે વિચારવા લાગ્યા કે વૃક્ષ પર ચડેલી વેલડી માફક મારા શરીરને હાથીનો સંગમ કેવી રીતે ? કદાચ સમુદ્ર મર્યાદા મૂકે, પર્વત પણ ચલાયમાન થાય, તો પણ ભગવંતની આ શિષ્યાઓ કદાપિ અસત્ય ન બોલે. હા જાણ્યું. અથવા તો આ માન એ હાથી છે, અને એણે જ મારું જ્ઞાન-ફળવાળું વિનય-વૃક્ષ નાશ પમાડ્યું છે. નાના ભાઈઓને કેવી રીતે વંદન કરું ? એવા ચિંતનને ધિક્કાર હો. તેઓ તપ વડે મોટા છે, મારું મિથ્યા-દુષ્કૃત થાઓ. દેવો અને દાનવોને નમસ્કાર યોગ્ય એવા ભગવંતની પાસે જઈને તે નાનાભાઈઓના શિષ્યોના પણ પરમાણુ સરખો થઈ હું તેમને વંદન કરું. જેટલામાં તે મુનિ પગ ઉપાડીને ચાલ્યા. તેટલામાં તેમણે નિર્વાણ-ભવનના દ્વાર સરખું કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. હાથમાં રહેલા આમલકની માફક કેવલજ્ઞાન લક્ષ્મીથી સમસ્ત વિશ્વને જોતા તે બાહુબલિમુનિ ભગવંત સમીપે કેવળીઓની પર્ષદામાં બેઠા. ચૌદ મહારત્નો, ચોસઠ હજા૨ અંતઃપુરની સ્ત્રીઓ, નવ નિધાનોથી પરિવરેલા ભરત મહારાજા પણ સામ્રાજ્ય-સંપત્તિરૂપી વેલડીના ફળસરખા ધર્મ, અર્થ અને કામને યથાકાલે પરસ્પર હાનિ ન પહોંચે તેવી રીતે ભોગવતા હતા, કોઈક સમયે વિચરતા વિચરતા પ્રભુ અષ્ટાપદ પર્વત પર પધાર્યા. ત્યારે પ્રભુના ચરણ-કમળને વંદન કરવાની ઈચ્છાવાલો ભરત પણ ત્યાં ગયો. દેવો અને દાનવોને પૂજા કરવા યોગ્ય સમવસરણમાં બેઠેલા જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી ભરત રાજાએ સ્તુતિ કરી. ભરતે કરેલી ભગવંતની સ્તુતિ “હે પ્રભુ ! આપ સાક્ષાત્ વિશ્વાસની મૂર્તિરૂપે રહેલા છો, એકઠા કરેલા સર્તનવાળા સમગ્ર જગતના જાણે એક બાજુ રહેલા ન હોય તેવા પ્રસાદ સરખા, પ્રત્યક્ષ જ્ઞાનના ઢગલા જેવા, પુણ્યના સમૂહ સ્વરૂપ સર્વલોકનું સર્વસ્વ જાણે એક જગ્યા પર એકઠું કરેલ હોય, તેવા દેહધારી સંયમ સરખા રૂપવાળા ઉપકાર સરખા, પગલે ચાલતા શીલા સરખા, દેહધારી ક્ષમાવાળા, યોગના રહસ્ય સરખા, જગતનું સમગ્ર વીર્ય એકઠું થઈ એક સ્થાને રહેલું હોય તેવા, સકળ સિદ્ધિના ઉપાય જેવા, સમગ્ર કુશળતાવાળા મૂર્ત સ્વરૂપવાળી મૈત્રી સરખા, દેહવાળી જાણે કરૂણા ! પિંડસ્વરૂપ મુદિતા જેવા, મૂર્તિમાન ઉપેક્ષા હોય તેવા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તપ, પ્રશમ, સલ્લાન, યોગ વગેરે એકઠા થયા હોય તેવા સાક્ષાત્ વિનય સરખા, સાધારણ સિદ્ધિ સરખા, સર્વ શાસ્ત્ર-સંપત્તિઓ પ્રત્યે વ્યાપક હૃદય સરખા, નમ:, સ્વસ્તિ, સ્વધા, સ્વાહા, વષડુ વગેરે મંત્રોના અભિન્ન અર્થ સરખા, કેવલ વિશુદ્ધ ધર્મ-નિર્માણના અતિશય સરખા, સમગ્ર તપનું પિંડભૂત સમગ્ર ફળ હોય તેવા, શાશ્વત સમગ્ર ગુણ-સમૂહ સ્વરૂપ, ગુણોત્કર્ષ સ્વરૂપ, મોક્ષલક્ષ્મીના નિર્વિઘ્ન સ્વરૂપ, નજીકના આશ્રય સરખા, પ્રભાવનાના અદ્વિતીય સ્થાન સ્વરૂપ મોક્ષના પ્રતિબિંબ સરખા, વિદ્યાઓનાં જાણે કુલગૃહ, સર્વ આશિષોના ફળ સરખા, આર્યોના શ્રેષ્ઠ ચારિત્રોનું આત્મદર્શન કરવા માટે શ્રેષ્ઠ આદર્શ સરખા, જેમણે જગતને દર્શન આપેલા છે, એવા કુટસ્થ પ્રશમ સરખા, દુઃખની શાંતિના દ્વાર સરખા, બ્રહ્મચર્ય માફક ઉજ્જવલ, પુણ્યથી પ્રાપ્ત કરેલું અવલોકનું જાણે અપૂર્વ જીવિત હોય તેવા, મૃત્યુરૂપ વાઘના મુખમાંથી ખેંચી લેવા માટે જાણે કૃપાલુ ભગવંતે હાથ લાંબો કર્યા હોય એવા, સમગ્ર જગતને બચાવનારા, જ્ઞાનરૂપી મેરુપર્વતથી વલોવાએલ, જોય સમુદ્રમાંથી ઉત્પન્ન થએલ, જાણે બીજું અમૃત હોય, તેમ પ્રાણીઓનાં અમૃત્યુના કારણ સ્વરૂપ, જેમણે આખા વિશ્વને અભયદાન આપવા વડે ત્રણ લોકને આશ્વાસિત કરેલ છે, એવા પરમેશ્વર ! હું તમારું શરણ પામ્યો છું, તો મારા પર પ્રસન્ન થાઓ. ત્યાં આગળ ત્રણ જગતના નાથ ઋષભદેવ સ્વામીને એકાગ્ર મનવાળા બની ભરતે લાંબાકાળ સુધી ઉપાસના કરી. દીક્ષા લીધા પછી લાખ પૂર્વ જેટલો કાળ ગયા પછી પ્રભુ દશ હજાર સાધુઓની સાથે તે અષ્ટાપદ પર્વત પર મોક્ષે ગયા, તે વખતે શક્ર વગરે દેવતાઓએ પ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યો. મહાશોકવાળા ભરતને પણ ઈન્દ્ર મહારાજાએ આશ્વાસન આપી સમજાવ્યા. અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ બીજા અષ્ટાપદ સરખો સિંહનિષદ્યા નામનો રત્નમય પ્રાસાદ બનાવ્યો. તેમાં ઋષભદેવ ભગવંતનું શરીર અને વર્ણસંસ્થાનથી શોભિત રત્નપાષાણમય બિંબ ચક્રવર્તીએ સ્થાપન કર્યું. તથા ભાવી ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓના શરીર પ્રમાણ સંસ્થાન અને વર્ણ પ્રમાણવાળા બિંબો ભરાવી સ્થાપન કર્યા. નવાણું ભાઈ મુનિવરોનાં પણ રત્નપાષણના અનુપમ સ્તૂપો ભરત મહારાજાએ રચાવ્યા. ફરી પોતાની રાજધાનીમાં આવીને પ્રજાનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ બની રાજ્ય-શાસન કર્યું. ભોગફલના કર્મવાળો તે ભરત ચક્રવર્તી હંમેશા જાણે સાક્ષાત ઈન્દ્ર હોય તેવા વિવિધ ભોગો ભોગવતો હતો. કોઈક સમયે વસ્ત્ર, આભૂષણાદિક પહેરવા માટે ભરત મહારાજા આરીસાભુવનમાં તારાઓ વચ્ચે જેમ ચંદ્ર તેમ અંતઃપુરની સ્ત્રીઓ વચ્ચે ગયો. ત્યાં સર્વાગે પહેરેલાં રત્નાભરણમાં પડેલા પ્રતિબિંબો વડે જાણે એકી સાથે સ્ત્રીવર્ગને પ્રેમથી આલિંગન કરતો હોય તેમ શોભવા લાગ્યો. આદર્શની અંદર પોતાને જોતો હતો, ત્યારે એક આંગળીમાંથી વીંટી સરી પડી. તે દિવસે નિસ્તેજ થયેલી ચંદ્રકળા હોય તેવી શોભા વગરની આંગળી જોઈ. ત્યાર પછી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી દરેક અંગેથી આભૂષણો ઉતારી પોતાનું પ્રતિબિંબ જોતા ખરી પડેલા પાંદડાવાળા વૃક્ષ સરખું શોભા વગરનું દેખાયું ત્યારે વિચાર્યું કે અહો ! આ આભૂષણો વડે થએલી શરીરની શોભાને ધિક્કાર હો. ઉખરભૂમિ જેમ વરસાદના જળને તેમ આ શરીર પણ કપૂર, કસ્તૂરી વગેરે સારા પદાર્થોને દૂષિત કરે છે. દુઃખ દાયક એવા વિષયોનો ત્યાગ કરી જેઓએ મોક્ષફળ આપનાર તપનું સેવન કર્યું. તત્ત્વ સમજનારા એવા તેઓએ જ આ શરીરનું ફળ પ્રાપ્ત કર્યું છે. આવી સુંદર ભાવના ભાવતા એવા ભરત મહારાજાને શુકલ ધ્યાનના યોગે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અહો યોગનું સામર્થ્ય ! તે જ ક્ષણે વિનીત એવા ઈન્દ્ર મહારાજાએ તેમને રજોહરણ પ્રમુખ મુનિવેષ અર્પણ કર્યો. પછી વંદન કર્યું. તેના રાજ્ય ઉપર તેમના આદિત્યયશા નામના પુત્રને સ્થાપન કર્યો. ત્યારથી માંડી આજ સુધી સુર્યવંશ ચાલ્યા કરે છે. || ૧૦ || પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ યોગ-સમૃદ્ધિનાં બલથી અશુભ કર્મને ખપાવેલાં ભરત મહારાજાને કમ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૧-૧૨ ૩૭ કલેશ અપાવવા માટે યોગ-પ્રભાવનું વર્ણન કરવું યોગ્ય ગણાય. પરંતુ જેણે જન્માંતરમાં દર્શનાદિ ત્રણ રત્નો મેળવ્યા નથી, અને કર્મ નહીં ખપાવેલ હોવાથી જેણે મનુષ્યપણું પણ પ્રાપ્ત કર્યું નથી, તે અનંતકાલ સુધી એકઠાં કરેલાં કર્મનો નિર્મૂળ નાશ કેવી રીતે કરી શકે ? આ શંકાનો ઉત્તર આપતા જણાવે છે– ११ पूर्वमप्राप्तधर्मापि परमानन्दनन्दिता । योगप्रभावतः प्राप्तं, मरूदेवा परं पदम् ॥ ११ ॥ અર્થ : પૂર્વકાળમાં ધર્મને નહિ પામેલા તથા પરમ આનંદમાં મગ્ન થયેલા શ્રી મરૂદેવા માતા યોગના પ્રભાવથી મુક્તિપદને પામ્યા. || ૧૧ || ટીકાર્થ: મરુદેવા માતા અત્યાર સુધી સંસારમાં કોઈ વખત પણ ત્રસપણે પામ્યા ન હતા, કોઈ વખત મનુષ્યપણાનો પણ અનુભવ કર્યો ન હતો, તો પણ યોગ-બલની સમૃદ્ધિવાળા શુકલ ધ્યાનના અગ્નિ વડે લાંબા કાળના એકઠાં કરેલાં કર્મેન્ધનો બાળીને ભસ્મ કરનાર બન્યાં. કહેલું છે કે 'નર I મવા વ્યંત થાવર સિદ્ધા' (આ.નિ. ૧૦૩૬) જેમ એકલા મરુદેવા અનંતકાય સ્થાવરમાંથી નીકળી બીજી કાય અને ગતિમાં રખડ્યા વગર સીધા મોક્ષ પામ્યાં. મરુદેવાનું ચરિત્ર લગભગ કહેવાઈ ગયું છે. || ૧૧ // જન્માંતરમાં તેવા ક્રૂર કર્મ ન કરનાર મરુદેવા વગેરેનો કર્મક્ષેપ થવો યોગ્ય છે, પરંતુ જેઓ અત્યંત જૂર કર્મ કરનારા છે, તેઓ પણ યોગની સફળતા પ્રાપ્ત કરે છે, તે જણાવે છે– ૨૨ બ્રહ્મ-સ્ત્રી-ધૂપ-નો-પાત-પાતનારાંતિથઃ | दृढप्रहारिप्रभृते-र्योगो हस्तावलम्बनम् ॥ १२ ॥ અર્થ : બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાયનો ઘાત કરવા રૂ૫ પાપને આચરનારા અને નરકના અતિથિ એવા પણ દઢપ્રહારી આદિ પાપીઓને આ યોગ હસ્તાવલંબન (હાથના આલંબન)રૂપ થયો છે. / ૧૨ ટીકાર્થ : ૧ બ્રાહ્મણ ૨ બ્રાહ્મણી તેના ૩ ગર્ભનો અને ૪ ગાયનો એમ ચાર મહાઘાત એ રૂપ પાપ જો કે જીવનમાત્ર સરખા ગણનારને બ્રાહ્મણ કે અબ્રાહ્મણ સ્ત્રી, કે પુરુષ, ગર્ભનો, બાળકનો કે યુવાનનો ગાયનો કે બીજા જાનવરનો ઘાત કરવાથી દરેકમાં પાપ તો સામાન્યપણે બંધાય જ. કહ્યું છે કે - કોઈને પણ ન મારવા જોઈએ, રાજા હોય કે પાણી ભરનાર સેવક હોય. અભયદાન વ્રત ધારણ કરનાર લોકોની ઉપમાવાળા ન બનવું (ઉપદેશ ૪૩૬) તો પણ લોકોમાં બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય આ ચારની હત્યા કરનાર મહાપાપી ગણાય છે, બીજા લોકો બીજા સર્વ જીવોની હિંસામાં તેટલું મહાપાપ નથી માનતા જેટલું આ ચારની હિંસામાં માને છે, તેથી અહીં આ ચાર હત્યા કહી છે. આવા નરકે જવા યોગ્ય દઢપ્રહારી વગેરેને યોગ્ય હસ્તાવલંબન થયેલ છે તે જ ભવે મોક્ષગમન થયું હોવાથી બીજા પણ પાપ કરનાર કે જેમને જિનવચન સમજાયું છે અને તેનાથી યોગ-સંપત્તિ પ્રાપ્ત કરીને નરક-પ્રાપ્તિ યોગ્ય કર્મોને નિર્મૂલ કરી પરમપદ-મોક્ષ સંપત્તિને મેળવી છે. કહ્યું છે કે – “સ્વભાવથી દૂર હોય, વિષયાધીન પણ બની જાય, છતાં પણ જો તેઓ જિનવચનથી ભાવિત મનવાળા બની જાય, તો ત્રણ લોકના સુખને ભોગવનારા બની શકે છે.” તે આ પ્રમાણે – દઢપ્રહારી કોઈક નગરમાં કોઈ તોફાની બ્રાહ્મણ હતો અને પાપબુદ્ધિવાળો તે પ્રજાને અન્યાય કરી હેરાન કરતો હતો. રાજ્ય રક્ષણ કરનાર પુરૂષોએ તેને નગરમાંથી હાંકી કાઢ્યો એટલે બાજ પક્ષી જેમ શિકારીની Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ હાથમાં જાય તેમ આ ચોરપલ્લીમાં ગયો. ત્યાં નિર્દય ચરિત્રવાળા તેના વર્તનથી પોતાના જેવો જાણી ચોરના આગેવાને તેને પુત્ર સરખો માન્યો. તે ચોરસેનાપતિ મૃત્યુ પામ્યો એટલે તેનો પુત્ર જાણી તેના સ્થાને આ મહાપરાક્રમી છે, એમ જાણી તેને સ્થાપન કર્યો. તે દયા રહિત બની સર્વ પ્રાણીઓની હત્યા કરતો હતો, તે કારણથી લોકોએ તેનું દઢપ્રહારી એવું નામ પાડ્યું. એક દિવસ આખા વિશ્વને લુંટી શકે તેવા સુભટોના પરિવાર સાથે તે કુશસ્થલ નામના ગામને લૂંટવા માટે ગયો. ત્યાં આગળ દેવશર્મા નામનો મહાદરિદ્ર બ્રાહ્મણ હતો. ફળ વિનાના વૃક્ષ પાસે ફળની જેમ તેની પાસે તેના બાળકોએ ક્ષીર-ભોજનની માંગણી કરી. આખા ગામમાં રખડીને માંગી માંગીને ક્યાંયથી ચોખા, ક્યાંયથી દૂધ, ક્યાંયથી ખાંડ એમ આજીજી કરીને મેળવ્યા અને ખીર રાંધવાનું કહી પોતે જેટલામાં નદીએ સ્નાન કરવા ગયો. તેટલામાં તેના ઘરે તે ચોરો આવી પડ્યા, “દૈવ દુર્બલનો ઘાત કરનાર હોય છે.” તે ચોરોમાંથી એક ચોર તૈયાર થએલી ખીર દેખી એટલે સુધાતુર પ્રેત સરખો તે લઈને પલાયન થયો. પોતાના જીવિત સરખી ખીર લુંટાઈ જવાથી આઝંદન કરતાં બ્રાહ્મણના બાળકોએ પિતાજીને જઈને કહ્યું કે, ફાડેલી આંખવાલાનું કાજળ પવન હરણ કરે, તેમ મોં ફાડીને અમે ખાવાની રાહ જોઈ રહેલા હતા; એટલામાં ચોરો આવી અમારું ક્ષીરભોજન હરણ કરી લઈ ગયા. તેમનું વચન સાંભળી ક્રોધાગ્નિથી સળગેલો બ્રાહ્મણ યમદૂત માફક એકદમ ભુંગળ હથિયાર લઈને દોડ્યો. ક્રોધવાળો તે રાક્ષસ સરખા આવેશથી પોતાનું બળ હતું. તે સર્વ એકઠું કરી પશુ માફક ભુંગળથી ચોરોને મારવા લાગ્યો. ઉકરડાના કચરાને ફેંકે તેમ સાક્ષાતુ પોતાના સાથીદારો ચોરોને ફેંકાતા જોઈ તેનો સ્વામી તેને હણવા દોડ્યો, તે દોડતો હતો ત્યારે દેવયોગે તેની ગતિને રોકનાર જાણે દુર્ગતિના માર્ગને રોકવા માટે હોય તેમ ગાય વચમાં આવી તે બીચારી ગાયને દયા વગરના કસાઈ માફક અધમ એવા તે ચોર અગ્રેસર ભયંકર તરવારના એક ઝાટકાથી મારી નાંખી તેની સામે આવતા દરિદ્ર બ્રાહ્મણના મસ્તકને ફણસવૃક્ષના ફળ માફક તરવારના ફટકાથી ભૂમિ પર પાડી નાખ્યું. “અરે નિર્દય પાપી ? આ તે શું કર્યું? એમ બોલતી ગર્ભવાળી બ્રાહ્મણી તેની સામે આવી ત્યારે, વરુ જેમ ગર્ભવાળી બકરીને તેમ અતિભયંકર એવા તેણે તલવારથી તેને ચીરીને કોળા સરખા પેટના બે ટુકડા કર્યા ત્યારે જરાય વિંટળાએલા તેના ગર્ભના પણ બે ટુકડા થઈ ગયા. વેલડીનું જેમ પાંદડું તેવા પ્રકારનું તરફડતું બાળક જોયું, આવી રીતે તરફડતા ગર્ભને દેખી દયા વગરના પત્થર સરખા તેના હૃદયમાં પણ પાષણમાં પલ્લવ ઉગવા માફક કરૂણા પ્રગટી. ત્યાર પછી હા પિતાજી ! હા પિતાજી ! હા માતાજી ! માતાજી ! એમ કરૂણ વિલાપ કરતા બ્રાહ્મણના બાળકો તરત ત્યાં આવી પહોંચ્યા. નગ્ન ભૂખ્યા દુબળા દેહવાળા શરીર પર મેલ લાગેલો હોવાથી કાળા રંગવાળા બાળકોને દેખવાથી પશ્ચાત્તાપવાળા દઢપ્રહારીએ વિચાર્યું કે, નિર્દય એવા મેં આ બ્રાહ્મણ-દંપતિનો ઘાત કર્યો, હવે બિચારાં આ તેના બાળકો પાણી વગરના જળાશયમાં જેમ માછલાં તેમ કેવી રીતે જીવી શકશે ? આ કૂરકર્મ હવે મને દુર્ગતિમાં ખેંચી જશે. આ પાપથી ભય પામેલા મને બચવાનો કયો ઉપાય અને હવે મારે કોનું શરણું ? આમ ચિંતવતો અને વૈરાગી બનેલો હતો; દરમ્યાન પાપરૂપ રોગ માટે ઔષધ સમાન એવા સાધુઓને ઉદ્યાનમાં દેખ્યા. તેમને નમસ્કાર કરીને દઢપ્રહારી હત્યારાએ કહ્યું કે, હું પાપી છું એટલું જ નહિ પણ મારી સાથે બોલનાર પણ પાપી બને છે. કાદવથી ખરડાએલાને બીજો સ્પર્શ કરે તો તે, પણ કાદવથી ખરડાય છે. બાળક, સ્ત્રી, બ્રાહ્મણ, ગાય આમાંથી કોઈપણ એકનો ઘાત કરે તો નરકમાં જાય તો પછી નિર્દય એવા મેં આ ચારેનો ઘાત કર્યો ? મારા સરખા આવા નિર્દય પાપીને, તમે સાધુ ભગવંતો રક્ષણ કરવા સમર્થ છો. વરસાદ વરસે ત્યારે આ ફળદ્રુપ કે ઉખર ભૂમિ છે, તેવો કશો વિચાર કરતા નથી. હવે સાધુઓએ તેને યતિધર્મનો ઉપદેશ આપ્યો Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૩ ૩૯ એટલે ગરમીથી તપેલો જેમ છત્રને તેમ પાપથી ભય પામેલા તેણે તેનો સ્વીકાર કર્યો અને સાથે અભિગ્રહ કર્યો કે જે દિવસે આ પાપ મને યાદ આવશે, તે દિવસે હું ભોજન નહીં કરીશ અને સર્વથા ક્ષમા કરીશ. જે કુશસ્થળ ગામમાં તેણે પહેલા ધાડ પાડી હતી. તે જ ગામમાં કર્મક્ષય કરવાની ઈચ્છાવાળો મહામનવાળો વિહાર કરીને ગયો “આ તે જ પેલો પાપીઓમાં પણ ચડિયાતો મહાપાપી અત્યારે કપટથી સાધુ બની ગયો છે.” એવા ત્યાંના લોકો દરરોજ તે મહાત્માની નિંદા કરતા હતા. “ગાય, બાળક, બ્રાહ્મણ, અને સ્ત્રીની હત્યા કરનાર આ છે' એમ લોકો બોલતા અને ભિક્ષા માટે ઘરોમાં પ્રવેશ કરે, ત્યારે જેમ કૂતરાને ઢેફા ફેંકે, તેમ લોકો તેના ઉપર પણ ઢેફા મારતા હતા, આ પ્રમાણે દરરોજ સંભળાવે એટલે તે પાપ તેને યાદ આવે, સમતા રાખનાર તે ભોજન કરતો ન હતો. “સાહસિક આત્માને કંઈ દુષ્કર નથી.' કોઈક વખતે સવારે, કોઈક વાર બપોરે, કોઈકવાર સાંજે તેને ગામલોકો પાપ યાદ કરાવે છે. એટલે કોઈપણ દિવસે તેણે ભોજન ન કર્યું. ઢેફાં, લાકડી, ધૂળવૃષ્ટિ, મુઠ્ઠી વગેરેથી તેને મારવા છતાં તે સમતાભાવથી ઉપદ્રવો સહન કરે છે અને એવી ભાવના ભાવે છે કે, “હે આત્મા ! જેવા પ્રકારનું પાપકર્મ કર્યું છે, તેવા જ પ્રકારનું ફળ તું ભોગવ, જેવું બીજ વાવ્યું હોય, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. આ લોકો સમતાવાળા મારા પર જે આક્રોશ કરે છે, તેથી વગર પ્રયત્ન મને આ સકામ નિર્જરાની સિદ્ધિ થાય છે. જેમ મારા પર આક્રોશ કરવાથી તેમને હર્ષ થાય છે, તેવી જ રીતે હું પ્રીતિથી સહન કરું છું તેથી મારા કર્મોનો પણ ક્ષય થાય છે; તે પણ મારા પ્રમોદનું કારણ છે વળી જે મને હેરાનગતિ કરવામાં તેઓને સુખ થાય છે. તે પણ આજે ભલે થાઓ. કારણકે સંસારમાં સુખ-પ્રાપ્તિ દુર્લભ છે. જેમ ચિકિત્સા કરનાર વૈદ્યો ક્ષારથી રોગને તેમ કઠોર વચનો કહેવાથી આ લોકો મારી દુષ્કર્મગાંઠને મટાડવા પ્રયત્ન કરતા હોવાથી ખરેખર મારા હિતૈષી મિત્રો છે. અગ્નિ તાપ મેલ દૂર કરી સુવર્ણને સ્વચ્છ કરે છે, તેમ આ લોકો મને તાડનતર્જના કરી મારા આત્માને કર્મમુક્ત બનાવી નિર્મળ કરે છે. પ્રહારો કરી દુર્ગતિરૂપી કેદખાનામાં પડી રહેલા મને જેઓ બહાર ખેંચી લે, તેવા ઉપકારી ઉપર હું કોપ કેમ કરી શકું? જેઓ પોતાના પુણ્યના ભોગે પણ મારાં પાપો દૂર કરે છે તેના કરતા બીજા કયા મોટા બંધુઓ ગણાય ? સંસારથી મુક્ત કરાવનાર એવા વધ, બંધ વગેર મને જે હર્ષ માટે થાય છે, પરંતુ તે જ તેઓને માટે અનંત સંસાર-વૃદ્ધિનું કારણ થાય છે- તેનો મને ખટકો થાય છે. કેટલાકો બીજાના આનંદ ખાતર ધન અને શરીરનો પણ ત્યાગ કરે છે, તો પછી તેઓને આનંદ આપનાર આક્રોશ હનન વગેરે મને ક્યા હિસાબમાં ગણાય ? મારો તિરસ્કાર કર્યો, પણ મને માર્યો નથી. મને માર્યો પણ જીવિતથી મુક્ત કર્યો નથી. જીવિતથી મુક્ત કર્યો, છતાં બાંધવોની માફક મને ધર્મથી દૂર નથી કર્યો. કલ્યાણના અર્થીએ ક્રોધ કરનાર, દુર્વચન સંભળાવનાર, દોરડાથી બાંધનાર, હથિયારથી હેરાન કરનાર કે મૃત્યુ કરનાર સર્વ ઉપર મૈત્રીભાવ રાખી સહન કરવું જોઈએ. કારણકે કલ્યાણકારી માર્ગમાં અનેક પ્રકારનો દુઃખાવો હોય છે.” આવી સુંદર ભાવના ભાવતા અને પોતાના દુષ્કતને નિંદતા તેણે અગ્નિ વડે જેમ ઘાસની ગંજી તેમ સર્વ પ્રકારનો કર્મ રાશિ બાળીને ભસ્મ કરી નાંખી. અતિદુલર્ભ નિર્મલ એવું કેવળજ્ઞાન મેળવીને અયોગિ કેવલિ ગુણસ્થાનક સુધી પહોંચી મોક્ષ પણ પ્રાપ્ત કર્યો. યોગના પ્રભાવથી જેવી રીતે દઢપ્રહારી નરકના દુઃખથી મુક્ત બની અનંત શાશ્વત સુખ-સ્વરૂપ પરમપદ પામ્યો, તેવી રીતે બીજાઓ પણ સંશય રાખ્યા વગર આ યોગમાં પ્રયત્ન કરો // ૧૨ / હજુ પણ બીજું દષ્ટાંત કહીને યોગની શ્રદ્ધા વૃદ્ધિ પમાડે છે__ १३ तत्कालकृतदुष्कर्म - कर्मठस्य दुरात्मनः । गोप्ने चिलातिपुत्रस्य, योगाय स्पृहयेन्न कः ॥ १३ ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ ४० યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : તે સમયે જ સ્ત્રીવધ કરવારૂપ પાપમાં તત્પર બનેલા અને દુરાત્મા એવા ચિલાતિપુત્રને દુર્ગતિમાં પડતા રક્ષણ કરનારા યોગને કોણ ન ઝંખે ? અર્થાત્ તેવા યોગને સર્વ હિતાર્થી આત્મા ઝંખે છે. || ૧૩ છે. ટીકાર્થ : તે કાળે સ્ત્રીવધ કરવા રૂપ પાપ કરવામાં શૂરવીર દુરાત્મા ચિલાતીપુત્રને દુર્ગતિમાં પડતા રોકનાર એવા યોગની સ્પૃહા કોણ ન કરે ? અર્થાત્ તેવા યોગની સર્વે ઈચ્છા કરે. ચિલાતીપુત્ર ક્ષિતિપ્રતિષ્ઠત નગરમાં યજ્ઞદેવ નામનો એક બ્રાહ્મણ હતો. જે હંમેશા પોતાને પંડિત માનીને જૈનશાસનની નિંદા કરતો હતો. તેને સહન ન કરી શક્તા અને તેને જિતવાની ઈચ્છા કરતા એક શિષ્ય ગુરુએ નિવારણ કરવા છતાં પણ તેની સાથે વાદ-વિવાદ કરવાનું નક્કી કર્યું અને તે બંને વચ્ચે એવું ઠરાવવામાં આવ્યું કે, “જે હારી જાય તેણે તેના શિષ્ય થવું બુદ્ધિકૌશલ્યવાળા આ જૈનવાદીએ શાસ્ત્રાર્થ કરી તેને બોલતો બંધ કર્યો અને યજ્ઞદેવને હાર આપી. જિતેલા શિષ્ય આગળ કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે યજ્ઞદેવ બ્રાહ્મણને દીક્ષા આપી. ત્યાર પછી શાસનદેવીએ યજ્ઞદેવને સમજાવ્યો, કે, “ચારિત્ર પામ્યો છે, તો હવે જ્ઞાન અને શ્રદ્ધાવાળો થા.” ત્યારથી માંડી વ્રતનું યથાર્થ પાલન કરતો હોવા છતાં વસ્ત્ર અને અંગના મેલની નિંદા કરતો હતો. પહેલાના પડેલા સંસ્કાર છૂટવા ઘણા મુશ્કેલ છે. આ મહાત્માના સંસર્ગથી તો સ્વજનો પણ વર્ષાઋતુના મેઘના સંપર્કથી સૂર્યના કિરણો માફક કોઈ પ્રકારે શાન્ત ન થયા. જેની સાથે લગ્ન કર્યા હતા. તે સ્ત્રી પણ તેના ઉપર અત્યંત અનુરાગવાળી હતી. ગળીથી રંગેલી સાડી માફક તેણે તેના પરનો રાગ ન છોડ્યો. આ માટે સ્વાધીન થાય એમ ધારીને તેણીએ તેના પારણાના ભોજનમાં કામણ આપ્યું. આ સત્ય છે કે “રાગી કે વિરાગી એવી સ્ત્રીઓ મારી નાખ્યા વગર રહેતી નથી' તે કાર્પણ પ્રયોગથી કૃષ્ણપક્ષના ચંદ્ર માફક ક્ષીણ થતો તે મુનિ ચંદ્ર સૂર્યના મંડલ જેવા સ્વર્ગમાં ગયો. તેના મૃત્યુથી વૈરાગ્ય પામેલી તે પત્નીએ પણ મનુષ્યપણારૂપી વૃક્ષના ફલસ્વરૂપ ચારિત્ર અંગીકાર કર્યું. પતિને કામણ કર્યું. તેનાથી થએલ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામી દેવલોકે ગઈ. “તપસ્યાથી શું મેળવી શકાતું. નથી? હવે યજ્ઞદેવનો જીવ દેવલોકથી ચ્યવીને રાજગૃહ નગરમાં ધનસાર્થપતિની ચિલાતી નામની દાસીનો પુત્ર થયો. આ ચિલાતીનો પુત્ર છે, તેથી ચિલાતીપુત્રના નામથી તેને લોકો બોલાવતા હતા અને તેથી બીજું નામ પણ ન પાડ્યું. યજ્ઞદેવની પત્નીનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને પાંચ પુત્રો પછી ધનસાર્થપતિની ભાર્યા ભદ્રાની સુસુમા નામની પુત્રી થઈ, ધને પોતાની સુસુમાં પુત્રીને સાચવવાના કાર્યમાં તે ચિલાતીપુત્રને રોક્યો. આ ચિલાતીપુત્ર લોકોના અપરાધ કરવા લાગ્યો. અને રાજ્ય સુધી તેની ફરિયાદ પહોંચી. એટલે શેઠને રાજા તરફથી ભય લાગ્યો. કારણકે સેવકના અપરાધથી સ્વામી દંડપાત્ર બને છે. સમજદાર ધન શેઠે 'હંમેશા ઉપદ્રવ કરનાર તે દાસીપુત્રને ગાડિક જેમ સર્પને તેમ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તે ચિલાતીપુત્ર પણ મોટા ગુનાનીવેલડી સમાન સિંહગુફા નામની ચોરપલ્લીમાં ગયો. “સરખા વ્યસનવાળા કે સરખા અપરાધ કરનારાઓની પરસ્પર પ્રીતિ થાય છે.” નિર્દય ચોર-મંડળી સાથે તે દુર્જનને સોબત થઈ એટલે વાયરાથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે તેમ ભયંકરપણાથી મહાભયંકર બન્યો. ત્યાર પછી સિંહગુફાનો અધીશ ચોર સેનાપતિ મૃત્યુ પામ્યો એટલે તેના માટે જ જાણે આને તૈયાર કર્યો હોય તેમ ચિલાતિપુત્ર હવે ચોર સેનાપતિ થયો. રૂપ વગેરે ગુણોથી શોભતી સુસુમા પણ યૌવન પામી અને અનેક કળા- સમુદાયથી પૂર્ણ બનેલી જાણે પૃથ્વીની દેવી હોય તેવી દેખાવા લાગી. નવા ચોરસેનાપતિ ચિલાતીપુત્રે પોતાના સેવકોને કહ્યું કે, રાજગૃહ નગરમાં અખૂટ ધનવાળો ધનશેઠ છે. અને તેને સુસુમા નામની પુત્રી છે. તે ચોરો ! Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૩ ૪૧ આપણે ત્યાં જઈએ. ત્યાંથી જેટલું ધન મળે તે તમારે સર્વેમાં વહેંચી લેવું અને હું સુસુમાં કન્યાને લઈશ. એ પ્રમાણે વ્યવસ્થા કરીને રાત્રે ધનને ઘેર ગયા, અવસ્થાપિની નામની વિદ્યાનો પ્રયોગ કરીને લોકોને ઉંઘાડી પોતાનું આગમન જણાવીને ધન ચોરો પાસે ગ્રહણ કરાવ્યું હતું અને પોતે સુસુમાને ગ્રહણ કરી. પાંચ પુત્રો સાથે સમગ્ર પરિવાર સૂતેલો હતો. ત્યારે એક બાજુ ખસીને ઉભો રહ્યો, “ન્યાયવાનોનો આ જ ધર્મ ગણાય.' જીવ માફક તેણે સુસુમાને ગ્રહણ કરી. ચોરેલા ધન સાથે ચોરો પણ તેની સાથે પલાયન થયા. ધનશેઠે કોટવાળ વગેરે રક્ષણ કરનાર પુરૂષોને બોલાવીને કહ્યું કે, ચોરોએ લૂંટેલું ધન અને સુસુમા પુત્રીને પાછા લઈ આવો. ત્યાર પછી કોટવાળ અને પુત્રોના હાથમાં હથિયાર આપીને ધન પણ પોતાનું મન આગળ સ્પર્ધાથી દોડતું હોય, તેમ ઉતાવળથી પાછળ ગયો, જળ, સ્થળ, લતા, વૃક્ષો કે માર્ગમાં જે કંઈ દેખાય તે સર્વ ધતુરો પીવાથી ઉન્માદ પામેલાને જેમ સર્વ પીળા રંગવાળું સુવર્ણ દેખાય, તેમ આ સર્વે સુસુમા છે–તેમ તે ધન દેખવા લાગ્યો. અહીં જળપાન કર્યું. અહીં ભોજન કર્યું. અહીં બેઠા હતા, અહીંથી તે ગયો-એમ બોલતા અને ડગલા ભરતા, ચોરના પગલાના અનુસાર તેઓ ચોરો પાસે ગયા. “અરે હણો, હણો, પકડો પકડો’ એમ બોલતા રાજપુરુષો ચોરોને મળ્યા. ત્યાર પછી ચોરો ધનનો ત્યાગ કરીને પકડાવાના ભયથી જુદી જુદી દિશાઓમાં નાસી ગયા. પરંતુ ચિલાતીપુત્રે વાઘ જેમ પકડેલી મૃગલીને ન છોડે તેમ સુસુમાને ન છોડી. કોટવાળ વગેરે રાજ્યાધિકારીઓને પુષ્કળ ધન પ્રાપ્ત થવાથી પાછા ફર્યા. નિયમ છે કે, “સ્વાર્થસરે, એટલે સર્વ લોકોની અવળી બુદ્ધિ થાય છે. હાથી જેમ લતાને તેમ ચિલાતીપુત્રા સુસુમાને પોતાના ખભા ઉપર વહન કરતા મોટા અરણ્યમાં પેઠો. રાહુના મુખથી ચંદ્રકળાને તેમ ચોરના પંજામાંથી પુત્રીને ખેંચી લાવવા માટે પંચાનન (સિંહ) સરખા પાંચ પુત્રો સાથે ધન તેની પાછળ ગયો “જો ધન મારી નજીક આવી જાય, તો મારી આ સુસુમા રખે તેની થઈ જાય તેવી બુદ્ધિથી તેણે સુસુમાનું મસ્તક-કમલ છેદી નાંખ્યું. ખેચેલી તલવારવાળો અને મસ્તક જેણે હાથમાં સ્થાપન કરેલ છે, એવો તે તે સમયે યમરાજની નગરીના ક્ષેત્રપાલ જેવો બની ગયો. આ તરફ ધન સુસુમાના ધડ પાસે ઉભો રહીને રૂદન કરતો હતો. ત્યારે અશ્રુપ્રવાહથી નયન જળ અંજલિ અર્પણ કરતો હતો. તેણીના ધડનો ત્યાગ કરી ધન પુત્રો સાથે પાછો ફરતો હતો. શોકના કાંટાથી ભોકાએલા તે મહાઇટવીમાં ભૂલો પડ્યો. લલાટ પર તપતા સૂર્યના તેજના તાપના ભયથી જ હોય તેમ ચારે બાજુ છાયા સંકેલીને મધ્યાહુનનો સૂર્ય તે સમયે થયો. ધન અને તેના પાંચ પુત્રો શોક, શ્રમ, સુધા, તૃષ્ણા અને મધ્યાહુનો તાપ આ પાંચ અગ્નિ વડે જાણે પંચાગ્નિ તપ તપતા હોય તેમ જણાતાં માર્ગમાં જળ નથી, ખાવા ફળ નથી, તેમ જીવન આપનાર કોઈ બીજું ઔષધ જોવામાં આવતું નથી. ઉલટાં મૃત્યુ આપનાર હિંસક ફાડી ખાનારા શ્વાપદો જોવામાં આવ્યા. પોતાની તથા પુત્રોની આવા પ્રકારની અવસ્થા જોતો ધનશેઠ લાંબા માર્ગમાં જતાં જતાં વિચારવા લાગ્યો કે, “મારા સર્વ ધનનો નાશ થયો, પ્રાણાધિક પ્રિય પુત્રી મૃત્યુ પામી, અમે પણ મૃત્યુના કિનારે આવી પહોંચ્યા છીએ. અહો ! દૈવના આવા વિલાસને ધિક્કાર હો. પુરુષાર્થ કરવાથી કે બુદ્ધિ-સંપત્તિથી જે પદાર્થ સાધી શકાતું નથી ત્યારે એક માત્ર દૈવ જ અહિં મોટામાં મોટું બલવાન છે. આ દૈવ દાનથી પ્રસન્ન કરી શકાતું નથી. વિનયથી ગ્રહણ કરી શકાતું નથી. સેવાથી વશ કરી શકાતું નથી. આ દૈવને સાધવું કેટલું મુશ્કેલ છે ? પંડિતો પણ જેને સમજાવી શકતા નથી. પરાક્રમીએ પણ જેને રોકી શકતા નથી. તપસ્યા કરનારાઓ પણ જેને સાધી શકતા નથી. આ દૈવને જિતનાર બીજો સમોવડિયો કોણ હશે ? વળી આ દૈવ કોઈ વખત મિત્ર માફક મહેરબાની કરે છે, કદાચિત્ શત્રુ માફક નિઃશંકપણે હણી નાંખે છે, પિતા માફક દરેક પ્રકારે કોઈ વખત રક્ષણ કરે છે, તો કોઈ વખત દુષ્ટ પિતરાઈ માફક પીડા પણ કરે છે, કોઈ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ત દૈવ ખોટા માર્ગે ગયેલાને સારા માર્ગે ચડાવે છે, કોઈ વખત સારા માર્ગમાંથી ખોટા માર્ગમાં પ્રવર્તાવે છે, કોઈ વખત દૂર રહેલી વસ્તુને નજીક લાવે છે, અને દૈવ હાથમાં રહેલી વસ્તુનો વિનાશ કરે છે માયા અને ઈન્દ્રજાળ સરખા દૈવની ગતિ વિચિત્ર હોય છે. દેવની અનુકૂળતામાં પુરૂષોને ઝેર પણ અમૃત બની જાય છે અને પ્રતિકૂળતામાં વળી અમૃત હોય તે ઝેર બની જાય છે. આ પ્રમાણે વિચારતાં જ તે ધન શેઠ રાજગૃહ નગરે પહોંચ્યા અને શોક સહિત સુસુમાં પુત્રીની શરીરની ઉત્તરક્રિયા કરી વૈરાગ્યા થવાથી શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લઈ દુષ્કર તપ તપીને આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગે ગયા. ચિલાતિપુત્ર પણ સુસુમાના અનુરાગથી વારંવાર તેનું મુખ જોતો અને માર્ગના થાકને ન ગણકારતો દક્ષિણ દિશા તરફ ચાલ્યો. માર્ગમાં સર્વ પ્રકારના સંતાપને દૂર કરનાર છાયડાવાળા વૃક્ષ સરખા કાર્યોત્સર્ગ કરતા એક સાધુના આગળ દર્શન થયા. પછી પોતાના આ કાર્યથી ઉગ થએલા મનવાળા તેણે તો સાધુને કહ્યું કે, “મને ટૂંકાણમાં ધર્મ કહો. નહિંતર આ જ તરવારથી કેળ જેવી સુસુમાની જેમ તમારું મસ્તક છેદી નાંખીશ.” તે મુનિએ જ્ઞાનથી જાણ્યું કે, આ આત્મામાં રોપેલું બોધિબીજ ક્યારામાં રોપેલા ડાંગરના બીજની માફક જરૂર વૃદ્ધિ પામશે. “ઉપશમ વિવેક અને સંવર સમ્યગુ પ્રકારે કરવો જોઈએ.” એમ કહીને તે ચારણમુનિ પક્ષી માફક આકાશમાં ઉડી ગયા, સાંભળેલા, તે પદોને મંત્ર માફક વારંવાર યાદ કરતા અને પરાવર્તન કરતા ચિલાતીપુત્રને તેનો ભાવાર્થ આ પ્રમાણે સમજાયો કે, “ડાહ્યા પુરૂષોએ ક્રોધાદિક કષાયોનો ઉપશમ કરવો જોઈએ, અરે રે ! સર્પો વડે જેમ ચંદન તેમ કષાયરૂપ સર્ષોથી હું ઘેરાએલો છું. આજે હવે હું મહારોગની ચિકિત્સા કરવા માફક કે કષાયોને દૂર કરવા માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષરૂપી મહાઔષધોથી ચિકિત્સા કરીશ, વળી, ધન, ધાન્ય સોનું વગેરે પદાર્થોના ત્યાગ સ્વરૂપ વિવેક કે જે જ્ઞાનરૂપી મહાવૃક્ષનું અદ્વિતીય બીજ છે, તેને જ સ્વીકારીશ, તેમજ પાપ-સંપત્તિની ધ્વજા સમાન આ સુસુમાનું મસ્તક અને હાથમાં રહેલી તરવાર અને સર્વ ધન તેનો હું ત્યાગ કરું છું. ઈન્દ્રિયો અને મનના વિષયોથી પાછા હઠવારૂપ સંવર તેમજ સંયમ-લક્ષ્મીના મુગુટ સમાન એવો સંવર આજે મેં અંગીકાર કર્યો છે. સર્વ ઈન્દ્રિયોને વશ કરીને આ પ્રમાણે પદાર્થોનું ચિંતન કરતા એકમાત્ર મનની વિચારણાવાળા સમાધિને તે પામ્યા. ત્યાર પછી દુર્ગધવાળા લોહીની ગંધથી આવેલી કીડીઓએ કવચ માફક શરીરની ચારે બાજુ વીટળાઈને ઘુણકીડાઓ જેમ કાષ્ટને કોતરી નાંખે તેમ ચિલાતિપુત્રના શરીરમાં સેંકડો છિદ્રો કર્યા. આવા કીડાઓના ઉપસર્ગમાં થાંભલા સરખા નિશ્ચલ બની અઢી દિવસમાં તે દેવલોક ગયા. બીજા સૂત્રોમાં પણ તે માટે અધિકાર જણાવતા કહેલું છેઃ ત્રણ પદો વડે સમ્યગુ પ્રકારે ધર્મ સમજનાર, સંયમનો સ્વીકાર કરનાર, ઉપશમ, વિવેક અને સંવર પદવાળા ચિલાતીપુત્રને હું નમું છું. લોહીની ગંધથી કીડીઓ જેના પગમાં પ્રવેશ કરી છેક મસ્તક સુધી પહોંચી અંગને કોતરી ખાધું. તેવા દુષ્કરકારકને હું વંદન કરું છું. કીડીઓએ જેના દેહને ચાલણી જેવો છિદ્રવાળો કર્યો અને ડંખો માર્યા. તો પણ આરાધના માર્ગમાં અડગ રહેનાર એવા ધીર ચિલાતીપુત્રે અઢી દિવસમાં અનેક અપ્સરા-સમુદાયથી યુક્ત એવું અમરભવન પ્રાપ્ત કર્યું.” (આ. નિ. ૮૭૨-૭૫)વર્તનથી ચંડાલ માફક ધિક્કાર પદવી પામેલ નરકગતિમાં જવા યોગ્ય એવો ચિલાતીપુત્ર આ પ્રમાણે યોગનું આલંબન પામી દેવલોકના સુખનો અધિકારી બન્યો, એ રીતે સમગ્ર સુખનું મૂળ એવો તે યોગ જ વિજય પામે છે. તે ૧૩ છે. ફરી પણ યોગની જ સ્તુતિ કરે છે– Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૪-૧૬ १४ तस्याजननिरेवास्तु, नृपशो र्मोघजन्मनः । अविद्धकर्णो यो योग इत्यक्षरशलाकया ॥ १४ ॥ અર્થ : જે પુરુષના કાન “યોગ' અક્ષરોરૂપી શલાકા-સળીથી વિધાયા નથી, એવા નિષ્ફળ જન્મવાળા પશુ સરખા મનુષ્યનો જન્મ ન થાય તે જ સુંદર છે. ૧૪ છે. ટીકાર્થ : ભલે લોઢાની સોયથી કાન વિંધાયેલા હોય પણ “યોગ” એવા અક્ષરરૂપી શલાકાથી જેના કાન પવિત્ર થયા નથી, એવા પશુ સરખા પુરૂષના નિષ્ફળ અને વિડંબનાવાળા જન્મ કરતા તેનો જન્મ ન થાય, તે જ વધારે સુંદર ગણાય || ૧૪ ||, ફરી પણ અર્ધા શ્લોકથી યોગની સ્તુતિ કરી પાછલા અર્ધા શ્લોકથી યોગનું સ્વરૂપ કહે છે १५ चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्र-रूपं रत्नत्रयं च सः ॥ १५ ॥ અર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર વર્ગમાં મોક્ષ અગ્રેસર છે. તે મોક્ષનું પણ કારણ યોગ છે, અને તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રય યોગ છે. | ૧૫ //. ટીકાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગમાં મોક્ષ એ પ્રધાન છે. અર્થ ધન ઉપાર્જન કરવામાં અને રક્ષણ કરવામાં નાશ પામે, ખર્ચ થાય ત્યારે દુઃખના સંસર્ગથી દુષિત થવાથી તે ચાર વર્ગમાં અગ્રેસર નથી. કામ તો સુખ થોડું અંદર જણાય છે. તેથી અર્થ કરતા લગાર ચડિયાતું ગણી શકાય, તો પણ તેનો છેડો દુઃખમાં આવતો હોવાથી અને દુર્ગતિનું સાધન હોવાથી તે પણ પ્રધાન ન ગણાય. ધર્મ તો આ લોક અને પરલોકના સુખનું કારણ હોવાથી અર્થ અને કામ કરતા જો કે ચડિયાતો છે, તો પણ સુવર્ણની બેડી સમાન પુણ્યકર્મ બંધનું કારણ હોવાથી ભવ-ભ્રમણ કરાવનાર છે, તેથી ધર્મ પણ અગ્રેસર નથી. મોક્ષ તો પુણ્ય અને પાપના ક્ષય થવા સ્વરૂપ હોવાથી ક્લેશવાળો નથી, ઝેર મિશ્રિત ભોજન માફક ભોગવતી વખતે મનોહર અને દુષિત નથી. તેથી કરીને પરમ આનંદમય મોક્ષ એ ચાર વર્ગમાં સૌથી મોખરે રહેલો છે. તે મોક્ષનું નજીકનું કારણ હોય તો યોગ છે. તે યોગ કેવા સ્વરૂપવાળો છે ? જ્ઞાન, શ્રદ્ધા, અને ચારિત્રરૂપ રત્નત્રયીવાળો યોગ કહેલો છે. | ૧૫ || ત્રણ રત્નમાં પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ કહે છે– १६ यथावस्थिततत्त्वानां संक्षेपाद्विस्तरणे वा । योऽवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ॥ १६ ॥ અર્થ : યથાવસ્થિત તત્ત્વોનો સંક્ષેપ કે વિસ્તારથી જે અવબોધ થવો, તેને પંડિતો સમ્યજ્ઞાન કહે છે. || ૧૬ | ટીકાર્થ : નય, નિક્ષેપ, પ્રમાણથી સિદ્ધ થએલ સ્વરૂપવાળા જે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-લક્ષણ જે તત્ત્વો, તેનું જે સાચા સ્વરૂપવાળું જ્ઞાન, ક્ષયોપશમ-વિશેષથી કોઈકને સંક્ષેપથી અને કર્મક્ષય થવાથી કોઈકને વિસ્તારથી જે બોધ થાય. તે પ્રમાણે– જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ સાત તત્ત્વો પંડિત પુરુષોએ કહેલા છે. તેમાં જીવો મુક્ત અને સંસારી એમ બે ભેદવાળા સમજવા. સર્વ જીવો અનાદિ અનંત જ્ઞાન-દર્શન Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સ્વરૂપવાળા છે. કર્મથી સર્વથા, મુક્ત થયેલા તમામ જીવો એક સરખા સ્વરૂપવાળા છે, તેમજ તેઓ કાયમ માટે જન્માદિ કલેશ અને દુઃખોથી રહિત તેમજ અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને આનંદમય સ્વરૂપવાળા છે. હવે સંસારીજીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા છે. તે બંને વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકારના વિશેષ ભેટવાળા છે. પર્યાપ્તપણાના કારણરૂપ આ છ પર્યાપ્તિઓ છે. ૧ આહાર-પર્યામિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય-પર્યાપ્તિ ૪ શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ ૫. ભાષા પર્યાપ્તિ ૬. મનઃ પર્યાપ્તિ એક ઈન્દ્રિયવાળા પ્રાણીઓને ચાર, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા વિકસેન્દ્રિયોને પાંચ અને પાંચ ઈન્દ્રિયવાળા પ્રાણીઓને છ પર્યાપ્તિઓ હોય છે. એકેન્દ્રિયવાળા સ્થાવર જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. તેમાં પહેલાના ચાર સૂક્ષ્મ અને બાદર ભેટવાળાં હોય અને વનસ્પતિમાં પ્રત્યેક અને સાધારણ તેમાં પ્રત્યેક-વનસ્પતિ બાદર હોય અને સાધારણ-વનસ્પતિ સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદવાળી છે. બે ત્રણ-ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા ત્રસજીવો ચાર પ્રકારના છે. તેમાં સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા પંચેન્દ્રિય જીવો સમજવા. શિખામણ ઉપદેશ આલાપ કરવા એ વગેરે સમજે-જાણે તે અહી સંજ્ઞી જાણવા. મનપ્રાણ જેમને ન હોય તે અસંજ્ઞી પંચેન્દ્રિય સ્પર્શન, જીભ, નાસિકા, આંખ અને કાન આ પાંચ ઈન્દ્રિયો છે. તેના સ્પર્શ, સ્વાદ, ગંધ, રૂપ અને શબ્દ અનુક્રમે વિષયો છે. કરમીયા શંખ, કોડા, છીપ, પોરા, જળોકા વગેરે વિવિધ આકારવાળા બેઈન્દ્રિય જીવો છે. જુ, માંકડ, મંકોડા, લીખ વગેરે ત્રણ ઈન્દ્રિયવાળા પતંગિયા, માખી, ભમરા, ડાંસ વગેરે ચાર ઈન્દ્રિયવાળા. બાકીના તિર્યંચયોનિમાં જલચર, સ્થલચર અને ખેચરો. નારકીઓ, મનુષ્યો, દેવો આ સર્વ પાંચ ઇન્દ્રિયવાળા જીવો માનેલા છે. મન, ભાષા, કાયા રૂપ ત્રણ પાંચ ઈન્દ્રિયો આયુ અને શ્વાસોચ્છવાસ આ દસ પ્રાણ કહેલા છે. સર્વ જીવોને દેહ, આયુ, ઉચ્છવાસ અને ઈન્દ્રિયો, વિકસેન્દ્રિય અને અસંજ્ઞીને ભાષા અને પંચેન્દ્રિય સંજ્ઞીને મન એ પ્રમાણે પ્રાણો હોય છે. ઉપપાત જન્મવાળા દેવો અને નારકીઓ તેમજ ગર્ભથી જન્મવાળા જરાય. પોતજ અને ઈંડાથી થવાવાળા સંજ્ઞી પંચેન્દ્રિય અને બાકીના સંમૂચ્છિકપણે ઉત્પન્ન થનારા અસંશી કહેવાય. સંમૂછિમ જીવો અને નારકીના જીવો, પાપી નપુંસકો હોય છે. દેવી સ્ત્રી, પુરુષવેદવાળા અને બાકીના મનુષ્યો અને તિર્યંચો ત્રણ વેદવાળા હોય છે. સર્વ જીવો વ્યવહાર રાશિ અને અવ્યવહાર-રાશિરૂપ બે ભેદમાં વહેંચાયેલા છે. સૂક્ષ્મનિગોદના જીવો અવ્યવહારીયા, તેથી બાકી રહ્યા તે સર્વ વ્યવહારિયા સમજવા. સચિત, અચિત્ત, મિશ્ર, સંવૃત્ત, વિવૃત્ત અને મિશ્ર શીત ઉષ્ણ અને શીતોષ્ણ એ પ્રકારે જીવોની નવ પ્રકારની યોનિ અર્થાત્ ઉત્પત્તિ થવાના સ્થાનકો છે. પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ એ દરેક સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ અને અનંતકાયની ચૌદ લાખ, બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા વિકલેન્દ્રિય દરેકની બબ્બે લાખ, મનુષ્યોની ચૌદ લાખ, નારકી, તિર્યંચો અને દેવોની દરેકની ચાર ચાર લાખ એ પ્રમાણે દરેકનો સરવાળો કરતાં સર્વ જીવોની કુલ યોનિ ચોરાશી લાખ સર્વજ્ઞોએ કહેલી છે. એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ અને બાદર, પંચેન્દ્રિયો સંજ્ઞી અને અસંજ્ઞી, બે ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તા અને અપર્યાપ્તા આ પ્રમાણે જિનેશ્વરોએ જીવોના ચૌદ સ્થાનકો કહેલા છે. તેવી રીતે માર્ગણા પણ તેટલી જ સમજવી. નામથી માર્ગણાઓ કહે છે. ૧. ગતિ. ૨. ઈન્દ્રિય ૩. શરીર, ૪ યોગ, ૫ વેદ, ૬ જ્ઞાન, ૭, ક્રોધાદિ કષાયો ૮ સંયમ, ૯ આહાર, ૧૦ દર્શન, ૧૧ વેશ્યા, ૧૨ ભવ્યત્વ, ૧૩ સમ્યકત્વ ૧૪ સંજ્ઞી, એ ચૌદ માર્ગણાઓ છે. ૧ મિથ્યાત્વ, ૨ સાસ્વાદન, ૩ સમ્યગુ-મિથ્યાત્વ ૪, અવિરતિ સમ્યગુદષ્ટિ ૫ દેશવિરતિ ૬ પ્રમત્ત, ૭. અપ્રમત્ત, ૮ નિવૃત્તિ બાદર ૯ અનિવૃત્તિ બાદર ૧૦ સૂક્ષ્મસંપાય, ૧૧. ઉપશાંત મોહ ૧૨ ક્ષીણમોહ, ૧૩ સયોગી કેવલિ, ૧૪ અયોગિ એ ચૌદ ગુણસ્થાનકો છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૬ ૪૫ ૧ મિથ્યાદર્શનના ઉદયમાં ‘મિથ્યાષ્ટિ ગુણસ્થાનક કહેવાય. ભદ્રકપણું આદિની અપેક્ષાએ તેને ગુણસ્થાનક કહેલું છે. ૨ મિથ્યાત્વનો ઉદય ન હોય અને અનંતાનુબંધીની ચોકડીના ઉદયમાં ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી રહેનારું “સાસ્વાદન' નામનું બીજું ગુણસ્થાનક છે. ૩. સમ્યકત્વ અને મિથ્યાત્વના યોગથી ત્રીજું “મિશ્ર' ગુણસ્થાનક અંતમુહુર્તની સ્થિતિવાળું છે. ૪ અપ્રત્યાખ્યાનના ઉદયમાં અવિરતિ સમ્યગુદૃષ્ટિ નામનું ૫. પ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં દેશવિરતિ ૫ પ્રાપ્ત થએલા સંયમવાળો જે પ્રમાદ સેવે, તે પ્રમત્ત સંયત છે. જે સંયમી પ્રમાદ ન સેવે, તે “અપ્રમત્ત-સંયત’ આ છઠ્ઠા સાતમા ગુણઠાણાં વારા ફરતી અંતમુહુર્ત કાળવાળાં છે. ૮. જેનાથી કર્મોની અપૂર્વ સ્થિતિનો ઘાત વગેરે કરે, તેનાથી “અપૂર્વકરણ” નામનું આઠમું ગુણસ્થાનક કહેવાય અને અહીંથી ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિ શરૂ થાય અથવા તો. ઉદયમાં આવેલા બાદર કષાયના પરિણામો માંહોમાંહે નિર્વતન કરે, તે પણ ‘નિવૃત્તિ બાદર' કહેવાય. ૯ જેમાં પ્રયત્નપૂર્વક માંહોમાંહે પરિણામો ન નિવર્તે, તે “અનિવૃત્તિ બાદર' નામનું નવમું ગુણસ્થાનક છે. તેમાં પણ બંને શ્રેણિ પ્રવર્તે છે. ૧૦ લોભ નામનો સૂક્ષ્મ કિટ્ટી કરેલો કષાય વર્તતો હોય, તે દસમું સૂક્ષ્મસંપરાય' ગુણસ્થાનક કહેવાય. તેમાં પણ બંને શ્રેણિ હોય. ૧૧ મોહનો ઉપશમ કરે, તે “ઉપશાન્તમોહ' નામનું અગિયારમું અને ૧૨ મોહનો ક્ષય કરે, તે “ક્ષીણમોહ' નામનું બારણું ગુણસ્થાનક કહેવાય. ૧૩ ઘાતિ કર્મોનો ક્ષય થવાથી તેરમું “યોગી કેવલી' નામનું તેરમું અને યોગોનો ક્ષય થાય તો તે અયોગી કેવલી નામનું ચૌદમું ગુણસ્થાનક કહેવાય. એ પ્રમાણે જીવતત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું. અજીવ તત્ત્વ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એટલા પદાર્થો અજીવ કહેવાય. આ પાંચ સાથે જીવ ભેળવીએ એટલે છ દ્રવ્યો ભગવંતે પ્રરૂપેલા છે. તેમાં કાળ વગર સર્વે પ્રદેશો એકઠા થવા સ્વરૂપ દ્રવ્યો છે અને જીવ વગરનાં બાકીના દ્રવ્યો ચેતના વગરના અને અકર્તારૂપ માનેલાં છે. કાલ વગરના અસ્તિકાય અને પુદ્ગલ વગર બાકીના અમૂર્ત સ્વરૂપ અથવા અરૂપી દ્રવ્યો માનેલાં છે. તે સર્વ દ્રવ્યો ઉત્પન્ન થવું. નાશ પામવું અને સ્થિર રહેવું તેવા સ્વરૂપવાળાં માનેલા છે. પુદગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાલા હોય છે. તે અણુ અને સ્કંધ એમ બે પ્રકારનાં છે, તેમાં અણુઓ છૂટા હોય છે. બંધાએલા અણુઓ સ્કંધ કહેવાય છે અને ગંધ શબ્દ, સૂક્ષ્મપણું, સ્થૂલપણું વગેરે આકૃતિવાળા તથા અંધકાર, આતપ, ઉદ્યોત, ભેદ, છાયા સ્વરૂપ પણ હોય, કામણવર્ગણા ઔદારિકાદિ શરીર મન ભાષાનું પરિણમન, આવનાર સુખ દુઃખ જીવિત અને મૃત્યુમાં મદદ કરનાર યુગલ સ્કન્ધો છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને શ્વાસોચ્છવાસ અને આકાશ આ ત્રણ દ્રવ્યો એક એક દ્રવ્ય છે. તેમજ તે દ્રવ્યો હંમેશા અમૂર્ત, નિષ્ક્રિય અને સ્થિર છે. એક જીવ દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશો હોય. તેટલા જ પ્રદેશો લોકાકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના હોય. તેમાં એક પ્રદેશ વધારે કે ઓછો ન હોય. જળચર જીવોને જેમ જવા-આવવામાં પાણી સહકાર આપે છે, તેમ ચારે બાજુ જીવ અને અજીવને જવા-આવવામાં કે પ્રવૃત્તિ કરવામાં ધર્માસ્તિકાય સહકાર આપી જવું-આવવું વગેરે પ્રવૃત્તિમાં મદદગાર થાય છે. માર્ગમાં ચાલનાર મુસાફરને જેમ છાયડો સ્થિર થવામાં સહાયક બને તેમ જીવ અને પુદ્ગલો જે પોતે સ્થિર બન્યા છે. તેમને સહકાર આપી સ્થિર કરે, તે અધર્માસ્તિકાય. સર્વ જગ્યા પર રહેલું. પોતામાં પ્રતિષ્ઠિત, અવકાશ (જગ્યા) આપનાર, તે આકાશ કહેવાય. તે અનંત પ્રદેશ સ્વરૂપ લોક અને અલોકમાં વ્યાપીને રહેલું છે. લોકાકાશના પ્રદેશમાં રહેલા તેનાથી ભિન્ન એવા જ કાલના અણુઓ પદાર્થોનું પરિવર્તન કરવામાં મુખ્ય છે, તે કાલ કહેવાય. જેમ કે નવાનું જુનું કરવું, યુવાનને વૃદ્ધ કરવો, તે કરનાર કાલ, જ્યોતિષશાસ્ત્રમાં જે સમય, પલ, વિપલ Page #97 -------------------------------------------------------------------------- ________________ ४६ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ઘડી, મુહૂર્ત, પહોર, દિવસ, રાત્રિ, મહિનો, વર્ષ યુગ વગેરે કાળના માપ કહેલા છે. તે કાળને જાણનારાઓએ તેને વ્યવહારિક કાલની સંજ્ઞા આપી છે. નવીન જીર્ણ, એ વગેરે સ્વરૂપવાળા પદાર્થો જગતમાં પરિવર્તન પામે છે, તે કાળનું જ સામર્થ્ય સમજવું. કાલક્રીડાથી વિનંબિત થયેલા વર્તમાન પદાર્થો ભૂતપણાને અને ભાવી પદાર્થો વર્તમાનપણાને પામે છે. આવી રીતે અજીવતત્વ પૂર્ણ થયું છે. આશ્રવાદિ તત્વો - હવે આશ્રવ તત્ત્વ સમજાવે છે – મન, વચન અને કાયાના યોગથી જીવ જે કર્મ ગ્રહણ કરે, તે આશ્રવ કહેવાય. શુભકર્મનો હેતુ શુભ અથવા પુણ્ય અને અશુભકર્મનો હેતુ અશુભ એટલે પાપ કહેવાય. આશ્રવ તત્વ કહ્યા પછી હવે સંવર અને નિર્જરા કહે છે – સર્વ આશ્રવોને રોકનાર તે સંવર, ભવના હેતભૂત કર્મોને આત્માથી વિખૂટા પાડ્યા રૂપ નિર્જરા કહે છે– આ પ્રમાણે સંવર અને નિર્જરા તત્વો સાથે કહ્યા. આશ્રવ, સંવર અને નિર્જરાનું સ્વરૂપ અહીં વિસ્તારથી નથી કહ્યું. કારણકે આગળ ભાવનાનો વિષય કહીશું ત્યારે વિસ્તારથી સમજાવીશું. એટલે પુનરુક્તિ થવાના કારણે અહીં ટૂંકમાં જ માત્ર ત્રણે તત્ત્વો કહેલાં છે. - હવે બંધ તત્ત્વ જણાવે છે – કષાય સહિતપણાના યોગે જીવ કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે તે જીવની પરતંત્રતાના કારણ સ્વરૂપ બંધ કહેવાય. જેમ બેડીમાં જકડાયેલો કેદી પરાધીન બને. તેમ કર્મરૂપ બેડીમાં જકડાયેલો સ્વતંત્ર આત્મા પરવશ બને છે. તે બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર ભેદ છે. પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ અને તે જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદવાળી છે. ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, પ આયુષ્ય ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય, કર્મની આ આઠ મૂળ પ્રકૃતિઓ કહેલી છે. મોટી અને નાની એવા પ્રકારની કર્મોની સ્થિતિ અર્થાત્ કર્મ ભોગવવાના કાળનો નિયમ, તે કર્મસ્થિતિ કહેવાય, અનુભાગ એટલે વિષયક રસ અને પ્રદેશ કર્મના દળીયાનો જથ્થો સમજવો, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ આ પાંચ કારણે જીવ કર્મબંધ કરે છે, એ પ્રમાણે બંધતત્ત્વનું સ્વરૂપ કહ્યું. - હવે છેલ્લું મોક્ષતત્ત્વ કહે છે–કર્મના બંધના હેતુઓનો અભાવ થવાથી ઘાતિકર્મનો ક્ષય થવાના યોગે કેવલજ્ઞાન થાય અને ત્યાર પછી બાકી રહેલા ચાર કર્મોનો ક્ષય થવાથી જીવોનો મોક્ષ થાય. આ ત્રણ ભુવનમાં દેવો, અસુરો અને ચક્રવર્તીઓને જે પ્રકારનું સુખ છે, તે મોક્ષ સુખની સંપત્તિના અનંતમા ભાગે પણ નથી, પોતાના આત્મામાં આત્માસ્વરૂપે જે પ્રત્યક્ષ કાયમી અને જેનો કદાપિ છેડો ન આવે, તેવા પ્રકારનું સુખ હોવાથી તેને ચારે વર્ગમાં અગ્રેસર સ્વરૂપ મોક્ષ કહેલો છે. આ પ્રમાણે મોક્ષતત્ત્વ કહ્યું. - હવે પાંચ જ્ઞાનો કહે છે– મતિ, શ્રુત અવધિ, મન:પર્યવ અને કેવલ એમ જ્ઞાનના પાંચ મુખ્ય ભેદો સમજવા. એ દરેકના વળી પેટાભેદો પણ કહીશું. અવગ્રહ ઈહા, અપાય, ધારણા, બહુ બહુવિધ વગેરે ભેદયુક્ત, ઈન્દ્રિય અને મનથી થવાવાળું મતિજ્ઞાન કહેલું છે. બીજા શ્રુતજ્ઞાન- પૂર્વો અંગો, ઉપાંગો પ્રકીર્ણકો વડે વિસ્તાર પામેલું “ચાત' પદથી યુક્ત અર્થાત સ્યાદ્વાદ યુક્ત એવું શ્રુતજ્ઞાન અનેક ભેદવાળું છે. અવધિજ્ઞાન બે પ્રકારનું, ભવપ્રત્યયિક-દેવતાઓને અને નારકીઓને તે ભવયોગે થનારું અને બાકીના મનુષ્યોને અને તિર્યંચોને લબ્ધિથી થનારું છે ભેદવાળું છે અને તે ક્ષયોપશમથી થનાર છે. મન:પર્યવા જ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. વિશુદ્ધિવાળું અને આવેલું ન ચાલ્યું જાય તેવું વિપુલમતિ મન:પર્યવજ્ઞાન સમજવું. જગતના સર્વકાળના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોના વિષયવાળું વિશ્વલોચન Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૭ ૪૭ સમાન અનંત, અતીન્દ્રિય, અપૂર્વ એવું એક જ્ઞાન, તે કેવલજ્ઞાન કહેવાય એવી રીતે પાંચ શાનોથી સર્વતત્વો સમજી શકાય છે. મોક્ષના કારણ સ્વરૂપ રત્નત્રયીના પ્રથમ ભેદનો જ્ઞાતા બની શકે. ભવરૂપી વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાંખવા માટે મદોન્મત્ત હાથી સમાન અજ્ઞાન અંધકાર નાશ કરવા માટે સૂર્ય સમાન જગતના તત્વોને પ્રકાશિત કરવામાં અપૂર્વ નેત્ર-સમાન અને ઈન્દ્રિયોરૂપી હરણોને વશ કરવામાં જાળ સરખું આ સભ્યજ્ઞાન જ છે. ॥ ૧૬ | બીજું દર્શન રત્ન કહે છે— १७ रूचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते I जायते तन्निसर्गेण गुरोरधिगमेन वा ' १७ ॥ અર્થ : જિનેશ્વરોએ કહેલા તત્ત્વોમાં રુચિ થવી તે સમ્યગ્ શ્રદ્ધા કહેવાય, અને તે સાચી શ્રદ્ધા સ્વયં અગર ગુરુના ઉપદેશથી થાય છે. ।। ૧૭ || ટીકાર્થ : જિનેશ્વરોએ કહેલા જીવાદિક તત્વોમાં જે રુચિ તેનું નામ સાચી શ્રદ્ધા. તે રુચિ વગરનું જ્ઞાન ફળસિદ્ધિ કરનાર બનતું નથી. શાક, અન્ન, વગેરેના સ્વરૂપને જાણનાર હોવા છતાં રુચિ વગર મનુષ્ય તેની તૃપ્તિને કે સ્વાદના ફળને મેળવી શકતો નથી. શ્રુતજ્ઞાનવાળા અંગારમર્દક વગેરે અભવ્ય કે દુર્ભાવ્યો જિનોક્ત તત્વોમાં રુચિ ન હોવાથી કહેલું ફલ મેળવી શક્યા નથી. તે શ્રદ્ધા ઉત્પન્ન થવાના બે પ્રકાર છે. ગુરુના ઉપદેશ વગર સ્વભાવથી આપોઆપ થઈ જાય તે. (૧) નિસર્ગસમ્યક્ત્વ અને ગુરુના ઉપદેશથી કે પ્રતિમાના દર્શનથી થાય તે (૨) અધિગમ-સમ્યક્ત્વ કહેવાય. અનાદિ અનંત સંસાર-આવર્તમાં ભ્રમણ કરતાં જીવોને વિષે જ્ઞાનવરણીય દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે. ગોત્ર અને નામની વીશ અને મોહનીય કર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે સ્થિતિમાંથી પર્વત પરથી વહેતી નદીમાં ગબડતા અથડાતા કૂટાતા કેટલાક પત્થરો આપોઆપ સરખા ગોળ ઘાટના બની જાય છે. તે ન્યાયે વગર પ્રયત્ને આપોઆપ દરેક કર્મની સ્થિતિ તેવા પ્રકારના પરિણામના યોગે ઓછી થઈ જાય અને જ્યારે માત્ર એક કોડાકોડી સાગરોપમની પણ અંદ૨ જેટલી બાકી રહે ત્યારે દરેક સંસારી જીવો યથાપ્રવૃત્તકરણ કરવાના યોગે ગ્રંથિ પ્રદેશ સુધી આવે છે. દુઃખે કરીને ભેદી શકાય તેવો રાગ-દ્વેષનો પરિણામ તે ગ્રંથિ કહેવાય. જે સદા (રાયણની મૂળની) ગાંઠ માફક મહામુશ્કેલીથી છેદી શકાય તેવી હોય છે. આ ગ્રંથિસ્થાન સુધી પહોંચેલો જીવ પણ ફરી રાગાદિકથી પ્રેરાઈને ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિનો બંધ કરનાર અને ચારે ગતિમાં ભ્રમણ કરનાર થાય છે. તેમાં કેટલાંક ભાવિ કલ્યાણ પામનારા જે ભવ્યો જીવો હોય છે. તેઓ પોતાનું મહાવીર્ય પ્રગટ કરીને અપૂર્વકરણ કરતા દુઃખે કરી ઉલ્લંઘન કરી શકાય તેવી તે ગ્રંથિને એકદમ મહા લાંબા પંથને કાપી ઈષ્ટસ્થાને મુસાફર પહોંચી જાય તેમ, ઉલ્લંઘન કરી આગળ પહોંચી જાય છે આ અપૂર્વકરણ કહેવાય હવે ત્યાર પછી અનિવૃત્તિકરણ કર્યા પછી અંત૨ક૨ણ કર્યે છતે વેદવા લાયક મિથ્યાત્વનાં દળીયાને દૂર કરે તે વખતે અંતમુહુર્તની સ્થિતિવાળું ઔપશામિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. આ સમ્યક્ શ્રદ્ધાન, તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય. ગુરુનો ઉપદેશ કે તેવા પ્રકારનું આલંબન પામી સર્વ જીવોને જે સમ્યક્ શ્રદ્ધાન થાય, તે બીજું અધિગમ-સમ્યક્ત્વ કહેવાય. આ સમ્યગ્દર્શન યમ અને પ્રશમના ઔષધસમાન, જ્ઞાન-ચારિત્રનું બીજ અને તપ તથા શ્રુતાદિનો હેતુ છે. જ્ઞાન અને ચારિત્રથી રહિત સમ્યક્ત્વ હોય તે પણ પ્રશંસવા યોગ્ય છે પણ મિથ્યાત્વથી દુષિત જ્ઞાન અને ચારિત્ર વખાણવા યોગ્ય નથી. જ્ઞાન અને ચારિત્રથી Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૪૮ સહિત શ્રેણિક રાજાએ સમ્યક્ત્વના પ્રભાવથી તીર્થંકર-નામકર્મ ઉપાર્જન કર્યું એમ શાસ્ત્રમાં કહેલું છે. જ્ઞાન અને ચારિત્ર નહિ ધારણ કરનાર જીવો પણ જે સમ્યક્ત્વના પ્રભાવથી અનુપમ સુખના નિધાન સરખું મુક્તિ-સુખ પ્રાપ્ત કરે છે. ભવ-સમુદ્રમાં ડૂબતાને નાવ-સમાન, દુઃખરૂપી વનને બાળવા માટે દાવાનલસમાન એવા સમ્યગ્દર્શન રત્નનો તમે અહીં આશ્રય કરો. ।। ૧૭ || હવે ત્રીજું ચારિત્રરત્ન કહે છે— १८ सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते 1 कीर्तितं तदहिंसादिव्रतभेदेन पञ्चधा " १८ 11 અર્થ : સર્વ પાપવાળા યોગના ત્યાગસ્વરૂપ કહેલું છે, તે અહિંસા વગેરે પાંચ પ્રકારનું ભેદવાળું જણાવેલું છે. ॥ ૧૮ ॥ ટીકાર્થ : સર્વ સાવધ યોગો, નહિ કે કેટલાક માત્ર, એવા પાપ-વ્યાપારોનો જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક જે ત્યાગ કરવો, તે સમ્યક્ ચારિત્ર કહેવાય. જ્ઞાન અને શ્રદ્ધા વગર કરેલું ચારિત્ર સમ્યગ્યારિત્ર ન ગણાય. દેશવિરતિથી જુદું પાડવા માટે સર્વ એમ જણાવેલું છે. મૂળ અને ઉત્તરગુણ-ભેદવાળું બે પ્રકારનું ચારિત્ર હોવાથી મૂળગુણરૂપ ચારિત્ર-પાંચ મહાવ્રત ગ્રહણ કરવા સ્વરૂપે સમજવું. નહીં કે સ્વરૂપથી || ૧૮ | ચારિત્રના મૂળ ગુણોને જે કહે છે १९ अहिंसासूनृतास्तेयब्रह्मचर्याऽपरिग्रहाः 1 पञ्चभिः पञ्चभिर्युक्ता भावनाभिर्विमुक्तये ॥ १९ 11 અર્થ : પાંચ મહાવ્રતો : મહાવ્રતો પાંચ પ્રકારના છે. (૧) અહિંસા (૨) સત્ય, (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ આ પાંચેય મહાવ્રતોનું પાલન પાંચ પાંચ ભાવનાથી યુક્ત કરવામાં આવે છે તો મુક્તિને માટે થાય છે. | ૧૯ ॥ ટીકાર્થ : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો દરેકની પાંચ પાંચ ભાવનાઓથી યુક્ત હોય તો મુક્તિ માટે થાય. અહિંસાદિક પાંચ મહાવ્રતો દરેકની પાંચ પાંચ ભાવના એટલા માટે કહેવી છે કે, જો સતત ભાવનાની જાગૃતિ રહે, તો તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. || ૧૯ || મૂળ ગુણરૂપ પ્રથમ મહાવ્રત કહે છે– जीवितव्यपरोपणम् २० न यत्प्रमादयोगेन, त्रसानां स्थावराणां च तदहिंसाव्रतं मतम् ॥ २० ॥ અર્થ : પ્રમાદના યોગથી ત્રસ કે સ્થાવર જીવોના પ્રાણોના નાશ ન કરવો તે પ્રથમ અહિંસા મહાવ્રત માનેલું છે. II ૨૦ ટીકાર્થ : પ્રમાદ એટલે અજ્ઞાન-સંશય, વિપર્યય, રાગ-દ્વેષ, યાદ ન રહેવું, મન, વચન અને કાયાના યોગનું પ્રતિકૂળપણે વર્તન થવું અને ધર્મનો અનાદર કરવો એ એમ આઠ પ્રકારનો પ્રમાદ કહેલો છે. તેના યોગથી ત્રસ કે સ્થાવર જીવોનાં પ્રાણનો વિયોગ કરવો, તે હિંસા અને તે ન કરવી અહિંસા ॥ ૨૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૮-૨૩ બીજું મહાવ્રત કહે છે– २१ प्रियं पथ्यं वचस्तथ्यं सूनृतव्रतमुच्यते 1 તત્તધ્યપિ નો. તથ્ય-મપ્રિયં ચાહિત ચ યત્ ॥ ૨ ॥ અર્થ : પ્રિય હિતકારી અને સત્ય વચન બોલવું તે સૂતૃત વ્રત કહેવાય તથ્ય વચન પણ જો અપ્રિય અને અહિતકર હોય તો તે સત્ય વચન ન કહેવાય. ॥ ૨૧ || ટીકાર્થ : અમૃષાસ્વરૂપ સાચું વચન બોલવું તે સૂનૃતવ્રત કહેવાય. સાંભળતા માત્ર જે આનંદ આપે તે પ્રિય અને ભવિષ્યમાં હિતકારી તે પથ્ય તેવું વચન તથ્ય કહેવાય. અહીં સત્યવ્રતનો અધિકારી હોવાથી તથ્ય એવું એક વિશેષણ બસ છે. પ્રિય અને પથ્ય એવા વિશેષણોની શી જરૂર છે ? તેનું સમાધાન કરતાં જણાવે છે. વ્યવહારથી સત્ય હોવા છતાં પણ ચોરને તું ચોર, કોઢીયાને તું કોઢરોગવાળો કહે તે અપ્રિય હોવાથી સાચું નથી ગણ્યું. સાચું છતાં અહિતકર, જેમ કે શિકારીઓ જંગલમાં પૂછે, કે મૃગલાઓ કઈ તરફ ગયા ? એને ખરી હકીકત કહેવાથી મૃગલાઓને હિંસા કરી મારી નાંખે, તેથી તેને સત્ય નથી ગણ્યું || ૨૧ ॥ ત્રીજા મહાવ્રતને કહે છે. २२ अनादानमदत्तस्याऽस्तेयव्रतमुदीरितम् ૪૯ बाह्याः प्राणा नृणामर्थो हरता तं हता हि ते ॥ २२ ॥ અર્થ : વિત્તના સ્વામીએ નહિ આપેલ વસ્તુ ગ્રહણ ન કરવી, તે અસ્તેય નામનું ત્રીજું મહાવ્રત કહેલું છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણો છે અને તેનું હરણ કરવાથી તેઓના પ્રાણોના નાશ કર્યો સમજવો. ॥ ૨૨ ॥ ટીકાર્ય : ધનના માલિકે આપ્યા વગર ગ્રહણ કરવું તે અદત્તાનાદાન. ૧ સ્વામી ૨ જીવ, ૩ તીર્થંકર અને ૪ ગુરુ-અદત્ત એમ તેના ચાર પ્રકાર છે. તૃણની સળી, પત્થર, કાષ્ટ વગેરે તેના સ્વામીએ ન આપેલા હોય તો તે સ્વામીથી અદત્ત માલિકે આપવા છતાં જીવ પોતે ન આપે જેમ કે દીક્ષાના પરિણામ વગરનો જીવ હોય તેને માતા-પિતા ગુરુને આપે તે જીવથી અદત્ત, તીર્થકરોએ પ્રતિષિદ્ધ એવા આધાકર્માદિ ગ્રહણ કરવા, તે તીર્થકરથી અદત્ત, માલિકે આપેલ હોય છતાં આધાકર્માદિ, દોષ-રહિત હોય, પણ ગુરુની રજા વગર ગ્રહણ કરે તો તે ગુરુથી અદત્ત કહેવાય. બાકીના વ્રતો પ્રથમ વ્રતનું રક્ષણ કરનારાં છે. અદત્તાદાનમાં હિંસા કેવી રીતે ગણાય ? ત્યારે જણાવ્યું કે, ધન એ બાહ્ય પ્રાણ છે. ચોરી કરવી તે બાહ્ય પ્રાણ લીધા બરાબર છે. || ૨૨ ચોથું મહાવ્રત કહે છે. २३ दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः 1 मनोवाक्कायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् 11 २३ It અર્થ : દેવ સંબંધી અને ઔદારિક શરીર સંબંધી, કામોને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગરૂપ એવા અઢાર ભેદવાળું બ્રહ્મવ્રત કહેલું છે. ॥ ૨૩ || ટીકાર્થ : દેવતાઈ વૈક્રિય શરીરો અને તિર્યંચો તથા મનુષ્યોના ઔદારિક શરીરના કામોનો મનથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વચનથી અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાઓં ત્યાગ એ પ્રમાણે અઢાર ભેદવાળું કામના ત્યાગરૂપ બ્રહ્મવ્રત કહેલું છે કે – દેવતાઈ કામના રતિસુખથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ એ પ્રમાણે નવ, તથા ઔદારિક સંબંધી પણ તે જ પ્રમાણે નવ મળીને અઢાર પ્રકારવાળું બ્રહ્મવ્રત (પ્રશ. ૧૭૭) કરવું, કરાવવું, અનુમોદવું, મન, વચન અને કાયાથી આ વચલા વ્રતમાં કહેવાથી પહેલાં અને પછી પણ આ ભેદો જોડવા. || ૨૩ || २४ सर्वभावेषु मूर्छाया - स्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेत, मूर्च्छया चित्तविप्लवः ॥ २४ ॥ અર્થઃ સર્વપદાર્થો સંબંધી મૂછનો ત્યાગ, તે અપરિગ્રહ વ્રત કહેવાય. છતાં પદાર્થોમાં પણ મૂચ્છ થવાથી ચિત્ત અસ્થિર બને છે. ૨૪ || ટીકાર્થ : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અને સર્વ ભાવોમાં મૂછ કે આસક્તિનો ત્યાગ એકલા પદાર્થ માત્રનો ત્યાગ નહિ, પણ તેની મૂચ્છનો ત્યાગ અપરિગ્રહવ્રત કહેવાય. શંકા કરે છે કે, પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે અપરિગ્રવ્રુત થઈ ગયું. મૂર્છા ત્યાગરૂપ તેનું લક્ષણ કેમ કહ્યું ? તેના સમાધાનમાં કહે છે કે, અવિદ્યમાન પદાર્થમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવમાં મૂર્છા થવાથી ચિત્તની અશાંતિ થાય છે અને અસ્થિર ચિત્તવાળાથી પ્રશમ-સુખનો અનુભવ કરી શકાતો નથી. ધન ન હોવા છતાં ધનની તૃષ્ણાવાળા રાજગૃહીના દ્રમકની માફક ચિત્તની મલિનતા દુર્ગતિમાં પડવાનું કારણ બને. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, લક્ષણ સામગ્રીની હાજરી છતાં તૃષ્ણારૂપ કાળા સર્પના ઉપદ્રવ વગરના મનવાળાઓને પ્રશમ-સુખની પ્રાપ્તિથી ચિત્તની પૂર્ણ સ્થિરતા હોય છે. આ જ કારણથી ધર્મોપકરણ ધારણ કરનાર યતિઓને શરીર અને ઉપકરણમાં મમતા ન હોવાથી અપરિગ્રહપણું જણાવેલું છે. કહ્યું છે કે :- “જેમ ઘોડાને આભૂષણો હોવા છતાં તેને તેની મચ્છ હોતી નથી, તેવી રીતે ઉપકરણવાળા નિગ્રંથો પણ તેમાં રાગ કરતા નથી. પ્રશ. ૧૪૧) જેવી રીતે મચ્છ રહિત ધર્મોપકરણવાળા મુનિઓને પરિગ્રહદોષ નથી, તેવી રીતે વ્રત ધારણ કરનાર સાધ્વીઓ પણ ગુરુના ઉપદેશ અનુસાર ધર્મોપકરણ ધારણ કરનારી, ત્રણ રત્નવાળી નિગ્રંથીઓને પણ પરિગ્રહપણાનો દોષ નથી, આ કારણથી સાધ્વીઓ માટે “ધર્મોપકરણ-પરિગ્રહ માત્રથી સ્ત્રીઓને મોક્ષ ન હોય તેમ કહેનાર (દિગમ્બર) માત્ર વાચાળ છે // ૨૪ || પાંચ પાંચ ભાવનાથી યુક્ત હોય તો તે, પાંચ મહાવ્રત મુક્તિ માટે થાય છે, તે પૂર્વ કહ્યું હતું, તેની સ્તુતિ કરે છે. २५ भावनाभि वितानि, पञ्चभिः पञ्चभिः क्रमात् । મહાવ્રતાનિ નો ચ, સાથ જ્યવ્યયં પમ્ | ૨ | અર્થ : પાંચ પાંચ ભાવનાથી ભાવિત એવા મહાવ્રતો દ્વારા ક્યા આત્માએ મુક્તિરૂપ અવ્યયપદને સાધ્યું નથી ? અર્થાત્ ભાવનાયુક્ત મહાવ્રતોને પાળનાર અનંતા આત્મા અક્ષયપદને (મોક્ષ પદને) પામ્ય છે . ૨૫ // ટીકાર્થઃ વાસિત કરાય-ગુણ વિશેષોનું જેમાં આરોપણ કરાય, એવા મહાવ્રતો ભાવનાઓ વડે દઢપણે પાલન કરી શકાય છે. | ૨૫ || હવે પ્રથમવ્રતની ભાવનાઓ કહે છે– Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૨૪-૨૯ ૫૧ २६ मनोगुप्त्येषणादाने-र्याभिः समितिभिः सदा ।। दृष्टान्नपानग्रहणे-नाऽहिंसां भावयेत् सुधीः ॥ २६ ॥ અર્થ : સુબુદ્ધિશાળી સાધુએ ૧. મનોગુપ્તિ ૨. એષણા સમિતિ, ૩. આદાન-નિક્ષેપ સમિતિ, ૪. ઈર્યાસમિતિ અને પ. દષ્ટિથી જોઈને આહાર-પાણી ગ્રહણ કરવા દ્વારા અહિંસા વ્રતને ભાવવું જોઈએ. || ૨૬ || ટીકાર્થ : મનગુપ્તિરૂપ એક ભાવના– તેનું વર્ણન આગળ કહેવાશે. વિશુદ્ધ-નિર્દોષ પિંડ ગ્રહણ કરવામાં સમ્યગું સાવધાની રાખવી, પાટ-પાટલા વગેરે પદાર્થો લેવા-મૂકવામાં જે જયણાવાળી પ્રવૃત્તિ જવા આવવામાં જણાવાળી પ્રવૃત્તિ, નજર કરી આહાર-પાણી ગ્રહણ કરવાં, તથા ઉપલક્ષણથી ભોજન કરતી વખતે પણ અહિંસા ભાવવી. અહીં ગુપ્તિ અને સમિતિઓ મહાવ્રતની ભાવનારૂપે જાણવી. અથવા પંચસમિતિ ઈત્યાદિ ગ્રંથથી ફરી કથન કરવાથી ગુપ્તિ-સમિતિઓનું ઉત્તરગુણપણું જણાવવા માટે સમજવું કહેલું છે કે - “પિંડની વિશુદ્ધિ, સમિતિઓ, ભાવના બે પ્રકારનો તપ, પ્રતિમા અને અભિગ્રહ એ ઉત્તર ગુણોના પ્રકાર છે' (નિ. ભા. ૬૫૩૪) અહીં મનોગુપ્તિને ભાવના જણાવી તે એટલા માટે કે હિંસામાં મનોવ્યાપારનું મુખ્યપણું છે. શાસ્ત્રમાં સંભળાય છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનોગુપ્તિ વડે અહિંસાવ્રતને ન ભાવ્યું તેથી હિંસા ન કરવા છતાં પણ સાતમી નરક યોગ્ય પાપ એકઠું કર્યું હતું. એષણા, આદાન અને ઈર્યા-સમિતિ તો અહિંસા વ્રતમાં અત્યંત ઉપકાર કરનારી છે જ, તેથી તેનું ભાવનાપણું યોગ્ય જ છે. દેખેલા અન્ન-પાણી ગ્રહણ કરવા. તેમાં ત્રસાદિક જીવો સહિત અન્ન પાણીના પરિહાર કરવારૂપ અહિંસાવતને ઉપકારક થાય છે. આ પાંચમી ભાવના. / ૨૬ // બીજા મહાવ્રતની ભાવનાઓ કહે છે– २७ हास्य-लोभ-भय-क्रोध प्रत्याख्यानैर्निरन्तम् । માનો માપોનાપ, માવહૂતિવ્રતમ્ | ૨૭ છે અર્થ : સદાકાળ ૧. હાસ્ય, ૨. લોભ ૩. ભય ૪. અને ક્રોધના પ્રત્યાખ્યાનથી અને ૫. વિચાર કરીને બોલવાથી સત્યવ્રતને ભાવવું || ૨૦ || ટીકાર્થ : હસતા-મશ્કરી કરતા અસત્ય બોલે, લોભાધીન બન્યો કે ધનની આકાંક્ષાથી પ્રાણોની રક્ષાની ઈચ્છાવાળો ભયથી, ક્રોધથી ચંચળ મન થવાના કારણે જુઠું બોલે, હાસ્યાદિકના પચ્ચખાણ ત્યાગ કરવા રૂપ ચાર, ભાવના અને સમ્યગૃજ્ઞાનપૂર્વક બરાબર વિચારી કરીને “રખેને અજ્ઞાનતાથી ફેરફાર ન બોલી જવાય એવી રીતે બોલવું. તે પાંચમી ભાવના, મોહ અને મૃષાવાદનું કારણ પ્રસિદ્ધ જ છે. કહેલું છે રાગથી દ્વેષથી અને મોહ એટલે અજ્ઞાનથી જે વચન બોલાય, તે અસત્ય કહેવાય’ || ૨૭ || ત્રીજા મહાવ્રતની ભાવનાઓ કહે છે– २८ आलोच्यावग्रहयाच्ञा-ऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥ २८ ॥ २९ समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावनाः ॥ २९ ॥ (युग्मम्) Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવા અર્થ : ૧. મનથી વિચાર કરીને અવગ્રહ-જગ્યાની માંગણી કરવી ૨. વારંવાર અવગ્રહની માંગ કરવી. ૩. આટલી મર્યાદાવાળુ સ્થાન જ મારા ઉપયોગી છે' - એમ વિચારીને પોતાને ઉપયોગમાં આ તેટલા અવગ્રહની ધારણા કરવી એ ત્રીજી ભાવના છે. ૪. સાધાર્મિક એવા સાધુઓ પાસે અવગ્રહને યાચના કરવી અને ૫. અનુજ્ઞાથી પ્રાપ્ત થએલા અન્ન-પાણીને વાપરવા એ પાંચમી ભાવના છે // ૨૮-૨૯ / ટીકાર્થ : મનથી વિચાર કરી સાધુએ રહેવા માટેના અવગ્રહની માંગણી કરવી. ૧. ઈન્દ્ર અને ૨. ચક્રવર્તી ૩. માંડલિક રાજા ૪. મકાન-માલિક ૫. સાધર્મિક સાધુ એમ પાંચ પ્રકારના અવગ્રહો કહેલાં છે. આગળ આગળના બાધ્ય છે અને પાછળ પાછળના અવગ્રહો બાધક છે. તેમાં દેવેન્દ્રનો અવગ્રહ એવી રીતે સમજવો કે જેમ સૌધર્માધિપતિ દક્ષિણલોકાર્ધના અને ઈશાનાધિપતિ ઉત્તરલોકાઈના માલિક ગણાય. તેમ દેવેન્દ્રો પણ અવગ્રહના માલિક ગણાય. રાજા ચક્રવર્તી તેના અવગ્રહ ભરતક્ષેત્ર માંડલિક રાજા તેના તાબાનું રાજ્ય હોય તે, ગૃહપતિનો અવગ્રહ, શય્યાતર વસતિ-મકાનમાં માલિક તેના અવગ્રહ, સાધુઓ આગળ આવેલા હોય અને તેમને ગૃહસ્થોએ ઉતારો આપેલા હોય તેવા ઘરો. આવા અવગ્રહો જાણીને વિધિપૂર્વક ક્રમસર રહેવાના સ્થાનની યાચના કરવી. માલિક પાસે યાચના ન કરવાથી માંહોમાંહે વિરોધ, વગર કારણે અણધાર્યા કલેશ કંકાસ વગેરે આલોકસંબંધી દોષ ઉભા થાય. પરલોકમાં પણ વગર આપેલનો ભોગવટો કરવાથી ઉત્પન્ન થએલ પાપકર્મ ભોગવવું પડે. આ પ્રથમ ભાવના. માલિકે એક વખત આપેલા સ્થાનની વારંવાર માંગણી કરતા રહેવું. પહેલા પ્રાપ્ત થએલ અવગ્રહમાં વળી ગ્લાન, વૃદ્ધના મળ-મૂત્ર વગેરે પરઠવવા માટે, પાત્રાં હાથ-પગ ધોવાના સ્થાનોની માંગણી દાતારના ચિત્તની પ્રસન્નતા રહે માટે કરવી. આ બીજી ભાવના. આટલા પરિણામવાળા આ સ્થાનમાં અમને માત્ર આટલી જ જગ્યા જરૂરી છે. વધારેની જરૂર નથી-એ પ્રમાણે અવગ્રહની વ્યવસ્થા કરવા પૂર્વક ધારણ કરવી. આવી રીતે અવગ્રહને ધારણ કરવામાં તેની અંદર કાઉસ્સગ્ન આદિ ક્રિયા કરવામાં આવે તો દાતારને અગવડ કરનાર થતો નથી. પ્રથમ માંગણીના સમયે જગ્યાની મર્યાદા નક્કી કરી ન હોય તો કદાચ દાતારના મનમાં ઉદ્વેગ થવાનો વખત આવે અને પોતાને પણ અદત્ત-પરિભોગન કર્મબંધ થાય. એ ત્રીજી ભાવના ધર્મ પાલન કરે, તે સાધર્મિક સમાન શાસન પામેલા સાધુઓ, પહેલા જેમણે આ ક્ષેત્ર સ્વીકારેલું હોય, તેઓ પાસેથી રજા મેળવી ત્યાં રહેવું. નહિતર ચોરી ગણાય. એ ચોથી ભાવના. સૂત્રમાં કહેલી વિધિથી અચિત્ત, દોષરહિત એષણીય, અને કલ્પનીય આહાર-પાણી મેળવ્યા હોય, એ લાવીને આલોવી, ગુરુને નિવેદન કરી ગુરુની રજા મેળવી માંડલીમાં કે એકલા ઉપલક્ષણથી આ સાથે આપણે ધ્યાનમાં રાખવું કે જે કાંઈ ઔધિક, ઔપગ્રાહિક, ભેદવાળું ઉપકરણ એટલે ધર્મ-સાધન તે સર્વનો ગુરુની રજા મેળવ્યા પછી જ ભોગવટો કરવો-એમ કરનાર ત્રીજા મહાવ્રતનું ઉલ્લંઘન કરતો નથી. આમ પાંચ ભાવના સમજવી | ૨૮-૨૯ // ચોથા મહાવ્રતની ભાવનાઓ કહે છે– ३० स्त्रीषण्ढपशुमद्वेश्मा-ऽऽसनकुड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात्-प्राग्रतरस्मृतिवर्जनात् ॥३०॥ ३१ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग - संस्कारपरिवर्जनात् । प्रणीतात्यशनत्यागाद्, ब्रह्मचर्यं च भावयेत् ॥ ३१ ॥ (युग्मम् અર્થ : ૧- સ્ત્રી, નપુંસક, પશુ આદિથી યુક્ત, વસતિ, આસન, અને ભીંતના આંતરાવાળી જગ્યાનો Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩૦-૩૩ ત્યાગ કરવાથી, ૨ રાગને પેદા કરનારી સ્ત્રી કથાનો ત્યાગ કરવાથી, ૩ - પૂર્વકાળમાં કરેલી વિષયક્રીડાની સ્મૃતિ નહીં કરવાથી ૪ - સ્ત્રીના રમ્ય અંગો નહિ જોવાપૂર્વક અંગોની શોભાનો ત્યાગ કરવાથી ૫ -સ્નિગ્ધ તથા પ્રમાણાતીત ભોજનના ત્યાગ વડે બ્રહ્મચર્ય વ્રતને ભાવવું ॥ ૩૦-૩૧ || ટીકાર્થ : દેવ અને મનુષ્ય એમ બે ભેદવાળી સ્ત્રીઓ આ સજીવ, અચિત્ત તો પૂતળી, લેપથી બનાવેલી ચિત્રકર્મ કરેલી, અચિત્ત, નપુંસક એટલે ત્રીજા વેદના ઉદયવાળા મહામોહકર્મવાળા, સ્ત્રી અને પુરુષ સેવન કરવામાં રક્ત, તથા તિર્યંચયોનિવાળા-તેમાં ગાય, ભેંસ, ઘોડી, ગધેડી, બકરી, ઘેંટી જેમાં મૈથુનની સંભાવના હોય તેવા સ્ત્રી, નપુંસક અને પશુવાળા સ્થાન, આસન કરી જે સ્થાને બેઠેલા હોય, અગર તેમણે સંથારો વાપરેલો હોય. જેના આંતરે રહેવાથી દંપત્તિના મોહ ઉત્પન્ન કરનાર શબ્દો સંભળાય, બ્રહ્મચર્યના ભંગના ભયથી તેવા સ્થાનનો ત્યાગ કરવો. આ પ્રથમ ભાવના રાગપૂર્વક સ્ત્રીઓ સાથે અગર સ્ત્રીઓની કથા, રાગવાળી સ્ત્રીઓની સાથે કથા. તેનો ત્યાગ રાગ ઉત્પન્ન કરનાર એવી દેશ, જાતિ, કુલ, વેષભૂષા, ભાષા, ચાલ, હાવભાવ, મન પારખવું, હાસ્ય લીલા, કટાક્ષ, પ્રણય-કલહ શૃંગારરસવાળી વાતચીતો પણ પવન માફક ચિત્ત-સમુદ્રને ક્ષોભ પમાડે છે આ બીજી ભાવના. દીક્ષા કે બ્રહ્મચર્ય ધારણ કર્યા પહેલાં ગૃહસ્થપણામાં સ્ત્રીઓની સાથે રતિક્રીડા-આલિંગનાદિ કર્યા હોય તેનું સ્મરણ થાય તો, તેનો ત્યાગ કરવો, પૂર્વની રતિક્રીડાની સ્મરણરૂપ-ઇંધણથી કામાગ્નિ વધારે તેજ થાય છે. આ ત્રીજી ભાવના. અવિવેકી લોકની અપેક્ષાએ સ્ત્રીઓનાં મનોહર સ્પૃહા કરાવનારાં આકર્ષક મુખ, નેત્ર, સ્તન સાથળ વગેરે અંગો અપૂર્વ વિસ્મયરસના પૂર્ણપણાથી વિકસ્વર નયન કરીને નિરીક્ષણ ન કરવા. રાગ-દ્વેષરહિતપણે માત્ર જોવું તે ખરાબ ગણ્યું નથી. કહ્યું છે કેઃ— ‘ચક્ષુના વિષયમાં આવેલું રૂપ તેનું અદર્શન કરવું તે અશક્ય છે. પરંતુ પંડિત પુરૂષે તેના રૂપમાં રાગ-દ્વેષ સાફ કરવા ઓળવા-રૂપ સંસ્કાર કરવા, સ્ત્રીઓનાં રમ્ય અંગો તરફ નજર કરવી, પોતાના અંગોનો સંસ્કાર કરવો, તે બંનેનો ત્યાગ કરવો, સ્ત્રીના મનોહર અંગો તરફ ષ્ટિ કરવાથી ચપળ નેત્રવાળો બની જેમ પતંગીયો દીપ-શિખામાં તેમ વિનાશ પામે છે. અપવિત્ર શરીરના સંસ્કારમાં મૂઢ બનેલો તેવા ઉન્માદના વિચારો વડે પોતાના આત્માને નિષ્ફળ કલેશ પમાડે છે. આ ચોથી ભાવના રસવાળા વીર્ય વૃદ્ધિ કરનાર, પુષ્ટિ આપનાર, મધુર રસવાળા અને રસ વગરના હોય તો પણ વધારે પ્રમાણમાં લેવા, લુખાં ભોજન પણ કંઠ સુધી દબાવી દબાવી ખાવું તેવા ભોજનનો ત્યાગ કરવો, હંમેશા શરીર પુષ્ટ કરનારા, વીર્યવૃદ્ધિ કરનાર, સ્વાદિષ્ટ ચીકાશવાળા રસવાળા ખોરાક ખાવાથી પ્રધાન ધાતુનું વિશેષ પોષણ થવાથી વેદોદય જાગૃત થાય અને અબ્રહ્મ પણ સેવન કરે. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી એકલા બ્રહ્મચર્યનો નાશ નથી, પરંતુ શરીરને પણ નુકશાન કરતું હોવાથી તે ત્યાગ કરવાનું છે. કહેલું છે કેઃ- સહિત ખોરાક, અર્ધભાગે, પાણીના બે ભાગે, વાયુ કરવા માટે છઠ્ઠો ભાગ ઉણો રાખે. (પિ.નિ. ૬૫૦) આ પાંચમી ભાવના. એવી રીતે નવ-પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનો સંગ્રહ કરીને બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવના પૂર્ણ કરી. II ૩૦-૩૧ ॥ હવે પાંચમા મહાવ્રતની ભાવનાઓ કહે છે– ३२ स्पर्शे रसे च गन्धे च रूपे शब्दे च हारिणि । ૫૩ पञ्चस्वितीन्द्रियार्थेषु गाढं गार्द्धयस्य वर्जनम् ॥ ૩૨ ॥ ३३ एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् 1 આશ્ચિત્ત્વવ્રતયૈવ, ભાવના: પન્નુ તિતાઃ ॥ ૩૩ ॥ (યુગ્મમ્) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ અર્થ : ૧ થી ૫ મનોહર એવા સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દ રૂપ પાંચેય વિષયોની ગાઢ લોલુપતાનો ત્યાગ કરવો અને ચિત્તને આનંદ ન થાય તેવા પાંચેય વિષયોમાં સર્વથા દ્વેષ ન કરવો. તે અપરિગ્રહ વ્રતની પાંચ ભાવના છે. || ૩૨-૩૩ || ટીકાર્થ : સ્પર્ધાદિક જે ગમતા હોય, તેવા વિષયોમાં અતિરાગનો ત્યાગ કરવો, ઈન્દ્રિયોને પ્રતિકુલ એવા અણગમતા સ્પર્ધાદિમાં દ્વેષ ન કરવો. આસક્તિવાળો મનુષ્ય મનોહર વિષયોમાં રાગ અને અણગમતા વિષયોમાં દ્વેષ કરે છે. મધ્યસ્થને મૂર્છા ન હોવાથી નથી ક્યાંય પ્રીતિ કે નથી અપ્રીતિ. રાગ થયા પછી વૈષ થતો હોવાથી વેષને પાછળથી ગ્રહણ કર્યો. કિંચન એટલે બાહ્ય અને અત્યંતર પરિગ્રહરૂપ તે જેને નથી, તે અકિંચન, તેનો ભાવ તે અકિંચન્ય અર્થાત્ - અપરિગ્રહતા તે રૂપ મહાવ્રત તેની આ પાંચ ભાવનાઓ જણાવી | ૩૨-૩૩ મૂલગુણરૂપ ચારિત્ર કહીને ઉત્તરગુણરૂપ ચારિત્ર કહે છે३४ अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक् चारित्र-मित्याहुर्मुनिपुङ्गवाः ॥ ३४ ॥ અર્થ અથવા -પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવી સાધુની ચર્યાને પણ ઉત્તમ મુનિઓએ સમ્યફ ચારિત્ર કહ્યું છે. || ૩૪ || ટીકાર્થઃ સમિતિ એટલે પાંચ ચેષ્ટાઓની તાંત્રિક સંજ્ઞા અથવા અહપ્રવચન અનુસાર પ્રશસ્ત ચેષ્ટા તે સમિતિ ગુપ્તિ એટલે આત્માનું સંરક્ષણ, મુમુક્ષુનું યોગ-નિગ્રહ, એ પાંચ સમિતિ એ ત્રણ ગુપ્તિ તે બંનેથી પવિત્ર એવી સાધુઓની ચેષ્ટા તે સમ્યફ ચારિત્ર કહેવાય. સમ્યગ્ પ્રવૃત્તિ સ્વરૂપ સમિતિ, અને પ્રવૃત્તિથી નિવૃત્તિલક્ષણ ગુપ્તિ. આ બેમાં આટલી વિશેષતા છે . ૩૪ || હવે સમિતિ અને ગુપ્તિઓના નામ કહેવા પૂર્વક જણાવે છે__ ३५ ईर्याभाषैषणाऽऽदान-निक्षेपोत्सर्गसंज्ञिकाः । पञ्चाहुः-समितीस्तिस्त्रो, गुप्तीस्त्रियोगनिग्रहात् ॥ ३५ ॥ અર્થ: ૧ - ઇર્યાસમિતિ, ૨- ભાષાસમિતિ ૩- એષણા સમિતિ ૪- આદાન-નિક્ષેપ સમિતિ અને પપારિષ્ઠાપનિકા સમિતિ - આ પાંચ સમિતિ છે અને મન આદિ ત્રણ યોગના નિગ્રહથી ત્રણ પ્રકારની ગુપ્તિક કહી છે ! ૩૫ / ટીકાર્થ: ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપ સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, આ પાંચ સમિતિ અને ત્રણ યોગોના નિગ્રહ કરવા રૂપ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલી છે. ઉપર કહેલી પાંચ સમિતિ તથા મન, વચન અને કાયાના વ્યાપારનો પ્રવચનવિધિથી નિરોધ કરવો, મન, વચન, કાયાને પ્રવર્તાવવા, ઉન્માર્ગમાં જતાં ત્રણે યોગને અટકાવવાં, તે ગુપ્તિ કહેવાય. ||૩૫ || ઈર્યાસમિતિનું લક્ષણ કહે છે– Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩૪-૩૭ ३६ लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । નન્નુરક્ષાર્થમાલોચ, તિરીયાં, મતા સતામ્॥ ૨૬ ॥ અર્થ : જે માર્ગમાં લોકોની અવર-જવર થતી હોય, તેમ જ સૂર્યના કિરણો જેના ઉપર પડતાં હોય તેવા માર્ગમાં જીવોની રક્ષા માટે નીચે નજર કરીને ગતિ કરવી. તેને ઈર્યાસમિતિ માનેલી છે. ।। ૩૬ || ૫૫ ટીકાર્થ : ઈર્યા સમિતિ - ત્રસ અને સ્થાવર જંતુમાત્રને અભયદાન દેવા માટે દીક્ષિત થએલ મુનિ જરૂર કરે. માટે જતાં-આવતાં જીવોની રક્ષા માટે, તેમ જ પોતાના શરીરની રક્ષા માટે પગના અગ્રભગમાંથી માંડી ધુંસરા પ્રમાણ ક્ષેત્ર સુધી નજર કરીને ચાલે તે ઈર્યા એટલે ગતિ, તેમાં સમ્યક્ પ્રવૃત્તિ કરવી. તે ઈર્યાસમિતિ કહ્યું છે કે: ‘યુગમાત્ર ભૂમિને જોતા બીજ, લીલોતરી, જીવો, જળ, પૃથ્વીકાયને વર્જતો મુનિ જમીન પર ચાલે, ખાડા-ટેકરા ઠુંઠા, કાદવને છોડતો પરાક્રમ હોય તો તેવા માર્ગમાં સંક્રમણ કરી ચાલે (દશ. ૫-૧ ૩-૪) ગતિ માર્ગમાં કરાય છે, તેથી તેની વિશેષિત કરતા કહે છે કે લોકોના હાલવા-ચાલવાથી અત્યંત ખુંદાયેલા અને જે માર્ગ ઉપર સૂર્યના કિરણો સ્પર્શ કરતા હોય અર્થાત્ માર્ગ બરાબર દેખાતો હોય, પહેલા વિશેષણથી બીજાએ વાપરેલા માર્ગને જતાં મુનિએ છકાય જીવની વિરાધના ન થાય ખોટા માર્ગે પણ ન જવું તે કહે છે. તેવા પ્રકારના માર્ગમાં રાત્રે જતા ઉડીને આવી પડતા સંપાતિમ, જીવોની વિરાધના થાય. તેનો પરિહાર કરવા માટે બીજું વિશેષણ કહ્યું. આવા પ્રકારના ઉપયોગવાળા મુનિને ચાલતા ચાલતાં કદાચ પ્રાણિનો વધ થાય તો પણ પ્રાણવધનું પાપ ન લાગે. કહ્યું છે કેઃ— ઇર્યા સમિતિમાં ઉપયોગવાળો ચાલવા માટે પગ ઊંચો કરે, તેમ કરતાં કદાચ કોઈ બેઇન્દ્રિયાદિ જીવ તે યોગને પામીને મરી જાય તો શાસ્ત્રમાં તે નિમિત્તે સૂક્ષ્મ પણ કર્મબંધ કહેલો નથી. કારણકે સર્વભાવપૂર્વક નિરવદ્ય ઉપયોગથી તે પ્રવર્તે છે. તેમજ, અજયણા અને અવિધિથી પ્રવૃત્તિ કરનારથી જીવ ન પણ મરે, અથવા મરી જાય તો તેને નક્કી હિંસાનું પાપ લાગે અને જે સમ્યક્ પ્રકારના ઉપયોગવાળો અને જયણાનો પ્રયત્ન તેને નક્કી હિંસાનું પાપ લાગે અને જે સમ્યગ્ પ્રકારના ઉપયોગવાળો અને જયણાનો પ્રયત્ન કરનાર હોય તેનાથી કદાચ હિંસા થઈ જાય તો પણ તેને હિંસાથી કર્મ બંધ થતો નથી (ઓઘ. નિ. ૭૪૮-૭૪૯) || ૩૬ || હવે ભાષાસમિતિ કહે છે– ३७ अवद्यत्यागत: सर्व-जनीनं मितभाषणम् I प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥ ३७ 11 અર્થ : નિર્દોષ, સર્વને હિતકારી, પ્રમાણસર પ્રિય એવી રીતે સાવધાનીપૂર્વક બોલાય, તે ભાષાસમિતિ કહેવાય. || ૩૭ || ટીકાર્થ : ભાષાસમિતિ - ‘વાક્યશુદ્ધિ નામના અધ્યયનમાં પ્રતિપાદન કરેલા ભાષાદોષો, જેમ કે ‘તુ ધૂર્ત, માંસ ખાનાર, ચોર, નાસ્તિક છો' આદિ દુર્વચનનો નિષ્કપટભાવે ત્યાગ કરવો. વચનશુદ્ધિવાળી ભાષા બોલવી. સર્વ લોકોને હિતકારી હોય, થોડું પણ એવા પ્રકારનું બોલે જેથી ઘણાં પ્રયોજન સાધનારી બને, તેવા પ્રકારનું બોલવાનું કહ્યું છે કેઃ— “મધુર બુદ્ધિવાળું અલ્પ, કાર્ય સૂઝે તેટલું, ગર્વ વગરનું, ઉદાર આશયવાળું પ્રથમ બુદ્ધિથી ગોઠવેલું અને ધર્મયુક્ત હોય, તે જ વચન બોલવું.” (ઉપદેશ-૮૦) આ પ્રકારે જે બોલવું, Page #107 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પદ તે ભાષામિતિ કહેવાય. બોલવામાં સમ્યક્ પ્રકારે સાવધાની રાખવી. તે ભાષા સમિતિ. આવા પ્રકારની ભાષા મુનિવરોને ઈષ્ટ છે, કહેલું છે કેઃ– “બુદ્ધિશાળીએ તે ભાષા ન બોલવી કે જે, સત્યા, સત્યાકૃષા કે મૃષા હોય અને પંડિતોએ ન આચરેલી હોય, તેવી ભાષા ન બોલે' (દશ. ૭-૨) | ૩૭ || એષણાસમિતિ કહે છે— ३८ द्विचत्वारिंशता भिक्षादोषैर्नित्य दूषितम् । मुनिर्यदन्नमादत्ते, सैषणासमितिर्मताः 11 ३८ ' અર્થ : મુનિ સદાકાળ ભિક્ષાના બેંતાલીશ દોષથી રહિત એવું જ અન્ન ગ્રહણ કરે છે, તેને એષણાસમિતિ કહેવાય ॥ ૩૮ ॥ ટીકાર્થ : કહેલા બેંતાલીશ દોષોથી રહિત ભિક્ષા-મુનિ ગ્રહણ કરે, તેને એષણાસમિતિ માનેલી છે. એષણાસમિતિ– બેતાલીશ દોષો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. ઉદ્ગમ ઉત્પાદના અને એષણા સ્વરૂપ, તેમાં ઉદ્ગમ દોષો ગૃહસ્થથી થએલા સોળ દોષો તે આ પ્રમાણે - આધાકર્મ, ઔદેશિક, પૂતિકર્મ મિશ્રજાત, પ્રાભૂતિકા, પ્રાદુષ્કાર, ખરીદેલ, લાવેલ, અદલો-બદલો કરેલ. સામે લાવેલ, ઉભિન્ન માળ પરથી લાવેલ, છીનવી લીધેલું. અનિસૃષ્ટ, અધ્યવ પૂરક સોળમો ભેદ. (પિં.નિ. ૯૨-૯૩) ૧ આધાકર્મ – મનમાં સાધુનો સંકલ્પ કરીને સચિત્ત-અચિત્ત ધાન્યદિકને સાધુ માટે રાંધવું તે નિરુક્ત અર્થથી આધાકર્મ. - ૨ ઉદ્દેશ – ‘સાધુને વહોરાવીશ' એવા સંકલ્પ કરવા પૂર્વક સાધુને ઉદ્દેશીને પહેલાં જ રાંધીને તૈયાર કર્યા હોય, તેમાં ચોખા, લાડુ, લોટ, વગેરે નાંખવા. દહીં અગર ગોળ નાંખી તેને સંસ્કાર આપવા. ૩ પૂતિકર્મ – આધાકર્મી ભોજન સાથે ભળેલું શુદ્ધ હોય તો પણ તે પવિત્ર દ્રવ્ય સાથે અપવિત્ર દ્રવ્ય ભેગું થાય, તે પૂતિકર્મ કહેવાય. ૪ મિશ્રજાત – તે કહેવાય છે કે, જે, પોતાના માટે સાધુ માટે શરૂથી જ એકઠું કરી રંધાય. સાધુ માંગણી કરે તેવા દૂધ વગેરેને જુદા કરી પોતાના ભાજનમાં અલગ સ્થાપન ૫ સ્થાપના કરવું. ૬ પ્રાકૃતિકા – તે કહેવાય કે સાંસારિક-વિવાહાદિક પ્રસંગો જે કાળાંતરે કરવાના હોય, પણ અત્યારે સાધુ નજીકમાં છે, તેમના પણ ઉપયોગમાં આવી શકે તેવી બુદ્ધિથી હમણાં જ આ પ્રસંગ ઉભો કરી લાભ લઈએ, તેને શાસ્ત્ર-પરિભાષાવાળી પ્રાકૃતિકા કહેલું છે અથવા નજીકના સમયમાં હોય તો, સાધુ આવે ત્યારે કરીશું એમ કરી પ્રસંગ દૂર લઈ જાય. ૭ પ્રાદુષ્કરણ - અંધકારમાં રહેલ પદાર્થને અગ્નિ દીવો કે મણિના પ્રકાશ વડે ખોળી લાવવો, ભીંત દૂર કરીને બહાર કાઢી લાવવું પ્રગટ કરવું. ૮ ક્રીત સાધુ માટે મૂલ્ય ખરચી વેચાતું લાવવું. ૯ પ્રામિત્ય – સાધુ માટે ઉધાર લાવી અપાય તે. ૧૦ પરિવર્તિત – પોતાની ચીજ આપી તેના જેવું પાકું દ્રવ્ય લાવી જે અપાય. ૧૧ અભ્યાહત ઘરથી કે બીજા ગામથી સાધુ માટે સામે લાવેલા હોય તે. - - Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩૮ પ૭ ૧૨ ઉભિન્ન – બરણી કે તેવા ભાજનમાંથી ઘી વગેરે દાન માટે કાઢવા. તેના પરની માટી ખોદી દૂર કરવી. ૧૩ માલાપહત – જે માળીયા કે શીકા ઉપરથી અગર ભોંયરામાંથી લાવી સાધુને આપે. ૧૪ આદ્ય – પારકી વસ્તુ બળાત્કારે છીનવી શેઠ, રાજા કે ચોરને આપે. ૧૫ અનિકૃષ્ટ – ઘણા એકઠા મળીને ઉજાણી કે મંડળના જમણમાંથી બીજાની મરજી ન હોય અને તેમાંથી એક સભ્ય આપે. ૧૬ અધ્યવપૂરક – પોતાના માટે ખેતરમાં ધાન્ય વાવતો હોય, પણ સાધુ ભગવંતો પધારવાના છે. તેમના માટે પણ ફરી ધાન્યાદિ વાવે. ઉત્પાદનના દોષો પણ સોળ છે અને તે સાધુથી થવા સંભવિત છે. તે આ પ્રમાણે – (૧) ધાત્રીપિંડ (૨) દૂતપિંડ (૩) નિમિત્તપિંડ (૪) આજીવ (૫) વનપક, (૬) ચિકિત્સા, (૭) ક્રોધ, (૮) માન, (૯) માયા, (૧૦) લોભ, (૧૧) પૂર્વ-પશ્ચાત સંસ્તવ (૧૨) વિદ્યા, (૧૩) મંત્ર, (૧૪) ચૂર્ણ (૧૫) યોગ અને (૧૬) મૂળકર્મ દોષ. (પિ. નિ. ૪૦૮-૪૦૯) ૧ ધાત્રીપિંડ – બાળકને ધવરાવવું કે દૂધ પાવું સ્નાન કરાવવુ. વસ્ત્ર-આભૂષણ પહેરાવી શોભા કરવી, રમાડવું. ખોળામાં બેસાડવું. આ કાર્યો કરનારી ધાવમાતાઓ પાંચ પ્રકારની હોય છે. ભિક્ષા મેળવવા માટે બાળકને માટે મુનિ આ કાર્યો કરે, તો ધાત્રીપિંડ નામનો દોષ લાગે. ૨ દૂતીપિંડ – ભિક્ષા માટે એકબીજાના સંદેશા લઈ જાય. ૩ નિમિત્તપિંડ – ભૂત, ભાવી અને વર્તમાનકાળમાં વેપારાદિ કાર્યમાં લાભ-નુકશાન જણાવનાર નિમિત્તનું કથન કરે. (દરેકમાં ભિક્ષા માટે સમજી લેવું.) ૪ આજીવપિંડ – ભિક્ષા મેળવવા માટે જાતિ, કુલ, ગુણ, કર્મ, શિલ્પ, કળા આદિ પોતાના તેવા ગુણોને આગળ કરતો હોય. પ વનીપકપિંડ – શ્રમણ, બ્રાહ્મણ, ક્ષપ, અતિથિ, શ્વાન વગેરેનાં ભક્તની આગળ કે ભક્તની પાસે જઈ પિંડ માટે પોતે દર્શન આપે. ૬ ચિકિત્સાપિંડ – વૈદ્ય બની ઉલટી જુલાબ, બસ્તિકર્મ વગેરે કરાવીને ઔષધાદિકની પ્રેરણા આપે. ૭ ક્રોધપિંડ – વિદ્યા તપ પ્રભાવ જણાવવા, રાજા તરફથી થતી પૂજા કહેવી. ક્રોધના ફળ બતાવવા ૮ માનપિંડ – લબ્ધિ, પ્રશંસા ન પચાવી શકે તેવો છીછરો – અગંભીર, બીજાએ વખાણકર્યો કે વખોડ્યો હોય, તો પણ ગૃહસ્થ પાસે અભિમાન કરે. ૯ માયાપિંડ – ભિક્ષા મેળવવા માટે જુદા જુદા વેષ-પલટા કે ભાષા-પલટા કરે. ૧૦ લોભપિંડ – અંતિલાલચ કે લોભથી ભિક્ષા માટે રખડે. ૧૧ પૂર્વપશ્ચાત્ સંસ્તવપિંડ – પૂર્વ પરિચયવાળા માતા-પિતા વગેરે અને પાછળથી થએલા પરિચયવાળા સાસુ-સસરા વિગેરે ભિક્ષા માટે એને અનુરૂપ ઓળખાણ કરે. ૧૨ વિદ્યાપિંડ – સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત આધીન મંત્ર, જપ, હોમાદિથી સાધી શકાય તે વિદ્યા. ૧૩ મંત્રપિડ – પાઠ માત્રથી સિદ્ધ થનારા પુરુષદેવતા અધિષ્ઠાયકવાળો મંત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૧૪ ચૂર્ણપિંડ – નેત્રમાં અંજન કરવું. અદૃશ્ય થવું એવા ફળવાળુ ચૂર્ણ. ૧૫ યોગપિંડ – સૌભાગ્ય-દુર્ભાગ્ય કરનારા. પગે લેપ લગાડી વિસ્મય પમાડવો. ૧૬ મૂલકર્મપિંડ – ગર્ભ-સ્તંભન, ગર્ભાદાન, પ્રસૃતિ, સ્નેપનક્રિયા, મૂળ ખવડાવવા કે બાંધવા, રક્ષા દોરા બાંધવા વગેરે કાર્યો ભિક્ષા મેળવવા માટે કરે. ગૃહસ્થ અને સાધુ બન્નેથી થનારા દશ એષણાદોષો આ પ્રમાણેઃ— (૧) શંકિત (૨) પ્રક્ષિત (૩) નિક્ષિપ્ત (૪) પિહિત (૫) સંહત (૬) દાયક, (૭) ઉન્મિશ્ર (૮) અપરિણત, (૯) લિપ્ત (૧૦) છર્દિત એ પ્રમાણે એષણાદોષો દશ છે. (પિ. નં. ૫૨૦) યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧ શંકિત – આધાકર્મ વગેરે દોષોની શંકાથી કલુષિત થઈ જે આહારાદિક ગ્રહણ કરે. જે દોષની શંકા કરે તે દોષ લાગે. ૨ પ્રક્ષિત – પૃથ્વી, પાણી, વનસ્પતિ, સચિત્ત કે મધ, મદિરા આદિ ખરાબ અચિત્ત પદાર્થો લાગેલા કે ખરડાએલા એવા આહાર અન્નાદિ. ૩ નિક્ષિપ્ત – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કે ત્રસત જીવો વિષે જે અચિત્ત અન્ય વગેરે સ્થાપન કરેલ હોય. ૪ પિહિત – સચિત્ત ફળાદિથી ઢાંકેલા. ૫ સંહત દાન આપવાના પાત્રમાંથી નકામું, બળેલું, અયોગ્ય હોય એવું તથા સચિત્ત પૃથ્વી પાણી કે અગ્નિમાં નાંખેલી એવી કડછી વગેરેથી ભોજન વહોરાવે તે - ૬ દાયક બાળક, અતિવૃદ્ધ, નપુંસક, ધ્રુજતો, તાવવાળો અંધ, અહંકારી, ગાંડો, હાથ-પગ છેદાએલ હોય, કેડથી જકડાયેલ, પાદુકા પર ચડેલો, ખાંડતો દળતો, ભુંજતો, કાતરતો, પિંજતો વીંજતો, ભોજન કરતો છ જીવનિકાયની વિરાધના કરતો હોય, તેવા દાતાર સાધુને દાન આપવા માટે નિષેધ કરેલ છે. નજીકમાં પ્રકૃતિ થવાની હોય તે સ્ત્રી, બાળક ઉંચકેલ સ્ત્રી, બાળક ધવાતી સ્ત્રી. આ દરેક પાસેથી ભિક્ષા વગેરે ગ્રહણ કરવું સાધુને કલ્પે નહિ. ૭ ઉન્મિશ્ર આપવા યોગ્ય દ્રવ્ય ખાંડ સાકર વગરે સચિત્ત ધાન્યના દાણાઓથી ભળેલા હોય તે ૮ અપરણિત · આપવા લાયક અચિત્તપણે ન પરિણમેલ હોય, ૯ લિપ્ત – ચરબી વગેરેથી ખરડાયેલા હોય તે પાત્રથી વસ્તુ આપે. ૧૦ છર્દિત – ઘી વગેરે નીચે ઢોળતા આપે. ઘી દૂધ વગેરે નીચે વેરતો હોય.તેવી રીતે આપતા ત્યાં રહેલા કે બીજા આવનારા સર્વ જંતુઓની મધુબિન્દુના ઉદાહરણથી વિરાધના થવાનો સંભવ છે. આવી રીતે ઉદ્ગમ ઉત્પાદન અને એષણાના દોષોનો સરવાળો કરતા બેતાલીશની કુલ સંખ્યા થાય છે, તે દોષોથી અદૂષિત અશન, ખાદ્ય, સ્વાઘ ભેદવાળા અને ઉપલક્ષણથી સૌવીર આદિ પાણી, તથા રજોહરણ, મુખવસ્તિકા, ચોલપટ્ટક, પાત્રા વગેરે સ્થવિકલ્પીને યોગ્ય ચૌદ પ્રકારની ઔઘિક ઉપધિ, જિનકલ્પીને યોગ્ય બાર પ્રકારની ઉપધિ, સાધ્વીને યોગ્ય પચ્ચીશ પ્રકારની અને ઔપગ્રહિક સંથારો, પાટપાટિયાં, પાટલા, ચર્મ, દંડ, દંડાસણ વગેરે ઉપલક્ષણવાળી ગ્રહણ કરાય છે. રજોહરણ આદિ ઔઘોગિક ઉપકરણ. કુંડી, પાટ-પાટલા, શૈય્યા આદિ ઔપગ્રહિક. ઉપકરણ વગર શિયાળા અને ઉનાળામાં તથા વર્ષાકાળમાં વરસાદ આદિથી જળમય ભૂમિમાં મહાવ્રતનું રક્ષણ કરવું અશક્ય છે. આ સર્વે કહેલા દોષ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩૯ ૫૯ વગરના નિર્દોષ વિશુદ્ધ અન્નાદિક મુનિઓ ગ્રહણ કરે, તેના માટે શોધ કરે તે એષણા. આગમમાં કહેલી વિધિથી અન્નાદિકનું અન્વેષણ કરવું. તેને વિષે સમ્યક્ પ્રકારના ઉપયોગપૂર્વક જયણાથી પ્રવર્તવું. તે એષણા-સમિતિ આ ગવેષણારૂપ એષણા. ઉપલક્ષણથી ગ્રાસૈષણા પણ સમજી તેના પાંચ દોષ વર્લ્ડવા ૧ સંયોજન, ૨ પ્રમાણાતિરિક્તતા, ૩ અંગાર, ૪ ધૂમ્ર, ૫. કારણાભાવ, તેમાં સ્વાદ-રસ ધરાવવાના લોભથી ગોચરીમાં રાબડી, ઓસામણાદિ પદાર્થમાં ખાંડ, ઘી વગેરે બીજા પદાર્થો ઉપાશ્રયમાં કે બહાર ભેગા કરવા તે. ૧ સંયોજન દોષ. ધૃતિ, બળ સંયમ તથા મન, વચન અને કાયાના યોગોને હરકત ન આવે તેટલો આહાર ગ્રહણ કરવો. તે આહારનું પ્રમાણ ગણાય. વધારે પ્રમાણમાં આહાર કરવામાં આવે તો ઉલટી, વ્યાધિ કે મૃત્યુ માટે થાય. માટે પ્રમાણ કરતાં વધારે આહાર ન લેવો. લે તો ૨. પ્રમાણાતિરિક્તતા દોષ. સ્વાદવાળું ભોજન કે તે દેનારની પ્રશંસા કરતો ભોજન કરે તો રાગરૂપી અગ્નિ વડે ચારિત્રરૂપ ઈંધણાના અંગારા કરનાર હોવાથી ૩ અંગાર દોષ. આહારની નિંદા કરતો વળી ચારિત્ર ઈંધનને બાળતો ધુમાડાવાળું ચારિત્ર કરતો ૪ ધૂમ્ર દોષ ઉત્પન્ન કરે છે. આટલા કારણે સાધુને ભોજન કરવાનું હોય : ક્ષુધાવેદના સહન કરી શકે નહિ. ભૂખ્યો વૈયાવચ્ચ કરી શકે નહિ. ઈર્યાસમિતિ વિશુદ્ધ પાલન કરવા માટે પ્રેક્ષા-ઉત્પ્રેક્ષા સંયમનું પાલન કરી શકાય નહિ. ક્ષુધાથી પીડા પામેલાનો પ્રબલ જઠરાગ્નિના ઉદયથી પ્રાણહરણ થવાની શંકા થાય. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં સ્થિરતા લાવવા માટે, આ સર્વ ભોજન ક૨વાના કારણો છે. આ કારણો સિવાય ભોજન કરનારને ૫ કારણાભાવ દોષ લાગે છે. કહ્યું છે કે ઃ - - ઉત્પાદન, ઉદ્ગમ, એષણા, ધૂમ્ર, અંગાર, પ્રમાણ, કારણાભાવ, સંયોજના દોષોથી રહિત પિંડને શોધતા મુનિઓને એષણાસમિતિ કહેલી છે ॥ ૩૮ ॥ આદાન-નિક્ષેપ સમિતિ કહે છે— ३९ आसानादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः I गृह्णीयानिक्षिपेद्वायत्सादानसमितिः स्मृता 11 ३९ II અર્થ : આસન વગેરે નજરથી જોઈ અને રજોહરણથી પુંજીને યત્નપૂર્વક જયણાથી લેવા-મૂકવાં તે આદાન-સમિતિ કહેલી છે. ॥ ૩૯ || ટીકાર્થ : બેસવાની ભૂમિ કે પાટ, આદિશબ્દથી વસ્ત્ર, પાત્ર, પાટિયા, દાંડા વગેરે ગ્રહણ કરવા. તે સર્વે આંખથી નજર કરી જોતા જીવ-જંતુ ન દેખાય, તો પણ રજોહરણથી પ્રયત્નપૂર્વક જયણા અને ઉપયોગથી પ્રમાર્જના કરવી જોઈએ.એ પ્રમાણે કરવામાં ન આવે તો સમ્યક્ પ્રતિલેખના ન થાય. કહ્યું છે કે : – પડિલેહણા કરતો માંહેમાંહે વાતો કરે, કથા કે દેશની કથા કરે, પચ્ચક્ખાણ આપે, પોતે વાચના આપે કે લે, તો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ છએ કાયની વિરાધના કરનાર પડિલેહણમાં પ્રમાદ કરનાર કહેલો છે (ઓઘ. નિ. ૨૭૩-૨૭૪) માટે જે કંઈ લે કે મૂકે ત્યારે પ્રથમ દૃષ્ટિથી નજર કરે. પછી ઓઘાથી પ્રમાર્જના કરીને ગ્રહણ કરે તે સ્થાપન કરે, તે આદાન-નિક્ષેપ સમિતિ, ભીમ અને ભીમસેન એ ન્યાયથી ‘આદાન’ એવા ટૂંકા શબ્દનો પ્રયોગ કર્યો છે. II ૩૯ || ઉત્સર્ગસમિતિ કહે છે – Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ४० कफमूत्रमलप्रायं, यत्नाद्यदुत्सृजेत्साधुः ' ૪૦ 11 અર્થ : સાધુ, કફ, મૂત્ર, મલ વગેરે પરઠવવા યોગ્ય પદાર્થોને જીવ-જંતુ રહિત પૃથ્વીતલ ઉપર જયણાથી વિધિપૂર્વક યત્નથી ત્યાગ કરે, તે ઉત્સર્ગ સમિતિ કહેવાય. ॥ ૪૦ ॥ निर्जन्तुजगतीतले सोत्सर्गसमितिर्भवेत् ટીકાર્થ : મુખ અને નાસિકામાંથી નીકળતા કફ, શ્લેષ્મ, મૂત્ર વિષ્ટા, પ્રાયઃશબ્દ ગ્રહણ કરવાથી પરઠવવા યોગ્ય વસ્ત્ર, પાત્ર, ભોજન, પાણી આદિ સમજવા. ત્રસ સ્થાવર જંતુથી રહિત તેમજ પોતે અચિત્ત હોય તેવી પૃથ્વી તેના તલમાં જયણાથી ઉપયોગ પૂર્વક સાધુ ત્યાગ કરે પરઠવે, તે ઉત્સર્ગસમિતિ કહેવાય ॥ ૪૦ || હવે ગુપ્તિઓની વ્યાખ્યા કરતા મનોગુપ્તિ કહે છે— યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ४२ संज्ञादिपरिहारेण ४१ विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै - मनोगुप्तिरुदाहृता 11 ४१ 11 અર્થ : કલ્પનાઓથી રહિત, સમપણામાં સ્થિર અને આત્મિક ગુણોમાં રમણતા કરનારા મનને મનો ગુપ્તિવાન મહાત્માઓએ મનોગુપ્તિ કહી છે ॥ ૪૧ ॥ ટીકાર્થ : અહીં મનોગુપ્તિ ત્રણ પ્રકારવાળી આ પ્રમાણે સમજવી. આર્ત અને રૌદ્ર ધ્યાનની પરંપરા સ્વરૂપ કલ્પનાઓનો વિયોગ થવા રૂપ પ્રથમ શાસ્ત્રાનુસારી, પરલોક સાધી આપનાર ધર્મધ્યાન કરાવનારી માધ્યસ્થ-પરિણિતિ સ્વરૂપ બીજી, કુશળ-અકુશળ મનોવૃત્તિના નિરોધ કરવા પૂર્વક યોગ-નિરોધની અવસ્થા કરનારી આત્મારામતા ત્રીજી, આ ત્રણેને શ્લોકમાં ત્રણ વિશેષણો જણાવીને કહે છે કે, કે આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી આત્માને સમભાવમાં સ્થાપન કરે અને આત્મગુણોમાં રમણતા કરે. આવા પ્રકારનું મન નિશ્ચલ કરે, તે મનોગુપ્તિ કહેવાય ॥ ૪૧ ॥ વાપ્તિ કહે છે— यन्मौनस्यावलम्बनम् 1 वाग्वृतेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥ ४२ 11 અર્થ : હાથની તથા મુખની ચેષ્ટા દ્વારા સંજ્ઞાનો ત્યાગ કરી મૌનપણાનું આલંબન કરવું. અથવા વાચાનો નિરોધ કરવો, તે વાન્ગુપ્તિ કહેવાય ॥ ૪૨ || — ટીકાર્થ : સંજ્ઞા એટલે મુખ, નેત્ર, ભવાં ચડાવવાં, આંગળી બતાવવી, ચપટી વગાડવી, સામાને સૂચન થાય તેવી ચેષ્ટા કરવી. આદિ શબ્દ કહેવાથી કાંકરો ફેંકવો, મોટેથી ઉધરસ ખાવી. હુંકાર કરવો, આવી સંજ્ઞાઓનો ત્યાગ કરી જે બોલવાપણું બંધ કરવું. મૌન રહેવું તેનો અભિગ્રહ કરવો સંજ્ઞાદિથી પ્રયોજન જણાવે તો એ મૌન નિષ્ફળ ગણાય. આ એક વાગ્ગુપ્તિ આગમ સૂત્રાદિની વાચના આપવી કે તે સંબંધી શંકા પૂછવી. પૂછેલાનો જવાબ આપવામાં લોક અને આગમનો વિરોધ ન આવે તેવી રીતે મુખવસ્તિકા મુખ પાસે રાખી બોલનારને વાણીનું નિયંત્રણ થતું હોવાથી બીજી વાગ્ગુપ્તિ આ બંને ભેદો વ સર્વથા વાણીનો નિરોધ વાન્ગુપ્તિથી કરવો-એ સ્વરૂપ પ્રતિપાદન કર્યું. ભાષા સમિતિમાં તો સમ્યક્ પ્રકારે બોલવું. સમ્યક્ પ્રકારે વાણીની પ્રવૃત્તિ કરવી. આમ વાગ્ગુપ્તિ ભાષાસમિતિ બંનેમાં ફરક છે. કહ્યું છે : Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૪૦-૪૪ કે, “સમિતિવાળો નક્કી ગુપ્તિવાળો છે. ગુપ્તિવાળો સમિતિ વિષે ભજનાવાળો છે. કુશલ વાણીને બોલતો વાગુપ્તિવાળો એ ભાષા સમિતિવાળો પણ છે. (બુ. ક. મા. ૪૪૫૧) ૪૨ | કાયગુપ્તિ બે પ્રકારની છે. એક ચેષ્ટા વિનાની અને બીજી નિયમિત ચેષ્ટાવાળી, તેમાં પહેલી જણાવે છે. ४३ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥.. ४३ ॥ અર્થ : કાર્યોત્સર્ગવાળો મુનિ ઉપસર્ગના પ્રસંગમાં પણ શરીરની નિશ્ચલતા રાખે, તે કાયગુપ્તિ કહેવાય. || ૪૩ // ટીકાર્થ : દેવતાઓએ, મનુષ્યોએ અને તિર્યંચોએ કરેલા ઉપદ્રવો તેમજ ઉપલક્ષણથી સુધા, તૃષા વગેરે પરિષહોના પ્રસંગમાં અપિ શબ્દથી તેના અભાવના પ્રસંગમાં પણ મુનિની કાયાનો ત્યાગ, કાયાની નિરપેક્ષતા સ્વરૂપ કાયોત્સર્ગ તેની નિશ્ચલતા અથવા યોગ-નિરોધ કરે ત્યારે સર્વથા શરીરચેષ્ટાનો ત્યાગ, તે કાયગુપ્તિ || ૪૩ . બીજી કાયગુપ્તિ કહે છે– ४४ शयनाऽऽसननिक्षेपाऽऽदानचक्रमणेषु यः । સ્થાનેy ચેષ્ટનિયમ:, ચિતિંતુ સાડા ૪૪ . અર્થ : સુવું, બેસવું, મૂકવું, લેવું, ચાલવું આ કાર્યોમાં ચેષ્ટામાં નિયમિત બનવું. સ્વચ્છંદવૃત્તિનો ત્યાગ કરવો, તે બીજા પ્રકારની કામગુપ્તિ છે. તે ૪૪ || ટીકાર્ય : આગમમાં કહેલો નિદ્રાકાળ રાત્રે જ છે. સાધુને મુખ્યતાએ દિવસે શયન કરવાનું ન હોય. માંદગી, વિહારનો થાક, વૃદ્ધપણું આદિ કારણ સિવાય તેમાં પણ રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી ગુરુને પૂછીને પ્રમાણવાળી જગ્યામાં નજર કરી ભૂમિને પુંજીને સંથારો અને ઉત્તરપટ્ટો ખોલીને તથા પાથરીને ઉપરની કાયાને મુખવસ્ત્રિકાથી અને પગ સહિત નીચેની કાયાને રજોહરણથી પ્રાર્થના કરીને સંથારો કરવા માટે ગુરુની રજા લઈને નમસ્કારમંત્ર અને “કરેમિ ભંતે’ સામાયિકસૂત્રનું પઠન કરીને, ડાબા હાથનું ઓશીકું કરી, પગ સંકોચી અથવા કૂકડી માફક આકાશમાં પસારેલ જંઘાવાળો, પ્રાર્થના કરેલી ભૂમિ પર સ્થાપન કરેલ ચરણવાળો, વળી ફરી સંકોચ કરવાના સમયે રજોહરણની દશિયોથી પ્રાર્થના કરનારો પડખા ફેરવતી વખતે મુખવસ્ત્રિકાથી કાયાને પ્રમાર્જતો, અતિ તીવ્ર નિદ્રા ન કરતો શયન કરે. પ્રમાણયુક્ત વસતિ, તે ત્રણ હાથ પ્રમાણવાળા ભૂમિપ્રદેશમાં દરેક સાધુને પોતાના પાત્રાદિક ઉપકરણો જ્યાં રહેવાનું થાય અને સકલ અવકાશ તેમાં પુરાઈ જાય. આસન એટલે જે સ્થાનમાં બેસવાની ઈચ્છા કરે, તેને ચક્ષુથી નિરીક્ષણ કરી. રજોહરણથી પ્રાર્થના કરી બહારનું રજોહરણ સંબંધી નિશીથિયું. પાથરી બેસે બેઠા પછી પણ પગ લાંબા કરવા કે સંકોચવા હોય તો આગળ કહ્યા પ્રમાણે નિરીક્ષણ પ્રમાર્જના કરે. ચોમાસાના કાળમાં સાદડી, દર્ભાસન, પાટ વગરે ઉપર કહેલી સમાચારીથી બેસે દાંડા વગેરે ઉપકરણના વિષયમાં પણ નજર કરવી અને પ્રમાર્જના કરવી. જરૂરી કાર્ય માટે સાધુને બહાર ગમન કરવું હોય તો, આગળ ધુંસરા-પ્રમાણ પ્રદેશમાં દષ્ટિ સ્થાપન કરવી. અપ્રમત્તપણે ત્રસ અને સ્થાવર જીવોનું રક્ષણ કરતાં ઉતાવળ વગર ધીમી ગતિથી ચાલવું પ્રશસ્ત છે. કાઉસ્સગ્ન કરીને ઊભા રહેવાના કે ટેકો દઈને બેસવાના સ્થાને પહેલા નજરથી પડિલહેણા અને દંડાસણથી પ્રાર્થના કરેલી હોવી જોઈએ. આ સર્વેમાં ચેષ્ટાનો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૨ નિયમ, સ્વચ્છંદ—ચેષ્ટાનો ત્યાગ તે બીજા પ્રકારની કાયગુપ્તિ ॥ ૪૪ ॥ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું આગમપ્રસિદ્ધ માતાપણું બતાવે છે— ४५ एताश्चारित्रगात्रस्य, जननात्परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ ४५ I અર્થ : આ ઉપર્યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્રરૂપ શરીરને ઉત્પન્ન કરનાર, પાલ કરનાર અને સમ્યગ્ રીતે શુદ્ધકરનાર હોવાથી તે આઠેયને પ્રવચનમાતાની ઉપમા આપી છે. ॥ ૪૫ | ટીકાર્થ : આ સમિતિ તથા ગુપ્તિઓને શાસ્ત્રમાં આઠ માતાઓ કહેલી છે. માતાપણાના હેતુ જણાવતા કહે છે કે, સાધુઓને ચારિત્ર એ જ શરીર છે. તે ચારિત્ર-શરીરને જન્મ આપનાર હોવાથ ચારિત્ર-શરીરનો જન્મ થયા પછી સર્વ ઉપદ્રવોનું નિવારણ કરી પાલન કરનાર હોવાથી તેમજ પોષ કરી ચારિત્ર-શરીરને વધારનાર હોવાથી ચારિત્રગાત્ર અતિચારથી માલિન થાય તો તેને સાફ રાખી નિર્મ કરનાર હોવાથી આ અષ્ટ પ્રવચનમાતાઓ છે ॥ ૪૫ ॥ ચારિત્રની વ્યાખ્યા કરી ઉપસંહાર કરે છે - ४६ सर्वात्मना यतीन्द्राणा - मेतच्चारित्रमीरितम् યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 1 यतिधर्मानुरक्तानां, देशतः स्यादगारिणाम् ॥ ४६ 11 અર્થ : સર્વ સાવધયોગની વિરતિ સ્વરૂપ ઉપર વર્ણવેલ ચારિત્ર, તે ઉત્તમ મુનિવરોને કહેલું છે અને યતિધર્મ તરફ અત્યંત અનુરાગવાળા ગૃહસ્થોને દેશથી દેશવિરતિ ચારિત્ર હોય છે. II ૪૬ II ટીકાર્થ : સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારવાળું ચારિત્ર છે. સર્વ સાવધ વ્યાપારનો સર્વપ્રકા ત્યાગ કરવો. તે સર્વવિરતિ ચારિત્ર મૂળગુણ અને ઉત્તરગુણ સહિત ઉત્તમ સાધુ ભગવંતોને હોય છે દેશચારિત્રના અધિકારી કોણ ગણાય ? તે જણાવતા કહે છે કે, ગૃહસ્થોને દેશ ચારિત્ર હોય છે. ગૃહસ્થ કેવા હોય ? સંઘણયાદિ દોષથી સર્વવિરતિ ન કરી શકતા હોવા છતાં સર્વવિરતિ ચારિત્રમાં અત્યં અનુરાગવાળા હોય છે. કહ્યું છે કે - દેશવિરતિ–પરિણામવાળો શ્રાવક સર્વવિરતિની અભિલાષાવાળો જ હોય. યતિધર્મના અનુરાગ વગરના ગૃહસ્થ શ્રાવકોને કદાચ શ્રાવકના વ્રતો હોય, તો પણ તેનું શ્રાવકપ બરાબર નથી. ॥ ૪૬ || દેશવિરતિ ચારિત્રમાં જેવા પ્રકારનો ગૃહસ્થ ધર્માધિકારી બની શકે તે બતાવવા માટે તાહિ કહીને પ્રસ્તાવના કરે છે– ४७ न्यायसम्पन्नविभवः १ शिष्टाचारप्रशंसक : २ 1 कृतोद्वाहोऽन्यगोत्रजै: ३ II ४७ II कुलशीलसमैः सार्द्धं पापभीरु : ४ प्रसिद्धं च देशाचारं समाचरन्५ । अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ६ ॥ ४८ 11 ४९ अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ७ ॥ ૪૧ ॥ ४८ 7 Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૪૫-૫૬ । ॥ ૬૦ । ॥ ५१ ॥ । ॥ ક્ર્ ॥ 1 ५० कृतसङ्गः सदाचारै८ र्मातापित्रोश्च पूजकः ९ त्यजन्नुपप्लुतं स्थान१० मप्रवृतश्च गर्हिते ११ व्ययमायोचितं कुर्वन्१२ वेषं वित्तानुसारतः १३ अष्टभिर्धीगुणैर्युक्तः १४ शृण्वानो धर्ममन्वहम् १५ अजीर्णे भोजनत्यागी१६ काले भोक्ता च सात्म्यतः १७ अन्योऽन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् १८ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् १९ सदाऽनभिनिविष्टश्च २० पक्षपाती गुणेषु च२१ ॥ ५३ " अदेशाकालयोश्चर्यां, २२ त्यजन् जानन् बलाबलम्२३ । વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાનાં, પૂન:૨૪ પોષ્યપોષ:૨ ॥ ૪ ॥ दीर्घदर्शी २६ विशेषज्ञः २७ कृतज्ञो२८ लोकवल्लभः २९ । सलज्जः ३० सदयः ३१ सौम्यः ३२ परोपकृतिकर्मठः ३३ ॥ ५५ ॥ अन्तरङ्गारिषड्वर्ग-परिहारपरायणः ३४ वशीकृतेन्द्रियग्रामो, ३५ गृहिधर्माय कल्पते ॥ ૬ ॥ ॥ કૃતિ પ્રથમ પ્રાશઃ || અર્થ : જે (૧) ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનવાળો હોય, (૨) શિષ્ટ પુરુષોના આચારની પ્રશંસા કરનારો, (૩) કુલ તથા શીલથી સમાન અને અન્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે વિવાહ કરનારો હોય, (૪) પાપભીરું, (૫) પ્રખ્યાત એવા દેશાચારનું પાલન કરનારો, (૬) રાજા-મંત્રી આદિ કોઈનો પણ અવર્ણવાદ નહિ કરનારો, (૭) અતિ સ્પષ્ટ કે અતિ ગુપ્ત દોષથી વર્જિત, સુંદર પાડોશીઓથી યુક્ત અને પરિમિત દ્વારથી સુરક્ષિત એવા સ્થાનમાં રહેલા ઘરમાં રહેનારો, (૮) સદાચારી પુરુષોની સાથે મિત્રતા કરનારો, (૯) માતા-પિતાનો પૂજક, (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનારો, (૧૧) નિંઘ કાર્યોનો પરિત્યાગ કરનારો, (૧૨) ધનની પ્રાપ્તિ થાય તે પ્રમાણે ધનનો વ્યય કરનારો, (૧૩) ધનને અનુસારે વેષને ધારણ કરનારો, (૧૪) બુદ્ધિના આઠ ગુણથીયુક્ત, (૧૫) સદાકાળ ધર્મનું શ્રવણકરનારો, (૧૬) અજીર્ણના રોગમાં ભોજનનો ત્યાગી, (૧૭) યોગ્ય કાળે પરિમિત ભોજન કરનારો, (૧૮) એકબીજાને બાધા ન થાય તેમ અર્થાદિ ત્રણેય પુરુષાર્થને સાધનારો, (૧૯) અતિથિ, સાધુ અને દરિદ્રજનની યથોચિત ભક્તિ કરનારો, (૨૦) સદાકાળ કદાગ્રહથી રહિત, (૨૧) ગુણોનો પક્ષપાતી, (૨૨) અદેશ અને અકાળની ચર્યાનો ત્યાગ કરનારો, (૨૩) બલાબલનો જ્ઞાતા, (૨૪) સદાચારી અને વિશેષજ્ઞાની એવા પુરુષોનો પૂજક, (૨૫) સ્ત્રી-પુત્ર-આદિ પરિવારનું પોષણ કરનારો, (૨૬) દીર્ઘ (ભાવિ) કાળને જોનારો, (૨૭) વિશેષજ્ઞ, (૨૮) કૃતજ્ઞ, (૨૯) લોકમાં પ્રિય, (૩૦) લજ્જાળુ, (૩૧) દયાળુ, (૩૨) સૌમ્ય સ્વભાવવાળો, (૩૩) પરોપકારમાં પરાયણ, (૩૪) કામ-ક્રોધાદિષટ્ આંતરશત્રુઓનો વિનાશ કરવામાં તત્પર અને (૩૫) ५१ ५२ ५३ ५४ ५५ ५६ ૬૩ "I Page #115 -------------------------------------------------------------------------- ________________ ६४ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પાંચેય ઈન્દ્રિયોને કાબુમાં રાખનારો હોય તે આત્મા જ ગૃહસ્થધર્મને આદરવા માટે યોગ્ય રહ્યો છે. / ૪૭ થી પ૬ || ટીકાર્થઃ (૧) ન્યાયસંપન્ન-વૈભવ – સ્વામિદ્રોહ, મિત્રદોહ, વિશ્વાસુનો વિશ્વાસઘાત તથા ચોરી વગેરે નિંદનીય અપાયોનો ત્યાગ કરી ધન ઉપાર્જન કરવાના કારણભૂત, પોતપોતાના વર્ણને બંધ બેસતા સદાચાર અને ન્યાયથી ઉપાર્જન કરેલ વૈભવવાળો, આ લોકમાં હિતકારી બને છે. કોઈને શંકા ન થાય તે રીતે પોતાના શરીરથી તેના ફળને ભોગવનાર બને છે અને મિત્રો તથા સ્વજનોમાં પણ યથાયોગ્ય વહેંચણી કરી શકે છે. કહેવું છે કે – “પોતાના કર્મ અને બલથી ગર્વિત ધીર પુરુષો દરેક સ્થળે પવિત્ર અને નિઃશંક હોય છે, ખરાબ કાર્ય કરનાર અને પોતાના આત્માને કુકર્મથી મલિન કરનાર પાપીઓ દરેક સ્થાનમાં શંકાવાળા હોય છે.” પરલોકના હિત માટે સાત ક્ષેત્રરૂપ સત્પાત્રમાં પોતાના ન્યાયવાળા ધનનો વિનિયોગ કરવાથી તથા દીન, અનાથાદિકને અનુકંપાથી આપવાથી, અન્યાયથી એકઠા કરેલ ધનથી તો બંને લોકોનું અહિત જ થાય છે. લોક-વિરુદ્ધ કાર્ય કરનારાઓને આ લોકમાં વધ, બંધન, અપકીર્તિ અને પરલોકમાં તેવા પાપથી નરકાદિક દુર્ગતિમાં ગમન કરવું પડે છે. જો કે કોઈકને પાપાનુબંધી પુણ્ય કર્મના યોગે આ લોકમાં વિપત્તિ ન દેખાય, તો પણ ભાવી કાળ કે ભવમાં તે નક્કી વિપત્તિ પામવાનો જ. કહ્યું છે કે – “અર્થમાં રાગાન્ધ બનેલો પ્રાણી પાપ કરીને કોઈ વખત ફળ પ્રાપ્ત કરે છે, પરંતુ કાંટામાં પરોવેલ માંસ માફક તેનો નાશ કર્યા વગર તે પાપનો અંત આવતો નથી.” માટે ન્યાય જ પરમાર્થથી ધન ઉપાર્જન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જે માટે કહ્યું છે કે – “હવાડા તરફ જેમ દેડકાઓ, પૂર્ણ સરોવર તરફ પક્ષીઓ જાય, તેમ શુભકર્મવાળા તરફ સર્વ સંપત્તિઓ વશ થઈને ચાલી આવે છે.” ગૃહસ્થોને વૈભવ એ પ્રધાન કારણ હોવાથી પ્રથમ ન્યાયસંપન્નવૈભવ નામનો ગુણ જણાવ્યો. તથા (૨) શિષ્ટાચાર-પ્રશંસક – વ્રત-તપ કરનાર જ્ઞાનવૃદ્ધની સેવા કરતાં પ્રાપ્ત કરેલ વિશુદ્ધ શિખામણવાળો શિષ્ટ પુષવિશેષ, તેનું સુંદર વર્તન-જેમ કે :-“લોકના અપવાદથી ડરનારો, દીન દુ:ખીના ઉદ્ધાર કરવામાં આદરવાળી, કરેલા ગુણનો જાણનાર, સારા દાક્ષિણ્ય ગુણવાળો” (યોગબિન્દુ ૧૨૬) આ સર્વને સદાચારવાળા કહેલા છે. તેની પ્રશંસા કરનાર. જેમ કે - “આપત્તિ-સમયે ઉત્તમ સ્થાનને ન છોડવું. મહાપુરુષોને અનુસરવું. દરેકને પ્રિય અને પ્રામાણિક વૃત્તિથી જીવન-નિર્વાહ કરવો, પ્રાણોના ત્યાગ પ્રસંગે પણ નિંદનીય કાર્ય ન કરવું. દર્જન પાસે કદાપિ પ્રાર્થના ન કરવી, મિત્રો પાસે લગાર પણ ધન ન માંગવું. દુ:ખે કરી નિર્વાહ કરી શકાય તેવા પ્રકારનું અસિધારા પર ચાલવા સરખું આ વ્રત સજ્જન પુરુષોને કોણે શીખવ્યું હશે ?” તથા (૩) સમાન કુલ અને શીલવાળા સાથે વિવાહ – પિતા, દાદા આદિ પૂર્વ પુરુષોના વંશ તે કુલ અને મઘ માંસ-રાત્રિભોજનાદિના ત્યાગરૂપ શીલ-રૂપ સરખા આચાર તે સમાન કુલ-શીલ કહેવાય. તેવા પ્રકારના એક પુરૂષથી થએલ વંશ તેમાં જન્મેલા એક ગોત્રવાળા કહેવાય, તેથી ભિન્ન અન્ય ગોત્રવાળા સાથે વિવાહ કરવો. અગ્નિ દેવતાદિકની સાક્ષીએ પાણિગ્રહણ કરવું. તે વિવાહ કહેવાય. લોકમાં તે આઠ પ્રકારનો કહેલો છે. ૧. વસ્ત્રાભૂષણથી શણગાર સજાવટ કરી કન્યાદાન કરવું તે બ્રાહ્ય નામનો વિવાહ. ૨. વૈભવનો વિનિયોગ કરી કન્યાદાન થાય, તે પ્રજાપત્ય ૩. ગાય, બળદના દાનપૂર્વકના આર્ય, ૪ યજ્ઞ કરવા માટે યજ્ઞક્રિયા કરાવનારને દક્ષિણામાં કન્યાદાન અપાય તે દૈવ. આ ચાર ધર્મે વિવાહ કહેવાય. ૫. માતા-પિતા કે ભાઈઓની રજા સિવાય પરસ્પરના અનુરાગથી માહોમાંહે સંબંધ કરવો તે ગાંધર્વવિવાહ. ૬. શરતથી બંધનમાં આવી કન્યાપ્રદાન કરવું તે આસુરવિવાહ૭. બળાત્કારે કન્યા ગ્રહણ કરવી તે Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.પ૬ ૬૫ રાક્ષસ વિવાહ. ૮. સૂતેલી કે પ્રમત્તદશામાં કન્યાને ગ્રહણ કરવી તે પિશાચવિવાહ. આ પાછળના ચારે અધાર્મિક વિવાહ છે. જો વર અને કન્યા બંને પરસ્પર રાજીખુશી હોય તો, અધાર્મિક વિવાહ પણ ધાર્મિક બની જાય છે. શુદ્ધ સ્ત્રીના લાભ-ફળવાળો વિવાહ છે. અશુદ્ધ ભાર્યાદિના યોગમાં નરક જ મળે છે. વધુનું રક્ષણ કરનાર, સુંદર પુત્રોની સંતતિ, અખંડ ચિત્તની શાંતિ, ઘરના કાર્યોની સંભાળ કરે, ઉત્તમકુળના આચારની વિશુદ્ધતા જાળવે, દેવ, ગુરુ અતિથિ, બાંધવો, સગા-વ્હાલા, મિત્રો આદિનો રૂડી રીતે સત્કાર કરે. આ શુદ્ધ કલત્રના ફળો છે. વધુને રક્ષણ કરવાના ઉપાયો જણાવે છે–૧ ઘરના કાર્યોમાં જોડી દેવી. ૨. પ્રમાણોપેત ધન સોંપવું. ૩. સ્વતંત્રતા ન આપવી. ૪. માતા તુલ્ય સ્ત્રીલોક વચ્ચે રાખવી. (૪) પાપભીરૂ - દેખાતાં અને ન દેખાતાં નુકશાન કરનાર પાપકાર્યો, તેથી ડરનાર, તેમાં ચોરી પરદારી (જારી), જુગાર રમવો વગેરે આ લોકમાં પણ દેખીતા નુકસાન કરનાર સકલ લોકમાં પ્રસિદ્ધ પાપો છે. વળી, અનેક દુન્યવી વિડંબના પમાડનાર પ્રત્યક્ષ કારણો છે. મદ્યપાન કરવું, માંસાહાર કરવો વગેરેથી નરકમાં જવું પડે છે અને ત્યાંની પારાવાર વેદના ભોગવવાની શાસ્ત્રમાં પણ કહેલ છે. એ પરોક્ષ નુકશાનના કારણો સમજવાં. (૫) પ્રસિદ્ધ દેશાચાર પાળવા – તથા પ્રકારના બીજા શિષ્ટપુરુષોને માન્ય અને ઘણા કાળથી રૂઢીથી ચાલ્યા આવતા દેશના ભોજન, કપડાં પહેરવા વગેરે વિવિધ ક્રિયાત્મક સમગ્ર જ્ઞાતિ મંડળનો રીત-રિવાજ સમ્યન્ રીતે આચરતો હોય. તે દેશ કે જ્ઞાતિના આચારનું ઉલ્લંઘન કરવાથી તે દેશ કે જ્ઞાતિના લોકોનો વિરોધ થવાથી અકલ્યાણ પ્રાપ્ત થાય. (૬) ન અવર્ણવાદી – કોઈનો પણ અવર્ણવાદ ન બોલવો , પછી ભલેને જધન્ય મધ્યમ કે ઉત્તમ હોય. પારકા (બીજાના) અવર્ણવાદ–નિંદા કરવામાં ઘણાં દોષો છેઃ- પારકાની નિંદા અને પોતાની પ્રશંસા કરવાથી નીચગોત્ર બંધાય છે – જે દરેક ભવમાં ઉદય આવે છે અને કરોડો ભવે પણ તે નીચગોત્ર છૂટી શકતું નથી. (પ્રથમ. ૧૦૦) આ પ્રમાણે સકલ લોક સંબંધી અવર્ણવાદ નુકશાન કરે છે, તો પછી રાજા પ્રધાન, પુરોહિત વગેરે ઘણા લોકોને માન્ય એવા આગેવાન પુરુષના અવર્ણવાદનો વિશેષ પ્રકારે ત્યાગ કરવો. રાજાદિકનો અર્વણવાદ કરવાથી ધન અને પ્રાણોનો નાશ થાય છે. (૭) રહેઠાણ સ્થાન કેવું હોવું જોઈએ ? :- અનેક પ્રવેશ અને નિર્ગમન દ્વારોથી રહિત ઘર હોય. મકાનમાં વધારે જવા આવવાના દરવાજા હોય તો, આપણી જાણ બહાર દુષ્ટ લોકો આવી, સ્ત્રી, ધન વગેરેનો વિનાશ કરે. અનેક કારનો નિષેધ કહીને વિધિ જણાવે છે કે, ગૃહસ્થ નિયમિત ઓછા દ્વારવાળા સુરક્ષિત ઘરવાળા બનવું, તેવા પ્રકારનું ઘર પણ યોગ્ય સ્થાનમાં વસાવવું, પણ અસ્થાનમાં વસાવવું નહિ. જે સ્થાનમાં હાડકાં વગેરે શલ્ય હોય તેવા સ્થાનથી રહિત તેમજ ઘણી ધ્રો, ઘા, પ્રવાલ, છોડવા, પ્રશસ્ત વનસ્પતિ ઉગતી હોય. સારા વર્ણ એ ગંધયુક્ત મટોડોવાળી હોય તથા જ્યાં સ્વાદવાળું પાણી નીકળતું હોય. નિધાનવાળી જગ્યાને સારા સ્થાનમાં ગણી છે. સ્થાનના ગુણ-દોષો શકુન સ્વપ્ન અને તે વિષયનાં શાસ્ત્રો વગેરે નિમિત્તના બલથી જાણી શકાય છે. સ્થાનને વિશેષ પ્રકારે વર્ણવે છે. અતિપ્રગટ કે અતિગુપ્ત ન હોય. બહુ પ્રગટ હોય તો, આસપાસ નજીકમાં બીજા ઘર ન હોવાથી ચારે બાજુ ખુલ્લું હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે. બહુગુપ્ત હોય તો ચારે બાજુ બીજા ઘરોથી ઘેરાઈ જાય તો, પોતાના ઘરની શોભા ન દેખાય. આગ લાગે તો મુશ્કેલથી બહાર નીકળાય. સ્થાન કેવું હોય ? સારા વર્તાવવાળા પાડોશીનો જ્યાં વાસ હોય. ખરાબ આચારવાળા પાડોશી હોય તો તેનો વાર્તાલાપ સાંભળી તેની ચેષ્ટાઓ દેખી ગુણવાળાઓના પણ ગુણોની હાનિ થાય. શાસ્ત્રમાં ખરાબ પડોશીયો આ પ્રમાણે જણાવેલ છેઃ- વેશ્યા, Page #117 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ દાસી, નપુંસક, તાલાચર, શ્રમણ, બ્રાહ્મણ, ચાંડાલ, જાળ નાંખનાર, શિકાર કરનાર, ગારૂડી, અંત્યજ (હરિજન), ભીલ, માછીમાર વગેરેનો પાડોશ ન કરવો (ઓ. નિ. ૭૬૭) (2) સદાચારી સાથે સોબત - આ લોક અને પરલોકમાં હિતકારી પ્રવૃત્તિ કરનાર સાથે સોબત કરવી. પરંતુ ખલ, ઠગારા, જાર, ભાટ સૈનિક, ભાંડ-ભવાયા, નટ આદિની સાથે સોબત કરવાથી શીલ હોય તે પણ વિનાશ પામે છે. કહ્યું છે કે – “જો સજ્જન પુરૂષોનો સમાગમ કરીશ, તો તારો ભવિષ્યકાળ સુધરી જશે અને જો દુર્જન સાથે સોબત કરીશ, તો તારૂં પતન થશે, સંગ એ સર્વપ્રકારે ત્યાગ કરવા લાયક છે, પરંતુ તે ત્યાગ કરવા સમર્થ ન બની શકે તો સજ્જન સાથે કરજે, કારણકે સંગનું ઔષધ સંતપુરૂષો છે.” (૯) માતા-પિતાનો પૂજક - ત્રણે સંધ્યા સમયે માતા-પિતાને પ્રણામ કરી પૂજા કરનાર, તેમજ તેમને પરલોકના હિતકારી ધર્માનુષ્ઠાનમાં જોડનાર, તથા દરેક કાર્યમાં તેમની આજ્ઞાથી પ્રવૃત્તિ કરનાર, સારા વર્ણ અને ગંધવાળા પુષ્પ, ફળાદિક તેમને આપ્યા પછી પોતે વાપરનાર તથા તેમને જમાડી જમનાર હોય. તેમ ન કરે તો અનુચિત ગણાય. માતા વધારે પૂજનીય હોવાથી પિતા-માતા એમ ન કહેતા “માતાપિતા” એમ કહીને માતાને પ્રથમ સ્થાપન કરેલ છે. મનુસ્મૃતિમાં કહ્યું છે – દશ ઉપાધ્યાય બરાબર એક આચાર્ય, સો આચાર્ય બરાબર એક પિતા, હજાર પિતા બરાબર એક માતા, તે ગૌરવથી વધી જાય છે.” (મનુ ૨/૧૪૫). (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ – પોતાના કે શત્રુરાજાનો ભય હોય, દુકાળ, મરકી રોગ લોકોનો વિરોધ થવાથી સ્થાન, ગામ, નગર અશાંતિવાળું બની ગયું હોય, તો તેવા ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, તેવા સ્થાનનો ત્યાગ ન કરે તો પહેલા ઉપાર્જન કરેલ ધર્મ, અર્થ અને કામ વિનાશ પામે છે અને નવીન ઉપાર્જન ન કરવાથી બંને લોક બગડે છે. (૧૧) નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર - દેશ જાતિ, કુલની અપેક્ષાએ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ના કરનાર, દેશ-ગહિત જેમ કે સૌવીરદેશમાં ખેતી અને લાટદેશમાં મદિરા પાન ખરાબ ગણાય. જાતિની અપેક્ષાએ જેમ બ્રાહ્મણ સુરાપાન કરે. તલ, લવણ આદિનો વેપાર કરે. કુલની અપેક્ષા જેમ ચૌલુક્ય વંશમાં મદિરા પાનરૂપ નિંદનીય કાર્ય કરનાર બીજા સારાં ધાર્મિક કાર્યો કરે, તો પણ લોકોમાં હાંસીપાત્ર બને છે, તથા– (૧૨) આવક અનુસાર ખર્ચ કરનાર :- પોષણ કરવા યોગ્ય આશ્રિતોનું ભરણ-પોષણ પોતાનો ભોગવટો, દેવતા અને અતિથિના પૂજન-સત્કારમાં દ્રવ્યનો ખર્ચ કરવો તે વ્યય, ખેતી, પશુપાલન, વેપાર, ખર્ચ, નોકરી, વગેરેથી જે દ્રવ્ય-પ્રાપ્તિ થાય. તેને અનુરૂપ ખર્ચ પકરવો. કહ્યું છે કે– “વેપારાદિકમાં જે કમાણી થાય તેને અનુસારે દાન કરવું, ઉચિત ભોગવવું અને ઉચિત રકમ બચાવીને અનામતરૂપ નિધિ કરે. કેટલાકો કમાણીના અનુસારે ચોથો ભાગ વ્યય કરવા કહે છે (પંચ સૂ.૨) તે આ પ્રમાણે – “આવકમાંથી ચોથો ભાગ ભંડારમાં, ચોથો ભાગ વ્યાજ કે વેપારમાં, ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમાં અને ચોથો ભાગ ભરણ-પોષણ કરવા યોગ્યના પોષણમાં વહેંચી નાંખે.” વળી કેટલાક કહે છે કે, “આવક થઈ હોય તેમાંથી અર્ધ ઉપરાંત ધર્મમાં વાપરવું. બાકી વધેલાથી પ્રયત્નપૂર્વક તુચ્છ એવા આલોકના કાર્યમાં વાપરે. આવકથી જો અનુચિત રીતે ખર્ચ વધારે કરવામાં આવે, તો રોગ જેમ શરીરને દુર્બળ બનાવે છે. તેમ સમગ્ર વૈભવ પણ બધા વ્યવહાર માટે પુરુષને અસમર્થ બનાવે છે. કહેવું છે કે- “આવક અને ખર્ચનો હિસાબ ગણ્યા વગર જે કુબેરની માફક મોટો ખર્ચ રાખે છે, તે અહીં ટૂંકા કાળમાં ખરેખર ભીખ માંગનાર થાય છે” તથા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પ્રથમ પ્રકાશ, શ્લો.૫૬ (૧૩) સંપત્તિ અનુસાર વેષ રાખનાર :- વસ્ત્ર, અલંકાર આદિનો ભોગવટો ધન, વય, અવસ્થા, દેશ, કાળ, જાતિ આદિના અનુસાર કરવો. વૈભવ અનુસાર વેષ ન ધારણ કરનાર લોકોમાં હાંસીપાત્ર થાય છે. તેની તુચ્છતા, તેણે અન્યાય કર્યો હશે એવી સંભાવના થાય વગેરે દોષો છે અથવા ખર્ચ આવક પ્રમાણે વેષ, વૈભવ અનુસાર કરતો, એવો બીજો અર્થ કરવો આવક થતી હોવા છતાં જે કંજુસાઈથી ખર્ચે નહિ. વૈભવ હોવા છતાં ખરાબ વસ્ત્ર પહેરતો હોય તે લોકોમાં નિંદાપાત્ર બની ધર્મમાં પણ અધિકારી ન બને. (૧૪) બુદ્ધિના આઠ ગુણવાળો - સુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણવાળો હોય. તે ગુણો આ પ્રમાણે–૧. શાસ્ત્ર સાંભળવવાની અભિલાષા. ૨. શ્રવણ કરવું. ૩. શ્રવણ કરી ગ્રહણ કરવું. ૪. ભૂલી ન જતાં તેને ધારણ કરી રાખવું. ૫. જાણેલા અર્થના આધારે બીજા અર્થનો તર્ક કરવો. ૬. અપોહ એટલે ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ અર્થવાળા હિંસાદિક આત્માને નુકશાન કરનારની સંભાવનાથી પાછા હઠવું. અથવા ઊહ-સામાન્યજ્ઞાન અને અપોહ વિશેષજ્ઞાન, ૭. અર્થ-વિજ્ઞાન એટલે ઊહાપોહના યોગથી મોહ અને સંદેહ દૂર થાય તેથી સમ્યજ્ઞાન પ્રગટ થાય. ૮. તત્ત્વ જ્ઞાન એટલે ઊહ-અપોહના વિશેષ પ્રકારના જ્ઞાનથી વિશુદ્ધિવાળું નિશ્ચયજ્ઞાન– આ આમ જ છે. એવો જ નિશ્ચય શુશ્રુષાદિ ગુણો વડે જેણે બુદ્ધિપ્રકર્ષ પ્રાપ્ત કર્યો હોય, તેવો પુરૂષ કદાપિ અકલ્યાણ ન પામે, આ આઠ બુદ્ધિગુણો યથાસંભવ દેખવા. (૧૫) દરરોજ ધર્મ શ્રવણ કરનાર :- અભ્યદય અને મોક્ષના કારણ સ્વરૂપ ધર્મને હંમેશા શ્રવણ કરવામાં તત્પર, ધર્મનું શ્રવણ કરનાર મનની અશાંતિ દૂર કરી આનંદનો અનુભવ કરે છે. કહ્યું છે કે, ધર્મ-વ્યાખ્યાન શ્રવણ, ઉપયોગી સુભાષિત, એ કંટાળેલાના ખેદને દૂર કરે છે. તપેલાને ઠંડો કરે છે. મૂઢને બોધ પમાડે છે. અવ્યવસ્થિત ચંચળને સ્થિર કરે છે” દરરોજ ધર્મ શ્રવણ કરવાથી ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિમાં સહાયભૂત થાય છે. બુદ્ધિના ગુણોમાં જણાવેલ માત્ર શ્રવણથી આનો ભેદ છે. (૧૬) અજીર્ણમાં ભોજન ત્યાગ કરનાર - પહેલા ભોજન કર્યું હોય તે પચ્યું ન હોય, ત્યારે નવા ભોજનનો ત્યાગ કરે એવા સ્વભાવવાળો. સર્વ રોગોનું મૂળ હોય તો અજીર્ણ અને તેમાં ભોજન કરે તો તેની વૃદ્ધિ કરી ગણાય. રોગ અજીર્ણથી થવાવાળા છે' એમ વૈદકમાં કહેલું છે. અજીર્ણ તેના ચિન્ડથી જાણી શકાય છે. મલ અને વાછૂટની ગંધ વધારે દુર્ગધવાળી હોય. વિષ્ટાનો ભેદ, શરીર ભારે લાગે ભોજનની અરુચિ, ખાટા અને ખરાબ ઓડકાર આવે-અજીર્ણના આ છ પ્રગટ ચિહ્નો છે. (૧૭) નિયમિત કાળે પથ્ય ભોજન કરનાર :- ભૂખ લાગે ત્યારે આહાર લેનાર આસક્તિ રહિતપણે જઠરાગ્નિ અનુસાર પ્રમાણસર ભોજન કરે. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી ઉલટી કે ઝાડા અને કદાચ મરણ પણ થઈ જાય, તેથી તે ઠીક ગણાતું નથી. જે પ્રમાણોપેત ખાય, તેણે ઘણું ખાધું, વગર ભૂખમાં અમૃત ખાય તો પણ ઝેરરૂપ થાય તથા સુધાકાલ વીતી ગયા પછી ખાય તો અન્ન ઉપર દ્વેષ અને શરીરમાં પીડા થાય. અગ્નિ ઓલવાઈ ગયા પછી ઇંધણા શું કામ લાગે ? આહાર-પાણી પણ પોતાના શરીરને માફક આવે તેવા જ સુખી થવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે અને તે સાત્વિક કહેવાય. આવા પ્રકારના સામ્ય-લક્ષણથી જીંદગી સુધી માપસર કરેલું ભોજન વિષ હોય તો પણ હિતકારી બને છે. અતિસાત્વિક પણ પથ્યનું જ સેવન કરે. નહિ કે સામ્ય-માફક હોય તો પણ અપથ્ય-અહિતકારી ન સેવન કરે. ‘બળવાનને સર્વપથ્ય છે.” એમ માની કાલકુટ ન ખાય. વિજતંત્રને જાણનારો સારી રીતે નિષ્ણાત થયો હોય તો પણ કદાચિત વિષથી મૃત્યુ પામે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ (૧૮) અબાધિત ત્રણ વર્ગ સાધનાર :- ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ કહેવાય. જેથી અભ્યદય અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ. જેનાથી, સર્વ પ્રયોજન સિદ્ધ થાય તે અર્થ. અભિમાનથી ઉત્પન્ન થતા રસ સાથે ભળેલી સર્વ ઈન્દ્રિય-સુખ વિષયક પ્રીતિ, તે કામ આ ત્રણે વર્ગ એકબીજાને પરસ્પર હરકત ન આવે તેવી રીતે ત્રણે વર્ગ સાધવા પણ એક એક સાધવા, એમ નહિ. કહ્યું છે કે– “જે કોઈને પણ ત્રણ વર્ગની સાધના કર્યા વગરના શૂન્ય દિવસો આવે અને જાય છે, તે લુહારની ધમણ માફક શ્વાસ લેવા છતાં પણ જીવતો નથી. તેમાં ધર્મ અને અર્થના ઉપઘાત કરીને અતાત્વિક વિષય-સુખમાં લુબ્ધ બનેલા વનણાથી સમાન કોણ આપત્તિના સ્થાનને નથી પામતા ? જેને વિષય-ભોગમાં અત્યંત-આસક્તિ હોય છે, તેને ધન, ધર્મ કે શરીર નથી. ધર્મથી જ કામનો અતિક્રમ થાય તો ઉપાર્જન કરેલ ધન બીજાઓ ભોગવે. સિંહ હાથીનો વધ કરીને જેમ માત્ર પાપાધિકારી બને છે, તેમ પોતે માત્ર પાપનો અધિકારી બને છે અર્થ અને કામનું ઉલ્લંઘન કરીને-ધર્મ, અને સેવા સાધુઓનો જ ધર્મ કહી શકાય. ગૃહસ્થોનો ધર્મ ન હોય, ધર્મને હરકત આવે તેમ અર્થ, કામ ન સેવવા, વાવવાના બીજનું ભોજન કરનાર ખેડૂતના કુટુંબ માફક અધાર્મિક ભાવી કંઈ પણ કલ્યાણ થતું નથી. ખરેખર સુખી તે કહેવાય છે કે, આવતા ભવના સુખને બાધા ન પહોંચે તેમ આ લોકના સુખનો અનુભવ એવી રીતે અર્થ ઉપાર્જન કરવામાં બાધા કરીને ધર્મ અને કામ બન્નેનું સેવન કરનાર દેવું વધારે છે. કામને હરકત પહોચે તેમ ધર્મ અને અર્થનું સેવન કરનારને ગૃહસ્થપણું ટકતું નથી. એવી રીતે તાત્વિક, મૂલહર અને કદર્યને વિષે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં એકબીજાને હરકત આવવી તે સુલભ છે તે આ પ્રમાણે– તાત્વિક તે કહેવાય કે જે કંઈ પણ વિચાર કર્યા વગર ઉપાર્જન કરેલ ધનને ફાવે તેમ ખરચી નાંખે, મૂલહર તે કહેવાય કે જે પિતા, દાદા કે પૂર્વજોએ ઉપાર્જન કરેલ ધન અન્યાયથી ભક્ષણ કરી પુરું કરે, કદર્ય-કંજૂસ તે કહેવાય કે જે નોકરો અને પોતે અનેક પીડા સહન કરી ધન એકઠું કરે, પરંતુ કયાંય પણ ખર્ચે નહિ. તેમાં ધન નાશ પામવાથી ધર્મ અને કામનો વિનાશ થવાથી તાત્વિક અને મૂલહર બંનેનું કલ્યાણ થતું નથી. કંજૂસ-લોભીનો અર્થ-સંગ્રહ રાજા, પિત્રાઈઓ કે ચોરો માટે તે નિધિ બને છે. પરંતુ તે ધન ધર્મ અને કામના હેતભૂત બની શકતું નથી. આમ કહીને ગૃહસ્થ ત્રણ વર્ષની બાધા કરવી તે અનુચિત છે– એમ પ્રતિપાદન કર્યું. હવે કદાચ દૈવયોગે તેમાં બાધા ઉભી થવાનો વખત આવે તો ઉત્તરોત્તરની બાધામાં પૂર્વ પૂર્વની બાધાનું રક્ષણ કરવું. તે આ પ્રમાણે કામની બાધામાં ધર્મ અને અર્થની બાધાનું રક્ષણ કરવું તે બેની હાજરીમાં કામ સુખેથી ઉત્પન્ન કરી શકાય છે. કામ અને અર્થની બાધામાં ધર્મનું રક્ષણ કરવું. કારણકે અર્થ અને કામનો હેતુ હોય તો ધર્મ છે. કહ્યું છે કે- “ખપ્પર માત્રથી આજીવિકા કરતો હતો અને જો ધર્મ સીદાતો ન હોય તો હું મહા ધનાઢય છું – એમ સમજવું' સાધુઓ હંમેશા ધર્મ-ધનવાળા હોય છે. (૧૯) અતિથિ આદિનો પૂજક :– સતત પ્રવૃત્તિમાં સુંદર એકાગ્રતા યુક્ત અનુષ્ઠાન કરવાપણાથી તિથિ દિનનો જેને વિભાગ નથી તે અતિથિ, કહેલું છે કે – “તિથિ અને પર્વોના ઉત્સવોનો જે મહાત્માએ ત્યાગ કર્યો છે. તેને અતિથિ જાણવા અને તે સિવાય બાકીનાને અભ્યાગત પરોણા જાણવા” સાધુ ભગવંતો સુંદર આચારમાં તલ્લીન તેમજ સમગ્ર લોકમાં પ્રશંસા કરવા યોગ્ય હોય છે. “દી ધાતુ ક્ષય થવાના અર્થમાં હોવાથી જેની ધર્મ, અર્થ અને કામની આરાધના કરવાની સમગ્ર શક્તિ ક્ષીણ થઈ છે, તેવા દીન, જણાવેલી વ્યાખ્યાવાળા અતિથિ સાધુ તેઓને ઉચિત રીતિએ અન્ન-પાનાદિ સત્કારભક્તિ પૂર્વક આપવા કહ્યું છે કે, “એક બાજુ એક માત્ર ઔચિત્ય અને બીજી બાજુ કરોડો ગુણો. ઔચિત્ય-રહિત ગુણ-સમુદાય Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, ગ્લો.પ૬ ૬૯ ઝેર સરખું આચરણ કરે છે. એટલે ગુણવાન અતિથિ સાધુભગવંતોને ભક્તિથી અને દીન, દુઃખી અનાથ, પાંગળાને અનુકંપાથી આપવું તે ઉચિત રીતિ. (૨૦) અભિનિવેશથી રહિત – નીતિમાર્ગમાં અજ્ઞાત બીજાનો પરાભવ કરવાના પરિણામવાળો કાર્યનો આરંભ કરે, તે તુચ્છ માણસને અભિનિવેશ હોય તે માટે કહે છે– “અહંકાર નીચપુરુષોને નિષ્ફળતા, અનીતિ, દુર્ગુણો અને દુષ્કર કાર્યારંભ વડે ખેદ પમાડે છે. ઉલટા પ્રવાહમાં તરવાનો વ્યસની જળચર જંતુ વડે હેરાનગતિ પામે છે, તેની માફક અભિમાની પોતાના જ દુર્ગણથી પરેશાન થાય છે. માટે અભિનિવેશ-કદાગ્રહથી રહિત બનવું. કદાગ્રહથી રહિતપણું પ્રપંચથી નીચોમાં પણ કોઈક વખતે સંભવે છે માટે “હંમેશા' એમ જણાવ્યું. (૨૧) ગુણ-પક્ષપાત કરનાર – સૌજન્ય, દાક્ષિણ્ય, ઔદાર્ય, ધૈર્ય, તથા આવનારને પ્રિય શબ્દથી પધારો એમ પ્રથમ બોલવવા વગેરે; તથા સ્વ- પર ઉપકાર કરનાર આત્મ-ધર્મ સ્વરૂપ ગુણો વિષે પક્ષપાત એટલે બહુમાન તેની પ્રશંસા, સહાયક બનવું વગેરે અનુકુલ પ્રવૃત્તિ ગુણોના પક્ષ કરનાર જીવો અવંધ્ય પુણ્યબીજ વાવવા વડે નક્કી પરલોકમાં ગુણ સમુદાયની સંપત્તિ મેળવનાર થાય છે. (૨૨) પ્રતિષિદ્ધ દેશ-કાળ ચર્યા-પરિહાર - જે દેશ અને કાળમાં જે આચાર નિષેધ કરેલ હોય, તેને છોડતા તે પ્રમાણે વર્તે તો ચોર, ધાડપાડુ આદિથી નક્કી ઉપદ્રવ પામે છે. (૨૩) બલાબલનો જાણકાર – પોતાની અને બીજાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સ્વરૂપ જે શક્તિ તેને જાણતો, તેવી જ રીતે નિર્બળતાને બલાબલનો વિચાર કરીને સર્વ કાર્યનો આરંભ કરવો, નહિતર પરિણામ વિપરીત આવે. કહ્યું છે કે – “છતી શક્તિમાં સહન કરનારાઓને શક્તિ પ્રમાણે સ્થાનમાં સહન કરવાથી તેની વૃદ્ધિ અને કસરત કરવાથી શરીર વૃદ્ધિ પામે છે. પરંતુ બલ વગરનો કાર્યારંભ કરે, તો સંપત્તિઓનો ક્ષય કરનાર બને છે” (૨૪) વૃત્તસ્થાનો અને જ્ઞાનવૃદ્ધોનો પૂજક - વૃત્ત અનાચારનો પરિહાર અને સારા આચારોનું પાલન તેમાં રહેલા તે વૃત્તUો. ત્યાગ કરવા યોગ્ય, આદરવા યોગ્ય વસ્તુનો નિર્ણય તે રૂપ જ્ઞાન, તેથી મોટા, જે વૃત્તો સદાચારી હોય, તેમ જ, જેઓ જ્ઞાનવૃદ્ધો હોય, તેઓની પૂજા કરનાર પૂજા તે કહેવાય કે સેવા કરવી, બે હાથની અંજલિ કરવી. આસન આપવું, ઉભા થવું, વૃત્તસ્થોની અને જ્ઞાનવૃદ્ધોની પૂજા વગેરે કરવાથી નક્કી કલ્પવૃક્ષ માફક તેમના સદોપદેશાદિ ફળની પ્રાપ્તિ થાય છે. (૨૫) પોષ્યનો પોષક – માતા-પિતા, પત્ની પુત્ર-પુત્રી, વગેરેને યોગ-ક્ષેમ કરવા રૂપ પોષણ કરવું. (૨૬) દીર્ઘદર્શી :- ભાવી દીર્ઘકાલ સંબંધી લાભ-અલાભનો વિચાર કરનાર (૨૭) વિશેષજ્ઞ – વસ્તુ, અવસ્તુ, કૃત્ય-અકૃત્ય સ્વ-પર વચ્ચેનો ફરક જાણનાર અને તેનો નિશ્ચય કરનાર. બે વચ્ચેનો તફાવત ન સમજનાર પુરુષ અને પશુમાં તફાવત નથી. અથવા ખાસ કરીને આત્માના જ ગુણો અને દોષો જાણનાર એ વિશેષજ્ઞ ગણાય. કહ્યું છે કે “મનુષ્ય હંમેશા પોતાનું ચારિત્ર તપાસવું જોઈએ કે, મારું આચરણ શું પશુ સરખું છે ? કે સત્પરૂષો સરખું છે ? (૨૮) કૃતજ્ઞ – પારકાએ કરેલ ઉપકારને જાણનારો, કૃતજ્ઞ માણસ તેને ભૂલી ન જાય, એવી રીતે ઉપકારી તરફથી જે કલ્યાણનો લાભ થાય, તેનું બહુમાન કરે, કૃતધ્વને તો બદલો વાળવાનો હોય જ નહિ, કહ્યું છે કે, “કૃતઘ્ન બદલો વાળવાનો ન હોય (૨૯) લોક-વલ્લભ – વિનયાદિક ગુણો વડે વિશિષ્ટ લોકને પ્રિય બનેલો હોય. ગુણવાન પ્રત્યેકોને Page #121 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૭૦ પ્રીતિ ન થાય ? જે લોકોને વલ્લભ ન થાય, તે માત્ર પોતાને નહિ પણ પોતાનું ધર્માનુષ્ઠાન પણ બીજા વડે દુષિત કરતો બીજાને બોધિલાભથી ભ્રષ્ટ કરવાના કારણભૂત બને છે. (૩૦) લજ્જાવાળો :~ લજ્જા એટલે શ૨મ. લજ્જાવાળો પ્રાણનો નાશ થાય તો પણ અંગીકાર કરેલનો ત્યાગ કરતો નથી. કહ્યું છે કે, લજ્જા એ ગુણ-સમૂહને જન્મ આપનારી અત્યંત શુદ્ધ હૃદયવાળી આર્યા માતા સરખી છે. અનેક ગુણોને જન્મ આપનારી એવી લજ્જાને પામેલા, સત્ય સિદ્ધાંતને વળગી રહેવાના વ્યસનવાળા સત્ત્વશાળી મહાપુરૂષો સુખ અને પ્રાણોનો પણ ત્યાગ કરે છે, પરંતુ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી. : (૩૧) દયાવાળો દુ:ખી જીવોના દુઃખ દૂર કરવાની અભિલાષાવાળો, ધર્મનું મૂળ દયા માનેલી છે, માટે અવશ્ય દયા કરે, (પ્રશમ. ૧૬૮) કહ્યું છે કે “જેમ પોતાના પ્રાણો પોતાને પ્રિય છે, તેવી રીતે દરેક ભૂતોને પણ પોતાના પ્રાણો તેટલા જ પ્રિય છે. માટે મનુષ્ય આત્માની ઉપમાથી દરેક જીવોની દયા કરવી જોઈએ. - (૩૨) સૌમ્ય :– અક્રૂર આકારવાળો - ક્રૂર એ દરેકને ઉદ્વેગ કરાવનાર થાય છે. 1 (૩૩) પરોપકાર કરવામાં તત્પર :- ૫૨ ઉ૫કા૨ ક૨વા માટે શૂરવીર. પરોપકાર કરનાર માણસ સર્વના નેત્રમાં અમૃતાંજન સરખો છે. (૩૪) અંતરંગ શત્રુ-પરિહાર પરાયણ :– અંતરંગ છ શત્રુઓનો પરિહાર કરવા તત્પર બનેલો હોય. તેમાં અયુક્તિથી અયોગ્ય રીતે કરેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ શિષ્ટ ગૃહસ્થોને માટે અતરંગ છ શત્રુઓનો વર્ગ કહેલો છે. તેમાં કામ તે કહેવાય. જે બીજાની માલિકીની અગર-વગર પરણેલી સ્ત્રીની ઈચ્છા કરવી. પોતાનું કે સામાનું નુકશાન વિચાર્યા વગર ક્રોધ કરવો તે ક્રોધ, દાન દેવા યોગ્યને વિષે પોતાનું ધન ન આપવું અને નિષ્કારણ પારકું ધન ગ્રહણ કરવું તે લોભ. યુક્તિ-પૂર્વક કોઈએ શિખામણ આપી તો પણ ખોટો આગ્રહ રાખી ન સ્વીકારવી તે માન, કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરે વડે અહંકા૨ ક૨વો, અથવા બીજાનો તિરસ્કાર કરવો, તે મદ, વગર કારણે બીજાને દુઃખ ઉત્પન્ન કરીને તથા જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને મનનો પ્રમોદ કરવો તે હર્ષ નુકશાન કરનારા હોવાથી ત્યાગ કરવા લાયક છે. કહ્યું છે કે (૧) કામથી બ્રાહ્મણની કન્યાને બલાત્કારથી સત્તાવાર દાંડક્ય નામનો ભોજ બંધુઓ અને રાષ્ટ્ર સાથે વિનાશ પામ્યો હતો. વૈદેહ કરાલ પણ (૨) ક્રોધથી બ્રાહ્મણો પર વિક્રમ કરનાર જન્મેજય અને ભૃગુઓ પર વિક્રમ દર્શાવનાર તાલજય વિનાશ પામ્યો (૩) લોભથી ચારે વર્ણોને અભ્યાહાર કરાવનાર ઐલ (પુરુરવા) અને સૌવીર (દેશનો) અજબિંદુ વિનાશ પામ્યો. (૪) માનથી પરસ્ત્રીને ન આપતાં રાવણ અને દુર્યોધન રાજ્યથી ભ્રષ્ટ થયા. (૫) મદથી અંભોદભવ અને ભૂતાવમાની હૈહય (કાર્તર્વીય) અર્જુન વિનાશ પામ્યો. (૫) હર્ષથી અગસ્ત્યને પ્રાપ્ત કરતાં વાતાપિ અને દ્વૈપાયને ન પ્રાપ્ત કરતાં વોદૃષ્ટિ સંઘ વિનાશ પામ્યો’ (૩૫) ઈન્દ્રિય-સમુદાયને વશ કરનાર :– વશ કરવી અર્થાત્ જેણે ઈન્દ્રિયો પાસે સ્વચ્છંદપણાનો ત્યાગ કરાવ્યો છે. અત્યંત આસક્તિના ત્યાગ કરવાપૂર્વક સ્પર્શનાદિ ઈન્દ્રિયોના વિકારને રોકનાર ઈન્દ્રિયોનો જય ક૨વો તે પુરુષોને મહાસંપત્તિ માટે થાય છે. કહ્યું છે કે, ઈન્દ્રિયોનો અસંયમ એ આપત્તિનો માર્ગ છે અને તેનો જય કરવો તે સંપત્તિનો માર્ગ છે. ઈષ્ટ લાગે, તે માર્ગે જાવ. આ ઈન્દ્રિયો છે તે જ સર્વ છે. સ્વર્ગ અને નરક તે બંને પણ તે જ છે, જો વશ કરે તો સ્વર્ગ મળે છે અને છૂટી મૂકે નરક મળે. Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૫૬ ૭૧ છે. સર્વથા ઈન્દ્રિયોના રોધરૂપ ધર્મ યતિઓનો જ હોઈ શકે, અહિં તો શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થધર્મસ્વરૂપનો અધિકાર ચાલે છે, તેથી આ પ્રમાણે કહ્યું છે. II ૪૭-૫૬ | આવા પ્રકારનો પાંત્રીશ ગુણવાળો મનુષ્ય ગૃહસ્થ-ધર્મ યોગ્ય અધિકારી ગણાય. ૫૬ આ પ્રમાણે ૫૨માર્હત્ શ્રીકુમારપાળ મહારાજાને આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ રચેલ. જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયેલ છે. તેવા અપરનામવાળા પોતે રચેલ વિવરણવાળા સ્વોપજ્ઞ શ્રીયોગશાસ્ત્રનો પ્રથમ પ્રકાશ સમાપ્ત થયો. આગમોદ્વારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરીશ્વરે ઉપર્યુક્ત સંસ્કૃત માટે સટીક યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશનો ગુજરાતી અનુવાદ મુંબઈમાં પાયધુની ગોડીજી જૈન ઉપાશ્રયમાં શરૂ કર્યો. સં. ૨૦૨૨, મહા શુદિ ૮ રવિવારે પૂર્ણ કર્યો. (૧) Page #123 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ. સમ્યકત્વનું સ્વરૂપ - ગૃહસ્થ-ધર્મ માટે અધિકારી છે, એમ પહેલાં કહી ગયા. ગૃહસ્થધર્મ એટલે શ્રાવકધર્મ અને તે સમ્યક્ત મૂળવાળાં બાર વ્રતો છે. તે જ કહે છે ५७ सम्यक्त्वमूलानि पञ्चाणु - व्रतानि गुणास्त्रयः । शिक्षापदानि चत्वारि - व्रतानि गृहमेधिनाम् ॥ १ ॥ અર્થ : સમ્યકત્વ મૂળવાળાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો આ પ્રમાણે શ્રાવક ધર્મના બાર વ્રતો છે. | ૧ || ટીકા : સમ્યકત્વ મૂળ કારણ છે જેઓને એવાં તે બારે વ્રતો સમ્યક્તસહિત હોય. મહાવ્રતની અપેક્ષાએ નાનાં અહિંસાદિક પાંચ વ્રતો તે મૂલગુણો છે. દિશાપરિમાણાદિક ત્રણ ઉત્તરગુણસ્વરૂપ ગુણવ્રતો છે. શીખવું અભ્યાસ-મહાવરો પાડવો, તે સ્વરૂપ સામાયિકાદિ હંમેશાં અભ્યાસ કરવા લાયક ચાર શિક્ષાવ્રતો છે, તેથી ગુણવ્રતોથી જુદો ભેદ પાડ્યો. ગૃહસ્થોને ગુણવ્રતો ઘણે ભાગે જીંદગી સુધીના હોય છે. સમ્યક્ત્વ મૂળવાળાં વ્રતો એમ કહ્યું, તેમાં સમ્યક્તનું સ્વરૂપ સમજાવે છે // ૧ / ५८ या देवे देवताबुद्धि - गुरौ च गुरुतामतिः । થર્ટે ૨ થર્મથી શુદ્ધા, અવનિમુચ્યતે | ૨ | અર્થ : જેમનું સ્વરૂપ આગળ સમજાવીશું, તેવા દેવ, ગુરૂ અને ધર્મમાં ક્રમસર દેવબુદ્ધિ, ગુરૂબુદ્ધિ અને ધર્મબુદ્ધિ નિર્મળ હોય, તે સમ્યક્ત કહેવાય || ૨ || ટીકાર્થ : આગળ જણાવીશું તેવા લક્ષણવાળા દેવત્વ, ગુરૂત્વ અને ધર્મત્વની દેવ, ગુરૂ અને ધર્મમાં નિશ્ચયપૂર્વકની શ્રદ્ધા, તે પણ અજ્ઞાન, સંશય અને વિપર્યયથી રહિત એવી નિર્મલ હોય, તે સમ્યક્ત, જો કે જિનોક્ત તત્ત્વમાં યતિ અને શ્રાવકોને સરખી જ રુચિ હોય અને તે પણ સમ્યક્ત-લક્ષણ કહેલું છે તો પણ ગૃહસ્થોને દેવ, ગુરૂ અને ધર્મમાં પૂજ્યત્વ ઉપાસના તેના અનુષ્ઠાનોમાં ફરક હોવાથી અને ઉપયોગી હોવાથી દેવ, ગુરૂ અને ધર્મ તત્ત્વની પ્રતિપત્તિ લક્ષણ સમ્યક્ત ફરી કહેલું છે. શંકા કરી કે તત્ત્વભૂત પદાર્થોની રુચિ લક્ષણ સમયકત્વમાં દેવ, ગુરૂ અને ધર્મનો કયા તત્ત્વમાં સમાવેશ થાય ? સમાધાન કર્યું કે, દેવ અને ગુરૂઓ જીવતત્ત્વમાં, અને ધર્મ શુભ આશ્રવ અને સંવરમાં સમાઈ જાય. ૧ ઔપથમિક, ૨ ક્ષાયોપથમિક અને ૩ ક્ષાયિક એમ સમ્યક્તના ત્રણ ભેદ છે તેમાં રાખથી ઢાંકેલા અગ્નિની માફક મિથ્યાત્વમોહનીયકર્મ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની અનુદયાવસ્થા, તે ઉપશમ, ઉપશમ જેનું પ્રયોજન છે, તે ઔપશમિક, તે સમ્યક્ત અનાદિના મિથ્યાદષ્ટિ આત્માને ત્રણ કરણ પૂર્વક Page #124 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧-૩ 44 અંતર્મુહૂર્ત-પ્રમાણ કાળ માટે થનારું ચારે ગતિમાં રહેનારા જન્તુને થાય છે. અથવા તો ઉપશમશ્રેણિમાં ચડેલાને થાય છે. કહ્યું છે કે, ઉપશમ શ્રેણિમાં ચડેલાને ઔપશમિક સમ્યક્ત્વ થાય છે, અથવા જેણે ત્રણ પુંજ નથી કર્યા અને મિથ્યાત્વ ખપાવ્યું હોય, તે સમ્યક્ત્વ મેળવે છે. (પૃ.ભા. ૧૧૮) બીજું ક્ષાયોપમિકઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયોનો દેશથી નિર્મૂલ નાશ કરવા રૂપ ક્ષય કરવો અને ઉદયમાં નહિ આવેલાનો ઉપશમ કરવો-ક્ષયથી યુક્ત ઉપશમ, તે ક્ષયોપશમ, તે જેનું પ્રયોજન છે, તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, તે સમ્યક્ત્વ વેદનીય રૂપ સત્કર્મના વેદવા સ્વરૂપ હોવાથી વેદક પણ કહેવાય. ઔપમિક તો સત્કર્મ વેદવાથી રહિત છે, માટે ઔપમિક અને ક્ષાયોપશમિકમાં આ તફાવત છે. કહેલું છે કે જ્યારે જીવ ક્ષાયોપશમિકમાં સત્કર્મ વેદે છે, પરંતુ તે રસોદયથી નહિં, ઉપશાંત થયેલા કષાયવાળો તો ફરી સત્કર્મ વેદતો નથી. (વિ.ભા. ૧૨૯૦) ક્ષાયોપશમિક સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઈક અધિક છે. કહેલું છે કે :– બે વખત વિજ્યાદિકમાં ગયેલો હોય અથવા ત્રણ વખત અચ્યુત નામના બારમા દેવલોકે ગયો હોય અને વધારાનો નરભવ મળી ઉપર કહેલી સ્થિતિ પૂરી કરે. (વિ.ભા. ૪૩૪) અને સર્વજીવોને આશ્રીને સર્વકાળ એ સમ્યક્ત્વ હોય. ત્રીજું ક્ષાયિક સમ્યક્ત્વ-મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયોનો નિર્મૂલ નાશ થાય, ક્ષય જેનું પ્રયોજન છે, તે ક્ષાયિક સમ્યક્ત્વ સાદિ અનંત છે. અહીં આન્તર શ્લોકોથી સમ્યક્ત્વની ઉત્તમતા જણાવે છે આ સમ્યક્ત્વ બોધિવૃક્ષનું મૂલ,પુણ્ય નગરનું દ્વાર, નિર્વાણમહેલની પીઠિકા, સર્વ સંપત્તિઓનો ભંડાર, સર્વ ગુણોનો આધાર, રત્નોનો સાગર, ચારિત્ર-ધનનું પાત્ર છે. આવા સમ્યક્ત્વની પ્રશંસા કોણ ન કરે ? સમ્યક્ત્વથી વાસિત આત્મામાં અજ્ઞાન રહેતું નથી, જગતમાં સૂર્યનો ઉદય થાય, પછી અંધકારનો ફેલાવો કેવી રીતે ટકી શકે ? તિર્યંચ અને નરકગતિના દ્વા૨માં મજબૂત અર્ગલા હોય તો સમ્યક્ત્વ અને દેવ મનુષ્ય તથા નિર્વાણ-સુખના દ્વારની કુંચી હોય તો સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વથી વાસિત આત્મા જો તેને વમે નહિ, અગર પહેલાં આયુષ્ય-બંધ ન કર્યો હોય, તો અવશ્ય વૈમાનિક દેવગતિ જ પામે. જે જીવ એક અંતર્મુહૂર્ત જેટલો પણ કાળ સમ્યક્ત્વની ઉપાસના કરે અને નિર્મલ સમ્યક્ત્વ-રત્નનો તરત કદાચ ત્યાગ કરે, તો પણ તે આત્મા લાંબા કાળ સુધી ભવ-માર્ગમાં રખડતો નથી, માટે લાંબા કાળ સુધી તેને ધારણ કરી રાખો. તમારા સરખા સમજીને વધારે બીજું શું કહેવું ? ॥ ૨ ॥ ૭૩ વિપક્ષનું જ્ઞાન હોય તો સમ્યક્ત્વનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય છે, તેથી સમ્યક્ત્વના વિપક્ષ રૂપ મિથ્યાત્વનું સ્વરૂપ કહીએ છીએ ५९ अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या I अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥ ૩ ॥ અર્થ : અદેવમાં જે દેવપણાની બુદ્ધિ અગુરુમાં જે ગુરુપણાની અને અધર્મમાં જે ધર્મપણાની બુદ્ધિ થાય, તે સમ્યક્ત્વથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે ।। ૩ । ટીકાર્થ : અદેવમાં જ દેવબુદ્ધિ, અગુરુમાં જે ગુરૂબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ થાય, તે મિથ્યાત્વ. તે સમ્યક્ત્વથી વિપરીત સ્વરૂપ હોવાથી, આગળ જેઓનું લક્ષણ કહેવાશે, તેવા અદેવ, અગુરૂ અને અધર્મ તેમની માન્યતા સ્વરૂપ મિથ્યાત્વ તેનું લક્ષણ સમ્યક્ત્વથી વિપરીતપણું હોવાથી સમ્યક્ત્વ-વિપર્યય સ્વરૂપ સમજવું તથા આ પણ ગ્રહણ કરેલું છે કે દેવમાં અદેવત્વ, ગુરૂમાં અગુરૂત્વ, ધર્મમાં અધર્મત્વની માન્યતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વળી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. ૧ આભિગ્રહિક, ૨ અનભિગ્રહિક, ૩ આભિનિવેશિક, ૪ સાંશયિક અને ૫ અનાભોગિક. ૧ અભિગ્રહિક- તે કહેવાય કે પાખંડીઓ પોતાના શાસ્ત્રના જ્ઞાનને જાણનાર હોય અને પરપક્ષનો પ્રતિકાર કરવામાં દક્ષ હોય, તેમને - ૨. અનાભિગ્રહિક - સામાન્ય અકેળવાયેલા લોકોને “સર્વ દેવો વંદનીય છે', તેમની નિંદા ન કરવી, એવી જ રીતે સર્વ ગુરૂઓ અને સર્વ ધર્મો સંબંધી સમજે, તેમને અનાભિગ્રહિક મિથ્યાત્વ. ૩. આભિનિવેશિક- યથાર્થ વસ્તુ અંદરથી સમજવા છતાં પણ ખોટા કદાગ્રહને આધીન બની જમાલિ માફક સાચાને ખોટું કહેવાનો કદાગ્રહ કરે. ૪. સાંશયિક- દેવ, ગુરૂ અને ધર્મના વિષયમાં આ સાચા હશે કે આ સાચા હશે ? એવા સંશયવાળાને સાંશયિક મિથ્યાત્વ ૫. અનાભોગિક - એકેન્દ્રિયાદિક વિચાર-શૂન્ય અને વિશેષ જ્ઞાનથી રહિત હોય તેવાને તે હોય છે કહ્યું છે કે :-“આભિગ્રહિક, અનાભિગ્રહિક આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ એમ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. પંચ-સં. ૧૮૬ આંતરશ્લોકો કહે છે મિથ્યાત્વ એ મહારોગ છે, મિથ્યાત્વ મહાઅંધકાર, મિથ્યાત્વ મોટો શત્રુ છે, મિથ્યાત્વ મહાવિષ છે. રોગ, અંધકાર અને ઝેર જન્મની અંદર એક વખત દુઃખ આપનાર થાય, પરંતુ મિથ્યાત્વ રોગની ચિકિત્સા કરવામાં ન આવે તો હજારો ભવો સુધી તેની વેદના ભોગવવી પડે છે. ગાઢમિથ્યાત્વથી ઘેરાએલ ચિત્તવાળા જીવો તત્ત્વ અને અતત્ત્વનો ભેદ જાણતા નથી. જે જન્મથી અંધ હોય, તે કોઈ પણ વસ્તુની મનોહરતા કે અમનોહરતા સ્પષ્ટ રીતે કેવી રીતે જાણી શકે ? || ૩ || હવે દેવ અને અદેવ, ગુરૂ અને અગુરૂ, તથા ધર્મ અને અધર્મનાં લક્ષણ જણાવતા દેવનું સ્વરૂપ જણાવે છેદેવનું સ્વરૂપ ६० सर्वज्ञो जितरागादि-दोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवोऽर्हन् परमेश्वरः ॥ ४ ॥ ६१ ध्यातव्योऽयमुपास्योऽय-मयं शरणमिष्यताम् । अस्यैव प्रतिपत्तव्यं, शासनं चेतनास्ति चेत् ॥ ५ ॥ અર્થ : સર્વજ્ઞ, રાગાદિ દોષોને જીતનારાં, ત્રણેય લોકથી પૂજિત, યથાર્થ પદાર્થ સ્વરૂપ યથાસ્થિત અર્થને કહેનારા, પૂજા કરવા યોગ્ય અને પરમેશ્વર હોય તે જ સુદેવ કહેવાય. આવા ગુણસંપન્ન સુદેવ જ ધ્યાન કરવા યોગ્ય છે તથા ઉપાસના કરવા લાયક છે, તેવા દેવનું જ શરણ સ્વીકારો ! અને જો ચેતના હોય તો તેવા સુદેવની આજ્ઞા જ સ્વીકારવા યોગ્ય છે ! ૪-૫ || ટીકાર્થ : સર્વજ્ઞ, રાગાદિ ૧૮ દોષોથી રહિત, ત્રણે લોકથી પૂજિત, યથાર્થ પદાર્થ સ્વરૂપ કહેનારા, એવા અહંનું અરિહંત પરમેશ્વર દેવ કહેવાય. દેવના દેવત્વ વિષયક ચાર અતિશયો વિચક્ષણ પુરૂષો કહે છે. તે આ પ્રમાણે-૧ જ્ઞાનાતિશય, ૨ અપાયાપગમાતિશય ૩ પૂજાતિશય, અને ૪ વચનાતિશય. ‘તેમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૪-૫ ૭૫ * ‘સર્વજ્ઞ' એ શબ્દ જણાવીને સમગ્ર જીવ, અજીવાદિ તત્ત્વને જાણવાપણાથી જ્ઞાનાતિશયને કહે છે પરંતુ પોતાનાં રચેલાં શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ વચન કહેનારા અન્ય દર્શનીઓની માફક નહિં :— (બૌદ્ધો કહે છે કે) ‘સર્વ જુઓ કે ન જુવો, માત્ર ઈષ્ટ તત્ત્વને દેખો, દરમાં કેટલી કીડીઓ છે, તેનું જ્ઞાન આપણને શું ઉપયોગી છે ? દૂર દેખો કે ન દેખો આપણને પ્રયોજન હોય, તેને જ દેખો, દૂર દેખનારાને જો પ્રમાણભૂત ગણતા હો તો આ દૂર દેખનાર ગીધડાની ઉપાસના કરીએ.' (પ્રા.વા. ૧/૩૩-૩૫) વિવક્ષિત એક ઈષ્ટ પદાર્થનું જ્ઞાન સમગ્ર પદાર્થના જ્ઞાન વગર થઈ શકતું નથી. દરેક ભાવો બીજા ભાવોની સાથે સાધારણ અને અસાધારણરૂપે સમગ્ર જ્ઞાન વગર લક્ષણસહિત અને તેથી વિપરીત અન્વયવ્યતિરેક સ્વરૂપે એક પણ પદાર્થ જાણી શકાતો નથી. કહેલું છે કે- જેણે સર્વ પ્રકારે એક ભાવ દેખ્યો છે, તેણે તત્ત્વથી સર્વે ભાવો (દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ સર્વ ભાવો) જાણ્યા છે. જેણે સર્વ ભાવો સર્વ પ્રકારે દેખ્યા છે, તેણે તત્ત્વથી એક ભાવ દેખ્યો છે.'' જેણે રાગાદિ દોષ જિતેલા છે' એમ કહેવા દ્વારા અપાયાપગમાતિશયને કહે છે. તેમાં આ વાત સર્વજન-પ્રસિદ્ધ છે કે રાગ-દ્વેષાદિકો તે આત્માને દૂષિત કરનારા હોવાથી દોષો છે. પ્રતિપક્ષ સેવન કરવા દ્વારા ભગવંતે તેઓને જિતેલા છે, માટે ‘જિતરાગાદિ દોષઃ' એમ કહેલું છે. હંમેશાં રાગાદિ-રહિત કોઈ પુરૂષ છે એમ કહેવું તો માત્ર વાણીવિલાસ છે. રાગાદિકને ન જિતેલા હોય એવા આપણા સ૨ખાને દેવપણું નથી. ‘ત્રણે લોકથી પૂજાએલા' એ વચનથી પૂજાતિશય કહે છે. કેટલાક ઠગાયેલા ભોળી બુદ્ધિવાળાની પૂજામાં દેવત્વ ન આવે પરંતુ જ્યારે ચલાયમાન થયેલા આસનવાળા દેવો અને અસુરો, વિવિધ દેશભાષા બોલનારા બુદ્ધિશાળી મનુષ્યો, પરસ્પરનું જાતિવૈર છોડીને મૈત્રીભાવ પામેલા એવા તિર્યંચો સમવસરણમાં ‘હું પહેલો પહોચું, હું પ્રથમ જઉં' એવી રીતે આવતા સેવા, અંજલિ, પૂજા, ગુણસ્તોત્રો, ધર્મદેશનારૂપ અમૃતનો આસ્વાદ કરતા લોકો વડે ભગવાન પૂજાય, ત્યારે તેમનું દેવપણું છે. યથાસ્થિત અર્થ કહેનારા’ એ પદવડે વાણીનો અતિશય જણાવે છે. જે પદાર્થ જે સ્વરૂપે હોય એવા સદ્ભૂત પદાર્થને કહેનારા છે માટે યથાર્થવાદી. અમે સ્તુતિ કરતાં કહેલું છે :-“પક્ષપાત વિના પરીક્ષા કરતાં અમે બન્નેનું તુલના ન કરી શકાય તેવું પ્રતીતિ પૂર્વક જાણીએ છીએ. તમારૂં આ યથાર્થ સ્થિત અર્થ-પ્રથમ (યથાયોગ્ય પદાર્થ-પ્રતિપાદન) અને બીજાઓનો અસ્થાને નિર્બન્ધ રસ. (અયોગ બત્રીશી ૨૨) અથવા- બીજાઓની સંદેશ કરવામાં આવે, પરંતુ તમારા આ યથાસ્થિત વસ્તુના કથનને ૫૨૫ક્ષીઓ વડે કેવી રીતે અવગણી શકાશે ? (અયોગ-૧૨) સ્તુતિ કરાય, પૂજાય એવા અર્થવાળા ‘દિવ્’ ધાતુથી દેવ શબ્દ બને. તે સામર્થ્યથી અર્હત્ પરમેશ્વર જ દેવ છે, બીજા કોઈ દેવ હોઈ શકે નહિં. ચાર અતિશયવાળા દેવની ઉપાસના કરવા તેમનું શાસન સ્વીકારવા ધ્યાન ધરવા તેમને શરણે જવા અધિક્ષેપ (આગ્રહ) પૂર્વક ઉપદેશ આપે છે. આવા પ્રકારના અતિશયવાળા દેવનું પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત રૂપ ધ્યાન શ્રેણિક માફક કરવું જોઈએ. શ્રેણિકરાજા મહાવીર ભગવંતના વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ, ચોત્રીશ અતિશયવાળા યોગ આદિ ગુણો દ્વારા તેમનું ધ્યાન કરતા હતા. તેના પ્રભાવથી તેમના જ વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ અને અતિશયયુક્ત આવતી ચોવીશીમાં પદ્મનાભ તીર્થંકર થશે. આગળ અમે સ્તુતિ કરતાં કહ્યું છે, :“તમે પહેલાં તન્મય મનવાળા થઈ વીરજિનનું ધ્યાન કરેલું છે, જેથી તમે નક્કી તેમના જેવા જ સ્વરૂપવાળા ભગવંત થવાના છો. અહો ‘યોગનો પ્રભાવ કેવો છે ? આગમમાં પણ જણાવેલું છે કે,:– અરિહંત મહાવીર તીર્થંકર ભગવંત જેવા પ્રકારના શીલ સમાચારવાળા છે, ખરેખર તેવા જ શીલ સમાચારીવાળા પ્રભુ પદ્મનાભ અરિહંત થશે. સેવા કરવી, અંજલિ જોડીને આ જ દેવ ઉપાસના કરવા લાયક છે, આપણે Page #127 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરેલા દુષ્કૃતની ગર્તા, સુકૃતની અનુમોદના કરવા પૂર્વક આજ માત્ર દેવ ભવના ભયની પીડા દૂર કરનારા છે, એ પ્રમાણે તેમના જ શરણની અભિલાષા કરો. કહેલા લક્ષણવાળા દેવના શાસનની આજ્ઞાનો સ્વીકાર કરવો, અતિશય વગરના પુરૂષોએ પ્રરૂપેલાં બીજાં શાસનો સ્વીકારવા યોગ્ય નથી. જો તમારામાં ચેતના હોય તો પૂર્વોક્ત લક્ષણવાળા દેવનું ધ્યાન ધરો, તેની ઉપાસના કરો, તેને શરણે જાવ, તેનું શાસન સ્વીકારો. ચેતનાવાળાને કરેલો ઉપદેશ સફળ થાય છે, અચેતનાવાળા પ્રત્યે કરેલો ઉપદેશ પ્રયાસ નિષ્ફળ જાય છે કહ્યું છે કેઃ “અરણ્યમાં કરેલું રૂદન, મડદાના શરીરને માલીશ કરવું, કુતરાની પૂંછડીને સીધી કરવી. બહેરા પાસે સંગીત કરવું, સ્થલમાં કમળ રોપવું, ઉખર ભૂમિમાં લાંબાકાળ સુધી જળવૃષ્ટિ કરવી, અંધના મુખનું મંડન કરવા સમાન અજ્ઞાની જન પાસે ભાષણ નિષ્ફળ થાય છે. તે ૪-૫ /. અદેવનું લક્ષણ કહે છે ६२ ये स्त्रीशस्त्राक्षसूत्रादि-रागाद्यङ्ककलङ्किताः । निग्रहानुग्रहपरा-स्ते देवाः स्युन मुक्तये ॥६॥ અર્થ : જેઓ સ્ત્રી, શસ્ત્ર, જપમાલાદિ રાગાદિ સૂચવનારાં ચિહ્નોવાળા છે, તથા વરદાન અને શ્રાપ આપનારા છે, તેવા દેવો મુક્તિ માટે થતા નથી. || ૬ || ટીકાર્થ : સ્ત્રી એટલે કામિની, શસ્ત્ર ત્રિશૂલાદિવાળા, જપમાલા આદિથી નાટક, અટ્ટહાસ્ય કરનારા હોય. રાગ-દ્વેષ-મોહને સૂચન કરનાર, સ્ત્રી એ રાગ સૂચવનાર છે, શસ્ત્ર દ્વેષનું ચિહ્ન છે, જપમાલા અજ્ઞાનનું ચિહ્ન છે. વીતરાગ હોય તે સ્ત્રીના સંગવાળા ન હોય. દ્વેષ વગરના હોય તે શસ્ત્ર શા માટે ધારણ કરે ? અજ્ઞાન-રહિત હોય તે વિસ્કૃતિનાં ચિહ્નસ્વરૂપ જપમાળા શા માટે રાખે ? રાગ, દ્વેષ અને મોહ વડે જ સર્વ દોષો એકઠા થાય છે. સર્વ દોષોનું મૂળ હોય તો તે ત્રણ જ છે. નિગ્રહ એટલે વધ-બંધન કરવું, અનુગ્રહ એટલે વરદાન આપવું, તે કરવામાં તત્પર, નિગ્રહ અને અનુગ્રહ કરવા તે પણ રાગ-દ્વેષનાં ચિહ્યો છે. જે આવા પ્રકારના હોય, તે મુક્તિ માટે કારણભૂત બનતા નથી. ક્રીડા કરનારા પ્રેત, પિશાચાદિકની માફક દેવત્વમાત્રને નિવારી શકાતું નથી. | ૬ || મુક્તિના કારણનો અભાવ પ્રગટ કરે છે. ६३ नाट्याट्टहाससंगीता-धुपप्लवविसंस्थुलाः નામયુઃ પર્વ શાન્ત, પ્રપનાન, પ્રાપિન: થમ્ ? ૭ | અર્થ : નાટક, નૃત્ય અટ્ટહાસ્ય, સંગીત આદિ રાગવાળા કાર્યથી અસ્થિર ચિત્તવાળા તેઓ બીજા પ્રાણીઓને શાન્તપદ સ્વરૂપ મુક્તિસ્થાનને કેવી રીતે પમાડી શકે ? || ૭ || ટીકાર્થ : અહીં સમગ્ર સાંસારિક આળ જાળ વગરનું મુક્તિ કેવળજ્ઞાન વિગેરે શબ્દથી સમજી શકાય તવું શાન્તપદ મોક્ષ નાટક, નૃત્ય અટ્ટહાસ્ય, સંગીત આદિ સાંસારિક ઉપાધિથી ડામાડોળ ચિત્તવૃત્તિવાળા દેવો આશ્રિત વર્ગને તે કેવી રીતે પમાડી શકે ? એરંડાનું ઝાડ કલ્પવૃક્ષની બરાબરી કરી શકે નહિ. તેથી રાગ-દ્વેષ-મોહના દોષથી રહિત એવા જિન એકજ મુક્તિ માટે થાય છે. પરંતુ દોષોથી દુષિત થયેલા બીજા દેવો મુક્તિ માટે થતા નથી. અહીં તે માટે ઉપયોગી કેટલાક શ્લોકો જણાવે છે Page #128 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૬-૮ ખોટી અયોગ્ય પ્રવૃત્તિઓ કરનાર હોવાથી સામાન્ય મનુષ્ય કરતાં પણ ઉતરતી કક્ષાના શંક૨, બ્રહ્મા અને વિષ્ણુ સર્વજ્ઞ કે રાગ વગરના નથી. સ્ત્રીનો સંગ, કામ, હથીયાર સંગ્રહ દ્વેષ, જપમાળા અજ્ઞાન, અને કમંડળ અશૌચનું સૂચન કરે છે. રુદ્રને ગૌરી, બૃહસ્પત્તિને તારા, બ્રહ્માને સાવિત્રી, શ્રીકૃષ્ણને લક્ષ્મી, ઈન્દ્રને શચી, સૂર્યને રન્નાદેવી, ચંદ્રને દક્ષપુત્રી રોહિણી, અગ્નિને સ્વાહા, કામદેવને રતિ, યમદેવને, ધૂમોર્ણા, આમ દેવોને સ્ત્રીઓનો સંગ પ્રગટ છે વળી દરેક પાસે શસ્ત્ર અને હથીયારો છે તેમજ દરેકમાં મોહનો વિલાસ હોવાથી દેવપણાનો સંદેહ છે. તેઓ દેવપદવીને સ્પર્શતા નથી. અજ્ઞાનતાથી શૂન્યતા કહેનારા બુદ્ધમાં પણ દેવપણું ઘટતું નથી, શૂન્યત્વ પ્રમાણથી સિદ્ધ થયા પછી શૂન્યવાદની કથા કરવી નકામી છે વળી પ્રમાણ હોતે છતે પ્રમાણ વિના પરની પણ શૂન્યસિદ્ધિ થઈ શકે નહિં, તો પોતાના પક્ષની તો સિદ્ધિ શી રીતે થઈ શકે ? બુદ્ધ સર્વ ભાવોમાં ક્ષણિકતા માનવાવાળા છે, તો સાધકને ફળ સાથે સંબંધ કેવી રીતે જોડાય ? ક્ષણિકવાદીઓને વધ કરનાર હિંસાનો હેતુ કેવી રીતે થાય ? તેમ તેની સ્મૃતિ તેને ઓળખાવનારી તથા વ્યવહાર કરનારી કેમ થાય ? કૃમિ આદિ જીવોથી ભરેલી પોતાની કાયાને વાઘણને સોંપી દેતા દેય-અદેયના વિવેક-શૂન્ય એવા બુદ્ધની દયા પણ કેવી વિચિત્ર છે ? વળી પોતાના જન્મ વખતે જ પોતાની માતાનું ઉદર ચીરનાર તથા માંસ ખાવાનો ઉપદેશ આપનાર એવા બુદ્ધને દયા કેવી રીતે કહી શકાય ? વળી જે પ્રકૃતિના ધર્મને નિરર્થકપણે જ્ઞાન કહે છે, તેમજ નિર્ગુણ, નિષ્ક્રિય અને મૂઢ એવા કપિલને દેવ કેવી રીતે મનાય ? સર્વ દોષોના આશ્રય સમાન ગણપતિ, સ્કંદ-કાર્તિકેયસ્વામી, પવન વગેરેને દેવો કેવી રીતે કહી શકાય ? વળી જે ગાય પશુ છે, વિષ્ટા ખાનારી પોતાના જ પુત્ર સાથે મૈથુન સેવે છે, અને શિંગડાઓથી જંતુઓનો ઘાત કરે છે, તેને વંદન કેમ કરાય ? દૂધ આપનાર છે, માટે જો વંદનીય ગણો, તો ભેંશ નમન કરવા યોગ્ય કેમ નહિ ? ભેંશ કરતાં ગાયમાં કંઈપણ વિશેષતા નથી. વળી જો ગાયને દરેક તીર્થ, ઋષિ અને દેવોનું સ્થાનક માનતા હો, તો પછી તેને વેચો છો, દોહો છો, અને હણો છો કેમ ? વળી જેઓએ સાંબેલા, ખાણીયા, ફૂલો, ઉંબરો, પીપળો, જળ, લિંબડો આકડો એ વગેરેને દેવસ્વરૂપે જેઓએ કહેલા છે, તેમાંથી કોનો તેમણે ત્યાગ કર્યો છે ? વીતરાગસ્તોત્રમાં પણ અમે કહ્યું છેઃ “ઉદર અને ઉપસ્થ-ઈન્દ્રિયવર્ગથી વિડમ્બિત થયેલા દેવોથી મૃતકૃત્ય બનેલા અન્ય દેવાસ્તિકો-અમે દેવને માનનારા છીએ-એવી બુદ્ધિ ધારણ કરનારા કુતીર્થિકો-આપના જેવાનો અપલાપ કરે એ-ખરેખર દુઃખનો વિષય છે.” (વીતરાગસ્તોત્ર ૬/૮) | ૭ || ગુરૂનું લક્ષણ કહે છેઃ ६४ महाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः 1 11 2 11 ગુરૂનું સ્વરૂપ અર્થ : મહાવ્રત ધારણ કરનારા, ઉપસર્ગો અને પરિષહોમાં ધૈર્ય ધારણ કરનારા, ભિક્ષામાત્રથી આજીવિકા નભાવનારા સામાયિક ચારિત્રમાં રહેલા, શુદ્ધ મોક્ષમાર્ગનો ધર્મોપદેશ આપનારા ગુરૂઓ માનેલા છે. ॥ ૮ ॥ 66 ટીકાર્થ : અહિંસાદિક મહાવ્રતને ધારણ કરનાર, આપત્તિકાળમાં ઉપસર્ગ કે પરિષહમાં પણ કાયરતા વગર અખંડિત મહાવ્રતને ટકાવી રાખનારા, મૂળગુણધારીપણું જણાવીને ઉત્તરગુણ-ધારીપણું જણાવવા કહે છે કે અન્ન, પાન, ધર્મોપકરણ માત્ર લોકોની પાસેથી મેળવી ભિક્ષાવૃત્તિથી નિર્વાહ ચલાવનારા, નહિં કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ધન, ધાન્ય, સોનું, ગામ કે નગરાદિકનો પરિગ્રહ રાખનારા, મૂલગુણ અને ઉત્તરગુણ ધારણ કરવામાં કારણભૂત ગુણને જણાવતા કહે છે કે, સામાયિક ચારિત્રમાં રહેલા સામાયિકમાં રહેલા હોય તે મૂલગુણ અને ઉત્તરગુણના ભેદવાળું ચારિત્ર પાળવા સમર્થ થઈ શકે છે. આ સર્વ મુનિઓનું સાધારણ લક્ષણ છે. ગુરૂનું અસાધારણ લક્ષણ કહે છે, સંવર-નિર્જરા સ્વરૂપ અગર સાધુ-શ્રાવક-સ્વરૂપ ધર્મનો ઉપદેશ આપનારા, અભિધાન-ચિંતામણિમાં અમે કહેલું છે કે- (‘ગુરૂ એમને કહેવાય, જેઓ ધર્મનો ઉપદેશ આપે.’ સદ્ભૂત શાસ્ત્રના અર્થને જેઓ કહે, તે ગુરૂઓ.) | ૮ | હવે અગુરુનું લક્ષણ કહે છે I अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु ॥ ૧ ॥ અર્થ : સર્વની અભિલાષા કરનારા, સર્વ પ્રકારના ભોજન કરનારા, સર્વ પ્રકારના પરિગ્રહવાળા, તેથી જ અબ્રહ્મચારી, ખોટો ઉપદેશ દેનારાઓને ગુરૂ માન્યા નથી. | ૯ || ६५ सर्वाभिलाषिणः सर्वभोजिनः सपरिग्रहाः ટીકાર્થ : ભક્તના સ્ત્રી, ધન, ધાન્ય, સુવર્ણ, ક્ષેત્ર, મકાન, ચોપગાં જાનવર વગેરે સર્વની અભિલાષા કરવાના સ્વભાવવાળા, તથા મદિરા, મધ, માંસ, અનંતકાય વગેરે ખાવાની ટેવવાળા હોવાથી સર્વપ્રકારનું ભોજન કરનારા, પુત્ર, સ્ત્રી, આદિના પરિગ્રહવાળા, તે કારણે અબ્રહ્મચારી, આ મહાદોષ હોવાથી અબ્રહ્મચારી વિશેષણ જૂદું જણાવ્યું. અગુરૂપણાનું અસાધારણ કારણ કહે છે- ખોટો ધર્મોપદેશ આપનારા, આમ પુરૂષના ઉપદેશથી રહિત ધર્મોપદેશ હોય, તે ધર્મનો ઉપદેશ ન કહેવાય. આવા હોય તે, ગુરૂ ન કહેવાય. || ૯ || શંકા કરી કે ધર્મોપદેશ આપે છે, તો તેમનું ગુરૂપણું છે, નિષ્પરિગ્રહત્વ આદિ ગુણોની ગવેષણા કરવાની શી જરૂર છે ? તેનું સમાધાન આપતાં જણાવે છે ६६ परिग्रहारम्भमग्ना - स्तारयेयुः कथं परान् ? स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः 1 ॥ ૨ ॥ અર્થ : પરિગ્રહ અને આરંભમાં ડૂબી ગયેલાઓ બીજાને કેવી રીતે તારી શકે ? પોતે દરદ્ર હોય, તે બીજાને શ્રીમંત બનાવી શકતો નથી. || ૧૦ || ટીકાર્થ : સ્ત્રી આદિનો પરિગ્રહ, જંતુઓની હિંસાનું કારણ થનારો આરંભ, સર્વની અભિલાષા રાખનાર, સર્વ ભોજન કરનારા હોવાથી, ભવ-સમુદ્રમાં ડૂબી ગયેલા હોય, તે બીજાને ભવસમુદ્રમાંથી તારવા માટે કેવી રીતે સમર્થ બને ? || ૧૦ || હવે ધર્મનું લક્ષણ કહે છે ધર્મનું સ્વરૂપ दुर्गतिप्रपतत्प्राणि-धारणाद्धर्म उच्यते 1 संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥ શ્o ૫ અર્થ : દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરી રાખનાર હોવાથી ધર્મ કહેવાય અને તે સર્વજ્ઞોએ કહેલ સંયમ આદિ દશપ્રકારનો છે. । ૧૧ । ६७ Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૯-૧૨ ૭૯ ટીકાર્થ : નરક, તિર્યંચ સ્વરૂપ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખનાર હોવાથી ધર્મ કહેવાય. આ શબ્દાર્થ કહ્યો, અને ધર્મનું લક્ષણ પણ આ જ છે. મનુષ્ય, દેવ અને મોક્ષસ્થાનમાં પ્રાણીઓને સ્થાપન કરે, તે નિરુકતાર્થથી ધર્મ, કહ્યું છે કે- “દુર્ગતિમાં પડતા જંતુઓને ધારી રાખે અને તેઓને શુભસ્થાનમાં સ્થાપન કરે, તેથી તેને ધર્મ કહેલો છે.” તે તો આગળ કહીશું તેવો સંયમઆદિ દશ પ્રકારવાળો છે, તે સર્વશે કહેલ હોવાથી મુક્તિ માટે થાય છે. બીજા દેવતાઓનું અસર્વજ્ઞપણું હોવાથી તેમનું કથન પ્રમાણભૂત ન ગણાય. અહીં વાદી શંકા કરે છે કે, સર્વ કહેલાં વચનનો અભાવ હોવા છતાં પુરૂષ વિના કહેલા વેદવાક્યરૂપ ધર્મનું પ્રમાણપણું હો. કહ્યું છે કે, “પ્રેરણા-ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, સૂક્ષ્મ, મોટા આંતરે રહેલા દૂરના પદાર્થોને જાણવા માટે સમર્થ બની શકે છે, પણ ઈન્દ્રિયો કંઈ જાણવા સમર્થ નથી. (શાબર ભા. ૧, ૧,૨) પ્રેરણા-વૈદિક ધર્મ અપૌરુષેય હોવાથી પુરૂષસંબંધી દોષોનો તેમાં પ્રવેશ નથી, તેથી તે પ્રમાણભૂત જ છે કહ્યું છે કે –“બોલનારને આધીન શબ્દ હોય, તેમાં દોષ થવાપણું છે, કોઈ વખત ગુણવાન વક્તાથી પણ દોષનો અભાવ થાય છે. તેવા ગુણોથી રહિત હોય, તેમના શબ્દમાં દોષ સંક્રાન્ત થવાનો સંભવ હોવાથી. અથવા વક્તાના અભાવમાં આશ્રય વગરનાં દોષો રહી શકતા નથી. (મી.ગ્લો.વા. ૧-૧-ર-૬૨/૬૩) વળી દોષો છે, અગર નથી, તે પુરૂષના વચનોમાં સંભવે છે, વેદમાં કર્તાનો અભાવ હોવાથી દોષ થવાની અમને બિલકુલ શંકા નથી. + ૧૧ | આ શંકાનું સમાધાન કરતાં કહે છે ६८ अपौरुषेयं वचन-मसम्भवि भवेद्यदि न प्रमाणं भवेद्वाचां ह्याप्ताधीना प्रमाणता ॥ १२ ॥ અર્થ : પુરૂષ વગરનું વચન અસંભવિત ગણાય, અને કદાચ હોય તો તે પ્રમાણ નથી, કારણ કે વચનોની પ્રમાણતા યથાર્થ વક્તા-આખપુરૂષને આધીન છે | ૧૨ // ટીકાર્થ : પુરૂષ વડે બોલાએલ તે પુરૂષસંબંધી વચન, તે નહિ તે અપૌરુષેય વચન, કંઠ વગેરે સ્થાન, કરણ, અભિઘાત પૂર્વક બોલાય, તે વચન. અપૌરુષેય અને વચન તે પરસ્પર વિરુદ્ધ છે. આકાશમાં ત્રસરેણુ માફક વચનનો સંભવ નથી તેમજ અમૂર્તનું અદર્શન કહેવું યુક્ત નથી, પ્રમાણ ન હોવાથી, ચપટી વગાડવા રૂપ શબ્દ-શ્રવણને જ પ્રમાણ ગણતા હો તો, તે ઠીક નથી. કારણ કે તેમ માનવામાં પણ તેની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. તાળી પાડવી, ચપટી વગાડવી તે રીતે શબ્દની ઉત્પત્તિ માનવામાં તો ઉલટો અપૌરુષેયપણાનો દોષ આવે છે એક શબ્દ માટે કંઠસ્થાન, કરણ, અભિઘાતની જરૂર જણાઈ, ત્યારે તેના જેવા બીજા શબ્દો પ્રગટ કરવા માટે પણ સ્થાનાદિની જરૂર પડે. બીજા વ્યંગ્યોમાં તે જોવામાં ન આવતી હોવાથી શબ્દોની પ્રતિનિયત વ્યંજક વ્યંગ્યતા નથી. વળી ગૃહસ્થ ઘરમાં દહીંની મટકી જોવા માટે દીપક પ્રગટાવ્યો, તે વડે કરીને તેના સરખા પુડલાને પણ તે દેખાડે છે. તેથી આ રીતે વચનની અપૌરુષેયતા સંભવતી નથી. (ન્યાયમ પૃ. ૧૯૫) વળી જો અપ્રામાણિકપણાની ટેકના બલથી આકાશાદિ માફક શબ્દની અપૌરુષેયતા માનીએ, તો પણ તે પ્રમાણ નથી. કારણ કે, પ્રમાણિક-આખપુરૂષના મુખમાંથી નીકળેલી વાણી પ્રમાણભૂત ગણાય, તે સિવાયની પ્રમાણ ન ગણાય. કારણ કે “શબ્દમાં ગુણની ઉત્પત્તિ તો કહેનારને આધીન હોય છે, પણ દોષયુક્ત બોલનારથી તો ગુણનો અભાવ છે. તે દોષોથી રહિતના શબ્દમાં તો સંક્રાન્તિનો અસંભવ છે. અર્થાત્ તેવા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શબ્દોની પ્રતીતિ થતી નથી, અથવા કહેનાર ન હોવાથી આશ્રય વગર ગુણો રહી શકતા નથી. વળી આ ચનોમાં ગુણ છે કે નથી, તે પણ પૌરુષેય વચનોમાં નક્કી કરી શકાય છે, વેદમાં તો કર્તાનો અભાવ હોવાથી તેમાં ગુણો છે-એવી અમને શંકા પણ થતી નથી.” | ૧૨ // એ પ્રમાણે અપૌરુષેય વચન-કથનની અસંભાવના વગેરે વડે તેનો અભાવ જણાવીને અસર્વજ્ઞ પુરૂષ કહેલા ધર્મનું અપ્રામાણિકપણું જણાવે છે ६९ मिथ्यादृष्टिभिराम्नातो-हिंसाद्यैः कलुषीकृतः । स धर्म इति वित्तोऽपि, भवभ्रमणकारणम् ॥ १३ ॥ અર્થ : મિથ્યાદષ્ટિઓએ પ્રવર્તાવેલો, હિંસાદિક વડે કલુષિત કરેલો ધર્મ તરીકે પ્રસિદ્ધિ પામવા છતાં તે ભવ-ભ્રમણના કારણ સ્વરૂપ સમજવો. | ૧૩ // ટીકાર્ય : હરિ, મહાદેવ, બ્રહ્મા, કપિલ, બુદ્ધ વગેરે મિથ્યાદષ્ટિઓએ પ્રવર્તાવેલ, જેને ભોળી બુદ્ધિવાળાઓએ ધર્મ તરીકે સ્વીકાર્યો છે, પરંતુ તે તો ભવ-બ્રમણનું કારણ હોવાથી અધર્મ જ છે કેવી રીતે? તે કહે છે, હિંસા વગેરેથી દૂષિત બનાવ્યો છે. મિથ્યાદષ્ટિએ બનાવેલાં શાસ્ત્રો હિંસાદિક દોષોથી દૂષિત છે. || ૧૩ ||. હવે અદેવ, અગુરૂ અને અધર્મના તિરસ્કાર પૂર્વક ખંડન કરે છે ७० सरागोऽपि हि देवश्चेद् गुरु रब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥ १४ ॥ અર્થ : જો રાગી દેવ હોય, અબ્રહ્મચારી પણ ગુરૂ હોય અને જો દયાહીન પણ ધર્મ હોય, તો તો પછી ખેદની વાત છે કે આ જગતુ વિનાશ પામ્યું છે. || ૧૪ | ટીકાર્થ : રાગ, દ્વેષ અને મોહવાળા દેવ હોય, પ્રાણાતિપાત વગેરે પાંચ મહાપાપો સેવનારા ગુરૂ હોય, મૂલ અને ઉત્તરગુણથી રહિત જો ધર્મ હોય તો, અમને પારાવાર ખેદ અને અફસોસ થાય છે કે દેવ, ગુરૂ અને ધર્મ વગરનું દુર્ગતિ ગમન કરનાર જગત્ વિનાશના પામ્યું છે કહેલું છે કે- “હે સખિ ! જો દેવ રાગી હોય, દ્વેષી દેવ હોય, દેવ શૂન્ય પણ હોય, મદિરાપાનમાં ધર્મ હોય, માંસમાં ધર્મ હોય, જીવહિંસામાં ધર્મ હોય ગુરૂઓ વિષયોમાં રક્ત, કામમાં મત્ત અને કાન્તામાં આસક્ત બનેલા હોય, તેવા પણ વળી પૂજ્ય ગણાતા હોય તો ખેદની વાત છે કે આમ-તેમ ગમે-તેમ વર્તતા લોકો વિનાશના માર્ગે જઈ રહેલા છે. આ પ્રમાણે અદેવ, અગુરૂ, અધર્મના પરિહાર-પૂર્વક દેવ, ગુરુ અને ધર્મની પ્રતીતિ સ્વરૂપ સમ્યક્તની સુંદર વ્યવસ્થા સમજાવી, તે શુભ આત્મ-પરિણામરૂપ છે, આપણા સરખાને પરોક્ષ, માત્ર તેનાં ચિહ્નો દ્વારા જાણી શકાય છે, તે જણાવવા કહે છે | ૧૪ || સમ્યક્તનું સ્વરૂપ : ७१ शमसंवेगनिर्वेदा-ऽनुकम्पाऽऽस्तिक्यलक्षणैः । लक्षणैः पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥ १५ ॥ અર્થ : ૧. શમ્ ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય આ પાંચ લક્ષણો દ્વારા સમ્યક રીતે સમ્યક્ત ઓળખી શકાય ૧૫ // Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૩-૧૫ ૮૧ ટીકાર્થ : બીજા આત્મામાં રહેલું અગર આપણા આત્મામાં રહેલું પરોક્ષ પણ સમ્યક્ત શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ પાંચ લિંગોથી જાણી શકાય છે. ૧ શમ - એટલે પ્રશમ અર્થાત્ ક્રૂર અનંતાનુબંધી કષાયોનો અનુદય, તે સ્વભાવથી અથવા કષાયપરિણતિનાં કડવાં ફલ જોવાથી કષાયોની ઉદયાવસ્થા રોકે. કહ્યું છે કે :- કર્મ-પ્રકૃતિઓના અશુભ વિપાકો જાણીને આત્માનો ઉપશમભાવ કેળવીને હંમેશાં અપરાધ કરનાર ઉપર પણ કોપ ન કરે. (શ્રા.પ્ર. પ૫) કેટલાક વળી ક્રોધ-ખંજવાળ અને વિષય-તૃષ્ણાના ઉપશમને શમ કહે છે. સમ્યગ્દર્શન પામેલો અને સાધુઓની સેવા કરનાર ક્રોધ ખંજવાળ અને વિષયતૃષ્ણાવાળો કેવી રીતે બને? બીજી બાજુ એ બંનેના ઉપશમને શમ કહીશું, તો પછી અપરાધી અને નિરપરાધી ઉપર ક્રોધ કરનાર કૃષ્ણ અને શ્રેણિક જેઓ વિષયની તૃષ્ણા અને ક્રોધની ખંજવાળવાળા છે, તેઓને શમ કેવી રીતે માની શકાય ? શમના અભાવમાં સમ્યક્ત ન માનવું ? એમ નહીં લુહારની ભઠ્ઠીમાં ધૂમાડા વગરનો રાખથી ઢંકાયેલ અગ્નિ હોય છે, તે અગ્નિમાં લગાર પણ ધૂમાડો હોતો નથી તે સંબંધી નિયમ એવા પ્રકારનો છે કે, ચિહ્ન લિંગની પરીક્ષા ચોક્કસ કરી હોય તો, લિંગી અવશ્ય હોય જ કહ્યું છે કે :- “ચિહ્ન હોય તો ચિહ્નવાળો અવશ્ય હોય જ. અને ચિહ્નવાળામાં ચિહ્નની ભજના સમજવી.' જેમ કે ધૂમ ચિહ્ન હોય, ત્યાં ધૂમ ચિહ્નવાળો અગ્નિ હોય જ, પણ લાલ અંગારાવાળો એકલો અગ્નિ ધૂમાડા વગરનો હોય, ત્યાં ધૂમ ચિહ્ન હોવાનો નિયમ નથી. લિંગલિંગીનો સંબંધ નિયમના વિપર્યાસમાં હોય છે કૃષ્ણ, શ્રેણિકને સંજ્વલન કષાયના ઉદયથી ક્રોધ ખંજવાળ અને વિષયતૃષ્ણા થયેલ છે સંજ્વલન એવા કષાયો પણ તીવ્રપણાથી અનંતાનુબંધી સરખા વિપાકવાળા હોય છે. આ સ્પષ્ટ હકીકત છે. - ૨ સંવેગ - એટલે મોક્ષની જ અભિલાષા. સમ્યગ્દષ્ટિ આત્મા રાજાનાં અને ઈન્દ્રનાં વિષય સુખોને દુઃખ-મિશ્રિત હોવાથી દુઃખસ્વરૂપ માનનારો અને મોક્ષસુખને જ સુખસ્વરૂપ માનનારો અને અભિલાષા કરનારો હોય છે. કહ્યું છે કે મનુષ્યોનાં અને ઈન્દ્રનાં સુખને ભાવથી દુઃખ માનતો સંવેગથી મોક્ષ સિવાય બીજી કોઈ પ્રાર્થના કરતો નથી.” (શ્રા.પ્ર.૫૬) ૩ નિર્વેદ - એટલે ભવનો કંટાળો. સમ્યગ્દર્શની આત્મા દુઃખ અને દુર્ગતિથી ગહન સ્વરૂપ ભવરૂપી કેદખાનામાં કર્મરૂપી દંડપાશિકો વડે તેવી તેવી કદર્થનાઓ સહન કરતો તેનો પ્રતિકાર કરવા અસમર્થ મમત્વના ઝેરના વેગરહિત નિર્વેદથી દુઃખ અનુભવતો રહે છે. (શ્રા.પ્ર.૫૭) કેટલાક આચાર્યો સંવેગ અને નિર્વેદના અર્થો વિપરીત કરે છે, સંવેગ એટલે ભવનો વૈરાગ્ય અને નિર્વેદ એટલે મોક્ષાભિલાષ ૪. અનુકંપા - એટલે દુઃખી પ્રાણીઓ ઉપર આ મારો સંબંધી છે, એવા પ્રકારના પક્ષપાતરહિત બની દુ:ખીના દુ:ખને નાશ કરવાની ઈચ્છા. પક્ષપાતથી કરુણા તો વાઘ, સિંહ વગેરેને પણ પોતાનાં બચ્ચાં ઉપર હોય છે. તે અનુકંપા દ્રવ્ય અને ભાવ એમ બે ભેદવાળી છે. દ્રવ્યથી અનુકંપા તે કહેવાય કે, પોતાની શક્તિ હોય તો સામાના દુઃખનો પ્રતિકાર કરી દુઃખ દૂર કરવું અને ભાવથી-કોમળ હૃદયથી જે માટે કહ્યું છે - ભયંકર ભવ-સમુદ્રમાં દુઃખ અનુભવતા જીવસમૂહને દેખી પક્ષપાત વગરની બંને પ્રકારની અનુકંપા પોતાના સામર્થ્ય અનુસાર કરવી. (શ્રા.પ્ર.૫૯) ૫. આસ્તિષ્પ- જીવ,દેવલોક, નારકી, પરલોક, કર્મ, તેનાં ફળ એ વગેરે છે-એવા પ્રકારની જેની મતિ છે, તે આસ્તિક, તેનો ભાવ કે કર્મ તે આસ્તિક્ય બીજા ધર્મનાં તત્ત્વ સ્વરૂપ સાંભળવા છતાં પણ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બીજા ધર્મની અભિલાષા ન થાય. જીવનો ધર્મ સમ્યક્ત પરોક્ષ હોવા છતાં પણ આસ્તિક્યથી ઓળખી શકાય છે. તેવા સમ્યક્તવાળો આસ્તિક કહેવાય છે. “જિનેશ્વરોએ જે પ્રરૂપેલું છે. તે જ સત્ય અને શંકા વગરનું છે' એવા શુભ પરિણામવાળો અને કાંક્ષાદિ દોષથી રહિત હોય, તે સમ્યક્તી ગણાય છે. વળી કેટલાક આચાર્ય શમ આદિ લિંગોની વ્યાખ્યા જુદી રીતે કરે છે. સારી રીતે પરીક્ષા કરેલ વક્તાના રચેલા આગમોનાં તત્ત્વોમાં આગ્રહ રાખી મિથ્યા અભિનિવેશનો ઉપશમ કરવો, તે શમ. તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જે અતત્ત્વનો ત્યાગ કરી તત્ત્વને પામેલ છે, તે સમ્યગ્દર્શનવાળો છે. સંવેગ એટલે ભયથી જિનપ્રવચનને અનસરનાર અને તેની શ્રદ્ધા કરનાર. નરકોમાં શારીરિક, માનસિક, શીત અને ઉષ્ણાદિકથી થયેલ વેદના સંકિલષ્ટ પરિણામવાળા પરમાધામીઓ અને પૂર્વભવના વેરવાળા બીજા નારકીઓ પરસ્પર ઉદીરણા કરતાં | વેદનાઓ. તિર્યંચગતિમાં ભાર ઊંચકવાનું, પરાધીનતા, લાકડી, ચાબુકના માર ખાવા મનુષ્યોમાં દરિદ્રતા, દુર્ભગતા, રોગ વગેરે વિટંબણા દેખીને તેનાથી ભય પામેલા, તેની શાંતિના ઉપાયભૂત ધર્માનુષ્ઠાન કરતા એવાનું સમ્યગ્દર્શન જણાય છે અથવા આને સમ્યગ્દર્શને વર્તે છે. નિર્વેદ એટલે વિષયમાં અનાસક્તિ, જેમ કે “આ લોકમાં જીવોને દુરંત કામભોગમાં આસક્તિ, તે અનેક ઉપદ્રવ-ફળવાળી છે અને પરલોકમાં તેકટુક નરક, તિર્યંચ, મનુષ્ય જન્મ ફલને આપનાર છે, માટે આ કામભોગોથી સર્યું. આ છોડવા લાયક જ છે. આવા પ્રકારના નિર્વેદથી પણ આને સમ્યગ્દર્શન છે-એમ નક્કી કરી શકાય છે અનુકંપા એટલે કૃપા, જેમ કે સર્વ જીવો સુખના અર્થી અને દુઃખથી દૂર ભાગનારા છે, માટે મારે તેમને પીડા ના કરવી. આથી પણ આનામાં સમ્યગ્દર્શન છે-એમ સમજી શકાય છે. જિનેન્દ્રના પ્રવચનમાં ઉપદેશેલા અતીન્દ્રિય એવા જીવ, કર્મ, પરલોક, પુણ્ય, પાપ આદિક ભાવો નક્કી છે જ-એવા પરિણામ હોય તે આસ્તિક્ય. આ આસ્તિક્ય વડે કરીને પણ આ સમ્યગ્દર્શનવાળો છે-એમ નિર્ણય કરી શકાય છે. જે ૧૫ // સમ્યક્તનાં પાંચ લિંગો કહીને હવે તેનાં ભૂષણો જણાવે છેસમ્યત્ત્વનાં પાંચ ભૂષણો ७२ स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ १६ ॥ અર્થ : ૧. જિનશાસનમાં સ્થિરતા, ૨. પ્રભાવના, ૩. ભક્તિ, ૪. જિનશાસનમાં કુશળતા અને ૫. તીર્થોની સેવા. આ પાંચ સમ્યક્ત્વનાં ભૂષણો કહ્યાં છે. || ૧૬ | ટીકાર્થ : જેનાથી શોભા કરાય, તે ભૂષણો કહેવાય. આ જિનશાસનને શોભાવનાર પાંચ ભૂષણો કહેલાં છે. જૈનધર્મ સંબંધી જે સ્થિરતા, બીજા ચલાયમાન ચિત્તવાળા થયા હોય, તેને પણ સ્થિર બનાવવા, બીજા અન્ય દર્શનીઓની ઋદ્ધિ-સમૃદ્ધિ કે ચમત્કાર દેખીને પણ જિનશાસન પ્રત્યે નિષ્પકંપતા જૈનશાસન ન પામેલાઓને જૈનેન્દ્રશાસનની પ્રભાવના દ્વારા તેઓ પણ આ શાસન પ્રત્યે અનુરાગવાળા થાય, તેવા પ્રકારનાં નિમિત્તોથી તેમને પ્રભાવિત કરવા રૂપ પ્રભાવના. તે આઠ પ્રકારની છે. ૧ પ્રવચની, ૨ ધર્મકથી, ૩ વાદી, ૪ નૈમિત્તિક, ૫ તપસ્વી, ૬ વિદ્યાવાળા, ૭ સિદ્ધ, અને ૮ કવિ એ આઠ પ્રભાવકો છે. વ્ય.ભા.) તેમાં જે દ્વાદશાંગી રૂપ પ્રવચન અથવા ગણિપિટક એવા અતિશયવાળા જ્ઞાનને ધારણ કરનાર, તેને યુગપ્રધાનાગમ પણ કહી શકાય તે પ્રથમ પ્રવચની જેને ધર્મોપદેશ આપવાની સુંદર શક્તિ હોય જેની મધુર વાણીથી અનેકને ધર્મનો પ્રતિબોધ થાય તે, બીજો ધર્મકથી. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ લક્ષણવાળી ચતુરંગી સભામાં પ્રતિપક્ષનું ખંડન કરી પોતાના પક્ષનું સ્થાપન કરવાના સામર્થ્યવાળો Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૬-૧૭ ૮૩ ત્રીજો વાદી. ત્રણેકાળ સંબંધી લાભાલાભને જણાવનાર નિમિત્તશાસ્ત્ર ભણેલા હોય, ચોથો નૈમિત્તિક, અઠ્ઠમઆદિ વિકૃષ્ટ-કઠોર તપ કરનાર પાંચમો તપસ્વી. પ્રજ્ઞપ્તિ, રોહિણી આદિ વિદ્યાદેવીઓ જેમાં સહાય કરનાર હોય તેવી પ્રજ્ઞપ્તિ રોહિણી વિદ્યાવાળો તે છઠ્ઠો. અંજન, પાદલેપ, તિલક કરવાની ગુટિકા, સમગ્ર લોકોને આકર્ષણ કરવાની, આશ્ચર્ય પમાડવાની તથા વૈક્રિય લબ્ધિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, તે સાતમો સિદ્ધ. ગદ્ય-પદ્યાદિ વર્ણનાત્મક પ્રબંધો કે કાવ્યોની રચના કરનાર આઠમો કવિ. આ પ્રવચની આદિ આઠ પ્રકારે ભગવંતના શાસનની પોતાની શક્તિ અનુસાર, દેશ-કાળાદિકને અનુરૂપ સહાય કરનાર પ્રભાવક, તેઓનું કર્મ તે પ્રભાવના. બીજું ભૂષણ ભક્તિ-વિનય, વૈયાવૃત્ય કરવા રૂપ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર દ્વારા ગુણાધિકને વિષે, આવે ત્યારે ઉભા થવું, સામે જવું, મસ્તકે અંજલિ કરવી, પોતે આસન આપવું, ગુણાધિકે આસન સ્વીકાર્યા પછી પોતે આસન ગ્રહણ કરવું, વંદના, પર્યુપાસના, અનુગમનપાછળ ચાલવું, આઠ પ્રકારનાં કર્મને દૂર કરનાર હોવાથી આઠ પ્રકારનો ઉપચાર કરવા રૂપ વિનય કરવો, વૈયાવચ્ચ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવીન સાધુ, માંદો, કુલ, ગણ, સંઘ, સાધુ સમનોજ્ઞ એટલે મનોહર જ્ઞાનાદિકવાળા. આ દશને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર ઉપાશ્રય, પાટ-પાટલા-પાટીયાં, સંસ્તારક વગેરે ધર્મનાં સાધનો આપવાં, સેવા ઔષિધ આપવી, મુશ્કેલીવાળા માર્ગમાં સહાયક બનવું, ઉપસર્ગનિવારણરૂપ વૈયાવૃત્ય કરવું. જિનશાસનના વિષયમાં નિપુણતાવાળા બનવું, જેમ અનાર્યદેશવાસી આર્દ્રકુમારને શ્રેણિકપુત્ર અભયકુમારે કુશળતાથી પ્રતિબોધ કર્યો. નદી આદિ સુખપૂર્વક ઉતરવા માટે જેમ ઘાટ હોય, તેમ સંસાર પાર પામવા માટે સુખેથી પાર પામવાનો માર્ગ તીર્થ કહેવાય. દ્રવ્ય અને ભાવ એમ બે ભેદવાળું તીર્થ. તીર્થંકરોના જન્મ. દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણસ્થાન એ દ્રવ્ય-તીર્થ કહેવાય જે માટે કહેલું છે કે :—“તીર્થંકર મહાનુભાવોના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ જ્યાં થયાં હોય, તે સ્થાન દ્રવ્યતીર્થ કહેવાય, તેનાં દર્શન અવશ્ય કરવાં જોઈએ”:– ભાવતીર્થં તો ચતુર્વિધ સંઘ, શ્રમણસંઘ, કે પ્રથમગણધ૨. કહ્યું છે કે- “હે ભગવંત ! તીર્થ તીર્થંકર કે તીર્થ ? હે ગૌત્તમ ! અર્હન્તો તો નક્કી તીર્થંકર છે જ, ચાર વર્ણવાળો શ્રમણસંઘ, અથવા પહેલા ગણધર, તે તીર્થ. (ભગ. ૬૮૨) આવા તીર્થની સેવા, તે તીર્થ-સેવા. || ૧૬ || આ પ્રમાણે સમ્યક્ત્વનાં ભૂષણો કહીને તેનાં દૂષણો કહે છેસમ્યક્ત્વનાં પાંચ દૂષણો ७३ शङ्का - काङ्क्षाविचिकित्सा - मिथ्यादृष्टिप्रशंसनम् । तत्संस्तवश्च पञ्चापि, सम्यक्त्वं दूषयन्त्यमी ॥ १७ ॥ અર્થ : ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. મિથ્યાદૅષ્ટિની પ્રશંસા અને ૫. મિથ્યાદૃષ્ટિથી પરિચય કરવો. આ પાંચેય સમ્યક્ત્વને દૂષિત કરનારાં છે || ૧૭ ॥ ટીકાર્થ : શંકાદિક પાંચે દૂષણો નિર્દોષ એવા સમ્યક્ત્વને અતિશયપણે દૂષિત કરે છે શંકા- એટલે સંદેહ થવો, તે સર્વવિષય અને દેશવિષય, સર્વવિષય શંકા- ‘ધર્મ હશે કે નહિ ?’ અને દેશવિષય શંકા-ધર્મ વિષયક કોઈ એકાદ વસ્તુમાં શંકા થાય. જેમ કે આ જીવ છે, પણ તે સર્વગત કે અસર્વગત ? પ્રદેશવાળો કે અપ્રદેશવાળો હશે ? આ બંને પ્રકારની શંકા અરિહંત ભગવંતે પ્રરૂપેલા પ્રવચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને મલિન કરે છે. માત્ર આગમથી જાણી શકાય તેવા પણ પદાર્થો આપણા સરખાની પ્રમાણ પરીક્ષામાં નિરપેક્ષ આપ્ત પુરૂષોએ પ્રરૂપેલ હોવાથી શંકા કરવા યોગ્ય Page #135 -------------------------------------------------------------------------- ________________ ८४ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નથી જ્યાં કદાચ મોહવશ કોઈક સંશય પ્રગટ થાય, તો ત્યાં પણ ન તૂટે તેવી અર્ગલા આ પ્રમાણે ધારણ કરવી કોઈક તેવા ગંભીર વિષયમાં આપણી દુર્બલ મતિના કારણે, તેવા પ્રકારના સમાધાન આપનાર આચાર્યના વિરહમાં સમજવા યોગ્ય પદાર્થના ગહનપણાને અંગે, આપણા જ્ઞાનાવરણના ઉદયથી, હેતુ, ઉદાહરણના અસંભવમાં, આપણાથી બરાબર તેવો અર્થ ન સમજી શકાય, તો બુદ્ધિશાળી શ્રદ્ધાળુ એમ ચિંતન કરે કે- સર્વજ્ઞ ભગવંતો યથાર્થ પદાર્થ કથન કરનારા હોય છે. કોઈના તરફથી ઉપરની આશાઅપેક્ષા વગર બીજાઓ પર ઉપકાર કરવામાં પરાયણ, જગતમાં સર્વશ્રેષ્ઠ એવા જિનેશ્વરો રાગ, દ્વેષ અને મોહને જિતેલા હોવાથી કદાપિ અન્યથા કથન કરનાર-ફેરફાર કહેનારા હોતા નથી. (ધ્યાન શતક ૪૭૪૮-૪૯) સૂત્રમાં કહેલ એક અક્ષરની પણ અશ્રદ્ધા થાય, તો તે મનુષ્ય મિથ્યાષ્ટિ થાય છે. જિનેશ્વરોએ કહેલ હોવાથી સૂત્ર આપણને પ્રમાણ છે. કાંક્ષા- એટલે બીજાં બીજાં દર્શનની ઈચ્છા, તે પણ સર્વ અને દેશ વિષયવાળી બે પ્રકારે સમજવી, સર્વવિષયક તો સર્વ પાખંડીઓના ધર્મની આકાંક્ષા થવારૂપ, અને દેશકાંક્ષા તો એકાદ દર્શન-વિષયક, જેમ કે, “સુગત બુદ્ધ ભિક્ષુઓને વગર કલેશવાળો ધર્મ ઉપદેશ્યો અને વળી તેમાં પણ સ્નાન કરવાનું, ભાવતાં ભોજન-પીણાં, વસ્ત્રો, શયન વગેરે સુખનો અનુભવ કરી શકાય, તેવો સહેલો ધમમાર્ગ કહ્યો.' કહ્યું છે કે- “કોમળ-મુલાયમ શયામાં શયન કરવું, સવારે ઉઠીને મીઠી રાબ પીવી, દિવસના મધ્યભાગે ભોજન, પાછલા પહોરે મધુર પીણાં લેવાં, મધ્યરાત્રે દ્રાક્ષ અને સાકર, આ સર્વને છેડે શાક્યસિંહે મોક્ષ દેખેલો છે” આ પણ વાત ફાવતી આવતી હોવાથી તેમને ઘટે છે. વળી પરિવ્રાજક, ભૌત, બ્રાહ્મણ આદિ વિષયોને ભોગવનાર જ પરલોકમાં સુખ સાથે સંબંધવાળા થાય છે એટલે આ ધર્મ પણ સાધવા યોગ્ય છે.” એવી રીતે કાંક્ષા પણ પરમાર્થથી ભગવંત અરિહંતોએ પ્રરૂપેલા આગમમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્તને દૂષિત કરે છે. વિચિકિત્સા - એટલે ચિત્તની અસ્થિરતા, યુક્તિ અને આગમથી યુક્ત જિનધર્મમાં આ રેતીના કવલ સરખા સ્વાદ વગરના મોટા તપના કલેશનું ફળ મળશે કે તપ નિષ્ફળ જશે ? આ તપ તો કલેશ-સ્વરૂપ અને નિર્જરાના ફળથી રહિત છે. ખેડૂત માફક આ તપની ક્રિયા સફળ અને નિષ્ફલ બંને પ્રકારવાળી દેખાય છે, તેમ આમાં પણ થશે તો ? કહેવું છે કે - “પૂર્વના પુરૂષો યથોચિત માર્ગનું સેવન કરનારા હતા તેથી તેમને તો ફલનો યોગ ઘટી શકે, પરંતુ બુદ્ધિ અને સંઘયણથી રહિત અમને તેમના સરખા ફળની પ્રાપ્તિ ન થાય.” આ વિચિકિત્સા પણ ભગવંતના વચનમાં અશ્રદ્ધાસ્વરૂપ હોવાથી સમ્યક્તનો દોષ છે શંકાથી આ જુદી પડતી નથી એમ ન વિચારવું. શંકા હંમેશાં સમગ્ર અને અસમગ્ર પદાર્થ વિષયવાળી, દ્રવ્ય, ગુણ સંબંધી હોય. જ્યારે આ તો ક્રિયા સંબંધી વિચિકિત્સા સમજવી. અથવા વિચિકિત્સા સારા આચારવાળા મુનિ સંબંધી નિંદા કરવી છે. જેમ કે, “આ મુનિઓ સ્નાન વગરના હોવાથી પરસેવાના લીધે મેલવાળા અને દુર્ગધી દેહવાળા છે જો અચિત્ત પાણીથી અંગ ધોવે, તો તેમાં કયો દોષ લાગવાનો હતો ?' આ પણ તત્ત્વથી ભગવંતના ધર્મમાં અશ્રદ્ધાસ્વરૂપ હોવાથી સમ્યક્તનો દોષ છે. અન્યમત-પ્રશંસા-જિનાગમથી વિપરીત દર્શનવાળા-મિથ્યાદર્શનવાળાની પ્રશંસા કરવી, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારની છે. તેમાં સર્વવિષયક પ્રશંસા આ પ્રમાણે : “કપિલ આદિ સર્વદર્શનો યુક્તિયુક્ત છે'- એમ માધ્યશ્મ ભાવ જણાવનારી સ્તુતિ કરવી, તે સમ્યક્તનું દૂષણ છે. અમે સ્તુતિમાં કહેલું છેહે નાથ ! તે વાત અત્યંત નિશ્ચયવાળી છે કે, તે પરમતવાળા મત્સર કરનાર લોકની મુદ્રા-આકૃતિ કરતાં Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૮ ૮૫ તમારી મુદ્રાને અતિશયવાળી માનતા નથી. માધ્યસ્થ્ય અંગીકાર કરી જેઓ પરીક્ષકો બન્યા છે, તેઓને મણિ અને કાચના કટકામાં ફરક જણાતો નથી.' (અયોગ ૨૭) દેશવિષયક તો, ‘આ બુદ્ધનું વચન અથવા સાંખ્ય, કણાદ વગેરેનું વચન જ તત્ત્વ છે' આ તો સમ્યક્ત્વનું પ્રગટ દૂષણ છે. મિથ્યાર્દષ્ટિ-પરિયચ- તેવા મિથ્યાદષ્ટિઓ સાથે એક સ્થાનમાં સંવાસ કરવો, પરસ્પર આલાપ-સંલાપ વગેરે વ્યવહાર વધારીને તેમનો પરિચય કરવો એક સ્થાનમાં સાથે રહેવામાં તેમની પ્રક્રિયા સાંભળવાથી કે દેખવાથી દૃઢ સમ્યક્ત્વવાળો પણ દૃષ્ટિભેદવાળો બની જવા સંભવ છે, તો પછી મંદબુદ્ધિવાળો કે નવીન ધર્મવાળો તેવો બને, તેની શી વાત કરવી ? તેમનો પરિચય એ પણ સમ્યક્ત્વનું દૂષણ છે આવા પ્રકારનું સમ્યક્ત્વ વિશિષ્ટ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સામગ્રી પ્રાપ્ત થઈ હોય તો ગુરૂની સમીપે વિધિ પૂર્વક ગ્રહણ કરી યથાર્થપણે તેનું પાલન કરે. કહેલું છે કે, = “શ્રમણોપાસક ત્યાં મિથ્યાત્વથી પાછો હઠે, દ્રવ્ય અને ભાવથી પહેલાં સમ્યક્ત્વ અંગીકાર કરે તેને પરતીર્થીઓનાં, તેમના દેવોનાં, તેઓની માલિકીનાં ચૈત્યોનાં પ્રભાવના, વંદના, પૂજાદિક કાર્યો કરવાં ન કલ્પ. લૌકિક તીર્થોમાં સ્નાન, તેમ જ દાન, પિંડપ્રદાન, યજ્ઞ કરાવવા, તેમનાં વ્રતો, તપ, તથા સંક્રાન્તી, ચંદ્ર-ગ્રહણ, સૂર્ય-ગ્રહણ આદિ ઘણા લોકોનાં પ્રવાહકૃત્યો કરવાં ન કલ્પે. (મૂલ શુદ્ધિ પ્ર. ૪-૫) આવી રીતે મિથ્યાત્વમોહનીય કર્મની કંઈક ન્યૂન એક સાગરોપમ કોટાકોટી સ્થિતિ બાકી રહે, ત્યારે જીવ સમ્યક્ત્વ પામે છે, તે બાકી રહેલી સ્થિતિમાંથી વળી બેથી નવ પલ્યોપમની સ્થિતિ જ્યારે ખપાવે, ત્યારે દેશવિરતિ પામે કહ્યું છે કે :– “સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી પલ્યોપમપૃથકત્વમાં અર્થાત્ ઉપર કહ્યા પ્રમાણે બેથી નવ પલ્યોપમની સ્થિતિ વળી ખપાવે, ત્યારે વ્રતધારી શ્રાવક થાય. | ૧૭ ॥ સમ્યક્ત્વ-મૂળવાળાં પાંચ અણુવ્રતો એમ કહ્યું હતું, તેમાં સમ્યક્ત્વનું સ્વરૂપ વિસ્તારથી કહીને હવે અણુવ્રતોનું સ્વરૂપ કહે છે ७४ विरतिं स्थूलहिंसादे - द्विविधत्रिविधादिना I अहिंसादीनि पञ्चाणु - व्रतानि जगदुर्जिना: ।। ૮ । અર્થ : મન, વચન અને કાયાથી કરવું નહિં, કરાવવું નહિં, એવા છ ભેદવડે સ્થૂલ હિંસાદિકથી વિરમવું, તેને જિનેશ્વરોએ પાંચ અણુવ્રતો કહેલા છે. ।। ૧૮ I ટીકાર્થ મિથ્યાર્દષ્ટિઓમાં પણ હિંસાપણે પ્રસિદ્ધ એવી જે હિંસા, તે સ્થૂલહિંસા, અથવા ત્રસ જીવોની હિંસા, તે સ્થૂલહિંસા, સ્થૂલ ગ્રહણ કરી ઉપલક્ષણથી નિરપરાધીની સંકલ્પ પૂર્વકની હિંસાનું ગ્રહણ અને આદિ શબ્દથી સ્થૂલ જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો પણ સંગ્રહ કરવો. આ પાંચે સ્થૂલ હિંસાદિકથી જે વિરમવું અથવા નિવૃત્તિ કરવી, તે અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ નામનાં પાંચ અણુવ્રતો છે-એમ તીર્થંકરોએ પ્રતિપાદન કરેલ છે શું સામાન્યપણે વિરતિ જણાવી છે ? નહિં, દ્વિવધ, ત્રિવિધ એવા ભાંગાઓવાળી વિરતિ, તેમાં દ્વિવધ એટલે કરવું અને કરાવવું, ત્રિવિધ એટલે મન, વચન અને કાયાના ભેદવડે, એવી રીતે આ સમજવું કે, સ્થૂલહિંસા હું કરું નહિ અને બીજા પાસે કરાવુ નહિ, મન, વચન અને કાયાથી, આની અનુમતિનો પ્રતિષેધ નથી કર્યો, કારણ કે કુટુંબ, પુત્રાદિક પરિગ્રહનો સદ્ભાવ હોવાથી તેઓ હિંસાદિ કરે, તેમાં અનુમતિ આવી જતી હોવાથી નહિંતર પરિગ્રહ અને અપરિગ્રહ વચ્ચે ફરક ન રહેવાથી દીક્ષિત અને અદીક્ષિતનો ભેદ રહે નહિ શંકા કરે છે કે ભગવતી આદિ આગમમાં શ્રાવકોને પણ ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કહેલું છે તે તો શાસ્ત્રમાં કહેલ હોવાથી અનવદ્ય જ છે, તો તે Page #137 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૮૬ કેમ નથી કહેતા ? તેના સમાધાનમાં કહે છે કે, વિશેષ વિષયવાળી હકીકત આ પ્રમાણે છે- જે કોઈ દીક્ષા લેવાની અભિલાષાવાળો છે અને પુત્રાદિકના પરિવારને પાલન કરવા પ્રતિમા અંગીકાર કરે છે, અથવા જે સ્વયંભૂરમણાદિ સમુદ્રમાં રહેલા મત્સ્યાદિનાં માંસ તથા તેની સ્કૂલ હિંસાદિકનાં કોઈક તેવી વિશેષ અવસ્થામાં પ્રત્યાખ્યાન કરે, તે આવી રીતે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે છે. આ ઘણા ઓછા વિષયવાળું હોવાથી કહ્યું નથી મોટા ભાગે શ્રાવકને દ્વિવિધ ત્રિવિધનાં પચ્ચક્ખાણ હોય છે. હવે બીજા ભાંગામાં વિધ દ્વિવિધ આ પ્રમાણે-સ્થૂલહિંસા ન કરે, ન કરાવે, મનથી, વચનથી અથવા મન કે કાયાથી અથવા વચન કે કાયાથી, તેમાં જ્યારે મન અને વચનથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિપ્રાય વગરનો થઈ વચનથી પણ હિંસાને ન બોલતો કાયાથી અસંજ્ઞી જીવની માફક પાપચેષ્ટા કરે છે જ્યારે મન અને કાયાથી ન કરે, ન કરાવે, ત્યારે મનના હિંસાના અભિપ્રાયથી રહિત થઈ કાયાથી પાપ-ચેષ્ટાનો ત્યાગ કરતો, ‘અનુપયોગથી વાચાથી જ ઘાત કરું છું.' એમ બોલે જ્યારે વચન અને કાયાથી ન કરે કે ન કરાવે, ત્યારે મનથી જ અભિપ્રાય કરીને હિંસા કરે કે કરાવે. અનુમતિ તો ત્રણે પ્રકારની સર્વમાં નથી. આવી રીતે બાકીના વિકલ્પો પણ વિચારવા વિધ-એકવિધ એ ત્રીજો પ્રકાર દ્વિવિધ કરણ અને કરાવવું અને એકવિધમાં મન, વચન, કાયામાંથી કોઈ એક પ્રકાર. એકવિધ-ત્રિવિધ એ ચોથો પ્રકાર. એકવિધમાં કરવું અગર કરાવવું મન, વચન અને કાયાથી. એકવિધ-વિધ એ પાંચમો પ્રકાર-એકવિધમાં કરવું અગર કરાવવું, દ્વિવિધમાં મન અને વચન, અથવા મન અને કાયા, અગર વચન અને કાયાથી. એકવિધ-એકવિધ એ છઠ્ઠો પ્રકાર એકવિધમાં કરવું અથવા તો કરાવવું, એકવિધમાં કાં તો મનથી, કાંતો વચનથી, અથવા કાં તો કાયાથી કહેલું છે કે- (“દ્વિવિધ-ત્રિવિધ એ પ્રથમ ભંગ, દ્વિવિધ-દ્વિવિધ એ બીજો, દ્વિવિધ-એકવિધ ત્રીજો એકવિધ-ત્રિવિધ એ ચોથો, એકવિધ-વિધ પાંચમો અને એક-એક પ્રકારવાળો છઠ્ઠો ભાંગો થાય છે.) (આ.નિ. ૧૫૫૮૦-૫૯) આ ભાંગાઓ ત્રણ કરણ અને ત્રણયોગ સાથે ગણિતની રીતિએ તો તેના કુલ ૪૯ ભેદો થાય છે. તે આ પ્રમાણે મન, વચન, કાયાથી, હિંસા ન કરે, મન અને વચનથી, મન અને કાયાથી, વચન અને કાયાથી, મન, વચન અને કાયાથી, આ કરણના સાત ભાંગા, એવી રીતે કરાવવાના સાત, અનુમતિના સાત. આ પ્રકારે-હિંસા ન કરે, ન કરાવે મનથી, વચનથી, કાયાથી, મન-વચનથી, મન-કાયાથી, વચનકાયાથી, મન, વચન અને કાયાથી. આ કરણ-કારણથી થનાર સાત ભાંગા એવી રીતે કરણ અનુમતિથી સાત ભાંગા, કારણ અનુમતિથી સાત, કરણ-કારણ અને અનુમતિથી સાત, કરણ-કારણ અને અનુમતિથી થનાર સાત, એ સર્વ એકઠા કરતાં સર્વ ૪૯ ઓગણપચાસ ભાંગા થાય. આ ત્રણે કાળ વિષયક હોવાથી પચ્ચક્ખાણને ત્રણે કાળથી ગુણતાં ૧૪૭ એકસો સુડતાલીશ થાય કહેલું છે કે :—“જેણે પચ્ચકખાણમાં ૧૪૭ એકસો સુડતાલીશ માંગા પ્રાપ્ત કર્યા હોય, તે પચ્ચક્ખાણ કુશળ ગણાય તેથી ઓછા ભાંગાવાળા સર્વ ભાંગાઓ અકુશળ પચ્ચક્ખાણરૂપ ગણાય. ત્રિકાળ વિષય આવી રીતે કે- અતીતકાળમાં જે પાપો થયાં હોય, તેની નિંદા, વર્તમાનકાળનો સંવ૨ ક૨વો અને ભવિષ્યકાળ માટે પાપનાં પચ્ચક્રૃખાણ કરવાં કહેલું છે કે- “અતીત કાળનું નિંદન, વર્તમાનનું પાપ રોકવું અને ભવિષ્યકાળના પાપનું પચ્ચક્ખાણ કરું છું. આ ભાંગાઓ અહિંસા વ્રતને આશ્રીને જણાવ્યા છે, બીજા વ્રતોમાં આ પ્રમાણે ભેદો સમજી લેવા. || ૧૮ || આવી રીતે સામાન્યથી હિંસા આદિ સંબંધી વિરતિને બતાવી દરેક હિંસાદિકમાં તે બતાવવાની Page #138 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૯ ઇચ્છાવાળા હિંસાનાં કેવાં ફળ અનુભવવાં પડે છે તે કહે છે ७५ पङ्ग-कुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः ।। નિરTIઋગનૂનાં, હિંસા સત્પતિસ્યને– ૫ ૨૧ અર્થ : પાંગળાપણું કોઢીયાપણું અને હાથરહિતપણું આદિ હિંસાના ફળને જોઈને બુદ્ધિશાળી પુરુષે નિરપરાધી એવા ત્રસ પ્રાણીઓની હિંસાને સંકલ્પ માત્રથી ત્યજવી જોઈએ // ૧૯ || ટીકાર્થ : અહીં પાપનું ફળ જોયું ન હોય તો મનુષ્ય પાપથી હઠતો નથી તેથી પાપનાં ફળ બતાવીને હિંસાની વિરતિનો ઉપદેશ આપે છે. પગ હોવા છતાં ચાલવા માટે અસમર્થ હોય, તે પાંગળો-લંગડો, ચામડીના કોઢરોગવાળો, હાથ વગરનો ઠુંઠો, આદિ શબ્દથી શરીરનો નીચેનો ભાગ ખરાબ હોય, બીજા પણ અનેક રોગવાળો કાયાના ઉપરના ભાગમાં નિર્ગુણતાવાળો થાય, તે સર્વ ફળ હિંસાનું છે.- એમ દેખી બુદ્ધિશાળી પુરૂષ હોય તે તો શાસ્ત્રબલથી આ હિંસાનું ફળ ભોગવી રહેલા છે-એમ નિશ્ચય કરી હિંસાનો ત્યાગ કરે. કોની ? નિરપરાધી ત્રસાદિક બેઈન્દ્રિયાદિક જીવો, તેઓની હિંસાનો નિયમ કરે અપરાધી માટેનો નિયમ નથી કર્યો. ત્રસ ગ્રહણ કરવાથી એકેન્દ્રિય વિષયક હિંસાનો નિયમ કે અપરાધી માટેનો નિયમ નથી કર્યો. ત્રસ ગ્રહણ કરવાથી એકેન્દ્રિય વિષયક હિંસાનો નિયમ લેવા અસમર્થ છે, તથા સંકલ્પથી એમ કહ્યું, એટલે “આ જીવને માંસાદિની જરૂર માટે હણું' એવા સંકલ્પ કરવા પૂર્વક હિંસા છોડે. આરંભથી થનારી હિંસાનાં પચ્ચકખાણ લેવા-પાળવા અશકય છે, ત્યાં હંમેશાં યતના કરવી. આ વિષયને લગતા આંતર શ્લોકોના અર્થ કહે છે હવે જેઓ જીવને તથા શરીરને એકાંતે જુદા માનનારા છે, તેમના મતે દેહના વિનાશમાં પણ જીવનો વિનાશ કે હિંસા થતી નથી. વળી જીવ તથા શરીરનો એકાંતે અભેદ માનવાથી દેહના નાશમાં જીવનો પણ નાશ થાય, એટલે તેનો પરલોક નથી તેથી સ્યાદ્વાદથી જીવને ભેદાભેદ માનવામાં દેહના નાશમાં જે પીડા થાય, તે હિંસા કહેવાય છે. માટે જે હિંસામાં મરનારને દુઃખોત્પત્તિ, મનનો કલેશ અને તેના પર્યાયનો નાશ થાય, તેવી હિંસાને પંડિત પુરૂષ પ્રયત્ન પૂર્વક તજે. જે પ્રાણી પ્રમાદથી બીજાના પ્રાણનો વિનાશ કરે, તેને જ્ઞાની પુરૂષોએ સંસારવૃક્ષના બીજભૂત હિંસા કહેલી છે. પ્રાણી મરે કે ન મરે, તો પણ પ્રમાદ કરનારને નક્કી હિંસા લાગે છે, પરંતુ પ્રમોદથી રહિતને તો પ્રાણનાશ થાય, તો પણ હિંસા લાગતી નથી. નિત્ય અપરિણામી જીવની હિંસા થતી નથી, અને ક્ષણિક જીવ ક્ષણમાં નાશ પામતો હોવાથી તેની હિંસા કેવી રીતે લાગે ? માટે જીવને નિત્યાનિત્ય અને પરિણામી માનીએ તો કાયાના વિયોગથી પીડા થવાના યોગે પાપના કારણભૂત હિંસા થાય છે. કેટલાક એવું કથન કરે છે કે, “પ્રાણીઓના ઘાત કરનાર એવા વાઘ, સિંહ, સર્પ વગેરેને હણવા જોઈએ, એવા એક હિંસકનો ઘાત કરવાથી ઘણા જીવોનું રક્ષણ થાય છે'- એ વાત અયોગ્ય છે કારણ કે સર્વ પ્રાણીઓ બીજાનો નાશ કરનારા છે, પોતાના જીવન માટે સર્વની સંતવ્યતા થઈ જાય અને તેમાં થોડો લાભ થતાં મૂલમૂડીનો પ્રગટ વિનાશ છે. અહિંસાથી થનારો ધર્મ, તે હિંસાથી કેવી રીતે થઈ શકે ? જળમાં ઉત્પન્ન થનારાં કમળ અગ્નિમાં કેવી રીતે ઉગે ? પાપના હેતુભૂત વધે, તે પાપને છેદવા માટે કેવી રીતે સમર્થ બની શકે ? મૃત્યુના કારણભૂત કાલકૂટ ઝેર જીવન આપનાર બનતું નથી. સંસાર-મોચક નામનો નાસ્તિક કહે છે કે, “દુઃખીઓનો વધ થાય, તેમ ઇચ્છા કરો, દુઃખીના વિનાશથી નક્કી દુઃખનો વિનાશ થાય છે. તે કથન પણ બરાબર નથી, કારણ કે તેવા જીવો મૃત્યુ પામ્યા પછી નરકગામી બને છે, અને અલ્પદુઃખવાળા અનંતા દુઃખમાં જોડાય Page #139 -------------------------------------------------------------------------- ________________ ८८ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ છે. વળી સુખવાળા પ્રાણીઓનો ઘાત કરવાથી તેઓને પાપથી રોકવાથી ધર્મ થાય છે-આવાં તે કુતીર્થિકોનાં વચનો વિચારીને છોડી દેવા યોગ્ય છે. ચાર્વાક નામનો નાસ્તિક પણ કહે છે કે- “મૂળમાં આત્મા જ કોઈ પ્રકારે નથી, તે આત્મા વગર હિંસા કોની ? અને તેનું હિંસાફલ કોણ ભોગવે? પિષ્ટાદિકમાંથી જેમ મદ, તેમ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય પ્રગટ થાય છે અને પાંચ ભૂતોનો સમૂહ નાશ પામે, ત્યારે પંચત્વ પામ્યોએમ કહેવાય. આત્માના અભાવમાં તેના મૂલરૂપ પરલોક ઘટી શકતો નથી. પરલોકના અભાવમાં પુણ્યપાપની કથા કરવી નકામી છે. તપસ્યા એ વિચિત્ર યાતના ભોગવવા સમાન છે. સંયમ એ મળેલા ભોગોથી ઠગાવા સરખું છે.” આવાં આવાં નાસ્તિકપણાનાં મંતવ્યો બીજાને ઠસાવે છે. હવે નાસ્તિકને શાસ્ત્રકાર યુક્તિથી ઉત્તર આપી તેને નિરૂત્તર કરે છે. પોતાના શરીરમાં સ્વાનુભવથી આત્માની સિદ્ધિ થયેલી છે, “હું દુ:ખી છું, હું સુખી છું’ એવા પ્રકારની પ્રતીતિના યોગથી ‘હું ઘટને જાણું છું એમાં ત્રણ વસ્તુનું જ્ઞાન થાય છે કર્મ, ક્રિયા અને કર્તા. તેમાં કર્તાનો નિષેધ કેવી રીતે કરાશે ? વળી જો શરીરને જ કર્તા માને, તો તે કર્તા અચેતન નથી. અને ભૂત તથા ચૈતન્યના યોગથી જો માને, તો તે અસંગત છે વળી તેમને એક કર્તાપણાનો અભાવ હોવાથી “મેં દેખ્યું, સાંભળ્યું, સ્પર્શ કર્યો, સંધ્યું, ચાખ્યું, યાદ કર્યું એ વગેરે બોલવું ભૂત અને ચૈતન્યના અભેદ માનનારને ઘટી શકતું નથી. આ પ્રમાણે સ્વાનુભવથી પોતાના શરીરમાં ચેતના સ્વરૂપ આત્મા સિદ્ધ થયો, તેમ બીજાના દેહમાં પણ તેની સિદ્ધિના અનુમાનથી આત્મા સાધી શકાય છે. વળી પોતાના દેહમાં બુદ્ધિપૂર્વક થતી ક્રિયાને જોઈને, બીજાઓમાં પણ તેવી જ રીતે જાણવી. એમ પ્રમાણથી સિદ્ધ થયેલી ક્રિયાને કોણ નિવારી શકે ? તેથી પરલોકમાં જનાર જીવની સિદ્ધિ થતાં પરલોક માનવો દુર્ઘટ નથી તેવી રીતે પુણ્ય-પાપ વગેરે સર્વ આપોઆપ સ્વીકારી લેવાય છે. તપસ્યાઓ તે યાતનાઓ છે-એ વગેરે કથન ઉન્મત્ત અવિવેકીનું છે, ચેતનાવાળા કયા ડાહ્યાને તેનું કથન હાસ્ય માટે ન થાય ? તેથી જીવ બાધારહિતપણે સ્થિતિ, ઉત્પાદન અને વ્યયસ્વરૂપ છે અને જ્ઞાતા, દેખનાર, ગુણવાળો, ભોકતા, કર્તા અને કાયા જેટલા પ્રમાણવાળો છે. આ પ્રમાણે આત્માની સિદ્ધિ થતાં હિંસા કેમ ન ઘટે ? તેના પરિહાર કરવારૂપ અહિંસાવ્રત કહેવાયું. | ૧૯ / હિંસાના નિયમમાં સ્પષ્ટ દૃષ્ટાંત જણાવે છે ७६ आत्मवत्सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये ।। चिन्तयन्नात्मनोऽनिष्टां, हिंसामन्यस्य नाचेरत् ॥ २० ॥ અર્થ : જેમ પોતાને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ ભૂતોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય હોય છે. આમ વિચારતો બીજાને અનિષ્ટ એવી હિંસા ન આચરે. | ૨૦ || ટીકાર્થ : સુખ-શબ્દથી સુખનાં સાધન અન્ન, જળ, પુષ્પમાળા, ચંદનાદિ ગ્રહણ કરવાં, દુઃખ-શબ્દથી દુ:ખનાં સાધન વધ, બંધ મારણ વગેરે વિચારવા તેથી જેમ દુઃખ સાધનો પોતાના આત્માને અપ્રિય છે, તેમ સર્વ જીવોના વિષયમાં એ પ્રમાણે વિચારતો દુઃખનાં સાધનો બીજાને પણ અપ્રિય છે, માટે હિંસા ન કરવી. સુખ ગ્રહણ દષ્ટાંત સમજાવવા કહ્યું છે, જેમ પોતાને સુખ-સાધન પ્રિય છે અને દુ:ખ-સાધન અપ્રિય છે, લૌકિકો પણ કહે છે: “ધર્મનો સાર તમે સાંભળો અને સાંભળીને તમે બરાબર અવધારણ કરો કે, પોતાના આત્માને જે પ્રતિકૂળ હોય, તે બીજા પ્રત્યે તમે ન આચરો.’ || ૨૦ || શંકા કરે છે કે શાસ્ત્રમાં પ્રતિષેધેલ આચરવામાં આવે, તો દોષ લાગે ત્રસજીવોની હિંસા પ્રતિષેધેલા Page #140 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૦-૨૩ **44HZ ૮૯ છે, પણ સ્થાવરોની હિંસાનો પ્રતિષેધ કરેલ નથી, માટે તે વિષયમાં ગમે તેમ ઈચ્છા પ્રમાણે ગૃહસ્થો હિંસાની ચેષ્ટા કરે, તો વાંધો નથી ને ? તેના જવાબમાં કહે છે ७७ निरर्थिकां न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि 1 हिंसामहिंसाधर्मज्ञः काङ्क्षन्मोक्षमुपासकः ૫ ૨૧ ॥ અર્થ : અહિંસા ધર્મને સમજના૨, મોક્ષની ઈચ્છા કરતો શ્રાવક સ્થાવર જીવોને વિષે પણ બિનજરૂરી હિંસા ન કરે. ॥ ૨૧ || ટીકાર્થ : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસા ન કરવી જોઈએ. શરીર, કુટુંબના નિર્વાહ માટે પણ બિનજરૂરી હિંસાનો નિષેધ કરેલો છે. શરીર, કુટુંબના પ્રયોજન વગરની હોય તેવી હિંસા શ્રાવક ન કરે. અહિંસા-લક્ષણ ધર્મને જાણનાર પ્રતિષિદ્ધ વસ્તુ વિષયક જ અહિંસા ધર્મ છે, એટલું નહિ, પણ અપ્રતિષિદ્ધમાં તે યતનારૂપ અહિંસા ધર્મ છે, તેથી તથાપ્રકારે ધર્મને સમજતો સ્થાવોની પણ બિનજરૂરી નિરર્થક હિંસા ન કરે. શંકા કરે છે કે, પ્રતિષેધેલ વિષયવાળી અહિંસા હો, આટલી ઝીણવટવાળી નજર શા માટે કરવી ? મોક્ષની અભિલાષા કરતો શ્રાવક સાધુ માફક શા માટે વગર ફોગટની હિંસા આચરે ? | ૨૧ || શંકા પૂર્વક કહે છે કે, નિરંતર હિંસા કરવામાં તત્પર બનેલો પોતાનું સર્વધન અને સર્વસ્વ આપીને પાપની વિશુદ્ધિ કરે, આ હિંસા પરીહારના કલેશથી સર્યું. તેના જવાબમાં કહે છેप्राणी प्राणितलोभेन, यो राज्यमपि मुञ्चति 1 तद्वधोत्थमघं सर्वो-वदानेऽपि न शाम्यति ७८ ૫ ૨૨ ૫ અર્થ : જે જીવ જીવવાના લોભથી આખા રાજ્યનો પણ ત્યાગ કરે છે, તેવા જીવનો વધ કરવાથી ઉત્પન્ન થયેલ પાપ સર્વ પૃથ્વીનું દાન કરે તો પણ હિંસાના પાપથી છૂટી શકાતું નથી. ॥ ૨૨ ॥ ટીકાર્થ : મરતા જીવને સુવર્ણના પર્વતો કે રાજ્ય આપો, તો પણ તે જીવ અનિષ્ટનો ત્યાગ કરી જીવવાની અભિલાષા કરે છે, તેથી જીવન પ્રિય ગણનારા પ્રાણીઓના વધથી ઉત્પન્ન થયેલ પાપ, સમગ્ર પૃથ્વીનું દાન આપવાથી પણ શાન્ત થતું નથી, શ્રુતિમાં કહેલું છે કે, ભૂદાન એ સમગ્ર દાનોમાં ચડીયાતુ છે. || ૨૨ || હવે ચાર શ્લોકથી હિંસા કરનારની નિંદા કહે છે ७९ वने निरपराधानां वायुतोयतृणाशिनाम् 1 निघ्नन् मृगाणां मांसार्थी विशिष्येत कथं शुनः ? ॥ २३ ॥ અર્થ : વનમાં રહેનારો નિરપરાધી અને હવા, પાણી તથા ઘાસ ખાનારાં પશુઓને હણનારો માંસનો અર્થી આત્મા કુતરાથી વિશેષ કેવી રીતે હોય ? || ૨૩ || " ટીકાર્થ : વનમાં વાસ કરનાર, નહિં કે પારકું પડાવી લેનાર ભૂમિવાસીઓ. તેવા પણ કદાચ અપરાધ કરનાર હોય, તે માટે કહે છે કે, પરધન-હરણ, પારકાનાં ઘર ભાંગવાં, બીજાને મારવા, લૂંટવા વગેરે અપરાધથી રહિત નિરપરાધપણામાં હેતુ જણાવે છે કે વાયુ, જળ અને તૃણભક્ષણ કરનાર, આ ત્રણે પારકાં ન હોવાથી તેનું ભક્ષણ કરનાર અપરાધી નથી. માંસાર્થી તે અહીં મૃગના માંસનો અર્થ એમ સંબંધ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૦. યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ કરવો. મૃગ કહેવાથી અહીં અટવીમાં ફરતા પ્રાણીઓ ગ્રહણ કરવા આવી રીતે મૃગના માંસ ખાવાનો અર્થી નિરપરાધી મૃગોનો વધ કરવામાં તત્પર મનુષ્યની પિંડીના માંસમાં લુબ્ધ કૂતરાથી કઈ રીતે ઓછો ગણાય ? અર્થાત્ તે કૂતરા સરખો સમજવો. || ૨૩ / ૮૦ તીર્થમUT: શેનાપિ, યઃ વાકે ઉન્ત તૂર્ત | निर्मन्तून् स कथं जन्तू-नन्तयेन्निशितायुधैः ॥ २४ ॥ અર્થ : જે આત્મા પોતાના શરીરમાં ભોંકાતી ઘાસની સળીથી દુઃખી થાય છે. તેવો આત્મા તીક્ષ્ણ હથિયારો વડે અપરાધ વગરના પ્રાણીઓને શા માટે મારે ? | ૨૪ | ટીકાર્થ : જો ડાભની અણી પોતાના શરીરમાં ભોંકાય છે, તો પોતે ખરેખર તેટલા માત્રથી દૂભાય છે, તો પછી તે તીક્ષ્ણ હથીયારોથી નિરપરાધી જન્તુઓના પ્રાણ કેમ હણી શકે ? આત્માનુસાર પરપીડાને ન જાણનાર નિંદાપાત્ર છે. તેમજ શિકારના વ્યસની ક્ષત્રિયોને કોઈકે કહ્યું છે કે, “આ વિષયમાં પરાક્રમ હોય તે રસાતલ પામો, અશરણ, નિર્દોષ અને અતિનિર્બલને જે અધિક બળવાળો હણે, આ નીતિ કયા પ્રકારની સમજવી.? મહાખેદની વાત છે કે આ જગત્ અરાજકતાવાળું થઈ ગયું છે.” | ૨૪ || ८१ निर्मातुं क्रूरकर्माणः क्षणिकामात्मनो धृतिम् । समापयन्ति सकलं, जन्मान्यस्य शरीरिणः ॥ २५ ॥ અર્થ : શિકાર આદિ ક્રૂર કાર્ય કરનારાં પુરષો પોતાના ક્ષણવારની ધીરજ માટે અન્ય આત્માના સંપૂર્ણ જન્મનો નાશ કરે છે || ૨૫ / ટીકાર્થ : હિંસાદિક રૌદ્ર કર્મ કરનાર પારધી (શિકારી) આદિ પોતાને ક્ષણિક તૃમિ શાંતિ મેળવવા માટે બીજા પ્રાણીઓના જન્મને સમાપ્તિ પમાડે છે. કહેવાનો મતલબ કે બીજા પ્રાણીના માંસથી થનારી ક્ષણિક તૃપ્તિના કારણે બીજા જીવનું સમગ્ર જીવન સમાપ્ત કરે છે. આ એક મહાન ક્રૂરતા છે. કહ્યું છે કે “જે ક્રૂર મનુષ્ય અને જેનું માંસ ખાય છે, તે બંને વચ્ચેનું અંતરૂં વિચારો, એકને ક્ષણમાત્ર-તૃપ્તિ, જ્યારે બીજો સર્વ પ્રાણોનો વિયોગ પામે છે.” | ર૫ ८२ म्रियस्वेत्युच्यमानोऽपि, देही भवति दुःखितः । માર્થના : પ્રહ-તા : સ થે ભવેત્ ? રદ્દ | અર્થ : “તું મરી જા' એટલું જ માત્ર કહેવાએલો પ્રાણી દુઃખી થાય છે, તો પછી ભયંકર હથીયારોથી મરાતા પ્રાણીની કેવી હાલત થાય ? || ૨૬ || ટીકાર્થ : “તું મૃત્યુ પામ'- માત્ર એ પ્રમાણે કહેવાએલો, નહિ કે મારી નંખાતો જંતુ, મૃત્યુ સરખા દુઃખને અનુભવે છે અને તે વાત દરેક પ્રાણીને અનુભવ-સિદ્ધ છે. તો પછી ભાલાં, બરછી આદિક હથિયારોથી મારી નંખાતો તે બિચારો કેવો દુઃખી થાય ? અર્થાત્ મહાદુઃખી થાય. જો મરવાના વચનથી પણ દૂભાય છે, તો પછી તીક્ષ્ણ હથિયારથી કયો સમજુ તેને મારે ? // ર૬ || દષ્ટાંત દ્વારા હિંસાનું ફળ કહે છે Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૪-૨૭ - ૯૧ ८३ श्रूयते प्राणिघातेन, रौद्रध्यानपरायणौ । સુબૂમો દૃત્તિશ, સપ્તમં નર સતી | ૨૭ | અર્થ : આગમમાં સંભળાય છે કે – પ્રાણિઘાતથી રૌદ્રધ્યાનમાં તત્પર થયેલા સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રી આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકમાં ગયા || ૨૭ | ટીકાર્ય : રૌદ્રધ્યાન વગરની એકલી હિંસા નરકગમન હેતુ બનતી નથી, નહિતર સિંહનો વધ કરનાર તપસ્વી સાધુ પણ નરકે જાય, માટે રૌદ્રધ્યાન-પરાયણ અર્થાત્ હિંસાનુબંધી રૌદ્રધ્યાનવાળા તે બંને જેવી રીતે નરકે ગયા, તે કથાનક દ્વારા બતાવે છે- || ૨૭ // સુભૂમ ચક્રવર્તીની કથા વસંતપુર નામના નગરમાં જેમના વંશમાં કોઈ રહેલ નથી, જાણે આકાશમાંથી આવીને પડ્યો હોય તેવો અગ્નિક નામનો બાળક હતો. કોઈક દિવસે તે સ્થાનથી બીજા દેશ તરફ ચાલી નીકળ્યો. એમ કરતાં સાર્થ વગરનો રખડતો રખડતો તે તાપસીના આશ્રમમાં આવી પહોંચ્યો. જમ નામના કુલપતિએ એ અગ્નિને પુત્ર તરીકે ગ્રહણ કર્યો. ત્યાર પછી લોકોમાં તે જમદગ્નિ એવા નામથી સાક્ષાત્ અગ્નિ સરખો તીર્ણ તપ તપતાં દુઃસહ એવા તેજ વડે પૃથ્વીતલમાં પ્રસિદ્ધિ પામ્યો. આ સમયે વૈશ્વાનાર નામનો મહાશ્રાવક દેવ અને તાપસ-ભક્ત ધનવંતરિ દેવ બંને વચ્ચે વિવાદ થયો. શ્રાવક દેવે કહ્યું કે “અરહિતનો ધર્મ પ્રમાણભૂત છે, જ્યારે બીજા તાપસભક્ત દેવે કહ્યું કે, “તાપસનો ધર્મ પ્રમાણ છે.” આ પ્રકારના વિવાદમાં બંનેએ એવો નિર્ણય કર્યો કે, જૈનોના સાધુમાં જે જઘન્ય હોય અને તાપસીમાં જે ચડીયાતો ગણાતો હોય તેની આપણે પરીક્ષા કરવી કે ગુણોમાં ચડીયાતો કોણ છે ? તે સમયે મિથિલા નગરીમાં નવીન ધર્મ પામેલો પારથ નામનો રાજા પ્રયાણ કરતો કરતો શ્રીવાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લેવાને માટે ભાવયતિ બની ચંપાપુરી તરફ જઈ રહ્યો હતો. તેને માર્ગમાં તે બંને દેવોએ દેખ્યો. પરીક્ષા કરવાની ઈચ્છાથી તે બંને દેવોએ રાજાને પાણી અને ભોજન આપ્યાં છતાં સુધા-તૃષાવાળા રાજાએ તેનો ત્યાગ કર્યો. વીરપુરૂષો પોતાના સત્ત્વથી ચલાયમાન થતા નથી.” મનુષ્યોમાં દેવસમાન તે રાજાના કોમળ ચરણકમળમાં કરવત સરખા ક્રૂર અણીયાલા કે કરા અને કાંટા વડે પીડા કરે છે. લોહીની ધારા વહેતા એવા બે પગ વડે તેવા માર્ગમાં તળાઈના તલસરખો જાણે કોમળ માર્ગ હોય તેવી રીતે ચાલે છે. ત્યાર પછી રાજાને ક્ષોભ પમાડવા માટે તે દેવોએ ગીત, નૃત્ય વગેરે કર્યો, પરંતુ એક ગોત્રવાળાને જેમ દિવ્યાસ્ત્ર ચક્ર તેમ તે ઉપાય પણ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી તે બંને દેવો સિદ્ધપુત્રના રૂપમાં આગળ આવી કહેવા લાગ્યા કે, “હે મહાભાગ્યશાળી ! હજુ તું ! મહાઆયુષ્યવાળો અને યુવાન છો, માટે તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. આ યૌવનમાં તને તપની બુદ્ધિ કેમ થઈ ? ઉઘોગી પણ રાત્રિનું કાર્ય પ્રાતઃકાળમાં ન કરે, માટે યૌવન પૂર્ણ થયા પછી તે તાત ! દેહ દુર્બળતાના કારણભૂત બીજા ઘડપણ સમાન તપ તમે ઘડપણમાં કરજો. રાજાએ પ્રત્યુત્તર આપ્યો, કે “જો બહુ આયુષ્ય હશે, તો બહુ પુણ્ય થશે, જળ-પ્રમાણ હશે, તેના અનુસાર કમળ-નાળ પણ વૃદ્ધિ પામશે. ચપળ ઈન્દ્રિયવાળા યૌવનમાં જે તપ સેવન કરવામાં આવે, તે જ ખરેખર તપ છે. ભયંકર શસ્ત્રવાળા યુદ્ધમાં જે શૂરવીર હોય, તે સાચો શૂરવીર કહેવાય. તે તેના સત્ત્વથી લગાર પણ ચલાયમાન ન થયા, ત્યારે શાબાશ શાબાશ ! એમ ધન્યવાદ આપતા બંને દેવો તાપસોમાં ચડીયાતા એવા જમદગ્નીની પરીક્ષા કરવા માટે ગયા. ત્યાં વડલાના વૃક્ષની માફક વિસ્તારવાળી ભૂતલને સ્પર્શ કરતી જટાવાળા અને રાફડાથી ઢંકાએલા પગવાળા તે તપસ્વીને જોયો. તેની દાઢીરૂપ લતાજાળમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૨. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ માયાથી માળો બનાવીને તે બંને દેવો ચકલાનું યુગલ બની તેમાં રહ્યાં. ચકલાએ ચકલીને કહ્યું કે, “હું હિમવાન પર્વત ઉપર જાઉં છું. ત્યારે ચકલીએ કહ્યું કે, તું ત્યાં જઈ બીજી ચકલીના પ્રેમમાં પડે અને પાછો ન આવે, તેથી જવાની અનુમતિ ન આપું. હે પ્રિયા ! જો હું પાછો ન આવું તો ગોહત્યા- ગાયના ઘાતનું પાપ મને લાગે. આ પ્રમાણે સોગન ખાનારા ચકલાને ચકલીએ કહ્યું કે “હે પ્રિય ! જો આ ઋષિના પાપના સોગન ખાવ, તો હું તમને રજા આપું, તમારો માર્ગ કલ્યાણકારી બનો.' આ વચન સાંભળી ક્રોધવાળા તાપસે બંને પક્ષીઓને બે હાથે પકડ્યા. ત્યારપછી તેઓએ કહ્યું કે, 'હું આટલું દુષ્કર તપ કરું છું. પછી સૂર્યની હાજરીમાં જેમ અંધકાર ન હોય, તેમ મારામાં પાપ કેવી રીતે હોય ? પછી ચકલાએ ઋષિને કહ્યું કે, ‘તમે ક્રોધ ન કરશો, તમારું તપ નકામું છે. “પુત્ર વગરનાની ગતિ નથી.' એ શ્રુતિ શું તમે સાંભળી નથી ?” તે વાતને યથાર્થ માનીને તાપસે વિચાર્યું કે “હું સ્ત્રી અને પુત્ર વગરનો હોવાથી મારું તપ તો પાણીના પ્રવાહમાં તણાઈ ગયું.' ક્ષોભ પામેલા તાપસને ઓળખીને ધન્વતરિ દેવ વિચાર કરવા લાગ્યો કે, ખરેખર તાપસોએ મને ભરમાવ્યો તેમને ધિક્કાર હો, અને તે શ્રાવક બન્યો. ખાત્રી થયા પછી કોને વિશ્વાસ ન બેસે ? તે દેવતાઓ અદૃશ્ય થયા. આ તરફ જમદગ્નિ નેમિકોષ્ટક નામના નગરમાં પહોંચ્યો. ત્યાં અનેક કન્યાવાળો જિતશત્રુ રાજા હતો. એક કન્યા મેળવવાની ઈચ્છાવાળો તે મહાદેવ જેમ દક્ષ પાસે જાય, તેમ તેની પાસે ગયો. રાજાએ ઉભા થઈ તેનું સન્માન કર્યું અને અંજલિ કરી પૂછ્યું કે, આપને પધારવાનું પ્રયોજન હોય તે કહો અને હું શું કરું ? તે કહો. તાપસે કહ્યું કે, હું કન્યા માટે આવેલો છું. એટલે રાજાએ કહ્યું કે, મારી આ સો કન્યા છે, તેમાંથી જે તમને ઈચ્છે, તેને ગ્રહણ કરો. તાપસે કન્યાઓના અંતઃપુરમાં જઈને રાજકન્યાઓને કહ્યું કે, ‘તમારામાંથી કોઈ મારી ધર્મપત્ની થાવ.” અરે ! જટાધારી અને પળીયા-સફેદ વાળા, દુર્બલ, ભિક્ષાથી જીવનારા આમ બોલતાં તમને શરમ નથી આવતી ? એમ કહીને રાજકન્યાઓ તેના ઉપર થુંકી. એટલે પવનની જેમ ક્રોધી બનેલા જમદગ્નિ મુનિએ તે કન્યાઓને ખેચેલા ધનુષ્ય સરખી કૂબડી બનાવી દીધી. હવે ત્યાં આંગણામાં ધૂળના ઢગલાથી ક્રીડા કરતી એક કન્યાને દેખી, એટલે તેને રેણુકા કહીને બોલાવી. તેણે તેને કહ્યું કે, “તું ઈચ્છે છે ?' એમ કહી માતુલિંગ (બીજારો)નું ફળ બતાવ્યું. તેણે પણ પાણિગ્રહણ સૂચવનાર હાથ લાંબો કર્યો. દરિદ્ર જેમ ધનને તેમ મુનિએ પણ બાલિકાને છાતીએ ગ્રહણ કરી. એટલે રાજાએ વિધિથી ગાયોના દાન સાથે તેને આપી. સાળીઓના સ્નેહ-સંબંધથી તેણે નવાણું કન્યાઓને પાછી પોતાની તપશક્તિથી હતી તેવી સારી બનાવી દીધી. મૂઢોના તપના વ્યયને ધિક્કાર થાઓ. મુગ્ધ અને સુંદર આકૃતિવાળી તેણીને તે આશ્રમ સ્થાનમાં લઈ ગયો અને ચપળ નેત્રવાળી હરણી જેવી તે કન્યાને પ્રેમથી મુનિએ મોટી કરી. આંગળીથી ગણતરી કરતા તપસ્વીના દિવસો પસાર થયા અને કામદેવના ક્રીડાવન સરખું. મનોહર યૌવન તે પામી. જમદગ્નિ મુનિએ અગ્નિને સાક્ષી કરવા પૂર્વક પાર્વતીને જેમ મહાદેવે તેમ યથાર્થ રીતે લગ્ન કર્યા. ઋતુસમયે મુનિએ તેને કહ્યું કે, તારા માટે મંત્ર-સાધના કરી ચરુ તૈયાર કરું છું. જેથી તને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ધન્ય પુત્ર ઉત્પન્ન થાય. ત્યારે રેણુકાએ તાપસને કહ્યું કે, હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજાની પત્ની મારી બહેન છે, તો તેના માટે પણ ક્ષાત્ર-ચરુની સાધના કરજો તેણે પોતાની પત્ની માટે બ્રાહ્મચરુ અને સાળી માટે ક્ષાત્રચ પુત્ર ઉત્પન્ન કરવા માટે તૈયાર કર્યા. રેણુકાએ વિચાર કર્યો કે, “હું તો અટવી મૃગલી સરખી બની છું તો મારો પુત્ર રખે તેવો થાય' એમ વિચારી તેણે ક્ષાત્રચરુનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મ-ચરુ બહેનને આપ્યો. બંનેને પુત્રો જન્મ્યા, તેમાં રેણુકાના પુત્રનું નામ રામ અને તેની Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ ૯૩ *4*44 બહેનના પુત્રનું નામ કૃતવીર્ય પાડ્યું. પિતા ઋષિ હોવા છતાં પણ જળમાં જેમ વડવાનલ તેમ ક્ષાત્ર તેજ બતાવતો જમદગ્નિનો પુત્ર રામ ક્રમે કરી વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યાં કોઈક દિવસે કોઈ વિદ્યાધર આવ્યો, અતિસાર નામના વ્યાધિપીડાથી તે આકાશગામિની વિદ્યા ભૂલી ગયો. રામે ભાઈ માફક ઔષધ આદિથી તેની સારવાર કરી એટલે સેવા કરનાર રામને તેણે પરશુ સંબંધી પારશવી નામની વિદ્યા આપી. શરવનની અંદર જઈ તેણે તે વિદ્યાની સાધના કરી, ત્યાર પછી રામ પરશુરામ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. કોઈક સમયે બહેનને મળવાની ઉત્કંઠાવાળી રેણુકા પતિને પૂછીને હસ્તિનાપુરે ગઈ. ‘પ્રેમીઓને કંઈપણ દૂર નથી.' આ મારી સાળી છે, એમ ચપળ નેત્રવાળી રેણુકાને લાલન કરતા અનંતવીર્યે તેની સાથે કામક્રીડા કરી. કારણ કે ‘કામ એ નિરંકુશ છે.' અહલ્યા સાથે જેમ ઈન્દ્રે તેમ ઋષિપત્ની સાથે તેણે ઈચ્છા પ્રમાણે સંભોગ-સુખની સંપત્તિનો અનુભવ કર્યો. બૃહસ્પતિને મમતા પત્નીથી જેમ તથ્ય થયો, તેમ અનંતવીર્યથી રેણુકાને પુત્ર જન્મ્યો. મુનિ રેણુકાને તે પુત્ર સાથે લઈ આવ્યો ‘સ્ત્રીમાં પ્રેમાસક્ત બનેલો માણસ ઘણે ભાગે દોષ દેખતો નથી.' અકાળે ફળેલી વેલડી માફક પુત્ર સહિત રેણુકાને ક્રોધ પામેલા પરશુરામે પરશુવડે છેદી નાંખી. આ હકીકત તેની બહેને અનંતવીર્યને કહી એટલે પવન જેમ અગ્નિને તેમ તેના કોપને ઉત્તેજિત કર્યો. તે પછી અતિપરાક્રમી બાહુવીર્યવાળા અનંતવીર્ય રાજાએ જમદગ્નિના આશ્રમે જઈ મત્ત હાથીની જેમ તેના આશ્રમને વેરવિખેર કરી ભાંગી નાખ્યો. તાપસોને ત્રાસ પમાડી તેની ગાયો વગેરે કબજે કરી કેસરી માફક ધીમે ધીમે ચાલતો પાછો આવ્યો. ત્રાસ પામતા તપસ્વીઓના કોલાહલવાળા યુદ્ધને સાંભળી અને તે વાત જાણીને ક્રોધ પામેલો સાક્ષાત્ યમરાજા સરખો પરશુરામ દોડયો. અનેક સુભટોના યુદ્ધ જોવા માટે કુતૂહલવાળા જમદગ્નિ પુત્ર પરશુરામે ભયંકર પશુ વડે કાષ્ઠની માફક તે (અનંતવીર્ય)ના ટૂકડા કરી નાખ્યા. તેની પ્રજાના આગેવાનોએ મહાપરાક્રમી કૃતવીર્યને રાજ્યગાદીએ બેસાડ્યો. તે હજુ નાની વયનો હતો, માતાની પાસેથી પિતાના મૃત્યુની હકીકત સાંભળી આજ્ઞા પામેલા સર્પની માફક તેણે જમદગ્નિને મારી નાખ્યો. પિતાના વધથી ક્રોધ પામેલા પરશુરામે તરત હસ્તિનાપુર જઈ કૃતવીર્યને મારી નાખ્યો. ‘યમરાજાને શું દૂર હોય ?' ત્યાર પછી પરશુરામ જાતે રાજ્યગાદી પર બેસી ગયો. ‘રાજ્ય એ પરાક્રમાધીન છે, તેમાં પરંપરાગત ક્રમ પ્રમાણ નથી.' પરશુરામે કબજે કરેલી નગરીથી કૃતવીર્યની ગર્ભિણી રાણી વાઘવાળા વનથી હરણી ભાગે તેમ ભાગીને તાપસોના આશ્રમમાં ગઈ. કૃપાભંડાર એવા તાપસોએ નિધાનની માફક તેને ભોંયરામાં રાખી ક્રૂર પરશુરામથી તેનું રક્ષણ કર્યું. તેને ચૌદ મહાસ્વપ્રોથી સૂચિત પુત્ર જન્મ્યો, તે સુખથી ભૂમિને ગ્રહણ કરતો હોવાથી તેનું ‘સુભૂમ’ એવું નામ પાડ્યું. જ્યાં જ્યાં ક્ષત્રિયો હતા. ત્યાં ત્યાં સાક્ષાત્ કોપાગ્નિમૂર્તિસ્વરૂપ હોય તેમ પરશુરામનો પરશુ સળગવા લાગ્યો. કોઈક વખત પરશુરામ તે આશ્રમમાં ગયો, જ્યાં ધૂમ જેમ અગ્નિને તેમ ક્ષત્રિયને સૂચવનાર પર્શ ત્યારે સળગવા લાગ્યો. ત્યારે તેણે તાપસોને પૂછ્યું કે અહિં કોઈ ક્ષત્રિયો છે કે શું ? ત્યારે તેઓએ કહ્યું કે, અમે ક્ષત્રિયો જ તાપસ થયા છીએ. પરશુરામે પણ ક્રોધથી દાવાનલ જેમ પર્વત-ટેકરીને ઘાસ રહિત બનાવે, તેમ પૃથ્વીને સાત વખત નિઃક્ષત્રિય બનાવી. વિનાશ પામેલા ક્ષત્રિયોની દાઢાઓથી પરશુરામે પૂર્ણ થયેલી ઈચ્છાવાળા યમરાજાના પૂર્ણપાત્રની શોભાને ધારણ કરતાં થાલને પૂર્ણ કર્યો. કોઈક સમયે તેણે નિમિત્તિયાઓને પૂછ્યું કે, મારો વધ કોનાથી થશે ? વૈર ઉભું કરનારાઓને હંમેશાં બીજા શત્રુથી મૃત્યુ થવાની શંકા હોય છે.' ત્યારે તેઓએ કહ્યું કે, આ દાઢાઓ જ્યારે ખીર બની જશે અને આ સિંહાસન પર બેઠેલો જે તેનું ભક્ષણ કરશે, તે તારો ભાવીમાં વધ કરનાર થશે. હવે રામે એક એવી દાનશાળા કરાવી કે જેમાં કોઈપણ આવી છૂટથી દાન ગ્રહણ કરી શકે. આગળ સિંહાસન સ્થાપન Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કરાવી થાળને ગોઠવ્યો. હવે આશ્રમમાં પ્રતિદિવસ તાપસો વડે લાલન પાલન કરાતો સુભૂમ આંગણામાં રોપેલા વૃક્ષની માફક અદ્ભુત વૃદ્ધિ પામ્યો. મેઘનાદ નામના વિદ્યારે કોઈ વખત નિમિત્તિયાને પૂછયું કે, “આ મારી પદ્મશ્રીકન્યા કોને આપવી?' ત્યારે તેઓએ શ્રેષ્ઠ ખભાવાળા સુભૂમ વરને બતાવ્યો, તેને કન્યા આપીને ત્યાર પછી તેનો સેવક બની સાથે રહ્યો હતો. કૂવાના દેડકા માફક બીજે સ્થળે ન જવાવાળા સુભૂમે માતાને પૂછયું કે, “શું આટલો જ માત્ર લોક છે કે અધિક છે ?' માતાએ કહ્યું કે, હે વત્સ ! લોક તો છેડા વગરનો છે. લોકના મધ્ય ભાગમાં માખીના પગલા જેટલો આ આશ્રમ છે. આ લોકમાં પ્રસિદ્ધ હસ્તિનાપુર નામનું નગર છે, અને ત્યાં મહાપરાક્રમી કૃતવીર્ય નામના રાજા તારા પિતા હતા. તારા પિતાને હણીને પરશુરામ પોતાની મેળે રાજ્ય ઉપર ચડી બેઠો, અને આ પૃથ્વીને તેણે ક્ષત્રિય વગરની બનાવી છે. તેના ભયથી આપણે અહીં રહેલા છીએ. તરત જ મંગલગ્રહ માફક બાળતો વૈરી પર ક્રોધ પામેલો સુલૂમ હસ્તિનાપુર ગયો. ક્ષત્રિય તેજ ખરેખર દુર્ધર હોય છે. સિંહ માફક તે દાનશાળામાં ગયો અને સિંહાસન પર બેઠો. દાઢાઓ ક્ષીર સ્વરૂપ બની ગઈ અને પરાક્રમી સુભૂમ તે ખાઈ ગયો. યુદ્ધ માટે ઉભા થયેલા જે બ્રાહ્મણો ત્યાં રક્ષકો હતા, તેઓને વાઘ જેમ હરણોને તેમ મેઘનાદે હણી નાખ્યા. જેની દાઢો અને કેશો સ્કુરાયમાન થયા છે, એવો દાંતથી હોઠ કરડતો પરશુરામ ક્રોધથી જાણે કાળપાશથી ખેંચાએલો હોય તેમ ત્યાં આવ્યો. પરશુરામે રોષથી તે સુભૂમ તરફ નીચે પરશુ છોડી ત્યારે તેજ ક્ષણે જળમાં અગ્નિની જેમ તે ઓલવાઈ ગઈ. તે વખતે બીજું કોઈ શસ્ત્ર ન હોવાથી સુભૂમે પણ દાઢવાળો થાળ ઉંચકયો એટલે તે તત્કાલ ચક્ર બની ગયો. પુણ્યસંપત્તિથી શું અસાધ્ય છે ?' પછી તે આઠમા ચક્રવર્તીએ તેજસ્વી એવા તે ચક્રથી કમળને છેદે તેમ પરશુરામનું મસ્તક છેદી નાખ્યું. જેમ પરશુરામે પૃથ્વીને સાત વખત ક્ષત્રિય વગરની કરી, તેમ સુભૂમે પૃથ્વીને એકવીશ વખત બ્રાહ્મણ વગરની બનાવી, સુભૂમે હણેલા રાજાઓ, હાથીઓ, ઘોડાઓ, પાયદળોના સમૂહના લોહી વડે નવી નદીઓ વહેવરાવતાં નવીન સેનાને વહન કરતા તેણે પ્રમથ પૂર્વદિશા સાધી. અનેક સુભટોનાં છેદી નાખેલાં મસ્તકોથી પૃથ્વીને શોભાયમાન બનાવનાર એવા તેણે જાણે બીજો દક્ષિણદિશાપતિ હોય તેમ દક્ષિણદિશામાં પણ જ્ય મેળવ્યો. સુભટોનાં હાડકાંઓ વડે કરી જાણે છીપો અને શંખો ચારે બાજુ પથરાઈ ગયા હોય તેવા સમુદ્રના કિનારાવાળી પશ્ચિમ દિશામાં પણ તેણે જય મેળવ્યો. લીલા માત્રમાં વૈતાઢ્યગુફાને ઉઘાડનાર મેરુ સરખા પરાક્રમવાળા તેણે મ્લેચ્છોને જીતવા માટે ભરતના ઉત્તરાખંડમાં પ્રવેશ કર્યો, એ પ્રમાણે ચારે દિશામાં ભ્રમણ કરતા, ઘર જેમ ચણાને તેમ સુભટો તથા પૃથ્વીને દલન કરતા તેણે છ ખંડોને સાધ્યા. હંમેશાં જીવોની હત્યા કરતો રૌદ્રધ્યાન-અગ્નિથી સતત અંતરાત્માને બાળકો સુભૂમ ચક્રવર્તી કાલ-પરિણામને આધીન બની સાતમી નારકભૂમિમાં ગયો. ઈતિ સુભમ ચક્રવર્તીની કથા બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા પહેલાં સાકેત નામના નગરમાં ચંદ્રાવતસંકનો પુત્ર ચંદ્ર સરખી મનોહર આકૃતિવાળો મુનિચંદ્ર નામનો પુત્ર હતો. ભારથી જેમ ભારવાળો કંટાળે, તેમ કામભોગથી કંટાળેલા તેણે સાગરચંદ્ર મુનિ પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. જગતને પૂજ્ય એવી પ્રવ્રજ્યાનું પાલન કરતો કોઈક સમયે દેશાન્તરમાં વિહાર કરવા માટે તે ગુરૂની સાથે ચાલ્યો. ભિક્ષાનિમિત્તે માર્ગના ગામમાં તેણે પ્રવેશ કર્યો, પરંતુ ટોળાથી વિખૂટા પડેલ હરિણ માફક સાથથી છૂટો પડેલો અટવીમાં ભમવા લાગ્યો. ત્યાં આગળ ભૂખ-તૃષાથી પરેશાન થયેલો તે Page #146 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭ ૯૫ બિમાર પડ્યો એટલે બાંધવ માફક ચાર ગોવાળોએ તેની સેવા કરી. તેમના પર ઉપકાર કરવા માટે તેણે તેમને ધર્મોપદેશ આપ્યો. “સજ્જન પુરૂષો અપકાર કરનાર ઉપર કૃપા કરનાર હોય, તો પછી ઉપકારી પર કેમ ન કરે ?” વૈરાગ્ય પામેલા તેઓ ચાર પ્રકારના ધર્મની ચાર મૂર્તિ હોય તેવા ચારેએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી, તેઓ સમ્યક્ પ્રકારે વ્રતનું પાલન કરતા હતા, પરંતુ તેમાંના બે ધર્મની જુગુપ્સા કરતા હતા. ‘જીવોની મનોવૃત્તિ વિચિત્ર હોય છે.' તે બંને જુગુપ્સા કરનાર પણ દેવલોકમાં ગયા. એક દિવસનું કરેલ તપ પણ નક્કી સ્વર્ગ માટે થાય છે.' દેવલોકમાંથી અવીને દશપુર નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની જયવતી નામની દાસીના ગર્ભમાં યુગલરૂપે બે પુત્રો થયા અનુક્રમે યૌવન પામેલા તે બંને પિતાએ આદેશ ર્યા પ્રમાણે ક્ષેત્રનું રક્ષણ કરવા માટે જતા હતા. “દાસીપુત્રોને આવાં જ કાર્ય સોંપવાનાં હોય.” તે બંને સૂતેલા હતા, ત્યારે રાત્રે વડલાની બખોલમાંથી એક કાળો સર્પ નીકળ્યો અને યમરાજના બંધુ સખા તેણે એકને ડંખ આપ્યો. ત્યાર પછી તે સર્પને મેળવવા માટે બીજો ભાઈ ત્યાં ભમતો હતો, ત્યારે વૈરથી જ હોય તેમ તે દુષ્ટ સર્પે તરત બીજાને ડંખ માર્યો. કોઈએ તેમનાં ઝેર ઉતારવા માટે તત્કાળ ઉપાય ન કરવાથી બિચારા તે બંને મૃત્યુ પામ્યા અને જેવા આવ્યા હતા તેવા જ ગયા. ‘નિષ્ફળ જન્મવાળાના જન્મને ધિક્કાર હો.” ત્યારપછી કાલિંજર પર્વતના સપાટ સ્થળમાં મૃગલીના યુગલરૂપે બે મૃગો તરીકે જન્મ્યા અને સાથે વૃદ્ધિ પામી રહેલા હતા તેઓ પ્રીતિ પૂર્વક સાથે ચરતા હતા, ત્યારે કોઈક શિકારીએ એકજ બાણથી બંને મૃગોને એવી રીતે હણ્યા કે જેથી બંને કાલધર્મને પામ્યા. ત્યાંથી વળી મૃતગંગા નદીમાં રાજહંસિકાના ગર્ભમાં પૂર્વજન્મ માફક યુગલરૂપે પુત્રપણે ઉત્પન્ન થયા. એક પ્રદેશમાં બંને ક્રીડા કરતા હતા, ત્યારે એક જાળવાળા પારધિએ જાળમાં પકડી, ડોક મરડીને તેઓનો ઘાત કર્યો. “ધર્મહીનોની આવી જ ગતિ થાય છે. ત્યાર પછી વારાસણીમાં મહાધનથી સમૃદ્ધ ભૂતદત્ત નામના માતંગોના અધિપતિના પુત્રપણે થયા. ચિત્ર અને સંભૂતિ એ બે નામના તેઓ માંહોમાંહે અત્યંત સ્નેહવાળા હતા, નખ અને માંસ માફક સંબંધવાળા તેઓ કદાપિ વિખૂટા પડતા ન હતા. તે વખતે વારાણસીમાં શંખ નામનો રાજા હતો, તેને પ્રસિદ્ધ નમુચિ નામનો પ્રધાન હતો. કોઈક દિવસે મહારાજાએ મોટા અપરાધના કારણે વધ કરવા માટે ભૂતદત્ત નામના વધ કરનારને નમુચિ અર્પણ કર્યો. તેણે નમુચિને કહ્યું, જો તું મારા પુત્રોને ગુપ્તપણે ભોંયરામાં ભણાવે, તો હું મારા બંધુ માફકે તારું રક્ષણ કરું, નમુચિએ માતંગપતિનું તે વચન સ્વીકાર્યું. કારણ કે, જીવિતાર્થી માણસ એવું કંઈ નથી, જે ન કરે.' ચિત્ર અને સંભૂતિ બંનેને તે અનેક પ્રકારની વિવિધ કળાઓ ભણાવતો હતો. દરમ્યાન માતંગપતિની ભાર્યા સાથે અનુરાગ પૂર્વક રમણ-ક્રીડા કરવા લાગ્યો. આ વાત ભૂતદત્તના જાણવામાં આવી, એટલે તે તેને મારી નાખવા તૈયાર થયો. પોતાની પત્ની વિષે પારદારિક (જાનકર્મ) ઉપદ્રવ કોણ સહન કરી શકે?” માતંગપુત્રોએ આ વાત જાણીને તે નમુચિને દૂર ખસેડી નાખ્યો અને તેને પ્રાણરક્ષણરૂપ દક્ષિણા આપી. ત્યાંથી નીકળી નમુચિ હસ્તિનાપુર ગયો અને સનકુમાર ચક્રીએ તેને પોતાનો મંત્રી બનાવ્યો. આ બાજુ નવયૌવન પામેલા ચિત્ર અને સંભૂતિ કોઈપણ કારણથી અશ્વિનીકુમાર દેવોની માફક પૃથ્વીમાં ફરતા ફરતા અહીં આવ્યા. હાહા-હૂહૂ દેવગાંધર્વોથી પણ ચડીયાતું મધુર ગીત ગાવા લાગ્યા, તુમ્બરુ અને નારદ કરતાં પણ ચડીયાતી વીણા વગાડવા લાગ્યા. ગીત-પ્રબંધમાં ગવાતા સ્પષ્ટ સાત સ્વરો વડે તેઓ જે વીણા વગાડતા હતા, તેની આગળ કિન્નર દેવો પણ હિસાબમાં ન હતા. જ્યારે તે બંને ધીર ઘોષવાળું મૃદંગ વગાડતા હતા, ત્યારે મુર દૈત્યના કંકાલ-અસ્થિપિંજરરૂપ વાજિંત્રને ગ્રહણ કરેલા કૃષ્ણનું અનુકરણ કરતા હતા. Page #147 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ મહાદેવ(શિવ) ઉર્વશી, રંભા, મુંજ, કેશી, તિલોત્તમા પણ જે નાટયના અજાણ હતા, તેવું નાટય પણ તે કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ હોય તેવું અપૂર્વ વિશ્વને કાર્મણ કરનારું અને જાહેરમાં પ્રકાશિત કરનાર તેઓનું સંગીત કોના મનને ન હરણ કરે ? તે નગરીમાં કોઈ સમયે મદન-મહોત્સવ પ્રવર્તતો હતો, ત્યારે સુંદર સંગીત કરનારી નગર-મંડળીઓ ત્યાં બહાર નીકળેલી. આ સંગીત-મંડળીઓ ત્યાં નીકળી, જ્યાં ચિત્ર અને સંભૂતિ હતા. મૃગલાઓ સરખા નગરલોકો પણ તેના ગીતથી આકર્ષાઈને ત્યાં જ ગયા. નગરલોકોએ રાજાને વિનંતિ કરી કે બે માતંગો તેવાં કોઈ ગીત-ગાન કરીને પોતાની માફક સર્વ લોકોને મલિન કરી રહેલા છે. રાજાએ પણ નગરના મોટા કોટવાલને ઠપકા સાથે આજ્ઞા કરી કે, આ બંનેને કોઈ વખત નગરીમાં પ્રવેશ કરવા દેવો નહિ. ત્યારથી માંડી તે બન્ને વારાણસીથી દૂર રહેતા હતા. ત્યાં નગરમાં એક વખત કૌમુદીનો પ૨મોત્સવ પ્રવર્તો, ત્યારે રાજ આજ્ઞાનું ઉલ્લંઘન કરી ચપલ ઈન્દ્રિયવાળા તે બંનેએ હાથીની ગંડસ્થલીમાં ભમરાની જેમ નગરીમાં પ્રવેશ કર્યો આખા અંગપર બુરખો પહેરેલા તે બંને ઉત્સવ જોતા જોતા ચોરની માફક છૂપી રીતે ફરતા હતા. શિયાળના શબ્દથી શિયાળ માફક નગરના ગીતથી બંને અત્યંત મધુર કંઠથી ગાવા લાગ્યા. ‘ભવિતવ્યતા ઉલ્લંઘન કરી શકાતી નથી.' નગરના યુવાનો તેના કર્ણમધુર ગીત સાંભળીને મધપૂડાની આસપાસ મધમાખોની જેમ માતંગોની ચારે બાજુ વીંટળાઈ ગયા. અરે ! આ છે કોણ ? એ જાણવા માટે લોકોએ તેમના બુરખા ખેંચ્યા ‘અરે ! આ તો તે જ પેલા બે ચાંડાલો છે.' એમ કહી ઠપકો આપ્યો. કેટલાક નગર-લોકોએ તો લાકડી અને ઢેફાંઓવડે તેમને માર માર્યો, જેથી શ્વાન ડોકી નમાવીને જેમ ઘરમાંથી જાય તેમ તેઓ નગરીમાંથી બહાર નીકળી ગયા. સૈન્યનાં સસલા માફક લોકો વડે માર ખાતા, પગલે પગલે સ્ખલના પામતા તેઓ મહામુશીબતે ગંભીર નામના ઉદ્યાનમાં આવ્યા. 32 તે બંને ભાઈઓ એમ વિચારતા હતા કે, સર્વે સંધેલા દૂધની માફક ખરાબ જ્ઞાતિથી દૂષિત આપણાં કળા કૌશલ્ય, રૂપ આદિને ધિક્કાર હો. ગુણો વડે ઉપકાર થવાની વાત તો દૂર રહી, પરંતુ આપણા ઉપર ઉલટો અપકાર થાય છે. આ તો ‘શાંતિ કરતાં વેતાલ ગુસ્સે થાય છે !' કળા, લાવણ્ય, રૂપ શરીર સાથે જડાએલા છે અને તે તો અનર્થનું ઘર હોવાથી તૃણની માફક ક્ષણમાં તેનો ત્યાગ કરીએ એમ નિશ્ચય કરી પ્રાણ-પરિહાર માટે તૈયાર થયેલા જાણે સાક્ષાત્ મૃત્યુને જોવા માટે જ જતા હોય, તેમ દક્ષિણદિશા તરફ ચાલ્યાં ત્યાંથી દૂર ચાલતાં ચાલતાં તેઓએ એક પર્વત દેખ્યો જ્યાં ઉપર ચડીને ભૂમિ તરફ નજર કરીએ તો, હાથી ભૂંડના બચ્ચા જેટલો દેખાય. ભૃગુપાત કરવાની ઈચ્છાથી પર્વત પર ચડતાં તેઓએ તે પર્વત ઉપર જંગમ ગુણ-પર્વત સરખા મહામુનિને દેખ્યા. પર્વતના શીખર પર વરસાદના વાદળા સરખા મુનિને દેખીને તેઓ બંને શોક-સંતાપથી મુક્ત બન્યા. આનંદાશ્રુ-જળના બાનાથી જાણે પહેલાનાં દુઃખોનો ત્યાગ કરતા હોય તેવા તે બંને તરત ભમરા જેમ કમળ ઉપર તેમ મુનિના ચરણ-કમળમાં પડયા. મુનિએ ધ્યાન પૂર્ણ કરી ‘તમો કોણ છો ? અહીં કેમ આવ્યા છો ?' એમ પૂછ્યું એટલે તેઓએ પોતાનો વૃત્તાન્ત જણાવ્યો. મુનિએ તેમને કહ્યું કે, ભૃગુપાત કરવાથી શરીરનો વિનાશ જરૂર કરી શકાય છે, પરંતુ પહેલા સેંકડો ભવોનાં ઉપાર્જન કરેલ અશુભ કર્મનો વિનાશ કરી શકાતો નથી. જો તમારે આ શરીરનો ત્યાગ જ કરવો હોય, તો પછી શરીરનું ફળ મેળવો, અને તે તો મોક્ષ અને સ્વર્ગ વગેરેનું મોટું કારણ એવું તપ છે. એ વગેરે દેશના-વાકય રૂપી અમૃત વડે નિર્મળ બનેલા મનવાળા તે બંનેએ તે મુનિ પાસે યતિધર્મનો સ્વીકાર કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરી ગીતાર્થ થયા. ચતુર પુરૂષો આદરપૂર્વક જેનો સ્વીકાર કરે છે, તેનાથી શું પ્રાપ્ત થતું નથી ?' છઠ્ઠ અઠ્ઠમ આદિ અત્યંત કઠોર તપ વડે તેઓએ પૂર્વના કર્મ સાથે દેહને Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭ પણ દુર્બળ કરી નાખ્યો. ત્યાર પછી એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગરે વિહાર કરતાં કરતાં કોઈક વખતે તેઓ હસ્તિનાપુર નગરમાં પહોંચ્યા. ત્યાં તે બંને રુચિર નામના ઉદ્યાનમાં દુષ્કર તપની આરાધના કરતા હતા, શાન્ત ચિત્તવાળાઓને સંભોગ-ભૂમિઓ પણ તપ માટે થાય છે. કોઈક સમયે સંભૂતમુનિએ માસક્ષમણના પારણે ભિક્ષા માટે જીવોમાં યતિ ધર્મની જેમ નગરીમાં પ્રવેશ કર્યો. એક ઘરથી બીજા ઘરે ઈર્યાસમિતિ પૂર્વક પરિભ્રમણ કરતા રાજમાર્ગમાં ચાલતા હતા, ત્યારે તેઓ નમુચિ મંત્રીના જોવામાં આવ્યા. “આ તે માતંગપુત્રો છે, કદાચ મારો વૃત્તાન્ત પ્રગટ કરશે” એમ મંત્રીએ વિચાર્યું. કારણ કે, “પાપી લોકો હંમેશાં શંકાવાળા હોય છે. મારી ગુપ્ત હકીકત અહીં કોઈ પાસે પ્રગટ ન કરે, તે પહેલાં હું તેમને નગરમાંથી બહાર કઢાવી મૂકું એમ વિચારી એક સૈનિકને એ કામ સોંપ્યું. જીવિત દાન આપવા વડે પૂર્વના ઉપકારી હોવા છતાં તે તેમને માર મારવા લાગ્યો, કારણ કે, દુર્જન પર કરેલો ઉપકાર સર્પને દૂધપાન કરાવવા સરખો થાય છે. અનાજ-બીજને જેમ ધોકા વડે, તેમ તેમને લાકડીના પ્રહારથી માર્યા એટલે તે સ્થાનથી તે મુનિઓ ઉતાવળા દૂર ચાલ્યા ગયા. તે વખતે મુનિઓ બહાર નીકળી રહ્યા હતા છતાં પણ મારનારાઓ તેમને છોડતા ન હતા ત્યારે મુનિ શાન્ત હોવા છતાં પણ કોપાયમાન બન્યા. ‘શીતળ પાણી પણ અગ્નિના તાપથી ઉકળે છે ત્યાર પછી મુનિના મુખમાંથી ચારે બાજુ ફેલાતો વાદળી રંગનો ધૂમાડો નીકળ્યો, જાણે અકાળે આકાશમાં ચડી આવેલાં વાદળાંનો દેખાવ ન હોય ! જ્વાલા-સમૂહવાળી, વીજળી-મંડળીથી સંકીર્ણ, આકાશ તરફ વેગથી આગળ વધતી તેજોવેશ્યા ઉલ્લાસ પામી. વિષ્ણકુમારથી પણ અધિક તેજોલેશ્યા ધારણ કરનાર તે મુનિને પ્રસન્ન કરવા માટે ભય અને કૌતુકવાળા નગરલોકો આવ્યા. રાજા સનકુમાર પણ આ હકીકત જાણીને ત્યાં આવ્યો, કારણ કે, ડાહ્યો માણસ જ્યાંથી અગ્નિ પ્રગટ થયો હોય, ત્યાં જ ઓલવવાનો પ્રયત્ન કરે.” રાજાએ મુનિને નમસ્કાર કરી કહ્યું કે, હે ભગવાન ! આ કાર્ય શું આપને ઉચિત ગણાય ? સૂર્યકિરણોથી તપેલો હોય તો પણ ચંદ્રકાન્ત મણિ કદાપિ અગ્નિ ઝરાવતો નથી. આ સર્વેએ આપનો અપરાધ કર્યો છે, તેથી આપને કોપ થયો છે, ક્ષીરસમુદ્રનું મંથન કરતાં શું કાલકૂટ અંદરથી પ્રાપ્ત ન થયું? સજ્જન પુરૂષોને ખલના સ્નેહ સરખો ક્રોધ થાય નહિ, કદાચ થઈ જાય તો લાંબો કાળ ન ટકે, કદાચ લાંબો કાળ રહે, તો પણ ફળમાં જુદો જ પડે માટે આ વિષયમાં આપ સરખાને અમારે શું કહેવાનું હોય ? તો પણ હે નાથ ! આપને હું પ્રાર્થના કરું છું કે અમને ઉચિત એવા કોપનો આપ ત્યાગ કરો. આપ સરખા તો અપકારી અને ઉપકારી ઉપર સમાન દષ્ટિવાળા છો. આ વખતે ચિત્રમુનિ પણ હકીકત જાણીને સંભૂતિમુનિને શાન્ત કરવા માટે આવ્યા. ભદ્રતાથી માફક મધુર વચનોથી શાસ્ત્રાનુસારી વાક્યોથી મેઘના જળસમૂહથી જેમ પર્વતનો દાવાનલ તેમ તેનો કોપ શાંત કર્યો. પૂર્ણિમાના ચંદ્ર માફક મહાકોપરૂપી અંધકારથી મુક્ત બનેલા તે મહામુનિ ક્ષણવારમાં પ્રસન્ન થયા. પછી વંદન કરી ખમાવીને લોકો તે સ્થાનથી પોતાને સ્થાને ગયા અને ચિત્રમુનિ સંભૂતિમુનિને ઉદ્યાનમાં લઈ ગયા. તે બંને મુનિવરો પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, આહાર ખાતર ઘરે ઘરે ફરવાથી મહાદુઃખ પ્રાપ્ત થાય છે. આહારથી પોષેલું આ શરીર ચાલ્યા જવાના સ્વભાવવાળું છે, એવા આ શરીરની અને આહારની યોગીઓને શી જરૂર છે ? મનમાં આવા પ્રકારનો નિશ્ચય કરીને તે બંને મુનિઓએ સંલેખનાપૂર્વક ચાર પ્રકારના આહારનાં પચ્ચકખાણ કર્યા. હું પૃથ્વીનું પાલન કરનાર હોવા છતાં સાધુનો પરાભવ કરનાર કોણ છે ? એ પ્રમાણે જાણવાની ઈચ્છાવાળા રાજાને કોઈ કે મંત્રી જણાવ્યો. “જે પૂજવા યોગ્ય છે, તેની પૂજા ન કરે, તે પણ પાપી છે, તો પછી તેને હણે છે, તેને કેવો ગણવો ?' એમ કહી તેને ચોર માફક પકડીને રાજાએ પોતાની Page #149 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૯૮ પાસે બોલાવ્યો. બીજો કોઈ રખે આ પ્રમાણે સાધુને પરેશાન ન કરે તેવી શુદ્ધબુદ્ધિવાળો રાજા નગ૨ વચ્ચેથી બાંધીને તેને સાધુ પાસે લઈ ગયો. નમન કરતા રાજાના મસ્તકના મુગટ રત્નથી જળમય પૃથ્વીને કરતા હોય તેમ ચક્રવર્તી રાજાએ બંને મુનિવરોને વંદન કર્યું. ડાબા હાથમાં ગ્રહણ કરેલી મુખસ્રિકાથી ઢાંકેલ મુખવાળા, તે બંને મુનિવરો જમણો હાથ ઉંચો કરી રાજાને આશીર્વાદ આપી પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ કહ્યું કે, જે આપના અપરાધી છે, તે તેના કર્મનું ફળ ભોગવનાર થાવ' એમ કહી મુનિઓને સનત્કુમારે નમુચિને બતાવ્યો. વધ કરવા યોગ્ય છતાં ગુરૂની આજ્ઞા માન્ય કરવા યોગ્ય હોવાથી રાજાએ તેને છોડી દીધો. સર્પ ગુરૂડ પાસેથી તેમ સનત્કુમાર અને મુનિઓ પાસેથી છૂટીને નમુચિ પંચત્વ પામ્યા સરખી દશાને પામેલો ચંડાલ માફક કર્મચંડાલ નગરમાંથી દેશવટો પામ્યો. ચોસઠહજાર બીજી શોકયોના પરિવાર સાથે ચક્રવર્તીની મુખ્ય પટરાણી સુનંદા બંને મુનિવરોને વંદના કરવા ગઈ. તે સ્ત્રીરત્ન સંભૂતિમુનિના ચરણ-કમળમાં કેશનો સ્પર્શ થાય તેવી રીતે પગે પડી, જાણે પૃથ્વીને ચંદ્રવાળી બનાવતી ન હોય ? તે સ્ત્રીરત્નના કેશના સ્પર્શનો અનુભવ કરતા સંભૂતિમુનિ તત્કાલ રોમાંચિત થયા. કામદેવ હંમેશાં છલ શોધનારો હોય છે' હવે અંતઃપુર સહિત મુખ્ય પટરાણીએ તેમની આજ્ઞા લઈ જવા ઈચ્છા કરી, ત્યારે રાગથી પરાજિત થયેલા સંભૂતિમુનિએ આ પ્રમાણે નિયાણું કર્યું કે, દુષ્કર એવા મારા તપનું જો કંઈ ફળ હોય તો ભાવી જન્મમાં હું તેવા પ્રકારનાં સ્ત્રીરત્નનો પતિ થાઉં. ચિત્રે તેને કહ્યું કે, મોક્ષ આપનાર તપથી તું આવા ફળની ઈચ્છા રાખે છે ! મસ્તકને યોગ્ય રત્ન વડે તું પાદપીઠ કેમ કરે છે ? મોહથી કરેલું નિયાણું હજુ પણ છોડી દે, તારા સરખાએ આમાં મુંઝાવું ન જોઈએ અને ‘મિથ્યા દુષ્કૃત આનું થાઓ. આ પ્રમાણે ચિત્રસાધુએ નિવારણ કરવા છતાં પણ સંભૂતિમુનિએ નિયાણાનો ત્યાગ ન કર્યો. ‘વિષયની ઇચ્છા ઘણી બળવતી હોય છે.' અનશન-વિધિનો બરાબર નિર્વાહ કરીને, આયુષ્યકર્મનો ક્ષય કરીને, સૌધર્મ નામના સુંદર વિમાનમાં બંને દેવપણે ઉત્પન્ન થયા. ચિત્રનો જીવ પ્રથમ દેવલોકથી ચ્યવીને પુરિમતાલ નામના નગરમાં એક શેઠપુત્ર તરીકે જન્મ્યો. સંભૂતિનો જીવ પણ અવીને કાંપિલ્યનગરમાં બ્રહ્મરાજાની ભાર્યા ચુલનીદેવીની કુક્ષિમાં અવતર્યો. ચૌદ મહાસ્વપ્રોથી સૂચિત ભાવી વૈભવવાળો પૂર્વદિશાને જેમ સૂર્ય તેમ તેને પુત્ર જન્મ્યો. આનંદથી બ્રહ્મમાં મગ્ન હોય તેમ બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં પ્રસિદ્ધ એવું તેનું બ્રહ્મદત્ત નામ પાડ્યું. જગતના નેત્રકમળને હર્ષ આપતો તે કળા-સમુદાયથી પોષાતો નિર્મળ ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો. બ્રહ્માના ચાર મુખ સમાન બ્રહ્મરાજાને ચાર પ્રિય મિત્રો હતા. તેમાં એક કાશિદેશનો રાજા કટક, હસ્તિનાપુરનો રાજા કણેરુદત્ત, કોશલનો રાજા દીર્ઘ અને ચંપાનો સ્વામી પુષ્પચૂલક, તે પાંચે એક બીજાના સ્નેહથી એક એક વર્ષ એક નગરમાં નંદનવનમાં જેમ કલ્પ વૃક્ષ તેમ સાથે રહેતા હતા. કોઈક સમયે બ્રહ્મના નગરમાં વારા પ્રમાણે આવેલા હતા, ત્યાં ક્રિડા કરતાં તેમનો કેટલોક કાળ પસાર થયો. બ્રહ્મદત્તને બાર વર્ષ થયાં, ત્યારે બ્રહ્મરાજા મસ્તકરોગથી પરલોકની ગતિને પામ્યા. બ્રહ્મરાજાની મરણોત્તર ક્રિયા કરીને મૂર્ત ઉપાય સરખા ચારે કટક વગેરે રાજાઓએ મંત્રણા કરી કે, બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી અહીં આપણે પ્રાહરિક માફક દરેક વર્ષે રક્ષક બનવું. મિત્રના રાજ્યની રક્ષા કરવા માટે તેઓએ દીર્ઘને નક્કી કર્યો, બાકીના ત્રણે રાજાઓ તે સ્થાનથી પોતપોતાના સ્થાને ગયા. ટૂંકી બુદ્ધિવાળો દીર્ઘ પણ ગોધો જેમ અરક્ષિત ક્ષેત્રને તેમ બ્રહ્મરાજાની રાજ્ય-સંપત્તિને સ્વચ્છંદપણે ભોગવવા લાગ્યો લાંબા કાળથી ગુપ્ત રાખેલો ધનભંડાર પણ દુર્જન પારકા મર્મને ખોળે, તેમ દુર્બુદ્ધિવાળા તેણે તપાસ કરાવી શોધી કાઢ્યો. પહેલાના પરિચયથી અંતઃપુરમાં પણ તે નિરંકુશતાથી ફરવા લાગ્યો ‘આધિપત્ય એ મનુષ્યોને ખરેખર ઘણેભાગે અંધ કરનાર Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭. ૯૯ બને છે' એકાંતમાં ચુલનીદેવી સાથે તે એકલો કામ-બાણોને ફેંકવા સરખા હાસ્ય અને પ્રીતનાં વચનો વડે કરી મંત્રણા કરવા લાગ્યો પોતાની ફરજ, બ્રહ્મરાજાનો ઉપકાર અને લોકની અવગણના કરીને તે ચુલનીમાં આસક્ત બન્યો. “ખરેખર ઈન્દ્રિયો વશ કરવી ઘણી મુશ્કેલ છે. ચુલનીએ બ્રહ્મરાજાના પતિપ્રેમનો, અને દીર્ધ રાજાએ મિત્ર-સ્નેહનો ત્યાગ કર્યો. “ખરેખર કામદેવ સર્વ વિનાશ કરનાર થાય છે” ઈચ્છા પ્રમાણે સુખે વિલાસ કરતા એવા તેઓના ઘણા દિવસો મુહૂર્ત માફક પસાર થયા. બ્રહ્મરાજાના બીજા હૃદય સરખા ધનમંત્રીની નજરમાં તે બંનેનું ખુલ્લું ખરાબ વર્તન આવી ગયું મંત્રીએ વિચાર્યું કે, ચુલની સ્ત્રીસ્વભાવથી અકાર્ય આચરે છે. “ખરેખર સતી સ્ત્રીઓ બહુ વિરલ હોય છે. જે રાજ્યકોષ અને અંતઃપુર વિશ્વાસથી સાચવવા અને રક્ષણ કરવા થાપણ તરીકે અર્પણ કર્યું દીર્ઘરાજા તેનો આજે વિદ્રોહ કરી વિનાશ કરે છે, તેને કંઈ પણ અકાર્ય નથી. માટે હવે તે કુમારનું કંઈ વિપરીત કરશે, બિલાડા માફક દુર્જન પોષણ કરનારને પણ પોતાનો ગણતો નથી. એમ વિચારી વરધનુ નામના પોતાના પુત્રને આજ્ઞા કરી કે, હંમેશાં તારે સમાચારો જણાવતા રહેવું અને બ્રહ્મદત્તની સેવા કરવી. મંત્રીપુત્રે જ્યારે કુમારને વૃત્તાંત જણાવ્યો ત્યારે બ્રહ્મદત્ત પણ નવયુવાન હાથી માફક ધીમે ધીમે કોપ દેખાડવા લાગ્યો ત્યારે પછી બ્રહ્મદત્ત માતાનું દુશ્વરિત્ર નહિ સહન કરતો કાગડાને અને કોયલને લઈને અંતઃપુરમાં ગયો અને ત્યાં માતા અને દીર્ઘ સાંભળે તેવી રીતે બોલવા લાગ્યો કે, “વર્ણ-સંકરપણાથી આ બંને અને આવાં બીજા કોઈ હશે તો તે પણ વધ કરવા યોગ્ય છે. નક્કી તેઓને હું શિક્ષા કરીશ. ત્યાર પછી દીર્ઘ રાજાએ ચુલનીને કહ્યું છે કે, હું કાગડો અને તું કોયલ છે આપણે બંનેને આ કેદ કરશે. ત્યારે દેવીએ કહ્યું કે, બાળકના બોલવાથી ભય પામવાની જરૂર નથી. એક વખતે ભદ્ર હાથણી સાથે મુંડને લઈ જઈ ઠપકા પૂર્વક કુમારે આગળ માફક શિક્ષાવચનો કહ્યાં એ પ્રમાણે ફરી સાંભળીને દીર્થે કહ્યું કે, બાળક આપણને અભિપ્રાય પૂર્વક સંભળાવે છે. ત્યારે ચુલનીએ કહ્યું કે, અરે ! તેમ પણ હોય તેથી શું? કોઈ દિવસે હંસી સાથે બગલાને બાંધીને બ્રહ્મદત્તે સંભળાવ્યું કે, આ હંસી સાથે આ બગલો ક્રીડા કરે છે, પણ કોઈનું આવા પ્રકારનું વર્તન હું સહન નહિ કરીશ. ત્યારે દીર્ધ કહ્યું, હે દેવી ! બાળક એવા તારા પુત્રની અંદર પ્રગટેલ રોષાગ્નિના ધૂમાડા નીકળવા સરખી વાણી સાંભળ. વયથી વૃદ્ધિ પામતો આ કુમાર નક્કી હાથી અને હાથણી માટે જેમ કેસરી તેમ આપણા બંને માટે વિઘ્નરૂપ થશે. જ્યાં સુધીમાં કુમાર યુવાન પરાક્રમી ન થાય, ત્યાં સુધીમાં વિષવૃક્ષ માફક આ બાળકનો ઉચ્છેદ કરવો જોઈએ. ચુલનીએ કહ્યું કે, રાજ્યધર પુત્રનો વિનાશ કેમ કરાય? તિર્યંચો પણ પોતાના પ્રાણની જેમ પુત્રોનું રક્ષણ કરે છે. દીર્થે કહ્યું કે, પુત્ર ઉત્પન્ન કરવાનો તારો કાળ તો આ આવેલો જ છે, તું ચિંતા ન કર, હું છું એટલે તારે પુત્રો દુર્લભ નથી. શાકિની સરખી ચુલનીએ પણ પુત્ર-વાત્સલ્યનો ત્યાગ કરી રતિક્રીડા અને સ્નેહમાં પરવશ બની તેની વાતનો સ્વીકાર કર્યો. ચુલનીએ મંત્રણા કરી કે, અપકીર્તિ ન થાય તેમ આનો વિનાશ કરવો. આંબાના વનને સિંચવું પણ ખરું અને પિતૃતર્પણ પણ કરવું આ માટે કયો ઉપાય ? અથવા આ કુમારનાં લગ્ન કરવાં અને વાસગૃહના બાનાથી તેના માટે ગુપ્ત પ્રવેશ-નિર્ગમના દ્વારવાળું લાક્ષાઘર તૈયાર કરાવવું, ત્યાર પછી તેમાં વિવાહ પછી તેની પત્ની સાથે પ્રવેશ કરાવવો. તેઓ બંને અંદર ઊંઘી ગયા હોય, ત્યારે રાત્રે અગ્નિ સળગાવી બાળવો. આ પ્રમાણે બંનેએ ગુપ્ત મંત્રણા કરી પુષ્પચૂલ રાજાની કન્યા સાથે વિવાહ કર્યો અને વિવાહ કરવાની સર્વ સામગ્રી તૈયાર કરાવી તે બંનેનો ક્રૂર અભિપ્રાય જાણીને ધનુમંત્રીએ દીર્ઘ રાજાને અંજલિ કરી વિનંતિ કરી કે, મારો વરધનુ પુત્ર કલાઓ જાણનાર અને નીતિકુશળ બની ગયો છે અને હવે તે જ તમારી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આજ્ઞારૂપી રથઘુરાને વહન કરનાર યુવાન વૃષભ સરખો યોગ્ય છે. હું તો હવે ઘરડા વૃષભ જેવો આવવાજવામાં અસમર્થ છું, તમારી સમ્મતિથી કયાંક જઈને છેલ્લી જિંદગીનું અનુષ્ઠાન કરું “આ માયાવી કયાંય બીજે જઈને કંઈ પણ અનર્થ કરશે.” એવી શંકા દીર્ઘ રાજાને થઈ. “બુદ્ધિશાળી માટે કોને શંકા ન થાય?” હવે માયા કરી ધીઠા બનેલા દીર્ધ રાજાએ પ્રધાનને કહ્યું કે, ચંદ્ર વગરની રાત્રી માફક તમારા વગરના આ રાજ્યથી અમને સર્યું તમે અહીં જ દાનશાળા કરાવી ધર્મ કરો, બીજે ન જશો, સુંદર વૃક્ષો વડે જેમ તમારા સરખા વડે આ રાજ્ય શોભે છે ત્યાર પછી ભાગીરથી નદીના કિનારે સદ્બુદ્ધિવાળા ધનુમંત્રીએ ધર્મના જ મહાછત્ર સરખો પવિત્ર દાનમંડપ બંધાવ્યો. એવા પ્રકારની ગંગાના પ્રવાહ માફક અખંડિત દાનશાળા ચલાવી, જેમાં માર્ગના મુસાફરોને અન્ન-પાન વગેરે અપાતાં હતાં. દાન, માન અને ઉપકાર વડે વિશ્વાસુ બનાવેલા પુરૂષો દ્વારા તેણે બે કોશ પ્રમાણ લંબાઈવાળી લાક્ષાગૃહ સુધીની સુરંગ ખોદાવી. બીજીબાજુ મૈત્રી વૃક્ષને સિંચવા માટે જળ સરખા ગુપ્તલેખથી આ વૃત્તાન્ત ધનુમંત્રીએ પુષ્પચૂલ રાજાને જણાવ્યો. બુદ્ધિશાળી પુષ્પચૂલે પણ સાચી હકીકત જાણીને પોતાની પુત્રીના સ્થાનમાં હંસીના સ્થાનમાં બગલી માફક એક દાસીપુત્રીને મોકલી. રસેલ પિત્તળમાં સુવર્ણબુદ્ધિ થાય તેમ “રત્નમણિજડિત ભૂષણોવાળી આ પુષ્પચૂલની પુત્રી છે' તેમ ઓળખાતી કન્યાએ નગરમાં પ્રવેશ કર્યો. સુંદર મંગલગીતો અને વાજિત્રોના શબ્દથી પૂર્ણ આકાશતલ બનેલ હતું. હર્ષથી તે કન્યાનાં બ્રહ્મદત્ત સાથે લગ્ન કર્યાં. અન્ય સર્વ પરિવારને રજા આપીને ચુલનીએ વધૂ સાથે કુમારને પણ રાત્રીના આરંભ સમયે લાક્ષાઘરમાં મોકલ્યો અન્ય પરિવાર-રહિત વધૂ સાથે કુમાર પણ પોતાની છાયા સરખા વરધન સાથે ત્યાં આવ્યો. મંત્રિપુત્ર સાથે વાર્તા કરવામાં જાગતા બ્રહ્મદત્તની અર્ધરાત્રી પસાર થઈ. “મહાત્માઓને નિદ્રા કયાંથી આવે ?' ચુલનીએ સળગાવવા માટે આજ્ઞા કરેલા સેવકો વડે સળગાવો’ એટલી માત્ર પ્રેરણા થતાં જ વાસગૃહમાં અગ્નિ સળગ્યો, ત્યાર પછી ચલનીના લાંબા દુષ્કર્મની અપકીર્તિ લાવવા સરખા ધૂમ-સમૂહે ચારે બાજુ આકાશ પૂરી દીધું. ભૂખ્યો થયો હોય તેમ સર્વને ભક્ષણ કરવા માટે જ્વાલા-સમૂહો વડે જે અગ્નિ સાત ૦િ હતો, તે ક્રોડ જિલ્લાવાળો બન્યો. આ શું ? એમ બ્રહ્મદત્તે મંત્રી પુત્રને પૂછ્યું ત્યારે ચુલનીનું દુષ્ટવર્તન સંક્ષેપથી કહ્યું. હાથીની સૂંઢમાંથી સુંદરીને તેમ તમને અહીંથી બહાર નીકળવા માટે દાનશાળા સુધીની એક સુરંગ પિતાજીએ આપેલી છે. અહીં પાટુ મારીને ક્ષણવારમાં તે ખોલી નાખ અને યોગી જેમ છિદ્ર દ્વારમાં તેમ તરત સુરંગના દ્વારમાં પ્રવેશ કર. માટીના શકોરાના બનાવેલ સંપુટ વાજિંત્ર માફક પગ અફાળીને ભોંયરું ખોલીને તે મિત્ર સાથે જેમ રત્નછિદ્રમાં દોરો નીકળે તેમ નીકળી ગયો. સુરંગના નાકા પર ધનુમંત્રીએ બે ઘોડા તૈયાર રખાવેલા હતા. તેના ઉપર સુર્યપુત્રની શોભાને અનુસરતા રાજકુમાર અને મંત્રીકુમાર આરૂઢ થયા. પચાસ યોજન એક કોશ માફક પાંચમી ધારા ગતિથી એક શ્વાસે ઘોડાઓ દોડતા હતા, ત્યાં બંને ઘોડાઓ પંચત્વ પામ્યા. તે પછી પગે ચાલતા પ્રાણ-રક્ષણ કરવામાં તત્પર બનેલા તેઓ મુશીબતે કોષ્ટક નામના ગામ નજીક પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્તે કહ્યું, “હે મિત્ર વરધનું ! અત્યારે પરસ્પર કરતી હોય તેમ મને ભૂખ અને તરસ બંને અત્યંત પીડા કરે છે.” મંત્રીપુત્ર રાજપુત્રને “ક્ષણવાર અહીં તું રોકાઈ જા'. એમ કહીને તેના મસ્તકે મુંડન કરાવવાની ઈચ્છાથી ગામમાંથી એક હજામને બોલાવી લાવ્યો. મંત્રિપુત્રના વચનથી બ્રહ્મદત્તે ત્યાં જ માત્ર એક ચોટી રાખીને હજામત કરાવી નાખી તથા ભગવા રંગનાં પવિત્ર વસ્ત્રોને ધારણ કરતો તે સંધ્યા-સમયના વાદળામાં છૂપાએલા સૂર્યની શોભાને અનુસરતો હતો. વરધનુએ તેના કંઠમાં બ્રહ્મસૂત્ર ધારણ કરાવ્યું એટલે બ્રહ્મરાજાના પુત્રે બ્રહ્મપુત્ર તરીકેની સરખામણી યથાર્થ વહન કરી. વર્ષા ઋતુમાં મેઘવડે જેમ સૂર્ય ઢંકાઈ જાય, તેમ મંત્રીપુત્રે બ્રહ્મદત્તના શ્રીવત્સયુક્ત Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ ૧૦૧ વક્ષસ્થલને પટ્ટ વડે ઢાંકી દીધું. એવી રીતે સૂત્રધાર માફક બ્રહ્મપુત્રનો વેશપલટો કરાવ્યો અને પડખે રહેનાર મંત્રીપુત્રે પણ તે જ પ્રમાણે કર્યું. ત્યાર પછી પૂર્ણિમાના ચંદ્ર અને સૂર્ય સ૨ખા બંનેએ ગામમાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈક બ્રાહ્મણે ભોજન માટે નિમંત્રણ કર્યું. તેણે રાજાને અનુરૂપ એવી ભક્તિથી ભોજન કરાવ્યું ‘ઘણે ભાગે મુખના તેજના અનુસાર સત્કાર થાય છે.' બ્રાહ્મણપત્ની કુમારના મસ્તક પર અક્ષત વધાવતી શ્વેતવસ્ત્ર-યુગલ પહેરેલ અપ્સરા સમાન રૂપવાળી કન્યા લાવી. એટલે વરધનુએ તેને કહ્યું કે, હે મૂઢ ! આખલાના ગળે ગાય વળગાડવા માફક કલાહીન એવા આ બટુકને ગળે આને કેમ બાંધે છે ? ત્યારે ઉત્તમ બ્રાહ્મણે કહ્યું કે, ગુણો વડે મનોહર આ બંધુમતી નામની મારી કન્યા છે અને આના વગર બીજો કોઈ તેને યોગ્ય વર નથી. “આનો પતિ છ ખંડ પૃથ્વીનું રક્ષણ કરનાર ચક્રવર્તી થશે” એમ નિમિત્ત જાણકારોએ કહેલું છે અને આ તે જ છે. તેઓએ વળી એમ પણ મને કહ્યું કે, શ્રીવત્સની નિશાની પટ્ટથી ઢાંકી હશે અને તારા ઘરે જે ભોજન ક૨શે, તેને આ કન્યા આપવી. તે વખતે તે કન્યા સાથે બ્રહ્મદત્તનો વિવાહ થયો. ‘ભોગીઓને વગર ચિંતવેલા અત્યંત ભોગો પ્રાપ્ત થાય છે.’ તે રાત્રિ ત્યાં રહીને અને બંધુમતીને આશ્વાસન આપીને કુમાર બીજે ચાલ્યો ગયો. ‘જેને શત્રુ હોય, તેમને એક સ્થળે રહેવાનું ક્યાંથી હોય ?' સવારે એક ગામે પહોંચ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને પકડવા માટે સર્વે માર્ગો પર ચોકી પહેરા ગોઠવી દીધેલા છે. એટલે આડો માર્ગ પકડી ચાલતા હતા. ત્યારે દીર્ઘના ભયંકર સૈનિક સરખા શ્વાપદોવાળી મહાઅટવીમાં આવી પડ્યા. ત્યાં તૃષાવાળા કુમારને વડના વૃક્ષ નીચે મૂકીને વરધનુ મનસરખા વેગથી પાણી લેવા ગયો. એટલે ‘આ વરધનુ છે’ એમ ઓળખીને વરાહના બચ્ચાને જેમ કૂતરાઓ તેમ દીર્ઘ રાજાના પુરૂષોએ રોષથી તેને ઘેરી પકડી લીધો. ‘અરે ! આને પકડો પકડો, મારી નાંખો, મારી નાંખો’ એમ ભયંકર રીતે બોલતા તેઓએ વરધનુને પકડી લીધો અને બાંધ્યો. તેણે બ્રહ્મદત્તને એવી સંજ્ઞા કરી કે, તું અહીંથી નાસી છૂટ, કુમાર પણ પલાયન થઈ ગયો. ‘સમય આવે ત્યારે પરાક્રમની પરીક્ષા થાય છે.' ત્યાર પછી તે અટવીથી મહાઅટવીની અંદર વેગથી વગર થાક્યે પહોંચ્યો અને વળી એક આશ્રમથી બીજા આશ્રમે પહોંચ્યો. ત્યાં તેણે સ્વાદવગરનાં અને અગમતાં ફળોનાં આહાર કર્યો અને ત્રીજા દિવસે આગળ એક તાપસને દેખ્યો. એટલે હે ભગવંત ! આપનો આશ્રમ ક્યાં છે ? એમ પૂછ્યું એટલે તે તાપસ તેને પોતાના આશ્રમ સ્થાને લઈ ગયો. કારણકે ‘તાપસોને અતિથિઓ પ્રિય હોય છે' કુમારે કુલપતિને દેખ્યા એટલે હર્ષથી પિતા માફ: વંદન કર્યું. ‘અજાણી વસ્તુ માટે અંતઃકરણ પ્રમાણ ગણાય છે. કુલપતિએ કહ્યું ‘હે વત્સ ! મારવાડમાં કલ્પવૃક્ષ માફક સુંદર આકૃતિવાળા તારે અહીં આવવાનું પ્રયોજન શું થયું ?' ત્યાર પછી તે મહાત્મામાં વિશ્વાસ રાખનાર બ્રહ્મપુત્રે પોતાનો વૃત્તાન્ત જણાવ્યો., કારણ કે ઘણે ભાગે તેવાઓ પાસે કંઈ છુપાવવાનું ન હોય. ત્યાર પછી હર્ષિત થએલા કુલપતિએ ગદ્ગદ્ અક્ષરે કહ્યું કે હું તારા પિતાનો લઘુબંધુ છું. અમે દેહથી ભિન્ન હતા પણ અમારો આત્મા તો એક જ હતો માટે હે વત્સ ! તારા ઘર માફક અહીં તારી ઈચ્છા પ્રમાણે રહે, તેમજ અમારા મનોરથો સાથે અમારા તપો વડે પણ તું વૃદ્ધિ પામ. લોકોનાં નેત્રોને અતિશય આનંદ કરાવતો સર્વને વલ્લભ તે આશ્રમમાં રહેલો હતો, એટલામાં વર્ષાકાળ પણ પ્રાપ્ત થયો. ત્યાં રહેલા તેને બલદેવે જેમ કૃષ્ણને તેમ તે કુલપતિએ સર્વ શાસ્ત્રો, શસ્ત્રો અને અસ્ત્રો ભણાવ્યાં. બંધુ જેમ સારસ પક્ષીઓના મધુર શબ્દોવાળી વર્ષો વીત્યા પછી શરદઋતુ આવતા તાપસો ફળો લેવા માટે વનમાં ચાલ્યા. કુલપતિએ આદરપૂર્વક રોકવા છતાં પણ બચ્ચાઓ સાથે જેમ હાથી તેમ તાપસો સાથે બ્રહ્મદત્ત પણ વનમાં ગયો. Page #153 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વનમાં આમતેમ ભમતાં ત્યાં કોઈ હાથીના તાજાં મળ અને મૂત્ર જોવામાં આવ્યાં, તેથી તેણે માન્યું કે અહીંથી દૂર કોઈ હાથી હોવો જોઈએ. તાપસોએ તેને ઘણો રોકવા છતાં તેના પગલે પગલે પાંચ યોજનના અંતે તેણે પર્વત સરખા હાથીને જોયો. નિઃશંકપણે કછોટો વાળી પરાક્રમવાળી ગર્જના કરતો મલ્લુ જેમ મલ્લને તેમ મનુષ્યોમાં હાથી સમાન બ્રહ્મદત્તે હાથીને આહ્વાન કર્યું. એટલે ક્રોધાયમાન બની સર્વ અંગોને ધૂણાવતો, સૂંઢ લંબાવતો, કાનને સ્થિર કરતો, લાલમુખવાળો હાથી કુમાર તરફ દોડ્યો. જેટલામાં હાથી કુમારની પાસે આવી ગયો, તેટલામાં બાળકને છેતરવા માટે હોય તેમ હાથીને છેતરવા માટે તેણે વચમાં એક વસ્ત્ર ફેંક્યું. આકાશમાંથી એક આકાશ-ખંડ તૂટવા સરખા ઉજ્જવળ વસ્તુને અતિરોષ પામેલા હાથીએ બે દંતશૂળથી ક્ષણવારમાં ઝીલી લીધું. આવા પ્રકારની ચેષ્ટા વડે કુમારે તે હાથીને મદારી જેમ સર્પને તેમ લીલાથી ખેલાવ્યો. આ સમયે બ્રહ્મદત્તનો બીજો મિત્ર હોય તેમ ગર્જના કરતા વરસાદે જળધારાથી તે હાથીને ઉપદ્રવ કર્યો, ત્યાર પછી વિરસ ચીસ પાડીને હાથી મૃગની ગતિથી નાસી ગયો. કુમાર પણ ભમતો પર્વતની દિશા તરફ એક નદી પાસે પહોંચ્યો. કુમાર સાક્ષાત્ આપત્તિ સરખી નદી ઉતરી ગયો અને તેને કિનારે એક ઉજ્જડ જુનું નગર દેખ્યું. અંદર પ્રવેશ કરતાં કુમારે એક વંશજાળી અને તેમાં ઉત્પાત કરનાર કેતુ અને ચંદ્ર સરખા તલવાર અને ઢાલ દેખ્યા. તે બંને ગ્રહણ કરીને શસ્રકૌતુકી કુમારે તલવારથી તે મહાવાંસની જાળીને કેળ માફક છેદી નાંખી. વાંસની જાળીની અંદર તેણે પૃથ્વીમાં સ્થળકમળ સરખા સ્ફુરાયમાન ઓષ્ઠદલયુક્ત પડેલાં મસ્તકને જોયું. વળી સમ્યક્ પ્રકારે નજર કરતાં તેણે ઊંધા મસ્તકે ધૂમ્રપાન કરનાર કોઈકનું ત્યાં ધડ જોયું. ‘અરેરે ! કોઈક વિદ્યા સાધન કરતા નિરપરાધીને મૃત્યુ પમાડ્યો, ધિક્કાર હો મને' એમ કહી પોતાની નિંદા કરી. ૧૦૨ જેટલામાં આગળ જાય છે. તેટલામાં દેવલોકથી પૃથ્વીમાં ઉતરેલું નંદનવન ન હોય તેવું ઉઘાન દેખ્યું. તેમાં પ્રવેશ કરતાં આગળ સાતલોકની શોભાથી મૂર્છા પામેલો હોય તેવો સાત માળવાળો મહેલ જોયો. અતિ ઊંચા તે મહેલમાં આરૂઢ થતા હથેળીમાં મસ્તક સ્થાપન કરીને બેઠેલી ખેચરી સરખી એક નારી જોવામાં આવી. લગાર આગળ વધીને કુમારે તેને સ્વચ્છ વાણીથી પુછ્યું કે, ‘તું એકાકી કેમ અને તને શોકનું કારણ શું બન્યું છે ?' હવે ભયવાળી તેણે ગદ્ગદાક્ષરે પ્રત્યુત્તર આપ્યો કે, મારી હકીકત ઘણી લાંબી છે, પરંતુ તમે કોણ છો ? અને કેમ આવ્યા છો ? ત્યારે કુમારે જવાબ આપ્યો કે, ‘હું પંચાલના બ્રહ્મરાજાનો બ્રહ્મદત્ત નામનો પુત્ર છું' એટલું કહેતાની સાથે જ હર્ષથી તે ઊભી થઈ, જેની લોચન અંજલિમાંથી આનંદાશ્રુજળ ટપકી રહેલાં છે, જાણે પાદશૌચ કરતી હોય તેમ તેના પગમાં પડી ‘હે કુમાર ! સમુદ્રમાં ડૂબતાને નાવ મળે તેમ અશરણ એવી મને આપ શરણ મળી ગયા. એમ બોલતી તે રુદન કરવા લાગી. કુમારથી પૂછાએલી તેણે પણ કહ્યું કે, તમારી માતાના ભાઈ પુષ્પચૂલની હું પુષ્પવતી નામની પુત્રી છું. હું કન્યા છું. તમને અપાયેલી છું. વિવાહ દિવસની રાહ જોતી હું હંસી માફક ઉદ્યાનમાં વાવડી કિનારે ક્રીડા કરવા ગઈ હતી. કોઈ નાટ્યોન્મત્ત નામનો દુષ્ટ વિદ્યાધર રાવણ જેમ સીતાનું હરણ કરી લાવ્યો તેમ મને અહીં હરણ કરી લાવ્યો છે. મારી નજર સહન નહીં કરી શકતો હોવાથી વિદ્યા સાધવા માટે શૂર્પનખાના પુત્ર માફક તેણે વાંસની જાળીમાં પ્રવેશ કર્યો છે. ધૂમનું પાન કરતો ઊંચા પગ રાખીને સાધના કરી રહ્યો છે, તેને આજે વિદ્યા સિદ્ધ થશે. એટલે શક્તિવાળો વિદ્યાસિદ્ધ થયેલો તે નક્કી આજે મને પરણશે. ત્યાર પછી કુમારે તેનો વધ સંબંધી વૃત્તાન્ત જણાવ્યો એટલે પ્રિયની પ્રાપ્તિ અને અપ્રિયનો વિનાશ થવાથી હર્ષના ઉ૫૨ હર્ષની વૃદ્ધિ થઈ. એકબીજા પરસ્પર અનુરાગવાળા બંનેનો ગાંધર્વવિવાહ થયો. ક્ષત્રિયોમાં પોત પોતાની ઈચ્છાથી વગર મંત્રનો આ વિવાહ ઉત્તમ ગણાય છે. વિવિધ પ્રકારના Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ ૧૦૩ વચનોથી મધુરપણે તેની સાથે રતિક્રીડા કરતા કરતા તેમણે આખી રાત્રિ એક પહોર પ્રમાણવાળી હોય તેમ પસાર કરી. તે વખતે પ્રભાત સમયે આકાશમાં બ્રહ્મદત્તે કુરરી પક્ષિણી સરખો ખેચરસ્ત્રીઓનો શબ્દ સાંભળ્યો. વાદળા વગરની વૃષ્ટિ માફક અકસ્માત આકાશમાં આ શબ્દ કેમ ઉત્પન્ન થયો ? આ પ્રમાણે પુછાએલી ગભરાએલી પુષ્પવતીએ કહ્યું. “આ તો તમારા શત્રુ નાટ્યોન્મત્તની બે બહેનો ખંડા અને વિશાખા નામની વિદ્યાધરકમારીઓ આવી રહેલી છે. વગર ફોગટનો તેના માટે વિવાહની સામગ્રી હાથમાં લઈને આવે છે. જુદા પ્રકારે ચિંતવેલ કાર્ય દેવ તેની વિપરીત ઘટના કરે છે.” તમો થોડો સમય અહીંથી ખસી જાવ, તમારા ગુણકીર્તન કરીને તમારા વિષે તેમને રાગ કે વિરાગ થાય છે ? એવો તેમનો ભાવ જાણી લઉં, જો તેઓ રાગ કરશે, તો હું લાલ ધ્વજા ચલાવીશ તો તમે બીજે ચાલ્યા જજો, બ્રહ્મદત્તે તેને કહ્યું તું ભય ન રાખ, શું હું બ્રહ્મપુત્ર બીકણ છું. તુષ્ટ થાય કે રુષ્ટ થાય તો પણ તે શું કરી શકવાની છે? પુષ્પવતીએ કહ્યું કે તેમનાથી તમને ભય છે, એમ હું નથી કહેતી, પરંતુ તેના સંબંધી એવા વિદ્યાધરો તમારા સાથે વિરોધવાળા ન થાય. તેના ચિત્તની અનુવૃત્તિથી તે ત્યાં જ એક બાજુ છુપાઈ રહ્યો. હવે પુષ્પપતીએ સફેદ ધ્વજા ચલાવી. એટલે કુમાર તે દેખીને ત્યાંથી ધીમે ધીમે પ્રિયાના આગ્રહને આધીન બની ગયો. તેવા પ્રકારના મનુષ્યોને ભય હોતો નથી. આકાશમાં જેમ પક્ષી, સાંજે સૂર્ય જેમ સમુદ્રમાં તેમ અરણ્ય પસાર કરી એક મહાસરોવર પાસે કુમાર પહોંચ્યો. ઐરાવણ જેમ માનસ સરોવરમાં તેમ કુમારે તેમાં પ્રવેશ કરીને સ્નાન કરી ઈચ્છા પ્રમાણે અમૃત સરખું જળપાન કર્યું. બ્રહ્મદત્ત જળમાંથી બહાર નીકળી વાયવ્ય દિશાના કિનારે લત્તાની અંદર ગુંજારવ કરતા ભમરાઓના શબ્દના બાનાથી સારી રીતે સ્નાન કર્યું? એમ પૂછતી હોય તેમ આવી પહોંચ્યો. ત્યાં આગળ તેણે વૃક્ષ અને લતાની ઝાડીમાં પુષ્પો વીણતી સાક્ષાત્ વનદેવી સરખી કોઈ સુંદરી દેખી. કુમાર પણ વિચાર કરવા લાગ્યો કે, બ્રહ્માએ જન્મથી માંડી અનેક રૂપો બનાવવાનો અભ્યાસ કર્યો હશે, ત્યારે જ આમાં આટલું રૂપ- કૌશલ્ય લાવી શક્યા હશે. દાસી સાથે વાતો કરતી તે મોગરા સરખા ઉજ્જવલ કટાક્ષો વડે કંઠમાં વરમાળા ફેંકતી હોય તેમ તેને જોતી બીજી બાજુ ગઈ. કુમાર પણ તે જોતા જેટલામાં બીજી તરફ જવા પ્રયાણ કરે છે, તેટલામાં વસ્ત્ર, ભૂષણ, તાંબૂલ સાથે દાસી આવી. દાસીએ વસ્ત્ર વગેરે અર્પણ કરીને કહ્યું કે, આપે અહીં જેને દેખી હતી, તેણે આ સ્વાર્થ-સિદ્ધિના બાના તરીકે આપના ઉપર મોકલ્યું છે અને મને આજ્ઞા કરી છે કે એમને પિતાજીના મંત્રીને ત્યાં મહેમાનગતિ માટે લઈ જજે. સાચી હકીકત તો તે જ યથાર્થ જાણે છે. તે પણ દાસી સાથે નાગદેવમંત્રીના ઘરે ગયો. અમાત્ય પણ જાણે તેના ગુણોથી જ આકર્ષાયો હોય તેમ ઉભો થયો. દાસીએ મંત્રીને કહ્યું કે રાજપુત્રી શ્રીકાન્તાએ રહેવા માટે આ ભાગ્યશાળીને તમારે ત્યાં મોકલ્યા છે, એમ સંદેશો આપીને દાસી ગઈ. તે મંત્રીએ સ્વામીની માફક તેની વિવિધ પ્રકારની પરોણાગત કરી અને ક્ષણ માફક આખી રાત્રિ ખપાવી. રાત્રિ પૂર્ણ થયા પછી મંત્રી કુમારને રાજકુલમાં લઈ ગયો. જ્યાં રાજાએ બાલસૂર્ય માફક અર્ધ આદિકથી તેનો આદર કર્યો વંશાદિ પૂછ્યા વગર રાજાએ કુમારને પુત્રી આપી. તેવા પ્રકારના પુરૂષો આકૃતિથી જ સર્વ જાણી જાય છે. કુમારે હસ્ત વડે હસ્ત-પીડન કરતાં તેની સાથે લગ્ન કર્યું. જાણે અન્યોન્ય એકબીજાના અનુરાગને સર્વ દિશામાં સંક્રમતા ન હોય ? એક વખત એકાંતમાં ક્રીડા કરતાં બ્રહ્મદત્તે તેને પુછયું કે જેના વંશાદિક જાણ્યા નથી, એવા અજ્ઞાત મને પિતાજીએ તને શા માટે આપી હશે ?” એટલે મનોહર દંતકિરણો વડે સ્વચ્છ થયેલા ઓષ્ઠદલવાળી શ્રીકાન્તાએ કહ્યું કે, વસંતપુર પત્તનમાં શબરસેન નામના રાજા હતા, તેના પુત્ર મારા પિતાને ક્રૂરગોત્રવાળા રાજાઓએ રાજ્યગાદી ઉપરથી દૂર કર્યા ત્યાર પછી મારા પિતાએ બલ-વાહન-સહિત આ પલ્લીનો આશ્રય Page #155 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ** ૧૦૪ કર્યો છે. વાયુવેગ જેમ નેતરને તેમ ભિલ્લોને નમાવીને અહીં ગ્રામોનો નાશ કરવા, ધાડ પાડવી ઇત્યાદિ વડે પિતાજી પોતાના પરિવારનું પોષણ કરે છે. સંપત્તિ મેળવવાના ચાર ઉપાય સરખા ચાર પુત્રો પછી પિતાજીને અત્યંત વલ્લભ એવી એક પુત્રી જન્મી, જે હું પોતે જ છું. યૌવનવયવાળી મને પિતાજીએ કહ્યું કે, સર્વ રાજાઓ મારા દ્વેષી છે. અહીં રહીને તારે વ૨ની તપાસ કરતા રહેવું અને તને જે માન્ય હોય, તે મને જણાવજે, ચક્રવાકી માફક સરોવર-કાંઠે હંમેશા રહેલી હતી, ત્યારથી માંડી માર્ગે આવતા અનેક મુસાફરોને જોયા કરું છું. કરેલા મનોરથની પ્રાપ્તિ સ્વપ્રમાં પણ અત્યંત દુર્લભ હોય છે., પરંતુ હે આર્યુપુત્ર ! મારા ભાગ્યની પ્રબળતાથી તમો અહીં આવી પહોંચ્યા. તે પલ્લીપતિ કોઈક દિવસે ગામનો નાશ કરવા માટે ગયા ત્યારે તેની સાથે કુમાર પણ ગયો. કારણકે, ક્ષત્રિયોનો આ ક્રમ છે. ગામ લુંટાતું હતું. ત્યારે સરોવ૨-કિનારે વરધનું હંસ માફક કુમારના ચરણ-કમળમાં આવીને પડ્યો. કુમારના કંઠનું આલંબન કરી વરધનું મુક્ત કંઠથી રુદન કરવા લાગ્યો. ઈષ્ટના દર્શન થતાં દુઃખો અંદરથી ઉભરાઈ જાય છે. ત્યાર પછી અમૃતના કોગળા સરખા અતિમધુર વાર્તાલાપ વડે આશ્વાસન આપી કુમારે પૂછેલો તેનો અત્યાર સુધીનો વૃતાંત કહ્યો કે, હે નાથ ! વડના વૃક્ષતળે તમને તે વખતે મૂકીને હું તમારા માટે જળની તપાસ કરવા ગયો. કંઈક આગળ અમૃતના કુંડ સરખું એક સરોવર જોયું. હું તમારા માટે કમલિની પત્રના પડીયામાં પાણી ભરીને લાવતો હતો. ત્યારે યમના દૂત સરખા બખ્તર પહેરેલા સુભટોએ આવી મને ઘેરી લીધો અને પૂછ્યું, ‘અરે વરધનુ ! બ્રહ્મદત્ત ક્યાં છે ? તે કહે.’ એમ તેઓએ મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે, મને ખબર નથી. ચોરની માફક નિઃશંકપણે તેઓ મારતા હતા, ત્યારે મેં કહ્યું કે, બ્રહ્મદત્તને વાધે ફાડી ખાધો છે, તે સ્થાન બતાવ, એમ કહેવાએલા મેં કપટથી આમ તેમ ફરતાં તમારી નજરમાં આવી તમને પલાયન થવાની સંજ્ઞા કરી.' પરિવ્રાજકે આપેલી એક ગુટિકા મુખમાં મૂકી એટલે તેના પ્રભાવથી હું ચેષ્ટા અને ભાન વગરનો થઈ ગયો. ‘આ મરી ગયો.' એમ ધારી તેઓએ મને છોડી દીધો. તેઓ ગયા પછી લાંબા કાળે મેં મુખમાંથી ગુટિકા બહાર કાઢી અને ખોવાએલા પદાર્થ માફક તમને ખોળવા માટે હું કોઈક ગામમાં ગયો. ત્યાં સાક્ષાત્ તપસ્યાના ઢગલા સરખા એક પરિવ્રાજક મહાત્માના દર્શન કર્યા અને નમસ્કાર કર્યા ત્યાર પછી પરિવ્રાજકે મને કહ્યું કે હે વધુન ! હું ધનનો મિત્ર વસુભાગ છું. પૃથ્વીમાં ભાગ્યશાળી એવા બડભાગી બ્રહ્મદત્ત અત્યારે ક્યાં વર્તતા હશે ? મેં પણ તેના પર વિશ્વાસ રાખી સાચી વાત જણાવી. મારી દુઃખની કથાના ધૂમાડાથી મ્યાનમુખવાળા બની ફરી તેણે મને કહ્યું કે - તે સમયે લાક્ષાઘર બળી ગયા પછી દીર્ઘરાજાએ સવા૨ે તપાસ કરાવી તો બળી ગયેલ એક શબ મળ્યું. પણ ત્રણ શબ ન જણાયાં. ત્યાં સુરંગ દેખી અને તેમાં છેડે અશ્વનાં પગલાં પણ દેખ્યા. આ ધનુની બુદ્ધિથી નાસી ગયા છે, એટલે ધનુમંત્રી ઉપર કોપાયમાન બન્યો અને આજ્ઞા કરી કે, સૂર્યતેજ માફક અસ્ખલિત પ્રયાણો કરનાર લશ્કરો દરેક દિશામાં મોકલી તેમને બંનેને બાંધીને અહીં લાવો. ધનુમંત્રી પલાયન થયો અને તારી માતાને તો દીર્ઘરાજાએ નરક સરખા ચાંડાલના પાડામાં નાખી છે. ફોલ્લા ઉપર બીજો ફોલ્લો થાય તેવી વાતોથી દુઃખ પામેલો દુઃખ ઉપર બીજું દુઃખ ઉત્પન્ન થવાથી હુ કામ્પિલ્ય નગર તરફ ગયો. કપટથી કાપાલિક સાધુનો વેષ ધારણ કરી ત્યાં ચાંડાલના પાડામાં સસલા માફક ઘરે ઘરે પ્રવેશ કરતો રહ્યો. લોકો મને અહીં ભ્રમણ કરવાનું કારણ પૂછવા લાગ્યા, ત્યારે મે કહ્યું કે, ‘મારો માતંગી વિદ્યાનો કલ્પ આવા પ્રકારનો છે. ‘ત્યાં આ પ્રમાણે ભ્રમણ કરતાં કરતા વિશ્વાસપાત્ર એવા કોટવાલ સાથે મૈત્રી થઈ. માયાથી શું ન સાધી શકાય ? કોઈક દિવસે કોટવાલ દ્વારા માતાને મેં કહેરાવ્યું કે, ‘તમારા પુત્રના મિત્ર મહાવર્તી કૌડિન્ય તાપસ તમને વંદન કરે છે. બીજા દિવસે જાતે જઈને માતાજીને ગુટિકા સહિત બીજોરું આપ્યું. તે ખાવાથી તે Page #156 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ ૧૦૫ નિશ્ચેતન જેવી જડ બની ગઈ. કોટવાળે રાજાને જઈને કહ્યું કે, મૃત્યુ પામી. રાજાએ પોતાના સેવકોને અગ્નિ-સંસ્કાર કરવા માટે હુકમ કર્યો. તે વખતે હું ત્યાં આવ્યો અને મેં કહ્યું કે, જો આ ક્ષણે આનો સંસ્કાર કરશો, તો તમારા રાજાને મહાઅનર્થ થશે.' એટલે તેઓ પોતાના સ્થાને ગયા. પછી કોટવાલને મેં કહ્યું કે, જો તું સહાય કરે તો હું સર્વલક્ષણ યુક્ત આના શબથી એક મંત્ર સિદ્ધ કરું કોટવાલે તે વાતનો સ્વીકાર કર્યો અને તેની જ સાથે હું માતાને સાંજે સ્મશાનમાં દૂર લઈ ગયો. એક તેવા ભૂમિસ્થાનમાં કપટથી મેં મંડલાદિક આલેખીને નગરદેવીઓને બલિ આપવા માટે કોટવાલને મોકલ્યો, તે ગયો એટલે માતાને બીજી ગુટિકા આપી. નિદ્રા ઉડી જવા માફખ બગાસું ખાતી ચેતનાવાળી તે ઉભી થઇ. પોતાની ઓળખાણ આપી. રુદન નિવારણ કરી તેને કચ્છ ગ્રામમાં પિતાજીના મિત્ર દેવશર્માના ઘરે લઈ ગયો તમને ખોળવા માટે આમ તેમ ભટકતો હું અહિં આવ્યો. ભાગ્ય-યોગે સાક્ષાત્ મારા પુણ્યરાશિ સરખા તમારા દર્શન અત્યારે મને થયાં. હે નાથ ! ત્યાર પછી તમે ક્યાં પ્રયાણ કર્યું ? અને ક્યાં રોકાયા ? એમ તેનાથી પૂછાએલા કુમારે પણ પોતાનો વૃત્તાન્ત નિવેદન કર્યો. હવે કોઈએ આવીને બંનેને કહ્યું કે, ગામની અંદર દીર્ઘરાજાના સુભટો તમારા સરખી આકૃતિવાળા ચિત્રપટ લાવીને બતાવતા કહે છે કે, ‘આવી આકૃતિવાળા કોઈ બે માણસ અહીં આવ્યા હતા ?' એમ તેમની વાણી સાંભળીને મેં તમને બંનેને જોયા, ‘હવે તમોને જેમ રુચે તેમ કરો' તે ગયા પછી અરણ્યમાં તેઓ હાથીના બચ્ચા સરખા દોડતા દોડતા ક્રમે કરી કૌશાંબી નગરીએ પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં સાગરદત્ત શેઠ તથા બુદ્ધિલને લાખની શરતવાળું કૂકડાનું યુદ્ધ કરાવતું જોતા હતા તે કૂકડાઓ ઉડી ઉડીને પ્રાણ ખેંચના૨ અણીયાળા હથિયા૨ સરખા નખો વડે તથા ચાંચો વડે યુદ્ધ કરી રહેલા હતા. તેમાં સાગરદત્તના ભદ્રહાથી સરખા ઉત્તમ જાતવાન સક્ત કુક્કુટને મધ્યમ પ્રકારના હાથી સરખા બુદ્ધિલના કૂકડાએ હરાવ્યો. ત્યારે વરધનુએ કહ્યું, ‘હે સાગર ! તારો ઉત્તમ જાતિનો ફૂકડો હોવા છતાં પણ કેમ નાસીપાસ થયો ? આ કારણથી જો તું ઈચ્છતો હોય તો હું એની તપાસ કરું ‘સાગરની અનુમતિથી તેણે બુદ્ધિલના કુર્કુટને જોયો, તો તેના પગમાં યમદૂતી સરખી લોઢાની સોયો જોઈ. બુદ્ધિલ પણ અંદરથી સમજી ગયો કે, ‘મારું કપટ આ જાણી ગયો છે' એટલે છાની રીતે અર્ધોલાખ આપવા ઈચ્છા જણાવી. તેણે પણ આ હકીકત કુમારને એકાંતમાં જણાવી. કુમારે પણ લોહસોય ખેંચી લીધી અને સાગરશેઠના કૂકડાની સાથે ફરી યુદ્ધ કરાવ્યું. તો સોય વગરનો તે બુદ્ધિલનો કુકકુટ તેની સાથે યુદ્ધ કરતાં ક્ષણવારમાં હારી ગયો. ‘કપટ કરનાર હલકા માણસોનો જય કેવી રીતે થાય ? ખુશ થયેલા સાગરદત્ત વિજયદાન અપાવનાર બંનેને પોતાના રથમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પોતાના ઘર માફક રહેલા હતા, ત્યારે વરધનુની પાસે આવીને બુદ્ધિલના કિંકરે કંઈક કહ્યું. તે ગયા પછી વરધનુએ કુમારને કહ્યું કે, બુદ્ધિલે તે સમયે અર્ધલાખ આપવાની ઈચ્છા કરી હતી, તે વાત આજે તું જોજે, ત્યારે પછી તેણે નિર્મલ, મોટા, ગોળ મોતીઓ વડે જાણે શુક્રમંડલની શોભા કરી હોય તેવો હાર બતાવ્યો. કુમારે હાર ઉપર બાંધેલો પોતાના નામનો લેખ જોયો અને સાક્ષાત વાચિક લેખ હોય તેવી વત્સા નામની તાપસી આવી. તેઓ બંનેના મસ્તક ઉપર અક્ષતો નાંખી-વધાવીને આશીર્વાદ આપવા સાથે વરધનુને એક બાજુ લઈ જઈ કંઈક કહીને તે ચાલી ગઈ. મંત્રીપુત્રે બ્રહ્મદત્તેને તે વાત જણાવી કે, હાર સાથે બાંધેલા લેખનનો પ્રતિલેખ એ માગતી હતી. શ્રીબ્રહ્મદત્ત નામાંકિત આ લેખ તેને આપો, મેં તેને પૂછ્યું. ‘બ્રહ્મદત્ત કોણ ?' ત્યારે તેણે આ નગરમાં પૃથ્વીમાં પોતાના રૂપનું પરિવર્તન કરી રતિ જાણે કન્યાપણું પામી ન હોય એવી રત્નવતી નામની શેઠપુત્રી છે. પોતાના ભાઈ સાગરદત્ત અને બુદ્ધિલના કૂકડાઓના યુદ્ધમાં તેણે તે દિવસે કહ્યું 1 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ બ્રહ્મદત્તને જોયો હતો, ત્યારથી માંડી ઝૂરતી કામથી પીડાતી તે કોઈ રીતે શાંતિ પામતી નથી અને રાત દિવસ મને બ્રહ્મદત્તનું શરણ છે એવો જાપ કર્યા કરે છે. એક દિવસે પોતે લખેલા લેખ સાથે હાર બ્રહ્મદત્તને અર્પણ કરો' એમ કહી તેણે મને પહોંચાડવા આપ્યો, કોઈ સેવક દ્વારા મેં લેખ મોકલાવ્યો હતો એમ કહીને ઉભી રહી. ત્યારે મેં પણ પ્રત્યુત્તરનો લેખ અર્પણ કરી તેને રજા આપી. તે દિવસથી કુમાર પણ મધ્યાહુનના સૂર્યકિરણથી તપેલા હાથી માફક દુઃખે નિવારણ કરી શકાય તેવા કામસંતાપવાળો સુખ પામતો નથી. બીજી બાજુ દીર્ઘરાજાએ મોકલેલા કૌશામ્બી નગરીના રાજપુરુષો અંગમાં ભરાયેલ શલ્ય સરખા તે બંનેને ખોળવા માટે આવ્યા. રાજાની આજ્ઞાથી કૌશામ્બી નગરીમાં તે બંનેની શોધ ચાલી, ત્યારે સાગરે નિધાન માફક પોતાના ભોયરામાં છપાવીને તેમનું રક્ષણ કર્યું. રાત્રે બહાર જવાની. તેમને રથમાં બેસાડી સાગર કેટલાક માર્ગ સુધી સાથે ગયો અને પછી પાછો વળ્યો. ત્યાર પછી તેઓ આગળ જતા હતા ત્યારે નંદનવનમાં જેમ અમરીને તેમ ઉદ્યાનમાં અસ્ત્રો સાથે રથમાં આરૂઢ થયેલી એક નારીને તેઓએ જોઈ. “તમને આટલો સમય કેમ થયો ?' એમ આદર પર્વક તેણે કહ્યું. ત્યારે આ બંનેએ પૂછ્યું કે, “અમો કોણ છીએ ? તે તું અમને જાણે છે ? ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, આ નગરમાં કુબેરનો બીજો ભાઈ હોય તેવો મહાનવાળો ધનપ્રવર નામનો શેઠ છે. બુદ્ધિના આઠ ગુણો ઉપર જેમ વિવેક તેમ તે શ્રેષ્ઠીના આઠ પુત્રો ઉપર વિવેકથી નામની હું પુત્રી જન્મી છું. જુવાન એવી મેં આ ઉદ્યાનમાં યક્ષની ઘણી આરાધના કરી કે. “મને અતિ ઉત્તમ વરની પ્રાપ્તિ થાઓ.' ઘણે ભાગે સ્ત્રીઓને આ સિવાય બીજો મનોરથ હોતો નથી. ભક્તિથી તુષ્ટ થએલા આ ઉત્તમ યક્ષે “બ્રહ્મદત્ત ચક્રવર્તી તારો ભર્તાર થશે.” એ પ્રમાણે મને વરદાન આપ્યું. “સાગર અને બુદ્ધિલ શેઠના કૂકડાના યુદ્ધમાં શ્રીવત્સવાળો સરખા રૂપવાળો જે મિત્ર સહિત આવશે. તેને તારો વર સમજવો. મારા મંદિરમાં તુ વર્તતી હઈશ. ત્યારે બ્રહ્મદત્તની ર પ્રથમ મેલાપ થશે.' તેથી હું જાણું છું કે, હે સુંદર ! તે તમે જ છો. માટે ચાલો. લાંબા સમયથી વિરહાગ્નિથી પીડાતી મને જળના પર સરખા સંગમ વડે અત્યારે શાંતિ પમાડો. “ઠીક' એ પ્રમાણે કહી તેના અત્યંત અનુરાગ માફક તેનો સ્વીકાર કરી તે રથમાં આરૂઢ થયો અને ક્યાં જવું છે? એમ તેણીને પડ્યું ત્યારે તેણે કહ્યું કે, મગધપુરમાં મારો પિતરાઈ ભાઈ ધનાવહ નામનો છે તે આપણો ઘણો સત્કાર કરશે, માટે અહીંથી ત્યાં જવું એ પ્રમાણે રત્નવતીના વચનથી મંત્રીપુત્ર સારથીએ અશ્વોને પ્રેય, બ્રહ્મપુત્ર કૌશામ્બી દેશનું ઉલ્લંઘન કરી ક્ષણવારમાં યમરાજાની ક્રીડાભૂમિ સરખી ભયંકર અટવીમાં આવ્યો. ત્યાં આગળ સુકંટક અને કંટક નામના ચોર સેનાપતિએ મહાવરાહને જેમ શ્વાનો તેમ બ્રહ્મદત્તને રોકતા હતા. સૈન્ય સાથે એકી વખતે કાલરાત્રિાના પુત્ર સરખા ઉત્કટ બંને ભાઈઓ બાણો વડે આકાશમંડપને આચ્છાદન કરવા લાગ્યા. ધનુષ્ય ગ્રહણ કરેલ ગર્જના કરતો કુમાર પણ મેઘ ઘણી ધારા વડે જેમ અગ્નિને તેમ બાણની ધારા વડે ચોર-સેનાને રોકતો હતો. કુમાર જ્યારે બાણવૃષ્ટિ કરવા લાગ્યો, ત્યારે બંને ચોરો સૈન્ય સાથે નાસી ગયા. “પ્રહાર કરનાર જ્યાં સિંહ હોય ત્યાં હરણિયા કેવી રીતે ટકી શકે ?' મંત્રીપુત્રે કુમારને કહ્યું કે, યુદ્ધ કરીને તમે થાકી ગયા છો, તો તે સ્વામિ ! તમે આ રથમાં રહી મુહુર્ત સૂઈ જાવ. પર્વતની તળેટીમાં જેમ યુવાન હાથણી સાથે હાથી તેમ બ્રહ્મદત્ત પણ રથમાં રત્નવતી સાથે સુઈ ગયો. જાગ્યો ત્યારે રથમાં મંત્રીપુત્રને ન દેખ્યો, એટલે શું પાણી લેવા ગયો હશે ? એમ ધારીને ઘણી વખત તેને બૂમ પાડી. સામેથી જવાબ ન મળ્યો અને રથનો આગલો ભાગ લોહીથી ખરડાએલો દેખીને અરેરે ! હું હણાયો, એમ વિલાપ કરતાં મૂછ પામ્યો અને રથમાં પટકાયો. ચેતના આવી એટલે ઉભો થયો હો હા હે મિત્ર વરધનું ! તું ક્યાં ગયો ? એમ લોક માફક આકંદન કરતાં તેને રત્નવતીએ સમજાવ્યો કે, “તમારા મિત્ર મૃત્યુ પામ્યા જણાતા નથી. હે નાથ ! તે માટે અમાંગલિક એવા શબ્દો પણ બોલવા યોગ્ય નથી. તમારા કાર્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭ ૧૦૭ માટે તે ક્યાંય ગયા જણાય છે. સંશય વગરની વાત છે, કે “મંત્રીઓ સ્વામીના કાર્ય માટે પૂછ્યા વગર પણ જાય છે. તમારા વિષયની ભક્તિથી જ રક્ષાએલો તે નક્કી પાછો આવશે જ. સ્વામિ-ભક્તિનો પ્રભાવ એવો છે કે, તે સેવકો માટે બખ્તર સરખું કાર્ય કરે છે. સ્થાને પહોંચ્યા પછી સેવકો દ્વારા તેની શોધ કરાવીશું. યમરાજાના વનસરખા આ વનમાં રોકાઈ રહેવા યોગ્ય નથી.” તેના વચનથી અશ્વોને ચલાવ્યા એટલે મગધરાજાના સીમાડાના ગામ પહોંચ્યા. અશ્વોને અને વાયરાને વળી દુર શું હોય ? મકાનમાં રહેલા ગામના મુખીએ તેમને જોયા એટલે તે પોતાના ઘરે લઈ ગયો. “અજાણ્યા મહાપુરુષો આકૃતિનાં દર્શન માત્રથી પૂજા પામે છે.” ગામમુખીએ તેમને પૂછયું કે, તમારા ચહેરાથી તમો શોકવાળા જણાવો છો, ત્યારે કહ્યું કે મારો મિત્ર ચોરો સાથે યુદ્ધ કરતાં કરતાં ક્યાંય ગયો છે, એટલે મુખીએ કહ્યું કે, ‘હનુમાન જેમ સીતાની તેમ તેની ભાળ શોધી લાવીશ' એમ કહીને ગ્રામજનો આખી મહાઇટવીને ખુંદી વળ્યા. ગ્રામ-નેતાએ પાછા આવીને કહ્યું કે, વનમાં તો પ્રહારથી ઘાયલ થયેલો કોઈ દેખાયો નહિ, પરંતુ આ એક બાણ મળ્યું છે. નક્કી વરધનુ હણાયો એમ ચિતવતા બ્રહ્મદત્તને શોક માફક અંધકાર સ્વરૂપ રાત્રિ-સમય થયો. રાત્રિના ચોથા પહોરે ત્યાં ચોરો ત્રાટક્યા. પંરતુ જેમ કામથી પ્રવાસીએ તેમ કુમારથી તેઓ ભાગી ગયા. ત્યાર પછી ગામ-નેતાથી અનુસરાતો તે ક્રમે કરી રાજગૃહ ગયો અને તેની બહાર તાપસના આશ્રમમાં રત્નવતીને મૂકી. નગરમાં પ્રવેશ કરતાં તેણે એક મહેલની બારીમાં ઉભેલી સાક્ષાત રતિ-પ્રીતિ સરખી નવયૌવનવય પામેલી બે કામિનીઓને દેખી. તે બંનેએ કુમારને કહ્યું કે, “પ્રેમ રાખનાર જનનો ત્યાગ કરી ચાલ્યા જવું. તે તમારા સરખાને યોગ્ય ગણાય ?' કુમારે કહ્યું કે, પ્રેમ રાખનાર જન કોણ છે ? અને મેં ક્યારે તેમનો ત્યાગ કર્યો ? અને તમે કોણ છો ? તમો પ્રસન્ન થાવ હે નાથ ! તમો આવો અને વિશ્રામ કરો' એવા વચનો બોલતા તેમણે બ્રહ્મદત્તને મનની માફક ઘરમાં પ્રવેશ કરાવ્યો. પછી સ્નાન, ભોજન કરી રહેલા બ્રહ્મદત્તને તેઓ પોતાની યથાર્થ કથા કહેવા લાગી – જ્યાં વિદ્યાધરોના આવાસો છે, તે સુવર્ણ (રૂપા) સરખી શિલાવાળો પૃથ્વીના તિલક સમાન વૈતાઢય નામનો પર્વત છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામના નગરમાં અલકામાં જેમ ગુહ્યક તેમ જ્વલનશિખ નામનો રાજા છે. તે વિદ્યાધર રાજાને તેજસ્વી મુખકાંતિવાળી મેઘને જેમ વીજળી, તેમ વિદ્યુતશિખિ નામની પ્રિયા હતી. તેમના નાટ્યગૃત્ત પુત્રની પછી જન્મેલી ખંડા અને વિશાખા નામની પ્રાણાધિક પ્રિય એવી બે અમે પુત્રીઓ છીએ. કોઈક દિવસે મહેલમાં પિતાજી અગ્નિશિખ મિત્ર સાથે વાર્તાલાપ કરતા હતા, ત્યારે અષ્ટાપદપર્વત પર જતા દેવોને આકાશમાં જોયા. ત્યાર પછી મિત્રને સાથે લઈ અમે તીર્થયાત્રા કરવા માટે ચાલ્યા. “સ્નેહીઓ હોય, તેમને ધર્મમાં જોડવા જોઈએ. અમો અષ્ટાપદે પહોંચ્યા. ત્યાં મણિરત્નની બનાવેલી પ્રમાણ અને વર્ણયુક્ત તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓનાં દર્શન કર્યા. તેમજ વિધિ પ્રમાણે અભિષેક, વિલેપન પૂજા કરીને તેમને ત્રણ પ્રદક્ષિણા કરી એકાગ્રચિત્તે ચૈત્યવંદનરૂપ વંદના કરી. મંદિરમાંથી અમે બહાર નીકળતા હતા. ત્યારે લાલ અશોકવૃક્ષ નીચે મૂર્તિ સ્વરૂપ તપ અને શમ સરખા બે ચારણ શ્રમણોને જોયા. તેમને પ્રણામ કરી તેમની પાસે બેસીને અમે શ્રદ્ધાપૂર્વક અજ્ઞાન-અંધકાર દૂર કરનાર ચંદ્રજ્યોત્ના સરખી ધર્મદેશના સાંભળી. ત્યાર પછી અગ્નિશિખે તેમને પુછ્યું કે, આ બે કન્યાનો પતિ કોણ થશે ? તેમણે કહ્યું કે, જે આ બેના ભાઈને મારનાર હશે તે થશે. તે વાત સાંભળીને હિમથી જેમ ચંદ્ર તેમ પિતાજી અને અમે બંને ઉદાસીન બન્યા, અને વૈરાગ્ય-ગર્ભિત વચનો વડે અમે કહ્યું કે, હે પિતાજી ! સંસારની અસારતવાળી દેશના આજે જે આપણે સાંભળી, તો પછી આ વિષાદરૂપ નિષાદચંડાલથી કેમ પરાભવ પામો છો ? આવા પ્રકારના વિષયથી ઉત્પન્ન થયેલા સુખથી અમને સર્યું. ત્યારથી Page #159 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ →→→ માંડી અમે અમારા ભાઈનું રક્ષણ કરવામાં પ્રવૃત્તિ કરતા હતા. એક વખતે અમારા ભાઈએ ભ્રમણ કરતાં કરતાં તમારા મામા પુષ્પચૂલની પુષ્પવતી નામની કન્યાને જોઈ, અદ્ભુત લાવણ્યવાળા રૂપથી આકર્ષિત થયેલા માનસવાળા તે દુર્બુદ્ધિએ તે કન્યાનું હરણ કર્યું. ‘કર્મના અનુસારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે' કન્યાની નજર સહન ન કરવાથી પોતે વિદ્યા-સાધના કરવા ગયો. ત્યાર પછીની હકીકત તો આપ જાણો જ છો તે સમયે પુષ્પવતીએ અમને ભાઈના મરણ સંબંધી શોકને દૂર કરનાર ધર્માક્ષરો સંભળાવ્યા. વળી, પુષ્પવતીએ કહ્યું કે, તમને ઈષ્ટ ભર્તાર થનાર બ્રહ્મદત્ત તે અહીં આવેલા છે. ‘મુનિની વાણીમાં ફરક પડે જ નહિ' તે વાતનો અમે સ્વીકાર કર્યો, પરંતુ ઉતાવળમાં લાલને બદલે ઉજ્જવલ પતાકા ચલાયમાન કરવાથી અમને છોડીને તમે ત્યાંથી ચાલ્યા ગયા. અમારા ભાગ્યની પ્રતિકૂળતાથી તમે આવ્યા નહિ કે, પાછા દેખાયા નહિ. અમે દરેક જગ્યા પર રખડી રખડીને કંટાળી ગયા, ત્યારે પાછા અહીં આવ્યા. પુણ્યયોગે અહીં આપ આવી ગયા. પહેલા પુષ્પવતીના વચનથી અમે તમોને વરેલી જ છીએ અને તમોજ અમારી બંનેની ગતિ છો. ત્યાર પછી તેણે ગાંધર્વ-વિવાહથી બંને સાથે લગ્ન કર્યા. ‘સરિતાઓનો સાગર તેમ સ્ત્રીઓના ભાજન ભોગીઓ બને છે’ ગંગા અને પાર્વતી સાથે જેમ મહાદેવ તેમ તે બંનેની સાથે ક્રીડા કરતા બ્રહ્મદત્તે તે રાત્રિ ત્યાં પસાર કરી. ‘જ્યાં સુધી મને રાજ્ય-પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તમારે પુષ્પવતી પાસે રહેવું' એમ કહીને તેમને રજા આપી. તે પ્રમાણે તેની આજ્ઞાને બંનેએ માન્ય કરી. ત્યાર પછી ગંધર્વનગરની જેમ લોકો સાથે તે મંદિર અને સર્વ અદશ્ય થયું. ૧૦૮ * હવે બ્રહ્મદત્ત રત્નવતીની તપાસ કરવા માટે આશ્રમમાં ગયો. ત્યાં ન દેખવાથી શુભાકૃતિવાળા એક પુરૂષને પૂછ્યું કે, મહાભાગ્યશાળી ! દિવ્ય વસ્ત્રો પહરેલ રત્નાભૂષણોથી શોભાયમાન એવી કોઈ સ્ત્રીને આજે અગર ગઈકાલે તમે દેખી છે ? ત્યારે તેણે કહ્યું કે, હે નાથ ! રુદન અને વિલાપ કરતી એક સ્ત્રીને મેં જોઈ હતી. પરંતુ તે ભત્રીજી થતી હોવાથી તેને ઓળખીને તેના કાકાને સમર્પણ કરી દીધી. રત્નવતીના કાકાએ પણ બ્રહ્મદત્તને બોલાવ્યો.. મોટી ઋદ્ધિવાળા ધનિકોને સર્વ વસ્તુ નજીવી લાગે છે. તેની સાથે વિષય-સુખ અનુભવતાં હવે એક દિવસે વરધનુનું મરણોત્તર કાર્ય શરૂ કર્યું. હવે જ્યારે બીજા દિવસે બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, ત્યારે બ્રાહ્મણ વેષધારી વરધનું ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યો કે, ‘જો મને ભોજન આપશો, તો સાક્ષાત્ એ વરધનુને' એ પ્રમાણે કાનને અમૃત સમાન એવી વાણી બ્રહ્મપુત્રે સાંભળી, તે પણ તેને દેખીને આલિંગન કરી જાણે આત્માને એક સ્વરૂપ બનાવતો હોય અને હર્ષાશ્રુ વડે નવડાવતો હોય તેમ ઘરની અંદર લઈ ગયો. ત્યાર પછી કુમાર વડે પૂછાએલા એવા તેણે પોતાનો વૃત્તાંત કહ્યો કે, તમે સુઈ ગયા પછી દીર્ઘના સૌનિકો માફક ચોરોએ મને ધેરી લીધો. વૃક્ષોના આંતરામાં સંતાએલા એક ચોરે એક બાણથી મને એવી રીતે હણ્યો કે જેથી હું પૃથ્વી પર પડ્યો અને લત્તાની અંદર છુપાઈ ગયો. ચોરો ગયા પછી વૃક્ષની બખોલમાં, જળમાં જેમ આતિપક્ષી સંતાય તેમ સંતાઈ ગયો. અનુક્રમે ગામમાં પહોંચ્યો. ગામના મુખી પાસેથી તમારા સમાચાર જાણીને હું અહીં આવ્યો અને ભાગ્યયોગે મો૨ જેમ મેઘને તેમ તમને મેં જોયા. બ્રહ્મદત્તે તેને કહ્યું કે, હવે આપણે પુરૂષાર્થ વગર કાયરો માફક ક્યાં સુધી રહીશું ? આ સમયે કામદેવને સામ્રાજ્ય પ્રાપ્ત કરાવનાર, મદિરા માફક યુવાનને મદ કરાવનાર વસંતોત્સવ પ્રગટ્યો. તે વખતે રાજાનો મત્તહાથી સ્તંભ તોડીને સાંકળ રહિત થઈ સમગ્ર લોકોને ત્રાસ પમાડતો મૃત્યુનો જાણે નાનો ભાઈ હોય તેમ બહાર નીકળ્યો. ત્યાર પછી નિતંબના ભારની પીડાથી સ્ખલના પામતી ગતિવાળી કોઈક કન્યાને હાથીએ સુંઢથી કમલિની માફક પકડી. શરણાર્થી આક્રંદન કરતી દીનનેત્રવાળી તે કન્યાની વિષમ સ્થિતિ થવાથી સર્વ દુ:ખના બીજાક્ષર સમાન હાહારવ ઉછળ્યો. હે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ માતંગ ! તારૂં માતંગ એટલે ચંડાળ નામ સાર્થક છે. સ્ત્રીને પકડતા તને લજ્જા આવતી નથી ?' એમ કહેવાએલા તે હાથી પાસેથી તેને મુક્ત કરાવી કુમાર તેના સામે ગયો. એકદમ કૂદકો મારીને દાંત ઉપર પગથિયાની માફક પગ સ્થાપન કરી સહેલાઈથી કુમારે તેના ઉપર આરોહણ કર્યું અને આસન કરી બેસી ગયો. વાણી અને પગ દબાવવારૂપ અંકુશ વડે યોગ જાણનાર યોગ વડે આત્માને તેમ તે કુમારે તે હાથીને તરત વશ કર્યો. “બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, શાબાશ, શાબાશ !' એ પ્રમાણે લોકો વડે કુમારનો જય જયકાર પ્રવર્તો, કુમારે પણ તેને થાંભલા પાસે લઈ જઈ હાથણી માફક બાંધી દીધો. ત્યાર પછી રાજા ત્યાં આવ્યો અને તેને દેખીને વિસ્મય પામ્યો. તેની આકૃતિ અને પરાક્રમથી કોણ આશ્ચર્ય ન પામે ? આ છૂપો પુરૂષ કોણ હશે ? અને ક્યાંથી આવ્યો હશે ? અથવા તો આ સૂર્ય કે ઈન્દ્ર હશે ? એમ રાજાએ કહ્યું, એટલે રત્નવતીના કાકાએ તેને કહ્યું, ત્યાર પછી પુણ્ય માની રાજાએ ઉત્સવપૂર્વક દક્ષરાજાએ જેમ ચંદ્રને તેમ કન્યાઓ બ્રહ્મદત્તને આપી. તેમની સાથે લગ્ન કરીને સુખપૂર્વક તે ત્યાં રહેલો હતો, ત્યારે કોઈક સમયે વસ્ત્રનો છેડો ભમાવીને એક ઘરડી સ્ત્રીએ આવીને કહ્યું કે, આ નગરમાં જાણે લક્ષ્મીથી બીજો કુબેર હોય તેવો ધનાઢ્ય વૈશ્રમણ નામનો શેઠ છે, તેને સમુદ્રને જેમ લક્ષ્મી તેમ શ્રીમતી નામની પુત્રી છે. રાહુથી જેમ ચંદ્રકળાને તેમ તેને તમે હાથી પાસેથી છોડાવી, તે તમને જ મનથી વરેલી છે અને ત્યારથી તે ઝૂરે છે. જેમ તમે હાથીથી ઉગારી, તેમ હવે તેને કામથી પણ બચાવો, જેવી રીતે હૃદયમાં તમને ગ્રહણ કર્યા છે, તેવી જ રીતે તમે તેના હસ્તને સ્વીકારો. વિવાહના વિવિધ મંગલો સાથે કુમાર તેને પરણ્યો અને સુબુદ્ધિ મંત્રીની નંદા નામની કન્યાને વળી વરધનું પરણ્યો. શક્તિથી પ્રખ્યાતિ પામેલા તે બંને પૃથ્વીમાં ભ્રમણ કરતા અને ઉદ્યમ કરતા પ્રયાણ કરતા હતા. ત્યાર પછી બ્રહ્મદત્તને વારાણસી તરફ આવતા સાંભળી તેનો રાજા બ્રહ્મા માફક ગૌરવ કરીને સામો જઈને પોતાને ત્યાં લઈ ગયો. તે કટક રાજાએ પોતાની કટકવતી નામની પુત્રી તથા સાક્ષાત્ જયલક્ષ્મી સરખી ચતુરંગ સેના આપી. ચંપાના સ્વામી કરેણુદત્ત, ધનમંત્રી તથા ભગદત્ત વગેરે રાજાઓ તેનું આગમન સાંભળીને આવ્યા. ભરતે જેમ સુષેણને તેમ વરધનુને સેનાધિપિત બનાવી દીર્ઘરાજાને લાંબા પંથે મોકલવા માટે બ્રહ્મપુત્રે લડાઈ માટે પ્રયાણ કર્યું. દીર્ઘરાજાના દૂતે કટકરાજા પાસે આવીને આ પ્રમાણે કહ્યું કે, દીર્ઘરાજા સાથેની બાલ્યકાળની મૈત્રી છોડવી યોગ્ય નથી. ત્યારે કટકે કહ્યું કે, બ્રહ્મરાજા સહિત આગળ આપણે સગા ભાઈઓ જેવા પાંચે મિત્રો હતા. બ્રહ્મરાજાએ મરણ સમયે પુત્ર અને રાજ્યનું રક્ષણ કરવા માટે આપણને સોંપણી કરી હતી. ધિક્કારેલ સમર્પણ કરેલને શાકિની પણ ખાતી નથી. બ્રહ્મરાજાના પુત્ર ભાંડ તરફ દીર્ઘરાજાએ લાંબો વિચાર ન કર્યો અને અતિશય પાપ આચર્યું. તેવું પાપ ચંડાળ પણ શું આચરે ? માટે તું જા અને દીર્ધને કહે કે બ્રહ્મદત્ત તારી સામે આવી રહ્યો છે. યુદ્ધ કર, અથવા તો નાસી જા, એમ કહીને દૂતને રજા આપી. ત્યાર પછી રોકાણ વગર પ્રયાણ કરતો કરતો બ્રહ્મપુત્ર કામ્પિલ્યપુર આવ્યો અને મેઘ જેમ સૂર્ય સહિત આકાશને તેમ તેણે દીર્ઘસહિત નગર પર ઘેરો ઘાલ્યો. દંડથી ઈજા પામેલા મહાસર્પ દરમાંથી બહાર નીકળે તેમ દીર્ઘરાજા પોતાના સર્વ પરિવાર સાથે અને યુદ્ધ-સામગ્રી સહિત નગરમાંથી બહાર નીકળ્યો. ચુલનીએ પછી અત્યંત વૈરાગ્ય પામવાથી પુર્ણાનામની પ્રવર્તિની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે મુક્તિ પામી. નદીના જળચરો જેમ સમુદ્રના જળચરો વડે તેમ દીર્ઘરાજાના આગળ આવેલા સૈનિકો બ્રહ્મદત્તના સૈનિકો વડે ઘાયલ થયા. ક્રોધથી દાંત કચકચાવતો ભયંકર મુખાકૃતિવાળા વરાહની માફક દીર્ઘરાજા દોડીને શત્રુને હણવા માટે પ્રવર્તો. બ્રહ્મદત્તના પાયદળો, રથસૈન્ય અને અશ્વસ્વાર સૈન્યો લાંબા વેગવાળા નદીપુર માફક ચારે બાજુ ફરી વળ્યાં, ત્યાર પછી ક્રોધથી લાલનેત્રવાળો બનેલો બ્રહ્મદત્ત ગર્જના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧0 યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરતા હાથી સાથે જેમ હાથી-તેમ ગર્જના કરતા દીર્ઘરાજા સાથે જાતે યુદ્ધ કરવા લાગ્યો. પ્રલયકાળના ખળભળેલા સમુદ્ર સરખા બળવાન તે બંને મોજા વડે જેમ મોજાને તેમ અસ્ત્રો વડે અસ્ત્રોને ફેંકતા હતા. હવે અવસર થયો છે, એમ જાણી લેવક માફક ફેલાતા પ્રકાશવાળું સર્વ દિશાઓને જીતવાના સ્વભાવવાળું ચક્ર બ્રહ્મદત્તને પ્રગટ થયું. બ્રહ્મદરે તે ચક્રરત્નથી તુરત જ દીર્વને હણી નાંખ્યો. ઘોને મૃત્યુ પાડવામાં વીજળીને કયો પરિશ્રમ-વિલંબ થાય ? સ્તુતિ કરતા માગો માફક “આ ચક્રવર્તી જય પામો” એમ બોલતા દેવોએ બ્રહ્મદત્તના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. નગરલોકો, પિતા, માતા, દેવતા માફક તેને જોવા લાગ્યા અને ઈન્દ્ર જેમ અમરાવતીમાં તેમ તેણે કપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. બ્રહ્મદત્ત રાજાએ પૂર્વ પરણેલી પત્નીઓને સર્વસ્થાનેથી તેડાવી અને પુષ્પવતી નામની રાણીને સ્ત્રીરત્ન તરીકે સ્થાપના કરી. જુદા જુદા સ્વામીઓની સીમાઓ નિર્મુલ કરીને છ ખંડોને સાધીને પૃથ્વી એક ખંડ સ્વરૂપ બનાવી. અર્થાત્ એક છત્રવાળા ચક્રવર્તીના રાજ્યની સ્થાપના કરી. બાર વરસ સુધી સર્વ દિશાના રાજાઓએ આવી આવીને રાજાઓએ જેમ ભરતનો તેમ તેનો પણ અભિષેક કર્યો. ચોસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓથી પરિવરેલો તે પૂર્વભવમાં કરેલા તપવૃક્ષના ફળસ્વરૂપ રાજ્યસુખને ભોગવતો હતો. કોઈક દિવસે નાટક સંગીત ચાલી રહેલા હતા, ત્યારે તેની દાસીએ દેવાંગનાએ ગુંથેલ હોય તેવા આશ્ચર્યકારી પુષ્પનો દડો સમર્પણ કર્યો. બ્રહ્મદત્તે તેને દેખીને મેં પૂર્વે ક્યાંય પણ આવા પ્રકારનો દડો દેખ્યો છે,” એમ મનમાં વારંવાર ઊહાપોહ કર્યો, પહેલાના પાંચ જન્મના સ્મરણો તત્કાલ ઉત્પન્ન થયા અને આ સૌધર્મ દેવલોકમાં મેં દેખ્યો હતો, તેમ રાજાએ જાણ્યું, તે ચંદન જળ વડે સિંચાયો હોઈ સ્વસ્થ બની વિચાર કરવા લાગ્યો કે, મારા પૂર્વભવનો સગોભાઈ મને કવી રીતે મળશે? તેને ઓળખવા માટે માધ તા 5 ', મત્તિવમ" અર્ધા શ્લોકવાની સમસ્યા આપી. “આ મારી સમસ્યાને જે અર્ધાશ્લોકથી પૂર્ણ કરશે, તેને મારું અધું રાજ્ય આપીશ” એવી નગરમાં ઉદ્ઘોષણા કરાવી. સર્વ નગરલોકોએ પણ આ અર્ધ શ્લોકને પોતાના નામ માફક મુખપાઠ કર્યો, પણ તે સમસ્યાને કોઈએ પૂર્ણ ન કરી, તે સમયે પરિમતાલથી ચિત્રનો જીવ શેઠ-પુત્ર જાતિસ્મરણવાળો થઈ. દીક્ષા લઈ. વિહાર કરતાં કરતાં એક વખતે ત્યાં આવ્યો. ત્યાં કોઈક ઉદ્યાનમાં નિર્જીવ ભૂમિમાં રહેલા તે મુનિએ કોઈક રેંટ ચલાવતા અને અર્થે શ્લોક પઠન કરતા પુરુષ પાસે તે પદો સાંભળ્યા, એટલે બાકી રહેલા પદો તેણે બોલાવીને ગોખાવ્યા. 8ા ગતિચાર્ગો વિયો .. પછી તે રંટ ચલાવનાર રાજા પાસે જઈને બોલી ગયો. એટલે રાજાએ પૂછ્યું કે, એ પદ જોડનારા કવિ કોણ છે ? એટલે તેણે મુનિનું નામ આપ્યું. તેને રાજાએ બક્ષીશ આપી અને તે ઉદ્યાનમાં ધર્મવૃક્ષ ઉગેલું હોય તેમ, મુનિને જોવા માટે ગયો. હર્ષાશ્રુ-પૂર્ણ નેત્રવાળા રાજાએ તે મુનિએ વંદના કરી. ત્યાં પૂર્વજન્મ માફક સ્નેહવાલો તે નજીકમાં બેસી ગયો. કૃપારસ-સમુદ્ર મુનિએ આશીર્વાદ આપીને રાજાના ઉપકાર માટે ધર્મદેશના શરૂ કરી– “હે રાજન્ ! અસાર એવા આ સંસારમાં કંઈ સાર નથી, સારભૂત હોય તો કાદવમાં જેમ કમળ તેમ માત્ર ધર્મ જ એક માત્ર સાર છે. શરીર, યૌવન, લક્ષ્મી, સ્વામીપણું, મિત્રો અને બંધુઓ એ સર્વે પવનથી ફરકતી ધ્વજા સરખા ચંચળ છે. જેવી રીતે પૃથ્વી સાધવા માટે બાહ્ય શત્રુઓને જીત્યા, તેમ મોક્ષ સાધવા માટે અંતરંગ શત્રુઓ પર પણ જય મેળવ. બાહ્ય અને અત્યંતર શત્રુઓનો વિવેક કરી મહાશત્રુ સરખા અત્યંતર શત્રુનો ત્યાગ કરો. રાજહંસ જેમ ક્ષીર અને પાણીનો વિભાગ કરી દૂધને જ ગ્રહણ કરે છે, તેમ તમે પણ યતિધર્મને ગ્રહણ કરો.” બ્રહ્મદત્તે કહ્યું, “હે બંધુ ! ભાગ્યયોગે આજે તમારા દર્શન થયાં આ રાજ્ય તમારું જ છે, માટે તમારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવો. તપસ્યાનું ફળ હોય તો ભોગો, તે Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, ગ્લો.ર૭ ૧૧૧ મળ્યા પછી શા માટે તપ કરવું ? પ્રયોજનની સિદ્ધિ આપોઆપ થયા પછી પ્રયત્ન કરવા કોણ ઉદ્યમ કરે ?” મુનિએ કહ્યું કે, “મને પણ કુબેર સરખી સંપત્તિઓ મળી હતી, પરંતુ ભવ-ભ્રમણના ભયવાળા મેં તેનો તૃણ માફક ત્યાગ કર્યો છે. સૌધર્મ દેવલોકથી ફીણપુષ્યવાળો આ પૃથ્વીતલમાં આવ્યો છે, અને અહીંથી ઘટેલા પુણ્યવાળો હે રાજન્ ! રખે તું અધોગતિમાં જાય. આર્યદેશમાં, શ્રેષ્ઠ કુલમાં, મોક્ષ આપનાર મનુષ્યપણું પામીને તું અમૃતથી ગુદાશૌચ કરવા માફક આ જન્મ વડે તું ભોગોની સાધના કરે છે ! સ્વર્ગમાંથી ચ્યવીને ઘટેલા પુણ્યવાળા આપણે કુયોનિઓમાં ભટક્યા. વગેરે વાતો યાદ કરાવવા હજુ તું બાળક માફક કેમ મુંઝાય છે ?” આવી રીતે તેણે પ્રતિબોધ કર્યો. તો પણ રાજા ન સમજ્યો. ‘જેમણે નિયાણું કર્યું હોય, તેને બોધિબીજની પ્રાપ્તિ ક્યાંથી થાય ? આ નહિ સમજે તેમ જાણી મુનિ બીજી તરફ વિહાર કરી ગયા. કાલદિષ્ટજાતિના સર્ષે ડંખ્યા હોય પછી ગાડિકો રોકાઈને શું કરે ? ઘોતિકર્મોનો ક્ષય કરી ઉત્તમ કેવલજ્ઞાન પામીને ભવ સુધી રહેનારાં કર્મોને પણ હણીને તે મુનિ મુક્તિપદ પામ્યા. સંસારના સુખાનુભવમાં લીન બનેલા બ્રહ્મદત્તે પણ સાતસો વર્ષ અનુક્રમે પસાર કર્યા. ત્યારે કોઈક પહેલાનો પરિચિત એક બ્રાહ્મણ તેની પાસે આવ્યો, અને તેણે કહ્યું કે, તમે પોતે જે ભોજન કરો છો, તે મને આપો. બ્રહ્મદત્તે તેને કહ્યું કે “મારું ભોજન પચાવવું તારે માટે મુશ્કેલ છે, લાંબા કાળે પચનારું અને મહાઉન્માદ કરાવનારું છે', “અન્નદાન દેવામાં પણ તમે કૃપણ છો ! ધિક્કાર થાઓ તમને” એમ બોલતા તેને તેના કુટુંબ-પરિવાર સાથે રાજાએ પોતાનું ભોજન કરાવ્યું. હવે રાત્રિએ તે બ્રાહ્મણને બીજ માફક કે ભાતના ભોજનથી સો શાખાવાળો કામોન્માદ વૃક્ષ અતિશય પ્રગટ થયો. માતા, બેન, પુત્રી, પુત્રવધૂ વગેરેના ભેદ વગર માંહોમાંહે પશુ માફક પુત્ર સહિત બ્રાહ્મણે રતિક્રીડાની પ્રવૃત્તિ કરી. રાત્રિ પૂર્ણ થયા પછી તે બ્રાહ્મણ અને ઘરના લોકો શરમથી પોતાનું મુખ એક બીજાને બતાવવા શક્તિમાન ન બન્યા. “કૂર એવા રાજાએ મને આખા કુટુંબ સહિત વિડંબના પમાડ્યો” એમ ચિંતવતો બ્રાહ્મણ ક્રોધથી નગર બહાર નીકળી ગયો. બહાર ભ્રમણ કરતાં તેણે દુરથી પીપળાના ઝાડના પાંદડામાં કાંકરાઓ વડે છિદ્ર પાડતા એવા કોઈક બકરાં પાળનાર રબારીને જોયો. “મારા વેરનો બદલો વાળવા માટે આ સાધન બસ છે' એમ વિચારી મૂલ્ય જેવા સત્કારથી તેને ખરીદી લઈ કહ્યું કે, “આ રાજમાર્ગ ઉપરથી હાથી પર બેસી છત્ર-ચામર સાથે જે જાય તેની આંખો બે ગોલિકા ફેંકી ફોડી નાંખવી.” રબારીએ બ્રાહ્મણનું તે પ્રમાણે વચન સ્વીકાર્યું. કારણ કે, પશુ જેવા પશુપાલો વિચાર કરી કાર્ય કરનારા હોતા નથી. પછી તે રબારીએ બે ભીંત વચ્ચે રહીને બે ગોળી બરાબર ફેંકીને રાજાની બે આંખો ફોડી નાંખી. દેવની આજ્ઞા નક્કી ઉલ્લંઘન કરી શકાતી નથી.” બાજપક્ષી વડે જેમ કાગડો તેમ અંગરક્ષકો વડે તે રબારી પકડાયો. ખૂબ માર માર્યો ત્યારે અપ્રિય કરાવનાર બ્રાહ્મણને જણાવ્યો. તે સાંભળી રાજાએ કહ્યું કે, “બ્રાહ્મણની જાતિની ધિક્કાર થાઓ કે, તે પાપીઓ જ્યાં ભોજન કરે છે, ત્યાં જ ભાજન ભાંગે છે. જે દાતાર પ્રત્યે સ્વામીભાવ રાખે છે, એવા કૂતરાને આપેલું સારું. પરંતુ કદાપિ કૃતઘ્ન એવા બ્રાહ્મણોને આપવું ઉચિત નથી. ઠગનારા ક્રૂર વ્યાપદો માંસાહારી બ્રાહ્મણોની ઉત્પત્તિ જેમણે કરી, તે જ પ્રથમ શિક્ષા કરવા લાયક છે' એમ બોલતા અતિશય ક્રોધવાળા રાજાએ પુત્ર, મિત્ર અને બંધુ સહિત તે બ્રાહ્મણનો મુઠ્ઠીમાં આવેલા મચ્છર માફક ઘાત કરાવ્યો. તેણે પ્રધાનને આજ્ઞા કરી કે, ઘાયલ કરાએલા બ્રાહ્મણોનાં નેત્રો વડે વિશાલ થાળ ભરીને મારી પાસે સ્થાપન કરવો. મંત્રીઓ રાજાનો રૌદ્ર અધ્યવસાય જાણી ગુંદાનાં ફળોથી ભરી થાળને ધરતા હતા, “બ્રાહ્મણોનાં નેત્રોથી થાળ સારી રીતે પૂર્ણ બન્યો છે.' એમ બોલતો બ્રહ્મદત્તરાજા તે થાળને અને નેત્રોને વારંવાર મસળે છે. બ્રહ્મદત્તને સ્ત્રીરત્નરૂપ પુષ્પવતીના સ્પર્શમાં જે આનંદ આવતો ન હતો, તેના કરતાં વધારે આનંદ તે થાળના સ્પર્શમાં થતો હતો. મદિરાના વ્યસનવાળો જેમ મદિરાપાત્રને તેમ દુર્ગતિના કારણભૂત એવા તે થાળને કદાપિ પણ પોતાની Page #163 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૧૨ - આગળથી ખસેડતો ન હતો. ફલાભિમુખ પાપવૃક્ષના દોહલાને તૈયાર કરતો હોય તેમ બ્રાહ્મણોનાં નેત્રોની બુદ્ધિથી શ્લેષ્મ સરખા ચિકણા અને ચક્ષુ જેવડાં ગુંદાફળના ઠળિયાને તે મસળતો હતો તેથી પાછો નહીં હઠેલો રૌદ્રધ્યાનનો પરિણામ અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યો. “શુભ કે અશુભ ગમે તે હોય, પરંતુ તે સર્વ મોટાને મોટું જ હોય છે” આ પ્રમાણે પાપરૂપ કાદવમાં વરાહ સરખા તે ચક્રવર્તીના રૌદ્રધ્યાનના પરંપરાવાળા કર્મ બાંધના૨ સોળ વર્ષો વીતી ગયાં. તે બ્રહ્મદત્ત ચક્રવર્તી સાતસો સોળ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી હિસાનબુંધી પરિણામના ફળ અનુરૂપ સાતમી નારકી પૃથ્વીમાં ગયો. ॥ ઈતિ બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા | || ૨૭ || હિંસા કરનારની નિંદા : ८४ कुणिर्वरं वरं पङ्गु-रशरीरी वरं पुमान् । अपि सम्पूर्णसर्वाङ्गो, न तु हिंसापरायणः ૫ ૨૮ ॥ અર્થ : હિંસા ન કરનાર, ઠુંઠા, લંગડા અને કોઢિયા સારા છે, પરંતુ સંપૂર્ણ અંગવાળા હિંસા કરનારા સારા નથી. ॥ ૨૮ || ટીકાર્થ : હાથ-પગ વગરના, ખરાબ દેહવાળા કુષ્ટ રોગી, અંગરહિત અહિંસકો સારા છે. પણ સર્વાંગ સંપૂર્ણ હિંસા કરનાર સારો નથી. ॥ ૨૮ ॥ ‘રૌદ્ર ધ્યાન-પરાયણ પુરૂષ જે શાંતિ નિમિત્તે પ્રાયશ્ચિતભૂત એવી, અથવા કુલક્રમથી ચાલી આવતી માછીમારો વગેરે જે હિંસાઓ કરે છે, તે રૌદ્રધ્યાન વગરની હોવાથી પાપ માટે થતી નથી.' આવી શંકા કરનારને કહે છે— ८५ हिंसा विघ्नाय जायेत । विघ्नशान्त्यै कृताऽपि हि । कुलाचारधियाऽप्येषा कृता कुलविनाशिनी ॥ २९ ॥ અર્થ : “વિઘ્નોથી શાંતિ થાય”, તે માટે પણ કરાયેલી હિંસા વિઘ્ન આપનારી બને છે અને કુળના આચારને પાળવાની બુદ્ધિની કરાયેલી હિંસા પણ કુળનો વિનાશ કરનારી થાય છે. ।। ૨૯ || ટીકાર્થ : રૌદ્રધ્યાન વગરની, અવિવેકથી કે લોભથી જે શાંતિ-નિમિત્તે કે કુલ-પરંપરાથી ચાલી આવેલી હિંસા એ એકલા પાપના હેતુ સ્વરૂપ નથી, પરંતુ વિઘ્ન-શાંતિ માટે કરાતી હિંસા સમરાદિત્યકથામાં કહેલ યશોધરના જીવ સુરેન્દ્રદત્તની જેમ લોટના બનાવેલા કુકડાના વધ કરવા સ્વરૂપ ભવ-પરંપરા વધારનાર વિઘ્નરૂપ થાય છે. ‘આ અમારા કુળનો રિવાજ છે.' એવી બુદ્ધિથી કરેલી હિંસા કુળનો જ વિનાશ કરનારી થાય છે. || ૨૯ || હવે કુળક્રમથી આવેલી હિંસાનો પણ ત્યાગ કરતો પુરૂષ પ્રશંસવા યોગ્ય છે તે કહે છે— अपि वंशक्रमायातां यस्तु हिंसां परित्यजेत् । ८६ स श्रेष्ठ सुलस इव, कालसौकरिकात्मजः ॥ ૩૦ ॥ અર્થ : વંશ અર્થાત્ કુલ-ક્રમથી ચાલી આવેલી હિંસાનો જે ત્યાગ કરે છે, તે કાલસૌકરિક ખાટકીના પુત્ર સુલસની માફક શ્રેષ્ઠ છે | ૩૦ || ટીકાર્થ : સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણનાર કસાઈના પુત્ર સુલસની જેમ મરણને ઈચ્છે છે, પણ મનથી પણ પ૨પીડા કરતો નથી, સંપ્રદાય-ગમ્ય સુલસની કથા આ પ્રમાણે છેઃ— Page #164 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૮-૩૦ ૧૧૩ કાલસૌકરિકપુત્ર સુલસની કથા : મગધદેશમાં મહાઋદ્ધિ યુક્ત રાજગૃહ નામનું નગર હતું. ત્યાં વીર ભગવંતના ચરણ-કમળમાં ભ્રમર જેવો શ્રેણિક રાજા હતો. તેને કૃષ્ણપિતા વસુદેવને જેમ દેવકી અને રોહિણી તેમ શીલાલંકારવાળી નંદા અને ચેલ્લણા નામની બે પ્રિયતમા હતી. વિશ્વરૂપ કુમુદને આનંદ આપનાર ચંદ્ર સરખો બને કુળમાં ભૂષણ સમાન અભયકુમાર નામનો નંદાને પુત્ર હતો, રાજાએ તેનું ઉત્કૃષ્ટ બુદ્ધિ-કૌશલ્ય જાણીને સર્વાધિકારીપણે તેની નિમણૂંક કરી. “ગુણો એ ગૌરવનું સ્થાન છે. કોઈક સમયે જગભૂજ્ય શ્રી મહાવીર ભગવંત તે નગરમાં આવી સમવસર્યા. જંગમ કલ્પવૃક્ષ સમાન એવા સ્વામીને આવેલા જાણીને પોતાને કૃતાર્થ માનતો હર્ષિત થયેલો શ્રેણિક રાજા ત્યાં આવ્યો. દેવાદિક પર્ષદા પોતપોતાના સ્થાને બેસી ગયા પછી જંગગુરુએ પાપનાશ કરનારી ધર્મદેશના શરૂ કરી. તે વખતે કોઢની રસી ગળતી કાયાવાળો કોઈક આવીને, પ્રણામ કરીને ભૂમિતલમાં જેમ હડકાયો શ્વાન તેમ પ્રભુની પાસે આવીને બેસી ગયો. ત્યાર પછી ભગવંતના બંને પગ ઉપર તે નિઃશંકપણે ચંદનરસ માફક પોતાના ઘણા પરૂરસથી લેપ કરવા લાગ્યો. તેને દેખી ક્રોધ પામેલા શ્રેણિક રાજા વિચાર કરવા લાગ્યો કે, જગદ્ગુરુની આશાતના કરનાર આ પાપી અહીંથી ઉભો થાય, એટલે વધ કરવાની શિક્ષાને યોગ્ય છે. આ વખતે ભગવંતે છીંક ખાધી, એટલે તે કોઢિયાએ કહ્યું કે, ‘તમે મરી જાવ' શ્રેણિકે ખાધી, એટલે તેને “જીવો', અભયકુમારે છીંક ખાધી, એટલે ‘તમે જીવો અગર મૃત્યુ પામો અને કાલસૌકરિકને છીંક આવતા કહ્યું કે, ‘તું જીવીશ નહિ અને મરીશ નહિ પ્રભુ પ્રત્યે ‘તમે મરી જાવ' એવા વચનથી રોષ પામેલા રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે, આ સ્થાનથી ઉભો થાય એટલે તેને પકડી લેવો. દેશના પૂર્ણ થયા પછી મહાવીર ભગવંતને નમસ્કાર કરી, કુષ્ઠી ઉભો થયો, એટલે ભીલો જેમ ડુક્કરને તેમ શ્રેણિકના સેવકોએ તેને ઘેરી લીધો. દિવ્યરૂપ ધારણ કરનાર સૂર્યબિંબનું અનુકરણ કરતા તે તેઓનાં દેખતાં જ ક્ષણવારમાં આકાશમાં ઊડી ગયો. સેવકોએ આ વાત રાજાને કહી, એટલે રાજાએ વિસ્મયથી ભગવંતને પૂછ્યું કે, “આ કોણ છે ?” ત્યારે ભગવંતે કહ્યું કે, “આ દેવ છે' ફરી સર્વજ્ઞ ભગવંતને પૂછ્યું કે, “જો દેવ છે, તો પછી કયા કારણથી એ કુઠી બન્યો ? એટલે ભગવંતે પ્રત્યુત્તર આપ્યો કે, વત્સદેશમાં કૌશામ્બી નામની પ્રસિદ્ધ નગરી છે, તેમાં શતાનીક નામનો રાજા થઈ ગયો. તે નગરીમાં હંમેશાનો મહાદરિદ્ર અને મહામૂર્ખ એડુક નામનો બ્રાહ્મણ હતો. કોઈક વખતે તેની ગર્ભિણી પત્નીએ કહ્યું કે, “નજીકમાં સૂવાવડ આવવાની છે, તો મારા માટે ઘી લાવો, નહિતર મારાથી વેદના સહન નહિ થાય. ત્યારે તેણે બ્રાહ્મણીને જવાબ આપ્યો, “ હે પ્રિયા ! મારામાં કોઈ પ્રકારની આવડત કે કળા નથી, જેથી હું ક્યાંયથી પણ થોડું મેળવી શકું. શ્રીમંતો કળાથી ગ્રહણ કરી શકાય છે. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, “હે સ્વામિ ! તમે રાજાની સેવા કરો, આ પૃથ્વીમાં રાજાથી બીજો કોઈ કલ્પવૃક્ષ નથી.' ઠીક' એમ તેની વાતનો સ્વીકાર કરી રત્ન મેળવવાની ઈચ્છાવાળો જેમ સાગરની સેવા કરે, તેમ તે બ્રાહ્મણ પુષ્પ, ફળ આદિથી રાજાની સેવા કરવા લાગ્યો. હવે કોઈક સમયે વર્ષાઋતુ જેમ મેઘવડે ચારેબાજુથી આકાશને ઘેરે, તેમ ચંપાના રાજાએ મોટા સૈન્યથી કૌશાંબીને ઘેરો ઘાલ્યો. દરમાં રહેલા સર્પ જેમ સમયની રાહ જુએ, તેમ લશ્કર સહિત શતાનીક કૌશાંબીની મધ્યમાં રહીને સમયની રાહ જોતો હતો. લાંબા કાળે ચંપાનો રાજા પણ સૈનિકો ઘટી ગયેલા હોવાથી વર્ષાકાળમાં રાજહંસ માફક પોતાના સ્થાને જવા પ્રવર્યો, તે સમયે પુષ્પો લેવા માટે ઉદ્યાનમાં ગયેલા સંડુકે સવારે નિસ્તેજ ગ્રહ સરખા ઘી ગયેલ સૈનિકવાળા તે રાજાને જોયો. તરત જ આવીને તેણે શતાનીક રાજાને નિવેદન કર્યું કે, “ભાંગેલા દાંતવાળા સર્પની માફક આપનો શત્રુ જઈ રહ્યો છે. જો આજે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ તમે તેના તરફ યુદ્ધ કરવા જશો તો, તેને સુખપૂર્વક પકડી શકશો. ગમે તેટલો બળવાન હોય પણ ખિન્ન થયા પછી પરાક્રમથી પરાભવ પાડી શકાય છે” તેના વચનને સારું માનનાર રાજા બાણવૃષ્ટિ વડે સારભૂત અગ્રસૈન્યવાળો હોવાથી ભયંકર સર્વર્સન્યાદિ સામગ્રી સહિત બહાર નીકળ્યો. ત્યાર પછી પાછળ જોયા વગર ચંપાના રાજસૈનિકો નાસવા લાગ્યા. અણધારી વીજળી પડે ત્યારે જોવા માટે કોણ સમર્થ બને? “કંઈ દિશામાં જવું ?' એમ વિચારતો ચંપાનો અધિપતિ એકલો જ પલાયન થયો તેના હાથી, અશ્વો, કોશ વગેરે કૌશાંબીના રાજાએ ગ્રહણ કર્યા. હર્ષ પામેલા મહા આશયવાળા શતાનીક રાજાએ કૌશાંબીમાં પ્રવેશ કરીને સેતુક વિપ્રને કહ્યું, બોલ, તને શું આપું? વિખે તેને કહ્યું, હું મારી કુટુંબને પુછીને યાચના કરીશ. ગૃહસ્થોને ગૃહીણી વગર બીજું પર કરવાનું સ્થાન હોતું નથી. હર્ષ પામેલા ભટ્ટ ભટ્ટિણી પાસે જઈ સર્વ હકીકત કહી, ત્યારે બુદ્ધિશાળી એવી તેણે આ પ્રમાણે વિચાર્યું કે, જો આની પાસે રાજા પાસેથી પ્રામાદિક ગ્રહણ કરાવીશ. તો એ બીજી પત્ની પરણશે. કારણ કે, વૈભવ એ અહંકાર કરાવનાર થાય છે. દરરોજ એક એક રે જઈ ભોજન કરવું તથા દક્ષિણામાં એક સોનામહોર માંગવી.” એ પ્રમાણે પતિને શિખામણ આપી. તે પ્રમાણે વિપ્રે માંગણી કરી અને રાજાએ પણ બોલ્યા પ્રમાણે આપ્યું. “સમુદ્ર મળવા છતાં પણ ઘડો પોતાની યોગ્યતા પ્રમાણે જળપ્રાપ્તિ કરે છે.” હંમેશા તે પ્રમાણે તે પ્રાપ્ત કરતો હતો અને વળી તે સાથે આદર પણ મેળવતો હતો. “રાજપ્રસાદ પુરૂષોને મહાગૌરવ કરનાર થાય છે' આ રાજમાન્ય છે. એમ ધ લોકો તેને નિમંત્રણ કરવા લાગ્યા, જેના પર રાજા પ્રસન્ન થાય તેનો સેવક કોણ ન થાય ? પ્રથમ પ વમન કરી તે વારંવાર ભોજન કરતો હતો. કારણકે દરરોજ વધારામાં દક્ષિણા મળતી હતી. “બ્રાહ્મણોના લોભને ધિક્કાર થાઓ.” વિવિધ દક્ષિણાના ધન વડે તે વિપ્ર ધનવાન બન્યો અને જેમ વડલો મૂળ, ડાળ અને વડવાઈ વડે તેમ પુત્ર-પૌત્રોથી તે વિસ્તાર પામ્યો. તે વિપ્ર હંમેશા અજીર્ણ, અન્ન-વમન, ઓડકાર, આમરસ વડે લાખ વડે પીપળાની જેમ તે ચામડીના રોગવાળો બન્યો તેથી કરીને તે સડેલા નાક, પગ અને હાથવાળો કુષ્ઠી બની ગયો. તેમ છતાં અગ્નિ માફક અતૃપ્ત તે, રાજાની પાસે જઈને પણ તેવી રીતે ભોજન કરતો હતો. એક વખત મંત્રીઓએ રાજાને વિનંતી કરી કે, હે દેવ ! આ કુઠી છે અને તેનો રોગ ચેપી છે, માટે અહીં ભોજન કરે છે, તે યોગ્ય નથી. તેના પુત્રો નિરોગી છે. તેમાંથી કોઈને પણ ભોજન કરાવો. “ખંડિત થયેલી પ્રતિમાના સ્થાને બીજી સ્થાપન કરવી જોઈએ.” એ પ્રમાણે મંત્રીઓએ કહ્યું, તે વાતનો રાજાએ સ્વીકાર કર્યો. પોતાના સ્થાને પુત્રને સ્થાપન કરી વિપ્ર પોતે ઘરે રહ્યો. શુદ્ધ માખીઓના ટોળાથી પરિવરેલ મધપૂડા માફક પિતાને પુત્રોએ ઘર બહાર એક ઝુંપડીમાં રાખ્યો. બહાર રહેલા પિતાની આજ્ઞાને પુત્રો સાંભળતા કે કરતા ન હતા. એટલું જ નહિ પણ શ્વાન માફક તેને ભોજન કાષ્ઠપાત્રમાં આપતા હતા અને પુત્રવધુઓ પણ જુગુપ્સા કરતી, ભોજન પીરસતી માં ફેરવીને ઊભી રહેતી અને નાક મચકોડતી હતી. તેણે વિચાર કર્યો કે, “આ પુત્રોને મેં ધનવાન બનાવ્યા. ત્યારે તેમણે સમુદ્રપાર કરાવનાર વહાણની માફક મારો અનાદર કરી મારો જ ત્યાગ કર્યો. વચનથી પણ તેઓ મને સંતોષ આપતા નથી, એટલું જ નહિ પણ કુઠી, ક્રોધી, અસંતુષ્ટ અયોગ્ય એ વિગેરે અનુચિત શબ્દો બોલી આ પુત્રો મને ક્રોધ કરાવે છે. આ પુત્રો, જેવી રીતે મારી ધૃણા કરે છે, તેમ તેઓ પણ ધૃણાપાત્ર બને તેમ ગમે તેમ કરી હું કરીશ. એમ વિચારી પુત્રોને કહ્યું કે, હવે હું જીવવાથી કંટાળ્યો છું. હે પુત્રો ! આપણા કુલાચાર એવા પ્રકારનો છે કે, મરવાની ઈચ્છાવાળાએ કુટુંબને એક મંત્રેલો પશુ આપવો જોઈએ. માટે એક પશુ લાવો’ એ સાંભળી Page #166 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૩૦. ૧૧૫ અનુમોદન આપનાર પશુસરખી બુદ્ધિવાળા તે પુત્રો પશુ લાવ્યા. ત્યાર પછી તેણે પોતાના અંગ પરની રસી લુછી લુછીને પશુના ચારામાં મિશ્રણ કરીને પશુને ત્યાં સુધી ખવરાવ્યું કે જ્યાં સુધી તે પશુ કુષ્ઠી ન બન્યો ત્યાર પછી વિપ્રે પોતાના પુત્રોને પશુ આપ્યો. પિતાનો આશય ન સમજનારા ભોળા પુત્રોએ કોઈક દિવસે તે પશુને હણીને તેનું ભોજન કર્યું. હવે હું આત્મ-કલ્યાણ માટે તીર્થભૂમિએ જાઉં છું. એમ પુત્રોને પૂછીને ‘હવે મારે અરણ્યનું શરણ છે.” એમ વિચારતો તે ઉંચામુખવાળો વિપ્ર ચાલ્યો. અટવીમાં જતાં જતાં તેને અત્યંત તૃષા લાગી અને પાણી માટે રખડતાં રખડતાં તેણે વિવિધ વૃક્ષવાળા પ્રદેશમાં મિત્ર સરખા દ્રહને દેખ્યો. તે દ્રહના કિનારા પરના વૃક્ષોથી ખરી પડેલા પાંદડા, પુષ્પો અને ફળવાળા ઉનાળાના મધ્યકાળના સૂર્યકિરણોથી ઉકળેલા, કઢેલા ઉકાળા સરખા જળનું પાન વિપ્રે કર્યું જેમ જેમ તે પાણી પીએ છે, તેમ તેમ વારંવાર તૃષા વધતી જાય અને વારંવાર પાણી પીએ છે, તેમ તેમ તેને કૃમિ સહિત રેચ લાગે છે. તે દ્રહના જળપાનથી કેટલાક દિવસે તે નિરોગી થયો અને વસન્તમાં જેમ વૃક્ષ તેમ મનોહર સર્વ અવયવવાળો બન્યો. આરોગ્ય પામવાથી હર્ષિત થયેલો વિપ્ર એકદમ ઘરે પાછો કર્યો. “જન્મભૂમિએ પુરૂષોને શરીરનો વિશેષ પ્રકારનો ઉત્પન્ન થયેલ શણગાર છે.' તે નગરમાં પ્રવેશ કરતો હતો, ત્યારે વિસ્મય પામેલા નગરલોકોએ કાંચળી વગરના સર્પ માફક રોગમુક્ત અને દેખાવડા દેખાતા દેહવાળા તેને જોયો. નગરલોકોએ પૂછયું કે, ફરી જન્મેલા માફક તું નિરોગી કેવી રીતે થયો ? ત્યારે વિપ્રે કહ્યું કે, “દેવતાની આરાધના કરવાથી' પછી પોતાના ઘરે જઈને પોતાના કુષ્ઠ રોગવાળા પુત્રોને હર્ષથી દેખ્યા અને તેઓને કહ્યું કે, “મારી અવજ્ઞા કરવાનું ફળ ઠીક મળ્યું ત્યારે પુત્રોએ તેને કહ્યું, “હે પિતાજી ! વિશ્વાસુ અમારા વિષે તમે શત્રુ માફક આ નિર્દય કાર્ય કેમ કર્યું? ત્યાર પછી લોકોથી તિરસ્કાર પામેલા આશ્રય વગરના તેણે હે રાજન્ ! તારા નગરમાં આવીને જીવિકાના દ્વાર સરખા દ્વારપાળનો આશ્રય કર્યો. તે સમયે અહીં અમે આવ્યા હતા એટલે દ્વારપાળ અમારી ધર્મદેશના સાંભળવા માટે પોતાનું સ્થાન વિપ્રને સોંપીને ગયો. દ્વાર પાસે બેઠેલા તેણે દ્વાર પાસે આવતા પક્ષીઓ માટે નાખેલ બલિ જાણે જીંદગીમાં આવું દેખ્યું ન હોય તે કષ્ટવાળી ભૂખથી ઈચ્છા પ્રમાણે ખાધું. ગળાડૂબ કંઠ સુધી ભોજન કરવાથી ગ્રીષ્મના તાપથી મારવાડના મુસાફર માફક ખૂબ તરસ ઉત્પન્ન થવાથી આકુળવ્યાકુળ બની ગયો. છતાં પણ દ્વારપાળના ભયથી સ્થાન છોડીને પરબડી કે જળાશય તરફ ન ગયો અને તુષાપીડિત તે જળચર જીવોને ધન્ય માનવા લાગ્યો. ‘પાણી પાણી’ એમ બુમ મારતો મારતો મૃત્યુ પામ્યો અને અહીં જ નગરના દરવાજા પાસેની વાવડીમાં દેડકો થયો. અમે ફરી વખત વિહાર કરતા કરતા અહીં આ જ નગરમાં આવ્યા એટલે અમને વંદન કરવા માટે લોકો ઉતાવળા ઉતાવળા આવવા લાગ્યા. અમારા આગમના સમાચાર પનીહારીઓના મુખમાંથી સાંભળી તે દેડકાએ આમ વિચાર્યું કે, આવું પહેલા કયાંય પણ સાંભળ્યું છે વારંવાર ઊહાપોહ કરતા તેને સ્વપ્ર-સ્મરણ કરવા માફક તે જ ક્ષણે જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. દેડકાએ એમ વિચાર્યું કે પહેલા મને દરવાજામાં રોકીને દ્વારપાળ જે ભગવાનને વંદન કરવા ગયો હતો. તે અહીં પધાર્યા છે. જેવી રીતે લોકો તેમના દર્શન કરવા જાય છે. તેવી રીતે હું પણ જાઉં, “ગંગા નદી સર્વ માટે સાધારણ છે, એ કોઈના બાપની માલિકીની નથી” અમને વંદન કરવાના કારણથી કુદી કુદીને તે માર્ગમાં આવતો હતો, એટલામાં તમારા ઘોડાની પગની ખરીથી છુંદાઈને તે દેડકો મૃત્યુ પામ્યો. અમારી ભક્તિથી ભાવિત મનવાળો તે દર્દરાંક દેવપણે ઉત્પન્ન થયો. વગર અનુષ્ઠાનની ભાવના પણ ફળવતી થાય છે. ઈન્દ્રરાજાએ સભામાં કહ્યું કે, શ્રાવકોમાં શ્રેષ્ઠ શ્રેણિક દઢ શ્રદ્ધાવાળો છે, તે કારણે આ દેવ તેની પરીક્ષા કરવા માટે આવ્યો હતો. ગોશીષચંદન વડે તેણે મારા ચરણની પૂજા કરી Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ફરી શ્રેણિક રાજાએ ભગવંતને પ્રશ્ન કર્યો કે, આપને છીંક આવી ત્યારે અમાંગલિક શબ્દ અને બીજાઓને છીંકો આવી ત્યારે માંગલિક અમાંગલિક શબ્દ કેમ બોલ્યો ? પછી ભગવંતે કહ્યું કે મને તેણે એમ કહ્યું કે, ‘હજુ સુધી ભવમાં તમે કેમ પડી રહેલા છો ? તમે જલ્દીથી મોક્ષમાં પ્રયાસ કરો એટલે મને ‘મૃત્યુ પામો' એમ કહ્યું અને તમને એમ કહ્યું કે ‘તમે જીવતા રહો' કારણ કે, ‘હે નરસિંહ ! તમને અહીં સુખ છે, મરશો એટલે તમારા માટે નરકતિ છે' જીવો અગર મૃત્યુ પામો એમ અભયને એટલા માટે કહ્યું કે, તે જીવતાં ધર્મ ક૨શે અને મૃત્યુ પામતાં અનુત્તર વિમાનમાં જશે. કાલસૌરિકને ‘જીવતો નહિ, કે મરતો નહિ' કેમ કે જીવતો રહે તો અનેક જીવોને મારનાર થાય, અને મરીને સાતમી નરકે જાય. તે સાંભળી શ્રેણિકે પ્રભુને નમસ્કાર કરી વિનંતી કરી કે, તમારા સરખા નાથ હોવા છતાં મને નરકગતિ કેવી રીતે થાય ? ભગવંતે કહ્યું કે, તમે પહેલાં નરકાયુ બાંધ્યું છે, જેથી અવશ્ય ત્યાં જવું જ પડશે. ‘પહેલાં બાંધેલા શુભ કે અશુભ કર્મનું ફલ ભોગવવું જ જોઈએ' તેમાં અમે પણ અન્યથા ક૨વા શક્તિમાન નથી. તમે આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થશો, માટે ખેદ ન કરશો, ત્યારે શ્રેણિક કહ્યું, ‘હે નાથ ! જેમ અંધારા કૂવામાંથી આંધળાનું તેમ નરકમાંથી મારું રક્ષણ થાય તેવો કોઈ ઉપાય છે ખરો ?’ ત્યારે ભગવંતે કહ્યું, જો ભક્તિપૂર્વક કપિલા બ્રાહ્મણી પાસે હર્ષથી સાધુને દાન અપાવે તો, અથવા તો કાલસૌકરિક કસાઈ પાસેથી પ્રાણીઓને છોડાવે તો તારો નરકમાંથી છુટકારો થાય. નહિતર ન થાય. આ પ્રમાણેનો સમ્યગ્ ઉપદેશ હાર માફક હૃદયમાં ધારણ કરતા મહારાજા શ્રેણિક શ્રીમહાવીરને પ્રણામ કરી પોતાના મહેલ તરફ ચાલ્યો. આ સમયે માર્ગમાં રાજાની પરીક્ષા કરવા માટે દર્દુરાંક દેવે માછીમારની માફક અકાર્ય કરનાર સાધુને બતાવ્યો. તેને દેખીને શાસનની મલિનતા ન થાય એ કારણે તેને સમજાવીને અકાર્યથી નિવારણ કરી રાજા પોતાના ઘરે ગયા. તે દેવે ફરી ગર્ભિણી સાધ્વીને બતાવી. શ્રેણિક રાજાએ શાસનની ભક્તિથી પોતાને ત્યાં તેનું રક્ષણ કર્યું. ‘ઈન્દ્ર મહારાજાએ સભામાં જેવા પ્રકારના કહ્યા હતા, તેવા જ તમને દેખ્યા છે. તેવા પ્રકારના પુરૂષોનાં વચનો ખોટાં હોતા નથી' એમ કહી દિવસે બનાવેલી નક્ષત્રક્ષેણિ સરખો હાર તથા બે ગોળા શ્રેણિક રાજાને તે દેવે આપ્યા. આ તૂટેલા હારને જે સાંધી આપશે, તે મૃત્યુ પામશે. એમ કહીને દેખેલા સ્વપ્ન માફક તે દેવ અદૃશ્ય થયો. ચેલ્લણા દેવીને દિવ્ય મનોહર હાર આપ્યો અને બે ગોળા હતા તે રાજાએ હર્ષથી નંદાને આપ્યા. મનસ્વી અને ઈર્ષાળુ નંદા રાણીએ વિચાર્યું કે, આવા દાન માટે જ હું યોગ્ય છું' એમ કહી બંને ગોળા સ્તંભ સાથે અફાળ્યા. એક ગોળામાંથી ચંદ્રયુગલ સરખું નિર્મલ કુંડલયુગલ અને બીજા ગોળામાંથી દેદીપ્યમાન દિવ્ય વસ્ત્ર-યુગલ નીકળ્યું. તે દિવ્ય રત્નો નંદાએ આનંદથી ગ્રહણ કર્યા. મહાન વ્યક્તિને વગ૨ માંગે અણચિંતવેલ લાભ થાય છે. ૧૧૬ ** તમારી દિષ્ટને મૂંઝવવા માટે બીજું સર્વ વૈકિય સ્વરૂપે કર્યું. રાજાએ કપિલા પાસે માગણી કરી કે, ‘જો તું શ્રદ્ધાપૂર્વક સાધુઓને ભિક્ષાદાન દે તો તને પુષ્કળ ધન આપીને તારું દાસીપણું દુર કરું' ત્યારે કપિલાએ કહ્યું, ‘કદાચ મને આખી સુવર્ણમય બનાવી દો. અથવા તો મને પ્રાણથી પણ મારી નાંખો તો પણ અકાર્ય હું નહિ કરું.' તે પછી કાલસૌકરિકને કહ્યું કે, ‘આ જીવોને છોડી દે, તું ધનના લોભથી આ કાર્ય કરે છે, તો હું તને ધન આપું.' ત્યારે કાલસૌકરિકે કહ્યું કે, કદાપિ પણ હું જીવ મારવાનું કાર્ય નહિ છોડીશ. જેનાથી માનવો જીવે છે, તેવી હિંસામાં કયો દોષ ગણાય ?' રાજાએ તેને અંધારા કૂવામાં નાંખીને એક રાત્રિ-દિવસ હિંસા કરતો રોક્યો કે હવે આ અહીં હિંસાનો ધંધો કેવી રીતે કરશે ? પછી શ્રેણિકે જઈ ભગવંતને વિનંતિ કરી કે, ‘હે ભગવંત્ ! મેં એક રાત્રિ-દિવસ સૌનિક (કસાઈ) પાસે હિંસા ત્યજાવી છે.' સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે રાજન્ ! અંધારા Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૩૦ ૧૧૭ કૂવામાં પણ તેણે સ્વયં બનાવીને માટીના પાંચસો પાડાઓને હણ્યા છે ત્યાં જઈને જોયું તો તે પ્રમાણે દેખ્યું ત્યાર પછી પોતે ઉદ્વેગ કરવા લાગ્યા કે ‘મારા પૂર્વ કરેલા કર્મને ધિક્કાર થાઓ, સર્વજ્ઞ ભગવંતની વાણી ફેરફારવાળી હોતી નથી.' દ૨૨ોજ પાંચસો-પાંચસો પાડાઓને મારતા આ કાલસૌકરિકને મહાપાપનો ઢગલો વૃદ્ધિ પામ્યો. નરક-પ્રાપ્તિ થઈ ત્યાં સુધી આ લોકમાં પણ તેને અતિભયંકરમાં ભયંકર એવા રોગો ઉત્પન્ન થયા. છેડે નરક પ્રાપ્તિની ઉપર ઉકળેલાં દારુણ પાપો વડે વધ કરાતાં ડુક્કર માફક વ્યાધિની પીડાથી કદર્થના પામેલો ઓ બાપ ! ઓ મા ! એ પ્રમાણે ચીસો પાડતો હતો. તે સ્ત્રી, તળાઈ, પુષ્પો, વીણાનો શબ્દ કે શીખંડની અનુકુળ સુખ-સામગ્રીનો આંખ, ચામડી, નાસિકા, કાન, જિામાં શુલો ભોંકવા સરખું દુઃખ માનતો હતો. ત્યાર પછી તેના પુત્ર સુલસે તેનું સમગ્ર સ્વરૂપ જગતમાં આપ્ત અને અભયદાન દેનાર એવા અભયકુમારને કહ્યું ત્યારે અભયે તેને જણાવ્યું કે, તારા પિતાએ જે હિંસાદિક પાપ કાર્યો કર્યા છે, તેનું આવું ફળ છે. એ હકીકત સત્ય છે કે, ‘અતિ ઉગ્ર પાપોનું ફળ અહીં જ પ્રાપ્ત થાય છે' તો પણ તેને પ્રીતિ માટે આમ કર. ઈન્દ્રિયોના વિપરીત પદાર્થોથી તેને શાંતિ થશે. વિષ્ટાની દુર્ગંધ નાશ કરવાનું જળ ઔષધ નથી. હવે સુલસે આવીને તેને કડવા અને તીખાં ભોજનો કરાવ્યાં અને તપેલા તાંબાના રસ સરખા પાણીનું પાન કરાવ્યું. ઘણી વિષ્ટા લાવી તેના આખા શરીર પર લેપો કર્યા, ઉંચા કાંટાની બનાવેલી શય્યામાં તેને સુવાડ્યો. ગધેડાના અને ઉંટોના કટુ શબ્દો તેને સંભળાવ્યા. રાક્ષસ, વેતાલ, હાડપિંજર જેવા ભયંકર રૂપો તેને બતાવ્યાં. તેવા પ્રકારના પ્રતિકુળ વિષયોથી ખુશ થયેલા તેણે પુત્રને કહ્યું કે, લાંબા કાળે આજે સ્વાદિષ્ટ ભોજન ઠંડું જળ, કોમળ શય્યા, સુગંધી વિલેપન, કાનને અમૃત સમાન શબ્દ, આવા પ્રકારના સુંદર રૂપો દેખવાનું નેત્રસુખ મને પ્રાપ્ત કરાવ્યું. આટલા લાંબા સમય સુધી તે આવા ભોજનાદિના સુખથી મને વંચિત કેમ રાખ્યો ? તે સાંભળી સુલસ પુત્રે વિચાર્યું કે, અહો ! આ જ જન્મમાં પાપનું ફળ ભોગવે છે, તો નરકમાં તેનું શું થશે ? સુલસ આમ વિચારી રહ્યો હતો, ત્યાં તે મરીને અપ્રતિષ્ઠાન નામની સાતમી નારકીમાં ભયંકર નારકીપણાને પામ્યો. ‘હવે તું પિતાના સ્થાનનો આશ્રય કર, k પિતાની મરણોત્તર ક્રિયા પછી સ્વજનોએ સુલસને કહ્યું કે, જેથી કરીને તારા વડે અમે સનાથ બનીએ.' તેઓને સુલસે કહ્યું કે, ‘ એ કાર્ય હું કદાપિ નહિ કરીશ' પિતાએ અહીં જ લગાર અને આવતા જન્મમાં આનું મહાકટુ ફળ મેળવ્યું છે. જેમ મને મારા પ્રાણો પ્રિય છે. તેવી રીતે બીજાં પ્રાણીઓને પણ પોતાના પ્રાણો પ્રિય જ હોય છે. પોતાના પ્રાણ ટકાવવા માટે પારકા પ્રાણોનો નાશ કરનારને ધિક્કાર હો. હિંસાનું આવા પ્રકારનું ફળ દેખીને હિંસાની આજીવિકાથી કોણ જીવે ? જેનું એકાંત ફલ મરણ છે, તે જાણ્યા પછી કિંપાક-ફળ કોણ ખાય ? પછી તે સ્વજનો તેને કહેવા લાગ્યા કે, ‘પ્રાણીવધમાં જ પાપ થશે, તે જેમ ગોત્રીઓ પિતાનું વારસમાં મળેલ સુવર્ણ વહેંચી લે તેની માફક પાપનો ભાગ વહેંચી લઈશું.' તું પ્રથમ એક પાડાને હણ બીજાઓને પછી અમે હણીશું. તેથી ખરેખર તને ઘણું અલ્પ પાપ થશે. તે સમયે પિતાનો કુહાડો હાથ વડે ગ્રહણ કરીને સુલસે તેને પોતાની જંધામાં માર્યો જેથી મૂર્છા ખાઈને તે નીચે પડ્યો. મૂર્છા ઉતરી અને ચેતના આવી એટલે આક્રંદનપૂર્વક કરુણ સ્વરથી બોલ્યો કે અરેરે ! કઠોર કુઠારઘાતથી હું બહુ પીડા પામ્યો છું. હે બંધુઓ ! આ મારી વેદનાને ભાગ પાડીને તમે લઈ લો. જેથી મારી વેદના ઓછી થાય, પીડા પામતા મને બચાવો ! ખેદ પામેલા મનવાળા તે બંધુઓએ સુલસને કહ્યુ કે, ‘કોઈની પીડા કોઈ લઈ શકે ખરો ?' મારી આટલી માત્ર પીડા પણ તમે લઈ શકતા નથી તો પછી તમે નરકપીડા કેવી રીતે લઈ શકશો ? કુટુંબ માટે પાપ કરીને Page #169 -------------------------------------------------------------------------- ________________ * +44 યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ઘોર નરક વેદના એકલો હું જ પરલોકમાં સહન કરીશ બંધુઓ તો અહિં જ રહેવાના છે માટે ભલે વંશપરંપરામાં હિંસા ચાલી આવી હોય તો પણ તેવી હિંસા સર્વથા હું નહિ જ કરીશ. કદાચ પિતા અંધ થાય, તેથી પુત્રે પણ અંધ બનવું ? એ પ્રમાણે કહી રહેલા અતિપીડાવાળા સુલસની સંભાળ લેવા માટે શ્રેણિકપુત્ર અભયકુમાર ત્યાં આવ્યા. ૧૧૮ સુલસને અભયકુમારે આલિંગન કરી કહ્યું, બહુ સારું, બહુ સારું. તારી સર્વ હકીકત અમે સાંભળી તેથી હર્ષ પામી અમે આવ્યા છીએ. વંશપરંપરાના પાપથી કાદવ માફક દુરથી જે પાછો હઠે છે, તે માટે ખરેખ૨ તું ધન્ય પ્રશંસાપાત્ર છો. અમે ગુણો તરફ પક્ષપાત કરનાર છીએ. ધર્મવત્સલ તે રાજકુમાર અભય મધુર આલાપોથી તેનું બહુમાન કરી પોતાને સ્થાને ગયો. દુર્ગતિથી ભય પામેલો સુલસ પોતાના બંધુઓનો અનાદર કરી બાર વ્રતો ગ્રહણ કરી દરિદ્ર જેમ ઈશ્વરમાં તેમ જૈનધર્મને વિષે સ્થાન પામ્યો. કાલસૌરિકના પુત્ર સુલસની જેમ જેઓ કુલપરંપરાથી થવાવાળી હિંસાનો ત્યાગ કરે છે, તેને સ્વર્ગસંપત્તિઓ દૂર નથી તે શ્રેયકાર્યનો અધિકારી બને છે. || ૩૦ | હિંસા કરવા છતાં પણ દમાદિક કરવાથી પુણ્ય ઉપાર્જન કરે જ છે અને પાપની પણ વિશુદ્ધિ કરે છે ? તે સંબંધમાં કહે છે— ८७ दमो देवगुरुपास्ति-र्दानमध्ययनं तपः सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् 1 ॥ ૨૧ ॥ અર્થ : જો હિંસાનો ત્યાગ કરવામાં ન આવે તો ઈન્દ્રિયનું દમન, દેવ-ગુરુની ઉપાસના, દાન, સ્વાધ્યાય અને તપાદિ સર્વ પણ ધર્માનુષ્ઠાનો નિષ્ફળ બને છે. II ૩૧ ॥ ટીકાર્થ : જો શાંતિના કારણભૂત અથવા કુલક્રમથી ચાલી આવતી હિંસાનો ત્યાગ ન કરે તો ઈન્દ્રિયોનો જય કરવા રૂપ દમ, દેવ અને ગુરૂની સેવા, સુપાત્રમાં દાન આપવું. ધર્મશાસ્ત્રાદિકનું પઠન કરવું, ચાંદ્રાયણ આદિ કઠોર તપ કરવા, વગેરે શુભ ધર્માનુષ્ઠાનો પણ પુણ્ય ઉપાર્જન અને પાપક્ષયાદિ ફળ વગરના સમજવા. આ પ્રમાણે માંસલુબ્ધ શાંતિના અર્થી અને કુલાચાર પાલન માટે કરાતી હિંસાનો પ્રતિષેધ કર્યો. ॥ ૩૧ || હવે શાસ્ત્રીય હિંસાનો પ્રતિષેધ કરતા શાસ્ત્રથી જ તેનું ખંડન કરે છે— ८८ विश्वस्तो मुग्धधी - र्लोकः पात्यते नरकावनौ ' अहो नृशंसैर्लोभान्धै-हिंसाशास्त्रोपदेशकैः ॥ ૨૨ ॥ અર્થ : આશ્ચર્યની વાત એ છે કે હિંસા શાસ્ત્રોના ઉપદેશ આપનારાં તથા લોભથી અંધ બનેલા નિર્દય પુરુષો હિંસામાં ધર્મ સમજાવીને ભોળા અને વિશ્વાસુ લોકોને નરકની પૃથ્વીમાં ફેંકે છે. ॥ ૩૨ || ટીકાર્થ : નિર્દય અને લોભાંધ એવા મનુ વગેરે હિંસાશાસ્ત્રોના ઉપદેશ કરનારા, દયાવાળા તો હિંસાનો ઉપદેશ કે તેના શાસ્ત્રો રચે જ નહિ. માંસખાવાના લોભમાં અંધ બનેલાઓ વિશ્વાસવાળા ભદ્રિક જનોને નરકપૃથ્વીમાં ફેંકે છે. લોભમાં અંધ કેમ કહ્યા ? તે માટે જણાવે છે સ્વાભાવિક વિવેક અને વિવેકીના સંસર્ગરૂપે ચક્ષુથી રહિત હોવાથી, કહ્યું છે કે, “સ્વાભાવિક વિવેક એ જ એક નિર્મલ ચક્ષુ છે, તેમ જ તેવા વિવેકવાળા સાથે સંવાસ, તે બીજુ ચક્ષુ છે. આ બંને જગતમાં જેને નથી. તે તત્ત્વથી અંધ છે અને તે ખોટા માર્ગે પ્રવર્તે તેમાં કોનો અપરાધ ગણવો ?' ચતુર બુદ્ધિવાળો કાર્યાકાર્યનો વિવેક Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, ગ્લો.૩૧-૩૬ ૧૧૯ રાખનાર છેતરનારના વચનોમાં વિશ્વાસ રાખતો નથી. || ૩૦ || જેમણે હિંસાશાસ્ત્ર કહેલ છે, તે જણાવી તેનો નિર્દેશ કરે છે– ८९ 'यज्ञार्थं पशवो सृष्टाः स्वयमेव स्वयम्भुवा । યજ્ઞોડી મૂત્યે સર્વણ તમાદ્ય વડવધ:' | રૂરૂ મનુ પ૩િ૯ અર્થ : હવે મનુસ્મૃતિના વચનોથી મનુના મતને જણાવે છે કે, બ્રહ્માએ પોતે જ યજ્ઞ માટે પશુઓનું સર્જન કર્યું અને આ યજ્ઞ સર્વ જગતની આબાદી માટે છે, તેથી યજ્ઞમાં થયેલો વધ એ વધ ન કહેવાય // ૩૩ / ટીકાર્થ : “બ્રહ્માએ પોતે જ યજ્ઞ માટે પશુઓ બનાવ્યાં છે. યજ્ઞ આ જગતને માટે કલ્યાણ અને આબાદી કરનાર છે, તે કારણે તેમાં થતી હિંસા એ હિંસા નથી. હિંસાથી થનારા પાપની તેમાં ઉત્પત્તિ નથી.” તેમાં એમ કહેવાય છે કે, “યજ્ઞમાં હિંસાનો દોષ કેમ નથી ?' તેના જવાબમાં તેઓ કહે છે કે, જેની હિંસા કરવામાં આવે, તેના પ્રાણવિયોગથી પુત્ર, સ્ત્રી, ધન વગેરેના વિયોગથી મહાન અપકાર થાય છે અથવા સર્વ અર્થ ઉત્પન્ન કરનાર દુષ્કૃત-પાપ થાય. નરકાદિક ફળ ભોગવવા પડે, પરંતુ યજ્ઞમાં હણાએલા જીવો ઉપર ઉપકાર થાય છે. નરકાદિક ફળ ન મળતાં હોવાથી અપકાર થતો નથી. || ૩૩ / તે જ કહે છે९० औषध्यः पशवो वृक्षा-स्तिर्यञ्चः पक्षिणस्तथा । યજ્ઞાર્થ નિધન પ્રાપ્તા: પ્રાનુdજ્યુસ્કૂતિં પુન: ૩૪ મન પ/૪૦ અર્થ : વળી જે ઔષધિ, પશુઓ, વૃક્ષો અને તિર્યંચ એવા પક્ષીઓ યજ્ઞને માટે મરણ પામ્યા, તેઓની પણ ઉન્નતિ થઈ છે. I ૩૪ | ટીકાર્થ : “દર્ભ વગેરે ઔષધિઓ, બકરા વગેરે પશુઓ, યૂપ વગેરે વૃક્ષો, બળદ, ઘોડા વગેરે તિર્યંચો, કપિંજલ વગેરે પક્ષીઓ, યજ્ઞ નિમિત્તે નિધન (વિનાશ-પીડા) પામે છે, તે ફરી ઉત્કર્ષને પામે છે. દેવ, ગંધર્વ-યોનિપણાને અને ઉત્તરકુરુ વગેરેમાં લાંબા આયુષ્યને પામે છે.” || ૩૪ છે. ९१ मधुपर्के च यज्ञे च, पित्र्ये दैवतकर्मणि । ત્રેવ પાવો હિંડ્યા-રાત્રે વન્મનું રૂ મનુ પ/૪૧ ९२ एष्वर्थेषु पशून् हिंसन्, वेदतत्त्वार्थविद्विजः । આત્માનં પવ, મત્યુત્તમાં તિમ્ રૂદ્દ એમનુ પ/૪૨ અર્થ : “દહીં-દૂધ આદિ પાંચ પદાર્થના મિશ્રણ રૂપ મધુપર્કની ક્રિયામાં, અશ્વમેઘ આદિ યજ્ઞોમાં, દેવોના મહાયજ્ઞાદિ કાર્યોમાં અને પિતાદિના શ્રાદ્ધ પૂજાના પ્રસંગે જ પશુઓની હિંસા કરવી, પણ બીજા કોઈ કાર્યોમાં નહિ” આ પ્રમાણે મનુએ કહ્યું છે તે ૩૫ || ઉપર કહેલા અનુષ્ઠાનોમાં પશુઓની હિંસા કરતો અને વેદશાસ્ત્રના રહસ્યોને જાણનારો બ્રાહ્મણ પોતાને અને પશુઓને ઉત્તમ ગતિમાં પહોંચાડે છે. || ૩૬ //. ટીકાર્ય : મધુપર્ક એક પ્રકારની ક્રિયા, તેમાં ગો-વધનું વિધાન કહેલું છે, જ્યોતિષમાં યજ્ઞ વગેરેમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ પશુવધ કરવાનું કહેલું છે, જેમાં માતા-પિતા દેવતાઓ છે, એવા પ્રકારની ક્રિયાઓ તે રૂપ શ્રાદ્ધ કર્મ પિતૃઓ તથા દેવતાઓનું મહાયજ્ઞાદિ કર્મ, આ કહેલા વિધાનમાં પશુઓની હિંસા કરવી, તે સિવાય પશુઓની હિંસા ન કરવી તેમ મનુએ કહેલું છે. આ કહેલાં કાર્યો સાધવા માટે પશુઓની હિંસા કરતાં બ્રાહ્મણ પોતાને અને પશુઓને સ્વર્ગ અને મોક્ષ ઉત્તમ ગતિ પમાડે છે. વેદના પરમાર્થને જાણનાર દ્વિજ વિદ્વાનોનો આ અધિકાર છે || ૩૫-૩૬ / હિંસાશાસ્ત્રની વાત બાજુ પર રાખી તેના ઉપદેશ કરનારાઓ કેવા પ્રકારના છે. તે કહે છે– ९३ ये चक्रुः क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकम् ।। क्व ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपि नास्तिकाः ॥ ३७ ॥ અર્થ : ક્રૂર કર્મ કરનારા મનુ આદિ જે પુરુષોએ હિંસાનો ઉપદેશ આપનારાં શાસ્ત્રોને બનાવ્યા છે. તે બધા કઈ નરકમાં જશે? કેમ કે, તેઓ તો નાસ્તિકોમાં પણ નાસ્તિક છે . ૩૭ || ટીકાર્થઃ મનુ વગેરે જેઓએ નિર્દય ક્રૂર કર્મ કરવાના સ્મૃતિ વગેરે હિમોપદેશક શાસ્ત્રો કર્યા છે, તે કઈ નરકમાં જશે ? તેઓ દેખવામાં આસ્તિક લાગતા છતાં નાસ્તિકથી પણ મહાનાસ્તિક છે || ૩૭ | ९४ 'वरं वराकश्चार्वाको, योऽसौ प्रकटनास्तिकः । वेदोक्तितापसच्छद्म - च्छन्नं रक्षो न जैमिनिः ॥ ३८ ॥ અર્થ : પ્રગટ નાસ્તિક દંભ વગરનો બિચારો ચાર્વાક કંઈક સારો ગણાય, પરંતુ તાપસના વેષમાં છુપાએલા અને વેદમાં આમ કહ્યું છે એમ કહી વેદશાસ્ત્રના નામે લોકોને ભમાવતો રાક્ષસ સરખો જૈમિનિ સારો નથી || ૩૮ છે. ટીકાર્થ : જૈમિનિની અપેક્ષાએ ચાર્વાક કે લોકાતિક દંભ વગરનો હોવાથી અનુકંપા કરવા યોગ્ય કંઈક ઠીક ગણાય, પરંતુ જે વેદ-વચન આગળ કરનાર અને તાપસના વેષમાં છુપાએલા સકલ પ્રાણીઓને ઠગનાર તે રાક્ષસ જેવો છે. કહ્યું છે કે, “યજ્ઞ માટે પશુઓને ઉત્પન્ન કર્યા છે તે તો માત્ર વાણીનો વિલાસ છે. ખરી રીતે તો પોતે પોતાના કર્માનુસાર જુદા જુદા પ્રકારની યોનિમાં જીવો ઉત્પન્ન થાય છે.” આમ હોવાથી કોઈકનો સૃષ્ટિવાદ ખોટો માર્ગ છે. વિશ્વની સર્વની આબાદી માટે યજ્ઞ, એમ કહીને અર્થવાદ એ પક્ષપાત માત્ર છે. “વધ વધ નથી' એ હાસ્યવચન સમજવું. યજ્ઞ માટે મારેલા અને ઔષધિ આદિકના જીવોને ઉત્તમગતિની પ્રાપ્તિ તે માત્ર તેની શ્રદ્ધા કરનારનું વચન સમજવું. પરંતુ સુકૃત કર્યા વગર યજ્ઞના વધ માત્રથી ઊંચી ગતિ મળી શકતી નથી અને યજ્ઞમાં હણવા માત્રથી જો ઉંચી ગતિ મળતી હોય, તો પછી યજ્ઞમાં માતાપિતાદિકનો વધ કેમ કરતો નથી ? એથી કહેવું છે કેઃ “હું સ્વર્ગની ભોગની તૃષ્ણાવાળો નથી, મેં તારી પાસે તેવી કોઈ માંગણી કરી નથી, હું તો હંમેશા તૃણ ભોજનમાં સંતોષ માનનારો છું માટે હે ભલા પુરૂષ ! આમ કરવું તને યોગ્ય નથી. યજ્ઞની અંદર હણાએલા પ્રાણીઓ જો નક્કી સ્વર્ગમાં જ જતા હોય, તો પછી તમે માતા-પિતા, પુત્ર અને બંધુઓથી યજ્ઞ કેમ કરતા નથી ?” “મધુપર્યાદિકમાં હિંસા કલ્યાણ કરનારી થાય છે, બીજામાં નહિ” એ સ્વછંદીનું વચન સમજવું, હિંસામાં ફરક કેમ પાડ્યો? જેથી એક કલ્યાણ કરનારી અને બીજી તેવી નથી ! પુણ્યાત્માઓએ તો સર્વ પ્રકારની હિંસા ન કરવી જોઈએ, જેમ કે “સર્વ જીવો જીવવાની જ ઈચ્છા કરે છે, મરવાની નહિ, તે કારણથી નિગ્રંથ મુનિવરો ઘોર પ્રાણિવધ કરતા નથી” (દશ. ૬/૧૧) વળી પૂર્વ કહી ગયા કે, “આત્માને અને પશુને ઉત્તમ Page #172 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, ગ્લો.૩૦-૪૨ ૧૨૧ ગતિ પમાડે છે.” આ અતિ સાહસિક સિવાય બીજો કોણ બોલવા તૈયાર થાય ? હજુ અહિંસક પશુને અકામનિર્જરાથી ઉત્તમ-ગતિની પ્રાપ્તિ થાય, પરંતુ યજ્ઞ કરનાર બ્રાહ્મણને તો કસાઈ માફક તીક્ષ્ણ તલવારના પ્રહારપૂર્વક નિર્દયતાથી હિંસા કરનારને ઉત્તમ ગતિની સંભાવના પણ કેવી રીતે હોય ? | ૩૮ છે. આ જ વાતને વિશેષ કહેવા પૂર્વક ઉપસંહાર કરતા કહે છે– ९५ देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । नन्ति जन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिम् ॥ ३९ ॥ અર્થ : મિથ્યાત્વી દેવોને બલિ આપવાના બહાનાથી અથવા યજ્ઞકર્મના બહાનાથી જે નિર્દય પુરુષો પ્રાણીઓને હણે છે, તેઓ ઘોર દુર્ગતિમાં જાય છે. || ૩૯ // ટીકાર્થ : મહાનવમી, માઘઅષ્ટમી, ચૈત્ર અષ્ટમી, શ્રાવણ શુક્લ એકાદશીના દિવસોમાં ભૈરવ, ચંડિકા, આદિ દેવોને બલિના બાનાથી કે દેવપૂજાના નિમિત્તે દયા વગરના જેઓ જીવઘાત કરનારા છે, તેઓ ભયંકર નરકાદિ દુર્ગતિમાં જાય છે, અહિ દેવને ભેટ ધરાવવા રૂપ વિશેષ કથન અને યજ્ઞના બહાનાથી ઉપસંહાર જણાવ્યો. નિર્દોષ અને સ્વાધીન ધર્મસાધન હોય, પછી સદોષ અને પરાધીન ધર્મસાધન પકડવું –એ હિતકારી ન ગણાય. કહ્યું છે કે, “આંગણામાં જો મધ મળી જતું હોય, તો પછી તે માટે પર્વત પર જવા કોણ પ્રયાસ કરે ? // ૩૯ // એ જ કહે છે – ९६ शमशीलदयामूलं, हित्वा धर्मं जगद्धितम् । अहो हिंसाऽपि धर्माय, जगदे मन्दबुद्धिभिः ॥ ४० ॥ અર્થ : જેમાં ઉપશમ, શીલ અને દયાગુણ છે, તેવા જગતના હિતકારી એવા ધર્મનો ત્યાગ કરી મંદબુદ્ધિવાળા પુરુષોએ હિંસાને પણ ધર્મ કહ્યો છે, તે ખેદની વાત છે. || ૪૦ || ટીકાર્થ : કષાય અને ઈન્દ્રિયોના જયરૂપ શમ, સુંદર સ્વભાવરૂપ શીલ, પ્રાણીની અનુકંપા સ્વરૂપ દયા, આ ત્રણ મૂળ કારણ જેના છે, તે અભ્યદય અને મોક્ષના કારણરૂપ ધર્મ છે, આવા પ્રકારનો ધર્મ જગતના જીવોને હિત કરનાર થાય છે, પરંતુ ખેદની વાત છે કે શમ, શીલ, દયા આદિ ધર્મના સાધનોનો ત્યાગ કરીને હિંસાદિકને જેઓ ધર્મ-સાધનો ગણાવે છે અને ધર્મના સાધનોની ઉપેક્ષા કરે છે – એવા પ્રકારે પ્રતિપાદન કરનારાઓની મંદ બુદ્ધિ પ્રગટ છે. || ૪૦ || આ પ્રમાણે લોભમૂલક, શાંતિ-નિમિત્તે કુલ-પરંપરાવાળી, યજ્ઞ-નિમિત્તે, દેવને ભેટ આપવા નિમિત્તે જણાવેલી હિંસાનો પ્રતિષેધ જણાવ્યો. હવે પિતૃ વિષયક હિંસા બાકી છે, તે બીજા શાસ્ત્રોમાં કહી છે, તેનો છ શ્લોકોમાં અનુવાદ કરે છે– ९७ हवियच्चिररात्राय, यच्चान्त्याय कल्पते । पितृभ्यो विधिवद्दत्तं तत्प्रवक्ष्याम्यशेषतः ॥ ४१ ॥ ९८ तिलैज़हियवैर्माषै-रद्भिर्मूलफलेन वा । दत्तेन मासं प्रीयन्ते विधिवत् पितरो नृणाम् ॥ ४२ ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ९९ द्वौ मासौ मत्स्यमांसेन त्रीन्, मासान् हारिणेन तु । औरभ्रेणाथ चतुरः, शाकुनेनेह पञ्च तु ॥ ४३ ॥ १०० षण्मासांश्छागमांसेन, पार्षतेनेह सप्त वै ।। अष्टावेणस्य मांसेन, रौरवेण नवैव तु ॥ ४४ ॥ १०१ दश मासांस्तु तृप्यन्ति, वराहमहिषामिषैः । शशकूर्मयोस्तुमांसेन, मासानेकादशैव तु ॥ ४५ ॥ १०२ संवत्सरं तुं गव्येन, पयसा पायसेन तु । મનુ. ૩ વાર્થીપાસમાણેન, તૃતિવશવાર્ષિવી છે ૪૬ છે ૨૬૬-૨૭૧ અર્થ : શ્રાદ્ધના દિવસે પિતાદિને વિધિપૂર્વક અપાયેલો કોઈક બલિ દીર્ધકાળની તૃપ્તિ માટે થાય છે અને કોઈક બલિથી અનંતકાળ સુધી તૃપ્તિ થાય છે, હવે તે બન્ને બલિનું કથન કરે છે. તલ ચોખા, જવ, અડદ, પાણી, કંદ અને ફળો – આ બધી વસ્તુઓ બલિમાં વિધિસહિત આપવાથી પિતા એક મહિના સુધી તૃપ્ત થાય છે. માછલાના માંસથી બે મહિના સુધી તૃપ્ત થાય છે, હરણના માંસથી ત્રણ મહિના સુધી તુષ્ટ થાય છે. ઊંટના માંસથી ચાર મહિના સુધી સંતુષ્ટ થાય છે. શકુની જંગલના પક્ષીના માંસથી પાંચ મહિના સુધી તૃપ્ત થાય છે. બકરાના માંસથી છ મહિના સુધી તુષ્ટ થાય છે. પાર્ષત નામના હરણના માંસથી સાત મહિના સુધી સંતુષ્ટ થાય છે. કાળા હરણના માંસથી આઠ મહિના સુધી તૃપ્ત થાય છે. રૌરવ નામના હરણના માંસથી નવ મહિના સુધી તૃપ્ત થાય છે. વળી ડુક્કર અને પાડાના માંસથી દશ મહિનાની તૃપ્તિ પામે છે તથા સસલા અને કાચબાના માંસથી અગિયાર મહિના સુધી તૃપ્ત થાય છે. ગાયના દૂધથી અને (દૂધથી બનેલી) ખીરથી એક વર્ષ સુધી તૃપ્ત થાય છે અને ગેંડાના માંસથી બાર વર્ષની તૃપ્તિ થાય છે. // ૪૧-૪૬ // ટીકાર્થ : શ્રુત અને અનુમતિ બેમાં શ્રુતસંબંધ બળવાન હોવાથી ગવ્ય એટલે દૂધ કે ખીરનો સંબંધ સમજવો. પણ પ્રકરણથી માંસ ન લેવું. કેટલાક એમ વ્યાખ્યા કરે છે કે, માંસ સાથે દૂધ અથવા દૂધમાંથી બનેલા દહીં વગેરે, દૂધમાં પકાવેલા ચોખા અથવા ખીર કે દૂધપાક એ પણ પાયસ કહેવાય, ઘરડો બોકડો જળપાન કરતાં જેના એક જીભ અને બે કાન ત્રણ જળ-સ્પર્શ કરે, કહેલું છે કે, “જેનું ઈન્દ્રિય-બલ ક્ષીણ થયેલું છે, એવા પ્રકારના શ્વેત બોકડાને પિતૃકર્મમાં વાર્ષીણસ યજ્ઞ કરનારાઓ કહે છે. તેના માંસથી પિતાદિક પૂર્વજોને બાર વરસ તૃપ્તિ થાય છે.” | ૪૧-૪૬ / પિતૃ-નિમિત્તક હિંસાના ઉપદેશ કરનારાં શાસ્ત્રો જણાવીને હિંસાના દૂષણો કહે છે– १०३ इति स्मृत्यनुसारेण, पितृणां तर्पणाय या । પૂઢર્વિથી તે હિંસા, સાડપિ ટુતિદેતવે છે ૪૭ છે અર્થ : આ પ્રમાણે સ્મૃતિ શાસ્ત્રના અનુસાર મૂઢ પુરુષો પિતાદિના સંતોષ માટે જે હિંસા કરે છે તે હિંસા પણ દુર્ગતિનું કારણ થાય છે ૪૭ || ટીકાર્થઃ પૂર્વ જણાવેલા સ્મૃતિ-ધર્મસંહિતા વગેરેના અનુસારે પિતૃઓ-પિતાના વંશજો “શ્રુતિમાં કહ્યું Page #174 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૪૩-૫૦ ૧૨૩ છે કે, પિતાને, દાદાને અને વડદાદાને પિંડ અર્પણ કરે.” તેઓનું તર્પણ કરવા માટે મૂઢપુરૂષો જે હિંસા કરે છે, તે માત્ર માંસલોભાદિના નિમિત્તવાળી નથી, પણ નરકાદિક દુર્ગતિના કારણવાળી છે, થોડી પણ કોઈક હિંસા એ નરક-કારણ નથી થતી એમ ન માનવું વળી જે પિતાદિક પૂર્વજોની તૃપ્તિ માટે વિસ્તારથી વર્ણવેલી, તે ભોળા લોકોની બુદ્ધિમાં ભ્રમ કરાવનારી છે, તલ, ડાંગર વગેરે તથા મત્યાદિના માંસથી મૃત્યુ પામેલા પિતાદિકને તૃપ્તિ થાય છે !” તે માટે કહે છે કે “જો મરેલા પ્રાણીઓને પણ અહીં તૃપ્તિ થતી હોય તો નિર્વાણ પામેલા દીવાનું સ્નેહ-તેલ દીપકની શિખાને જરૂર વૃદ્ધિ પમાડે એકલી હિંસા દુર્ગિતના કારણભૂત જ છે, તેમ નહિ, પરંતુ હિંસા કરતા જંતુઓ સાથે વેર વિરોધ થતો હોવાથી આ લોક અને પરલોકમાં હિંસાના કારણથી ભયહેતુ બને છે. | ૪૭ || અહિંસકને તે સર્વ જીવોને અભયદાન આપવામાં શૂરવીર હોવાથી કોઈના પણ તરફથી ભય રહેતો નથી, તે જણાવે છે– १०४ यो भूतेष्वभयं दद्याद् भूतेभ्यस्तस्य नो भयम् । यादृग्वितीर्यते दानं, तादृगासाद्यते फलम् ॥ ४८ ॥ અર્થ : જે પુરુષ જીવોને અભયદાન આપે છે. તે પુરુષને અન્ય જીવોથી ભય ઉત્પન્ન થતો નથી. જેવું દાન અપાય છે. તેવું ફળ પ્રાપ્ત થાય છે || ૪૮ | ટીકાર્થ : જેઓ જીવોને અભય આપે છે, તેને તેમના તરફથી ભય હોતો નથી. જેવા પ્રકારનું દાન આપે, તેવા જ પ્રકારનું ફળ મેળવે છે. // ૪૮ || આ પ્રમાણે હિંસામાં તત્પર બનેલા મનુષ્યોને નરકાદિક દુર્ગતિરૂપ હિંસાનું ફળ જણાવ્યું. હિંસક એવા નિંદાપાત્ર ચરિત્રવાળા દેવોના પણ મૂઢજન-પ્રસિદ્ધ પૂજ્યત્વની નિંદા કરે છે. १०५ कोदण्डदण्डचक्रासि-शूलशक्तिधराः सुराः । हिंसका अपि हा कष्टं, पूज्यन्ते देवताधिया ॥ ४९ ॥ અર્થ : ધનુષ્ય દંડ, ચક્ર, તલવાર, ફૂલ અને શક્તિ નામના શસ્ત્રો ધારણ કરનારા હિંસક એવા પણ દેવી દેવતાની બુદ્ધિથી પૂજાય છે તે દુઃખની વાત છે ! | ૪૯ //. ટીકાર્થ : અતિશય ખેદની વાત છે કે રુદ્રાદિક દેવો હિંસા કરનારા હોવા છતાં અજ્ઞાન, અણકેળવાએલા સામાન્ય લોકો વડે વિવિધ પુષ્પ, ફળ ભેટ વગેરેથી પૂજાય છે, તે માટે દેવતાબુદ્ધિથી હિંસકપણાના હેતભૂત વિશેષણ કહે છે. ધનુષ્ય દંડ, ચક્ર, તલવાર, શૂલ અને શક્તિ હથિયાર ધરનાર હોવાથી હિંસા કરનાર. હિંસા ન કરનારા હોય તો ધનુષાદિક ધારણ કરવું અયુક્ત છે. ધનુષધારી શંકર, દંડ રાખનાર યમ, ચક્ર અને તલવાર ધારણ કરનાર વિષ્ણુ, શૂલધારી શિવ અને શિવા, શક્તિધર, કુમાર, ઉપલક્ષણથી બીજા શસ્ત્રો ધારણ કરનાર દેવો પણ સમજી લેવા // ૪૯ || આ પ્રમાણે વિસ્તારથી હિંસાનો પ્રતિષેધ કરી પ્રતિપક્ષભૂત અહિંસાવ્રતની બે શ્લોકો વડે સ્તુતિ કરે છે– १०६ मातेव सर्वभूताना-महिंसा हितकारिणी । अहिंसैव हिं संसार-मरावमृतसारणिः Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ १०७ अहिंसा दुःखदावाग्नि-प्रावृषेण्यघनावली । भवभ्रमिरुगा ना-महिंसा परमौषधी ॥ ५१ ॥ અર્થ : અહિંસા માતાની જેમ સર્વ જીવોનું હિત કરનારી છે, ખરેખર અહિંસા જ સંસારરૂપી મરૂભૂમિમાં અમૃતની નીક તુલ્ય છે . ૫૦ | વળી - અહિંસા દુ:ખરૂપી દાવાનલને બુઝવવા માટે વર્ષાઋતુના મેઘ સમાન છે તથા ભવભ્રમણના રોગથી પીડાતાં આત્માઓને આદર્શ ઔષધ તુલ્ય અહિંસા જ છે. | ૫૧ || ટીકાર્થ : અહિંસા એ માતાની જેમ સર્વ જીવોની હિત કરનારી છે અહિંસા એ ખરેખર સંસારરૂપી મરભૂમિમાં અમૃતની નીક છે. અહિંસા એ દુ:ખદાવાગ્નિને ઓલવનાર મેઘ-પંક્તિ છે, અને અહિંસા એ ભવભ્રમણરૂપી ચક્રના રોગથી પીડિતોને પરમૌષધિ સમાન છે. | ૫૦-૫૧ | અહિંસાવ્રતના ફળને બતાવે છે– १०८ दीर्घमायुः परं रूप-मारोग्यं श्लाघनीयता ।। अहिंसायाः फलं सर्वं, किमन्यत् कामदैव सा ॥ ५२ ॥ અર્થ : અહિંસા પાલન કરનારને લાંબા આયુષ્યની પ્રાપ્તિ, ઉત્તમરૂપ, નિરોગતા, પ્રશંસનીયતા વગેરે ફળો મળે છે. વધારે કેટલું કહીએ ? એ મનોરથ પૂર્ણ કરનાર છે. || પર // ટીકાર્થ : અહિંસામાં તત્પર બનેલો નક્કી બીજાનું આયુષ્ય વધારતો જન્મ-જન્માંતરમાં લાંબુ આયુષ્ય ભોગવે છે, તેમજ પારકાના રૂપને નાશ નહિ કરતો તે ઉત્તમરૂપ પ્રાપ્ત કરે છે. અસ્વસ્થતાના કારણભૂત હિંસાનો ત્યાગ કરતો પરમ સ્વાથ્યરૂપ આરોગ્ય મેળવે છે અને સર્વ જીવોને અભયદાન આપનારો થવાથી તેમનાથી પોતાની પ્રશંસા પ્રાપ્ત કરે છે. આ સર્વ અહિંસાનું ફળ છે. તે અહિંસા જે જે પ્રકારની અભિલાષા થાય, તેને તેને પ્રાપ્ત કરાવે છે, ઉપલક્ષણથી ન ઈચ્છલ સ્વર્ગ અને મોક્ષ ફળ આપનાર થાય છે. આ વિષયમાં શ્લોક જણાવે છે – “પર્વતોમાં મેરુ, દેવોમાં ઈન્દ્ર, મનુષ્યોમાં ચક્રવર્તી, જ્યોતિષમાં ચંદ્ર, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ગ્રહોમાં સૂર્ય, જળાશયોમાં સમુદ્ર, અસુરો સુરો અને મર્યોના અધિપોમાં જિનપતિ, તેમ સર્વવ્રતોમાં અધિપતિનું સ્થાન અહિંસા પ્રાપ્ત કરે છે. વધારે કેટલું કહેવું ? | પર || આ પ્રમાણે વિસ્તારથી અહિંસાવ્રત કહ્યું. હવે સત્યવ્રતનો અવસર હોવાથી તેને કહે છે. જૂઠની વિરતિ વગર તે વ્રત પ્રાપ્ત થઈ શકતું નથી. તેનું ફળ બતાવ્યા વગર જૂઠથી વિરમવાનું શક્ય નથી, માટે ખોટા વચનનું ફળ બતાવીને તેની વિરતિને બતાવે છે– १०९ मन्मनत्त्वं काहलत्वं मूकत्वं मुखरोगिताम् । वीक्ष्याऽसत्यफलं कन्या-लीकाद्यसत्यमुत्सृजेत् ॥ ५३ ॥ અર્થ : બોબડાપણું અસ્પષ્ટ બોલવાપણું, મૂંગાપણું અને મુખના રોગો અસત્યના ફળ કહ્યાં છે, એમ જોઈ-જાણીને કન્યા-અલીક આદિ અસત્યનો ત્યાગ કરવો // પ૩ || ટિીકાર્થ : બીજો સાંભળનાર ન સમજી શકે તેવા વચન બોલવાના યોગે તે પુરૂષ પણ મન્સન બોબડો Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૫૧-૫૫ ૧૨૫ કહેવાય, અસ્પષ્ટ બોલવાપણું. મૂંગાપણું, મુખરોગવાળો કે બીજી જીભવાળો થાય, આ સર્વે અસત્ય વચન બોલવાનાં ફળ જાણીને શાસ્ત્રબલથી અસત્યનું સ્વરૂપ સમજીને શ્રાવક મોટાં અસત્યો બોલવાનો ત્યાગ કરે. કહ્યું છે કે, “અસત્ય વચન બોલનાર મૂંગા, જડબુદ્ધિવાળા, અંગ-વિકલ બોબડા કે જેનું બોલેલું કોઈને ન ગમે તેવા, દુર્ગંધ નીકળતા મુખવાળા થાય છે. '' || ૫૩ | કન્યાદિ સંબંધી અસત્ય જે આગળ કહેવાના છીએ, તે કહે છે— ११० कन्यागो भूम्यनीकानि, न्यासापहरणं तथा 1 कूटसाक्ष्यं च पञ्चेति, स्थूलासत्यान्यकीर्त्तयन् ॥ ५४ ॥ અર્થ : અસત્ય પાંચ પ્રકારના છે : (૧) કન્યા-અસત્ય (૨) ગાય-અસત્ય, (૩) ભૂમિ અસત્ય (૪) થાપણને છુપાવવી અને (૫) ખોટી સાક્ષી ભરવી. આ પાંચ સ્થૂલ અસત્ય કહ્યાં છે. II ૫૪ II ટીકાર્થ : ૧. કન્યા-વિષયક, ૨. ગાય-વિષયક, ૩. ભૂમિ વિષયક, ૪. થાપણ પાછી ન આપવા વિષયક, ૫. ખોટી સાક્ષી પૂરવી, આ પાંચને જિનેશ્વરોએ પાંચ મોટા અસત્યો કહેલાં છે. ૧. કન્યા સંબંધી અસત્ય તે કહેવાય કે, સારી કન્યાને ખરાબ કહેવી, ખરાબને સારી, (જુદીને) જુદી નહિ તેને જુદી કન્યા કહેવી, તે વિષયમાં વિપરીત કહેવું. કન્યા શબ્દથી સર્વ કુમારાદિ બે પગવાળા મનુષ્યો સંબંધી સમજી લેવું. ૨. ગાય સંબંધી અસત્ય તે કહેવાય કે, અલ્પ દૂધ આપનારીને બહુ દૂધ આપનારી. બહુ દૂધ આપનારી માટે અલ્પ દૂધ આપનારી-એમ વિપરીત કથન કરવું. ઉપલક્ષણથી ચાર પગવાળા સર્વ માટે સમજી લેવું. ૩ ભૂમિ સંબંધી અસત્ય તે કહેવાય કે, પારકી જમીનને પણ પોતાની કહેવી અગર વિપરીત કહેવું. આ બાકીના વૃક્ષાદિ પદાર્થો સંબંધી પણ ઉપલક્ષણથી સમજી લેવું. કોઈ શંકા કરે કે, બે પગવાળા, ચાર પગવાલાં કે અપદ એમ કેમ ગ્રહણ ન કર્યાં ? જવાબ આપે છે કે, કન્યાલીકાદિક લોકમાં અતિનિંદાપાત્ર તરીકે પ્રસિદ્ધ છે. ૪ રક્ષણ માટે બીજાને સોંપવું તે ન્યાસ. સુવર્ણ આદિ અનામત રાખી મૂકવા માટે આપવા, તે થાપણ રાખ્યા પછી વિપરીત બોલવું. તે મોટો મૃષાવાદ ૫. આપણને પ્રામાણિક ગણી સ્થાપન કર્યા હોય પરંતુ લાંચ-રૂશ્વત કે ઈર્ષ્યા-અદેખાઈથી ખોટી સાક્ષી પૂરવી. જેમ કે, ‘હું’ આમાં સાક્ષી છું' પારકાના પાપનું સમર્થન કરવારૂપ લક્ષણવિશેષ આશ્રીને પૂર્વથી આ જુદું જણાવેલું છે. આ પાંચે કિલષ્ટ આશયથી ઉત્પન્ન થનારાં હોવાથી સ્થૂલ અસત્યો સમજવાં. ॥ ૫૪ ॥ આ પાંચ મોટાં અસત્યોનો વિશેષણ દ્વારા હેતુ સ્થાપીને તેનો પ્રતિષેધ બતાવે છે— १११ सर्वलोकविरूद्धं य-द्यद्विश्वसितघातकम् I यद्विपक्षश्च पुण्यस्य, न वदेत्तदसूनृतम् " ક " અર્થ : જે સર્વ લોકથી વિરુદ્ધ છે, વિશ્વાસનો ઘાત કરનારું છે અને પુણ્યનો શત્રુ છે, તેવા અસત્યને બોલવું નહિ || ૫૫ || ટીકાર્થ : કન્યા, ગાય, ભૂમિ-વિષયક અસત્યો સર્વ લોકમાં વિરુદ્ધ હોવાથી ન બોલવાં. વિશ્વાસનો ઘાત કરનાર હોવાથી થાપણ માટે અસત્ય ન બોલવું. પુણ્ય ધર્મનો વિપક્ષ અધર્મ, પ્રમાણભૂત ગણીને ભરોસો રાખીને સત્ય કહેવા માટે વિવાદીઓ વડે પ્રાર્થના કરાય, તે રૂપ ધર્મ અને ધર્મનો વિપક્ષ અધર્મ હોવાથી ખોટી સાક્ષી ન પૂરે || ૫૫ || અસત્યના ફળો બતાવતાં તેનો પરિહાર કરવા માટે ઉપદેશ આપે છે— Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ११२ असत्यतो लघीयस्त्व-मसत्याद्वचनीयता । अधोगतिरसत्याच्च, तदसत्यं परित्यजेत् ॥ ५६ ॥ અર્થ : અસત્યથી લઘુતા થાય છે, અસત્યથી નિંદાનો દોષ ઉત્પન્ન થાય છે અને અધોગતિ પણ અસત્યથી થાય છે, માટે અસત્યનો ત્યાગ કરવો // પ૬ // ટીકાર્થ : અસત્ય બોલવાથી આ લોકમાં અપકીર્તિ, હલકાઈ અને આવતા ભવમાં દુર્ગતિ થાય છે, માટે અસત્ય બોલવાનો ત્યાગ કરવો // પદ // કિલષ્ટ આશય પૂર્વક અસત્ય બોલવાનો ભલે નિષેધ હોય, પરંતુ પ્રમાદથી બોલી જવાય તો શી હરકત ? એ સંબંધમાં કહે છે ११३ असत्यवचनं प्राज्ञः, प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते, वात्ययेव महाद्रुमाः ॥ ५७ ॥ અર્થ : જેમ પવનથી મોટા વૃક્ષો ભાંગી જાય છે, તેમ અસત્ય વચનથી સર્વ કલ્યાણ નાશ પામે છે, તેથી બુદ્ધિશાળી પુરૂષે પ્રમાદથી પણ અસત્ય ન બોલવું. | પ૭ || ટીકાર્થ : કિલષ્ટ આશય પૂર્વકના અસત્ય વચનની વાત બાજુ પર રાખો, પરંતુ અજ્ઞાન સંશયાદિક પ્રમાદથી પણ અસત્ય ન બોલવું. પ્રમાદથી બોલાએલા અસત્ય વચનથી મહાવાયરાથી જેમ મહાવૃક્ષો તેમ શ્રેય કાર્યો મૂળ સાથે ઉખડી વિનાશ પામે છે. મહર્ષિઓએ કહેલું છે કે – અતીત, વર્તમાન અને ભવિષ્યકાળમાં થયેલા જે અર્થને ન જાણે, તેને “આ એમ જ છે' એમ ન બોલે અતીત, વર્તમાન અને ભવિષ્યકાળમાં થયેલા આ પદાર્થમાં શંકા થાય, તેને “આ એમ જ છે” એમ કથન ન કરે. અતીત, વર્તમાન અને ભવિષ્યકાળમાં થયેલા જે પદાર્થમાં નિઃશકપણું થયું હોય ત્યાં “આ આમ છે' એમ નિર્દેશ કરે.આ અસત્ય ચાર પ્રકારનું ભૂતનો અપલાપ કરી પદાર્થને છૂપાવવો, (દશ. ૯૮,૯,૧૦) ન હોય તેવો પદાર્થ ઉભો કરવો, અર્થાન્તર અને ગર્તા, ભૂતનિન્દવ આ પ્રમાણે – “આત્મા નથી, પુણ્ય-પાપ, પરલોકાદિ નથી” અભૂતોભાવન જેમ કે, આત્મા સર્વગત છે, અથવા શ્યામક જાતિના તંદુલ સરખો આત્મા છે. અર્થાન્તર એટલે બળદને ઘોડો વગેરે કહેવા અને ગઈ ત્રણ પ્રકારની એક પાપવાળા વ્યાપાર પ્રવર્તાવનારી જેમ કે, “ખેતર ખેડો' વગેરે બીજી અપ્રિયા. કાણાને કાણો કહેવા રૂપ. ત્રીજી આક્રોશ કરવા સ્વરૂપ. જેમ કે, “અરે કુલટાપુત્ર !” વગેરે // પ૭ || અસત્ય વચન અતિપરિહાર કરવા યોગ્ય છે, એમ બતાવતા વળી આ લોકના દોષોને બતાવે છે ११४ असत्यवचनाद्वैर-विषादाप्रत्ययादयः __ प्रादुःषन्ति न के दोषाः कुपथ्याद् व्याधयो यथा ॥ ५८ ॥ અર્થ : એક અસત્ય વચનથી વૈર, વિષાદ, અવિશ્વાસ આદિ ક્યા દોષો ઉત્પન્ન નથી થતા ? અર્થાત જેમ કુપથ્થના સેવનથી અનેક વ્યાધિઓ પેદા થાય છે, તેમ અસત્ય વચનથી બીજા અનેક દોષો ઉપસ્થિત થાય છે. || ૫૮ || ટીકાર્થ : અસત્ય વચન બોલવાથી વૈર, વિરોધ, પશ્ચાત્તાપ, અવિશ્વાસ, રાજ્યાદિકમાં અમાન્ય વગેરે કુપથ્ય ભોજનથી જેમ વ્યાધિઓ થાય છે, તેની માફક ઉપર કહેલા દોષો ઉત્પન્ન થાય છે. // પ૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૫૬-૬૦. ૧૨૭ પરભવમાં મૃષાવાદનું ફલ જણાવે છે– ११५ निगोदेष्वथ तिर्यक्षु, तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावाद-प्रसादेन शरीरिणः ॥ ५९ ॥ અર્થ : જગતના જીવો અસત્ય વચનના પ્રભાવથી નિગોદ, તિર્યંચ, અને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. / ૫૯ || ટીકાર્થઃ અસત્ય બોલવાના પ્રભાવથી પ્રાણીઓ અનંતકાય જીવવાળા નિગોદમાં, ગાય-બળદ આદિ તિર્યચયોનિઓમાં અને નરક-વાસીઓમાં ઉત્પન્ન થાય છે. એ ૫૯ / હવે અસત્ય બોલવાના ત્યાગમાં સુલટા ઉલટા બે પ્રકારે કાલિકાચાર્યનું અને વસુરાજાનું એ બે દષ્ટાંત કહે છે– ११६ ब्रूयाद्भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु ब्रूते स नरकं, प्रयाति वसुराजवत् ॥ ६० ॥ અર્થ આચાર્યદેવશ્રી કાલિકસૂરિ મ.ની જેમ ભયથી કે આગ્રહથી અસત્ય ન બોલવું અને ભય આદિ ગાઢ કારણથી જે જીવ અસત્ય બોલે છે, તે વસુ રાજાની માફક નરકમાં જાય છે. તે ૬૦ || ટીકાર્ય : મરણાદિક ભય કે કોઈના દાક્ષિણ્યથી કાલિકાચાર્ય માફક અસત્ય ન બોલવું અને ઉપર કહેલા કારણો ભય કે દાક્ષિણ્યથી અસત્ય વચન બોલે તો, વસુરાજા માફક નરકે જાય, તે આ પ્રમાણે– સત્ય ઉપર કાલિકાચાર્યની કથા : પૃથ્વીરૂપ રમણીના મુગટમણિ સમાન તુરમણી નામની નગરી હતી. ત્યાં નામ પ્રમાણે ગુણવાળો જીતશત્રુ નામનો રાજા હતો. ત્યાં રુદ્રા નામની પ્રસિદ્ધ બ્રાહ્મણીને દત્ત નામનો પુત્ર હતો. દત્ત અત્યંત ઉશૃંખલ, હંમેશા જુગાર રમવો, મદ્યપાન કરવું એમાં જ મજા માનતો. ઈચ્છા પ્રમાણે છૂટથી વર્તન કરવા માટે તે રાજાની સેવા કરવા લાગ્યો. રાજાએ પણ તેને છાયા માફક જોડીદારોમાં મુખ્ય બનાવ્યો. “વૃદ્ધિ પામતી વિષવેલડીને આગળ વધવા કે ઉપર ચડવા માટે વૃક્ષ કામ લાગે છે' આ દત્તે પ્રજાને ભેદનીતિથી ગમે તેમ ઉશ્કેરીને રાજાને દેશવટો અપાવ્યો. પાપાત્માઓ અને કપોત પોતાના આશ્રયનો ઉચ્છેદ કરનારા હોય છે તે દુરાત્મા આ રાજાના રાજ્ય પર પોતે જ બેસી ગયો. “હલકા માણસને પગનો અગ્ર ભાગ આપ્યો, તો માથા સુધી ચડી બેસે છે” સાક્ષાત્ પાપરૂપ ધૂમથી વિશ્વને મલિન કરતો હોય તેમ, તે ધર્મબુદ્ધિથી પશુઓની હિંસાવાળા મોટા યજ્ઞો કરવા લાગ્યો. કોઈક સમયે સંયમ દેહ સ્વરૂપ હોય તેવા, તે દત્તના મામા કાલિકાચાર્ય નામના આચાર્ય વિહાર કરતા ત્યાં આવ્યા. મિથ્યાત્વ-મોહિત હોવાથી આચાર્યની પાસે જવાની ઈચ્છા ન હતી. છતાં પણ માતાએ અતિશય દબાણ કર્યું. જેથી તે મામાની પાસે આવ્યો. મદિરા પાન કરેલા માફક પ્રમત્ત સરખા તેણે ઉભટપણાથી તેમને પૂછ્યું, “હે આચાર્ય ! જો જાણકાર હો તો યજ્ઞોનું ફળ કહો' કાલિકાચાર્યે કહ્યું કે, જો તું ધર્મ પૂછે છે, તો તે સાંભળ- પોતાને જે જે અપ્રિય હોય, તે બીજાને ન કરવું' અરે ! હું તો યજ્ઞનું ફળ પુછું છું એ પ્રમાણે ફરી કહ્યું, એટલે આચાર્યે કહ્યું ‘હિંસાદિ એ શ્રેય કરનાર નહિ, પણ પાપ બંધાવનાર થાય છે.' ફરી દુર્બુદ્ધિ દત્તે તે જ પ્રશ્ન નિંદાપૂર્વક પૂછયો. છતાં આચાર્યે સજ્જનતાપૂર્વક ઉત્તર આપ્યો કે, “યજ્ઞોનું ફલ નરક છે' ક્રોધ પામેલા દત્તે કહ્યું કે, આ વિષયમાં ખાત્રી કઈ ? તે કહો. આચાર્યે કહ્યું કે, આજથી સાતમે દિવસે તું ચંડાલની શ્વાન-કુંભમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ રંધાઈશ. કોપથી ભવાં ચડાવીને અને આંખ લાલ કરીને ભૂતનો વળગાડ થયો હોય તેવો તે પૂછે છે કે તેમાં શું પ્રમાણ ? હવે કાલિકાચાર્યે પણ કહ્યું કે, ‘ચંડાળની શ્વાનકુંભીમાં રંધાવા પહેલા તે જ દિવસે અણધારી રીતે તારા મુખમાં વિષ્ટાનો પ્રવેશ થશે' રોષમાં આવેલા દત્તે કહ્યું કે, ‘તમારું મૃત્યુ કોનાથી અને ક્યારે થશે ?’ ત્યારે આચાર્યે કહ્યુ કે, કોઈથી પણ નહિ, પણ પોતાના સમયે હું સ્વર્ગમાં જઈશ' એમ મુનિએ કહ્યું. ત્યારે રોષ પામેલા દત્તે પોતાના સેવકોને આજ્ઞા કરી કે, આ દુર્બુદ્ધિને પકડી લો, એ પ્રમાણે આજ્ઞા પામેલા સેવકોએ કાલિકાચાર્યને પકડી કેદ કર્યા હવે પાપકર્મી દત્તથી કંટાળેલા સામંતોએ પહેલાના રાજાને બોલાવીને રાજ્ય અર્પણ ક૨વા નિર્ણય કર્યો. શંકાવાળો દત્ત પણ સિંહની ગર્જનાથી ત્રાસ પામેલા અને ઝાડીમાં સંતાઈ રહેલા હાથી માફક પોતાના ઘરમાં છુપાઈ ગયો. દૈવયોગે સાતમો દિવસ કયો ? તે ખ્યાલમાં ન રહેતા સાતમા દિવસે બહાર નીકળવા માટે કોટવાળ આદિ પાસે રાજમાર્ગ પર ચોકી પહેરો ગોઠવાવી રાજમાર્ગનું રક્ષણ કર્યું. ત્યાં આગળ એક માળી પુષ્પનો કરંડિયો લઈને પ્રાતઃકાળમાં નગર-પ્રેવશ કરતો હતો. ત્યારે એણે ઝાડાના વેગથી માર્ગમાં જ વિષ્ટા કરી અને ભય પામેલા તેણે પુષ્પોથી ઢાંકી દીધી. ‘આ જ દિવસે દુષ્ટ મુનિને પશુ માફક હણીશ' એમ વિચારતો દત્ત પણ ઘોડેસ્વારો સાથે બહાર નીકળ્યો. દોડતા એક અશ્વની ખરી વડે છળેલી વિષ્ટા દત્તના મુખમાં પડી. ‘વ્રતધારી સંયમીની વાણી અસત્ય થતી નથી.' શિલા સાથે અફળાયાની માફક ઢીલા દેહવાળો હતાશ બની ગયો અને ત્યાર પછી સામંતોને કહ્યા વગર પોતાના ઘર તરફ ચાલ્યો. હવે પ્રજાલોકોએ આણે આપણી મંત્રણા જાણી નથી.’ એમ વિચારી એ ઘરમાં પ્રવેશ કરે, તે પહેલાં તો તેને બળદ માફક બાંધીને પકડ્યો. હવે રાત્રિ પૂર્ણ થાય એટલે જેમ સૂર્ય પોતાનું તેજ પ્રગટ કરે, તેમ પહેલાનો રાજા તે વખતે પ્રગટ થયો. કરંડિયાથી છુટેલા સર્પ માફક દૂરથી ક્રોધથી સળગતા તે રાજાએ નરકની કુંભી સરખી ચંડાળની કુંભીમાં દત્તને નાંખ્યો. કુંભી નીચે અગ્નિ સળગાવ્યો કુંભી તપતી હતી ત્યારે વચમાં શ્વાનો રહેલા હતા. પરમાધાર્મિકોએ જેમ નારકીઓને તેમ દત્તને પીગળાવી મારી નાંખ્યો. રાજાના ભય અને આગ્રહને આધીન ન થતાં સત્યવ્રતનું રક્ષણ કરવા માટેની પ્રતિજ્ઞાવાળા કાલિકાચાર્ય માફક બુદ્ધિશાળી પુરૂષ કદાપિ અસત્ય ન બોલે. આ પ્રમાણે કાલિકાચાર્યનું કથાનક કહ્યું. અસત્ય ઉપર વસુરાજાની કથા ઃ ચેદી દેશમાં શુક્તિમતી નદીના કાંઠે ક્રીડા સરખી સુપ્રસિદ્ધ શુક્તિમતી નામની નગરી હતી. પૃથ્વીના મુગટ સમાન તે નગરીમાં તેજથી અદ્ભુત માણિક્યરત્ન માફક અભિચંદ્ર નામનો રાજા હતો. પાંડુરાજાને જેમ યુધિષ્ઠિર તેમ તે રાજાને મહાબુદ્ધિશાલી સત્ય વચન બોલનાર વસુ નામનો પુત્ર જન્મ્યો હતો. ક્ષીરકદંબક ગુરુ પાસે તેનો પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને વિદ્યાર્થી નારદ એમ ત્રણ સહાધ્યાયીઓ પઠન કરતા હતા. ભણનારા આ ત્રણે ભણવાના શ્રમથી રાત્રે મકાનની અગાસીમાં ઉંઘી ગયા હતા. ત્યારે આકાશમાં જતા ચારણ મુનિઓ માંહોમાંહે એમ બોલ્યા કે, ‘આમાંથી એક સ્વર્ગમાં અને બીજા બે નરકમાં જશે' એ વાત ક્ષીરકદંબકે સાંભળી, તે સાંભળી ખેદ પામેલા ક્ષીરકંદબકે વિચાર્યું કે, ‘હું ભણાવનાર હોઉં અને મારા શિષ્યો નરકે જાય, તે વાત ખેદની ગણાય' આમાંથી સ્વર્ગમાં કોણ અને નરકમાં કયા બે જશે? તે જાણવાની ઈચ્છાવાળા ઉપાધ્યાયે ત્રણેને સાથે બોલાવ્યા અને લાખના રસથી ભરેલા પીઠાલોટના કૂકડા દરેકને એક એક આપીને કહ્યું કે, ‘આનો ત્યાં વધુ કરવો, જ્યાં કોઈ ન દેખે' તેમાં વસુ અને પર્વત બંનેએ તેવા શૂન્ય એકાંત પ્રદેશમાં જઈને પોતાની ગતિ માફક પીઠાના કૂકડાઓનો વધ કર્યો. મહાત્મા નારદે નગર બહાર જઈ ત્યાં ઉભા રહીને એકાંત પ્રદેશમાં દિશા જોઈને તર્ક કર્યો. ગુરુજીએ તે પ્રમાણે આજ્ઞા Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૬૦ ૧૨૯ કરી છે કે હે વત્સ ! તારે આનો વધ ત્યાં કરવો કે, જ્યાં કોઈ આ કૂકડાને ન દેખે, આ કૂકડાને તે દેખે છે હું દેખું છું, ખેચરો દેખે છે, લોકપાલો દેખે છે અને એવા જ્ઞાનીઓ દેખે છે. તેવું કોઈપણ સ્થાન છે જ નહિ કે જ્યાં કોઈ ન દેખે. ગુરૂની વાણીનું તાત્પર્ય ખરેખર કૂકડાનો વધ ન કરવાનું છે. ગુરુ ભગવંતો હંમેશા દયાળુ હોય છે અને હિંસાથી પરાભુખ છે, અમારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે આ આજ્ઞા કરી છે' એમ વિચારી કૂકડાને હણ્યા વગર જ તે પાછો આવ્યો અને કૂકડાને ન હણવાનું તે કારણ પણ ગુરૂને નિવેદન કર્યું. ‘આ સ્વર્ગમાં જશે' એમ નિશ્ચય કરીને ગુરૂએ નારદને સ્નેહથી આલિંગન કર્યું અને ‘બહુ સારું બહુ સારું' એમ કહ્યું, વસુ અને પર્વતકે પાછા આવીને કહ્યું કે, જ્યાં કોઈ દેખતું ન હતું, ત્યાં અમે બે કૂકડાને હણ્યા, ‘અરે ! તમે બંને દેખતા હતા ! હે પાપીઓ ! ખેચરાદિકના દેખતા તમે બંનેને કેમ હણ્યા ? ' એમ કહી ઠપકો આપ્યો. ' ત્યાર પછી ખેદથી જેને ભણાવવાની બુદ્ધિ ચાલી ગઈ છે, એવા ઉપાધ્યાયે વિચાર્યુ કે, ‘વસુ અને પર્વતને ભણાવવાનો મારો શ્રમ નિષ્ફળ ગયો. ખરેખર ગુરુનો ઉપદેશ પણ પાત્ર અનુસારે પરિણમે છે’ મેઘનું જળ સ્થાનના ભેદથી મુક્તાફલ અને લવણપણાને પામે છે. પ્રિયપુત્ર પર્વતક અને પુત્ર કરતાં પણ અધિક વસુ નરકે જશે, માટે આવા ગૃહવાસથી શો લાભ ? તે વખતે વૈરાગ્યથી ઉપાધ્યાયે દીક્ષા ગ્રહણ કરી અને તેના સ્થાને વ્યાખ્યા કરવામાં વિચક્ષણ એવો પર્વત બેઠો. ગુરુ-કૃપાથી સર્વ શાસ્ત્રમાં વિશારદ બનીને શારદના મેઘ સમાન નિર્મલ બુદ્ધિવાળો નારદ પોતાની જન્મભૂમિમાં ગયો. રાજાઓમાં ચંદ્રસમાન અભિચંદ્ર રાજાએ પણ તે સમયે દીક્ષા લીધી ત્યાર પછી શોભા વડે વાસુદેવ સમાન એવો વસુ રાજા રાજા થયો. તેણે પૃથ્વીતલમાં સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિ મેળવી અને તે પ્રસિદ્ધિનું રક્ષણ કરવા માટે તે સત્ય જ બોલતો હતો. હવે એક વખતે શિકાર કરવા નીકળેલા શિકારીએ મૃગલા માટે વિન્ધ્યપર્વતમાં બાણ ફેંક્યું ત્યારે તે વચમાં જ સ્ખલના પામ્યું. બાણ સ્ખલના પામવાનું કારણ જાણવા માટે તે ત્યાં ગયો તો હાથથી સ્પર્શ કરતાં આકાશ સરખી સ્વચ્છ સ્ફટિક-શીલા જાણવામાં આવી. એટલે તેણે વિચાર્યું કે, આ શિલાની બીજી બાજુ ચંદ્રની અંદર જેમ ભૂમિની છાયા તેમ તેની માફક સંક્રાન્ત થએલા ચાલતા મૃગલાને મેં જોયો હતો. હાથથી સ્પર્શ કર્યા વગર કોઈ પણ પ્રકારે સર્વથા આ જાણી શકાય તેમ નથી, માટે અવશ્ય આ શિલા વસુરાજાને માટે યોગ્ય છે.' તે શિકારીએ ગુપ્તપણે રાજા પાસે જઈને તે શિલાની હકીકત જણાવી. ખુશ થયેલા રાજાએ તે ગ્રહણ કરી અને તેને ઘણું ધન આપ્યું. રાજાએ ગુપ્તપણે રાજસભામાં બેસવા યોગ્ય તેની વેદિકા ઘડાવી અને ઘડનાર કારીગરોને મારી નંખાવ્યા, ‘રાજાઓ કદાપિ કોઈના થતા નથી’ તે વેદી ઉપર ચેદી રાજાનું સિંહાસન સ્થાપન કર્યુ. અજ્ઞાન લોકો એમ સમજવા લાગ્યા કે, ‘સત્યના પ્રભાવથી સિંહાસન આકાશમાં અદ્ધર રહેલું છે. ખરેખર સત્યથી તૃષ્ટ થયેલા દેવતાઓ આ રાજાનું સાનિધ્ય કરે છે' એવા પ્રકારની તેની અતિશય ઉજ્જવલ પ્રસિદ્ધિ દરેક દિશામાં ફેલાઈ. તે પ્રસિદ્ધિથી ભય પામેલા રાજાઓ તેને આધીન બન્યા, ‘સાચી કે મિથ્યા પ્રસિદ્ધિઓ રાજાઓને વિજય આપનારી થાય છે’ કોઈક સમયે નારદ ત્યાં આવ્યા ત્યારે તેણે બુદ્ધિશાળી શિષ્યો પાસે ઋગ્વેદની વ્યાખ્યા કરતા પર્વતને જોયો. અનૈર્યનૃત્યમ્ આ સૂત્રની વ્યાખ્યામાં ‘અજ’ એટલે બકરો એવો અર્થ સમજાવતાં પર્વતને નારદે કહ્યું, હે બંધુ ! આ કહેવામાં ભ્રાન્તિથી તારી ભુલ થાય છે. ત્રણ વરસ થયા હોય, તેવા ધાન્યો ઉગતા નથી, તે ‘અજો’ કહેવાય. ગુરુજીએ આ પ્રમાણે જ આપણને વ્યાખ્યા કરી હતી, તેને તું કેમ ભુલી ગયો ? ત્યાર પછી પર્વતે કહ્યું કે, પિતાજીએ આ અર્થ નથી કહ્યો, પણ ‘અજો' એટલે બકરા કહ્યા હતા અને તે જ પ્રમાણે કોષોમાં પણ અર્થ કહેલો છે. પછી નારદે કહ્યું. ‘આ પ્રમાણે શબ્દોના અર્થની ગૌણ અને મુખ્ય Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બે વિચારણા હોય છે. તેમાં આ વિષયમાં ગુરૂજીએ ગૌણ અર્થ કહ્યો હતો. ગુરુજી ધર્મનો ઉપદેશ કરનારા હતા. શ્રુતિ પણ ધર્મસ્વરૂપ જ છે. બંને વિપરીત કરીને હે મિત્ર ! તું પાપ ઉપાર્જન ન કર’ આગ્રહપૂર્વક પર્વતે કહ્યું કે ગુરૂજીએ “મની પાન' “અજ' એટલે બકરાં કહેલા છે, ગુરૂએ કહેલા શબ્દના અર્થનું ઉલ્લંઘન કરવાથી તુ ધર્મ ઉપાર્જન કરે છે ખરો? ખોટા અભિમાનવાળી વાણી મનુષ્યને દંડ કે ભય આપનારી થતી નથી ? પર્વતે કહ્યું, “પોતાના પક્ષની સ્થાપના કરવામાં જે નિષ્ફળ થાય. તેણે જીહ્યા છેદ સ્વીકારવો-એવી આપણી વચ્ચે શરત હો' આ વિષયમાં આપણા બે વચ્ચે સાથે અભ્યાસ કરનાર વસુરાજાને પ્રામાણિક નિર્ણય આપનાર તરીકે માન્ય કરવા. નારદે તે વાતનો સ્વીકાર કર્યો. કારણકે સત્ય બોલનારાને ક્ષોભ થતો નથી. ખાનગીમા પર્વતની માતાએ પુત્રને કહ્યું. “હું ઘરકાર્યમાં પરોવાયેલી હતી, ત્યારે “અજા' એટલે “ત્રણ વરસના ધાન્યો” એવો અર્થ મેં તારા પિતાજી પાસેથી સાંભળ્યો હતો. તમોએ જિદ્વા-છેદની શરત અભિમાનથી કરી, તે કાર્ય અયોગ્ય કર્યું. વગર વિચાર્યું કાર્ય કરનાર આપત્તિના સ્થાનને પ્રાપ્ત કરે છે. પર્વતે કહ્યું, “આ પ્રમાણે મેં કર્યું તો છે જ, તે માતાજી ! મેં એક વખત ગમે તે કરી નાંખ્યું. હવે તેનો કોઈ ઉપાય છે કે નહિ ? પછી તે પર્વતની આપત્તિની પીડા વડે હૃદયમાં શલ્ય પામેલી માતા વસુરાજા પાસે ગઈ “પુત્ર ખાતર શું ન કરાય ?' તેણે કહ્યું, હે માતાજી ! તમને દેખવાથી આજે ખરેખર મને ગુરૂજી ક્ષીરકદંબકના જ દર્શન થયાં. બોલો શું કરું ? અથવા શું આપું ? ત્યારે તેણે કહ્યું, હે પૃથ્વી પતિ ! મને પુત્રભિક્ષા આપ, હે પુત્ર ! પુત્ર વગર ધન, ધાન્ય કે બીજી વસ્તુઓનું મારે શું પ્રયોજન છે? વસુએ કહ્યું, હે માતાજી ! પર્વત મને પૂજ્ય અને પાલન કરવા યોગ્ય જ છે, શ્રુતિ પણ એમ જ કહે છે. ગુરુના પુત્ર સાથે ગુરૂની જેમ વર્તવું.” અકાલે રોષ કરનાર યમરાજાએ આજે કોની ચિઠ્ઠી ઉંચકી ? હે માતા ! મારા બંધુને મારવાની ઈચ્છાવાળો કોણ છે ? તે મને કહો. તમે શા માટે ફિકર કરો છો ? “અજ' શબ્દની વ્યાખ્યાની હકીકત તથા પોતાના પુત્રે કરેલી શરત, તમને તેમાં નિર્ણય કરનાર પ્રમાણપુરૂષ તરીકે માન્ય છે, માટે તમારી પાસે પ્રાર્થના કરું છું કે, બંધુનું રક્ષણ કરવા માટે “અજ' એટલે બકરો એવો અર્થ તમારે કહેવો. મહાપુરૂષો પ્રાણો આપીને પણ પરોપકાર કરનારા હોય છે, તો પછી વાણીથી કેમ નહિ?' વસુએ કહ્યું “હે માતાજી ! હું અસત્ય વચન કેમ બોલું ? સત્ય વચન બોલનારા પ્રાણના નાશમાં પણ અસત્ય બોલતા નથી. વળી બીજું કંઈક બોલવું પણ પાપથી ડરનારાએ અસત્ય તો ન જ બોલવું. વળી ગુરૂ વચનથી વિરૂદ્ધ બોલવાની કે ખોટી સાક્ષી પૂરવાની વાત તો કેવી રીતે કરી શકાય? ત્યારે માતાએ કહ્યું “ગુરુના પુત્રનું ઘણું કર્યું ! અથવા તો સત્યવ્રતનો આગ્રહ રાખ' એ પ્રમાણે જ્યારે રોષથી કહ્યું, ત્યારે વસુરાજાએ તેનું વચન માન્ય કર્યું. ત્યાર પછી હર્ષ પામેલી ફીરકદંબકની પત્ની ગઈ અને વિદ્વાન એવા નારદ અને પર્વત રાજસભામાં આવ્યા, સભામાં બંને વાદીઓના સત્ય અને અસત્યરૂપ ક્ષીર અને નીરનો સારી રીતે વિભાગ કરનાર ઉજ્જવળ પ્રભાવશાળી મધ્યસ્થ ગુણવાળા સભ્યો એકઠા થયા. પૃથ્વી અને આકાશ બંને વચ્ચે જેમ સૂર્ય તેમ આકાશ સરખા સ્વચ્છ સ્ફટિકની શિલાની વેદિકા ઉપર સ્થાપન કરેલ સિંહાસનને સભાપતિ વસુરાજાએ શોભાયમાન કર્યું. ત્યાર પછી નારદે અને પર્વતે રાજા પાસે પોતપોતાની વ્યાખ્યાની સ્થાપના કરી, અને કહ્યું કે, હવે તમે સત્ય અર્થ કહો. બ્રાહ્મણ-વૃદ્ધોએ કહ્યું કે, સ્વર્ગ અને પૃથ્વી એ બંને વચ્ચે જેમ સૂર્ય તેવી રીતે “આ બંને વચ્ચે વિવાદ છે, તે તમારે વિષે પ્રમાણ છે. ઘટ વગેરે દિવ્યો ખરેખર આજે સત્યથી જ વર્તી રહેલા છે, સત્યથી વરસાદ વરસે છે અને સત્યથી દેવતાઓ પણ વશ થાય છે, હે રાજન્ ! તમે જ લોકોને સત્યમાં સ્થાપન કરો છો, તો આ વિષયમાં આપને શું કહીએ ? સત્યવ્રતને ઉચિત એવો નિર્ણય Page #182 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૬૧-૬૨ ૧૩૧ આપો.” વૃદ્ધોનું વચન ન સાંભળ્યું હોય, તેમ પોતાની પ્રસિદ્ધિનો પણ ખ્યાલ કર્યા વગર વસુએ કહ્યું કે, ગુરૂજીએ “અજાનું મેષા” અર્થાત્ “અજો' એટલે ઘેટા એવી વ્યાખ્યા કરી હતી એમ કહીને સાક્ષી આપી તેના અસત્ય વચનથી દેવતાઓ ક્રોધાયમાન થયા અને દેવતાઓએ આકાશ જેવી નિર્મલ સ્ફટિકશિલાની વેદિકાવાળું સિંહાસન ચૂરી નાખ્યું. વસુમતીનો સ્વામી વસુરાજા ત્યાર પછી તત્કાલ નરકપાતની પ્રસ્તાવના કરતો હોય તેમ પૃથ્વીતલમાં પડ્યો. ખોટી સાક્ષી આપનાર ચંડાલ માફક તારું મુખ કોણ દેખે ? એમ વસુને તિરસ્કારતો નારદ પોતાના સ્થાનકે ગયો. અસત્ય વચન બોલવાથી કોપાયમાન થયેલા દેવતાઓએ પટકાવેલ વસુરાજા ઘોર નરકમાં ગયો. અપરાધી તે વસુરાજાનો જે જે પુત્ર રાજ્ય પર બેસતો હતો, તેને તેને દેવતાઓ હણતા હતા, એવી રીતે આઠ હણ્યા હતા. આ પ્રમાણે વસુરાજાને અસત્ય વચન બોલવાનું ફલ સાંભળીને જિનવચન શ્રવણ કરેલ આત્માએ કોઈના પણ આગ્રહને વશ ન બનતાં પ્રાણોના સંશયમાં પણ અસત્ય ન જ બોલવું. ઇતિ નારદ-પર્વત કથા. || ૬૦ || “સજ્જનોને હિત કરનાર' તે સત્ય-એવી વ્યુત્પત્તિથી યથાર્થ વચન હોવા છતાં પણ બીજાને પીડા કરનાર વચન પણ અસત્ય જ ગણેલું છે, માટે સત્ય પણ એવા પ્રકારનું ન બોલવું જોઈએ. ११७ न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरकं गतः ॥६१ ॥ અર્થ : અન્યને પીડા થાય તેવું સત્ય વચન પણ ન બોલવું. જેથી લોકમાં પણ સંભળાય છે કેકૌશિક તાપસ સત્યથી નરકમાં ગયો . ૬૧ || ટીકાર્થ : લોકવ્યવહારથી સત્ય દેખાવા છતાં પરમાર્થથી વિચાર કરીએ તો તે પરપીડા કરનાર હોવાથી તે વચન અસત્ય જ છે, તેવા વચનો ન બોલવા જોઈએ. તેવું વચન બોલવાથી નરકગમન થાય છે. લોકમાં અને બીજામતના શાસ્ત્રોમાં પણ તે વાત સંભળાય છે કે, બીજાને પીડા કરનાર સત્ય વચન બોલવાથી કૌશિક નરકમાં ગયો. કૌશિકની વાત સંપ્રદાયથી આ પ્રમાણે સમજવી– સત્ય એ જ ધનવાળો કૌશિક નામનો કોઈક તાપસ ગામના સંબંધનો ત્યાગ કરી ગંગા નદી પાસે રહેવા ગયો. કંદમૂળાદિનો આહાર કરનારા મમત્વ-રહિત પરિગ્રહ વગરના એવા તેણે સત્યવાદી તરીકે ઘણી નામના મેળવી. એક વખત ગામ લૂંટીને તે તાપસ દેખે તેવી રીતે તે ચોરો દરમાં જેમ સર્પ તેમ આશ્રમ નજીકમાં વનની ઝાડીમાં ભરાઈ ગયા. ચોરોના પગલાંના અનુસારે ગામલોકોએ તાપસને પૂછ્યું કે, “તમે સત્યવાદી છો, કહો કે ચોરો ક્યાં ગયા ?' ધર્મતત્ત્વના મર્મને ન જાણનારા કૌશિકે કહ્યું કે, “આ ગાઢ ઝાડીની અંદર ચોરોએ પ્રવેશ કર્યો છે. તેના કહેવાથી હાથમાં હથિયારોથી સજ્જ બની ગામલોકોએ વનમાં પ્રવેશ કરી શિકારીઓ જેમ મૃગલાને તેમ ચોરોને મારી નાખ્યા. બીજાને પીડા કરનાર' એવું સત્યવચન બોલનાર પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને કૌશિક તાપસ પ્રગટ નારકીમાં ગયો. || ૬૧ || અલ્પ પણ અસત્ય બોલવાનો પ્રતિષેધ કરીને મહાઅસત્ય બોલનારા માટે ખેદ કરે છે– ११८ अल्पादपि मृषावादाद् रौरवादिषु संभवः । अन्यथा वदतां जैनी, वाचं त्वहह का गतिः ॥ ६२ ॥ અર્થ : અલ્પ મૃષાવાદથી પણ રૌરવ આદિ નરકોમાં જીવની ઉત્પત્તિ થાય છે, તો પછી ખેદની વાત છે કે શ્રી જિનરાજની વાણીને વિપરીતપણે કહેનારાં નિહનવ આદિ પુરુષોની કઈ ગતિ થાય ? | ૬૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ટીકાર્થ : આ લોકના અલ્પ લાભ કરનાર થોડા અસત્યથી રૌરવ, મહારૌરવ વગેરે નારકીમાં ઉત્પન્ન થાય છે. રૌરવ એ નારકી અર્થમાં લોકોમાં પ્રચલિત છે, નહિંતર સર્વ નરકમાં એમ કહે. તે જિનેશ્વરની વાણીને વિપરીત અર્થમાં કહેનાર અને અસત્ય કથન કરનાર કુતીર્થિકો તથા સ્વમતમાં નિલવો વગેરેની શી ગતિ થશે ! નરક કરતાં પણ અધિક અધમ ગતિ પામશે. તેઓને રોકવા અશક્ય છે માટે ખરેખર તેઓ શોક અને ખેદ કરવા લાયક છે. કહેવું છે કે - અહાહા ! બીજાં અન્ય સર્વ પાપો કરતાં પ્રભુમાર્ગથી થોડું પણ વિપરીત બોલવું કે પ્રરૂપણા કરવી-એ મહા ભયંકર છે. મરીચિના ભવમાં ઉપાર્જન કરેલા અવશેષમાત્ર પાપના યોગે દેવોથી જેના ગુણોની પ્રશંસા થએલી હોવા છતાં, ત્રણે ભુવનમાં અજોડ મલ્લ સરખા તીર્થકર હોવા છતાં પણ ત્રણ જગતના પ્રભુ ! તમે અનેક વખત ગોવાળીયા આદિકથી કદર્થના પામ્યા !” સ્ત્રી, ગાય, બ્રાહ્મણ અને ગર્ભના જીવોની હત્યા કરનાર દૃઢપ્રહારી સરખા કેટલાક ઘણા પાપ કરવા છતાં તે ભવમાં સિદ્ધિ પામ્યા છે, તે વાત પ્રસિદ્ધ છે || ૬૨ | અસત્યવાદીઓને નિંદીને સત્યવાદીઓની સ્તુતિ કરે છે– ११९ ज्ञानचारित्रयोर्मूलं, सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते, तेषां चरणरेणुभिः ॥ ६३ ॥ અર્થ : જે પુરૂષો જ્ઞાન અને ચારિત્રના મૂળ હેતુ સમાન સત્ય વચનને જ બોલે છે. તે ઉત્તમ પુરુષોના ચરણની રેણુથી – ધૂળથી પૃથ્વી પણ પવિત્ર થાય છે || ૬૩ | ટીકાર્થ : જ્ઞાન અને ચારિત્ર બંનેના મૂલકારણ સ્વરૂપ સત્ય જ જેઓ બોલે છે. તેઓના ચરણની રજથી આ પૃથ્વી પવિત્ર થાય છે. જ્ઞાન અને ચારિત્ર એટલા માટે કહ્યું કે ના વિકરિયામોડ્યાં (વિ.ભા.૩) એ ભગવાન્ ભાષ્યકારના વચનનો અનુવાદ કરવા માટે જ્ઞાન ગ્રહણ કરવાથી દર્શન પણ આવી જાય. દર્શન વગરનું જ્ઞાન એ અજ્ઞાન ગણેલું છે. મિથ્યાષ્ટિ જીવો સદ્ અસદ્ પદાર્થોવિપરીત જાણે છે. તેનું જ્ઞાન ભવતારણવાળું અને સ્વચ્છંદપણે અર્થકથન કરનાર નિરપેક્ષતાવાળું હોવાથી તેમને જ્ઞાનનું ફળ થતું નથી. કહેવુ છે કે સાચા અને ખોટામાં તફાવત ન હોવાથી ભવના કારણભૂત, પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ કરતા હોવાથી, શાસ્ત્રની પરાધીનતા કે સાપેક્ષતા ન હોવાથી, જ્ઞાનના ફળ-સ્વરૂપ વિરતિનો અભાવ હોવાથી, મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપે માનેલું છે.” || ૬૩ છે. સત્યવાદીઓનો આ લોકમાં પણ પ્રભાવ બતાવે છે. १२० अलीकं ये न भाषन्ते, सत्यव्रतमहाधनाः । नापरार्धमलं तेभ्यो-भूतप्रेतोरगादयः ॥ ६४ ॥ અર્થ : સત્યવ્રત રૂપ મહાધનવાન એવા જ પુરૂષો અસત્ય નથી બોલતા, તેઓને ભૂત-પ્રેત, સાપ આદિ કોઈ પણ પ્રાણી ઉપસર્ગ કરવા શક્તિશાળી બનતા નથી. / ૬૪ || ટીકાર્થ: ભૂત, પ્રેત વ્યંતર, કુટુંબીઓ જેઓ પોતાના સંબંધીઓને હેરાન-પરેશાન કરે છે, ઉપલક્ષણથી સર્પો, વાઘો વગેરે પણ સમજવા. પરંતુ સત્યવ્રત રૂપી મહાજનવાળા જેઓ અસત્ય બોલતા નથી, તેમને હેરાન કરવા ભૂતાદિક સમર્થ થઈ શક્તા નથી, આને લગતા બીજા શ્લોકો પણ કહે છે– બીજા વ્રતો અહિંસા-જળનું રક્ષણ કરનાર તળાવની પાળ સરખા છે. સત્યવ્રતના ભંગ થવા યોગે પાળ તૂટી જાય તો તે અહિંસા-જળ રક્ષણ વગરનું બની વિનાશ પામે. સર્વ જીવોને ઉપકારક એવું સત્ય Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૬૩-૬૬ ૧૩૩ 44 ❖❖❖❖❖❖❖ જ ડાહ્યા પુરૂષે બોલવું, અથવા સર્વ અર્થને સાધી આપનારુ એવું મૌનપણાનું આલંબન કરી રહેવું. કોઈ પૂછે તો પણ વૈરના કારણભૂત, કોઈની ગુપ્ત વાત પ્રગટ કરનાર, કઠોર, શંકા ઉત્પન્ન કરનાર કે શંકાસ્પદ, હિંસા કરાવનારું કે ચાડી કરનારું એવું વચન ન બોલવું, પરંતુ ધર્મનો નાશ થતો હોય, ક્રિયાનો લોપ, સાચા સિદ્ધાંતનો અર્થ માર્યો જતો હોય, તો શક્તિવાળાઓએ તેના નિષેધ માટે વગર પૂછ્યું પણ બોલવું'' ચાર્વાક-નાસ્તિકો કૌલિકો, વિપ્રો, બૌદ્ધો, પાંચરાત્રિકો વગેરેએ અસત્યથી આક્રમણ કરી જગતને વિડંબના પમાડ્યું છે, ખરેખર, તેઓના મુખમાંથી જે વાણી બહાર નીકળે છે, તે નગરની ખાળ (ગટર)ના પ્રવાહ સરખી કાદવ-મિશ્રિત દુર્ગંધ જળની ઉપમાવાળી છે. દાવાનળમાં બળીને સળગી ગયેલું વૃક્ષ ફરી ઘટાવાળું લીલુંછમ તૈયાર બની જાય છે, પરંતુ દુર્વચન-અગ્નિથી બળેલો લોક સાચો ધર્મ માર્ગ પામી પલ્લવિત થતો નથી. ચંદન, ચંદ્રિકા, ચંદ્રકાન્તમણિ, મોતીની માળાઓ તેટલો આહ્લાદ આપતી નથી, જેટલો આહ્લાદ મનુષ્યોની સાચી વાણી આપે છે. શીખવાળો, મુંડમસ્તકવાળો, જટાવાળો, નગ્ન કે વસ્ત્ર ધારણ કરનાર તપસ્વી એવો પણ જો અસત્ય બોલે, તો તે અસ્પૃશ્ય અંત્યજ કરતાં પણ નિંદનીય છે. ત્રાજવાના એક પલ્લામાં અસત્ય વચનથી ઉત્પન્ન થયેલું પાપ અને બીજા પલ્લામાં બાકીનું સર્વ પાપ તોલ કરવામાં આવે, તો પ્રથમનું પલ્લું વજનદાર થશે. પરદારગમન, ચોરી બે પાપો છોડવા માટેનાં પ્રતિવિધાનો કોઈક મળશે, પરંતુ અસત્ય વચન બોલનાર પુરૂષોનો પ્રતિકાર કરનાર ઉપાય નથી. દેવો પણ જેમનો પક્ષપાત કરે છે, રાજાઓ પણ જેની આજ્ઞા ઉઠાવે છે, અગ્નિ આદિક ઉપદ્રવો પણ જેનાથી શાન્ત બની જાય છે– આ સર્વ સત્ય વાણીનું જ ફળ સમજવું. આ પ્રમાણે બીજું વ્રત પૂર્ણ થયું ॥ ૬૪ ॥ હવે ત્રીજું અસ્તેયવ્રત કહેવાય છે. તેમાં પણ ફળ બતાવ્યા વગર મનુષ્ય ચોરીથી અટકતો નથી. માટે ફળ બતાવવા પૂર્વક ચોરીની નિવૃત્તિ કહે છે— १२१ दौर्भाग्यं प्रेष्यता दास्य- मङ्गच्छेदं दरिद्रताम् 1 ગત્તાત્તાં જ્ઞાત્વા, સ્થૂલસ્તેયં વિવર્નયેત્ ॥ ૬પ ॥ અર્થ : દુર્ભાગ્ય, નોકરપણું, દાસપણું, અંગછેદ અને દરિદ્રતાને અદત્તાદાનનું ફળ જાણીને સ્થૂલથી અદત્તનો ત્યાગ કરવો || ૬૫ || ટીકાર્થ : દૌર્ભાગ્ય-બીજાને ઉદ્વેગ પમાડનાર, પારકાને ત્યાં નોકર બની તેનાં કામ કરવાં, ડામ આપી ગુલામ બનાવે, શરીરની પરાધીનતા, અંગના અવયવોના છેદ, હાથ પગ આદિનો છેદ, નિર્ધનતા, વગેરે અને પરલોકમાં વગર આપેલી વસ્તુ ગ્રહણ કરવા રૂપ અદત્તાદાનનાં ફળો શાસ્રથી અને ગુરૂના મુખથી જાણીને મોટી ચોરી કરવા રૂપ અને ‘ચોર’ એવા શબ્દથી વ્યવહાર થાય તેવાં કાર્યો શ્રાવક ત્યાગ કરે. || ૬૫ || તેને જે વિસ્તારથી કહે છે— १२२ पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । અવૃત્ત નાવરીત સ્વ, પાળીયચક્ષુધી: ॥ ૬૬ ॥ અર્થ : ભૂમિ પર પડેલું, ભૂલાયેલું, ખોવાયેલું, કોઈ સ્થાનમાં રાખેલું, થાપણનું અને જમીનમાં દાટેલું, બીજાનું ધન જો માલિક આપે નહિ તો બુદ્ધિશાળી પુરુષે ક્યારેય ગ્રહણ ન કરવું. ॥ ૬૬ ॥ ટીકાર્થ : વાહન જતું હોય તેમાંથી પડી ગયેલું, માલિકે મૂક્યું હોય, પણ તે ભૂલી ગયા હોય, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ખોવાઈ ગયું હોય અને માલિકને તેની ખબર ન હોય, અનામત-થાપણ સાચવવા મૂકી હોય, જમીનમાં દાટેલું હોય, આ વગેરે પારકી માલિકીની ચીજવસ્તુઓ વગેરે આપેલી ગ્રહણ કરવી, તે રૂપ ચોરી બુદ્ધિશાળી ગમે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આપત્તિવાળા હોય તો પણ ન કરે. | ૬૬ || હવે ચોરી કરનારની નિંદા કરે છે– १२३ अयं लोकः परलोको-धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं, मुषितं सर्वमप्यदः ॥६७ ॥ અર્થ: પારકા ધનની ચોરી કરનારો આ લોક, પરલોક, ધર્મ, ધૈર્ય, સ્વસ્થતા અને બુદ્ધિ આ સર્વ વસ્તુને ગુમાવે છે. ૬૭ || ટીકાર્થ : પારકા ધનની ચોરી કરનારે પોતાનું સર્વ ગુમાવ્યું, કેવી રીતે ? પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલ આ લોકનો જન્મ જન્માંતરમાં પુણ્ય, ધૈર્ય, આપત્તિમાં સહનશીલતા, સ્વસ્થતા, કાર્યાકાર્યનો વિવેક આ રૂપ ભાવધન ગુમાવ્યું. / ૬૭ || હિંસા કરનાર કરતાં પણ ચોરી કરનારના ઘણા દોષો કહે છે– १२४ एकस्यैकं क्षणं दुःखं मार्यमाणस्य जायते । સપુત્રપૌત્રી પુન-વક્નીવ હૃતે ને ૫ ૬૮ છે અર્થ : જે એક જીવને મારવામાં આવે છે, તેને તો એક ક્ષણનું જ દુઃખ થાય છે, પરંતુ જેનું ધન લૂંટવામાં આવે છે, તેના પુત્ર-પૌત્રાદિ સઘળા કુટુંબોને દુઃખ થાય છે. | ૬૮ || ટીકાર્થ : જેની હિંસા કરવામાં આવે છે, તેને બહુ લાંબો કાળ નહિ, પણ એક ક્ષણનું દુઃખ થાય છે, પરંતુ જેનું ધન હરણ કરવામાં આવે છે, તેને તેના પુત્રો, પૌત્રો અને આખા કુટુંબને જિંદગી સુધી તે દુ:ખનો ઘા રૂઝતો નથી. તે ૬૮ || ચોરીના ફળને વિસ્તારથી કહે છે– १२५ चौर्यपापद्रुमस्येह, वधबन्धादिकं फलम् । जायते परलोके तु, फलं नरकवेदना ॥६९ ॥ અર્થ ઃ ચોરી રૂપ પાપવૃક્ષનું આ લોકમાં ફળ વધ-બંધ આદિ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં નરકની વેદના રૂપ ફળ પ્રાપ્ત થાય છે. તે ૬૯ // ટીકાર્થ : ચોરી રૂ૫ પાપવૃક્ષનું ફળ આ લોકમાં વધ, બન્ધનાદિક છે અને આવતા જન્મમાં નરકમાં વેદનારૂપ ફળ મળે છે. તે ૬૯ છે. હવે કદાચિત ભાગ્યયોગે કે રાજા આદિકના પ્રમાદથી ન પકડાય, તો પણ મનમાં પકડાઈ જવાની બીક, અસ્વસ્થતા, અપકીર્તિ આદિ આ લોકના માઠાં ફળ બતાવે છે– १२६ दिवसे वा रजन्यां वा, स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौर्येण, नैति स्वास्थ्यं नरः क्वचित् ॥ ७० ॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, ગ્લો.૬૭-૭૨ ૧૩૫ અર્થ : ચોર ચોરીના યોગે શલ્યવાળા પુરુષની જેમ દિવસે કે રાત્રિમાં અને સ્વપ્નમાં કે જાગૃત. અવસ્થામાં ક્યાંય શાંતિ પામતો નથી || ૭૦ || ટીકાર્ય : ચોર રાતે કે દિવસે, સ્વપ્નમાં કે જાગતામાં પણ શલ્યવાળા માફક ક્યાંય પણ ચોરીના કારણે શાંતિ અનુભવી શકતો નથી. જે ૭૦ / ચોરી કરનારને એકલી શાંતિ જ નહીં પરંતુ બંધુવર્ગ પણ તેનો ત્યાગ કરે છે– १२७ मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि । संसजन्ति क्षणमपि, न म्लेच्छैरिव तस्करैः ॥ ७१ ॥ અર્થઃ મિત્ર, પુરુષ, સ્ત્રી, ભાઈઓ અને પિતા ચોરોની સાથે સ્વેચ્છની માફક એક ક્ષણ પણ સંબંધ કરતો નથી. | ૭૧ || ટીકાર્ય મિત્રો, પુત્ર, પત્નીઓ ભાઈઓ, પિતા, કાકા વગેરે સગા વ્હાલાઓ પણ મ્લેચ્છોના સંસર્ગ માફક ક્ષણવાર પણ તેના સંસર્ગને કરતા નથી. કહ્યું છે કે, બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી, ગુરૂપત્ની સાથે સંભોગ અને આવા પાપકર્મ કરનારા સાથે સંસર્ગ કરવો-આ પાંચ મહાપાપો કહેલાં છે અથવા રાજદંડના ભયથી કહેવું છે કે – “ચોરી કરનાર અને કરાવનાર, સલાહ આપનાર, રહસ્ય જાણનાર, ચોરીનો માલ ખરીદ કરનાર, કરાવનાર, સ્થાન આપનાર, ભોજન આપનાર આમ સાત પ્રકારના ચોર કહેલા છે. ચોરી કરવામાં પ્રવર્તમાના દોષો અને નિવૃત્ત થયેલાના ગુણો, દરેકના દૃષ્ટાંતથી સમજાવે છે– || ૭૧ | १२८ संबन्ध्यपि निगृह्येत, चौर्यान्मण्डिकवन्नृपैः । चौरोऽपि त्यक्तचौर्यं स्यात् स्वर्गभाग् रौहिणेयवत् ॥ ७२ ॥ અર્થ : ચોરી કરવાથી સંબધી પણ મંડિકકુમારની જેમ રાજા વડે પકડાય છે તથા ચોરને પણ ચોરીનો ત્યાગ કરે તો રૌહિણીયા ચોરની જેમ સ્વર્ગને પામે છે. / ૭૨ // ટીકાર્થ : ચોરી કરવાથી સંબંધી હોય તો પણ રાજા વડે મંડિક માફક પકડાય છે અને ચોર છતાં ચોરીનો ત્યાગ કરનાર રોહિણીયાની માફક સ્વર્ગસુખ ભોગવનાર થાય છે. બંનેના સંપ્રદાયથી આવેલા દૃષ્ટાંતો આ પ્રમાણે જાણવાં – મૂલદેવ અને મંડિક ચોરની કથા : સમુદ્રના જળ માફક જેનો મધ્ય પ્રદેશ જાણી શકાતો નથી, એવું ગૌડદેશમાં પાટલિપુત્ર નામનું પત્તન હતું. ત્યાં અનેક કલાઓના આશ્રયસ્થાન, સાહસિક બુદ્ધિના મૂલ, સમાન, મૂલદેવ નામનો રાજપુત્ર હતો. ધૂર્તવિદ્યા-શિરોમણિ, કૃપણો અને અનાથોનો બંધુ, કૂટ ચેષ્ટા કરનારમાં કૃષ્ણ સરખો, રૂપ અને લાવણ્યમાં કામદેવ સમાને, તે ચોર સાથે ચોર, સાધુ સાથે સાધુ, વાકો સાથે વાંકો, સરળ સાથે સરળ, ગામડીયા સાથે ગામડીયો, ચતુર સાથે ચતુર, જાર સાથે જાર, ભટ સાથે ભટ, જુગારી સાથે જુગારી, વાતોડીયા સાથે વાતોડીયો, સ્ફટિકરત્ન માફક તરત જ બીજાના સ્વરૂપને પકડી લેતો હતો. ત્યાં આગળ આશ્ચર્યકારી કુતૂહલોથી લોકને વિસ્મય પમાડતો તે મહાબુદ્ધિશાળી વિદ્યાધરની માફક ઈચ્છા પ્રમાણે ફરતો હતો. જુગાર રમવાના વ્યસનના આસક્તિદોષથી પિતાથી અપમાન પામેલો તે દેવતાઈ નગરની શોભા જિતનારી ઉજ્જયિની નગરીમાં ગયો. ગુટિકાના પ્રયોગથી તે કૂબડો અને વામન બનીને નગર-લોકોને આશ્ચર્ય પમાડતો કલાઓથી ત્યાં તે ખ્યાતિ પામ્યો. તે નગરીમાં રૂપ, લાવણ્ય અને કલા-વિજ્ઞાનની કુશળતા વડે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ રતિને શરમાવનારી દેવદત્તા નામની ઉત્તમ ગણિકા હતી. કળા વાળાઓના જે ગુણ હોય, તેમાં તે નિષ્ણાત બની હતી. ચતુર એવી તેને રંજન કરનાર બીજો સમોવડીયો કોઈ પણ નહોતો તેથી કરી તેના ઘર પાસે મૂળદેવે તેને ક્ષોભ પમાડવા માટે પ્રાતઃકાળમાં સાક્ષાત્ દેવ-ગાંધર્વ તુંબરૂ માફક તેણે ગાવાનું શરૂ કર્યું. દેવદત્તાએ પણ સાંભળીને “આ મધુર સ્વર કોનો છે ?' એમ વિસ્મય પામીને બહાર તપાસ કરાવી. બહાર તપાસ કરીને આવેલી દાસીએ કહ્યું કે હે દેવી દેખાવમાં વામન પણ પૂર્ણ ગુણવાળો હોવાથી, આ વામન એવો કોઈક ગાયન ગાય છે ત્યાર પછી દેવદત્તાએ માધવી નામની કૂબડી દાસીને બોલાવવા માટે મોકલી, “ઘણે ભાગે વેશ્યાઓ કલાપ્રિય હોય છે' તેણે તેની પાસે જઈને કહ્યું કે, હે ભાગ્યશાળી કલાભંડાર ! મારી સ્વામીની તમને ગૌરવથી બોલાવે છે. મૂલદેવ તેને કહ્યું , કે કુન્શિકા ! હું નહિ આવીશ, કુટ્ટિનીને આધીન એવા વૈશ્યાના ઘરમાં સ્વાધીનતાવાળો કોણ પ્રવેશ કરે ? પાછી ફરતી તે દાસીને વિનોદ કરવાની ઈચ્છાથી કલા-કૌશલના યોગથી નીચે અફાળીને કમળના નાળ માફક તે કૂબડીને સારી સાધી બનાવી. નવીન શરીર મેળવીને આનંદ પામેલી તે દાસીએ દેવદત્તા પાસે પહોંચીને તેની ચેષ્ટા જણાવી. દેવે આપેલા વરદાન વડે જેમ તેના વડે પણ તે કૂબડી દાસીને સારી બનાવેલી દેખીને દેવદત્તા અત્યંત આશ્ચર્ય પામી. ત્યાર પછી દેવદત્તાએ કહ્યું કે, આવા ઉપકારીને તારી આંગળી છેદીને પણ તે ચતુરને લાવ. ત્યાર પછી સારી રીતે પ્રાર્થના કરીને મધુર અને ચતુર પુરૂષોચિત્ત મધુર વચનોથી પ્રાર્થના કરીને દાસીએ તે ધૂર્તરાજને વેશ્યાના ઘર તરફ ચલાવ્યો. તેણે બતાવેલ માર્ગે પ્રવેશ કરાવ્યો અને ત્યાર પછી રાધાને ત્યાં જેમ માધવ તેમ દેવદત્તાના સ્થાનમાં તેને બેસાડ્યો. કાન્તિ અને લાવણ્યથી શોભાયમાન તે વામનને દેખીને તેને ગુપ્ત દેવતા સરખા માનતી તેણે આસન પર બેસાડ્યો. ત્યાર પછી માંહોમાંહે તુલ્ય ચતુરાઈવાળા બંનેના હૃદયની એકતા સ્વરૂપ વાતચીતોવાળી સુંદર ગોષ્ઠી પ્રવર્તી. હવે ત્યાં આગળ પ્રવીણ બુદ્ધિવાળો એક વીણા વગાડનાર આવ્યો, એટલે દેવદત્તાએ તેની પાસે અતિકૌતુકથી વીણા વગડાવી. પ્રગટ ગ્રામ અને શ્રુતિ-સ્વરવાળી વીણા તે વગાડતો હતો, ત્યારે દેવદત્તા પણ મસ્તક ધૂણાવતી તેની પ્રશંસા કરવા લાગી. લગાર હાસ્ય કરતા મૂલદેવે પણ કહ્યું કે, ઉજ્જયિનીના લોકો ખરેખર બહુનિપુણ અને ગુણ-અવગુણના તફાવતને સમજનાર છે ! શંકાવાળી તેણે કહ્યું કે, શું આમાં કઈ ખામી છે ? “ચતુરોની ચતુર પ્રશંસામાં ઉપહાસની શંકા પ્રગટે છે.” તેણે કહ્યું કે, તમારા સરખાને શું ખામી છે, એમ કહેવું તે નવાઈની વાત છે. પરંતુ આ વીણા ગર્ભવાળી અને વળી વાંસ પણ શલ્યવાળો છે. કેવી રીતે જાણ્યું ? એમ પૂછાએલા તેણે વણા ગ્રહણ કરીને વાંસમાંથી પત્થરનો ટુકડો ખેંચીને કેશ બતાવ્યો. તે વીણાને બરાબર સરખી તૈયાર કરીને શ્રોતાના કાનમાં અમૃતના છાંટણા ફેંકતો હોય તેમ પોતે, વગાડવા લાગ્યો. ત્યારે દેવદત્તાએ તેને કહ્યું, “હે કલાનિધિ ! તમો સામાન્ય નથી, નરરૂપ પામેલા તમો સાક્ષાત સરસ્વતી છો’ વીણાવાળો તેના પગમાં પડીને કહેવા લાગ્યો, હું સ્વામિ ! હું આપની પાસે વીણા વગાડવાનું શિખીશ, માટે મારા પર કૃપા કરો. મૂલદેવે કહ્યું, હું બરાબર જાણતો નથી, પરંતુ જેઓ સારી રીતે વીણાવાદન જાણે છે, તેમને જાણું છું ત્યારે દેવદત્તાએ તેને પૂછ્યું કે, “તેઓનું નામ શું છે ? અને ક્યાં રહે છે ?” તેણે કહ્યું. પૂર્વમાં પાટિલપુત્ર પત્તન છે. તેમાં મહાગુણવાળા વિક્રમસેન નામના કલાચાર્ય છે. હંમેશા તેમની પાસે રહેનારો મૂળદેવ નામનો તેમનો સેવક છું. આ સમયે વિશ્વભૂતિ નામના નાટ્યાચાર્ય આવ્યા ત્યારે દેવદત્તાએ તેને કહ્યું કે, સાક્ષાત આ ભરત જ છે. મૂલદેવે પણ કહ્યું. બરાબર આ એવા જ હશે. તમારા સરખીને તેણે કળાઓ ભણાવી જણાય છે. ત્યાર પછી વિશ્વભૂતિએ ભરત-નાટ્ય વિષયક વાતો ચલાવી ત્યારે તેને તે ઘમંડી જણાયો. માત્ર બાહ્ય અર્થ જાણનારા તેવા જ પ્રકારના હોય છે. મૂલદેવે આ ‘પોતાને પોતે વિદ્વાન માને છે, પરંતુ તાંબા ઉપર સુવર્ણરસ ઢોળ્યો હોય, તેના સરખા તેને હું Page #188 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ ૧૩૭ **** અંદરના દર્શન કરાવું. સ્વચ્છંદપણે વાચાતુરી કરતાં ભરત સંબંધી તેના વ્યાખ્યાનમાં પૂર્વાપરના દોષો ગ્રહણ કર્યાં. ત્યાર પછી વિશ્વભૂતિ કોપથી વગર સંબંધનું બોલવા લાગ્યો. 'ચતુર કે પંડિતો વડે પૂછાએલા ઉપાધ્યાયો ક્રોધથી પોતાની અજ્ઞાનતા છુપાવે છે.’ ‘નાટ્ય વિષયમાં તમે સ્ત્રીઓનાં નાટ્યાચાર્ય છો, પણ બીજે નહિ' એ પ્રમાણે મૂલદેવે હાસ્ય કર્યું, એટલે તે મૌન થઈ ગયો. વિકસિત નેત્રવાળી દેવદત્તા પણ હર્ષથી વામન તરફ નજર કરતી ઉપાધ્યાયજીના પરાભવને દૂર કરવા માટે બોલી કે, હાલ તો તમો થોડા સમયમાં જવાની ઈચ્છાવાળા છો, તો આ પ્રશ્નના વિષયમાં શાંતિથી વિચાર કરીને આ વિજ્ઞાનશાલી પુરૂષને જવાબ આપજો એટલે તેણે કહ્યું, ‘હે દેવદત્તા ! નાટક ભજવવાનો સમય થયો છે, એટલે અત્યારે અમો જઈએ છીએ અને તું પણ તૈયાર થા' એમ કહીને વિશ્વભૂતિ ગયો. દેવદત્તાએ દાસીને આજ્ઞા કરી કે, ‘અમને બંનેને સ્નાન કરવા માટે સારી રીતે કળાપૂર્વક અંગ-મર્દન કરનાર કોઈકને બોલાવી લાવ.' ત્યારે આ ધૂર્તરાજે કહ્યું, હે સુંદર નેત્રવાળી ! અંગમર્દકને ન બોલાવો, જો હું અનુમતિ આપે તો તારું મર્દન હું કરીશ. શું આ પણ તમે જાણો છો ? ત્યારે તેણે કહ્યું, હું જાણતો નથી, પણ તેના જાણનાર પાસે રહેલો છું. દેવદત્તાની આજ્ઞાથી પકાવેલાં તેલો આવી ગયાં, એટલે માયાવી વામને અભંગ કરવાનું કાર્ય શરૂ કર્યું. કોમળ, મધ્યમ એને સખત સ્થાનને યોગ્ય હાથથી મસળતા મૂળદેવે તેના અંગમાં એવી રીતે મર્દન કર્યું. જેથી અપૂર્વ સુખનો અનુભવ થયો. આણે સર્વ વિષયમાં કળાની ચતુરાઈ મેળવી છે, આટલી કળા બીજા કોઈનામાં ન હોઈ શકે, આ સામાન્ય માનવી જણાતો નથી. તેની કળાથી પ્રભાવિત થયેલ દેવદત્તા પગમાં પડીને કહેવા લાગી કે, ગુણો વડે તમે કોઈ ઉત્તમ પુરૂષ છો-એમ ખાત્રી થઈ છે, પરંતુ કપટ કરીને વંચક તરીકે આત્માને કેમ છૂપાવો છો ? કૃપા કરો અને આત્માને પ્રગટ કરીને દર્શન આપો, વારંવાર મૂંઝવણમાં કેમ નાંખો છો ? દેવતાઓ પણ ભક્તવર્ગના આગ્રહથી સાક્ષાત્ થઈ દર્શન આપે છે. મુખમાંથી ગુટિકા બહાર કાઢીને રૂપ બદલીને તેણે તે જ ક્ષણે નટ માફક પોતાનું રૂપ પ્રગટ કર્યું. કામદેવ સરખા લાવણ્ય-પૂર્ણ સુંદર અંગવાળા અને દેખીને વિસ્મય પામેલી તેણે કહ્યું કે, મારા ઉપર સુંદર કૃપા કરી. સ્નાન કરવા યોગ્ય વસ્ત્ર તેને આપીને અનુરાગવાળી દેવદત્તાએ પ્રીતિપૂર્વક પોતાના હાથે તેનું અભંગ કર્યું. પિષ્ટાતક-સુગંધી પદાર્થથી મસ્તક ચોળવા પૂર્વક નવશેકા પાણીની ધારા વડે બંનેએ સ્નાન કર્યું. દેવદત્તાએ આપેલા બે રેશમી વસ્ત્રો તેણે પહેર્યાં અને બંનેએ સુગંધીયુક્ત સ્વાદિષ્ટ ભોજન સાથે કર્યું. મિત્ર બનેલા તેઓનો એકાંતમાં કલાનાં રહસ્યોની માંહોમાંહે કથા કરવામાં સુખમય સમય પસાર થયો. ત્યાર પછી તે કહેવા લાગી ‘કે, હે નાથ ! લોકોત્તર ગુણો વડે તમે મારું હૃદય હરણ કર્યું છે, તો પણ હું આપની પાસે પ્રાર્થના કરું છું કે, હે સુંદર ! જેવી રીતે આપે મારા હૃદયમાં સ્થાન કર્યું છે, તેવી રીતે હંમેશા આ ઘરે પધારવાની પણ કૃપા કરવી' મૂલદેવે પણ તેને કહ્યું કે, ‘નિર્ધન વિદેશી અમારા સરખા પર તમારે આ પ્રમાણે મમત્વભાવ કરવો યોગ્ય નથી. વળી વૈશ્યાઓને જો ગુણોના પક્ષપાતના કારણે નિર્ધન ઉપર અનુરાગ થાય, તો કમાણી વગર તમારું આખું કુટુંબ સીદાય,' દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યો કે, કેસરી જેવા તમારા સરખાને પરદેશ જેવું શું ? ‘ગુણી જનોને સર્વ સ્વદેશ છે' જે મૂર્ખાઓ ધનથી અમને ઈચ્છે છે, તેઓ અમારા માટે બહાર છે. માટે હે ગુણમંદિર ! તમારા વગર મારા અંતરમાં કોઈ પ્રવેશ મેળવી શકે નહિ. હે સોભાગી ! સર્વથા તમારે આ મારું વચન સ્વીકારવું' એ પ્રમાણે મૂલદેવને વિનંતી કરતાં તેણે પણ વચનથી સ્વીકાર કર્યો. ત્યાર પછી સ્નેહપૂર્વક વિવિધ વિનોદ વડે તેઓ ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે રાજદ્વારપાળે આવીને કહ્યું કે, ચાલો હવે નૃત્ય કરવાનો સમય થઈ ગયો છે. મૂલદેવને છૂપાવેષમાં રાજસભામાં સાથે લઈ રાજા પાસે રંભા માફક હાવ-ભાવ વગેરે વડે ઉજ્જવલ કરણવાળું નૃત્ય Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શરૂ કર્યું. ઈન્દ્રના દુંદુભિ વગાડનાર જેવા તેના ધ્વનિનો વિસ્તાર કરવામાં ચતુર મૂલદેવે પણ નિપુણતાથી દુંદુભિ વગાડી રાજા તેના શાસ્ત્રીય હાવ-ભાવવાળા કરણયુક્ત નૃત્યથી પ્રભાવિત થયો એટલે પ્રસાદ માંગવા કહ્યું. ત્યારે તેને થાપણ તરીકે અનામત રખાવ્યું. પછી ભૂલદેવ સાથે સંગીત અને નૃત્ય કર્યું. તુષ્ટ થયેલા રાજાએ તેને પણ પહેરેલ આભુષણ આપ્યું. પાટલિપુત્રના રાજાના દ્વારપાળ વિમલસિંહે ખુશ થઈને રાજાને એમ કહ્યું કે, પાટલિપુત્રમાં બુદ્ધિશાળી મૂલદેવનો આ કલાપ્રકર્ષ છે, અથવા તેની પાસેથી ચોરેલ જા કોઈનો પણ નથી આને મૂલદેવ પછી કળાવાળાઓમાં પ્રથમ પ્રમાણપત્ર આપવું અને નર્તન કરનારીઓમાં આને પ્રમાણપત્રની પતાકા આપવી. ત્યાર પછી તે પ્રમાણે રાજા આપવા લાગ્યા ત્યારે દેવદત્તાએ કહ્યું “આ મારા ગુરૂ છે, તેથી તેની અનુજ્ઞાથી સ્વીકારીશ” રાજાએ પણ તેને કહ્યું કે, મહાભાગ્યશાળી ! તું તેને રજા આપ, ધૂર્ત પણ કહ્યું કે, દેવ જે આજ્ઞા કરે, તેમ કર. આ સમયે જાણે બીજો દેવગાંધર્વ હોય તેવી રીતે સર્વના મનને હરણ કરતાં ધૂર્તરાજે સ્વયં વીણા વગાડી. ત્યાર પછી વિમલસિંહે કહ્યું. “હે દેવ ! નક્કી આ છુપાવેલા રૂપવાલા મૂલદેવ જ છે, આવી કળા બીજામાં ન સંભવે. વિજ્ઞાનના અતિશયવાળા આ પ્રકર્ષને મૂલદેવ સિવાય બીજો કોઈ પામી શકે તેમ નથી માટે હે દેવ ! સર્વથા આ તેજ છે' રાજાએ કહ્યું. જો એમ છે, તો તું પ્રગટ થા, રત્ન જેવા મૂલદેવનાં દર્શન કરવા હું ઘણો આતુર છું. મૂલદેવે પણ મુખમાંથી ગુટિકા બહાર કાઢી એટલે તે જ વખતે મેઘમાંથી બહાર નીકળેલા ચંદ્ર માફક ક્રાંતિવાળો પ્રગટ થયો. હવે બરાબર તું કળાવાળો છે એમ જણાયું એમ બોલતા વિમલસિંહે ધૂર્તસિંહને આલિંગન કર્યું. પછી ભૂલદેવે પણ રાજાના ચરણ કમળમાં પડ્યો. રાજાએ પણ તેને પ્રસાદ આપવાપૂર્વક ગૌરવથી પૂજ્યો. એ પ્રમાણે તેના પર અનુરાગવાળી દેવદત્તા પણ પુરુરવા સાથે ઉવર્શીની ની સાથે વિષય-સુખ અનભવવા લાગી. હવે મલદેવ પણ ઘતક્રીડા કર્યા વગર રહી શક્તો નથી. ભવિતવ્યતાના યોગે ગુણીઓને પણ કોઈ દોષ વળગેલો હોય છે. દેવદત્તાએ પણ માંગણી કરી કે, “ધૂત ધિક્કારવા યોગ્ય છે, માટે તેનો તમે ત્યાગ કરો' મૂલદેવે તેનો ત્યાગ ન કર્યો. કારણકે સ્વભાવ એ ત્યાગ કરવો મુશ્કેલ છે. તે નગરીમાં ધન વડે કુબેર સરખો અચલ નામનો સાર્થવાહ જાણે સાક્ષાત કામદેવ હોય તેવા રૂપવાળો હતો. તે મૂળદેવની પહેલા દેવદત્તામાં અનુરાગવાળો અને પગારથી તેનો સ્વીકાર કરી તેની સાથે નિરંતર ભોગ ભોગવતો હતો. તે મૂલદેવ પર મોટી ઈર્ષ્યા કરતો અને ઉપદ્રવ કરવાની ઈચ્છાથી તેના વાંક ખોળતો હતો. તે શંકા સાથે મૂલદેવ પણ કંઈક બાનાથી તેના ઘરે ગયો. “અવિહડ રાગીઓનો રાગ ઘણે ભાગે પરવશતા કરાવનાર થાય છે. માતાએ દેવદત્તાને કહ્યું કે, હે પુત્રી ! નિર્ધન જુગારી ધૂર્ત મૂલદેવનો તું ત્યાગ કર. દરરોજ વિવિધ દ્રવ્ય આપનાર આ અચલ ઉપર કુબેરપુત્ર પર જેમ રંભા તેમ તું નિશ્ચલ રતિવાળી બન, ત્યારે દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે માતાજી ! હું એકાન્તથી ધનની અનુરાગિણી નથી, પણ ગુણરાગિણી છું ત્યારે કોપથી માતાએ કહ્યું. આ જુગારીમાં વળી ગુણો કેવી રીતે રહી શકે ? એટલે દેવદત્તાએ માતાને કહ્યું. આ ધીર, ઉદાર, પ્રિય વાણી બોલનાર, વિદ્યા અને કળા જાણનાર, ગુણાનુરાગી પોતે ગુણવાળો વિશેષ સમજનારો શરણ કરવા યોગ્ય છે. ખરેખર આનો ત્યાગ મારાથી થઈ શકશે નહિ. ત્યાર પછી કપટવાળી કુટ્ટિનીએ વૈરી સરખી ઈચ્છા મુજબ વર્તનારી પુત્રીને ધૂર્તની સાથેની પ્રીતિ છોડાવવા માટે ઉપાયો શરૂ કર્યા. દેવદત્તા જ્યારે માતા પાસે પુષ્પમાળા માગે, ત્યારે તે વાસી પુષ્પોની કરમાયેલી માળા આપે, શરબત માગે, ત્યારે પાણી આપે, શેરડીના ટુકડા માગે, ત્યારે વાંસના નિરસ ટુકડા આપે, સુખડ માગે, ત્યારે કદંબનો કટકો આપે, કપટી કુટિનીએ કોપ કરતાં કહ્યું. “હે પુત્રિ! Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ : ૧૩૯ તું કોપ ન કરીશ, કારણકે કે જેવો યક્ષ હોય, તેના અનુસારે જ બલિ અપાય. જેમ લતા કાંટાળા વૃક્ષને, તેમ આને શા માટે વળગીને રહી છે ? માટે અપાત્ર એવા મૂલદેવ પતિનો સર્વથા તું ત્યાગ કર.' ત્યારે દેવદત્તાએ કહ્યું કે, “હે માતા ! તું મુંઝાય છે શા માટે ? પરીક્ષા કર્યા વગર પુરૂષને પાત્ર કે અપાત્ર કેમ કહી શકાય ?' ત્યારે તિરસ્કારપૂર્વક માતાએ કહ્યું, “તો પછી પરીક્ષા કરો' હર્ષ પામેલી દેવદત્તાએ પોતાની દાસીને આજ્ઞા કરી અચલને આ પ્રમાણે કહેવરાવ્યું કે, દેવદત્તાને આજે શેરડી ખાવાની અભિલાષા થઈ છે, તો તમારે શેરડી મોકલી આપવી. દાસીએ જઈને સાર્થવાહને કહ્યું એટલે પોતાને ધન્ય માનતા તેણે હર્ષથી શેરડીના સાંઠાના ગાડાં ભરીને તરત મોકલી આપ્યા. હર્ષ પામેલી કુટ્ટિનીએ પુત્રીને કહ્યું, હે પુત્રિ! ચિંતામણિ જેવા અચલ સ્વામીના અચિન્ય ઔદાર્ય તરફ તું નજર કર.” ખેદ પામેલી દેવદત્તાએ માતાને કહ્યું કે, “શું હું હાથણી છું? કે મૂળ અને આગળનાં પાંદડાં સાથે આખીને આખી શેરડી ખાવા માટે ફેંકી ! હવે તમે મૂલદેવને આ ખાવા માટે કહેવરાવો, એટલે કે માતાજી ! બેના વિવેકમાં કેટલું અંતર છે, તે ખબર પડશે.' દાસીએ મૂલદેવને કહ્યું એટલે ચતુર એવા તેણે પાંચ છ શેરડી લઈને મૂલ અને અગ્રભાગ કાપીને તરત છોલી નાંખી, તેના પર્વોની ગાંઠ કઠણ હોવાથી તેનો ત્યાગ કર્યો અને બબે આંગળના ટુકડાવાળી અમૃત-કંડિકા સરખી ગંડેરી તૈયાર કરી. (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર) ચતુર્થાત વસ્તુથી સંસ્કાર આપી, કપૂર વડે સુગંધી બનાવી, શૂલમાં પરોવી, વર્ધમાન-શકોરાના સંપુટમાં ગોઠવીને તેને મોકલાવી. દેવદત્તાએ પણ તેને જોઈને કુટ્ટણીને કહ્યું, “સુવર્ણ અને પિત્તળ માફક ધૂર્તરાજ અને અચલનો આંતરો જોઈ લે.” કુટ્ટણી વિચારવા લાગી, “અહો ! મહામોહના અંધકારમાં અટવાતી, મૃગલી જેમ ઝાંઝવાના જળ તરફ તેમ આ પુત્રી પણ ધૂર્ત તરફ દોડી રહી છે ! અતિઉષ્ણ જળ સિંચવાથી દરમાંથી જેમ મહાસર્પ, તેમ તેવો કોઈ ઉપાય કરવો, જેથી નગરમાંથી તેને હાંકી કઢાય. કુટ્ટણીએ મૂલદેવને ખસેડવા માટે અચલને વાત કરી અને ખાનગી મંત્રણા કરી નક્કી કર્યું કે તારે બહારગામ જવાનું બનાવટી બહાનું બતાવવું. હે સાર્થવાહ ! તારે ગામ હું જાઉં છું. એમ જુઠું કહીને દેવદત્તાને વિશ્વાસ પમાડવી, ત્યાર પછી તેને બહારગામ ગયેલ સાંભળીને તે ધૂર્ત (મૂલદેવ) નિશંક થઈને દેવદત્તા પાસે આવશે. જ્યારે તે દેવદત્તા સાથે નિશ્ચિત્ત બનીને ક્રીડા કરતો હોય, તે અવસરે મારા સંકેત પ્રમાણે સુંદર ! તું સર્વ સામગ્રી સાથે આવજે, પછી તું કોઈ પણ પ્રકારે તેનું અપમાન કરજે, કે જેથી તે તેતર તેતરીના જેવી દેવદત્તાને ફરી ન ભોગવી શકે. તે પ્રમાણે સ્વીકારી “હું ગામ જાઉં છું.” એમ દેવદત્તાને કહીને તથા દ્રવ્ય આપીને અચલ નીકળી ગયો. ત્યાર પછી તેણે નિર્ભયપણે મૂલદેવનો પ્રવેશ કરાવ્યો એટલે કુટ્ટણીએ તેવા પ્રકારના જાપુરૂષના સેવકોથી પરિવરેલા અચલને બોલાવ્યો. અણધાર્યા તેને પ્રવેશ કરતો દેખીને દેવદત્તાએ પાંદડાનાં કરંડિયા માફક મૂલદેવને પલંગ નીચે સંતાડ્યો. તેવા પ્રકારે રહેલા મૂલદેવને કુટ્ટણીએ અચલને જણાવ્યો, એટલે હસતા મુખવાળો અચલ પલંગ પર પલાંઠી વાળીને બેઠો, બનાવટી નાટક કરતાં અચલે કહ્યું, “હે દેવદત્તા ! હું થાકી ગયો છું. સ્નાન કરીશ, માટે તૈયાર થા, વિલખી બનેલી અને કુત્રિમ હાસ્ય કરતી દેવદત્તાએ કહ્યું કે, તો પછી આપ સ્નાનને યોગ્ય સ્થાનમાં સ્નાન કરવા પધારો, આ પ્રમાણે આદરપૂર્વક દેવદત્તાએ ત્યાંથી ઉઠાડવા માટે સમજાવ્યા છતાં પણ અચલ પલંગમાં જ સ્થિર આસન કરીને બેસી રહ્યો. તે વખતે ધૂર્તરાજ ત્યાં રહેવા કે નીકળી જવા માટે અસમર્થ બન્યો. “ઘણે ભાગે મન અસ્વસ્થપણામાં વર્તતું હોય, ત્યારે શક્તિઓ પણ ઘટી જાય છે.” અચલે કહ્યું, “હે દેવદત્તા ! અભંગ કરેલા વસ્ત્રસહિત મેં આ પલંગ ઉપર સ્નાન કર્યું. એવું મને સ્વપ્ન આવ્યું છે, તે સ્વપ્નને સાર્થક કરવા માટે હું આવ્યો છું. સત્ય કરેલ આ સ્વપ્ન શુભ આબાદી કરનારું થાય છે, ત્યાર પછી કુટ્ટિની કહેવા લાગી Page #191 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ‘હે પુત્રિ તારા જીવિતેશની આજ્ઞાને માન્ય કેમ કરતી નથી ? સ્વામિની ઈચ્છા પ્રમાણે અનુસરવાની વાત તેં શું સાંભળી નથી ? દેવતાએ કહ્યું ‘હે આર્ય ! આવી રેશમી દેવદૃષ્યથી બનાવેલી કિંમતી ગાદી વિનાશ કરવી, તે તમને યોગ્ય ગણાય ?’ અચલે કહ્યું ‘હે ભદ્રા ! આવી કૃપણતા રાખવી એ તને યોગ્ય છે ? તારા સરખી સ્ત્રીઓ પતિ ખાતર શરીર પણ અર્પણ કરે છે. જેનો પતિ અચલ છે, એવી તને બીજી તળાઈઓ નહિ મળે ? જેનો મિત્ર સમુદ્ર હોય, તે લવણથી સીદાય ખરો ?' ત્યાર પછી ભાટી-ધનથી પરાધીન દેવદત્તાએ પલંગ પર બેઠેલા અચલને તેલ-માલીશ તથા સ્નાન કરાવ્યું ત્યાર પછી સ્વામીને સ્નાન કરાવતાં મહાદેવનાં સેવક ચંડ માફક મૂલદેવ સ્નાનના મલિન જળાદિકથી ચારે બાજુથી ભીંજાઈ ગયો. કુટ્ટણીએ અચલના ભટોને દૃષ્ટિસંજ્ઞાથી બોલાવ્યા અને ધૂર્તને ખેંચી કાઢવાના કાર્ય માટે અચલને પ્રેરણા આપી. જેમ કૌરવે દ્રૌપદીને કેશ પકડીને તેમ, કોપાયમાન બનેલા અચલે મૂલદેવને કેશ પકડી ખેંચ્યો. તેને કહ્યું ‘તું નીતિ જાણનાર છે, વિદ્વાન બુદ્ધિશાળી છે, આજે તારા કર્મને અનુરૂપ કઈ શિક્ષા છે ?' તે કહે’ ધનને આધીન શરીરવાળી આ વેશ્યાની સાથે ક્રીડા કરવાની અભિલાષા રાખે છે ? તો ગામના પટ્ટાની માફક આને તે ઘણા ધનથી કેમ ન ખરીદી ?' તે વખતે મૂલદેવ પણ સ્તબ્ધ થઈ, આંખો બંધ કરીને રહ્યો હતો, જાણે ફાળ ચૂકેલો દીપડો હોય તેવી અવસ્થા અનુભવતો હતો. ત્યાર પછી અચલ સાર્થવાહ વિચારવા લાગ્યો. આ મહાત્મા દૈવ યોગે આવી દશા પામ્યો છે, તો તે નિગ્રહ કરવા યોગ્ય નથી. તેણે મૂલદેવને કહ્યું. ‘હું આ ગુનાથી તને આજે મુક્ત કરું છું, તું કૃતજ્ઞ છે. તો સમય આવે ત્યારે મારા પર ઉપકાર કરવો' તેણે ધૂર્તરાજાને છોડી મૂક્યો, એટલે ઘરથી નીકળીને યુદ્ધમાં ઘાયલ થયેલા હાથી માફક ઉતાવળા ઉતાવળા ચાલતા તેણે ગામના છેડે આવેલ મોટા સરોવરમાં પહોંચી સ્નાન કર્યું. તે જ ક્ષણે ધોએલા વસ્ત્રવાળો તે શરદના સમય માફક શોભવા લાગ્યો. અચલનો અપકાર કે ઉપકાર કરવાના મનોરથમાં આરૂઢ થયેલો તે ધૂર્તરાજ બેનાતટ તરફ ચાલ્યો. પોતાની દુર્દશાની પ્રિયસખી સરખી ફાડી ખાનારાં જાનવરોવાળી બાર યોજન લાંબી અટવી પાસે તે આવી પહોંચ્યો. અપાર સમુદ્ર પાર પામવાની ઈચ્છાવાળો જેમ નાવડીને, તેમ આ મહાઅટવીનો પાર પામવા કોઈ સથવારો મેળવવા મૂલદેવ વિચારવા લાગ્યો, તે સમયે જાણે આકાશમાંથી પડ્યો હોય તેમ અણધાર્યો હાથમાં ભાતાની પોટલીવાળો ટક્કર નામનો કોઈક બ્રાહ્મણ આવ્યો. અસહાયને સહાય-ભૂત એવો તે વિપ્રને આવેલો જાણી જેમ વૃદ્ધ પુરૂષ લાકડીને મેળવીને હર્ષ પામે, તેમ મૂલદેવ હર્ષ પામ્યો. મૂલદેવે તે વિપ્રને કહ્યું, ‘અટવીમાં સહાયક મેળવવાની ઈચ્છાવાળા મને મારી છાયા સરખો બીજો તું ભાગ્ય યોગે મળી આવ્યો હે ઉત્તમ વિપ્ર ! આપણે બંને ઈચ્છા પ્રમાણે વાતો કરતાં કરતાં માર્ગ કાપીશું. કારણ કે માર્ગમાં વાતો એ માર્ગનો પરિશ્રમ દૂર કરનારી વિદ્યા છે.’ ત્યારે વિપ્રે કહ્યું, હે બડભાગી ! તારે કેટલે દૂર અને કયે સ્થાને જવાની અભિલાષા છે ? તે કહે અને માર્ગની મૈત્રી વશ કર. વળી વિષે કહ્યું કે, હું તો આ જંગલને છેડે રહેલું વીરનિધાન નામનું સ્થાન છે, ત્યાં જવાનો છું, હવે તું ક્યાં જવાનો છે ? તે કહે. મૂલદેવે કહ્યું હું વેણાતટ નગરમાં જવાનો છું. ત્યારે વિષે કહ્યું, તો ચાલો, ઘણા દૂર સુધી આપણો એક જ માર્ગ છે. બંને મળ્યા પછી તેઓને ચાલતા ચાલતાં બરાબર મસ્તક તપાવનારા સૂર્ય મધ્યાહ્નમાં આવ્યો, ત્યારે તેમને એક સરોવર પ્રાપ્ત થયું. મૂલદેવ હાથ, પગ અને મુખને જળથી ધોઈને વચમાં તડકા વગરની એક સરખી વૃક્ષ છાયાવાળા ભૂતલમાં બેસી ગયો. તે વિપ્ર પોટલીમાંથી સાથવો કાઢી પાણી સાથે મસળી રેકની માફક એકલો ખાવા લાગ્યો. ધૂર્તે વિચાર્યું કે, પ્રથમ મને ભોજન આપ્યા વગર ભોજન કરવા મંડ્યો છે, તેને અતિભૂખ લાગી હશે, એટલે તે જમી રહ્યા પછી મને આપશે, પરંતુ વિપ્ર તો પોટલી બાંધી ઉભો થયો એટલે ધૂર્તે વિચાર્યું કે, ‘આજે ન આપ્યું તો આવતી કાલે આપશે' બીજા દિવસે પણ તે પ્રમાણે આપ્યા વગર ભોજન કર્યું. ૧૪૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ ૧૪૧ *** મૂલદેવે તે જ આશાથી ત્રણ દિવસ પસાર કર્યા. ‘પુરૂષોને આશા જ જીવિત છે' બંનેનો માર્ગ બદલાવાનો સમય આવ્યો, ત્યારે વિષે ધૂર્તરાજને કહ્યું કે, હે ભાગ્યશાળી ! તારું કલ્યાણ થાઓ, હવે હું અહીંથી મારા માર્ગે જઈશ, ત્યારે મૂલદેવે તેને કહ્યું કે, તારી સહાયથી મેં બાર યોજન લાંબી અટવી એક કોશ માફક ઉલ્લંઘી છે. હું વેણાતટ નગરે જઈશ. મારું નામ મૂળદેવ છે, ત્યાં મને કંઈક કાર્ય હોય તે કહેજે અને તારું નામ પણ મને કહે. લોકોએ નિર્ધણશર્મા એવું બીજું નામ પાડેલું છે અને અસલ નામ તો 'સદ્ધડ' વિપ્ર છે' એમ કહીને તે ટક્કર સાથીદાર જુદો પડ્યો પછી વેણાતટ તરફ જતા મૂલદેવે માર્ગમાં પ્રાણીઓને વિશ્રામસ્થાન સરખા એક ગામને દેખ્યું ભૂખથી ઊંડી કુક્ષિવાળા તેણે ત્યાં પ્રવેશ કર્યો અને ભિક્ષા માટે ભ્રમણ કરતાં કોઈક ઘરેથી બાફેલા અડદ (બાકળા) પ્રાપ્ત કર્યા ગામમાંથી બહાર નીકળતાં તેને સામે દેહધારી પુણ્યના ઢગલા સરખા કોઈ માસોપવાસી મુનિ મળ્યા તેમને દેખીને હર્ષ પામ્યો કે, અહો ! મારો પુણ્યકર્મોદય ! ખરેખર ભવસમુદ્રમાંથી તારનાર યાનપાત્ર સરખા ઉત્તમ તપસ્વી મુનિનું પાત્ર મને પ્રાપ્ત થયું છે. ત્રણ રત્નવાળા સાધુ ભગવંતને અડદના બાકળાનું દાન કરીને આજે લાંબા કાળના મારા વિવેક-વૃક્ષનું ફળ મને પ્રાપ્ત થાઓ. દાન આપતાં તેની ભાવનાથી હર્ષિત થયેલા દેવતાએ આકાશવાણીથી કહ્યું કે, ‘હે ભદ્ર ! તું અર્ધા શ્લોકથી માગણી કર કે તને શું આપવું ? તરત જ મૂલદેવે તે દેવી પાસે પ્રાર્થના કરી કે ખિા તેવì ના સહસ્ત્ર રહ્યં અસ્તુ મે ગણિકા દેવદત્તા અને હજાર હાથીઓવાળું મને રાજ્ય હો. દેવીએ કહ્યું, ‘ભલે એમ હો’ મૂલદેવે પણ તે મુનિને પ્રતિલાભીને અને વંદન કરીને ગામમાં જઈ ભિક્ષા લાવીને પોતે જમ્યો. આમ માર્ગ વટાવતો ક્રમે કરીને તે વેણાતટ નગરે પહોંચ્યો અને એક ધર્મશાળામાં સૂઈ ગયો અને નિદ્રાસુખ પામ્યો. સૂતેલા તેણે રાત્રિના છેલ્લાં પહોરમાં એક સ્વપ્ન જોયું કે, પૂર્ણમંડલવાળા ચંદ્રે મારા મુખમાં પ્રવેશ કર્યો' તે જ સ્વપ્ન કોઈ બીજા મુસાફરે પણ ત્યારે જ દેખ્યું. જાગેલા તેણે તે બીજા મુસાફરને કહી દીધું. તે મુસાફરોમાંથી એકે એ સ્વપ્ન આ પ્રમાણે વિચાર્યું કે, નજીકના કાળમાં તને ખાંડ, ઘી સાથે પુડલો પ્રાપ્ત થશે. હર્ષ પામેલો તે મુસાફર ‘એમ હો’ એમ બોલ્યો. કારણ કે શિયાળને તો બોર મળી જાય, તો પણ મહોત્સવ સરખો આનંદ થાય છે.’ ધૂર્તરાજે પોતાનું સ્વપ્ન તે અજ્ઞાનીઓને ન કહ્યું, ‘મૂર્ખાઓને રત્ન બતાવે તો આ પત્થરનો કટકો છે—એમ જ કહે.' ઘર ઢાંકવાના પર્વ દિવસે મુસાફરે પુડલો મેળવ્યો. ‘ઘણે ભાગે વિચારના અનુસારે સ્વપ્ન ફળે છે.' ધૂર્ત સવારે બગીચામાં જઈ પુષ્પો એકઠા કરવા માટે માળીને સહાય કરવા લાગ્યો, એટલે તે ખુશ થયો. તેવા પ્રકારનું કાર્ય પણ લોકોનું પ્રીતિ કરનાર થાય છે. તે માળી પાસેથી પુષ્પો અને ફળો ગ્રહણ કરી પવિત્ર થઈ, સ્વપ્ન શાસ્રનિપુણ પંડિતના ઘરે ગયો. ત્યાર પછી મૂલદેવે તેના જાણકાર ઉપાધ્યાયને નમન કરી પુષ્પો, ફલો આપીને પોતાનું સ્વપ્ન કહ્યું. હર્ષ પામેલા તે વિદ્વાને કહ્યું., હે વત્સ ! સારા મુહુતૅ હું તને સ્વપ્ન ફળ કહીશ. આજે તું અમારો અતિથિ બન. મૂળદેવને ગૌરવથી નવરાવી ભોજન કરાવીને ઉપાધ્યાય પરણાવવા માટે કન્યા લાવ્યા. મૂલદેવે પણ કહ્યું કે, હે પિતાજી ! અજાણ્યા કુળવાળાને તમે કન્યા આપો છો, તો કંઈ વિચાર કેમ કરતા નથી ? ઉપાધ્યાયે કહ્યું કે, તમારી આકૃતિથી જ કુલ અને ગુણો સર્વથા જણાઈ ગયા છે, માટે મારી આ કન્યાને તમે પરણો. તેના વચનથી મૂલદેવે પણ તે કન્યા સાથે લગ્ન કર્યા, ભવિષ્યમાં થનારી કાર્યસિદ્ધિનું મંગળ શકુન જાણે પ્રગટ કેમ ન થયું હોય ? ‘સાત દિવસની અંદર તું અહીં રાજા થશે.' એ પ્રમાણે ઉપાધ્યાયે તેને સ્વપ્ન-ફલ નિવેદન કર્યું. હર્ષ પામેલો ત્યાં વસતો ધૂર્તરાજ નગર બહાર જઈને પાંચમા દિવસે ચંપકવૃક્ષની નીચે સુઈ ગયો. તે વખતે તે નગરમાં મૂળ વગરના વૃક્ષ માફક પુત્ર વગરનો આગલો રાજા મૃત્યુ પામ્યો, ત્યારે નવીન રાજાની શોધ માટે મંત્રથી પવિત્ર કરતા હાથી, ઘોડા, છત્ર, કળશ અને ચામરો સાથે નગરમાં ભમ્યા પણ રાજ્ય યોગ્ય કોઈ નહિં મળ્યો. ‘તેવા Page #193 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૪૨ પ્રકારના પુરૂષ પ્રાપ્ત થવો મુશ્કેલ જ હોય.' ત્યાર પછી બહાર ફરતાં ફરતાં તેઓએ ચંપકવૃક્ષ નજીક નરદેવ-પદને ઉચિત મૂલદેવને દેખ્યો, ઘોડાએ હેષારવ શબ્દ કર્યો. હાથીએ જોરથી ગર્જના કરી, કળશ વડે તેની પૂજા, બે ચામરોથી વીંઝવાનું, સુવર્ણદંડથી શોભાયમાન જાણે વીજળી ન હોય તેમ શરદના મેઘ સરખું ઉજ્જવલ શ્વેત છત્ર મસ્તક ઉપર શોભવા લાગ્યું. જ્યકુંજર હાથીએ તેને પોતાના સ્કંધપ્રદેશ પર બેસાડ્યો. સ્વામીની પ્રાપ્તિથી હર્ષ પામેલા પ્રજાજનો ‘જય જય' શબ્દ પોકારવા લાગ્યા. મોટા વાંજિત્રોના શબ્દો વડે દિશાઓ પૂરતા કુબે૨ જેમ અલકામાં તેમ મૂલદેવે નગરમાં પ્રવેશ કર્યો, હાથી પરથી નીચે ઉતરી તે રાજમહેલમાં સિંહાસન પર બેઠો. હવે આકાશમાં દેવતાએ કહ્યું કે, દેવતાઓના પ્રસાદથી કળાઓનો ભંડાર આ વિક્રમરાજ નામનો રાજા થયો છે. આ રાજાની આજ્ઞામાં જેઓ નહિ વર્તે, તેઓને પર્વતને જેમ વજ્ર ચૂરી નાખે, તેમ હું શીક્ષા કરીશ, તે દેવતાની વાણીથી સર્વ પ્રકૃતિમંડલ વિસ્મય અને ભય પામ્યું અને મુનિઓને જેમ ઈન્દ્રિય-સમુદાય, તેમ હંમેશા તેને વશ બન્યું. ત્યાર પછી વિષયસુખ અનુભવતા તે રાજાએ ઉજ્જયિનીના રાજા સાથે માંહોમાંહે વ્યવહાર કરતા પ્રીતિ કરી. તે વખતે દેવદત્તાએ પણ તેવા પ્રકારની મૂલદેવની વિડંબના દેખીને તિરસ્કાર પૂર્વક અચલને કહ્યું કે, ‘હે ધનના અહંકારમાં અંધ બનેલા ! શું હું તારા ઘરની કુલગૃહિણી છું. એમ સમજે છે ? કે મરવાની ઇચ્છાવાળા મૂર્ખ ! મારા ધરમાં તે આવો વ્યવહાર કર્યો ? હવે પછી તારે મારા ઘરે ન આવવું' એ પ્રમાણે તેને ઘરમાંથી બહાર કાઢી રાજા પાસે ગઈ, અને તેણે રાજા પાસે આગળ આપેલું વરદાન માગ્યું. રાજાએ કહ્યું, તારી ઈચ્છા પ્રમાણે માગ, જેથી તે તને આપું. ‘હવે આપે મૂલદેવ સિવાય બીજા કોઈને મારા પ્રત્યે આજ્ઞા ન કરવી અને મારા ઘરે આવતા આ અચલને બંધ કરવો.' રાજાએ કહ્યું, ભલે એમ હો, પરંતુ આમા કારણ શું ? તે પૂછ્યું, એટલે દેવદત્તાએ નેત્રસંજ્ઞાથી માધવીને કહેવા જણાવ્યું. એટલે તેણે સર્વ હકીકત કહી. આ સાંભળી કોપથી જેની ભૂલતા ચલાયમાન થઈ છે. એવા જીતશત્રુ રાજાએ તે સાર્થવાહને બોલાવી તિરસ્કાર પૂર્વક આમ કહ્યું કે, મારા નગરના બીજા રત્ન સરખા આ બંને આભૂષણો છે, મૂર્ખ એવા તે ધનમાં અભિમાની બની પત્થર માફક તેની અવગણના કરી. આ કારણે આ અપરાધની શિક્ષા, તારા પ્રાણોના નાશ કરવા હું આશા કરું છું. આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે દેવદત્તાએ તેનું નિવારણ કરાવ્યું. તેને આણે બચાવ્યો છે, તો પણ તારું રક્ષણ ત્યારે થશે કે ગમે ત્યાંથી તારે મૂલદેવને પાછો મેળવી આપવો. આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે ગયો. હવે સાર્થવાહ ખોવાએલા રત્ન માફક ચારેબાજુ મૂલદેવની શોધ કરવા લાગ્યો. એક બાજુ દેવદત્તાની ન્યૂનતાથી અને મૂલદેવને ન દેખવાથી તે ભય પામ્યા અને વેપારની વસ્તુઓ વહાણમાં ભરીને તરત પારસકુલ દેશમાં ગયો. આ બાજુ મૂલદેવ પણ વિચારવા લાગ્યો કે, લવણ વગરના ભોજનની જેમ દેવદત્તા વગરની અતિશય રાજ્યલક્ષ્મીથી પણ શું ? ત્યાર પછી તેણ દેવદત્તા માટે જિતશત્રુ રાજા પાસે ભેટણાસહિત ચતુર દૂતને મોકલ્યો. દૂતે ઉજ્જિયની નગરીમાં પહોંચી જિતશત્રુ રાજાને વિનંતી કરી કે, દેવતાએ આપેલી રાજ્યલક્ષ્મી ભોગવતો મૂલદેવ આપને આ પ્રમાણે સંદેશો કહેવરાવે છે કે, ‘દેવદત્તામાં મારો પ્રેમ કેટલો છે ? તે આપને વિદિત છે. જો તેની ઈચ્છા હોય તો આપ તેને મોકલશો' ત્યારે અવંતી રાજાએ કહ્યું, અરે તેણે આટલી પ્રાર્થના કેમ કરી ? વિક્રમરાજા સાથે અમારે રાજ્યમાં ભેદ નથી. ઉજ્જયિનીપતિએ દેવદત્તાને બોલાવી કહ્યું કે ભાગ્યશાળી ! ભાગ્યયોગે લાંબા કાળે તારા મનોરથો પૂર્ણ થયા. દેવના પ્રસાદથી મૂલદેવ રાજા થયો છે અને તને બોલાવવા માટે પોતાના મુખ્ય પુરૂષોને મોકલ્યા છે, માટે તું Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ ૧૪૩ ત્યાં જા. પ્રીતિથી જીતશત્રુની આજ્ઞાથી દેવદત્તા અનુક્રમે વેણાતટ નગરે પહોંચી. વિક્રમરાજા પણ મહોત્સવપૂર્વક પોતાના ચિત્ત સરખા વિશાળ મહેલમાં તેને લઈ ગયો. જિનભક્તિ કરતા અને પોતાની પ્રજાનું સમ્યફ પ્રકારે પાલન કરતા, દેવદત્તાની સાથે ક્રીડા કરતા ત્રણ વર્ગો બાધા પામતા ન હતા. આ બાજુ જલથી પૂર્ણ જેમ મેઘ તેમ પારસકુલથી ઘણી ખરીદવા લાયક વસ્તુઓ સાથે અચલ ત્યાં આવ્યો. લક્ષ્મીના મહત્ત્વને કહેનાર રત્ન, મણિ, મોતી, પરવાળા વગેરેથી મોટો થાળ ભરીને તે રાજા પાસે આવ્યો. રાજાએ તો અચલને તરત ઓળખ્યો. ચતુર પુરૂષોને તો દેખીને પૂર્વજન્મના સંબંધ પણ યાદ આવે છે. “આ મૂલદેવ રાજા છે' તેમ અચલ ઓળખી ન શક્યો, વેષ પહેરેલા નટને અલ્પબુદ્ધિવાળા જાણી શકતા નથી, તું ક્યાંથી આવે છે ? એમ રાજાએ પૂછતાં તેણે પારસકુલથી એમ જવાબ આપ્યો અને પરદેશથી વેચવા માટે લાવેલા માલને જોવા માટે પંચકુલ-મહાજનની માંગણી કરી. કૌતુકથી રાજાએ તેને કહ્યું કે, “હું જાતે જોવા આવીશ' ત્યારે તેણે “મહાકૃપા' એમ કહ્યું તેવા પુરૂષોના કોપને કોણ સમજી શકે ? ત્યાર પછી પંચકુલ સાથે રાજા તેના આશ્રયે ગયો અને તેણે પણ મજીઠ, કાપડ, સૂતર વગેરે લાવેલો માલ જકાત નક્કી કરવા બતાવ્યો. રાજાએ પૂછ્યું, “શું આટલો જ માલ છે ? સત્ય કહી દો.” એમ પૂછાયેલા શેઠે કહ્યું સત્ય જ કહું છું. આટલો જ માલ છે. રાજાએ ફરી કહ્યું. બરાબર ચોકસાઈ કરી નિવેદન કરો, કારણકે અમારા રાજ્યમાં દાણ-ચોરી કરનારને શારીરિક શિક્ષા કરવામાં આવે છે. અચલે કહ્યું કે, અમે બીજા પાસે પણ ફેરફાર બોલતા નથી, તો પછી આપ દેવની પાસે કેમ અન્યથા બોલાય ? પછી રાજાએ કહ્યું. “આ સત્ય બોલનાર શેઠ પાસેથી અર્થે દાન લેવું અને તેના માલની તપાસ બરાબર કરી લેવી તે પછી પંચકુલે પગના પ્રહારથી વાંસ અંદર ઉતારીને તપાસ્યું. તો અસાર માલ વચ્ચે છુપાવેલા સારભૂત માલની શંકા થઈ ઉત્પન્ન થયેલી શંકાવાળા રાજપુરૂષોએ ક્ષણવારમાં દાણચોરના હૃદયોની માફક ચારે બાજુથી કરિયાણાં રાખેલા સ્થાનો ભેદી નાંખ્યા. તેઓને જેમ માલ માટે શંકા થઈ, તે જ પ્રમાણે ધન માટે શઠતા જણાઈ. “અધિકારીઓ હંમેશા બીજાના નગર અને અંતઃકરણ સુધી પહોંચનારા હોય છે.” જાણી કોપાયમાન થયેલા રાજાએ તરત જ તેને બંધાવ્યો. સામંતો પણ રાજાના આદેશથી બંધાય, તો પછી આ વેપારી ક્યા હિસાબમાં ? ત્યાર પછી તેને મહેલમાં લઈ જઈ બંધન છોડાવીને રાજાએ પૂછ્યું કે, મને ઓળખો છો ? ત્યારે અચલે પણ એમ કહ્યું કે, જગતને પ્રકાશિત કરનાર સૂર્યને અને આપને ક્યો એવો મુર્ખશિરોમણિ હોય કે ન ઓળખે ? હવે તારા ખુશામતનાં વચનો બંધ કર, તું બરાબર મને જાણે છે કે કેમ ? તે કહે. રાજાએ આ પ્રમાણે અચલને કહ્યું ત્યારે જવાબ આપ્યો કે હું જાણતો નથી. દેવદત્તાને બોલાવીને રાજાએ તેને દેખાડી. માનીઓની મનની સિદ્ધિ ઈષ્ટ સ્વજનો દેખે, તો પોતાને કૃતાર્થ થયેલા સમજે છે. અચલ દેવદત્તાને દેખીને એકદમ શરમાઈ ગયો અને અતિકષ્ટવાળી દશા પામ્યો. “સ્ત્રી આગળ પોતાની અપભ્રાજના થાય, તે પીડા પુરૂષને મરણ કરતાં પણ અધિક હોય છે.” દેવદત્તાએ અચલને કહ્યું કે, “આ તે મૂલદેવ છે, જેને તમે તે સમયે આ પ્રમાણે સંકટ આપ્યું હતું અને મને પણ મુશ્કેલીમાં મૂકી હતી. આજે દૈવયોગે તમે પણ સંકટ પામ્યા છો જો કે તમે અત્યારે પ્રાણ-સંકટ પામ્યો છે, છતાં પણ આર્યપુત્ર તમને માફ કરે છે. આવા મહાપુરૂષો તુચ્છનો ઘાત કરનારા હોતા નથી ત્યાર પછી શરમાઈ ગયેલ તે વેપારીએ તે બંનેના પગમાં પડીને કહ્યું કે, “ તે વખતે કરેલા મારા સર્વ અપરાધની આપ ક્ષમા આપો, તે અપરાધથી જિતશત્રુ રાજા મારા પર રોપાયમાન બન્યા છે, તે તમારા વચનથી મને ઉજ્જયિનીમાં પ્રવેશ કરવા દેશે.” મૂલદેવે કહ્યું કે, જ્યારે દેવદત્તાએ તમારા પર કૃપા કરી છે. ત્યારે જ મેં તમને ક્ષમા આપી છે. ત્યાર પછી તેના ઉપર રહેમ નજર રાખી સાથે એક દૂત આપીને રાજાએ ઉજ્જયિની નગરીમાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જવા માટે અચલને રજા આપી. મૂલદેવના વચનથી અવંતિનાથે તેને અવંતિમાં દાખલ કર્યો. કારણ કોપનું કારણ તે હતો. હવે કોઈક દિવસે દુઃખથી પરેશાન થયેલા વેપારીઓ એકઠા મળીને પ્રજાના કાર્ય કરવા માટે તૈયાર મૂલદેવને વિનંતી કરવા લાગ્યા કે, “હે દેવ ! આપ પ્રજા રક્ષણ કરવા માટે રાતદિવસ જાગ્રત રહો છો. તો પણ ચોર, લુંટારા આ નગરને ચારે બાજુથી ચોરી, લૂંટફાટ કરી ત્રાસ પમાડે છે. મોટા ઉદર માફક દરેક રાત્રિએ આ નગરમાં ચોરો મોટું ખાતર પાડે છે અને કોટવાલો પણ અમારા ઘરનું રક્ષણ કરવા સમર્થ બની શકતા નથી. અંજનસિદ્ધ સરખા કોઈથી ન દેખાતા ચોરો પોતાના ઘરની જેમ અમારા ઘરમાં ભ્રમણ કરે છે “અપયશ કરાવનાર તે ચોરોને ટૂંક સમયમાં પકડી શિક્ષા કરીશ.” એ પ્રમાણે મૂલદેવે વણિકોને કહી સાત્ત્વન આપી વિદાય કર્યા. ત્યાર પછી રાજાએ ઠપકાપૂર્વક નગરના અધ્યક્ષને આજ્ઞા કરી કે, સર્વ ચોરોને ખોળીને પકડો અને સજા કરો. હવે નગરના મોટા અધિકારીએ કહ્યું, હે સ્વામી ! એક એવો ચોર છે, જે પિશાચ માફક દેખતા દેખતામાં નાસી જાય છે અને તે પકડવો શક્ય નથી. ક્રોધ પામેલો પરાક્રમી તે રાજા રાત્રે નીલવસ્ત્રધારી બીજા બલદેવ સરખા વાદળી રંગના વસ્ત્ર પહેરી બહાર નીકળ્યો. બાહુબળવાળા તે રાજા ચોરને રહેવાના શંકા-સ્થાનોમાં ફર્યો તો પણ આકાશમાં કે જળમાં સર્પના પગલાં ન દેખાય, તેમ કોઈ ચોરને ન દેખ્યો. રાજા આખા નગરમાં ભમ્યો અને થાકેલો હોવાથી ગુફામાં જેમ કેસરી તેમ કોઈ એક ખંડીયાર દેવકુલમાં સૂઈ ગયો. રાત્રે ફરનારા ભૂત પ્રેત સરખો ભયંકર કોઈ મંડિક નામનો ચોરનો આગેવાન અકસ્માત ત્યા આવી ચડ્યો. ત્યાર પછી ચોર સ્વામીએ કહ્યું કે, અહીં કોણ છે ? રોષ પામેલા તેણે સૂતેલા વાઘ માફક રાજાને પગથી પાટું માર્યું. રાજા તેની ચેષ્ટા, સ્થાન અને ધનને જાણવાની ઈચ્છાવાળો હોવાથી કહ્યું કે, “હું પરદેશી મુસાફર છું તેવા પુરૂષો શામાં હોંશિયાર હોતા નથી ?” “હે મુસાફર ! ચાલ, આજે તને હું ધનવાન બનાવી દઉં.'એમ રાજાને ચોરે કહ્યું. “મદાંધોની અજ્ઞાનતાને ધિક્કાર હો' ધનનો અર્થી તે રાજા પગપાળા માફક તેની પાછળ ચાલ્યો. “ગરજ પડે ત્યારે જનાર્દન પણ ગધેડાના પગનું મર્દન કરે છે. મૃત્યુને જેમ આત્મા તેમ પાસે રહેલા તે રાજાને ન જાણતો તે ઘણી સંપત્તિવાળા કોઈ શેઠના ઘરમાં દાખલ થયો. ત્યાં હથિયારથી ઘરમાં ખાતર પાડીને તેણે રાહુ જેમ કુંડમાંથી અમૃતને ગ્રહણ કરે, તેમ સારભૂત દ્રવ્ય ગ્રહણ કર્યું. અજાણ ચોરે રાજા પાસે સર્વ દ્રવ્ય વહન કરાવ્યું. શાકિનીને પેટ બતાવવા માફક મૂઢ બુદ્ધિવાળા તેણે આ બતાવી દીધું. તે ચોરને મૂળમાંથી ઉખેડી નાખવા માટે તે ભાર મૂલદેવે વહન કર્યો. ધૂર્તો કારણ પડે ત્યારે નમ્ર બની જાય અને કાર્ય-સમયે રાક્ષસ પણ બની જાય.” જીર્ણ ઉદ્યાનમાં પહોંચી ગુફા ઉઘાડીને તેણે અંદર પ્રવેશ કર્યો. છાણામાં સ્થાપેલા વીંછી માફક રાજાને પણ ત્યાં લઈ ગયો. ગુફામાં નાગકુમારદેવી સરખા રૂપવાળી નવયૌવન, લાવણ્ય અને પવિત્ર સુંદર અવયવોથી શોભતી કુમારી તેની એક બેન હતી, ભાઈએ બેનને આજ્ઞા કરી કે, “આ પરોણાના બે પગો ધોઈ નાખો” ત્યાર પછી તેણે નજીકના કૂવા પાસે રાજાને એક આસન પર બેસાડ્યા, કમલ સરખા નેત્રવાળી તે કન્યા તેના બે ચરણો પ્રક્ષાલન કરતી હતી ત્યારે તેનો કોમળ સ્પર્શ અનુભવ્યો અને સર્વ અંગો તરફ નજર કરી. “અહો ! આ તો સાક્ષાત્ કોઈ કામદેવ જ છે.” એમ વિસ્મય પામી તેના તરફ અનુરાગ અને અનુકંપાવાળી બની. તેણીએ રાજાને કહ્યું કે, પગ ધોવાના બાનાથી આ કૂવામાં ઘણા માણસોને ફેંક્યા છે, તે વડભાગી ! ચોરોને દયા ક્યાંથી હોય ?તમારા દેખાવથી પ્રભાવિત થયેલી હું તમને આ કૂવામાં નહિ ફેંકું “મહાપુરુષોનો પ્રભાવ અદ્ભૂત વશીકરણ છે' તેથી કરી મારા આગ્રહ ખાતર હે સુંદર ! તમે અહીંથી એકદમ છટકી જાવ, નહિતર હે નાથ ! આપણા બંનેનું કુશળ નહિ થાય’ ત્યાર Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ ૧૪૫ પછી રાજા પણ વિચાર કરીને એકદમ ત્યાંથી બહાર નીકળી ગયા, “ચતુર પુરૂષો વિક્રમી હોવા છતાં પણ શત્રુઓને બુદ્ધિપૂર્વક હણે છે' રાજા ગયા પછી બહેને બૂમ પાડી કે, આતો નાસી ગયો. પોતાના પરીચિતો કે સ્નેહીઓને બચાવવા માટે બુદ્ધિશાળીઓને આવા પ્રયત્નો કે પ્રપંચ કરવા પડે છે. ખેંચેલ કંકાલતલવારવાળી બહાર લબડતી જિલ્લાવાળા વેતાલ માફક ભયંકર બનેલો ઉતાવળો ઉતાવળો મંડિક ચોર રાજાના પાછળ દોડ્યો, બૃહસ્પતિ-બુદ્ધિવાળા રાજાએ તેને નજીક આવી પહોંચેલો જાણીને ચોકમાં ઉભા કરેલા પોળીયાના પત્થર પાછળ છુપાઈ ગયો. કોપાંધ નયનવાળા તેણે આ એ જ પુરૂષ છે–એમ માની કંક જાતિના લોહની તરવારથી પત્થર-સ્તંભને છેદીને મંડિક ચોર પોતાના ધામમાં ગયો. ચોરનો પત્તો લાગવાથી ખુશ થયેલ રાજા પણ પોતાના મહેલે ગયો. “હેરાનગતિ કરનાર પકડાઈ જાય, તો કોને સુખ ન થાય ?' સવારે રાજા રાજવાટિકાએ બહાર જવાના બહાનાથી તે ચોરને જોવા માટે નીકળ્યો હવે કાપડીયાની દુકાનના દ્વાર પાસે તુણવાનું કામ કરતો સાથળ અને જંઘા ઉપર વસ્ત્રના ચીંથરાના પાટા લપેટી માં લગાર ખુલ્લું રાખી તે ચોર બેઠેલો હતો. વાંસલતાથી યુક્ત કપટથી દયામણી આકૃતિ બતાવતા ચોરને દેખીને રાત્રે દેખેલ તેના અનુમાનથી રાજાએ ઓળખ્યો. રાજા મહેલે પાછા ફર્યા અને સેવકોને નિશાની બતાવી કે, આ ઠેકાણેથી આવા પાટા બાંધેલા પુરુષને બોલાવી લાવવા પોતાના સેવકોને મોકલ્યા. ત્યાર પછી તે સ્થળેથી તેને લઈ જવા માટે રાજપુરુષો આવ્યા અને કહ્યું કે, તમને રાજા માન-પૂર્વક બોલાવે છે એટલે તેણે વિચાર્યું કે, નક્કી તે વખતે તે પુરૂષ હણાયો નથી તેનું જ આ પરિણામ છે. “ચોરો પણ મહારાજાઓને ઓળખનારા હોય છે. ત્યાર પછી તે રાજકુલમાં ગયો. રાજાએ તેને પોતાની પાસેના આસન પર બેસાડ્યો. “મારવાની ઈચ્છાવાળી નીતિ સમજનારા પુરૂષો મહાપ્રસાદ કરનાર હોય છે. પ્રસન્નતા મુખવાળી વાણીથી રાજાએ તેને કહ્યું તારી બહેન મને આપ. કન્યા તો આપવા યોગ્ય જ હોય છે. જરૂર મારી બહેનને આપે પહેલાં દેખી છે. બીજો કોઈ ત્યાંથી ગયો નથી. આ રાજા એ જ છે– એમ મંડિકે મનમાં નિશ્ચય કર્યો પછી તેણે કહ્યું “હે દેવ ! આપ મારી બેનને ગ્રહણ કરો, તે આપની જ છે. બીજું મારી પાસે જે કંઈ છે, તે પણ આપનું જ છે.” એ પ્રમાણે રાજાને કહ્યું. તે સમયે કૃષ્ણ જેમ રુકમણી સાથે તેમ રાજાએ રૂપાતિશયથી શોભતી તેની બહેન સાથે લગ્ન કર્યા. રાજાએ તે ચોરને મહાપ્રધાનપદે સ્થાપન કર્યો. સમુદ્રના મધ્યસ્થળ માફક રાજાઓના ભાવો કોણસમજી શકે ? તેની પાસેથી રાજા હંમેશા આભૂષણો, વસ્ત્રો વગેરે તેની બહેન દ્વારા મંગાવે છે. “અહો ! ધૂર્તો વડે જે ધૂર્ત ઠગાય છે' એમ કરતાં જ્યારે ઘણું દ્રવ્ય રાજાએ ખેંચી લીધું ત્યાર પછી પત્નીને પૂછ્યું કે, “હવે તારા ભાઈ પાસે કેટલું બાકી છે ? આ ચોરની બહેને કહ્યું. “આટલું જ તેની પાસે ધન હતું. આ પ્રમાણે રાજાને નિવેદન કર્યું. કારણકે પ્રિયતમ પાસે કંઈ છૂપાવવાનું ન હોય.' ત્યાર પછી કઠોર આજ્ઞાવાળા રાજાએ અનેક વિડંબના પમાડી તેને દેહાંત દંડની શિક્ષા કરી. “પાપ કરનારાઓને કુશળ ક્યાંથી હોય? અખંડ નીતિવાળા વિક્રમરાજાએ ચોરી કરનાર મંડિક સાળો હોવા છતાં પણ તેને પકડાવી મારી નંખાવ્યો, માટે કોઈ પણ પ્રકારે આ જન્મમાં પણ વિરુદ્ધ ફલ પમાડનાર ચોરી ડાહ્યો પુરૂષ ન કરે. એ પ્રમાણે મૂલદેવ અને મંડિકચોરની કથા પૂર્ણ થઈ. રોહિણેય ચોરની કથા અમરાવતીની સંપત્તિને જિતનાર રાજગૃહ નામના નગરમાં અનેક રાજાઓથી સેવાતો શ્રેણિક નામનો રાજા હતો. કૃષ્ણને જેમ પ્રદ્યુમ્ન તેમ નીતિ-પરાક્રમ યુક્ત તે રાજાને અભયકુમાર નામનો પુત્ર હતો. આ બાજુ તે નગરની નજીકના વૈભારગિરિની ગુફામાં સાક્ષાત દેહધારી રૌદ્રરસ હોય તેવો લોહખુર નામનો Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ચોર હતો. રાજગૃહ નગરમાં નગરલોકો ઉત્સવોમાં રોકાએલા હોય. તેવા સમયમાં તે હંમેશા લાગ જોઈને પિશાચ માફક ઉપદ્રવ કરતો હતો. તે ચોર ત્યાંથી દ્રવ્ય ગ્રહણ કરતો અને પરસ્ત્રીઓ ભોગવતો. તે નગરને પોતાનો ભંડાર કે ઘર જ માનતો હતો. તેને ચોરીવાળી આજીવિકા પ્રીતિ કરનાર થતી હતી પણ બીજી વૃત્તિ ગમતી ન હતી. “માંસાહારીઓને માંસ છોડીને બીજા ભોજનથી તૃપ્તિ થતી નથી. તેને રોહિણી ભાર્યાથી રૂપ અને વર્તનથી પોતાના સરખો રોહિણેય નામનો એક પુત્ર થયો હતો. પિતાએ પોતાના મૃત્યુ સમયે તેને બોલાવીને કહ્યું. કે “જો હું કહું તે પ્રમાણે જરૂર કરવાનો હોય તો હું તને ઉપદેશ આપું.” “આપ કહો તે પ્રમાણે મારે અવશ્ય કરવાનું જ, આ જગતમાં પિતાની આજ્ઞા કોણ ખંડિત કરે ?” તેમ તેણે કહ્યું. તેના વચનથી હર્ષ પામેલા લોહખુરે તેને હાથથી પંપાળીને નિષ્ફરપણે કહ્યું કે, “જે દેવતાઓએ બનાવેલા સમવસરણમાં બેઠેલા વીર ધર્મદેશના કરે છે. તેનું બોલેલું ન સાંભળવુ.” તે સિવાય બીજું કોઈ પણ પ્રકારે હે વત્સ ! તારે સ્વતંત્રપણે કરવું.' એ પ્રમાણે લોહખુર ઉપદેશ આપીને મૃત્યુ પામ્યો. પિતાનું મરણોત્તર કાર્ય કર્યા પછી રૌહિણેય ચોર જાણે બીજો લોહખુર પાક્યો હોય, તેમ રાતદિવસ ચોરી કરવા લાગ્યો. પોતાના જીવિત માફક પિતાની આજ્ઞા પાલન કરતો તે દાસી પુત્ર માફક રાજગૃહ નગરમાં ચોરી કરતો હતો. તે વખતે નગરો ગામો અને ખાણો તરફ વિહાર કરતા ચૌદ હજાર મહાસાધુઓથી પરિવરેલા, મનોહર દેવો વડે ચલાવતાં સુવર્ણકમલો પર પગલા સ્થાપન કરતા ચરમ તીર્થપતિ વીર ભગવંત રાજગૃહનગરમાં સમવસર્યા, વ્યંતરો, અસુરો, જ્યોતિષિ અને વૈમાનિકો એમ ચારે નિકાયના દેવોએ જિનપતિનું સમસરણ તૈયાર કર્યું. એક યોજન સુધી સંભળાય સર્વ ભાષામાં પરિણમતી એવી વાણીથી વીર પ્રભુએ, ધર્મ દેશના શરૂ કરી. તે વખતે રોહિણેય ચોર રાજગૃહ નગર તરફ જતા માર્ગ વચ્ચે સમવસરણ પાસે આવી ગયો અને તે વિચારવા લાગ્યો કે, જો આ માર્ગે હું જઈશ અને કદાચ વીરનું વચન સાંભળી લેવાય, તો પિતાની આજ્ઞાનો ભંગ થશે. પરંતુ અહીંથી જવાનો બીજો માર્ગ પણ નથી. એમ વિચારી બે હાથે બે કાન ઢાંકીને એકદમ રાજગૃહ તરફ જવા લાગ્યો. એ પ્રમાણે દરરોજ જતાં આવતાં કોઈક દિવસે સમવસરણ પાસે પગમાં કાંટો લાગ્યો. ઉતાવળથી જતાં પગમાં ઊંડો કાંટો ઉતરી ગયો. બહાર કાઢ્યા સિવાય ક્રમપૂર્વક પગલાં માંડી શકાતા નથી. હવે બીજો કોઈ ઉપાય નથી એમ વિચારી કાન પર ઢાંકેલા હાથને ઉઠાવીને તે હાથથી કાંટો ખેંચતો હતો, ત્યાં પ્રભુની વાણી આ પ્રમાણે સાંભળી કે, ‘દેવતાઓ પૃથ્વીતલને પગથી સ્પર્શ કર્યા વગર ચાર આગળ અદ્ધર રહેનારા, આંખો ન મીંચનારા, વગર કરમાએલી પુષ્પમાળાવાળા, પરસેવા વગરના, એલરહિત, શરીરવાળા હોય છે.' બહુ સંભળાઈ ગયું. આને ધિક્કાર હો, એમ જલ્દી કાંટો કાઢીને હાથથી કાન ઢાંકીને તે જ પ્રમાણે તે ચાલ્યો ગયો. તે ચોર આ પ્રમાણે દરરોજ નગરમાં ચોરી કરતો હતો, એટલે નગરના મોટા શ્રેષ્ઠીઓએ શ્રેણિક પાસે આવી આ પ્રમાણે વિનંતી કરી કે, આપ રાજ્ય કરી રહ્યા છો, એટલે અમને બીજો કોઈ ભય નથી પરંતુ હે દેવ ! અમારું ધન ખેંચીને ચોર માફક અદશ્ય ચોરો લઈ જાય છે. તેઓની પીડાથી બંધુ માફક દુઃખી થયેલા રાજાએ આક્રોશવાળા બની કોટવાલને કહ્યું. “ચોર કે લેણદાર બનીને મારા તરફથી મળતું વેતન ગ્રહણ કરો છો. તમે ચોરોની ઉપેક્ષા કરો છો, જેથી તેઓ પ્રજાનું ધન લઈ જાય છે. તેઓએ કહ્યું “હે દેવ ! રૌહિણેય નામનો કોઈ ચોર નગરજનોને લૂંટે છે, જેને પકડવા માટે દેખવો પણ અશક્ય છે. વાંદરાની જેમ વિઘુદુસ્લિમ નામના (વીજળીના ઝબકારાની જેવા) કરણથી તે કુદી કુદીને એક ઘરેથી બીજે ઘરે અને ત્યાંથી સહેલાઈથી કિલ્લો ઉલ્લંઘન કરે છે. એટલામાં અમે તે માર્ગે જઈએ તેટલામાં તે દેખાતો Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ ૧૪૭ નથી. અમે એક ડગલું ચાલીએ ત્યાં તો તે સો ડગલાં આગળ પહોંચી જાય. અમે તે ચોરને હણવા કે પકડવા શક્તિમાન નથી, માટે આપ અમારો કોટવાલનો અધિકાર પાછો સ્વીકારી લો. ત્યારે રાજાએ ઉંચા કરેલા ભવાની સંજ્ઞાથી અભયને કહ્યું અને તેણે દંડપાશિકને કહ્યું કે, ચતુરંગી સેનાને તૈયાર કરી નગર બહાર રાખો. જ્યારે ચોર નગરમાં પ્રવેશ કરે, ત્યારે નગરને સૈન્ય ચારે બાજુથી ઘેરી લેવું. અંદર વિઘુલ્લિત કરણ કરતાં ત્રાસ પામેલા હરણ જેમ જાળમાં તેમ એ સૈન્યમાં સપડાઈ જશે, તે આવે ત્યારે પોતાના પગલાં વડે સાબિતી આપતા આ મહાન ચોરને અપ્રમત્ત, સૈનિકોએ પકડી લેવો, આપની આજ્ઞા પ્રમાણ” એમ કહીને કોટવાલ નીકળ્યો. બુદ્ધિશાળી તેણે ગુપ્તપણે સેનાને તૈયાર કરી. ભાગ્યયોગે તે દિવસે રૌહિણેય બીજે ગામ ગએલો એટલે નગરીના ઘેરાનો જાણે અજાણ હાથી પકડવાના ખાડામાં જેમ હાથી તેમ ઘેરાએલી નગરીમાં તેણે પ્રવેશ કર્યો. તે ઉપાયથી ચોરને પકડી અને બાંધીને લાવી કોટવાળે રાજાને અર્પણ કર્યો. જેમ જાય એ સજ્જનોનું રક્ષણ કરનાર અને દુર્જનોને શિક્ષા કરનાર છે, માટે “આને શિક્ષા કરો' એમ રાજાએ આજ્ઞા કરી ત્યારે અભયકુમારે કહ્યું કે, હજુ આ ચોરાયેલી ચીજ વગેરેની વગરનો એકલો પકડાયો છે, માટે વિચાર કરીને પછી શિક્ષા કરવી. હવે રાજાએ તેને પુછ્યું કે, તું ક્યાંનો ? અને તારી આજીવિકા કેવી છે? ક્યા કારણે અહીં આવ્યો છે ? રૌહિણેય તો નથી ને ? પોતાના નામથી શંકા પામેલા તેણે રાજાને જવાબ આપ્યો કે, શાલિ નામના ગામમાં દુર્ગચંડ નામનો હું ગૃહસ્થ છું. કંઈક કારણસર અહીં આવ્યો અને કૌતુકથી એક દેવકુલમાં આખી રાત્રિ રોકાયો. મારા ઘરે જતો હતો, ત્યારે રાક્ષસ જેવા રાજરક્ષકોએ કિલ્લો ઉલ્લંઘન કરતા મને પકડ્યો. કારણકે પ્રાણની ભીતિ એ મોટી ભીતિ છે, વચલા રાક્ષસથી છૂટેલા માછીમારના હાથથી છટકેલો મલ્યુ જેમ જાળમાં તેમ બહારના રાક્ષસ-ગણ વિષે સપડાઈ ગયો. ત્યાર પછી નિરપરાધી હોવા છતાં આ ચોર જેવો છે. એમ કરીને મને અહીં લાવ્યા છે. માટે આપ ન્યાય કરનારા હોવાથી વિચારો. ત્યાર પછી રાજાએ તેને કેદખાનામાં રાખી તેની તપાસ કરવા એક પુરૂષને તે ગામે મોકલ્યો. તે ચોરે પહેલાં એ ગામને સંકેત આપેલો હતો, કારણકે ચોરોને પણ ભાવીનો વિચાર હોય છે. રાજપુરુષે ત્યાં જઈ તેનું સ્વરૂપ પૂછયું. તો તેઓએ કહ્યું કે “દુર્ગચંડ અહીં રહેતો હતો, પણ હવે તે બીજા ગામ ગયો છે. ત્યાંથી આવીને તે પુરુષોએ હકીકત કહી એટલે અભયકુમારે વિચાર્યું કે, “ચતુરાઈથી કરેલા દંભનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. હવે અભયકુમારે મહાકિંમતી રત્નજડિત દેવોના વિમાન સરખો સાત ભૂમિકાવાળો મહેલ શણગારી તૈયાર કરાવ્યો. અપ્સરા સરખી રમણીઓથી અલંકૃત જાણે દેવલોકમાંથી અમરાવતીનો એક ખંડ છૂટો પડી ગયો કેમ ન હોય ? જ્યાં ગંધર્વ-સમુદાયે સંગીત મહોત્સવ પ્રવર્તાવ્યો છે, તે મહેલે અકસ્માત અભૂત ગંધર્વનગરની શોભાને ધારણ કરી. ત્યાર પછી અભયકુમારે ચોરને મદિરાપાન કરાવી મૂર્શિત કર્યો અને દેવદૂષ્યના બે વસ્ત્રો પહેરાવી દેવા માફક શય્યામાં સૂવડાવ્યો. મદિરાનો નશો પરિણમ્યો અને બેઠો થયો ત્યારે તે ચોરે અકસ્માતું આશ્ચર્યકારી અપૂર્વ દિવ્ય સંપત્તિઓ જોઈ. આ સમયે અભયે આજ્ઞા કરેલા નરનારી-સમુદાય “જય જય નંદા' ઈત્યાદિ મંગલ શબ્દો મોટા ઉચ્ચારો કરવાપૂર્વક બોલ્યા-” આ મહાવિમાનમાં હમણાં દેવતા-સ્વરૂપે ઉત્પન્ન થયા છો, તમે અમારા સ્વામી છો, અમે તમારા કિંકરો છીએ, આ દેવાંગનાઓ સાથે ઈન્દ્ર માફક સ્વરક્રીડા કરો.” એ પ્રમાણે ચતુરાઈથી સ્નેહ-ગર્ભિત વચનો તેને કહ્યા તે ચોરે એમ વિચાર્યું કે, શું હું દેવ થયો છું? તેટલામાં તો સરખી તાળી વગાડવાપૂર્વક તેઓએ સંગીત શરૂ કર્યું. વળી ત્યાં તેઓને સુવર્ણ દંડધારી કોઈ પુરૂષ અકસ્માતું આવીને કહેવા લાગ્યો કે, આ શું આવ્યું છે ? ત્યારે તે પ્રતિહારીને કહ્યું કે, અમારા સ્વામીને અમારું વિજ્ઞાન-કૌશલ્ય બતાવવા માટે, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ✰✰ 4444 યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ત્યાર પછી તેણે પણ કહ્યું. ઠીક તમારા સ્વામીને પોતાનું કૌશલ્ય બતાવો અને દેવલોકના આચારો તેમની પાસે કરાવો. તેઓએ પૂછ્યું કેવા આચાર ! એ સાંભળી તે પુરૂષે રૂઆબથી કહ્યું, ‘શું આ વાત પણ તમે ભુલી ગયા !' અહીં દેવ ઉત્પન્ન થાય છે, તે પોતાની પહેલાના કરેલા સારાં કે નરસાં કાર્યો કહે છે, પછી સ્વર્ગના ભોગો ભોગવે છે. સ્વામીનો લાભ થયો એટલે આ વાત વીસરાઈ ગઈ ! હવે હે સ્વામી ! અમારા પર પ્રસન્ન થાઓ અને દેવલોકની મર્યાદા અને આચાર છે, તે કરો. તેઓએ રૌહિણેયને કહ્યું, હે સ્વામિ ! આપના પહેલાંના શુભાશુભ જે કાર્યો કર્યા હોય તે આપ અમને કહો અને ત્યાર પછી સ્વર્ગભોગો ભોગવો ત્યાર પછી ચોરે વિચાર્યું કે, શું આ સત્ય હશે ? કે મને ઓળખવા માટે અભયે આ પ્રપંચ રચ્યો હશે ? આ કેવી રીતે જાણવું ? એમ વિચારતાં તેણે કાંટો કાઢતા સાંભળેલું ભગવંતનું વચન યાદ આવ્યું. ‘વીર ભગવંતથી દેવસ્વરૂપ સાંભળ્યું છે. તેને જો મળતું આવે તો સત્ય કહીશ, નહિંતર વિપરીત કહીશ' એમ બુદ્ધિ કરીને તેણે તેઓને જોયા તો પૃથ્વીતલને સ્પર્શ કરતા, પરસેવાથી મલિન, કરમાયેલી પુષ્પમાળાવાળા અને આંખ મીંચતા દેખાયા. ચોરે સર્વ માયાજાળ જાણીને ઉત્તર વિચાર્યો. તેઓએ કહ્યું, ‘હે દેવ ! આપ કહો જાણવા માટે આ સર્વે ઉત્સુક બન્યા છે. રૌહિણેયે કહ્યું કે, મેં પૂર્વભવની અંદર સુપાત્રમાં દાન આપ્યાં છે અને જિનમંદિરો કરાવ્યા છે. તેમાં પ્રભુબિંબોની પ્રતિષ્ઠાઓ કરાવી છે અને તે બિંબોની અષ્ટપ્રકારી પૂજાઓ કરી છે, અનેક તીર્થયાત્રાઓ અને ગુરુ ભક્તિઓ પણ કરી છે. આ વગેરે સારાં ધર્મકૃત્યો મેં કર્યા છે.' એમ તે બોલતો હતો ત્યારે પહેરેગીરે કહ્યું કે, હવે દુષ્કૃત કાર્યો કર્યા હો, તે પણ કહો, રૌહિણેયે કહ્યું કે, નિરંતર સાધુ-સમાગમ હોવાથી મેં કોઈ દિવસ અશોભન કાર્ય તો કર્યું જ નથી. પ્રતિહારીએ કહ્યું. આખો જન્મ એક સ્વભાવવાળો જતો નથી માટે ચોરી, પરદારાગમન આદિ જે ખરાબ કાર્યો કર્યા હોય, તે કહી નાંખો, રૌહિણેયે કહ્યું કે, શું એવા વર્તનવાળા દેવલોક પામે ખરા ? શું આંધળો પર્વત પર ચડે ખરો ? ત્યાર પછી તેઓ અભય પાસે ગયા અને આ સર્વ હકીકત નિવેદન કરી. ? ત્યાર પછી અભયે શ્રેણિકને વિનંતી કરી કે, આવા ઉપાયો કરવા છતાં પણ ચોર જાણી શકાતો નથી, તે કદાચ ચોર હોય, તો પણ છોડી મૂકવો જોઈએ. કારણકે નીતિ ઉલ્લંઘન કરાય નહિ. રાજાના હુકમથી અભયે રૌહિણેયને છોડી દીધો. ‘ઠગવામાં પ્રવીણ હોય, તેવાથી કોઈ વખત હોંશિયાર પુરૂષો પણ ઠગાય છે ને ? ત્યાર પછી ચોર વિચાર કરવા લાગ્યો કે, મારા પિતાની આજ્ઞાને ધિક્કાર હો, કે જેણે મને લાંબા કાળથી ભગવંતના વચનામૃતથી વંચિત રાખ્યો. જો પ્રભુના વચનો મારા કાનમાં ન આવ્યા હોત તો હું વિવિધ પ્રકારના માર ખાઈને મૃત્યુ જ પામત, વગર ઈચ્છાએ પણ તે સમયે મેં ભગવંતનું વચન ગ્રહણ કર્યું. તો રોગીને જેમ ઔષધ તેમ મને જીવાડનારું થયું. અરેરે ! અદ્વૈતના વચનનો ત્યાગ કરીને અત્યાર સુધી ચોરની વાણીમાં મેં રિત કરી. ખરેખર આંબાનો ત્યાગ કરી કાગડો લીંબડામાં જેમ આનંદ માને તેમ મેં પણ પિતાના વચનમાં લાંબાકાળ સુધી આનંદ માન્યો. ઉપદેશમાંથી માત્ર એક દેશનું એટલું ફળ મળ્યું, તો પછી સમસ્ત પ્રકારે તેમના ઉપદેશનું સેવન કરવામાં આવે, તો કેટલો મહાન લાભ થાય ? એ પ્રમાણે મનથી શુભ ચિંતન કરતા ભગવંત પાસે જઈને તેમના ચરણકમળમાં નમસ્કાર કરીને રૌહિણેય વિનંતી કરી, ભયંકર આપત્તિઓ રૂપ જળચર પ્રાણીઓથી પરિપૂર્ણ એવા સંસાર - સમુદ્રમાં આપની યોજનગામિની વાણી મહાયાનપાત્રનું કાર્ય કરનારી થાય છે. અર્થાત્ તારનારી બને છે. પોતાને પ્રામાણિક પુરુષ માનતા એવા અનાર્ય પિતાએ મને આટલો કાળ તમારું વચન સાંભળવાનો નિષેધ કર્યો અને તેથી જગદ્ગુરુની વાણીથી હું વંચિત રહ્યો ત્રણ લોકના નાથ ! તેઓ ખરેખર ધન્ય છે, કે, જેઓ Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૩ ૧૪૯ ❖❖ શ્રદ્ધાપૂર્વક તમારા વચનરૂપ અમૃતનું કર્ણાંજલિપુટથી હંમેશા પાન કરે, હું તો કેવો પાપી ! કે તમારું વચન ન સાંભળવાની ઈચ્છાવાળો કાન ઢાંકીને સ્થાન ઉલ્લંઘી ગયો. એક વખત અનિચ્છાએ પણ તમારું એક વચન મેં સાંભળ્યું. તો મંત્રાક્ષરના પ્રભાવથી જ હું રાજ-રાક્ષસથી બચી ગયો, હે નાથ ! જેવી રીતે મરણથી મારું રક્ષણ કર્યું તેવી રીતે હે જગતના સ્વામી ! સંસાર-સાગરના આવર્તમાં ડૂબી રહેલા મને બચાવો ત્યારે પછી તેની અનુકંપાથી પ્રભુએ નિર્વાણપદને આપનારી નિર્મલ સાધુધર્મની દેશના કરી. ત્યાર પછી પ્રતિબોધ પામેલો પ્રણામ કરતો ઐહિણેય આ પ્રમાણે બોલ્યો, ‘હે પ્રભુ ! હું યતિધર્મને યોગ્ય છું કે કેમ ? તે આપ કહો ? ભગવંતે કહ્યું કે, ‘તું યોગ્ય છું' તો હે વિભુ ! હું વ્રત અંગીકાર કરીશ. વચમાં શ્રેણિકે કહ્યું કે, મારે તને કંઈક કહેવું છે, એમ કહીને ચોરને કહ્યું. કોઈ પણ ચિંતા કર્યા વગર અને શંકા રાખ્યા વગર તારે પોતાની જે હકીકત કહેવી હોય તે કહે. એ પ્રમાણે રાજાએ કહ્યું. ત્યારે લોહખુરના પુત્ર રૌહિણેય કહ્યું કે, ‘હે દેવ ! લોકો પાસેથી તમોએ જેને સાંભળ્યો છે, તે જ તમારા નગરમાં ચોરી કરનાર હું રૌહિણેય ચોર છું.' નદી જેમ નાવડીથી તેમ દુઃખે કરી લંઘન કરી શકાય તેવી અભયકુમારની બુદ્ધિ મેં ભગવંતના એક વચનથી ઉલ્લંઘન કરી, ‘હે રાજ્યના સૂર્ય ! આ નગરમાં મેં જ સર્વ ચોરી કરેલી છે. બીજા કોઈ ચોરની ગવેષણા કરશો નહીં. કોઈને પણ મારી સાથે મોકલો, જેથી ચોરેલી સર્વ વસ્તુઓ બતાવી દઉં અને પછી પ્રવજ્યા ગ્રહણ કરીને મારો જન્મ સફલ કરું.' પછી શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર પોતે અને નગરલોકો કૌતુકથી તે ચોર સાથે ગયા. ત્યાર પછી તેણે પર્વત, નદી, વનઝાડી, સ્મશાન વગેરે સ્થળમાં દાટેલું તે ધન અભયકુમારને બતાવ્યું. અભયે પણ જે જે ધન જેનું હતું. તે તેને અર્પણ કર્યું. નિર્લોભી અને નીતિ જાણનારા મંત્રીઓની સ્થિતિ બીજી હોતી નથી. પોતાના સંબંધી મનુષ્યોને પરમાર્થ કહીને, તથા પ્રતિબોધ કરીને શ્રદ્ધાવાળો રૌહિણેય ભગવંત પાસે આવ્યો ત્યાર પછી શ્રેણિક રાજાએ તેનો દીક્ષા-મહોત્સવ કર્યો અને શ્રી વીરભગવંતના ચરણકમળમાં તેણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી એક ઉપવાસથી માંડી છ મહિના સુધીના નિર્મળ તપઃકર્મ કર્મનો ઉચ્છેદ કરવા માટે આરંભ્યા. તપસ્યાથી શરીર કૃશ ક૨ીને ભાવ સંલેખના આરાધી શ્રીવીરભગવંતને પૂછી પર્વત પર પાદપોપગમન નામનું અનશન કર્યું. શુભ ધ્યાન કરતાં, પંચપરમેષ્ટિ-નમસ્કારનું સ્મરણ કરતાં રૌહિણેય મહામુનિ દેહનો ત્યાગ કરી સ્વર્ગમાં ગયા. ચોરીથી નિવૃત્ત થયેલો ઐહિણેયની માફક ટૂંકાકાળમાં સ્વર્ગ મેળવે છે માટે બુદ્ધિશાળી પુરુષ કોઈ પ્રકારે બંને લોક બગાડનાર ચોરી ન કરે. એ પ્રમાણે રૌહિણેય કથા— કહી || ૭૨ || ચોરીના અતિચારો ત્યાગ કરવા માટે કહે છે– १२९ दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः ' उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ॥ ૭૩ ॥ અર્થ : અન્યના સર્વસ્વ (સઘળી વસ્તુઓ) ને ગ્રહણ કરવાનો પ્રયાસ તો દૂર રહો, પરંતુ નહીં આપેલી તૃણ જેવી વસ્તુને પણ લેવી નહિ. | ૭૩ || ટીકાર્થ : પારકાના ધન વગેરે સર્વસ્વ હરણ કરવાની વાત તો દૂર રહી પરંતુ વગર આપેલ તણખલું પણ ગ્રહણ ન કરવું. તે માટે પ્રયત્ન કરવો. ॥ ૭૩ ચોરીથી વિરમેલાઓને બે શ્લોકથી ફળ બતાવે છે— Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ १३० परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् ।। अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव, स्वयंवराः ॥ ७४ ॥ અર્થ : શુદ્ધ ચિત્તવાળા જે આત્માઓને બીજાનું ધન ગ્રહણ નહિ કરવાનો નિયમ છે, તેઓની પાસે લક્ષ્મી સ્વયંવર-કન્યાની જેમ સ્વયં જ સામેથી આવે છે. જે ૭૪ / ટીકાર્થ : પારકું ધન હરણ નહિ કરવાનો નિયમ ગ્રહણ કરનાર નિર્મલ ચિત્તવાળો નહિ કે, બકવૃત્તિવાળા મલિન મનવાળા, તેઓની પાસે સંપત્તિઓ સ્વયંવરા કન્યા માફક આપમેળે આવે છે. નહિ કે બીજાની પ્રેરણા કે વેપાર-ધંધાથી || ૭૪ || તથા१३१ अनर्था दूरतो यान्ति, साधुवादः प्रवर्त्तते । स्वर्गसौख्यानि ढौकन्ते, स्फुटमस्तेयचारिणाम् ॥ ७५ ॥ અર્થ : અસ્તેય વ્રતને ધરનારાં આત્માઓને અનર્થો દૂરથી જ ચાલ્યા જાય છે, ગુણની પ્રશંસા થાય છે અને સ્વર્ગના સુખો પ્રાપ્ત થાય છે. | ૭૫ / ટીકાર્થ : અસ્તેય આચરનારાઓને વિપત્તિઓ પાસે હોય તો દૂર ચાલી જાય છે. અને લોકોમાં “આ પ્રામાણિક છે. એવી પ્રશંસા ફેલાય છે. આ લોકનું ફલ જણાવીને હવે પરલોકનું ફળ કહે છે કે, તેઓ જન્માતરમાં સ્વર્ગ-સુખો પ્રાપ્ત કરો પ્રસંગાનુરૂપ આંતરશ્લોકો કહે છે– અગ્નિશિખાનું પાન કરવું, સર્પના મુખે ચુંબન કરવું, હલાહલ ઝેર ચાટવું સારું પણ પારકું ધન હરણ ન કરવું. પારકા ધનના લોભ કરનારાની નિર્દય બુદ્ધિ ઘણે ભાગે વૃદ્ધિ પામે છે અને ભાઈ, પિતા, કાકા, મિત્રો, પુત્રો, અને ગુરુઓને હણવા તૈયાર થાય છે. દૂધ પીવાની ઈચ્છાવાલી બિલાડી ઉપર ઉગામેલી લાકડી માફક પરધન ચોરી કરનાર પોતાના વધ-બંધનને જોતો નથી. શિકારી માછીમારી, બિલાડી વગેરે કરતા પણ ચોર આગળ વધી ગયો છે. કારણકે તેને રાજા પકડે છે પણ બીજાને નહિ, હંમેશા બુદ્ધિશાળી પુરુષો, સુવર્ણ, રત્નાદિક પારકું ધન આગળ પડેલું હોવા છતાં તેને પત્થર સરખું માને છે. એવા પ્રકારના સંતોષામૃતરસ વડે તૃપ્ત થયેલા ગૃહસ્થો પણ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ૭૫ સ્કૂલ બ્રહ્મચર્યવ્રત અધિકાર હવે પરલોક અને આલોકના અબ્રહ્મચર્ય ફલને બતાવી ગૃહસ્થ-યોગ્ય બ્રહ્મચર્યવ્રત નિરૂપણ કરે છે– १३२ षण्ढत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत् स्वदारसंतुष्टो-ऽन्यदारान् वा विवर्जयेत् ॥ ७६ ॥ અર્થ: સમજુ પુરુષ પરલોકમાં નપુંસકપણું, આ લોકમાં રાજાદિકે કરેલ ઈન્દ્રિય-છેદ આદિક અબ્રહ્મનાં કડવાં ફળ દેખીને, કે શાસ્ત્રથી જાણીને અન્યની સ્ત્રીઓનો ત્યાગ કરે અને પોતાની ધર્મપત્નીમાં સંતોષ રાખે. | ૭૬ છે. ટીકાર્થ : જો કે ગૃહસ્થ અંગીકાર કરેલ વ્રતનું પાલન કરતો હોય, તેને તેટલો પાપ સંબંધ થતો નથી, તો પણ સાધુધર્મ તરફ અનુરાગવાળો યતિધર્મ પ્રાપ્ત કર્યા પહેલાં ગૃહસ્થપણામાં કામ-ભોગથી વિરમેલો થઈ શ્રાવકધર્મ પાલન કરે છે, તેવાને વૈરાગ્યની પરાકાષ્ટાએ પહોંચાડવા માટે સામાન્યપણે અબ્રહ્મનાં નુકસાન Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૪-૭૯ જણાવે છે ।। ૭૬ | १३३ रम्यमापातमात्रे यत् परिणामेऽतिदारुणम् किंपाकफलसंकाशं तत्कः सेवेत मैथुनम् ? ॥ ७७ ॥ અર્થ : પ્રારંભમાં રમ્ય, પરિણામે અતિ ભયંકર વિપાકવાળા અને કિંપાક વૃક્ષના ફળ સમા મૈથુનને કોણ સેવે ? ।। ૭૭ || ટીકાર્થ : કિંપાક નામના ફળ સરખા શરૂઆતમાં ભોગવતી વખતે મનોહર લાગતા અને ભોગવ્યા પછી કાળમાં ભયંકર દુઃખ આપનાર એવા પ્રકારના મૈથુનકર્મનું સેવન કોણ કરે ? કિંપાકવૃક્ષના ફળનું સ્વરૂપ જણાવે છે. તેના વર્ણ, ગંધ રસ અને સ્પર્શ કૌતુક ઉપજાવે તેવા સુંદર અને સ્વાદિષ્ટ હોય છે અને હૃદયને સંતોષ પમાડે છે, પરંતુ તે ખાવામાં આવે તો હે પુત્ર ! તેના ફળ જાણી શકાય છે. અર્થાત્ ખાનાર જીવી શકતો નથી, પણ મૃત્યુ પામે છે. કિંપાકના ફલ ખાવા માફક જો કે સેવન કરતી વખતે વિષયો મનની શાંતિ કરનાર જણાય છે પણ પાછળથી તેના પરિણામો ઘણાં ભયંકર હોય છે. ॥ ૭૭ || મૈથુન સેવનના ભયંકર પરિણામ કહે છેઃ— ૧૫૧ १३४ कम्पः स्वेदः श्रमो मूर्च्छा भ्रमिग्लानिर्बलक्षयः । राजयक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः ।। ૭૮ ॥ અર્થ : કંપવું, પરસેવો થવો, મૂર્છા, થાક, ચક્કર, અંગો તૂટવા, વીર્યનો નાશ અને ક્ષય આદિ અનેક રોગો મૈથુનસેવનથી ઉત્પન્ન થાય છે. | ૭૮ || , ટીકાર્થ : મૈથુન સેવન કરનારને ધ્રુજારી, પરસેવો, થાક, મૂર્છા, ચક્કર, અંગ તૂટવું. બલનો વિનાશ ક્ષય રોગ, ઉધરસ, દમ, શ્વાસ વગેરે રોગો ઉત્પન્ન થાય છે ॥ ૭૮ ॥ બાકીના વ્રતો અહિંસાના પરિવારભૂત હોવાથી મૈથુનમાં અહિંસાનો અભાવ કહે છે— १३५ योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः पीड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुन त्यजेत् 1 ।। ૭૧ ॥ અર્થ : જે મૈથુનમાં યંત્રમાં ઉત્પન્ન થયેલા અનેક સૂક્ષ્મ જીવોના ઢગલા પીડાઈને મરી જાય છે, તેવા મૈથુન પાપનો ત્યાગ કરો ॥ ૭૯ ॥ ટીકાર્થ : જીવને જન્મ આપવાનો માર્ગ યોનિ, તે યંત્રાકાર હોવાથી યોનિયંત્ર. તેમાં સ્વાભાવિક પણે ઉત્પન્ન થનારા સંમૂર્ણિમ જીવો અતિસૂક્ષ્મ હોવાથી ચક્ષુથી દેખી શકાતા નથી. તે વાત જણાવતાં કહે છે— રૂથી ભરેલી ભુંગળીમાં તપાવેલ લોઢાના સળિયાની જેમ યોનિમાં રહેલા સૂક્ષ્મ જંતુ-સમૂહો પુરુષચિહ્નથી મર્દન થતાં મૈથુનમાં વિનાશ પામે છે, માટે અનેક જીવોની હિંસા કરાવનાર મૈથુનનો ત્યાગ કરવો || ૭૯ || યોનિમાં જંતુઓનો સદ્ભાવ બીજા શાસ્ત્રોથી પણ દૃઢ કરે છે जन्तुसद्भाव वात्स्यायनोऽप्याह । કામશાસ્ત્ર રચનાર વાત્સ્યાયન પણ જંતુઓનો સદ્ભાવ માને છે, પણ છુપાવતા નથી. આથી એમ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ ન સમજવું કે, વાસ્યાયને પ્રમાણભૂત માની તેના શાસ્ત્રનો સ્વીકાર કરવો. અહીં એ કહેવા માંગીએ છીએ કે, કામની પ્રધાનતા માનનારાઓ પણ જીવોનો સદ્ભાવ સ્વીકારે છે, પણ ઓળખતા નથી, વાસ્યાયનનો શ્લોક આ પ્રમાણે १३६ रक्तजाः कृमयः सूक्ष्मा-मृदुमध्याधिशक्तयः । जन्मवर्त्मसु, कण्डूर्ति, जनयन्ति तथाविधाम् ॥ ८० ॥ અર્થ : લોહીથી ઉત્પન્ન થયેલા ઓછી મધ્યમ અને અધિક શક્તિવાળા, સૂક્ષ્મકૃમિ જીવો યોનિમાં પણ જ ઉત્પન્ન કરે છે. || ૮૦ || ટીકાર્થ : મૈથુન સેવનને કામખ્વરનો પ્રતિકાર કરનાર ચિકિત્સારૂપ ઔષધ સરખું માનનાર પ્રત્યે ઉપદેશ આપતાં રહે છે १३७ स्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या, विध्यापयितुमिच्छति ॥८१ ॥ અર્થ : જે પુરુષ સ્ત્રીના સંભોગથી કામક્વરને શાંત કરવા ઇચ્છે છે, તે પુરૂષ ઘીની આહુતિથી અગ્નિને બુઝાવવા ઈચ્છે છે. || ૮૧ || ટીકાર્થ : સ્ત્રી-સંભોગ કરવા દ્વારા જેઓ કામજ્વર શાન્ત કરવા ઈચ્છા કરતા હોય, તેઓ ઘીની આહુતિ આપીને અગ્નિને ઓલવવાની અભિલાષા કરે છે. અર્થાત્ તેમ કરવાથી કામફ્તર ઘટતો નથી, પણ વૃદ્ધિ પામે છે. બહારના પણ કહે છે કે, કામો ઉપભોગથી કદાપિ પણ શાંત થતા નથી, ઘીની આહતિથી અગ્નિ માફક કામો ઉત્તેજિત થાય છે. કામવરના પ્રતિકાર કરનાર કંઈક હોય તો વૈરાગ્ય ભાવના પ્રતિપક્ષ ક્રિયા-સેવન, ધર્મશાસ્ત્રશ્રવણ આદિક છે. | ૮૧ ||. કામવર પ્રશાન્ત કરવાના કારણો હોવા છતાં ભવભ્રમણના કારણ સ્વરૂપ મિથુન-સેવન કરવાથી શો લાભ ? એ જ કહે છે. १३८ वरं ज्वलदयस्तम्भ-परिरम्भो विधीयते न पुनर्नरकद्वार-रामाजघनसेवनम् || ૮૨ || અર્થ : બળતા લોઢાના થાંભલાને ભેટવો સારો, પણ નરકના દ્વાર સમાન સ્ત્રીનું જઘન સેવવું સારું નથી. || ૮૨ || ટીકાર્થ : તપાવેલ લાલચોળ લોહસ્તંભનું આલિંગન કરવું બહુ સારું છે, પરંતુ નરકના દ્વાર સરખા સ્ત્રીના સાથળનું સેવન ભયંકર છે. ભાવાર્થ એ છે કે, એક વખત કામવરની શાંતિ માટે મૈથુન એ જ ઉપાય હોય, તો પણ નરકનું કારણ હોવાથી તે પ્રશંસવા યોગ્ય નથી. || ૮૨ વળી સ્ત્રી-સંબંધના કારણભૂત સંભોગ કે તેનું સ્મરણ કરવામાં આવે, તો પણ સમગ્ર ગુણ-ગૌરવનો વિઘાત થાય છે १३९ सतामपि हि वामभू-र्ददाना हृदये पदम् । अभिरामं गुणग्रामं, निर्वासयति निश्चितम् ॥ ८३ ॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૮૦-૮૬ ૧૫૩ અર્થ : સજ્જનોને પણ પોતાના હૃદયમાં સ્થાન આપતી સ્ત્રી મનોહર એવા ગુણગ્રામનો નાશ કરે છે, તે વાત નિશ્ચિત છે. || ૮૩ || ટીકાર્થ : કટાક્ષ કરનાર એવી સ્ત્રીઓનું સ્મરણમાત્ર કરવાથી સજ્જન પુરુષોના ગુણ-સમુદાયને દેશવટો ભોગવવો પડે છે, એ સંદેહ વગરની વાત સમજવી. આ કહેવાનો આશય એ છે કે, જેમ કોઈ ખરાબ રાજ્યાધિકારી કોઈ દેશમાં રક્ષણ કરવા નિમેલ હોય પરંતુ તે રક્ષણ કરવાને બદલે લોભબુદ્ધિથી કે અજ્ઞાનતાથી ગામો ઉજ્જડ કરી નાંખે છે. એવી રીતે હૃદયમાં સ્થાન પામેલી કામિની પણ પાલન કરવા યોગ્ય ગુણ-સમુદાયનો મૂળમાંથી ઉચ્છેદ કરે છે અથવા સત્પુરુષોના ગુણ-સમુદાય ઉપર કે તેના હૃદય પર પગ મૂકીને વામનયના સ્ત્રી ગુણોને દૂર કરાવે છે. | ૮૩ ॥ હૃદયમાં સ્થાપન કરેલી સ્ત્રી ઘણા દોષવાળી હોવાથી ગુણહાનિના કારણભૂત છે. તો પછી તેની સાથે રમણ કેમ કરાય ? તે કહે છે १४० वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता I इति नैसर्गिका दोषा यासां तासु रमेत कः ? ૫ ૮૪ ॥ અર્થ : વંચકપણું, ક્રૂરતા, ચંચળતા, કુશીલતા આદિ સ્વાભાવિક દોષો જેઓમાં છે, તેવી સ્ત્રીઓમાં ક્યો (પંડિત) પુરુષ ૨મણતા કરે ? ।। ૮૪ || ટીકાર્થ : છેતરવાનો સ્વભાવ, ક્રૂરતા, ચંચળતા, કુશીલતા, ખરાબ સ્વભાવ, યોનિસંયમનો અભાવ આ વિગેરે તેનામાં સ્વભાવિક દોષો છે, પણ સકારણ નથી. તેવી હલકી સ્ત્રીઓમાં કોણ ડાહ્યો રાગબુદ્ધિ કરી ૨મણ કરે ? ।। ૮૪ || માત્ર આટલા જ દોષો સમાપ્ત થતા નથી. પરંતુ માપ વગરના દોષો કહે છેप्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते १४१ ' स्त्रीणां प्रकृतिवत्राणां दुश्चरित्रस्य नो पुनः 11 24 11 અર્થ : અપાર એવા સાગરનો પાર પામી શકાય, પરંતુ સ્વભાવથી જ વક્ર એવી સ્ત્રીઓના દુષ્ટ ચરિત્રનો પાર ન પમાય. | ૮૫ || ટીકાર્થ : જેનો કિનારો દેખાતો નથી, એવા સમુદ્રનો પાર પામવો સહેલો છે. પરંતુ સ્વભાવથી જ કુટિલ ચારિત્રવાળી સ્ત્રીઓના ખરાબ વર્તનનો પાર પામવો અશક્ય છે. | ૮૫ ॥ દુરિત્ર કહે છે 1 १४२ नितम्बिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् आरोपयन्त्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥ ૮૬ ॥ અર્થ : દુષ્ટ આચારવાળી સ્ત્રીઓ પતિને, પુત્રને, પિતાને અને ભાઈને ક્ષણવારમાં પ્રાણનો સંશય થાય તેવા પણ અકાર્યમાં ચડાવે છે - ગોઠવે છે. II ૮૬ | ટીકાર્થ : નિતંબિની કહેવાથી યૌવનનો ઉન્માદ જણાવવા માટે, દુશ્ચરિત્રવાળી, નાના કાર્યના કે અકાર્યના પ્રસંગમાં પણ પતિને. પુત્રને. પિતાને, ભાઈને કે માતાને ક્ષણવા૨માં સૂર્યકાન્તાએ જેમ પ્રદેશી રાજાને કર્યો તેમ પ્રાણના સંદેહવાળા અકાર્યમાં આરોપણ કરે છે. કહ્યું છે કે, ઈન્દ્રિયના દોષે નચાવેલી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ભાર્યા પણ સુર્યકાન્તા રાણીએ જેમ પ્રદેશી રાજાને મારી નાંખ્યો, તેમ પતિવધનું પાપ કરનાર થાય છે. (ઉ. પ્ર. ૧૪૮) ચુલનીએ જેમ બ્રહ્મદત્ત પુત્રને-પોતાની બુદ્ધિથી કલ્પેલા પદાર્થો પૂર્ણ ન થવાથી ચુલની માતાએ બ્રહ્મદત્ત પુત્રને જેમ સંકટમાં નાંખો. (ઉ. મા. ૧૪૫) જીવયશાઓએ જેમ જરાસંઘને, પત્ની પદ્માવતીના કારણે કૌશિકે કાલાદિક ભાઈઓને અકાર્યમાં જોડી મૃત્યુ પમાડ્યા / ૮૬ // માટે જ १४३ भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका । __ शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥ ८७ ॥ અર્થ : સ્ત્રી એ સંસારનું બીજ છે, નરક ધારના માર્ગની દીવડી છે, શોકનો કંદ છે, કજીયાનું મૂળ છે અને દુઃખોની ખાણ છે || ૮૭ || ટીકાર્થ : આ અંગના સંસાર-અંકુરનું બીજ-સંસાર વધારવાનું કારણ સ્ત્રી છે. નરકનું પ્રવેશદ્વાર, તેનો માર્ગ બતાવનાર દીપિકા, સરખી શોક-વલ્લીનો કંદ, કલહ-વૃક્ષનું મૂલ, શારીરિક, માનસિક દુઃખોની ખાણ છે. આ પ્રમાણે યતિધર્માનુરાગી ગૃહસ્થ માટે સામાન્યથી મૈથુન અને સ્ત્રીઓના દોષો કહ્યા છે કે ૮૭ / હવે સ્વદારા-સંતોષી ગૃહસ્થોને ઉદ્દેશીને સાધારણ સ્ત્રીના દોષો પાંચ શ્લોકોથી કહેવાય છે– १४४ मनस्यन्यद्वचस्यन्य-क्रियायामन्यदेव हि । यासां साधारण स्त्रीणां, ताः कथं सुखहेतवः ॥८८ ॥ અર્થ : જે વેશ્યાઓના મનમાં જુદું હોય, વચનમાં જુદું હોય અને કાયામાં જુદું હોય તેવી સ્ત્રીઓ સુખના હેતુભૂત કેમ થાય ? A ૮૮ || ટીકાર્થ : મનમાં બીજું, વચનમાં ત્રીજું, ક્રિયામાં ચોથું હોય. અર્થાત્ જેનાં મન, વચન અને કાયા જુદા જુદા પ્રવર્તતા હોય એવી વેશ્યા સ્ત્રીઓ વિશ્વાસના કારણભૂત કે સુખ માટે થાય નહિ. સંકેત બીજાને આપે, માંગણી બીજા પાસે કરે, સ્તુતિ બીજાની કરે, ચિત્તમાં બીજો હોય, પડખે વળી કોઈ અન્ય હોય; ગણિકાઓનું ચરિત્ર ખરેખર આશ્ચર્ય કરનાર છે. તે ૮૮ || તેમજ– १४५ मांसमिश्रं सुरामिश्र-मनेकविटचुम्बितम् । __ को वेश्यावदनं चुम्बे-दुच्छिष्टमिव भोजनम् ॥ ८९ ॥ અર્થ : માંસમિશ્રિત, મદિરાથી ગંધાતુ અને અનેક વિટપુરુષોએ ચુંબન કરેલ વેશ્યાના મોઢાને એંઠા ભોજનની જેમ કોણ ચુંબન કરે ? || ૮૯ | ટીકાર્થ: જલચર, સ્થલચર, ખેચર જીવોના માંસ-મિશ્રિત દુર્ગધવાળું વેશ્યાઓ માંસ ખાનાર હોવાથી, કાષ્ઠ, પિષ્ટાદિકની બનાવેલી મદિરાથી મિશ્રિત, તેઓ મદિરા-પાન કરનારી હોવાથી, અનેક પ્રકારની જાતિવાળા વિટ-જાર પુરુષોથી ચુંબિત થયેલી, ઘણા ભાગે વિટોમાં આસક્તિવાળી બનેલી હોવાથી, માંસ મદિરાથી મિશ્રિત-ઉચ્છિષ્ટ-એંઠા ભોજન સરખી વૈશ્યાના મુખને કોણ ચુંબન કરે ? | ૮૯ | તેમ જ– Page #206 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૮૭-૯૩ १४६ अपि प्रदत्तसर्वस्वात् कामुकात् क्षीणसम्पदः । वासोऽप्याच्छेत्तुमिच्छन्ति गच्छतः पण्ययोषितः ॥ ९० ॥ અર્થ : વેશ્યાઓ સઘલું ધન આપનાર, ક્ષીણ થયેલી સંપત્તિવાળા અને જતા એવા કામી પુરૂષો પાસેથી વસ્ત્ર પણ ખેંચી લેવાને ઈચ્છનારી હોય છે. | ૯૦ ॥ ટીકાર્થ : ધનિકપણાની અવસ્થામાં સર્વસ્વ સમર્પણ કર્યું હોય, પરંતુ પુણ્ય ક્ષીણ થવાથી સંપત્તિઓ ચાલી જાય અને પહેરેલ વસ્ત્ર બાકી રહેલું હોય તો બળાત્કારે તે પણ ઝુંટવી લેવાની ઈચ્છાવાળી વેશ્યા હોય છે. આમ કહીને તે કૃતઘ્ન છે તે જણાવ્યું. કહેલું છે કે, પોતાના ધર્મપત્ની કરતાં પણ અધિકપણે સારસંભાળ કરી હોય, એવી વેશ્યા ક્ષીણ સંપત્તિવાળા પુરુષના વસ્ત્ર પણ મેળવવાની અભિલાષાથી નજર કરે છે. || ૯૦ ॥ તથા— १४७ न देवान्न गुरुन्नापि सुहृदो न च बान्धवान् । असत्सङ्गरतिर्नित्यं, वेश्यावश्यो हि मन्यते ॥ ૧૧ ॥ ૧૫૫ અર્થ : હંમેશા દુર્જનના સંગમાં આનંદ માનનારો અને વેશ્યાને વશ થયેલો પુરૂષ દેવ-ગુરુ-મિત્ર અને ભાઈઓને પણ માનતો નથી. II ૯૧ || ટીકાર્થ : વૈશ્યાને આધીન બનેલો પુરુષ દેવને, ગુરુને, મિત્ર કે બંધુઓને માનતો નથી, પણ હંમેશા ખરાબ સોબતીઓની સોબતમાં આનંદ માને છે. II ૯૧ | १४८ कुष्ठिनोऽपि स्मरसमान् पश्यन्तीं धनकाङ्क्षया । तन्वन्तीं कृत्रिमस्नेहं निःस्नेहां गणिकां त्येजत् ॥ ९२ ॥ અર્થ : ધનની ઈચ્છાથી કોઢિયા પુરુષને પણ કામદેવ જેવા રૂપવાન માનતી અને ખોટા સ્નેહને કરતી સ્નેહ વગરની ગણિકાનો ત્યાગ કરવો. || ૯૨ || ટીકાર્થ : ધન મેળવવાની અભિલાષાથી કોઢિયાને પણ કામદેવ સમાન માની તેની મોટી પ્રતિપત્તિસેવા, વિલાસ કરે છે, કારણ કે સ્નેહ બતાવ્યાં વગર તેની પાસેથી ધન-પ્રાપ્તિ થતી નથી. આવા પ્રકારનો કૃત્રિમ સ્નેહ કરનારી, સ્નેહ વગરની ગણિકાનો ત્યાગ કરવો. આ પ્રમાણે સ્વદારા-સંતોષી ગૃહસ્થે પણ્ણાંગના સ્ત્રીના દોષો જાણી, તેનો ત્યાગ કરવો ॥ ૯૨ | હવે પરસ્ત્રી-ગમનના દોષો કહે છે. १४९ नासक्त्या सेवनीया हि, स्वदारा अप्युपासकैः । आकरः सर्वपापानां किं पुनः परयोषितः ॥ ૧૨ ॥ અર્થ : અરિહંત આદિની ઉપાસના કરનારા શ્રાવકોએ સર્વ પાપોની ખાણ સમાન પોતાની સ્ત્રીને પણ આસક્તિથી સેવવી નહિ, તો પછી અન્ય સ્ત્રીઓની વાત જ શું કરવી ? || ૯૩ ॥ ટીકાર્થ : સાધુપણું સ્વીકાર કરવાની અભિલાષાવાળા અને દેશિવરતિ ધર્મના પરિણામવાળા શ્રાવકે ગૃહસ્થપણામાં પણ વૈરાગ્યની અધિકતાથી પોતાની સ્ત્રીના વિષયમાં પણ આસક્તિ ન કરવી જોઈએ, તો Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પછી પારકી સ્ત્રી તો અત્યંત સેવન કરવા યોગ્ય નથી, માટે શ્રાવકોને સર્વ પાપોની ખાણ પરસ્ત્રીનું પાપકારીપણું બતાવે છે– / ૯૩ | १५० स्वपति या परित्यज्य, निस्त्रपोपपतिं भजेत् । तस्यां क्षणिकचित्तायां विश्रम्भः कोऽन्ययोषिति ?॥ ९४ ॥ અર્થ : લજ્જા વગરની જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને અન્ય પતિને સેવે છે. તેવી ક્ષણિક ચિત્તવાળી બીજી સ્ત્રીમાં વિશ્વાસ કેમ રખાય ? | ૯૪ ટીકાર્થ : ‘ભર એ જ દેવતાં’ ગણનારી સ્ત્રીઓ હોય છે, કારણ કે તે શ્રુતિનું વચન છે. એટલે જે પોતાના પતિને દેવસ્વરૂપે ન માનતાં તેનો ત્યાગ કરીને નિર્લજ્જ બની બીજા પતિને સેવે છે. હવે પરસ્ત્રીમાં પ્રસક્ત બનેલાને શિખામણ આપે છે || ૯૪ || १५१ भीरोराकुलचित्तस्य, दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तु-मुपशूनं पशोरिव ॥ ९५ ॥ અર્થ : જેમ પશુને પુત્રની સાથે તેમ પાપથી ડરનારાં આકુળ-વ્યાકુળ ચિત્તવાળા અને ખરાબ સ્થિતિવાળા પુરુષે અન્ય સ્ત્રીમાં આનંદ કરવા યોગ્ય નથી. | ૯૫ // ટીકાર્ય : પતિ અગર રાજા વગેરેથી ભય પામેલા, “આ મને દેખી ગયો છે' એ મારું પાપ જાણી ગયો છે તેથી વ્યાકુળ ચિત્તવાળાએ કતલખાના પાસે પશુને જેમ રતિ કરવી યોગ્ય નથી તેમ ઘરબાર શયા આસન વગરના દુઃખી પુરુષે પણ પરસ્ત્રીમાં રતિ કરવા યોગ્ય નથી. // ૯૫ // તે કારણથી– १५२ प्राणसंदेहजननं, परमं वैरकारणम् लोकद्वयविरूद्धं च, परस्त्रीगमनं त्यजेत् ॥ ९६ ॥ અર્થ : પ્રાણનો સંદેહ ઉત્પન્ન કરનારા, વૈરનું વિશિષ્ટ કારણ, અને ઉભયલોકમાં વિરૂદ્ધ એવા પરસ્ત્રીગમનનો પરિત્યાગ કરવો જોઈએ. ૯૬ // ટીકાર્થ : ઘણે ભાગે બીજાઓ પારકી સ્ત્રીમાં પ્રસક્ત બનેલા પુરુષનો નાશ કરે છે. એટલે પ્રાણનો સંદેહ ઉત્પન્ન કરનાર, મોટા વેરનું કારણ કહેલું છે કે, “જેના મૂળ ઊંડા ગયા છે એવા વૈરવૃક્ષનું મોટું કારણ સ્ત્રીઓ છે.' આ લોક-વિરુદ્ધ અને પરલોક-વિરુદ્ધ, એવું પરસ્ત્રીગમન તજવું. / ૯૬ || બંને લોક વિરુદ્ધ વિશેષણને સ્પષ્ટ સમજાવે છે– १५३ सर्वस्वहरणं बन्धं, शरीरावयवच्छिदाम् । મૃતશ નર ઘોર, નમતે પારિવારિક | ૨૭ અર્થ : પરદારાગમન કરનારા પુરુષ સર્વધનનો નાશ કરે છે, બંધનમાં આવે છે, શરીરના અવયવોનો છેદ પામે છે, અને મરેલો એવો તે ભયંકર નરકમાં જાય છે. || ૯૭ || ટીકાર્થ : પરદાર-ગમન કરનાર સર્વ ધનનું હરણ દોરડા આદિકથી બંધન, શરીરમાં અવયવો કે પુરુષચિહ્નનો છેદ વગેરે આ લોકના અને મરીને પરભવમાં ઘોર નરકમાં મહાદુઃખો પ્રાપ્ત કરે છે. / ૯૭). Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, ગ્લો.૯૪-૯૯ ૧૫૭ યુક્તિ-પૂર્વક પરસ્ત્રીગમનનો નિષેધ કરે છે १५४ स्वदाररक्षणे यलं विदधानो निरन्तरम् । जानन्नपि जनो दुःखं, परदारान् कथं व्रजेत् ? ॥ ९८ ॥ અર્થ : સ્વસ્ત્રીના રક્ષણમાં સદા પ્રયત્ન કરતો અને દુઃખને જાણતો એવો માણસ અન્ય સ્ત્રી ગમન કેમ કરે છે ? | ૯૮ // ટીકાર્થ : પોતાની પત્નીમાં બીજો આસક્તિ કરે, તો તેના માટે જેમ પોતાને દુઃખ થાય છે. અને પોતાની સ્ત્રીનું રક્ષણ કરવા માટે ભિત્તિ, વડી, કોટ, પહેરેગીર આદિકથી રાત-દિવસ રક્ષણનો પરિફ્લેશ કરે છે અને તેનું દુઃખ પોતે સમજે છે, એમ આત્માનુભવથી પરના દુઃખને દેખતો સુજ્ઞ પરદાર-ગમન કેમ કરે ? || ૯૮ || પરસ્ત્રી-ગમન કરવાની વાત તો દૂર રહો. પરંતુ તેની ઈચ્છા પણ મહાઅનર્થ કરનાર થાય છે. તે કહે છે– १५५ विक्रमाक्रान्तविश्वोऽपि, परस्त्रीषु रिम्सया । कृत्वा कुलक्षयं प्राप नरकं दशकन्धरः ॥ ९९ ॥ અર્થ : પરાક્રમથી આખાય જગતને સ્વાધીન કરનારો રાવણ પરસ્ત્રીમાં રમવાની ઈચ્છાથી કુલનો ક્ષય કરીને નરકગતિને પામ્યો. મેં ૯૯ / ટીકાર્થ : પોતાના પરાક્રમથી વિશ્વને ધ્રુજાવનાર રાવણ પણ પારકી સ્ત્રી સાથે રમવાની ઈચ્છાથી કુલનો ક્ષય કરી નરકે ગયો. આટલા પરાક્રમવાળાએ પણ અનર્થ મેળવ્યો તો પછી બીજા માટે શું કહેવું? // ૯૯ || આ વાત સંપ્રદાયથી આ પ્રમાણે સમજવી– રાવણની કથા રાક્ષસ નામના દ્વીપમાં પૃથ્વીમાં મુગટમણિ સમાન ત્રિકૂટપર્વતના શિખર ઉપર સુવર્ણમય લંકા નામની વિશાલ નગરી હતી. તે નગરીમાં પુલસ્ય કુલમાં કૌસ્તુભમણિ સમાન મહાપરાક્રમી વિશ્વને રાડ પડાવનારા રાવણ નામનો વિદ્યાધર રાજા થયો. તેને અતિશય બળવાળો જાણે બીજા બે બાહુતંભ હોય તેવા કુંભકર્ણ અને બિભીષણ નામના બે ભાઈઓ હતા. કોઈક દિવસે તેણે કુલદેવતા જેવી પોતાના પૂર્વજોએ મેળવેલી નવરત્નોની માળા મહેલમાં જોઈ. બાર સૂર્યો સંભળાય છે. તેમાં આ નવ સૂર્યો જ કેમ દેખાય છે ? એમ તેણે ત્યાં વૃદ્ધોને પૂછ્યું ત્યારે તેઓએ તેને કહ્યું કે, આગળ તારા પૂર્વજોએ વરદાનમાં મેળવેલ મહાસારભૂત મહાકિંમતી રત્નમાળા છે. આ માળા જે કંઠમાં નાંખશે તે અર્ધભરતેશ્વર થશે. આ પ્રમાણેનો કુલપરંપરાનો રિવાજ ચાલ્યો આવે છે તે અનુસાર તારા પૂર્વજો પણ તેની પૂજા કરે છે. ત્યાર પછી તેણે ગળામાં પહેરી એટલે નવરત્નોમાં તેના મુખની છાયા સંક્રમી, ત્યારથી તેની દશમુખવાળો રાવણ એવી પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી લોકોએ જય જય એવા શબ્દોથી અભિનંદન કર્યું ત્યારે જગતના વિજય માટે સાક્ષાત્ ઉત્સાહ હોય તેમ તે શોભવા લાગ્યો. તેની પાસે અસાધ્ય સાધનો વડે પ્રૌઢ સેનાઓ સરખી પ્રજ્ઞપ્તિ વગેરે અનવદ્ય વિદ્યાઓ હંમેશા સાથે રહેતી હતી તેથી દુ:સાધ્ય એવો અર્ધભરત એક ગામ જીતવા માફક સહેલાઈથી તેણે જીતી લીધો. છતાં પણ બાહુબળની ખણ અપૂર્ણ રહી. આબાજુ આગલા જન્મમાં ઈન્દ્રપણાની સ્થિતિનો Page #209 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૫૮ અનુભવ કરનાર અનેક વિદ્યાવાળો ઈન્દ્ર નામનો વિદ્યાધર રાજા વૈતાઢય પર્વત પર હતો. વિશ્વમાં ઐશ્ચર્યબલની અધિકતાથી અને આગલા ઈન્દ્રપણાના અભ્યાસથી પોતે પોતાને જ ઈંન્દ્ર માનવા લાગ્યો કે બીજા કોઈ ઈન્દ્ર નથી. તેણે પોતાની મુખ્ય પટ્ટરાણીનું નામ શચી, અસ્ત્રનું નામ વજ્ર, પટ્ટહાથીનું નામ ઐરાવત, અશ્વનું નામ ઉચ્ચઃશ્રવા સારથિનું નામ માતલ, અને ચાર મહાસુભટોનાં સોમ, યમ, પાધર (વણ) અને કુબેર એ પ્રમાણે નામો રાખ્યાં. બાહુબલમાં મદોન્મત્ત બનેલો તે પોતાને ઈન્દ્ર માનતો અને બીજાને તણખલાં સરખા ગણતો ભયંકર યુદ્ધ કરનાર રાવણને પણ તે ગણકારતો નહિ. એટલે તેના પર કોપ પામેલા યમરાજા સરખા બલવાળો રાવણ શ્રાવણના મેઘ સરખી ગર્જના કરતો લડવા ચાલ્યો. વિદ્યાના પ્રભાવથી જળ, આકાશ અને પૃથ્વી પર સરખા વાહનવાળા વિદ્યાધરો અને સૈન્ય સહિત તેણે સમુદ્રનું લંઘન કર્યું. કલ્પાંતકાળના મહાવાયરાની જેમ સૈન્યરૂપી વંટોળિયાની ઉડેલી રજશ્રેણિ વડે આકાશને ઢાંકી દેતો તે એકદમ વૈતાઢયે પહોંચ્યો. રાવણને આવતો જાણીને ઈન્દ્ર પણ એકદમ સામે આવ્યો. કારણકે, ‘પુરુષોને મૈત્રી અને વૈર બંનેમાં સન્મુખ આવવું એ પ્રથમ કાર્ય છે.' મહાપરાક્રમી રાવણે દૂરથી જ એક દૂત મોકલી ઈન્દ્રને મધુર શબ્દોથી કહેવરાવ્યું છે. ‘અહિં’ જે કેટલાક વિદ્યા અને ભુજાબળથી ગર્વિત રાજાઓ છે, તેમણે ભેટણા આપવા પૂર્વક દશકંધર રાવણ રાજાની પૂજા કરી છે. રાવણની વિસ્મૃતિથી અને તમારી સરળતાથી અત્યાર સુધીનો સમય પસાર થઈ ગયો. હવે તમારે સેવા કરવાનો સમય પાકી ગયો છે. માટે તેમના પ્રત્યે ભક્તિ નહિંતર શક્તિ બતાવો. ભક્તિ અને શક્તિ બેમાંથી એક પણ નહિ બતાવો, તમો વિનાશ પામશો.' ઈન્દ્રરાજાએ એમ કહ્યું કે, ‘બિચારા રાંકડા રાજાઓએ તેની પૂજા કરી. એટલે રાવણ મદોન્મત્ત બની મારી પાસેથી પણ પૂજાની અભિલાષા કરે છે ! અત્યાર સુધી તો રાવણનો કાલ જેમ તેમ સુખમાં ગયો, પણ હવે તો કાલરૂપ તેનો સમય પાકી ગયો છે. માટે તું તારા સ્વામી પાસે જઈને કહે કે, તે મારા પ્રત્યે ભક્તિ કે શક્તિ બતાવે. જો તે ભક્તિ કે શક્તિ વગરનો હશે તો આ પ્રમાણે વિશાન પામશે.’ દૂતે આવીને રાવણને જ્યારે સમાચાર સંભળાવ્યા, ત્યારે ક્રોધથી ભયંકર બનેલો રાવણ પ્રલયકાળના ખળભળેલા સમુદ્ર સરખા અનંત સૈન્યરૂપી કલ્લોલો સાથે લડવા ચાલ્યો. સંવર્ત પુષ્કરાવર્ત મેઘ સરખા શસ્ત્રોના વરસાદ કરતાં બંને લશ્કરોનું માંહોમાંહે અથડામણવાળું યુદ્ધ થયું. રાવણપુત્રે રાવણને નમન કરીને યુદ્ધ કરવા માટે ઈન્દ્રને બોલાવ્યો. વીર પુરુષો યુદ્ધક્રીડામાં કોઈને અગ્રપદ આપતા નથી. ત્યાર પછી બંને એકાંકી વિજય મેળવવાની અભિલાષાવાળા ઈન્દ્ર અને રાવણપુત્ર સૈન્યોને દૂર કરી ને દુર્ધર બની દ્વન્દ્વયુદ્ધ કરવા લાગ્યા. મદોન્મત્ત બે હાથી દ્વન્દ્વયુદ્ધ કરતાં હોય તેવાં આ બંને માંહોમાંહે યુદ્ધનો પાર પામવા માટે શસ્ત્રોના પ્રહાર કરવા પૂર્વક લડતા હતા. એકબીજા વેગથી પરાવર્તન પામી જતા હોવાથી રાવણપુત્ર ઉ૫૨ છે કે નીચે ? કે ઈન્દ્ર ઉપર છે કે નીચે ? તે જાણી શકાતું ન હતું. વિજયશ્રી ક્ષણવા૨ ઈન્દ્રને વિષે, ક્ષણવાર મેઘનાદ વિષે એમ આવ-જા કરતા બહાદુર એવા બંનેથી ભય પામી હોય તેમ જવા-આવવા લાગી. ત્યાર પછી ગર્વથી સર્વસામર્થ્ય વડે મેઘનાદે ઉપદ્રવ કર્યો. એટલે તે ઈન્દ્ર મશક જેવો નિર્બલ બની ગયો. તરત જ રાવણપુત્ર મેઘનાદે તેને નીચે પાડ્યો અને બાંધ્યો. ‘જયની ઈચ્છાવાળાઓને જયમાં પ્રથમ હેતુ ઉતાવળથી કાર્ય કરવાપણું હોય છે.’ સિંહનાદથી આકાશને પણ ગજાવતા મેઘનાદે મૂર્તિમાન જય માફક તેણે અર્પણ કર્યો. રાવણે તેને પ્રબલ રક્ષણવાળા કેદખાનામાં નાંખ્યો. બળવાન બંને કાર્ય કરનારા હોય છે. હણે પણ ખરા અને રક્ષણ પણ કરે. દંડધર,, સોમ પાશવાન (વરુણ) અને કુબેર એ ચારે સુભટોએ ઈન્દ્રને પકડવાથી ક્રોધવાળા થઈ રાવણને ઘેરી લીધો. જીત પામેલા રાવણ પણ ચારે સુભટોની સાથે ચારગુણા ઉત્સાહથી લડ્યો અને દંડવાળાનો દંડ ભાગી નાંખ્યો, ગદાવાળાની ગદા ચૂરી Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૫૯ ✰✰ નાખી, વરુણનો પાશ તોડી નાંખ્યો, સોમનું ધનુષ છેદી નાખ્યું. જેમ મોટો હાથી નાના હાથીઓને તેમ પ્રહારોથી તેમને નીચે પટકાવ્યા અને વેરીનો વિનાશ કરનારા રાવણે પકડી ચારેને બાંધ્યા. સાત અંગવાલા રાજ્ય સહિત તે ઈન્દ્રને સાથે રાખી પાતાલલંકા જીતવા માટે રાવણ ચાલ્યો. ત્યાર પછી ત્યાં ચંદ્રોદર રાજાને હણીને તેનું રાજ્ય અને પોતાની બેન ત્રણ મસ્તકવાળા ખર દૂષણમાં મોટા ખરને આપ્યાં. ચંદ્રોદરનું સમગ્ર રાજ્ય કઠોર બળવાળા ખરે ગ્રહણ કર્યું. પરંતુ એક ગર્ભવતી રાણી નાસીને ગમે ત્યાં ચાલી ગઈ. તે પછી લંકાપતિ રાવણ પાતાલલંકાથી ગયો અને દેવતાઓને પણ કાંટા સમાન તેણે પોતાનું રાજ્ય નિષ્કંટક બનાવ્યું. કોઈક સમયે રાવણે પુષ્કર વિમાનમાં બેસીને ક્રીડાથી આમતેમ ફરતા મરુતરાજાએ પ્રારંભેલા મહાયજ્ઞને દેખ્યો. ત્યાર પછી તે યજ્ઞ જોવાની ઈચ્છાથી રાવણ વિમાનથી નીચે ઉતરીને તે સ્થળે ગયો. એટલે તે રાજાએ સિંહાસન પર બેસાડવા ઈત્યાદિકથી સત્કાર કર્યો પછી રાવણરાજાએ મરુત્ત રાજાને કહ્યું કે, ‘અરે ! નરકે લઈ જનાર આ યજ્ઞ કેમ કરે છે ?' ત્રણે જગતનું હિત કરનારા સર્વજ્ઞ ભગવંતોએ અહિંસાથી ધર્મ કહ્યો છે. તો પછી પશુઓની હિંસાવાળા યજ્ઞથી ધર્મ કેવી રીતે થાય ? માટે બંને લોક બગાડનાર શત્રુ સરખો યજ્ઞ તું ન કરીશ, અને જો કદાચ કરીશ આ લોકમાં મારા કેદખાનામાં અને પરલોકમાં નરકમાં તારો વાસ થશે. મરુત્તરાજાએ તરત જ યજ્ઞ બંધ કર્યો કારણકે વિશ્વને ભયંકર એવી રાવણની આજ્ઞા માનવી જ પડે. મરુત્ત રાજાના યજ્ઞને બંધ કરાવી પવન સરખા વેગવાળો તે સુમેરું અને અષ્ટાપદાદિક તીર્થોની યાત્રા કરવા ગયો. ત્યાં શાશ્વતા-અશાશ્વતા ચૈત્યોમાં યાત્રા કરીને ફરી પાછો રાવણ પોતાને સ્થાને આવ્યો. રામ અને રાવણનું યુદ્ધ આ બાજુ અયોધ્યા નગરીમાં અસીમ સંપત્તિના સ્થાન સ્વરૂપ મહારથી દશરથ નામનો રાજા હતો. મૂર્તિમાન ચાર દિશાલક્ષ્મી હોય, તેવી રીતે કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા નામની ચાર પ્રિયાઓ હતી. કૌશલ્યા રાણીએ રામને, કૈકયીએ ભરતને, સુમિત્રાએ લક્ષ્મણ અને સુપ્રભાએ શત્રુઘ્ન નામના પુત્રોને જન્મ આપ્યો. ઈન્દ્રના ઐરાવત હાથીના દાંત માફક રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન શોભતા હતા. જનકની પુત્રી, અને ભામંડલની બેન સીતા સાથે ધનુષ્યબાણ આરોપણકરી રામભદ્રે લગ્ન કર્યા. એક દિવસે દશરથ રાજાએ ચારે રાણીઓને મંગલસ્વરૂપ જિનેન્દ્ર-બિંબનું અભિષેક જળ મોકલાવ્યું. પોતાને તે જળ મોડું મળવાથી રીસાએલી કૌશલ્યા રાણીને મનાવવા માટે રાજા પોતે ગયો. ત્યાં આગળ ઘંટના લોલક સરખા હાલતા દાંતવાળા, ચલાયમાન મુખવાળા, આખા શરીર પર શ્વેત કેશવાળા, પાંપણમાં બીડાએલી આંખવાળા, ડગલે-પગલે ચાલતા સ્ખલના પામતા, મરણની યાચના કરતા, એક ઘરડા-અંતઃપુર સેવકને રાજાએ દેખ્યો. તેને જોઈ રાજાએ વિચાર કર્યો કે, જ્યાં સુધીમાં આપણે આવી દશા ન પામીએ, ત્યાં સુધીમાં ચોથા પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરીએ. વ્રત ગ્રહણની ઈચ્છાવાળા તેણે પોતાના રાજ્ય ૫૨ સ્થાપન કરવા માટે રામ અને લક્ષ્મણ પુત્રોને બોલાવ્યા. ભરતની માતા કૈકેયીએ ધીમી વાણીથી આગળ આપેલા બે વરદાનની સત્ય પ્રતિજ્ઞાવાળા દશરથ પાસે માંગણી કરી. તે સમયે એક વરદાનથી સ્થિર પ્રતિજ્ઞાવાળા દશરથ રાજાએ ભરતને રાજ્ય અર્પણ કર્યું. અને બીજા વરદાનથી સીતા સાથે રામે અને લક્ષ્મણે ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવવાની માંગણી કરી અને તે પ્રમાણે આજ્ઞા આપી. સીતા અને લક્ષ્મણ સાથે રામે તત્કાલ દંડકારણ્યમાં પંચવટીના આશ્રમમાં નિવાસ કર્યો, ત્યાં આગળ કોઈ બે ચારણમુનિઓ આવ્યા હતા. તેમને રામ-લક્ષ્મણે નમસ્કાર કર્યા અને શ્રદ્ધાલુ સીતાએ અતિથિભૂત બંને મુનિઓને શુદ્ધભિક્ષાથી પ્રતિલાભ્યા. એટલે તે વખતે દેવોએ સુગંધી જળવૃષ્ટિ કરી એટલે તેની સુગંધથી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ***** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ત્યાં જટાયું નામનો ગીધરાજા આવ્યો. તે બંને મુનિઓએ ત્યાં ધર્મદેશના આપી તેનાથી તે પક્ષી પ્રતિબોધ પામ્યો. જાતિ-સ્મરણ થયું અને જાનકી પાસે હંમેશા રહેતો. રામ ત્યાં રહેલા હતા. ફલાદિક માટે લક્ષ્મણ બહાર વનમાં ગયા હતા. ત્યાં આગળ લક્ષ્મણે કુતુહલથી એક ખડ્ગ દેખ્યું અને ગ્રહણ કર્યુ. તેની તીક્ષ્ણતાની પરીક્ષા કરવા માટે તેનાથી તે જ ક્ષણે લક્ષ્મણે નજીકમાં રહેલ વાંસજાળીમાં પ્રહાર કર્યો એટલે તે વંશજાળીમાં અંદર રહેલા કોઈક પુરુષનું એક મસ્તક-કમળ કમલનાલ માફક છેદાઈને આગળ પડેલું જોયું ‘યુદ્ધ ન કરતાં શસ્ત્ર વગરના કોઈ પુરુષને મેં મારી નાંખ્યો ! આવું કાર્ય કરવાથી મારા આત્માને ધિક્કાર થાઓ.' એમ પોતાની નિંદા કરવા લાગ્યો. રામભદ્ર પાસે જઈને બનેલી સર્વ હકીકત જણાવી અને તલવાર પણ બતાવી એટલે રામે કહ્યું ‘આ સૂર્યહાસ નામની તલવાર છે, એના સાધકને તે હણી નાંખ્યો છે; નક્કી આનો ઉત્તરસાધક કોઈ હોવો જોઈએ.' એવી હું સંભાવના કરું છું. આ સમયે રાવણની ચંદ્રનખા નામની બેન અને ખરની ભાર્યા ત્યાં આવી અને હણાએલા પુત્રને દેખ્યો છે વત્સ શબૂક ! તું ક્યાં છે? એમ રુદન કરતી તેણે લક્ષ્મણના પગલાની મનોહર પંક્તિ જોઈ. જેની આ પગલાની શ્રેણિ છે, તેણે જ મારા પુત્રને હણ્યો છે; એટલે ચંદ્રનખા પગલાના જ માર્ગે આગળ ગઈ. જેટલામાં થોડેક ગઈ, તેટલામાં તેણીએ વૃક્ષ નીચે નેત્રને મનોહ૨ લાગે તેવા સીતા અને લક્ષ્મણ આગળ બેઠેલા રામને જોયા. રામને દેખીને તત્કાલ તેની સાથે રમણ કરવા વિવશ બની ગઈ. ‘કામિનીઓને શોકની અધિકતામાં પણ કામનો અભિલાષ કોઈ અજબ હોય છે !' પોતાનું રૂપ મનોહર બનાવીને તેણે રામને પ્રાર્થના કરી કે, મારી સાથે રમણક્રીડા કરો ત્યારે હસતા રામે કહ્યું કે, ‘હું તો ભાર્યાવાળો છું, માટે લક્ષ્મણની સેવા કર, તેને પ્રાર્થના કરતા તેણે પણ ઉત્તર આપ્યો તું આર્યની નારી છે, તો આવી વાતથી સર્યું. પ્રાર્થનાભંગ અને પુત્રવધથી અધિક રોષ પામેલી તેણીએ પોતાના પતિ ખર વગરેને જઈને કહ્યું કે, લક્ષ્મણે મારા પુત્રને મૃત્યુ પમાડ્યો, એટલે પર્વતને જેમ હાથીઓ તેવી રીતે ચૌદ હજાર વિદ્યાધરોની સાથે તે રામને ઉપદ્રવ કરવા આવ્યો. ત્યારે લક્ષ્મણે રામને વિનંતી કરી કે, મારી હાજરીમાં આપ જાતે આવાની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખો, તે આર્ય માટે યોગ્ય છે ? એમ કહીને તેમની સાથે પોતે લડવા જવાની માંગણી કરી, હે વત્સ ! ભલે તું જય માટે જા, પરંતુ જો તને કંઈ સંકટ જણાય, તો મને બોલાવવા સિંહનાદ કરજે.' એ પ્રમાણે લક્ષ્મણને શિખામણ આપી. રામની આજ્ઞા સ્વીકારીને ધનુષ સાથે લક્ષ્મણ તાŚ નામનો મોટો ગરુડ જેમ નાના સર્પોને તેમ તેમને હણવા માંડ્યા. યુદ્ધ આગળ વધવા લાગ્યું ત્યારે પોતાના પતિના સૈનિકોની વૃદ્ધિ માટે રાવણની બહેને ઉતાવળથી જઈને રાવણને આ પ્રમાણે કહ્યું કે, દંડકારણ્યમાં પોતાની જાતની અજ્ઞાનતાવાળા રામ-લક્ષ્મણ નામના બે મનુષ્યો આવ્યા છે. તેમણે તમારા ભાણેજને યમમંદિર પહોંચાડ્યો છે. આ વાત સાંભળી તારા બનેવી નાનાભાઈ અને સૈન્ય સાથે લક્ષ્મણની સામે યુદ્ધ કરવા ગયા છે અને અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. નાનાભાઈના પરાક્રમથી અને પોતાની શક્તિથી ગર્વવાળો રામ સીતાની સાથે વિલાસ કરતો પાછળ રહેલો છે. સ્ત્રીઓમાં રૂપ લાવણ્યની શોભા વડે સીમા સરખી સીતા નથી દેવી નથી નાગકુમારી કે નથી માનુષી પરંતુ કોઈક બીજી જ છે. ત્રણ લોકમાં તેના સરખું રૂપ ક્યાંય નથી. એટલું જ નહિ, પરંતુ સમગ્ર દેવોની અને અસુરોની દેવાંગનાઓના રૂપથી પણ અતિચડિયાતા તેના રૂપનું ાણીથી પણ વર્ણન કરવું અશક્ય છે. હે રાજન્ ! સમુદ્ર-પર્યંત આ ભૂતલમાં જેટલા રત્નો છે, તે સર્વે . બધુ ! તારા માટે અધિકા૨વાલાં છે. જેની રૂપસંપત્તિ નેત્રને વગર બિડાયે એકી નજરથી જોયા જ કરીએ વી છે, એવા પ્રકારના સ્ત્રીરત્નને જો તું ન ગ્રહણ કરે, તો રાવણ નથી. આ વાત સાંભળી તરત પુષ્પક Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૬૧ - નામના વિમાનમાં બેસીને દશકંધર રાવણે આજ્ઞા કરી કે, ‘હે વિમાનરાજ ! ઉતાવળથી ત્યાં પહોંચાડ કે જ્યાં જાનકી હોય. દશગ્રીવના મનની સ્પર્ધામાં હોય તેમ અત્યંત વેગપૂર્વક જતું વિમાન ત્યાં જાનકી પાસે પહોંચ્યું. અગ્નિથી જેમ વાઘ તેમ તેને દેખી રાવણ ઉગ્રતેજવાળા રામથી ભય પામી દૂર ઉભો રહ્યો અને એમ વિચાર્યું કે, આ બાજુ પરાક્રમી રામને જીતવો એ મુશ્કેલ છે અને આ બાજુ સીતાનું હરણ કરવું છે. એક બાજુ વાઘ છે, બીજી બાજુ પાણીથી ભરેલી નદી છે. ત્યાર પછી તેણે વિચાર કરીને અવલોકની નામની વિદ્યાનું સ્મરણ કર્યું એટલે તરત અંજલિપૂર્વક કિંકરી માફક આવીને તે ઉભી રહી. ત્યાર પછી રાવણે તત્કાલ તેને આજ્ઞા કરી કે, ‘સીતાનું હરણ કરતા મને તું આજ સહાય કર.' વિદ્યાદેવીએ તેને કહ્યું કે, વાસુકીના મસ્તકનો મણિ ગ્રહણ કરવો સહેલો છે. પણ રામ સાથે બેઠેલી સીતાને દેવો કે અસુરો પણ ગ્રહણ કરી શકે નહિ. માત્ર એક ઉપાય છે કે, જો રામ તેના ભાઈના જ સિંહનાદથી લક્ષ્મણ પાસે જાય, કારણકે બંને વચ્ચે આ સંકેત થયેલો છે, તો પછી તેમ કર. આ પ્રમાણે કહેવાએલી તે વિદ્યાદેવીએ ત્યાંથી કંઈક આગળ જઈને સાક્ષાત્ લક્ષ્મણ હોય તેમ સિંહનાદ કર્યો. તે સાંભળી સીતાને ત્યાં રાખીને રામ એકદમ દોડ્યા. ‘માયાવીની માયા મહાન પુરુષોને પણ મુંઝાવનારી થાય છે ! પછી દશગ્રીવ રાવણ નીચે ઉતરી સીતાને પુષ્પક વિમાનમાં આરોપણ કરીને તને હરણ કરનારો હું રાવણ છું. એમ કહીને આકાશમાં ઉડ્યો. હવે સીતા વિલાપ કરવા લાગી હે નાથ ! હે રામ ! હે વત્સ લક્ષ્મણ ! હા પિતાજી ! હા મહાભુજાવાળા ભામંડલભાઈ ! અરે ! કાગડો જેમ બલિનું તેમ આ તમારી સીતાનું હરણ કરે છે. આ પ્રમાણે જેમ આકાશને રડાવતી હોય તેમ મોટા શબ્દથી સીતા રુદન કરવા લાગી. હે પુત્રી ! તું ભય ન પામ, હે રાક્ષસ ! ક્યાં ચાલ્યો ? રોષથી આમ બોલતો જટાયું પક્ષી તેની પાછળ દોડ્યો, ભામંડલના કોઈ નાના એક વિદ્યાધર મોટા અગ્રણીએ રાવણને તિરસ્કારતા કહ્યું કે, અરે ! ઉભો રહે ઉભો રહે, જટાયું પક્ષી રાવણની છાતીમાં પોતાના તીક્ષ્ણ નહોરથી હણવા લાગ્યો ત્યાર પછી ‘હે ઘરડા ગીધડા ! હવે તું જીવવાથી તૃપ્ત બન્યો છે કે શું ?' એમ બોલતા રાવણે ચંદ્રહાસ તલવાર ખેંચી તેને મારી નાંખ્યો તે વિદ્યાધરની વિદ્યાનું પણ રાવણે હરણ કર્યું એટલે પાંખ કપાયેલા પક્ષી માફક તે પણ ભૂમિ પર પડ્યો. ત્યાર પછી રાવણ લંકામાં ગયો અને સીતાને બગીચામાં રાખી, અને તેને પ્રલોભન કરાવવા માટે ત્યાં ત્રિજટા દાસીને મોકલી. શત્રુને હણનાર લક્ષ્મણ રામને સામે મળ્યા અને કહ્યું કે, ‘હે આર્ય ! સીતાને એકલી મુકીને તમે અહીં કેમ આવ્યા ? ‘તારા સંકટને જણાવનાર સિંહનાદ વડે બોલાવેલો હું અહીં આવ્યો છું. એમ જ્યારે રામે કહ્યું ત્યારે લક્ષ્મણે કહ્યું કે, મેં સિંહનાદ કર્યો જ નથી અને આર્યે સાંભળ્યો તો નક્કી આપણને કોઈકે ઠગ્યા છે. સતી એવી આ આર્યાનું હરણ કરવા માટે અને ઉપાયથી તમને દૂર કરવા માટે સિંહનાદ કરવાનું કારણ ઉભું કર્યું. આ વાતમાં લગાર શંકા ન સમજવી. રામ પણ ઠીક ઠીક એમ બોલતા લક્ષ્મણ સાથે પોતાના સ્થાને ગયા અને સીતાને ન દેખવાથી ‘તું ક્યાં છે ?’ એમ વિલાપ કરતાં મૂર્છા પામી ભૂમિ પર પડ્યા. મૂર્છા ઉતરી અને ભાન આવ્યું એટલે લક્ષ્મણે કહ્યુ કે, રડવાનું બંધ કરો. ‘આપત્તિઓમાં પુરુષોએ પુરુષાર્થ કરવો એ જ એનો સાચો ઉપાય છે.’ આ સમયે કોઈ એક પુરૂષે આવીને તેમને નમસ્કાર કર્યા અને તેમણે પૂછ્યું એટલે તેણે પોતાનો વૃતાન્ત આ પ્રમાણે જણાવ્યો. ‘પાતાલલંકા’ના સ્વામી ચંદ્રોદર નામના મારા પિતાને હણીને અશ્વના સ્થાને જેમ ગધેડાને તેમ તેના સ્થાને ખરને રાજા બનાવ્યો. તે સમયે ગર્ભવતી મારી માતાએ ત્યાંથી નાસીને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ *✰✰✰* યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બીજી જગ્યા પર મને જન્મ આપ્યો અને માતાજીને કોઈક મુનિએ કહ્યું કે, જ્યારે ખર વગેરેને દશરથ પુત્ર રામ હણશે, ત્યારે તે તારા પુત્રને પાતાલલંકાની ગાદીએ બેસાડી રાજા બનાવશે તેમાં સંશય ન રાખવો તેથી આજે સમય પ્રાપ્ત કરીને આપનો આશ્રય કરું છું. અને આપે મને પિતાના વેરીનો વધ કરીને ખરીદેલો પોતાનો સેવક જાણવો. ત્યાર પછી મહાભુજાવાળા રામે તેને પાતાલલંકા અપાવી. સમય જાણનારાઓને સ્વામીઓ આપમેળે ફળીભૂત થાય છે. લક્ષ્મણ સાથે રામે આને ગાદી પર સ્થાપન કરવા જતા હતા ત્યારે હરાએલી વિદ્યાવાલા ભામંડલના સેવકને ભૂમિ પર પડેલો જોયો. રામને તેણે નમસ્કાર કરી પોતાનો, જટાયુ સીતા અને રાવણનો વૃત્તાન્ત નિવેદન કર્યો. હવે લક્ષ્મણને સાથે રાખી રામ પાતાલલંકામાં ગયા અને સત્ય પ્રતિજ્ઞાવાળા વિરાધને પિતાના રાજ્યની ગાદીએ સ્થાપન કર્યો. આ બાજુ સાહસતિ નામનો વિદ્યાધર અગ્રેસર આકાશમાં ભ્રમણ કરતા કરતાં કિષ્કિંધિનગરની નજીકમાં આવ્યો. તે વખતે કિષ્કૃિષિ નગરીનો સુગ્રીવ નામનો રાજા પોતાના પરિવાર સાથે બહાર ક્રીડા કરવા નીકળ્યો કારણકે રાજાઓ આવી સ્થિતિવાળા હોય છે. તે વખતે સાહસતિ અંતઃપુરમાં રહેલી સુગ્રીવની સુંદર નેત્રવાળી તારા નામની રાણીને દેખી તે રાણીના લાવણ્ય-નીકમાં ક્રીડા કરવાની ઈચ્છાવાળા તેને ગરમીથી પીડા પામેલા હાથી માફક બીજા સ્થાને જવાની ઈચ્છા ન થઈ. એટલે ક્ષણવારમાં આગળ ગમન કરવાનો નિષેધ કરીને જાણે સાક્ષાત્ કામદેવની આજ્ઞા માન્ય કરતો હોય તેમ તે ત્યાં જ રોકાયો. મનોહર એવી રમણી સાથે મારે કેવી રીતે રમણ કરવું ? એવી ઈચ્છામાં વ્યાકુલ બનેલો તે ક્ષણવાર ચિતવવા લાગ્યો ત્યારે પાછળ એકદમ સ્ત્રીવેશ ધારણ કરનાર નટ માફક વેશ અને રૂપ બદલવામાં કુશળ એવા તે સાહસગતિએ સુગ્રીવ રૂપ ધારણ કર્યું. હવે લંપટી કૃત્રિમ સુગ્રીવને સાચો સુગ્રીવ માનનારા અંગરક્ષકોએ સુગ્રીવના ભવનમાં જતો રોક્યો નહિ અને અંતઃપુરમાં દ્વાર પાસે જવા માટે તે જેવો ઉત્સુક બન્યો તેટલામાં સાચો સુગ્રીવ ફરીને પોતાના ભવન પાસે આવ્યો. પહેરેગીરોએ સુગ્રીવને અંદર પ્રવેશ કરવા ન દીધો અને કહ્યું કે, રાજાએ તો આગળ પ્રવેશ કર્યો છે. તું તો કોઈક બીજો છે.' ત્યાર પછી પહેરગીરોએ સાચા સુગ્રીવને ભવનમાં પ્રવેશ કરતા સ્ખલના કરી ત્યારે મંથન કરાતા સમુદ્ર સરખું અતુલ કોલાહલવાળું યુદ્ધ જામ્યું. બીજા સુગ્રીવને દેખીને શંકાથી વાલિપુત્ર અંતઃપુરના ઉપદ્રવનું રક્ષણ કરવા તેના દ્વાર પાસે ઉતાવળથી પહોંચી ગયો. નદીના પૂરને જેમ માર્ગનો પર્વત અટકાવે, તેમ વાલિપુત્રે ખોટા સુગ્રીવને અંતઃપુરમાં પ્રવેશ કરતા અટકાવ્યા. જગતના સારભુત એવા ચૌદ રત્નો સરખા ચૌદ અક્ષૌહિણી સેનાઓના સૈનિકો એકઠા મળ્યા. બંનેના સૈનિકો તેઓના ભેદને ન સમજી શકતા હોવાથી અર્ધા સાચા સુગ્રીવ તરફ અને અર્ધ બનાવટી સુગ્રીવ તરફ વહેંચાઈ ગયા. બંનેના સૈન્યોનું યુદ્ધ પ્રવર્ત્ય. ત્યારે ભાલાઓ અથડાતા હતા, ત્યારે આકાશ ઉલ્કાપાતવાળું બન્યું હોય તેવું જણાવા લાગ્યું. અશ્વવા૨ો અશ્વવારો સાથે, હાથી પર બેસનારાઓ, તેની સાથે, પાયદળો સૈનિક સાથે, રથવાલા રથિકો સાથે યુદ્ધ કરવા લાગ્યા, પ્રૌઢ પ્રિય-સમાગમથી જેમ મુગ્ધારમણી તેવી રીતે ચતુરંગ સેના-સમૂહના મર્દનથી પૃથ્વી કંપવા લાગી અરે ! પારકા ઘરમાં પ્રવેશ કરનારા કૂતરા ! તું મારી સાથે લડવા આવ તેમ સત્ય સુગ્રીવે જારસુગ્રીવને લડવા બોલાવ્યો. ત્યાર પછી અસત્ય સુગ્રીવ તિરસ્કૃત થયેલ મદોન્મત્ત હાથી માફક જોરથી ગર્જના કરતો યુદ્ધ સન્મુખ બન્યો. ક્રોધથી લાલ લોચનવાળા તે બંને મહાયૌદ્ધાઓ જાણે યમરાજાના બે સગા ભાઈઓ હોય, તેમ જગતને ત્રાસ પમાડતા હતા. તે બંને યુદ્ધ-નિષ્ણાંતો માંહોમાંહે તીક્ષ્ણ શસ્ત્રોથી ધાસ છેદવા જેમ તીક્ષ્ણ શાસ્ત્રોને છેદતા હતા. બે પાડાના યુદ્ધમાં જેમ વૃક્ષ વન તેમ બે યોદ્ધાઓના મહાયુદ્ધમાં ઉછળતા શસ્ત્રોના ટુકડાઓથી Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૬૩ ખેચરદેવીઓ ઉપદ્રવ પામતી હતી. જંગમ પર્વત સરખા મલ્લયુદ્ધ કરતાં તે બંનેના શસ્ત્રો છેદાઈ ગયાં. ત્યારે માંહોમાંહે ક્રોધથી મસ્તક-મુગટો અફાળવા લાગ્યા. ક્ષણવારમાં આકાશમાં ઉડતા, ક્ષણવાર ભૂમિ પર પડતા તે બંને વીરચૂડામણિ કૂકડા જેવા શોભતા હતા. મહાપ્રાણવાળા બંને એક બીજાને જીતવા સમર્થ ન બન્યા. એટલે વૃષભની જેમ ખસીને દૂર ઉભા રહ્યા. થાકી ગયેલ શરીરવાળો સુગ્રીવ ફરી યુદ્ધ કરવા અસમર્થ બન્યો. એટલે કિષ્કિધાપુરમાંથી બહાર નીકળી એક સ્થાને બેઠો. ત્યાં અસ્વસ્થ માનસવાળો બનાવટી સુગ્રીવ રહ્યો. પણ વાલિપુત્રે અંતઃપુરમાં પ્રવેશ કરવા મના કરી. નીચું મસ્તક કરીને સુગ્રીવ વિચારવા લાગ્યો કે, “અહો ! કોઈક સ્ત્રીલંપટી કપટ કરવામાં હોંશિયાર એવો મારો આ શત્રુ છે. મારા સ્વજનોને પણ શત્રુએ પ્રપંચથી વશ કરી પારકા બનાવ્યા, ખેદની વાત છે કે, પોતાના અશ્વોએ જ કપટથી છાપો મરાવ્યો. માયા પરાક્રમ કરવામાં સર્વોત્કૃષ્ટ શત્રુનો વધ મારે કેવી રીતે કરવો ? વાલિના નામને લજવનાર પરાક્રમભ્રષ્ટ મને ધિક્કાર થાઓ, મહાબળવાળા અખંડ પુરુષવ્રતવાળા વાલિ ખરેખર ધન્ય છે. જેણે તૃણ માફક રાજ્યનો ત્યાગ કરી પરમપદની પ્રાપ્તિ કરી. જો કે મારો પુત્ર ચંદ્રરશ્મિ જગતમાં બળવાન છે, પરંતુ બે વચ્ચેના ભેદને ન સમજનાર તે કોનું રક્ષણ કરે કે કોને હણે ? પરંતુ ચંદ્રરશ્મિએ એટલું સારું કર્યું કે, તે પાપીનો અંતઃપુરમાં પ્રવેશ થવા ન દીધો, આ શત્રુને વધ કરવા માટે હું ક્યા બળવાનનો આશ્રય કરું ? કારણકે, “શત્રુઓ પોતાથી અથવા બીજા દ્વારા હણવા યોગ્ય છે.' પાતાલ, ભૂમિ અને સ્વર્ગ એ ત્રણે લોકમાં પરાક્રમી મત્તના યજ્ઞને બંધ કરાવનાર રાવણનો શત્રુના ઘાત માટે આશ્રય કરું? પરંતુ એ તો સ્વભાવથી સ્ત્રીલંપટ ત્રણ લોકમાં કાંટા સરખો છે. તે વળી પોતે જ તેને અને મને તરત હણીને તારાને સ્વાધીન કરશે. આવા સંકટની પ્રાપ્તિમાં તો કઠોર પર સાહાય કરવામાં શક્તિમાન હતો. પરંતુ તેને તો રામે હણી નાંખ્યો છે, માટે તે રામ અને લક્ષ્મણ પાસે જઈ તેમની મૈત્રી કરું. તે સમયે પ્રાપ્ત થએલા વિરાધને પણ તેઓએ રાજ્ય અપાવ્યું હતું. શક્તિશાળી ભુજાબળવાળા તેઓ બંને અત્યારે તો વિરાધના આગ્રહથી પાતાળલંકામાં રહેલા છે? આ પ્રમાણે સુગ્રીવે પોતે એકાંતમાં વિચારીને વિશ્વાસવાળા એવા દૂતને વિરાધની નગરીમાં મોકલ્યો. તે દૂત પાતાલલંકામાં જઈને વિરાધને પ્રણામ કરીને પોતાના સ્વામીને હકીકત કહીને આ પ્રમાણે જણાવ્યું કે, “અમારા સ્વામી આવા પ્રકારના સંકટમાં પડ્યા છે, તો તે તમારા દ્વારા રઘુનંદનનું શરણ કરવા ઈચ્છા રાખે છે. “સુગ્રીવ અહીં તરત ચાલ્યો આવે. પુરુષોનો સમાગમ પુણ્યથી થાય છે. આ પ્રમાણે તેનાથી કહેવાએલા દૂતે આવીને તે હકીકત સુગ્રીવને જણાવી. ત્યાર પછી અશ્વોના હેષાવના શબ્દોથી સર્વ દિશાઓને મુખરિત બનાવતો વેગથી દૂરને પાસે કરતો ચાલવા લાગ્યો. પાડોશીના ઘર માફક તે પાતલલંકામાં પહોંચ્યો અને વિરાધને મળ્યો અને વિરાધ તેને મળ્યો. વિરાધે પણ આગળ થઈ રક્ષણ કરનાર રામભદ્રને નમસ્કાર કરાવ્યો, અને તેના દુઃખની હકકત જણાવી. સુગ્રીવે પણ એ જ પ્રમાણે કહ્યું કે, આ દુઃખમાં તમો જ શરણભૂત છો. “છીંક રોકાતા સર્વથા મુંઝાઈ ગયા હોઈએ ત્યારે સૂર્ય જ માત્ર શરણ છે અત્યારે પોતે સંકટમાં હોવા છતાં પણ તેઓ તેનું દુઃખ છેદવા માટે ગયા, કારણકે, “મહાપુરુષોને સ્વકાર્ય કરતા પણ પરકાર્ય માટે અધિક પ્રયત્ન હોય છે.' વિરાધે સીતાહરણનો વૃત્તાન્ત જણાવાએલા સુગ્રીવે બે હાથ જોડી અંજલિ કરી રામને વિનંતી કરી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરતા સૂર્ય જેવા આપ તો સર્વનું રક્ષણ કરનાર છો. આપને કોઈના કારણ કે સહાયની અપેક્ષા હોતી નથી તો પણ હે દેવ ! હું આપને વિનંતી કરું છું કે, આપની કૃપાથી શત્રુને ઠેકાણે કર્યા પછી મારા આખા સૈન્ય સાથે હું આપને અનુસરનારો બની હું તરત સીતાના સમાચાર લાવીશ. સુગ્રીવ સાથે રામભદ્ર કિન્કિંધા નગર તરફ પ્રયાણ કર્યું. પાછળ આવતા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વિરાધને સમજાવીને પાછો વાળ્યો. રામભદ્ર કિષ્ક્રિધાનગર પાસે લશ્કરનો પડાવ નંખાવ્યો અને યુદ્ધ કરવા માટે લંપટ સુગ્રીવને આહ્વાન કર્યું. આહ્વાન કરવા માત્રથી બનાવટી સુગ્રીવ ગર્જના કરતો આવી પહોંચ્યો. કારણકે “ભોજન માટે જેમ બ્રાહ્મણો, તેમ શૂરાઓ યુદ્ધ કરવા માટે આળસુ હોતા નથી. મદોન્મત વન હાથી સરખા તે બંને દુદ્ધર ચરણ સ્થાપન કરવાથી પૃથ્વીને કંપાવતા યુદ્ધ કરવા લાગ્યા. સરખા રૂપવાળા તે બંનેને દેખીને આપણો ક્યો અને શત્રુ કયો ? એ પ્રમાણે સંશય થવાથી ક્ષણવાર રામ ઉદાસીન જેવા થયા. જે બનવાનું હોય તે બનો' એમ વિચારી રામભદ્ર વજાવર્ત નામનો ધનુષ્ટકાર કર્યો. ત્યાર પછી તે ધનુષ્ટકારથી ક્ષણવારમાં સાહસગતિની રૂપ-પરાવર્તન કરનારી વિદ્યા હરણી માફક પલાયન થઈ ગઈ. અરે ! સર્વને પ્રપંચથી મુંઝવણમાં નાંખીને પરદારા સાથે રમણ કરવાની ઈચ્છા કરે છે ? હે પાપી ! તારું ધનુષ તૈયાર કર. એમ કહી તેની તર્જના કરી. રામે એક જ બાણથી તેના પ્રાણો હરણ કર્યા. હરણ મારવામાં સિંહને બીજા પંજાની જરૂર પડતી નથી. વિરાધ માફક સુગ્રીવને રામે રાજ્ય પર સ્થાપન કર્યો અને સુગ્રીવ પણ પહેલાની જેમ પોતાની પ્રજા વડે નમન કરાયો. આ બાજુ વિરાધ રામના કાર્ય માટે સૈન્ય લઈને આવ્યો. કારણકે કૃતજ્ઞ પુરુષો સ્વામિકાર્ય કર્યા વગર રહી શકતા નથી. ભામંડલ પણ વિદ્યાધર-સેના સાથે ત્યાં આવ્યો. કુલીન પુરુષોને સ્વામિકાર્ય તે ઉત્સવથી પણ અધિક ઉત્સવ છે. સુગ્રીવ જાંબુવદ્ હનુમાન, નીલ, નલ વગેરે પ્રસિદ્ધ પરાક્રમવાળા પોતાના સામંતોને ચારે બાજુથી બોલાવ્યા. વિદ્યાધર રાજાઓનાં સૈન્યો ચારે બાજુથી આવી ગયા પછી સુગ્રીવે રામભદ્ર પાસે આવી આ પ્રમાણે વિનંતી કરી કે, અંજના અને પવનનો પુત્ર આ વિજયી હનુમાન આપની આજ્ઞાથી લંકામાં સીતાના સમાચાર મેળવવા જશે. રામથી આજ્ઞા પામેલો અને પોતાને ઓળખાવનાર મુદ્રિકા આપીને પવનપુત્ર હનુમાન પવનની જેમ આકાશ-માર્ગે ગયો. ક્ષણવારમાં લંકામાં આવી પહોંચ્યો અને ઉદ્યાનમાં શિશુપાવૃક્ષની નીચે મંત્ર માફક રામનું ધ્યાન કરતી સીતાને જોઈ. વૃક્ષશાખામાં અદશ્ય બનેલા હનુમાને ઉપરથી સીતાના ખોળામાં ઓળખ માટે મુદ્રિકા, ફેંકી, તેને દેખી તે અત્યંત હર્ષ પામી. તરત જ ત્રિજટાએ રાવણ પાસે જઈને વિનંતી કરી કે, આટલો કાળ તો સીતા ચિતાવાળી હતી, પણ અત્યારે તો આનંદમાં આવી ગઈ છે. ત્યારે તેણે વિચાર્યું કે, જરૂર હવે તે રામને ભૂલીને મારી સાથે રમણ કરવાની અભિલાષાવાળી થઈ છે, એમ હું માનું છું માટે ત્યાં જઈ તું એને સમજાવ. એ પ્રમાણે મંદોદરીને આજ્ઞા કરી. ત્યાર પછી પતિના દૂત-કાર્ય માટે મંદોદરી ત્યાં ગઈ અને સીતાને પ્રલોભન આપતી વિનીત બની આ પ્રમાણે કહેવા લાગી. “આ રાવણ રાજા અપૂર્વ ઐશ્વર્ય સૌન્દર્યાદિ અનેક ગુણોથી અલંકૃત છે. રૂપ અને લાવણ્યની સંપત્તિ તારા અનુરૂપ છે, અજ્ઞાની દેવે તમારા બંનેનો યોગ ન સાધી આપ્યો, તો પણ અત્યારે તે યોગ થાઓ. માટે તમારું ધ્યાન કરતા સેવવા યોગ્ય રાવણની પાસે જઈને ક્રીડા કરો, હે સુંદર નેત્રવાળી ! હું અને બીજી સર્વ રાણીઓ તમારી આજ્ઞાને વહન કરીશું ત્યારે સીતાએ મંદોદરીને તિરસ્કારપૂર્વક કહ્યું, અરે ! પતિનું દૂત કાર્ય કરનારી પારિણી ! દુર્મુખિ ! તારા પતિ માફક તારું મુખ કોણ દેખે છે ? હું રામની પાસે જ રહેલી છું એમ જાણ, કારણ કે લક્ષ્મણ અહીં આવેલા છે, જે ખરાદિકની જેમ તારા બાંધવો સહિત તારા પતિને હણશે. હે પાપિણી ! તું અહિંથી ઊભી થા, ઊભી થા, હવે તારી સાથે મારે વાત પણ કરવી નથી, આ પ્રમાણે તિરસ્કાર પામેલી કોપ કરતી તે ત્યાંથી નીકળી ગઈ. હવે હનુમાન નીચે ઉતરી સીતાને નમીને બે હાથની અંજલિ જોડી બોલ્યો કે, “હે દેવિ ! ભાગ્યથી લક્ષ્મણ સાથે રામ જયવંતા વર્તે છે. રામથી આજ્ઞા પામેલો હું તમારા સમાચાર મેળવવા માટે અહીં આવ્યો Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૬૫ છું. હું ત્યાં જઈ તમારા સમાચાર કહીશ, એટલે રામ શત્રુનો સંહાર કરવા અહીં પધારશે.” પતિના દૂત અને ઓળખ-મુદ્રા અર્પણ કરનાર હનુમાનને તુષ્ટ થએલી સીતાએ અમોઘ આશીર્વાદથી અભિનંદન આપ્યું. હનુમાનના આગ્રહથી તેમજ રામના સમાચાર મળવાથી ખુશ થએલી સીતાએ ઓગણીશ ઉપવાસના અંતે ભોજન કરી પારણું કર્યું. પવન માફક પવનપુત્ર હનુમાને રાવણના ઉદ્યાનને પોતાનું બળ બતાવવાના કૌતુકથી ભાંગી-તોડી વેર-વિખેર કરી નાંખ્યું. માન માફક તે ઉદ્યાન તેના વડે ભંગાતું જોઈ ઉદ્યાનપાલકોએ રાવણ પાસે આવીને હકીકત જણાવી. રાવણે તેમને તે હનુમાનને હણવાની આજ્ઞા કરાઈ, એટલે તેઓ ત્યાં આવ્યા, પરંતુ એકલા તેણે તેઓને હણ્યા, યુદ્ધમાં જયની ગતિ વિચિત્ર હોય છે.' એટલે રાવણે શક્રજિતને તેને બાંધવાની આજ્ઞા કરી, તેણે પાશ-બંધન છોડ્યા એટલે તે આપોઆપ બંધાઈ ગયો ત્યાર પછી તેને રાવણ પાસે લઈ ગયા, તો પાશ-બંધન તોડીને પગથી રાવણના મુગટનો ચૂરો કરતો હનુમાન વિજળીદંડ માફક ઉપર કુદયો. અરે એને હણો, પકડો, એમ રાવણ બોલી રહ્યો હતો, ત્યારે પગથી જેમ ઢોલ તેમ અનાથ હોય તેવી નગરને તેણે ભાંગી નાંખી, હનુમાને આ પ્રમાણે ક્રીડા કરીને ગરુડ માફક ઉડીને રામ પાસે આવી નમસ્કાર કરી તે વૃત્તાન્ત જણાવ્યો. રામે સ્વપુત્રની જેમ તેને છાતીથી ગાઢપણે આલિંગન કરી સુગ્રીવ વગેરેને લંકા-વિજયની યાત્રા માટે આજ્ઞા કરી. રાવણનું રક્ષણ કરનાર સમુદ્ર ઉ પુલ બાંધીને સુગ્રીવ વગેરે સાથે વિમાનમાં બેસી રામ લંકા નગરીમાં ગયા. ત્યાર પછી હંસીપમાં સૈન્યનો પડાવ નાંખી એક નાના માર્ગ માફક સૈન્ય વડે લંકા નગરીને ઘેરી લીધી. આ સમયે બિભીષણે રાવણને પ્રણામ કરી કહ્યું કે, “હે ભાઈ ! જો કે હું નાનો છું. તમને કહેવા લાયક નથી, છતાં મારું એક વચન માન્ય કરો, અહિ રામભદ્ર આવ્યા છે અને તે પોતાની ભાર્યાની માંગણી કરે છે, તો આ સીતાને અર્પણ કરી દો, જેથી ધર્મને પણ બાધા ન પહોંચે” હવે રાવણે રોષથી કહ્યું, “અરે બિભીષણ ! તું ભય પામતો લાગે છે. જેથી મને આમ કાયરપુરુષોચિત ઉપદેશ આપવા આવ્યો છે.” એટલે બિભીષણે કહ્યું અરે ! રામ અને લક્ષ્મણને બાજુ પર રાખો, માત્ર તેનો એક સૈનિક હનુમાન તેને શું દેવે નથી જોયો ? એટલે રાવણે કહ્યું કે, “તું અમારો શત્રુ અને વિપક્ષનો મળતીયો છે– એ વાત જણાઈ ગઈ. તું અહીંથી દૂર નીકળ' એમ તિરસ્કારી તેને કાઢી મૂક્યો એટલે બિભીષણ રામ પાસે ગયો. રામે પણ આને લંકાનું રાજ્ય આપવાનું સ્વીકાર્યું. કારણ કે “મહાપુરુષો ઔચિત્ય કરવામાં કદાપિ મુંઝાતા નથી.' કાંસીતાલ સાથે જેમ કાંસીતાલ તેમ બહાર નીકળેલી રાવણસેના રામસેના સાથે પ્રગટપણે અફળાવા લાગી. દેણદાર એ લેણદારની લક્ષ્મી માફક પ્રાણ અને સર્વસ્વ દેનાર બંને સેનાઓની વિજયલક્ષ્મી માંહોમાંહે એકબીજામાં આવ-જા કરતી હતી. ત્યાર પછી મહાસમુદ્રમાં જેમ દેવો તેમ શત્રુસૈન્યમાં રામની નેત્રસંજ્ઞાથી આજ્ઞા પામેલા હનુમાન આદિ સુભટો અવગાહન કરવા લાગ્યા. દુઃખે કરી વશ કરી શકાય તેવા હાથી સરખા ચારે બાજુ પથરાએલા રામના પરાક્રમી સુભટોએ કેટલાક રાક્ષસોને હણી નાંખ્યા, કેટલાકને પકડી કેદ કર્યા, કેટલાકને નસાડી મૂક્યા આ સાંભળી સળગતા અગ્નિ માફક ક્રોધ પામેલા કુંભકર્ણ અને અહંકારી મેઘનાદે યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કલ્પાંત સમયના પવન અને અગ્નિ સરખા તે બંને એ જ્યારે યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યારે રામની સેનાઓ લગાર પણ તેમને સહન કરી શકી નહિ. હવે સુગ્રીવે પણ રોષથી પર્વતને શિલાની માફક ઉપાડીને કુંભકર્ણ ઉપર ફેંક્યો. તેણે પણ ગદાથી તેનો ચૂરો કરી નાંખ્યો. ફરી ગદાના પ્રહારથી હનુમાનને નીચે પટકીને કાખમાં સ્થાપન કરી રાવણ લંકા તરફ ચાલ્યો. ત્યાર પછી મેઘ માફક ગર્જતો મેઘનાદ પણ હર્ષ પામ્યો અને તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ વડે વાનરોને ભેદી નાંખ્યા- અર્થાત્ ઘાયલ કર્યા. હવે લાલ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નેત્રવાલા રામે કુંભકર્ણને અને લક્ષ્મણે મેઘનાદને કહ્યું કે, “ઉભા રહો, ઉભા રહો’ સુગ્રીવે પણ જોર કરીને કૂદકો માર્યો પણ રાવણના નાનાભાઈએ મુઠ્ઠીથી તેને પકડી રાખ્યો, પરંતુ પારો મુઠ્ઠીમાં કેટલો સમય પકડી રાખી શકાય ? ત્યાંથી વળી કુંભકર્ણ પાછો વળ્યો અને રામની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અને જગતને લોભાવતો, કંટાળ્યા વગર મેઘનાદ પણ લક્ષ્મણ સાથે લડવા લાગ્યો. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર જેવા રામ અને રાવણ એકઠા મળ્યા અને ઉત્તર અને દક્ષિણ સમુદ્ર સરખા લક્ષ્મણ અને રાવણપુત્ર શોભતા હતા. ફરી રાક્ષસોના પણ સાચા રાક્ષસ રામે રાવણના નાના ભાઈને અને લક્ષ્મણે રાવણપુત્રને પાડીને પકડ્યો. હવે ઐરાવણ સરખો ભુવનને ભય પમાડનાર રાવણ રોષથી સમગ્ર વાનરસેના રૂપી હાથીઓને પીસતો યુદ્ધભૂમિમાં આવ્યો, ત્યારે લક્ષ્મણે કહ્યું “હે આર્ય ! આપને યુદ્ધમાં ઉતરવાની જરૂર નથી' એમ રામને અટકાવીને ધનુષ અફાળતાં પોતે શત્રુ સન્મુખ થયો. ત્યાર પછી લાંબા સમય સુધી અસ્ત્રવિદ્યામાં પ્રવીણ રાવણે સમગ્ર અસ્ત્રોથી લડીને અમોઘ શક્તિ નામના અસ્ત્રથી લક્ષ્મણની છાતીમાં જલ્દી પ્રહાર કર્યો. શક્તિ વડે ભેદાયેલ લક્ષ્મણ પૃથ્વી પર પડ્યો અને રામ પણ જલ્દી શોકાતુર થયા. પ્રાણો વડે પણ હિત ઈચ્છનારા સુગ્રીવ વગેરે સુભટોએ રામ અને લક્ષ્મણની ચારે બાજુ સૈનિકો કિલ્લેબંધી કરી વિટળાઈ વળ્યા. ત્યાર પછી રાવણે વિચાર્યું કે, આજે લક્ષ્મણ મૃત્યુ પામશે. એટલે તેના અભાવમાં રામ પણ એ જ દશા પામશે, તો હવે ફોગટ મારે યુદ્ધ શા માટે કરવું ? એમ વિચારીને નગરીમાં ગયો. રામને કિલ્લાઓ રૂપે સૈનિકો વીંટળાએલા છે તેના ચાર દ્વારોની ચોકી રાત્રે સુગ્રીવ વગેરે કરતા હતા. દક્ષિણ દિશાના દ્વારનું રક્ષણ કરનાર ભામંડલને પહેલાના પરિચિત કોઈ વિદ્યાધરાગ્રણીએ આવીને કહ્યું કે, અયોધ્યા નગરીથી બાર યોજન દૂર કૌતુક મંડલ નામનું પત્તન છે, ત્યાં કૈકયીનો ભાઈ દ્રોણધન નામનો રાજા છે, તેની વિશલ્યા નામની કન્યા છે, તેના સ્નાન જળના સ્પર્શથી તે જ ક્ષણે શલ્ય ચાલ્યું જાય છે, જો સવાર પહેલા લક્ષ્મણને તે સ્નાન-જળનો છંટકાવ થશે, તો તે શલ્ય વગરનો થઈ જીવી શકશે, નહિતર જીવશે નહિ માટે મારા વિશ્વાસથી રામભદ્રને જલ્દી વિનંતી કરી કે, કોઈને પણ તે લાવવા આજ્ઞા આપે, આ સ્વામિ-કાર્ય માટે ઉતાવળ કર, સવાર પડી જશે તો શું થશે ? “ગાડુ ઉલળી ગયા પછી ગણાધિપ (ગણપતિ) પણ શું કરે ?' - ત્યાર પછી ભામંડલે રામ પાસે જઈને આ હકીકત નિવેદન કરી એટલે રામે તે માટે હનુમાન સાથે તેને જવા આજ્ઞા કરી. પવન સરખા વેગવાળા વિમાન વડે તેઓ બંને અયોધ્યામાં આવ્યા, ત્યારે મહેલની અંદર સુતેલા ભરતને જોયો. ભરતને જગાડવા માટે તે બંને મધુર ગીત ગાવા લાગ્યા. રાજકાર્યમાં પણ રાજાઓને ઉપાય કરીને જગાડાય છે.” જાગેલા ભરત આગળ નમસ્કાર કરતા ભામંડલને જોયો અને કાર્ય પૂછયું એટલે ભામંડલે કાર્ય કહ્યું. આપ્ત (હિતેષી ઈષ્ટ)ને ઈષ્ટ સંબંધમાં પ્રરોચના કરવાની ન હોય. ‘હું ત્યાં જાતે આવીશ, તો કાર્ય સિદ્ધ થશે.” એટલે તે વિમાનમાં આરૂઢ થઈ કૌતુકમંગલ નગર ગયો. દ્રોણ ધન રાજા પાસે ભરતે વિશલ્યાની માંગણી કરી એટલે તેણે બોલાવી હજાર સ્ત્રી સાથે તેને આપી. ભામંડલ પણ ભરતને અયોધ્યામાં મૂકીને પરિવારવાળી વિશલ્યા સાથે ઉત્સુકતાથી આવી પહોંચ્યો. પ્રકાશમાન દીપક સમાન વિમાનમાં બેઠેલા ભામંડલને ક્ષણવાર સૂર્યોદય થવાની ભ્રાન્તિપૂર્વક ભય પામેલા સ્વજનોએ દેખ્યો પછી ભામંડલ વિશલ્યાને લક્ષ્મણ પાસે લઈ ગયો. તેણીએ લક્ષ્મણને હાથથી જ્યાં સ્પર્શ કર્યો એટલે ક્ષણવારમાં લાકડીથી જેમ મોટી સર્પિણી તેમ શક્તિ નીકળીને ક્યાંય ચાલી ગઈ. ત્યાર પછી રામની આજ્ઞાથી તેના સ્નાન-જળથી બીજાને પણ છાંટ્યા એટલે નવો જન્મ પામ્યા હોય તેવા સૈનિકો શલ્ય વગરના થયા. કુંભકર્ણ વગેરેને પણ આનું સ્નાનજળ છંટકાવ કરવા માટે લાવો” એમ રામે આજ્ઞા કરી. Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૦-૧૦૧ ૧૬૭ હે દેવ ! તેઓએ તો તે જ ક્ષણે સ્વયં દીક્ષા અંગીકાર કરી છે, એ પ્રમાણે દ્વારપાળોએ રામને વિનંતી કરી. અરે ! મુક્તિમાર્ગ પર રહેલા તેઓ તો વંદન કરવા લાયક છે અને છોડી દેવા યોગ્ય છે, એ પ્રમાણે રામની આજ્ઞાથી તે જ ક્ષણે રક્ષકોએ નમસ્કાર કરી તેને છોડી દીધા. વિશલ્યા કન્યા અને સાથે આવેલી બીજી કન્યાઓ સાથે લક્ષ્મણે ત્યાં લગ્ન કર્યા અને ક્રોધ કરવામાં શિરોમણિ રાવણ યુદ્ધ કરવા માટે આવ્યો. રામને પ્રણામ કરીને ધનુષ્ય-બાણધારી લક્ષ્મણ યુદ્ધમાં જવા તૈયાર થયો. કારણકે “પરાક્રમી વીર પુરૂષોને વેવાહન ઉત્સવ કરતા પણ યુદ્ધનો ઉત્સવ મહાન હોય છે.” રાવણે જે જે ભયંકર અસ્ત્ર છોડ્યું તે લક્ષ્મણના અચ્ચે કેળના થડની જેમ છેદી નાંખ્યું. પોતાના હથિયારો ખંડિત થવાથી ક્રોધ પામેલા રાવણે ચક્ર ફેંક્યું. તે ચક્ર લક્ષ્મણની છાતી પર ચપેટા માફક પડ્યું પણ ધારથી વાગ્યું નહિ. તે જ ચક્ર લઈને લક્ષ્મણે રાવણના મસ્તકનો છેદ કરી નાંખ્યો. “કેટલીક વખત પોતાના જ અશ્વોથી પોતાને પડવાનું થાય છે.” ર્ણની સળી સરખી નિર્મળ શીલથી શોભતી સીતાને રામે ગ્રહણ કરી અને બિભીષણને લંકાની રાજ્યગાદીએ સ્થાપન કર્યો. શત્રુનો વિનાશ કરી બંધુ, પત્ની અને મિત્ર સહિત રામ પોતાની અયોધ્યા નગરીમાં ગયા અને પારકી સ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છાથી પણ રાવણ કુલનો ક્ષય કરીને નરકે ગયો. આ પ્રમાણે સીતા રાવણનું કથાનક પૂર્ણ થયું. / ૯૯ || તે કારણથી દુર્યજ્ય એવી પરસ્ત્રીનો પણ ત્યાગ કરવો. १५६ लावण्यपुण्यावयवां, पदं सौन्दर्यसम्पदः । નાના શત્ની-પપ, નહાત્ પરસ્ત્રિયમ્ | ૨૦૦ છે અર્થઃ લાવયથી પવિત્ર દેવાળી, સૌન્દર્યની સંપત્તિના સ્થાનભૂત, અને કળાઓમાં કુશળ એવી પણ પરસ્ત્રીનો ત્યાગ કરવો. || ૧૦૦ // ટીકાર્થ: દુર્યજ્યપણાના કારણો કહે છે– લાવણ્ય, સ્પૃહણીયા રૂપાદિ ગુણોથી પણ વધારે ગુણવાળા પવિત્ર અવયવોવાળી, સૌન્દર્ય-સંપત્તિયુક્ત સ્ત્રીવર્ગને ઉચિત બોતેરકલા-સમૂહમાં કુશળ, પારકી સ્ત્રીઓમાં લાવણ્ય, રૂપ, ચતુરાઈ, હોવાથી છોડવી ઘણી મુશ્કેલી છે. તેથી આ હેતુ કહેવા પૂર્વક ત્યાગ કરવા જણાવ્યું છે. || ૧૦૦ છે. પરસ્ત્રી ગમનના દોષો કહીને પરસ્ત્રીથી વિરમેલાની પ્રશંસા કરે છે– १५७ अकलंकमनोवृत्तेः, परस्त्रीसन्निधावपि । સુદર્શનચ ફ્રિ ઝૂમ:, સુદર્શનસમુન્નત્તિઃ ? ૨૦૨ . અર્થઃ સમ્યગ્દર્શનની ઉન્નતિ કરનારા અને પરસ્ત્રીની પાસે પણ અકલંક મનોવૃત્તિવાળા સુદર્શન શેઠની તો અમે વાત શું કરીએ ? | ૧૦૧ || ટીકાર્થ : પરસ્ત્રી પાસે રહેવા છતાં પણ નિષ્કલંક ચિત્તવૃત્તિવાળા સુદર્શન નામના મહાશ્રાવકની અમે કેટલી સ્તુતિ કરીએ? સુદર્શનની હકીકત આ પ્રમાણે સંપ્રદાયથી સમજવી – સુદર્શનની કથા અંગદેશમાં અલકાપુરી કરતાં ચડિયાતી ચંપા નામની નગરી હતી. ત્યાં નરવાહન (કુબેર) કરતા અધિક દધિવાહન નામવાળો રાજા હતો તેને દેવાંગનાઓના લાવણ્યને તિરસ્કાર કરનાર કળાઓમાં કુશળતાથી અભયા નામની મહાદેવી હતી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ બાજુ તે જ નગરીમાં સમગ્ર વેપારીઓમાં અગ્રેસર શ્રેષ્ઠ કાર્યો કરનાર વૃષભદાસ નામનો શેઠ હતો. તેને યથાર્થ નામવાળી જૈનધર્મની ઉપાસના કરનાર, શીલ રત્નાભૂષણ ધારણ કરનારી અહદાસી નામની ભાર્યા હતી. તે શેઠને સુભગ નામનો એક ભેંસો ચારનાર નોકર હતો. જે હંમેશા ભેંસોને વનમાં ચરાવવા લઈ જતો હતો. એક વખત મહા મહિને સંધ્યા-સમયે વનમાંથી પાછો કરતો હતો. ત્યારે તેણે વસ્ત્ર વગરના ઉઘાડા શરીરવાળા કાર્યોત્સર્ગ કરતા મુનિને જોયા આવી શિયાળાની રાત્રિમાં ઠુંઠા માફક જે સ્થિરતાથી ઉભા રહી કાઉસ્સગ્ન કરે છે, ખરેખર આ મહાત્માને ધન્ય છે. એમ વિચારો તે સુભગ ઘરે ગયો. જેમણે હિમની વેદના ગણકારી નથી, એવા તે મહામુનિના ચિંતનથી કોમળ મનવાળા તેણે રાત્રિ પસાર કરી. રાત્રિ પૂર્ણ થતા પહેલા સવારે તે ભેંસોને લઈને ત્યાં ગયો. જ્યાં કાઉસ્સગ્નમાં રહેલા મુનિ હતા. કલ્યાણી ભક્તિવાળો સુભગ તેમને નમન કરી ઉપાસના કરવા લાગ્યો, અહો ! તેવાઓમાં પણ કોઈક સ્વાભાવિક વિવેક હોય છે. જાણે શ્રદ્ધાથી તેના દર્શન કરવા માટે હોય તેમ આ સમયે સૂર્ય ઉદયાચલ પર આરોહણ કર્યું. કાર્યોત્સર્ગમાં રહેલા મુનિ “નમો અરિહંતાણં' એવા શબ્દોને ઉચ્ચારતા બીજા સૂર્ય હોય તેમ આકાશતલમાં ઉડ્યા. આ સાંભળી સુભગે વિચાર્યું કે, “નક્કી આ આકાશગામિની વિદ્યા છે.” એવી બુદ્ધિથી તેણે નમસ્કાર-પદ હૃદયમાં સ્થાપન કર્યું. જાગતાં, ઊંઘતા ઉભા રહેતા, ચાલતાં, રાત્રે અને દિવસ ઘરમાં કે બહાર, મલિન વસ્ત્ર કે શરીર હોવા છતાં પણ તે “નમો અરિહંતાણં' પદ બોલવા લાગ્યો. “એક જ ગ્રહણ કરનારા તેવા જ હોય છે. ત્યાર પછી શેઠે તેને પૂછયું કે, જગતમાં ઉત્કૃષ્ટ પ્રભાવ કરનાર પંચપરમેષ્ઠિ નમસ્કાર પદ તેને ક્યાંથી પ્રાપ્ત થયું ? એટલે ભેંસ ચારનારે સમગ્ર હકીકત જણાવી શેઠે બહુ સારું બહુ સારું એમ કહી તેને સમજાવ્યું કે આ માત્ર આકાશગમનના કારણવાળી વિદ્યા નથી પણ આ વિદ્યા તો સ્વર્ગ અને અપવર્ગ અર્થાત મોક્ષના પણ હેતભૂત છે. ત્રણે જગતમાં જે કંઈ સુંદર અને દુર્લભ વસ્તુ છે. તે સર્વ આના પ્રભાવથી સહેલાઈથી મળે છે. સમુદ્રના જળનું માપ કરવા કોઈ શક્તિમાન નથી.' તેમ આ પંચપરમેષ્ટિ-નમસ્કારનો વૈભવ-પ્રભાવ માપવા કોઈ સમર્થ નથી. હે ભાગ્યશાળી ! તે પુણ્યયોગે સુંદર પ્રાપ્ત કર્યું. પરંતુ મલિન વસ્ત્ર કે શરીરવાળા ઉચ્છિષ્ટોએ કદાપિ ગુરુનામ ન બોલવું જોઈએ. ત્યારે સુભગે શેઠને કહ્યું. વ્યસની જેમ વ્યસનને તેમ હું ક્ષણવાર પણ આ છોડવા શક્તિમાન નથી. ત્યારે શેઠે હર્ષપૂર્વક તેને આમ કહ્યું કે, તું આ આખો નવકારમંત્ર શીખી લે, જેથી આ લોક અને પરલોકમાં તારું કલ્યાણ થાય. ત્યાર પછી આખો નવકારમંત્ર પ્રાપ્ત કર્યો. જાણે નિધાન પ્રાપ્ત કર્યું હોય. તેમ સુંદર આશયવાળા સુભગે તેનું વારંવાર પારાયણ શરૂ કર્યું. આ ભેંસ ચારનારને આ નમસ્કારમંત્ર સુધા-તુષાની વેદના દૂર કરનાર થયો. આ પ્રમાણે આ સુભગ પંચપરમેષ્ઠિ નમસ્કારનો પાઠ કરવામાં વ્યસનવાળો બની ગયો, એમ કરતાં કેટલાંક કાળે વર્ષાકાળ આવ્યો. નિરંતર ફેલાતી મેઘધારા રૂપી બાણની શ્રેણિ વડે જાણે નવીન મેઘ આકાશ અને પૃથ્વીને બાંધી દેતો હોય તેમ કરતો હતો. આવા સમયે સુભગ પણ ઘરેથી ભેસો લઈને બહાર ગયો. ચરાવીને પાછો ફરતો હતો, ત્યારે વચમાં મહાપુરવાળી જળપૂર્ણ નદીને જોઈને તે લગાર ભય પામ્યો અને કંઈક વિચારતો ઉભો રહ્યો. ત્યાર પછી ભેસો તો નદી તરીને સામે કિનારે પહોંચી ત્યાર પછી આકાશગામિની વિદ્યાની બુદ્ધિથી નવકાર ભણતો કૂદકો મારી તે ઉંચે ઉડ્યો અને નદીના મધ્યમાં પડ્યો. ત્યાં કાદવનની અંદર યમરાજાના દાંત સરખો મજબૂત ખેરના કાષ્ઠનો ખીલો હતો, તે આના હૃદય-સ્થાનમાં પેસી ગયો, તો પણ તે જ પ્રમાણે તે પંચપરમેષ્ઠિ-નમસ્કારનું સ્મરણ કર્યા કરતો હતો. તે સમયે ખીલા વડે મર્મસ્થાન વિંધાવાથી તે કાલધર્મ પામ્યો. ત્યાર પછી તે શેઠાણી અદાસીની કુક્ષિમાં અવતર્યા. નમસ્કારમાં તલ્લીન બનેલાઓની સદ્ગતિમાં વિસંવાદ થતો નથી. Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૧ ૧૬૯ ગર્ભમાં આવ્યા પછી ત્રણ મહિના વીત્યા બાદ ભાર્યાએ શેઠને પોતાના દોહલાઓ જણાવ્યા કે, જિનેશ્વરોની પ્રતિમાઓને સુગંધી જળથી અભિષેક કરવાની, વિલેપન કરવાની અને પુષ્પોની પૂજા કરવાની અભિલાષા થઈ છે તથા મુનિભગવંતોને વસ્ત્રાદિકથી પ્રતિલાભવાની, શ્રીસંઘની પૂજા કરવાની અને દીનોને દાન આપવાની મને ઈચ્છા થઈ છે. વિગેરે તેના દોહલા સાંભળી હર્ષિત મનવાળા શેઠે ચિંતામણિરત્ન માફક પૂર્ણ કર્યા. ત્યાર પછી નવ મહિના અને સાડા સાત દિવસ ગયા પછી શેઠાણીએ શુભ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. તત્કાળે શેઠે હર્ષપૂર્વક શુભ દિવસે મહોત્સવપૂર્વક પુત્રનું ‘સુદર્શન’ એવું યથાર્થ નામ પાડ્યું. માતા-પિતાના ઉત્તમ મનોરથ સાથે ક્રમે કરી વયથી વૃદ્ધિ પામતા સુદર્શનને યથાયોગ્ય સમગ્ર કળાઓ પણ ગ્રહણ કરી. સાક્ષાત્ લક્ષ્મી સરખી મનોરમ કુળ અને આકૃતિવાળી મનોરમા નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. ચંદ્ર જેવો સૌમ્ય આકૃતિવાળો તે માત્ર માતા-પિતાના હર્ષ માટે ન થયો પણ રાજા અને સર્વલોકના હર્ષ માટે થયો. આ બાજુ આ નગરીમાં રાજાના હૃદયમાં સ્થાન પામેલો વિદ્યા-સમુદ્રનો પારગામી કપિલ નામનો પુરોહિત હતો. વસંત ઋતુને જેમ કામદેવ સાથે તેમ સુદર્શન સાથે કપિલને સર્વ કાળની વિનાશ ન પામે તેવા પરમ મૈત્રીવાળી પ્રીતિ થઈ. જેમ બુધ સૂર્યનું તેમ આ પુરોહિત ઘણે ભાગે મહાત્મા સુદર્શનનું પડખું છોડતો ન હતો. કપિલ પુરોહિતને એક દિવસ કપિલા ભાર્યાએ પૂછ્યું કે, હંમેશના કાર્યોનું વિસ્મરણ કરીને તમે આટલો વખત ક્યાં પસાર કરો છો ? ‘હું' સુદર્શનની પાસે રહું છું' એમ કહ્યું એટલે સુદર્શન કોણ ? એમ કપિલાએ પૂછતાં તેણે જવાબ આપ્યો કે, સજ્જન પુરુષોમાં અગ્રેસર, જગમાં અદ્વિતીય પ્રિય દર્શન કરવા યોગ્ય મારા મિત્ર સુદર્શનને જો તું નથી જાણતી તો તું કંઈ જાણતી નથી.' તો પછી તમે તેને હવે ઓળખાવો એમ કહ્યું, એટલે કપિલે કહ્યું કે, એ ઋષભદાસ શેઠનો બુદ્ધિશાળી પુત્ર છે. વળી આ રૂપથી કામદેવ, કાન્તિથી ચંદ્ર તેજથી સૂર્ય, ગંભીરતાથી સમુદ્ર, ક્ષમા વડે ઉત્તમમુનિ. દાનમાં ચિંતામણિ ગુણરૂપી માણિક્યનો રોહણાચલ પર્વત પ્રિય વચન બોલવામાં જાણે સુધાકુંડ, પૃથ્વીના મુખના આભૂષણ સરખા એના સમગ્ર ગુણો કહેવા કોણ સમર્થ છે ? તે ગુણ-ચુડામણીનું શીલ કદાપિ સ્ખલના પામતું નથી.' પતિ પાસેથી તેના ગુણો સાંભળીને કપિલા કાવિલ બની અને તેના ઉપર અનુરાગવાળી થઈ. ઘણે ભાગે બ્રાહ્મણની સ્ત્રીઓ ચપળ હોય છે.' ત્યાર પછી યોગિની જેમ પરબ્રહ્મને તેમ કપિલા હંમેશા સુદર્શનના સમાગમના ઉપાયો વિચારવા લાગી. કોઈક દિવસે રાજાની આજ્ઞાથી કપિલ બીજા કોઈ ગામ ગયો. ત્યારે કપિલા સુદર્શનના ઘરે ગઈ. કપટી એવી કપિલાએ સુદર્શનને કહ્યું કે, આજે તમારા મિત્રનું શરીર બરાબર ન હોવાથી અહીં તમને મળવા આવ્યા નથી. એક તો શરીરે કુશળતા નથી. બીજું તમારા વિરહથી પણ દુભાય છે, તે કારણે તમને બોલાવવા માટે તમારા મિત્રે મને મોકલી છે, ‘મને અત્યારે સુધી આ ખબર ન હતી.' એમ કહીને તરત જ તેના ઘરે આવ્યો. ‘પોતે સરળ હોય તેવા સજ્જનો બીજાના કપટની શંકા કરતા નથી’ ત્યાં પ્રવેશ કરતાં તેણે પુછ્યું કે, મારો મિત્ર ક્યાં છે ? કપિલાએ કહ્યું. આગળ ચાલો, અંદરના ભાગમાં તમારા મિત્ર સુતેલા છે. લગાર આગળ ચાલીને સુદર્શને પૂછ્યું કે, અહીં પણ કપિલ નથી, તો ક્યાંય ગયા છે ? ત્યારે કપિલાએ કહ્યું કે, શરીર બરાબર ન હોવાથી પવન વગરના સ્થાનમાં સુતેલા છે. માટે અંદરના શયનગૃહમાં જઈને ત્યાં તમારા મિત્રને મળો. ત્યાં પણ મિત્રને ન દેખતા પૂછ્યું કે કપિલા ! કપિલ ક્યાં છે ? એમ સ૨ળ આશયવાળા સુદર્શને પૂછ્યું ત્યાર પછી તે દ્વાર બંધ કરીને કામદેવને ઉત્તેજિત કરનાર પોતાના મનોહર અંગો કંઈક ખુલ્લા કરતી અને બારીક વસ્ત્રથી ઢાંકતી મજબૂત બાંધેલી નીવીની ગાંઠને પણ ઢીલી Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરતી, ચપળ નેત્રવાળી, ખડા થએલાં, રોમાંચ કંચુકવાળી કપિલાએ કહ્યું કે, “અહિં કપિલ નથી, માટે કપિલાની સંભાળ લો. તમને વળી કપિલ કે કપિલામાં ક્યાં ભેદ છે ?' કપિલાની શું સંભાળ લેવી જોઈએ? એમ બોલતા સુદર્શનને વળી કપિલાએ કહ્યું કે, જ્યારથી માંડી તમારા મિત્રે અભૂત ગુણવાળા તમારી પ્રશંસા મારી પાસે કરી. ત્યારથી આ કામખ્વર મને હેરાન-પરેશાન કરી રહ્યો છે. ગ્રીષ્મના તાપથી તપેલી પૃથ્વીને જેમ મેઘનો સમાગમ થાય, તેવી રીતે મારા ભાગ્યથી વિરહ-પીડિત મને કપટથી પણ તમારું આગમન પ્રાપ્ત થયું છે હે નાથ ! આજે હું આપના આધીન બની છું. લાંબા કાળથી કામદેવના ઉન્માદથી વ્યાકુળ બનેલી મને તમારા આલિંગનરૂપ અમૃતવૃષ્ટિ વડે સાત્ત્વન આપો.” ત્યારે સુદર્શને મનમાં વિચાર્યું કે, દૈવને પણ મુશ્કેલીમાં મૂકનાર એવો આનો પ્રપંચ પણ વિચિત્ર છે, આ સ્ત્રીને ધિક્કાર થાઓ, ત્યાર પછી હાજર બુદ્ધિવાળા તેણે આમ કહ્યું કે હે ગાંડી ! યુવાનો માટે તારી વાત યોગ્ય ગણાય. પરંતુ હું તો નપુંસક છું. ફોગટ મારા પુરુષવેષથી તું ઠગાઈ જણાય છે. ત્યાર પછી તત્કાલ વિરક્ત બનેલી તેણે ઠીક જાઓ જાઓ.” એમ બોલતા દ્વારા ઉઘાડ્યા, એટલે સુદર્શન તેના ઘરમાંથી બહાર નીકળી ગયો. “આ નરકારમાંથી મારી થોડામાં મુક્તિ થઈ.” એમ વિચારતા સુદર્શન ઉતાવળા પગલે પોતાના ઘરે પહોંચ્યા,. ખરેખર આ સ્ત્રીઓ કૂડ કરવામાં રાક્ષસીઓ કરતાં પણ ચડી જાય તેવી છે, પ્રપંચમાં શાકિની જેવી, ચપળતામાં વીજળી સરખી ભયંકર છે. આવા પ્રકારની કુટિલ કપટી ચપળ જુઠી સ્ત્રીથી મને ભય લાગે છે. એ પ્રમાણે નિર્ણય કરી નક્કી કર્યું કે, હવે કોઈકના ઘરે કદાપિ એકલા ન જવું. શુભ આકરાં ધર્મકાર્યો કરતો જાણે સાક્ષાત્ મૂર્તસ્વરૂપે સજ્જનનો આચાર હોય તેવો તે કોઈ દિવસ ખોટો આચાર આચરતો ન હતો. એક દિવસ તે નગરમાં તેના યોગ્ય સમયે સમગ્ર જગતને આનંદના સ્થાનરૂપ ઈન્દ્ર મહોત્સવ પ્રવર્તી રહ્યો હતો. ચંદ્ર અને અગસ્તિથી વિરાજિત સાક્ષાત્ શરદકાળ હોય તેવા સુદર્શન અને પુરોહિત સાથે રાજા ઉદ્યાનમાં આવ્યો. આ બાજુ વિમાનમાં જેમ દેવી તેમ પાલખીમાં આરૂઢ થઈ કપિલા સાથે અભયારાણી રાજાની પાછળ ચાલી. દેહધારી સતીધર્મની જેમ છ પુત્ર સાથે સુદર્શનની પત્ની મનોરમાં પણ વાહનમાં બેસીને ત્યાં ઉઘાનમાં ગઈ. તેને જોઈ કપિલાએ અભ્યારાણીને પૂછ્યું કે, “સ્વામિનિ ! રૂપ અને લાવણ્યના સર્વસ્વ ભંડાર સરખી સુંદર વર્ણવાળી આગળ જનારી આ કોણ છે !' ત્યારે અભયારાણીએ કહ્યું કે, શું તું આને ઓળખતી નથી? આ પોતે ગૃહલક્ષ્મી સરખી સુદર્શનની ધર્મપત્ની છે તે સાંભળી વિસ્મય પામેલી કપિલાએ કહ્યું કે, હે દેવી ! જો આ સુદર્શનની ગૃહિણી હોય તો તેનું કૌશલ્ય મોટું ગણાય. રાણીએ પૂછ્યું કે, તેનું કૌશલ્ય મોટું કેવી રીતે ? ત્યારે કપિલાએ કહ્યું કે, તેણે આટલા પુત્ર ભાંડરણાઓ જન્મ આપ્યો તે. અભયાએ કહ્યું કે, સ્વાધીન પતિવાળી સ્ત્રી પુત્રોને જન્મ આપે. તેમાં કૌશલ્ય કર્યું ? ત્યારે કપિલાએ કહ્યું કે, વાત સાચી કે પતિ પુરુષ હોય તો તેમ બને, પણ સુદર્શન તો પુરુષવેશમાં ધારણ કરનાર નપુંસક છે. તે વાત તને કેવી રીતે ખબર પડી ? એમ રાણીએ પૂછયું ત્યારે સુદર્શનનો જે અનુભવ થયો હતો તે જણાવ્યો. અભયારાણીએ કપિલાને કહ્યું કે આ રીતે થયું હોય તો તે છેતરાઈ છે. હે મુર્ખ ! તે પારકી સ્ત્રીમાં નપુંસક છે, પણ પોતાની સ્ત્રીમાં તેવો નથી. ત્યાર પછી વિલખી થયેલી કપિલાએ ઈર્ષ્યાથી કહ્યું કે હું તો મુર્ખ ઠગાઈ પણ તમે ચતુર છો, તો તમારામાં કેટલી અધિકતા છે તે જોઈશું. ત્યારે અભયાએ જણાવ્યું કે, હે ભોળી ! રાગથી હાથ વડે પકડેલો જડ પત્થર પણ પીગળી જાય, તો પછી સજીવ પુરુષની મારી પાસે કેટલી તાકાત ? ઈર્ષ્યાપૂર્વક કપિલાએ પણ કહ્યું કે, આમ ફોગટ ગર્વ ન કરો, અને ગર્વ વહન કરતાં હો તો હે દેવી! તે સુદર્શનની સાથે ક્રીડા કરી બતાવો. એટલે રાણીએ અહંકારપૂર્વક તેને જણાવ્યું Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૧ ૧૭૧ કે, અલિ ! મેં સુદર્શન સાથે રમણ કરી જ લીધું એમ જાણ. ચતુર રમણીઓ વડે કઠોર વનવાસી તપસ્યાઓ પણ સ્વાધીન બની ગયા, તો પછી કોમળ મનવાળો ગૃહસ્થ ક્યા હિસાબમાં ? જો હું એની સાથે સમાગમ ન કરે તો મારે અગ્નિમાં પ્રવેશ કરવો.' એમ વાતચીતો કરતાં કરતાં તેઓ ક્ષણવારમાં ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં નંદનવનમાં જેમ અપ્સરાઓ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરે, તેમ અભયા સાથે કપિલાએ ક્રિીડા કરી અને થાકી ગએલાં બંને પોત-પોતાના સ્થાનકે ગયા. હવે અભયા રાણીએ પોતાની પ્રતિજ્ઞા સર્વ વિજ્ઞાનમાં નિષ્ણાત એવી પંડિતા નામની ધાવમાતાને જણાવી ત્યારે પંડિતાએ કહ્યું, અરે ઓ પુત્રિ ! તે આ મંત્રણા યોગ્ય કરી નથી. તે અજ્ઞ ! તું મહાત્મા પુરુષોની પૈર્યશક્તિ હજુ જાણતી નથી. જિનેશ્વરોની અને મુનિઓની સેવા-ભક્તિમાં નિશ્ચલ મનવાળો આ સુદર્શન છે. આ તારી પ્રતિજ્ઞા તેની આગળ નિષ્ફળ અને તિરસ્કારપાત્ર છે. બીજો સામાન્ય શ્રાવક પણ હંમેશા પરનાર-સહોદર હોય, તો પછી આ મહાસત્ત્વ-શિરોમણિ માટે તો શું કહેવું ? હંમેશા બ્રહ્મચર્ય ધનવાળા સાધુઓ જેના ગુરુઓ છે, એવા મહાશીલ આદિ વ્રતની ઉપાસના કરનાર તેનું અબ્રહ્મનું સેવન કેવી રીતે કરાવાય ? હંમેશા ગુરુકુલમાં રહેનાર સદા ધ્યાન અને મૌનનો આશ્રય કરનાર હોય તેને લાવવા કે તેની પાસે જવા માટે કોણ સમર્થ થઈ શકે? સર્પની ફણાના મણિને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી સારી, પરંતુ તેના શીલનું ખંડન કરવાની પ્રતિજ્ઞા કદાપિ પણ સારી નથી. હવે અભયાએ ધાવમાતાને કહ્યું કે, કોઈ પ્રકારે એક વખત તું તેને અહીં લાવ, ત્યાર પછી જે કંઈપણ કરવાનું હશે, તે સર્વ હું જોઈ લઈશ, તારે છલ કરવાનું નથી. પંડિતા મનમાં કઈક વિચારીને બોલી કે, જો તારો આ નિશ્ચય જ છે, તો પછી આ એક ઉપાય છે કે પર્વ દિવસે તે અવાવરા ખાલી મકાન વગેરે સ્થલમાં કાઉસ્સગ્નમાં રહે છે, તે સ્થિતિમાં હોય ત્યારે જો લાવવો હોય તો લાવી શકાય, પરંતુ તે સિવાય તો લાવી શકાય નહિ. આ ઉપાય બરાબર છે અને તારે હંમેશા આ વિષયમાં પ્રયત્ન કરવો. આ પ્રમાણે રાણીએ કહ્યું. ત્યારે ધાવમાતાએ પણ તે કરવાનું સ્વીકાર્યું ત્યાર પછી કેટલાંક દિવસો વીત્યા બાદ જગતને આનંદ કરાવનાર કૌમુદી મહોત્સવ આવી પહોંચ્યો એટલે અધિક ઉત્સવ કરવાની ઈચ્છાવાળા ઉત્સુક ચિત્તવાળા રાજાએ રાજ્યરક્ષક પુરૂષોને આજ્ઞા કરી કે “પડતો વગાડીને નગર લોકોને જણાવો કે સર્વ લોકોએ સર્વઋદ્ધિ સાથે કૌમુદી-મહોત્સવ જોવા માટે ઉદ્યાનમાં આવવું.” એ રાજાનો હુકમ છે. “આવતીકાલે પ્રાતઃકાળમાં ચાતુર્માસમાં ધર્મક્રિયાઓ કરીશ' એવા મનવાળા સુદર્શને આ રાજશાસનમાં સાંભળી ખેદ-પૂર્વક વિચાર્યું કે, “પ્રાતઃકાલે મન તો ચૈત્યવંદન કરવા ઉત્સુક થાય છે અને પ્રચંડ રાજ આજ્ઞા ઉદ્યાનમાં જવા માટે થઈ છે. હવે કયો ઉપાય કરવો? જે થવાનું હોય તે થાવ' એમ વિચારી તેણે રાજાને ભેટવું આપી વિનંતી કરી કે, તમારી કૃપાથી આવતીકાલે પર્વદિવસ હોવાથી હું દેવાર્શનાદિ કરું. રાજાએ તેની વિનંતી માન્ય રાખી. બીજા દિવસે જિનેશ્વરોનું ભક્તિથી સ્નાત્ર, વિલોપન અને પુષ્પોથી અર્ચન કરી ચૈત્ય-પરિપાટી ફર્યો ત્યાર પછી સુદર્શન રાત્રે પૌષધવ્રત અંગીકાર કરી નગરના કોઈક ચોકમાં કાર્યોત્સર્ગ કરી રહ્યો. ધાવમાતા પંડિતાએ અભયાને કહ્યું કે, તારા મનોરથો કદાચ પૂર્ણ થશે ? પરંતુ આજે તું ઉદ્યાનમાં ન જઈશ. “આજે મારું મસ્તક દુઃખે છે. એમ રાજાને કહીને રાણી રોકાઈ ગઈ. સ્ત્રીઓ ખરેખર પ્રપંચ કરવાની વિદ્યાને તો વરેલી જ હોય છે. ત્યાર પછી લેપની બનાવેલી કામદેવની મૂર્તિને વસ્ત્રથી ઢાંકીને વાહનમાં સ્થાપન કરી પંડિતા રાજમહેલમાં પ્રવેશ કરવા ગઈ. ચોકીદારીઓ પૂછ્યું કે, “આ શું છે ? એમ કહી તેને રોકી ત્યારે કૂટકપટની સંપત્તિની ભાંડાગારિણી પંડિતાએ સ્કૂલના પામતા જણાવ્યું કે, શરીર-કારણે દેવી આજે ઉદ્યાનમાં નથી ગયા અને કામદેવ આદિકની પૂજા પણ મહેલમાં જ કરવાનાં છે, આ કામદેવની મૂર્તિનો પ્રવેશ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કરાવીએ છીએ. તેમજ આજે બીજા દેવોની મૂર્તિનો પણ પ્રવેશ કરાવાશે. લારપાલે તેને કહ્યું કે, આ પ્રતિમા બતાવીને જ જા એટલે કામદેવની મૂર્તિ ખુલ્લી કરી બતાવી અને ગઈ. પંડિતાએ પ્રતિહારને ગફલતમાં નાંખવા માટે બે ત્રણ બીજી મૂર્તિઓ લાવી પ્રવેશ કરાવ્યો. “અહો નારીઓની છેતરવાની કળા-કુશળતા કેવી હોય છે ! સુદર્શનને વાહનમાં સ્થાપન કરી ખેસથી ઢાંકી ચોકીદારોથી અલના નહિ પામેલી પંડિતાએ લાવી અયાને અર્પણ કર્યો. ત્યાર પછી વિકારો પ્રદર્શિત કરતી મદનાતુર બનેલી તેણે સુદર્શનને અનેક પ્રકારે ક્ષોભ પમાડ્યા પ્રયત્ન કર્યો અને કહ્યું, “હે નાથ ! આ કામદેવ તીક્ષ્ય બાણોથી નિઃશંકપણે મને હેરાન કરે છે. આ કંદર્પના જેવા તમે હોવાથી મે તમારું શરણ સ્વીકાર્યું છે તે સ્વામિ ! શરણ કરવા લાયક ! શરણ આવેલી પીડિત એવી મને બચાવો. “મહાપુરુષો પારકા કાર્ય માટે અકાર્ય પણ જરૂર કરે છે. તમને કપટથી અહિં લાવ્યા છીએ, તો તે વિષયમાં તમારે કોપ ન કરવો. પીડા પામેલાના રક્ષણ-કાર્યમાં કપટ ગણાતું નથી.” ત્યાર પછી ઉંચા પ્રકારે પરમાર્થ વિચારવામાં વિચક્ષણ સુદર્શન પણ દેવતાની પ્રતિમા માફક કાર્યોત્સર્ગમાં નિશ્ચલ ઉભો રહ્યો. ફરી પણ અભયાએ કહ્યું. “હે નાથ ! હું મનોહર હાવભાવથી તમને બોલાવું છું, તો મૌન બની ઉપેક્ષા કેમ કરો છો ? હવે કષ્ટવાળા વ્રતનો ત્યાગ કરો અને હવેથી તમે આવું કષ્ટ કાર્ય કરશો નહિ. મારી પ્રાપ્તિથી તમને વ્રતનું ફલ અને આત્માનું કાર્ય સિદ્ધ થયેલું. સમજવું હે માનદ ! ઝુરતી યાચના કરતી, નમ્ર બનેલી મને સ્વીકારો. સ્વીકારો. દેવયોગે ખોળામાં આવી પડેલા રત્નને શા માટે ગ્રહણ કરતા નથી ? હજુ ક્યાં સુધી સૌભાગ્ય-ગર્વનું નાટક કરશો?” એ પ્રમાણે બોલતી તેણે તેના હાથ વડે ગોળ પુષ્ટ ઉંચા સ્તન સખત ગ્રહણ કરાવ્યા અને પદ્મિની કમળના દાડા સરખી કોમળ બે ભુજાઓથી ગાઢપણે આલિન કર્યું. તેના આવા અનુકળ ઉપસર્ગોમાં પણ ધીર બુદ્ધિવાળો તે અડોલ રહ્યો. “મેરું કોઈ દિવસ ચલાયમાન થાય ખરો ? સુદર્શને વિચાર્યું કે, જો કોઈ પ્રકારે આનાથી મુક્ત થાઉં, તો જ કાર્યોત્સર્ગ પારવો નહિતર મને અનશન હો. “મરવાની ઈચ્છાવાળા હે મુર્ખ ! માન્ય કરવા યોગ્ય એવા મારું તું અપમાન ન કર, મનુષ્યોને શિક્ષા કરવી કે ઉપકાર કરવો એવા કાર્ય કરવામાં સમર્થ મનવાળી નારીને શું તું જાણતો નથી ?' હે જડ ! કામદેવને આધીન થયેલી મને તું આધીન થા, નહિતર તું યમરાજાનો મહેમાન બનીશ, એ વાતમાં સંદેહ ન રાખીશ” આ પ્રમાણે આવેશની હદમાં જેમ જેમ ચડવા લાગી તેમ તેમ મહાત્મા સુદર્શન ધર્મધ્યાનમાં ચડવા લાગ્યા. આ પ્રમાણે આખી રાત્રિ તેણે કદર્થના કરી, તો પણ તે ધ્યાનથી ચલાયમાન ન થયા “નાવડીના દંડ તાડન કરવાથી મહાસમુદ્ર કોઈ દિવસ ક્ષોભાયમાન બને ખરો ?' ત્યાર પછી પ્રભાત જોઈ તેણે નખો વડે પોતાનું શરીર વલોર્યું અને મોટા શબ્દથી ચીસો પાડી કે, “કોઈ પુરૂષે મારા પર બળાત્કાર કર્યો. તે પછી ત્યાં ઉતાવળા ચોકીદારો આવ્યા. ત્યારે તેઓએ કાર્યોત્સર્ગમાં રહેલા સુદર્શનને જોયા. “આમ આ સંભવતું નથી. એમ માની ચોકીદારોએ તરત રાજાને નિવેદન કર્યું. એટલે તેણે આવી અભયાને પૂછ્યું. તેણે રાજાને જણાવ્યું કે, “હે દેવ ! આપને પૂછીને અમે અહીં રોકાયા, ત્યારે પિશાચ સરખો આ અકસ્માત અહીં આવ્યો એટલે તેને એમ જોયો, બોકડાં જેવા ઉન્મત્ત કામ વ્યસનવાળા આ પાપીએ રમણ કરવાની ઈચ્છાથી મીઠાં વચનો વડે મારી માંગણી કરી. ત્યારે મેં તેને કહ્યું અરે ! અસતી માફક સતીની ઈચ્છા ન કર. ‘ચણા માફક મરી ચાવી શકાતા નથી. તે પછી તેણે બળાત્કારથી મારી આ સ્થિતિ કરી. તરત જ મેં પોકાર કર્યો. અબળામાં બીજું બળ ક્યાંથી હોય ? સુદર્શનમાં આ વાત અસંભવિત છે એમ માની સુદર્શનને વારંવાર પુછ્યું “આ શી હકીકત છે ? રાજાએ પૂછવા છતાં પણ સુદર્શન કંઈપણ ન બોલ્યો. “અતિશય ઘસેલું પણ ચંદન બીજાના તાપની શાન્તિ માટે થાય છે.” “પરદાર-ગમન કરનારા ચોરોનું મૌન એ પણ લક્ષણ છે.” Page #224 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૧ ૧૭૩ એમ વિચારી રાજાએ તેનામાં પણ દોષની સંભાવના કરી. અને ક્રોધથી રાજાએ આખા નગરમાં તેના દોષની ઘોષણા કરાવી કે, આ પાપી છે' અને તેનો વધ કરવા માટે હુકમ કર્યો. રાજપુરુષોએ બે હાથ પકડી તેને ઉપાડ્યો. રાજાઓની કાર્યસિદ્ધિ વચનથી અને દેવોને મનથી જ થાય છે.' તેના મુખ પર મેશ ચોપડી. શરીર પર લાલચંદન મસ્તક પર કણેર પુષ્પોની માળા, ગળામાં કંકોલની માળા, ગધેડા પર સવારી કરાવી. સુપડાનું છત્ર ધરાવ્યું. ઢોલ વગાડતા વગાડતાં નગરમાં ભ્રમણ કરાવે છે.' આને રાજાના અંતઃપુ૨માં ગુનો કર્યો હોવાથી તેનો વધ કરવામાં આવે છે. આ બાબતમાં રાજાનો અપરાધ નથી.’ એવી આ ઘોષણા તેઓએ કરી. ‘આ વાત કોઈ પ્રકારે સાચી માની શકાય તેવી નથી, તેમ આમાં આ કાર્ય સંભવતું નથી.' આ પ્રમાણે લોકો હાહારવયુક્ત પોકાર કરવા લાગ્યા. એ પ્રમાણે ફેરવતાં ફેરવતાં તેને પોતાના ઘરના દ્વાર ભાગમાં લાવ્યા. એટલે મહાસતી મનોરમાએ તેને જોયો. તે વિચારવા લાગી કે “મારા પતિ તો સદાચારવાળા છે, રાજા પણ આચાર તરફ પ્રેમ રાખનાર છે. આમાં નક્કી દેવ જ દુરાચારી છે આ પણ ખરાબ છે, અથવા તો નક્કી આ મહાત્માઓના પહેલાના અશુભ કર્મોનું ફળ જ પ્રાપ્ત થયું છે. આનો કોઈ પ્રતિકાર નથી, તો પણ આ થશે. એમ નિશ્ચય કરી ઘરની, અંદર પ્રવેશ કરી જિનેશ્વરની પૂજા કરી, ત્યાર પછી કાર્યોત્સર્ગ કરીને શાસનદેવીને વિનંતી કરી, “હે ભગવતીઓ ! મારા પતિમાં દોષની બિલકુલ સંભાવના નથી. માટે આ પરમશ્રાવકનું જો તમો સાનિધ્ય કરશો, તો જ હું આ કાઉસ્સગ્ગ પારીશ નહિંતર આ સ્થિતિમાં જ હું નક્કી અનશન કરીશ. ધર્મના ધ્વંસમાં કે પતિના ધ્વંસમાં કુલીન સ્ત્રીઓ કેવી રીતે જીવી શકે ? આ બાજુ રાજ્યરક્ષક પુરુષોએ સુદર્શનને શૂલિકા ૫૨ સ્થાપન કર્યો. કારણકે સેવકને રાજઆજ્ઞા ભયંકર અને ઉલ્લંઘન ન કરવા લાયક હોય છે. પરંતુ આ મહાત્માની શૈલી પણ સુવર્ણનું કમલાસન બની ગયું. દેવતાના પ્રભાવથી યમરાજાની દાઢા પણ બુઠ્ઠી બની જાય છે.” તેનો વધ કરવા માટે રાજપુરુષોએ તીક્ષ્ણ તરવાર દઢપણે વાપરી, પરંતુ ગળામાં પડતા તે પુષ્પમાળા બની ગઈ. તે દેખી ચમત્કાર પામેલા તે પુરુષોએ રાજાને નિવેદન કર્યું. એટલે રાજા હાથણી પર આરૂઢ થઈ ઉતાવળો ઉતાવળો સુદર્શન પાસે આવ્યો. રાજાએ તેને આલિંગન કરી પશ્ચાત્તાપપૂર્વક કહ્યું કે, “હે શ્રેષ્ઠિ ! ભાગ્યયોગે તારા પોતાના પ્રભાવથી તુ મૃત્યુ ન પામ્યો. ખરેખર પાપી અધમ કહેવાતા રાજાએ શું તારો વિનાશ નથી કર્યો ? અનાથ સજ્જન પુરુષોના નાશમાં ધર્મ સર્વ પ્રકારે જાગતો જ છે. સ્ત્રીઓના માયા-પ્રધાનતાવાળા વચનોમાં વિશ્વાસ રાખી વગર વિચાર્યે જે તને મારી નાંખે તેવો દધિવાહન સિવાય બીજો કોઈ પાપી નથી. બીજું કંઈક નહીં. આ પાપ તે પણ મારી પાસે કરાવ્યું છે. કારણકે મેં તને વારંવાર પૂછવા છતાં પણ હે સાધુપુરુષ ! તે મને જવાબ ન આપ્યો. આ પ્રમાણે વાર્તાલાપ કરતા રાજાએ તેને હાથી પર બેસાડ્યો અને મહેલે લઈ જઈ સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરાવ્યું. વસ્ત્રો અલંકારો પહેરાવીને રાજાએ સુદર્શનને પુછ્યું, એટલે રાત્રે જે બન્યું હતું તે યથાર્થ રીતે કહ્યું. પછી રાણી પ્રત્યે ક્રોધ પામેલા અને રાણીને શિક્ષા કરવા તૈયાર થયેલા રાજાને સુદર્શને પગમાં પડી અટકાવ્યો ત્યાર પછી ન્યાયથી રક્ષણ કરનાર રાજાએ શેઠને હાથી પર બેસાડી નગ૨ વચ્ચેથી મહાવિભૂતિથી ઘરે પહોંચાડ્યો. અભયાએ આ વાત સાંભળી ગળે ફાંસો બાંધી આત્મહત્યા કરી. “પરદ્રોહ કરનારા પાપીઓ પોતાની મેળે જ પતન પામે છે' પંડિતા પણ ત્યાંથી ભાગી પાટલિપુત્ર પત્તને પહોંચી દેવદત્તા ગણિકા પાસે રહી ત્યા પણ પંડિતા હંમેશા સુદર્શનની પ્રશંસા કરતી હતી જેથી દેવદત્તાને તેના દર્શનની અતિઉત્કંઠા ઉત્પન્ન થઈ. સંસારથી વિરકત બની સુદર્શને પણ દીક્ષા અંગીકાર કરી. સમુદ્રથી જેમ રત્ન તેમ ગુરુની પાસેથી નીકળી તપથી કૃશકાયાવાળા એકાકી વિહાર પ્રતિમામાં રહેલા તે મુનિ અનુક્રમે વિહાર કરતા કરતા પાટલિપુત્ર નગરે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આવ્યા. ભિક્ષા માટે ફરતા ત્યાં પંડિતાએ દેખ્યા. દેવદત્તાએ કહ્યું એટલે તેની મારફત ભિક્ષાના બાનાથી બોલાવ્યા. મુનિ પણ લાભ નુકશાનનો વિચાર કર્યા વગર ત્યાં ગયા પછી દેવદત્તા દ્વાર બંધ કરી આખો દિવસ અનેક પ્રકારે કદર્થના કરી, પણ મુનિ ક્ષોભ ન પામ્યા. હવે સાંજે દેવદત્તાએ છૂટા કર્યા. ત્યારે તે ઉદ્યાનમાં ગયા. જ્યાં અભયા મરીને વ્યંતરી થઈ હતી, તેણે દેખ્યા. પૂર્વના કર્મના સ્મરણથી તેણે પણ કદર્થના શરૂ કરી. કારણકે “જંતુઓને દેવું અને વેર જન્માંતરમાં પણ નાશ પામતું નથી.” તે વ્યંતરીએ મહાસત્ત્વવાળા સુદર્શનને ઘણા હેરાન-પરેશાન કર્યા, પરંતુ તે તો શુભ ધ્યાન-યોગે અપૂર્વ કરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં ચડ્યા. ત્યાર પછી ભગવાને ઉજ્જવલ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તત્કાલ દેવોએ અને અસુરોએ તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. ભવ-સમુદ્રથી જીવોને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા કેવળજ્ઞાનીએ ધર્મદેશના કરી. તેવા “મહાપુરુષોના અભ્યદય લોકોના ઉદય માટે થાય છે.” તેમની ધર્મદેશનાથી અન્ય અન્ય પ્રાણીઓ જ નહિ, પરંતુ દેવદત્તા પંડિતા અને વ્યંતરીપણ પ્રતિબોધ પામી. સ્ત્રીની નિકટમાં રહેવા છતાં પણ જેનો આત્મા દૂષિત થયો નથી, તેવા સુદર્શનમુનિ શુભ દેશનાથી જીવોને પ્રતિબોધ પમાડી ક્રમે કરી પરમપદને પામ્યા. જિનેન્દ્ર-શાસન પામેલાને તે સ્થાન પ્રાપ્ત થવું મુશ્કેલ નથી.' આ પ્રમાણે સુદર્શનમુનિની કથા પૂર્ણ થઈ. || ૧૦૧ || ધર્મકાર્યોમાં પુરૂષો જ એકલા અધિકારી નથી, પરંતુ સ્ત્રીઓ પણ અધિકારી છે; કારણ કે ચારવર્ણવાળા સંઘમાં તેઓને પણ એક અંગ માનેલું છે. તેથી પુરૂષને પરદાદાના નિષેધ માફક સ્ત્રીઓને પરપુરૂષનું ગમન નિષેધ કરે છે १५८ ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि च ।। સીતા રાવ રૂવ, ત્યાજ્યો ના નરઃ પરે ! ૨૦૨ છે. અર્થ : જેમ સીતા સતીએ રાવણનો ત્યાગ કર્યો તેમ ઐશ્વર્યથી કુબેર તુલ્ય અને રૂપથી કામદેવે જેવા પણ પરપુરુષનો સ્ત્રીઓએ ત્યાગ કરવો જોઈએ. || ૧૦૨ || ટીકાર્થ : ઐશ્વર્યથી કુબેર જેવો હોય, રૂપથી કામદેવ જેવો હોય, તો પણ સ્ત્રીએ પોતાના પતિ સિવાયના બીજા પુરૂષોનો, જેમ સીતાએ રાવણનો ત્યાગ કર્યો, તેમ ત્યાગ કરવો. | ૧૦૨ // १५९ नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चा-न्यकान्तासक्तचेतसाम् ॥ १०३ ॥ અર્થ? અન્ય સ્ત્રી અને અન્ય પુરૂષમાં આસક્ત ચિત્તવાળા સ્ત્રીઓ અને પુરૂષોને ભવોભવ નપંસુકપણું તિર્યચપણું અને દીર્ભાગ્યપણું પ્રાપ્ત થાય છે. / ૧૦૩ / ટીકાર્થ: બીજાનીસ્ત્રી કે બીજાના પતિમાં આસક્તિ કરનાર પુરૂષ કે સ્ત્રીઓ નપુંસકપણું, તિર્યચપણું દુર્ભાગ્ય, વચન માન્ય ન કરે તેવી અનાદેયતા જન્માંતરમાં પ્રાપ્ત કરે છે. જ્યારે સ્ત્રીનો અધિકાર હોય ત્યારે બીજાનો પતિ પુરૂષ અને પુરૂષનો અધિકાર હોય તો અન્યની સ્ત્રી સમજવી / ૧૦૩ | અબ્રહ્મની નિંદા કરીને બ્રહ્મચર્યના આ લોક સંબંધી ગુણો જણાવે છે– १६० प्राणभूतं चरित्रस्य परबौककारणम् समाचरन्, ब्रह्मचर्यं पूजितैरपि पूज्यते ॥ १०४ ॥ कारणाम । Page #226 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૨-૧૦૫ ૧૭૫ અર્થ : ચારિત્રના પ્રાણ તુલ્ય અને મોક્ષના કારણભૂત, બ્રહ્મચર્ય વ્રતને સમ્યગુ રીતે આચરતો આત્મા પૂજ્ય એવા સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓ દ્વારા પણ પૂજાય છે / ૧૦૪ || ટીકાર્થ : દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રના જીવિત સ્વરૂપ, મોક્ષનું અપૂર્વ કારણ એવા બ્રહ્મચર્યનું પાલન કરતો મનુષ્ય, એકલા સામાન્ય મનુષ્યોથી નહિ. પરંતુ સુરો, અસુરો અને મનુષ્યોના ઈન્દ્રોથી મન, વચન અને કાયા તથા ઉપચાર પૂજા વડે પૂજાય છે. || ૧૦૪ || બ્રહ્મચર્યના પરલોક સંબંધી ગુણો કહે છે– १६१ चिरायुषः सुसंस्थाना-दृढसंहनना नराः । तेजस्विनो महावीर्या भवेयुब्रह्मचर्यतः ૨૦૫ | અર્થ : બ્રહ્મચર્ય વ્રતના પાલનથી મનુષ્યો લાંબા આયુષ્યવાળા, સુંદર સંસ્થાનવાળા, દેઢ સંહનને ધરનારાં, તેજસ્વી અને મહાપરાક્રમી થાય છે. ૧૦૫ // ટીકાર્થ: અનુત્તર સુરાદિક સ્થાનમાં ઉત્પન્ન થનાર હોવાથી લાંબા આયુષ્યવાળા, સમચતુરસ સંસ્થાન વાળા, મજબૂત હાડકાના સંચયરૂપ વજઋષભનારા નામના સંઘયણવાળા, આ સંઘયણ મનુષ્યભવમાં ઉત્પન્ન થનારને હોય છે. દેવોને સંહનન હોતા નથી. બ્રહ્મચર્યના પ્રભાવથી તેજસ્વી શરીર કાન્તિવાળા, તીર્થકર, ચક્રવર્તી આદિ એ મહાબળવાળા થાય છે. બ્રહ્મચર્ય વિષયક ઉપયોગી શ્લોકો – મનુષ્ય સ્ત્રીઓની સર્પાકારવાળી કાળી વાંકીચુકી કેશ-કબરીને દેખે છે પણ તેના રાગથી ઉત્પન્ન થએલી દુષ્કર્મની પરંપરાને જોતો નથી. સિંદૂર-રજથી પૂર્ણ સમન્તિનીના કેશનો સેંથો એ સીમન્ન નામનો નરકનો માર્ગ છે. તે ખ્યાલમાં રાખવું. સુંદર વર્ણવાળી રમણીઓની ભવાની વલ્લરી મોક્ષમાર્ગે પ્રયાણ કરી રહેલાઓની આગળ આ સર્પિણીને વર્ણવે છે, તે શું તમે નથી જાણતા ? અંગનાઓના મનોહર નયનના કટાક્ષોનું નિરીક્ષણ કરાય છે, પરંતુ નિર્ભાગી પોતાના નાશ પામતા જીવિતને જોતો નથી. સ્ત્રીઓના સરળ અને ઉન્નત નાસિકવંશની પ્રશંસા કરાય છે, પરંતુ અનુરાગ કરીને ભ્રષ્ટ કરતા પોતાના વંશ તરફ જોતા નથી, સ્ત્રીઓના ગાલરૂપી અરીસામાં પડેલા પોતાના પ્રતિબિંબને જોઈને ખુશ થાય છે. પરંતુ તે જડ ભરત સંસાર-તલાવડીના કાદવમાં ડૂબતા પોતાને જાણતો નથી. રતિક્રીડાના સર્વમુખ સમાન બુદ્ધિથી સ્ત્રીઓના લાલ હોઠનું પાન કરે છે, પરંતુ યમરાજા રાત-દિવસ આયુષ્ય-પાન કરે છે, તે સમજતો નથી, મોગરાના કળી સમાન ઉજ્જવલ સ્ત્રીઓના દાંતને આદરથી જુએ છે, પણ વૃદ્ધાવસ્થા બલાત્કારથી પોતાના દાંત ભાગી નાંખે છે, તે દેખતા નથી. સ્ત્રીઓના કાનપાશને કામદેવના હિંડોળાની બુદ્ધિથી દેખે છે, પરંતુ પોતાના કંઠે અને ગરદન પર લટકતા કાલપાશોને જોતા નથી. નષ્ટબુદ્ધિવાળો મનુષ્ય રમણીઓના મુખને દરેક ક્ષણે જોયા કરે છે, પરંતુ ખેદની વાત છે કે, તેને યમરાજાનું મુખ જોવા માટે સમય નથી. કામદેવથી પરાધીન બનેલો માણસ સ્ત્રીના કંઠનું અવલંબન કરે છે, પરંતુ આજ કે કાલ માત્ર અવલંબન કરનારા પોતાના પ્રાણને જાણતો નથી. દુબુદ્ધિ માનવ યુવતીઓના ભુજારૂપી લતાના બંધનને મનોહર જાણે છે. પરંતુ કર્મબંધનથી પોતાનો આત્મા જકડાઈ ગયો, તેનો શોક કરતો નથી, રમણીઓના હસ્ત-કમળથી સ્પર્શાએલો ખુશ થએલો પુરુષ રોમાંચ-કંટકોને ધારણ કરે છે, પરંતુ તે નારકીના કૂટ શાલ્મલિવૃક્ષના કાંટાને યાદ કરતો નથી, જડબુદ્ધિવાળો પુરુષ યુવતીના સ્તન-કળશોનું આલિંગન કરી સુખપૂર્વક શયન કરે છે, પરંતુ નક્કી તે કુંભીપાકની વેદનાથી થતી વ્યથા ભૂલી જાય છે. અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓ ક્ષણે ક્ષણે Page #227 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૭૬ કટાક્ષ કરનારી સ્ત્રીઓના મધ્યસ્થાનમાં સ્થાન કરે છે, પરંતુ એ ભવસમુદ્રનું મધ્ય છે. તેનો તે વિવેક કરતાં નથી, મનુષ્ય ૨મણીઓની ત્રણ કરચલીરૂપ ત્રિવલીના તરંગોથી આકર્ષાય છે. પરંતુ ત્રિવલીના બાનાથી ખરેખર એ ત્રણ વૈતરણી નદી છે. પુરુષોનું કામદેવથી પીડિત મન સ્ત્રીની નાભિરૂપી વાવડીમાં સ્નાન કરે છે, પરંતુ આ મન હર્ષના સ્થાન સ્વરૂપ સામ્ય-જળમાં પ્રમાદથી પણ મજ્જન કરતું નથી. સ્ત્રીઓની રોમલતાને કામદેવને ચડવાની નિસરણી જાણે છે, પરંતુ તે મનુષ્યો તેને સંસાર-કેદખાનામાં જકડી રાખનાર લોહસાંકલ છે, તેમ જાણતા નથી, અધમપુરુષો સ્ત્રીઓના વિશાલ જધનનું હર્ષથી સેવન કરે છે, પરંતુ તેઓ આ સંસાર-સમુદ્રનો કિનારો છે, એમ નક્કી જાણતા નથી. મંદબુદ્ધિવાળો કરભ સરખા સાથળવાળી યુવતીઓના સાથળનું સેવન કરે છે પરંતુ તે સ્ત્રીઓ સદ્ગતિ મેળવવામાં વિઘ્નભૂત છે તેમ જાણતા નથી. સ્ત્રીઓમાં પાદપ્રહારથી હણાએલો પુરુષ પોતાને અતિ ભાગ્યશાળી માને છે, પરંતુ હતાશ તે સમજી શકતો નથી કે તેઓ મને અધોગતિમાં ધકેલે છે. જેનો દર્શન સ્પર્શન અને આલિંગનથી મનુષ્યનું કામ જીવન હણાઈ જાય છે, તેવી સ્ત્રીઓના ઉગ્ર ઝેરવાળી નાગિણી માફક વિવેકીઓએ ત્યાગ કરવો જોઈએ. ચંદ્રલેખા જેવી કુટિલ, સંધ્યા જેવી ક્ષણરાગી અને નદી જેમ નીચગતિ કરનાર નિતંબિની વર્ષવા યોગ્ય છે. મદનમાં અંધ બનેલી વામાઓ પ્રતિષ્ઠા, સૌજન્ય, દાન, ગૌરવ, સ્વહિત કે પરહિત કંઈ દેખતી નથી. મનુષ્યને ક્રોધ પામેલા સિંહ, વાઘ કે સર્પ જે નુકસાન નથી કરતા, તેના કરતા પણ અતિ નુકસાન નિરંકુશ નારી કરે છે, પ્રગટ થએલા કામોન્માદવાળી હાથણી સરખી સ્ત્રીઓ વિશ્વને ઉપઘાત કરનારી હોઈ દૂરથી ત્યજવા યોગ્ય છે, તેવા કોઈપણ મંત્રનું સ્મરણ કરો. કોઈપણ તે દેવની ઉપાસન કરો. જેથી આ સ્ત્ર પિશાચી શીલ-જીવિતનો કોળીયો કરી ન જાય, શાસ્ત્રોમાં જે સંભળાય છે, તેમ જ લોકોમાં જે ગવાય છે કે નારીઓ દુઃશીલ અને કામવિવલ હોય છે, તે વાતમાં સર્વ એક મતવાળા છે, જગતને હણવાની ઈચ્છાવાળા ક્રૂર બ્રહ્માએ સર્પોની દાઢો, અગ્નિ યમની જીભો, વિષના અંકુરો, એકઠા કરીને જાણે નારી બનાવી ન હોય ! દેવયોગે કદાચ વીજળી સ્થિર થાય, વાયુ સ્થિર રહે તો પણ નારીનું મન સ્થિરતાવાળું કદાપિ ન થાય. ચતુર પુરુષો મંત્ર, તંત્ર આદિ વગર પણ જેનાથી ઠગાય છે, તેવું આ ઈન્દ્રજાળ નારીઓ ક્યાં ભણી હશે ? રમણીઓની જૂઠ બોલવાની અપૂર્વકળા છે કે જે પ્રત્યક્ષ કરેલા અપકૃત્યોને પણ ક્ષણવારમાં વાતનો પલટો કરી છુપાવે છે. જેને કમળાનો રોગ થયો હોય, અગર જે ગાંડો બન્યો હોય તેવો મનુષ્ય જેમ ઢેફાને સુવર્ણ માને, તેવી રીતે મોહાંધ માનસવાલો સ્ત્રીસંગથી થયેલા દુ:ખમાં સુખ બુદ્ધિ કરે છે. જટાધારી મસ્તક મુંડાવનાર, ચોટલી રાખનાર, મૌનવ્રત કરનાર, નગ્નવ્રતી ઝાડની છાલરૂપ વસ્ત્ર પહેરનાર, તપસ્વી કે બ્રહ્મા ગમે તે હોય પરંતુ તે જો અબ્રહ્મચારી હોય, તેઓ તેને ગમતા નથી. ખણનાર ખૂજલીને ખણતા જેમ દુઃખને સુખ માને છે, તેવી રીતે દુ:ખે કરી નિવારણ કરી શકાય તેવા કામદેવને પરાધીન બનેલા પ્રાણી દુઃખસ્વરૂપ મૈથુનને સુખરૂપ માને છે, જે કવિઓ નારીઓ સુવર્ણ પ્રતિમા આદિ સાથે તુલના કરે છે. તેઓ તે વસ્તુઓને આલિંગન કરી કરીને તૃપ્તિ કેમ પામતા નથી ? સ્ત્રીઓનાં જે અંગો દુર્ગંછા કરવા યોગ્ય અને છુપાવા યોગ્ય છે, તેમાં જ માણસ રાગ કરે છે તો પછી બીજા કયા પદાર્થથી વૈરાગ્ય પામે ? અરેરે ! દુ:ખની વાત તો એ છે કે માનવો અજ્ઞાન અને મોહથી માંસ અને હાડકાનાં બનેલા અંગો, ચંદ્ર કમળ, મોગરા આદિની સરખામણી કરી સુંદર પદાર્થોને દૂષિત કરે છે ! નિતંબ, સાથળ, સ્તન આદિના મોટા ભારવાળી નારીને મૂઢબુદ્ધિવાળા કામીઓ સુરતક્રીડા માટે વક્ષ:સ્થળ ઉપર આરોપણ કરે છે, પરંતુ સંસાર સમુદ્રની અંદર ડૂબવા માટે પોતાના કંઠે બાંધેલી આ શિલા છે, તેમ સમજતા નથી. હે બુદ્ધિશાળી શ્રાવકો ! ભવ-સમુદ્રની ભરતી માફક ચપળ કામરૂપી શિકારીની Page #228 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૬ ૧૭૭ લક્ષ્યભૂતી હરિણી સરખી, મદની અવસ્થા કરાવવામાં મદિરા જેવી, વિષયો રૂપી મૃગતૃષ્ણા-ઝાંઝવાના જળ માટે મારવાડની ભૂમિ જેવી. મહામોહરૂપી અંધકારના સમૂહ માટે અમાવાસ્યાની રાત્રિ જેવી વિપત્તિઓની ખાણ જેવી નારીનો તમે પરિહાર કરો. તે ૧૦૫ // પાંચમું અણુવ્રત હવે મૂચ્છના ફલને બતાવી તેને નિયંત્રણ કરવારૂપ પાંચમા અણુવ્રતને જણાવે છે– १६२ असन्तोषमविश्वास-मारम्भं दुःखकारणम् । ___ मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ॥ १०६ ॥ અર્થ : દુઃખના કારણભૂત અસંતોષ, અવિશ્વાસ અને આરંભ અને મૂછનું ફલ માનીને પરિગ્રહની વિરતિરૂપ નિયંત્રણ કરવું. ૧૦૬ || ટીકાર્થ: શ્રાવકે દુઃખના નિમિત્તભૂત, મૂછના ફલસ્વરૂપ પરિગ્રહનું પરિમાણ કરવું, તેમાં અસંતોષ એટલે ગમે તેટલું મળે તો પણ તૃપ્તિ ન થાય, તેથી દુઃખનું કારણ છે. મૂછવાલાને ઘણું ધન મળી જાય તો પણ સંતોષ થતો નથી. એટલું જ નહિ, પણ ઉત્તરોત્તર અધિક મેળવવાની આશામાં કદર્થના પામતા દુઃખનો જ અનુભવ કરે છે. પારકાની અધિક સંપત્તિ દેખીને ઓછી સંપત્તિમાં અસંતોષ માની દુઃખ પામે છે. જે માટે કહ્યું છે કે- “અસંતોષવાળા પુરુષને ડગલે પગલે અપમાન થાય છે, અને સંતોષરૂપી ઐશ્વર્યના સુખવાળાઓને દુર્જનભૂમિઓ દૂર હોય છે. અવિશ્વાસ પણ દુઃખનું કારણ છે. અવિશ્વાસુ હોય તે અશકનીય પુરૂષોથી પણ શંકા કરતો સ્વધનની રક્ષા કરતો કોઈનો પણ વિશ્વાસ કરતો નથી. તે માટે કહે છે. ‘ઉખેડે, ખોદે, સ્થાપન કરે, રાત્રે ઉંઘે નહિ, દિવસે પણ શંકા કરતો ઉંધે, છાણથી લીંપે સ્થાપન કરે, હંમેશા નિશાની કરે, અવળી નિશાની કરે. મૂચ્છ પામેલો પ્રાણાતિપાતાદિક આરંભ કરવાનો પણ સ્વીકાર કરે, તે આ પ્રમાણ-પુત્ર પિતાને, પિતા પુત્રને, ભાઈ, સગાભાઈને હણે છે, લાંચ લઈને ખોટી સાક્ષી આપનાર બની ઘણું જુઠું બોલે છે વધારે બળ હોવાથી મુસાફરોને પકડે છે, લૂંટે છે, ખાતર પાડે ધનલોભથી પરદાર-ગમન કરે, તથા નોકરી ખેતી પશુપાલન વેપાર વગેરે કરે, મમ્મણ વણિકની માફક નદી આદિકમાં પ્રવેશ કરી કાષ્ઠો બહાર ખેંચી લાવે” શિષ્ય શંકા કરી કે, દુ:ખ-કારણ મૂફલ સમજીને પરિગ્રહનું નિયંત્રણ કરવું – આ કેવા પ્રકારની વાણીની યુક્તિ સમજવી ? અહીં તેનું સમાધાન આપે છે કે મૂછનું કારણ હોવાથી પરિગ્રહ પણ મૂર્છા જ છે અથવા “મૂચ્છ પ્રદ:' (તત્ત્વાર્થ ૭/૧૨) એ સૂત્રકારના વચનથી મૂચ્છ એ જ પરિગ્રહ-એ નિશ્ચયનય મતથી કહેવાય, મૂર્છા વગર ધન-ધાન્યાદિક અપરિગ્રહ છે. જે માટે કહ્યું છે કે મમકારવગરનો પુરૂષ વસ્ત્ર આભૂષણ આદિથી અલંકૃત હોય તો પણ અપરિગ્રહ છે. અને મમકારવાળો નગ્ન હોય તો પણ પરિગ્રહવાળો છે. તથા ગામ કે ઘરમાં પ્રવેશ કરતાં કર્મ કે નોકર્મ (અલ્પકર્મ)ને ગ્રહણ કરવા છતાં તે પરિગ્રહ વગરનો-મમતા વગરનો છે, તે સિવાય અપરિગ્રહવાળો હોઈ શકે નહિ. તથા જે વળી વસ્ત્ર કે પાત્ર, કંબલ કે આસન ધારણ કરે તે વાપરે છે, તે સંયમ અર્થે અને લજ્જા ટાળવા માટે છે, સંસાર-સમુદ્રથી તારનાર એવા મહર્ષિ વીર ભગવંતે તેને પરિગ્રહ કહ્યો નથી, પરંતુ જો તે સંયમના સાધનોમાં મમત્વબુદ્ધિ થાય, તો તેને પરિગ્રહ જણાવ્યો છે. (દશર્વ. ૬/૨૦-૨૧) આ સર્વ સ્પષ્ટ હકીકત છે. / ૧૦૬ || બીજા પ્રકારે પરિગ્રહનું નિયંત્રણ જણાવે છે– Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ १६३ परिग्रहमहत्त्वाद्धि मज्जत्येव भवाऽम्बुधौ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 1 महापोत इव प्राणी, त्यजेत्तस्मात् परिग्रहम् ॥ १०७ ॥ અર્થ : આત્મા પરિગ્રહના ભારથી જ મોટા જહાજની જેમ ભવસમુદ્રમાં ડુબી જાય છે, તેથી પરિગ્રહનો ત્યાગ કરવો. ॥ ૧૦૭ || ટીકાર્થ : વધારે ભારવાળું વહાણ જેમ સમુદ્રમા ડૂબી જાયછે. તેમ પરિગ્રહની અધિકતાથી પ્રાણી ભવસમુદ્રમાં નક્કી ડૂબી જાય છે. જેમ અમર્યાદિત ધન-ધાન્યાદિકના ભારથી ભરેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય, તેમ જીવ પણ અમર્યાદિત ધન, ધાન્ય, ઘર, દુકાન, જમીન, ખેતર આદિની અધિકતાથી ગજા ઉપરાંતના પરિગ્રહના ભારથી નકાદિક દુર્ગતિમાં ડૂબી જાય છે. કહેલું છે કેઃ “મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિય જીવોના વધ ક૨વાથી જીવો ના૨કાયુ ઉપાર્જન કરે છે.” વન્દ્વારમ પદ્મિહત્વ ધ નારીચાયુષ: (તત્ત્વાર્થ ૬/૧૬) બહુ આરંભ, બહુ પરિગ્રહથી નારકનું આયુષ્ય બંધાય છે. આ પ્રમાણે હોવાથી ધન ધાન્યાદિ સ્વરૂપ પરિગ્રહનું મૂર્છાના ત્યાગ કરવા રૂપ નિયંત્રણ કરે અર્થાત્ વગર જરૂરિયાતવાળા પરિમાણથી અધિક પરિગ્રહનો ત્યાગ કરે. ॥ ૧૦૭ || સામાન્યથી પરિગ્રહના દોષો જણાવે છે— १६४ त्रसरेणुसमोऽप्यत्र, न गुणः कोऽपि विद्यते 1 दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे ॥ ૧૦૮ ॥ અર્થ : પરિગ્રહમાં સૂર્યના કિરણો વચ્ચે ઉડતા બારીક રજ-પરમાણુ જેટલા પ્રમાણવાળો કોઈ પણ ગુણ નથી, પરંતુ પરિગ્રહમાં પર્વત જેવડા મોટા દોષો તો ઉત્પન્ન થાય જ છે. || ૧૦૮ ટીકાર્થ : પરિગ્રહથી ઘરમાં જાળીની અંદરથી આવતા સૂર્યકિરણોમાં જણાતા ઘણા બારીક અસ્થિર રજકણો હોય તેટલો પણ કોઈ લાભ થતો નથી. પરિગ્રહના બલથી પરભવમાં પણ કોઈ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી. ભોગ-ઉપભોગાદિ કરવામાં આવે છે, તે ગુણ નથી, ઉલટું તેની આસક્તિથી નુકશાન જ થાય છે. જે વળી, જિનભવન, ઉપાશ્રયાદિક કરાવવા રૂપ પરિગ્રહનો ગુણશાસ્ત્રમાં વર્ણવેલો છે તે ગુણ નથી પરંતુ તેનો પરિગ્રહ હોય તે તો સારા ક્ષેત્રમાં વ્યય કરી નાખી પરિગ્રહ બુદ્ધિ ઘટાડવી. પરંતુ જિનભવનાદિક બંધાવા માટે પરિગ્રહ ધારણ કરવાનો આશય કલ્યાણકારી નથી. કહેલું છે કેઃ— “ધર્મકાર્ય માટે જેઓ ધનની ઈચ્છા રાખે છે, તેના કરતા તેવી ઈચ્છા ન રાખવી તે વધારે સારી છે. કાદવમાં પગ ખરડીને સાફ કરવો. તેના કરતાં દૂરથી સ્પર્શ જ ન કરવો તે વધારે સારી છે. કાદવમાં પગ ખરડીને સાફ કરવો, તેના કરતા દૂરથી સ્પર્શ ન કરવો તે વધારે સુંદર છે તથા સુવર્ણ મણિરત્નના પગથિયાવાળું તેવા હજારો થાંભલાવાળું સુવર્ણ ભૂમિતલયુક્ત જે કોઈ જિનમંદિર બંધાવે, તેના કરતાં પણ તપ, સંયમ ‘અધિક છે. (ઉ માલા. ૪૯૪) બીજી રીતે કહેતાં જણાવે છે કે, પરિગ્રહ રાખવામાં આગળ જણાવીશું તેવા પર્વત જેવડા મોટાં દોષો ઉત્પન્ન થાય છે. પર્વત જેવા મોટા દોષો કહ્યા, તેને વિસ્તારથી સમજાવે છે ।। ૧૦૮ १६५ सङ्गाद्भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः I मुनेरपि चलेच्चेतो यत्तेनान्दोलितात्मनः ॥ ૧ ॥ અર્થ : પરિગ્રહના સંગથી અવિદ્યમાન એવા રાગ-દ્વેષાદિ દોષો પ્રગટ થાય છે તથા તે પરિગ્રહના Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૭-૧૧૧ ૧૭૯ યોગેસ્થિર બનેલા મુનિનું મન પણ ચલિત થાય છે. / ૧૦૯ / ટીકાર્થ : પરિગ્રહના સંગથી ઉદયાવસ્થામાં ન આવેલા રાગ-દ્વેષાદિક શત્રુઓ ન હોવા છતાં પણ પ્રગટ થાય છે. તેના સંગવાળાને તેના સંબંધી રોગ ઉત્પન્ન થાય છે. તેમાં વિઘ્ન કરનાર કે નુકસાન કરનાર તરફ દ્વેષ, તેમ જ મોહ ભયાદિક, વધ-બંધનાદિક અને નરકગમનાદિક દોષો પ્રગટ થાય છે. અછતા રાગાદિક કેમ થાય ? તેનો જવાબ આપે છે કે, બીજાની વાત તો દૂર રાખીએ, પરંતુ સમભાવી મુનિના ચિત્તમાં રહેલી પ્રશમ અવસ્થાને પણ ચલાયમાન કરે છે. તે પરિગ્રહના સંગ વડે મન અસ્થિર બની જાય છે. સંગવાળા મુનિ પણ મુનિપણાથી ભ્રષ્ટ થાય છે. કહેવું છે કે – “અર્થથી છેદન, ભેદન, સંકટ, પરિશ્રમ, કલેશ, ભય, કડવાં ફળ, મરણ, ધર્મથી ભ્રષ્ટ થવાપણું, માનસિક અરતિ વગેરે દુ:ખો. પ્રાપ્ત થાય છે. “સેંકડો દોષોના મૂળનું જાળું પૂર્વના મહર્ષિઓએ નિષેધેલું એવું અનર્થ કરનાર ધન તે એક વખત વમન કરી નાખ્યું છે અને વળી જો હવે તું તે વહન કરવાની ઈચ્છા રાખે છે, તો પછી નિરર્થક તપ સંયમ શા માટે કરે છે ?” (ઉમાલા. ૫૦-પર.) પરિગ્રહમાં વધ, બંધન, માર ખાવો વગેરે કંઈ હેરાનગતિ નથી ? અને આવો પરિગ્રહ છતાં યતિધર્મ કરવો, તે તો ખરેખર પ્રપંચ છે– સામાન્યપણે પરિગ્રહના દોષો કહીને ચાલુ શ્રાવકધર્મ સાથે તેને જોડે છે– १६६ संसारमूलमारम्भा-स्तेषां हेतुः परिग्रहः । ___ तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ ११० ॥ અર્થ : હિંસાદિ આરંભો સંસારનું મૂળ અને તે આરંભોનો હેતુ પરિગ્રહ છે. તેથી શ્રાવકે પરિગ્રહ અત્યંત અલ્પ કરવો જોઈએ. / ૧૧૦ || ટીકાર્થ : પ્રાણીઓનું ઉપમદન, પીડા-આદિ થવારૂપ આરંભ, તે સંસારનું મૂળ છે. આમાં કોઈને પણ વિવાદ નથી, તે આરંભમાં કારણ હોય તો પરિગ્રહ છે તે કારણથી શ્રાવક ધન-ધાન્યાદિક પરિગ્રહ નિયત પરિમાણથી અધિક ન રાખે. || ૧૧૦ | ફરી પણ સિંહાવલોકન કરતાં પરિગ્રહના દોષોને જણાવે છે– १६७ मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधाः, सङ्गैरङ्गीकृतं नरम् ॥ १११ ॥ અર્થ : પરિગ્રહના સંગને વશ થયેલા માનવને વિષયોરૂપ ચોરો લૂંટે છે. કામરૂપ અગ્નિ બાળે છે અને સ્ત્રીરૂપે શિકારીગણ અટકાવે છે. || ૧૧૧ / ટીકાર્થ : ધન, સુવર્ણાદિક પરિગ્રહવાળા પુરુષને જંગલમાં ચોર-લુંટારા લૂંટે છે. તેમ સંસારરૂપી અરણ્યમાં રહેલા પ્રાણીઓને શબ્દાદિક વિષયો સંયમ-સર્વસ્વને લૂંટીને ભિખારી બનાવે છે. અથવા તો અગ્નિ સળગ્યો કે આગ લાગી હોય ત્યારે ઘણા પરિગ્રહવાળો નાસી જવા માટે અશક્ત બની જાય છે. તેવી રીતે સંસાર-અટવીમાં રહેલા ચિતા આદિ દશ પ્રકારના કામદેવના અગ્નિથી શકાય છે. અથવા તો ઘણા પરિગ્રહવાળો અરણ્યમાં ગયો હોય, ત્યાં ધન, શરીરના લોભથી લુંટારાઓ તેને રોકી રાખે છે. આગળ મુસાફરી કરવા દેતા નથી. તેવી રીતે ભવરૂપી અરણ્યમાં ધન-લુબ્ધ કામિનીઓ શરીરના ભોગની ઈચ્છાવાળી સ્વાતંત્ર્ય વૃત્તિ રોકીને પરિગ્રહના સંગવાલા પુરુષને અટકાવી રાખે છે. સંયમ માર્ગે આગળ વધવા દેતી નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ગમે તેટલાં પરિગ્રહ હોય તો પણ તેની ઈચ્છાની તૃપ્તિ થતી નથી, એટલું જ નહિ પણ અસંતોષ વધતો જ જાય છે— ૧૮૦ ‘કૈલાસ-હિમાલય સરખા સુવર્ણ અને ચાંદીના અસંખ્યાત પર્વતો થઈ જાય અને કદાચ તે લુબ્ધ મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે, પણ તેટલા પરિગ્રહથી પણ ઈચ્છાપૂર્ણ થતી નથી. કારણકે જેમ આકાશનો છેડો નથી, તેમ ઈચ્છાઓ પણ અંતવગરની અનંત છે.” (ઉ. ત્ત. ૯/૪૮) “પશુઓ સાથે ડાંગર અથવા સુવર્ણવાળી સંપૂર્ણ પૃથ્વી મળી જાય તો પણ તે એકની ઈચ્છા પૂર્ણ કરવા સમર્થ બની શકતી નથી– એમ સમજી તપશ્ચર્યાનું સેવન કરવું. કવિઓએ પણ કહેલું છેઃ– આ તૃષ્ણાનો ખાડો એટલો અગાધ છે, કે અંદર પૂરવા માટે ગમે તેટલું નાંખીએ તો પણ પુરાતો નથી. વળી નવાઈની વાત એ છે કે, તે પૂર્ણ કરવા માટે મોટા મોટા પુરણો નાંખીએ તેમ તેમ અંદર ખોદાતું જાય છે અને ખાડો વધતો જાય છે તથા ઘણા મોટા અતિઉન્નત વૈભવો મેળવીને પણ તૃષ્ણા અખંડિત જ રહે છે. મહાપર્વત પર આરૂઢ થએલો હવે ગગનમાં આરૂઢ થાઉં' એવી ઈચ્છા રાખે છે. ॥ ૧૧૧ || એ જ કહે છે– १६८ तृप्तो न पुत्रैः सगरः कुचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलक श्रेष्ठी, न नन्दः कनकोत्करैः ॥ ११२ ॥ અર્થ : સગરચક્રી પુત્રોથી સંતોષ નથી પામ્યો. કુચિકકર્ણ વણિક ગાયના ધણથી તૃપ્ત નથી થયો, તિલક શ્રેષ્ઠિ ધાન્યના ઢગલાથી સંતુષ્ટ થયો નથી અને નંદરાજા સોનાના ઢગલાથી તૃપ્તિ પામ્યો નથી. ॥ ૧૧૨ || ટીકાર્થ : બીજા ચક્રવર્તી સગર સાઠ હજાર પુત્રોથી તૃપ્તિ ન પામ્યો, કુચિકર્ણ ઘણાં ગાયોના ગોકુલોથી પણ તૃપ્ત ન થયો. તિલકશેઠ ધાન્યોથી તૃપ્ત ન થયો. નંદરાજા સુવર્ણની ટેકરીઓ મળવા છતાં પણ તૃપ્તિ ન પામ્યો– તેથી પરિગ્રહ એ અસંતોષનું જ કારણ છે. સગરાદિકની સંપ્રદાયથી આવેલી કથા આ પ્રમાણે જાણવી— સગર ચક્રવર્તીની કથા અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામનો રાજા અને સુમિત્ર નામનો યુવરાજ બંને પૃથ્વીનું રક્ષણ કરતા હતા. જિતશત્રુ રાજાને અજિતસ્વામી તીર્થંકર પુત્ર હતા અને મહાભુજાવાળા સુમિત્રને સગર ચક્રવર્તી નામના પુત્ર હતા. જિતશત્રુ અને સુમિત્ર બંનેએ દીક્ષા અંગીકાર કરી ત્યાર પછી અજિતસ્વામિ રાજા થયા અને સગર યુવરાજ થયો. કેટલોક કાળ ગયા પછી અજિતસ્વામિએ દીક્ષા લીધી અને ભરત માફક સગર ચક્રવર્તી રાજા થયો. આશ્રય કરનાર મુસાફરના થાકને દૂર કરનાર મહાવૃક્ષની શાખા માફક તે ચક્રવર્તીને સાઠ હજાર પુત્રો થયા. સગરના સર્વ પુત્રોમાં જનુ નામના મોટા પુત્રે એક વખત પિતાને ગમે તે કારણે સંતોષ પમાડી વરદાન પ્રાપ્ત કર્યું અને વરદાનથી ચક્રવર્તીના દંડાદિક રત્નો સાથે પોતાના બાંધવો સહિત પૃથ્વીના પર્યટન કરવાની ઈચ્છા જનુકુમારે પ્રગટ કરી. સગરે પણ તે રત્નો આપ્યા અને પિતાની રજા મેળવી તેઓએ ત્યાંથી પ્રયાણ શરૂ કર્યું. તેઓ સૂર્યથી પણ અધિક તેજસ્વી હજારો છત્ર મંડળવાળી મહાઋદ્ધિથી મહાભક્તિથી, દરેક જિનચૈત્યોની પૂજા કરતા હતા અને વિચરતા વિચરતા અનુક્રમે અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા એવા તે પર્વત ઉપર પોતાના બંધુઓ અને પરિમિત પરિવાર સાથે જનુએ આરોહણ કર્યું. તેના ઉપર એક યોજન લાંબું. અર્ધ યોજન પહોળું, ત્રણ Page #232 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૨ ૧૮૧ ગાઉ ઉંચું, અને ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પ્રવેશ કર્યો. તે ચૈત્યમાં વર્તમાન ચોવીશીમાં થએલા ઋષભાદિક ચોવીશ અરિહંતોના તેઓના પોતપોતાની સંસ્થાન-પ્રમાણ વર્ણવાળા બિબો સ્થાપન કરેલા હતા. તેની ક્રમસર પૂજા કરી. ત્યાર પછી ભરતનાં સો ભાઈઓનાં પવિત્ર સ્તૂપોને વંદના કરી અને શ્રદ્ધાવાળા તેણે કંઈક વિચારીને આમ કહ્યું કે, “અષ્ટાપદ સરખું સ્થાન ક્યાંય નથી' એમ માનું છું કે, માટે હું પણ આના જેવું બીજું ચૈત્ય કરાવું. ભરત ચક્રવર્તી મુક્તિ પામવા છતાં પણ હજુ ભરતખંડનું ચક્રવર્તીપણું ભરતખંડના સારભૂત આ પર્વતના શિખર પર રહેલ ચૈત્યના બહાનાથી ટકી રહેલું છે. એમણે આ ચૈત્ય કરાવ્યું. હવે ભવિષ્યમાં થનારા રાજાઓ આનો વિનાશ કરે નહિ માટે આપણે તેનું રક્ષણ કરવાનો ઉપાય કરી. ત્યાર પછી હજાર દેવતાઓથી અધિષ્ઠિત દંડરત્ન હસ્તથી ગ્રહણ કરી તેણે અષ્ટાપદની ચારે બાજું ભમાવ્યું. એટલે કહોળા માફક એક હજાર યોજન ભૂમિ ઊંડી ખોદાઈ અને એવી રીતે તેનાથી દંડ ભમાવતા નાગદેવોનાં ભવનો પણ ભાંગી ગયા. તે દેવો ભય પામી પોતાના સ્વામી જ્વલન પ્રભુને શરણે ગયા. તેણે અવધિજ્ઞાનથી જાણી જહુ પાસે આવી ક્રોધથી એમ કહ્યું. “અરે ! મત્ત બની તમે નિષ્કારણ અનંત જંતુઓના ઘાત કરનારૂં ભયંકર ભૂમિ-વિદારણ કેમ કર્યું ? અજિતસ્વામિના ભત્રીજા અને સગર ચકીના પુત્રોએ આવું અકાર્ય કરાય ? કુલને કલંક લગાડનારા ! તમે આ શું પાપ કર્યું જહનુકુમારે કહ્યું કે, “મેં તો અહિ આવી ચૈત્યના રક્ષણ માટે આ કર્યું. તમારા ભવનો વિનાશ પામ્યા. તે મારા અજાણમાં થયું છે, તો એ સહી લેવા વિનંતી કરું છું” જ્વલનપ્રભુ દેવે કહ્યું કે, “અજ્ઞાનથી આ તારી ભૂલ થઈ છે તે હું સહી લઈ જતો કરૂં છું હવે ફરી આવી ભૂલ ન કરીશ” એમ કહીને તે પોતાના સ્થાને ગયો. બંધુ સહિત જહુનુકુમારે વિચાર્યું કે, આ ખાઈ તો કરી પણ વખત જશે, તેમ તે ધૂળથી પાછી પુરાઈ જશે, તેથી તે દંડથી ગંગાનદીને ખેંચી લાવ્યો અને તેનો પ્રવાહ ખાઈમાં વહેવડાવ્યો એટલે તેના જળથી નાગકુમારોના ભવનો ફરી ઉપદ્રવવાળા બન્યા.” નાગકુમારો સાથે ક્રોધ પામેલા જ્વલનપ્રભુએ ત્યાં આવીને દાવાનલ જેમ વૃક્ષોને તેમ તેઓ સર્વને બાળી ભસ્મ કરી નાંખ્યા. ‘કાયર સરખા આપણા દેખતાં જ આપણા સ્વામીને બાળી નાંખ્યા. આપણને ધિક્કાર થાઓ.” એમ ચિતવતા શરમથી સૈનિકો અયોધ્યા નજીક આવીને રહેલા હતા. આપણા સ્વામીને હવે મુખ પણ કેવી રીતે બતાવવું ? અને આ વાત પણ કેવી રીતે કહેવી ? એ પ્રમાણે તેઓ મંત્રણા કરતા હતા, ત્યારે કોઈક બ્રાહ્મણે તેમને આમ કહ્યું કે, આ વાત રાજાને હું એવી રીતે કહીશ, જેથી તેમને મોહ નહિ થાય અને તમારા પ્રત્યેનો રોષ પણ ઉતરી જડે તમે ગભરાશો નહિ. એમ તે સૈનિકોને કહીને એક અનાથ મૃતક લાવીને તે બ્રાહ્મણ રાજકારે ગયો અને પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો હોય એમ વિલાપ કરવા લાગ્યો. રાજાએ વિલાપનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, મારો એકનો એક પુત્ર સર્પ કરડવાથી ચેષ્ટા વગરનો બની ગયો છે, માટે હે દેવ ! આને જીવતો કરો, પછી રાજાએ સર્પનું ઝેર ઉતારનાર એવો નરેન્દ્રોને આજ્ઞા કરી એટલે તેઓએ પણ પોતાના મંત્ર-કૌશલ્યનો પ્રયોગ કર્યો. પરંતુ રાખમાં નાંખેલા ઘીની માફક તે નિષ્ફળ ગયો. આ મરેલાને જીવતો કરવો શક્ય નથી, તેમજ આ બ્રાહ્મણ પણ સીધી રીતે સમજાવી શકાય તેવો નથી. એમ વિચારી તેઓએ કહ્યું કે, “અત્યાર સુધીમાં પહેલાં જેને ઘરે કોઈ મૃત્યુ પામ્યો ન હોય ત્યાંથી તું ઘણી રાખ લાવ તો તેનાથી અમે આને જીવતો કરીએ ત્યાર પછી રાજાના હુકમથી દ્વારપાળો નગરીઓમાં, ગામોમાં તપાસ કરવા લાગ્યા, પણ એવું એક ઘર ન મળ્યું કે, અત્યાર સુધી જેને ત્યાં કોઈ મૃત્યુ પામ્યા ન હોય. રાજાએ પણ કહ્યું કે, “મારા કુલમાં પણ કુલકરો મૃત્યુ પામ્યા છે. ભગવાન ઋષભસ્વામી, ભરત ચક્રવર્તી, રાજા બાહુબલી, સૂયશા, સોમયશા અને બીજા અનેક મૃત્યુ પામીને કોઈ મોશે અને કેટલાક સ્વર્ગમાં ગયા. જિતશત્રુ મોક્ષે ગયા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સુમિત્ર દેવલોક ગયા. મૃત્યુ સર્વ માટે સાધારણ છે. તો પછી તારા પુત્રનું મૃત્યુ કેમ સહન કરી લેતો નથી ?” બ્રાહ્મણે કહ્યું, તમારી વાત સત્ય છે, પણ મારે આ એક જ પુત્ર છે, માટે તમારે બચાવવો જ જોઈએ. ‘દીન અનાથનું રક્ષણ કરવું એ સત્પુરુષોનો નિયમ છે.' હવે ચક્રવર્તીએ કહ્યું કે બ્રાહ્મણ ! તું મૂંઝાઈશ નહિ. મરણના દુ:ખમાં ભવ-વૈરાગ્ય ભાવના જ માત્ર શરણ છે. ત્યારે બ્રાહ્મણે પણ એ જ પ્રમાણે કહ્યું કે, હે પૃથ્વીનાથ ! જો આ પ્રમાણે તમે સમજેલા છો તો સાઠ હજાર પુત્રોના મરણથી તમે પણ મોહ ન પામશો. ત્યાર પછી રાજાએ જેટલામાં પૂછ્યું કે, ‘આ શી હકીકત છે. ?' તેટલામાં સંકેત કરેલા સૈનિકોએ આવી બનેલી સર્વ હકીકત કહી સંભળાવી. ભયંકર એવા આ સમાચારથી સગ૨૨ાજા મૂર્છા પામ્યા અને વજ્ર વડે જેમ પર્વત તેમ રાજા ભૂમિ પર ઢળી પડ્યા. મૂર્છા ઉતરી અને રાજાને ભાન આવ્યું, ત્યારે સામાન્ય માનવી માફક ક્ષણવાર રુદન કરીને સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે વિચારવા લાગ્યા- ‘મારા પુત્રો મારા વંશની શોભા વધારશે તો મને આનંદ કરાવશે-એવા પ્રકારની આશા સંસારને અસાર જાણવા છતાં પણ મેં કરી, તો મને ધિક્કાર હો આટલા પુત્રોથી મને તૃપ્તિ ન થઈ, તો બીજાને બે-ત્રણ કે ત્રણ-ચાર કે ચાર-પાંચ પુત્રોથી કેવી રીતે થાય ? મારા જીવતા આ પ્રમાણે અણધાર્યા તૃપ્તિ પામ્યા વગરનાની આ ગતિ થઈ તે આટલા મારા પુત્રો હોવા છતાં પણ મને તૃપ્ત કેવી રીતે કરી શકે? પુત્રોથી અતૃપ્તિવાળા તે આ પ્રમાણે વિચારી, તે મોટા પુત્રના પુત્ર ભગીરથનો રાજ્યભિષેક કરી અજિતનાથ ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી અક્ષયપદ પામ્યા. એ પ્રમાણે સગર ચક્રવર્તીની કથા પૂરી થઈ. કુચિકર્ણની કથા મગધદેશમાં સુઘોષા નામે ગામ હતું. ત્યાં કુચિકર્ણ નામનો પ્રસિદ્ધ ગ્રામવાસી હતો. ક્રમે કરીને તેને એક લાખ ગાયો એકઠી થએલી ટીપે ટીપે સરોવર આખું ભરાઈ જાય. જુદાં જુદાં ગોવાળોને પાળવા માટે તે ગયો અર્પણ કરી, પરંતુ બહાર તે ગોવાળિયાઓ આ સારી ગાય મારી છે, આ તારી નથી—એમ માંહોમાંહે એકબીજા લડવા લાગ્યા. કુચિકર્ણે ગાયોના વિભાગ પાડીને કોઈકને ધોળી, કોઈકને કાળી, કોઈકને રાતી, કોઈકને પીળી ગાયો એવી રીતે જુદા જુદા અરણ્યોમાં ગોકુળ સ્થાપન કર્યા અને ત્યાં વાસો કરીને તે દહી-દૂધનું ભોજન કરતો રહેતો હતો. દરરોજ દરેક ગોકુળોમાં ગોધનની વૃદ્ધિ કરતો હતો. મદિરાનો વ્યસની જેમ મદિરાથી તેમ દહીં-દૂધથી તે અતૃપ્ત બન્યો. એમ કરતાં તેને નીચે ઉંચે ફરતાથી રસવાળું અર્જીણ થયું અને આગની અંદર પડ્યો હોય તેવો, અંદર દાહ ઉત્પન્ન થયો. ‘અરે ! મારી ગાયો ! નવા વાછરડાઓ ! અરે મારા બળદો ! તમને હું પાછા ક્યારે મેળવીશ' એ પ્રમાણે ગોધનમાં અસંતોષ પામેલો મરીને તે તિર્યંચગતિ પામ્યો. એ પ્રમાણેની કુચિકર્ણની કથા. તિલક શેઠની કથા પૂર્વકાલમાં અચલપુર નામના નગરમાં તિલક નામનો શેઠ હતો તે નગરોમાં અને ગામડાઓમાં ધાન્ય સંગ્રહ કરતો હતો. તે ગ્રાહકોને અડદ, મગ, તલ, ડાંગર, ઘઉં, ચણા વગેરે દોઢું લેવાની શરતથી વેચતો હતો અને મોસમ આવે ત્યારે દોઢું વસુલ કરતો હતો. ધાન્યથી ધાન્ય, ધનથી ધાન્ય, પશુથી ધાન્ય એમ ગમે તે ઉપાયોથી તત્ત્વની માફક ધાન્યનું ધ્યાન કરતો ધાન્ય ખરીદ કરતો હતો. દુકાળના સમયમાં ધાન્યના વેપારમાં ઉપાર્જન કરેલા ઘણા ધન વડે ચારે તરફ ધનની જેમ ધાન્યના કોઠારો ભરી દીધા. વળી સુકાળ સમયમાં ધાન્ય ખરીદી ખરીદી એકઠું કર્યું. ‘પુરુષે એક વખત સ્વાદ ચાખ્યો હોય, પછી તેની આસક્તિ છૂટતી નથી' ધાન્ય-સંગ્રહમાં કોડો ક્રીડાઓનો વધુ પણ આ ગણકારતો ન હતો, તેમજ પંચેન્દ્રિય જાનવરો Page #234 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૨ ૧૮૩ અને મનુષ્યોના ઉપર અનાજના ભાર ઉપાડવાની પીડા થાય તો પણ તેને દયા આવતી ન હતી. કોઈ નિમિત્ત જાણનારે તેને કહ્યું કે, “આવતા વર્ષે દુકાળ પડવાનો છે એટલે તેણે પોતાના સર્વ ધનથી ખરીદ કર્યું તો પણ તેને સંતોષ ન થયો એટલે વ્યાજે દ્રવ્ય ઉછીનું લઈને અનેક પ્રકારનું ધાન્ય ખરીદ કરી સંગ્રહ કર્યું. સ્થાનના અભાવમાં ઘરમાં પણ ધાન્ય નાનું લોભી માણસ શું ન કરે ?” ઉદાસીનતાવાળો જગતના શત્રુ સમાન આ દુકાળની મિત્રની જેમ ઈચ્છા કરતો હંમેશા તેની રાહ જોયા કરતો હતો. વર્ષાકાળની શરૂઆતમાં પણ વરસાદ તેના હૃદયને ચીરતો હોય તેમ મોટી ધારા વડે ચારે દિશામાં વરસ્યો. એટલે પોતે સંગ્રહેલાં ઘઉં, મગ, ચોખા, ચણા, મકાઈ, અડદ, તલ તથા બીજા ધાન્યો વિનાશ પામી અત્યારે મારા હાથમાંથી ચાલ્યાં જશે એમ હાય હાય કરતો અતૃપ્ત થયો થકો હૃદય ફાટી જવાથી મરણ પામી નરકે ગયો. એ પ્રમાણે તિલક શેઠની કથા. નંદરાજાની કથા પૂર્વકાલમાં અતિમનોહર ઈન્દ્રનગરીનું અનુકરણ કરતું પાટલિપુત્ર નામનું શ્રેષ્ઠ નગર હતું. ત્યાં શત્રુવર્ગને સ્વાધીન કરવામાં ઈન્દ્ર જેવો ત્રણ ખંડનો સ્વામી નંદ નામનો રાજા હતો. તેણે કર ન હતા, ત્યા કરી નાખ્યા, કર હતા ત્યાં મોટા કર કર્યા અને મોટા કર હતા, ત્યાં થોડો વધારો કરી રાજ્યની આવક વધારી, તે ગમે તે કોઈક દોષ ઉભા કરીને ધનિકોનું ધન પડાવી લેતો હતો. રાજાઓના છિદ્રો શોધીને “ન્યાયમાં આમ ચલાવી ન લેવાય' એમ કહીને તેમની પાસેથી પણ ધન ગ્રહણ કરતો હતો. જળનું પાત્ર જેમ સમુદ્ર છે, તેમ અર્થનું પાત્ર રાજા છે પણ બીજા નથી.' એમ બોલતો તે કૃપા વગરનો બની સર્વ ઉપાયથી લોકો પાસેથી ધન પડાવી લેતો હતો. લોકો પાસેથી ધન લઈ લેવાથી લોકો પણ નિર્ધન બની ગયા. ઘેટાં બકરાંએ ચરેલી ભૂમિમાંથી તણખલું પણ મેળવી શકાતું નથી. તેણે લોકોના લેવડ-દેવડ વ્યવહારમાં સુવર્ણ નાણાનું નામ પણ ઉડાવી દીધું અને ચામડાના નાણાંનો વ્યવહાર પ્રવર્તાવ્યો તે પાખંડીઓનો અને વેશ્યાઓને દંડ કરીને પણ ધન ગ્રહણ કરતો હતો. “સર્વભક્ષી અગ્નિ કંઈ પણ છોડતો નથી.' લોકવાયકા એવી ચાલી કે, “શ્રીવીર પરમાત્માના નિર્વાણ પછી ઓગણીસસો વર્ષ પછી કલ્કી રાજા થવાનો છે, તે તો આ નહિ હોય ? આના ગુસ્સાને દેખીને લોકો વાસણમાં ભોજન કરવાને બદલે ભૂમિને ભાજન બનાવી ભોજન કરતા હતા. કેટલાંકે નિર્ભયતા માટે ભાજન આપી દીધાં. કારણ કે ભાજન હોય તો ભય થાય છે. તેણે સુવર્ણના પર્વત બનાવ્યા તથા કૂવાઓમાં પણ સુવર્ણ પૂર્યું. ભંડારો પણ સુવર્ણથી ભરી દીધા. છતાં પણ ઈચ્છા અપૂર્ણ રહી અયોધ્યાના હિતૈષી રાજા આ સર્વ હકીકત સાંભળીને તેને સમજાવવા માટે એક સારી રીતે બોલનાર દૂતને મોકલ્યો અને તે આવ્યો. સર્વ પ્રકારે સર્વની લક્ષ્મીનું હરણ કરવા છતાં પણ શોભા વગરના તે રાજાને તેણે જોયા અને તે નમસ્કાર કરી આગળ બેઠો. રાજાની રજા લઈને તેણે કહ્યું કે, “મારું કથન સાંભળી આપે કોપ ન કરવો. “મીઠું બોલનારા હિતકારી હોતા નથી.' લોકપરંપરાથી આપનો અવર્ણવાદ સાંભળ્યો હતો અને આજે તે પ્રત્યક્ષ અનુભવ્યો. લોકવાયકા સર્વથા નિર્મૂળ હોતી નથી. “અન્યાયથી મેળવેલ ધનનો અંશ પણ રાજાના સર્વ યશનો વિનાશ કરનાર થાય છે.' તુંબડી ફળનું એક બીજ, ભાર પ્રમાણ વજનના ગોળનો પણ વિનાશ કરે છે રાજાઓએ પ્રજાને પોતાના આત્મા સરખી માનવી જોઈએ રાજાએ પ્રજાનો છેદ કરવો યોગ્ય ન ગણાય. માંસાહારીઓ પણ કદાપિ પોતાનું માંસ ખાતા નથી માટે પ્રજાનું પોષણ કરો. પોષેલી પ્રજા રાજાનું પોષણ કરે છે. ગરીબ અને સ્વાધીન હોવા છતાં પણ પોષણ કર્યા વગરની ગાય દૂધ આપતી નથી. સર્વ દોષોને ઉત્પન્ન કરનાર લોભ છે. સર્વ ગુણોનો નાશ કરનાર પણ લોભ છે માટે તેનો ત્યાગ કરો. એમ તમારા હિત માટે અમારા રાજાએ સંદેશો Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કહેવરાવ્યો છે.” – દાવાગ્નિથી બળેલી ભૂમિને પાણી જેવી તે દૂતની વાણીથી નંદરાજાએ પણ એકદમ જાણે તેને બાળવાની ઈચ્છાથી હોય તેમ અતિ ઉષ્ણ વચન-વરાળ બહાર કાઢી અને તેને સંભળાવ્યું કે, તું રાજદૂત હોવાથી અવધ્ય છે.” પછી નંદરાજા ઉભા થઈને મસ્તક પીડાવાળાની જેમ ગર્ભગૃહની અંદર ગયો. ત્યાર પછી “જવાસો જેમ જળને તેમ આ સદુપદેશને યોગ્ય નથી” – એમ વિચારતો દૂત પણ પોતાના રાજા પાસે ગયો. અનેક પાપ વડે ઉત્પન્ન થયેલા ભયંકર વેદના આપનારા રોગો વડે તે નિંદરાજાને અહીં પણ પરમાધામીઓએ કરેલી વેદના જેવી વેદના પ્રાપ્ત થઈ. ભયંકર વેદનાથી પીડાતો નંદ જેમ જેમ આઝંદ કરતો હતો તેમ તેમ પ્રજા લોક પણ આનંદ અનુભવવા લાગ્યા જાણે અગ્નિમાં રંધાતો હોય, ચણા માફક રેતીમાં ભુંજાતો હોય, દાઝતો હોય તેવી વેદના નંદ અનુભવી. ‘તેવા પ્રકારના પાપી મનવાળાને માટે આ સર્વ અલ્પ જ ગણાય' આ પૃથ્વી પર મેં મારા સુવર્ણના પર્વતો ઉભા કર્યા. તેમ જ બીજા પણ સુવર્ણના ઢગલા સ્થાપન કર્યા છે. હવે તેનો માલિક કોણ થશે ? આ પ્રમાણે મૂછ કરતો તૃપ્તિ વગરનો નંદરાજા મરીને અંત વગરના ભવના દુઃખને પામ્યો – એ પ્રમાણે નંદકથાનક છે. | ૧૧૨ // લાભની ઈચ્છાવાળા પરિગ્રહ ગ્રહણ કરતા યોગીઓને પણ મૂલવ્રતોને હાનિ પહોંચે છે. તે જણાવતા કહે છે – १६९ तपः श्रुतपरीवारां, शमसाम्राज्यसंपदम् ।। परिग्रहग्रहग्रस्ता-स्त्यजेयुर्योगिनोऽपि हि ॥ ११३ ॥ અર્થ : પરિગ્રહના ગ્રહથી ગ્રસ્ત બનેલા યોગીપુરુષો પણ તપ અને જ્ઞાનાદિના પરિવાર સ્વરૂપ શમરૂપ સામ્રાજ્યની સંપદાને ત્યજી દે છે / ૧૧૩ || ટીકાર્થ : સામાન્ય માનવીની વાત બાજુ પર રાખીએ, પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયવાળા યોગીઓ પણ પરિગ્રહના અલ્પ સુખમાં લુબ્ધ બને તો પિશાચના વળગાડવાળાની જેમ સ્વાધીન એવી તપ ચારિત્ર શ્રુતજ્ઞાન-પરિવારવાળી સંતોષ-સામ્રાજ્યની સંપત્તિનો ત્યાગ કરે છે. મૂલનો ઉચ્છેદ કરી લાભની ઇચ્છા કરે છે / ૧૧૩ || હવે અસંતોષના ફલને દેખાડવા પૂર્વક સંતોષના ફળને જણાવે છે– १७० असन्तोषवतः सौख्यं, न शक्रस्य न चक्रिणः । નન્તોઃ સન્તોષનો ચ-રૂમ ચેવ નાયતે | ૨૨૪ / અર્થ : અભયકુમાર મંત્રીની જેમ સંતોષી આત્માને જે પરમસુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ અસંતુષ્ટ ઈન્દ્ર કે ચક્રવર્તીને પણ મળતું નથી. | ૧૧૪ || ટીકાર્થ: અસંતોષવાળા ચક્રવર્તી અને ઈન્દ્રને જે સુખ નથી, તે પ્રકારનું સુખ, સંતોષવાળા અભયકુમાર જેવા સંતોષી આત્માને હોય છે. સંપ્રદાય-ગમ્ય તે કથાનક કહે છે – સંતોષવાળા અભયકુમારની કથા આ ભરત ક્ષેત્રમાં ક્યારા સરખા સુંદર વિશાળ કોટથી શોભાયમાન રાજગૃહ નામનું નગર છે. ત્યાં સમુદ્ર સરખો ગંભીર, સમગ્ર રાજાઓને વશ કરનાર પ્રસેનજિત નામનો રાજા હતો. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનમાં અત્યંત અનુરાગવાળો, સમ્યગ્દર્શન અને અણવ્રતધારી તે પરમશ્રાવક હતો. તેને Page #236 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૩-૧૧૪ ૧૮૫ બળ તેજ અને કાન્તિ વડે દેવકુમાર સરખા શ્રેણિક વગેરે અનેક પુત્રો હતા. ‘આ સર્વ પુત્રોમાં રાજ્યયોગ્ય કોણ છે?” તેની પરીક્ષા માટે રાજાએ એક દિવસ એક જગ્યા પર ભોજન માટે ક્ષીર-ભોજનના થાળો આપ્યા. કુમારો જ્યારે ભોજન કરવા પ્રવર્યા. ત્યારે બુદ્ધિશાળી રાજાએ વાઘ સરખા મોં ફાડેલા કૂતરાઓને છોડી મૂક્યા. ‘શ્વાનો દોડી આવ્યા. એટલે બુદ્ધિ-નિધાન શ્રેણિક સિવાયના તમામ કુમારો એકદમ ઉભા થઈ ગયા અને બહાર નીકળી ગયા. શ્રેણિકકુમારે બીજા થાળોમાંથી થોડું થોડું ક્ષીરભોજન કૂતરાઓને આપ્યું અને કૂતરાઓ જેટલામાં ચાટ્યા કરે, તેટલામાં તેણે પોતે ભોજન કરી લીધું. ‘આ કુમાર કોઈ પણ ઉપાયથી શત્રુઓને વશ કરીને આ પૃથ્વી સ્વયં ભોગવશે.” તે કારણે રાજા આનંદ પામ્યો. રાજાએ ફરી પુત્રોની પરીક્ષા કરવા કોઈ દિવસ સીલબંધ લાડવાના કરંડીયા અને પાણીના ભરેલા માટીના ઘડા આપ્યા અને રાજાએ તેમને કહ્યું કે, “આ કરંડીયાનું ઢાંકણું કે તેની મુદ્રા (સીલ) તોડ્યા વગર આ લાડવાનું ભોજન કરો અને ઘડાનું ઢાંકણું ખોલ્યા વગર કે છિદ્ર કર્યા વગર પાણી પીઓ' શ્રેણિક વગર તેમાંથી કોઈપણ ખાઈ કે પી શક્યા નહિ. ગમે તેવા બળવાળા હોય તો પણ બુદ્ધિથી કરી શકાય તેવા કાર્યમાં શું કરી શકે ?” હવે શ્રેણિક કરંડીયો ખંખેરીને લાડવાનો ભૂક્કો સળીના પોલાણમાંથી બહાર ખરી પડે તેને એકઠો કરી ભોજન કર્યું અને પાણીના ઘડા નીચે પાણીના બિંદુઓ ટપકતા હતા, તેને ચાંદીની છીપ વડે ઝીલી લીધા એમ કરીને તેણે પાણી પણ પીધું. “સુબુદ્ધિશાળીઓની બુદ્ધિને દુ:સાધ્ય શું હોય ? તે દેખીને ખુશ થએલા રાજાના મહેલમાં એક દિવસ આગ લાગી, ત્યારે પુત્રોને કહ્યું કે, મારા મહેલમાંથી જેના હાથમાં જે આવે તે લઈ જાવ. અને તેની માલિકી લઈ જનાર પુત્રોની. ત્યારે દરેક પુત્રો રત્નોને ગ્રહણ કરીને બહાર નીકળી ગયા. અને શ્રેણિક તો ભંભાને લઈને ત્વરાથી બહાર નીકળ્યો. શ્રેણિકને રાજાએ પૂછ્યું, આ શું ખેંચી લાવ્યો ? ત્યારે શ્રેણિક કહ્યું કે, રાજાઓના જયનું પ્રથમ ચિહ્ન આ ભંભા છે. આના શબ્દથી રાજાઓની વિજયયાત્રા સફળ થાય છે, માટે તે સ્વામિ ! રાજાઓએ પોતાના આત્માની માફક આ ભેભાનું રક્ષણ કરવું જોઈએ. પરીક્ષામાં પાર પામવાથી તેની બુદ્ધિ માટે ખાત્રી થવાથી પ્રીતિ પામેલા રાજાએ તેનું બીજું નામ “ભંભાસાર પાડ્યું. પોતાને રાજ્ય યોગ્ય માનનારા બીજા પુત્રો રખે આને રાજ્ય યોગ્ય જાણી જાય. આ કારણે રાજા શ્રેણિક તરફ બહારથી અવજ્ઞા બતાવતો હતો. બીજા કુમારોને જુદા જુદા દેશો રાજાએ આપ્યા, પણ ભવિષ્યકાળમાં આ રાજ્ય એનું થાવ' એમ વિચારી શ્રેણિકને કંઈ પણ ન આપ્યું. ત્યાર પછી અરણ્યમાંથી જેમ યુવાન હાથી–બાળક તેમ અભિમાની શ્રેણિક પોતાના નગરથી નીકળીને તરત વેણાતટ નામના નગરમાં ગયો. ત્યાં પ્રવેશ કરતાં જે ભદ્ર નામના શેઠની દુકાને સાક્ષાત્ લાભોદય કર્મ હોય તેમ આવીને બેસી ગયો. તે વખતે તે નગરમાં કાંઈ મોટો મહોત્સવ પ્રવર્તતો હોવાથી નગરલોકો નવીન ઉત્તમ વસ્ત્રો અંગરાંગના સુગંધી પદાર્થો આદિ ખરીદ કરવામાં વ્યાકુળ બન્યા હતા. ઘણા ગ્રાહકો આવવાથી તે વખતે શેઠ વ્યાકુળ બની ગયા એટલે કુમાર પણ તેને પડીકાં વગેરે બાંધી બાંધીને ઝડપી સહાય કરવા લાગ્યો. કુમારના પ્રભાવથી શેઠે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. “ખરેખર પુણ્યશાળી પુરુષોને પરદેશમાં પણ સંપત્તિઓ સાથે જ ચાલનારી થાય છે.' શેઠે શ્રેણિકને પૂછયું કે, આપ આજે ક્યાં પુણ્યવંત ભાગ્યશાળીના અતિથિ છો ?'ત્યારે તેણે “આપના જ’ એમ ઉત્તર આપ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, આજે રાત્રે સ્વપ્નમાં મેં નંદા યોગ્ય વર દેખ્યો, તે જ સાક્ષાત્ આ છે. તેણે કહ્યું કે, ‘તમે મારા પરોણા થયા, તેથી હું ધન્ય બન્યો, આ તો આળસુને ત્યાં ગંગાનો સમાગમ થયા જેવું થયું” દુકાન બંધ કરીને તેને ઘરે લઈ જઈને શેઠે સ્નાન કરાવી, કપડાં પહેરાવી, ગૌરવ-પૂર્વક ભોજન કરાવ્યું. એ પ્રમાણે તેને ત્યાં રહેતા Page #237 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૮૬ કુમારને કોઈ દિવસે શેઠે યાચના કરી કે, નંદા નામની મારી આ કન્યા સાથે તમે લગ્ન કરો. શ્રેણિકે તેને કહ્યું કે, અજ્ઞાત કુળવાળા મને તમે પુત્રી કેમ આપો છો ? ત્યારે શેઠે કહ્યું કે, ‘તમારા ગુણોથી કુળ જણાઈ ગયું છે.' ત્યાર પછી તેના આગ્રહથી હરિએ જેમ સમુદ્રની પુત્રી (લક્ષ્મી) સાથે તેમ શ્રેણિકે ધવલ મંગળ પૂર્વક તે કન્યા સાથે લગ્ન કર્યા. તે પ્રિયા સાથે વિવિધ ભોગો ભોગવતો શ્રેણિક વૃક્ષઘટામાં જેમ હાથી તેમ ત્યાં રહ્યો. પ્રસેનજિત રાજાએ શ્રેણિકની તે હકીકત તરત જાણી લીધી. કારણકે રાજાઓ ધૂતોના લોચનો વડે હજાર આંખવાળા હોય છે. પ્રસેનજિત રાજાને ઉગ્ર રોગ ઉત્પન્ન થયો. પોતાનો અંત-સમય નજીક જાણીને પુત્ર શ્રેણિકને લાવવા માટે ઉતાવળા ઊંટવાળાને આજ્ઞા કરી. ઊંટવાળાઓએ ત્યાં પહોંચી પિતાની છેલ્લી માંદગીના સમાચાર આપ્યા એટલે સ્નેહવાળી નંદાને સમજાવી ત્યાંથી શ્રેણિકે પ્રયાણ કર્યું. ‘અમે સફેદ ભીંતવાળા રાજગૃહ નગરના ગોપાલ છીએ.' એમ બોલાવવા માટે મંત્રાક્ષરો અર્પણ કર્યા. રખે પિતાજીની રોગની પીડામાંથી વળી મારી ગેરહાજરીથી પીડા ન થાય, તે કારણે ઉતાવળથી ઊંટડી પર બેસી રાજગૃહ નગર પહોંચી ગયો. રાજા તેને દેખી ખુશ થયો અને હર્ષાશ્રુ સાથે સુવર્ણકલશના નિર્મળ જળથી તેનો રાજ્યાભિષેક કર્યો. પછી પ્રસેનજિત રાજા શ્રીપાર્શ્વનાથ ભગવંતનું અને પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતા ચાર શરણ સ્વીકારતા સમાધિ-મરણ પામી દેવલોક થયા. ત્યાર પછી શ્રેણિકે પણ સમસ્ત રાજ્યનો ભાર ધારણ કર્યો, તેણે પીયરમાં મૂકેલી ગર્ભિણી નંદા પણ દુર્રહ ગર્ભને ધારણ કરતી હતી. તે દરમિયાન તેને એવા દોહલા ઉત્પન્ન થયા કે, ‘હું હાથી પર બેસી મહાવિભૂતિથી પ્રાણીઓને અભયદાન આપનારી અને ઉપકાર કરનારી થાઉં.' તેના પિતાએ રાજાને વિનંતી કરી તેના દોહદો પૂર્ણ કર્યા. અને પૂર્વદિશા જેમ સૂર્યને તેમ તેણે પૂર્ણ સમયે બાળકને જન્મ આપ્યો. શુભ દિવસે તેના દોલાના અનુસારે માતાના પિતાએ અભયકુમાર એવું નામ પાડ્યું અનુક્રમે મોટો થયો એટલે નિર્દોષ વિદ્યાઓ ભણ્યો અને આઠ વરસની વયમાં બોત્તેર કળાઓમાં પ્રવીણ બન્યો સરખી વયવાળા સાથે રમત રમતા તેને કોઈએ કોપથી તિરસ્કારતાં કહ્યું કે, જેનો પિતા જણાતો નથી, એવો તું મને શું કહે છે ? ત્યારે અભયકુમારે તેને કહ્યું કે, મારા પિતા ભદ્ર છે ત્યારે પેલાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, તે તો તારી માતાના પિતા છે, ત્યારે પછી અભયે નંદાને પૂછ્યું,ત્યારે તેણે આ ભદ્રશેઠ તારા પિતા છે, એમ નંદાએ કહ્યું ત્યારે ‘ભદ્ર તો તારા પિતા છે, મારા પિતા હોય તે કહે.' આ પ્રમાણે પુત્ર કહેવાએલી નંદાએ ઉદાસીન થઈ કહ્યું કે, દેશાન્તરમાંથી આવેલા કોઈક સાથે મારા લગ્ન કર્યા અને તું ગર્ભમાં હતો ત્યારે કેટલાક ઊંટવાળાએ આવી એકાંતમાં કાંઈક કહ્યું, તેની સાથે જ ક્યાંય ગયા. અત્યાર સુધી મને ખબર નથી કે, તે કોણ અને ક્યાંના હતા ? અભયે પૂછ્યું કે, જતાં જતાં તને કંઈ પણ કહ્યું હતું ખરું ? ત્યારે આ અક્ષરો મને લખીને આપી ગયા છે એમ કહીને પત્ર બતાવ્યો તે પત્રાક્ષરો વિચારીને ખુશ થએલા અભયે કહ્યું કે, ‘મારા પિતા તો રાજગૃહમાં રાજા છે, હવે તો આપણે ત્યાં જઈશું' ભદ્ર શેઠને પૂછીને કેટલીક સામગ્રી સાથે અભયકુમાર તેની માતા સાથે રાજગૃહ નગરે ગયો. પરિવાર સાથે માતાને નગર બહાર ઉદ્યાનમાં મૂકીને પોતે અલ્પપરિવાર સાથે નગરમાં પ્રવેશ કર્યો. આ બાજુ તે સમયે શ્રેણિક રાજાએ ચારસો નવાણું મંત્રીઓ એકઠાં કર્યા હતા. રાજા પાંચસોની સંખ્યા પૂર્ણ કરવા માટે લોકોમાં કોઈક ઉત્કૃષ્ટ પુરૂષની શોધ કરતા હતા એટલે તેની પરીક્ષા ક૨વા માટે સુકાએલા ખાલી કૂવામાં પોતાની મુદ્રિકા નાખી રાજાએ એવો આદેશ કર્યો કે, કિનારા પર રહેલો જે કોઈ આ મુદ્રિકાને હાથથી ગ્રહણ કરે, તો તેના બુદ્ધિ-કૌશલ્યે આ મારા મંત્રીઓની સર્વોપરિતા ખરીદ કરી લીધી સમજવી. તેઓ કહેવા લાગ્યા કે, અમારા સરખા માટે આ અશક્ય અનુષ્ઠાન ગણાય. જે કોઈ તારાને Page #238 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૪ ૧૮૭ હાથથી ખેંચે, તે જ આ મુદ્રિકાને પણ ગ્રહણ કરી શકે. તે સમયે ત્યાં આગળ હસતો હસતો અભયકુમાર પણ આવ્યો અને કહ્યું કે, આ શું ગ્રહણ કરી શકાતી નથી ? શું આ પણ દુષ્કર છે. ?' તેને દેખીને લોકોએ વિચાર્યું કે, આ કોઈ અતિશયવાળી બુદ્ધિનો સ્વામી છે, સમય આવે ત્યારે મનુષ્યનો મુખરાગ પણ પરાક્રમ જણાવનાર થાય છે. તેઓએ કહ્યું કે, ‘હે મહાભાગ્યશાળી ! કહેલી શરત પ્રમાણે તમે મુદ્રિકા ગ્રહણ કરો અને આ મુદ્રિકા ખેંચવાની શરત પ્રમાણે સર્વમંત્રીઓને વિષે અગ્રેસરતા સ્વીકારો' ત્યાર પછી અભયકુમારે કૂવાના મધ્યભાગમાં રહેલી મુદ્રિકા ઉપર કાંઠા પર ઉભા રહીને લીલું ગાયનું છાણ જોરથી ફેંક્યું. તરત જ તેના ઉપર સળગતો ઘાસનો પૂળો નાંખ્યો, અને તે બુદ્ધિશાળીએ તે છાણને સુકાવી નાંખ્યું. નંદાના પુત્રે તરત પાણીની નીક કરાવી અને પાણીથી કૂવો ભરી દીધો તે દેખી લોકો વિસ્મય પામ્યા અને વીંટી સાથે છાણું ઉપર તરતું આવી ગયું. એટલે શ્રેણિકપુત્ર અભયે તરત જ હાથથી તે મુદ્રિકાવાળું છાણું પકડી લીધું. ‘બુદ્ધિશાળીઓ સુંદર ઉપાયની યોજના કરે, તો તેમને કંઈપણ દુષ્કર નથી.' આ સર્વ હકીકત કોટવાળ વગેરેએ જઈને રાજાને જણાવી. એટલે વિસ્મય પામેલા તેણે અભયકુમારને પોતાની પાસે બોલાવ્યો. પુત્ર સરખા સ્નેહથી શ્રેણિકે અભયને આલિંગન કર્યું. ‘સંબંધ ન જાણવા છતાં પણ સગપણવાળાને દેખીને મન પ્રફુલ્લિત થાય છે,’ શ્રેણિક રાજાએ પૂછ્યું કે, તું ક્યાંથી આવ્યો છે ? એટલે અભયે કહ્યું કે, હું વેણાતટથી આવ્યો છુ' રાજાએ પૂછ્યું. ‘હે ભદ્રમુખ ! ત્યાં ભદ્ર નામના પ્રસિદ્ધ શેઠ છે. તેને નંદા નામની પુત્રી છે. તેઓ મજામાં છે. એમ કહ્યા પછી ફરી પણ રાજાએ પૂછ્યું કે, નંદા ગર્ભવાળી હતી, તેને શું જન્મયું હંતું ?' એટલે મનોહરદંત કિરણની શ્રેણિવાળા શ્રેણિક-પુત્રે એમ કહ્યું કે, ‘હે દેવ ! અભય નામના પુત્રને તેણે જન્મ આપ્યો. રાજાએ પૂછ્યું કે, તે કેવા રૂપ અને ગુણવાળો છે ?’ અભયે કહ્યું કે, ‘તમે એમ જ માની લો કે તે જ હું છું એટલે તેને આલિંગન કરી ખોળામાં બેસાડી મસ્તક સૂંઘીને સ્નેહથી જાણે નવરાવતો હોય તેમ હર્ષના નેત્રજળથી તેને સિંચ્યો. તારી માતાને કુશળ છે ને ? એ પ્રમાણે રાજાએ પૂછતાં બે હાથની અંજલિ કરવાપૂર્વક અભયે વિનંતી કરી કે, હે સ્વામી ! ભમરીની જેમ આપના ચરણકમળના સંગનું વારંવાર સ્મરણ કરતી દીર્ઘાયુવાળી મારી માતા અત્યારે બહારના ઉદ્યાનમાં જ વર્તે છે. ત્યાર પછી તેને લાવવા માટે અતિ આનંદથી રોમાંચિત થએલા રાજાએ સર્વ સામગ્રીની સજાવટ કરી. અભયને આગળ કરીને પોતે પણ અતિ ઉત્કંઠિત માનસવાળો બની રાજહંસ જેમ કમલની પ્રત્યે તેમ રાજા નંદા સામે ગયો. ઢીલા પડેલા વલયવાળી, કપાળ પર લટકતા કેશવાળી. નેત્રમાં અંજન આંજ્યા વગરની અંબોડાવાળી, મલિન વસ્ત્ર પહેરેલી, બીજના ચંદ્રની કળા સરખી, શરીરની દુર્બળતાને ધારણ કરતી, ઉદ્યાનમાં વાસ કરતી નંદાને જોતા રાજા આનંદ પામ્યો. નંદાને આનંદ કરાવી રાજા પોતાને મહેલે લઈ ગયો અને રઘુનંદન રામે જેમ સીતાને તેમ તેને પટ્ટરાણી પદે સ્થાપન કરી. પિતા વિષે ભક્તિવાળા અને તેમની આગળ પોતાને પદાતિ પરમાણું સમાન માનતા અભયે દુ:ખે કરી સાધી શકાય તેવા રાજાઓને પણ વશ કરી તાબે કર્યા. કોઈક સમયે ઉજ્જયિની નગરીથી ચંડપ્રદ્યોત રાજા સર્વ સામગ્રી સાથે રાજગૃહ નગરને ઘેરો ઘાલવા ચાલ્યો. ૫૨માધાર્મિક સરખા ચૌદ મુગટબુદ્ધ બીજા રાજાઓ સાથે પ્રદ્યોત રાજાને આવતો લોકોએ જોયો ચાલતા દોડતા અશ્વો જાણે પૃથ્વીને ચીરતા હોય તેમ આવતા પ્રદ્યોતનને ચ૨પુરુષો દ્વારા શ્રેણિકે સાંભળ્યો ત્યારે તે કંઈક વિચારમાં પડ્યો કે, ક્રૂરગ્રહ માફક ક્રોધ પામેલા અને સામા આવતા આ રાજાને ખોખરો કેવી રીતે કરવો ? ત્યાર પછી ઔત્પાતિકી આદિ બુદ્ધિના સમુદ્ર સરખા અભયકુમારના મુખ તરફ અમૃત સરખી મીઠી નજરથી જોયું. એટલે યથાર્થ નામવાળા અભયે રાજાને વિનંતી કરી કે, ‘ઉજ્જયિનીનો સ્વામી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આજે મારો યુદ્ધનો પરોણો થાય, એમાં આટલી ચિંતા કેમ ? બુદ્ધિસાધ્ય કાર્યમાં શસ્ત્ર-અસ્ત્રની કથા કરવી નકામી છે.” બુદ્ધિબળનો જે હું પ્રયોગ કરીશ.' તે બુદ્ધિ જય આપવામાં કામધેનુ છે.” પછી તેણે નગર, બહાર શત્રુ-સૈન્યના પડાવની ભૂમિમાં લોઢાના ડાભડાની અંદર સુવર્ણ-મહોરો દટાવી. સમુદ્ર-જળ જેમ ગોળાકાર ભૂમિને તેમ પ્રદ્યોતરાજાનાં સૈન્ય રાજગૃહ નગરને ઘેરી લીધું. પછી અભયે પ્રદ્યોતરાજાને મીઠું બોલનાર ગુપ્ત જાસુસો દ્વારા આ પ્રમાણે લેખ લખીને મોકલાવ્યો કે, “શિવાદેવી અને ચેલણાની વચ્ચે મને લગાર પણ જુદાઈ નથી, તેથી શિવાદેવીના સંબંધથી તમે મને હંમેશા માન્ય જ છો, તો અવન્તિનરેશ ! હું તમને એકાંત હિતબુદ્ધિથી સલાહ આપું છું. કે, “આ શ્રેણિક રાજાએ તમારા સર્વ રાજાઓને ભેદી નાંખ્યા છે, તેઓને પોતાને તાબે કરવા માટે સોનામહોરો મોકલી છે, તે સ્વીકારી તમને બાંધીને મારા પિતાને તેઓ અર્પણ કરશે. તેની ખાત્રી માટે તમને જણાવું છું કે, તેમના માટે તેમના આવાસ સ્થળની નીચે સોનામહોરો દાટેલી છે. માટે ખોદાવીને તપાસ કરજો. દીવો હાજર હોય, પછી અગ્નિથી કોણ દેખે?” આ જાણીને એક રાજાના પડાવ નીચે ખોદાવ્યું. તો તે પ્રમાણે સોનામહોરો મળી ગઈ, તે દેખી તે એકદમ પલાયન થયો, તે નાસી ગયો, એટલે સમગ્ર સમુદ્રને જેમ વલોવે તેમ તેના સમગ્ર સૈન્યને ચારે બાજુથી ઘેરી લઈ તેના સારભૂત હાથી, અશ્વો વગેરે શ્રેણિક કબજે કર્યા. નાક પર આવી ગયેલા જીવવાળો પ્રદ્યોતરાજા વાયુવેગવાળા અશ્વથી કોઈ પ્રકારે પોતાની નગરીએ પહોંચી ગયો. જે ચૌદ રાજાઓ હતા, તેમ જ જે બીજા મહારથીઓ હતા. તેઓ પણ કાગડાની માફક નાસી ગયા. કારણ કે “નાયક વગરનું સૈન્ય હણાયેલું જ છે' વીખરાએલા ઉડતા કેશવાળા, છત્ર વગરના મસ્તકવાળા, તે રાજાઓ પ્રદ્યોતરાજાની પાછળ ઉજ્જયિની નગરીએ પહોંચ્યા. “આ તો બધા અભયનાં કારસ્થાનો છે, અમે એમ કરનારા નથી. એમ કહી તેઓએ સોગનપૂર્વક પ્રદ્યોતરાજાને વિશ્વાસ કરાવ્યો. કોઈક સમયે અવંતિનરેશે સભામાં ક્રોધ કરતા કહ્યું કે, “જે અભયને બાંધી મને અર્પણ કરે. તેને ઈચ્છા પ્રમાણે ધન આપીશ' કોઈ એક ગણિકાએ પતાકા સરખો હાથ ઉંચો કરીને પ્રદ્યોતને વિનંતી કરી કે, “આ કાર્ય કરવામાં હું સમર્થ છું. રાજાએ તે કાર્યની તેને અનુમતિ આપી કે આ કાર્ય તુ કર અને આમાં ધન વગેરે જે સહાયની જરૂર હોય તે કહે. તેણે વિચાર કર્યો કે, અભય બીજા ઉપાયોથી પકડી શકાય તેમ નથી, માટે ધર્મના પ્રપંચથી મારા કાર્યની સિદ્ધિ કરું. ત્યાર પછી તે ગણિકાએ બીજી વયવાળી બે પ્રૌઢ સ્ત્રીઓની માંગણી કરી. તે તથા પુષ્કળ દ્રવ્ય પણ રાજાએ આપ્યું. હંમેશા સંયત સાધ્વીઓની ઉપાસના કરતાં કરતાં આદરવાળી. ઉત્કટ બુદ્ધિવાળી ત્રણે સ્ત્રીઓ બહુશ્રુતવાળી બની ગઈ. ત્રણ જગતને ઠગવા માટે માયાની જાણે મૂર્તિઓ હોય તેવી તે ત્રણે સ્ત્રીઓ શ્રેણિકથી અલંકૃત રાજગૃહ નગરમાં આવી. નગર બહાર ઉદ્યાનમાં તેઓએ પડાવ નાખ્યો અને ગણિકા શિરોમણિ ચૈત્ય-પરિપાટી કરવાની ઇચ્છાથી નગરમાં ગઈ. રાજાના કરાવેલા ચૈત્યમાં અતિશય વિભૂતિ-પૂર્વક તેણે તે બંનેની સાથે ત્રણ નિસિહી' કહેવા પૂર્વક પ્રવેશ કર્યો. પ્રભુની પૂજા કરીને તેણે માલવઐશિકી મુખ્ય ભાષામાં મધુર વાણીથી દેવવંદન કરવાનું શરૂ કર્યું. તે સમયે ત્યાં અભયકુમાર પણ પ્રભુની પૂજા કરવાની અભિલાષાથી ગયો, ત્યારે એ ત્રણેને આગળ દેવવંદન કરતા દેખ્યા. એટલે જો હું અંદર પ્રવેશ કરીશ, તો તેમને દેવદર્શનમાં અંતરાય થશે, એમ ધારીને અભયે રંગમંડપમાં પ્રવેશ ન કર્યો અને દ્વારમાં જ ઉભો રહ્યો. મુક્તાશુક્તિ મુદ્રાથી પ્રણિધાન સ્તુતિ કરીને જ્યારે તે ઉભી થઈ ત્યારે અભય પણ તેની સામે આવ્યો. તેની તેવા પ્રકારની ભાવના અને શાંતવેષ દેખીને અભયે તેમની પ્રશંસા કરતા આનંદપૂર્વક તેમને કહ્યું. “હે ભદ્ર ! ભાગ્યયોગે આજે તમારા સરખાં સાધર્મિકોનો સમાગમ થયો. આ સંસારમાં વિવેકી આત્માઓને સાધાર્મિકથી અધિક બીજો કોઈ બંધુ નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૪ ૧૮૯ તમો કોણ છો ? કેમ આવ્યા છો ? તમારી વાસભૂમિ કઈ ? સ્વાતિ અને વિશાખા નક્ષત્રથી જેમ ચંદ્રલેખા તેમ જે બંનેથી તમો શોભી રહ્યા છો, તે આ સાથેના બે કોણ છે !' તે બનાવટી શ્રાવિકાએ કહ્યું હું અવંતિવાસી એક મોટા શેઠની વિધવા પત્ની છું. મારા બે પુત્રોના મરણથી નિરાધાર બનેલી ભાંગેલા વૃક્ષની છાયા વગરની લતા સરખી આ બે મારી વિધવા પુત્રવધુઓ છે. વિધવા થયા પછી વ્રત લેવાની ઈચ્છાવાળી તે બંનેએ મારી રજા માગી, કારણકે વિધવા સતી સ્ત્રીઓને દીક્ષા જ શરણ છે.” મેં પણ કહ્યું કે, હું નિર્વિકારી છું તો પણ ગૃહસ્થપણાનાં ફળરૂપ વ્રત અંગીકાર કરીશ, પરંતુ ‘તીર્થયાત્રા કરીને પછી વ્રત ગ્રહણ કરો.' વ્રતમાં તો ભાવ-પૂજા જ કરી શકાય. પરંતુ દ્રવ્યપૂજા દીક્ષામાં ન હોય, તેથી બંને સાથે હું તીર્થયાત્રાએ નીકળું છું આ હકીકત સાંભળી અભયે કહ્યું કે, “આજે તમે અમારાં મહેમાન થાઓ. સાધર્મિક તીર્થયાત્રા કરનારની પરોણાગતિ તે તીર્થથી પણ વધારે પવિત્ર કરનારી છે. તેણે પણ અભયકુમારને પ્રત્યુત્તર આપ્યો કે, “આપે યોગ્ય વાત કરી, પરંતુ આજે તીર્થમાં ઉપવાસ કરેલો હોવાથી હું અતિથિ કેવી રીતે બની શકું ? તેની ધર્મ ભાવનાથી ખુશ થએલા અભયે ફરીથી કહ્યું કે, “તો આવતીકાલે પ્રાત:કાળમાં મારા ઘરે તમારે જરૂર આવવું ?' તેણે પણ કહ્યું કે, “એક ક્ષણમાં પણ જ્યાં જન્મ પૂરો થઈ જાય છે, એવી સ્થિતિમાં ‘હું સવારે આ કરીશ” એમ બુદ્ધિશાળી કેવી રીતે બોલી શકે ?' અત્યારે આ વાત ઠીક છે, ફરી આવતીકાલ માટે નિમંત્રણ કરું છું.” એમ રજા આપી પોતે ચૈત્યને વંદન કરી ઘરે ગયો. તેને નિમંત્રીને અભયે સવારે ગૃહચૈત્યોને વંદન કરાવી, ભોજનોથી અને વસ્ત્રદાનાદિથી ભક્તિ કરી. તેઓએ પણ એક દિવસ અભયને નિમંત્યો. વિશ્વાસુ બની તે એકલો ગયો. સાધર્મિકના આગ્રહથી તેવાઓ શું ન કરે ? તેણે પણ વિવિધ પ્રકારના ભોજનોથી ભોજન કરાવ્યું. અને ચંદ્રહાસ મદિરા-મિશ્રિત જળપાન કરાવ્યું. ભોજન કરીને ઉઠ્યા પછી અભય તરત ઊંઘી ગયો, કારણકે મદ્યપાનની પ્રથમ સહચરી નિદ્રા હોય છે. આગળની કરેલી વ્યવસ્થા પ્રમાણે સ્થાને સ્થાને સ્થાપેલા રથો વડે ન જાણી શકાય તેવા કપટના ઘર સરખી ગણિકાએ અભયને અવંતી પહોંચાડ્યો. ત્યાર પછી અભયને ખોળવા માટે શ્રેણિકે માણસો મોકલ્યા. દરેક સ્થાને તપાસ કરતાં કરતાં ખોળનારાઓ ત્યાં પણ આવ્યા. અભય અહીં આવ્યો છે ? એમ પૂછતાં ગણિકાએ જણાવ્યું કે, હા આવ્યા તો હતા, પણ તરત જ ગયા. તેના વચનમાં વિશ્વાસ રાખી ખોળનારા બીજે સ્થળે ગયા અને તેના માટે પણ સ્થાને સ્થાને સ્થાપન કરેલા અશ્વો પર બેસી તે પણ અવંતી પહોંચી ગઈ. ત્યાર પછી પ્રચંડ કપટ ચતુરાઈવાળી તેણે પણ અભયને ચંડપ્રદ્યોતને અર્પણ કર્યો અને કેવી રીતે લાવી, તેનું સ્વરૂપ પણ જણાવ્યું. ચંડપ્રદ્યોતે તેને કહ્યું કે, “ધર્મના વિશ્વાસવાળા આને ધર્મનું કપટ કરીને લાવી, તે કામ ઠીક ન કર્યું.” “સિત્તેર કથા કહેનાર પોપટને બિલાડી જેમ પકડે, તેમ નીતિ જાણનાર એવા પણ તને આણે પકડ્યો છે' એમ તેણે અભયને કહ્યું. અભયે પણ કહ્યું કે, “તમે પણ ખરેખર બુદ્ધિવાળા જ છો કે, આવા પ્રકારની બુદ્ધિથી રાજધર્મ પ્રવર્તાવો છો' લજ્જા અને કોપ પામેલા તે ચંડપ્રદ્યાત જેમ રાજહંસને, તેમ અભયને કાઠ-પંજરમાં પૂર્યો. ચંડપ્રદ્યોત રાજાને પોતાના રાજ્યમાં અગ્નિભીરુ રથ, શિવાદેવી, નલગિરિ હાથી, લોહલંઘ લેખવાહક રત્નો હતાં. લોહજંઘને વારંવાર રાજા ભૃગુકચ્છ મોકલતો હતો. તે આવે અને જાય તેમાં નવા નવા હુકમો લાવે તેથી ત્યાંના લોકોએ કંટાળીને એવી મંત્રણા કરી કે, આ લેખ વાહક એક દિવસમાં પચીશ યોજન મુસાફરી કરે છે અને વારંવાર આપણને હેરાન-પરેશાન કરે છે. માટે હવે તેને હણી નાંખીએ, ત્યાર પછી તેઓએ એવો વિચાર કરીને તેના માર્ગના ખાવાના ભોજનમાં (ભાતામાં) ઝેર મિશ્રિત લાડુઓ આપ્યા, અને તેની પાસેનું શંબલ અને બીજું પણ સર્વ હરાવી લીધું. હવે તે લોકજંઘ લેખવાહક કેટલાક માર્ગ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કાપીને એક નદી કિનારે ભાતું ખાવા માટે બેઠો, પણ તે સમયે અપશકુન થયા. શકુન સમજનાર તે ત્યાંથી બીજે દૂર ગયો અને ભૂખ્યો થએલો હોવાથી ખાવાની ઈચ્છાવાળાને ફરી પણ શકુન એટલે પક્ષીઓએ રોક્યો. વળી દૂર જઈને ખાવાની ઈચ્છાવાળાને પણ પાછો શકુનોએ રોક્યો. ત્યાર પછી ચંડપ્રદ્યોત પાસે પહોંચી સર્વ હકીકત-નિવેદન કરી. તે પછી રાજાએ અભયકુમારને બોલાવી પૂછ્યું.” એટલે થેલીમાં રહેલા ભોજનને સૂંઘીને બુદ્ધિશાળીએ આ પ્રમાણે કહ્યું કે, આમાં અમુક દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલ દષ્ટિવિષ સર્પ છે, જો આ ચામડાની થેલી ઉઘાડે તો નક્કી જ બળીને ભસ્મ થઈ જાય. ત્યાર પછી અભયકુમારના કહેવા પ્રમાણે અવળું મુખ રાખી તેને જંગલમાં છોડી દીધો એટલે તરત ત્યાં રહેલા વૃક્ષો બળી ભસ્મ થઈ ગયા અને તે સર્પ મૃત્યુ પામ્યો. ત્યારે ખુશ થએલા ચંડપ્રદ્યોતે અભયને કહ્યું કે, “બંધન-મુક્તિ સિવાય તું મારી પાસે વરદાન માગ, ત્યારે અભયે કહ્યું કે, “મારું વરદાન હાલ અનામત રહેવા દો હવે કોઈ વખત બાંધવાના સ્તંભને મૂળમાંથી ઉખેડી તથા બે મહાવતોને ભોંય પર પટકીને ઈચ્છા પ્રમાણે નગરમાં ભમતા નિલગિરિ હાથીએ નગરલોકોને ક્ષોભ પમાડ્યો, “અસ્વાધીન હાથીને વશ કેવી રીતે કરવો ?' એમ રાજાએ અભયને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, ઉદયન રાજા સંગીત સંભળાવે તો વશ કરી શકાય” વાસવદત્તા નામની પુત્રીને ગાંધર્વવિદ્યા ભણાવવા માટે કેદ કરેલા ઉદયને વાસવદત્તા સાથે ત્યાં સંગીત ગાયું. તેના ગીત સાંભળવા માટે આકર્ષાયેલા નલગિરિ હાથીને બાંધ્યો. ફરી રાજાએ વરદાન આપ્યું. તેને પણ અભયે અનામત થાપણ તરીકે રખાવ્યું. એક વખત અવંતિમાં ઓલવાય નહિ તેવો અગ્નિ પ્રગટ્યો. અભયને પ્રઘોતે પ્રતિકાર પૂછયાં તો કહ્યું કે, “ઝેરને ઝેર મારે તેમ અગ્નિને અગ્નિ જ ઓલવે માટે બીજો સામે અગ્નિ સળગાવો જેથી આગ ઓલવાઈ જાય ? તે પ્રમાણે રાજાએ કર્યું એટલે તે નગરનો અગ્નિ ઓલવાઈ ગયો.” તે કારણ ત્રીજું વરદાન અભયને આપ્યું, તેને પણ આગળ પ્રમાણે અનામત થાપણ તરીકે રખાવ્યું. કોઈક સમયે ઉજ્જયિની નગરીમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો. તેની શાંતિ માટે રાજાએ અભયને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, સર્વ રાણીઓ વિભૂષિત બની તમારી પાસે અંતઃપુરમાં આવે અને જે રાણી દષ્ટિથી તમને જિતે, તે મને જણાવવી. તે પ્રમાણે રાજાએ કર્યું, તેમાં દરેક હારી ગઈપણ શિવાદેવીએ રાજાને જિત્યો અને તે વાત અભયને જણાવી. અભયકુમારે કહ્યું કે, શિવા મહાદેવી રાત્રે જાતે કૂરબલિથી ભૂતોનું અર્ચન કરે. અને જે જે ભૂત શિયાળનું રૂપ કરી ઉઠે અને શબ્દ કરે, તેના તેના મુખમાં દેવીએ જાતે કૂરબલિ નાખવો. તે પ્રમાણે શિવાદેવીએ કર્યું, એટલે અશિવની શાંતિ થઈ. રાજાએ અભયકુમારને ચોથું વરદાન આપ્યું. હવે અભયકુમારે માંગણી કરી કે, “નલગિરિ હાથી ઉપર તમે મહાવત બનેલા હો અને હું શિવાદેવીના ખોળામાં રહેલો હોઉં એ રીતે અગ્નિભીરું રથના કાઠોથી કરેલી ચિતામાં હું પ્રવેશ કરું. ત્યાર પછી વરદાન આપવા અસમર્થ મૂંઝાએલા પ્રદ્યોતે હાથની અંજલિ કરી શ્રેણિકપુત્ર અભયને પોતાની નગરીમાં જવા રજા આપી. તે સમયે અભયે પણ ચંડપ્રદ્યોતને આ પ્રમાણે પ્રતિજ્ઞા સંભળાવી કે, તમે મને કપટથી પકડી મંગાવ્યો છે, પણ “ધોળા દિવસ રાડ પાડતા તમને હું નગરમાંથી લઈ જઈશ.' ત્યાર પછી અનુક્રમે અભય રાજગૃહ નગરે ગયો. મહામતિવાળો તે કોઈ પણ પ્રકારે કેટલોક કાળ એમને એમ બેસી રહ્યો. હવે અભયકુમાર રૂપવતી બે ગણિકા-પુત્રીઓને લઈને વેપારીના વેષમાં અવંતિમાં ગયો અને રાજમાર્ગ પાસે એક ઘર ભાડે રાખ્યું. માર્ગમાં જતાં જતાં પ્રદ્યોતે બંનેને દેખી. તે બંને ગણિકાએ પણ વિલાસવાળી. નજરથી પ્રદ્યોત તરફ જોયું. પ્રદ્યોત તેના તરફ અનુરાગવાળો થયો એટલે મહેલે જઈ તે બંનેને સમજાવવા માટે દૂતી મોકલી, પરંતુ તે બંનેએ તેનો તિરસ્કાર કર્યો. વળી બીજા દિવસે રાજા માટે પ્રાર્થના કરતી હતી. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૪ ત્યારે રોષવાળી બંને દૂતિકા તરફ કંઈક અનાદર બતાવ્યો. ત્રીજા દિવસે પણ નિર્વેદથી આવીને દૂતિકાએ યાચના કરી, ત્યારે તે બંનેએ કહ્યું કે સદાચારવાળા અમારો ભાઈ અમારું રક્ષણ કરે છે.આજથી સાત દિવસ પછી તે બહાર ગયો હશે, ત્યારે ગુપ્ત રીતે રાજા અહિં આવશે, તો સમાગમ થશે. ત્યાર પછી અભયકુમારે પ્રદ્યોતના રૂપ સરખા પોતાના એક પુરૂષને ગાંડો બનાવ્યો અને તેનું નામ પણ “પ્રદ્યોત' રાખ્યું. અરે ! મારો ભાઈ મને આમતેમ ભમાવ્યા કરે છે. અરેરે ! મારે એનું રક્ષણ કેવી રીતે કરવું ? એમ લોકોને કહેવા લાગ્યો. હવે અભયકુમારે તેને માંચા પર સુવરાવી રોગથી પીડાતો હોય તેમ વૈદ્યના ઘરે લઈ જવાના બાનાથી દરરોજ બહાર લઈ જાય છે, એ ગાંડાને જ્યારે ચૌટેથી લઈ જાય છે, ત્યારે બરાડા પાડતો અને આંસુ પાડી રડતો તે કહે છે, “અરે ! હું પ્રદ્યોત છું. મારું હરણ થાય છે.” એમ બરાબર સાતમે દિવસે ગુપ્તપણે કામાંધ હાથી જેવો એકલો રાજા ત્યાં આવ્યો અને અભયના માણસોએ એને બાંધ્યો. “હું આને વૈદ્યને ત્યાં લઈ જાઉં છું.” એમ બોલતા અભયે પલંગ સાથે નગરમાં દિવસે તે બૂમ પાડતો હતો. તે સ્થિતિમાં તેનું હરણ કર્યું. કોશ કોશ પર આગળથી ગોઠવણ કર્યા પ્રમાણે સારા અશ્વોથી જોડાએલા રથોથી નિર્ભય અભય પ્રદ્યોત રાજાને રાજગૃહે લાવ્યો. ત્યાર પછી અભય તેને શ્રેણિક પાસે લઈ ગયો. એટલે શ્રેણિકરાજા તરવાર ખેંચીને તેના તરફ દોડ્યા. એટલે અભયકુમારે શ્રેણિક રાજાને સમજાવ્યા એટલે સન્માન કરી વસ્ત્ર, આભૂષણ આપી હર્ષથી પ્રદ્યોતરાજાને છોડી દીધા. કોઈક સમયે સુધર્માસ્વામી ગણધરભગવંત પાસે કોઈક વૈરાગી કઠિયારાએ દીક્ષા લીધી. તે જ્યારે નગરમાં વિચરતો હતો, ત્યારે તેની પૂર્વાવસ્થા યાદ કરતા નગર-લોકો તેને પગલે પગલે તિરસ્કારતા, ઠઠ્ઠામશ્કરી કરતા અને નિંદા કરતા હતા ત્યારે તેણે સુધર્માસ્વામીને વિનંતી કરી કે , અહીં હું અવજ્ઞા સહન કરી શકતો ન હોવાથી બીજા સ્થાને વિચરું. હવે આ કારણે સુધર્માસ્વામી બીજી જગ્યાએ વિહાર કરવાની તૈયારી કરતા હતા. ત્યારે અભયે પૂછતાં ગણધર ભગવંતે વિહારનું કારણ જણાવ્યું. ત્યારે અભયકુમારે પ્રણામ કરી વિનંતી કરી કે એક દિવસ વધારે રાહ જોવા કૃપા કરો, ત્યાર પછી આપને જે યોગ્ય લાગે તે કરશો. અભયકુમારે પણ રાજભંડારમાંથી ક્રોડ ક્રોડની કિંમતવાળા ત્રણ રત્નના ઢગલા બહાર બજારમાં ગોઠવ્યા અને ત્યાર પછી પડદો વગડાવી એવી ઉઘોષણા કરાવી કે હે લોકો ! આ રત્નઢગલાઓ માટે દાનમાં આપવાના છે, ? ત્યારે સર્વ લોકો ત્યાં આવ્યા એટલે અભયે તેમને કહ્યું કે, “જલ, અગ્નિ અને સ્ત્રીનો ત્યાગ કરનાર હોય, તેને આ રત્ન ઢગલો આપવો છે?' ત્યારે તેઓએ કહ્યું કે, “હે સ્વામી ! આ ત્યાગ કરનાર હોય, તેને આ રત્ન ઢગલો આપવો છે ત્યારે તેઓ કહ્યું કે, “હે સ્વામી ! આ ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. આ લોકોત્તર ત્યાગ કરવા કોણ સમર્થ છે ?' આ પ્રમાણે જ્યારે તેઓ બોલ્યા ત્યારે અભયે તેમને કહ્યું કે જો તમે કોઈ તેવા નથી, તો પછી આ ત્રણ કોટીના રત્નો જલ, અગ્નિ, સ્ત્રી, છોડનાર કાષ્ઠ કાપનાર કઠીયારા મહામુનિના થાઓ. આવા પ્રકારના આ સાધુ દાન માટે સુપાત્ર છે, એની તમો નકામી મશ્કરી શા માટે કરો છો ? એમ કહી અભયકુમારે લોકોને સમજાવ્યા કે “હવેથી તમારે તેનો તિરસ્કાર અવગણના કે હાસ્યાદિક ન કરવા. આ પ્રમાણે આજ્ઞા કરાએલા લોકો તેનું વચન સ્વીકારી પોતપોતાના સ્થાનકે ગયા. આ પ્રમાણે બુદ્ધિનો મહાસમુદ્ર, પિતૃભક્તિમાં તત્પર, નિસ્પૃહતાવાળો. ધર્મ તરફ અનુરાગવાળો અભયકુમાર પિતાના રાજ્યનું શાસન પ્રવર્તાવતો હતો. જે પોતે ધર્મમાં પ્રવર્તતો હોય, તે પ્રજાને પણ રાજ્ય-કારભારમાં રાજાને નિશ્ચિત કર્યો. તેવી રીતે તે બાર વતવાળા શ્રાવક-ધર્મમાં પણ અપ્રમત્ત માનસવાળો બન્યો.જેવી રીતે તેણે દુર્જય એવા બહારના શત્રુઓને જિત્યા, તેવી રીતે બંને લોકને સાધનાર તેણે અંતરંગ શત્રુઓને પણ જિત્યા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ એક દિવસ શ્રેણિકે તેને કહ્યું, હે વત્સ ! હવે આ રાજ્ય તું ગ્રહણ કર, જેથી હું હંમેશા શ્રીવીર ભગવંતની સેવા કરું પિતાની આજ્ઞાના ભંગ અને સંસાર બંનેના ભીરું એવા અભયે કહ્યું કે, આપે આજ્ઞા સુંદર કરી છે, પરંતુ થોડો સમય રોકાઈ જાવ. આ બાજુ વીર ભગવંત ઉદાયન રાજાને દીક્ષા આપીને મરૂભૂમિથી રાજગૃહમાં આવી સમવસર્યા. ત્યાં જઈને અભયે નમસ્કાર કરી ચરમ જિનેશ્વરને પૂછ્યું કે, છેલ્લા રાજર્ષિ કોણ ? તેના ઉત્તરમાં પ્રભુએ “ઉદાયનને છેલ્લાં રાજર્ષિ જણાવ્યા. તરત શ્રેણિક પાસે જઈને કહ્યું કે, જો હું રાજા થાઉં તો ઋષિ ન થાઉં, કારણ કે શ્રીવીર ભગવંતે છેલ્લા રાજર્ષિ તો ઉદાયનને જણાવેલ છે. વળી શ્રીવીર ભગવંત સરખા સ્વામીને પ્રાપ્ત કરીને તમારા સરખાના પુત્ર થઈને જો હું નામથી અભય છું. પરંતુ હવે ભવથી અત્યંત ભયવાળો બન્યો છું. માટે મને રજા આપો, જેથી ભુવનને અભય આપનાર એવા વીર ભગવંતનો આશ્રય કરું. અભિમાન સુખના કારણભૂત એવા રાજ્યથી મને સર્યું. કારણ કે મહર્ષિઓ સંતોષસારવાળાં હોય તેને જ સુખ કહે છે, આગ્રહથી ગ્રહણ કરાવે છે, તો પણ જ્યારે તેણે રાજ્ય ન ગ્રહણ કર્યું, ત્યારે શ્રેણિકે હર્ષથી દીક્ષા લેવાની અનુમતિ આપી. તણખલા માફક રાજ્યનો ત્યાગ કરી સંતોષ-સુખને ભજનારા તેણે ચરમ તીર્થકર મહાવીર પરમાત્માના ચરણ-કમળમાં દીક્ષા અંગીકાર કરી સુખ આપનાર સંતોષને ધારણ કરનાર અભય મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાં ગયા. આ પ્રમાણે સંતોષ-સુખનું અવલંબન કરનાર બીજો મનુષ્ય પણ તેવા ઉત્તરોત્તર સુખની પ્રાપ્તિ કરે છે. એ પ્રમાણે અભયકુમાર રાજર્ષિની કથા ! ૧૧૪ | ચાલુ અધિકારવાળા સંતોષની જ સ્તુતિ કરે છે – १७१ सन्निधौ निधयस्तस्य, कामगव्यनुगामिनी । अमराः किङ्करायन्ते सन्तोषो यस्य भूषणम् ॥ ११५ ॥ અર્થ : જે આત્મા પાસે સંતોષરૂપ અલંકાર છે. તે આત્માને નવનિધિઓ નજીકમાં રહે છે કામધેનુ તેને અનુસરે છે અને દેવો પણ તેનો દાસ બને છે || ૧૧૫ / ટીકાર્થ : જેનું હૃદય-કમલ સંતોષ આભૂષણથી અલંકૃત હોય, એને મહાપદ્માદિક નવ નિધિઓ સાંનિધ્ય કરે છે, કામધેનુ ગાય અનુસરનારી થાય છે, દેવો પણ સેવક માફક હાજરા હજુર સેવામાં ખડે પગે ઉભા રહે છે તે આ પ્રમાણે– સંતોષવાળા મુનિઓ શમના પ્રભાવથી તણખલાના અગ્રભાગથી પણ રત્નઢગલાને વરસાવે છે. ઈચ્છા પ્રમાણે ફળ આપનાર થાય છે અને દેવતાઓ પણ તેની હું પ્રથમ સેવા કરું. હું પ્રથમ સેવા કરું' એવી હરીફાઈ કરે છે. આ વિષયમાં કંઈ શંકા નથી. આ વિષયને લગતા શ્લોકો કહે છે– ધન, ધાન્ય, સુવર્ણ, રૂપું, બીજી ધાતુઓ ખેતર, મકાન બે પગવાળા મનુષ્યો અને ચાર પગવાળા પશુ એમ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ હોય છે. રાગ, દ્વેષ, ચાર, કષાયો, શોક, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, વેદ અને મિથ્યાત્વ એમ ચઉદ અત્યંતર પરિગ્રહ કહેલા છે. વરસાદ, ઉંદર, હડકાયા કૂતરા, ઝેરથી થએલા ઉપદ્રવોની માફક બાહ્ય પરિગ્રહથી ઘણે ભાગે અત્યંતર કષાયો. કોપાયમાન થાય છે. જેના મૂળ ઊંડા ગયાં હોય અને સ્થિર બની ગયાં હોય એવા વૈરાગ્ય આદિ મહાવૃક્ષોને પણ પરિગ્રહરૂપી મહાવાય મૂળમાંથી ઉખેડી નાંખે છે. પરિગ્રહ ઉપર બેસીને જે મોક્ષની અભિલાષા રાખે છે. ખરેખર લોહની નાવમાં બેસી સમુદ્ર તરવાની અભિલાષા કરે છે. ઇંધણથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે. તેમ પુરુષોને ધર્મના ધ્વંસ કરવાના કારણો પણ બાહ્ય પરિગ્રહોથી ઉત્પન્ન થાય છે. જે નિર્બળ મનુષ્ય Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૫ ૧૯૩ કે બાહ્ય એવા સંગોને પણ નિયંત્રણ કરવા સમર્થ બની શકતો નથી, તે બિચારો આ અત્યંતર પરિગ્રહસેનાને કેવી રીતે જીતી શકશે ? પરિગ્રહ એ અવિદ્યાઓને ક્રીડા કરવા માટે ઉદ્યાન, દુઃખરૂપી જળનો સમુદ્ર તૃષ્ણારૂપી મહાવેલડીનો અદ્વિતીય કંદ હોય તો પરિગ્રહ છે. અહો ! આશ્ચર્ય થાય છે કે સર્વ સંગના ત્યાગ કરનારા મુનિઓને પણ ધન રક્ષણ કરવામાં તત્પર બનેલાઓ ધનના અર્થીપણાની શંકા કરે છે, રાજા, ચોર, કુટુંબી, અગ્નિ, પાણી આદિનો ભય રાખનારા ધનમાં એકતાન બનેલ ધનવાનો રાત્રે પણ ઉંઘતા નથી. દુકાળ કે સુકાળમાં વનમાં કે વસતિમાં પણ શંકાના રોગથી સબડતા ધનવાનો દરેક સ્થાનોમાં દુઃખી હોય છે, નિર્દોષ હોય કે દોષવાળા હોય, તેવા નિર્ધનો સુખેથી જીવે છે, પરંતુ ધનિકો લોકમાં ઉત્પન્ન કરેલા દોષો વડે દુ:ખી થાય છે મનુષ્યોને ધન ઉપાર્જનમાં, રક્ષણ કરવામાં, નાશ પામે કે ખર્ચ કરવામાં દરેકને દુઃખ આપનાર થાય છે. કાનથી પકડેલ રીંછની લીલાને ધારણ કરે છે, માંસના એક ટુકડાને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા શ્વાનો વડે જેમ શ્વાનો, તેમ સ્વજનો વડે પણ ધનવંતો પીડા પામે છે, તેવા ધનને ધિક્કાર થાઓ, ‘હું આ પ્રમાણે અર્થની પ્રાપ્તિ કરું, આમ રક્ષણ કરીશ, આ પ્રમાણ તેમાં વધારો કરીશ.’ યમરાજાના દાંતયંત્રમાં રહેલો હોવા છતાં ધનવાન તેની આશા છોડતો નથી. પિશાચ સરખી આ ધનની આશા જેટલી ઉશ્રૃંખલ થાય છે, દરમિયાન માણસોને અનેક વિડંબનાઓ બતાવે છે. જો તમે સુખ, ધર્મ અને મુક્તિ-સામ્રાજ્યની અભિલાષા રાખતા હો, તો આત્મા સિવાયના પર પદાર્થોનો ત્યાગ કરીને એક માત્ર આશા-તૃષ્ણાને સ્વાધીન કરો. સ્વર્ગ અને અપવર્ગરૂપ નગરના પ્રવેશને અટકાવનાર વજ્ર સરખી ધારવાળી કુહાડીથી ભેદી ન શકાય તેવી આશારૂપ મહાઅર્ગલા છે. પુરૂષોને આશા જ રાક્ષસી છે. વિષમંજરી અને જુની મદિરા છે, સર્વ દોષ ઉત્પન્ન કરનારી આશાને ધિક્કાર હો. તે મહાત્માઓને ધન્ય છે, તેઓ જ પુણ્યવંત છે અને તેઓ દુઃખસમુદ્ર તરી ગયા છે, જેઓએ જગતને મૂર્ચ્યા ઉત્પન્ન કરનાર આશા-સર્પિણીને જીતેલી છે. તેઓ સુખેથી રહી શકે છે કે જેઓએ પાપની વેલડી સરખી, દુ:ખની ખાણ, સુખનો નાશ કરનાર અગ્નિ સરખી, અને અનેક દોષો ઉત્પન્ન કરનારી આશા તૃષ્ણાને નિરાશા બનાવી છે. તૃષ્ણા દવાગ્નિનો મહિમા કોઈક અલૌકિક છે કે જે ધર્મમેઘ સરખી સમાધિને તે જ ક્ષણે ઓલવી નાંખે છે. તૃષ્ણા-પિશાચીથી પરાધીન બનેલા પુરુષો ધનવંતો આગળ દીનવચનો બોલે છે. ગાયન કરે છે, નૃત્ય અને હાવભાવ કરતા પણ શરમાતા નથી. જ્યાં આગળ વાયરો કે સૂર્ય-ચંદ્રના કિરણો પ્રવેશ કરી શકતા નથી, ત્યાં પુરુષોના રોકટોક વગરના આશારૂપી મહાતરંગો પહોંચી જાય છે, જે પુરુષ આશાને આધીન બન્યો છે, તેણે પોતાનું દાસપણું મેળવ્યું છે, અને જેણે આશાને પોતાની દાસી બનાવી છે, તેનું ત્રણ જગતમાં સ્વામીપણું છે, પુરૂષને વિષે આશા નૈસર્ગિકી અર્થાત્ સ્વાભાવિક નથી, કારણકે પુરુષ ઘરડો થાય તો પણ તે ઘરડી થતી નથી. આ તૃષ્ણા એવા કોઈ ઉત્પાત કરાવે છે કે તેની હાજરીમાં કોઈ સુખ મેળવી શકતું નથી. પુરુષોને શરીરની કરચલીઓ વલય સરખી બની ગઈ હોય, તેમ જ શ્યામ કેશો સફેદ પલિયાં થઈ ગયા હોય, તેને પુષ્પની માળા કરી. આ મંડન કરીને કૃતાર્થ બનેલી આશા બીજું ક્યું મંડન કરે ? આશાએ જે પદાર્થોના ત્યાગ કર્યો તે પ્રાપ્ત થયેલ અર્થથી પણ વધી જાય છે. આશા જે અર્થોને સ્વીકારે છે, તે તો સ્વપ્નમાં પણ દુર્લભ છે. પુરુષ જે પદાર્થોને ઘણા પ્રયત્નથી મેળવવાની અભિલાષા કરે છે, તે જ પદાર્થો આશાને તિલાંજલિ આપનારને વગર પ્રયત્ને પ્રાપ્ત થાય છે. જો પુરુષનો પુણ્યોદય જાગતો હોય તો આશા-પિશાચિકી નકામી છે, અને જો પુણ્યોદય નથી, તો પણ આશા-પિશાચિકા નકામી છે જેણે તૃષ્ણાનો ત્યાગ કરી સંતોષવૃત્તિ સ્વીકારી છે, તે ભણેલો, પંડિત, ડાહ્યો, પાપભીરું અને તપોધન છે. સંતોષાકૃત ધારણ કરનારને પોતાને સ્વાધીન જે સુખ છે, તે પરાધીન વૃત્તિવાળા-અસંતોષવાળાને ક્યાંથી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ હોય ? સંતોષ બખ્તર ધારણ કરનાર ઉપર તૃષ્ણાનાં બાણોની શ્રેણિ પણ વ્યર્થ જાય છે. તેને કેવી રીતે આવતી અટકાવવી એ વિષયમાં તું આકુલ ન થઈશ. કરોડો વાક્યોથી જે વાત કહેવાની છે, તે હું તમને એક જ વાક્યથી કહું છું કે, જેની તૃષ્ણા-પિશાચી શાન્ત બની, તેણે પરમપદ પ્રાપ્ત કરી લીધું. આશાની પરાધીનતાનો ત્યાગ કરી પરિગ્રહનું પ્રમાણ ઘટાડી સાધુધર્મમાં અનુરાગવાળી બુદ્ધિ કરી ભાવસાધુપણાના કારણરૂપ દ્રવ્યસાધુપણું અર્થાત શ્રાવકપણું સેવન કરવા તત્પર બનો. મિથ્યા દૃષ્ટિઓ કરતાં સમ્યગ્દર્શનવાળા જનો ચડીયાતા ગણેલા છે, અને તેઓ કરતાં પણ પરિમિત આરંભ-પરિગ્રહવાળા દેશવિરતિ-ધર્મવાળા શ્રાવકો ઉત્તમ છે. તીવ્ર તપ સેવન કરનારા અન્યતીર્થિકો જે ગતિને પામે છે. તે ગતિને સોમિલ માફક શ્રાવકધર્મ પાલન કરનારા અગર શ્રાવકધર્મ લગાર મલિનપણે કે દોષોવાળો પણ પાળ્યો હોય તો પણ પામી શકે છે. અન્યમતવાળા અજ્ઞાનીઓ મહિને મહિને ડાભના અગ્ર ભાગ પર રહેલ જેટલું ભોજન કરી પારણું કરતા હોય, પરંતુ તેઓ સંતોષવ્રતવાળા શ્રાવકની સોળમી કળાની તુલનામાં આવી શકતા નથી અદ્ભૂત તપસ્યા કરનારા તામલિ કે પૂરણ પર સુશ્રાવકને યોગ્ય ગતિ કરતાં પણ હીનગતિને પામ્યા છે, હે ચેતન ! તું તૃષ્ણા-પિશાચીના વળગાડ સરખું ઉન્મત ચિત્ત ન કર, પરિગ્રહની મૂચ્છ ઘટાડીને સંતોષ ધારણ કર યતિધર્મની ઉત્તમતા વિષે શ્રદ્ધા કર, જેથી આઠભવની અંદર અપર્વગ અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરી શકો. | ઇતિ પરમાત શ્રીકુમારપાલ રાજાને સાંભળવાની ઈચ્છાથી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રચેલ, જેને અધ્યાત્મ-ઉપનિષદ્ નામનો પટ્ટબંધ થએલો છે, તે યોગશાસ્ત્રના પોતે રચેલા વિવરણના બીજા પ્રકાશનો આગમોદ્ધારક આ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગુર્જરાનુવાદ સમાપ્ત થયો (૨) Page #246 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ અણુવ્રતોની વિસ્તારથી વ્યાખ્યા સમજાવ્યા બાદ હવે ગુણવ્રતોનો અવસર પ્રાપ્ત થયો તેમાં પ્રથમ ગુણવ્રત જણાવે છે – ___ १७२ दशस्वपि कृता दिक्षु, यत्र सीमा न लक्ष्यते । । ख्यातं दिग्विरतिरिति प्रथमं तद्गुणवतम् ॥ १ ॥ અર્થ : જેમાં દશે દિશામાં કરેલી ગમન મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. તે દિગ્વિરતિ નામનું પ્રથમ ગુણવ્રત છે. || ૧ || ટીકાર્થઃ પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઉર્ધ્વ, અધોરૂપ દશે દિશાઓ કે ઓછી દિશા માટે જે જવાની મર્યાદા નક્કી કરી નિયમ અંગીકાર કરવો, તે ઉત્તરગુણરૂપ હોવાથી ગુણવ્રત કહેવાય. આ અણુવ્રતોના રક્ષણ કરનાર કે ગુણ અથવા ઉપકાર કરનાર હોવાથી દિશા પરિણામ વિરતિ નામનું પ્રથમ ગુણવ્રત કહેવાય / ૧ / હિંસાદિક પાપસ્થાનકોથી વિરતિરૂપ અણુવ્રતો કહ્યાં, તે તો યુક્ત કહેવાય પરંતુ દિવ્રતમાં કયા પાપસ્થાનકની નિવૃત્તિ કહી છે. જેથી તેને વ્રત કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, અહિ પણ હિંસાદિક પાપસ્થાનકોની વિરતિ છે, તે વાત કહે છે. १७३ चराचराणां जीवानां, विमर्दननिवर्त्तनात् । तप्ताऽयोगोलकल्पस्य, सद्वतं गृहिणोऽप्यदः ॥ २ ॥ અર્થ : દિશાવિરતિ વ્રતથી ત્રસ-સ્થાવર જીવોના વિનાશનો વિરામ થાય છે તેથી તપેલા લોઢાના ગોળા સમાન ગૃહસ્થને ગુણકારી બનવાથી આ વ્રતને સદ્ગત કહ્યું છે. / ૨ // ટીકાર્થ: તપેલા લોહગોલક સરખા ગૃહસ્થને નક્કી કરેલી દિશા-મર્યાદા બહાર રહેલા ત્રસ, સ્થાવર જીવોને જતાં-આવતાં જે મર્દન થાય, તે રૂ૫ હિંસાની નિવૃત્તિ કરવી. હિંસાનો પ્રતિષેધ કરનાર હોવાથી ગૃહસ્થને પણ આ ગુણવ્રત કહેવાય. હિંસાના પ્રતિષેધ સાથે અસત્ય આદિ બીજા પાપોની પણ નિવૃત્તિ થાય છે. શંકા કરી કે, એવી રીતે સાધુઓને પણ દિગ્વિરમણ વ્રત લેવાનો પ્રસંગ આવશે. તે માટે જણાવ્યું કે ગૃહસ્થ આરંભ-પરિગ્રહવાળો હોવાથી જ્યાં જ્યાં ચાલે, બેસે, ઉઠે, ખાય, સૂવે કે કોઈપણ કાર્ય કરે, ત્યાં તપેલા લોઢાના ગોળા ગબડવા માફક જીવની વિરાધના કરે છે, કહ્યું છે કે :- તપેલો લોઢાનો ગોળો જ્યાં ગબડે, ત્યાં બાળ્યા સિવાય ન રહે, તેમ પ્રમાદી ગૃહસ્થ તેવા કારણને પામીને દરેક સ્થાનમાં કયું પાપ ન કરે ? (શ્રાવક પ્રજ્ઞપ્તિ ગા. ૨૮૧ ), સમિતિ - ગુપ્તિ સહિત પ્રધાન વ્રતવાળા સાધુઓને આ દોષ લાગતો નથી, તેથી તેમને દિગ્વિરતિની જરૂર નથી. / ૨ // Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ લોભ-લક્ષણ પાપસ્થાનની વિરતિ કરનાર પણ આ વ્રત છે, તે કહે છે १७४ जगदाक्रममाणस्य प्रसरल्लो भवारिधेः યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સ્વનનં વિષે તેન, યેન, વિવિરતિ: વૃત્તા || રૂ || અર્થ : જે આત્માએ દિશાવિરતિ રૂપ વ્રત ધારણ કર્યું છે. તેણે જગત ઉપર આક્રમણ કરનાર અને ચોતરફ ફેલાયેલાં લોભ સમુદ્રને સ્ખલના કરી છે. ।। ૩ || ટીકાર્થ : જે પુરુષે દિશા-પરિમાણ વ્રત અંગીકાર કર્યું, એટલે તેને બહાર ન જવાથી ત્યાં રહેલ સુવર્ણ, રૂપું. ધન-ધાન્યાદિકને વિષે ઘણે ભાગે તેને લોભ થતો નથી. લોભાધીન બનેલો જીવ ઊર્ધ્વલોકમાં દેવની સંપત્તિ, મધ્યલોકમાં રહેલી ચક્રવર્તી વગેરેની સંપત્તિ અને પાતાલ લોકમાં રહેલા નાગકુમારાદિ દેવોની સંપત્તિની અભિલાષા કરતો ત્રણે ભુવનને પણ મનોરથ વડે ઈચ્છા કરે છે, તેથી લોભને જગતનો આક્રમણ કરનાર જમાવ્યો. વળી લોભને સમુદ્રની ઉપમાં આપી. જેમ અનેક પ્રકારના વિકલ્પો રૂપી કલ્લોલોથી આકુળ અને જેનો પાર પામવો મુશ્કેલ છે, એવા પ્રકારના આગળ વધતા લોભને સ્ખલના કરનાર દિગ્વિરતિ વ્રત છે. આ વ્રતને લગતા આંતર શ્લોકો : ગૃહસ્થોને આ વ્રત જીંદગી-પર્યંત, ચાર મહિના કે ઓછા કાળનું પણ હોય છે. હંમેશા સામાયિકમાં રહેલા, જયણા પૂર્વક બધી પ્રવૃત્તિ કરતા સાધુઓને તો કોઈપણ દિશા-વિષયક વિરતિ-અવિરતિ હોતી નથી. ચારણ-મુનિઓને તો ઊર્ધ્વમાં મેરુશિખર ઉપર, તિરછી દિશામાં રુચકપર્વત ઉપર પણ ગમન કરવાનું થાય છે. તેથી તેમને દિગ્વિરતિ હોતી નથી. સુંદર બુદ્ધિવાળો જે દરેક દિશામાં જવાની મર્યાદા કરે, તે સ્વર્ગાદિકમાં અખૂટ સંપત્તિઓનો સ્વામી બને છે. ॥ ૩ ॥ ભોગોપભોગ નામનું બીજું ગુણવ્રત કહે છે : १७५ भोगोपभोगयोः संख्या शक्तया यत्र विधीयते । भोगोपभोगमानं तद् द्वैतीयीकं गुणव्रतम् ॥ ૪ ॥ અર્થ : જે વ્રતમાં શક્તિ મુજબ ભોગોપભોગની સંખ્યા કરાય. તેને ભોગોપભોગમાન નામનું બીજું ગુણવ્રત કહેવાય || ૪ || ટીકાર્થ : જેના લક્ષણો આગળ જણાવીશું તેવા ભોગ અને ઉપભોગની જે વ્રતમાં શારીરિક કે માનસિક શક્તિ અનુસાર સંખ્યાનું પરિમાણ કરાય, તે ભોગોપભોગ-માન નામનું બીજું ગુણવ્રત કહેવાય. || ૪ || ભોગ અને ઉપભોગની વ્યાખ્યા સમજાવે છે - १७६ सकृदेव भुज्यते यः स भोगोऽन्नस्त्रगादिकः । पुनः पुनः पुनर्भोग्य - उपभोगोऽङ्गनादिकः ॥ ક્ 11 અર્થ : અન્ન, ફુલમાળ, આદિ જે પદાર્થો એકવાર ભોગવાય તેને ભોગ કહેવાય અને સ્ત્રી આદિ (અલંકાર, વસ્ત્ર વગેરે) જે પદાર્થો વારંવાર ભોગવાય, તે ઉપભોગ કહેવાય. || ૫ || Page #248 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧-૯ ૧૯૭ ટીકાર્થ: ભાત વગેરે અન્ન, પુષ્પમાળા, તાંબૂલ, વિલેપન, ઉદ્વર્તન, ધૂપ, સ્નાન-પાન વગેરે જે એક જ વખત ભોગવાય તે ભોગ, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ, ઘર, પથારી, ખુરશી, કોચ, ઘોડાગાડી, વાહનાદિક અનેક વખત ભોગવાય તે ઉપભોગ કહેવાય || ૫ || આ ભોગોપભોગ-વ્રત ભોગવવા યોગ્ય વસ્તુનું પરિમાણ કરવાથી થાય છે. બે શ્લોકોથી ત્યાગ કરવા યોગ્ય અભક્ષ્ય વસ્તુઓ જણાવે છે– १७७ मद्यं मांस, नवनीतं, मधूदुम्बरपञ्चकम् । अनन्तकायमज्ञात-फलं रात्रौ च भोजनम् ॥ ६ ॥ १७८ आमगोरससम्पृक्तद्विदलं पुष्पितौदनम् । दध्यहर्द्वितयातीतं कुथितान्नं च वर्जयेत् ॥ ७ ॥ અર્થ : મદિરા, માંસ, માખણ, મધ, કાકોદુંબર, આદિ પાંચ ઉદુંબર અનંતકાય વસ્તુઓ, અજ્ઞાતફળો, રાત્રિ ભોજન, કાચા દહીં-દૂધ, મિશ્રિત કઠોળ, વાસી ભાત, બે દિવસ ઉપરનું અને સડેલું અન્ન આ સર્વ પદાર્થો અભક્ષ્ય તથા વર્ક્સ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે / ૬-૭ | ટીકાર્થ: કાષ્ઠ અને પિષ્ટની બનેલી મદિરા-દારૂ, જળચર, સ્થલચર અને ખેચર જીવોનું માંસ, માંસ સાથે ચામડું, લોહી, ચરબી, હાડકાં પણ સમજવા. ગાય, ભેંસ, બકરી, ઘેટી એમ ચારનું માખણ, માખીનું ભમરીનું કૌત્તક, એમ ત્રણ પ્રકારનાં મધ, ઉદુમ્બર આદિ પાંચ અનંતકાય, અજાણ્યાં ફલ, અને કૃત્તિકનું રાત્રિભોજન, કાચા, ગોરસ સાથે, કઠોળ, વાસી ભાત, પલાળેલા ફણગા-અંકુર ફૂટેલા કઠોળ, બે દિવસ (દૂધ-દહીં) પછીનું દહીં, સડેલું અન વિગેરેનો ત્યાગ કરે. તે ૬-૭ // તેમાં દશ શ્લોકોથી મદિરા છોડવાના કારણો જણાવે છે – १७९ मदिरापानमात्रेण, बुद्धिर्नश्यति दूरतः । वैदग्धीबन्धुरस्यापि दौर्भाग्येणेव कामिनी ॥ ८ ॥ અર્થ : જેમ દુર્ભાગ્યના યોગે બુદ્ધિના બેતાજ મનુષ્ય પાસેથી સ્ત્રી ભાગી જાય છે, તેમ મદિરા પાન કરવાથી બુદ્ધિ દૂરથી જ પલાયન થાય છે. | ૮ | ટીકાર્થ : નિધન અને દર્ભાગ્યના દોષથી ઘણા ચતુર પુરુષની પત્ની જેમ પલાયન થાય, તેમ મદિરાપાન કરવા માત્રથી બુદ્ધિ સર્વથા ક્ષય પામે છે. || ૮ || १८० पापा: कादम्बरीपान-विवशीकृतचेतसः । जननी हा प्रियीयन्ति जननीयन्ति च प्रियाम् ॥ ९ ॥ અર્થ : મદિરાપાનથી વિવશ ચિત્તવાળા પાપી પુરૂષો માતાને પત્ની માને છે અને પત્નીને માતા માને છે. || ૯ | ટીકાર્થ : મદિરાપાન કરવાથી વિહ્યલ ચિત્તવાળા પાપીઓ ભાન ગુમાવવાથી માતા સાથે પ્રિયાનું અને પ્રિયા સાથે માતાનું વર્તન એમ અવળા વર્તનવાળા બની જાય છે. || ૯ || • ૧. તાડ વિગેરે ઝાડના રસ-તાડી, ૨. લોટ વગેરે પદાર્થો કહોવડાવીને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તથા १८१ न जानाति परं स्वं वा, मद्याच्चलितचेतनः । - સ્વામીતિ વરવ: વં, સ્વામિનું નિરીતિ ૨૦ | અર્થ : મદિરાથી ચલચિત્ત થયેલો પુરૂષ સ્વ-પરનો ભેદ પણ જાણતો નથી. ગરીબડો તે પોતાને સ્વામી માને છે અને પોતાના સ્વામી સાથે નોકર જેવો વ્યવહાર કરે છે || ૧૦ || ટીકાર્થ : મદ્ય-પાન કરવાથી અવ્યવસ્થિત ચિત્તવાળો પોતાને કે બીજાને ઓળખી શકતો નથી. બિચારો રાંકડો પોતાને શેઠ માને છે અને શેઠને સેવક માની કામ કરવાની આજ્ઞા કરે છે. ચૈતન્ય-હીન બનેલો હોવાથી અનુકંપા કરવા લાયક હોવાથી વરાક અર્થાત બિચારો-રાંકડો એવું વિશેષણ વાપર્યું. || ૧૦ || તથા१८२ मद्यपस्य शबस्येव लुठितस्य चतुष्पथे । मूत्रयन्ति मुखे श्वानो, व्यात्ते विवरशङ्कया ॥ ११ ॥ અર્થ : કૂતરો શબની માફક ચોટામાં આળોટતાં દારૂડિયા પુરૂષના પહોળા કરેલા મોઢામાં ખાડાની શંકાથી મૂત્ર કરે છે / ૧૧ १८३ मद्यपानरसे मग्नो-नग्नः स्वपिति चत्वरे ।। __गूढं च स्वमभिप्रायं प्रकाशयति लीलया ॥ १२ ॥ અર્થ : મદિરાપાનના સ્વાદમાં લીન બનેલો ચોટામાં નગ્ન થઈને સૂઈ જાય છે અને પોતાના ગુપ્ત અભિપ્રાયને પણ રમત માત્રમાં પ્રગટ કરે છે. || ૧૨ //. ટીકાર્થ: મદિરા-વ્યસની માણસ બજાર વચ્ચે પણ પોતાના કપડાનું ભાન રાખી શકતો નથી. નાગો થઈને સૂવે છે, એટલું જ નહિ, પરંતુ રાજદ્રોહાદિક ગુના કર્યા હોય, તો તે બંધન, તાડન વગેરે પણ સહેલાઈથી કહી નાંખે છે. | ૧૨ // તથા १८४ वारूणीपानतो यान्ति, कान्तिकीर्तिमतिश्रियः । विचित्राश्चित्ररचना, विलुठत्कज्जलादिव ॥ १३ ॥ અર્થ : જેમ ઢોળાયેલાં કાજળથી વિવિધ ચિત્રોની રચના નાશ પામે છે, તેમ મદિરા પાનથી કાંતિ કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનો નાશ થાય છે. જે ૧૩ ટીકાર્થ : સુંદર કળામય ચિત્રામણની રચના જેમ કાજળથી વિનાશ પામે છે, તેમ મદિરાપાનથી શરીરનું તેજ, યશ, તત્કાલ જવાબ આપવાની બુદ્ધિ અને સંપત્તિઓ દૂર થાય છે. | ૧૩ // તથા– १८५ भूतात्तवन्नरीनति, रारटीति सशोकवत् । તાદિક્વાર્તકૂળ, સુરાપો નોનુદીતિ ત્ર | ૪ અર્થ : દારૂડિયો મનુષ્ય ભૂતાધીન જીવની જેમ અત્યંત નાચે છે, શોકાકુળ પુરૂષની માફક બૂમાબૂમ કરે છે અને દાહજ્વરથી પીડિત મનુષ્યની જેમ જમીન ઉપર આળોટે છે | ૧૪ || Page #250 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૦-૧૭ ૧૯૯ ટીકાર્થ : મદિરા-પાન કરનારો ભૂત-પ્રેતનો વળગાડ માફક વારંવાર અત્યંત નાચે કૂદે છે. મરી ગએલાના શોક માફક વારંવાર રુદન કરે છે અને દાહજ્વરની પીડાવાળાની માફક વારંવાર ભૂમિ ૫૨ આળોટે છે. । ૧૪ || તથા १८६ विदधत्यङ्गशैथिल्यं ग्लपयन्तीन्द्रियाणि च 1 मूर्च्छामतुच्छां यच्छन्ती हाला हालाहलोपमा ॥ १५ ॥ અર્થ : હલાહલ ઝેર જેવી મદિરા અંગોને શિથિલ બનાવે છે. ઈન્દ્રિયોને નિર્બળ કરે છે અને પ્રબળ મૂર્છાને આપનારી છે. || ૧૫ || ટીકાર્થ : હલાહલ નામના ઝેરની ઉપમાવાળો દારૂ શરીરના અંગોની શિથિલતા કરનાર, આંખ વગેરે ઈન્દ્રિયોની કાર્યશક્તિને ઘટાડનાર, અતિશય મૂર્છા પમાડનાર થાય છે. ઝેર અને દારૂ બંનેને સર્વ વિશેષણો લાગુ પડે છે ॥ ૧૫ || તથા— ૮૭ વિવેજ: સંયમો જ્ઞાનં, સત્યં શૌર્ય, ત્યા ક્ષમા । मद्यात्प्रलीयते सर्वं तृण्यां वह्निकणादिव ॥ १६ ॥ 1 અર્થ : જેમ અગ્નિના એક ટુકડાથી ઘાસનો ઢગલો બળી જાય છે, તેમ મિંદરાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમાદિ ગુણોનો નાશ થાય છે. ।। ૧૬ | ટીકાર્થ : અગ્નિના એક માત્ર કણથી ઘાસની મોટી ગંજીઓ વિનાશ પામે, તેમ આદરવા લાયક અને છોડવા લાયક પદાર્થના જ્ઞાનરૂપ વિવેક, ઈન્દ્રિયોને વશ કરવા સ્વરૂપ સંયમ, સત્યવાણી, આચાર-શુદ્ધિરૂપ શૌચ, કરુણા, ક્ષમા, આ સર્વ ગુણો મદ્યપાન કરવાથી વિનાશ પામે છે. ।। ૧૬ | १८८ दोषाणां कारणं मद्यं मद्यं कारणमापदाम् । " रोगातुर इवापथ्यं तस्मान् मद्यं विवर्जयेत् ॥ १७ ॥ • અર્થ : મદિરા દોષોનું કારણ છે અને આપત્તિઓનો મુખ્ય હેતુ છે. માટે રોગાતુર જેમ અપથ્યનો ત્યાગ કરે, તેમ મદિરાનો ત્યાગ કરવો જોઈએ ॥ ૧૭ || ટીકાર્થ : રોગી માણસ જેમ અપથ્ય ભોજનનો ત્યાગ કરે, તેમ ચોરી, પરદારાગમન આદિ દોષોને ઉત્પન્ન કરનાર મદીરાપાનનો ત્યાગ કરવો. મદિરા વ્યસની કયું અકાર્ય કરવામાં બાકી રાખે ? વળી તેના કારણે બીજાં પણ વધ-બંધન વગેરે સંકટો ઉત્પન્ન થાય છે. એમ સમજી કોઈ પણ પ્રકારે મદિરાપાનનો સર્વથા કાયમી ત્યાગ કરવો. આને લગતા આંત૨ શ્લોકો કહે છે— મદિરામાં તેના રસથી ઉત્પન્ન થનારા અનેક જંતુઓ હોય છે, માટે હિંસાના પાપથી ડરનારાઓ હિંસાના પાપથી બચવા માટે મદ્યપાન ન કરવું. અસત્ય બોલનારની માફક મદ્યપાન કરનાર સ્વચ્છંદતાથી રાજ્ય આપ્યું હોય, તેને નથી આપ્યું, ગ્રહણ કર્યું હોય, તેને ગ્રહણ નથી કર્યું, હોય તેને નથી કર્યું, એમ અવળું બોલે છે. મદ્યપાન કરનારો નિર્બુદ્ધિ વધ-બંધનાદિમાં નિર્ભય બની ઘરમાં કે બહાર, માર્ગમાં પરદ્રવ્યોને ખૂંચવીને ગ્રહણ કરે છે. બાલિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી કે ચાંડાલસ્ત્રીને કે ગમે તે પરસ્ત્રીને મદ્યપાનના ઉન્માદથી કદર્શિત તત્કાલ ભોગવે છે. મિંદરા પાન કરનાર પાપી નટની માફક બબડતો, Page #251 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૦૦ ગાતો, આળોટતો, દોડતો, કોપ કરતો, ખુશ થતો, રોતો, હસતો, અભિમાન કરતો, નમન કરતો, ફુદડી ફરતો, ઉભો રહેતો, અનેક પ્રકારના નાટક કરે છે. સંભળાય છે કે, મદ્યપાનથી કૃષ્ણપુત્ર શાંબે આખા યદુકુલનો વિનાશ કર્યો અને પિતાની દ્વારિકા નગરીનો સર્વથા બાળીને વિનાશ કરાવ્યો. યમરાજા માફક જીવમાત્રનો કોળીયો કરનાર હંમેશા વારંવાર મદિરાપાન કરતો હોવા છતાં તેને તૃપ્તિ થતી નથી. અનન્ય મતવાળા પૌરાણિકો અને લૌકિકો પણ મદ્યપાનમાં ઘણા દોષો અન પરિહારપણું જણાવે છે કોઈક ઋષિને તપ તપતા દેખી ઈન્દ્રાસન જવાના ભયથી તે ઋષિને ક્ષોભ પમાડવા માટે ઈન્દ્રે તેની પાસે દેવાંગનાઓ મોકલી. તેના પાસે આવીને, તેઓએ તે ઋષિને વિનયથી સારી રીતે પ્રસન્ન કરીને, વરદાન આપવા સન્મુખ થયેલા તે ઋષિ માંસ અને અબ્રહ્મમાં કહ્યું કે, જો અમારી સાથે અબ્રહ્મ સેવન કરો અને ઈચ્છા હોય તો મઘ અને માંસનું સેવન કરો. નરકના બે કારણોની શુદ્ધિકરણ આલોચના કરી મદિરાનો સ્વીકાર કરી તે ભોગોમાં લપટાયો. મદથી ધર્મની મર્યાદા નાશ પામી એટલે વિષય-મદાંધે માંસ ખાવા માટે બકરાને હણીને સર્વ કુકૃત્યો કર્યા. પાપનું મૂળ, નરકની કેડી, સર્વ આપત્તિનું સ્થાન, અપકીર્તિ કરાવનાર દુર્જનો વડે સેવવા યોગ્ય, ગુણીઓથી નિંદિત એવું મઘ હંમેશા શ્રાવકે વર્જવું. ॥ ૧૭ || હવે માંસના દોષો જણાવે છે માંસના દોષો १८९ चिखादिषति यो मांसं प्राणिप्राणापहारतः । " उन्मूलयत्यसौ मूलं, दयाऽख्यधर्मशाखिनः ॥ ૧૮ ॥ અર્થ : જે પુરૂષ પ્રાણીના પ્રાણોનાં નાશ કરીને માંસનું ભક્ષણ કરવા ઈચ્છે છે, તે ધર્મવૃક્ષના દયા નામના મૂળને જ ઉખેડી નાંખે છે || ૧૮ ॥ ટીકાર્થ : પ્રાણીના પ્રાણનો નાશ કર્યા વગર માંસ મળવાનો સંભવ નથી અને એવા પ્રકારના માંસને ખાવાની અભિલાષા જે કરે છે, તે ધર્મવૃક્ષના દયા નામના મૂળને ઉખેડી નાંખે છે. II ૧૮ ॥ માંસ ખાવાની ઈચ્છા કરનાર પણ પ્રાણીઓની દયા કરશે—એમ કહેનારને સમજાવે છે—– १९० अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति । " ज्वलति ज्वलने वल्लीं, स रोपयितुमिच्छति ॥ १९ ॥ અર્થ : હંમેશા માંસને ખાનાર જે (પાપી માણસ) દયા કરવાને ઈચ્છે છે. તે બળતા અગ્નિમાં વેલડીને ઉગાડવા જેવું ઈચ્છનારો છે. II ૧૯ || ટીકાર્થ : હંમેશા માંસ ખાવાનું કાર્ય ચાલુ રાખે અને વળી દયાની ઈચ્છા રાખે, તે સળગતા અગ્નિમાં વેલડી રોપવાની ઈચ્છા જેવું છે, એટલે કે માંસભક્ષીઓએ દયા કરવી અશક્ય છે. | ૧૯ || શંકા કરે છે કે, પ્રાણી ઘાતક બીજો અને માંસભક્ષક બીજો છે, તો પછી માંસભક્ષકને પ્રાણીના પ્રાણ અપહરણનું પાપ કેવી રીતે લાગે ? તેના જવાબમાં જણાવે છે કે, ભક્ષક પણ ઘાતક છે જ, તે વાત જણાવે છે— १९१ हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा । क्रेता ऽनुमन्ता दाता च घातका एवं यन्मुनुः ॥ २० ॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૮-૨૩ ૨૦૧ ** અર્થ : શસ્ત્રાદિથી જીવોને હણનારો, માંસને વેચનાર, માંસનો પકાવનાર, માંસ ખાનાર, માંસને ખરીદનાર, માંસભક્ષણની અનુમોદના કરનાર અને મહેમાનને માંસ આપનાર આ બધા જ શાસ્ત્રમાં ઘાતકો કહ્યાં છે. | ૨૦ || ટીકાર્ય : શસ્ત્રાદિકથી પ્રાણ હરણ કરનાર, માંસ વેચનાર, માંસની વાનગી બનાવનાર, માંસ ખાનાર, ખરીદ કરનાર, તેની અનુમોદના કરનાર, અતિથિ આદિકને માંસ આપનાર આ સર્વે સીધા કે આડકતરા સાક્ષાત્ કે પરંપરાએ પ્રાણીના પ્રાણોનું હરણ કરનાર હિંસક જ છે. એમ મનુમુનિએ કહેલ છે. || ૨૦ || કહેલું જ સિદ્ધ કરે છે— १९२ अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी संस्कर्ता चोपहर्ता च, સ્વાશ્રુતિ ધાતાઃ 1 ॥ ૨ ॥ (મનુ સ્મૃ. ૫/૫૧) અર્થ : “જીવ ઘાતકની અનુમોદના ક૨ના૨, અંગોનો વિભાગ કરનાર, જીવોને હણનાર, માંસને વેચના૨-ખરીદનાર, માંસને પકાવનાર, બીજાને માંસ આપનાર અને માંસનુ ભક્ષણ કરનાર, આ બધા જ હિંસક છે” | ૨૧ ॥ ટીકાર્થ : હણનારની અનુમોદના કરનાર અંગના વિભાગ કરનાર, મારનાર, લેનાર, વેચનાર, માંસ પકાવનાર, પીરસનાર, ખાનાર આ સર્વે ઘાતકો છે. | ૨૧ || તેના અનુસંધાનમાં બીજો શ્લોક કહે છે— १९३ “नाऽकृत्वा प्राणिनां हिंसा, मांसमुत्पद्यते क्वचित् । ન ચ પ્રાળિવધ: સ્વયં-સ્તસ્માત્માંસ, વિવર્નયેત્” ॥ ૨૨ ॥ (મનુ સ્મૃ. ૫/૪૮) અર્થ : વળી, પ્રાણીઓની હિંસા વગ૨ માંસ ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ પ્રાણીવધ સ્વર્ગ આપનાર નથી, તેથી માંસનો ત્યાગ કરવો. ૨૨ || ટીકાર્થ : અતિશય દુઃખ આપનારી હિંસા કર્યા વગર, પ્રાણીનો ઘાત કર્યા વગર માંસ ઉત્પન્ન થઈ શકતું નથી. તેમજ પ્રાણીવધ સ્વર્ગ આપનાર થતો નથી, પણ નરકના દુઃખનું કારણ છે, માટે માંસનો ત્યાગ કરવો ॥ ૨૨ ॥ હવે બીજાનો ત્યાગ કરી માંસ-ભક્ષણ કરનાર જ વધકાર છે, તેની સાબિતી કરતા કહે છે– १९४ ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये 1 त एव घातका यन्न वधको भक्षकं विना ॥ २३ ॥ અર્થ : જે પાપીઓ પોતાના માંસની પુષ્ટિ માટે બીજાના માંસનો આહાર કરે છે, તેઓ જ ખરા હિંસક છે, કેમ કે ખાનાર વિના વધ કરનાર હોતો નથી. II ૨૩ || ટીકાર્થ : પોતાના માંસની પુષ્ટિ માટે જેઓ બીજાનું માંસ ખાય છે, તે જ ખરેખર પરમાર્થથી ઘાતકો છે, નહિં કે હણનાર, લેનાર, વેચનાર, કારણકે ભક્ષણ કરનાર વિના વધ કરનાર હોતા નથી તેથી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હણનાર, લેનાર, વેચનાર, વગેરે કરતાં પણ ભક્ષણ કરનાર મોટો પાપી છે. કારણ કે તે કેટલાંક સમયના પોતાના જીવિત માટે કે પોતાના માંસની પુષ્ટિ માટે પારકાના જીવિતનો નાશ કરે છે. કહેવું છે કેબીજાના પ્રાણોને હણીને જેઓ પોતાને પ્રાણવાળા બનાવે છે, તેઓ થોડા દિવસો માટે પોતાના આત્માને ભાવી વિનાશ નોંતરે છે. તથા પોતાના એકના થોડા જીવન ખાતર ઘણા જીવ-સમુદાયને દુઃખ કરે છે. તેઓ શું પોતાના જીવને શાશ્વત-અજરામર માને છે ? || ૨૩ || એ જ વાત દુર્ગછા સાથે જણાવતાં કહે છે. १९५ मि( मृष्टान्नान्यपि विष्ठास्या-दमृतान्यपि मूत्रसात् । યુથર્મિનસ્થા , તે જ પાપમાવત્ ? | ૨૪ | અર્થ : જેમાં મિષ્ટભોજનો પણ વિષ્ટારૂપે પરિણામે છે અને અમૃત જેવાં સ્વાદિષ્ટ પીણાં પણ મૂત્રપણે પરિણામ પામે છે. તેવા આ તુચ્છ તનની પુષ્ટિ માટે કયો બુદ્ધિમાન પાપનું આચરણ કરે ? | ૨૪ || ટીકાર્થ : ચોખા, મગ, અડદ, ઘઉં, વગેરેના સ્વાદિષ્ટ ભોજનો પણ છેવટે વિષ્ટાપણે પરિણમે છે, દૂધ વગેરે સુંદર પીણાઓ મૂત્ર બની જાય છે, આ શરીર પણ અશુચિય છે, તો પછી કયો સમજુ આ શરીર માટે પ્રાણિઘાત કરવાનું પાપ આચરે ? | ૨૪ || હવે માંસભક્ષણમાં દોષ નથી. એમ કહેનારને નિંદે છે १९६ मांसाशने न दोषोऽस्ती-त्युच्यते यैर्दुरात्मभिः । व्याधगृध्रवृकव्याघ्र-शृगालास्तैर्गुरूकृताः ॥ २५ ॥ અર્થ : ‘માંસ ખાવામાં કોઈ દોષ નથી આવું જે દુરાત્મા બોલે છે, તેઓએ શિકારી, ગીધ, વરૂ, વાઘ અને શિયાળને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. || ૨૫ || ટીકાર્થ : જે દુરાત્માઓ માંસ ખાવામાં દોષ નથી એમ કહે છે. જેમ કે – માંસ ભક્ષણ કરવામાં, મદ્યપાન કરવામાં અને મૈથુન સેવનમાં દોષ નથી, કારણકે આ તો જીવોની પ્રવૃત્તિ છે, જેઓ તેની નિવૃત્તિ કરે છે, તે મહાફળવાળી છે' આ પ્રમાણે કથન કરનારાઓએ ખરેખર શિકારીઓ, ગિધડાઓ, જંગલી કૂતરા, વાઘ, શિયાળ આદિને પોતાના ઉપદેશક ગુરુઓ બનાવ્યા જણાય છે.” કહેલા શિકારીઓ આદિ ગુરુઓ સિવાય આવા પ્રકારનો ઉપદેશ કે શિક્ષણ બીજા કોઈ સજ્જન તો ન જ આપે. મહાજનને પૂજ્ય હોય તે આવો ઉપદેશ કે શિક્ષણ તો ન જ આપે. નિવૃત્તિ તો મહાફળવાળી છે. “ એમ બોલનારને “પ્રવૃત્તિ દોષવાળી નથી' એમનું પોતાનું વચન આપોઆપ વિરોધ પ્રગટ કરે છે. આવાને વધારે શું કહેવું? || ૨૫ // નિરુકત-બલથી પણ માંસ ત્યાગ કરવા લાયક જણાવે છે– १९७ "मां स भक्षयिताऽमूत्र, यस्य मांसमिहाम्यहम् ?। एतन्मांसस्य मांसत्वे, निरुक्तं मनुरब्रवीत्" ॥ २६ ॥ (મનુ સ્મૃ. ૫/૫૫) અર્થ : “હું જેનું માંસ અહીં ખાઉં છું. તે જીવ પરલોકમાં મારું માંસ ખાશે” આ પ્રમાણેનું વચન મનુએ માંસના માંસપણાની વ્યાખ્યામાં કહ્યું છે. || ૨૬ //. ટીકાર્થ : જે મનુએ પણ માંસ શબ્દના અક્ષરો છૂટા પાડીને નિરુક્ત અર્થ આ પ્રમાણે કહેલો છે કે, Page #254 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૨૪-૨૯ ૨૦૩ જેનું માંસ હું અહીં ખાઉં છું. તે આવતા ભવમાં મને ભક્ષણ કરનારો થશે.” || ૨૬ | માંસ-ભક્ષણના મહાદોષ કહે છે१९८ मांसास्वादनलुब्धस्य, देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः, शाकिन्या इव दुर्धियः ॥ २७ ॥ અર્થ : જેમ દુષ્ટ બુદ્ધિવાળી શાકિનીને બીજાને મારવાની બુદ્ધિ થાય છે, તેમ માંસના સ્વાદમાં લુબ્ધ બનેલા પુરૂષને પણ પ્રત્યેક પ્રાણીને મારવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. || ૨૭ | ટીકાર્થ : જેમ શાકિની જે જે પુરુષને સ્ત્રીને કે અન્ય પ્રાણીને દેખે છે, તેને તેને હણવાની તેની બુદ્ધિ પ્રવર્તે છે, તેવી રીતે માંસના સ્વાદમાં લંપટ બનેલા દુર્બુદ્ધિવાળા પુરુષને જે જે મત્સાદિક જળચર, મૃગલા, ડુક્કરાદિક, ઘેટાં, બકરાં વગેરે સ્થળચર અને તેતર, લાવક આદિ ખેચર કે ઉંદર આદિને પણ મારવાની બુદ્ધિ થાય છે. ર૭ | વળી માંસાહારીઓ ઉત્તમ પદાર્થોનો ત્યાગ કરી હલકા પદાર્થ ગ્રહણ કરે છે, તેની બુદ્ધિની અધમતાને બતાવતા જણાવે છે– १९९ ये भक्षयन्ति पिशितं, दिव्यभोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य, भुञ्जते ते हलाहलम् ॥ २८ ॥ અર્થ : જેઓ દિવ્યભોજનો પાસે હોવા છતાં માંસને ખાય છે, તેઓ અમૃતના રસને છોડીને હલાહલ ઝેર ખાય છે. || ૨૮ || ટીકાર્થઃ સર્વ ધાતુઓનું પોષણ કરનાર, સર્વ ઈન્દ્રિયોને પ્રીતિ આપનાર દૂધ, દૂધપાક, માવો, બરફ, પેંડા, શિખંડ, દહીં, લાડવા, પુડલા, ઘેબર, ગોળપાપડી, વડી, પૂરણ, વડાં, પાપડ, શેરડી, ગોળ, સાકર, દ્રાક્ષ, આંબા (કેરી), કેળાં, દાડમ, નાળિયેર, નારંગી, ખજૂર, અખરોટ, રાયણ, ફણસ આદિ અનેક દિવ્ય સામગ્રી હોવા છતાં તેનો અનાદર કરીને મૂર્ખ મનુષ્યો ખરાબ ગંધવાળાં, દેખવા પણ ન ગમે તેવા ઉલટી થાય તેવાં, ડુક્કર વગેરેના માંસ ખાય છે, તેઓ ખરેખર જીવિતની વૃદ્ધિ માટે અમૃતરસનો ત્યાગ કરીને જીવિતનો અંત કરનાર હલાહલ ઝેરનું પાન કરે છે. નાના બાળક પણ પત્થરનો પરિહાર કરી સુવર્ણને જ પકડે છે, તેવા બાળકથી પણ માંસ ભક્ષણ કરનાર વધારે બાલિશ છે. / ૨૮ / બીજા પ્રકારે માંસ ભક્ષણના દોષ કહે છે– २०० न धर्मो निर्दयस्यास्ति, पलादस्य कुतो दया ? । પત્નનુષ્યો ને તત્તિ, વિદ્યાપવિશેનદિ છે ૨૧ છે અર્થ : નિર્દય પુરુષમાં ધર્મ નથી હોતો અને માંસ ખાનારને દયા ક્યાંથી ? માંસ ભક્ષણનો લોભી ઉપરની વાત જાણતો નથી. માંસના દોષ જાણે તો પણ તે બીજાને તે દોષ કહેતો નથી. / ૨૯ ટીકાર્થ : ધર્મનુ મૂલ દયા છે, તેથી કૃપા-રહિતને ધર્મ હોતો નથી. માંસ ખાનારને પણ વધ કરનાર કહેલો હોવાથી તેને પણ દયા નથી, તેથી તેમાં પણ નિધર્મના નામનો દોષ છે. પ્રશ્ન થયો છે કે ચેતનાવાળો પુરૂષ પોતાના આત્મામાં ધર્મોના અભાવનો આક્ષેપ કેવી રીતે સહન કરી શકે ? તેનો જવાબ આપતાં જણાવે છે કે, માંસલંપટને દયા કે ધર્મ કશી ખબર પડતી નથી. કદાચ જાણતો પણ હોય તો પણ પોતે માંસ છોડી શકતો નથી. એટલે સર્વે મારા જેવા માંસ ખાવાવાળા થાવ, એ કારણે ચામડાવાળો માફક Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બીજાને માંસ ન ખાવાનો ઉપદેશ આપતો નથી. સંભળાય છે– કોઈક ગામડીઓ માર્ગમાં જતો હશે, તેને એક સાપણે ડંખ્યો. સાપણ “આ સર્વેને કરડો' આવું વિચારીને બીજા કોઈને તે માર્ગે જતા અટકાવ્યા નહિ, સાપણ બીજાને કરડી, તેણે પણ બીજા જનારને કહ્યું નહિ, એવી રીતે સાતને કરડી. માંસ-ભક્ષણ કરનાર પણ માંસ ભક્ષણના પાપથી પોતે નરકે પડે ‘દુષ્ટાત્માઓ પોતે નાશ પામે અને બીજાઓને પણ નાશ પમાડે છે' એ નિયમ મુજબ બીજાઓને પણ ઉપદેશ આપી માંસાહારથી રોકતા નથી. | ૨૦ || २०१ केचिन् मांसं महामोहादश्नन्ति न परं स्वयम् । રેવપત્રતિથિયોપિ યહૂરે છે ૩૦ અર્થ : કેટલાંક લોકો માત્ર માંસ ખાય છે, એટલું જ નહિ પણ મહામોહના પ્રભાવથી બીજા દેવપિતા-અતિથિ આદિની તૃપ્તિ માટે માંસનો બલિ પણ આપે છે. | ૩૦ || ટીકાર્થ : કુશાસ્ત્રોથી ઠગાએલા કેટલાંક અજ્ઞાનતાથી એકલા પોતે જ માંસ ખાય છે, એટલું જ નહિ, પરંતુ દેવતાઓને મૃત્યુ પામેલા પિતાદિક પૂર્વજોને અને આમંત્રેલા બ્રાહ્મણ અતિથિઓને કલ્પના કરી ધરાવે છે. તેમના ધર્મ શાસ્ત્રકારોએ આવું કહેલું છે, તે વાતનું સમર્થન કરે છે | ૩૦ || २०२ "क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य, परोपहृतमेव वा । રેવાન્ પિત્તન સમખ્યર્ચ, વાવનું માંસ ન તુષ્યતિ'' ૩૨ (મનુ સ્મૃ. પ૩િ૨) અર્થ : જે મનુષ્ય માંસને ખરીદીને અથવા પોતે જ ઉત્પન્ન કરીને કે બીજા વડે બલિદાન કરાયેલા માંસથી દેવ તથા પિતાઓની પૂજા કરીને ખાય છે તે મનુષ્યને દોષ લાગતો નથી. / ૩૧ // ટીકાર્થ : કસાઈની દુકાનેથી વેચાતુ લે તે માંસ દેવની પૂજામાં લઈ શકાતું નથી. એટલે શિકાર કરનાર કે જાળથી પક્ષીઓ પકડનાર પારધી પાસેથી મૃગ કે પક્ષીઓનાં માંસ ખરીદ કરીને અથવા પોતે ઉત્પન્ન કરીને બ્રાહ્મણ માગીને, ક્ષત્રિય શિકાર કરીને અથવા બીજાએ તેમને ભેટ આપ્યું હોય, તે માંસથી દેવતાનું અને પિતૃઓનું પૂજન કરીને પછી ખાય તો દોષ નથી.' આ કથન મહાઅજ્ઞાનતાથી ભરેલું છે, તે અમે પહેલા પ્રાણીઓનાં ઘાતનું કારણ માંસ પોતે ખાવું તે અયુક્ત હોવાથી, દેવતાને ધરાવવાની વાત તો કરી જ કેમ શકાય ? દેવતાઓએ તો પૂર્વના સુકૃત પુણ્યયોગે ધાતુરહિત વૈક્રિય શરીર મેળવેલું છે, તેમ જ તેઓ કવલાહાર વગરના છે, તે માંસ કેવી રીતે ખાય ? જે ભક્ષણ કરનાર નથી તેને ધરાવવાની કલ્પના કરવી, તે નર્યું અજ્ઞાન જ છે. પિતૃ આદિ પૂર્વજો પોતપોતાના સુકૃત-દુષ્કૃત પ્રમાણે ગતિ પામેલા હોય અને કર્માનુસારે ફલ અનુભવતા હોય છે, પરંતુ પુત્રાદિકોના સુકૃતથી તેઓ તરી શકતા નથી. તેઓને વળી માંસ ધરાવવાના પાપથી બચાવી કે તારી શકાતા નથી. પુત્રાદિકોએ કરેલું સુકૃત-પુણ્ય તેઓને મળતું નથી. આંબાને સિંચવાથી નાળિયેરી કે બીજા વૃક્ષો ફળતા નથી. નરકમાં પાડનાર માંસ અતિથિને કે પરોણાગત કરવા યોગ્યને આપવું એ મહાઅધર્મ માટે થાય છે. આ પ્રમાણે તેઓનું વર્તન પણ અજ્ઞાન ભરેલું છે. હવે કદાચ તમે કહેશો કે “શ્રુતિ-સ્મૃતિમાં વિધાન કરેલું હોવાથી તેમાં શંકા ન કરવી અને ખંડન ન કરવું. તો તેનો પરિહાર કરતાં જણાવે છે કે, શ્રુતિના અપ્રામાણિક વચનોમાં શ્રદ્ધા કરવી અશક્ય છે અને તેના આ વચનો કેવી રીતે શ્રદ્ધા કરી માનવા ? જેમ કે– ગાયનો સ્પર્શ પાપનાશ કરે છે. વૃક્ષોની પૂજા, ઘેટાં બકરાંનો વધ સ્વર્ગ આપનાર થાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતાદિક Page #256 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૩૦-૩૩ ૨૦૫ પૂર્વજોને તૃપ્તિ થાય છે. કપટ કરનાર દેવો એ આપ્તો છે. અગ્નિમાં હવન કરે, તો દેવતાને પ્રીતિ કરનાર થાય છે.’ એવા પ્રકારનાં શ્રુતિ-વચનોમાં યુક્તિ સમજનારાં કેવી રીતે શ્રદ્ધા કરે ? કહેલું છે કે– “વિષ્ટા ભક્ષણ કરનારી ગાયોને સ્પર્શ પાપ હરણ કરનાર થાય છે. વૃક્ષો પૂજવા યોગ્ય છે, બોકડાનો વધ સ્વર્ગ પ્રાપ્ત કરાવે છે, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓ ધરાઈ જાય છે, કપટ કરનાર દેવો આપ્ત ગણાય છે. અગ્નિમાં હવન કરેલ દેવોને પહોંચી જાય છે. આવા પ્રકારની શ્રુતિની અસાર વાણીની લીલા કોણ પામી શકે છે ?' તેથી કરી માંસથી દેવપૂજા-આદિક શાસ્ત્ર-વિધાનો એ નર્યું અજ્ઞાન છે. વિસ્તારથી હવે સર્યું. ॥ ૩૧ || કોઈ શંકા કરે કે મંત્રથી સંસ્કારિત કરેલો અગ્નિ બાળતો કે પકાવતો નથી, તેમ મંત્રથી સંસ્કાર કરેલું માંસ દોષ માટે થતું નથી. કહેલું છે કે—, ‘શાશ્વત' વેદ વિધિમાં આસ્થાવાળાએ કોઈ પ્રકારે મંત્રોથી સંસ્કાર કર્યા વગરનાં પશુઓનું ભક્ષણ ન કરવું પણ મંત્રોથી સંસ્કાર કરેલાનું જ ભક્ષણ કરવું.' (મનુસ્મૃતિ ૫/૩૬) તે માટે અહીં જણાવે છે— २०३ मन्त्रसंस्कृतमप्यद्या - द्यवाल्पमपि नो पलम् भवेज्जीवितनाशाय, हालाहललवोऽपि हि 1 ૫ ૩૨ ॥ અર્થ : મંત્રથી પવિત્ર કરાયેલા જવના દાણા જેટલા માંસને પણ નહિં ખાવું કેમ કે, હલાહલ ઝેરનો કણિયો પણ જીવિતના નાશને માટે થાય છે. ॥ ૩૨ || ટીકાર્થ : જવ જેટલું અલ્પ પણ માંસ, મંત્રથી પવિત્ર કરેલું હોય તો પણ ન ખાવું. અગ્નિની દહનશક્તિને મંત્રો રોકી શકે છે, તેમ નરકાદિ ગતિ પ્રાપ્ત કરાવનાર માંસની શક્તિને મંત્રો રોકી શકતા નથી. જો એમ જ બની શકતું હોય તો સર્વ પાપો કરીને પાપ નાશ કરનાર મંત્રનું વારંવાર સ્મરણ કરીને કૃતાર્થ બની શકાય ને મંત્રથી જ સર્વ પાપો નાશ થતાં હોવાથી એવી રીતે સર્વ પાપોનો પ્રતિષેધ પણ નકામો બની જાય. હવે કદાચ કહેશો કે ‘થોડી મિંદરા’ લીધી હોય, તો તે મૂર્છા પમાડતી નથી. તેમ અલ્પમાંસ પાપ માટે થતું નથી. તેના જવાબમાં કહે છે કે ઝેરનો કણિયો પણ જીવિત નાશ કરનાર થાય છે, તેમ અલ્પમાંસ પણ દુર્ગતિમાં લઈ જનાર બને છે ॥ ૩૨ ॥ હવે માંસનો મોટામાં મોટો દોષ બતાવીને ઉપસંહાર કરે છે : २०४ सद्यः संमूच्छितानन्त- जन्तुसन्तानदूषितम् । નાધ્વનિ પાથેય, જોનીયાપિશિત સુધી: ?૫ રૂરૂ ॥ અર્થ : પ્રાણીનો વધ થતા જ અનંતા સંમૂર્ચ્છિમ જીવો જેમાં ઉત્પન્ન થાય છે. તેવા જીવોથી દૂષિત અને નરકના માર્ગમાં ભાતા સમાન માંસને કયો બુદ્ધિમાન પુરુષ ખાય ? || ૩૩ || ટીકાર્થ : પ્રાણીને કાપતાં કે વધુ કરતાંની સાથે જ તરત તેની (માંસની) અંદર નિગોદરૂપ અનંતા સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. શાસ્ત્રમાં કહેલું છે. કાચાં કે રાંધેલા માંસ કે રંધાતી માંસ-પેશીઓમાં નિગોદના સમૂચ્છિમ જીવોને જન્મ-મરણ સતત જણાવેલા છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. આ કારણે કયો સમજુ નરકના ભાતા સરખું માંસ-ભક્ષણ કરે ? Page #257 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ માંસને લગતા ઉપયોગી આંતર શ્લોકો કહે છે— નિયંત્રણ વગરના અલ્પજ્ઞ નાસ્તિક માંસ-લંપટ કુશાસ્ત્રોને રચનારાઓએ ધીઠાઈથી માંસ ભક્ષણ કરવાનું કહેલું છું તેના કરતાં બીજો કોઈ નિર્લજ્જ નથી કે જે નરકાગ્નિમાં ઈન્ધન થનારા પોતાના માંસને પારકા માંસથી પોષણ કરવાની ઈચ્છા કરે. ખરેખર હજુ તો ભૂંડ ઘણો સારો ગણાય કે, જે મનુષ્યની વિષ્ટાથી પોતાની કાયાને પુષ્ટ કરે છે. પરંતુ પ્રાણિઘાત કરીને તેના માંસથી પોતાનું અંગ વધારનાર નિર્દય માણસ સારો નથી. જેઓએ મનુષ્યોને બાકી રાખી બાકીના સર્વ જંતુઓના માંસને ભક્ષ્ય જણાવેલું છે. તેમાં મને એમ શંકા થાય છે કે, તેમાં તેને પોતાના વધનો ભય લાગ્યો હોય, મનુષ્ય માંસ અને પશુમાંસમાં જે તફાવત માનતો નથી, તેના જેવો કોઈ અધાર્મિક નથી અને તેના જેવો કોઈ મોટો પાપી નથી. મનુષ્યનાં વીર્ય અને સ્ત્રીના રુધિરથી ઉત્પન્ન થએલું. વિષ્ટાના રસથઈ વૃદ્ધિ પામેલું. થીજેલા લોહીવાળું માંસ કીડા સિવાય કોણ ખાય ? અહો ! ખેદ અને આશ્ચર્યની વાત છે કે બ્રાહ્મણો-દ્વિજાતિઓ શૌચમૂલ ધર્મ કહે છે, છતાં તે અધમો સાત ધાતુઓથી ઉત્પન્ન થએલા માંસને ખાય છે. ઘાસ ખાનારા એવા જે પશુઓ તેમને માંસ અને અન્ન સમાન છે, તેઓને જીવિત આપનાર અમૃત અને મૃત્યુ આપનાર ઝેર સમાન છે. ‘સત્પુરુષોને ભાતની માફક પ્રાણીનું અંગ હોવાથી માંસ ભક્ષણ કરવા યોગ્ય છે ? એ પ્રમાણે જે અજ્ઞાની અને જડ પુરૂષો યુક્તિથી કહેનારા છે, તો પછી ગાયથી ઉત્પન્ન થનાર ગોમૂતરને તેઓ દૂધની માફક કેમ પીતા નથી ? ભાત વગેરેમાં પ્રાણીના અંગનું નિમિત્ત તે ભક્ષપણાનું કારણ નથી. પવિત્ર શંખો અને પ્રાણીના અંગસ્વરૂપ હાડકાદિક જેમ સરખા નથી. તેમ ભાત વગેરે ભક્ષ્ય અને માંસાદિક અભક્ષ્ય કહેલાં છે, જે પ્રાણીના અંગ માત્રથી માંસ અને ચોખા સમાન ગણાવનારા છે, તેઓ સ્ત્રીપણાની માતા અને પત્નીમાં સમાનતાની કલ્પના કેમ નથી કરતા ? એક પણ પંચેન્દ્રિય જીવ કારણે વધમાં કે તેના માંસ-ભક્ષણમાં જેવી રીતે નરક-ગમન જણાવેલું છે, તેમ ધાન્ય-ભોજન કરનારને નરક જણાવેલ નથી. રસ અને લોહીના વિકારને ઉત્પન્ન કરનાર ધાન્ય માંસ ન ગણાય તેથી માંસ ન ખાનારા અને ધાન્યનું ભોજન કરનારા પાપી નથી. ધાન્ય પકવવામાં જો કે પ્રાણીવધ થઈ જાય છે, પરંતુ, દેશવિરતિવાળા શ્રાવકોને તે એટલો અત્યંત બાધક નથી. માંસાહારીની ગતિ વિચારનાર અને ધાન્ય-ભોજનમાં સંતોષ માનનારા સંત પુરૂષો જૈનશાસન પામેલા ગૃહસ્થો હોવા છતાં પણ ઊંચા પ્રકારની સુર-સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. II ૩૩॥ હવે ક્રમ પ્રમાણે આવતા માખણ ભક્ષણનો દોષ કહે છે— ૨૦૬ २०५ अन्तर्मुहूर्त्तात्परतः, सुसूक्ष्मा जन्तुराशयः 1 યંત્ર મૂર્ચ્છન્તિ તનાદ્ય, નવનીત વિવેિિમ ॥ રૂ૪ ॥ અર્થ : જેમાં એક અંતમુહુર્ત બાદ તુરત જ અતિ સૂક્ષ્મ એવા જીવોનાં ઢગલા ઉત્પન્ન થાય છે, તેવા માખણને વિવેકી પુરૂષોએ ન ખાવું ॥ ૩૪ || ટીકાર્થ : જેમાં બે ઘડીની અંદરના સમયમાં અતિ બારીક જંતુઓના સમૂહો ઉત્પન્ન થાય છે, તેવો માખણ વિવેકી પુરૂષોએ ભક્ષણ કરવું ન જોઈએ. ॥ ૩૪ ॥ એ જ વાત વિશેષ વિચારે છે– २०६ एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् । जन्तुजातमयं तत्को, नवनीतं निषेवते ? ॥ ૧ ॥ અર્થ : એક જીવની હિંસા કેટલું બધું પાપ થાય ? તેથી જીવોના સમૂહથી ભરેલા માખણનું સેવન Page #258 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૩૪-૩૮ ૨૦૭ ----... કયો વિવેકી આત્મા કરે ? || ૩૫ || ટીકાર્થ : માત્ર એક જ જીવના વધમાં સુમાર વગરનું પાપ થતું હોય, તો પછી અનેક જીવોના સમૂહના ઘાતવાળું માખણ કયો સમજુ ભક્ષણ કરે ? || ૩૫ // ત્યાર પછી ક્રમસર આવતા મધ-ભક્ષણના દોષો કહે છે२०७ अनेकजन्तुसङ्घात-निघातनसमुद्भवम् जुगुप्सनीयं लालावत्, कः स्वादयति माक्षिकम् ? ॥ ३६ ॥ અર્થઃ અનેક જીવોના નાશથી ઉત્પન્ન થયેલા અને લાળની જેમ નિંદનીય એવા મધને કયો સચેતન પુરૂષ ખાય? ટીકાર્થ: અનેક જંતુઓના સમૂહના વિનાશથી તૈયાર થયેલું અને મુખની લાળ સરખું જાગુપ્તનીય, માખીઓની મુખની લાળ-થુંકથી બનેલું મધ કયો વિચારવંત પુરૂષ ભક્ષણ કરે ? ઉપલક્ષણથી ભ્રમરાદિકનું મધ પણ સમજી લેવું || ૩૬ હવે મધ ભક્ષણ કરનારાનું પાપીપણું જણાવે છે २०८ भक्षयन्माक्षिकं क्षुद्र-जन्तुलक्षयोद्भवम् । સ્તનતુનિહન્તુષ્ય, સૌનિમ્યોતિરિક્ત રૂ૭ | અર્થ : લાખ્ખો તુચ્છ જીવોના વિનાશથી ઉત્પન્ન મધને ખાનારો પુરૂષ અલ્પ પ્રાણીઓને મારનાર કસાઈઓથી પણ ચઢિયાતો છે || ૩૭ || ટીકાર્થઃ હાડકાં વગેરે ના હોય તે શુદ્ર જંતુ કહેવાય, અથવા તુચ્છ હલકા જીવોને પણ શુદ્ર ગણેલા છે, તેવા લાખો જીવોના વિનાશથી ઉત્પન્ન થવાવાળું મધ ખાનારો થોડા ગણતરીના પશુ હણનારા ખાટકીઓ કરતાં પણ વધી જાય છે. ભક્ષણ કરનાર પણ ઘાતક જ છે એ વાત આગળ કહેવાઈ ગઈ છે /૩૭ || એઠા ભોજનના ત્યાગ કરનાર લૌકિકોને પણ મધ એઠવાડ સરખું હોવાથી પરિહાર કરવા જણાવે છે– २०९ एकैककुसुमक्रोडाद्-रसमापीय मक्षिकाः ।। यद्वमन्ति मधुच्छिष्टं, तदश्नन्ति न धार्मिकाः ॥ ३८ ॥ અર્થ : મધમાખીઓ એક એક ફુલના ખોળામાંથી રસનું પાન કરીને જેનું વમન કરે છે, તેવા એઠા મધને ધર્માત્માઓ ખાતા નથી. / ૩૮ // ટીકાર્થઃ એક એક પુષ્પમાંથી મકરંદરસનું પાન કરીને મધમાખી તેને વમન કરે છે, તેવા મધને એઠાં ભોજનને ન ખાનાર ધાર્મિક પુરુષો ખાય નહિ. લોકોમાં પણ “એઠું ન હોય તેવું પવિત્ર ભોજન કરવું એવો શિષ્ટાચાર ગણેલો છે . ૩૮ | શંકા કરી છે કે મધ (વાત-પિત્ત-કફ) ત્રણ દોષ શમાવનાર છે. રોગની શાંતિ માટે આના કરતા ચડિયાતું બીજું ઔષધ નથી, તો પછી મધ ખાવામાં કયો દોષ ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે– Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ २१० अप्यौषधकृते जग्धं, मधु श्वभ्रनिबन्धम् । भक्षितः प्राणनाशाय, कालकूटकणोऽपि हि ॥ ३९ ॥ અર્થ : ઔષધ માટે ખવાયેલું મધ પણ નરકગતિનું કારણ છે. ખાધેલા કાલકુટ ઝેરનો એક કણીયો પણ પ્રાણોના નાશ માટે થાય છે. || ૩૦ | ટીકાર્થઃ રસ-લોલુપતાની બાબત બાજુ પર રાખીએ, પરંતુ ઔષધ ખાતર-રોગ મટાડનાર મધ હોય તો પણ મધ ભક્ષણ કરનાર નરકે જાય છે. પ્રમાદથી કે જીવવાની ઈચ્છાથી પણ કાલકુટ ઝેરનો નાનો કણીયો પણ ખાધો હોય તો તે પ્રાણ નાશ કરનાર થાય છે. || ૩૦ || વળી પ્રશ્ન કર્યો કે, ખજૂર લાક્ષાદિના રસ માફખ મધ મધુર સ્વાદવાળું અને ઈન્દ્રિયોને આનંદ આપનાર હોવાથી કેવી રીતે ત્યાગ કરવું? તેના ઉત્તરમાં જણાવે છે – २११ मधुनोऽपि हि माधुर्य-मबोधैरहहोच्यते आसाद्यन्ते यदास्वादा-च्चिरं नरकवेदनाः ॥ ४० ॥ અર્થ : ખેદની વાત છે કે – જેનો સ્વાદ કરવાથી લાંબા કાળ સુધી નરકની વેદનાઓ ભોગવવી પડે છે. તેવા મધને પણ મધુર કહેનારા બિચારાં અજ્ઞાની છે | ૪૦ || ટીકાર્થ : વાત સાચી છે કે, વ્યવહારથી મધ પ્રત્યક્ષ મધુર લાગે છે, પરંતુ પરમાર્થથી વિચારતા નરકવેદનાનું કારણ હોવાથી અત્યંત કડવું છે, ખેદની વાત છે કે, પરિણામે કડવાં એવા મધને મધુર સ્વાદ કહેનારા અજ્ઞાની છે. મધનો સ્વાદ કરનારા નારકની તીવ્ર વેદના લાંબા કાળ સુધી ભોગવશે. ૪૦ ! મધ પવિત્ર હોવાથી દેવોના અભિષેકમાં ઉપયોગી છે એમ માનનારા પ્રત્યે હાસ્ય કરતાં જણાવે છે– २१२ मक्षिकामुखनिष्टयूतं, जन्तुघातोद्भवं मधु । હો ! પવિત્ર મન્વીના, સેવાને, પ્રયુક્તિ છે ૪૨ છે. અર્થ : માખીઓના મુખના ઘૂંકરૂપ અને જીવોના ઘાતથી ઉત્પન્ન થએલા મધને પવિત્ર માનનારા મૂઢ મનુષ્યો દેવોના સ્નાનના ઉપયોગમાં પણ તેને ગ્રહણ કરે છે ૪૧ | ટીકાર્થ : અહો ! આશ્ચર્યની વાત છે કે, માખીઓ મુખમાંથી વમન થએલા અને અનેક જંતુઓના ઘાતથી તૈયાર થયેલા અપવિત્ર મધને પવિત્ર માનનારા શંકર વગેરે દેવોના અભિષેક કરવામાં વાપરે છે. અહો ! શબ્દ ઉપહાસ-મશ્કરી અર્થમાં, જેમ કે– ઊંટોના વિવાહમાં ગધેડાઓ સંગીતકાર તરીકે આવેલા છે, માંહોમાંહે તેઓ એકબીજાની પ્રશંસા કરે છે કે, “અહો ! તમારું રૂપ ! ” “અહો ! તમારો શબ્દ ! | ૪૧ H. હવે ક્રમ પ્રમાણે આવેલા પાંચ ઉદુમ્બરના દોષો જણાવે છે– २१३ उदम्बवटप्लक्ष-काकोदुम्बरशाखिनाम् । _ पिप्पलस्य च नाश्नीयात्, फलं कृमिकुलाकुलम् ॥ ४२ ॥ અર્થ : અહીં ઉદુમ્બર શબ્દથી પાંચ પ્રકારના વૃક્ષો સમજવા, તે આ પ્રમાણે- વડ, પીપળો, પારસ પીપળો, ઉંબર પ્લેક્ષ, પીપળાની એક જાત. આ પાંચેય પ્રકારના વૃક્ષનાં ફલ ન ખાવાં, કારણકે એક Page #260 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૩૯-૪૬ *** ફળની અંદર એટલા કીડાઓ હોય છે કે, જેની ગણતરી કરી શકાતી નથી. ॥ ૪૨ ॥ ટીકાર્થ લૌકિક શાસ્ત્રોમાં પણ કહેલું છે કે— “નથી સમજી શકાતું કે ઉર્દુબરના ફલમાં રહેલા જીવોની સાથે રહેલો કોઈ જીવ (ફલ-ભક્ષણના બાનાથી જીવ ભક્ષણ કરનારા) તે મનુષ્યના ચિત્તમાં ક્રમથી કે ક્રમ વિના, ક્યારે, ક્યા માર્ગે અને કેવી રીતે પ્રવેશ કરે છે —– (તે ભક્ષણ કરવાનું) ચિત્ત ફાટી જાય, ટુકડા થાય, ફુટી જાય, તુટી જાય, ચૂરાઈ જાય, અત્યંત ગળી જાય કે વિદારણ થઈ જાય તો પણ તે જીવ તેના ચિત્તમાંથી નીકળે કે ન પણ નીકળે'' || ૪૨ ॥ પાંચ ઉદુમ્બર-ફલના પચ્ચક્ખાણ : २१४ अप्राप्नुवन्नन्यभक्ष्यमपि क्षामो बुभुक्षया ૨૦૯ 1 ન મક્ષત્તિ પુછ્યાત્મા, પદ્મોદ્યુમ્નાનં તમ્ ॥ ૪રૂ ॥ ટીકાર્ય : સુલભ ધાન્ય અને ફળ-સમુદ્ર દેશ કે કાળમાં જે પાંચ ઉદુમ્બર ફલને ખાતા નથી, તે વાત તો બાજુ પર રાખીએ. પરંતુ દેશ અને કાલના કારણે ભક્ષ્ય ધાન્ય કે ફલની પ્રાપ્તિ ન થાય, ભૂખથી લેવાયો હોય અને દુબળો થયો હોય, ‘સ્વસ્થતાવાળાને વ્રત-પાલન કરવું બહુ મુશ્કેલ નથી.' તો પણ તે પુણ્યાત્મા પાંચ ઉદુમ્બર-ફલોનું ભક્ષણ કરતો નથી. ૪૩. ૨ આર્દ્ર: ન્દ્રઃ સમગ્રોપિ, સર્વ: શિલયોપ । स्नुही लवणवृक्षत्वक् कुमारी गिरिकर्णिका ॥ ४४ ॥ २१६ शतावरी विरूढानि, गुडुची कोमलालिका । पल्यङ्कोऽमृतवल्ली च, वल्लं शूकरसंज्ञितः ॥ ४५ ॥ २१७ अनन्तकाया: सूत्रोक्ता: अपरेऽपि कृपापरैः I मिथ्यादृशामविज्ञानाः वर्जनीयाः प्रयत्नतः ॥ ૪૬ ॥ અર્થ : સર્વ ભીના કંદો, સર્વ વનસ્પતિના કોમળ પાંદડા, થોરનું વૃક્ષ, લવળવૃક્ષની છાલ, કુમારી અને ગિરિકર્ણીકા નામના વૃક્ષ, શતાવરી નામની વેલ, કઠોળમાં ઉત્પન્ન થતાં અંકુરા, ગડૂચી નામની વેલ, કોમળ આંબલી, પાલખની ભાજી, અમૃતવેલ, કરવેલ, આ સિવાય બીજા પણ મિથ્યાદષ્ટિ જીવોથી અજ્ઞાત એવા અનંતકાય પદાર્થોનો કૃપા પરાયણ શ્રાવકોએ તેનો ત્યાગ કરવો જોઈએ ॥ ૪૪-૪૫-૪૬ || ટીકાર્થ : નહિ સુકાએલ સર્વ જાતિના કંદ, સુકાએલા તો નિર્જીવ થવાથી અનંતકાયપણું રહેતું નથી. કંદ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં ૨હેલો ભાગ, આ સર્વ લીલા કંદો અનંતકાય છે. તેમાં કેટલાંકના નામો જણાવે છે. સુરણ કંદ, જેનાથી હરસ રોગની શાંતિ થાય છે. આદુ-લીલી સૂંઠ, લસણ, વજકંદ, દરેક જાતની નહિ સુકાએલી હળદર, લીલો-તીખો કચૂરો, કમલકન્દ, ગાજર, પદ્મિની કંદ, કસેરૂ-ખરસઈનો કંદ, મુન્દર, મુસ્તા(મોથ), મૂળાના કંદ, બટાકા, ડુંગળી રતાળું, હસ્તિકંદ, મનુષ્યકંદ વગેરે. કિશલય એટલે દરેક વનસ્પતિના પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાના કોમળ પાંદડા કે દરેક બીજમાંથી પ્રથમ નીકળતાં અંકુરો અનંતકાય હોય છે. જ્યારે તે વૃદ્ધિ પામે, કોમળતા ન રહે અને રૂઢ બને ત્યારે તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય. બાકી દરેક વનસ્પતિકાયની પૂર્વાવસ્થા અનંતકાય-સ્વરૂપ હોય. સ્નેહી એટલે વજ્ર, તરુ થોરીયા, હાથીયા-કાંટાળા, થોર વાડમાં ઉપયોગી થાય છે. તે અનંતકાય છે. લવણ નામના વૃક્ષની છાલ, એકલી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ છાલ જ અનંતકાય છે. બાકીના અવયવો પ્રત્યેક વનસ્પતિ છે કુમારી-કુંઆર પ્રસિદ્ધ છે. જેના પત્રો બે ધારોમાં કાંટાવાળા લાંબા પરનાળના આકારના હોય છે. ગિરિકર્ણિકા એક જાતની વેલડી જેને ગરમર કહે છે. શતાવરી વેલડી વિશેષ, વિરૂઢ એટલે કઠોળમાંથી નીકળતા અંકુરા, કઠોળને પલાળી રાખે એટલે તેમાં અંકુરા નીકળે તે. ગડુચી એટલે દરેક જાતના ગળોના વેલા, જે લીમડા વગેરે વૃક્ષો ઉપર હોય છે. કોમળ આંબલી-બીજ ન થયા હોય તેવી કુણી આંબલી અંનતકાય છે. ચિચિણિકા પણ કહેવાય છે. પલ્થક-એક જાતનું પાલખનું શાક, અમૃતવેલી નામની વેલડી શુકરવાલ-શુક્રવેલી, જેની જંગલમાં મોટી વેલડીઓ થાય છે. પરંતુ ધાન્યમાં જે વાલ ગણાવ્યા છે, તે અનંતકાય નથી. આ નામો આર્યોમાં પ્રસિદ્ધ છે. પ્લેચ્છોમાં પ્રસિદ્ધ એવા નામો જીવાભિગમ નામના સૂત્રમાં કહેલા છે. બીજા ભેદવાળા અનંતકાય પણ કૃપાવંત શ્રાવકોએ વર્જવા જોઈએ. મિથ્યાષ્ટિઓને તો વનસ્પતિમાં જ જીવની શ્રદ્ધા ન હોવાથી અનંતકાયપણાની માન્યતા તો ક્યાંથી હોઈ શકે ? || ૪૪-૪૫-૪૬ || હવે અજ્ઞાત ફળ-ફુલ વર્જવા માટે જણાવે છે– २१८ स्वयं परेण वा ज्ञातं, फलमद्याद्विशारदः । निषिद्धे विषफले वा, मा भूदस्य प्रवर्तनम् ॥ ४७ ॥ અર્થ : બુદ્ધિમાન પુરુષે પોતે કે અન્ય પુરૂષે જાણેલા ફળ જ ખાવા જોઈએ. વળી નિષેધ કરાયેલાં કે વિષફળમાં બુદ્ધિમાનની પ્રવૃત્તિ ન થાઓ. / ૪૭ | ટીકાર્થ : પોતે કે બીજાએ ન ઓળખેલું ફળ બુદ્ધિશાળી ભક્ષણ ન કરે, અજાણ્યાં ફળ ખાવાનો દોષ જણાવે છે કે, નિષેધ કરેલાં, વિષફળ અને અજાણ્યાં ફળ અને ઉપલક્ષણથી અજાણ્યાં પત્ર, ફુલ વગેરે પણ અભક્ષ્ય સમજવાં, તે ખાવાથી વ્રતભંગ થાય છે. અને વિષફલ ખાવાથી જીવિતનો નાશ થાય છે. / ૪૭ || હવે રાત્રિભોજનમાં-નિષેધ કહે છે– २१९ अन्नं प्रेतपिशाचाद्यः, सञ्चरद्भिनिरङ्कुशैः । ___ उच्छिष्टं क्रियते यत्र, तत्र नाद्याद् दिनात्यये ॥ ४८ ॥ અર્થ : જે સમયમાં નિરકુશપણે ફરનારાં પ્રેત-પિશાચાદિ વડે અન્ન એઠું કરાય છે, તેવા રાત્રિના સમયે ભોજન ન કરવું ! ૪૮ || ટીકાર્થઃ નિરકુશ પ્રેત, વ્યંતર, પિશાચ, રાક્ષશ વગેરે રાત્રે ફરનારા અધમજાતિના દેવતાના સ્પર્શાદિકથી ઉચ્છિષ્ટ બનેલું ભોજન રાત્રે ન ખાવું જોઈએ કહેલું છે કે “રાત્રિએ રાક્ષસો વગેરે પૃથ્વી ઉપર સર્વત્ર ગમે ત્યાં રખડે છે, અને તેઓ ભોજનને અભડાવી એઠું કરે છે અને રાત્રિ ભોજન કરનારને ઉપદ્રવ કરે છે. || ૪૮ || २२० घोरान्धकाररूद्धाक्षैः, पतन्तो यत्र जन्तवः । __नैवभोज्ये निरीक्ष्यन्ते, तत्र भुञ्जीत को निशि? ॥ ४९ ॥ અર્થ : જે સમયે ઘોર અંધકારથી વ્યાપ્ત બનેલી આંખવાળા મનુષ્યો ભોજનમાં પડતાં જીવોને જોઈ શકતા નથી, તેવા રાત્રિના સમયે કોણ ખાય ? || ૪૯ / Page #262 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૪૭-૫૨ ૨૧૧ ટીકાર્થ : ગાઢ અંધકારમાં જ્યાં આંખથી ઘી, તેલ, છાશ વિગેરે ભોજનમાં પડતા કીડી, કીડા, માખી કે ઉડતા ઝીણા જંતુઓ જ્યારે દેખાતા નથી. એવા રાત્રિકાળમાં કયો ચેતનવાળો સમજુ ભોજન કરે ? || ૪૯ || રાત્રિ ભોજનમાં દેખેલા દોષ ત્રણ શ્લોકોથી કહે છે— 1 २२१ मेघां पिपीलका हन्ति, यूका कुर्याज्जलदोरम् । कुरूते मक्षिका वान्तिं, कुष्ठरोगं च कोलिकः ॥ ५० ॥ २२२ कण्टको दारूखण्डं च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तिर्निपतित स्तालु विध्याति वृश्चिकः ॥ ५१ ॥ २२३ विलग्नपश्च गले वालः स्वरभङ्गाय जायते I इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥ ५२ ॥ અર્થ : રાત્રિ સમયે ભોજનમાં પડતા કયા જીવથી કેવા રોગ થાય તેનું વર્ણન કરતા જણાવે છે : રાત્રિભોજનમાં આવેલી કીડી બુદ્ધિને હણે છે, જૂ જલોદર રોગને કરે છે, માખી ઉલટી કરાવે છે, કરોળિયા કોઢ રોગ પેદા કરે છે, કાંટો કે લાકડાનો ટુકડો ગળાની પીડા ઉત્પન્ન કરે છે. શાકમાં પડેલો વીંછી તાળવાને વીંધે છે, ગળામાં વળગેલો વાળ સ્વરના ભંગ માટે થાય છે. આ પ્રમાણે સર્વે મિથ્યાદષ્ટિ મતવાળાઓએ પણ રાત્રિભોજનમાં અનેક દોષો જોયા છે ॥ ૫૦-૫૧-૫૨ ॥ ટીકાર્ય : ભોજનમાં કીડી આવી અને તે રાત્રે દેખાય નહિ અને ખવાઈ જાય, તો તેથી ખાનારની બુદ્ધિ હણાઈ જાય. તેમજ જૂ ખવાઈ તો જલોદર નામનો પેટનો રોગ ઉત્પન્ન થાય, માખીથી ઊલટી થાય, કરોળિયો ખવાય તો કોઢ રોગ, બોરડી આદિનો કાંટો કે લાકડાનો ટુકડો ગળાની વ્યથા કરે, શાકની અંદર ડીંટાના આકાર સરખો વિંછી ખવાઈ જાય તો તાળવું વિધી નાંખે, શંકા કરી કીડી વગેરે બારીક હોવાથી ન દેખાય, પરંતુ વિંછી તો મોટો હોવાથી દેખાય જ અને તે કેવી રીતે ભોજનમાં ખવાય ? તેના જવાબમાં જણાવે છે કે, વૃંતાકના ડીંટાં વિંછીના આકાર સરખા હોય છે, અને કદાચ ભોજનમાં વિંછી આવી પડ્યો હોય અને તેનો ખ્યાલ ન આવે તો ખવાઈ જવાનો સંભવ ગણાય. વાળ ગળામાં ચોંટી જાય વિગેરે દોષો તો દરેક અન્ય દર્શનકારો પણ માને છે ! વળી રાત્રિભોજન કરો એટલે રસોઈ કરવામાં છ જીવનીકાયનો વધ થવાનો જ. વાસણ સાફ કરવામાં ધોવામાં પણ પાણીમાં રહેલો જીવોનો વિનાશ થવાનો, પાણી ફેંકો એટલે ભૂમિ પર રહેલા કુંથવા, કીડી આદિ જીવોનો ઘાત થવાનો, તે જીવોના રક્ષણ ખાતર પણ રાત્રિભોજન ન કરવું કહેલું છે કે– “રાત્રિ ભોજન કરવાથી કુંથુઆદિ જીવોનો ઘાત તેમજ ભાજન સાફ કરવા-ધોવાં વગેરે રાત્રિ કાર્યમાં હિંસા લાગે છે. એવાં રાત્રિભોજનના દોષોને કહેવા કોણ સમર્થ થઈ શકે તેમ છે ? ।। ૫૦-૫૧-૫૨ ॥ પ્રશ્ન કર્યો કે, જેમાં અન્ન પકાવવું ન પડે કે વાસણ ધોવાં વગરે દોષનો સંભવ નથી. તેવા તૈયાર લાડુ આદિ કે ખજૂર, દ્રોક્ષાદિનું ભક્ષણ કરનારને કયો દોષ લાગે ? તે કહે છે— Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ २२४ नाप्रेक्ष्य सूक्ष्मजन्तूनि निश्यद्यात्प्रासुकान्यपि । अप्युद्यत्केवलज्ञानैर्नादृतं यन्निशाऽशनम् ॥ ૧૨ ॥ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : નેત્રથી ન જોઈ શકાય તેવા સૂક્ષ્મજંતુઓથી યુક્ત અચિત્ત પદાર્થો પણ રાત્રિએ ખાવા ન જોઈએ. કેમ કે કેવલી ભગવંતોએ પણ રાત્રિભોજન કર્યું નથી | ૫૩ || ટીકાર્થ : દિવસે બનાવેલા-પ્રાસુક અને ઉપલક્ષણથી તે સમયે નહીં પકાવેલા હોવા છતાં પણ લાડુ કે ફળ વિગેરે રાત્રે ન ખાવા શા માટે ? તો ગમે તેટલાં બીજા પ્રકાશમાં તેવા સૂક્ષ્મ જંતુઓ કુંથુ, પનક વિગેરે દેખી શકાતા નથી. એથી કેવલજ્ઞાની ભગવંતોએ કેવળજ્ઞાનના બલથી જાણ્યું છે કે, ઘણા બારીક ઉડતા અને આવી પડતા જંતુ વગરના ભોજનનો અભાવ હોવાથી તેમણે રાત્રિભોજનનો આદર કર્યો નથી. “જો કે લાડુ વિગેરે પ્રાસુક પદાર્થો રાત્રે તૈયાર ન કર્યા હોય. દિવસે બનાવ્યા હોય, તો પણ રાત્રે કુંથુઆ લીલ ફુગ આદિ નાના જંતુઓ દેખી શકાતા નથી. તેથી પ્રત્યક્ષ જ્ઞાનવાળા કેવલ-જ્ઞાનીઓ સ્વજ્ઞાનબલથી તે સૂક્ષ્મજીવોને જાણી શકે તેમ હોવા છતાં રાત્રિભોજન કરતા નથી. જો કે દીવા વગેરેના પ્રકાશમાં કીડા વિગેરેમાં જીવો દેખાય છે. તો પણ વિશિષ્ટ જ્ઞાનીઓએ મૂલવ્રતની વિરાધના થતી હોવાથી આચર્યું નથી.'' (નિશીથભાષ્ય ૩૪૧૧/૧૨) | ૫૩ ॥ લૌકિક દર્શનોમાં પણ રાત્રિભોજનનો નિષેધ છે— २२५ धर्मविन्नैव भुञ्जीत कदाचन दिनात्यये 1 बाह्या अपि निशाभोज्यम् यदभोज्यं प्रचक्षते ॥ ५४ ॥ અર્થ : ધર્મને જાણનાર પુરૂષે ક્યારેય રાત્રે ન ખાવું. કેમ કે અન્ય દર્શનકારો પણ રાત્રિ ભોજનને અભોજ્ય કહે છે | ૫૪ || ટીકાર્થ : જૈનશાસન નહિ પામેલા બીજા લોકો પણ રાત્રે ભોજન કરવાની ના કહે છે, તો પછી ધર્મ સમજનાર શ્રાવક કદાપિ સૂર્યાસ્ત થયા પછી ભોજન કરે નહિં. ॥ ૫૪ ॥ જે શાસ્ત્રોથી અન્ય મતવાળા રાત્રિભોજનની મના કરે છે, તે શાસ્ત્રપાઠ આ પ્રમાણે— २२६ त्रयीतेजोमयो भानु-रिति वेदविदो विदुः I तत्करैः पूतमखिलं शुभं कर्म समाचरेत् ॥ ધ્ ॥ અર્થ : સૂર્ય ઋગ્વેદાદિ ત્રણ તેજમય છે, તેથી તે સૂર્યના કિરણોથી પવિત્ર થયેલા સર્વ શુભ કાર્યોને આચરવા જોઈએ.' આ વાતને વેદના જ્ઞાતાઓ સારી રીતે જાણે છે || ૫૫ || " ટીકાર્થ : વેદના જાણકારો સૂર્યને ઋગ્ અને યજુ અને સામ આ ત્રણે વેદના લક્ષણથી યુક્ત એવા તેજવાળો અને ‘ત્રયીતનું એવું સુર્યનું બીજું નામ સૂચવે છે. તે સૂર્યના કિરણોથી પવિત્ર કરેલ સર્વશુભ' કાર્યો કરવાં. તેના અભાવમાં શુભ કાર્યો ન કરવા. ॥ ૫ ॥ તે જ કહે છે - २२७ नैवाहुतिर्न च स्नानं न श्राद्धं देवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ॥ ५६ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૫૩-૫૯ ૨૧૩ અર્થ : “રાત્રિમાં યજ્ઞકર્મ સ્નાન, શ્રાદ્ધકર્મ, દેવાર્ચન અને દાન નથી કરાતું અને વિશેષ પ્રકારે ભોજન નથી કરાતું. || પ૬ || ટીકાર્થઃ અગ્નિમાં સમિધ (લાકડા) આદિની આહુતિ આપવી, સ્નાન શ્રાદ્ધ, દેવપૂજા, દાન, આદિ, શુભ કાર્યો અને ખાસ કરીને ભોજન રાત્રે ન કરવા. પ્રશ્ન કર્યો કે, “નક્તભોજન તો કલ્યાણકારી છે, એમ સાંભળ્યું છે અને રાત્રિભોજન વગેરે તે સંભવ નહિ,' તેના જવાબમાં જણાવ્યું છે કે, નક્ત શબ્દના અર્થને ન સમજવાથી આમ બોલાય છે. | પ૬ || તે જ કહે છે. ૨૨૮ વિવસ્થાઈને મા, મન્દીભૂતે વિશ્નરે ! नक्तं ताद्धि विजानीयान्न नक्तं निशि भोजनम् ॥ ५७ ॥ અર્થ : દિવસનો આઠમો ભાગ (ચાર ઘડી) બાકી રહે ને સૂર્ય મંદ થાય તેને નક્ત કહેવાય છે, પણ નક્તભોજનને રાત્રિભોજન કહેવાતું નથી. / પ૭ | ટીકાર્થ : દિવસના આઠમાં ભાગમાં પાછલા અર્ધ પ્રહરમાં જે ભોજન કરાય, તે નક્તભોજન કહેવાય. શબ્દની મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારની પ્રવૃત્તિ છે. તેમાં કોઈ વખત મુખ્યથી વ્યવહાર કરવો. કોઈક વખત મુખાર્થની બાધા થાય, તો ગૌણ પ્રવૃત્તિ કરવી, નક્તનો મુખ્ય અર્થ કરવામાં રાત્રિભોજન લક્ષણ મુખાર્થની બાધ થાય છે. રાત્રિ ભોજનનો ત્યાં ત્યાં પ્રતિષેધ કરેલો હોવાથી નક્ત શબ્દનો ગૌણ અર્થ દિવસ થોડો બાકી રહ્યો હોય તે તે સમયે ભોજન કરવું એવા અર્થમાં નક્ત-ભોજન શબ્દ લેવો. ત્યાં જાણવું કે, સૂર્ય ઠંડો પડે ત્યારે એટલે મુખ્ય અર્થનો પ્રતિષેધ થવાથી નક્ત એટલે રાત્રિભોજન અર્થ ન કરવો. | પ૭ || રાત્રિભોજનનો નિષેધ બીજાં શાસ્ત્રોમાં જણાવેલો છે. તે બે શ્લોકોથી જણાવે છે કે २२९ देवैस्तु भुक्तं पूर्वाह्ने, मध्याह्ने ऋषिभिस्तथा । अपराह्ने तु पितृभिः, सायाह्ने दैत्यदानवै ॥ ५८ ॥ २३० सन्ध्यायां यक्षरक्षोभिः सदा भुक्तं कुलोद्वह । सर्ववेलां व्यतिक्रम्य, रात्रौ भुक्तमभोजनम् ॥ ५९ ॥ અર્થ : હે કુલોહ ! યુધિષ્ઠિર ! દેવોએ હંમેશા પૂર્વાહ્ન કાળમાં ખાધું છે. ઋષિ મુનિઓએ દિવસના મધ્ય સમયમાં આહાર કર્યો છે. પિતાઓએ અપરાહ્ન કાળમાં ભોજન કર્યું છે. દેત્યો તથા દાનવોએ સાયાત (વિકાળ) કાળમાં ખાધું છે અને યક્ષો તથા રાક્ષસોએ સંધ્યા (સૂર્યાસ્ત પછીના) કાળમાં ખાધું છે. તેથી દેવાદિ સઘળાના અવસરને ઓળંગીને રાત્રિમાં ખાધેલું અન્ન અભોજનરૂપ છે. || ૫૮-૫૯ // ટીકાર્થ : દિવસના પ્રથમ પ્રહરમાં દેવોએ ભોજન કર્યું. મધ્યાહ્ન સમયે ઋષિઓએ પાછલા દિવસે પિતૃઓએ સાંજે વિકાલ સમયે દૈત્યોએ અને દાનવોએ ભોજન કર્યું. સંધ્યા એટલે રાત્રિ, દિવસનો પ્રવેશ અને નીકળવાનો સમય તેમાં યક્ષોએ અને રાક્ષસોએ ભોજન કર્યું. યુધિષ્ઠિર ! સર્વ દેવાદિકની વેળાનો સમય ઉલ્લંઘન કરી રાત્રે ભોજન કરવું તે અભોજન ગણાય છે ૫૮-૫૯ / (આ પ્રમાણે પુરાણમાં રાત્રિભોજનનો પ્રતિષેધ કહીને આયુર્વેદ સાથે સમ્મતિ જણાવે છે. આયુર્વેદમાં આ પ્રમાણે જણાવેલું છે.) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ २३१ हृन्नाभिपद्मसङ्कोच-श्चण्डरोचिरपायतः ।। ___ अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥ ६० ॥ અર્થ : સૂર્યના અસ્ત થવાથી હૃદય અને નાભિરૂપ બે ય કમળનો સંકોચ થાય છે અને સૂક્ષ્મ જીવોનું પણ અન્ન સાથે ભક્ષણ થાય છે. આ બે હેતુથી રાત્રિએ ખાવું નહિ. // ૬૦ | ટીકાર્ય : આ શરીરમાં નીચા મુખવાળું હૃદયપદ્ધ અને ઊંચા મુખવાલે નાભિપદ્મ એ બે કમળો છે, તે રાત્રે સંકોચ પામે છે, શાથી? તો કે સૂર્યનો અસ્ત થવાથી. આ કારણે બંને કમળો સંકોચાઈ જાય છે. તેથી રાત્રે ભોજન ન કરવું. સૂક્ષ્મ જીવોનું ભક્ષણ પણ થઈ જાય, આ બીજું કારણ || ૬૦ || પરપક્ષની સાક્ષી આપીને સ્વમતની સિદ્ધિ કરે છે २३२ संसृजज्जीवसङ्घातं, भुञ्जाना निशि भोजनम् । રાક્ષસેમ્યો, વિશિષ્યન્ત ભૂતાત્માન: થે તે ? દર અર્થ : (સૂક્ષ્મ) જીવોના સમૂહથી યુક્ત ભોજનને રાત્રિમાં ખાનારા મૂઢ પુરૂષો રાક્ષસ કરતાં સારા શી રીતે કહેવાય ? અર્થાત્ રાત્રિભોજન કરનારા જીવો ખરેખર રાક્ષસ જેવા જ છે. તે ૬૧ / ટીકાર્થ રાત્રે ભોજન સાથે આવતા સંસક્ત જીવોના સમૂહનું ભોજન કરતા મૂઢ-જડ મનુષ્યો ખરેખર રાક્ષસો છે. જૈનધર્મયુક્ત મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી વિરતિ ગ્રહણ કરવી, તે જ ઉચિત ગણાય. વિરતિ વગરનો, શિંગડા-પૂંછડા વગરનો પશુ જ છે. | ૬૧ ||. એ જ વાત કહે છે २३३ वासरे च रजन्यां च, यः खादन्नेव तिष्ठति । __ शृङ्गपूच्छपरिभ्रष्टः स्पष्टं स पशुरेव हि ॥ ६२ ॥ ટીકાર્થ : દિવસ કે રાત્રિનો ભેદ રાખ્યા વગર જે ખાધા જ કરતો હોય, તે શિંગડા અને પૂંછડા વગરનો ચોખ્ખો પશુ જ છે. || ૬૨ // રાત્રિભોજનનો ત્યાગ કરનાર કરતાં પણ અધિક પુણ્યશાળી દેખાડે છે– २३४ अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । __ निशाभोजनदोषज्ञो-ऽथनात्यसौ पुण्यभाजनम् ॥ ६३ ॥ અર્થ: રાત્રિભોજનના દોષોને જાણનારા જે પુરુષ દિવસના પ્રારંભમાં અને અંતમાં બે-બે ઘડી (૪૮ મિનિટ)નો ત્યાગ કરતો ખાય છે, તે પુણ્યનું ભાજન બને છે – તેને પુણ્યનો બંધ થાય છે. ટીકાર્થ : દિવસના આરંભમાં અને સુર્યાસ્તની પહેલા એટલે કે રાત્રિના નજીકના કાળમાં બબ્બે ઘડીને છોડીને ભોજન કરતો હોય, તે પુણ્યશાળી આત્મા છે. તે મહાનુભાવ રાત્રિભોજનના દોષો જાણનાર હોય અને તેથી રાત્રિ પાસેના મુહૂર્ત-મુહૂર્તકાળ પણ દોષવાળા સમજે છે, આ કારણથી આગમમાં સર્વ જઘન્ય પ્રત્યાખ્યાન મુહૂર્ત કાળપ્રમાણ નમસ્કાર-સહિત(નવકારાશી;) કહેલું છે. શ્રાવક છેલ્લાં મુહુર્તની પહેલાં ભોજન પતાવી નાંખે અને ત્યાર પછી તિવિહાર કે ચોવિહારરૂપ રાત્રિભોજનનું પચ્ચકખાણ કરે. || ૬૩ //. પ્રશ્ન કર્યો કે, જે દિવસે જ ભોજન કરે છે, તેને રાત્રિ ભોજનના પચ્ચખાણનું ફળ નથી અથવા Page #266 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૬૦-૬૭ ૨૧૫ જો કંઈપણ ફળ મળતું હોય તો કહી સમજાવો, તેના જવાબમાં જણાવે છે– २३५ अकृत्वा नियमं दोषा-भोजनादिनभोज्यपि । નં મન નિબં, વૃદ્ધિમપિર્ત વિના એ ૬૪ છે. અર્થ : રાત્રિભોજનનો નિયમ કર્યા વિના જે દિવસે ખાય છે તે પુરૂષ નક્કી કર્યા વિના વ્યાજ ન મળે તેમ (રાત્રિ ભોજન) નિયમના વાસ્તવિક ફળને પામતો નથી. / ૬૪ / ટીકાર્ય : દિવસે ભોજન કરનાર હોવા છતાં તે રાત્રિ ભોજનનો નિયમ કર્યા વગર વાસ્તવિક ફળ મેળવી શકતો નથી. કેમ ન મેળવે ? તો કે કોઈને ત્યાં વ્યાજે રકમ મુકી, પણ નક્કી કર્યા વગર મૌનપણે રકમ આપી, વ્યાજ નક્કી ન કર્યું, તો વગર બોલેલી રકમનું વ્યાજ કોઈ આપતું નથી. આ વાત લોકોમાં પણ જાણીતી છે કે, જે બોલ્યા હોય તે પ્રમાણે વ્યાજ મળે. // ૬૪ || કહેલી વાતને ઉલ્ટી રીતે જણાવે છે– २३६ ये वासरं परित्यज्य रजन्यामेव भुञ्जते । ते परित्यज्य माणिक्यं काचमाददते जड़ा ॥ ६५ ॥ અર્થ : જે જડ આત્માઓ દિવસને છોડીને રાત્રિએ ખાય છે, તેઓ માણિક્યનો ત્યાગ કરીને કાચને ગ્રહણ કરે છે || ૬૫ | ટીકાર્થ : જેઓ દિવસનો ત્યાગ કરીને રાત્રે જ ભોજન કરે છે. જડ સરખા તેઓ માણિક્ય રત્નનો ત્યાગ કરી કાચને ગ્રહણ કરે છે. || ૬૫ || પ્રશ્ન કરે છે કે, નિયમ સર્વ સ્થાનમાં ફળ આપનાર થાય તેથી જેની “રાત્રે જ મારે ભોજન કરવું પણ દિવસે નહિ' એવા નિયમવાળાની કઈ ગતિ થાય ? તે કહે છે– ___ २३७ वासरे सति ये श्रेयकाम्यया निशि भुञ्जते । તે વપયૂષક્ષેત્રે, શાસ્ત્રીનું સત્યપિ પવૅત્રે ૫ ૬૬ . અર્થ : જે અધમ પુરૂષો કલ્યાણની કામનાથી દિવસે ભોજન હોવા છતાં રાત્રે ખાય છે, તેઓ ફળદ્રુપ ક્યારો હોવા છતાં ઉખર ક્ષેત્રમાં ડાંગર વાવનારા જેવા છે. | ૬૬ // ટીકાર્થ : જેઓ કલ્યાણ માટે દિવસે ભોજન હોવા છતાં પણ કુશાસ્ત્રના સંસ્કારથી કે મોહથી શ્રેયની ઈચ્છાથી રાત્રે જ ભોજન કરે, તેઓ ડાંગર રોપવા યોગ્ય ફળદ્રુપ ક્યારો હોવા છતાં પણ ઉખર-ભૂમિમાં ડાંગર વાવે છે. જેમ ઉખર-ભૂમિમાં શાલિધાન્ય વાવવું નિરર્થક છે, તેમ “રાત્રે જ મારે ભોજન કરવું ? એવો નિયમ પણ નિષ્ફળ છે. અધર્મ રોકનાર નિયમ હોય તે ફળવાળો ગણાય. આ નિયમ તો ધર્મ રોકનાર હોવાથી નિષ્ફળ કે વિપરીત ફળવાળો ગણાય. / ૬૬ | રાત્રિભોજનનું ફળ કહે છે– २३८ उलूककाकमार्जार-गृधशम्बरशूकराः __ अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ ६७ ॥ અર્થ : રાત્રિભોજન કરનારા જીવો ઘુવડ, કાગડા, બિલાડા, ગીધડા, નાના હરણ, મત્સ્ય, ભૂંડ, Page #267 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૧૬ સાપ, વીંછી અને ઘો આદિ અધમ જાતિના પશુ-પક્ષીની ગતિમાં ઉત્પન્ન થાય છે. II ૬૭ II ટીકાર્થ : રાત્રિ ભોજન કરનાર ભવાંતરમાં ધુવડ, કાગડા, બિલાડા, ગીધ, હરણ, મચ્છ, ભૂંડ, સાપ, વીંછી, ઘો, નોળિયા, ગીરોલી અને પાપબંધ થાય તેવી અધમ જાતિમાં ઉત્પન્ન થાય છે. || ૬૭ || વનમાલાનું ઉદાહરણ આપીને રાત્રિભોજન-દોષની મહત્તા બતાવે છે— २३९ श्रूयते ह्यन्यशपथा - ननादृत्यैव लक्ष्मणः निशाभोजनशपथं कारित: वनमालया I ॥ ૬૮ ॥ અર્થ : રામાયણમાં સંભળાય છે કે, રાજા દશરથની પુત્રવધુ વનમાલાએ લક્ષ્મણજીને બીજા સોગંદનો અસ્વીકાર કરીને રાત્રિભોજનનો સોગંદ કરાવ્યો. ॥ ૬૮ ॥ ટીકાર્થ : સંભળાય છે કે, વનમાલાએ બીજા સોગંધનો અનાદર કરીને લક્ષ્મણજીને રાત્રિભોજનના સોંગન કરાવ્યા હતા. રામાયણમાં સંભળાય છે કે, દશરથપુત્ર લક્ષ્મણ પિતાની આજ્ઞાથી રામ અને સીતા સાથે ફર્યા ત્યાર પછી રામ સાથે આગળ દેશાન્તરમાં જતાં પૂર્વર (વિજય) નગરમાં મહિધરરાજાની પુત્રી વનમાલાને પરણ્યો. પછી રામની સાથે વનવાસમાં જવાની ઈચ્છાવાળો લક્ષ્મણ તેની પત્ની વનમાલાને ત્યાં મૂકતો જાય છે, તેના વિરહથી દુ:ખી બનેલી તેનું ફરી આગમન નહિ થાય તેમ સંભાવના કરતાં તેણીએ લક્ષ્મણને સોગન અપાવ્યાં. ‘હે પ્રિયા ! રામને તેના ઈચ્છેલા દેશમાં સ્થાપન કરીને જો હું તને મારા દર્શન આપીને ખુશ ન કરું, તો પ્રાણાતિપાત આદિ પાપ કરનારાની જે ગતિ થાય, તે ગતિને હું પામું ?’ વનમાલાને તે સોગનથી સંતોષ ન થયો અને 'જો તમે રાત્રિભોજન કરનારાની ગતિના સોગન કરો. તો જ હું મને રજા આપું, નહિંતર નહિ. એમ કહ્યું એટલે તે પ્રમાણે સ્વીકારી તેણે આગળ બીજા દેશ તરફ પ્રયાણ કર્યું. આ પ્રમાણે બીજા સોગનનો અનાદર કરી વનમાલાએ લક્ષ્મણને રાત્રિભોજન સંબંધી સોગન કરાવ્યા. આ વિષયની વધારે હકીકત ગ્રંથ વધી જાય તે કારણે અહીં લખી નથી || ૬૮ || શાસ્ત્ર-નિદર્શન વગર સમગ્ર લોકોનું અનુભવસિદ્ધ રાત્રિભોજન-વિરતિનું ફળ કહે છે २४० करोति विरतिं धन्यो, यः सदा निशि भोजनात् । सोऽर्द्ध पुरुषायुषस्य स्यादवश्यमुपोषितः ॥ ૬ ॥ અર્થ : જે ધન્યપુરૂષ સદાકાળ રાત્રિભોજનની વિરતિને કરે છે. તે (સો વર્ષવાળા) પુરૂષ આયુષ્યનાં અર્ધા (પચાસ વર્ષ જેટલા) ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે. II ૬૯ || ટીકાર્થ : જે કોઈ ધર્મારાધક રાત્રિભોજનનો પચ્ચક્ખાણ કરે તે પુરૂષનું અર્ધ આયુષ્ય તો ઉપવાસવાળું ગણાય. એક ઉપવાસ પણ નિર્જરાનું કારણ હોવાથી મહાફળવાળું છે. સો વર્ષના આયુષ્યવાળાને લગભગ પચાસ વર્ષ ઉપવાસનો સરવાળો થાય. તો તેનું કેટલું ફળ થાય ? આ તો સો વર્ષવાળાની વાત કરી, પરંતુ પૂર્વકોટી વર્ષ જીવનારને તો અર્ધો કાળ ઉપવાસ રાત્રિ-ભોજનની વિરતિમાં થાય. ॥ ૬૯ || આ પ્રમાણે રાત્રિભોજનના ઘણાં દોષો જણાવ્યા, તેના ત્યાગમાં ગુણો છે, તેને કહેવા એ અમારી શક્તિની બહારની વાત છે— Page #268 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૬૮-૭૨ ૨૧૭ २४१ रजनीभोजनत्यागे, ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञादृते कश्चिदपरो वक्तुमीश्वरः ટીકાર્થ : રાત્રિભોજન ત્યાગ કરવાના જે સર્વપ્રકારના ગુણો છે, તેને કેવળી સિવાય બીજો કોઈ કહેવા સમર્થ નથી. || ૭૦ || ॥ ૭૦ ॥ હવે ક્રમ પ્રમાણે કાચા દૂધ, દહીં, છાશ, આદિ-ગો૨સ સાથે ભેગા થએલા કઠોળના બનેલા ભોજનનો પ્રતિષેધ જણાવે છે २४२ आमगोरससंपृक्त-द्विदलादिषु जन्तवः તા: તિમિ: સૂક્ષ્મા-સ્તસ્માત્તાનિ વિવર્તયેત્ ॥ 9 ॥ અર્થ : કેવળજ્ઞાની ભગવંતોએ કાચા દહીં-દૂધ, આદિથી મિશ્રિત દ્વિદળ વગેરે ભોજનમાં સૂક્ષ્મ જંતુઓ જોયા છે, તેથી દ્વિદળ આદિ ભોજનનો ત્યાગ કરવો. ॥ ૭૧ || ટીકાર્થ : કાચા ગોરસમાં કઠોળ કે તેના અવયવો ભેગા થાય, તો તેમાં કેવળી ભગવંતોએ સૂક્ષ્મજીવો દેખેલા છે, માટે તેનો ત્યાગ કરવો. આ જૈનશાસનની આવા પ્રકારની મર્યાદા છે કે ‘આગમથી જાણી શકાય તેમાં હેતુઓને પ્રતિપાદન કરે, અને હેતુઓથી જાણી શકાય તેવા પદાર્થોમાં માત્ર આગમને આગળ કરી પ્રતિપાદન કરે તેવા પદાર્થોનું પ્રતિપાદન કરનાર આજ્ઞા-વિરાધક કહેલો છે. જે હેતુવાદ પક્ષમાં હેતુથી અને આગમમાં આગમથી એ પ્રમાણે પ્રભુ-શાસનના સિદ્ધાંતો પ્રરૂપે તે આજ્ઞાઆરાધક છે અને તેથી વિપરીત રીતે પ્રરૂપણા કરનાર સિદ્ધાંત-વિરાધક છે' (સન્મતિ, ૧૪૨), આ નિયમાનુસાર કાચા ગોરસમાં ભળેલા કઠોળ આદિમાં હેતુથી જાણી શકાય તેવો જીવોનો સદ્ભાવ નથી પણ તે જીવો આગમથી જ જાણી શ્રદ્ધા કરવા યોગ્ય છે. તે અન્ન તેમાં જે જંતુઓ છે, તે કેવળી ભગવંતોએ દેખ્યા છે, તેથી તે જંતુ-મિશ્રિત તથા કાચા ગો૨સ સાથે કઠોળ મિશ્રિત ભોજનની વાનગીનો ત્યાગ કરવો, તેવું ભોજન કરવાથી પ્રાણાતિપાત નામનું પ્રથમ પાપસ્થાનક લાગે છે. કેવળીઓનાં વચનો નિર્દોષ હોવાથી આપ્ત-પ્રામાણિક પુરૂષોનાં વચનથી વિપરીત ન હોય || ૭૧ || તેમજ એમ ન સમજવું કે મઘ વિગેરેથી માંડી કોહવાયેલ સ્વાદ વિગેરે બગડી ગયા હોય કે વાસી અન્ન વગેરે જ અભક્ષ્ય છે પરંતુ ઘણાં જીવોના સંબંધવાળા હોય તેવાં બીજા પણ અભક્ષ્યોને આગમથી જાણીને ત્યાગ કરવો જોઈએ, તે કહે છે २४३ जन्तुमिश्रं फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत् । सन्धानमपि संसक्तं, जिनधर्मपरायणः ।। ૭૨ ।। અર્થ : શ્રી જિનધર્મમાં પરાયણ એવા પુરૂષે બીજા પણ જીવયુક્ત ફળ, ફુલ, પાંદડા અને (કેરી આદિના) જંતુ મિશ્રિત બોળ-અથાણાંનું પણ વર્જન કરવું. ॥ ૭૨ ॥ ટીકાર્થ : જૈનધર્મ-પરાયણ દયાળુ શ્રાવક બીજા જીવોના સંસર્ગવાળા ફળ, ફુલ, પાંદડા, કે તેવી બીજી વસ્તુઓ તથા બોળ અથાણાનો ત્યાગ કરે. ફળ સિવાયના બીજા ત્રસ જીવોથી યુક્ત મહુડાં, બીલીફળ, આદિ ફળો, શક્તિ, સરગવ, કે મહુડાં Page #269 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૧૮ 44 વ્રત કહ્યું. ભોગોપભોગનું કારણ ઘનોપાર્જન પણ ભોગોપભોગ ઉપચારથી કહેવાય. તેનું પરિમાણ પણ ભોગોપભોગવ્રત કહેવાય. તેથી શ્રાવકને ખરકર્મનો પરિહાર કરીને બીજા નિર્દોષ કાર્યથી આજીવિકા કરવાની હોય. આ અહીં સંક્ષેપમાં જણાવ્યું. અતિચારના અધિકારમાં વિશેષ કહીશું. ભોગોપભોગવ્રત સમજાવ્યું. ॥ ૭૨ ॥ ત્રીજું ગુણવ્રત અનર્થદંડ-વિરમણ હવે અનર્થદંડ-વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત કહેવાનો અવસ૨ થયો, તેના ચાર પ્રકાર બે શ્લોકોથી સમજાવે છે— २४४ आर्तरौद्रमपध्यानं, पापकर्मोपदेशिता I ॥ ૭૨ ॥ 1 योऽनर्थदण्डस्त्याग-स्तृतीयं तु गुणव्रतम् ૫ ૭૪ ॥ અર્થ : અનર્થદંડ ચાર પ્રકારના છે. (૧) આર્ત-રૌદ્રધ્યાન (૨) પાપકર્મનો ઉપદેશ આપવો (૩) હિંસાત્મક શસ્ત્રાદિનું દાન કરવું ને (૪) પ્રમાદોનું સેવન કરવું. શરીરાદિના અર્થદંડના પ્રતિપક્ષ રૂપ અનર્થદંડનો ત્યાગ કરવો, તે ત્રીજું ગુણવ્રત કહેવાય. || ૭૩-૭૪ || हिंस्त्रोपकारिदानं च प्रमादाचरणं तथा २४५ शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः ટીકાર્થ : આર્ત-રૌદ્ર સ્વરૂપ અપધ્યાન કરવું, પાપકાર્યોનો ઉપદેશ કે પ્રેરણા આપવી, હિંસાના સાધનો બીજાને આપવા, અને પ્રમાદ સેવવો. આ ચાર પ્રકારના અનર્થદંડ કહેવાય. શરીર આદિના કારણે જે પાપ કરવું પડે, તે અર્થદંડ અને જેમાં પોતાને કે બીજાને કંઈ લાભ ન થાય અને વગર કારણે આત્મા પાપથી દંડાય અર્થદંડથી વિપરીતપણે રહેલો અનર્થદંડ, તેનો ત્યાગ કરવો, તે ત્રીજું ગુણવ્રત કહેવાય. ખરાબ ધ્યાન કરવું તે અનર્થદંડનો પ્રથમભેદ, તેનો આર્ત અને રૌદ્ર એવા બે ભેદ છે. ઋત એટલે દુઃખ તેમાં થવાવાળું અથવા અર્તિ, પીડા, યાતના તેમાં થવાવાળું ધ્યાન તે આર્તધ્યાન, તેના ચાર પ્રકાર છે. (ધ્યાનશતક ૬-૧૦) ૧. અણગમતા શબ્દાદિક વિષયોના સંયોગમાં તેના વિયોગ ચિંતવવા સ્વરૂપ અને વળી તેના અસંયોગની પ્રાર્થના, તે પ્રથમભેદ, ૨. શૂલ વિગેરે રોગ થયા હોય ત્યારે તેના વિયોગ સંબંધી વિચા૨ો ક૨વા અને ફરી તેની પ્રાપ્તિ ન થાય તેની ચિંતા કરવી, તે આર્તધ્યાનનો બીજો ભેદ. ૩. મનગમતા ઈષ્ટ શબ્દાદિક વિષયો તથા શાતાવેદનીય અવિયોગના પરિણામ-સ્વરૂપ સંપ્રયોગ અભિલાષ નામનો ત્રીજો ભેદ ૪. દેવેન્દ્ર ચક્રવર્તી આદિના વૈભવની પ્રાર્થનારૂપ, નિયાણું, તે ચોથા પ્રકારનું આર્તધ્યાન છે. જે માટે કહેલું છે— આર્તધ્યાન દ્વેષમલિનતાવાળા જીવને શબ્દાદિક વિષયવાળા અણગમતા પદાર્થો માટે અતિશય વિયોગ ચિંતવન અને ફરી તેનો સંયોગ ન થાય તેવી ચિંતા કરવી. તથા પેટનું શૂલ, મસ્તક આદિ વેદનાનો વિયોગ થાય તેનું એકાગ્રપણે ધ્યાન કરવું અને તેના અસંયોગની ચિંતા, તેના પ્રતિકાર માટે આકુળ મનવાળા બનવું. ઈષ્ટ અનુકુળ વિષયો અને શાતા વેદનીયમાં રાગવાળા બની તેના અવિયોગનું ધ્યાન કરવું તથા તેના સંયોગની અભિલાષા કરવી. દેવેન્દ્ર, ચક્રવર્તી, આદિના ગુણોની - સમૃદ્ધિની પ્રાર્થના સ્વરૂપ અત્યંત અજ્ઞાનભૂત અધમ નિયાણું ચિંતવવું. રાગ, દ્વેષ, અજ્ઞાન યુક્ત જીવને આ ચારે પ્રકારનું આર્તધ્યાન સંસાર Page #270 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૭૩-૭૬ ૨૧૯ વધારનાર અને તિર્યંચગતિનું કારણ છે. રૌદ્રધ્યાન બીજાને રોવડાવે છે તે રુદ્ર - દુઃખનું કારણ, તેનાથી કરેલું અથવા તેનું કર્મ તે રૌદ્ર ધ્યાન ચાર પ્રકારનું છે. ૧. હિંસાનુંબંધી ૨. મૃષાનુબંધી ૩. તેયાનુબંધી અને ૪. ધન-સંરક્ષણાનું બંધી. તે માટે કહેલું છે. “જીવનો વધ, બંધન, ડામ દેવો, નિશાની કરવી, મારવા વિષયક ચિતવવું. અતિક્રોધરૂપી ગ્રહથી ગ્રસ્ત થએલું. નિર્દય મનવાળું. અધમવિપાકવાળું, હિંસાનુંબંધી રૌદ્રધ્યાન કહેવાય. ૨. ચાડી ખાવી, અસભૂત, ખોટા આળ આપવાં, પ્રાણિઘાત આદિ વચનનું પ્રણિધાન કરવું, માયાવી છૂપા પાપ કરનાર, પ્રતિજ્ઞા તોડનારને આ ધ્યાન હોય. ૩. તથા તીવ્ર ક્રોધ અને લોભાકુલ ચિત્તવાળાને પ્રાણીને મારવાના અનાર્ય પરિણામ થવાં. પરદ્રવ્ય હરણ કરવાનું ચિત્ત કરવું. પરલોકના નુકશાનના વિચાર વગરનાને આવા પરિણામ થાય ૪. શાબ્દિક વિષયના સાધનો તથા ધન રક્ષણ કરવામાં સાવધાની રાખનાર, દરેક તરફથી તેના હરણની શંકા અને લઈ જનાર ને મારી નાંખવાના ક્રૂર પરિણામવાળું ચિત્ત કરવું. રાગ, દ્વેષ અને મોહના વિકારવાલા જીવને નરકગતિના કારણરૂપ સંસાર વધારનાર એવું આ ચાર પ્રકારનું રૌદ્ર ધ્યાન હોય છે.” (ધ્યાનાશતક ૧૮-૨૪), આ પ્રમાણે આર્ત અને રૌદ્ર સ્વરૂપ અપધ્યાન, તે અનર્થદંડનો પ્રથમ ભેદ. પાપકર્મનો ઉપદેશ અથવા પ્રેરણા આપવી, તે બીજો ભેદ, હિંસાના ઉપકરણો-છરી, ચપ્પ, તલવાર, અગ્નિ, ઘંટી આદિ અધિકરણ બીજાને આપવાં તે ત્રીજો ભેદ અને ગીત, નૃત્ય આદિ રાગાદિ વધારનાર પ્રમાદનું સેવન કરવું. તે અનર્થદંડનો ચોથો ભેદ. શરીર કુટુંબાદિ નિમિત્તે પ્રાણી દંડાય, તે પ્રયોજન કારણવાળો હોવાથી અર્થદંડ કહેવાય અને જેમાં કંઈ પ્રયોજન ન હોય. અર્થદંડથી જે પ્રતિપક્ષરૂપે હોય તે અનર્થદંડ તેનો જે ત્યાગ તે અનર્થદંડ-વિરતિ નામનું, ત્રીજું ગુણવ્રત કહેવાય. કહ્યું છે કે :- “જે ઈન્દ્રિય અને સ્વજન આદિને નિમિત્તે પાપ કરવું પડે, તે અર્થદંડ, અને તે સિવાયનું અનર્થદંડ કહેવાય. | ૭૩-૭૪ ||. અપધ્યાનનું સ્વરૂપ અને પરિમાણ કહે છે– २४६ वैरिघातो नरेन्द्रत्वं पुरघाताग्निदीपने खेचरत्वाद्यपध्यानं, मुहूर्तात्परतस्त्यजेत् ॥ ७५ ॥ અર્થ : વૈરીનો નાશ, રાજાપણાનો ઉપભોગ, નગરનો વિનાશ, અગ્નિ સળગાવવો, વિદ્યાધરપણું ભોગવવું આદિ દુષ્ટ ચિંતનને અશુભધ્યાન કહેવાય. તે અશુભધ્યાનનો એક અંતર્મુહૂર્ત (૪૮ મિનિટ) કે તેથી વધારે સમય ત્યાગ કરવો. || ૭૫ || ટીકાર્થ : શત્રુનો ઘાત કરવાનો સંકલ્પ, તેમ નગર-નાશ અગ્નિ-દાહ દેવાનો વિચાર તે રૂપ રૌદ્ર ધ્યાન. ચક્રવર્તી કે આકાશગામિની વિદ્યાવાળો થાઉં, દેવઋદ્ધિ અપ્સરા-દેવાંગના વિદ્યાધરીઓ ભોગવનારો થાઉં, તે રૂપ આર્તધ્યાન. તેના પરિણામ-વિચાર-ધ્યાનના ત્યાગરૂપ વ્રત, એક મુહુર્તથી વધારે કાળ માટે જે ત્યાગ કરવો, તે અપધ્યાન-વિરતિરૂપ અનર્થદંડ-વિરતિનો પ્રથમ ભેદ. || ૭૫ હવે પાપોપદેશ સ્વરૂપની વિરતિ જણાવે છે– २४७ वृषभान् दमय क्षेत्रं, कृष षष्ढय वाजिनः । दाक्षिण्याविषये पापो-पदेशोऽयं न कल्पते ॥ ७६ ॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ****** : અર્થ : “તું બળદોનું દમન કર, ખેતરને ખેડ, ઘોડાઓને નંપુસક બનાવ” ઈત્યાદિ પાપોપદેશ દાક્ષિણ્યના વિષય વિનાના કાર્યમાં શ્રાવકોએ ન કરવો જોઈએ. ।। ૭૬ ।। ૨૨૦ ટીકાર્થ : ‘તારે ત્યાં નાના વાછરડા છે, તેને કેમ દમતો નથી ? દમન કર ‘અરે ! હવે વરસાદ સમય નજીક આવ્યો એટલે ધાન્ય વાવવા માટે ખેતર ખેડીને તૈયાર કર' ‘વરસાદ વરસ્યો, વાવણીની મોસમ ચાલી જશે' ‘ખેતરો પાકી ગયા છે, તો લણી લો' ‘સાડા ત્રણ દિવસમાં ડાંગર વાવી દો' હવે નજીકના સમયમાં રાજાને ઘોડાની જરૂર પડશે, તો ખસી કરી દમન કરો.' ઉપલક્ષણથી ગ્રીષ્મકાળમાં ખેતરમાં અગ્નિ દેવરાવવો, આવા પ્રકારનો પાપોપદેશ શ્રાવકથી ન કરાય, બંધુ પુત્ર આદિના વિષયમાં દાક્ષિણ્યના કારણે તેમ પ્રેરણા આપવી પડે તો તે અશક્ય-પરિહાર. દાક્ષિણ્યના પ્રસંગ સિવાય જેમ આવે તેમ બોલી મુખરતાથી પાપ-પ્રેરણા ન કરવી. ॥ ૭૬ | હવે હિંસાના સાધનભૂત અધિકરણો ન આપવા માટે જણાવે છે— 1 २४८ यंत्रलाङ्गलशस्त्राग्नि- मुशलोदूखलादिकम् दाक्षिण्याविषये हिंस्त्रं, नार्पयेत्यकरुणापरः ૫ ૭૭ ।। અર્થ : કરૂણામાં પરાયણ દાક્ષિણ્ય વિષય સિવાય બીજાં કોઈને યંત્ર હળ, શસ્ત્રો, અગ્નિ, સાંબેલું, ખાંડણીયું, આદિ હિંસક વસ્તુઓ ન આપે. ॥ ૭૭ || ટીકાર્થ : ગાડાં, યંત્ર, હળ, તરવાર આદિ શસ્ર, અગ્નિ, સાબેલું, ખાંડણીઓ, દસ્તો, આદિ શબ્દથી ધનુષ ધમણ આદિ હિંસા કરનારી વસ્તુઓ, દયાવંત શ્રાવક દાક્ષિણ્યતાના વિષયને છોડી બીજાને ન આપે. || 6 || ।। ૭૮ ॥ હવે પ્રમાદાચરણરૂપ અનર્થદંડના ચોથા ભેદને તથા તેના પરિહારને ત્રણ શ્લોકોથી સમજાવે છે २४९ कुतूहलाद्गीतनृत्त-नाटकादिनिरीक्षणम् कामशास्त्रप्रसक्तिश्च, द्यूतमद्यादिसेवनम् २५० जलक्रीडाऽऽन्दोलनादि - विनोदो जन्तुयोधनम् 1 रिपोः सुतादिना वैरं, भक्तस्त्रीदेशराट्कथाः ॥ ७९ २५१ रोगमार्गश्रमौ मुक्त्वा, स्वापश्च सकलां निशाम् । 11 एवमादि परिहरेत्, प्रमादाचरणं सुधीः ॥ ૮૦ ॥ અર્થ : બુદ્ધિવાન શ્રાવકે સઘળાય પ્રમાદરૂપ આચરણનો ત્યાગ કરવો. કુતુહલથી ગીત, નૃત્ય, નાટકાદિને જોવા, કામશાસ્ત્રના વાંચનમાં આસક્તિ, જુગા૨-મદિરા આદિ વ્યસનોનું સેવન કરવું. જલક્રીડા કરવી, હીંચકા ખાવા આદિનો આનંદ માણવો. જીવોને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ સાથે વેર રાખવું. ‘ભોજન-સ્ત્રી-દેશ અને રાજકથા' આ ચાર પ્રકારના વિકથા કરવી. રોગ સમયે અને માર્ગના થાકને મૂકીને આખી રાત નિંદ્રા કરવી' ઇત્યાદિ સઘળાય પ્રમાદરૂપ આચરણનો ત્યાગ કરવો. ॥ ૭૮ ૭૯ ૮૦ | ટીકાર્થ : કૌતુકથી તે તે ઈન્દ્રિયોના વિષયોનો યથાયોગ્ય ભોગ કરવો. અર્થાત્ કુતુહલથી ગીત સાંભળવા. નાટક-સરકસ આદિ જોવાં, કુતુહલ ગ્રહણ કરવાથી નિમિત્ત વિના જિનયાત્રાદિ કારણકે લગ્નાદિ Page #272 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૭૭-૮૧ ૨ ૨૧ પ્રસંગે ઔચિત્ય ખાતર પ્રાસંગિક જોવામાં પ્રમાદાચરણ નથી. તથા વાત્સ્યાયન આદિએ કરેલાં કામશાસ્ત્રને વારંવાર વાંચવું. તેમાં વધારે રસ લઈ આસક્તિ કરવી, તથા પાસા આદિક વડે ઘૂ-જુગાર રમત રમવી, મદિરાપાન, આદિ, શબ્દથી શિકાર ખેલવો, આ વગેરેનું સેવન તથા જલક્રીડા-તળાવ, નદી, ફુવારામાં તરવું, ડુબવું, પિચકારીઓ છાંટવી, વૃક્ષની ડાળીઓ ઉપર હિંચકા ખાવા, પુષ્પોચૂંટવા વગેરે કુકડા વગેરે હિંસક પ્રાણિઓને પરસ્પર લડાવવા, શત્રુના પુત્ર અને પૌત્રો સાથે વેર ટકાવી રાખવું. હવે કોઈ સાથે વેર ચાલ્યું આવે છે, તેનો કોઈ રીતે ત્યાગ કરી શકતો નથી. એટલે તેના પુત્ર-પૌત્રાદિની સાથે જ વેર રાખવું તે પ્રમાદાચરણ તથા વિકથા ચાર પ્રકારની છે - પ્રથમ ભક્ત કથા. આ પકાવેલ માંસ, અડદ, લાડવા વગેરે સારું ભોજન છે, આને સારું જમણ જમાડ્યું, હું પણ તેમ ભોજન કરાવીશ એ વિગેરે. બીજી સ્ત્રી કથા-સ્ત્રી પહેરવેશ તેના અંગોપાંગની સુંદરતા તેના હાવભાવના વખાણ કરવા, કર્ણાટક દેશની સ્ત્રીઓ કામકાજમાં હોંશિયાર અને લાટદેશની સ્ત્રીઓ ચતુર અને પ્રેમાળ હોય છે.' એ વગેરે કથા, તે સ્ત્રીકથા. કહેવાય તથા ત્રીજી દેશકથા-‘દક્ષિણ દેશમાં અનાજ-પાણી ઘણાં સુલભ હોય છે. અને ત્યાંના વતનીઓ સ્ત્રીસંભોગ કરનારા વિશેષ હોય છે. પૂર્વદેશમાં વિવિધ વસ્ત્રો, ગોળ, ખાંડ, ચોખા, મદ્ય વિગેરે ઘણાં મળે છે. ઉત્તરદેશમાં લોકો શૂરવીર, ત્યાંના ઘોડાઓ વેગવાળા હોય છે, ત્યાં ઘઉં ઘણાં પાકે છે અને કેસર વિગેરે પદાર્થો સસ્તા સુલભતાથી મળે છે. ત્યાંની દ્રાક્ષ અને દાડમો, કોઠા, મધુ સ્વાદવાળા હોય છે. પશ્ચિમ તરફના દેશમાં વસ્ત્રો કોમળ સુંવાળા હોય છે, શેરડી ઘણી મળે છે, પાણી પણ ઠંડુ હોય છે, વિગેરે કથન કરવું, તે દેશ કથા. ચોથી રાજકથા - જેમ કે અમારા રાજા બહાદુર છે, ચૌડદેશનો રાજા ઘણા ધનવાળો છે, ગોડદેશના રાજા પાસે ઘણા હાથીઓ છે. તુર્કસ્તાનના રાજા પાસે તુર્કિ ઘોડા ઘણા છે વિગેરે તથા પ્રતિકુલ પણ ભોજન આદિની કથા કરવી તે સર્વે વિકથા કહેવાય તથા રોગાદિ કારણ વગર કે માર્ગના થાક વગર આખી રાત્રિ નિદ્રા કરવી. (રોગ અને માર્ગશ્રમમાં પ્રમાદાચરણ ન કહેવાય) આ કહેલા અને તેવા પ્રમાદાચરણનો શ્રાવકે ત્યાગ કરવો, વળી બીજા પ્રકારે પ્રમાદાચરણ જણાવે છે. “મદ્યપાન, વિષયો, કષાયો, નિદ્રા, વિકથા આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં ગબડાવે છે. (ઉત્ત. નિ. ૧૮૦) આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રમાદનો વિસ્તાર કહ્યો. || ૭૮-૭૯-૮૦ || દેશવિશેષમાં પ્રમાદનો ત્યાગ કહે છે– ર૧૨ વિના સાનિધૂત - નિદ્રાક્ષનહતુથ | जिनेन्द्र भवनस्यान्त-राहारं च चतुर्विधम् ॥ ८१ ॥ અર્થ : વળી શ્રી જિનેશ્વર દેવના મંદિરમાં વિષય-ચેષ્ટા હાસ્ય કરવું. ગૂંકવું, નિદ્રા લેવી, કજીયો કરવો, દુષ્ટકથાઓ કરવી અને અનાદિ ચારે ય પ્રકારનો આહાર કરવો વગેરે પ્રમાદાચરણનો પરિહાર કરવો. || ૮૧ ||. ટીકાર્થ : શ્રીજિનભવનમાં કામચેષ્ટાના વિલાસ કરવા, ખડખડ હાસ્ય કરવું. થુંકવું. નિદ્રા કરવી, કજીયો કરવો, ચોર-પારદારિકની કથા કરવી, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય ચાર પ્રકારનો આહાર કરવો, આ સર્વ કાર્યો પણ પ્રમાદાચરણ કહેવાય. શ્રાવકે તેનો ત્યાગ કરવો. તેમાં અશન ચોખા વિગેરે, મગ વિગેરે કઠોળ, સાથવો, રાબડી, મોદક, દૂધપાક, સૂરણ વિગેરે કંદો, પુડલા આદિ. કહેલું છે– “ચોખા, સાથવો, મગ, જુવાર, રાંધેલો ખોરાક, ખીર, દૂધપાક, સુરણકંદાદિ, પુડલાં, વડાં વગેરે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અશન જાણવા. સૌવીર રાબડી-કાજી જવ વગેરેનું ધોવણ, મદિરા, સર્વ પ્રકારના અષ્કાય, કાકડી આદિ ફળના રસોનું પાન જાણવા. શેકેલા ધાન્ય, ગોળપાપડી, ખજૂર, નાળિયેર, ફળ, દ્રાક્ષ, કાકડી, કેરી, ફણસ આદિ દરેક જાતના ફળો આદિ ખાદ્ય સમજવા. દાંતમ અને તંબોલ તુલસિકા, જેઠીમધ, અજમો, પીપર, સૂંઠ, મરી, જીરૂ, હરડે, બહેડાં, આમળાં વિગેરે સ્વાદ્ય કહેવાય” (પંચાશક ૫/૨૭-૩૦), આ પ્રમાણે ત્રણ ગુણવ્રતો કહ્યાં | ૮૧ || ચાર શિક્ષાવતો - હવે ચાર શિક્ષાવ્રતો કહેવાય છે. તે સામાયિક દેશાવકાશિક, પૌષધોપાસ, અતિથિસંવિભાગ છે. તેમાં પ્રથમ સામિયક શિક્ષાવ્રત કહેવાય છે २५३ त्यक्तातरौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । મુહૂર્ત સમતિ થી તાં, વિહુ સામયિવ્રતમ્ છે ૮૨ અર્થ : 'આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરનાર અને સાવદ્ય (પાપ) વ્યાપારનો પરિત્યાગ કરનાર શ્રાવકને જે એક મુહુર્તની સમતા પ્રાપ્ત થાય, તેને સામાયિક વ્રત કહ્યું છે. || ૮૨ ||. ટીકાર્ય : આર્ત અને રૌદ્ર બંને પ્રકારના અશુભ ધ્યાને દૂર કરી, મન, વચન, કાયાના સર્વ પાપવ્યાપાર છોડી, બે ઘડી સમભાવ રાખવો, તે સામાયિક કહેવાય. એક મુહુર્ત એટલે બે ઘડી કાળ સુધી સમભાવ એટલે રાગ અને દ્વેષ ન કરવારૂપ મધ્યસ્થ-ભાવમાં રહેવું તે સામાયિક વ્રત કહેવાય. હવે સામાયિક શબ્દની વ્યુત્પત્તિ કરી તેના અર્થની વ્યાખ્યા કરે છે “સમ” એટલે રાગદ્વેષથી મુક્ત બનનારને “આય” એટલે જ્ઞાનાદિકનો લાભ થાય અર્થાત્ પરમ-સુખ અનુભવાય, તે “સમાય’ સમાય એ જ “સામાયિક' વ્યાકરણના નિયમથી ઈકણ પ્રત્યય આવ્યો એટલે “સામાયિક' એવું નિયમથી રૂપ તૈયાર થયું. તે સામાયિક મન, વચન, કાયાની ચેષ્ટાનો પરિહાર કર્યા સિવાય ન બની શકે. તે માટે આર્ત રૌદ્ર ધ્યાન ત્યાગ કરનારને સામાયિક થાય છે. તેમ જ વાચિક અને કાયિક પાપકર્મ ત્યાગ કરનારને જ સામાયિક હોય છે. સામાયિકમાં રહેલો શ્રાવક પણ યતિ સરખો જ થાય છે. જે માટે કહેલું છે કે – “શ્રાવક જ્યારે સામાયિકમાં હોય ત્યારે સાધુની માફક નિષ્પાપ્રવૃત્તિવાળો બની જાય છે, આ કારણથી શ્રાવકે વારંવાર સામાયિક કરવું જોઈએ” (આ.નિ. ૮૦૧) આ જ કારણથી તેને સામાયિકમાં દેવ-સ્નાત્ર-પૂજાદિકનો અધિકાર નથી. પ્રશ્ન : દેવ-સ્નાત્ર કે પૂજા-કાર્ય ધર્મકાર્ય ગણાય છે. તો તે કાર્ય સામાયિકમાં કરવાથી કયો દોષ લાગે છે ? સામાયિક તો પાપ-વ્યાપાર નિષેધ કરવા રૂપ અને નિરવઘ વ્યાપાર સેવવારૂપ છે, તો સ્વાધ્યાય ભણવું, પરાવર્તન કરવું, ઇત્યાદિ માફક દેવપૂજાદિ ધર્મકાર્ય કરવામાં ક્યો દોષ લાગે ? ઉત્તર : એમ નથી સાધુની માફક સામાયિકમાં રહેલ શ્રાવકને દેવ-સ્નાત્ર-પૂજાદિકમાં અધિકાર નથી. ભાવપૂજા માટે દ્રવ્ય પૂજા એ કારણ છે. સામાયિકમાં હોય ત્યારે ભાવસ્તવ પ્રાપ્ત થએલ છે. તેનું દ્રવ્યસ્તવનું પ્રયોજન નથી. કહેલું છે કે, “પૂજા બે પ્રકારની એક દ્રવ્યસ્તવ અને બીજી ભાવસ્તવ સ્વરૂપ. તેમાં જો દ્રવ્યસ્તવ ઘણા ગુણવાળું છે.” એવી બુદ્ધિ થાય તો “આ અજ્ઞાની જનનું વચન છે.” એમ જ જીવનિકાયના હિતકારી જિનેશ્વરોએ કહેલ છે. (૧) વિશષ માટે જુઓ “ધર્મસંગ્રહ' ભા. ૧ ગા. ૩૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૨ ૨ ૨૩ અહીં સામાયિક કરનાર શ્રાવક બે પ્રકારના હોય. ઋદ્ધિવાળો અને ઋદ્ધિ વગરનો, જે ઋદ્ધિ વગરનો છે તે ચાર સ્થાનમાં સામાયિક કરે, જિનમંદિરમાં સાધુ-સમીપમાં, પૌષધશાલામાં કે પોતાના ઘરે અથવા જ્યાં વિસામો લેતો હોય કે, વ્યાપાર વગરનો હોય, ત્યાં પણ કરે, તેમાં સાધુ સમીપે કરે, ત્યારે આ વિધિ-જો કોઈ તરફથી ભય ન હોય, કોઈ સાથે વિવાદ ન હોય, દેવાદાર ન હોય, તે નિમિત્તે બોલાચાલી ખેંચતાણ, કે ચિત્ત-સંકલેશ ન થાય તેમ હોય તો પોતાના ઘરે સામાયિક કરીને ઈર્ષા સમિતિ શોધતો પાપવાળી ભાષા પરિહરતો, કાષ્ઠ, ઢેકું કે જરૂરી વસ્તુનું કાર્ય પડે તો માલિકની રજા લઈ ચક્ષુથી પ્રતિલેખન અને ચરવળાથી પ્રમાર્જન કરી ગ્રહણ કરતો, થુંક, બળખો કે નાસિકાના મેલનો જયણાપૂર્વક ત્યાગ કરતો, જગ્યાને બરાબર તપાસી પ્રમાર્જન કરવા પૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન કરતો, સાધુ રહેલા ઉપાશ્રયમાં જઈને સાધુને નમસ્કાર કરી સામાયિક કરે, તે આ પ્રમાણે- અહીં આખું કરેમિ ભંતે' સૂત્ર બોલવું. સામાયિક સૂત્ર હવે અહીં સામાયિક સૂત્રનો અર્થ કહે છે “કરેમિ' કહેતા હું સ્વીકાર કરું છું. “ભંતે' એ ગુરૂનું આમંત્રણ છે, હે ભેદત ! ભદંત એટલે, હે સુખવાળા-કલ્યાણવાળા મધુઃ “ધાતુ સુખ અને કલ્યાણ અર્થમાં છે. તેને ઔણાદિકનો “અન્ત” પ્રત્યય લાગ્યો. નિપાતનથી “ભદન્ત' રૂપ તૈયાર થયું. (ધા. પા. ૭૨૨), આમંત્રણ પ્રત્યક્ષ ગુરુ હોય તેને કરાય. અથવા પરોક્ષ હોય તો પોતે બુદ્ધિથી પોતાની સામે પ્રત્યક્ષ છે, એમ કલ્પના કરી હોય, આ રીતિએ ગુરુએ પોતાની સન્મુખ રાખવામાં સઘળો ધર્મ ગુરુની નિશ્રામાં અને સાક્ષાત્ ગુરુના અભાવે, જેમ જિનેશ્વરોના અભાવમાં જિન-પ્રતિમામાં જિનત્વનો આરોપ કરી સ્તુતિ, પૂજા, સંબંધોનાદિક થાય છે. તેમ સાક્ષાત્ ગુરુના અભાવમાં તેઓની સ્થાપના સમક્ષ કરેલો ધર્મ ફળીભૂત થાય છે. દરેક ધર્મક્રિયાઓ તેની આજ્ઞાપૂર્વક કરવાની હોય. તે બતાવવા માટે “ભંતે' શબ્દ આમંત્રણમાં વાપર્યો. જે માટે કહેલું છે “જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે, તે જ્ઞાનપાત્ર બને છે અને દર્શન તથા ચારિત્રમાં અતિસ્થિર બની જાય છે. તેથી ભાગ્યશાળી ઉત્તમ આત્માઓ, જાવજીવ સુધી ગુરુકુલવાસગુરુની નિશ્રાને છોડતા નથી' (વિ.ભા. ૩૪/૫૯) અથવા “મને' પદ પૂર્વ મહર્ષિઓએ કરેલું હોવાથી પ્રાકૃતના નિયમ પ્રમાણે માર્ષમ્' સૂત્રના આધારે “ભવાન્ત પદના વચ્ચેના વર્ણનો લોપ કરતા શ્રીસિદ્ધહેમના ૮-૪-૨૮૭ ના સૂત્રના આધારે અર્ધમાગધીમાં પ્રથમ વિભક્તિના એકવચનમાં એકાર થાય છે. તે પ્રમાણે કરતાં “મવા ' નું પણ “મનો' થઈ શકે છે, એ પ્રમાણે એનો બીજો અર્થ “મને' = “ભવાન્ત' એટલે સંસારના પારને પામેલા” એવો પણ થાય છે. સામાં રોમિ' નો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે, તે પ્રમાણે “આત્માને સમભાવમાં સ્થિર કરૂં છું.” એમ જાણવો. હવે આત્માને સમભાવમાં કેવી રીતિએ સ્થિર કરૂં છું. તે કહેવાય છે– તે સાવí નો પશ્વરવામિ' – સાવદ્ય એટલે પાપયુક્ત જે યોગો, (મન, વચન અને કાયાની પાપ પ્રવૃત્તિરૂપ વ્યાપાર) તેનો “પચ્ચખામિ' એટલે “ત્યાગ કરૂં છું – સાવદ્ય પ્રવૃત્તિની વિરૂદ્ધમાં નિર્ણય કરું છું અથવા તેને નહિ કરવાનો આદરપૂર્વક નિર્ણય કરું છું. ક્યાં સુધી ? તે નિયમ બતાવે છે કે નાવ સાદૂ જુવાસાન’ – જ્યાં સુધી સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધી (અહીં સાધુની પર્કપાસના કરું ત્યાં સુધી. એમ કહેવાથી સામાયિકમાં સાધુની આજ્ઞા-પાલનરૂપ ઉપાસના કરવી એ મુખ્યતા કહેલી છે અને બીજી કાલની મર્યાદા કહી છે. આ કાળ મર્યાદા માટે હાલમાં બનાવ નિયમ' બોલાય છે. વૃદ્ધ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પરંપરાથી તે પ્રમાણ ઓછામાં ઓછું એક મુહુર્ત જેટલું હોવાથી સામાયિકનો કાળ વર્તમાનમાં વ્યવહારથી બે ઘડીનો ચાલુ હોય એમ સમજાય છે. માટે બે ઘડી સુધી તે પાપવ્યાપારને છોડું છું, અહીં ત્યાં સુધી માટે જે યાવત્ કહ્યું છે, તેના ત્રણ અર્થો થાય છે, એક પરિમાણ, બીજો મર્યાદા અને ત્રીજો અવધારણાનિશ્ચય એ ત્રણેય અર્થો અહીં આ રીતે સમજવા, પહેલાં પરિમાણ- બીજો મર્યાદા અને ત્રીજો અવધારણા નિશ્ચય. અર્થમાં “જ્યાં સુધી સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધી પાપ-વ્યાપારને ત્યજું છું. એમ સમજવું. બીજો મર્યાદા અર્થમાં “સાધુની પર્યાપાસના શરૂ કર્યું તે પહેલાં' એટલે કે સામાયિક શરૂ કરતાં પહેલાંથી પાપ-વ્યાપારને ત્યજુ છું એમ સમજવું. અને ત્રીજા અવધારણા અર્થમાં “સાધુની પપાસના કરૂં ત્યાં સુધી માટે જ પાપ-વ્યાપાર તજું તે પછી નહિ. એમ જાવ' શબ્દના ત્રણ અર્થોથી એમ સમજવું કે સામાયિક લેતાં પહેલાંથી શરૂ કરીને સામિયક પુરું થાય ત્યાં સુધી પાપ-વ્યાપારનો ત્યાગ કરવામાં આવે છે, તે પછીના માટે નહિ. હવે તે પાપવ્યાપાર કેવી રીતે તજું છું તેનો આકાર-મર્યાદા બતાવે છે. વિ૬ તિવિ' – અર્થથી ‘વિધ' એટલે બે પ્રકારના પાપવ્યાપારને અને ત્રિવિધેન' એટલે ત્રણ પ્રકારે ત્રણ સાધન દ્વારા તજું . તેમાં પહેલાં આ ત્રણ પ્રકાર બતાવે છે. “મા વાયા argui' એટલે મનથી, વચનથી અને કાયાથી, અર્થાત્ મન, વચન, અને કાયા એ ત્રણ પાપના સાધનો છે, તે ત્રણ સાધનો પૈકી એક પણ સાધનથી પાપ નહિ કરું તે પછી બે સાધન બતાવે છે. “શરમ, ર વેનિ' એટલે હું સ્વયં પાપવ્યાપાર કરીશ નહિ અને બીજા પાસે કરાવીશ નહિ એમ પોતે કરવા અને બીજા પાસે કરાવવા રૂપ બે પ્રકારના પાપવ્યાપારનો ત્યાગ કરૂ છું. અનુમોદનરૂપ પાપ-વ્યાપારનો નહિ, કારણકે પોતે નહિ કરવા છતાં પણ પુત્ર, નૌકર વિગેરે જે પાપ કર્મ કરે, તેની અનુમોદનાનો ત્યાગ ગૃસ્થને કરવો અશક્ય છે. અહીં એ પ્રશ્ન થાય છે કે, સૂત્રમાં તો પહેલાં વિદ' શબ્દથી પાપના બે પ્રકારો કહીને પછી તિવિ' કહી ત્રણ સાધનો કહ્યાં છે, એ અનુક્રમથી તો “ર મ, જાનિ અનેvi વાયા, શા એમ પાઠ રાખવો જોઈએ, કારણકે– “થોદ્દેશાં નિર્વેશ:' એ વ્યાખ્યા કરવાનો ન્યાય છે, તેને છોડીને અહીં ઉલટો ક્રમ કેમ રાખ્યો છે ? તેના સમાધાનમાં જણાવે છે કે- સાધનોની પ્રાધાન્યતા જણાવવા સાધનો કહ્યા છે, અને પાપવ્યાપારની ગૌણતા જણાવવા પછી પાપવ્યાપાર કહ્યા છે. વસ્તુતઃ યાપાર પાપસાધનોને આધિન છે. કારણ કે સાધન હોય તો પાપ વ્યાપાર થાય અને સાધન ન હોય તો પાપવ્યાપાર થઈ શકે નહિ. અહીં ‘મો, વાયાણ, lu' એમ કહી મન, વચન અને કાયા દ્વારા વોમિ, ન રમિ' એમ કહ્યું, તેમાં મન, વચન, અને કાયાની પાપવ્યાપારમાં મુખ્યતા છે. પાપવ્યાપારો તે તે યોગને આધીન છે–એમ જણાવવા ઉત્ક્રમ રાખેલો છે. હવે એ પાપ-વ્યાપારના ત્રણ કાળની અપેક્ષાએ ત્રણ વિભાગો-અવયવો થાય છે, તેમાં ભૂતકાળમાં કરેલા પાપાવ્યાપારને અંગે કહે છે કે- તી અંતે ! પહિમિમિ નિવા િરિામિ અર્થાત ભંતે ! એટલે હે ભગવંત ! તસ્સ એટલે તે પાપવ્યાપારના ત્રણેકાળ આશ્રીને ત્રણ અવયવો પૈકી ભૂતકાળમાં કરેલા પાપાવ્યાપારનું “પ્રતિક્રમામિ' એટલે પ્રતિક્રમણ કરું છું. તેનાથી પાછો હઠું છું – દૂર થાઉં છું અથવા તે પાપને દૂર કરું છે અને “ગહમિ' એટલે તેને આપ ગુરૂની સાક્ષીએ પ્રગટ કરું છું. અહીં પ્રશ્ન થશે કે સૂત્રના શરૂઆતમાં એક વાર મંતે' શબ્દથી ગુરુમહારાજને આમંત્રણ તો કર્યું છે, તો ફરી ભંતે ! શબ્દ કેમ કહ્યો ? તેના સમાધાનમાં જણાવે છે કે, “ગુરુ પ્રત્યે ભક્તિ બતાવવાના Page #276 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૨ ૨૨૫ આશયથી ફરી આમંત્રણ કર્યું, અથવા તો પ્રત્યર્પણ એટલે સામાયિકનું કાર્ય મેં આપની કૃપાથી કર્યું. તેનો યશ આપને ઘટે છે, ઈત્યાદિ કૃતજ્ઞતા જણાવવા પુનઃ આમંત્રણ કર્યું છે. ભાષ્યકાર ભગવંતે કહ્યું છે કેઅથવા આ ભદંત-ભંતે શબ્દ સામાયિકના પ્રત્યર્પણનો પણ વાચક છે, એમ સમજવું આ પ્રત્યર્પણ શબ્દથી એમ જાણવું કે સર્વ ક્રિયાને અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ. (વિ.ભા.૩૫૭૧) 'પાપ' વોસિરામિ' = “માત્માનં વ્યસૃનામ” એટલે ભૂતકાળમાં પાપવ્યાપાર કરનારા તે મારા આત્માને વિવિધ કે વિશેષ છું’ – અહિં સામાયિક કરવાના સમયે આત્માનો પાપયુક્ત જે પૂર્વપર્યાય તેનો ત્યાગ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નમય આત્માનો નવો પર્યાય તેની ઉત્પત્તિ થતી હોવાથી તે પૂર્વપર્યાયી આત્માને તજું છું એમ કહી શકાય છે. કારણકે પર્યાયો એટલે ભિન્ન ભિન્ન ક્રમશઃ પ્રગટ થતી આત્માની અવસ્થાઓ અને પર્યાયી એટલે તે અવસ્થાઓનો આધાર આત્મા. એ પર્યાયો અને પર્યાયી બન્ને અપેક્ષાએ ભિન્ન હોવાથી મારા આત્માને હું તજું છું– હું નવો ઉત્પન્ન થયો એમ કહેવું તે અસત્યરૂપ નથી. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, “માયા સામi' અર્થાત્ – “આત્મા એ જ સામાયિક છે તાત્પર્ય કે જેમ સામાયિક એ આત્માનો એક પર્યાય છે અને પોતાના એ પર્યાયથી આત્મા કથંચિત અભિન્ન છે, એમ માની ત્યાં આત્માને જ સામાયિકરૂપે કહ્યો છે, તેમ અહીં અપેક્ષાએ પર્યાયનો ભેદ માનીને “હું મારા તે આત્માને વોસિરાવું છું.” એમ કહ્યું છે, તેમાં તાત્પર્ય એ છે કે હું મારા પૂર્વના તે પાપી પર્યાયને વોસિરાવું છું. આ સામાયિક સૂત્રથી ત્રણ કાળવિષયક પાપવ્યાપારનું પચ્ચકખાણ કેવી રીતે થાય છે, તે બતાવે છે. “વાર ' ! સામયિં એ પાઠથી વર્તમાનકાળ સંબંધી પાપવ્યાપારનો, ‘વૈદ્યામિ' એ પાઠથી ભવિષ્યકાળના પાપવ્યાપારનો અને “તસ મંતે' “પડિક્ષમા' વિગેરે પાથી ભૂતકાળમાં કરેલા પાપવ્યાપારનો એમ ત્રણે કાળના પાપવ્યાપારનો ત્યાગ થાય છે. કહ્યું છે કે – ગદ્ય નિન્દ્રાપિ, પડ્ડપન્ન સંવમ, મUITયં પāgfપ અર્થાત્ – ભૂતકાળના પાપની નિંદા, વર્તમાનકાળ માટે સંવર અને ભવિષ્યકાળ માટેના પાપવ્યાપારનો ત્યાગ કરું છું. એ રીતિએ પોતાના ઘરેથી સામાયિક લઈને આવેલો શ્રાવક ગુરુની સમક્ષ પણ પુનઃ સામાયિક ઉચ્ચરીને ઇરિયાવહી પ્રતિક્રમણ કરે, તે પછી “ગમણાગમણે આલોઈને યથાક્રમ આચાર્ય મહારાજ વિગેરે સર્વ મુનિવર્યોને વંદન કરે અને ફરી પણ ગુરૂમહારાજને વંદન કરીને પડિલેહણા કરેલા આસન-કટાસણા પર બેસી ધર્મશ્રવણ કરે ત્યાં આ વિધિ સમજવો. પરંતુ જ્યારે પૌષધશાલા કે પોતાના ઘરે સામાયિક લઈને ત્યાં જ રહે ત્યારે તો અન્યત્ર જવાનું હોય નહિ. એ પ્રમાણે સામાન્ય શ્રાવકનો સામાયિક-વિધિ જણાવ્યો. રાજા આદિ મહદ્ધિક શ્રાવક માટે તો એવો વિધિ છે– રાજા હાથી આદિ ઉત્તમ વાહન પર બેસીને છત્ર, ચામરાદિ રાજચિહનો તથા અલંકારોથી સુશોભિત થઈ, હાથી ઘોડા, રથ અને પાયદળ રૂપ ચતુરંગી સેના સહિત ભેરી વિગેરે ઉત્તમ વાજિંત્રોના નાદથી આકાશ ગજવતો, દાન લેનારાને હર્ષ કરાવતો, મંડલેશ્વર રાજાઓ સ્પર્ધાપૂર્વક જેના દર્શન કરતા હોય તેવા આડમ્બરપૂર્વક વળી આ મહાનુભાવ શ્રદ્ધાળુ અને ધર્માત્મા છે એમ પોતાની આંગળીથી પ્રજાજનો બીજાને ઓળખ કરાવતા હોય, અમે પણ ક્યારે આવી રીતિએ ધર્મ કરીએ-તેમ તેને જોઈને લોકો ધર્મના મનોરથ કરતા હોય, હાથ જોડીને પ્રણામ કરતા અક્ષતાદિકથી વધાવતા, તે લોકાના પ્રણામોથી પોતે પણ ધર્મની અનુમોદના કરતો, સામાન્ય મનુષ્યો દ્વારા “અહો ! આ ધર્મને ધન્ય છે કે, જેની આવી મહાન આત્માઓ પણ સેવા કરે છે એ પ્રમાણે ધર્મની પ્રશંસા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કરાવતો, એમ મોટા ઠાઠથી પોતાના સ્થાનેથી સામાયિક કર્યા વિના જ શ્રીજિનમંદિર (સભામંડપમાં) કે સાધુ મહારાજનો નિવાસ હોય, તે સ્થાને જાય, ત્યાં જઈને છત્ર, ચામર, પગરખા, મુગટ અને ખગ અને રાજ્ય-ચિહ્નો તજે. જિનેશ્વરની પૂજા કે સાધુવંદન કરે, જો સામાયિક કરીને જાય તો હાથી, ઘોડા આદિથી અધિકરણ થાય, સામાયિકમાં તે કરવું ઉચિત ન ગણાય. તથા સામાયિક કરીને તો પગે ચાલીને જ જવાય અને તે રાજા માટે અનુચિત ગણાય. આ પ્રમાણે આવેલો હોય તે શ્રાવક હોય તો કોઈએ ઉભા થઈ સત્કાર ન કરવો. હવે જો યથાભદ્રક હોય તો તેના માટે અગાઉથી બેસવા માટે આસન તૈયાર કરાવી રાખવું અને તે રૂપ સત્કાર પૂજા કરવી, આચાર્યોએ તો પહેલાંથી ઉભા થઈ તેટલામાં ફરવું જેથી રાજા આવે ત્યારે ઉભા થયા કે ન થયા તે વિષયની ચર્ચા કે દોષ ઉભો ન થાય. આ પ્રમાણે આવેલા તે રાજા કે મહર્તિક પૂર્વ જણાવેલી વિધિથી સામાયિક કરે. || ૮૨ || સામાયિકમાં રહેલાને મહાનિર્જરા થાય તે દષ્ટાંતથી જણાવે છે– २५४ सामायिकव्रतस्थस्य गृहिणोऽपि स्थिरात्मनः ।। चन्द्रावतंसकस्येव क्षीयते कर्म सञ्चितम् ॥ ८३ ॥ અર્થ : સામાયિક વ્રતમાં રહેલા અને સ્થિર સ્વરૂપવાલા ગૃહસ્થને પણ ચંદ્રાવતંસ રાજાની જેમ પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે. / ૮૩ | ટીકાર્થ : ગૃહસ્થ હોવા છતાં પણ સ્થિર મનવાળા સામાયિક કરનાર ચંદ્રાવતંસક રાજા માફક પૂર્વના એકઠા કરેલા કર્મનો ક્ષય કરે છે તે ઉદાહરણ ગુરૂપરંપરાથી આ પ્રમાણે છે– લક્ષ્મીના સંકેતના સ્થાન સરખું ઉજ્જવલ જિનચૈત્યોની ધ્વજા વડે ઈન્દ્રપુરીની શોભા તરફ હાસ્ય કરનાર સાકેતનગર નામનું નગર હતું. ત્યાં આગળ લોકોની દષ્ટિને આનંદ આપનાર બીજના ચંદ્ર સરખો જાણે પૃથ્વીનો મુગટ હોય તેવો ચંદ્રાવતુંસક નામનો રાજા હતો. તે બુદ્ધિશાળી જેવી રીતે રક્ષણ ધારણ કરતો હતો તેવી જ રીતે ચાર તીક્ષ્ણ કઠોર શિક્ષાવ્રતોને પણ ધારણ કરતો હતો. એક દિવસ મહા મહિનામાં રાત્રે પોતાના વાસભવનમાં દીવો સળગતો રહે ત્યાં સુધી સામાયિકમાં રહીશ” એમ સંકલ્પ કરીને કાઉસ્સગ્ન કરવા ઉભા રહ્યા. આ બાજુ શવ્યાપાલિકાએ વિચાર્યું કે, સ્વામીને અંધારૂ ન થાઓ એમ સમજીને રાત્રિના પ્રથમ પહોરમાં દીવામાં તેલ રેડ્યું. એમ બીજા પહોરમાં પણ સ્વામીની ભક્તિથી જાગતી રહી તેણે ફરીથી તેલ પૂર્યું. તેવી જ રીતે રાત્રિના ત્રીજા પહોર કાઉસ્સગ્ગ ચાલુ હોવાથી અને તેના અભિગ્રહનો ખ્યાલ ન હોવાથી દીપકના પાત્રમાં તેલ પૂર્યા કર્યું. રાત્રિ પૂર્ણ થઈ. સવાર પડી ગઈ ત્યારે શ્રમથી થયેલી વ્યથાથી પરેશાન રાજા દીપક માફક ઓલવાઈ ગયો. અર્થાત્ મૃત્યુ પામ્યો. જેમ સામાયિક વ્રત પ્રાપ્ત કરી કર્મને વિનાશ પમાડી ચંદ્રાવતંસક રાજા સ્વર્ગે ગયા તેવી રીતે ગૃહસ્થ પણ જો સામાયિકવ્રતને અંગીકાર કરે તો તત્કાલ કર્મ સમૂહનો ક્ષય કરી સદ્ગતિ મેળવે છે. ઈતિ ચંદ્રાવતંસક રાજર્ષિની કથા. | ૮૩ // બીજું દેશાવકાશિક નામનું શિક્ષવ્રત કહે છે २५५ दिग्व्रते परिमाणं यत् तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव-काशिकव्रतमुच्यते ॥ ८४ ॥ અર્થ : દિવ્રત નામના બીજા ગુણવ્રતમાં કરેલા ગમનાદિના પરિમાણનો દિવસે તથા રાત્રિમાં સંક્ષેપ Page #278 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૩-૮૫ ૨૨૭ કરવા તેને દેશાવકાસિક નામનું શિક્ષાવ્રત કહેવાય છે || ૮૪ || ટીકાર્થ : દિશાવ્રતમાં-દશ દિશામાં ગમન – પરિમાણ નક્કી કરેલું હોય તે આ વ્રતમાં દિવસે, રાત્રે કે એક પહોર માટે વિશેષ સંક્ષેપ કરવો, તે દેશાવકાસિક નામનું બીજું શિક્ષાવ્રત કહેવાય. અહીં દિશાવતનો સંક્ષેપ રહેવાથી ઉપલક્ષણથી બીજાં અણુવ્રતોનો પણ સંક્ષેપ કરવો. દરેક વ્રતમાં સંક્ષેપ કરવાનું કહીએ તો જુદાં જુદાં વ્રતોની સંખ્યા વધી જાય, અને બાર વ્રતની સંખ્યાનો વિરોધ થાય // ૮૪ || ત્રીજું પૌષધ શિક્ષાવ્રત કહે છે २५६ चतुष्पा चतुर्थादि-कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्य क्रियास्नाना-दित्यागाः पौषधव्रतम् ॥ ८५ ॥ અર્થ : આઠમ આદિ ચારે પર્વની તિથિમાં એક-બે આદિ ઉપવાસ કરવા, કુવ્યાપારનો ત્યાગ કરવો (૨) બ્રહ્મચર્યનું પાલન (૩) અને સ્નાનાદિ દ્વારા શરીર-સત્કારનો ત્યાગ (૪) કરવા રૂપ ચાર પ્રકારનો પૌષધ ગ્રહણ કરવો એ ત્રીજું શિક્ષાવ્રત છે ૮૫ // ટીકાર્થ : અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા, રૂપ ચાર પર્વોના દિવસોમાં ઉપવાસ આદિ તપ, પાપવાળા વ્યાપાર બંધ કરી, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી તેમજ સ્નાનાદિ, શરીરની ટાપટીપ આદિનો ત્યાગ અને આદિ શબ્દથી તેલ ચોળવું. વિલેપન, પુષ્પ, ગંધ, વિશિષ્ટ વસ્ત્ર-અલંકારાદિનો ત્યાગ કરવો, તે રૂપ આ પૌષધ વ્રત નામનું શિક્ષાવ્રત છે. આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યારૂપ ચાર પર્વો, તેમાં ઉપવાસ આદિ તપ, પાપવ્યાપાર બંધ કરવા, બ્રહ્મચર્ય-પાલન, સ્નાનાદિક શરીર-સંસ્કાર કરવાનો ત્યાગ, આદિ શબ્દોથી તેલ માલિશ કરાવવું. મેંદી વગેરેથી રંગવું. ચંદન, બરાસ લગાડવું. માથામાં પુષ્પો કે તેના હાર પહેરવા, અત્તર, સુગંધી પદાર્થ લગાડવા, ઉત્તમ કોટીના વસ્ત્ર, અલંકાર પહેરવારૂપ શરીર-સંસ્કાર કે ટાપટીપનો ત્યાગ કરવો, અને જેમાં ધર્મની પુષ્ટિ થાય તેવું આ પૌષધવ્રત છે. તે પૌષધવ્રત દેશથી અને સર્વથી એમ બે પ્રકારે કહેલું છે. તેમાં આહાર પૌષધ દેશથી તે કહેવાય કે જેમાં અમુક વિગઈનો ત્યાગ, આયંબિલ, એકાસણું કરાય. એક દિવસ રાત ચારે આહારના ત્યાગરૂપ ઉપવાસ તે સર્વથી, બીજા દિવસના સવાર સુધીના પચ્ચક્ખાણ કરવા, દેશથી પાપવ્યાપાર નિષેધ તે પૌષધ કહેવાય જેમાં કોઈપણ ચોક્કસથી એક કે બે પાપ-વ્યાપારનો ત્યાગ કરાય. ખેતી, નોકરી, વેપાર, પશુપાલન, ઘરકામ આદિ સર્વ પાપવ્યાપારનો ત્યાગ, તે સર્વથી વ્યાપારપૌષધ બ્રહ્મચર્ય-પૌષધ પણ દેશ અને સર્વથી તેમ એક કે બે વખત સિવાય વધારે સ્ત્રી-સેવનના ત્યાગરૂપ, અને આખો દિવસ-રાત સર્વથા બ્રહ્મચર્ય પાળવું. તે અનુક્રમે દેશ અને સર્વથી બ્રહ્મચર્ય-પૌષધ, સ્નાનાદિક દેશથી એકાદ બે વખત સિવાયનો ત્યાગ અને સર્વથા એક રાત્રિદિવસ સ્નાન આદિ શરીર સંસ્કારનો ત્યાગ કરવો. અહીં દેશથી કવ્યાપાર-પાપવ્યાપાર-નિષેધરૂપ પૌષધ જ્યારે કરે ત્યારે સામાયિક કરે કે ન પણ કરે, પરંતુ સર્વથી ત્યાગ કરે ત્યારે તો સામાયિક નક્કી કરે જ. ન કરે તો તેને ફળથી વંચિત રહે છે. સર્વ પ્રકારે પૌષધવ્રત કરે ત્યારે જિનમંદિર, સાધુવાળા ઉપાશ્રયે કે પૌષધશાળા કે ઘરના એકાંત સ્થલમાં રત્નસુવર્ણના અલંકારોના ત્યાગ કરવા પૂર્વક, પુષ્પમાળા, વિલેપન વગેરે તથા હથિયારનો ત્યાગ કરીને તે વ્રત અંગીકાર કરે. સર્વથી પૌષધવ્રત અંગીકાર કરીને નવો ધાર્મિક અભ્યાસ, ધાર્મિક પુસ્તકનું વાંચન કે (૧) વિશષ માટે જુઓ ધર્મસંગ્રહ ભા. ૧, ગા. ૬૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ધર્મધ્યાન કરે, અને ભાવના ભાવે કે, “હું હજુ મંદ ભાગ્યવાળો છું કે હજુ આ સાધુપણાના ગુણો ધારણ કરવા સમર્થ બની શકતો નથી.' અહીં એટલું વિશેષ સમજવું જરૂરી છે કે–જો આહાર-ત્યાગ, શરીર-સંસ્કારત્યાગ અને બ્રહ્મચર્ય પૌષધની જેમ કુવ્યાપાર-પૌષધ પણ “અન્નત્થણા ભોગેણ” વિગેરે આગારો સહિત અંગીકાર કરેલો હોય. એટલે કે-આગારો રાખેલા હોય તો તેને સામાયિક કરવું સાર્થક છે. અન્યથા નહિ, કારણકે પૌષધનું પચ્ચકખાણ આગાર-સહિત સ્થૂલરૂપે છે અને સામાયિકવ્રત તો નિરાકાર હોવાથી સૂક્ષ્મ રૂપે છે. પૌષધમાં સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ કર્યો હોય. તો પણ સામાયિક નહીં કરવાથી તેના લાભથી વંચિત રહે (માટે પૌષધ સાથે સામયિક કરવું) છતાં જેણે સમાચારીની વિશેષતાથી પૌષધ પણ સામાયિકની જેમ વિ તિવિvi એમ, મન, વચન અને કાયાથી કરવા અને કરાવવાના ત્યાગરૂપે અંગીકાર કર્યો હોય, તેને સામાયિકનું કામ પૌષધ થી જ સરે છે, માટે સામાયિક ખાસ વિશેષ માટે થતું નથી, છતાં “મે' પૌષધ અને સામાયિક-એમ બે વ્રતો અંગીકાર કર્યો જ છે એવો કરનારના હૃદયમાં અભિપ્રાય હોય, તો પૌષધ અને સામાયિક બંનેનું ફળ મળે છે. એટલે બંને કરવા સાર્થક છે. ૮૫ / હવે પૌષધવ્રત કરનારની પ્રશંસા કરે છે– २५७ गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पौषधं व्रतम् । दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ८६ ॥ અર્થ : જેઓ દુષ્પાલ અને પવિત્ર એવા પૌષધવ્રતનું પાલન ચલની પિતા નામના શ્રાવકની જેમ કરે છે, તે ગૃહસ્થો પણ ધન્યવાદને પાત્ર છે. ૮૬ || ટીકાર્થ : સાધુ ભગવંતો તો હંમેશા ધન્ય છે જ, પરંતુ ગૃહસ્થો પણ ધન્ય છે કે જેઓ દુ:ખે પાલન કરી શકાય એવું પવિત્ર પૌષધવ્રત ચુલની પિતાની માફક પાલન કરે છે. સંપ્રદાયગમ્ય તે દષ્ટાંત આ પ્રમાણે સમજવું– ચુલની પિતાનું દૃષ્ટાન્ત ગંગાનદીના કિનારા પાસે વિચિત્ર રચનાઓથી મનોહર પૃથ્વીના તિલક સરખી શોભાવાળી વારાણસી નામની શ્રેષ્ઠ નગરી હતી. અમરાવતીમાં જેમ ઈન્દ્ર, તેમ તે નગરીમાં મહાપરાક્રમી જિતશત્રુ નામનો શ્રેષ્ઠ રાજા હતો તે નગરીમાં ચુલની પિતા નામનો મોટો શેઠ હતો. જાણે ધર્મ જ મનુષ્યનું રૂપ લઈને આવ્યો હોય તેવો એ શેઠ ધર્મનિષ્ઠ હતો. જગતને આનંદ આપનાર ચંદ્રને જેમ શ્યામા એટલે રાત્રિ તેમ તેને મળતાવડી રૂપવંતી શ્યામા નામની ધર્મપત્ની હતી. તેને આઠ ક્રોડ સોનેયા ભૂમિનિધાનમાં, આઠ ક્રોડ વ્યાજમાં અને આઠ ક્રોડ વેપારમાં મળી ચોવીશ ક્રોડ સોનૈયાની મૂડી હતી. દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા આઠ ગોકુળો તેમ જ ઘર વિગેરની અઢળક સંપત્તિ હતી. તે નગરીમાં કોઈક સમયે કોષ્ટક નામના ઉદ્યાનમાં ચરમજિનેશ્વર વીર ભગવંત વિચરતા વિચરતા સમવસર્યા હતાં, ત્યારે ભગવંતના ચરણકમળમાં વંદન કરવા માટે સુરો, અસુરો સહિત ઈન્દ્ર મહારાજા તથા જિતશત્રુ રાજા ત્યાં આવ્યા હતા. આભૂષણ પહેરી પગે ચાલતા ચુલનીપિતા આનંદ મનવાળા થઈ ભગવંતને નમસ્કાર કરવા આવ્યા. “ભગવંતને નમસ્કાર કરી ત્યાં બેસી ચુલની પિતાએ બે હાથ જોડી પરમ ભક્તિથી પ્રભુની ધર્મ દેશના સાંભળી, હવે પર્ષદા ઉઠી ગઈ એટલે વિનયવાળા ચુલનીપિતાએ ભગવંતના ચરણમાં પ્રણામ કરી વિનંતી કરી કે હે સ્વામિ ! જેમ સૂર્યને ફરવામાં માત્ર જગતને અજવાળું કરવું તે સિવાય બીજું કોઈ પ્રયોજન નથી તેમ Page #280 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો. ૮૬ ૨૨૯ ** અમારા સરખાને પ્રતિબોધ કરવા માટે જ આપ પૃથ્વીમાં વિચરી રહેલા છો. દુનિયામાં દરેક પાસે પ્રાર્થના કરાય છે, તેમાંથી કોઈ આપે, કોઈ ન પણ આપે, પણ આપ તો સામે આવીને ધર્મ આપો છો– એમાં માત્ર કૃપા જ હેતુ છે. હું જાણું છું કે આપની પાસે હું યતિધર્મ ગ્રહણ કરું પરંતુ નિર્ભાગી એવા મારામાં હજુ એટલી યોગ્યતા આવી નથી માટે હે સ્વામી ! હું આપની પાસે શ્રાવકધર્મની યાચના કરું છું, તો મારા પર કૃપા કરી તે ધર્મ આપો. સમુદ્ર જળથી પરિપૂર્ણ હોવા છતાં ઘડો પોતપોતાના પ્રમાણમાં જ જળ ગ્રહણ કરી શકે છે. ત્યારે ‘તારી ઈચ્છા પ્રમાણે ગ્રહણ કર. એ પ્રમાણે સ્વામીથી આજ્ઞા પામેલા તેણે સ્કૂલ હિંસા મૃષા, ચોરીના તથા પોતાની શ્યામા ભાર્યા સિવાય પારકી સ્ત્રીના પચ્ચક્ખાણ કર્યા. નિધિ આદિમાં રહેલા આઠ આઠ કોટિથી અધિક સુવર્ણ, આઠથી વધારે ગોકુલનાં પણ પ્રત્યાખ્યાન લીધાં. પાંચસો હળથી ખેડી શકાય તે ઉપરાંત જમીન પણ ન રાખવી. પાંચસો ગાડા દેશાન્તરમાં વેપાર માટે જતાં અને પાંચસો ગાડા ભાર વહન કરનારાં તેથી અધિકના તે મહામતિવાળાએ પચ્ચક્ખાણ કર્યા. ચાર મોટા વહાણ સિવાયના દિગ્યાત્રા કરનારા વહાણ રાખવાના પણ નિયમ અંગીકાર કર્યો. ગંધકષાય વસ્ર સિવાય શરીર લુછવાના (ટુવાલ) વસ્ત્રનો ત્યાગ કર્યો. +44 મહુડાવૃક્ષના લીલા દાતણ સિવાય બીજાના પચ્ચક્ખાણ કર્યા, આમળાં સિવાયના ફળો, સહસ્રપાક અને શતપાક સિવાયનાં તેલ ચોપડવાના તથા ગંધાઢય સિવાય શરીર ચોળવાના, આઠ ઊંટોથી ભરાઈને લવાયેલા પાણીના ઘડાથી અધિક જળમાં મજ્જન-સ્નાન કરવાના પચ્ચક્ખાણ કર્યા. સુતરાઉ બે વસ્ત્ર સિવાયના વસ્ત્રોના, કેસર, અગર, ચંદન સિવાયના વિલેપનના પચ્ચક્ખાણ કર્યા. કમળ જાતિ પુષ્પો સિવાયની પુષ્પમાળાના તથા કાનનું આભૂષણ તથા નામવાળી મુદ્રિકા સિવાય ઘરેણાના પચ્ચક્ખાણ કર્યા અગર અને તુરુષ્ક સિવાયનાં ધૂપ, કાષ્ઠનાં ઉકાળા સિવાયનાં બીજા પીણાનો સર્વપ્રકારે ત્યાગ કર્યો. ખાજાં અને ઘેબર સિવાયનાં ખાદ્ય તથા કલમ સિવાયના સર્વ પણ ચોખાનો ત્યાગ કર્યો. કઠોળ, વટાણા, મગ અને અડદ, સિવાયનું બાકીના (દાળ)નો ત્યાગ કર્યો. શરદકાળમાં થએલા ગાયના ઘી સિવાયના તમામ ઘીનો ત્યાગ કર્યો. પથંક (પાલકની ભાજી) અને મંડૂકીશાક સિવાયના અન્ય શાક તજ્યાં, તથા સ્નેહામ્લ અને દાલ્યાન્લ (દાસળ) સિવાયનાં સર્વ તીમનોને (કઢી વગેરેને) પણ તજ્યાં હતાં. આકાશીજળ-વરસાદનાં જળ સિવાયનાં જળનો, પાંચ પ્રકારના સુગંધી તામ્બ્રેલ સિવાયના તાબૂલનો ત્યાગ કર્યો. આર્ત-રૌદ્ર ધ્યાન, હિંસાના ઉપકરણો આપવા, પ્રમાદ આચરિત, પાપકર્મનો ઉપદેશ કે પ્રેરણા આપવી તે રૂપ અનર્થદંડનો ત્યાગ કર્યો. આ પ્રમાણે ભગવંતની પાસેથી સર્વ અતિચાર-રહિત સમ્યક્ત્વપૂર્વક શ્રાવકધર્મ તેણે અંગીકાર કર્યો. પછી ભગવંતને નમસ્કાર કરી પોતાના ઘરે જઈ પોતે અંગીકાર કરેલો ધર્મ પોતાની ધર્મપત્નીને જણાવ્યો. તેણે પણ તે વ્રતો સ્વીકારવાની પતિની રજા માંગી પછી રજા પામેલી શ્યામાને પણ તરત જ રથમાં બેસીને ભગવંતની પાસે આવી અને શ્રાવકધર્મના વ્રતો સ્વીકાર્યા. તે સમયે ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે, આ ચુલનીપિતા મહાવ્રત ધારણકરનાર કેમ થતો નથી ? એટલે સ્વામીએ કહ્યું કે, સાધુધર્મ અંગીકાર કરશે નહિ, પરંતુ શ્રાવકધર્મના વ્રત સ્વીકાર્યા છે અને શ્રાવકધર્મમાં તલ્લીન બની મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં જશે. ત્યાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોયમની સ્થિતિવાળો દેવ થશે અને ત્યાંથી ચ્યવી વિદેહમાં જન્મી નિર્વાણ પામશે. હવે ચુલનીપિતા પોતાના ઘરનો ભાર પુત્ર પર નાંખીને પૌષધશાલામાં પૌષધવ્રત પાલન કરતો રહેલો હતો હવે કોઈક માયા મિથ્યાત્વી દેવે રાત્રે આવીને તેના પૌષધવ્રતનો ભંગ કરાવવાની ઇચ્છા રાખી ભયંકર બિહામણી રાક્ષસી આકૃતિવાળા બનીને આગળ આવ્યો ભીષણ ખડ્ગ ખેંચીને ચુલનીપિતાને આ પ્રમાણે કહ્યું કે— મોતની પ્રાર્થના કરનાર હે Page #281 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૩૦ શ્રાવક ! આ તે શું આદર્યું છે ? મારી આજ્ઞાથી આ શ્રાવકના વ્રતનો ત્યાગ કર અને જો આ વ્રતનો ત્યાગ નહિ કરે તો, તારા મોટા પુત્રને કોળાના ફળની માફક તલવારથી ટુકડે ટુકડા કરીને મારી નાંખીશ અને તારા દેખતાં જ તારી સન્મુખ તેના માંસના કટકા ઉકળતા કડાયામાં રાંધીશ અને તે જ ક્ષણે શૂલમાં પરોવીને ભક્ષણ કરીશ. તેમ જ તેના માંસનું રૂધિર - પાન પણ હમણાં જ કરીશ કે જેને દેખીને તું મૃત્યુ પામીશ.' ત્યાં આગળ આ પ્રમાણે દેવે કહ્યું. છતાં પણ મેઘની ગડગડાટ ગર્જના થતી હોય, તેમા સિંહ કંપાયમાન ન થાય, તેમ ચુલની પિતા દેવની ધમકીથી ડઘાયા નિહ. ચુલની પિતાને અડોલ દેખી તે દેવ તે જ પ્રમાણે બીવડાવવા માટે વારંવાર કહેવા લાગ્યો. આ પ્રમાણે બીવડાવતા દેવની સામે હાથી જેમ શ્વાન તરફ તેમ ચુલનીપિતાએ નજર ન કરી. ત્યાર પછી ચુલનીપિતાની સામેમોટા પુત્રને વિર્દી નિર્દય ક્રૂરાત્માએ પશુ માફક ચીરી નાંખ્યો. ત્યાર પછી તેના કટકા કટકા કરીને ઉકળતા તેલના કડાયામાં પકાવીને વળી કેટલાક માંસ-ટુકડા તવામાં શેકીને, તીક્ષ્ણ ફૂલો વડે વીંધીને તે દેવતા ખાવા લાગ્યો. તત્ત્વ સમજનાર ચુલનીપિતાએ આ સર્વ કષ્ટ સમતાથી સહન કર્યું. કારણકે અન્યત્વ ભાવના ભાવવાવાળા આત્માઓને પોતાનું અંગ છેદાય, તો પણ પીડા કરનાર થતું નથી. હવે તે દેવે કહ્યું કે જો હજુ પણ તું આ વ્રત નહિ છોડે, તો તારા મોટા પુત્ર માફક વચલા પુત્રનો પણ હું વધ કરીશ. ત્યાર પછી વચલા પુત્રને તે જ પ્રમાણે હણ્યો અને વારંવાર તેના સામું જોયું. પરંતુ તે ક્ષોભ ન પામ્યો. એટલે નાના પુત્રને પણ તે પ્રમાણે હણ્યો. તેમાં પણ તેને ક્ષોભ ન થયો એટલે ક્રોધ પામેલા તે દેવ તેને કહ્યું કે હજુ પણ તારું પાખંડ છોડતો નથી તો પછી તારી માતાને પણ આ પ્રમાણે હણી નાંખીશ.' હવે ચુલનીપિતાની ભદ્રા નામની માંદગી ભોગવી રહેલી અને રુદન કરતી કરૂણ હરિણી સરખી વૃદ્ધ માતાને વિષુર્વી ફરી તે દેવે કહ્યું કે આ તારાં વ્રતનો ત્યાગ કર, પોતાના કુટુંબને જીવાડવા સરખું આ વ્રત છે. નહિતર કુલના આધારભૂત હરણી સરખી તારી માતાને હણી, ભુંજીને અને રાંધીને ક્ષણવારમાં ભોજન કરીશ.' તો પણ અડોલ ચુલનીપિતાને દેખી તે દેવ ખાટકી જેમ બકરીને, તેમ હૃદયફાટ રુદન કરતી ભદ્રામાતાને વિપુર્વીને કહ્યું કેઃ— ‘જેણે' તને ભાર માફક ઉદ૨થી વહન કર્યો. તો હે પેટ ભરનાર એકલપેટા ! આ તારી માતાને હણાતી જો જો ફરી ફરી પણ કહ્યું, હવે ચુલનીપિતા મનથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે ‘અહો ! આ પરમાધાર્મિકની ઉપમાવાલો કોઈક દુરાત્મા છે કે, જે મારા ત્રણ પુત્રોને મારીને ખાઈ ગયો અને હવે કસાઈ માફક મારી માતાને પણ હણવા તૈયાર થયો છે. ત્યારે આ માતાને ન હણે ત્યાં સુધીમાં તેનું રક્ષણ કરું, એવી રીતે ચલાયમાન થયો એટલે મહાશબ્દ કરતો તે દેવ આકાશમાં ઉડ્યો. તે કોલાહલ સાંભળી ભદ્રામાતા તરત ત્યાં તેની પાસે આવ્યાં અને પૂછ્યું કે— ‘આ શું હતું ?' એટલે તેણે સર્વ વૃતાન્ત જણાવ્યો તે પછી ભદ્રામાતાએ તેને કહ્યું કોઈક મિથ્યા દદષ્ટ દેવે બનાવટી ભય બતાવીને તારા પૌષધવ્રતમાં વિઘ્ન કર્યું છે. પૌષધ વ્રત ભંગની આલોચના કરવામાં ન આવે તો અતિચારનું પાપ લાગે છે. ‘ત્યાર પછી નિર્મલબુદ્ધિવાળા તે ચુલનીપિતાએ તેનું વચન સ્વીકારી વ્રતભંગના દોષની આલોચના કરી. ત્યાર પછી તેણે સ્વર્ગરૂપી મહેલમાં ચડવાના પગથિયા સરખી શ્રાવકની અગિયાર પ્રતિમા ક્રમસર આરંભી અને ભગવંતના વચનાનુસાર અખંડિત તીક્ષ્ણધારા સરખી, લાંબા સમય સુધી તે પાલન કરી. ત્યાર પછી બુદ્ધિશાળી તેણે સંલેખનાક૨વાપૂર્વક અનશન અંગીકાર કર્યું, ત્યાર પછી આરાધનાપૂર્વક સમાધિમરણ પામી અરૂણપ્રભ નામના દેવલોકમાં તે ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચુલની પિતાએ દુષ્પલ પૌષવ્રતનું જેવી રીતે પાલન કર્યું તેવી રીતે બીજાઓ પણ જો પાલન કરે, તો દૃઢ વ્રતવાળા તે નક્કી મુક્તિ પામનારા થશે. | ૮૬ | Page #282 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૭. ૨૩૧ આ પ્રમાણે ચુલની પિતાનું કથાનક સંપૂર્ણ થયું. અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત २५८ दानं चतुर्विधाहार-पात्राच्छादनसद्मनाम् । अतिथिभ्योऽतिथिसंविभागव्रतमुदीरितम् ॥ ८७ ॥ અર્થ : અતિથિ એવા સાધુ મહાત્માઓને અશનાદિ ચાર પ્રકારનો આહાર, પાત્ર વસ્ત્ર અને ઘર આદિ સંયમસાધક વસ્તુઓ આપવી, તેને અતિથિસંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત કહ્યું છે || ૮૭ || ટીકાર્થ : સાધુ ભગવંતરૂપ અતિથિઓને ચારે પ્રકારના આહાર, પાત્ર વસ્ત્ર અને મકાન આદિ સંયમ સાધનોનું દાન, તેને અતિથિ-સંવિભાગ નામું ચોથું શિક્ષાવ્રત કહેલું છે. તિથિ પર્વ-ઉત્સવ રહિત એવા ભિક્ષાકાલે પધારેલા સાધુ ભગવંતોને અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચતુર્વિધ આહારનું દાન, તુંબડું આદિ પાત્રોનું, વસ્ત્ર, કાંબલીનું, રહેવા મકાનનું અને ઉપલક્ષણથી પાટ-પાટલા, શયા-સંથારા આદિકનું દાન, આમ નામ-નિર્દેશ કરીને સુર્વણ-દાનનો નિષેધ જણાવ્યો. કારણકે સાધુને તે રાખવાનો કે લેવાનો અધિકાર નથી. આ દાન તે અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય. “અતિથિ સંવિભાગ” એ શબ્દની વ્યુત્પત્તિ પૂર્વકની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી– “અતિથિ' એટલે તિથિઓ પર્વ દિવસો કે ઉત્સવાદિનો જે મહાત્માઓને ત્યાગ કર્યો છે. અતિથિ સમજવા, બાકીનાને અભ્યાગત (મહેમાન) જાણવા. તેવા અતિથિ અર્થાત “સાધુને' “સં' એટલે સમ્યઆધાકર્મ વિગેરે બેતાલીશ દોષોથી રહિત “વિ' એટલે વિશિષ્ટ રીતિથી-સાધુને પશ્ચાત્મકર્મ ન લાગે ઈત્યાદિ દોષ-રહિત-પણે ભાગ” એટલે દેય વસ્તુમાંથી અમુક અંશ આપવાનું જે વ્રત તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય. આહારાદિક દેય પદાર્થો પણ ન્યાયોપાર્જિત ધનથી મેળવેલા હોય. ૪૨ દોષરહિત અને સાધુગુણોને પોષણ કરનાર, તેમજ દેશકાલ, શ્રદ્ધા, સત્કાર વિધિપૂર્વક આત્માના ઉપકારબુદ્ધિથી યતિઓને દાન કરવું, તે અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય. કહેલું છે કે – “ન્યાયથી મેળવેલા અને સાધુઓને કહ્યું તેવા અન્ન, પાણી વિગેરે વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા સત્કાર ક્રમથી ઉત્તમ ભક્તિના પરિણામપૂર્વક સ્વ- પર કલ્યાણની બુદ્ધિથી સંયમીઓને દાન કરવું અતિથિસંવિભાગ વ્રત કહેવાય. વધારામાં જણાવે છે : સાધુને નિમિત્તે હનન, પાચન, ક્રયણ ન થયું હોય એ પ્રકારે શુદ્ધ, અચિત્ત, સાધુને લગતા બેતાલીશ દોષોથી રહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સાધુને કહ્યું તેવા, પોતાની જાતે પાણી આહારાદિક સામગ્રી વડે યોગ્ય અવસરે ઘર આંગણે પધારેલા મુનિ ભગવંતોને ઉત્કટ શ્રદ્ધાપૂર્વક દાનવિધિ સાચવવા પૂર્વક કોઈ ભાગ્યશાળી સમગ્ર ભોજન-સામગ્રી રૂપ અશન, ફલ, મેવા, ભુંજેલા કે શેકેલા સ્વાદ્ય, ચૂર્ણ, સોપારી, એલચી, આદિ મુખશુદ્ધિ કરનાર સ્વાદ્ય તથા પાણી, સાધુ-ગુણ હિતકારી વસ્ત્ર પાત્ર, કામળી, આસન, ઔષધ રહેવાની જગ્યા, પાટ-પાટલાદિ ચારિત્રવૃદ્ધિના સાધનો અત્યંત પ્રીતિપૂર્વક શ્રાવકોએ સાધુઓને પ્રતિલાભવાં જોઈએ - જિનેશ્વરની આજ્ઞાના પાલક ધીર ઉત્તમ શ્રાવકે સાધુઓને કહ્યું તેવી ચીજો અલ્પમાત્ર પણ વહોરાવવી જોઈએ. કોઈ મુનિ ભગવંતોને વહોરાવી ન હોય, તેનો કદી પોતાના માટે ઉપયોગ કરતા નથી. રહેવા માટે સ્થાન, શય્યા, આસન આહાર-પાણી, રજોહરણ, નિષઘા, વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો શ્રાવકે પોતે વિપુલ સંપત્તિવાળો ન હોય તો થોડામાં થોડાં પણ મુનિને પ્રતિલાભવ(ઉ. મા. ૨૩૯-૪૦) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે તો કહ્યું છે કે- “આહારાદિ પિડ, શયા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે કોઈ પણ વસ્તુ નિર્દોષ અને મધ્ય હોય તો પણ અપેક્ષાએ અકથ્ય બને છે. અને અકથ્ય હોય તો પણ અપેક્ષાએ કચ્ય બને છે. કારણકે દેશ, કાળ લેનાર, દેનાર, વ્યક્તિ અને તેની અવસ્થા સંયોગ, વસ્તુની જરૂરિયાત અને હૃદયના ભાવો વગેરેની અપેક્ષાએ લેનાર-દેનારને લાભનું સંયમનું પોષક બને છે, તે સર્વ દાન અકથ્ય કે કથ્ય હોય તો પણ કથ્ય જાણવું અને સંયમ-ઘાતક બને, તે કથ્ય હોય તો પણ અકથ્ય જાણવું. (પ્રશ. ૧૪૬-૧૪૭) શંકા કરી કે શાસ્ત્રમાં આહાર-દાન કરનાર જેમ સંભળાય છે, તેમ વસ્ત્રાદિના દાન કરનારા સંભળાતા નથી. તેમ જ વસ્ત્રાદિના દાનનું ફલ પણ શાસ્ત્રમાં સંભળાતું નથી, તો વસ્ત્રાદિનું દાન કેવી રીતે યોગ્ય ગણાય ? તેનું સમાધાન આપતા જણાવે છે કે- તેમ નથી કારણકે ભગવતીજી આદિ આગમગ્રંથોમાં વસ્ત્રાદિકનું દાન સ્પષ્ટ જણાવેલું છે. એ પાઠ આ પ્રમાણે કહેલો છે– समणे णिग्गंथे फासुएणं हसणिज्जेणं असण-पाण खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबलपायपुंछणेणं पीठ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे विहरइ સૂત્રાર્થ : “શ્રમણ નિગ્રંથોને અચિત્ત અને નિર્દોષ આહાર, પાણી, ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, કામળ, રજોહરણ, પાટ, પાટીયા શમ્યાં સંથારા વિગેરનું દાન કરવા પૂર્વક ઉત્તમ શ્રાવકો પોતાનો કાળ નિર્ગમન કરે છે.” માટે આહાર-પાણી વિગેરની જેમ સંયમના આધારભૂત શરીરને ઉપકારક વસ્ત્ર આદિ પણ સાધુઓને પ્રતિલાભવા (વહોરાવવા) જોઈએ. વસ્ત્રનું સંયમમાં ઉપકારીપણું એ. કારણે જણાવેલ છે કેતૃણગ્રહણ કે અગ્નિ સેવનના નિવારણ માટે તથા ધર્મ, શુકલ ધ્યાન કરવા માટે ગ્લાન, સાધુની પીડા દૂર કરવા માટે, સાધુ મૃતકને પરઠવવા માટે વસ્ત્ર સંયમમાં ઉપકારી ગણાય છે. કહેલું છે કે- “તૃણ-ગ્રહણ, અગ્નિસેવના નિવારણ માટે, ધર્મ-શુકલ ધ્યાન સાધવા માટે, ગ્લાન સાધુની પીડા દૂર કરવા માટે, સાધુના મૃતકને ઢાંકવા માટે વસ્ત્રગ્રહણ કરવાની આજ્ઞા છે. (ઓવ. નિ.જ.૭૬) ઉમાવસ્વાતિ વાચકે પણ જણાવ્યું છે કે – “વસ્ત્ર વગર ઠંડી વાયરો, તાપ, ડાંસ, મચ્છર આદિથી કંટાળેલાને કદાચ સમ્યક્ત્વ આદિમાં સમ્યગુ ધ્યાનનો વિક્ષેપ થાય' ઇત્યાદિ. પાત્રનો ઉપયોગ પણ એટલા માટે જણાવેલ છે કે અશુદ્ધ અનાદિક આવી જાય, તો તેમાં જુદું કરીને પરઠવી શકાય. બીજા જીવયુક્ત અન્નમાં જીવની વિરાધના ટાળવા માટે, પ્રમાદથી પોરાવાળું ચોખાનું ઓસામણ કે જળ આવી ગયું હોય તો તે સુખેથી જયણાપૂર્વક પરઠવી શકાય, એ વિગેરે બીજા પણ પાત્ર રાખવાના ગુણ છે. કહેવું છે કે:- જિનેશ્વર ભગવંતોએ છકાય જીવોના રક્ષણ માટે પાત્ર ગ્રહણ કરવાની આજ્ઞા આપેલી છે. સંભોગમાં (માંડલીમાં ભાજનમાં) આહારમાં જે ગુણો છે, તે પાત્ર-ગ્રહણમાં પણ સમજવા. “અશક્તિવાળા સાધુ, બાલ, વૃદ્ધ, નવીનસાધુ પરોણાસાધુ, ગુરુ, અસહિષ્ણવર્ગ એકવસતિમાં રહેનાર લબ્ધિ વગરના ઇત્યાદિક માટે (આહાર લાવવા) પાત્ર ગ્રહણ કરવા.” (ઓ.નિ. ૬૯૧-૯૨) પ્રશ્ન કર્યો કે– તીર્થકરોને વસ્ત્ર-પાત્રનો પરિભોગ સંભળાતો નથી, તીર્થકરોના ચરિત્રનું તેના શિષ્યોએ અનુકરણ કરવું યોગ્ય ગણાય કહેલું છે કે – “જેવા પ્રકારનું ગુરુનું લિંગ હોય, શિષ્ય પણ તેવા જ બનવું જોઈએ તેના ઉત્તરમાં જણાવે છે કે એમ ન કહીશ તીર્થકરોના હસ્તકમલ છિદ્ર-વગરના હોય છે. એટલું જ નહિ. પરંતુ તેમના ખોબામાંથી કે તેના છીદ્રમાંથી એક જલ બિન્દુ પણ નીચે પડતું નથી. વળી જે ખોબામાં પડે તેની શિખા ચંદ્ર-સૂર્ય સુધી ઉંચે વધતી જાય, પણ બહાર નીચે ન પડે, વળી ચારજ્ઞાનના સ્વામી હોવાથી જીવ-સંશક્ત કે જીવ વગરના અન્ન, ત્રસ જીવવાનું કે વગરનું જલ વિગેર જાણીને જે Page #284 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૭ ૨૩૩ નિર્દોષ હોય, તે જ ગ્રહણ કરે. આ કારણે તેમને પાત્ર ધારણ કરવામાં ગુણ નથી. વસ્ત્ર તો દીક્ષાકાલે તીર્થકરો પણ ગ્રહણ કરે છે. કહેલું છે કે ચોવીશ પણ જિનેશ્વરોએ એક વસ્ત્ર સહિત દીક્ષા લીધી છે, તેઓ અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં કે કુલિંગમાં હોતા નથી. (આ. નિ. ૨૧૭) પૂર્વ મહર્ષિઓએ કહેલું છે કે – “ભૂતકાળમાં જે જિનેશ્વરી થયા, ભવિષ્યમાં થશે અને વર્તમાન-કાલમાં વિચરી રહેલા છે. તે સર્વએ-સવસ્ત્ર પાત્ર ધર્મનો ઉપદેશ આપવાનો હોવાથી એક દેવદુષ્ય ગ્રહણ કરીને દીક્ષા લીધી, લેશે અને લે છે, તેમની સેવા કરું છું દીક્ષા લીધા પછીના કાળમાં સર્વ પરિગ્રહ, ઉપસર્ગ પીડા સહન કરતા હોવાથી વસ્ત્રનું તેમને પ્રયોજન નથી અને કોઈ પ્રકારે તે વસ્ત્ર ચાલ્યું જાય છે. શિષ્ય ગુરુના લિંગને અનુસરવાની વાત જે જણાવી. તે તો સામાન્ય હાથીને ઐરાવણના અનુકરણ કરવા જેવી વાત છે. વળી તીર્થકરનું અનુકરણ કરવા ઈચ્છનારાઓને મઠ, વસતિ કે ઉપાશ્રયમાં વાસ કરવો, કારણે આધાકર્મી ભોજન કરવું. માંદગીમાં તેલ ચોળવું. અંગારાની સગડીનું સેવન, તૃણપટી ધારણ કરવી, કમંડલ રાખવું. સાધુઓને સાથે વાત કરવાપણું છદ્મસ્થોએ ધર્મદેશના કરવી, સાધુ-સાધ્વીને દીક્ષાદાન–આ સર્વ કરી શકાશે નહિ અને આ તો (દિગંબર સાધુઓ) કરે જ છે. વળી કંબલ રાખવાની એ કારણે જરૂર છે કે, વરસાદ વરસતો હોય, બહાર ગયા હોય, ત્યારે તરત પડેલા વરસાદના અષ્કાયના જીવોના રક્ષણ માટે કામળી જરૂરી છે. બાલસાધુ, વૃદ્ધ કે માંદા સાધુ માટે વરસતા વરસાદમાં ભિક્ષા લેવા નીકળવું પડે તો શરીર પર કામળી ઓઢેલી હોય તો તેવી અપકાય જીવોની વિરાધના નહિ થાય. લઘુ કે વડી શંકા-નિમિત્તે બહાર જવું પડે તો વરસાદ કે કાળના સમયે બહાર જનારે તેવી વિરાધનાઓએ કામળીથી રોકી શકાય છે. શંકા કરી કે, “આ કરતાં તો છત્રાદિકથી શરીર ઢાંકી દેવાય તો કામળી વગર ચાલી શકે છે. એમ કરે તો શો દોષ?' એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે– “છત્તમ ય થારVIઠ્ઠાણ' (દશ. ૩/૪) એમ કહીને આગમમાં છત્ર ધારણ કરવાનો નિષેધ જણાવેલો છે. રજોહરણ તો સાક્ષાત્ જીવરક્ષા પ્રતિલેખના કરવામાં ઉપયોગી હોવાથી તેમાં કોઈ વિવાદ કરી શકે તેમ નથી. મુખવસ્ત્ર અર્થાત મુહપત્તી પણ ઉડતા જીવોના રક્ષણ માટે, મુખમાંથી ગરમ વાયુથી બહારના વાયુકાયના જીવોનું રક્ષણ કરવા, માટે મુખમાં ધૂળનો-રજનો પ્રવેશ અટકાવવા માટે ઉપયોગી છે. પાટ-પાટિયાનો ઉપયોગ એ કારણે કરવાનો છે કે, વર્ષાકાળમાં લીલ, ફુગ, કુંથુઆ આદિ વિવિધ સંશક્ત જીવોવાળી ભૂમિમાં શયન કરવાનો નિષેધ હોવાથી શયન કરવું. આસન કરવું તેમાં તે ઉપયોગી છે. શિયાળા અને ઉનાળામાં શય્યા, સંથારા આદિકનો શયનમાં ઉપયોગ થાય છે. વસતિ-ઉપાશ્રય રહેવાનું સ્થાન તો સાધુને માટે અત્યંત ઉપકારી છે કહેલું છે કે જે ભાગ્યશાળી અનેક ગુણ ધારણ કરનાર મુનિ ભગવંતોને વસતિ-ઉપાશ્રય કે રહેવા માટે સ્થાન આપે છે. તેણે વસ્ત્ર, અન્ન પાણી, શયન આદિ દરેક આપ્યું છે–એમ સમજવું કારણ કે ત્યાં રહેનાર છે. તે સર્વ મુનિવરો તે વસતિનો ઉપયોગ કરે છે, વળી ઉપાશ્રયમાં પોતાનું અને ચારિત્રનું પણ રક્ષણ થાય છે. જ્ઞાન-ધ્યાનાદિકની સાધના થાય છે, આ કારણથી વસતિ આપનારે સર્વ આપ્યું ગણાય. ઠંડી, તાપ, ચોર, ડાંસ, મચ્છરોથી મુનિઓનું રક્ષણ કરનાર સુરલોકનાં સુખને સ્વાધીન કરે છે.” એવી રીતે બીજા પણ ઔધિક અને ઔપગ્રહિક ધર્મોપકરણ ધારણ કરવામાં સાધુને દોષ નથી. તેના દાતારને તો નક્કી પ્રગટ ગુણ-લાભ છે જ. ઉપકરણનું વ્યક્તિ વિશેષ, આશ્રયીને પ્રમાણ જણાવે છે કે – “જિનકલ્પીઓને બાર પ્રકારનાં, સ્થવિરોને ચૌદ પ્રકારનાં, અને આર્યાઓ, પચીસ ઉપકરણો રાખવાની અનુજ્ઞા છે, તે ઉપરાંત હોય તે ઉપગ્રહ કહેવાય (ઔઘ. નિ. ૬૭૧) આ સર્વ હકીકત પિંડનિયુક્તિ ઓઘનિર્યુક્તિ આદિ આગમથી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સમજી લેવું અહીં ગ્રંથ પ્રમાણ વધી જવાના ભયથી વિસ્તારથી કહેતા નથી. અહીં વૃદ્ધોએ કહેલી સામાચારી આ પ્રમાણે જણાવે છે કે – શ્રાવકે પૌષધ પાર્યા પછી નક્કી સાધુને પ્રતિલાવ્યા પછી ભોજન કરવું કેવી રીતે ? જ્યારે પોતાનો ભોજન-સમય થાય ત્યારે વિભુષિત બની ઉપાશ્રયે જઈ સાધુઓને ભિક્ષા ગ્રહણ કરવા માટે નિમંત્રણ કરે. આ સમયે સાધુઓની શી મર્યાદા ? તે કહે છે– એક સાધુ પલ્લાં, બીજો મુહપત્તિ, ત્રીજો પાત્રો એમ પડિલેહણ ઉતાવળે કરે, તે ઉપવાસી પૌષધવાળાને પારણામાં વિલંબ કે અંતરાય રખે ન થાય, અગર તો સ્થાપના દોષ ન થાય શ્રાવક જો પહેલી પોરસીમાં નિમંત્રણ કરતો હોય તો અને તેને નવકારશીનું પચ્ચખાણ હોય તો વહોરી લેવું. જો નવકારશી પચ્ચકખાણ ન હોય તો ગ્રહણ ન કરવું. કારણકે તે સાચવી રાખવું પડે અને જો વધારે દબાણથી વિનંતી કરે તો વહોરી લાવી સાચવી રાખે અને પોરસી પચ્ચકખાણ પારનાર કોઈ હોય, તો તેને કે બીજાને તે આપી દેવું પાત્રા-પલ્લાદિક સાથે પડિલેહણ કર્યા પછી વહોરવા જનાર સાધુ સંઘાટક શ્રાવક સાથે જાય. એકલાને મોકલવો નહિ. શ્રાવક માર્ગમાં સાધુની આગળ ચાલે પછી શ્રાવક તેમને ઘરે લઈ જાય અને આસન માટે નિમંત્રણ કરે. જો બેસે તો ઠીક, અને જો ન બેસે તો પણ વિનયનો આચાર જાળવવો જોઈએ. ત્યાર પછી શ્રાવક જાતે આહાર-પાણીથી પ્રતિલાભે અથવા બીજા વહોરાવે તો પોતે વસ્તુઓનું ભાજન હાથમાં રાખી ગુરૂ મહારાજ વહોરે ત્યાં સુધી ઉભા રહે. સાધુ પણ પશ્ચાત્કર્મ દોષ ન લાગે તે માટે ગૃહસ્થના ભાજનમાંથી સંપૂર્ણ વસ્તુ ન વહોરતાં તેમાં બાકી રાખે. ત્યાર પછી વંદન કરી કેટલાંક ડગલા સુધી પાછળ વળાવવા જાય, પછી શ્રાવક પોતે ભોજન કરે જો તે ગામમાં સાધુ ભગવંતોનો યોગ ન હોય, તો ભોજન-સમયે દરવાજા બહાર સાધુ મહારાજને આવવાની દિશામાં નજર કરે અને વિશુદ્ધ ભાવથી ચિંતવે કે જો સાધુ ભગવંતો હોત તો હું કૃતાર્થ થાત આ પૌષધના પારણાનો વિધિ. તે સિવાયના કાળમાં સાધુને વહોરાવીને ભોજન કરવું. અથવા તો ભોજન કર્યા પછી પણ વહોરાવવું. આને લગતા આંતરશ્લોકો : ધર્મમાં સહાય-ઉપકાર કરનાર અન્ન, જળ, વસ્ત્ર, આદિકનું દાન કહેલું છે, પરંતુ ધર્મમાં ઉપકાર ન કરનાર હોય. તેવું સુવર્ણાદિકનું દાન માનેલું નથી. જેનું દાન દેવાથી ક્રોધ, લોભ, કામાદિકની વૃદ્ધિ થાય, તેવા ચારિત્રનો નાશ કરનાર સુવર્ણાદિક ચારિત્રવંત મુનિઓને ન આપવું જે પૃથ્વીને ખોદવા-ખેડવાથી અનેક જંતુઓ મૃત્યુ પામે છે. તેવી પૃથ્વીના દાનની કરૂણાવાળા પ્રશંસા કરતા નથી. જે જે શસ્ત્રોથી મહાહિંસાઓ થતી હોય, તે તે શસ્ત્રોનું કારણ લોહ તેનું દાન કેવી રીતે કરે ? લૌકિક પર્વ દિવસે પુણ્ય માટે તેઓ મૃત્યુદશા અનુભવાતી હોય, તેવી અર્ધવીયાએલી ગાયનું દાનકરે ! ખેદની વાત છે કે તે પણ ધાર્મિકપણાની પ્રશંસા પામે છે ! જેની ગુદામાં તીર્થો માનેલા છે અને જે મુખથી અશુચિ પદાર્થનું ભક્ષણ કરે છે, તેવી ગાયને પવિત્ર માનનારા અજ્ઞાનીઓ ધર્મ માટે તેનું દાન કરે છે. દરરોજ તેને દોવે ત્યારે તેનો વાછરડો અત્યંત પીડા પામે છે અને પોતાની ખરીથી જંતુઓનો વિનાશ કરતી ગાયનું દાન પુણ્ય માટે કોણ કરે ? સુવર્ણ, ચાંદી, તલ અને ઘીની એમ જુદી જુદી ગાયો બનાવીને તેનો ભોગવટો કરે, તેવી ગાયનું દાન કરનારને શું ફળ મળે ? કામશક્તિ કરનાર, બંધુ સ્નેહ-વૃક્ષને બાળવામાં દાવાનલ સરખી, કલિયુગનું કલિવૃક્ષ, દુર્ગતિના દ્વારની કુંચિકા સરખી મોક્ષ દ્વાર અટકાવનાર ભુગલ સરખી ધર્મધનને ચોરનારી, આપત્તિ કરનારી એવી કન્યાનું દાન તે પુણ્ય બંધાવનાર છે, એમ કથન કરનાર તે શાસ્ત્ર કેવા પ્રકારનું છે ? વિવાહ-સમયે મૂઢ પુરુષો ધર્મબુદ્ધિથી જે વર-કન્યાને પહેરામણી તરીકે દાન કરે છે, તે તો રાખમાં ઘી હોમવા સરખું સમજવું. જે સંક્રાન્તિમાં, વ્યાતિપાતમાં, વૈધૃતિ, પૂનમ અને અમાસ પર્વમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૭. ૨૩૫ લોભી પેટભરાઓએ દાન પ્રવર્તાવ્યું છે. તે ખરેખર ભદ્રિક જનોના ધનભારને ઓછું કરનારું સમજવું. અલ્પબુદ્ધિવાળાઓ મરેલાની તૃપ્તિ માટે જે દાન દેવડાવે છે, તે ખરેખર નવા પાંદડા ઉગાડવા માટે મુશલને પાણી છંટકાય કરે છે, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જો પૂર્વજો પ્રીતિ પામતા હોય, તો પછી એક ભોજન કરે તો બીજો પુષ્ટ કેમ ન થાય ? પિતા આદિકની પાપ મુક્તિ માટે પુત્રો જો દાન આપે તો પછી પુત્ર તપ કરે તો પિતા પણ મુક્તિ પામે. ગંગા, પ્રયાગ, ગયા આદિકમાં દાન કરવાથી પિતૃઓ તરી શકતા હોય તો બળેલા વૃક્ષોને પણ નવપલ્લવ કરવા માટે આંગણમાં રોપવા ગતાનુગતિક લોકો વડે માનતા કરી જે માંગણી કરવામાં આવે છે. તે આપી શકતા નથી. ખરેખર પુણ્ય કે ભાગ્ય હોય તો જે તે ફળે છે, પુણ્ય ન હોય, તો તે માંગણી નિષ્ફળ જાય છે. સોના-ચાંદીના દેવના બિંબો કરાવી માનતા માનો અને તેના બિબો તમારું રક્ષણ કરશે. તે મહાઅદ્ભુત છે, કારણકે કાલ પૂર્ણ થાય, ત્યારે દેવો પણ રક્ષણ કરવા શક્તિમાન નથી. મોટો બળ કે મોટો બોકડો કદાચ તમે ક્ષોત્રિય બ્રાહ્મણને આપો, તો દાતા પોતાને અને લેનાર પાત્રને બંનેના નરકના કૂવામાં પાડે છે. ધર્મબુદ્ધિથી દાન આપતો દાતા તેવા પાપથી લપાતો નથી કે દોષ જાણવા છતાં પણ માંસલુબ્ધ એવા લેનારો તેવા પાપથી લેવાય છે. અપાત્ર પ્રાણીઓને હણીને જેઓ વળી પાત્રને પોષણ કરે છે તે અનેક દેડકાનો ઘાત કરીને સર્પને ખુશ કરે છે સુવર્ણાદિક દાનો પાત્રને આપી શકતા નથી.” એવો જિનેશ્વરોના મત છે, માટે પંડિત પુરૂષોએ સુપાત્રમાં આગળ જણાવ્યા પ્રમાણે કહ્યું તેવો અન્નાદિકનું દાન આપવું. કેવા ગુણવાળા, ઉત્તમ, મધ્યમ, જધન્ય પાત્ર ગણાય ? જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નયુક્ત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ધારણ કરનારા, મહાવ્રતના મહાભાર ધારણ કરવા સમર્થ પરિષહ ઉપસર્ગીરૂપી શત્રુ-સેના પર વિજય મેળવનાર મહાસુભટ પોતાના શરીર પર પણ મમતા વગરના પછી બીજી વસ્તુના વિષયમાં તો મમતા ક્યાંથી હોય ? ધર્મોપકરણ સિવાય પરિગ્રહના ત્યાગી, બેતાલીશ દોષોથી રહિત ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરનાર, શરીરને માત્ર ધર્મયાત્રામાં પ્રર્વતાવવા માટે જ આહારાદિ ગ્રહણ કરનારા બ્રહ્મચર્યની નવ ગુપ્તિથી શોભાયમાન, દાંત ખોતરવાની સળી જેટલી પણ પરવસ્તુમાં સ્પૃહા વગરના માન-અપમાનમાં લાભ કે અલાભમાં, સુખ કે દુઃખમાં પ્રશંસા કે નિંદામાં હર્ષ કે શોકમાં સમાન વૃત્તિવાળા, કૃત, કારિત, અનુમતિ ભેટવાળા આરંભથી રહિત, એકમાત્ર મોક્ષ મેળવવાની જ પૂર્ણ અભિલાષાવાળા યતિ ભગવંતો જે ઉત્તમ સુપાત્ર છે. સમ્યગ્દર્શન અને બાવ્રત ધારી કે તેથી ઓછા વ્રત ધારણ કરનાર દેશવિરતિવાળો યતિધર્મ મેળવવાની અભિલાષાવાળો ગૃહસ્થ મધ્યમ પાત્ર ગણાય. એક માત્ર સમ્યકૃત્વ ધારણ કરનાર, બીજા વ્રત-પાલન કે શીલ ધારણ કરવા અસમર્થ, તીર્થની પ્રભાવના કરવામાં ઉદ્યમવાળા જધન્ય પાત્ર ગણાય. કુપાત્રની ઓળખાણ કુશાસ્ત્ર સાંભળવાથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી નિષ્પરિગ્રહવાળા બ્રહ્મચર્યરસિક, ચોરી, જૂઠ, હિંસા ન કરનારા, પોતાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન અખંડિતપણે કરનારા, મૌન ધારણ કરનારા, કંદ-મૂલ ફલનો આહાર કરનારા, ભિક્ષાવૃત્તિ કરનારા, ભૂમિ કે ખેતરમાં પડેલા દાણા એકઠા કરી વૃત્તિ કરનારા, પત્રમાં ભોજન કરનારા, રંગેલા ભગવા વસ્ત્ર પહેરનારા કે વસ્ત્ર વગરના નગ્ન ચોટલી કે જટા ધારણ કરનારા કે મુંડા મસ્તકવાળા, એકદંડ અને ત્રિદંડ ધારણ કરનારા, મઠ કે અરણ્યમાં વાસ કરનારા ઉનાળામાં પંચાગ્નિ તપની સાધના કરનારા, ઠંડી ઋતુમાં પાણી ઝરતા પાત્રને ધારણ કરનાર, શરીરે ભસ્મ ચોળનારા, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પાયા, કોડા, ખોપરી, હાડકાનાં આભૂષણ ધારણ કરનારાં, પોતાની બુદ્ધિમાં પોતે ધર્મવાલા છે, પણ મિથ્યાદર્શનથી દૂષિત જિનધર્મનો દ્વેષ કરનારા, મૂઢ એવા કુતીર્થીઓ કુપાત્ર ગણાય. પ્રાણીઓના પ્રાણ હરણ કરનારા, અસત્ય વચન બોલનારા, પારકું ધન હરણ કરવાના ઉદ્યમવાળા, અતિકામાસક્ત ગધેડા સરખા, પરિગ્રહ-આરંભમાં રક્ત, કદાપિ સંતોષ ન પામનારા, માંસાહારી, મંદિરાપાનના વ્યસની ક્રોધ કરનારા, કજીયો કરવામાં આનંદી, માત્ર કુશાસ્ત્રના પાઠ ભણેલા, હંમશા પોતાને પંડિત માનનાર, તત્વથી નાસ્તિક એવાને અપાત્ર જણાવેલા છે. આ પ્રમાણે આ અપાત્ર અને કુપાત્રનો ત્યાગ કરીને મોક્ષાભિલાષી સુબુદ્ધિવાળા વિવેકી આત્માઓ પાત્ર-દાન કરવામાં પ્રવર્તે છે. પાત્રમાં દાન, આપે તો સફળ થાય કુપાત્ર કે અપાત્રમાં કરેલું દાન સફળ થતું નથી. પાત્રમાં કરેલું દાન ધર્મ માટે અને બાકી બેમાં કરેલું દાન અધર્મ કરાવનારું થાય છે. સર્પને જેમ દૂધનું પાન કરાવીએ તો વિષ-વૃદ્ધિ માટે તેમ કુપાત્ર કે અપાત્રમાં કરેલું દાન ભવ-વૃદ્ધિ માટે થાય છે. જેમ મધુર દૂધ કડવા તુંબડામાં ભર્યું હોય તો પીવા માટે નકામું બની જાય છે, તેમ કુપાત્ર કે અપાત્રમાં શુદ્ધ પણ દાન આપવામાં આવે તો તે સફળ બનતું નથી પણ દુષિત બને છે. કુપાત્ર કે અપાત્રને આખી પૃથ્વીનું પણ દાન આપવામાં આવે તો ફળ દેનારું બનતું નથી પણ શ્રદ્ધાથી પાત્રને અલ્પ આહાર આપવામાં આવે તો મહાફળ આપનાર થાય છે. મોક્ષફલ આપનાર આ દાનમાં પાત્ર અપાત્રની વિચારણા છે, પરંતુ દયાથી દાન કરવાનું તત્ત્વ જાણનારાઓએ ક્યાંય પણ નિષેધેલું નથી, પાત્ર અને દાનના શુદ્ધિ અને અશુદ્ધિથી કરેલા ચાર ભાંગાઓમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. બીજો વિકલ્પવાળો, બાકીના બે ભાંગા નિષ્ફળ સમજવા. ‘દાન કરવાથી ભોગોની પ્રાપ્તિ થાય છે.;' એ વચન વિચાર-શૂન્ય સમજવું. ઉત્તમ પાત્રમાં કરેલા દાનનું ફળ જો ક્ષુદ્ર ભોગો જ હોય તો તે કેટલું માત્ર ફળ ગણાય ? ખેતી કરવામાં જેમ મુખ્ય ફળ ધાન્ય-પ્રાપ્તિ છે, તેમ પાત્રદાનમાં મુખ્ય ફળ મોક્ષ માનેલો છે. પલાળ (ઘાસ) સરખા ભોગો તો વચ્ચે આવી મળતું આનુષંગિક ફળ છે. આ ચોવીશીમાં પ્રથમ તીર્થંકરના પ્રથમભવમાં થયેલા ધનાસાર્થવાહે દાનધર્મ કરવાથી સમ્યકત્વ-બીજ ઉપાર્જન કરી યાવત્ મોક્ષફળની પ્રાપ્તિ કરી, તે ઋષભદેવ ભગવંતના પ્રથમ પારણામાં ભિક્ષા આપનાર ના રાજમંદિરમાં હર્ષમાં ચકચૂર બનેલા દેવોએ તત્કાલ પુષ્પવૃષ્ટિ કરી. આ પ્રમાણે ઘણા વિસ્તારથી અતિથિસંવિભાગ વ્રત કહ્યું. દેય, અદેય ! પાત્ર અપાત્રને યથાર્થ સમજી યથોચિત દાન કરવું. ॥ ૮૭ | જો કે વિવેકવાલા શ્રદ્ધાળુઓને તો સુપાત્ર-દાન કરવામાં સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષ ફલ જ માનેલું છે, તો પણ ભદ્રિક પરિણામવાળા મધ્યમ પ્રકારના જીવોને ઉ૫કા૨ક થાય તો માત્ર પાત્રદાનનું પ્રાસંગિક ફળ જણાવે છે:— २५९ पश्य संगम को नाम, सम्पदं वत्सपालकः I चम्त्कारकरीं प्राप मुनिदानप्रभावतः 11 22 11 અર્થ : જુઓ ! સંગમ નામના ગોવાળે મુનિના કરેલા દાનના પ્રભાવથી ચમત્કારને કરનારી સંપત્તિ મેળવી || ૮૮ I ટીકાર્થ : મુનિદાનના પ્રભાવથી પશુપાલક-સંગમકે ચમત્કાર કરનાર સંપત્તિ પ્રાપ્ત કરી, તે તરફ નજર કરો. નજર કરો એમ જણાવીને ભદ્રિકજનોને દાન સન્મુખ કરે છે, અહીં જો કે સંગમકે પરંપરાએ મોક્ષફલ પણ મેળવ્યું જ છે, તો પણ પ્રાસંગિક ફલ કહેવાના રસમાં તે કહ્યું નથી. સંગમનું ચારિત્ર સંપ્રદાયથી આ Page #288 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૮ ૨૩૭ પ્રમાણે જાણવુંદાનફલ ઉપર સંગમકનું ચારિત્ર મગધ નામના દેશમાં ઘણા રત્ન સમૂહથી દેદીપ્યમાન લક્ષ્મીના કુલગૃહ સરખું સમુદ્ર સરખું રાજગૃહ નામનું નગર હતું. સ્વર્ગનગરીમાં જેમ ઈન્દ્ર તેમ બીજા રાજાઓએ જેનું શાસન માન્ય રાખ્યું હતું. એવો શ્રેણિક રાજા ત્યાં રાજ્ય કરતો હતો. આ બાજુ શાલિગ્રામ નામના ગામમાં કોઈ અલ્પ પરિવારવાળી દરિદ્ર બનેલી ધન્યા નામની સ્ત્રી સંગમક નામના બાળકને સાથે લઈને અહીં આવી હતી. તે નગરમાં નગરલોકોના વાછરડાંઓને ચરાવતો પોતાની આજીવિકા ચલાવતો હતો. ખરેખર ગરીબ બાળકોને માટે આ અનુરૂપ કોમળ આજીવિકાનું સાધન ગણાય. હવે એક દિવસ કોઈક તેવા પર્વ-ઉત્સવમાં દરેક ઘરમાં ખીરનું ભોજન ખવાતું સંગમે જોયું. પોતાના ઘરે પહોંચી તેણે પણ માતા પાસે ક્ષીરભોજનની માંગણી કરી. ત્યારે બિચારી માતાએ પુત્રને કહ્યું કે- હું તો નિર્ધન છું. મારા ઘરમાં વળી ક્ષીર ક્યાંથી હોય ? તે બાળક વારંવાર માતા પાસે ક્ષીરભોજનની માંગણી કરે છે, એટલે પોતાનો આગળનો ગુમાવેલો વૈભવ યાદ કરીને તે એકદમ ઝીણું ઝીણું રૂદન કરવા લાગી. તેના રૂદનના દુઃખથી જાણે હૃદયો વિધાયા ન હોય તેમ પાડોશણ સ્ત્રીઓએ આવી દુઃખ કારણ પૂછ્યું એટલે ગદ્ગદ્ અક્ષરે પોતાનું દુઃખ તેમને જણાવ્યું એટલે તેઓએ દૂધ, ખાંડ, ચોખા આદિ તેને આપ્યા અને ત્યાર પછી તેની ખીર રાંધી, ખાંડ, ઘી, દૂધથી બનાવેલી ખરીની થાળી ભરીને તે બાલકને આપીને કોઈ પણ કારણથી માતા ઘરમાં ચાલી ગઈ. આ સમયે આને ભવસમુદ્રથી તારવા માટે નાવડી સમાન એવા મહિનાના ઉપવાસવાળા મુનિ પારણે ભિક્ષા લેવા આવ્યા. આ સમયે બાળકે ચિંતવ્યું કે, શું આ ચેતનવંતુ ચિંતામણિરત્ન છે કે જંગમ કલ્પવૃક્ષ છે કે પશુ એવી આ કામધેનું છે ? અહો ! બહુ સારું બહુ સારું થયું કે મારાં ભાગ્યથી જ મહાસાધુ ભગવંત પધાર્યા, નહિતર મારા સરખા ગરીબને આવા પાત્રનો યોગ કેવી રીતે બને ? મારા કોઈક પ્રબળ પુણ્યોદયથી મને આજે ચિત્તા વિત્ત અને પાત્રરૂપ ત્રિવેણીનો સંયોગ પ્રાપ્ત થયો. એ પ્રમાણે થાલ ઊંચકીને તપસ્વી સાધુને ક્ષીર વહોરાવી અને આના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી મહાકરૂણાવાળા સાધુએ પણ તે ગ્રહણ કરી. તે મુનિ તો વહોરીને ચાલી ગયા પછી ધન્યામાતા ઘરમાંથી બહાર નીકળી માન્યું કે પુત્ર બધી ખીર જમી ગયો છે, એટલે વળી ફરી પીરસી. તે ખીર ગળાડૂબ ખૂબ ખાધી, તેથી અજીર્ણથી રાત્રે સાધુને દાન આપ્યાનું સ્મરણ કરતો-કરતો મૃત્યુ પામ્યો. તે દાન-પ્રભાવથી તે રાજગૃહ નગરમાં ગોભદ્ર શેઠની ભદ્રા-ભાર્યાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ભદ્રાએ સ્વપ્નમાં શાલિનું ક્ષેત્ર ભરપૂર પાકેલું જોયું અને તે પતિને કહ્યું એટલે પતિએ તેને પુત્ર જન્મશે” એમ કહ્યું ભદ્રાને “હું” દાન-ધર્મના કાર્યો કરું' એવા પ્રકારના દોહલા થયા અને ભદ્રબુદ્ધિવાળા ગોભદ્ર શેઠે પણ તે પૂર્ણ કર્યા. ભદ્રાએ પૂર્ણ સમયે દિશામુખને વિકસ્વર કરનાર જેમ પર્વત ભૂમિ વૈડૂર્યરત્નને તેમ પુત્રરત્નને જન્મ આપ્યો. દેખેલા સ્વપ્નના અનુસાર શુભદિવસે માતા-પિતાએ તે પુત્રનું શાલિભદ્ર એવું શુભ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી પાલન કરાતો અનુક્રમે તે વૃદ્ધિ પામતાં કંઈક ન્યૂન આઠ વર્ષનો થયો. એટલે પિતાએ કલાભ્યાસ કરાવ્યો. યૌવનવય પામ્યો અને યુવતીજન-વલ્લભ બન્યો ત્યારે નવો પ્રદ્યુમ્ન (કામદેવ) હોય તેમ સમાન વયવાળા મિત્રો સાથે રમવા લાગ્યો તે નગરના બત્રીશ શેઠિયાઓએ આવી ભદ્રાના પતિને જણાવ્યું કે, અમે અમારી બત્રીશ કન્યાઓ આપવાની તમારી પાસે યાચના કરીએ છીએ. હર્ષ પામેલા ગોભદ્રશેઠે આદરપૂર્વક સર્વ લક્ષણથી પૂર્ણ કન્યાઓ શાલિભદ્ર સાથે પરણાવી ત્યાર પછી શાલિભદ્ર મનોહર વિમાનમાં જેમ ઈન્દ્ર તેમ પોતાના મનોહર મંદિરમાં તેમની સાથે વિલાસ કરવા લાગ્યો. તેના આનંદમાં મગ્ન બનેલા તેને દિવસ ક્યાં ઉગે છે અને રાત્રિ ક્યારે પડે છે. તેની પણ ખબર પડતી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નથી. તેની ભોગ-સામગ્રી માતા-પિતા પૂર્ણ કરે છે, ગોભદ્રશેઠે વીરપ્રભુના ચરણકમલમાં દીક્ષા અંગીકાર કરી, અનશન કરી મૃત્યુ પામી દેવલોક ગયા. અવધિજ્ઞાનથી શાલિભદ્રને પોતાનો પુત્ર જાણીને તેના પુણ્યથી આકર્ષાએલા પુત્ર પ્રત્યે વાત્સલ્યવાળો બન્યો. તે પિતા-દેવે કલ્પવૃક્ષ માફક પ્રતિદિન તેના માટે અને તેની બત્રીશ ભાર્થીઓ માટે દિવ્ય વસ્ત્રાદિક અર્પણ કર્યા. મનુષ્યને ઉચિત જે કાર્ય હોય, તે ભદ્રા પૂરા કરતી હતી. પૂર્વે આપેલા દાનના પ્રભાવથી તે માત્ર ભોગો ભોગવવા લાગ્યો. કોઈક સમયે કોઈક પરદેશી વેપારીઓ રત્નકંબલો લઈને શ્રેણિક પાસે વેચવા આવ્યા. પરંતુ બહુકિંમતી હોવાથી શ્રેણિકે તે ખરીદ ન કરી ત્યાર પછી તે વેપારીઓ શાલિભદ્રના મહેલે ગયા, કહેલી કિંમત ભદ્રામાતાએ આપીને તે સર્વ રત્નકંબલો ખરીદી ચેલ્લણાને રત્નકંબલની ખબર પડી, એટલે શ્રેણિકને કહ્યું કે મહાકિંમતી હોય તો પણ મારા માટે એક રત્ન કંબલ લઈ આપો, ત્યારે શ્રેણિક રાજાએ પણ પૂર્વે જણાવેલ મૂલ્યથી રત્નકંબલની માંગણી કરી ત્યારે વેપારીઓએ કહ્યું કે, રત્નકંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી. શ્રેણિક એક હોંશિયાર પુરૂષને મૂલ્ય આપીને રત્નકંબલ લાવવા માટે ભદ્રા માતા પાસે મોકલ્યો. ભદ્રા પાસે માંગણી કરી ત્યારે કહ્યું કે, રત્નકંબલના ટુકડા કરી શાલિભદ્રની પત્નીઓને પગ લૂછવા આપી દીધા. હવે જો તેવું જરૂરી કાર્ય હોય તો વાપરેલી જીર્ણ રત્નકામળીઓ છે, માટે રાજાને પૂછીને આવીને લઈ જજે. પેલાએ આવીને રાજાને વાત જણાવી, જોડે બેઠેલી ચેલ્લણાએ રાજાને કહ્યું કે, પિત્તળ અને સુવર્ણની જેમ આપણામાં અને વણિકોમાં તફાવત કેટલો છે ? તે જુઓ, તે જ પુરૂષને શ્રેણિકે કુતુહલથી શાલિભદ્રને બોલાવવા માટે મોકલ્યો એટલે ભદ્રાએ રાજા પાસે આવીને વિનંતી કરી કે, હે દેવ ! કદાપિ મારો પુત્ર બહાર જતો નથી, માટે આપ મારે ત્યાં પધારવા કૃપા કરો. કુતૂહલથી શ્રેણિકે પણ આવવાનું સ્વીકાર્યું. તેમને થોડો વખત રોકાઈને આવવા કહ્યું. પોતે આગળ જઈને વિચિત્ર રંગબેરંગી અને માણિક્ય રત્નોથી પોતાના ઘરથી માંડી રાજમહેલ સુધીના રાજમાર્ગોની દુકાનોની શોભા કરાવી. દેવોએ તત્કાલ કરી હોય તેવી દુકાન-શોભાને વિચારતો વિચારતો આમંત્રણથી રાજા ભદ્રાના મંદિર આવ્યો. પૃથ્વી પર જાણે દેવવિમાનનું બીજું પ્રતિબિંબ હોય, તેવા સુવર્ણના સ્તંભ પર ઈન્દ્રનીલ રત્નના વીંઝાતા તોરણોવાળું મોતીઓના સાથીઓ કરેલ દ્વારભૂતલવાલે, દિવ્ય વસ્ત્રોના બાંધેલા ચંદ્રવાવાળું સુગંધી દ્રવ્યથી કરેલા ધૂપવાળું, એવું ભદ્રાનું મંદિર દેખી વિસ્મય વિકસિત લોચનવાળા રાજાએ તેમાં પ્રવેશ કર્યો અને ચોથા માળ પર આવી સિંહાસન પર બેસી ગયા. સાતમા માળ ઉપર રહેલા શાલીભદ્ર પાસે આવી માતાએ કહ્યું કે, આપણા ત્યાં તને જોવા માટે શ્રેણિક આંવ્યા છે, તો ક્ષણવાર નીચે ચાલ, એટલે પુત્ર કહ્યું, “હે માતાજી ! તમને બધી ખબર છે, જે કાર્ય હોય તે તમો જાતે પતાવી નાંખો, એમાં વળી મારે શું કરવાનું ?” ત્યારે ભદ્રાએ તેને કહ્યું. આ કંઈ ખરીદી કરવાની વસ્તુ નથી. પરંતુ આ તો સર્વ લોકોના અને તારા પણ સ્વામી છે, તે સાંભળીને શાલિભદ્ર પણ વિષાદથી વિચાર્યું કે – આવા સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર હો, કે મારા પણ વળી બીજા સ્વામી છે ! સર્પની ફણા સરખા આ ભોગોથી હવે મને સર્યું. હવે તો જલ્દી વીરપ્રભુના ચરણ-કમળમાં દીક્ષા અંગીકાર કરીશ.' આવી રીતે સંવેગયુક્ત હોવા છતાં માતાના આગ્રહથી સર્વ ભાર્યાઓ સાથે આવીને વિનયવાળા તેણે રાજાને પ્રણામ કર્યા. પોતાના ખોળામાં બેઠેલા તેને શ્રેણિકે પુત્ર માફક આલિંગન કર્યું અને સ્નેહથી મસ્તક સૂવું. ક્ષણવારમાં તો તેણે આંસુ પાડ્યાં ત્યારે ભદ્રાએ કહ્યું કે, હે દેવ ! હવે તેને છોડી દો, કારણકે મનુષ્ય છતાં પણ મનુષ્યની પુષ્પમાળાની ગંધથી પણ આ પુત્ર બાધા પામે છે, દેવગતિ પામેલા તેના પિતા હંમેશા તેના માટે અને તેની ભાર્યાઓ માટે દિવ્ય પહેરવેશ, વસ્ત્ર, અલંકાર, અંગરાગાદિક પદાર્થો આપે છે. ત્યાર પછી રાજાએ તેને છોડી દીધો, એટલે સાતમા માળે પહોંચી ગયો. Page #290 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૮ ૨૩૯ ભદ્રાએ અહીં આજે ભોજન કરવા રાજાને પ્રાર્થના કરી. ભદ્રાના દાક્ષિણ્યથી રાજાએ સ્વીકાર કર્યો. તેણે પણ તત્કાલ સર્વ તૈયારી કરાવી. “શ્રીમંતોને ધનથી શું સિદ્ધ નથી થતું ! ત્યાર પછી સ્નાન કરવા યોગ્ય તેલ, ચૂર્ણ ચોળી જલ્દી સ્નાન કર્યું. એમ કરતાં કરતાં રાજાની આંગળીએથી વીંટી ક્રીડાવાવડીમાં પડી. રાજા જેટલામાં આમતેમ ગોતે છે, ત્યારે ભદ્રાએ દાસીને આજ્ઞા કરી કે વાવડીમાંથી પાણી બીજે વાળી ખાલી કરો. તેમ તેણે કર્યું એટલે આશ્ચર્યકારી દિવ્ય આભૂષણોથી વચ્ચે લાલચોળ સળગતા અંગાર વચ્ચે કાળો કોયલો દેખાય તેવી પોતાની વીંટી દેખી રાજા વિસ્મય પામ્યો. રાજાએ દાસીને પૂછ્યું કે “આ શું છે?” ત્યારે દાસીએ કહ્યું કે, દરરોજ શાલિભદ્ર અને તેની ભાર્યાના નિર્માલ્યો આમાં નંખાય છે. “ખરેખર આ ધન્ય છે, અત્યારે હું પણ ધન્ય છું કે જેના રાજ્યમાં આવા ભાગ્યશાળીઓ પણ છે.” એ પ્રમાણે રાજાએ વિચાર્યું ત્યાર પછી પરિવાર સાથે રાજાએ ત્યાં ભોજન કર્યું. ભદ્રાએ આશ્ચર્યકારી અલંકાર વસ્ત્રાદિકથી સત્કાર કર્યો એટલે રાજા ઘરે ગયા, હવે શાલિભદ્ર પણ સંસારથી છૂટવા અભિલાષા કરી. તેટલામાં ધર્મમિત્રે આવી આ પ્રમાણે વિનંતી કરી કે, સુરાસુરથી નમસ્કાર કરાએલા સાક્ષાત્ ધર્મની મૂર્તિ હોય તેવા ચાર જ્ઞાનવાળા ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યાર પછી હર્ષથી શાલિભદ્ર રથમાં બેસી ત્યાં ગયો અને આચાર્યના ચરણમાં વંદન કરી તેમજ સાધુઓને વાંદી આગળ બેઠો. દેશના કરતાં તે સૂરિને તેણે પૂછ્યું “હે ભગવંત ! ક્યા કર્મથી બીજો પ્રભુ ન થાય ? ભગવંત કહ્યું “જે જનો દીક્ષા લે છે, તે સમગ્ર જગતના સ્વામીભાવને પામે છે ?' હે નાથ ! જો એમ છે, તો મારા માતાજીની રજા લઈને હું વ્રત અંગીકાર કરીશ- એ પ્રમાણે શાલિભદ્ર વિનંતી કરી, ત્યારે સૂરિએ કહ્યું કે પ્રમાદ ન કરવો. ત્યાર પછી શાલિભદ્ર ઘરે જઈને માતાને નમસ્કાર કરી કહ્યું કે, આજે સમગ્ર જગતના દુઃખથી મુક્ત કરાવનાર મોક્ષના ઉપાય સ્વરૂપ ધર્મ મેં ધર્મઘોષ આચાર્યના મુખકમલથી સાંભળ્યો, “હે વત્સ ! ધર્મ શ્રવણ કર્યો. તે બહુ સારું કર્યું તેવા પિતાનો તું પુત્ર છે. એ પ્રમાણે ભદ્રાએ પણ હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી તેણે પણ કહ્યું. હે માતાજી ! એ હું તે પિતાનો પુત્ર છે જો એમ જ હોય તો મારા પર પ્રસન્ન થા, હું દીક્ષા ગ્રહણ કરીશ. માતાએ પણ કહ્યું હે વત્સ ! આ વ્રત લેવાનો તારો ઉદ્યમ યુક્ત છે. પરંતુ આ દીક્ષામાં હંમેશા લોઢાના ચણા ચાવવાના છે, તું સ્વભાવથી પણ સુકુમાર શરીરવાળો છે, વળી દિવ્યભોગોથી લાલન-પાલન કરાયો છે, જેમ વાછરડો રથને, તેમ તું વ્રતને કેવી રીતે વહન કરી શકશે ? શાલિભદ્ર પણ જવાબ આપ્યો કે, શું જેમણે ભોગો ભોગવેલો હોય તેવા પુરૂષો વ્રતના કષ્ટ સહન કરવામાં કાયર હોય અને શું બીજા કાયર હોતા નથી ? ત્યારે માતાએ કહ્યું કે, ક્રમે ક્રમે ભોગોનો ત્યાગ કર અને મર્યલોકની માલ્ય-ગંધ સહન કરવાની ટેવ પાડ. એમ અભ્યાસ પાડીને હે વત્સ ! દીક્ષા ગ્રહણ કર. ત્યાર પછી શાલિભદ્ર પણ માતા ભદ્રાનું વચન માનીને એક એક ભાર્યા તથા તળાઈ દરરોજ છોડવા લાગ્યો. આ બાજુ તે જ નગરમાં શાલિભદ્રની નાની બેનનો પતિ મહાધનભંડારવાળો ધન્ય નામનો રહેતો હતો. અશ્રુવાળી શાલિભદ્રની બેન ધન્યને નવડાવતી હતી, ત્યારે તેણે પૂછ્યું કે કેમ રુદન કરે છે ? ત્યારે આ હકીકત ગદ્ગદ્ સ્વરે જણાવી કે દીક્ષા લેવાની અભિલાષાવાળો મારો ભાઈ દરરોજ એક એક ભાર્યા અને તળાઈનો ત્યાગ કરે છે, તે કારણે રડવું આવી જાય છે. ત્યારે મશ્કરી કરતાં ધન્ય એમ કહ્યું કે, જે આમ થોડો થોડો ત્યાગ કરે, તે શિયાળ માફક બીકણ અને હીનસત્ત્વવાળો છે. ત્યારે ધન્યને બીજી પત્નીઓ પણ મજામાં કહેવા લાગી કે, જો વ્રત ગ્રહણ કરવું સહેલું હોય તો તમે કેમ નથી કરતા? ધન્ય તેઓને કહ્યું કે તમે જ વ્રતમાં વિઘ્ન કરનારી હોવાથી ગ્રહણ કરતો ન હતો. પુણ્યયોગે આજે તમે મને અનુમતિ આપી તેથી હવે વિલંબ વગર હું દીક્ષા અંગીકાર કરીશ. ત્યારે તેઓએ કહ્યું કે “હે સ્વામી ! Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ તો અમે મજાકમાં બોલ્યા છીએ, માટે કૃપા કરીને આ હંમેશા લાલન કરેલી લક્ષ્મીને અને અમને તમે ન છોડશો' આ સ્ત્રી અને ધન અનિત્ય છે, માટે તેનો ત્યાગ કરી શાશ્વતપદની ઈચ્છાથી હું અવશ્ય દીક્ષા લઈશ” એમ કહીને ધન્ય ઉભો થયો ત્યારે તેઓએ ધન્યને કહ્યું કે, “તમારું અનુકરણ કરી અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું.” પોતાને ધન્ય માનતા મહામાનવાળા ધન્ય તેમને અનુમતિ આપી. આ બાજુ વૈભાર પર્વત ઉપર શ્રી વીરભગવંત સમવસર્યા એટલે ધન્યને તેના ધર્મમિત્રે તરત તે સમાચાર આપ્યા. દાન દઈને પોતાની પત્નીઓ સાથે શિબિકામાં બેસી ભવનો ભય પામેલો ધન્ય મહાવીર ભગવંતના ચરણકમળમાં ગયો. પત્નીઓ સહિત તેણે ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. તે સાંભળી શાલીભદ્ર પણ “પોતે પાછળ રહી ગયો’ એમ માની દીક્ષા માટે ત્વરા કરવા લાગ્યો. મહાપરાક્રમી શ્રેણિકરાજાથી અનુસરાતા શાલિભદ્ર શ્રી મહાવીર પ્રભુ પાસે આવી તેમના ચરણકમળમાં દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ટોળા સહિત જેમ હસ્તિરાજ તેમ સિદ્ધાર્થ-નંદન વીર પ્રભુ પરિવાર સાથે વિહાર કરતા કરતાં બીજે ગયા. ધન્ય અને શાલિભદ્ર બન્ને બહુશ્રુત જ્ઞાની બન્યા, તેમજ ખધારા સરખું મહાતપ કરવા લાગ્યા શરીરની મમતા રહિત બંને પક્ષ, મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના આદિના ઉગ્ર તપ કરી પારણું કરતા તેવી ઉગ્ર તપસ્યા કરતા કરતા તે બંનેના શરીર માંસ-લોહી વગરની ચામડાની ધમણ સરખા બની ગયા. કોઈક સમયે શ્રીમહાવીર ભગવંતની સાથે તે બંને મુનિવરો પોતાની જન્મભૂમિમાં રાજગૃહ નગર આવ્યા. ત્યાર પછી સમવસરણમાં રહેલા ભગવંતને વંદન કરવા માટે અખંડિત શ્રદ્ધાતિશય યોગે નગરલોકો નગરથી આવવા લાગ્યા. આજે ધન્ય અને શાલિભદ્ર બંનેનું પારણું હોવાથી ભિક્ષા લેવા નીકળવાની આજ્ઞા માટે ભગવંત પાસે આવી પ્રણામ કરતા હતા. “આજે તારી માતા પારણું કરાવશે' એમ પ્રભુ વડે કહેવાએલા શાલિભદ્ર ધન્યમુનિ સાથે વહોરવા નીકળ્યાં. ભદ્રાના મહેલના દરવાજા પાસે જઈ બંને ઉભા રહ્યા, પરંતુ તપથી દુર્બળ દેહવાળા બનેલા તેમને કોઈને ઓળખ્યા નહિ. આજે ભદ્રાએ પણ શ્રી વીર પ્રભુ, શાલિભદ્ર અને ધન્યને વંદન કરવા જવાની ઉત્સુકતા અને વ્યાકુલતામાં હોવાથી બને મુનિઓને ન ઓળખ્યા. ક્ષણવાર ત્યાં રોકાઈને ત્યાંથી બંને મુનિઓ નીકળી ગયા અને નગરના દરવાજાની શેરીમાંથી નીકળતા હતા. ત્યારે તે નગરમાં દહીં અને ઘી વેચવા માટે આવતી શાલિભદ્રની પૂર્વભ માતા ધન્યા સામે મળી. શાલિભદ્રને દેખતા જ તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. બંને મુનિઓને વંદન બંનેને દહી વહોરાવ્યું. ત્યાર પછી વીર ભગવંતની પાસે જઈ ગોચરી આલોવી બે હાથની અંજલિ કરી શાલિભદ્રે કહ્યું. “હે ભગવંત ! માતાથી પારણું કેવી રીતે ? સર્વજ્ઞ ભગવંતે કહ્યું. તે શાલિભદ્ર મહામુનિ ! તારા આગલા જન્મની ધન્યામાતા અને બીજા પણ જન્મોમાં થએલી માતા, દહીંથી પારણું કરીને પ્રભુને પૂછીને ત્યાર પછી ધન્યમુનિ સાથે શાલિભદ્ર મુનિ વૈભારગિરિ ઉપર ગયો. ધન્ય સાથે શાલિભદ્ર શિલાતલનું પ્રતિ લેખન કરી ત્યાં પાદપોપગમન નામનું અનશન આદર્યું. તે વખતે તેની માતા ક રાજા ભક્તિથી વીર ભગવંતના ચરણકમળ પાસે આવ્યા. ભદ્રામાતાએ પૂછ્યું કે “ધન્ય અને શાલિભદ્ર મુનિઓ ક્યાં છે ? હે પ્રભુ ! અમારે ત્યાં ભિક્ષા માટે કેમ ન પધાર્યા ? સર્વજ્ઞ પ્રભુએ કહ્યું. તમારે ઘરે બંને મુનિઓ આવ્યા હતા, પરંતુ અહીં આવવામાં વ્યગ્ર બનેલાં તમે તેમને ઓળખ્યા નહિ. પૂર્વજન્મની માતા બન્યા તમારા પુત્રને સામે મળી ને દહીં વહોરાવ્યું તેનાથી બંનેએ પારણું કર્યું. મહાસત્વવાળા બને આ ભવનો ત્યાગ કરવા માટે વૈભારપર્વત પર ગયા છે અને ત્યાં અનશનનો સ્વીકાર કર્યો છે, શ્રેણિક સાથે ભદ્રા વૈભાર પર્વત ઉપર પહોંચી અને ત્યાં પત્થરના ઘડેલા પૂતળા જેવા તથા પ્રકારના કાઉસ્સગ્નમાં રહેલા દેખ્યા. કષ્ટથી તેના સામું જોઈને તેના આગલા સુખો યાદ કરતી એવું રૂદન Page #292 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૯ ૨૪૧ કરવા લાગી કે તેના પડઘાથી વૈભારિગિરને જાણે રડાવતી ન હોય ! હે વત્સ ! તું ઘરે આવ્યો છતાં અલ્પભાગ્યવાળી મેં તને ઓળખ્યો નહિ. મારા પ્રમાદથી તું મારા પર ગુસ્સો ન કરીશ. જો કે તે’ અન્નનો તો ત્યાગ કર્યો છે, તો પણ તું તારા પોતાના દર્શનથી અમારા નેત્રોને આનંદ કરાવશે' એવો મને મનોરથ હતો. પરંતુ હે પુત્ર ! શરીર-ત્યાગના કારણભૂત આ અનશનના આરંભથી તે મારો મનો૨થ પણ અત્યારે ભંગ કરવા તૈયાર થયો છે. તે જે પ્રકારનું તપ આરણ્યું છે તેમાં તને વિઘ્ન કરનારી નથી બનતી, પરંતુ આ અત્યંત ખરબચડી શિલાતલથી આ તરફ. હવે અહીં શ્રેણિકે ભદ્રાને કહ્યું કે— “હે માતાજી ! તમે હર્ષના સ્થાને રૂદન કેમ કરો છો ? જેને આવો પુત્ર છે, તેથી ક૨ી સ્ત્રીઓમાં તમે એક જ પુત્રવતી છો. આ મહાસત્ત્વવાળા, તત્ત્વને જાણનારા, તૃણ માફક લક્ષ્મીનો ત્યાગ કરી સાક્ષાત મોક્ષ સરખા સ્વામીના ચરણકમલને પામ્યા. અને જગતના સ્વામીના શિષ્યને અનુરૂપ તપ તપી રહેલા છે, તમે ફોગટ સ્ત્રી-સ્વભાવથી મનમાં દુઃખ પામો છો” આ પ્રમાણે રાજાએ પ્રતિબોધેલી દુઃખી હૃદયવાળી ભદ્રા બંને મહામુનિઓને વંદન કરીને પોતાના ઘરે ગઈ અને સાથે શ્રેણિક પણ ગયો. કાળધર્મ પામી બંને સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમ-પ્રમાણ આયુષ્યવાળા ઉત્તમ દેવ થયા. જેવી રીતે ભવિષ્યમાં વૃદ્ધિ પામતી એવી અજોડ સંપત્તિ સુપાત્રદાનના ફળથી સંગમકે પ્રાપ્ત કરી, તેવી રીતે પુણ્યના અર્થી પુરૂષોએ યથાર્થ રીતે અતિથિસંવિભાગ વ્રતમાં સતત પ્રયત્ન કરવો જોઈએ. સંગમકની કથા સંપૂર્ણ. 11 22 11 આ પ્રમાણે બાર વ્રતોનો અધિકાર જણાવ્યો, હવે તેમાં થતાં અતિચારનું રક્ષણ કરવા સ્વરૂપ કથન કરતાં જણાવે છે २६० व्रतानि सातिचारिण सुकृताय भवन्ति न 1 अतिचारास्ततो हेयाः पञ्च पञ्च व्रते व्रते ॥ ८९ ॥ અર્થ : વ્રતો અતિચાર-સહિત પાલન કરવામાં આવે તો સુકૃત-પુણ્ય માટે થતા નથી. તેથી દરેક વ્રતમાં પાંચ-પાંચ અતિચારોનો ત્યાગ કરવો ॥ ૮૯ ટીકાર્થ : અતિચાર એટલે વ્રતની મલિનતા, મલિનતાવાળા વ્રતો સુકૃત (પુણ્ય) માટે થતાં નથી. તે માટે એક એક વ્રતમાં પાંચ-પાંચ અતિચારો છોડવા જોઈએ. શંકા કરી કે સર્વવિરતિમાં જ અતિચારો હોય, તેમને જે સંજ્વલનનો ઉદય કહેલો છે. કહેલું છે કે ‘સર્વ પણ અતિચારો સંજ્વલનના ઉદયથી થાય છે, બાર કષાયોથી તે વળી મૂળવ્રતનો છેદ થાય છે.' (આ. નિ. ૧૧૨), સંજ્વલનકષાયનો ઉદય સર્વવિરતિવાળાને જ હોય. દેશવિરતિવાળાને તો પ્રત્યાખ્યાનવરણ કષાયનો ઉદય હોય છે, તેથી દેશવિરતિવાળા શ્રાવકને અતિચાર સંભવતા નથી.' આ વાત યોગ્ય જ છે તેનું અલ્પપણું હોવાથી, કંથવાના શરીરમાં છિદ્રના અભાવ માફક તે આ પ્રમાણે— ‘પ્રથમ અણુવ્રતમાં સ્થૂલ, સંકલ્પ, નિરપરાધ, દ્વિવિધ, ત્રિવિધ આદિ વિકલ્પોવાળી ઘણી છૂટછાટ રાખેલી હોવાથી અતિસૂક્ષ્મપણાને પામેલી દેશવિરત હોવાથી તેમાં દેશનો અભાવ હોવાથી દેશિવરાધનારૂપ અતિચારો તેમાં કેવી રીતે લાગે ? તેનો તો સર્વનાશ જ થાય છે. મહાવ્રતોમાં તો મોટાં વ્રત હોવાથી અતિચાર થવા સંભવે છે, હાથીના શરીરના ગુમડાના છિદ્રો પર મલમપટ્ટો બાંધવા માફક', આ શંકાના સમાધાનમાં સમજાવે છે કે, “દેશવિરતિમાં અતિચારો સંભવતા નથી, તે વાત અંગત સમજવી. ઉપાસકદશા આદિમાં દરેક વ્રતના પાંચ-પાંચ અતિચારો જણાવેલા છે. હવે કદાચ તમે તેનો ભંગો કહેતા - Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હો અને અતિચાર ન કહેતા હો, પણ એમ નથી. આગમમાં ભંગો અને અતિચારો જુદા રૂપે માનેલા હોવાથી જે વળી કહેલું છે કે – સર્વે અતિચારો સંજ્વલન કષાયના ઉદયથી જ થાય છે, તે વાત સત્ય છે, પરંતુ તે હકીક્ત સર્વવિરતિ ચારિત્રને આશ્રીને જ કહેલી છે, પણ સમ્યક્ત અને દેશવિરતિને આશ્રીને કહેલી નથી. કારણ કે “સર્વે અતિચારો સંજ્વલનના ઉદયમાં' ઇત્યાદિક ગાથામાં આ પ્રકારે વ્યાખ્યા છે– કે સંજ્વલન કષાયના ઉદયમાં સર્વવિરતિમાં અતિચારો લાગે છે અને બાકીના બાર કષાયોના ઉદયમાં તો તે સર્વવિરતિના મૂલવ્રતનો છેદ થાય છે. આ રીતે દેશવિરતિમાં અતિચારનો અભાવ નથી.” | ૮૯ || તેમાં પ્રથમ વ્રતના અતિચારો કહે છે : २६१ क्रोधाद्बन्धश्च्छविच्छेदो-ऽधिकभाराधिरोपणम् । . प्रहारोऽन्नादिरोधश्चा-हिंसायापरिकीर्तिता ॥ ९० ॥ અર્થ : પ્રથમ વ્રતનાં પાંચ અતિચાર આ પ્રમાણે છે : (૧) ક્રોધથી પશુઓને બાંધવા (૨) ચામડીનો છેદ કરવો, (૩) શક્તિ કરુતાં અધિક ભાર ચઢાવવો (૪) લાકડી આદિથી પ્રહાર કરવો. (૫) પશુઓને અન્ન-પાણી ન આપવાં // ૯૦ || ટીકાર્થ : અહિંસારૂપ પ્રથમ અણુવ્રતમાં આ પાંચ અતિચારો-ગાય, ઢોર આદિને દોરડાં, સાંકળ આદિથી બાંધી નિયંત્રણ કરવું. વિનય ગ્રહણ કરાવવા માટે, ઉન્માર્ગે જતા રોકવા માટે પોતાના પુત્રાદિકને પણ બંધનમાં નાંખવા પડે, તે અતિચાર નથી, માટે ક્રોધથી એમ કહ્યું. પ્રબલ કષાયના ઉદયથી જે બાંધવું તે પહેલો અતિચાર. શરીરની ચામડીનો છેદ કરવો-છુટી પાડવી. તે પુત્રાદિકને પગમાં વાલ્મિક રસોળી દરદ થયું હોય અને ચામડીનો છેદ કરી કાપવી પણ પડે. આ કારણથી ‘ક્રોધથી એની અનુવૃત્તિ દરેક અતિચારમાં સમજવી. ક્રોધથી ચામડીનો છેદ કરવો, તે બીજો અતિચાર. ગાય, ઊંટ, ગધેડા, માણસ આદિના ખાંધ કે પીઠ પર કે માથા પર અથવા ગાડા-ગાડીના વાહનમાં વહન કરી શકે તે કરતાં વધારે ભાર લાદવો. અહીં પણ ક્રોધથી વધારે ભાર લાદવો અને ઉપલક્ષણથી લોભથી પણ વધારે ભાર ભરવો તે ત્રીજો અતિચાર. ક્રોધથી લાકડી, ચાબુક, લોઢાની અણીવાળી લાકડી ભોંકવી, ચાબુક મારવો ઢેફાંથી માર મારવો ઈત્યાદિક ચોથો અતિચાર, ક્રોધથી અન્નાદિક, જળ, ઘાસ-ચારો ન આપવો તે પાંચમો અતિચાર આ વિષયમાં આવશ્યક ચૂર્ણિમાં કહેલો વિધિ :- બંધ બે પગવાળા મનુષ્યને કે ચાર પગવાળા પશુને હોય અને સાર્થક બંધ અનર્થક તેમાં અનર્થક બંધ કરવો યોગ્ય નથી. સાર્થક બંધ વળી બે પ્રકારે તે પણ સાર્થક બંધ અને અપેક્ષા વગરનો બંધ, તેમાં જે સાપેક્ષ બંધ એટલે ઢીલી દોરડાની ગાઢ બાંધવી, જેથી કરીને કદાચ અણધારી આગ લાગી હોય તો સહેલાઈથી ગાંઠ છોડી શકાય તે તેને મુક્ત કરી શકાય. નિરપેક્ષ એ કહેવાય કે, ઘણાં પ્રયત્ન પણ ગાંઠ છોડવી મુશ્કેલ પડે અને આગ લાગે તો ન છુટવાથી બળી મરે. આ ચાર પગવાળા માટેનો બંધ કહ્યો. બે પગવાળા દાસ-દાસી, ચોર, ભણવામાં પ્રમાદી પુત્રાદિકને જે બાંધવા પડે ત્યારે સહેલાઈથી છુટી શકે તેવી રીતે બાંધવા અને રક્ષણ કરવું જેથી અગ્નિના ભય આદિ પ્રસંગમાં વિનાશ ન પામે. તેમ જ શ્રાવકે બે પગવાળા અને ચાર પગવાળા એવા જ સંગ્રહ કરવા. વગર બાંધેલા રહી શકે. ચામડી છેદવી વ.મા પણ તે જ પ્રમાણે સમજવું. માત્ર નિરપેક્ષ તે કહેવાય, જેમાં હાથ, પગ, કાન, નાક આદિ અવયવો નિર્દયપણે છેદ, સાપેક્ષ તો વળી ગુમડાં થયાં હોય, તેમાંથી પરૂ કે પાકેલો ભાગ કે નકામા ભાગને છેદી કે બાળી નાંખે. તથા અધિક ભાર આરોપણ કરવા એ અતિચારમાં પ્રથમ તો શ્રાવકે બે કે ચાર પગવાળા વાહનની આજીવિકા છોડી દેવી, કદાચ બીજી આજીવિકા ન હોય Page #294 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૦ ૨૪૩ ત્યારે બે પગવાળો પોતાની જાતે ભાર ઉંચકે, જાતે ઉતારે, તેટલો જ ભાર તેની પાસે વહન કરાવવો. ચાર પગવાળો પાસે તો યથોચિત ભાર કરતાં પણ કંઈક ઓછો ભાર વહન કરાવવો, હળ ગાડાં પણ રથ આદિમાં જોડ્યા હોય, તો યોગ્ય નિયત સમયે તેમને છોડી મુકવા જોઈએ, પ્રહાર પણ તેવી જ રીતે, પરંતુ નિરપેક્ષ પ્રહાર-નિર્દયતાથી તાડન કરવું. સાપેક્ષ પ્રહાર તો શ્રાવકે હંમેશા શરૂથી જ પોતાના આશ્રિતો. પોતાથી ડરતાં રહે અને અવિનયવાળા ન બને તેની તકેદારી રાખવાની હોય, કદાચ કોઈ વિનય ન કરે, કહ્યું ન માને તો મર્મસ્થાન છોડી લાતથી કે દોરડીથી એક કે બે વખત જ તાડન કરે, તેમજ કોઈને પણ અન્ન-પાણી આદિનો રોધ-નિષેધ ન કરવો, કારણકે તીવ્ર ભૂખવાળો કદાચ મૃત્યુ પામે, પોતાનાં ભોજન સમયે તાવવાળા કે તેવા રોગવાળા આદિને છોડી બીજા બાંધેલા કે કાર્યમાં રોકી રાખેલા હોય, તેવાને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું. અન્નાદિકના રોધ પણ બંધ માફક સાર્થક અને અનર્થક એમ બે ભેદાવાળો સમજવો. પરંતુ સાપેક્ષ રોગની ચિકિત્સા માટે હોય. શાન્તિ નિમિત્તે ઉપવાસાદિક કરાવે. અપરાધ કરનારને માત્ર વાણીથી કહે કે, આજે તને ભોજન આદિ નહીં અપાય. વધારે કેટલું કહેવું ? અહિંસા લક્ષણ મુલગુણના અતિચારો ન થાય, તે પ્રકારે જયણાથી વર્તવું. શંકા કરી કે- “શ્રાવકે તો હિંસાના પચ્ચકખાણ કર્યા છે, તેથી બંધાદિક કરે તો પણ દોષ નથી. હિંસાની વિરતિ તો અખંડિત રહેલી છે. હવે જો બંધાદિકનાં પચ્ચકખાણ કર્યા હોય તો વધ-બંધાદિક કરે તો વિરતિનું ખંડન થવાથી વ્રતભંગ થાય જ. વળી બંધાદિકના પચ્ચખાણ કરવાનું સ્વીકારીએ તો વ્રતની મર્યાદા તૂટી જાય. દરેક વ્રતમાં અતિચાર વ્રતની અધિકતા થઈ જાય. છે. એમ થવાથી બંધાદિકોની અતિચારતા રહેતી નથી” આના સમાધાનમાં જણાવે છે કે- તારું કથન સત્ય છે કે, હિંસાના જ પચ્ચકખાણ કર્યા છે. પણ બંધાદિકના નહિ. માત્ર તેના પચ્ચક્ખાણમાં અર્થપત્તિથી તો તેના પણ પચ્ચક્ખાણ કરેલા સમજવા. હિંસાના તે ઉપાયો-કારણો છે. બંધાદિક કરે તો વ્રતનો ભંગ નથી. પરંતુ અતિચાર જ છે. કેવી રીતે ? અહીં વ્રત બે પ્રકારનું અંતવૃત્તિથી અને બહિવૃત્તિથી તેમાં હું મારું એવા વિકલ્પ વગર જો કોપ કે આવેશથી પારકા પ્રાણને ગણકાર્યા વગર બંધાદિકમાં પ્રવર્તે અને હિંસા ન થાય, ત્યારે નિર્દયતા કે વિરતિની નિરપેક્ષતાથી પ્રવર્તતો હોવાથી અંતવૃત્તિથી વ્રતનો ભંગ થયો, હિંસાનો અભાવ હોવાથી બહિવૃત્તિ દેશનું પાલન અને દેશથી ભંગ થયો હોવાથી અતિચારનો વ્યપદેશ-વ્યવહાર પ્રવર્તે છે. તે માટે કહેલું છે કે હું ને મારું એ પ્રમાણે કરેલા વ્રતવાળાને મૃત્યુ પામ્યા વગર અહીં ક્યો અતિચાર લાગે ? કોપથી વધાદિક કરે છે, તે નિયમની અપેક્ષા રાખતો નથી, તેને નિરપેક્ષ કહેવાય. મૃત્યુ થયું ન હોવાથી તેના નિયમ રહેલો છે, પરંતુ ક્રોધથી દયાહીનપણાથી તો તે ભંગ થયો છે. દેશથી ભંગ અને દેશથી પાલન થયું હોવાથી પૂજ્યો તેને અતિચાર કહે છે.” જે કહ્યું હતું કે– બાર વ્રતની મર્યાદા તૂટી જાય, તે વાત યોગ્ય નથી. વિશુદ્ધ અહિંસાના અભાવમાં બંધાદિકનો અભાવ જ છે, તેથી નક્કી થયું કે, બંધાદિકનો અતિચાર જ છે. બંધાદિક ગ્રહણ કરેલ હોવાથી ઉપલક્ષણથી મંત્રપ્રયોગ આદિ બીજા પણ અતિચારપણે જાણવા. / ૯૦ || હવે બીજા વ્રતનો અતિચાર કહે છે २६२ मिथ्योपदेशः सहसा-ऽभ्याख्यानं गुह्यभाषणम् । विश्वस्तमन्त्रभेदश्च कुटलेखश्च सूनृते Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : (૧) મિથ્યા ઉપદેશ કરવો (૨) અન્ય ઉપર ખોટા દોષ ચડાવવા (૩) ગુપ્ત વાતને પ્રગટ કરવી. (૪) વિશ્વાસના મર્મને જાહેર કરવો અને (૫) ખોટા દસ્વાવેજ કરવા, આ પાંચ અતિચાર બીજા વ્રતના કહ્યાં છે. || ૯૧ . ટીકાર્થ : મિથ્યા ઉપદેશ અસદુપદેશ, સત્યના પચ્ચક્ખાણવાળાને પરપીડા કરનારું વચન અસત્ય જ છે, તેથી પ્રમાદથી બીજાને પીડા કરનાર ઉપદેશમાં અતિચાર લાગે છે, જેમ કે – “ગધેડા, ઊંટોને બેસાડી કેમ રાખ્યા છે ? તેની પાસે કામ કરાવો, ભાર ઉંચકાવો, ચોરોને હણો” અથવા તો યથાસ્થિત અર્થ, તે તથોપદેશ તે સાધવા યોગ્ય ગણાય. વિપરીત તે અયથાર્થોપદેશ : જેમ કે - બીજા કોઈ સંદેહવાલાએ પ્રશ્ન કર્યો, તેને સરખો જવાબ ન આપવો. સાચી વાત ન કહેવી. અથવા તો વિવાદમાં પોતે કે બીજા દ્વારા આડા-અવળા કોઈ જુદા અભિપ્રાયવાળા જવાબ આપવાની પ્રેરણા કરવી. તે પ્રથમ અતિચાર વગર વિચાર્યું કોઈના ઉપર ખોટા દોષ કે કલંકનું આરોપણ કરવું. જેમ કે – તું ચોર કે પરસ્ત્રી ગમન કરનાર છે.' કેટલાક વળી સહસા અભ્યાખ્યાનના સ્થાનમાં રહસ્યાભ્યાખાન કહે છે. તેઓનું કથન જણાવે છે– રહ એટલે એકાંત, તેમાં થવાવાળું એકાંતમાં કહેવું, ખોટી પ્રશંસા કરવી, કે ખોટા કલંક ચડાવવા, રહસ્યાભ્યાખાન આ પ્રમાણે સમજવું કે, જો કોઈ વૃદ્ધસ્ત્રી હોય તેને એકાન્તમાં કહે છે કે આ તારો-ભર્તાર તરુણ સ્ત્રીમાં બહુ પ્રેમ કરનારો છે. હવે જો તરુણી હોય તો તેને એમ કહે છે કે, આ તારો પતિ કામ-કળામાં કુશળ પ્રૌઢ ચેષ્ટાવાળી મધ્યમ વયવાળી સ્ત્રીમાં અનુરાગી બન્યો છે, તથા આ તારો પતિ બહુ વિષય-વાસનાવાળો છે, અથવા મર્દાનગી વગરનો છે, એમ હાસ્ય કરે તથા સ્ત્રી માટે ખોટી વાત ઉભી કરી તેના પતિ પાસે કહે કે, મને એકાંતમાં તારી પત્ની કહેતી હતી કે, તારા અતિશય વિષય-સેવનથી તે બિચારી કંટાળી ગઈ છે. અથવા તો તે કહેતી હતી. હું મારા પતિને પણ વિષય-ક્રીડામાં થકવી નાખું છું અથવા દંપત્તિ યુગલમાંથી કોઈ સ્ત્રી કે પુરૂષને જે પ્રકારે રાગની અધિકતા વધે, તે પ્રકારે તેવા પ્રકારના એકાંતમાં અનેક રીતે વિષયની ગુપ્તવાતો મશ્કરી વિનોદ ખાતર કરવી તે અતિચાર છે. જાણી-સમજી દુરાગ્રહથી જૂઠ બોલવામાં આવે, તો વ્રતનો ભંગ થાય. કહેલું છે કે- “સહસા અભ્યાખ્યાન વિગેરે જો જાણવા છતાં કરવામાં આવે તો વ્રતભંગ થાય અને જો ઉપયોગ વિના હાંસી કે મજાકમાં વગર વિચાર્યું આળ-કલંક ચડાવે, તો તે અતિચાર સમજવો.” આ બીજો અતિચાર હવે, “ગુહ્ય ભાષણ' નામનો અતિચાર સમજાવતા કહે છે કે-સર્વને ન જણાવવા યોગ્ય. જેમ કે રાજાદિકના કાર્ય સંબંધી ગુપ્ત વાતો જાણવાનો અધિકાર નથી, પણ ઈંગિત આકારથી બીજા કારણે તે વાત જાણી કે અનુમાનથી સમજી બીજાને કહી દે કે, અમુક માણસો રાજ્ય-વિરૂદ્ધ ચોક્કસ કાર્યો કરવાનો વિચાર કરી રહ્યા છે અથવા તો ગુહ્ય ભાષણ એટલે ચાડી કરવી, જેમ કે કોઈ બે માણસો પરસ્પર પ્રીતિવાળા હોય. તેમાંથી એકના મુખ-ચહેરાના અને વર્તાવના આધારે એકનો અભિપ્રાય બીજાને તેવી યુક્તિપૂર્વક જણાવે. જેથી તેની પ્રીતિ તૂટી જાય. આ ત્રીજો અતિચાર તથા વિશ્વાસુની ગુપ્ત મંત્રણા જાહેર કરવી. વિશ્વાસુ મિત્ર, સ્ત્રી વગેરે. તેઓની ગુપ્ત ખાનગી વાતો જાહેર કરવી. જો કે તેના કહ્યા પ્રમાણે સત્ય હોય તેથી અતિચાર ન લાગે, તો પણ ગુપ્ત રાખવાની હકીકત જાહેર કરી અને તેથી મિત્ર સ્ત્રીને લજ્જાથી મરણ પામવાનો પ્રસંગ આવે. તે કારણે પરમાર્થથી તે અસત્ય છે, ભંગરૂપ હોવાથી અતિચાર લાગે. ગુહ્ય ભાષણમાં ઈંગિત આકારાદિથી અધિકાર ન હોવા છતાં ગુહ્ય પ્રગટ કરે છે, અહીં તો તે પોતે મંત્રણા કરીને જે ગુપ્ત મંત્રણા પ્રગટ કરી – આ બંને વચ્ચે ફરક છે. અર્થાત એક વિશ્વાસઘાત રૂપ અને એક કલંક ચાડી રૂપ છે. એ પ્રમાણે વિશ્વાસઘાત નામનો ચોથો અતિચાર જણાવ્યો તથા “ફૂટ લેખ' ખોટું લખાણ. ખોટું દસ્તાવેજ કે બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરો Page #296 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૧-૯૨ ૨૪૫ લખવા. આ અતિચારમાં જેણે. ‘કાયાથી અસત્ય ન બોલવું' એવા ભાંગે વ્રત લીધું હોય કે કાયાથી અસત્ય બોલું નહિ, બોલાવવું નહિ એવા ભાંગે વ્રત લીધું હોય તેઓને તો આ વ્રત ખોટા લેખ લખવાથી ભંગ થાય જ છે. તો પણ વગર વિચાર્યે અજાણતાં કે અતિક્રમ આદિથી અતિચાર લાગે છે અથવા તો મારે અસત્ય બોલવાનો નિયમ છે. આ તો લખાણ છે, તેથી મારી જાતને બાધ નથી-એવી સમજવાળાને વ્રતપાલન કરવાની બુદ્ધિ કરવાથી અતિચાર જ છે. એમ આ પાંચમો અતિચાર બીજા વ્રતમાં જણાવ્યો. || ૯૧ || હવે ત્રીજા વ્રતના અતિચારો કહે છે– २६३ स्तेनानुज्ञा तदानीता - ऽऽदानं द्विड्राज्यलङ्घनम् । प्रतिरूपक्रिया माना -न्यत्वं चास्तेयसंश्रिताः ॥ ૨૨ ૫ અર્થ : (૧) ચોરોને ચોરી કરવામાં સહાય કરવી (૨) ચોરોએ ચોરેલી સુવર્ણાદિ વસ્તુને મૂલ્યથી ખરીદવી. (૩) શત્રુના રાજ્યમાં પ્રવેશ કરવો. (૪) સમાન વર્ણવાળી હીન વસ્તુ ભેળવીને અનાજ આદિ ચીજો વેચવી અને (૫) ખોટા તોલ-માપ કરવા- આ પાંચ અતિચાર અસ્તેય વ્રતના કહ્યા છે. ॥ ૯૨ || ટીકાર્થ : ત્રીજા સ્થૂલ અદત્તાદાન-વિરમણના પાંચ અતિચારો કહેલાં છે. ચોરોને ‘ચોરી કરો’ એમ પ્રેરણા કરવી અથવા તો ચોરને જરૂરી હથિયારો કોશ, કાતર, શારડી આદિ મફત કે વેચાતા આપવા. અહીં જો કે ‘હું ચોરી કરું નહિ કરાવું નહિ' એ પ્રમાણે વ્રત અંગીકાર કર્યું હોય. તેને આ અતિચારથી વ્રત-ભંગ થાય જ. છતાં પણ ‘તમે હમણાં ઉદ્યમ વગરના કેમ બેસી રહેલા છો ? જો તમારી પાસે ભોજનાદિ ન હોય તો હું તમને આપું. તમારા ચોરેલા માલનો ખરીદનારો કોઈ નહિ હશે તો હું ખરીદી લઈશ' એવા વચનોથી ચોરોને પ્રેરણા આપે. પોતાની કલ્પનાથી એમ માને કે, હું ચોરી કરવાની પ્રેરણા નથી આપતો, પણ તેઓની આજીવિકાની પ્રેરણા કરૂં છું. તો તેની વ્રતપાલનની બેદરકારી નહિ હોવાથી આ અતિચાર ગણ્યો. આ પ્રમાણે આ પ્રથમ અતિચાર. તથા ચોરે સુવર્ણાદિક ચોરેલી વસ્તુ આણી હોય. તેને મૂલ્ય આપી કે ફોગટ લેવી, તે કે ચોરેલી વસ્તુ છાની ગ્રહણ કરે, તે ચોર કહેવાય. તેથી ચોરી કરવાથી વ્રતનો ભંગ થયો. ‘હું તો વેપાર કરું છું પણ ચોરી નથી કરતો' એ પરિણામથી વ્રતનું સાપેક્ષપણું હોવાથી વ્રત-ભંગ થતો નથી. તેથી દેશથી પાલન અને દેશથી ભંગરૂપ ભંગાભંગરૂપ અતિચાર થયો. એમ બીજો અતિચાર. ‘શત્રુના રાજ્યમાં ગમન' રાજ્યની બાંધેલી હદ કે સેનાનો પડાવ હોય, તેને ઉલ્લંઘન કરવું, નિષેધ છતાં શત્રુના રાજ્યમાં જવું. એક-બીજા રાજ્યોએ પરસ્પર કરેલી વ્યવસ્થાનું ઉલ્લંધન કરવું. એક રાજ્યનો નિવાસી બીજા રાજ્યમાં પ્રવેશ કરે, બીજા રાજ્યનો નિવાસી નિષેધ છતાં પ્રવેશ કરે, અહીં તે સ્વામિ અદત્ત, જીવ-અદત્ત, તીર્થકર-અદત્ત અને ગુરુ-અદત્ત આ ચાર અદત્તો પૈકી સ્વામિ-અદત્તરૂપ છે, તે એ રૂપે રાજાના નિષેધ છતાં જાય તો જનારને ચોર જેટલો દંડ થાય છે. માટે વસ્તુતઃ રાજાની ચોરીરૂપ હોવાથી વ્રત-ભંગ થાય, છતાં જનારના મનમાં ‘હું તો વ્યાપારદિ અર્થે જ ગયો છું.’ ‘મેં ચોરી કે જાસુસી કરી નથી.’ એમ વ્રતની સાપેક્ષતા-સમજણ હોવાથી વ્રત રક્ષણ કરવાની અપેક્ષા ગઈ નથી. તેમ જ લોકમાં પણ તે ચોર કહેવાતો નથી, તેથી તેને અતિચાર કહેલો છે. એમ ત્રીજો અતિચાર કહ્યો. સરખી હલકી વસ્તુ સારામાં ભેળસેળ કરી આપવી કે સારી વસ્તુને બદલે હલકી સેરવી દેવી જેમ કે ઊંચી જાતના ક્રમોદ ચોખામાં હલકી જાતના ચોખા, ઘીમાં ચરબી, હિંગમાં ખેરનો ભુકો, તેલમાં મૂતર, ઉત્તમ સુવર્ણમાં ભળતી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ધાતુ તેવી જ રીતે ચાંદીમાં પણ, એ વિગેરમાં તેના સરખા પદાર્થો ભેળવી તેને વેચે અથવા ગાય વિગેરે બીજા રાજ્ય કે ગામમાંથી હરણ કરી લાવ્યા હોય, તેને શિંગડાને અગ્નિમાં પકવેલા કાલિંગના ફલ અને વરાળથી નીચા મુખવાળા બનાવી અથવા તિર્થો બનાવી ગમે-તેમ ફેરફાર કરી નાંખી માલિક ન ઓળખી શકે તેમ કરી સુખેથી પોતે રાખી કે વેચી શકે તે તત્પતિરૂપક નામનો ચોથો અતિચાર તથા જેનાથી માપ કરાય. તે માપ, કુડાવ, પલ, તોલા, પળી, ભાર, “મણ (ગ્રામ, કીલો, મીટર) વિગેરે ઓછા-વધારે માપના રાખે. હીન માપથી આપે. અધિક માપથી લે. આ પાંચમો અતિચાર. પ્રતિરૂપ પ્રક્રિયા અને ખોટાં માપ એ બીજાને ઠગવા રૂપ હોવાથી અને પરધન ગ્રહણ કરવા સ્વરૂપ હોવાથી વ્રતભંગ જ છે. માત્ર ખાતર પાડવું વગેરે ચોરી તરીકે પ્રસિદ્ધ છે. “મે તો વેપારની કળા કરી છે” એ ભાવનાથી વ્રતરક્ષણ કરવા ઉદ્યમવાળો હોવાથી બંને અતિચારો જ છે અથવા તો ચોરને સહાય આપવી આદિ પાંચે ય કાર્યો સ્પષ્ટ ચોરીરૂપ જ છે. તો પણ જ્યારે વગર વિચાર્યું કે સમજ વિના અજાણતાં અસાવધાનીથી તે કાર્યો થાય કે વિષયમાં અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર થાય, ત્યારે તે પાંચેય અતિચારો સમજવા. આ પાંચેય અતિચારો (માત્ર વેપાર કરવામાં થાય છે) રાજ્યની નોકરી આદિમાં નથી થતા એવું નથી. પ્રથમના બે અતિચારો રાજ્યની નોકરી આદિમાં પણ થાય તેવા છે. શત્રુ રાજ્યમાં જવારૂપ ત્રીજો અતિચાર પણ જ્યારે રાજાનો સામંત વિગેરે કોઈ પોતાના રાજાથી આજીવિકા-આવક પોતે ઓળવે કે પોતાના રાજાના વિરોધી કોઈ શત્રુરાજાને સહાય કરે, ત્યારે લાગે છે. માપ-તોલાના ફેરફાર તથા પ્રતિરૂપક્રિયા એ બે અતિચારો અન્યને તો શું ? રાજાને પણ જ્યારે પોતાના ભંડારમાં માપના ફેરફાર કરાવે છે કે વસ્તુનો ફેરબદલો વિગેરે કરાવે, ત્યારે અતિચાર લાગે છે. આ પ્રમાણે અસ્તેયવ્રત સંબંધી પાંચ અતિચારો કહ્યાં ૯૨ // હવે ચોથા વ્રતના અતિચારો કહે છે– २६४ इत्वरात्तागमोऽनात्ता-गतिरन्यविवाहनम् मदनात्याग्रहोऽनङ्ग-क्रीडा च ब्रह्मणि स्मृताः ॥ ९३ ॥ અર્થ : ૧. અમુક કાળ માટે પોતે રાખેલી તથા ૨. પોતાની પરણેલી નહિ એવી સ્ત્રી સાથે મૈથુન સેવવું. ૩. બીજાના વિવાહ કરવા. ૪. કામક્રીડામાં તીવ્ર રાગ કરવો. તથા અનંગક્રીડા કરવી, એ પાંચ બ્રહ્મચર્યવ્રતના અતિચારો કહેલા છે. જે ૯૩ / ટીકાર્થ : બ્રહ્મચર્ય વ્રતના પાંચ અતિચારો કહેલા છે. થોડા કાલ માટે રાખેલી હરકોઈ પુરૂષ સાથે ગમન કરનારી અર્થાત, વેશ્યા, ભાડુ કે પગાર આપી થોડા કાલ માટે રાખેલી અગર રોકેલી અહીં સમાસમાં કાલશબ્દનો લોપ થવાથી “ઈવરાત્તા'- તેની સાથે મૈથુન સેવવું તાત્પર્ય એ સમજવું કે રખાત સાથે વિષય સેવનમાં તો ભોગ ભોગવનાર જ્યારે ભાડુ આપી થોડા કાલ માટે પોતાની સ્ત્રી તરીકે સ્વીકાર કરી વેશ્યાને ભોગવતો અને મનમાં સ્વસ્ત્રીની કલ્પના કરતો વ્રતની સાપેક્ષતા હોવાથી તેના વ્રતનો ભંગ થતો નથી. અલ્પકાલ માટે સ્વીકારેલ હોવાથી વસ્તુ સ્વરૂપથી બીજાની સ્ત્રી હોવાથી ભંગ થાય છે. એ પ્રમાણે ભંગાભંગરૂપ “ઈવરાત્તા-ગમ' નામનો પ્રથમ અતિચાર જાણવો. અનાજ્ઞા એટલે અપરિગૃહિતા માલિક વિનાની સ્ત્રી અર્થાત્ વેશ્યા, સ્વચ્છંદચારિણી, પતિ પરદેશ ગયો હોય તેવી કુલવતી, વિધવા કે કન્યા હોય, એ સર્વ માલિક વિનાની ગણાય તેની સાથે વિષયસેવન કરવું. આ વગર સમજણ આદિથી કે અતિક્રમાદિથી અતિચાર લાગે. સ્વદારા-સંતોષી હોય તેને આ બે અતિચાર, પણ પરદારા-વર્જકને નહિ. વેશ્યા થોડા કાલ માટે સ્વીકારેલી હોવાથી અને બાકીની સ્વનાથપણાથી બીજાની દારા હોવાથી Page #298 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૯૩ ૨૪૭ બાકીના અતિચારો બંનેને સમજવા આ મૂલસૂત્રને અનુસરતું છે, “સ્વદારા-સંતોષ વ્રતવાલાએ આ પાંચ અતિચારો પણ આચરવા નહિ. બીજા આચાર્યોના મતે આગળ જણાવ્યું તેવી સમજપૂર્વક રખાતને ભોગવવાથી સ્વદારા સંતોષીને અતિચાર લાગે છે અને માલિક વિનાની સ્ત્રીને ભોગવવાથી પરદારાનો ત્યાગ કરનારને અતિચાર લાગે છે. તેમનું માનવું એ પ્રમાણે થાય છે કે – વેશ્યા માલિક વિનાની છતાં, જો કોઈક અમુક કાળ માટે પોતાની રખાત બનાવી હોય, તો તેટલા કાળ માટે પણ તે પરસ્ત્રી હોવાથી વ્રતભંગ થાય છે, અને વસ્તુતઃ તે પરદાના ન હોવાથી વ્રતભંગ થતો નથી—એમ ભંગાભગરૂપ અતિચાર છે. આ બીજો અતિચાર તથા પોતાના સિવાય બીજાના પુત્ર, પુત્રી આદિકના વિવાહ કરવા, કન્યાફળની ઈચ્છાથી કે પોતાના પુત્રને પણ કન્યા મળે અથવા સ્નેહ-સંબંધથી પરણાવવાની ક્રિયા કરે, તે “પરવિવાહ-કરણ' કહેવાય. આ અતિચાર તેને લાગે છે કે, કે જેણે આ વ્રતમાં “મારે મારી પોતાની સ્ત્રી સિવાય બીજી સાથે મૈથુન સેવવુંસેવરાવું નહિ' એ ભાંગે સ્વદારા-સંતોષ વ્રત લીધું હોય અથવા પોતાની સ્ત્રી કે વેશ્યા સિવાય મૈથુન સેવવું-સેવરાવવું નહિ એ ભાગે પરાદારનો ત્યાગ કર્યો હોય. જો કે એ રીતે સ્વદારા-સંતોષવતી કે પરદાર ત્યાગીને પોતાના નિયમમાં બીજાનો વિવાહ કરવો, તે વસ્તુતઃ મૈથુન કરાવવારૂપ હોવાથી તેનો ત્યાગ જ કરેલો છે અને તેથી તેનો વ્રતનો ભંગ થાય છતાં એ એમ સમજે છે કે – “હું તો વિવાહ કરું છું. કોઈ મૈથુન કરાવતો નથી, માટે મારું વ્રત ભાંગતું નથી.' જ્યારે એમ પોતાના વતની રક્ષા કરવાની ભાવના હોય, ત્યારે તેને આ અતિચાર સમજવો, “પરવિવાહ કરીને કન્યા મેળવું” એવી ઈચ્છા સમ્યગુષ્ટિ જો પોતે અજ્ઞાન હોય તો તેને સંભવે, અગર તો સમ્યક્ત્વ વગરના ભદ્ર જીવને ઉપકાર બુદ્ધિથી વ્રત ઉચ્ચરાવ્યું હોય તેવા મિથ્યાષ્ટિને સંભવે. પ્રશ્ન કર્યો કે–“બીજાના સંતાનના વિવાહની જેમ પોતાના પુત્ર-પુત્રી વિગેરેના પણ વિવાહ-લગ્નાદિ કરવામાં સરખો જ દોષ છે, તો તેથી અતિચાર કેમ નહિ ?' તેના ઉત્તરમાં જણાવે છે કે, તમારી વાત સાચી છે. પણ પોતાની કન્યાને જો ન પરણાવે, તો સ્વછંદચારિણી-વ્યભિચારિણી બની જાય અને તેથી જૈનશાસનની તથા પોતે લીધેલ વ્રતની હાંસી-અપભ્રાજના થાય. તેને પરણાવ્યા પછી તો તે પોતાના પતિને સ્વાધીન હોવાથી તેમ ન બને; અને બને તો પણ પોતાના વ્રત કે ધર્મની નિંદા ન થાય. છે કે – “કુમારિકા હોય ત્યારે પિતાયુવતી હોય ત્યારે પતિ અને વૃદ્ધા હોય ત્યારે પુત્રો સ્ત્રીની રક્ષા કરે છે. એમ સ્ત્રી કોઈ અવસ્થામાં સ્વતંત્રતાની અધિકારણી નથી.” (મનુસ્મૃતિ ૯૩) વળી જે દશાર્ણ કૃષ્ણ ચેડા મહારાજાને પોતાના સંતાનોના પણ વિવાહનો નિયમ હતો-એમ શાસ્ત્રમાં સંભળાય છે, તે પણ તેઓના સંતાનોનું વિવાહ વગેરેનું કામ સંભાળનારા બીજાઓ હોવાથી તેઓએ નિયમ કરેલો હતો, એમ સમજવું. આને અંગે બીજા આચાર્ય વળી એમ કહે છે કે– ‘પર એટલે બીજી સ્ત્રી' એવો અર્થ અર્થાત્ પોતાની સ્ત્રીમાં પૂર્ણ સંતોષ ન મળતો હોવાથી ફરી અન્ય સ્ત્રી સાથે પોતે વિવાહ કરવો, તે “પરવિવાહ-કરણ' નામનો અતિચાર છે” એમ કહે છે. તેમના મતે આ અતિચાર સ્વદાર-સંતુષ્ટને અંગે સમજવો. આ પ્રમાણે ત્રીજો અતિચાર, “હવે કામક્રીડામાં તીવ્ર રાગ' નામના અતિચારમાં બીજો સર્વ કાર્ય-વ્યાપાર છોડીને માત્ર વિષયને જ સેવવાની ચિંતાવાળા મનુષ્ય સ્ત્રીના મુખ, કલા, સાથળમાં કે યોનિમાં પુરુષચિહ્ન રાખીને અતૃપ્તિપણે લાંબા કાળ સુધી મુડદા માફક નિશ્ચલ પડી રહે, અથવા તો ચકલા-ચકલીના મૈથુન માફક વારંવાર સ્ત્રી ઉપર આરૂઢ થાય અથવા નિર્બળ થઈ જવાથી વિષય-સેવન કરવાની શક્તિ મેળવવા માટે વાજીકરણ-રસાયણોનું સેવન કરે અને એમ માને કે આવા ઔષધાદિનું Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ સેવન કરવાથી પુરૂષ હાથીને પણ હરાવે એને ઘોડાઓનો પણ પરાભવ કરે, તેવો બળવાન બને છે. આ ચોથો અતિચાર. તથા “અનંગ-ક્રીડા કરવી. અનંગ એટલે ઈચ્છા. વેદોદયથી પુરૂષને સ્ત્રી, પુરૂષ કે નપુંસકને ભોગવવાની ઈચ્છા સ્ત્રીને પુરૂષ સ્ત્રી કે નપુંસક ભોગવવાની ઈચ્છા અને નંપુસકને પણ સ્ત્રી પુરૂષ કે નપુસકને ભોગવવાની ઈચ્છા અગર બીજી વ્યાખ્યા ત્રણેયની હસ્તકર્મની વિગેરેની ઈચ્છા. આ બંને ઈચ્છા, તે અનંગ-ક્રીડા દુષ્ટચાળા કે ચેષ્ટા કરવી તે અનંગ-ક્રીડા બીજી વ્યાખ્યા પ્રમાણે પોતાની ઈન્દ્રિય આદિથી ભોગ ભોગવા છતાં અસંતોષથી કાષ્ટનાં, પુસ્તકના અર્થાત્ અમુક પદાર્થો એકઠા કરી ઘાટ બનાવવામાં આવે, તે પુસ્તકના બનાવેલાં, કે કોઈ વૃક્ષનાં તેવા આકૃતિવાલાં ફળો, અથવા માટી કે ચામડા (રબ્બર)થી બનાવેલા યોનિ કે પુરૂષચિહન જેવા સાધનો કે જે અંગરૂપ નથી, તેનાથી સ્ત્રીના યોનિપ્રદેશને વારંવાર મર્દન કરે. સ્ત્રીના મસ્તકના કેશ ખેંચવા, પગથી કોમળ લાત મારવી. દાંત નખથી કદર્થના વિગેરે પ્રકારે મોહનીયકર્મના ઉદયથી એવી ક્રીડા કરે, જેથી વિષયેચ્છા અને બળવાન કામરાગ પ્રગટ થાય અથવા અંગ યોનિ અને પુરૂષલિંગ એ મૈથુન સેવવાના અંગો છે, તે સિવાયના સ્તન, બગલ, સાથળ, મુખ, ગાલ, હોઠ વિગેરે અંગો તેમાં ક્રીડા કરવી, તે અનંગ-ક્રીડા સમજવી. અહીં શ્રાવક અત્યંત પાપથી ડરનારો હોવાથી મુખ્યપણે બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળો હોય, છતાં જ્યારે મોહનીયકર્મ અને વેદોદયના વિકારને તે સહન ન કરી શકે, ત્યારે કેવળ વિકારની શાંતિ માટે પોતાની સ્ત્રી સિવાય અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરે, અથવા તેથી પણ વધારે ઈચ્છા રહે તો પરદારાને તજે, તેમાં પણ માત્ર મૈથુનક્રિયા-સોય-દોરાના આકારે વિષયસેવન કરવાથી જ વિકાર તો શમી જાય, માટે નિષ્કારણ તે અનંગ-ક્રીડા કે વિષયમાં તીવ્ર રાગ ન રાખે. આવી ચેષ્ટાઓ કરવી શ્રાવકને અનુચિત ગણાય. કારણકે અકરણીય છે. અનંગ-ક્રીડા કે તીવ્ર આસક્તિ-બંનેથી કોઈ લાભ તો છે જ નહિ, ઊલટું તે કાળે શક્તિનો નાશ અને પરિણામે ક્ષયરોગ સરખા મહાવ્યાધિઓ વગેરે ઘણા દોષો ઉત્પન્ન થાય છે. એવી રીતે નિષેધ કરેલાનું સેવન કરવાથી વ્રતભંગ થાય છે. પણ બીજી બાજ નિયમને અબાધા હોવાથી અતિચાર લાગે છે. અર્થાત મૈથુન-ક્રિયારૂપ ન હોવાતી વ્રત ભાંગતા નથી. એમ ભંગાર્ભ અતિચારો છે. બીજા કેટલાંક આચાર્યો તો આ બન્નેના અતિચારોનું સ્વરૂપ જુદા સ્વરૂપે જણાવે છે– તે સ્વદારસંતોષ વ્રતવાળો વેશ્યા કે અન્ય સ્ત્રી સાથે મારે મૈથુનસેવનનો ત્યાગ છે, મેં કોઈ આલિંગન આદિનો ત્યાગ કર્યો નથી એમ માને, અને પરદાર-સેવનનો ત્યાગ કરનાર પણ માને કે-મારે મૈથુન સેવનનો ત્યાગ છે, આલિંગન આદિ કરવાનો મને ત્યાગ નથી. એમ માનતો હોવાથી બંનેને વ્રત-પાલન કરવાની કંઈક અપેક્ષા હોવાથી અતિચાર સમજવા. એ પ્રમાણે સ્વદાર-સંતોષીને પાંચ અને પરદાર-વર્જકને તો પાછલા ત્રણ જ અતિચાર લાગે. એમ નક્કી થયું. વળી કેટલાંક બીજા આચાર્યો જુદા પ્રકારે આ અતિચારો વિચારે છે, તે આ પ્રમાણે – પરદારાનો ત્યાગ કરનારને પાંચ અને સ્વદાર-સંતોષીને ત્રણ અતિચારો લાગે, તથા સ્ત્રીને ત્રણ કે પાંચ અતિચારો વિકલ્પ લાગે (નવપદ પ્રકરણ-૫૪) તેઓ એમ માને છે કે-અમુક કાળ માટે રખાત રાખેલી વેશ્યાનો ભોગ કરવાથી અમુક અંશે તો રખાત હોવાથી પરસ્ત્રી ગણાય માટે વ્રતનો ભંગ થાય અને લોકમાં તે બીજાની સ્ત્રી ગણાતી નથી માટે વ્રત ભંગ ન થાય. એમ પરદાર-સેવીને તે ભંગાભંગરૂપ અતિચાર લાગે. સ્વદાર-સંતોષીને તો વ્રતભંગ જ થાય અને માલિક વિનાની, વિધવા, જેનો પતિ પરદેશ ગયો હોય, જે સ્વપતિને માનતી ન હોય, તેવી સ્ત્રીઓની સાથે ભોગ ભોગવવાથી પરદારા-વર્જન-કરનારને અતિચાર લાગે; કારણ કે લોકોમાં તે અમુક સ્ત્રીઓ છે–એમ પ્રસિદ્ધ છે, અને બીજી બાજુ તેઓને તે કાળે પતિ-માલિક નથી. તેવો કંઈક અંશે પરસ્ત્રી Page #300 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૪ ૨૪૯ નથી. જેથી તેને ભોગવતાં અતિચાર લાગે, પણ વ્રતભંગ ન થાય, એમ એ બંને અતિચારો પરદારા-ત્યાગ કરનારને જ ઘટે અને બાકીના પરવિવાહ અનંગ-ક્રીડા અને તીવ્ર રાગ કરવો-એ ત્રણ અતિચારો તો બંનેને ઘટે. આ સર્વ પુરૂષને આશ્રીને જણાવ્યું. સ્ત્રીને આશ્રીને તો જે સ્વદાર-સંતોષીને ત્રણ અતિચારો કહ્યા. તે સ્ત્રીને તો લાગે જ. કારણકે સ્ત્રીઓને તો સ્વપતિ-સંતોષ કે પરપતિ–ત્યાગ એવા ભેદે આ વ્રત નથી. તેણીને તો સ્વપુરૂષ સિવાય વિધુર કે અન્ય ગમે તે સર્વ પરપુરૂષો જ છે. એટલે સ્વપુરૂષ-સંતોષ વ્રત જ હોય અને તેથી ત્રણ અતિચારો લાગે, બાકીના બે તો લાગે અગર ન પણ લાગે, કારણકે જો પોતાને શોક્ય હોય અને પતિએ વારા બાંધ્યા હોય, તો પોતાની શોક્યના વારામાં પોતાના પતિ સાથે ભોગ ભોગવતાં વ્રત ભાંગે અને ન પણ ભાંગે-એમ ઈતર આત્ત-ભંગરૂપ અતિચાર લાગે અને અનાત્ત-ગમનરૂપ અતિચાર તો તેણીને પરપુરૂષને ભોગવાની ઈચ્છા કે ઉપાયો વિગેરે કરતાં જ્યાં સુધી ભોગવ્યો ન હોય ત્યાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર દ્વારા લાગે. અગર અજાણતા નહિ ઓળખવાથી જો ભોગવાય તો અનાભોગ વિગેરે કારણેથી અતિચાર લાગે. સ્વપતિ કે સ્વપત્નીનો ત્યાગ કરનાર બ્રહ્મચારી સ્ત્રીપુરુષને તો પોતાના પતિ કે સ્ત્રીને પણ સેવવાની ઈચ્છારૂપ અતિક્રમ વિગેરેથી પાંચેય અતિચારો લાગે જે-જે અતિચારોની ઈચ્છા આદિ કરે, તે તે અતિચારો લાગે-એમ સમજવું. એ પ્રમાણે બાકીના ત્રણ સ્ત્રીઓને પૂર્વ માફક સમજવું. / ૯૩ | હવે પાંચમાં વ્રતના અતિચારો કહે છે :२६५ धनधान्यस्य कुप्यस्य, गवादेः क्षेत्रवास्तुनः । हिरण्यहेम्नश्च संख्या-तिक्रमोऽत्र परिग्रहे ॥ ९४ ॥ અર્થ : અહીં શ્રાવકધર્મને ઉચિત પાંચમા પરિગ્રહ-વિરમણ (પરિમાણ) વ્રતમાં ધન, ધાન્ય, હલકી ધાતુઓ, ગાય આદિ ચાર-બે પગવાળા, ખેતર, મકાન, સુવર્ણ, ચાંદી આદિનું જે પ્રમાણે નિયમ લેતી વખતે નક્કી કર્યું હોય, તેથી અધિક એકઠું કરવું તે રૂપ પાંચ અતિચારો / ૯૪ // ટીકાર્ય : આ શ્રાવકધર્મોચિત પરિગ્રહવ્રતમાં જે ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન કરવું, તે અતિચાર. તેમાં ધન, ધાન્યાદિકનું સ્વરૂપ આ પ્રમાણે– ધન ચાર પ્રકારનું છે. ગણતરીથી લેવાય, તે ગણિમ, તોળીને, માપીને અને પરીક્ષા કરીને આપી લઈ શકાય તે, “તેમાં જાયફલ, સોપારી ફળ વિગેરે ગણિમ. કંકુ, ગોળ આદિ તોલ કરીને લેવાય, વેચાય તે પરિમ, ચોપડ તેલ ઘી, લૂણ વિગેરે માપીને લેવાય વેચાય તે મેય અને રત્ન વસ્ત્રાદિક પરીક્ષા કરીને લેવાય. વેચાય તે પરીક્ષા કરવા યોગ્ય (સમ્બોધ પ્ર. ૫૩) આમ સર્વે વસ્તુઓ આ ચાર પ્રકારોમાં સમાતી હોવાથી ધનના આ ચાર પ્રકાર જણાવ્યા. ધાન્ય સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ શાલ નામના ડાંગરના ચોખા, ૨ જવ, ૩ મસુર, ૪ ઘઉં, ૫ મગ, ૬ અડદ, ૭ તલ, ૮ ચણા, ૯ બંટી, ૧૦ કાંગ, ૧૧ કોદ્રવા, ૧૨ મઠ, ૧૩ કલમી ચોખા, ૧૪ તુવેર, ૧૫ વટાણા, ૧૬ કલથી, ૧૭ અળશી આ સિવાય પણ બાજરો, જુવાર, મકાઈ, ચોળા, વાલ આદિ ચોવીસ પ્રકારો પણ ગ્રંથાન્તરમાં જણાવેલા છે. ધન અને ધાન્ય ભેગા મળીને એક અતિચાર ગણ્યો. પરિગ્રહ નવ પ્રકારે ગણેલો હોવા છતાં અહીં બબ્બે ભેગા કરી બધા પાંચમાં સમાવ્યા છે. બીજો પ્રકાર કુખ્ય એટલે રૂપું અને સોના સિવાયની હલકી ધાતુ જેવી કે કાંસુ, લોઢું, ત્રાંબુ, સીસું, જસત વિગેરે ધાતુઓ કે તેના વાસણો વિગેરે. માટીના વાસણો, વાંસના ટોપલા, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ખાટલા, માંચો-માચી, ચામડાના કુડલાં, (પલંગ, ખુરશી, સોફાં ટેબલ હિંચકા, કબાટ, ચાકળા, ગાદી, રજાઈ, શેત્રુંજી, તળાઈ, રથ, ગાડાં, મોટર, હળ, ટ્રેકટર આદિ ખેતીના સાધનો આ સર્વ રાચ-રચીલું (ફર્નિચર) કુષ્ય નામના ભેદમાં સમજવું. ગાય આદિમાં પશુ અને મનુષ્ય-ચાર અને બે પગવાળાં. તેમાં ગાય, બળદ, ભેંસ, પાડા, બકરાં, ઘેટાં, ગધેડા, ઊંટ, સરભ, હાથી, ઘોડા વગેરે સર્વ ચાર પગવાળા પશુઓ સમજવાં અને મનુષ્ય શબ્દથી પુત્ર, સ્ત્રી, દાસી, દાસ ચાકર, વગેરે મનુષ્યો, પોપટ, મેના, હંસ મયુર, કૂકડા પારેવા, ચકોર (ચાતક) વગેરે પક્ષીઓનો સંગ્રહ, ખેતર એટલે ધાન્ય ઉગાડવાની ભૂમિ. તે ત્રણ પ્રકારની સેતુ-કેતુ અને ઉભય. જે ખેતર, કુવા, વાવડી વિગેરે જળાશયોમાં રેંટ, ક્રોશ કે પંપ દ્વારા પાણી ખેંચીને ધાન્ય ઉગાડાય તે સેતુ. વરસાદના પાણીથી ધાન્ય ઉગાડાય તે કેતુ અને ચોમાસામાં વરસાદથી અને પછી સેતુ માફક ધાન્ય ઉગાડાય. બંનેનો ઋતુ પ્રમાણે ઉપયોગ કરે, તે સેતુ-કેતુ ક્ષેત્ર કહેવાય. વાસ્તુ એટલે રિક્ત ઘર અને ગામ, શહેર જેમાં વસવાટ થાય, તેમાં ઘર-મકાનો ત્રણ પ્રકારના એક જમીનમાં ભોયરું હોય તે ખાત, બીજું ઘર દુકાન, હવેલી તે જમીનના ઉપરના ભાગમાં હોય, તે ઉચ્છિત અને ત્રીજું ભોંયરા સાથે ઊંચી હવેલી હોય તે ખાતોચ્છિત એમ ત્રણ પ્રકારના ઘર, તથા રાજા વિગેરેને ગામ શહેર સર્વ વાતું સમજવું. એ ક્ષેત્ર અને વાસ્તુ બંને મળી ક્ષેત્ર-વાસ્તુ નામનો ચોથો પરિગ્રહ-પ્રકાર સમજવો તથા હિરણ્ય-એટલે ઘડેલું રજત અને તેવી જ રીતે સોનું. બંને મળી પાંચમો પરિગ્રહનો હિરણ્ય-સવર્ણ નામનો ભેદ સમજવો. વ્રત લેતી વખતે આ પાંચે સંબંધી જેટલા પ્રમાણમાં સંખ્યા નક્કી કરી હોય તો તે ચોમાસા માટે કે જીંદગી માટે તે પરિમાણનું ઉલ્લંઘન કરવું, તે સંખ્યાતિક્રમ નામનો અતિચાર સમજવો. || ૯૪ || શંકા કરી કે, સ્વીકારેલ પ્રતિજ્ઞાની સંખ્યાનો અતિક્રમ કરે, તો વ્રતભંગ જ થાય તો પછી અતિચાર કેમ જણાવ્યો ? તે કહે છે– २६६ बन्धनाद् भावतो गर्भा-द्योजनाद् दानतस्तथा । प्रतिपक्षव्रतस्यैष, पञ्चधाऽपि न युज्यते ॥ ९५ ॥ અર્થઃ વ્રતધારી શ્રાવકે સંગ્રહ કરવાથી, ભાવથી (મનના અભિપ્રાયથી), ગર્ભની ગણત્રીથી, યોજન વધારવાથી અને બીજાને આપવા દ્વારા ધન-ધાન્યાદિ પાંચેયના પરિમાણનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. || ૯૫ ||. ટીકાર્થઃ પૂર્વે કહ્યા પ્રમાણેના પાંચ પ્રકારના પરિગ્રહમાં અનુક્રમે ધન-ધાન્યના બંધનથી, ક્ષેત્ર-વાસ્તુને ભેગા કરવાથી, રૂપા-સોનાનું દાન કરવાથી, દ્વિપદાદિના ગર્ભથી અને કુપ્પમાં ભાવથી એમ પાંચ અતિચારો લાગે છે, ઈચ્છા પરિગ્રહના પરિમાણ કરનારે આ અતિચારો સેવવા યોગ્ય નથી. આગળ જણાવેલ ધન્ય-ધાન્યાદિક પરિગ્રહની સંખ્યાનું સાક્ષાત્ ઉલ્લંઘન કરનારને તો અતિચારો મનાતા નથી, પણ વ્રતભંગ જ થાય છે, પરંતુ વ્રતરક્ષણની ભાવનાવાળો વ્રતધારી બંધન, યોજન વિગેરે કરી સ્વબુદ્ધિથી માને કે- હું વ્રતનું પાલન કરું છું તેને તે અતિચાર ગણાય. તે બંધન વિગેરે આ પ્રમાણે થઈ શકે છે. જેમ કે કોઈ વેપારીએ ધન-ધાન્યનું ચોક્કસ પરિમાણ નક્કી કર્યા પછી કોઈ દેવાદાર દેવું આપવા આવ્યો કે ભેટ લાવ્યો અને જો સ્વીકારે તો નિયમ-પ્રમાણ વધી જાય, તેથી વેપારીએ વિચાર્યું કે મારો નિયમ અમુક મહિના સુધીનો છે, તે પછી સ્વીકારીશ, અગર મારી પાસેનું થોડું વેચાયા પછી લઈશ. એમ વિચારી આપનારને થોડા મહિના પછી લેવાનું જણાવે, અગર તેના ઉપર દોરડું બાંધી આપનારને Page #302 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૫ ૨૫૧ ત્યાં અનામત મુકાવે અને પોતાની પ્રતિજ્ઞાનો કાળ પૂરો થાય, એટલે લેવાનું નક્કી કરે, આ બંધન કરી, ધન, ધાન્યના પોતાના નિયમથી વધારે રાખે અને એમ માને કે એ તો એના થકી છે, મારું નથી; વગેરે વ્રતપાલનની અપેક્ષા હોવાથી આને અતિચાર કહ્યો. કુષ્મનો ભાવથી સંખ્યાતિક્રમ આ પ્રમાણેઃ– કુખ એટલે ઘર-વપરાશની વસ્તુઓ તે ચોક્કસ પ્રમાણથી વધારે ન રાખવી, એવો નિયમ કર્યા પછી પ્રભાવના કે વારસામાં ભેટ મળ્યા પછી સંખ્યા પ્રમાણ વધી ગયું. બમણા થઈ ગયા એટલે વ્રત ભંગના ભયથી ભાવથી ભાંગી તોડીને નાનીમાંથી એક મોટી બનાવે, તેનો ઘાટ બદલાવી સંખ્યા' ઘટાડી નાંખે, પરંતુ કિંમત પ્રમાણ તો વધી જવાથી વાસ્તવિક વ્રતભંગ ગણાય-એમ ભંગાભંગરૂપ આ અતિચાર સમજવો, અથવા ભાવથી તેનો અર્થી હોવાથી અત્યારે નિયમભંગના ભયથી ગ્રહણ કરતો નથી, પણ તેને કહે કે— ‘અમુક સમય પછી હું જરૂર લઈ લઈશ, માટે તારે બીજાને ન આપવાના અભિપ્રાયથી પોતાના માટે સંગ્રહ કરાવે છે. આ રીતે અતિચાર કહ્યો તથા ગાય ભેંસ ઘોડી આદિના ગર્ભ ન ગણવાથી અતિચાર થાય છે તે આ રીતે-કોઈએ એક કે બે વર્ષ માટે ગાય, ભેંસ કે પશુ માટે નિયમ લીધો કે અમુક સંખ્યાથી વધારે ન રાખવાં. પછી વિચાર કરે કે હાલમાં જો ગાય કે ભેંસને ગર્ભ રહેશે તો મારી મુદત પૂર્ણ થયા પહેલાં વાછરડાં કે પાડા વિગેર જન્મવાથી મારા નિયમની સંખ્યા વધી જશે. તો અમુક મુદત પછી ગર્ભવાળા થાય તો મારા નિયમને વાંધો ન આવે. એમ વિચારી કેટલોક કાળ ગયા પછી ગર્ભ ગ્રહણ કરાવે. એમ કરવાથી ગર્ભમાં તે વાછરડાં હોય છે, તેથી વ્રતભંગ થાય છે. છતાં બહાર પ્રત્યક્ષ નહિ હોવાથી તે માને છે કેમારી નિયમ સંખ્યા વધી નથી, મારો નિયમ અખંડ છે, એમ ભંગાભંગરૂપ અતિચાર છે તથા ક્ષેત્ર-વાસ્તુનું જોડાણ કરે, જેમ કે કોઈએ ‘મારે ચોક્કસ સંખ્યામાં ઘર કે ખેતર રાખવા' પછી તે વધવાના સંયોગ થયા, તેથી પોતાનો નિયમ ન તૂટે, તે કારણે પાડોશનું ઘર લઈ વચ્ચેની ભીંત તોડી ભેગુ કરી એક કર્યું, તેવી જ રીતે પડોશમાં બાજુનું ખેતર ખરીદી વચ્ચેની વાડ તોડી એક બનાવ્યું. એમ સમજીને કે નિયમની સંખ્યા વધી ન જાય, તેથી વ્રતભંગ ન થયો, છતાં ઘર-ખેતરની કિંમત તો વધી જ ગઈ છે. તેથી મંગાભંગરૂપ અતિચાર. વ્રતની સાપેક્ષતા રાખેલી હોવાથી. સોના-રૂપાનું દાન કરવાથી અતિચાર લાગે તે આ પ્રમાણે— અમુક પ્રમાણથી વધારે સોનું-રૂપું ન રાખવાની પ્રતિજ્ઞા કરી અને સાથે ચાર મહિના આદિ કાળની પણ મર્યાદા રાખી અને તુષ્ટ થએલા રાજાએ તેને આપ્યું. તેથી પ્રતિજ્ઞાના પ્રમાણથી વધી ગયું. લોભને અંગે વિચાર કર્યો કે લઈને ઘરમાં રાખીશ, તો નિયમ તૂટી જશે; માટે વ્રતની કાળ મર્યાદા પૂર્ણ થશે ત્યારે ઘરમાં લાવીશ-એમ ધારણા કરી, બીજાને ત્યાં રાખ્યું. એ પ્રમાણે બીજાને આપવા છતાં માલિકી પોતાની હોવાથી વ્રત-ભંગ થાય, અને પોતે સમજે છે કે, મેં તો મારા નિયમથી વધારે રાખ્યું નથી. તેથી વ્રતપાલન થાય. એમ ભંગાભંગરૂપ અતિચાર સમજવો. આ પ્રમાણે પાંચ પ્રકારના પણ નિયમ ગ્રહણ કરનાર શ્રાવકે તેનું ઉલ્લંઘન ન કરવું. કારણકે તેમ કરવાથી વ્રતની મલિનતા થાય છે. ઉપલક્ષણથી તે સિવાયના વગર વિચાર્યે કે અજાણતાં અથવા અતિક્રમ વિગેરેથી પણ અતિચારો લાગે છે, તેમ સમજવું, આ પ્રમાણે આ પાંચ અણુવ્રતના દરેકના પાંચ-પાંચ અતિચારો કહ્યા. ॥ ૯૫ ॥ હવે ગુણવ્રતના અવસરમાં દિશાવિરતિ-લક્ષણ પ્રથમ ગુણવ્રતના અતિચારો જણાવે છે— २६७ स्मृत्यन्तर्धानमूर्ध्वाध-स्तिर्यग्भागव्यतिक्रमः ' क्षेत्रवृद्धिश्च पश्चेति स्मृता दिग्विरतिव्रते ॥ ૧૬ ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : ઉપરની નીચેની તિરછી એવા વિભાગવાળી દશેય દિશાઓમાં જવા-આવવાના નિયમમાં ધારેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. એ ત્રણે અને દિશાની વૃદ્ધિ કરવી તથા ભૂલી જવું એમ પ્રથમ ગુણવ્રતના પાંચ અતિચારો સમજવા // ૯૬ / ટીકાર્થ : પૂર્વાચાર્યોએ દિવિરમણ વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે જણાવેલા છે. “મૃતિ-બ્રશ નામનો પ્રથમ અતિચાર છે. તે આ પ્રમાણે સમજવાનો કે પોતે જે પ્રમાણે ધાર્યું હોય તેને જવાના સમયે અતિવ્યાકુલપણાથી પ્રમાદથી તે યાદશક્તિ ન રહેવાથી ભૂલી જાય. જેમ કે કોઈએ પૂર્વ દિશામાં સો યોજન સુધી જવાની મર્યાદા રાખી. જવાના સમયે સ્પષ્ટપણે તે યાદ ન રહ્યું કે મેં સો કે પચાસ યોજનનું પ્રમાણ કર્યું છે ? તેની શંકા પડી, તેમાં પચાસ યોજન ઉપર જાય તો અતિચાર અને સો ઉપર જાય તો ભંગ, સાપેક્ષ અને નિરપેક્ષપણાથી, માટે ગ્રહણ કરેલું વ્રત યાદ રાખવું. કારણકે સર્વ ધર્માનુષ્ઠાન એ સ્મરણ રાખવા યોગ્ય છે. આ પ્રથમ અતિચાર તથા પર્વત અને વૃક્ષનાં શિખરોરૂપ ઊર્ધ્વગમન. અધોગમન ભોયરા, કૂવા આદિરૂપ નીચે અને પૂર્વ વિગેરે દિશાઓ રૂપ તિર્યદિશા, તેનું જેટલું પ્રમાણ નક્કી કરેલું હોય તેનું ઉલ્લંઘન કરવું. આ ત્રણ અતિચારો, તે માટે સૂત્રમાં કહેલું છે કે– “ઊર્ધ્વદિશામાં પ્રમાણમાં અતિક્રમ થવાથી, અધો-દિશાના પ્રમાણમાં અતિક્રમ થવાથી અને તિર્જીદિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી ત્રણ અતિચારો જાણવા” આ અનાભોગ કે અતિક્રમ આદિથી થાય તો અતિચારો અને જાણી જોઈને કરે, તો વ્રતભંગ થાય. આ વ્રતમાં જેઓ સ્વયં કરીશ નહિ; અથવા અન્ય પાસે કરાવીશ નહિ એવા ભાગે નિયમ કરે, તેઓને તો ધારેલા પ્રમાણ કરતાં વધારે ભૂમિમાં સ્વયં જવાય નહિ અને બીજા દ્વારા કંઈ ચીજ મોકલવાય કે મંગાવાય નહિ; માટે તેઓને અતિચાર લાગે, જેને માત્ર પોતાના જ અંગે અર્થાત્ “હું ન કરું એ ભાંગે પચ્ચખાણ કર્યું હોય, તેઓને મોકલવાનું કે મંગાવવાનું પચ્ચખાણ ન હોવાથી બીજા પાસે મંગાવવા કે મોકલવામાં દોષ નથી. આમ બીજો, ત્રીજો અને ચોથો એમ ત્રણ અતિચારો જણાવ્યા તથા “ક્ષેત્ર-વૃદ્ધિ નામનો પાંચમો અતિચાર તે કહેવાય કે, એક દિશામાં ઘટાડી બીજી દિશામાં વૃદ્ધિ કરવી. જેમ કે કોઈ દિશિ-પરિમાણ બને કે સર્વદિશાનું નક્કી કર્યું. તેણે પૂર્વમાં ઘટાડી પશ્ચિમ દિશામાં વૃદ્ધિ કરી. તે પાંચમો અતિચાર. તે આ પ્રમાણે-કોઈક દરેક દિશામાં સો યોજન જવાનું પ્રમાણ નક્કી કર્યું. એક દિશામાં વધારે દૂર જવાનું પ્રયોજન ઉભું થવાથી એક દિશામાં થોડા યોજનો ઘટાડી બીજી દિશામાં તૂટેલા યોજનો ઉમેરીને જાય. બંને બાજુ બસો યોજનાનું માપ કાયમ રાખ્યું. આમ ક્ષેત્રમર્યાદા સાચવી વ્રત ટકાવવાના સાપેક્ષપણાથી તેને અતિચાર લાગ્યો. કદાચ અનાભોગથી અજાણતા ક્ષેત્રપ્રમાણથી આગળ ચાલ્યો ગયો ત્યારે પાછા ફરી જવું, જાણ્યા પછી આગળ ન વધવું. બીજાને પણ ન મોકલવો. વગર આજ્ઞાએ કોઈ ગયો અને તેણે જે મેળવ્યું હોય, તે પોતે વિસ્મૃતિ યોગે ગયો અને મેળવ્યું હોય તો તે મેળવેલાનો ત્યાગ કરવો. || -૬ || હવે ભોગપભોગ નામના બીજા ગુણવ્રતના અતિચારો કહે છે – २६८ सचित्तस्तेनसम्बद्धः सम्मिश्रोऽभिषवस्तथा । दुष्पक्वाहार इत्येते, भोगोपभोगमानगाः ॥ ९७ ॥ અર્થ : ૧ સચિત્ત એટલે જીવસહિત, ૨ સચિત્ત સાથે લાગેલું અચિત્ત, ૩ થોડું સચિત્ત અને થોડું અચિત્ત અર્થાત્ મિશ્ર, ૪ ઘણી વસ્તુઓ એકઠી કરી તેમાંથી કાઢેલા આસવો-સત્ત્વો વગેરે. ૫.અધું કાચુંઅધું પાકું આ પાંચ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવો. આ પાંચ અતિચાર બીજા ગુણવ્રતના જાણવા Page #304 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૬-૯૭ || ૯૭ || ટીકાર્થ : ચિત્ત એટલે ચેતના-જીવ તે સાથે રહેલું હોય અર્થાત્ જીવયુક્ત હોય તે સચિત્ત કહેવાય, વળી તે ‘ચિત્ત’ આહાર કહેવાય. વળી તેવા ચિત્ત સાથે જોડાએલું હોય. તે ‘સચિત્ત પ્રતિબદ્ધ' મિશ્ર એટલે કંઈક અંશમાં ચિત્ત અને કંઈક અંશમાં અચિત્ત એવી ભેળસેળ વસ્તુ તે ‘મિશ્ર' કહેવાય. અનેક ચીજો મેળવવાથી બનેલા જે આસવો વગેરે. તે ‘અભિષવ' કહેવાય અને જે પૂર્ણ પાકેલું ન હોય, તે ‘દુષ્પ’ કહેવાય. એ પાંચ વસ્તુનો આહાર કરવો, તે બીજા ભોગોપભોગવિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા. તેમાં ચિત્ત કંદ, મૂળ, ફલાદિક, સચિત્ત માટી, મીઠું વગેરે તથા દરેક જાતનાં આખા-કાચાં અનાજ વગેરે ચિત્ત સમજવા. જો કે અહીં જેના પચ્ચક્ખાણ કર્યા હોય તેનો આહાર કરે, તો વ્રતભંગ જ થાય છતાં અહીં અતિચારો કહ્યા છે તે અજાણતાં ઉતાવળથી વગર વિચાર્યે વાપરવાથી અથવા તે તે વાપરવાની ઈચ્છા કે પ્રવૃત્તિ વગેરે અતિક્રમ, વ્યતિક્રમ કરવાથી અતિચારો કહ્યા છે એમ સમજવું. તેમાં પણ જેમણે સર્વથા સચિત્તનો ત્યાગ કર્યો હોય, તેમને તેવી રીતે સચિત્ત વપરાઈ જવા વગેરેથી કે જેમણે સચિત્તનું અમુક પરિમાણ રાખ્યું છે, તેમને રિમાણથી વધારે વપરાઈ જવા વગેરેથી ‘સચિત્ત આહાર’ નામનો પ્રથમ અતિચાર લાગે. બીજો અતિચાર ‘સચિત્ત-પ્રતિબદ્ધ આહાર' એટલે સજીવ વૃક્ષ વગેરેમાં વળગેલો ગુંદર આદિ કે વૃક્ષનો વળગેલાં પણ અચિત્ત થઈ ગયેલા પાકાં ફળો વગેરે તથા જેની અંદર બીજ, ગોટલી વગેરે સચિત્ત હોય તેવા ખજૂર કેરી, વગેરે ઉપલક્ષણથી લુંબમાં વળગેલાં પાકાં કેળાં, બીજવાળી પાકી રાયણ, બીજવાળાં પાકાં ફળો, વગેરે સચિત્ત-પ્રતિબદ્ધ કહેવાય છે, સચિત્ત ત્યાગ કરનારને અનાભોગ વગેરેથી એટલે કે અજાણતાં, ઉતાવળથી કે ભૂલી જવાથી ખવાઈ જાય, તો સાવદ્ય આહારનો ઉપયોગ થવાથી અતિચાર લાગે. અથવા તો સચિત્તનો ત્યાગ કરનાર બીજ ચિત્ત છે, માટે કાઢીને ગર્ભનો અચિત્ત ભાગ ખાઈશ'– એમ વિચાર કરીને પાકેલા ખજૂર વગેરે ફળોને મુખમાં નાખે તો અતિચાર લાગે, એ ‘સચિત્ત-પ્રતિબદ્ધ આહાર' નામનો બીજો અતિચાર કહ્યો. ત્રીજો અતિચાર ‘સંમિશ્ર આહાર' એટલે અર્ધ ઉકળેલ-ત્રણ ઉકાળા વગરનું પાણી વગેરે. લીલા દાડમ, બીજોરાં, ચીભડાં, વગેરે સચિત્ત વસ્તુઓથી બનાવેલા પૂરણ વગેરે અથવા સચિત્ત તલથી મિશ્ર થએલા, અચિત્ત જવ, ધાણા વગેરે; અજાણતાં કે ઉતાવળથી ખવાઈ જાય, તો ચિત્તના ત્યાગ કરનારને અતિચાર લાગે, અથવા તો તરતનો કાચો લોટ, ભરડેલા કઠોળની દાળો વગેરે (કે જેમાં સચિત્ત નખીયા વગેરે હોવાનો સંભવ છે.) વસ્તુ ‘આ તો દળેલું ભરડેલું છે.' – એમ સમજી વાપરે, તો સંમિશ્ર છતાં વ્રતરક્ષાની ભાવના હોવાથી અતિચાર ગણાય છે. ચોથો અતિચાર ‘અભિષવ આહાર' નામનો છે. અભિષવ એટલે અનેક દ્રવ્યો એકઠાં કરીને, કહોવડાવીને તેમાંથી કાઢવામાં આવતા દરેક જાતિના રસો, આસવો તથા દારૂ, સૌવીર આદિ માંસના પ્રકારો કે ગોળ આદિ મીઠી વસ્તુઓ દારૂ તાડી કે વગેરે જેમાંથી માદક રસ ઝરતો હોય, તથા મહુડા વગેરે વીર્ય-વિકારની વૃધ્ધિ કરનારી ચીજો અજાણતાં કે સહસાત્કાર વગેરેથી ખવાઈ જાય, તો સાવધ આહારના ત્યાગ કરનાર વ્રતવાળાને અતિચાર લાગે, ઈરાદાપૂર્વક ખાવાથી વ્રતભંગ થાય. આ ચોથો અતિચાર કહ્યો. હવે પાંચમાં અતિચારમાં ‘દુષ્પાહાર’ અર્ધ પાકેલો અર્થાત્ સેકાએલ પોંક, અડધો રાંધેલો તાંદલજો, એ પ્રમાણે ઘઉં, જવ, જાડો ખાખરો-રોટલો, કાચી કાકડીનું કચુંબર, અહીં કાચું ખાવાથી શરીરને પણ હાનિ કરનાર તથા જેટલા અંશમાં સચેતન હોય, તેટલા અંશમાં પરલોક પણ બગાડનાર થાય છે. અર્ધ પાકેલા પોંક, પોપટા વગેરે અચિત્ત-બુદ્ધિથી ખાનારને અતિચાર જાણવો. આ પાંચમો અતિચાર જાણવો. કેટલાકતો અપાહારને સર્વથા કાચી વસ્તુને ખાવામાં પણ અતિચાર કહે છે, પણ તે અગ્નિથી પકાવેલી નહિ ૨૫૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હોવાથી સચિત્ત હોય, તેથી “સચિત્ત આહાર' નામના પહેલા અતિચારમાં જ આવી જાય છે, કેટલાક તુચ્છ ઔષધિ ભક્ષણને પણ અતિચાર કહે છે. તુચ્છ ઔષધિઓ તે મગ વિગેરની કુમળી શીંગો, ફળીયો વગેરે ગણાય છે. તે જો સચિત્ત હોય તો પ્રથમતિચારમાં જ આવી જાય છે અને અગ્નિઆદિથી અચિત્ત થએલી હોય તો પછી કયો દોષ? એ પ્રમાણે રાત્રિભોજન, મદિરાપાન જે જે અભક્ષ્ય આદિનો ત્યાગ કર્યો હોય તે, તે અજાણતા કે ઉતાવળથી કે ભૂલથી વપરાઈ જાય, તો અતિચાર સમજવા. આ પાંચે અતિચારો ભોગોપભોગ-પરિમાણ વ્રતના સમજવા. || ૯૭ || હવે ભોગપભોગના અતિચારોનો ઉપસંહાર કરતાં તે વ્રતનું બીજું લક્ષણ અને તેના અતિચારો બતાવવા માટે કહે છે : २६९ अमी भोजनतस्त्याज्याः कर्मत: खरकर्म तु । तस्मिन् पञ्चदश मलान्, कर्मादानानि संत्यजेत ॥ ९८ ॥ અર્થ: ઉપર્યુક્ત ભોજનના પાંચ અતિચારનો અને કાર્ય સંબંધી કોટવાળપણું આદિ પ્રાણી પીડક કઠોર કાર્યનો ત્યાગ કરવો. તેમાં આવતા પંદર કર્માદાનરૂપ મલ (અતિચાર)નો પણ ત્યાગ કરવો. || ૯૮ || ટીકાર્થ : ઉપર જણાવેલા પાંચ અતિચારો ભોજનને અંગે જણાવ્યા, તેનો ત્યાગ કરવો, હવે ભોગોપભોગ-પ્રમાણ વ્રતની બીજી વ્યાખ્યા કહે છે. ભોગ-ઉપભોગનાં સાધનો ઉત્પન્ન કરવા માટે જે વ્યાપાર કરવો પડે, તેને પણ ભોગોપભોગ શબ્દથી વ્યવહાર કરાય છે. કારણમાં કાર્યનો આરોપ કર્યો. તેથી તે કર્મને આશ્રીને આજીવિકા માટે કોટવાલપણું, ફોજદાર, સિપાઈ, જેલ સાચવનાર વગેરેને આકરી શિક્ષા કરવી પડે અને જેનાથી જીવોને ત્રાસ થાય, તેવો કઠોર કાર્યના ત્યાગ, લક્ષણ ભોગોપભોગ વ્રતના પંદર અતિચારો ત્યાગ કરે, તે પંદર કર્માદાન કહેવાય છે કર્મ એટલે પાપપ્રકૃતિનાં કારણભૂત હોવાથી, તે કર્માદાન કહેવાય || ૯૮ || તેને નામ-પૂર્વક બે શ્લોકોથી કહે છે :२७० अङ्गार-वन-शकट-भाटक-स्कोट-जीविका । -નાક્ષ-રસ-વોશ-વિષ-વાણિજ્યનિ ર | ૨૬ છે. २७१ यन्त्रपीडा निलांछन-मसतीपोषणं तथा । देवदानं सर: शोषः इति पञ्चदश त्यजेत् ॥ १०० ॥ અર્થ : (૧) અંગાર-જીવિકા, (૨) વનજીવિકા (૩) શકટજીવિકા (૪) ભાટક જીવિકા (૫) સ્ફોટક જીવિકા (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષાવાણિજ્ય (૮) રસવાણિજ્ય (૯) કેશવાણિજ્ય (૧૦) વિષવાણિજ્ય (૧૧) યંત્રપાલન કર્મ, (૧૨), નિલંછન કર્મ, (૧૩) અસતીપોષણ કર્મ, (૧૪) દવદાન કર્મ અને (૧૫) સરોવર શોષણ કર્મ, આ પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ કરવો || ૯૯-૧૦ || ટીકાર્થઃ ૧. અંગારકર્મ ૨. વનકર્મ ૩. ગાડાકર્મ ૪. ભાડાકર્મ ૫. ફોડણકર્મ. આ કર્મોથી આજીવિકા મેળવવી. તે કર્મરૂપ પાંચ અતિચારો, ૬ દાંત, ૭ લાખ, ૮ રસ, ૯ કેશ, ૧૦ વિષ. આ પાંચનો વેપાર કરવા રૂપ પાંચ અતિચારો તથા ૧૧ યંત્ર-મશીનરીથી ધંધો કરવો, તે યંત્ર પીલણ કર્મ. ૧૨ અંગોપાગાદિ છેદ વગેરે કરવા. તે નિછન કર્મ, ૧૩ અસતી-પોષણ, ૧૪. દવ-અગ્નિ સળગાવવો તે દવાગ્નિ Page #306 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૮-૧૦૨ ૨૫૫ દાનકર્મ. ૧૫. તળાવ સૂકવવા આદિનો ધંધો કરવો-આ પંદર કર્માદાનરૂપ-અતિચારોનો ત્યાગ કરવો. .. ૯૯-૧૦૦ સે. હવે ક્રમપૂર્વક પંદરે અતિચારોની વ્યાખ્યા કરતાં અંગારકરૂપ આજીવિકાનું સ્વરૂપ કહે છે– २७२ अङ्गारभ्राष्टकरणं, कुम्भायःस्वर्णकारिता । ठठारत्वेष्टकापाका-वितिह्यङ्गारिजीविका ॥ १०१ ॥ અર્થ અંગાર બનાવવા અનાજને, શેકવા-મૂંજવા, કુંભારનો, લુહારનો તથા સોનીનો ધંધો, કંસારાનો અને ઈટાદિ બનાવીને વેચવાનો વેપાર કરવો - આ બધા ધંધાથી જીવન ચલાવવું તે અંગારજીવિકા કહેવાય | ૧૦૧ | ટીકાર્થ : કાષ્ઠો, બાળીને, અંગારા પાડવા અને તેને વેચવા, અંગારા પાડવામાં એ જીવનિકાયની વિરાધનાનો સંભવ થાય છે. એવી રીતે અગ્નિવિરાધના સ્વરૂપ જે જે આરંભો (કોલસા) થાય તેનો અંગારકર્મની અંદર સમાવેશ થાય છે. આ એક ભેદ વિસ્તારથી સમજાવ્યો. બાકીના ભેદો તેની માફક સમજી લેવા. અનાજ શેકવાનો અર્થાત ભાડભુંજાનો ધંધો, કુંભાર-લુહાર, સોનીનો ધંધો, કંસારાનો ઈંટનળિયા-માટીના વાસણો બનાવી, પકાવી વેચવાનો ધંધો, મીઠાઈ-ફરસાણ બનાવવા માટે ભઠ્ઠો કરી, આજીવિકા ચલાવવી તે અંગારકર્મ જીવિકા' સમજવી. તેમાં લોઢું સોનું રૂપું આદિ ગરમ કરવા. ગાળવા ઘાટ ઘડવા, તેના કુંભ દાગીના આદિ ઘડી આપવા, તથા ઠઠારપણું એટલે ત્રાંબું, સીસું કલાઈ, કામું, પિત્તળ વગેરે બનાવવા, તેના ઘાટ ઘડાવવાં વગેરેથી આજીવિકા ચલાવવી. આમ કંસારાનો ધંધો પણ અંગાર કર્મનો ગણાવેલો છે. આથી વર્તમાનકાળમાં જેમાં અગ્નિકાયની વિશેષપણે વિરાધના થતી હોય તેવા એન્જિન ચલાવવાં, કોલસા પડાવવાનો ઈજારો રાખવો. મહાભઠ્ઠીઓવાળા મોટા ધંધા કરવા, બોયલરોમાં શ પૂરવું. ઘાસતેલ, પેટ્રોલ, કુડ, ઓઈલ, છાણાં, લાકડાં ફોતરા વગેરે બળતણના ધંધા કરવા, પેટ્રોમેક્ષ, ઈલેક્ટ્રીક વગેરે બત્તીઓ, ગ્યાસના ચૂલા, દીવાસળી આદિનો ધંધો કરવો, તે સર્વ “અંગારકર્મ– જીવિકા' સમજવી.) મે ૧૦૧ છે. હવે વનજીવિકા કહે છે– २७३ छिन्नाच्छिन्नवनपत्र-प्रसूनफलविक्रयः ____ कणानां दलनात् पेषाद् वृत्तिश्च-वनजीविका ॥ १०२ ॥ અર્થ : કાપેલા કે નહિ કાપેલા જંગલો પાંદડા લો અને ફળો વેચવા ધાન્યને દળવાથી તથા પીસવાથી જે આજીવિકા કરવી તેને વનજીવિકા કહેવાય. // ૧૦૨ / ટીકાર્થ : કાપેલાં કે નહિ કાપેલાં જંગલો, ઝાડો, પાંદડા, ફુલો કે ફળો વગેરે વેચવા, તથા અનાજ દળવા, પીસવાં વગેરેથી આજીવિકા મેળવવી, તે “વનકર્મ-જીવિકા' કહી છે. (ઉપલક્ષણથી વેપાર માટે જંગલના બીડ લેવાં, વેચવા, કપાવવાં, વાવવાં, બગીચા-વાડીઓ વવરાવવાં–છેરવાં. કઠોળની દાળો, મેંદો-સોંજી બનાવરાવવાં; દળવાની ઘંટી, મગફળી પીલવાની મીલ ચલાવવી; કેળાં શેરડી પપૈયા, ચાના બગીચા આદિથી આજીવિકા ચલાવવી ઈત્યાદિ પણ વનકર્મ-જીવિકામાં સમાઈ જાય) મુખ્યતાએ જેમાં વનસ્પતિકાય જીવોની હિંસા ઘણી થાય. તેવા ધંધા તે વનકર્મ કહેવાય અને આવા કાર્યોમાં વનસ્પતિકાયના જીવો તથા તેને આશ્રિને રહેલાં બીજા ત્ર-સ્થાવરથી માંડી યાવતુ પંચેન્દ્રિય જીવોની પણ હિંસા સંભવિત Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ છે. || ૧૦૨ || २७४ शकटानां तदङ्गानां घटनं खेटनं तथा विक्रयश्चेति शकट- जीविका परिकीर्तिता યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 1 ॥ ૧૦૩ ॥ અર્થ : ગાડાં અને ગાડાના ચક્ર આદિ અંગો બનાવવા, ગાડા બીજાને ભાડે આપવા અને ગાડા વેચવાથી જે વૃત્તિ કરવી તેને શકટજીવિકા કહેવાય || ૧૦૩ || ટીકાર્થ : હવે શકટકર્મ એટલે ગાડા કે તેના અવયવો ધૂંસરી, પૈડા વગેરે ઘડવા-ઘડાવવાં, વહન કરવા-કરાવવાં, વેચવા-વેચાવવા ઈત્યાદિ શકટકર્મ-જીવિકા કહેવાય. સકળ જીવોને ઉપમર્દન કરવાના કારણભૂત ગાય, બળદ આદિના બંધ, વધના કારણભૂત ‘શકટજીવિકા’ છે. (ઉપલક્ષણથી ટાંગા, વીક્ટોરિયા, ટ્રામ, બસ, મોટર, લોરી રીક્ષા, સાઈકલ, પ્લેન, વહાણ રેલવેના ડબ્બા વગેરે ઘડવાં ઘડાવવાં, વેચવા વગેરેનો શકટ-જીવિકામાં સમાવેશ કરવો.) || ૧૦૩ ॥ હવે ભાટક-આજીવિકા કહે છે :– । २७५ शकटोक्षलुलायोष्ट्र - खराऽश्वतरवाजिनाम् भारस्य वाहनाद् वृत्तिर्भवेद् भाटकजीविका ॥ ૧૦૪ ॥ અર્થ : ગાડાં, બળદ, પાડાં ઊંટ, ગધેડા, ખચ્ચર અને ઘોડા આદિને ભાડેથી લઈ તે બધા પાસે બીજાના ભાર ઉપડાવીને જે વૃત્તિ કરવી તેને ભાટકજીવિકા કહી છે || ૧૦૪ || = ટીકાર્થ : ભાટક જીવિકા :– ગાડાં, બળદ, ઊંટ, પાડા, ગધેડા, ખચ્ચર, ઘોડાં વગેરે ભાડેથી બીજાના ભાર ખેંચવા કે ભાર ઉપડાવવા, તેનાથી જે આજીવિકા તે ‘ભાટક-જીવિકા' કહેવાય. || ૧૦૪ || હવે સ્ફોટક-જીવિકા કહે છે : २७६ सरः कूपादिखनन - शिलाकुट्टनकर्मभिः I પૃથિવ્યારમ્મતભૂત-નીવન-ોટીવિદ્યા || ૨૦૬ || અર્થ : સરોવર-કૂવા આદિ ખોદવા, પથ્થર બનાવવા વગેરે પૃથ્વીકાય જીવોના ઘાતથી થતા વેપારથી આજીવિકા કરવી. તેને સ્ફોટકજીવિકા કહી છે. || ૧૦૫ || ટીકાર્થ : સરોવર, કૂવા, વાવડી, આદિ માટે જમીન ખોદવી, હળ આદિથી ખેતર આદિની ભૂમિ ઉખેડવી, ખાણમાંથી પત્થર ખોદી કઢાવવાં, કે ઘડવા, જેનાથી પૃથ્વીકાયનો આરંભ-મર્દન થાય. ઉપલક્ષણથી ભૂમિ ખોદવામાં તે સાથે રહેલા વનસ્પતિ અને ત્રસ જંતુઓનો પણ ઘાત થાય. આવા કાર્યોથી જે આજીવિકા. તે ‘સ્ફોટક-આજીવિકા' (ઉપલક્ષણથી સોનું, ચાંદી, લોઢું આદિ ધાતુઓ, હીરા, કોલસા ઘાસતેલ, ખનીજતેલ આદિ માટે કૂવા ખાણ, પંપો, બોરીંગો વગેરે કરાવવાનો ધંધો પણ આમાં જ સમાઈ જાય.) || ૧૦૫ || હવે દંત-વાણિજ્ય કહે છે :— २७७ दन्तकेशनखास्थित्वग् रोम्णो ग्रहणमाकरे त्रसाङ्गास्य वाणिज्यार्थ, दन्तवाणिज्यमुच्यते , | ૨૦૬ ॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૦૩-૧૦૮ ૨૫૭ ** અર્થ : પશુના અંગોને હાથી વગેરે ત્રસજીવોના દાંત-વાળ-નખ-હાડકાં-ચામડી અને રૂંવાટા આદિ અંગોને વેપાર કરવા માટે ઉત્પત્તિ સ્થાનમાંથી ગ્રહણ કરવા તેને દંતવાણિજ્ય કહેવાય. ॥ ૧૦૬ ॥ ટીકાર્થ : હાથીના દાંત ઉપલક્ષણથી જીવોના શરી૨, અવયવો, પણ સમજી લેવા. તે જે સ્થાનમાં મળતા હોય ત્યાં જઈ ખરીદ કરવા તેને ‘દંત-વાણિજ્ય' નામનો અતિચાર કહેલ છે. ગોરોચન, અંબર, સાબરસિંગ, હરણસિંગ, આદિના વેપાર, ચમરી ગાયના વાળ, વાઘનું ચર્મ, કસ્તૂરી, સમુદ્રના શંખ, છીપ, મો૨-પીંછ આ સર્વ વેપાર પણ દંત-વાણિજ્યમાં સમજવા. મનુષ્ય અને પશુના વાળ, પક્ષીઓની રૂંવાટી, નખ, હાડકાં, ચામડાં વેચવા કે ઊન માટે, ઘેટાં, બકરાં, આદિનો વેપાર, હાથીદાંત આદિ વસ્તુઓ જે સ્થળે મળતી હોય ત્યાં જઈ દાંત આદિ ખરીદ કરવા માટે ભિલ્લ આદિને પ્રથમથી મૂલ્ય આપી શરત કરે કે, અમુક મુદતમાં આટલો માલ પૂરો પાડવો; તેથી તેઓ પણ તે વેચવા માટે હાથી આદિ પ્રાણીઓનો વધ કરે. આક૨-ખાણ ઉત્પત્તિસ્થાન કહેવાથી વગર ઉત્પત્તિ-સ્થાને ખરીદ કરવામાં દોષ નથી. ।। ૧૦૬ || હવે લાક્ષાવાણિજ્ય કહે છેઃ २७८ लाक्षामनःशिलानीली धातकीटङ्कणादिनः I विक्रयः पापसदनं लाक्षावाणिज्यमुच्यते ૫ ૨૦૭ ॥ અર્થ : પાપોના ઘર રૂપ લાક્ષા (લાખ) મનઃ શિલા (પારો) ગળી, ધાતકી, વૃક્ષના ફુલ આદિ અને ટંકણખાર વગેરેનો વેપાર કરવો, તે લાક્ષાવાણિજ્ય જાણવું. ॥ ૧૦૭ || ટીકાર્થ : લાક્ષા અને ઉપલક્ષણથી તેના જેવા બીજા સાવદ્ય મશિલા (પારો) ગળી, ધાતકી વૃક્ષ કે જેની છાલ-પુષ્પમાંથી દારૂ બને છે તે, ટંકણખાર, સાબુ બનાવવાના ક્ષાર, આ સર્વે ક્ષારો પાપના કારણ હોવાથી તેનો વેપાર પણ કરવા લાયક નથી. ટંકણખાર મનઃશિલા બીજા જીવોનો નાશ કરે છે. જંતુના ઘાત સિવાય ગળી બની શકતી નથી ધાતકી વૃક્ષ મઘનું કારણ હોવાથી તેના ઊકાળામાં કીડાઓ થતા હોવાથી પાપનું ઘર છે, તેથી તેનો વેપાર પણ પાપનું ઘર હોવાથી ત્યાગ કરવા લાયક છે. આ લાક્ષાવાણિજ્ય કહેવાય. || ૧૦૭ || હવે રસ અને કેશ વાણિજ્ય એક શ્લોકથી કહે છે २७९ नवनीतवसाक्षौद्र-मद्यप्रभृतिविक्रयः 1 द्विपाच्चतुष्पाद्विक्रयो, वाणिज्यं रसकेशयोः ॥ ૧૦૮ ॥ અર્થ : માખણ, ચરબી, મધ મદિરા આદિ રસોનું વેચાણ કરવું તે રસવાણિજ્ય જાણવું, મનુષ્ય વગેરે દ્વિપદ જીવો અને ગાય આદિ ચતુષ્પદ પ્રાણીઓનો વેપાર કરવો તેને કેશવાણિજ્ય કહેવાય. ।। ૧૦૮ ટીકાર્થ : માખણ, ચરબી, મધ, દારૂ, મજ્જા વગેરેનો વેપાર કરવો, તે ‘રસ-વાણિજ્ય’ (ઉપલક્ષણથી દરેક પ્રકારનાં આસવો, સ્પીરીટ, તેજાબ, અથાણાં, મુરબ્બા, ફીનાઈલ, પ્રવાહી પદાર્થો પણ આમાં આવી જાય) તથા બે પગવાળા મનુષ્યો દાસ-દાસીઓ, ચાર પગવાળા-પશુઓનો વેપાર કરવો, તે ‘કેશ-વાણિજ્ય કહેવાય. કેટલાક વાલ ઊન, ચમરી ગાયના વાળ કન્યા-વિક્રય, વરવિક્રયને પણ આમાં ગણે છે. રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી હાડકાંમાં થતો ચીકણો રસ, મજ્જા, દૂધ, દહીં, ઘી, તેલ વિગેરે રસવાળા પદાર્થોનો વેપાર કરવો, તે અતિચાર છે. છાશમાંથી માખણ છુટું પડતાં જ તેમાં અનેક સંમૂચ્છિમ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ જંતુઓ ઉત્પન્ન થાય છે. ચરબી અને મધ જીવોની હિંસાથી જ પ્રાપ્ત થાય છે. દારૂથી ઉન્માદ થાય છે. તેમજ તેમાં રહેલા અનેક કૃમિજીવોનો ઘાત થાય છે. દૂધ વગેરે પ્રવાહીમાં પડતાં ઉડતાં જીવોનો નાશ થાય છે. દહીં જમાવ્યા પછી બે દિવસ અર્થાત્ બે રાત્રિ પૂર્ણ થતાં જ અસંખ્ય અદશ્ય જીવો ઉત્પન્ન થાય છે. આ રસ-વાણિજ્ય અનેક જીવોની હિંસાનું કારણ હોવાથી વજર્ય છે. બે પગવાળા મનુષ્યો અને ચાર પગવાળા જાનવરનો તેના વાળ માટે વેપાર કરવો, તેમાં પણ તેઓને પરાધીનતા, વધ, બંધન, ભૂખ, તરસની પીડા થાય છે. આ રસ અને કેશવાણિજ્યનો વેપાર ત્યાગ કરવા લાયક છે. // ૧૦૮ // હવે વિષવાણિજ્ય કહે છે :२८० विषास्त्रहलयन्त्रायो-हरितालादिवस्तुनः ।। विक्रयो जीवितघ्नस्य, विषवाणिज्यमुच्यते ॥ १०९ ॥ અર્થ : જીવનનો નાશ કરનારા ઝેર, ભાલાદિ શસ્ત્રો, હળ, આદિ યંત્રો, કોદાળા વગેરે લોઢાના સાધનો અને હરિતાલ વગેરે વસ્તુઓનો વેપાર કરવો, તે વિષવાણિજ્ય જાણવું. || ૧૦૯ I. ટીકાર્થઃ ઇંગિક આદિ ઝેરો, તરવાર આદિ શસ્ત્રો, હળ, રેંટ, કોશ, કોદાળા, પાવડા આદિ હરતાલ અને આદિશબ્દથી વચ્છનાગ સોમલ આદિ ઝેરી ચીજો, પાણીથી ભીંજાએલી હરતાલમાં માખીઓ પડતાં જ મરી જાય છે. આ સર્વ ‘વિષ-વાણિજ્ય' કહેવાય અને શ્રાવકે આ વેપાર કરવાનો ન હોય. // ૧૦૯ છે. હવે યંત્ર-પીડન કર્મ જણાવે છે – २८१ तिलेक्षुसर्षपैरण्ड-जलयन्त्रादिपीडनम् । दलतैलस्य च कृति-यन्त्रपीडा प्रकीर्तिता ॥ ११० ॥ અર્થ : તલ-શેરડી-સરસવ-એરંડા, પીલવાનું યંત્ર અને પાણી ખેંચવાનું યંત્ર આદિ યંત્રો ચલાવવાનો અને તલનું તેલ બનાવવાનો વેપાર કરવો, તેને યંત્રપાલન કર્મ કહેવાય. / ૧૧૦ / ટીકાર્થ : તેલ કાઢવાની ઘાણી, શેરડી, પીલવાના કોલ, સરસવ, એરંડા, મગફળી, વગેરે પીલવાના સંચા-યંત્રો, જળયંત્રો, તલ નાખીને તેલ મેળવાય તેવા યંત્ર તે યંત્ર-પીડા, તલ આદિ પીલતાં તેમાં રહેલાં ત્રસ જંતુઓનો વધ થાય છે માટે યંત્ર-પીડનકર્મ પાપવાળું હોવાથી શ્રાવકે કરવા લાયક નથી. લોકોમાં પણ એક ઘાણી કે ચક્રયંત્ર ચલાવવામાં દશ ખાટકી જેટલું કર્મ બંધાવાનું માન્યું છે. અત્યારે વરાળ, ક્રૂડ ઓઈલ, પેટ્રોલ કે વીજળીના બળથી ચાલતાં હરકોઈ ફેક્ટરીઓ, મીલ, “જીન, પ્રેસ, ખેતીના યંત્રો એ સર્વ મંત્રપાલન કર્મમાં ગણી શકાય.) || ૧૧૦ //. હવે નિલંછન-કર્મ કહે છે : २८२ नासावेधोऽङ्कनं मुष्क-च्छेदनं पृष्टगालनम् । कर्णकम्बलविच्छेदो निर्लाञ्छनमुदीरितम् ॥ १११ ॥ અર્થ: નાક વીંધવું, શરીરમાં ચિહ્નો કરવા, અંડગોલને છેદવા, પીઠ ગાળવી તથા કાન અને ગળા ઉપર થતી ગાય બળદની કંબલ કાપવી તેને નિલંછન કર્મ કહેવાય. | ૧૧૧ || ટીકાર્થ : સ્પષ્ટપણે ઓળખી શકાય તે પ્રમાણે અંગ અવયવનો છેદ કરવો, તે રૂપ, આજીવિકા, તે નિલંછન-કર્મનો વ્યાપાર કહેવાય, તેના ભેદો કહે છે - બળદ પાડાના નાક વિધવા, બળદ, ઘોડાને ડામ Page #310 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૦૯-૧૧૩ આપી નિશાની કરવી, તેઓના અંડકોષ કાપવા, ઊંટની પીઠ ગાળવી, બળદ-ગાયના કાન, ગલકંબલ કાપવાં, આમાં જીવોને પીડા પ્રગટ રીતે થાય છે, તેથી શ્રાવકને આ ધંધો કરવો બિલકુલ યોગ્ય નથી. (પ્રસંગોપાત્ત આવા બીજા ધંધા પણ ન કરવા, જેવા કે પ્રાણીઓના કાળજાં, અંડકોષ કાઢવા, માછલીઓમાંથી તેલ, વાછરડાં, આદિના લોહી ખેંચી તેમાંથી દવા બનાવવી, ગર્ભ ગળાવવા, પાડવા, સંતતિ થતી અટકાવવાના પ્રયોગ કરાવવા, મડદાની ખાંપણ વેચવાનો ધંધો કરવો, ઊંદરો, વાંદા, વાંદરા, કૂતરા, તીડ આદિને મારી નાંખવાનો ધંધો, મચ્છ૨, માખી વગેરેને ડી.ડી.ટી. વગેરે દવાથી મારી નાંખવા, ફીનાઈન છાંટવા, ફૂટણખાના ચલાવવા, આવા ધંધા પોતે કરવા, કે તેમાં બીજાને સહાય કરવી, ફાંસીની સજા કરવી, ચોર આદિને કાતિલ માર મારવો. આ દરેકને આ કર્માદાનમાં ગણી શકાય. પહેલા વ્રતના અતિચારમાં હિંસા કરવી, તે અતિચાર અને અહીં આજીવિકા માટે ધંધો કરવો, તેવો ભેદ સમજાવો.) | ૧૧૧ || હવે અસતી-પોષણ કહે છે ૨૫૯ : २८३ सारिकाशुकमार्जार-श्वकुर्कुटकलापिनाम् 1 पोषो दास्याश्च वित्तार्थ - मसतीपोषणं विदुः ॥ ૨ ॥ અર્થ : ધનને મેળવા માટે મેના, પોપટ, બિલાડાં, કૂતરા, કૂકડા મોર અને દાસીનું પોષણ કરવું તેને અસતીપોષણ કર્મ કહ્યું છે. | ૧૧૨ ॥ ટીકાર્થ : અસતી એટલે દુષ્ટાચારવાળાઓનું પોષણ ‘કેટલાંક શબ્દોનું લિંગ અનિયત હોય છે.' એ ન્યાયે પુરૂષલિંગવાળા પોપટ, સૂડા, કૂતરા, બિલાડા, કૂકડા, મોર આદિ તિર્યંચોનું પોષણ કરવું તથા ભાડું ઉપજાવવા માટે વ્યાભિચારણી સ્ત્રીનું પોષણ કરવું :– એમ હિંસક અને દુરાચારીઓનું પોષણ કરવું, તે દોષરૂપ હોવાથી ‘અસતીપોષણ' વર્જન કરવા યોગ્ય છે. II ૧૧૨ ॥ હવે દવદાન અને સરોવર સુકાવવા રૂપ બે અતિચારો એક શ્લોકથી કહે છે : २८४ व्यसनात् पुण्यबुद्धया वा दवदानं भवेद् द्विधा । सरः शोष सरः सिन्धु हूदादेरम्बुसंप्लवः ૫ ૧૧૨ ॥ અર્થ : વ્યસન (કુટેવ)થી અથવા પુણ્યબંધની મતિથી દવદાનકર્મ બે પ્રકારનું હોય છે અને સરોવર નદી-જળાશય આદિના પાણીનું નહેર આદિ વડે શોષણ કરવું તેને સરઃશોષણ કર્મ કહેવાય || ૧૧૩ || ટીકાર્થ ‘ગ્રામ નગર આદિમાં આગ લગાડીએ, તો લોકો તેમાં રોકાઈ જાય, તો ચોરી-લૂંટ સહેલાઈથી કરી શકાય, જંગલમાં જુનું ઘાસ સળગાવવાથી નવો પાક સારો થાય, તો ગાયોને ચારો સારો મળે. ખેતરમાં સૂડ કરવાથી કાંટા-ઝાંખરા બાળી નાંખવાથી ધાન્ય સારૂં પાકે, ‘એવી બુદ્ધિથી અગ્નિ સળગાવે. કેટલાક ખેડૂતો પુણ્યબુદ્ધિથી મરણકાળે મારા કલ્યાણ માટે તમારે આટલા ધર્મ-દીપોત્સવ કરવા. એટલે ખેતરોમાં અગ્નિદાહ દેવો. આવા દવમાં અનેક જીવો બળીને મરી જાય, આ દવદાન કર્મ તથા જળાશય જેવા કે સરોવર, નદી, દ્રહોમાં જે પાણી હોય, તેને નીક જે દ્વારા કે નહેરથી ધાન્ય ઉગાડવા વહેવડાવવું. વગર ખોદેલું સરોવર અને ખોદેલું તે તળાવ કહેવાય. તેમ કરવામાં પાણીમાં રહેલા જળજંતુઓ તેમાં તણાઈ ગયેલાં બહારના ત્રસ-જંતુઓ એ છએ જીવનિકાયોનો વધ થાય છે. આ પ્રમાણે સરોવ૨શોષણનો દોષ જણાવ્યો. આ પ્રમાણે સંક્ષેપથી દિશામાત્ર પંદર કર્માદાન જણાવ્યા પણ ગણનારૂપે નહિ, કારણકે આ સિવાય પણ આવા પાપકર્મો અનેક છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ પ્રમાણે સાતમાં વ્રતમાં કુલ વશ અતિચારો કહ્યા તેમાં તાત્પર્ય એ છે કે બીજા વ્રતોમાં પાંચપાંચ અતિચારો કહ્યાં છે, તે તેટલાં જ માત્ર નથી, પણ તે તે અતિચારો જેવા વ્રતના પરિણામને કલુષિત કરનારાં બીજાં પણ પાપકર્યો છે. તેને અતિચારરૂપે ગણવા. અર્થાત્ પાંચથી વધારે પણ અતિચારો સંભવી શકે છે. તેથી વિસ્મૃતિ કે અજાણપણે ભૂલ થાય, તે સર્વે પણ યથાયોગ્ય દરેક વ્રતમાં અતિચારો જાણવા, શંકા કરી કે, અંગારકર્મ વગેરે કર્માદાનોને ખરકર્મમાં અર્થાત્ કર્માદાનોમાં અતિચારો કેમ કહ્યાં ? કારણ કે, તે કાર્યો સ્વરૂપે ખરકર્મરૂપ- કર્માદાન રૂપ જ છે. આનું સમાધાન કરતાં જણાવે છે કે, વસ્તુતઃ તે ખરકર્મરૂપ જ છે, માટે જે અજાણતાં, કે સ્મૃતિભેદ આદિ કારણો જણાવ્યા છે, તે કારણોથી થાય તો જ ખરકર્મના ત્યાગરૂપ વ્રત અંગીકાર કરનારાઓને તે અતિચારો ગણાય. જે ઈરાદાપૂર્વક તેવાં કાર્યો કરે, તેને તો વ્રતભંગ જ થાય. || ૧૧૩ ll હવે અનર્થદંડ-વિરતિ, વ્રતના અતિચારો કહે છે– २८५ संयुक्ताधिकरणत्व-मुपभोगातिरिक्तता । मौखर्यमथ कौत्कुच्यं, कन्दर्पोऽनर्थदण्डगाः ॥ ११४ ॥ અર્થ : (૧) બે અધિકરણોને સંયુક્ત રાખવા (૨) ઉપભોગમાં બિનજરૂરી સાધનો વધારે રાખવા, (૩) વાચાળતા, (બહુ બોલવાપણું) (૪) આંખ-હોઠ આદિ અંગોપાંગના હાવભાવ કરવા તે કૌત્કચ્ય અને (૫) કામચેષ્ટા કરવી - આ પાંચ અતિચાર અનર્થદંડ વિરમણ વ્રતના જાણવા. || ૧૧૪ . ટીકાર્થ : અનર્થદંડની વિરતિવાળાને આ પાંચ અતિચારો કહેલા છે, તે આ પ્રમાણે જેનાથી આત્મા દુર્ગતિનો અધિકારી બને, તે અધિકરણ કહેવાય; તેવા ખાંડણીઓ અને સાંબેલુ, હળ સાથે કોશ, ગાડાં સાથે ધૂસરું, ધનુષ્ય સાથે બાણ, આમ આ અધિકરણો જોડેલાં કે નજીક રાખવા. શ્રાવકે આવા અધિકરણો જોડેલા ન રાખી મૂકવાં, પણ છૂટા પાડી નાંખવા, જોડેલા અધિકરણ પડેલાં હોય અને કોઈ માંગણી કરે તો ના પડાય નહિ અને આડા અવળાં પડેલા હોય, તો સુખેથી ના પાડી શકાય. અનર્થદંડનો ‘હિંગ્ન-પ્રદાન નામનો આદિ અતિચાર સમજવો. ત્યારપછી “ભોગપભોગનાં સાધનોની અધિકતા' નામનો બીજો અતિચાર તેને કહેવાય કે સ્નાન, પાન, ભોજન, ચંદન, કેસર, કસ્તુરી, વસ્ત્રો, આભૂષણ આદિ વસ્તુઓનો પોતાની કે કુટુંબની જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરવો તે, આ “પ્રમાદાચરણ” નામનો અતિચાર છે, આ સંબંધમાં આવશ્યક ચૂર્ણિ આદિ-વૃદ્ધ પરંપરા એવા પ્રકારની છે કે તળાવ વગેરે સ્થાને સ્નાન કરવા જતાં જો વધારે પ્રમાણમાં તેલ, આમળાં, સાબુ આદિ વધારે પ્રમાણમાં લઈ જાય તો મફતીયા- મળવાના લોભથી તળાવ પર ઘણાં લોકો સ્નાન કરવા આવે અને જેથી તેલમાં રહેલા પોરા આદિ જીવોની તથા અપ્લાયની ઘણી વિરાધના થાય. શ્રાવકને આમ કરવું કહ્યું નહિ તો પછી ક્યો વિધિ છે? તેમાં મુખ્યતાએ શ્રાવકે ઘરે જ સ્નાન કરવું. તેમ સગવડ ન હોય તો તેલ ચોળવું. મસ્તકે આંબળાનો ભૂકો ચોળવો, તે પ્રમાણે ઘરે કરીને જ જળાશયે જવું અને તળાવ આદિ સ્થાને પહોંચી હાથથી ઘસીને ભૂકો ખંખેરી નાખવો અને તળાવ આદિકના કિનારા ઉપર બેસીને અંજલિ ભરી ભરીને સ્નાન કરે, નહીં કે આખા જળાશયમાં બેસીને, તથા વાપરવાના પુષ્પોમાં કુંથુઆ આદિ ત્રસજીવો હોય તો તેનો ત્યાગ કરવો. એ પ્રમાણે ભોગોપભોગનાં બીજાં સાધનમાં પણ સમજવું. આ બીજો અતિચાર જણાવ્યો. મુખરતા એટલે વગર વિચાર્યું બોલવું, તેવું બોલનાર મુખર-વાચાળ કહેવાય. ધીઠાઈથી અસભ્ય-અસંબદ્ધ બોલવું અને વગર પૂછુયે અતિશય બોલ બોલ કરવું. આ પાપોપદેશ નામનો ત્રીજો અતિચાર જાણવો. હવે “કૌત્કચ્ય' નામનો ચોથો અતિચાર જણાવે છે. ભાંડ-ભવાયા માફક ભવાં, નેત્ર, હોઠ, નાસિકા, હાથ-પગ અને મુખના ખોટાં ચાળાં-ચટક કરવા, અવયવો સંકોચ કરવા એવા અર્થમાં “કૌનુચ્ય” એવો પણ પાઠ છે, જેથી બીજાને હસવું આવે, Page #312 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૪-૧૧૫ ૨૬૧ પોતાની લઘુતા થાય, તેવું બોલવું કે વર્તન કરવું. તે પ્રમાદાચરણનો ચોથો અતિચાર છે તથા “કંદર્પ એટલે વિષય વાસના ઉત્પન્ન થાય તેવા વિકાર વચનો બોલવા કે વિષયની વાતો કરવી, તે “કંદર્પ નામનો અતિચાર. આ વિષયમાં આ પ્રમાણે સમાચારી છે કે–શ્રાવકે તેવી વાતો કરવી નહિ, જેથી બીજાને મોહ કે વિષય-રાગ વધે બંને પ્રમાદાચરણના અતિચારો સમજવા. આ પ્રમાણે ગુણવ્રતના અતિચારો સમજાવ્યા. // ૧૧૪ || હવે શિક્ષાવ્રતો સમજાવતાં તેમાં પ્રથમ સામાયિકના અતિચારો કહે છે : २८६ कायावाङ्मनसां दुष्ट-प्रणिधानमनादरः । स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकव्रते ॥ ११५ ॥ અર્થ : (૧ થી ૩) મન-વચન-કાયાને સાવધ યોગમાં પ્રવર્તાવવા. (૪) અનુષ્ઠાનમાં અનાદર અને (૫) વિસ્મરણ થવું. - આ પાંચ સામાયિક વ્રતના અતિચાર કહ્યા છે. // ૧૧૫ | ટીકાર્થ : મન, વચન અને કાયા એ ત્રણ યોગોને પાપ-વ્યાપારમાં જોડવા. એટલે મન-દુષ્મણિધાન, વચન-દુષ્મણિધાન અને કાયાનું દુપ્પણિધાન, સ્મૃતિ-ભંશ થવો અને અનાદર એમ સામાયિક વ્રતના પાંચ અતિચારો છે. કાયાને પાપવ્યાપારમાં પ્રવર્તાવવારૂપ શરીરના અવયવો-હાથ, પગ આદિને સંકોચીને ન રાખતાં વારંવાર જેમતેમ લાંબા ટૂંકા કર્યા કરવા, તે “કાય-દુપ્રણિધાન” બોલવામાં શબ્દોની વાક્યોની કે અર્થની યથાસ્થિત ગોઠવણ ન હોય. ન સમજાય તેમ બોલવું. ભાષા-ચાપલ્ય થઈ ચીપી ચીપીને બોલવું તે “વાગુદુપ્રણિધાન” તથા મનમાં ક્રોધ, લોભ, દ્રોહ, ઈર્ષા, અભિમાન વગેરે કરવા, સાવઘ-પાપવ્યાપારમાં ચિત્તને આકર્ષક કરવું તથા મનમાં સંભ્રમ પેદા કરવો વગેરે “મનોદુષ્મણિધાન સમજવું. આ ત્રણ અતિચારો કહ્યું છે કે – “જોયા કે પ્રમાર્યા વગરની ભૂમિમાં બેસવું, ઉઠવું, ઉભા રહેવું વગેરે કરનારને હિંસા ન થાય તો પણ, પ્રમાદ સેવન કરવાથી તેનું સામાયિક ગણાતું નથી. (શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૧૩-૧૫) સામાયિક કરનાર પ્રથમ બુદ્ધિથી વિચાર કરીને હંમેશા નિરવદ્ય વચન બોલે, નહિતર સામાયિક થાય નહિ; જે શ્રાવક સામાયિક કરીને ઘરની ચિંતા કરે, તે આર્તધ્યાન પામેલો હોવાથી તેનું સામાયિક નિરંથક છે.” અનાદર એટલે સામાયિક કરવામાં અનુત્સાહ, સંયોગ છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું અથવા જેમ તેમ જ્યારે ત્યારે કરવું અથવા પ્રબલ પ્રમાદાદિ દોષથી લીધા પછી તરત જ પારી લે. કહેલું છે કે– “સામાયિક ઉચ્ચરીને તરત પારે, અથવા નિયમિત સમયે નહિં કરતાં સ્વેચ્છાથી જ્યારે-ત્યારે કરે, એવા અનવસ્થિતઠેકાણા વગરના પુરૂષને અનાદરના કારણે સામાયિક શુદ્ધ થતું નથી” (શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૧૭), આ ચોથો અતિચાર, પ્રબળ પ્રમાદાદિના કારણે સામાયિક કરવાના સમયને ભૂલી જાય, મેં સામાયિક કર્યું છે કે નહિ? અથવા કરવાનું છે કે હજુ બાકી છે ? એ ભૂલી જાય. આ “મૃતિભ્રંશ” નામનો અતિચાર ગણાય. કારણકે મોક્ષ-સાધક અનુષ્ઠાનોએ સ્મરણનો ઉપયોગ અને એકાગ્રતાવાળાં છે. માટે તે વિસ્મરણ થાય તો અતિચાર લાગે કહ્યું છે કે – “જે પ્રમાદી પોતાને સામાયિક ક્યારે કરવાનું છે અગર કર્યું છે કે નહિ ? ઈત્યાદિ ભૂલી જાય, તે સામાયિક કર્યું છતાં પણ નિષ્ફળ સમજવું ? (શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૧૬) ઉપલક્ષણથી સામાયિક લીધું કે નહિ ? ક્યારે લીધું, ક્યારે પૂર્ણ થશે ? એ ભૂલી જાય તો તેને પણ અતિચાર સમજવો. આ સ્મૃતિ-અનુપસ્થાપન' નામનો પાંચમો અતિચાર કહ્યો. પ્રશ્ન - કાય-દુષ્મણિધાન આદિથી સામાયિક નિરર્થક છે-એમ ઉપર કહ્યું, તેથી તો ખરેખર સામાયિકનો જ અભાવ થયો, અને અતિચારો તો વ્રતમાં મલિનતા રૂપ જ હોય છે. જો સામાયિક નથી, તો અતિચાર Page #313 -------------------------------------------------------------------------- ________________ * ** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કેમ કહેવાય ? માટે આ અતિચારો નહિ, પણ સામાયિકનો ભંગ જ છે, એમ કહેતા હો તો તેનો જવાબ આપે છે કે તમારો પ્રશ્ન ઠીક છે, પરંતુ જાણી-સમજી નિર્ધસંપણાથી એમ કરે, તો ભંગ થાય, પણ અજાણતાં અનુપયોગથી થાય તો અતિચાર લાગે. ૨૬૨ પ્રશ્ન - દ્વિવિધ-ત્રિવિધથી પાપવ્યાપાર-ત્યાગરૂપ સામાયિક વ્રત છે. તેમાં ‘કાય-દુપ્રણિધાન' વગેરેથી પચ્ચક્ખાણ-ભંગ થતો હોવાથી સામાયિકનો જ અભાવ થાય છે, અને તેનાં ભંગથી થયેલ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. વળી ‘ચંચળ મનને સ્થિર કરવું અશક્ય છે, માટે સામાયિક કરવા કરતાં ન કરવું વધારે સારું છે. કહ્યું પણ છે કે, અવિધિથી કરવા કરતા ન કરવું સારૂં. ઉત્તર - તમારી વાત બરાબર નથી, કારણકે સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી લીધું કે તેમાં મન, વચન, કાયાથી પાપ-વ્યાપાર કરવો નહિ અને કરાવવો નહિ, એમ કુલ છ પચ્ચક્ખાણો થયાં. તેમાંથી એકાદનો ભંગ થયો, તો પણ બાકીનાં અખંડિત રહે છે—અર્થાત્ સામાયિકનો સંપૂર્ણ ભંગ થતો નથી, અને દેશભંગ રૂપ અતિચારની ‘મિચ્છામિ દુક્કડં' કહી શુદ્ધિ કરી શકાય છે. અને મનના વિચારો બગડવા છતાં તેવો ઈરાદો ન હોવાથી ‘મિચ્છામિ દુક્કડં' દેવાથી શુદ્ધ થાય છે. એમ સામાયિકનો સર્વથા અભાવ નથી, સર્વવિરતિ સામાયિકમાં પણ તે જ પ્રમાણે સમજી લેવું. કારણકે ગુપ્તિ-ભંગમાં પણ સાધુઓને ‘મિથ્યા દુષ્કૃત' નામનું બીજું પ્રાયશ્ચિત કહેલું છે, વળી ભૂલવાળી ક્રિયા પણ અભ્યાસ વધવાથી લાંબે કાળે શુદ્ધ બને છે. બીજાઓ પણ કહે છે કે ‘અભ્યાસથી કાર્યની કુશળતા આગળ આગળ વધતી જાય છે.' જળબિન્દુ એક વખત માત્ર પડવાથી પત્થરમાં ખાડો પડી જતો નથી, (માટે શુદ્ધ ક્રિયા કરવાની ભાવનાએ પ્રથમ અતિચારવાળી પણ ક્રિયા થાય, તે અનુચિત ન ગણાય) ‘અવિધિથી કરવું તે કરતાં નહિ કરવું તે વધારે સુંદર છે” - એ વચન (અનુષ્ઠાન પ્રત્યે અણગમો કે) ઈર્ષ્યામાંથી બોલાયેલું છે-એમ સિદ્ધાંત જાણનારાઓ કહેલું છે, કારણકે અનુષ્ઠાન નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત અને અવિધિએ કરનારને નાનું પ્રાયશ્ચિત કહેલું છે. અર્થાત્ ક્રિયા ન કરનારાને પ્રભુ આજ્ઞાભંગનો મહાદોષ અને ક્રિયા કરનારને માત્ર અવિધિદોષ લાગે છે” -- વળી કોઈક એમ કહે છે કે— “પોષધશાલામાં એકલાએ જ સામાયિક કરવું પણ ઘણાં સાથે મળી ન કરવું. ‘ì અવી' આ વચન પ્રમાણ કરવાથી. આ એકાંતે ન સમજવું. બીજાં વચનો પણ સંભળાય છે. વ્યવહારભાષ્યમાં કહેલું છે કે– ‘રાજપુત્રાદિક પાંચ પૌષધશાલામાં એકઠા થયા' વધારે ચર્ચાથી સ. || ૧૧૫ || આ પાંચ અતિચારો સામાયિકના કહ્યા. હવે દેશાવકાશિક વ્રતના અતિચારો કહે છે २८७ प्रेष्यप्रयोगानयने, पुद्गलक्षेपणं तथा 1 शब्दरूपाऽनुपातौ च व्रते देशावकाशिके ।। ૧૧૬ ॥ અર્થ : (૧) પ્રેષ્ય-પ્રયોગ કરવો અર્થાત્ નોકર દ્વારા બીજાને સંદેશો મોકલવો. (૨) અન્ય પાસે કોઈ વસ્તુ મંગાવવી. (૩) બીજાને બોલાવવા માટે માટીના ઢેફા આદિ નાંખવા, (૪) છીંક આદિથી અવાજ કરીને બીજાને બોલાવવા અને (૫) રૂપ દેખાડીને બોલાવવા, આ પાંચ અતિચાર દેશાવકાસિક વ્રતના છે. || ૧૧૬ || ટીકાર્થ : દિશિપરિમાણ વ્રતની વિશેષતા એ જ દેશાવકાશિક વ્રત છે. આમાં આટલો ફરક સમજવો કે-દિગ્દત જાવજજીવ. વર્ષ કે ચોમાસા પુરતું હોય અને દેશાવિકાશિક તો દિવસ. પ્રહર મુહુર્ત આદિના Page #314 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧૧૬ ૨૬૩ પ્રમાણવાળું હોય તેના પાંચ અતિચારો આ પ્રમાણે - પોતે નિયમ કરેલા ક્ષેત્રની બહાર કાર્ય કરવાની જરૂરિયાત ઊભી થતાં પોતે ન જતાં બીજાને મોકલે, પોતે જાય તો વ્રતભંગ થાય, તેથી બીજાને મોકલે. દેશાવકાશિક વ્રત ગ્રહણ એટલા માટે કરાય છે કે જવા-આવવાના વ્યાપારથી થતી જીવવિરાધના ન થાય. તે બીજા પાસે કરાવે કે પોતે કરે તેમાં ફરક નથી. ઉલટો પોતે ઈર્ષાસમિતિ-પૂર્વક જાય તો વિરાધનાદોષથી બચે. બીજાને તો સમિતિનો ખ્યાલ ન હોવાથી અજયણા આદિક દોષો લાગે. આ પ્રથમ અતિચાર. નક્કી કરેલા નિયમથી બહારના ક્ષેત્રમાં રહેલા પદાર્થને બીજાને મોકલી મંગાવવો. એ બુદ્ધિથી કે પોતે જાતે જાય તો વ્રત ભંગ થાય અને તેથી નોકર પાસે જો મંગાવે તો અતિચાર લાગે. એ બીજો અતિચાર તથા પરમાણુઓ એકઠા બની તૈયાર થએલા પુદ્ગલ-સંધાતો જેવા કે ઢેફા, ઈંટ, કાઇ, સળી આદિ ફેંકવા, તેમ કરવાથી સામો સમજી જાય અને નજીક દોડી આવે. એટલે તેને કાર્ય ભળાવે, પણ પોતે તે કાર્ય ન કરે, આ ત્રીજો અતિચાર. “શબ્દાનું પાત - એટલે પોતે જે મકાનમાં રહેલો હોય, તેની વાડ કે કોટની બહાર ન જવાનો નિયમ રાખ્યો. એમ છતાં બહારનું કાર્ય આવી પડે ત્યારે હું જાતે જોઈશ. તો મારા નિયમનો ભંગ થશે.” એવી સમજથી પોતે જઈ શકે નહિ, તેમ બહારથી બીજાને બોલાવી શકે નહિ. એટલે ત્યાં ઉભો રહી બહારનાને બોલાવવાના ઉદેશથી છીંક, ઉધરસનો શબ્દ કરી તેને જણાવે. એટલે નજીક આવે તે (ખોંખારો) “શબ્દાનુપાત’ નામનો ચોથો અતિચાર અને આમાં તેવા જે કારણે બહારનાને પોતાનું રૂપ બતાવે. તેથી પેલો નજીક આવે, તે “રૂપાનુપાત' નામનો પાંચમો અતિચાર. આનું તાત્પર્ય એ છે કે વ્રતની મર્યાદા બહાર રહેલા કોઈક પુરૂષને વ્રતભંગના ભયથી બોલવવા અસમર્થ થાય, ત્યારે પોતાનો શબ્દ તે સાંભળે બહાના અગર પોતાનું રૂપ જુએ, તેને નજીક બોલાવે, ત્યારે વ્રતનું સાપેક્ષપણું હોવાથી “શબ્દાનુપાત” અને “રૂપાનુપાત' નામના બે અતિચારો સમજવા. આ વ્રતમાં પ્રથમના બે અતિચાર પેષણ અને આનયન તેવી શુદ્ધ સમજણ ન હોવાથી અગર સહસાત્કાર વગેરેથી થાય છે અને છેલ્લાં ત્રણ માયાવિપણાથી થાય છે. આટલો ભેદ સમજવો. દરેકમાં વ્રત-રક્ષણબુદ્ધિ હોવાથી અતિચારો છે. અહીં પૂર્વાચાર્યો કહે છે કે દેશાવકાશિક માત્ર દિવ્રતના સંક્ષેપરૂપ નથી, પણ પાંચેય અણુવતો વગેરે સર્વ વ્રતોને સંક્ષેપ કરવો, તે દેશાવકાશિક વ્રત છે, કારણકે અણુવ્રતો આદિ વ્રતોનો પણ સંક્ષેપ કરવો જોઈએ. આ વિષયમાં એક પ્રશ્ન ઉત્પન્ન થશે કે અતિચારો માત્ર દિવ્રતના જ જણાવ્યા છે. બીજા વ્રતોનો સંક્ષેપ કરવા સંબંધી ‘અતિચારો જણાવ્યા નથી. તો પછી સર્વ વ્રતોના સંક્ષેપરૂપ દેશાવકાશિક વ્રત છે– એવો વૃદ્ધવાદ કેવી રીતે માની શકાય ? તેના સમાધાનમાં જણાવે છે કે - પ્રાણાતિપાતાદિ બીજાં વ્રતોનાં સંક્ષેપરૂપ આ દેશાવકાશિક વ્રતમાં તે તે વ્રતોને અંગે જણાવેલા વધ, બંધન વગેરે અતિચારો પણ સમજવા દિવ્રતને સંક્ષેપ કરવામાં તો ભૂમિની મર્યાદામાં સંક્ષેપ કરાતો હોવાથી પેષણ, નયન વગેરે જુદા અતિચારો કહ્યાં છે અને દિષ્પરિમાણવ્રતના અતિચારો ઉપરાંત આ અતિચારોનો સંભવ હોવાથી કહ્યા છે, માટે જે પ્રગટપણે દિવ્રતના સંક્ષેપને દેશાવકાશિક વ્રત કહેલું છે, તાત્પર્ય એ કે બીજાં વ્રતોમાં સંક્ષેપ કરવાથી દેશાવકાશિક વ્રત કહેવાય અને તેના અતિચારો તે વ્રતમાં જણાવ્યા છે, તે તે સમજી લેવા. || ૧૧૬ // હવે પૌષધવ્રતના અતિચારો કહે છે – २८८ उत्सर्गादानसंस्तारा-अनवेक्ष्याप्रमृज्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥ ११७ ॥ અર્થ : ભૂમિને જોયા અને પ્રમાર્યા વગર વડીનીતિ આદિનું વિસર્જન કરવું. (૨) જોયા અને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પ્રમાર્યા વિનાની વસ્તુઓ ગ્રહણ કરવી. (૩) જોયાને પ્રમાર્યા વિના સંથારો પાથરવો (૪) પૌષધની ક્રિયાઓમાં અનાદર અને (૫) વ્રતનું વિસ્મરણ થવું. આ પાંચ અતિચાર પૌષધ વ્રતના જાણવા. ૧૧૭ | ટીકાર્થ : ઝાડો, પેશાબ, થુંક, ગ્લેખ ઇત્યાદિક જે જગ્યા પર પાઠવવા હોય ત્યાં નેત્રથી નજર કરવી વસ્ત્રના છેડા વસ્ત્ર કે પુંજણીથી જગ્યાને પૂંજવી પછી જયણાથી પરઠવે. અર્થાત વિવેકથી ત્યાગ કરે. એમ ન કરતાં પૂંજ્યા-પ્રમાર્યા વગર, વગર જયણાએ પરઠવે, તે પ્રથમ અતિચાર. આદાન એટલે લાકડી પાટલો, પાટલિયો આદિ ઉપયોગી ચીજ-વસ્તુઓ જયણા વગર, જોયા-પ્રમાર્યા વગર લેવી-મૂકવી તે રૂપ બીજો અતિચાર. તથા દર્ભ, કુશ, કંબલ, વસ્ત્ર આદિ રૂપ સંથારો કરે છે, જોયા કે પ્રમાર્જન કર્યા વગર પાથરે, તે રૂપ અતિચાર. અહીં સંથારા સાથે શય્યા અને મકાન પણ સમજી લેવા. સંથારો અઢી હાથપ્રમાણ હોય, શય્યા સાડા ત્રણ હાથ-પ્રમાણ હોય. ત્રણેયને આંખથી જોયા વગર અને ચરવાલાથી કે દંડાસણથી પાટ, વસતિ-પૌષધશાલાનું પ્રમાર્જન કર્યા વગર વાપરવું તેને “સંસ્મારક અપ્રત્યુપ્રેક્ષણ અને અપ્રમાર્જન' નામનો ત્રીજો અતિચાર અહીં જોયા વગર બેદરકારીથી ગમે તેમ ઉતાવળથી જુએ તથા પ્રમાર્જન કર્યા વગર એટલે ગમે તેમ પ્રમાર્જન થાય તે રૂપ દુષ્પમાર્જન અને દૂરવેક્ષણ પણ સાથે સમજી લેવું. પ્રમાર્જન અને અવેક્ષણ શબ્દમાં નિષેધ-અર્થવાચક અર્થાત્ નમ્ કહેલો છે, તે કુત્સા અર્થમાં હોવાથી જેમ કુત્સિત બ્રાહ્મણને અબ્રાહ્મણ પણ કહેવાય. તેમ સમજવું મૂળ આગમ ઉપાસકદશાંક સૂત્રમાં આ વાત કહેલી છે કે – (સૂ) “અપ્રતિલિખિત-દુષ્મતિલિખિત શય્યા-સંથારો અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા-સંથારો અપ્રતિલિખિત દુષ્પતિલિખિત, સ્પંડિલ-માનું પરઠવવાની ભૂમિ અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ચંડિલ-માગું પરઠવવાની ભૂમિ.” હવે ચોથા અતિચાર કહે છે – અનાદર - પૌષધવ્રત લેવામાં અને તેના કર્તવ્ય-અનુષ્ઠાનોમાં અનાદર કરવો. અર્થાત્ ઉલ્લાસ રહિતપણે, વિધિ તરફ અનાદર, અનિચ્છાએ જેમ-તેમ વેઠ તરીકે વ્રત-અનુષ્ઠાન કરે તે “અનાદર' નામનો ચોથો અતિચાર તથા પૌષધ કરવાનું ભૂલી જવું. અમુક વિધિ-અનુષ્ઠાન મેં કર્યું કે નહિ ? તે યાદ ન રહે, તે “અમૃતિ' નામનો પાંચમો અતિચાર. જેને સર્વથી પૌષધવ્રત હોય તેના આ અતિચાર હોય. દેશથી પૌષધ હોય તેને આ અતિચારો ગણેલા નથી. ૧૧૭ || હવે અતિથિસંવિભાગ વ્રતના અતિચારો કહે છે– २८९ सचित्ते क्षेपणं तेन, पिधानं काललङ्घनम् । મત્સરોડાશ, તુર્યશિક્ષાને મૃત: ૫ ૨૧૮ | અર્થ: (૧) સચિત્ત વસ્તુમાં અચિત્તનો નિક્ષેપ (૨) અચિત્તને સચિત વસ્તુથી ઢાંકવી (૩) ભિક્ષાકાળનું ઉલ્લંઘન કરવું. (૪) યાચક ઉપર ઈર્ષ્યા કરવી અને (૫) પોતાની વસ્તુને “બીજાની છે' – એમ કહેવા રૂપ આ પાંચ અતિચાર અતિથિસંવિભાગ વ્રતના છે || ૧૧૮ || ટીકાર્ય અતિથિ-સંવિભાગરૂપ ચોથા ગુણવ્રતના પાંચ અતિચારો છે. તેમાં ૧ “સચિત્તમાં સ્થાપન” - એટલે ન દેવાની બુદ્ધિથી સાધુને વહોરવા યોગ્ય વસ્તુ પૃથ્વીકાય. પાણીના ભાજન, સળગતા ચૂલા કે ધાન્યમાં સ્થાપન કરવી. તુચ્છબુદ્ધિવાળો એમ સમજે છે કે- સચિત્તને અડકેલી વસ્તુ સાધુ વહોરતા નથી. એટલે દેવા યોગ્ય વસ્તુ સચિત્તમાં સ્થાપન કરી રાખે અને સાધુઓ તે ગ્રહણ કરે નહિ. આ લાભ મને થયો. “આ પ્રથમ અતિચાર. ૨. “સચિત્ત-સ્થગન” ઉપર પ્રમાણેની બુદ્ધિથી દેય વસ્તુ ઉપર કંદ, પાંદડાં, ફુલ, ફલ વગેરે સજીવ પદાર્થો ઢાંકે, આ બીજો અતિચાર. સાધુઓને ભિક્ષા-ઉચિત કાળ વીતી ગયા પછી Page #316 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૭-૧૧૯ ૨૬૫ ** અગર તે પહેલાં પૌષધવ્રતવાળો ભોજન કરે– આ ‘કાળઉલ્લંઘન’ નામનો ત્રીજો અતિચાર. તથા ‘મત્સર’ કોપ કરે અર્થાત્ સાધુ માગે એટલે કોપ કરે. છતી વસ્તુ માંગવા છતાં ન આપે અથવા આ સામાન્ય સ્થિતિવાળાએ પણ આપ્યું. શું હું તેનાથી ઓછો છું ? એમ બીજા આપનાર ઉપર મત્સર કરી આપે. અહીં બીજાની ઉન્નતિના અંગે ઈર્ષ્યા થઈ અનેકાર્થસંગ્રહ ૩/૬૨૧ માં એમ કહેલું છે કે— ‘બીજાની સંપત્તિ સહન ન કરી શકવાથી તે સંપત્તિવાળા ઉપર કોપ કરવો, તે મત્સર કહેવાય' આ ચોથો અતિચાર, તથા ‘અન્યઅપદેશ' સાધુને વહોરાવવાની ઈચ્છા ન હોય, ત્યારે ‘આ બીજાનું છે.' એમ બાનું કાઢી ન આપે, વ્યપદેશ-બાનું કાઢે. અપદેશ-શબ્દના કારણ બહાનું બતાવવું, અને લક્ષ્ય આપવું એવા ત્રણ-અર્થ થાય છે. એમ અનેકાર્થસંગ્રહ ૪/૩૨૩ માં કહેલું છે. આ પાંચમો અતિચાર. આ પ્રમાણે અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારો જણાવ્યા. અતિચારની ભાવના આ પ્રમાણે સમજવાની કે જ્યારે ભૂલચૂકથી અણધાર્યા દોષોનું સેવન થઈ જાય, તો અતિચાર અને સમજપૂર્વક સેવાય, તો વ્રતભંગ સમજવું. આ પ્રમાણે સમ્યક્ત્વમૂલ બાર વ્રતો સમજાવ્યા, તેમજ તેના અતિચારો પણ કહ્યા. ॥ ૧૧૮ ॥ ઉપર જણાવેલા સમ્યકત્વ-મૂલ બાર વ્રતોમાં રહેલાં શ્રાવક સાત ક્ષેત્રોમાં ભક્તિથી પોતાનું ધન વાવતો અને અતિદીન દુ:ખીઓમાં અનુકંપાથી આપતો તે મહાશ્રાવક ગણાય છે— २९० एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ૫ ૨૩૨ ૫ અર્થ : બારવ્રતોમાં સ્થિર ચિત્તવાળો શ્રાવક ભક્તિ વડે સાત ક્ષેત્રોમાં અને દયાગુણથી અતિ દીન દુઃખી આદિ જીવોમાં ધનને વાવતો (આપતો) હોય તે મહાશ્રાવક કહેવાય છે || ૧૧૯ || ટીકાર્થ : આ પ્રમાણે આગળ કહી ગયા તેવા પ્રકારવાલા સમ્યક્ત્વ મૂલક અતિચાર રહિત બાર વ્રતોમાં નિશ્ચલ, ચિત્તવાળો, શ્રાવક ન્યાયથી ઉપાર્જન કરેલું પોતાનું ધન જિન-બિંબ, જિન-ભવન, જિનાગમ, સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા લક્ષણ વાળા સાત ક્ષેત્રોમાં ભક્તિ અને શ્રદ્ધાથી વાવતો હોય તે મહાશ્રાવક કહેવાય. શ્લોકમાં ‘ક્ષેત્ર અને વાવવું' કહેલા છે તે એટલા માટે કે ક્ષેત્રોમાં બીજનું વાવતેર કરવાનું હોય છે અને વાવવાનું ઉત્તમ ક્ષેત્રમાં હોય છે, માટે વાવવું કહેલ છે અને સાતેયને ક્ષેત્રો કહ્યાં. તે જૈનદર્શનની પ્રણાલિકાથી સમજવા. (૧) જિનબિંબ- વિશિષ્ટ લક્ષણોથી યુક્ત દેખતા જ આનંદ ઉપજાવે તેવી, વજરત્ન ઈન્દ્રનીલરત્ન, અંજનરત્ન, ચંદ્રકાન્તામણિ, સૂર્યકાન્તમણિ, રિષ્ઠરત્ન, કર્કેતનરત્ન, પરવાળાં, સોનું, ચાંદી, ચંદનકાઇ, ઉત્તમ પાષાણ, ઉત્તમ માટી આદિ ઉત્તમ દ્રવ્યોની શ્રીજિનપ્રતિમા ભરાવવી. કહ્યું છે કે “ઉત્તમ માટી, નિર્મલ, પાષણ, રૂપું કાઇ સોનું, રત્ન, મણિ, ચંદન વગેરેથી પોતાની સંપત્તિ અનુસાર જેઓ શ્રીજિનેશ્વર દેવની મનોહર મૂર્તિ કરાવે છે, તે મનુષ્યપણાનાં અને દેવપણાના મહાન સુખોને મેળવે છે” (સમ્બોધ પ્ર. ૧/૩૨૨), તથા ‘આહ્લાદકારિણી' સર્વ લક્ષણોથી યુક્ત, સમગ્ર અલંકારવાળી, શ્રીજિનપ્રતિમાનું દર્શન કરતાં જેમ મનને અધિક આનંદ થાય, તેમ નિર્જરા પણ અધિક સમજવી.' તે પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી ભરાવેલી પ્રતિમાની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરે. અષ્ટપ્રકારી પૂજા કરે, તેના મહોત્સવાદિ યાત્રા કરે, વિશિષ્ટ પ્રકારના આભૂષણોથી વિભૂષિત કરે, વિવિધ વસ્ત્રો અર્પણ કરે. આ પ્રમાણે જિનબિંબમાં ધન વાવે, અર્થાત્ ખર્ચે. કહેલું છે કે :– જેમાંથી ઘણી ગંધ ઉછળતી હોય તેવા સુગંધી ચૂર્ણો, પુષ્પો અક્ષતો, ધૂપ, — Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ દિવાઓ, તાજાં ઘીથી બનાવેલા જુદા જુદા પ્રકારના અનેક નૈવેદ્યો, કુદરતી સ્વંય પાકેલા ફળો અને જળપૂર્ણ કળશાદિ પાત્રો જિનેશ્વરદેવને ધરીને તેનાથી અષ્ટપ્રકારી પૂજા કરનાર શ્રાવકો ટૂંકા સમયમાં મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન-જિનબિંબો રાગદ્વેષ વગરના હોવાથી તેની પૂજા કરવાથી કશો લાભ થતો નથી. ગમે તેવી ઉત્તમ પૂજા કરીએ, તો પણ તે ખુશ થતા નથી કે તૃપ્ત થતા નથી. અતૃપ્ત કે અતુષ્ટ દેવતા પાસેથી કંઈ ફલ મળી શકતું નથી. આમ કહેનારને સમાધાન આપે છે કે – આ વાત યથાર્થ નથી ચિંતામણિ વગેરેથી ફલ પ્રાપ્ત થાય છે. એમ વીતરાગસ્તોત્ર ૧૯૩ માં કહેલું છે કે – “જે પ્રસન્ન ન થાય, તેની પાસેથી ફલ કેવી રીતે મળે ? આ પ્રશ્ન વ્યાજબી નથી. શું જડ છતાં ચિંતામણિરત્ન વગેરે ફળ નથી આપતા ? અર્થાત્ આપે છે. તેમ શ્રી જિનમૂર્તિ પણ ફળ આપે છે.” તથા “પૂજ્યોમાં ઉપકાર કરવાનો અભાવ છતાં પૂજકને ઉપકાર થાય છે, જેમ મંત્રો વગેરેનું સેવન કે સ્મરણ કરવાથી સરોવરને સેવવાથી (મલનાશ કે શીતળતા), અગ્નિ, આદિ સેવનથી (ગરમી આદિનો) લાભ થાય છે, તેમ અહીં પણ સમજવું. (શ્રા. ૫. ૩૪૮) આ વિધિ જણાવ્યો, તે પોતે કરાવેલી મૂર્તિનો વિધિ કહ્યો. તેવી રીતે બીજાઓએ ભરાવેલ બિંબોની તેમજ કોઈએ નહિ કરાવેલા એવા શાશ્વતા બિંબોનું પણ પૂજન, વંદન વિગેરે વિધિ યથાયોગ્ય કરવો. શ્રીજિન-પ્રતિમા ત્રણ પ્રકારની હોય છે. (૧) ભક્તિથી કરાવેલી જિનપ્રતિમાઓ કે જે પોતે કે બીજાએ ભક્તિ કરવા માટે મંદિરમાં પધરાવેલી હોય છે, અત્યારે પણ મનુષ્યો ભરાવે છે. (૨) મંગલચૈત્ય કે જે ઘરના બારસાખમાં મંગલ માટે કરાવાય છે. (૩) શાશ્વતચૈત્ય કે જે કોઈએ કરાવેલું હોતું નથી. પરંતુ અનાદિકાળથી શાશ્વતરૂપે ઊર્ધ્વ, અધો, અને તિથ્ય લોકમાં શાશ્વત જિનમંદિરોમાં વિદ્યમાન છે. ત્રણ લોકમાં એવું કોઈ સ્થાન નથી. કે જે પરમાત્માની જિનપ્રતિમાથી પવિત્ર બન્યું ન હોય. જિનપ્રતિમાઓની પૂજાવિધિ વીતરાગ સ્વરૂપનું આરોપણ કરીને કરવી યોગ્ય છે. (૨) જિનમંદિર - જિનભવન-ક્ષેત્રમાં પોતાનું ધન વાવવું તે આ પ્રમાણે – હાડકાં, કોલસા આદિ અમંગલ-શલ્ય-રહિત ભૂમિમાં સ્વભાવથી પ્રાપ્ત થયેલા પાષાણ, કાષ્ઠ, આદિ ચીજો ગ્રહણ કરીને, શાસ્ત્રવિધિ પ્રમાણે સુથાર, સલાટ, મિસ્ત્રી, કારીગરોને બળાત્કાર કે ઠગાઈ કર્યા વગર અધિક મહેનતાણું આપીને છ જીવનિકાયના જીવોનું યતનાપૂર્વક રક્ષણ કરીને જિનભવન બંધાવવું. પોતાની પાસે ધનસંપત્તિ સારી હોય તો ભરત આદિની જેમ રત્નશિલા જડેલા સુવર્ણતલવાળું મણિઓના સ્તંભવાળું અને પગથિયા પણ તેવા જ હોય, રત્નમય સેંકડો તો રણકમાનોથી સુશોભિત, વિશાલ ઝરૂખાયુક્ત, પૂતળીઓની રચનાવાળા થાંભલાવાળું ઈત્યાદિક ઉત્તમ શોભાયુક્ત વળી જેમાં કપૂર, કસ્તૂરી, અગર આદિ સળગતા સુગંધી ધૂપોનો ધૂમાડો આકાશમાં ઉછળતો હોય અને તેથી જાણે “આ વાદળાં છે' એમ માની આનંદથી નૃત્ય કરતાં મોર વિગેરેના મધુર કેકારવ શબ્દો સંભળાઈ રહેલા હોય, વળી જ્યાં ચારેય પ્રકારના માંગલિક વાંજિત્રોના અવાજથી આકાશ ગાજી રહેલું હોય. દેવદુષ્ય વિગેરેના વિવિધ વસ્ત્રોના ચંદરવા અને તેમાં ટાંકેલા મોતીઓથી યુક્ત તથા મોતીઓના લટકતા ગુચ્છાવાળું હોવાથી શોભતું. જ્યાં ઉપરથી નીચે આવતા અને દર્શન કરીને પાછા ઉપર જતા ગાયન ગાતા નૃત્ય કરતા, કૂદતા સિંહનાદ કરતા હોય, અને આવો પ્રભાવ દેખી તેની અનુમોદનાથી હર્ષ પામતા જન સમુદાયવાળું વિવિધ દશ્યવાળાં ચિતરાવેલાં ચિત્રો દેખી આશ્ચર્ય પામતા અનેક લોકોથી યુક્ત, ચામર, છત્ર, ધ્વજા આદિ અલંકારોથી અલંકૃત, શિખર પર ફરકતા મહાધ્વજવાળું તેમજ અનેક ઘૂઘરીઓવાળી નાની નાની પતાકા ફરકવાથી થએલા શબ્દોએ આકાશને મુખરિત કર્યું હોય તેવું કૌતુકથી આકર્ષાએલા દેવો, અસુરો અને અપ્સરાઓનો સમૂહ “હું પહેલો, હું Page #318 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો. ૧૧૯ ૨૬૭ પહેલી’ એમ સ્પર્ધા કરી સંગીત કરતા હોય, ગાયકોના મધુર ગીતોના ધ્વનિએ દેવગાંધર્વ તુમ્બને પણ ઝંખવાણો કરી નાખેલ હોય, તેવું વળી જ્યાં નિરંતર કુલાંગનાઓ એકઠી થઈ તાળી પાડી રાસલીલા રમતી, દાંડીયા આદિના નૃત્ય કરતી, અભિનય-હાવભાવ કરતી દેખીને ભવ્ય લોકો ચમત્કાર પામતા હોય, અભિનયવાળા, નાટકો જોવાના ઉલ્લાસથી આકર્ષાએલા ક્રોડો રસિક લોકો જ્યાં ઉતરી આવે છે, એવા જિનમંદિરોને ઉંચા પર્વતના શિખર ઉપર, અથવા જ્યાં જ્યાં જિનેશ્વરોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ, થયાં હોય, તેવા કલ્યાણક સ્થાનમાં સમ્મતિ મહારાજની માફક દરેક નગરમાં, દરેક ગામમાં, શેરીએ શેરીએ અને સ્થાને સ્થાને બંધાવવા જોઈએ. એ મહાશ્રીમંત શ્રાવકનું કર્તવ્ય છે પણ તેવો વૈભવ ન હોય તો છેવટે તૃણ-કુટીર જેવું પણ જિનમંદિર કરાવવું કહ્યું છે કે – “જે જિનેશ્વરભગવંત માટે માત્ર ઘાસની કુટીર જેવું નાનું મંદિર બનાવે તથા ભક્તિથી માત્ર એક પુષ્પ તેમને ચડાવે તેના તેટલાં પુણ્યનું માપ પણ કેવી રીતે કરવું ? તો પછી જેઓ મજબૂત નક્કર પાષાણ-શિલા-સમૂહને ઘડાવીને મહામંદિર બંધાવે, તેવા ઉદાર શુભભાવનાવાળા પુરૂષો ખરેખર મહાભાગ્યશાળી છે. વિશિષ્ટ વૈભવવાળા રાજા વગેરે જિનમંદિર બંધાવે અને તેઓએ તેના નિર્વાહ અને ભક્તિ માટે ઘરો ભંડાર-ધન, ગામ, શહેર તાલુકો કે ગોકુલ વિગેરેનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે જિનભવન-રૂપ ક્ષેત્રમાં પોતાનું ધન વાવવું તથા જીર્ણ જૂના થઈ ગયેલાં પડી ગએલાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવો. નાશ પામેલાં કે બીજાના કબજામાં ગએલાં જિનમંદિરોનો કબજો લઈ તેનું રક્ષણ કરવું. પ્રશ્ન - નિરવદ્ય અર્થાત્ પાપરહિત જિનધર્મ આચરનાર ચતુર શ્રાવકે જિનભવન, જિનબિંબ, જિનપૂજા આદિ કરવા ઉચિત જણાતા નથી. કારણકે તે કરવામાં છકાય જીવોની વિરાધના થાય છે. જમીન ખોદવી, પત્થર, ઈંટ, પાટડા લાવવા, ખાડા પૂરવા, ઈંટો ચણવી પાણીમાં ભીંજાવવી વગેરેમાં વનસ્પતિ-ત્રસકાયની વિરાધના” કર્યા વગર જિનમંદિર બંધાવી શકતું નથી. સમાધાન :- જે શ્રાવક પોતાના માટે અને કુટુંબ માટે આરંભ પરિગ્રહમાં આશક્ત બની ધનઉપાર્જન કરે છે તેનું કરેલું ધન ઉપાર્જન નિષ્ફળ ન જાય તે કારણે જિનભવન આદિકમાં ધનવ્યય થાય, તે કલ્યાણ અને પુણ્યનું કારણ ગણેલું છે. “પરંતુ ધર્મમાં ખર્ચવા માટે ધન ઉપાર્જન કરવાનું હોતું નથી, કારણકે ધર્મ માટે જે ધન કમાવવાની ઈચ્છા છે, તેના કરતા તો તેવી ઈચ્છા ન કરવી તે જ વધારે સારી ગણાય. કારણકે કાદવામાં પગ ખરડીને ધોવો તે કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો તે ઉત્તમ છે” (મહાભારત વનપર્વ ૨/૪૯), વળી જિનમંદિર વગેરે બાંધવા તે વાવ, કૂવા, તળાવ આદિ ખોદાવા માફક અશુભ કર્મબંધનું કારણ નથી, કારણકે ત્યાં તો ચતુર્વિધ શ્રીસંઘનું વારંવાર આગમન, ધર્મદેશના - શ્રવણ, વ્રત સ્વીકારવાં અને એવા શુભ કલ્યાણ કરનાર ધર્મકાર્યો જ થાય છે અને તે શુભ પુણ્ય અને નિર્જરાના હેતુઓ છે, વળી તે સ્થળમાં છ જવનિકાયની વિરાધના થવા છતાં પણ યતના જાળવનારા શ્રાવકો દયાના પરિમાણવાળા હોવાથી નાનામાં નાના પણ જીવોને રક્ષણ કરવાની યતના હોવાથી તેમને વિરાધનાનું પાપકર્મ બંધાતું નથી. કહ્યું છે કે :- “શુદ્ધ અધ્યવસાયવાળા તથા સૂત્રમાં કહેલ વિધિરૂપ સન્માર્ગને આચરતા એવા યતનાવંત જીવને જે વિરાધના થાય, તે કર્મનિજરારૂપ ફલને આપનારી થાય. સમસ્ત ગણિપિટક, એટલે દ્વાદશાંગીનો સાર જેમણે પ્રાપ્ત કર્યો છે, તેવા નિશ્ચયનયનું અવલંબન કરનાર પરમર્ષિઓનું એ મહાન રહસ્ય છે કે – “ આત્માના પરિણામથી જે થાય, તે પ્રમાણરૂપ છે' અર્થાત નિશ્ચયનયથી જિનમંદિરાદિ કરનારને હિંસાના પરિણામ નથી, પણ ભક્તિના પરિણામ છે, હવે પ્રતિમા અંગીકાર કરનાર જે પોતાના કુટુંબ માટે પણ આરંભ કરતો નથી, તે ભલે જિનબિંબાદિ ન કરાવે, તે માટે કહેલું Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ છે કે:- ‘જેઓ દેહાદિ-કારણે પણ છ કાય-વધમાં પ્રવર્તે છે, તેઓ 'જિનપૂજામાં પણ છ-કાય-વધુ થાય છે' (પંચાશક ૪/૪૫) એ બુદ્ધિથી ન તેં એ પણ મહાઅજ્ઞાન સમજવું.' વિસ્તારથી સર્યું. (૩) જિનાગમ- ધર્મક્ષેત્રમાં પોતાનું ધન વાવવું તે આ પ્રમાણેઃ— મિથ્યાશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા ખરાબ સંસ્કાર રૂપ ઝેરનો નાશ કરવા માટે મંત્ર સરખું, તથા ધર્મ-અધર્મ, કરણીય-અકરણીય, ભક્ષ્યઅભક્ષ્ય, પેય-અપેય, ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય, તત્ત્વ-અતત્ત્વ વગેરે જગતના ભાવોના વિવેક કરનાર, ગાઢ, અંધકારમાં દીપક સમાન, સંસાર-સમુદ્રમાં ડૂબતાને બેટ સમાન, મરુભૂમિમાં કલ્પવૃક્ષ સમાન, જિનાગમ સંસારમાં પ્રાપ્ત થવું ઘણું દુર્લભ છે. જિનેશ્વરઆદિકને બતાવનાર હોય તો આ આગમ છે. સ્તુતિમાં પણ એમ કહ્યું છેઃ— “જેમના સમ્યસામર્થ્યથી આપ સરખાનું પરમ આપ્તપણું અથવા તો પરમાત્માપણું અમે સમજી શકીએ છીએ તે કુવાસનાના દોષને નાશ કરનાર અને આપના શાસનને ‘નમસ્કાર થાઓ' જિનાગમ પ્રત્યે આદરવાળાઓને દેવ-ગુરૂ અને ધર્મ વગેરે ઉપર બહુમાન હોય છે, એટલું જ નહિ, પણ કોઈક વખત કેવલજ્ઞાન કરતાં પણ જિનાગમરૂપ શ્રુતજ્ઞાન પ્રમાણ તરીકે આગળ વધી જાય છે. જે માટે કહ્યું છે કેઃ- ‘સામાન્યથી શ્રુતોપયોગને અનુસારે શ્રુતજ્ઞાની કદાચ અશુદ્ધ આહારને શુદ્ધ માનીને વહોરી લાવે, તેને કેવલજ્ઞાની પણ આહારપણે ગ્રહણ કરે, નહિતર શ્રુતજ્ઞાન અપ્રમાણ ઠરે.' (પિ.નિ. ૫૨૪), શ્રીજિનાગમનું એક વચન પણ ભવ્યજીવોના ભવનો નાશ કરવા સમર્થ છે, જે માટે કહેવાયું છે કેઃ– “જિનાગમમાનું એક પદ પણ નિર્વાહ કરનાર અર્થાત્ મોક્ષ આપવા સમર્થ થાય છે. સંભળાય છે કે— એક માત્ર સામાયિક-પદથી અનંતા સિદ્ધિપદને પામ્યા છે” (તત્ત્વાર્થ સંબંધકારીકા ૨૭) જો કે રોગીને પથ્ય ખોરાક, તેમ મિથ્યાષ્ટિને જિન-વચનની રુચિ થતી નથી, તો પણ સ્વર્ગ કે અપવર્ગનો માર્ગ બતાવવામાં જિનવચન સિવાય બીજું કોઈ સમર્થ નથી, તેથી સમ્યગ્દષ્ટિઓએ આદરપૂર્વક તેની શ્રદ્ધા કરવી જોઈએ. કા૨ણકે જેમનું નજીકમાં કલ્યાણ થવાનું હોય. તેઓ જ ભાવપૂર્વક જિનવચનને સ્વીકારે છે. બીજાઓને તો સાંભળતાં કાનમાં શૂલ માફક દુઃખ કરનાર હોવાથી અમૃત પણ ઝેરરૂપ બની જાય છે. જો જગતમાં આ જિનવચન ન હોત, તો આ ધર્મ-અધર્મની વ્યવસ્થા વગરના લોકો ભવરૂપ અંધારા કૂવામાં પડત, અને પડ્યા પછી ત્યાંથી તેમનો ઉદ્ધાર કેવી રીતે થાત ? જેમ આયુર્વેદમાના ‘વિરેચનની ઈચ્છાવાળાએ હરડેનું ભક્ષણ કરવું' એ એક વચનથી હરડે ભક્ષણ કરવાના પ્રભાવથી વિરેચન થયું અને તેના વચન પર વિશ્વાસ બેઠો, એટલે તે આખા આયુર્વેદને પ્રમાણરૂપ સ્વીકારે છે, તથા જેમ અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં કહેલા ચંદ્ર, સૂર્ય, ગ્રહ ચાર કે ધાતુવાદ-રસ, રસાયણ એ વગેરે પ્રત્યક્ષ ભાવોના વિશ્વાસથી તે શાસ્ત્ર-કથિત પરોક્ષ ભાવોને પણ જણાવનારાં વચનોને પ્રામાણિક ગણવામાં આવે છે, તેમ જિનવચન સમજવા માટે જેઓની મંદ બુદ્ધિ છે, તેઓએ પણ તેમાં કહેલા પ્રત્યક્ષ ભાવોની જેમ પરોક્ષ-ષ્ટિ કે બુદ્ધિથી પણ ન સમજાય તેવા ભાવોને પણ સત્યરૂપે નિશ્ચિત માનવા જોઈએ. ‘આ દુષણ કાળ-યોગે દિનપ્રતિદિન બુદ્ધિ મંદ થવાથી જિનવચનોનો લગભગ ઉચ્છેદ થશે' એમ માની શ્રીનાગાર્જુન શ્રીસ્કંદિલાચાર્ય વગેરે પૂર્વના મહાપુરૂષોએ આગમને પુસ્તકમાં સ્થાપન કર્યું છે તેથી જિનવચન તરફ બહુમાનવાળાઓએ આ આગામાદિ શાસ્ત્રો પુસ્તકમાં લખાવવાં અને વસ્ત્રાદિકથી તેની પૂજા કરવી. કહેલું છે કેઃ— જેઓ શ્રીજિનેશ્વર દેવોના વચન-સ્વરૂપ આગામાદિ શાસ્ત્રો લખાવે છે, તે પુરૂષો દુર્ગતિ પામતા નથી., મૂંગા-બોબડા, કે જડ સ્વભાવવાળા અગર અક્કલ વગરના થતા નથી. તેમ જ આંધળા કે મૂર્ખ થતા નથી” જે ભાગ્યશાળી પુરૂષો જિનાગમનાં પુસ્તકો લખાવે છે, તેઓ સર્વ શાસ્ત્રોનો પાર પામી મુક્તિ Page #320 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૯ ૨૬૯ પામે છે, તેમાં સંશય નથી, કહેલું છે કે – “જે સ્વયં જિનવચન ભણે છે, બીજાને ભણાવે છે, અને ભણનારને વસ્ત્ર, ભોજન, પુસ્તક કે ભણવાની સામગ્રી આપવા પૂર્વક દરરોજ તેના પર અનુગ્રહ કરે છે, તે મનુષ્ય અહીં સર્વજ્ઞ થાય છે.” લખાવેલાં પુસ્તકોને સંવિગ્ન ગીતાર્થ મુનિવરોને બહુમાન-પૂર્વક વ્યાખ્યાન કરવા દાન કરવાં. હંમેશા પુસ્તકનું વ્યાખ્યાન કરાતું હોય, ત્યારે તેની પૂજા કરવાપૂર્વક તેનું શ્રવણ કરવું. આ પ્રમાણે જિનાગમ-પુસ્તકમાં ધન વાવવું. (૪) સાધુ-ક્ષેત્ર - શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞાનુસાર સમ્યગુ ચારિત્રનું પાલન કરતાં આરાધના કરવા દ્વારા દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરતાં, પોતે સંસાર-સમુદ્રથી તરવા સાથે બીજાઓને પણ તારવા માટે પ્રયત્ન કરતાં, શ્રીતીર્થકરો, ગણધરોથી માંડી આજે દીક્ષિત થયા હોય તેવા સામાયિક-ચારિત્રવંત દરેક સાધુ ભગવંતોની સેવા-ભક્તિમાં ઉચિત રીતે પોતાનું ધન વાવવું. તે આ પ્રમાણે – ઉપકારી એવા સાધુ ભગવંતોને કહ્યું તેવા નિર્દોષ અચિત્ત-આહારાદિક, રોગનાશક ઔષધાદિ, ટાઢ, આદિ નિવારણ કરનાર વસ્ત્રાદિ, પૂંજવા-પ્રાર્થના કરવા માટે રજોહરણ, દંડાસણ આદિ ભોજન કરવા માટે પાત્રાદિક, દાંડાદિક ઔપગ્રહિક ઉપકરણો, તથા રહેવા માટે મકાન આદિનું દાન કરવું જોઈએ. તેવી કોઈ વસ્તુ નથી કે જે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાએ સાધુઓના ઉપકારમાં ન આવે, માટે સંયમમાં ઉપકારી હોય તે સર્વનું દાન કરવું. સાધુધર્મ અંગીકાર કરવા તૈયાર થએલા પોતાના પુત્ર-પુત્રીઓને પણ સમર્પણ કરવા વધારે કેટલું કહેવું ? જેવી રીતે મુનિઓ નિરાબાધપણે પોતાનું મોક્ષાનુષ્ઠાન સાધી શકે, તેવી રીતે મોટા પ્રયત્નથી સર્વ વસ્તુઓ આપવી. જિનાગમના વિરોધી કે સાધુધર્મની નિંદા કરનારાઓને પોતાના છતાં સામર્થ્યથી અટકાવવા જોઈએ જે માટે કહેલું છે કે – “તે કારણથી સામર્થ્યવાળા પ્રભુઆજ્ઞાથી ભ્રષ્ટ થયેલાની ઉપેક્ષા ન જ કરવી, પણ અનુકુળ કે પ્રતિકુળ ઉપાયોથી તેને શિખામણ કે શિક્ષાથી ઠેકાણે લાવવા” તથા– (૫) સાધ્વી ક્ષેત્ર - જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્ન ધારણ કરનાર સાધ્વીરૂપ ક્ષેત્રમાં સાધુ માફક યથોચિત આહારાદિકનું દાન આપી પોતાનું ધન વાવવું. શંકા કરી કે “સત્ત્વ વગરની, તથા દુઃશીલપણાના કારણે સ્ત્રીઓને મોક્ષનો અધિકાર નથી, તો પછી તેમનું આપેલું દાન સાધુ સરખું કેવી રીતે ગણાય ? સમાધાન - “સ્ત્રીઓમાં નિઃસત્ત્વપણાની વાત સાચી નથી. કારણ કે, સુખી ગૃહવાસનો ત્યાગ કરી સાધુધર્મની અનુપમ આરાધના કરનારી બ્રાહ્મી વગરે મહાસત્ત્વશાળી સાધ્વીઓમાં સત્ત્વ નથી એમ કહેવું યોગ્ય નથી કહ્યું છે કે – “શીલ અને સત્ત્વ ગુણોથી પ્રસિદ્ધિ પામેલાં આર્યા બ્રાહ્મી, સુંદરી, રામતી અને પ્રવર્તિની આર્યા ચંદનબાલા આદિ દેવો તથા મનુષ્યોથી પણ પૂજાયા છે,' તે સિવાય આ જગતમાં ગૃહસ્થપણામાં પણ સુંદર સત્ત્વ અને નિર્મળ શીલથી પ્રસિદ્ધિ પામેલી સીતા વિગેરે સ્ત્રીઓને સત્ત્વ વગરની કે શીલ રહિત કેમ કહેવાય ? રાજ્યલક્ષ્મી, પતિ, પુત્ર, ભાઈ, કુટુંબ આદિ સ્નેહ-સંબંધોનોત્યાગ કરી દીક્ષા-ભાર વહન કરનાર સત્યભામાં આદિક સ્ત્રીઓમાં અસત્ત્વપણું કેવી રીતે કહી શકાય ?” (સ્ત્રી નિર્વાણ ૩૪-૩૬), આ કારણે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનાર પ્રાણના ભોગે પણ શીલનું રક્ષણ કરનાર, મહાઘોર તપશ્ચર્યા કરનાર હોવાથી સત્ત્વ વગરની કે દુશ્ચારિત્રવાળી કેવી રીતે ગણાય ? પ્રશ્ન : “મહાપાપ અને મિથ્યાત્વની સહાયથી સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. સમ્યક્દષ્ટિ કદાપિ સ્ત્રીપણું બાંધતો નથી, તો સ્ત્રી-શરીરમાં રહેલા આત્માની મુક્તિ કેવી રીતે થાય ? સમાધાન - એમ ન બોલવું, પુરૂષ માફક સ્ત્રીને પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થતી વખતે સર્વ કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમમાંથી ઓછી થઈ જાય અને તેથી મિથ્યાત્વ મોહનીય આદિનો પણ ક્ષય-યોપશમ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭) યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ વગેરે થાય છે. અર્થાત સ્ત્રીને પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ કાળે મિથ્યાત્વ આદિનો ઉદય ટળી જાય છે એટલે સ્ત્રીને સમ્યક્ત્વની અસંભાવના કહી શકાય નહિ તેથી સ્ત્રી મોક્ષની સાધના ન કરી શકે-તેમ બોલી શકાય નહિ. કહ્યું કે:- અર્થાતુ સાધ્વીજી જિનવચન જાણે છે, શ્રદ્ધા કરે છે, સમગ્ર ચારિત્રનું પાલન કરે છે, આ કારણે તેમને મોક્ષનો અસંભવ નથી. અષ્ટ-વિરોધ ગતિ હોઈ શકે નહિ-અર્થાત મોક્ષના અસંભવનું કારણ દેખાયા વિના મોક્ષનો અસંભવ માનવો યોગ્ય ન ગણાય” (સ્ત્રી-નિર્વાણ ૪) તેથી સિદ્ધ થયું કે, મુક્તિ-સાધનારૂપ ધનવતી સાધ્વીઓ વિષે પણ સાધુ માફક સ્વધન વાવવું યોગ્ય ગણાય” સાધ્વીઓ માટે આટલી વિશેષતા, કે દુરાચારી નાસ્તિકના પરાભવથી સાધ્વીઓની રક્ષા કરવી. તેમને પોતાના ઘરની નજીક દરેક બાજુથી સુરક્ષિત અને ગુપ્ત ધારવાળી વસતિ મકાનનું દાન કરવું એટલે ઉતરવા-રહેવા માટે સ્થાન આપવું. પોતાના ઘરની સ્ત્રીઓ દ્વારા તેમની સેવા કરાવવી. પોતાની પુત્રીઓને તેમની પાસે રાખવી, અને પરિચય કરતા દીક્ષા લેવા ભાવના થાય તો તેમને સમર્પણ કરવી, તેઓ કોઈ કાર્ય ભૂલી જાય, તો પછી યાદ કરી આપવું. ખોટી પ્રવૃત્તિ કરતાં જણાય, તો તેમને રોકવા. એક વખતની ભૂલમાં શિખામણ, વારંવાર ભૂલ કરે, તો આકરાં વચન કહીને રોકવા અને સંયમોચિત્ત વસ્તુથી તેમની સેવા કરવી. (૬) શ્રાવક ક્ષેત્ર - શ્રાવક ક્ષેત્રમાં ધન આ પ્રમાણે વાવવું. શ્રાવકને શ્રાવક એ સાધર્મિક ગણાય. સમાન ધર્મવાળાઓનો સમાગમ મહાપુણ્ય માટે થાય છે, તો પછી તેને અનુરૂપ સેવાની તો વાત જ શી કરવી ? તેઓની ભક્તિ કરવા માટે પોતાના પુત્ર, પુત્રી આદિકના જન્મોત્સવ, વિવાહાદિ જેવા પ્રસંગે કે તેવા નિમિત્તો હોય, ત્યારે સાધર્મિકોને નિમંત્રણ કરવું. વિશિષ્ટ પ્રકારના ભોજન, તાબૂલ, વસ્ત્ર, આભૂષણ આદિ આપવું. આપત્તિમાં આવી પડેલાનો પોતાનું ધન ખરચીને પણ તેનો ઉદ્ધાર કરવો. અંતરાયકર્મના ઉદયથી તેનો વૈભવ ચાલ્યો ગયો હોય તો ફરી પહેલાંની સ્થિતિ પમાડવી. ધર્મમાં સીદાતા હોય તો તેને તે તે પ્રકારે સ્થિરતા પમાડવા. પ્રમાદ કરતા હોય તેવાને યાદ કરી આપવું, નિવારણ કરવું. પ્રેરણા કરવી, વારંવાર ટોકવા, ધાર્મિક અભ્યાસ કરાવવો, પ્રશ્નોના જવાબો આપવા, ભણેલાનું પરાવર્તન, ચિંતન, ધર્મકથા, આદિકમાં યથાયોગ્ય જોડવા, વિશિષ્ટ ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ-સામુદાયિક આરાધના થાય, તે માટે દરેકના ઉપયોગમાં આવે તેવી પૌષધશાલા-વ્યાખ્યાનસભા કરાવે. (૭) શ્રાવિકા ક્ષેત્ર - શ્રાવિકારૂપ સાતમા ક્ષેત્રમાં શ્રાવક માફક લગાર પણ ઓછું કે વધારે નહિ તેવી રીતે પોતાનું ધન વાવવું. તેમાં જ્ઞાન દર્શન ચારિત્રવાળી, શીલ અને સંતોષ ગુણ ધારણ કરનારી ચાહ સધવા કે વિધવા હોય, જિનશાસનમાં અનુરાગવાળી હોય, તેને સાધાર્મિકપણે માનવી શંકા કરી કે સ્ત્રીઓમાં શીલ-પાલન કેવી રીતે ઘટી શકે ? અથવા તો તેને ત્રણ રત્નોવાળી કેમ ગણવી ? કારણ કે લોકમાં અને લોકોત્તરમાં તથા અનુભવથી સ્ત્રીઓ દોષ-ભાજન તરીકે પ્રસિદ્ધિ પામેલી છે. ખરેખર આ સ્ત્રીઓ ભૂમિ વગર થએલી વિષ-કંદલી, વગર વાદળામાં થએલી “વભ્રશનિ-વીજળી, નામ વગરની વ્યાધિ, નિષ્કારણ મૃત્યુ, ગુફા વગરની વાઘણ, પ્રત્યક્ષ રાક્ષસી, અસત્ય વચન, સાહસ, બંધુનેહ-વિઘાત અને સંતાપ-હેતુ, નિર્વિકપણાના મહાકારણભૂત હોવાથી દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય છે તો પછી તેઓનું દાન સન્માન, વાત્સલ્ય કરવું કેવી રીતે ઉચિત ગણાય ?” તેના સમાધાનમાં જણાવે છે કે – સ્ત્રીઓમાં જે દોષ-બહુલતા હોય છે, તે વાત એકપાક્ષિક ન સમજવી, પુરૂષોમાં પણ આ વાત સમાન છે, તેઓમાં પણ કેટલાંક ક્રાશયવાળા, નાસ્તિક, કૃતઘ્ન, સ્વામીનો દ્રોહ કરનારા, દેવ-ગુરુને ઠગનારા જણાય છે. એવા કેટલાંક દેખાય, તેથી મહાપુરૂષોની અવજ્ઞા કરવી યોગ્ય નથી. એવી રીતે સ્ત્રીઓમાં Page #322 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૯ ૨૭૧ કોઈક તેવી હોય, તેટલા માત્રથી આખી જાતિને દૂષિત ન કરાય. કોઈક બહુદોષવાળી હોય, તો પણ કેટલીક ઘણાગુણવાળી પણ હોય છે, તીર્થંકર પરમાત્માની માતાઓ સ્ત્રી હોવા છતાં પણ તેમના અતિશાયી ગુણોના યોગથી ઈન્દ્રો પણ તેમની પૂજા કરે છે, અને મુનિવરો પણ તેમની સ્તુતિ કરે છે. લોકો પણ કહે છે કે:- “તે યુવતી સ્ત્રી તેવા કોઈ ઉત્તમ ગર્ભને ધારણ કરે છે, કે જે ત્રણ જગતના પણ ગુરૂ થાય છે. આ કારણે વિદ્વાન પંડિતો અતિશયોક્ત વગર યુવતી સ્ત્રીનું ગૌરવ કથન કરે છે. કેટલીક પ્રભાવશાળી સ્ત્રીઓ પોતાના શીલના સામર્થ્યથી અગ્નિને જળ જેવો શીતલ, સર્પને દોરડા માફક ઝેર વગરનો, નદીને સ્થળ માફક અને ઝેરને અમૃત માફક બનાવે છે. ચાર વર્ણવાળા શ્રીચતુર્વિધ સંઘમાં ચોથું અંગ ગૃહસ્થ સ્ત્રીઓ છે. તીર્થકર ભગવંતોએ પણ પ્રશંસવા લાયક ગુણવાળી સુલસા આદિકને વખાણી છે. ઈન્દ્રો પણ સ્વર્ગલોકમાં વારંવાર તેમના ચારિત્રોનું બહુમાન કર્યું છે અને પ્રબલમિથ્યાદષ્ટિ દેવોએ પણ સમ્યક્ત્વાદિકમાંથી ચલાયમાન કરવા પ્રયત્ન કર્યો છતાં તે ક્ષોભાયમાન બની નથી. કોઈ કોઈ તો તે ભવમાં મોક્ષ પામનારી ય છે, વળી બીજી કેટલીક તો બે ત્રણ ભવ પછી મુક્તિ પામનારી શાસ્ત્રમાં સંભળાય છે. માટે તેઓનું માતાઓની જેમ, બહેનની જેમ કે પોતાની પુત્રીની જેમ વાત્સલ્ય કરવું જોઈએ, એમ યુક્તિયુક્ત સમજીએ છીએ. પાંચમા આરાના અંતે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા થવાના છે, તે અનુક્રમે દુખસહસૂરિ યક્ષિણી સાથ્વી, નાગિલ શ્રાવક અને છેલ્લી સત્યશ્રી શ્રાવિકા થવાની વનિતાના દૃષ્ટાંતો આપીને દૂષિત કેમ કરાય ? માટે તેમનો બિલકુલ પરિહાર ન કરવો પરંતુ તેઓનું વાત્સલ્ય કરવું, વધારે કહેવાથી સર્યું. માત્ર એકલા સાત ક્ષેત્રોમાં ધન વાવવાથી મહાશ્રાવક કહેવાતો નથી, પરંતુ ધન વગરના નિર્ધન, આંધળા બહેરા, લંગડા, રોગથી પરાભવ પામેલા-એવા-દીન:ખીયા આદિકમાં અનુકંપા-દયાબદ્ધિથી ધન વાવે તે મહાશ્રાવક કહેવાય. દીનાદિકમાં ભક્તિથી નહીં. ભક્તિપૂર્વક દાન તો સાત ક્ષેત્રોમાં યથા ઉચિત આપવાનું કહેલું છે. અતિદીન-દુ:ખીયાને વિષે તો વિચાર કર્યા વગર તેમજ કલ્પ ન કલ્પે તેવી વિચારણા વગર માત્ર કરૂણાથી જ પોતાનું ધન વાવવું યોગ્ય માનેલું છે. દીક્ષા-સમયે તીર્થકર ભગવંતોએ પણ પાત્રાપાત્રની અપેક્ષા રાખ્યા વગર કે વિભાગ કર્યા વગર માત્ર એક કરૂણતાથી જ સાંવત્સરિક દાન આપ્યું હતું તેથી કરીને સાત ક્ષેત્રમાં ભક્તિથી અને દીનદુઃખીયામાં અતિકરૂણાથી પોતાનું ધન વાવતો હોય અર્થાત્ વાપરતો હોય તે મહાશ્રાવકની કોટિમાં ગણાય. શંકા કરી કે “શ્રાવક' એટલું જ માત્ર કહો. “મહાશ્રાવક' એમ કહીને “મહા વિશેષણ કયા કારણથી જણાવ્યું ? તેનું સમાધાન કરતાં જણાવે છે કે- અવિરતિવાળા અગર એકાદ અણુવ્રત ધારણ કરનાર અથવા જિનવચન સાંભળે, તે વ્યુત્પત્તિથી શ્રાવક કહેવાય છે. માટે કહેવું છે કે – સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય અને જેઓ હંમેશા સાધુના મુખે ઉત્તમ શ્રાવકધર્મની સામાચારી સાંભળતા હોય, તે ખરેખર શ્રાવક કહેવાય” (શ્રા.પ્ર.ગા.૨.) તથા પ્રભુ કથિત પદાર્થોનું ચિંતન કરવાથી સ્વશ્રદ્ધાને જેઓ સ્થિર કરે છે. દરરોજ સુપાત્રમાં ધન વાવે છે, ઉત્તમ સાધુઓની સેવાથી પાપને વિખેરી નાંખે છે. તેને આજે પણ જરૂર શ્રાવક કહી શકાય છે. આ નિરુક્તિ-જોડણી વ્યાખ્યાથી સામાન્ય શ્રાવકપણું પ્રસિદ્ધ છે. જેની અહીં વિવેક્ષા કરી છે, તે તો નિરરિચાર સમગ્ર વ્રત ધારણ કરનારો ક્ષેત્રોમાં ધન વાપરતો, જૈન દર્શનની પ્રભાવના કરતો, દીન દુઃખીયા જીવો પ્રત્યે અત્યંત કૃપાવાળો હોય, તે “મહાશ્રાવક' કહેવાય, તેમાં હરકત નથી. / ૧૧૯ || સાત ક્ષેત્રોમાં ધન વાવતો' એ વાત ઉલટાવીને સમર્થન કરે છે– Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ २९१ यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् । શ્રયં વરાત્રિ, રુક્ષ સ સમારેત્ ? ૨૦ અર્થ : : જે પુરૂષ બાહ્ય અને અનિત્ય એવું છતું પણ ધન ક્ષેત્રમાં વાવતો નથી, તે બિચારો દુષ્કર એવું ચારિત્ર તો કેવી રીતે આચરી શકશે ? | ૧૨૦ ટીકાર્થ : ન હોય તેવા ધનનું દાન સંભવતું નથી, માટે છતું ધન હોય, વળી શરીર એ અત્યંતર વસ્તુથી કહેવાય, તેની અપેક્ષાએ ધન એ બાહ્ય વસ્તુ ગણાય. બાહ્ય હોય અને સદાકાળ સ્થાયી ટકવાવાળું હોય તો ભલે ને આપે, ગમે તેવા પ્રયત્નથી સાચવી રાખેલું હોય, રક્ષણ કરતા હોઈએ તો પણ આ ધન ચોર, અગ્નિ, કુટુંબીઓ, રાજાઓ વગેરે દ્વારા પુણ્યનો ક્ષય થતા ચાલ્યા જવાના સ્વભાવવાળુ છે, તેથી અનિત્ય માનેલું છે તે માટે અમારા ગુરૂજીએ પણ કહેલું છે કે – ધનને ચોરો ચોરીને કે લુંટીને લઈ જાય છે. કુટુંબીઓ લડીને વેડફી નંખાવે છે, રાજા બળાત્કાર કે કર નાંખીને લઈ જાય છે, અગ્નિ બાળી નાંખે છે, જળપ્રવાહ તાણી જાય છે અથવા વ્યસનાસક્તનું પાછલા બારણેથી ચાલી જાય છે. ભૂમિમાં દાટીને સારી રીતે રક્ષિત રાખવા છતાં પણ વ્યંતર દેવો હરી જાય છે, અથવા તો મૃત્યુ પામતો માનવી સર્વ છોડીને પરભવમાં જાય છે.” ધન અનિત્ય હોવા છતાં પણ થોડુંક ખેતરમાં વાવી શકાય છે, “તેલ બહુ છે, માટે પર્વતોને ચોપડાય નહિ આ કારણે “ક્ષેત્રોમાં વાવવું' એમ કહ્યું. ખેતર શબ્દ એટલા માટે વાપર્યો છે કે જેમાં વાવેલું સો હજાર લાખ કે ક્રોડગણું થાય છે. આવા પ્રકારની છતી સામગ્રી હોવા છતાં જે બિચારો ન વાવે. તે સત્ત્વ વગરનો જીવ મહાસત્ત્વશાળીએ સેવવા યોગ્ય દુષ્કર ચારિત્ર કેવી રીતે આચરી શકશે ? ધન જેવી તુચ્છ વસ્તુમાં લુબ્ધ બનેલો સત્ત્વ-શૂન્ય સર્વસંગના ત્યાગરૂપ ચારિત્રનું પાલન કેવી રીતે કરશે? ચારિત્રની આરાધના કર્યા વગર સદ્ગતિ કેવી રીતે મેળવશે ? ખરેખર સર્વવિરતિની પ્રાપ્તિરૂપ કળશારોપણ ફલવાળો શ્રાવકધર્મ પ્રાસાદ છે કે, ૧૨૦ || હવે મહાશ્રાવકની દિનચર્યા કહે છે – २९२ ब्राह्मे मुहूर्त उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् । વિંથ વિંjત્નશક્ષ્મિ છિદ્રતોતિ ૪ રજૂ . ૨૨ છે. અર્થ : બ્રાહ્મ મુહૂર્તમાં પરમેષ્ઠિ પદોની સ્તુતિ કરતો તથા હું ક્યા ધર્મવાળો છું? મારું કુળ કયું? મારે કયા વ્રતો છે ? ઈત્યાદિક યાદ કરતો જાગે. || ૧૨૧ // ટીકાર્થ : પંદર મુહૂર્તની રાત્રિ છે. તેમાં ચઉદયું મુહુર્ત બ્રાહ્મ, તેમાં નિદ્રાનો ત્યાગ કરે, અને અરિહંતાદિક પાંચ પરમેષ્ઠિ-પદો તેમને નમસ્કાર કરવા રૂપ “નમો અરિહંતાણં” ઈત્યાદિ નવકારને અતિશય બહુમાન પૂર્વક પરમમંગલ માટે બીજાને ન સંભળાય તેમ મનમાં સ્મરણ કરવું. જે માટે પંચાશક વૃત્તિમાં કહેલું છે કે – શયામાં રહેલાએ પરમેષ્ઠિ નવકારમંત્રનું ચિંતવન મનમાં કરવું. કારણકે–એમ મનમાં ગણવાથી મંત્રનો અવિનય થાય નહિ. નવકારમંત્ર પ્રભાવશાળી સર્વોત્તમ મંત્ર છે. પલંગ કે પથારીમાં બેઠાં બેઠાં ઉચ્ચાર કરવાથી અવિનય થાય. કેટલાક બીજા આચાર્યોનો મત એવો છે કે– સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ વાંધો નથી. એવી કોઈ અવસ્થા નથી, જેમાં પંચનમસ્કારરૂપ નવકાર ગણવાનો અધિકાર ન હોય, એકલો નવકાર માત્ર ભણી Page #324 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૦-૧૨૨ ૨૭૩ જાય તેમ નહિ; પરંતુ હું કયા ધર્મવાળો છું? મારું કુળ કયું? મારે કયા કયા વ્રતો છે ? એ સર્વને ભાવથી સ્મરણ કરતો જાગ્રત થાય. ઉપલક્ષણથી દ્રવ્યથી મારા ગુરુ કોણ ? ક્ષેત્રથી હું કયા ગામમાં કે નગરમાં વસું છું? કાલથી આ પ્રભાત કાલ છે, જૈન ધર્મ, ઈક્વાકુ કુલ, અણુવ્રતાદિક વ્રતોનું સ્મરણ કરે, તેથી વિરૂદ્ધનો ત્યાગ કરે, / ૧૨૧ // ત્યાર પછી– २९३ शुचिः पुष्पामिषस्तोत्रै-र्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ १२२ ॥ અર્થ : શરીર તથા મુખ શુદ્ધિ દ્વારા પવિત્ર બની પોતાના ઘર-દેહરાસરના પ્રભુને પુષ્પ, નૈવેદ્ય, સ્તોત્રોથી પૂજા કરી પોતાની શક્તિ અનુસાર નવકારશી આદિના પચ્ચક્ખાણ કરી મોટા દેહરાસરે દર્શન માટે જાય. || ૧૨૨ છે. ટીકાર્થ : જંગલ જેવું, દાતણ કરી મુખશુદ્ધિ કરવી, જીભ પરથી ઉલ ઉતારવી, કોગળા કરવા. સ્નાન આદિકથી શરીરની પવિત્રતા કરી. અહીં પવિત્ર બનવાની વાત એ શાસ્ત્રકાર કહેતા નથી પણ એ લોકસિદ્ધ માર્ગ હોવાથી માત્ર તેનો અનુવાદ કર્યો છે. લોક-સિદ્ધ પદાર્થમાં ઉપદેશની જરૂર હોતી નથી. નહીં પ્રાપ્ત થયેલા પદાર્થમાં શાસ્ત્રની સફળતા છે. મલિન દેહવાળાએ સ્નાન કરવું. ભૂખ્યાએ જમવું-તેવા કાર્યમાં શાસ્ત્રની જરૂર પડતી નથી. આવતા ભવ માટે ધર્મ માર્ગ પ્રાપ્ત કર્યો ન હોય અને સ્વાભાવિક મોહાન્ધકારમાં જેનો જ્ઞાન-પ્રકાશ ચાલ્યો ગયો છે, તેવા લોકો માટે શાસ્ત્ર એ જ ચહ્યું છે. આ પ્રમાણે આગળ પણ અપ્રાપ્ત વિષયમાં ઉપદેશ સફળ છે–એમ વિચારવું. પાપવાળા આરંભ-કાર્યમાં શાસ્ત્રોના વચનોની અનુમોદના હોઈ શકતી નથી જે માટે કહેલું છે : સાવદ્ય એટલે પાપવાળા અને પાપ વગરના વચનનો તફાવત જે જાણતો નથી, તેને બોલવું પણ યોગ્ય ન ગણાય, તો પછી દેશના કરવાનો અધિકાર તો ક્યાંથી હોય ?” એટલે શુચિપણાની વાત છોડીને હવે ગૃહચૈત્યરૂપ, મંગલ ચૈત્યરૂપ અરિહંત ભગવંતની પૂજા કરીને પૂજાના પ્રકારો જણાવતાં કહે છે કે :પુષ્પો, નૈવેદ્ય અને સ્તોત્રો વડે, અહીં પુષ્પ કહેવાથી સર્વ સુગંધી પદાર્થો સમજી લેવા, જેવા કે, વિલેપન, ધૂપ, ગંધવાસ અને ઉપલક્ષણથી વસ્ત્ર, આભૂષણ લેવા. આમિષ એટલે નૈવેદ્ય અને પીવા યોગ્ય જેવા કે પકવાન, ફલ, અક્ષત, દીપ, જળ, ઘીથી ભરેલા પાત્રો, સ્તોત્રમાં શક્રસ્તવાદિ સદભૂત ગુણોન કીર્તન સ્વરૂપ કાવ્યો ત્યાર પછી પચ્ચક્ખાણ ઉચ્ચરવા-જેવા કે નમસ્કાર સહિત અથવા નવકારશી, પોરિસી આદિ અદ્ધારૂપ તથા ગંઠશી આદિ સંકેતરૂપ યથાશક્તિ કરીને, પછી ભક્તિચૈત્યરૂપ સંઘના દેવમંદિરમાં જાય. અહીં સ્નાન વિલેપન, પીઠી ચોળવી, વિશિષ્ટ વસ્ત્રાભરણ, અલંકાર ધારણ કરવા, શસ્ત્રો લેવાં વાહનમાં બેસવું આદિ સ્વતઃસિદ્ધ પદાર્થોનો ઉપદેશ આપવાની જરૂર ન હોવાથી તેવા વિધાનો કર્યા નથી કે ઉપદેશ આપ્યો નથી, ન સમજાય તેવા જ વિષયમાં શાસ્ત્ર સફળ છે, અને તે વાત અમો જણાવી ગયા છીએ જે દેહરાસરે જવાનો વિધિ આ પ્રમાણે – “જો રાજા હોય તો સર્વ ઋદ્રિપૂર્વક સર્વ દીપ્તિ, સર્વ ધૃતિ, સર્વ સૈન્ય પરિવાર, સર્વ પરાક્રમથી અને માર્ગમાં દાન આપતો, છત્ર-ચામરાદિ રાજઋદ્ધિ સાથે, સર્વકાન્તિ એટલે વસ્ત્રો, આભરણ, અલંકારો સાથે સર્વ ચતુરંગી સેના વાજિંત્ર, મહાજન, આદિથી પરિવરેલો એ વચનથી પ્રભાવના નિમિત્તે મોટી ઋદ્ધિથી જાય. હવે જો સામાન્ય વૈભવવાળો હોય તો ખોટો આડંબર કર્યા વગર લોકોમાં હાંસીપાત્ર ન થાય તેવી રીતે જાય. || ૧૨૨ || ત્યાર પછી – Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ २९४ प्रविश्य विधिना तत्र, त्रिःप्रदक्षिणयेज्जिनम् । पुष्पादिभिस्तमभ्यर्च्य स्तवनैरूत्तमैः स्तुयात् ॥ १२३ ॥ અર્થ : વિધિથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, પુષ્પ આદિ વડે પ્રભુની પૂજા કરી ઉત્તમ સ્તવનો વડે સ્તુતિ કરવી / ૧૨૩ || ટીકાર્થ : પ્રભુ-મંદિરમાં વિધિપૂર્વક પ્રવેશ કરી જિનેશ્વર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરવી. પ્રવેશ વિધિ આ પ્રમાણે – પુષ્પ, તાબૂલ, આદિ સચિત્ત દ્રવ્યો તથા છરી, પાદુકા આદિ અચિત્ત પદાર્થોનો ત્યાગ કરી ઉત્તરાસંગ (એસ) નાંખીને પ્રભુ દર્શન થતાં જ હાથને અંજલિબદ્ધ કરીને તેને મસ્તક પર સ્થાપન કરતો, મનની એકાગ્રતા કરતો, પાંચ અભિગમ સાચવવા સાથે નિસિહિ કહેતા પ્રવેશ કરે. કહેલું છે કે :- સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરીને, અચિત્તનો ત્યાગ કર્યા વગર. એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કરીને ચક્ષુથી દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડીને અને મનની એકાગ્રતા કરીને (ભગવતી સૂત્ર ર-૫), જે રાજા હોય તેણે ચૈત્યભવનમાં પ્રવેશ કરતી વખતે તરત રાજાચિહ્નોનો ત્યાગ કરવા (વિચાર-સાર ગા.૬૬૫) કહેલું છે કે – “ખડ્ઝ, છત્ર, પાદરક્ષક, મુગટ અને ચામર એ પાંચ રાજચિહ્નોનો ત્યાગ કરીને, “પુષ્પો વડે’ પુષ્પ કહેવાથી “મધ્ય ગ્રહણ કર્યું તેથી (આદિ અને અંતની વચ્ચેનું ગ્રહણ કર્યું તેથી) આજુબાજુના પદાર્થ પણ ગ્રહણ કરી શકાય તે ન્યાયે-હંમેશા અને પર્વદિવસે વિશેષ પ્રકારે સ્નાત્ર-પૂર્વક પૂજા કરવી. સ્નાત્ર-સમયે સુગંધી સુખડ વડે જિનબિંબને તિલક કરવું. ત્યાર પછી કસૂરી અગરથી સારભૂત સુગંધી કપૂરથી સારી રીતે મિશ્રણ કરેલ ચંદનના વિકારવાળા ઉત્તમ ધૂપને પ્રભુ આગળ ઉખેવવો-બાળવો. (અહંદુ અભિષેક ૩ ૭૭) એ વચનથી ધૂપનો ઉલ્લેપ કરવો. તે પછી સર્વોષધિ આદિ દ્રવ્યો જલપૂર્ણ કલશમાં નાંખવા. પછી એ કુસુમાંજલિ નાંખવાપૂર્વક સર્વોષધિ કપૂર, કેશર, સુખડ, અગરુ વગેરે યુક્ત જળથી, તથા ઘી, દૂધ, આદિથી ભગવંતનું સ્નાન કરવું. ત્યાર પછી સુખડ ઘસી પ્રભુને વિલેપન કરવું પછી સુગંધવાલા જાસુદ, ચંપક શતપત્ર મોગરો, ગુલાબ, કમલ આદિની પુષ્પમાલાઓથી ભગવંતની પૂજા કરવી. રત્ન, સુવર્ણ, મોતીનાં આભૂષણોથી અલંકૃત કરવા. વસ્ત્રાદિની પહેરામણી કરવી. પ્રભુની આગળ સિદ્ધાર્થ (સરસવ) શાલિ, તંદુલ, ચોખા આદિથી અષ્ટમંગલનું આલેખન કરવું તથા આગળ બલિ (નૈવેદ્ય) મંગલદીવો, દહીં ઘી આદિ ધરાવવા, ભગવંતના ભાલતમાં ગોરોચનથી તિલક કરવું ત્યાર પછી આરાત્રિકા (આરતી) ઉતારવી જે માટે કહ્યું છે કે – શ્રેષ્ઠ ગંધવાળો ધૂપ, સર્વોષધિ મિશ્રિત જળ, વિવિધ સુગંધી વિલેપન, શ્રેષ્ઠ પુષ્પોની માળા, નૈવેદ્ય, દીપક, સિદ્ધાર્થક, દહી, અક્ષત, ગોરોચન, વિવિધ સુવર્ણ, મોતી, રત્નના હાર આદિ ઉત્તમ દ્રવ્યોથી પ્રભુપૂજા કરવી. કારણકે શ્રેષ્ઠ સામગ્રીથી કરેલી પૂજા ઉત્તમ ભાવ પ્રગટાવનાર થાય છે. મળેલી લક્ષ્મીનો આ કરતાં બીજો કયો સારો ઉપયોગ હોઈ શકે ?” આ પ્રમાણે જિનેશ્વર ભગવંતની ભક્તિથી પૂજા કરીને ઐર્યાપથિકી-પ્રતિક્રમણ કહેવા પૂર્વક શક્રસ્તવ આદિ દંડકો વડે ચૈત્યવંદન કરી ઉત્તમ કવિઓએ રચેલા સ્તોત્રો વડે ભગવંતના ગુણોનું કીર્તન કરવું. સ્તોત્રોનું ઉત્તમપણું આ પ્રમાણે કહેલું છે – જેમ કે- “ભગવંતના દેહ, ક્રિયા, ગુણો જણાવનારાં, ગંભીર, વિવિધ વર્ગોની ગોઠવણી કરી, રચેલાં, નિર્મળ આશય ઉત્પન્ન કરનારાં, સંવેગ-વૈરાગ્ય કરાવે તેવા અને પવિત્ર, પોતાના પાપ-નિવેદન કરનાર, ચિત્તની એકાગ્રતા કરાવનાર આશ્ચર્યકારી અર્થોવાળાં, અસ્મલિત આદિ ગુણયુક્ત, મહાબુદ્ધિશાળી કવિવરોએ ગુંથેલા સ્તોત્રો વડે પ્રભુની સ્તવના કરવી.” (ષોડશક ૯/૬૭) પરંતુ આગળ કહીએ તેવાં દોષવાળો સ્તોત્રો ન કહેવા. “ધ્યાન મગ્ન હોવાથી એક નેત્ર અર્ધ બીડાયેલું વળી પાર્વતીના વિશાલ નિતંબ-ફલક ઉપર શૃંગારરસના Page #326 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨ ૩ ૨૭૫ મારા ભારથી સ્થિરતાથી કટાક્ષ કરતું બીજું નેત્ર, દૂર સુધી ખેંચેલા ધનુષ સરખું અને કામદેવ ૫૨ કરેલા ક્રોધાગ્નિથી સળગતું ત્રીજું નેત્ર, એમ સમાધિ-સમયે ભિન્ન રસોને અનુભવતાં શંકરના ત્રણે નેત્રો તમારું રક્ષણ કરો” તથા “પાર્વતી શંકરને પૂછે છે કે, આપના મસ્તક પર ભાગ્યશાળી કોણ રહેલી છે ? ત્યારે શંકરજીએ મૂળવસ્તુ છુપાવતા જવાબ આપ્યો કે, શશીકલા, ફરી પાર્વતીએ પૂછ્યું કે, તો એનું નામ શું? શંકરે કહ્યું કે, નામ પણ તે જ. પાર્વતીએ વળી કહ્યું કે, આટલો પરિચય હોવા છતાં કયા કારણથી તેનું નામ યાદ ન રહ્યું ? વળી પાર્વતીએ પૂછ્યું કે, હું તો સ્ત્રીનું નામ પુછું છું. ચંદ્રને પૂછતી નથી. જો તને આ ચંદ્ર પ્રમાણ ન હોય તો આ તારી સખી વિજયાને પૂછ કે મસ્તકમાં કોણ છે ? આ પ્રમાણે કપટથી ગંગાનાં નામને છૂપાવવા માટે ઈચ્છતા શંકરનું શાક્ય-કપટભાવ તમારા રક્ષણ માટે થાવ” તથા “પ્રણય કરતાં કોપાયમાન બનેલી પાર્વતીના ચરણાગ્રરૂપ દસ નખરૂપ દર્પણમાં પ્રતિબિંબરૂપે પડેલા દાસ અને એક પોતે મળી અગિયાર દેહને ધારણ કરનાર રુદ્રને નમન કરો.” કાર્તિકેય પાવર્તીને પૂછે છે કે, પિતાના મસ્તક ઉપર આ શું રહેલ છે ? પ્રત્યુત્તર મળે છે કે ‘ચંદ્રનો ટુકડો છે' લલાટમાં વળી આ શું છે ? ‘આ ત્રીજું નેત્ર છે’ હાથમાં શું છે ? ‘સર્પ છે. આ પ્રમાણે દિગમ્બરશિવ સંબંધી પૂછાયેલા પ્રશ્નના ક્રમસર ઉત્તર આપતાં કાર્તિકેયને ડાબા હસ્તથી રોકતી પાર્વતી દેવીનું મધુર હાસ્ય તમારૂં રક્ષણ કરો. “સુરતક્રીડાના અંતે શેષનાગના ઉપર એક હાથનો ભાર દબાવીને ઉભી થતી અને બીજા હાથ વડે વસ્ત્રનું સરખું ધારણ કરીને વીખરાયેલા વેણી-કેશની લટના ભારને ખભા ઉપર વહન કરતી, તે સમયે કાંતિ વડે બમણા થએલ સંભોગ-સ્નેહવાળા શ્રીકૃષ્ણે આલિંગન આપી ફરી શય્યામાં લાવેલ આળસ વડે શોભતા બાહુવાળું લક્ષ્મીનું શરીર તમને પવિત્ર કરો' આ વડે સંપૂર્ણ વંદનવિધિ સમજાવ્યો. “૧. ત્રણ સ્થાને નિસીહિ, ૨ ત્રણવા૨ પ્રદક્ષિણા, ૩. ત્રણવાર પ્રણામ. ૪. ત્રણ પ્રકારે પૂજા ૫. જિનેશ્વરની ત્રણ અવસ્થાઓ ભાવવી. ૬. જિનેશ્વર સિવાયની ત્રણ દિશામાં જોવું નહિ. ૭. ત્રણ વખત પગ અને ભૂમિની પ્રમાર્જના કરવી. ૮. વર્ણાદિ ત્રણનું આલંબન કરવું. ૯. ત્રણ પ્રકારની મુદ્રા કરવી, અને ૧૦. ત્રણ પ્રકારે પ્રણિધાન કરવું એ દશ ‘ત્રિક' કહેવાય. - = તેમાં પુષ્પથી અંગ-પૂજા નૈવેદ્યથી અગ્ર-પૂજા અને સ્તુતિથી ભાવપૂજા એમ ત્રણ પ્રકારે જિનપૂજા થાય અને જિનેશ્વર દેવનું છદ્મસ્થપણું કેવૅલીપણું અને સિદ્ધપણું એમ ત્રણ અવસ્થા ચિંતવવાની છે. ચૈત્યવંદનસૂત્રોના પાઠ, તેના અર્થો, અને પ્રતિમાજીના રૂપનું આલંબન લેવું. એ વર્ણાદિકનું આલંબન કહેવાય. મન, વચન, કાયાની એકાગ્રતા કરવી એ પ્રણિધાન કહેવાય. પ્રણામ પાંચ અંગોથી થાય છે, અને સ્તવન બોલતાં યોગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા, તથા પ્રણિધાનસૂત્ર (જય વીયરાય) બોલતા મુક્તાશક્તિ મુદ્રા એમ ત્રણ મુદ્રાઓ કરવાની કહેલી છે. બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એમ પાંચેય અંગો પૂર્ણ (જમીનને લાગે તેમ) નમાવવાથી પંચાગ-પ્રણામ કહેવાય. બે હાથની દસ આંગળીઓ એકબીજી વચ્ચે રાખી કોશના ડોડા જેવા હથેળીનો આકાર કરી, બે હાથની બે કોણીઓ પેટ ઉપર સ્થાપન કરવાથી યોગમુદ્રા થાય છે. જિનમુદ્રામાં બે પગના પાનીના તળીયા વચ્ચે આગળ ભાગમાં ચાર આગળ અને પાછળ ચાર આંગળથી ઓછું અંતર રાખી, બે પગ સરખા રાખી, ઉભા રહી બે હાથ લાંબા નીચે લટકતા રાખવામાં આવે છે, બે હાથની આંગળીઓ એકબીજાની સામસામી રાખી વચ્ચેથી હથેળી પોલી રાખી, બે હાથ લલાટને લગાડવાથી, અથવા બીજા આચાર્યના મતે લલાટથી થોડાં દૂર રાખવાથી મુક્તાશક્તિ મુદ્રા થાય છે ? (પંચાશક ૩/૧૭-૨૧) ઇરિયાવહિ સૂત્રના અર્થ – Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ આગળ ઐર્યાપથિકી-પ્રતિક્રમણ પૂર્વક ચૈત્યવંદન કરવું, એમ કહેવું છે. તેથી ઐયંપથિકી સૂત્રની વ્યાખ્યા કરી સમજાવાય છે-તે “ફચ્છામિ પડવું' થી શરૂ કરી “તસ મિચ્છામિ દુક્કડું' એમ અંત સુધી આખું સૂત્ર, રૂછામિ ડિમિડું રૂરિયાદિયાણ વિUTU, અર્થાત્ – “માર્ગમાં ચાલવાથી થએલી વિરાધના-પાપક્રિયાથી મુક્ત થવાને - પાછો ફરવાની અભિલાષા કરું છું. કહેવાનો ભાવાર્થ એ છે કે - ઈર્યા એટલે ગમન કરવું? ચાલવું તેના અંગેનો જે માર્ગ તે ઇરિયાપથ કહેવાય. તેમાં થએલી જીવહિંસાદિવિરાધના તે દરિયાપથની વિરાધના, તે પાપથી પાછા ફરવાને એટલે લાગેલા પાપથી શુદ્ધ થવાને ઈચ્છા રાખું છું. એમ વાક્યર્થ સમજવો. હવે પાઠનો ઉપર કહ્યા પ્રમાણે જે અર્થ કરીએ તો માત્ર જતાં-આવતાં થએલી પછી કે અન્ય અનેક કારણે ઇરિયાવહિ કરવાનું કહેલું છે તે વાત ન રહે, તે માટે બીજા પ્રકારે તેની વ્યાખ્યા સમજાવે છે. ઈર્યાપથ એટલે સાધુનો આચાર, આ મતિ-કલ્પનાનો અર્થ નથી. શાસ્ત્રમાં કહેલું છે કે – પથી થ્થાન-નાવિભિક્ષતિ' અર્થાત્ “ઈર્યાપથ' એટલે ધ્યાન, મૌનવ્રત વગેરે સાધુનું આચરણ” એ આચરણ અંગે નદી પાર ઉતરવાથી, શયન કરવાથી, એક એવા બીજાં કારણથી જે સાધુ – આચારમાં ત્રુટિ થઈ વિરાધના બની હોય તે ઈર્યાપથ – વિરાધના, તે પાપથી પાછા ફરવાને શુદ્ધ થવાને ઈચ્છું છું. એમ સંબંધ જોડવો. સાધુના આચારનું ઉલ્લંઘન એટલે પ્રાણીઓનાં પ્રાણનો વિયોગ કરવો, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ઈત્યાદિમાં પ્રાણાતિપાતનું પાપ સર્વથી મોટું ગણાય છે. બાકીના પાપસ્થાનકો તો આની અંદર આડકતરી રીતે સમાઈ જાય છે માટે પ્રાણાતિપાત-વિરાધના સંબંધી વિસ્તારથી ઉત્તર જણાવેલો છે. કયા કારણોથી વિરાધના થાય ? TIVITUT' અર્થાત્ જવું અને પાછા આવવું, પ્રયોજન પડ્યું એટલે બહાર જવું અને તે પૂર્ણ થયું એટલે પાછા પોતાને સ્થાને આવવું. ગમનાગમનમાં વિરાધના કેવી રીતે થાય ? – પશ્ચિમ, વિકદમ રિયો ', પ્રાણ એટલે બેઈન્દ્રિયથી માડી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો, બીજ એટલે સર્વસ્થાવર એકેન્દ્રિય જીવો. સર્વપ્રકારની લીલી વનસ્પતિ એમાના કોઈ પણ જીવને પગથી ચાંપ્યો હોય-દબાવ્યો હોય, તે રૂપ વિરાધના થઈ હોય, બીય અને હરિય કહેલ હોવાથી બીજ અને સકલ વનસ્પતિમાં પણ જીવ માનેલો છે. તથા ‘મોસા ત્તિ પણ ન મટ્ટી, મજ્જડા, સંતાન સંશ્ચમન' ઠારનું જળ, અહીં ઠારનું જળ એટલા માટે ગ્રહણ કર્યું કે, તે બહુ બારીક બિન્દુરૂપ હોય છે, આથી એમ જણાવ્યું કે, સૂક્ષ્મમાત્ર, પણ અપ્લાયની વિરાધના ન કરવી. ‘ઉતિંગા એટલે ગર્દભાકારના જીવો તેઓ ભૂમિમાં છિદ્રો કરીને રહેનારા હોય છે, અથવા તેનો બીજો અર્થ કીડનગરો, પણગ' એટલે પાંચેય રંગની લીલ-ફગ-સેવાલ, ‘દગમટ્ટી' એટલે લોકોની અવરજવર થઈ ન હોય તે સ્થાનનો કાદવ, અથવા દગ એટલે અપકાય અને માટી એટલે પૃથ્વીકાય; “મક્કડા' એટલે કરોળિયા અને “સંતાણા' એટલે તેની જાળ, ભેગો અર્થ, કરોળિયાની જાળ એ પ્રમાણે ઠારથી માંડી કરોળિયાની જાળ સુધીના જીવોને “સંક્રમણે” એટલે ચાંપવાથી-દાબવાથી થએલી વિરાધના. એ પ્રમાણે નામવાર કેટલા જીવોની ગણતરી કરવી ? માટે કહે છે કે– ‘ને જે નવા વાહિયા' એટલે જે કોઈ જીવોને મે વિરાધી દુઃખ પમાડ્યા હોય,કયાં જીવો તે કહે છે– fiવિયા વેવિયા, તેરૂંધિયા રવિ પદ્યવિયા અર્થાત એકલી માત્ર ચામડી સ્પર્શ ઈન્દ્રિયવાળા-પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ-કાયાવાળા એકેન્દ્રિય જવો, સ્પર્શ અને જીભ એમ બે ઈન્દ્રિયવાળા કરમીયા, શંખ વિગેરે, સ્પર્શન, રસન, અને નાસિકા એમ ત્રણ ઈન્દ્રિયવાળા કીડી આદિ જીવો, સ્પર્શન, રસન, નાસિકા અને આંખરૂપ ચાર ઈન્દ્રિયવાળા ભમરા આદિ અને ઉપર કહેલી ચાર અને પાંચમી શ્રવણેન્દ્રિય ઉમેરતા પાંચ ઈન્દ્રિયવાળા ઉંદર વગેરે જીવોને દુઃખ પમાડ્યાં હોય. કેવી રીતે ? તે દુઃખ આપવાના દસ પ્રકારો જણાવે છે– મહયા વત્તિય સિયા Page #328 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૭૭ संघाइया संघट्टिया परियाविया किलामिया उद्दविया ठाणाओ ठाणं संकामिया जीविआओ વવવિયા' તેમાં “અભિહતા' એટલે સામે આવતાને પગથી ઠોકર લાગી કે, પગથી ઉ ચ કી ન ફેક્યાં હોય “વર્તિતા': એટલે એકઠા કર્યા કે ઉપર ધૂળ નાંખી ઢાંકી દીધા, “શ્લેષિતા, એટલે જમીન સાથે ભીસ્યા, કે પીયા કે જમીન આદિમાં ભેળવી દીધા, “સંઘાતિતા એકબીજાના શરીરો માંહમાંહે સંકડાઈ રહે તેમ સંકડાવ્યા, “સંઘફિતાઃ લગાર સ્પર્શ કર્યા. “પરિતાપિતાઃ એટલે ચારે બાજુથી ખૂબ પીડા પમાડ્યા. કલામિતા ' એટલે મરણ સરખી અવસ્થાવાળા કર્યા. “અવદ્રાવિતા' એટલે અત્યંત ત્રાસ પમાડ્યા “સ્વસ્થાનાત પરસ્થાન સંક્રામિતા' એટલે પોતાના સ્થાનથી વિખૂટા કર્યા અને બીજા સ્થાને મૂક્યા. “જીવિતા, વ્યપરોપિતાઃ” અર્થાત મારી નાખ્યા, આ દશ પ્રકારે જીવોને દુઃખી કર્યા હોય અને તેના પાપથી જીવ લેપાયો હોય, તેની શુદ્ધિ માટે કહે “તસ્સ મિચ્છામિ દુક્કડું' તે મારું પાપ મિથ્યા-ખોટું-નિષ્ફલ થાઓ- નાશ પામો. આ મિચ્છામિ દુક્કડ' પદની નિરુક્ત વ્યાખ્યા આવશ્યક-નિર્યુક્તિના કર્તા પૂર્વાચાર્ય આ પ્રમાણે જણાવે છે – નિરુક્ત અર્થ એટલે દરેક શબ્દ છૂટા પાડી તેના અર્થ કહેવાય તે मित्ति मिऊमद्दवत्ते छत्ति य दोसाण छायणे होइ । ત્તિ મારા, હિમો, ટુત્તિ દુાંછામિ ગણાઇ છે ? | कत्ति कडं में पावं, डत्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कड-पयक्खरत्थो समासेणं (આ. નિ. ૬૮૬-૬૮૭) “જિ-છા-fપ-ટુ-વ-૪ એ છ અક્ષરોમાં પ્રથમ ‘મિ' એટલે માર્દવપણું અર્થાત્ કાયાથી નમ્ર અને ભાવથી પણ નમ્ર બનીને, બીજો “ચ્છા' એટલે જે દોષો લાગ્યા હોય તેનું છાદન કરવા માટે – હવે ફરી નહી કરવાની ઈચ્છાએ, ત્રીજો “મિ' એટલે મર્યાદામાં ચારિત્રના આચારોમાં સ્થિર બની, અને ચોથો ‘દુ એટલે દુર્ગછા કરવી-પાપવાળા પોતાના આત્માની નિંદા કરવી, પાંચમો ‘ક' એટલે મેં કરેલા પાપની કબુલાત સાથે અને છઠ્ઠો ‘ડે’ એટલે ડયન ઉપશમન કરું છું. આ પ્રમાણે “મિચ્છા મિ દુક' પદનો અર્થ જણાવ્યો. આ પ્રમાણે આલોચના એ પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત પ્રતિપાદન કરીને હવે કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત કહેવાની અભિલાષાવાળા આ સૂત્રને કહે છે – ‘ત કરીનેvi, પાછિત્તરપ, વિનોદિરનેvi, विसल्लीकरणेणं, पावाणं, कम्माणं, निग्घायणट्ठाए ठामि काउस्सग्गं । જેનું ઈરિયાવહિ સૂત્રથી આલોચન પ્રતિક્રમણ કર્યું. તેની ફરી શુદ્ધિ કરવાના કારણભૂત, જે કાઉસ્સગ્ન તેમાં સ્થિર થાઉં છું. “ઉત્તરીવાર' ઇરિયાવહિથી પાપશુદ્ધિ કર્યા પછી વિશેષશુદ્ધિ માટે, અર્થાત તાત્પર્ય એ છે કે – વિરાધના માટે પહેલાં આલોચના-પ્રતિક્રમણ કર્યા તેના જ માટે ફરી કાઉસ્સગ્નરૂપ પછીનું કાર્ય તે ઉત્તરકરણ કહેવાય. તે કાઉસ્સગ્ગથી કર્મનો વિનાશ થાય છે. ઉત્તરકરણ પ્રાયશ્ચિતકરણ દ્વારા થાય છે. માટે ‘પાછિત્તશ્નર કહે છે. તેનો ભાવાર્થ એ સમજવો કે પ્રાયઃચિત્તને કે જીવને શુદ્ધ કરે છે અથવા પાપને છેદે, તે પ્રાયશ્ચિત તે કરવાથી વિશેષ શુદ્ધિ થાય છે. વળી તે કાઉસ્સગ્ન-પ્રાયશ્ચિત પણ વિશુદ્ધિ વડે થતું હોવાથી જણાવે છે કે ‘વિહિર' એટલે અતિચારો દૂર કરવા વડે થયેલી આત્માની નિર્મળતા વડે, તે નિર્મલતા પણ શલ્યના અભાવમાં થાય છે. માટે 'વિસર્જાક્ષર' એટલે માયા, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ નિદાન-(નિયાણ) અને મિથ્યાતત્વ-એ નામના ત્રણ શલ્યથી યુક્ત આત્માને શલ્યરહિત બનાવવા દ્વારા પાવા માપ, foધાયUદ્યા એટલે સંસારના કારણભૂત જ્ઞાનાવરણીયાદિ કર્મોરૂપી પાપોનો નાશ કરવા માટે હાનિ શl૩ ધાતુઓના અનેક અર્થો થાય છે એ ન્યાયે અહીં ‘ઠામિ' એટલે કરું છું અને કાઉસ્સગ્ગ” એટલે કાયાના વ્યાપારનો ત્યાગ-શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. શું સર્વથા ? તો કેના, ન રોકી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓની અપવાદરૂપે છૂટ રાખીને, તે ‘ સ્થ' સૂત્રથી જણાવે છે. સનસ્થ એટલે આટલી મૂકીને, કઈ કઈ મૂકીને? સિUT થી માંડીને વાડ્રન્ટિં સુધી કહેલી પ્રવૃત્તિઓ મૂકીને બાકીનો ત્યાગ કરું છું તે આ પ્રમાણે સાપ' એટલે ઊંચો-અંદર શ્વાસ લેવો, તે ઉચ્છવાસ, આ પદોમાં જ્યાં ત્રીજી વિભક્તિ છે ત્યાં પંચમીનો અર્થ છે. શ્વાસ રોકવો, તે અશક્ય છે, તેનો નિરોધ કરવાથી પ્રાણ-વિઘાત થવાનો પ્રસંગ આવે તે માટે કહેવું છે કે – અભિગ્રહ કરનાર પણ ઉચ્છવાસ રોકી શકતો નથી. ચેષ્ટાની તો વાત જ ક્યાં રહી ? શ્વાસ રોકવામાં તત્કાલ મૃત્યુ થાય, માટે જયણાથી સૂક્ષ્મ ઉદ્ઘાસ ગ્રહણ કરે. (આ. નિ. ૧૫૨૪) નીતિ એટલે નીચો શ્વાસ મૂકવો અર્થાત્ શ્વાસ બહાર કાઢવો તે નિઃશ્વાસ, ઘાસિ એટલે ખાંસી ખાવી, છિUgi - છીંક, નંમાફUT' બગાસું ખાવું, ફટ્ટા ઓડકાર ખાવો, વાર્યાનિરૂપ અપાનવાયુ છુટવો એ કહેલા શરીરમાં વાયુના કારણે થાય છે. તે રોકવામાં શરીરમાં રોગ થાય છે, માટે રોકવા નહિ, પણ મુખે હાથ મુહપત્તિ રાખી યતના પૂર્વક કરવા, અને વાત-નિસર્ગ પણ અવાજ ન થાય તેમ કરવો, વળી મમતા એટલે અકસ્માત શરીરમાં ચકરી આવવી. પિત્તપૂછાણ એટલે પિત્ત-પ્રકોપથી સહેજ મૂચ્છ આવવી. ëિ ૩iા સંવાર્દિ એટલે શરીરમાં રોમરાજી વગેરે સૂક્ષ્મ રીતે હાલે. સુહુમદિં રત્ન સંચાત્તેદિ સૂક્ષ્મ રીતે શ્લેખનો શરીરમાં સંચાર થાય. સુહુર્દ રિ િસંગ્રાન્ટેÉિ એટલે સૂક્ષ્મ રીતે આંખની પાંપણ વગેરે ફરકે એ બાર કારણોને છોડીને બાકીની શરીરની ક્રિયાનો ત્યાગ કરું છું. વફાર્દિ માëિ અમો વિરાહિમો ફુક્ત ૐ ૩ો એ વિગેરે અપવાદો-છુટોથી મારો કાઉસ્સગ્ન સર્વથા અભગ્ન-અખંડ અને લગાર પણ વિરાધનાથી રહિત-નિર્દોષ થાઓ. આદિ શબ્દથી બીજા પણ જે વીજળી, અગ્નિની જ્યોતિનો સ્પર્શ થાય અને જો ઓઢવા વસ્ત્ર ગ્રહણ કરે તો પણ કાઉસ્સગનો ભંગ ન થાય. શંકા કરે કે “નમો અરિહંતાણં કહી પારીને કામળી ગ્રહણ કરે તો ભંગ કેમ ગણાય ? તેમ કરવામાં કાઉસ્સગ્રનો ભંગ જણાતો નથી. સમાધાન :- અહીં કાઉસ્સગ્નનું પ્રમાણ માત્ર નમો અરિહંતાણં કહે ત્યાં સુધીનું જ નથી કે જેથી જે બોલવાથી પૂર્ણ ગણાય. કિન્તુ જ્યારે જેટલા લોગસ્સ કે નવકાર વગેરે કાઉસ્સગ્નમાં ગણવાનું નક્કી હોય, તે પૂર્ણ કરીને ઉપર ‘નમો અરિહંતાણં કહે ત્યારે અખંડપૂર્ણ થાય એ કાઉસ્સગ્નનું પ્રમાણ છે માટે કાઉસ્સગ્ન પુરો થવા છતાં નમો અરિહંતાણ ન કહે અગર ‘નમો અરિહંતાણ” કહે પણ ગણવાનું અપૂર્ણ રહે તો પણ કાઉસ્સગ્નનો ભંગ થયો ગણાય તથા બિલાડી કે ઉંદર પંચેન્દ્રિય કોઈ વચ્ચેથી જાય તેથી બચવા માટે ખસે તો ભંગ ન થાય તથા ચોર કે રાજા આદિના ભયમાં કે પોતાને અગર બીજા સાધુને સર્પ-દશ થાય એવા કારણથી ભંગ ન થાય કહેલું છે કે – અગ્નિનો પ્રકાશ કે સળગે, પંચેન્દ્રિયની આડ, ચોર કે રાજાના ઉપદ્રવમાં સર્પ ડંખે તો વગેરે આગારો છતાં પણ મારો કાઉસ્સગ્ગ અખંડિત રહે, અવિરાધિત રહેલ કેટલા કાળ સુધી ? બનાવ રિહંતાઈ માવંતાdi નમુવારેvi ન પાણિ' એટલે જ્યાં સુધી અરિહંત ભગવંતોનો નમસ્કાર વડે ‘નમો અરિહંતાણં, Page #330 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૭૯ મારી, काया – એ પદ બોલીને ન પારું ત્યાં સુધી મારો કાઉસ્સગ્ગ છે, કાઉસ્સગ્ગ કેવી રીતે કરીશ ? તે કહે છે : તાવ વ્હાય ડાળેળ મોળેનું જ્ઞાનેળ અપ્પાનું વોસિરામિ' = અર્થાત્ તાવ = ત્યાં સુધી અપ્પાાં શરીરને, વાળેĪ' ઉભા રહેવું વગેરે કાયાને હલાવ્યા-ચલાવ્યા વગર સ્થિરપણે કાઉસ્સગ્ગ મુદ્રાએ રહેવું. મોોળ મૌન કરવા પૂર્વક સામેળ = ધ્યાન-મનમાં શુભ ચિંતવન કરવા વડે, वोसिरामि વોસિરાવું છું. અર્થાત્ જ્યાં સુધી અમુક કે પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ગ પૂર્ણ ન થાય, ત્યાં સુધી મનથી શુભ ધ્યાન, વચનથી મૌન અને કાયાથી સ્થિરતા સિવાય બીજી કુપ્રવૃત્તિનો ત્યાગ કરું છું. કેટલાક અપ્પાĪ પાઠ બોલતા નથી. = = - = પચીશ શ્વાસોચ્છ્વાસ તે ‘પાયસમા સામા’ અર્થાત્ એક પદનો એક શ્વાસોચ્છ્વાસ ગણવો - એમ શાસ્ત્રની મર્યાદા હોવાથી ‘લોગસ્સ ઉજ્જોઅગરેથી ચંદેસુ નિમ્મલયા સુધીની એક ગાથાનાં ચાર પદો ગણતા કુલ ૨૫ પદોની સંખ્યા થાય માટે ઈરિયાવહીમાં પચીસ શ્લોસોચ્છવાસનો કાઉસ્સગ્ગ કરવાનો હોવાથી ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી લોગસ્સ ગણવો. કાઉસ્સગ્ગ સંપૂર્ણ થયા પછી ‘નમો અરિહંતાણં એમ નમસ્કાર-પૂર્વક પારીને આખો લોગસ્સ-બોલવો. જો ‘ગુરુ સમક્ષ હોય તો તેમની સામે જ કરે. ગુરૂના અભાવમાં મનમાં ગુરૂની સ્થાપના ધારીને ઈર્યાપથિ-પ્રતિક્રમણ કરીને પછી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનનો આરંભ કરે. જધન્ય, મધ્યમ ચૈત્યવંદનો તો ઈર્યાવહી વગર પણ કરી શકાય છે. ચૈત્યવંદના અહીં નમસ્કાર કરવા પૂર્વક ‘નમો અરિહંતાણં એ પદથી તથા કવિએ રચેલાં આવા પ્રકારના કાવ્યથી જધન્ય ચૈત્યવંદના થાય છે ‘હે પ્રુભ ! આપનો આ દેહ જ આપની વીતરાગતાને કહી આપે છે. કારણકે જે વૃક્ષની બખોલમાં અગ્નિ રહેલો હોય, તે ખીલેલું લીલુંછમ જણાતું નથી. બીજા આચાર્યો પ્રણામ માત્ર કરવા તેને જધન્યા ચૈત્યવંદના કહે પ્રણામ પાંચ પ્રકારના છે. એક મસ્તક અંગ નમાવવું હાથ અને મસ્તક એમ ત્રણે અંગવાળો, બે હાથ એકાંગ પ્રણામ, બે હાથ જોડવા, તે હૃયંગ પ્રણામ, અને બેજાનું તે ચાર અંગોવાળો અને મસ્તક બે હાથ તથા બે પગ એમ પાંચે અંગો નમાવવા તે પંચાંગ પ્રણામ કહેવાય. મધ્યમા ચૈત્યવંદના તો અરિહંત ભગવંતોની પ્રતિમાઓની એક સ્તવદંડક અને સ્તુતિ કરવા દ્વારા થાય છે ને જે માટે (પંચાશક ૩/૨)માં કહેલું છે કે, ‘નમસ્કાર કરવાથી જધન્યા, દંડક અને સ્તુતિ એ બેથી મધ્યમાં અને સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન તો વિધિથી જે કરે તે -એમ ત્રણ પ્રકારની સમજવી આ પ્રમાણે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાની ઈચ્છાવાળો સર્વવિરતિ સાધુ કે શ્રાવક અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ કે અપુનર્બંધક, યથાભદ્રક બરાબર પ્રતિલેખિત કરેલી અને પ્રમાર્જના કરેલી ભૂમિમાં રહેલો હોય, અને ભગવંતના ઉપર નયન અને મનને સ્થિર બનાવેલ હોય, સંવેગ-વૈરાગ્યથી ઉત્પન્ન થએલા રોમાંચ-કંચુકથી યુક્ત, નેત્રમાં હર્ષાશ્રુ વહી રહેલા હોય, આ ભગવંતના ચરણનું વંદન મળવું અતિદુર્લભ છે-એમ માનતો યોગમુદ્રાથી અસ્ખલિત આદિ સૂત્ર બોલવાના ગુણયુક્ત, સૂત્રના અર્થ-સ્મરણ સાથે પ્રણિપાત-દંડકસૂત્ર અર્થાત્ ‘નમોત્થ - સૂત્ર ભણે. તેમાં તેત્રીશ આલાપકો-પદો છે અને બે ત્રણ-ચાર વિગેરે પદોના સમૂહરૂપ નવ વિસામાઓ (સંપદાઓ) છે. કહ્યું છે કેઃ— “બે-ત્રણ-ચાર-પાંચ-પાંચ પાંચ બે ચાર અને ત્રણ પદોની મળી કુલ નવ સંપદાઓ અને નવ સંપદાઓના” કુલ તેત્રીસ પદો છે.’ નમોત્થણની વિસ્તૃત વ્યાખ્યા આ સંપદાઓના નામ તથા પ્રમાણ તેના તેના અર્થપ્રસંગે યથાસ્થાને જણાવાશે. શ્રી ‘નમોત્થણં Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે સમજવીઃ- ‘નમોસ્થુળ અરિહંતાળ ભવંતાળું' તેમાં ‘નમ: અસ્તુ ાં અમ્ય: માવă: એમ પાંચ પદો છે. તેનો ક્રમશઃ અર્થ આ પ્રમાણેતેમાં ‘નમસ્' પૂજા કરવી એવા અર્થમાં અવ્યય છે. પૂજા દ્રવ્ય અને ભાવથી સંકોચ-નમ્રતા કરવી. તેમાં હાથ, મસ્તક, પગ, વગેરે શરીરના અવયવો નમાવવા રૂપ દ્રવ્ય-સંકોચ, અને વિશુદ્ધ મનનો ચૈત્યવંદનમાં યોગ કરવો, તે ભાવ-સંકોચ, ‘ઋસ્તુ' = થાઓ આ પ્રાર્થના આશયની વિશુદ્ધિ કરનાર હોવાથી ધર્મવૃક્ષનું બીજ છે. ‘f' = વાક્યાલંકારમાં, ‘અતંત્મ્ય:' અતિશયવાળી પૂજાને યોગ્ય તે અર્હન્ત, કહેલું છે કેઃ‘વંદન, નમસ્કાર વગેરે લાયક પૂજા તથા સત્કારને યોગ્ય તથા સિદ્ધિગતિને પામવા યોગ્ય છે. તેથી તેઓને અર્હન્ત કહેલા છે. (આ.નિ. ૯૨૧) આ એક વ્યાખ્યા હવે બીજી વ્યાખ્યા કહે છે હેમ વ્યાકરણનાં ‘મુત્યુ-દ્વિષાદ મંત્રિશત્રુ સ્તુત્યું' | 、 | ૨ | ૨૬ ॥ કૃતિવર્તમાનતૃણ્ શત્રુને હણ્યા તેથી ‘અર્હન્ત’ તે શત્રુઓ મિથ્યાત્વમોહનીય આદિ સમ્પૂરાયિક કર્મબંધના કારણો અનેક ભવનાં જન્મમરણ સુધી મહાન સંકટોને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત મિથ્યાત્વાદિ કર્મ-શત્રુઓને હણવાથી તેઓ ‘અરિહન્ત' કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા ‘રજને હણવાથી અર્હન્ત, અહિં રજ એટલે ચાર ઘાતિકર્મો મેઘ-સમૂહથી ઢંકાઈ ગયેલા કિરણો અને સુર્યપ્રકાશ વાદળમાં હોવા છતાં પ્રગટરૂપે દેખાતા નથી, તેમ ચાર ઘાતી કર્મો રૂપી રજથી ઢંકાઈ ગયેલા આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરૂપ સ્વભાવ હોવા છતાં પણ તે ગુણો અત્યારે આત્મામાં પ્રગટ જણાતા નથી; આ આત્મગુણોને ઢાંકનારા ઘાતિકર્મો રૂપ ધૂળનો નાશ કરવાથી તેઓ ‘અર્હન્ત' કહેવાય. ચોથી વ્યાખ્યા- તેઓથી કંઈ પણ ‘રહસ્' એટલે છાનું નથી માટે ‘અર્હન્ત’ કહેવાય. તે આ પ્રમાણે - ભગવંતના જ્ઞાન-દર્શન ગુણો તેને આવરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતા સર્વથા નાશ પામ્યા પછી, કોઈથી હણાય. નહિ, તેવું સંપૂર્ણ, અનંત, અદ્ભૂત કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. તે બંનેથી તેઓ સંપૂર્ણ જગતને એકી સાથે હંમેશા જાણે અને દેખે છે, તેથી તેઓને કંઈપણ છાનું નથી. આ પ્રમાણે તેઓને કંઈપણ ગુપ્ત-રહસ્ય ન હોવાથી અર્હન્ત કહેવાય. આ વ્યાખ્યાઓમાં વ્યાકરણના ‘પુષોવરાવ:’ સૂત્રથી ત્રણ અર્હત્ શબ્દની સિદ્ધિ થાય છે— એમ સમજવું અથવા તેઓ સર્વવેદી હોવાથી તેઓને એકાંતરૂપ એવો પર્વત-ગુફાનો કોઈ દેશ અંત કે મધ્ય ભાગ નથી. કોઈ વસ્તુ તેમનાથી છાની ન હોવાથી તેઓ ‘અરહોન્તર' કહેવાય. અથવા ‘સમ્ય:' એટલે રાગ ક્ષીણ થવાથી કોઈ પણ પદાર્થમાં આસક્તિ વગરના, અથવા રાગ-દ્વેષના કારણભૂત ગમતા કે અણગમતા પદાર્થોના વિષય-સંપર્કમાં આવવા છતાં પોતાના વીતરાગાદિ સ્વભાવનો ત્યાગ ન ક૨ના૨, અથવા ‘અરિહંતાણં' એમ પણ પાઠ સમજવો, તેમાં કર્મરૂપી શત્રુને હણનારા. કહેલું છે કે – ‘આઠેય પ્રકારનું કર્મ તે સર્વ જીવોને શત્રુરૂપ છે, તે અરિને હણનારા હોવાથી તેઓ અરિહન્ત કહેવાય (આ. નિ. ૯૨૯) વળી સૂત્રોમાં ‘અનંતાનં' એમ પણ પાઠાન્તર છે. કર્મબીજ ક્ષીણ થયેલું હોવાથી ‘મોહમ્ય:' જેને સંસારરૂપ અંકુર ફરી ઉગવાનો નથી, અર્થાત્ સંસારમાં ફરી જન્મ પામવાના નથી, તેઓ ‘અરુહંત' કહેવાય. તે માટે કહેલું છે કે: 'જેમ બીજ સર્વથા બળી ગયું હોય, તો તેમાંથી અંકુર પ્રગટ થતો નથી તેમ કર્મબીજ સર્વથા બળી જવાથી ભવરૂપી અંકુરો પ્રગટ થતાં નથી, અર્થાત્ જન્મ થતા નથી. (તત્ત્વાર્થ કારિકા-૮) - – વ્યાકરણકારો તો એક જ ‘અત્' શબ્દનાં જ પ્રાકૃતમાં ત્રણ રૂપો માને છે. અર્હત્, અરિહંત અને (૧. હેમ વ્યાકરણનાં ‘દૂત્વ: સંયોને' સૂત્રોના આધારે પ્રાકૃતમાં જોડાક્ષરની પૂર્વના સ્વર હ્રસ્વ થાય માટે ‘નમોડ્યુ’ ને બદલે ‘નમુત્યુ' પણ બને છે.) Page #332 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૮૧ અરુહતું એમ પણ સિદ્ધહેમ વ્યાકરણમાં ધ્યાતિ |૮ | ૨ / ૧૧૧ | સૂત્રથી ત્રણેય રૂપો સિદ્ધ કરેલાં છે. તે અન્તોને નમસ્કાર થાઓ – એમ સંબંધ જાણવો. ‘નમોડસ્તુ' તેમાં નમ: શબ્દના યોગે ચતુર્થી થાય, પણ પ્રાકૃતમાં ચોથીને બદલે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરાય છે, તે માટે સિદ્ધહેમ વ્યાકરણમાં “ચતુર્થો પછી' || ૮ | ૩ | ૧૩૧ | સૂર કહેલું છે. માટે મૂલ સૂત્રમાં દરેક જગા પર છઠ્ઠી વિભક્તિ થી સમજવી. બહુવચનનો પ્રયોગ કર્યો છે. તે જેઓ એક જ ઈશ્વર માનનારા અદ્વૈતવાદીઓને રિહંતો-ઈશ્વરો-ઘણા છે-એમ સિદ્ધ કરવા માટે તથા એકને બદલે અનેકને નમસ્કાર કરવાથી વધારે ફળ મળે છે - એમ જણાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ કર્યો છે. આ પ્રમાણે ‘રિહંતા' પદનો અર્થ પૂર્ણ કર્યો. હવે પાંચમું ‘વિષ્યઃ ' એટલે ઉપર “જે અરિહંત કહ્યા, તેઓનું ભવિદ્' વિશેષણ સમજવું અને તે અરિહંતના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વગેરે અનેક ભેદો છે, તેમાંથી ભાવ- અરિહંત લેવા માટે છે, અર્થાત્ મારો નમસ્કાર ભાવ અરિહંતને થાઓ-એમ જણાવવા માટે આ વિશેષણ છે. અહીં ભગવદ્ શબ્દમાં રહેલા ભગના અર્થો ૧૪ થાય છે. “ભગ એટલે સૂર્ય, જ્ઞાન માહાલ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, શોભા, ધર્મ, ઐશ્વર્ય અને યોનિ એ વચનથી સૂર્ય અને યોનિ બે અર્થ છોડીને બાકીના બાર અર્થો લેવા, અર્થાત્ જ્ઞાનવાળા, ઐશ્વર્યવાળા (૧) ભગવંત-ગર્ભમાં આવ્યા ત્યારથી દીક્ષા સુધી મતિ, શ્રત અને અવધિજ્ઞાનવાળા અને દીક્ષા પછી તરત ઘાતિકર્મના ક્ષય સુધી મન:પર્યવજ્ઞાનવાળા અને ઘાતિકર્મના ક્ષય થયા પછી અનંત વસ્તુ-વિષયક સમગ્ર ભાવ પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન થયું. (૨) માહાસ્ય એટલે પ્રભાવ-અતિશય, અર્થાત્ ભગવંતના સર્વકલ્યાણક સમયે નારકી જીવોને પણ સુખ ઉત્પન્ન થતું હોવાથી તથા નિત્ય ગાઢ અંધકારવાળી નારકીમાં પ્રકાશ થતો હોવાથી, ગર્ભમાં નિવાસ થયા પછી કુલમાં ધન-સમૃદ્ધિ આદિની વૃદ્ધિ થવાથી, નહિ નમતા સામંતો નમવા લાગ્યા, તેમજ ઇતિ-મરકી આદિ ઉપદ્રવો-વૈરરહિત રાજ્ય-પાલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવ-રહિત લોકો અને દેશો હોવાથી, આસન ચલાયમાન થાય ત્યારે દેવોએ અને અસુરોએ જેમના ચરણ-કમળમાં પ્રણામ કરેલા છે. આ રીતે તેમનો પ્રભાવાતિશય સમજવો. (૩) યશ તો રાગ-દ્વેષ પરિષહ, ઉપસર્ગને પરાક્રમથી જીતવાથી ઉત્પન્ન થયેલ અને હંમેશા જેની પ્રતિષ્ઠા ટકી રહેલી છે, જેને દેવલોકમાં દેવાંગનાઓ, પાતાલમાં નાગકન્યાઓ ગાય છે અને દેવતાઓ તથા અસુરો પ્રશંસા કરે છે દેવતા અને રાજાની ઋદ્ધિ ભોગવવા છતાં તેમાં લગાર રતિ નથી, જેમાં સામાન્ય જનને રતિ ઉત્પન્ન થાય, પરંતુ જ્યારે સર્વ ભોગો અને ઋદ્ધિ-સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે, ત્યારે ભોગો અને ઋદ્ધિથી સર્યું. તેમ જ જ્યારે ક્ષીણકર્મવાળા થાય, ત્યારે સુખ-દુઃખમાં, ભવ અને મોક્ષમાં ઉદાસીનભાવ થાય, એ પ્રમાણે ત્રણે અવસ્થામાં વૈરાગ્ય અતિશયવાળો હોય છે તે વાત અમોએ વીતરાગ સ્તોત્રમાં પણ કહેલી છે- “હે નાથ ! જ્યારે તમે દેવ અને નરેન્દ્રની લક્ષ્મી ભોગવો છો, ત્યારે તેમાં લગાર પણ તમને આનંદ થતો નથી અને ત્યારે પણ તેમાં તમોને વિરક્તિ હોય છે. કામભોગોથી વિરકત થઈ જ્યારે તમો યોગ-ચારિત્ર પામો છો. વીતરાગસ્તોત્ર ૧૨/૪૬ ત્યારે આ ભોગોથી સર્યું, આ પ્રમાણે તમો વૈરાગ્ય પામેલા છો તથા સુખ-દુ:ખમાં, કે ભવ મોક્ષમાં સમાનભાવ-ઔદાસીન્ય ઈચ્છો છો, ત્યારે પણ તમો વૈરાગી છો, તમે કઈ અવસ્થામાં વૈરાગી નથી ? (૪) મુક્તિ અર્થાત્ સમગ્ર કલેશ નાશરૂપ તે તો નજીકમાં રહેલી જ છે (૫) રૂપ : કેવું છે? તો કે સર્વ દેવતાઓના સારભૂત રૂપગ્રહણ કરી અંગુઠા-પ્રમાણ માત્ર રૂપ તૈયાર કરે અને પ્રભુના ચરણના અંગુઠા સાથે સરખામણી કરે, તો ઝળહળતા અંગારા વચ્ચે જેમ કાળો કોયલો તેમ દેવોનું રૂપ જણાય. આ દષ્ટાંતથી રૂપ પણ સર્વ કરતાં ચડિયાતું છે. (૬) મેરુ પર્વતને દંડ અને પૃથ્વીને છત્રરૂપ બનાવવાનું Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સામર્થ્ય હોય, માટે વીર્ય પણ અતિશયવાનું છે. સંભળાય છે કે તરત જન્મેલા હોવા છતાં શ્રી મહાવીર ભગવંતે ઈન્દ્રની શંકા દૂર કરવા માટે ડાબા પગના અંગુઠાથી મેરુ પર્વતને કંપાવ્યો હતો (૭) મહાવીર્યથી ઉત્પન્ન થયેલો પ્રયત્ન-એકરાત્રિી આદિ મહાપ્રતિમાઓ-અભિગ્રહોના અધ્યવસાયોમાં હેતુભૂત એવા તે તે કર્મોનો એકી સાથે નાશ કરવા માટે કરેલા કેવલિસમુદ્દાતરૂપ પ્રયત્ન, તથા મન, વચન અને કાય યોગોનો નિરોધ અને તેના યોગે પ્રગટ કરેલી મેરુપર્વત જેવી અડોલ અવસ્થારૂપ શૈલેશીકરણથી પ્રગટપણે ઓળખતો ઉત્કૃષ્ટ આત્મવીર્યથી કરેલો પ્રયત્ન (૮) ઈચ્છા-જન્માંતરોમાં દેવભવમાં અને તીર્થકરપણાના ભવમાં દુઃખરૂપ કાદવમાં ખૂંચેલા જગતને બહાર ખેંચી કાઢવા માટેની પ્રબળ ઈચ્છા. (૯) શ્રી - કેવલલક્ષ્મી ઘાતી કર્મોનો નાશ કરવા સમર્થ એવા પરાક્રમથી પ્રાપ્ત કરેલા સંપૂર્ણ સુખસંપત્તિથી ભરપૂર કેવલજ્ઞાનાદિ રૂપ (૧૦) ધર્મ તો અનાશ્રવસ્વરૂપ મહાયોગાત્મક સમગ્ર કર્મની નિર્જરા કરાવનાર ફળવાળો સર્વોત્તમ. (૧૧) આવા પ્રકારના જ્ઞાનાદિ બાર પ્રકારના ભગવાળા હોવાથી ભગવંત, તમને નમસ્કાર થાઓ, એમ હવે પછી આવતાં દરેક પદ સાથે પણ “નમસ્કાર થાઓ એ પદો જોડવાં, બુદ્ધિમંતોએ આવા અરિહંતોની જ સ્તુતિ કરવી યોગ્ય છે. એમ આ બે પદોથી “નમુત્યુસં' સૂત્રની પ્રથમ સ્તોતવ્યસંપદા જણાવી. એટલે સ્તુતિ કરવા યોગ્ય કોણ ? કેવા છે? તે કહ્યું. હવે તે અરિહંત ભગવંતો કયા હેતુથી સ્તુતિ કરવા યોગ્ય છે ? તે જણાવનારી બીજી હેતુસંપદાનું વર્ણન કરે છે– - રાઈ તિસ્થયરી' તેમાં બાફર' એટલે આદિ કરનારા એટલે સર્વપ્રકારની નીતિનો અને શ્રુતધર્મનો પ્રથમ ઉપદેશ આપનારા, તેમને જો કે, શ્રતધર્મરૂપ દ્વાદશાંગી કદી ન હોય, ન હતી કે નહિ હશે એમ બને નહિ, હંમેશા હતી, છે અને રહેશે જ. – એમ શાશ્વતી જણાવેલી છે, તો પણ અર્થની અપેક્ષાએ નિત્ય કહેલી છે. શબ્દની અપેક્ષાએ તો દરેક તીર્થંકરના શાસનમાં દ્વાદશાંગીની રચના થતી હોવાથી અને તે રચવામાં તેમનો તેવો અતિશય કારણ હોવાથી “શ્રતધર્મની આદિ કરનારા એમ કહેવામાં વિરોધ આવતો નથી. કેવળીપણું થયા પછી તરત મોક્ષ થાય જ' એમ માનનારા કેટલાક કોઈને પણ તીર્થકર માનતા નથી. તેઓ એમ માને છે કે જ્યાં સુધી સર્વ કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહિ અને કેવળજ્ઞાન થાય. ત્યારે સંપૂર્ણ કર્મોનો ક્ષય થતો હોવાથી તરત મોક્ષ થાય જ. પછી તેઓને તીર્થ કરવાનું કારણ રહેતુ નથી, એટલે તેઓ અતીર્થંકર હોય. તેઓના આ મતને અસત્ય જણાવવા માટે કહે છે કે ‘તિસ્થયરી' એ- તીર્થ સ્થાપના કરનારાઓને, સંસાર-સમુદ્ર જેનાથી તરાય, તે તીર્થ કહેવાય, શાસનના આધારભૂત સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને અથવા પહેલા ગણધરને તીર્થસ્વરૂપ કહેલા છે. શાસન ચતુર્વિધ શ્રીસંઘની અને ગણધરની સ્થાપના કરનારા તે તીર્થકરો. જે માટે (ભગવતી ૨૦/૮)માં કહેલું છે – હે ભગવંત તીર્થ કોને કહેવાય ?” “હે ગૌતમ ! અરિહંતો નિયમાં તીર્થકર છે અને ચતુર્વિધ શ્રીસંઘ અને પહેલા ગણધર એ તીર્થ છે.” સંપૂર્ણ કર્મોનો ક્ષય થયા વગર કેવલજ્ઞાન ન થાય એમ નથી. કારણકે ઘાતિકર્મનો સંપૂર્ણ ક્ષય થયા પછી કેવલજ્ઞાન થાય છે. અઘાતિ કર્મોથી તેને કાંઈ બાધ થતો નથી અને તેથી જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મોનો ક્ષયથી સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયે જ્ઞાનથી કેવલી થયેલા તેઓને તીર્થ કરવાનું અગર સ્થાપવાનું કાર્ય ઘટી શકે છે. તેમાં કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે તેમને તીર્થંકરપણું વ્યાજબી છે. મુક્તકેવલી એટલે આઠ ય કર્મનો ક્ષય કરી મુક્તાવસ્થા ભોગવતા કેવલપણામાં તો જૈનદર્શન પણ તીર્થંકરપણું માનતું નથી. અર્થાત્ સર્વ કર્મના ક્ષયરૂપ મુક્ત અવસ્થામાં તીર્થ કરવાનું જૈનદર્શનને માન્ય નથી. આ પ્રમાણે તીર્થ Page #334 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧ર૩ ૨૮૩ કરનારા તીર્થકરોને નમસ્કાર થાઓ. આ તીર્થકરો પણ “સદાશિવની કૃપાથી બોધ પામે છે” – એમ કેટલાકો માને છે. તેઓ કહે છે કે ‘પદેશાનુ વોથ - નિયમાવતિ' અર્થાત્ મહેશની મહેરબાનીથી બોધ-જ્ઞાન અને નિયમ (શૌચ, સંતોષ, તપ, સક્ઝાય, ધ્યાન) થાય છે વગેરે. તેઓનું આ કથન અસત્ય છે– એમ જણાવવા માટે કહે છે કે- “સ્વયંસંબુદ્ધેશ્ય: પારકાના ઉપદેશ વિના જ તથાભવ્યત્વ' વગેરે કારણરૂપ સામગ્રીના પરિપાકથી જેઓએ પોતાની મેળે જ યથાર્થ સ્વરૂપમાં એ તત્ત્વને જાણ્યું છે, તે સ્વયં બોધ પામેલા અરિહંત ભગવંતોને મારો નમસ્કાર થાઓ. જો કે તેમનો આત્મા આગલા બીજા ભાવોમાં તેવા પ્રકારના ગુરુઓની પાસે બોધ પામેલા હોય છે, છતાં તીર્થકરના જન્મમાં બીજાના ઉપદેશથી નિરપેક્ષ જ હોય છે. એવી રીતે છેલ્લાં ભવમાં તો સ્વયં બોધ પામેલા હોય છે. જો કે તીર્થકરના જન્મમાં લોકાન્તિક દેવો ‘મયä ! તિર્થી વિદ' “હે ભગવંત ! તીર્થ પ્રવર્તાવો” એમ કહે છે. ખરા, અને દીક્ષા પણ લે છે. પરંતુ કાલજ્ઞાપકવૈતાલિકના વચન પછી જ રાજા પ્રવૃત્તિ કરે-પ્રયાણ કરે, તેની માફક માત્ર દેવો વિનંતિ કરે એટલે તીર્થકર ભગવંતો, સ્વયે દીક્ષા ગ્રહણ કરે. લોકાન્તિક દેવોનો વિનંતિ કરવાનો માત્ર આચાર છે. નહિ કે દેવોના કહેવાથી કે ઉપદેશથી તેઓ દીક્ષા લે છે. સામાન્ય સ્તોતવ્ય-સંપદા કહીને હવે તેના જ વિશિષ્ટ હેતુ-રૂપ સ્તોતવ્ય વિશેષ હેતુ’ નામની બીજી સંપદા કહે છે. પુસુિત્તમvt પુરિસરીહvi પુરસવરપુરીમvi પરિવરધહસ્થી' પુરિ એટલે શરીરમાં શયનાત્ = શયન કરવાથી પુરૂષ કહેવાય, અર્થાત્ વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી ઉત્તમ આકૃતિવાળા શરીરમાં વાસ કરનારા જીવો પુરૂષો કહેવાય છે અને તેમાં પણ અરિહંતો ઉત્તમ હોવાથી સ્વાભાવિક પોતાના તથા ભવ્યત્વ વગેરે ભાવોથી સર્વોત્તમ હોવાથી પુરુષોત્તમ' કહેવાય છે, તે આ પ્રમાણે – પોતાના સંસારના છેડા સુધી પરોપકાર કરવાના વ્યસની હોય છે. પોતાના સંસારના સુખોનો સ્વાર્થ તેમને ગૌણ હોય છે, સર્વત્ર ઉચિત ક્રિયાવાળા હોય છે, ગમે તેવા પ્રસંગમાં દીનતા કરતા નથી, સફળતા મળે તેવા જ કાર્યનો આરંભ કરનારા હોય છે. દઢ વિચાર કરનારા, કૃતજ્ઞતાના સ્વામી, ક્લેશરહિત ચિત્તવાળા, દેવ-ગુરુમાં બહુમાનવાળા અને ગંભીર આશયવાળા હોય છે. ખાણમાંથી નીકળેલ મલિન અને ઘાટ વગરનું હોવા છતાં જાતિવંત રત્ન કાચ કરતા ઉત્તમ જ હોય. સરખા ઘાટવાળો બનાવેલ સ્વચ્છ હોય તો પણ કાચ, જાત્ય રત્નની તુલનામાં આવી શકતો નથી. તેમ અરિહંતોના આત્માઓ પહેલાના કાળથી ઉત્તમ હોય છે. એમ કહેવાથી બૌદ્ધો જે માને છે કે – નાસ્તિ ૬ શ્ચમન સર્વ:' એટલે પ્રાણી માત્ર સર્વગુણોનું ભાજન છે, માટે સર્વ જીવો બુદ્ધ થઈ શકે છે, તે વાતનું ખંડન કર્યું. અર્થાત્ સર્વ જીવો કદાપિ અરિહંતો થઈ શકતા નથી. જેઓ તેવા પ્રકારના તથા ભવ્યત્વવાળા છે, તેઓ જ અરિહંત થઈ શકે છે–એમ પુરિસુત્તમાર્ણ વિશેષણથી જણાવ્યું. વળી બાહ્યર્થની સત્તાને જ સત્ય માનનારા અને ઉપમાને અસત્ય માનનારા સંસ્કૃતાચાર્યના શિષ્યો એમ કહે છે- જેઓ સ્તુતિને યોગ્ય છે, તેઓને કોઈની ઉપમા આપી શકાય નહિ, કારણકે નાથિગ્યામુપમાં પૃષા' અર્થાત હીન કે અધિક હોવાના કારણે કોઈની ઉપમા આપવી તે અસત્ય છે' એમ તેઓ કહે છે. તેમના એ મતનું ખંડન કરવા માટે કહે છે– “પુરૂષપદેખ્યઃ' એટલે પ્રધાન શૌર્ય આદિ ગુણોથી અરિહંતો પુરુષ છતાં સિંહ જેવા, માટે પુરુષોમાં સિંહસમાન છે, તેઓને નમસ્કાર થાઓ. જેમ સિંહશૌર્ય, ક્રૂરતા, વીર્ય, વૈર્ય, આદિ ગુણોવાળા હોય છે, તેમ અરિહંતો પણ કર્મરૂપ શત્રુઓ પ્રત્યે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શૌર્ય ગુણવાળા, તે કર્મોનો ઉચ્છેદ કરવામાં ક્રૂરતાવાળા, પરાભવ કરનારા ક્રોધાદિને સહન નહિ કરનારા, રાગાદિથી પરાજય નહિ પામનારા માટે પરાક્રમવાળા વીર્યવંત અને તપકર્મમાં વીરપણે ખ્યાતિ પામેલા છે, વળી તેઓને પરિષહોનો અભાવ હોય છે. ઉપસર્ગોનો ભય તેમને હોતો નથી. તેઓ ઈન્દ્રિય વર્ગની ચિંતા કરતા નથી. સંયમ માર્ગમાં થાકતા નથી. શુભ ધ્યાનમાં નિશ્ચલ હોય છે. તેઓ તે ગુણોથી સિંહ સમાન છે. આ પ્રમાણે કહેવાથી ઉપમા અસત્ય પણ નથી. કારણકે “સિંહ જેવા” ઈત્યાદિ ઉપમા દ્વારા તેઓના અસાધારણ-વિશિષ્ટ ગુણો જણાવવામાં આવ્યા છે. વળી આ ભગવંતો સજાતીય ઉપમાવાળા હોવા જોઈએ, ‘વિજાતીય ઉપમાથી તો ઉપમાનના સરખા ધર્મો ઉપમેયમાં આવી પડવાથી ભગવંતના પુરુષપણા આદિનો અભાવ થશે. એમ માનનારા સુચારુના શિષ્યોનું મંતવ્ય છે કે– ‘વિરુષ્કોપમાય તેમપી તવસ્તુત્વમ્' અર્થાત્ વિરૂદ્ધ ઉપમા-યોગે ઉપમેયમાં ઉપમાના અન્ય ધર્મો આવી પડવાથી ઉપમેયની વાસ્તવિકતા રહેતી નથી. તેમના આ મતનું ખંડન કરવા કહે છે- ‘પુરુષવરપુંડરીખ્ય: “અર્થાત્ “પુરુષ છતાં શ્રેષ્ઠ પુંડરીક જેવા અરિહંતોને નમસ્કાર થાઓ. સંસારરૂપ પાણીના સંગ વિનાના” ઇત્યાદિ ધર્મો દ્વારા તેઓ વરપુંડરિક–પ્રધાનકમળ જેવા છે. જેમ પુંડરીક કમળો કાદવમાં ઉત્પન્ન થાય છે. પાણીથી વૃદ્ધિ પામે છે. છતાં બંનેને છોડીને ઉપર આવી રહે છે. તે કમળો સ્વાભાવિક રીતે જ સુંદર હોય છે. ત્રિભુવનની લક્ષ્મીનું નિવાસસ્થાન છે, ચક્ષુ વિગેરેના આનંદનું ઘર છે, તેના ઉત્તમ ગુણોના યોગે વિશિષ્ટ તિર્યંચો, મનુષ્યો અને દેવો પણ તે કમળોને સેવે છે. જેમ કમળો સુખના હેતુભૂત છે, તેમ અરિહંત ભગવંતો પણ કર્મરૂપ કાદવમાં જન્મ્યા. અને દૈવીભોગો રૂપ જળથી વૃદ્ધિ પામ્યા, છતાં પણ કર્મ અને ભોગો બંનેને ત્યજીને અલગ રહેનારા છે. પોતાના અતિશયોથી સુંદર છે. ગુણોરૂપી સંપત્તિઓનું નિવાસસ્થાન છે. પરમાનંદના હેતુરૂપ છે. કેવલજ્ઞાનાદિ ગુણોને યોગે ત્રણે ગતિના ભવ્ય પ્રાણીઓ તેઓની સેવા કરે છે અને તેથી તેઓ મોક્ષસુખના કારણ બને છે. એ પ્રમાણે તેઓ પુંડરીક કમલ સરખા છે. એમ ભિજાતીય કમલની ઉપમા આપવા છતાં અર્થમાં કાંઈ વિરોધ નહિ હોવાથી સુચારુના શિષ્યો વિજાતીય ઉપમાથી જે દોષો બતાવે છે. તેનો સંભવ નથી. જો વિજાતીય ઉપમાથી ઉપમેયમાં તે ઉપમાના અન્ય ધર્મો પણ આવી જાય, તો સિંહ વગેરે સજાતીય ઉપમાથી પણ તે સિંહ વગેરેના પશુત્વ વગેરે ધર્મો આવી જાય, સજાતીય ઉપમાઓમાં જેમ તેવું કંઈ બનતુ નથી, તેમ વિજાતીય ઉપમાથી પણ તે દોષ આવતો નથી. એમાં પણ બૃહસ્પતિના શિષ્યો એમ માને છે કે– યથોત્તરક્રમે ગુણોનું વર્ણન કરવું જોઈએ. એટલે કે- પહેલા સામાન્ય ગુણ, પછી તેથી વિશિષ્ટ ગુણ, પછી તેનાથી કંઈક ચઢિયાતો વિશિષ્ટગુણ એમ યથાક્રમે આગળ આગળના ગુણોનું વર્ણન કરવું જોઈએ એટલે કે પહેલાં હીનગુણવાળાની ઉપમા આપીને પછી અધિક ગુણોની ઉપમા આપવી જોઈએ. જો વ્યાખ્યા કરવામાં આ ક્રમ રાખવામાં ન આવે, તો જે પદાર્થની વ્યાખ્યા કરવી હોય, તે પદાર્થ પણ ક્રમ વિનાનો બની જાય, અને ગુણો તો ક્રમસર વૃદ્ધિ પામે છે તેથી તે અસત્ ઠરે છે. તેઓનું કથન એવું છે કે – મવસતું' અર્થાત્ જેઓ ક્રમપૂર્વક વિકાસ પામતા નથી, તે વસ્તુ અસતું એટલે ખોટી છે.' આથી શ્રીઅરિહંત દેવોના ગુણોનો પણ ક્રમસર વિકાસ હોઈ, તે જણાવવા માટે, “પહેલાં સામાન્ય ઉપમા અને પછી વિશિષ્ટ ઉપમા આપવી જોઈએ, તેમના મતનું ખંડન કરવા માટે કહે છે કે – “પુરુષવરચિતમ્યઃ આ પદથી અરિહંતો દેવોને પુરુષ છતાં વરગન્ધહસ્તિના જેવા' એમ ઉપમા આપી છે, તેઓને મારા નમસ્કાર થાઓ. આ ઉપમામાં “શુદ્ર હાથીઓને નસાડવા' વગેરે ધર્મો દ્વારા ગંધહસ્તિની સાથે શ્રીઅરિહંત દેવોનું સમાનપણું જણાયું છે. જેમ ગન્ધહસ્તિની Page #336 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૮૫ ગંધ માત્રથી તે પ્રદેશમાં ફરતા-રહેતા બીજા શુદ્ધ સામાન્ય હાથીઓ ભાગી જાય છે, તેમ ધાન્યને નુકશાન કરનાર તીડ, પોપટ, મૂષક-ઉંદર વગેરે ઈતિઓ, કોલેરા, મરકી, પ્લેગ, આદિ જીવલેણ રોગો રૂપ મારીઓ, પરરાજ્યના આક્રમણ અથવા લોકોનો બળવો, દુષ્કાળ એ સર્વ ઉપદ્રવરૂપ તુચ્છ હાથીઓ ભગવંતના અચિજ્ય પુણ્યપ્રભાવથી અને તેમના વિહારના પવનની ગંધથી નાસી જાય છે. આ પ્રમાણે અરિહંત ભગવંત શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન છે. અહીં પ્રથમ સિંહ, પછી કમલ, પછી ગંધહસ્તિની ઉપમા આપી તેમાં ગંધહસ્તિથી પણ સિંહ બલવાન છે, જ્યારે કમલો તો સામાન્ય છે, એથી અહીં પ્રથમસિંહ છેલ્લે ગંધહસ્તિની ઉપમા આપી તે તેમના મતે અક્રમ છે, છતાં તે દોષરૂપ નથી, કારણકે તેઓ કહે છે તેમ ‘વ્યાખ્યામાં ક્રમ ન હોય તો, વ્યાખ્યય-પદાર્થ અસત્ કરે છે એ વાત ઘટતી નથી, વસ્તુતઃ સામાન્ય કે વિશિષ્ટ સમસ્ત ગુણો આત્મામાં પરસ્પર સાપેક્ષપણે સાથે જ રહેલા છે અને તેથી તે ગુણો કે તે ગુણવાળા ગુણી એવા ભગવંતની સ્તુતિ ક્રમથી કે ઉત્ક્રમથી ગમે તે રીતિએ કરવામાં કોઈ દોષ નથી. આ પ્રમાણે “પરિગુત્તમા '' વગેરે ચાર પદોથી શ્રીઅરિહંત ભગવંતોની સ્તુતિ કરવામાં કયા વિશેષ હેતુ છે તે જણાવ્યું. આથી આ ત્રીજી સંપદાનું નામ સ્તોતવિશેષહેતુ સંપદા” છે. હવે તે સ્તુતિ કરવા યોગ્ય શ્રીઅરિહંત દેવો સામાન્ય રીતિએ લોકમાં કેવા ઉપયોગી છે ? તે જણાવનારાં પાંચ પદોથી ‘સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ” નામની ચોથી સંપદાનું વર્ણન કરે છે – ‘નોપુત્તમvi, નાનીરાઈ, નોદિયા, નોકપિવાdi નો પનીર' એમાં ‘નોલોત્તમ્યઃ એટલે લોકોમાં જેઓ ઉત્તમ છે, તેઓને નમસ્કાર થાઓ. “જે શબ્દો સમૂહના વાચક હોય છે, તે શબ્દો તે સમૂહના અમુક અવયવો-અંશ વિભાગના પણ વાચક હોય છે.” એવો વ્યાકરણશાસ્ત્રનો ન્યાય હોવાથી જો કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોના સમૂહવાળા ક્ષેત્ર (ચૌદ રાજ) લોક કહેવાય છે. કહેલું છે કે, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો જે ક્ષેત્ર અર્થાત્ આકાશમાં હોય, તે આકાશાસ્તિકાય ક્ષેત્ર, તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સાથે ‘લોક' કહેવાય છે અને તેથી વિપરીત એટલે જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો ન વર્તતા હોય, તે ક્ષેત્રને એકલાં આકાશને “અલોક' કહેવાય છે.” તો પણ અહિ લોક શબ્દથી “સર્વ ભવ્ય પ્રાણીઓ રૂપ લોક સમજવો. એમ કહેવામાં એ કારણ છે કે ભગવંતને અહિ ઉત્તમ કહ્યા, તે સમાન જાતિવાળાઓમાં ઉત્તમતા હોય તે વાસ્તવિક છે, હલ્કી જાતિથી ઉચ્ચ જાતિમાં ઉત્તમતા હોવી-એમાં ખાસ વિશેષ નથી, એમ તો અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ છે જ, તે અપેક્ષાએ ભગવંતની ઉત્તમતા જણાવવામાં કશો જ અતિશય નથી. એટલા માટે તેઓ સજાતીય એવા ભવ્ય જીવોમાં ઉત્તમ છે–એમ કહ્યું, કારણકે, સર્વ ભવ્ય પ્રાણીઓમાં સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વ નામનો ભાવ તો માત્ર ભગવંતમાં જ રહેલો છે, એવા લોકોત્તમ ભગવંતોને નમસ્કાર થાઓ. નોનાથેભ્યઃ' એટલે લોકના નાથોને અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવવી, તે યોગ અને પ્રાપ્ત થયેલી વસ્તુનું રક્ષણ કરવું, તે ક્ષેમ કહેવાય. એ યોગ અને ક્ષેમને કરનારા તેઓ નાથ કહેવાય. અહીં ભગવંતોને લોકના નાથ કહ્યા છે, તે સર્વ ભવ્ય પ્રાણી રૂપ લોકની અપેક્ષાએ નહિ, કારણકે ભવ્યોમાં પણ જે જાતિભવ્ય વગેરે હોય છે, તેઓને ભગવંતથી યોગ-ક્ષેમ થઈ શકે નહિ, જો તેમ થાય તો સમગ્ર જીવોનો મોક્ષ થઈ જાય, માટે અહીં ભગવાન તે ભવ્ય પ્રાણીઓના યોગ-ક્ષેમરૂપે નાથ ઘટી શકે છે, કે જેઓમાં ધર્મબીજની સ્થાપના વગેરે ગુણો પ્રગટ થઈ શકે તેવી વિશિષ્ટતા હોય, તેથી અહીં તેવા વિશિષ્ટ ભવ્ય પ્રાણીઓ રૂપ “લોક' સમજવો. તેવા ભવ્ય જીવોમાં ભગવંતો ધર્મબીજનું આધાન-સ્થાપન, ધર્મ-અંકુરનો પ્રાદુર્ભાવ અને તેનું પોષણ વગેરે કરાવનાર હોવાથી યોગને કરનારા છે, તથા તેનું રાગ-દ્વેષાદિ આન્તરિક Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શત્રુઓના ઉપદ્રવથી રક્ષણ કરનારા હોવાથી ક્ષેમ કરનાર છે, એટલે તેવા વિશિષ્ટ ભવ્ય પ્રાણી રૂપ લોકના તેઓ નાથ છે, “તે લોકનાથોને નમસ્કાર થાઓ.” નોદિગિઃ “એટલે કે “લોકના હિતકારકોને અહીં લોકશબ્દથી “ચોદરાજ લોકવાર્તા' એકેન્દ્રિય માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ વ્યવહારરાશિના જીવો એમ અર્થ કરવો. કારણ કે, ભગવંત સમ્યગ્દર્શન વગેરે મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને તે સર્વ જીવોનું સ્વ કે પરથી થતા દુઃખોથી રક્ષણ કરવા રૂપ હિત કરનારા છે. માટે તેઓ “સર્વ વ્યવહાર રાશિના જીવો રૂપ લોકના હિતકારક છે, તેઓને મારા નમસ્કાર થાઓ.' ‘નોપ્રવીગ” એટલે “લોકને દીપકની માફક પ્રકાશ આપનારા ભગવંતોને નમસ્કાર થાઓ' અહીં લોક શબ્દથી “વિશિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિયજીવો રૂપ લોક' અર્થ કરવો, કારણકે, ભગવંતો તેવા વિશિષ્ટ સંજ્ઞીજીવોને તે તે પ્રકારની દેશનારૂપી જ્ઞાનના કિરણો વડે મિથ્યાત્વઅજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને યથાયોગ્ય શેયભાવનો પ્રકાશ કરે છે. તેથી વિશિષ્ટ સંજ્ઞી લોકને અંગે ભગવંતોનું પ્રકાશ કરવા રૂપ પ્રદીપપણું ઘટે છે. જેમ દીપક પણ અંધને પ્રકાશ કરી શકતો નથી, તેમાં તેનું અંધત્વ કારણ છે, તેમ અહીં ભગવંતો પણ તેવા ઘનમિથ્યાત્વાદિ-રૂપ અંધત્વવાળા જીવોને પ્રતિબોધ કરી શકે નહિ. તેમાં તેના મિથ્યાત્વાદિરૂપ અંધત્વ કારણ સમજવું. માટે વિશિષ્ટ સંજ્ઞી પ્રાણીઓ રૂપ લોકમાં પ્રદીપ સમાન હોવાથી ભગવંતો ‘લોકપ્રદીપ છે. તેમને નમસ્કાર હો તથા– નોક્સપ્રદોતઋગ્ય: “લોકને સૂર્ય માફક પ્રદ્યોત કરનારા ભગવંતોને નમસ્કાર થાઓ' અહીં લોક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વના જ્ઞાનવાળા (ગણધર) ભગવંત લેવા. કારણકે તેઓમાં વાસ્તવિક પ્રદ્યોત કરવાપણું ઘટે છે. અહીં પ્રકાશ કરવા યોગ્ય સાત કે નવ તત્ત્વો સમજવો. તે તત્ત્વોને યથાર્થપણે તેઓ જ જાણી શકે છે કે, જેઓમાં વિશિષ્ટ યોગ્યતા હોય. આ તત્ત્વોનો પ્રકાશ દરેક પૂર્વધરોમાં પણ સરખો હોતો નથી. કારણકે પૂર્વધરો પણ માંહોમાંહે છે સ્થાન વૃદ્ધિ-હાનિ-તારતમ્યવાળા હોય છે. તેમાં પણ નવપૂર્વથી અધિકજ્ઞાનવાળા સર્વે નક્કી સમ્યગુદૃષ્ટિ હોય જ. અહીં ‘પ્રદ્યોત” એટલે “વિશિષ્ટ પ્રકારના નયનિપાદિકથી સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના અનુભવની યોગ્યતા વિશિષ્ટ ચૌદપૂર્વધરોને જ હોય. માટે અહીં વિશિષ્ટ ચૌદપૂર્વધરો રૂપી લોક “સૂર્યથી જેમ સૂર્યવિકાસી કમળ ખીલે, તેમ ગણધર સરખા વિશિષ્ટ ચૌદપૂર્વોને જીવાદિ તત્ત્વોનો પ્રઘાત કરનાર ભગવંતોને “લોકપ્રદ્યોતકર' જાણવા. સામાન્ય કમળો કે બીજા પુષ્પો માટે જેમ સૂર્ય પ્રદ્યોત કરનાર બનતો નથી, જેટલો સૂર્યવિકાસી કમલ માટે પ્રદ્યોતકર બને છે, તેમ ગણધર ભગવંતોના અંગે તીર્થકર ભગવંતો જેટલા પ્રમાણમાં જીવાદિક તત્ત્વોને પ્રઘાત કરનાર થાય છે, તેટલા સામાન્ય ચૌદપૂર્વીઓ માટે પ્રદ્યોતકર બનતા નથી. એમ લોકોત્તમ વગેરે પાંચ પ્રકારોથી પરોપકાર કરનાર હોવાથી સ્તોતવ્ય-સંપદાની સામાન્ય ઉપયોગ' નામની પાંચ પદવાળી આ ચોથી સંપદા કહી. હવે આ પાંચ પદવાળી ઉપયોગ-સંપદાના જે હેતુઓ જણાવનારી “ઉપયોગ-હેતુ-સંપદા' નામની પાંચમી સંપદા કહે છે– અમાપ, gયા" માયા, સUTU, વોદિયા' તેમાં ‘અમય એટલે અભય દેનાર ભગવંતોને નમસ્કાર થાઓ. અહીં આલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય, અને અપયશભય-એમ સાત પ્રકારના ભય કહ્યા છે, તેનાથી પ્રતિપક્ષમાં ભયના અભાવને અભય કહે છે. એટલે કે સંપૂર્ણ કલ્યાણકારી એવા ધર્મની ભૂમિકામાં કારણભૂત જે વિશિષ્ટ આત્મસ્વાથ્ય તે અભય કહેવાય. કેટલાંક તેને વૈર્ય પણ કહે છે. આવા પ્રકારનું અભય દેનારા તીર્થકર ભગવંતો જ છે. કારણકે તેઓ પોતાના ગુણોના પ્રકર્મયોગે અચિન્ય શક્તિવાળા હોય છે. તથા Page #338 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૮૭ પરોપકાર કરવાના સ્વભાવવાળા છે. (પરોપકાર કરવાની ભાવના છતાં શક્તિ ન હોય અને શક્તિ છતાં ગુણો ન હોય તો પરોપકાર થઈ શકતો નથી. ભગવંતો એ સર્વ અતિશયવાળા હોવાથી તેઓ સાચા પરોપકાર દ્વારા અભયને-આત્મ-સ્વાથ્યને દેનાર છે.) માટે તેઓ અભય આપનારા છે. તેવા અભય દેનારને નમસ્કાર થાઓ. ચક્ષમ્ય એટલે ‘ચક્ષુને આપનાર એવા ભગવંતોને નમસ્કાર થાઓ.” અહીં તત્ત્વજ્ઞાનમાં કારણભૂત વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ સમજવા, બીજાઓ તેને શ્રદ્ધા કહે છે, જેમ ચક્ષુ વિનાનો બીજાને દેખવા માટે અયોગ્ય છે, તેમ શ્રદ્ધા-રહિત આત્મા પણ વસ્તુ તત્ત્વનાં દર્શન માટે અયોગ્ય છે– અર્થાત તત્ત્વદર્શન પામી શકતો નથી અને તેથી કલ્યાણ-ચક્ષુ સરખી એ શ્રદ્ધા પ્રગટ થતાં જીવને વાસ્તવિક વસ્તુતત્વનું જ્ઞાન-દર્શન થાય છે. ધર્મરૂપ કલ્પવૃક્ષના અવષ્ય બીજસ્વરૂપ આવી શ્રદ્ધા ભગવંતોથી જ થાય છે. આવા ચક્ષુ આપનારા હોવાથી ચહ્યું આપનાર એવા ભગવંતોને નમસ્કાર થાઓ. માષ્યિ : એટલે “મોક્ષમાર્ગ દેનારને નમસ્કાર થાઓ અહીં માર્ગ એટલે સર્પના દરની જેમ સીધો, વિશિષ્ટ, ગુણસ્થાનકોને પ્રાપ્ત કરાવનાર સ્વરસવાહી અર્થાત્ આત્મસ્વરૂપનો અનુભવ કરાવનાર કર્મક્ષયોપશમ સ્વરૂપ સમજવો- એટલે ચિત્તનું અવક્રગમન-મોક્ષ-સાધનાને અનુકુળ ચિત્તની પ્રવૃત્તિ તેને માર્ગ કહ્યો છે' બીજાઓના મતે જે ચિત્ત-પ્રવૃત્તિની પાછળ મોક્ષ હેતુ હોય, જે ચિત્ત-પ્રવૃત્તિ સ્વરૂપે મોક્ષસાધક હોય અને જેનું પરિણામ-ફલ પણ મોક્ષ હોય-એમ હેતુ સ્વરૂપ અને ફળથી જે શુદ્ધ છે, એટલે કે હેતુ, સ્વરૂપ અને ફળ ત્રણેમાં જ્યાં મોક્ષ સિવાય ચિત્ત-પ્રવૃત્તિ ન હોય, તેને સુખ કહેવામાં આવે છે અને તે મોક્ષનો માર્ગ છે. આ માર્ગના અભાવમાં યથાયોગ્ય ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ શકે નહિ. કારણકે માર્ગની વિષમતાથી ચિત્તની સ્કૂલના થાય છે અને તેનાથી ગુણોની પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે. આવો સરલ-સત્ય માર્ગ ભગવંતોથી જ પ્રાપ્ત થાય છે. તેથી તેઓ માર્ગદાતા છે. તેઓને મારો નમસ્કાર થાઓ. શરણ્યા એટલે શરણ આપનારને નમસ્કાર થાઓ અહીં ‘ભયથી પીડિતની રક્ષા કરવી તે શરણ કહેવાય. આ સંસારરૂપ ભયંકર અટવીમાં અતિક્લિષ્ટ-રાગદ્વેષાદિથી પીડાતા જીવોને દુઃખોની પરંપરાથી થતા ચિત્તના સંકલેશરૂપ મુંઝવણમાં આત્માને તત્ત્વચિંતનના અધ્યવસાયો જે સુંદર આશ્વાસન આપનાર હોવાથી તે શરણ-આશરારૂપ છે.' બીજાઓ “શરણ એટલે વિશેષ પ્રકારે તત્ત્વ જાણવા ઈચ્છા' એમ કહે છે. એ તત્ત્વચિંતનના અધ્યવસાયોથી જ જીવને. તત્ત્વપ્રાપ્તિમાં કારણરૂપ ૧. તત્ત્વશ્રવણની ઈચ્છા, ર તત્ત્વનું શ્રવણ, ૩. તત્ત્વનું ગ્રહણ, ૪. તત્ત્વની હૃદયમાં ધારણા, ૫. તેથી વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન, ૬. વિજ્ઞાનથી વિચારણા-તર્ક ૭. અપોહ-તત્ત્વનો નિર્ણય ૮. તત્ત્વનો દઢ રાગ-એ આઠ બુદ્ધિના ગુણો પ્રગટ થાય છે. જો તત્ત્વચિંતનના અધ્યવસાયો જ ન હોય તો એ ગુણો પ્રગટે નહિ-તેવા અધ્યવસાયો સિવાય તે બુદ્ધિના ગુણો પ્રગટે નહિ. પણ ગુણોનો આભાસ સંભવે છે અને તેથી આત્માનો કોઈ સ્વાર્થ સધાતો નથી, વસ્તુતઃ અનેક દુઃખોમાં મુંઝાએલા જીવને આશ્વાસન આપનાર અને બુદ્ધિના ગુણો પ્રગટાવનાર એ તત્ત્વની ચિંતા જ છે, માટે તે સાચું શરણ છે. એ તત્ત્વ ચિતારૂપ શરણ ભગવંતોથી પ્રાપ્ત થાય છે, માટે તેઓ શરણદાતા છે, તેઓને મારા નમસ્કાર હો. તથા– વોfધગ: એટલે બોધિ-જિનેશ્વર-કથિત ધર્મની પ્રાપ્તિ. આ બોધિ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ અધ્યવસાયજન્ય સામર્થ્યને ફોરવવાના યોગે પૂર્વ નહિ ભેદાએલી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થવાથી પ્રગટ થનારું અને પશ્ચાનુપૂર્વિના ક્રમે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણો Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ જેમાં પ્રગટેલાં છે તે તત્વાર્થની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન સમજવું. બીજાઓ આ બોધિને “વિજ્ઞપ્તિ' કહે છે. ઉપર જણાવ્યા તે અભય. ચક્ષુ માર્ગ, શરણ અને બોધિ અને પાંચેય અપુનબંધકને પ્રાપ્ત થાય છે. જ્યારે પુનબંધકને આ પાંચ યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થતા નથી. માટે ભગવંતો આ પાંચ ભાવોનું અપુનબંધકને દાન, કરનારા છે– એમ સમજવું. આ પાંચે ભાવો ઉત્તરોત્તર પૂર્વ-પૂર્વના ફળરૂપ છે. તે આ પ્રમાણે – અભયનું ફળ ચક્ષુ, ચક્ષુનું ફળ માર્ગ, માર્ગનું ફળ શરણ, અને શરણનું ફલ બોધિ છે. તે બોધિ ભગવંતોથી થાય છે. માટે તેઓ બોધિદાતા છે. તેઓને નમસ્કાર હો. આ અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન અને બોધિદાનથી પૂર્વ જણાવી તે ઉપયોગ સંપદાની સિદ્ધિ છે, તેથી ઉપયોગ-સંપદામાં હેતુરૂપ પાંચપદવાળી આ પાંચમી ઉપયોગ-હેતુસંપદા' કહી. હવે ‘સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગરૂપ સંપદા કહે છે– __'धम्मदयाणं, धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं, धम्मवरचाऊरंतचक्कवट्टीणं तेमा થ ગ્ય એટલે “ધર્મદાતાને નમસ્કાર થાઓ. અહીં ધર્મ-ચારિત્ર વિરતિરૂપ જાણવો. તે ધર્મ, સાધુ અને શ્રાવક સંબંધી એમ બે પ્રકારનો જાણવો. સર્વસાવઘના ત્યાગરૂપ યતિધર્મ, થોડા પાપના ત્યાગરૂપ દેશવિરતિ અર્થાત્ શ્રાવક-ધર્મ આ બંને વિરતિ-ધર્મ ભગવંતોએ બતાવેલ હોવાથી તેમનાથી જ પ્રાપ્ત થાય છે. બીજા હેતુઓ હોવા છતાં પણ વિરતિધર્મની પ્રાપ્તિમાં પ્રધાન-હેતુ ભગવંતો જ છે, તેઓ ધર્મદાતા છે, તેથી તેમને નમસ્કાર હો. ધર્મદાયકપણું ધર્મદેશના કરવા દ્વારા થાય છે, બીજા પ્રકારે નહિ; ૧ ‘ઘશિષ્ય: એટલે “ધર્મની દેશના દેનારને નમસ્કાર થાઓ' આગળ જણાવ્યા તે બે પ્રકારવાળા વિરતિધર્મની દેશના જીવોને નિષ્ફળ નહિ. પરંતુ સુંદર સફળ થાય તેવી રીતે તેઓની યોગ્યતા પ્રમાણે દેનારા હોવાથી ભગવંતો ધર્મદેશક છે, માટે તેમને નમસ્કાર થાઓ. ઘર્ષનાંખ્ય અર્થાતુ ધર્મના નાયકોને નમસ્કાર થાઓ. ઉપર કહ્યા તે ચારિત્ર ધર્મના નાયક ભગવંતો છે, કારણકે તેઓએ ધર્મને આત્મસાત્ કર્યા છે, તેઓ તે ધર્મના પૂર્ણ ઉત્કર્ષને પામ્યા છે, તથા ઉત્તમ ફળને ભોગવે છે, તેમને તે ધર્મનો વિઘાત કે વિરહ થતો નથી, તે કારણે તેઓ જ ધર્મના નાયક છે, તેઓને અમારા નમસ્કાર થાઓ. “થસારષ્યિઃ એટલે “ધર્મના સારિથને નમસ્કાર થાઓ. ભગવંતો ચારિત્રધર્મની સ્વ-પરમાં સમ્યફ પ્રવૃત્તિ-કરાવવાથી તેનું પાલન કરવા-કરાવવાથી અને ઈન્દ્રિયોરૂપ ઘોડાઓનું દમન કરનાર-કરાવનાર હોવાથી ધર્મ-રથના સાચા સારથિ છે, તેઓને અમારા નમસ્કાર થાઓ. ધર્મવરવતુરન્તવર્તિમ્યઃ એટલે “શ્રેષ્ઠ ચતુરંત ધર્મચક્રવર્તીઓને નમસ્કાર થાઓ. અહી ધર્મ એટલે ચારિત્રધર્મ. તે ધર્મ કષ, છેદ અને તાપ એ ત્રણ કસોટીથી અત્યંત શુદ્ધ હોવાથી બૌદ્ધ વગેરેએ બતાવેલા ધર્મચક્રની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. વળી ચક્રવર્તીનું ચક્ર માત્ર આ લોકનું જ હિત કરે છે, જ્યારે આ વિરતિરૂપ ધર્મચક્ર તો ઉભય લોકનું હિત કરે છે, તે કારણે તેનાથી શ્રેષ્ઠ છે. વળી નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ ચાર ગતિરૂપ સંસારનો અંત કરનાર હોવાથી તે “ચતુરંત છે. વળી આ વિરતિધર્મ રૌદ્રધ્યાન, મિથ્યાત્ત્વ આદિ ભાવ શત્રુઓનો નાશ કરનાર છે, માટે ચક્રસમાન છે. એ પ્રમાણે શ્રેષ્ઠ ચાતુરંત ધર્મચકવાળા ધર્મચક્રવર્તી ભગવંતોને નમસ્કાર થાઓ. અહીં ચતુરંતને બદલે ચાતુરંત શબ્દ છે. તેમાં ચા ને બદલે ચા છે, તે “સમૃદ્ધવિત્વીદ્દામ્' સિ.હે. ૮-૧-૪૮ સૂત્રથી થાય છે. એ મુજબ “ધર્મદાતા' વગેરે પાંચ પ્રકારે ભગવંત વિશેષ ઉપયોગી છે, માટે તેઓ સ્તુતિ કરવા લાયક છે -એમ કહી. સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગ’ નામની આ પાંચ પદવાળી છઠ્ઠી સંપદા કહી, હવે જેઓ એમ માને છે કે Page #340 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૮૯ વસ્તુઓને કે તેના ભાવો-પર્યાયોને જાણો કે ન જાણો, ઈષ્ટ તત્ત્વને તો જાણો. કીડીઓ આટલી સંખ્યામાં છે એ પ્રકારના ઈશ્વરના કીડીની સંખ્યાના જ્ઞાનનું અમારે શું પ્રયોજન છે?” (પ્રમાણવાર્તિક ૧/૩૩) એમ માનનારા બૌદ્ધો સર્વજ્ઞને “સર્વ પદાર્થોનું જ્ઞાન નહિ માનતા માત્ર ઈષ્ટતત્ત્વનું જ જ્ઞાન માને છે. તેઓનું ખંડન કરતા કહે છે કેઃ Mહિયવરના-હંસા થરા વિદ્ગ-૩મri, Aતિહતવજ્ઞાન-વર્શન રેગ્યઃ એટલે અપ્રતિકત-મ્બલના નહિ પામનારા જ્ઞાન-દર્શનને ધારણ કરનારાને નમસ્કાર થાઓ. અહીં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ, અને ભાવમાં સ્કૂલના નહિ પામનારા માટે “અપ્રતિહત' તથા સર્વ આવરણ-કર્મોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે પ્રગટેલાં માટે શ્રેષ્ઠ-એવાં વિશેષબોધરૂપ કેવલજ્ઞાનને અને સામાન્ય બોધરૂપ કેવલદર્શનને જેઓ ધારણ કરે છે, તેઓ અપ્રતિહત-જ્ઞાન-દર્શનવાળા કહેવાય. ભગવંતો તેવા એટલા માટે કહેવાય છે. કે, તેઓના જ્ઞાન-દર્શન-સર્વથા આવરણોથી મુક્ત છે, અને તેથી તે સર્વ વિષયોનું જ્ઞાન અને દર્શન પામેલા છે. તેમાં પણ પહેલાં જ્ઞાન અને પછી દર્શન કહેવાનું કારણ એ છે કે – સર્વ લબ્ધિઓ જીવને જ્યારે તે સાકાર અર્થાત્ જ્ઞાનના ઉપયોગમાં હોય છે, ત્યારે પ્રગટે છે. માટે જ્ઞાનની વિશિષ્ટતા છે–એમ જણાવવા માટે પ્રથમ જ્ઞાન કહેલું છે. આવા જ્ઞાન-દર્શનવાળાને પણ કેટલાકો' જે ઈશ્વરને છદ્મસ્થ (સંસારી) માનવાવાળા છે. તેઓ કહે છે– “જ્ઞાની ધર્મતીર્થને કરનારા અને પરમપદ એટલે મોક્ષને પામેલા પણ ફરી પાછા તીર્થની રક્ષા કરવા માટે સંસારમાં આવે છે. વળી– જેઓના કર્મરૂપ ઈંધણી બળી જવા છતાં સંસારનો નાશ કરીને પુનઃ સંસારમાં જન્મે છે; વળી પોતે સ્થાપેલા ધર્મ-તીર્થને કોઈ નાશ કરશે' એવો ભય મોક્ષમાં પણ રહેવાથી બીકણ એવા તેમનો મોક્ષ પણ અસ્થિર છે, વળી પોતે મુક્ત અને સંસારી પણ છે-છતાં બીજાઓનો મોક્ષ કરવામાં જેઓ શૂરવીર છે. ભગવન્! તમારા શાસનથી ભ્રષ્ટ થએલાઓની ઉપર આવા વિસંવાદો રૂપ મોહનું રાજ્ય અથવા તો મૂઢતા વર્તે છે !” આ માન્યાતાના ખંડન માટે જણાવે છે – “વ્યવૃતિષ્ઠામ્યઃ છદ્મ એટલે આત્માના જ્ઞાનાદિગુણોને છાદન કરનારા-ઢાંકનારા જ્ઞાનવરણીય વગેરે કર્મો તથા તે કર્મબંધને યોગ્ય જીવની સંસારી અશુદ્ધ અવસ્થા, અથવા “કર્મ અને સંસાર. તે છદમ' આ છદમ જેઓને ટળી ગયા છે. તેઓ “વ્યાવત્તછા' કહેવાય તેઓને અમારા નમસ્કાર હો, અહીં એમ સમજવું કે, જ્યાં સુધી સંસાર-છાનો ક્ષય ન થાય, ત્યાં સુધી મોક્ષ થતો નથી અને મોક્ષ થયા પછી જન્મ ધારણ કરવો તે બનતું નથી. કારણકે ફરી જન્મ લેવાનું કારણ તેઓનું રહેતું નથી. કોઈ એમ કહે કે, “પોતે સ્થાપન કરેલા ધર્મતીર્થનો નાશ, ઉપદ્રવ કરનારા જ્યારે જ્યારે પાકે, ત્યારે ત્યારે તેઓનો પરાભવ કરવો તે યુક્ત છે અને તે કારણથી તેઓ પોતે ફરી જન્મ લે છે.” એ બચાવ પણ અજ્ઞાનરૂપ છે, કારણ કે, મોહ, મમત્વ વગર તીર્થનો રાગ, તેનો પરાભવ નહિ સહેવો કે તેની રક્ષા કરવી, વગેરે વિકલ્પો આત્માને થતા નથી. તે વિકલ્પો મોહજન્ય છે અને આવો મોહ હોવા છતાં તેઓનો મોક્ષ છે, અથવા મોક્ષ થવા છતાં પણ આવો મોહ છે–એમ કહેવું તે પણ એક અજ્ઞાનજન્ય પ્રલાપ માત્ર છે અને અસત્ય છે. એ પ્રમાણે અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારક અને કર્મ તથા સંસાર જેમના નષ્ટ થઈ ગયા છે, માટે તે સ્વરૂપથી તેઓ સ્તુતિ કરવા લાયક છે, એમ કહીને સ્તોતવ્ય-સંપદાનું જ કારણ સ્વરૂપ બતાવનારી આ “સકારણ સ્વરૂપ સંપદા' નામની બે પદોની સાતમી સંપદા કહી હવે ‘પ્રતિમાત્રમસવિદા' અર્થાત્ જગત માત્ર બ્રાન્તિરૂપ છે, તેથી અસત્ છે, અવિઘારૂપ છે એમ સમજી સર્વ ભાવોને માત્ર જીવની ભ્રમણારૂપ માનનારા “અવિદ્યાવાદીઓ' શ્રી અરિહંત દેવાદિને પણ પરમાર્થથી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કાલ્પનિક અસત્ સ્વરૂપ માને છે, તેઓનું ખંડન કરતા કહે છે નિui નાવયા, વિના, તારયાઈ વૃદ્ધા, વોદયા, મુત્તાઈi TUT તેમાં ‘વિનેગ્યા' એટલે રાગાદિ શત્રુઓને જિતેલા હોવાથી જિન, તેઓને નમસ્કાર થાઓ, પ્રાણીમાત્રને વિષે રાગ-દ્વેષ વિગેરે અનુભવસિદ્ધ હોવાથી એ કાંઈ ભ્રમ-સ્વરૂપ કે કાલ્પનિક નથી. અહીં કોઈ કહે છે કે-રાગાદિનો અનુભવ થાય છે, તે પણ ભ્રમણા છે, તો તે તદન ખોટું છે. કારણકે સ્વ અનુભવો પણ એમ કલ્પના માનવામાં આવે તો જીવને સુખ-દુઃખ વગેરે અનુભવો થાય છે, તો તે ભ્રમપાત્ર બની જશે અને તેથી તો મૂળ સિદ્ધાંત જ ઉડી જશે માટે રાગ-દ્વેષ વગેરે સત્ છે અને તેથી તેનો વિજય કરનારા “જિન” પણ સત્ છે. – કલ્પના-સ્વરૂપ નથી, વળી કાપબ્રેગ્ય: એટલે એ જિન-ભગવંતો સદુપદેશ વિગેરે દ્વારા બીજા આત્માઓને એ જ રાગાદિ શત્રુઓનો વિજય કરાવનાર પણ છે જેથી તેઓ નાપ' એટલે રાગાદિને જિતાડનારા પણ છે, તેઓને નમસ્કાર થાઓ. વળી માત્ર કાળને જે દરેક કાર્યોમાં કારણ માનનારા અનંતના શિષ્યો, ભગવંતોને પણ વસ્તુતઃ સંસાર-સમુદ્રથી તરેલા માનતા નથી. કારણકે તેઓ એમ માને છે કે- ‘વનિ વુિં નં વર્તન' અર્થાત કાળથી જ આખા જગતના સર્વ ભાવોનું પરાવર્તન ફેરફાર થયા કરે છે તેનું ખંડન કરતા કહે છે– ‘ ત મ્યઃ તારગઃ ' એટલે સ્વયં સંસાર સમુદ્રથી તરેલા અને બીજાઓને તારનારા' એવા તમોને અમારા નમસ્કાર થાઓ. ભગવંતો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વહાણ દ્વારા સંસાર-સમુદ્રનો પાર પામેલા હોવાથી ‘તીર્ણ' છે. સંસારથી પાર પામેલા તેઓને ફરી સંસારમાં અવતરવાનું સંભવિત નથી. તેઓ જો ફરી પણ સંસારમાં અવતરે તો મુક્તિ જ અસત્ય ઠરે, માટે મુક્ત આત્મા ફરી કદી સંસારી બનતા નથી. એથી જ તેઓ સ્વરૂપે તરેલા છે. જે પ્રમાણે પોતે તર્યા, તેમ બીજાને પણ તારે છે, માટે તારનારા પણ છે. તેઓને નમસ્કાર થાઓ. આ તરેલા અને તારનારા ભગવંતોને પણ જે અમુક મીમાંસકો જ્ઞાનને પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ માને છે, તેઓ બોધવાળા કે બોધ કરાવનારા માનતા નથી. તેઓ એમ કહે છે કે, પ્રત્યક્ષ દિ નો વૃદ્ધિ પ્રત્યક્ષોર્થ એટલે “આપણને વસ્તુ તો પ્રત્યક્ષ દેખાય છે, પણ બુદ્ધિ પ્રત્યક્ષ દેખાતી નથી. માટે બુદ્ધિ આત્માથી પરોક્ષ છે, “જો તે પ્રત્યક્ષ હોય તો પદાર્થોની જેમ તે પણ દેખાવી જોઈએ. આ તેઓની માન્યતાને અસત્ જણાવતા કહે છે કે વૃષ્ય, વોથમ્યઃ અર્થાત “સ્વયં બોધવાળા અને બીજાને બોધ કરાવનારને નમસ્કાર થાઓ. અજ્ઞાનતારૂપી નિંદ્રામાં ઊંધેલા આ જગતમાં ભગવંતોએ જે જ્ઞાન પોતાને જણાવે છે. તથા પદાર્થને પણ જણાવે છે. તેવા પોતાના જ સ્વસંવિદિત જ્ઞાન દ્વારા કોઈ બીજાના ઉપદેશ વિના જ જીવ, અજીવ વગેરે તત્વોને જાણ્યા છે. તેથી તેઓ બુદ્ધ છે. અહીં એમ સમજવું કે જે જ્ઞાનનું (સ્વનું) જ્ઞાન ન થાય, તે જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન પણ થઈ શકતું નથી. જેમકે દીવો અદષ્ટ રહે અને પદાર્થોને બતાવે તેમ બનતું નથી, વસ્તુતઃ દીપક જેમ પોતે પોતાનું અને અન્ય પદાર્થોનું એમ બંનેનું જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પોતાનો અને અન્ય પદાર્થોનો એમ સ્વ - પર પ્રકાશ કરે છે, એમ પણ નહીં કહી શકાય કે – જેમ ઇન્દ્રિયો દેખાતી નથી, છતાં પદાર્થોનું જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પરોક્ષ છતાં પદાર્થનું જ્ઞાન કરાવી શકે છે. કારણ કે પદાર્થ જ્ઞાન કરાવનાર જે ઇન્દ્રિયો છે, તે તો ભાવરૂપ છે અને તે ભાવ ઇન્દ્રિયો જ્ઞાનરૂપ હોવાથી આત્માને પ્રત્યક્ષ છે જ. કહ્યું પણ છે કે પ્રત્યક્ષોપનામસ્થ નાર્થષ્ટિ પ્રસિદ્ધતિ' અર્થાત્ “જે જ્ઞાનનો પ્રત્યક્ષ ઉપલંભ-પ્રાપ્તિ નથી, તેનાથી પદાર્થનું જ્ઞાન પણ થતું નથી. માટે એ પ્રમાણે ભગવંતમાં બુદ્ધપણું સિદ્ધ થાય છે, વળી એ રીતિએ બીજાઓને પણ તેઓ બોધ કરે છે માટે બોધ કરાવનાર બોધક પણ છે, Page #342 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૯૧ તેઓને નમસ્કાર થાઓ. હવે જેઓ એમ માને છે કે, “જગત કર્તા-બ્રહ્મામાં મળી જવું-એ જ મુક્તિ છે.” તે સંતપનના શિષ્યો ભગવંતને પણ વાસ્તવિક “મુક્ત” માનતા નથી તેઓ કહે છે કે– “વ્રદાવત્ દ્રહાસક્તાનાં સ્થિતિઃ અર્થાત્ “જેવી બ્રહ્મની સ્થિતિ છે, તેવી બ્રહ્મમાં મળી ગએલાની પણ સ્થિતિ થાય છે.' તેઓના એ મતનું ખંડન કરતા કહે છે- “મુવોચ્ચ: વચ્ચ: અર્થાત્ કર્મ-બંધનથી પોતે મુક્ત થયેલા અને બીજાઓને મુક્ત કરાવનારાઓને નમસ્કાર થાઓ. જે કર્મોનું ફળ ચારગતિ સ્વરૂપ સંસાર છે, તે વિચિત્ર કર્મોના બંધનથી છુટેલા હોવાથી ભગવંતો મુક્ત છે. કૃતકૃત્ય અને તેઓનું કાર્ય પૂર્ણ સિદ્ધ થએલું છે. તેઓ માને છે તેમ જગતકર્તા-બ્રહ્મમાં મળી જવાથી આત્માની કાર્ય-પૂર્ણતા થતી નથી. કારણકે-બ્રહ્માને તો પુનઃ જગત રચવાનું હોવાથી તેઓના મતે તેનું કાર્ય અધુરૂં જ હોય છે. એટલું જ નહિ પણ જગત રચવામાં એકની હીન, એકની ઉત્તમ વગેરે અવસ્થાઓ બનાવવાથી રાગ-દ્વેષની પણ સિદ્ધિ થાય છે. કારણકે રાગદ્વેષ વિના જીવોની એવી સુખી, દુઃખી વગેરે અવસ્થાઓ કેમ કરી શકાય ? વળી કોઈ કોઈનામાં ભળી જાય તે પણ અસત્ય છે, કારણકે તેમ થવામાં કાં તો બ્રહ્મામાં ભળનાર આત્માનો અભાવ થાય છે, માટે જગતકર્તાઓમાં ભળવાનું માનવું તે અજ્ઞાન-મૂલક છે-અસત્ય છે, તેથી આત્મા સ્વયં કર્મથી મુક્ત થાય છે. એવી જ રીતે ભગવંતો બીજાઓને પણ કર્મબંધનોથી મુક્ત કરાવે છે એ સિદ્ધ છે– માટે જ ભગવંતો પોતે મુક્ત છે અને મૂકાવનારા છે. તેમને નમસ્કાર થાઓ. એમ જિતેલા જીતાડનારા, તરેલા-તારનારા બોધ પામેલા બોધ પમાડનારા. મુક્ત અને મુકાવનારા હોઈ પોતાની જેમ બીજાને પણ સમાન સુખ-ફળ આપનારા છે, એમ જણાવતી આ ચાર પદની ‘પોતાના સરખા બીજાને ફળ કરનારા' નામની આઠમી સંપદા કહી. હવે બુદ્ધિને યોગે જ્ઞાન થાય છે.” એમ માનનારા કાપિલો-સાંખ્યદર્શનવાળા ભગવંતોને સર્વજ્ઞ અને સર્વદર્શી માનતા નથી. તેઓ એમ માને છે કે વૃદ્ધવસિતમથે પુરૂષતત્તે અર્થાત્ ‘બુદ્ધિએ વિચારેલા અર્થને આત્મા જાણે છે' અર્થાત્ સ્વયં આત્મા જ્ઞાન-દર્શન કરી શકતો નથી, પણ બુદ્ધિ દ્વારા થતાં અધ્યવસાયોથી પદાર્થો જાણે છે–એવી તેઓની માન્યતાનું ખંડન કરતાં જણાવે છે– ‘સર્વેનૂ સબ્રરિસી' અર્થાત “સર્વને જાણે તે સર્વજ્ઞ અને સર્વને દેખવાનો જેમનો સ્વભાવ છે, તે સર્વદર્શી તેઓને નમસ્કાર થાઓ, આત્માનો સ્વભાવ સ્વયં જાણવા-દેખવાનો છે જ, પણ કમરૂપ આવરણોનો પડદો આડો આવતાં તે પોતાના સ્વભાવનો ઉપયોગ કરી શકતો નથી. જ્યારે એ કર્માવરણો ખસી જાય ત્યારે કોઈની સહાય વગર જ જ્ઞાન-દર્શનરૂપ સ્વ-સ્વભાવથી જ સર્વ જાણે અને દેખે છે. કહેલું છે કે- “જીવ’ પોતે પ્રકૃતિથી જ નિર્મલ ચંદ્ર સરખો છે, ચંદ્રના કિરણોની જેમ આત્માને વિજ્ઞાન છે અને ચંદ્રની આડે આવતાં વાદળોની જેમ જીવને કર્મરૂપ વાદળો છે,” વળી એમ પણ એકાંત નથી કે બુદ્ધિરૂપી કારણ વિના આત્માને બુદ્ધિના ફળરૂપ વિજ્ઞાન ન જ થાય” વસ્તુતઃ કારણો કાર્યની સિદ્ધિ સુધી જ ઉપયોગી હોય છે. પછી તેની આવશ્યકતા રહેતી નથી. જીવને પણ કર્મ-આવરણો જ્યાં સુધી તૂટ્યાં ન હોય, ત્યાં સુધી ભલે બુદ્ધિરૂપ કારણની આવશ્યકતા રહે, પણ સંપૂર્ણ આવરણો તૂટ્યા પછી આત્માનો જ્ઞાન-સ્વભાવ પ્રગટ થતાં બુદ્ધિ તેઓને ઉપયોગી થતી નથી. જેઓને તરવાની સહજ શક્તિ નથી. તેઓને ભલે તુંબડું, નાવડી વગેરે ઉપયોગી હોય, પણ જેઓને તરવાની સહજ શક્તિ પ્રગટી છે, તેવા તારુ મનુષ્યો મત્સ્ય આદિ જળચરોની જેમ નાવડી વગર જ તરી શકે છે, તેમ ભગવંતો સહજ જ્ઞાન દર્શન ગુણો પ્રગટ થયા પછી બુદ્ધિ વિના જ સર્વ જાણી-દેખી શકે છે, માટે બુદ્ધિરૂપ કારણ વિના જ તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે– એ પ્રગટ સત્ય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અહીં બીજાઓ એમ પણ કહે છે કે— “જ્ઞાનથી સર્વ પદાર્થોમાં વિશેષ ધર્મોરૂપ ફરક જણાય છે અને દર્શનથી સર્વ પદાર્થોના સામાન્ય ધર્મો અથવા સમાનતા દેખાય છે, માટે એક બીજાનો વિષય નહિ હોવાથી “સર્વ જાણે છે અને સર્વ દેખે છે” એમ કહેવું અયુક્ત છે, હજુ જ્ઞાન અને દર્શન બંને ભેગા મળીને સર્વ જાણી-દેખી શકે છે, તે ઘટે છે. સ્વતંત્રપણે તો નહિ જ.' આ કથન પણ વ્યાજબી નથી. કારણકે વસ્તુતઃ સામાન્ય અને વિશેષએ કાંઈ ભિન્ન નથી જે પદાર્થોમાં સમાનતા ધર્મ છે, તે જ પદાર્થોમાં વિષમતા ધર્મ પણ છે, એટલે કે સમાનતા અને તરતમતા ધર્મો જે પદાર્થના છે, તે તે પદાર્થરૂપ આધાર (ધર્મી) તો એક જ છે, અને તેથી તે જ ભાવોને જીવ જ્ઞાન-સ્વભાવથી તરતમતારૂપે અને દર્શન સ્વભાવથી સમાનરૂપે જાણે-દેખે છે. એ રીતિએ જ્ઞાન-દર્શનથી સર્વ ભાવોને જાણે-દેખે છે, કારણકે સર્વ પદાર્થો જ્ઞાનદર્શનના વિષય બને છે, એ સમાધાનમાં ફરી શંકા કરે છે કે એમ છતાં પણ જ્ઞાનથી સર્વ પદાર્થોનો વિશેષ તરતમતારૂપે ધર્મો જણાય છે. પરંતુ તેમાં રહેલો છતાં સામાન્ય ધર્મ જણાતો નથી. અને દર્શનથી સર્વપદાર્થોમાં સમાનતા ધર્મ દેખાય છે. પણ તેમાં રહેલો તરતમતા ધર્મ દેખાતો નથી. એમ બેય ધર્મોને નહિ જણાવનારા બેમાંથી માત્ર એક જ ધર્મને જણાવનારા જ્ઞાનને સર્વ જણાવનારું તથા એક જ ધર્મને દેખાડનારા દર્શનને સર્વ દેખાડનારું કહેવું તે અયોગ્ય છે.” તેના સમાધાનમાં કહે છે કે, એ કથન પણ અયોગ્ય છે, કારણકે સમાનતા અને તારતમ્યતા રૂપ ધર્મો અને તેના આધારભૂત પદાર્થો રૂપ ધર્મીઓ એકાન્ત ભિન્ન જ છે. એમ નથી; તે ગૌણપણે સમાનતા પણ જેમાં છે, તેવા સર્વ પદાર્થો જ્ઞાનથી વિશેષ સ્વરૂપે જણાવે છે અને ગૌણપણે વિશેષતા પણ જેમાં છે, તેવા સર્વ પદાર્થો દર્શનથી સમાનરૂપે દેખાય છે. એમ જ્ઞાન પણ સર્વ પદાર્થોનું જ્ઞાપક છે અને દર્શન પણ સર્વ પદાર્થોનું દર્શક છે માટે, તે રીતે ભગવંતો સંપૂર્ણ જ્ઞાન દર્શન ગુણવાળા છે, તેથી સર્વજ્ઞ સર્વદર્શી છે– એમ કહેવામાં ખોટું નથી. તેઓને અમારો નમસ્કાર થાઓ. એમ છતાં પણ આત્માને સર્વગત-વ્યાપક માનનારાઓ મુક્ત થયા પછી પણ આત્માને સર્વગત માને છે, પરંતુ અમુક સ્થાને જ રહે છે, એમ માનતા નથી, તેઓ કહે છે કે- “મુ: સર્વત્ર તિત્તિ, વ્યોમવત્ તાપર્વવતા:' અર્થાત્ મુક્ત આત્માઓ આકાશની જેમ સર્વ સંતાપ રહિત સર્વત્ર (વ્યાપકપણે) રહે છે, તેમના એ મતનું ખંડન કરતાં કહે છે – ‘શિવમયત્નમયમviતમgયમત્રીવહિંમપુરાવિત્તિ-સિદ્ધારૂનામથેય ટાઇ સંપત્તા' અર્થાત્ નિરુપદ્રવ ગુણોવાળા મોક્ષસ્થાનને પામેલા તેઓને મારા નમસ્કાર થાઓ. તે મોક્ષસ્થાનનું સ્વરૂપ જણાવે છે કે, “શિવમ્' એટલે સર્વપ્રકારના ઉપદ્રવો વગરનું ‘મનમ' એટલે પોતાના સ્વભાવથી કે કોઈ પ્રયોગથી પણ જે ચલાયમાન થતું નથી, અચલ છે, ‘મરૂન' એટલે “વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન'નો ત્યાં અભાવ હોવાથી જ્યાં કોઈ પ્રકારની વ્યાધિ કે વેદના નથી. ‘અનંતમૂ' એટલે ત્યાં રહેલા આત્માઓને અનંત જ્ઞાન હોય છે, માટે તે સ્થાન અનંત છે. અક્ષયમ્ એટલે નાશ પામવાના કારણો ન હોવાથી કદી નાશ નહિ થનારું-શાશ્વત છે, “મવ્યાવથમ્' એટલે કર્મો નહિ હોવાથી કોઈ પ્રકારની પીડા વિનાનું પુનરાવૃત્તિ' એટલે જે સ્થાનેથી ફરી સંસારમાં આવવાનું કે અવતરવાનું નથી, તથા “સિદ્ધિવિનામધેયમ્' એટલે ત્યાં પ્રાણીઓ સમાપ્ત પ્રયોજનવાળા એટલે કે કૃતકૃત્ય હોય છે. માટે તે સ્થાન ચૌદ રાજલોકની ઉપર અંતભાગમાં છે, તે “સિદ્ધિગતિ' એવા નામથી બોલાય છે– કર્મથી મુક્ત થએલા આત્માઓનું જ ત્યાં ગમન હોવાથી તે પાંચમી કે આઠમી ગતિ કહેવાય છે, એ રીતિએ સિદ્ધિગતિ એવા ઉત્તમ નામવાળું “સ્થાનમ્' એટલે આત્માઓ ત્યાં સ્થિર રહે તે માટે “સ્થાન' વ્યવહારનયથી જે Page #344 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૯૩ ‘સિદ્ધિક્ષેત્ર કહેવાય છે. કહેવું છે કે “અહીં મનુષ્યલોકમાંના છેલ્લાં શરીરનો ત્યાગ કરીને ત્યાં સિદ્ધિક્ષેત્રમાં જઈને કાયમ માટે સ્થિરતાથી વસે છે,' નિશ્ચયનયથી તો આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં જ રહે છે, રમે છે અને સ્વ-સ્વરૂપનો આનંદ અનુભવે છે. નિશ્ચયનયથી તો “સર્વ પદાર્થો પોતાના સ્વરૂપમાં જ રહે છે. કોઈ દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી.' એમ કહેલું છે, આગળ જણાવેલાં શિવ, અચલ, આદિ વિશેષણો પરમાર્થથી સ્થાનને નહિ પણ મુક્ત આત્માને ઘટે છે, તો પણ સ્થાન અને સ્થાનીનો અભેદ હોવાથી ઉપચારથી ત્યાં રહેનાર સ્થાનીનાં લક્ષણો સ્થાનમાં પણ ઘટાવી શકાય છે. એવા પ્રકારના સ્થાનને પામેલા અર્થાત્ સંપૂર્ણ પણ કર્મક્ષય થવા રૂપ સંસારી અવસ્થા નાશ થવાથી સ્વાભાવિક આત્મસ્વરૂપ પ્રગટ થવાથી આત્માનું શુદ્ધસ્વરૂપ પામેલા, આવા આત્માને જ “વિભુ-વ્યાપક માનીએ તો ઉપર જણાવ્યું તેવા વ્યવહાર અને નિશ્ચયરૂપ સિદ્ધિસ્થાનની તેને પ્રાપ્તિ થઈ શકે નહિ, કારણકે સર્વગત-વ્યાપક માનવાથી તે હંમેશા સર્વત્ર રહે, કોઈ સ્થાન બદલવાનું બાકી રહે નહિ અને તેથી પોતાનો ભાવસ્વરૂપ નાશ પામે નહિ. બદલાય નહિ. તે નિત્ય કહેવાય” આવો વ્યાપક આત્મા સદાકાળ એક સ્વરૂપે રહેવાથી એકાન્ત નિત્ય ગણાય એથી “તેને સંસારી અવસ્થાનો નાશ અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ' એ ફેરબદલી તેમાં ઘટે નહિ. આથી એ નક્કી થયું કે જેઓ ક્ષેત્રથી સર્વવ્યાપક નથી તેઓને જ સંસારી અવસ્થાના ત્યાગરૂપ મોક્ષ-અવસ્થા યા સિદ્ધિગતિ નામનું સ્થાન પ્રાપ્ત થાય છે. માટે જે “વા પ્રમાણમાત્મા' અર્થાત્ “આત્મા પોતાના શરીર પ્રમાણવાળો છે.” એમ જે કહ્યું છે, તે બરાબર છે. એવા ભગવંતોને નમસ્કાર થાઓ. બુદ્ધિમંત આત્માઓને એવા જ ભગવંતો નમસ્કરણીય છે. આ સૂત્રમાં આદિમાં અને અંતમાં નમસ્કાર કર્યો છે, તેથી વચ્ચેનાં પદોમાં પણ નમસ્કાર સંબધ જોડવો. વળી ભયોને જિતનારા પણ એ અરિહંતો જ છે, બીજા નહિ-એમ પ્રતિપાદન કરવા ઉપસંહાર કરતા કહે છે– નમો નિVIri, નિયમથાઇ અર્થાત જિનોને ભયો જિતનારાઓને નમસ્કાર થાઓ.” નો અને નિર' એનો અર્થ પહેલા કહી ગયા, તે પ્રમાણે જાણવો અને વિમાની એટલે “સંસારરૂપ પ્રપંચથી નિવૃત્ત થએલા હોવાથી કોઈપણ ભય જેઓએ નથી-સર્વ ભયોનો જેઓએ ક્ષય કરેલો છે– એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. એ પ્રમાણે “સત્ર થી આરંભી નિયમથી' સુધીના પાઠમાં ત્રણ વાક્યોથી જ્ઞાન-દર્શનાદિ પ્રધાન ગુણોના કદી ક્ષય ન થાય તેવા મોક્ષરૂપ પ્રધાન ફળની પ્રાપ્તિ નામની નવમી સંપદા જણાવી. અહીં એમ શંકા ન કરવી કે, એક જ પ્રકારના વિશેષણોથી વારંવાર સ્તુતિ કરવા રૂ૫ પુનરુક્તક્તિ દોષ કેમ ન લાગે? કારણકે, સ્તુતિ વારંવાર કરવા છતાં પણ પુનરુક્તિ દોષ લાગતો નથી. કહ્યું છે કે – “સ્વાધ્યાય ધ્યાન તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન, વિદ્યમાન, ગુણોનું કીર્તન આ સર્વ વારંવાર કરવા છતાં પુનરુક્તિ દોષ મનાતો નથી.” (આ. નિ.૧૫૯) આ શકસ્તવ–“નમોત્થણે કહ્યા પછી પ્રાણિપાત એટલે નમસ્કાર કરાતો હોવાથી નવસંપદાવાળા આ “નમોત્થણે” સૂત્રનું “પ્રણિપાત દેડક' એવું પણ નામ કહેવાય છે જિનેશ્વરી તીર્થની સ્થાપના કરે તે પહેલા તેઓના જન્મ આદિ કલ્યાણકોના સમયે પણ પોતાના વિમાનમાં રહ્યા રહ્યા શક્રમહારાજા આના વડે તે તીર્થકર ભગવંતોની સ્તુતિ કરે છે એ કારણથી આ સૂત્રનું શકસ્તવ' એવું પણ નામ છે. આ સૂત્ર ઘણે ભાગે ભાવ-અરિહંતને આશ્રીને ભણાય છે. છતાં સ્થાપનાઅરિહંતની પ્રતિમામાં ભાવ અરિહંત'નો આરોપ કરીને પ્રતિમાજી સન્મુખ બોલવામાં દોષ નથી પ્રણિપાત, પછી અતીત, અનાગત અને વર્તમાન જિનેશ્વરોને વંદન કરવા માટે કેટલાંક લોકો આ ગાથા પણ ભણે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ जे अ अइया सिद्धा, जे अ भविस्संति णागए काले । संपइ अ वट्टमाणा सव्वे तिविहेण वंदामि ॥ १ ॥ જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં વર્તી રહેલા છે, તે સર્વને મન, વચન અને કાયાથી હું વંદના કરું છું. અરિહંતચેઈયાણં સૂત્રના અર્થ ત્યાર પછી ઉભા થઈ સ્થાપના પ્રતિમા જિનને વંદન કરવા માટે જિનમુદ્રાથી ‘રિહંત-ફયા' વગેરે સૂત્ર બોલવું, અહીં આગળ જેમનું સ્વરૂપ વર્ણવ્યું છે, તે ભાવ અરિહંતોની પ્રતિમારૂપ ચૈત્યોને અરિહંત ચૈત્યો જાણવા. ચૈત્ય એટલે પ્રતિમા તેનો અર્થ જણાવે છે– અંતકરણ જ ચિત્ત કહેવાય. તે (ચિત્તનો) ભાવ કે તે ચિત્તનું કાર્ય, તે ચૈત્ય કહેવાય. સિદ્ધહેમ વ્યાકરણના “વહાવિત્વાન્ ' (૭/૧, ૫૧) સૂત્રથી ચિત્ત શબ્દને ટ્રણ પ્રત્યય લાગવાથી ચૈત્ય શબ્દ તૈયાર થયો. તેને બહુવચનાન્ત કરવાથી ચૈત્યો થાય. શ્રી અરિહંત દેવોની પ્રતિમાઓ ચિત્તમાં ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી સાધનમાં સાધ્યનો આરોપ કરવાથી તેને પણ ચૈત્યો કહેવામાં આવે છે એ અરિહંતોના ચૈત્યોને વંદન કરવા માટે કાઉસ્સગ્ન કરું છું– અરિહંત-વેફસાઈ વરેમિ ૩ અર્થને જણાવતું આ પદ . હવે કાઉસ્સગ્ગ શબ્દનો અર્થ કહે છે. જ્યાં સુધી કાઉસ્સગ્ગ મુદ્રાવાળા શરીરથી કાઉસ્સગ્ન કરું ત્યાં સુધી કાયાથી જિનમુદ્રાનો આકાર, વચનથી મૌન અને મનથી ચિંતન કરાતા સૂત્રના અર્થના આલંબનરૂપ ધ્યાન આ સિવાય બાકીની ક્રિયાઓનો હું ત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞા કરાય છે. હવે ક્યા નિમિત્તે કાઉસ્સગ્ન કરાય છે, તે કહે છે– વંતUવત્તિયાણ વંન-પ્રત્યય, એટલે મન, વચન-અને કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિરૂપ વંદન-નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું. અર્થાત કાઉસ્સગ્ગ દ્વારા વંદન થાઓ. અહિં પ્રત્યય-શબ્દનું ‘વત્તિયાણ' રૂપ આર્ષ-પ્રયોગથી સિદ્ધ થયું છે. આમ વંદન કરવાની ભાવનાથી વંદન-નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું. મને વંદન-લાભ મળો તથા પૂમાવત્તિયા' = પૂના પ્રત્યયમ્' એટલે ગંધ, વાસ, પૂષ્પો આદિથી અર્ચન કરવું. તે પૂજન કહેવાય. તે નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું તેમજ સક્ષરવત્તિયાણ = સાર-પ્રત્યયમ્ એટલે શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણાદિકથી અર્ચન કરવું, તે સત્કાર તે માટે કાઉસ્સગ્ન કરું છું. અહિ શિષ્ય પ્રશ્ન કર્યો કે, મુનિને દ્રવ્ય પૂજાનો અધિકાર ન હોવાથી આ ગંધ માલ્ય વસ્ત્ર આભૂષણ દ્રવ્યપૂજા છે, તે કેવી રીતે કરી શકે ? વળી શ્રાવક તો તે દ્રવ્યથી પૂજન સત્કાર કરનારો છે, એટલે કાઉસ્સગ્ગ દ્વારા પૂજનસત્કારની પ્રાર્થના કરવી, તે તેઓને માટે નિષ્ફળ છે, તો શા માટે કરે ? તેનું સમાધાન કરતાં જણાવે છે કે સાધુને સ્વયં દ્રવ્યપૂજન કરવાનો નિષેધ છે, પણ બીજાઓ દ્વારા તે કરાવવાનો કે અનુમોદનાનો નિષેધ નથી. કારણકે દ્રવ્યસ્તવના અધિકારમાં જણાવ્યા પ્રમાણે “જેઓ સંપૂર્ણ વિરતિ પામ્યા નથી, તેવા દેશવિરતિ શ્રાવકે સંસાર ઘટાડવા માટે આ દ્રવ્યસ્તવ કરવું યોગ્ય છે. ઈત્યાદિ વળી જિનમંદિરના અધિકારમાં સાધુએ તેનો ઉપદેશ આપવો, જેમ કે ભક્તિથી જે તૃણ કુટીર કરી જિનમંદિર બનાવે છે, તથા પુષ્પમાત્રથી પૂજા કરે છે, તેનાથી જે પુણ્ય બંધાય છે તેનું માપ કોણ કરી શકે ?” આ પ્રમાણે દ્રવ્યસ્તવ કરાવવાનો નિષેધ નથી અને જિનેશ્વરદેવની બીજાઓએ કરેલી પૂજા કે સત્કારના દર્શન કરતાં હર્ષથી અનુમોદના થાય. તેનો પણ નિષેધ નથી. મહાવ્રતધારી વજર્ષિ એટલે વજસ્વામીએ દ્રવ્યસ્તવ કરાવવાનું કાર્ય પોતે સ્વયં કર્યું છે, તથા પૂ. ઉમાસ્વાતિજી મહારાજના ગ્રંથોમાં એ વિષયમાં દેશના પણ છે. આ પ્રમાણે સાધુને દ્રવ્યસ્તવ કરાવવાનો અને અનુમોદવાનો અધિકાર છે. માત્ર સ્વયં કરવાનો નિષેધ છે. તેમ જ શ્રાવકને Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ સ્વયં પૂજા-સત્કાર કરવાનો અધિકાર હોવાથી પૂજા-સત્કાર કરવા છતાં તેના ભાવની વૃદ્ધિથી પૂજા સત્કારનું અધિક ફળ મેળવવા માટે કાઉસ્સગ્ગ દ્વારા પૂજા-સત્કારની પ્રાર્થના કરે, તે નિષ્ફળ નથી. આમ સાધુ અને શ્રાવકને કાઉસ્સગ્ગમાં દોષ નથી તથા સમ્માનવત્તિયાણ સન્માન-પ્રત્યયમ્ એટલે સન્માન-નિમિત્તે, સ્તુતિ-સ્તવનાદિ કરવા, તે સન્માન કહેવાય. બીજા આચાર્યો માનસિક પ્રીતિને સન્માન માને છે, હવે આ વંદન પૂજન સત્કાર, સન્માન શા માટે કરવાના છે ? તે કહે છેઃ- વોહિનામવત્તિયાણ बोधिलाभ પ્રત્યય' એટલે શ્રી અરિહંત ભગવંતે કહેલા ધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભ માટે, વળી, બોધિલાભ શા માટે? તો કહે છેઃ- નિવવત્તિયાળું' પ્રત્યયમ્ એટલે જન્માદિ ઉપસર્ગના અભાવવાળો જે મોક્ષ, તે જ માટે બોધિલાભ. निरूपसर्ग તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ 4444 = = શંકા કરી કે સાધુ અને શ્રાવકને બોધિલાભ તો છે જ તો પછી તેની પ્રાર્થના શા માટે ? વળી બોધિલાભનું ફલ મોક્ષ છે અને તે હોવાથી મોક્ષ થવાનો જ, પછી પ્રાર્થના શા માટે ? તેના સમાધાનમાં કહે છે– કોઈ આકરા કર્મોદય યોગે તેનો નાશ પણ સંભવે છે, માટે નાશ ન થાય અને નાશ પામેલું ફરી પ્રાપ્ત થાય, તે માટે બોધિલાભની પ્રાર્થના કરવી નિષ્ફળ નથી. એ ભવાન્તરમાં થાય, તે માટે પ્રાર્થના હિતકારી છે, તે માટે કાઉસ્સગ્ગ કરવો તે યોગ્ય છે. એ પ્રમાણે કાર્યોત્સર્ગ કરવા છતાં પણ તેની સાથે શ્રદ્ધાદિ ગુણો ન હોય તો ઈષ્ટ કાર્ય સિદ્ધ થતું નથી માટે કહે છે કે :— ‘સદ્ધાળુ મેહાણ્ ધિરૂપ ધારTIQ अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सग्गं वर्द्धमानया भेटले वृद्धि पामती सेवी श्रद्धया मेधया મૃત્યા ધારાયા અનુપ્રેક્ષા એટલે શ્રદ્ધા બુદ્ધિ, ધીરજ, ધારણા અને અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ્ગ કરું છું. તેમાં શ્રદ્ધા એટલે મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી આત્મામાં પ્રગટ થનારી અને જળ નિર્મળ કરનાર જલકાન્તમણિ માફક ચિત્તને નિર્મળ કરનાર શ્રદ્ધાથી કાઉસ્સગ્ગ કરું છું, નહિ કે બળાત્કારથી કે બીજા કારણથી તે પ્રમાણે ઉત્તમ શાસ્ત્રોને સમજવામાં કુશળ, પાપશાસ્ત્રોને છોડી દેનારી અને જ્ઞાનવ૨ણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી બુદ્ધિ સમજવાની શક્તિ કે મેધા કહેવાય, તે પૂર્વક કાઉસ્સગ્ગ કરું છું નહિ, કે જડતાથી અથવા મર્યાદાપૂર્વક, નહિ કે જેમ તેમ તથા મનની સમાધિરૂપ ધી૨જ વડે નહીં કે રાગ-દ્વેષથી આકુળ બનીને તેમજ અરિહંતના ગુણોનું વિસ્મરણ કર્યા વગર ધારણ પૂર્વક કે શૂન્ય ચિત્તથી તથા અરિહંતના ગુણોનું વારંવાર સ્મરણ કરવા પૂર્વક નહીં કે અનુપ્રેક્ષા વગર. આ પ્રમાણે વૃદ્ધિ પામતી શ્રદ્ધા, બુદ્ધિ, ધીરજ, ધારણા અને અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ્ગ કરું છું આ શ્રદ્ધા વિગેરે પાંચેય પહેલાં પહેલાંથી પછી પછીનો લાભ થવાવાળા છે. શ્રદ્ધા હોય તો મેધા, મેધા હોય તો ધીરજ, ધીરજ હોય તો ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા થાય છે, તેમની વૃદ્ધિ પણ એ જ ક્રમે થાય છે. દામિ જાડાં' એટલે કાઉસ્સગ્ગ કરું છું શિષ્યે પ્રશ્ન કર્યો કેઃ– સૂત્રની શરૂમાં મિ જાડાં એમ કહ્યું તો ફરી કાઉસ્સગ્ગ કરું છું— એમ કહેવાની શી જરૂર ? તેના સમાધાનમાં કહે છે કે, તમારી વાત સત્ય છે, પરંતુ શબ્દશાસ્ત્રના ન્યાયે જે ભવિષ્યના નજીકના કાલમાં જ કરવાનું હોય તે, ‘હમણાં કરું છું' એમ વર્તમાનકાળમાં બોલાય છે. ‘સત્લામીપ્લે સવ્’- ૫-૪-૧, સિદ્ધહેમ સૂત્રના અનુસારે વર્તમાનની સમીપમાં હોય તે વર્તમાનરૂપ ગણાય. એ ન્યાયે શરૂમાં ‘કાઉસ્સગ્ગ કરું છું' એમ કહેવામાં પૂર્વ જે કાર્યોત્સર્ગ માટે આજ્ઞા માંગી તે ‘આજ્ઞારૂપ ક્રિયાનો કાળ અને ક્રિયાની સમાપ્તિનો કાળ-એ બંને કચિત્ એકરૂપ મનાતા હોવાથી' વર્તમાનમાં તેનો પ્રારંભ જણાવવા માટે ‘કાઉસ્સગ્ગ કરું છુ' એમ કહેલું છે. શું કાઉસ્સગ્ગમાં સર્વ પ્રકારે શરીરનો ત્યાગ કરે છે ? ના પૂર્વે અન્નત્યં સૂત્રમાં જણાવેલા શ્વાસોચ્છ્વાસ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ *** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ખાંસી વિગેરે, આકસ્મિક પ્રસંગો કે શરીરની જરૂરી હાજતો સિવાયના કાયવ્યાપારનો ત્યાગ કરૂં છું એમ જણાવવા માટે ‘અન્નત્યન્નત્તિમાં' વિગેરે સૂત્ર બોલવું અને તે પ્રમાણે કાઉસ્સગ્ગ કરવો. કાઉસ્સગ્ગ આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ ક૨વો, તેમાં નવકાર જ ગણવો તેવો નિયમ નથી. ચૈત્યવંદના કરનાર પોતે એકલો જ હોય તો કાઉસ્સગને અંતે ‘નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ્ગ પારી જે ભગવાનની સામે ચૈત્યવંદન કરતો હોય, તે ભગવંતની સ્તુતિ બોલે અને ચૈત્યવંદન કરનારા ઘણા હોય તો એક જણ પારીને સ્તુતિ કહે અને બાકીના કાઉસ્સગ્ગમાં રહીને સ્તુતિ પૂર્ણ થતા સુધી સાંભળે ત્યાર પછી ‘નમો અરિહંતાણં' કહીને પારે. પછી આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં જે ચોવીશ તીર્થંકરો થઈ ગયા, તેઓ આ એક જ ક્ષેત્રમાં અને વર્તમાન અવસર્પિણી રૂપ એક જ કાળમાં થએલા હોવાથી બીજા કાળ કે બીજા ક્ષેત્રોના તીર્થકર કરતા આસન્ન ઉપકારી હોવાથી તેઓની સ્તુતિ કરવા માટે નીચે પ્રમાણે ‘લોગસ્સચતુર્વિશતિ સ્તવ કહે. લોગસ્સ સૂત્રનો અર્થ : 1 लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली ॥ શ્ ॥ = આ ગાથામાં અરિહંતે એ વિશેષ્યપદ છે. તેની વ્યાખ્યા નમોત્પુર્ણ પ્રમાણે સમજવી. તે અરિહંતોને ‘ત્તિરૂÉ’ એટલે કીર્તન કરીશ આમ કહીને જ્ઞાનાતિશય નામના ઉચ્ચારપૂર્વક સ્તુતિ કરીશ. રાજ્યાદિ અવસ્થાઓમાં તેઓ દ્રવ્ય-તીર્થંકર કહેવાય પણ અહિં ભાવ-અરિહંતની સ્તુતિ કરવાની હોવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થએલા એવા ભાવ-અરિહંતોને જણાવ્યા. તેઓની સંખ્યા જણાવવા માટે ‘ચોવીસને અને ‘અપિ’ શબ્દથી તે સિવાયના બાકીનાને પણ સ્તવીશ. તે અરિહંતો કેવા પ્રકારના છે ? તે કહે છે- ‘લોગસ્સ કન્નોયારે' - લોઢ્યોદ્યોતીન્' એટલે ધર્માસ્તિકાય વિગેરે પાંચ અસ્તિકાય લોકને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરનાર હોવાથી ઉદ્યોત કરનારા છે. શંકા કરી કેઃ– કેવલજ્ઞાની કહેવાથી જે લોક-પ્રકાશકપણું આવી જાય છે, તો ‘લોક-ઉદ્યોતકર’ એમ ફરી કહેવાનું શું કારણ ? સમાધાન કરતાં જણાવે છે કે તારી વાત સત્ય છે, છતાં જે વિજ્ઞાનાદ્વૈતવાદીઓ એમ માને છે કે જગત્ માત્ર જ્ઞાનરૂપ છે. જ્ઞાન સિવાય અન્ય કોઈ સત્ય નથી જે દેખાય છે, તે સર્વ ભ્રમણારૂપ છે. તેઓને પ્રકાશક અને પ્રકાશ્ય એ બંને જુદા છે. એટલે જગત પ્રકાશ્ય અને જ્ઞાન પ્રકાશક એમ પ્રકાશ કરનારા અને પ્રકાશ કરવાની વસ્તુ જુદા છે. એ જણાવવા માટે ‘લોકને પ્રકાશ કરનારા' એમ કહેલું છે. વળી લોક ઉદ્યોતકરપણું સ્તુતિ કરનાર ભક્તોને ઉપકારક પણ થાય છે. એટલે કે લોકપ્રકાશક દ્વારા ઉપકારક હોવાથી સ્તુતિ કરનાર ભક્તોને ઉપકારક પણ થાય છે, એટલે લોકપ્રકાશક દ્વા૨ા એ ઉપકારક હોવાથી સ્તુતિ કરવા યોગ્ય છે. અનુપકારીની સ્તુતિ કોઈ કરતા નથી. આથી તેમનું ઉપકારપણું જણાવવા માટે કહે છે ‘ધમ્મતિત્યયર' એટલે ધર્મપ્રધાન તીર્થને કરનારા' આમાં ધર્મશબ્દની વ્યાખ્યા આગળ કહી ગયા છીએ અને તીર્થ તે કહેવાય કે જેના દ્વારા તરી શકાય. ધર્મની પ્રધાનતાવાળું તીર્થ હોય. તે ધર્મતીર્થ અહીં ધર્મરૂપ તીર્થ કહેવાનું એ કારણ સમજવું કે નદીઓ ભેગી થતી હોય; તેવા સ્થાનો કે શાક્ય આદિએ સ્થાપન કરેલા અધર્મપ્રધાન તીર્થોના પરિહાર કરવા માટે ‘ધર્મ' શબ્દ વાપર્યો છે. એટલે ધર્મ એ જ સંસાર-સમુદ્ર તરવાનું પવિત્ર તીર્થ છે. એવા ધર્મતીર્થને સ્થાપનારા-પ્રવર્તાવનારાઓ ‘ધર્મતીર્થકર' કહેવાય કે જેઓએ દેવો, મનુષ્યો અને અસુરોની પર્ષદા-સભામાં પોતપોતાની ભાષામાં સહુ કોઈ સમજી શકે એવી પાંત્રીશ ગુણવાળી વાણી દ્વારા ધર્મ . Page #348 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ સમજાવી ધર્મતીર્થની સ્થાપના કરી. આ “ધર્મતીર્થકર' વિશેષણથી તેમના પૂજાતિશય અને વચનાતિશય જણાવ્યા. હવે અપાયપગમાતિશય માટે કહે છે કે– નિપજે – વિનાન્ અર્થાત્ રાગ-દ્વેષ આદિ અત્યંતર શત્રુઓને જિતનારાઓને આ પ્રમાણે “લોગસ્સ’ સૂત્રની પ્રથમ ગાથાનો ભાવર્થ એ છે કે- લોકને ઉદ્યોત કરનારા, ધર્મતીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષ આદિ શત્રુઓને જિતનારા, કેવલજ્ઞાની એવા ચોવીશ અરિહંતોની હું સ્તુતિ કરીશ. તે સ્તુતિ કરતા કહે છે– उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च ।। पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंतं, सीअल-सिज्जंस-वासुपुज्जं च ।। विमलमणं तं च जिणं, धम्मं संतिं च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमि, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ અર્થ : જિન એવા ઋષભ અને અજિતને હું વાંદુ છું. તથા સંભવને અભિનંદનને અને સુમતિને, પદ્મપ્રભ, અને ચંદ્રપ્રભુને હું વાદું છું. “પુષ્પદંત નામવાળા સુવિધિને શીતલને શ્રેયાંસને વાસુપૂજ્ય તથા વિમલ, અનંત, ધર્મ, અને શાંતિજિનને હું વાંદું છું કુંથુ, અર અને મલ્લિને, મુનિસુવ્રત અને નમિજિનને હું વાંદું છું, વળી અરિષ્ટનેમિ, પાર્થ તથા વર્ધમાનને હું વંદન કરું છું . ૨-૩-૪ || ત્રણ ગાથાનો સમુદાયાર્થ કહીને હવે પદાર્થ એટલે નામનો અર્થ વિભાગથી કહે છે. તે અર્થ સામાન્ય એટલે સર્વમાં તેવો અને તે તીર્થંકર વ્યક્તિમાં જ ઘટે તેવો વિશેષ અર્થ કહેવાશે. તેમાં ૩૫ ઋષમ સામાન્યથી “પરમપદ-મોક્ષને જે પ્રાપ્ત કરે છે, તે “ઋષભ” તેનું પ્રાકૃતરૂ૫ ર્ ત્રટવા સૂત્રથી “સ” એવું બને છે, બીજા પ્રકારે ઋષભની જેમ વૃષભ” પણ કહે છે, એટલે “વઈતિ-તિ વૃષમ:' અર્થાત્ દુઃખરૂપ અગ્નિથી બળતા જગતને દેશના રૂપ પાણી વરસાવી શાન્ત કરે, તે વૃષભ વૃષકે વા વા' સિદ્ધહેમના સૂત્રથી વૃ ના બદલે ‘સદો' અને તેનો ફેસમ આ સામાન્ય અર્થ. વિશેષ અર્થ તો ભગવંતના સાથળમાં વૃષભલાંછન અને મરુદેવા માતાએ પ્રથમ સ્વપ્ન વૃષભનું દેખવાથી ભગવંતનું નામ, ‘વૃષભ' અથવા “ઋષભ” પાડ્યું. ૨ નિત - પરિષહાદિકથી જિતાયા ન હોવાથી અજિત એ સામાન્ય અર્થ અને ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાજી રાજા સાથે પાસા ખેલતા હતા, તે જિતાયા નહિ, તેથી ‘અજિત' નામ રાખ્યું તે વિશેષ અર્થ. રૂ સંભવ - જેઓમાં ચોત્રીશ અતિશયરૂપ ગુણો વિશેષ પ્રકારે સંભવે છે, તે સંભવ અથવા જેમની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનાર, શ એટલે સુખ પ્રાપ્ત થાય તેમાં “શષો :' સૂત્રથી પ્રાકૃત નિયમ પ્રમાણે શંભવને બદલે સંભવ થાય. ભગવંત ગર્ભમા આવ્યા ત્યારે દેશમાં અધિક ધાન્ય પાકવાનો સંભવ થયો એટલે અધિક ધાન્ય પાક્ય માટે “સંભવ' નામ રાખ્યું. ૪ મિનંદન - દેવેન્દ્રોથી જેઓ અભિનંદન પામ્યા હોય, તે અભિનંદન તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી ઈન્દ્રાદિકોએ વારંવાર માતાને અભિનંદન આપેલું હોવાથી તેમનું “અભિનંદન' નામ રાખ્યું. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ છે સુમતિ – સુંદર મતિ-બુદ્ધિ હોય, તે સુમતિ, ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને સુંદર નિશ્ચય કરાવનારી મતિ પ્રગટી, તેથી “સુમતિ' ૬ પતy - નિષ્પકતા ગુણની અપેક્ષાએ પદ્મ સમાન પ્રભા-કાંતિવાળા હોવાથી પદ્મપ્રભ અને ભગવત્ત ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ-કમળની શય્યામાં યુવાનો દોહલો દેવતાએ પૂર્યો માટે પદ્મ અને દેહની કાંતિ પા-કમળ સમાન લાલ હોવાથી ‘પદ્મપ્રભ' નામ રાખ્યું ૭ સુપા – સુંદર છે દેહનાં પડખાં જેઓના, તે સુપાર્થ અને પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા પણ સુંદર પડખાવાલાં થયા માટે ‘સુપાર્થ” નામ રાખ્યું. ૮ ચંદ્રમુક ચંદ્રના કિરણો માફક જેની પ્રભા શાન્ત વેશ્યાવાળી હોય, તથા ગર્ભના યોગે માતાને ચંદ્રપાનનો દોહલો થયો, તેમ જ ભગવંતના શરીરની પ્રભા ચંદ્ર સરખી ઉજ્જવલ હતી. તેથી “ચંદપ્રભુ નામ રાખ્યું. ૬ સુવિધિ - સુ એટલે સુંદર અને વિધિ એટલે સર્વ વિષયમાં કુશળતાવાળા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ વિષયમાં કુશળતા પ્રગટ થવાથી ભગવંતનું નામ “સુવિધિ' રાખ્યું તથા ભગવંતને પુષ્પની કળીઓ સરખા સુંદર દાંત હોવાથી બીજું નામ “પુષ્પદંત્ત” પણ થયું. - ૨૦ શૌતન – સમગ્ર પ્રાણીઓના સંતાપને હરણ કરનારા હોવાથી તથા શીતલતા કરનારા હોવાથી શીતલ, તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પિતાને પહેલા થયેલ પિત્તદાહ કોઈ ઉપાયથી શાન્ત થતો ન હતો પણ ગર્ભ-પ્રભાવે માતાના હસ્તસ્પર્શથી શાન્ત થયો, માટે “શીતલ” નામ પાડ્યું. - ૨૨ શ્રેયાંસ - સમગ્ર જગત કરતાં પણ અતિ પ્રશંસનીય માટે શ્રેયાન, અથવા કલ્યાણકારી ખભાવાળા શ્રેય + અંતર = શ્રેયાંસ, તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કોઈએ પણ ન વાપરેલ-દેવતાધિષ્ઠિત શવ્યાનો માતાએ ઉપભોગ કરવાથી શ્રેય થયું એટલે “શ્રેયાંસ' નામ રાખ્યું. ૨૨ વાસુપૂજ્ય ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ પ્રત્યક્ષ અને પ્રભાસ આઠ વસુ જાતિના દેવોને પૂજ્ય હોવાથી વસુપૂજ્ય અને “પ્રજ્ઞાહૂિખ્યો' એવા વ્યાકરણસૂત્રથી વાસુપૂજ્ય તથા ભગવંત ગર્ભમાં હતા ત્યારે વસુ અર્થાત્ હિરણ્ય વડે ઈન્દ્ર રાજકુલની પૂજા કરી, તેથી વાસુપૂજ્ય અથવા વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાથી વ્યાકરણ નિયમાનુસાર અણપ્રત્યય આવવાથી આદિસ્વરની વૃદ્ધિ થતાં “વાસુપૂજ્ય' કહેવાય. ૨૩ વિમન - ગયો છે મલ જેનો તે વિમલ, અથવા જ્ઞાન-દર્શનાદિ ગુણો જેના નિર્મલ છે તે વિમલ, તથા ગર્ભ-પ્રભાવે માતાને મતિ તથા શરીર નિર્મલ થયા માટે વિમલ નામ રાખ્યું. ૨૪ નત અનંત કર્મો પર વિજય મેળવનારા અથવા અનંત જ્ઞાનાદિ ગુણોથી વિજ્યવંતા, તે ‘અનંતન' ગર્ભમાં હતા ત્યારે માતાએ અનંતરત્નમાળા અથવા આકાશમાં અંત વગરનું મહાચક્ર દેખ્યું હોવાથી, ત્રણ ભુવનમાં જયવંતા હોવાથી જિત્ એમ અનંતજિન, ભીમસેનને બદલે ભીમ પણ કહેવાય તેમ અનંતજિત્ અનંત + જિતને બદલે “અનંત’ નાથ પણ કહેવાય. ૨૬ થઈ – દુર્ગતિમાં પડતાં જીવોને ધારણ કરે, તે ધર્મ, અને પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી માતા દાનાદિ ધર્મોમાં તત્પર બન્યા, માટે “ધર્મ નામ રાખ્યું. ૨૬ શનિ - શાંતિનો યોગ થવાથી, પોતે શાન્તિસ્વરૂપ હોવાથી અને બીજાઓને શાંતિ કરનાર Page #350 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો. ૧૨૩ ૨૯૯ હોવાથી, શાંતિ અને ભગવંતના ગર્ભના મહિમાથી દેશમાં ઉત્પન્ન થયેલા મરકીના ઉપદ્રવની શાંતિ થવાથી પુત્રનું નામ ‘શાંતિ રાખ્યું. - ૨૭ વુજુ - કુ એટલે પૃથ્વી; તેમાં રહેલા હોવાથી કુત્યુ એ નિરુક્ત અર્થ સમજવો. ગર્ભ પ્રભાવથી માતાએ રત્નોનો કુછ્યું એટલે ઢગલો દેખ્યો, “એટલે “કુન્થ' નામ પાડ્યું. ૨૮ મર - સર્વોત્તમ મહાસાત્વિક કુળમાં તેની આબાદીને માટે જે ઉત્પન્ન થાય છે, તેમને વૃદ્ધ પુરૂષોએ અર નામ આપેલું છે.” તથા ગર્ભ-પ્રભાવથી માતાએ સ્વપ્નમાં રત્નોનો અર એટલે આરો દેખ્યો તેથી “અર” નામ આપ્યું. ૨૬ પત્નિ- પરિષહ આદિ મલ્લોને જીતનારા માટે મલ્લિ આ નિરુક્તથી અર્થ કહ્યો તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાનો એ ઋતુનાં પુષ્પોની સુગંધમય માળાઓની શય્યામાં સુવાનો દોહલો દેવો પૂર્ણ કર્યો, તેથી “મલ્લિનામ રાખ્યું. ૨૦ મુનિસુવ્રત - જગતની ત્રિકાલ અવસ્થાને જાણે-માને તે મુનિ અહીં મન્ ધાતુ છતાં ‘સ્વતી વીર્યવા' એ વ્યાકરણના નિયમ અનુસાર મન્ ધાતુને રૂ પ્રત્યય આવતા ઉપાન્તય એ નો ૩ થવાથી મુનિ શબ્દ બને છે તથા સુંદર વ્રતવાળા હોવાથી સુવ્રત, એ પ્રમાણે મુનિ + સુવ્રત અને ગર્ભ-પ્રભાવથી માતા મુનિના જેવા સુંદર વ્રતવાળા થયા માટે મુનિસુવ્રત' નામ રાખ્યું. ૨૨ નમિ પરિષદો અને ઉપસર્ગોને નમાવવાથી-હરાવવાથી નમિ, “ તુ વા' ઉણાદિ ૬૧૩. વિકલ્પ ઉપાજ્યમાં ઈકાર કરવાથી નમિ રૂપ તૈયાર થાય છે. ગર્ભના પ્રભાવથી નગર પર ચડી આવેલા શત્રુ રાજાઓ પણ નમી પડ્યાં, માટે “નમિ' નામ રાખ્યું. ૨૨ મિ - ચક્રની નેમિ-વર્તુલાકારની માફક ધર્મચક્રની નેમિને કરનારા અને ગર્ભ-પ્રભાવે માતાએ રિષ્ટ રત્નોનો મહાનેમિ-રેલ જોવાથી રિષ્ટનેમિ તથા તેની પૂર્વે અપશ્ચિમ શબ્દોની જેમ નિષેધ-વાચી “અ” લગાડવાથી અરિષ્ટનેમિ' નામ રાખ્યું. - રરૂ પાડ્યું - જે સર્વ ભાવોને પશ્યતિ એટલે દેખે, તે પાર્થ તે નિરુકતાર્થ કહીને ગર્ભના પ્રભાવે માતાએ શયનમાં હતા, ત્યારે અંધકારમાં સર્પ દેખ્યો, આ ગર્ભનો મહિમા છે– એમ જાણી પશ્યતિ એટલે દેખે તે “પાર્થ” નામ પાડ્યું. તથા પાર્થ નામના વૈયાવચ્ચ કરનાર યક્ષના નાથ હોવાથી પાર્શ્વનાથ, તેમાં ભીમસેન માફક પાર્શ્વનાથને બદલે “પાર્થ” નામ રાખ્યું. ૨૪ વર્ધમાન - જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામે એટલે વર્ધમાન. ભગવંત જ્યારથી ગર્ભમાં આવ્યા, ત્યારથી તેઓનું જ્ઞાતકુલ ધન, ધાન્ય આદિ સમૃદ્ધિથી વૃદ્ધિ પામવા લાગ્યું માટે પુત્રનું “વર્ધમાન' નામ રાખ્યું. આ મુખ્ય નામોના અર્થને જણાવનારી શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી સંગ્રહણી (આ. નિ. ૧૦૯૩ થી ૧૧૦૪) ગાથાઓનો અર્થ ઉપર જણાવેલ અર્થમાં આવી જતો હોવાથી અહીં ફરી લખ્યો નથી. આ પ્રમાણે ચોવીશ તીર્થકરોનું નામપૂર્વક કીર્તન કરીને હવે ચિત્ત-શુદ્ધિ માટે પ્રાર્થના કરે છે– પર્વ મણ મથુ, વિદુર્ગ-થ-પત્ની પછી T-નર-મરVI चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु Page #351 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ‘ä' એટલે એ પ્રમાણે, એટલે મે ‘મયા' એટલે નામ ઉચ્ચારવા પૂર્વક મેં જેમની સ્તુતિ કરી, તે જિનેશ્વરો મને પ્રસન્ન થાઓ, તેમને વિશેષ વર્ણવતા કહે છે કે– ‘વિધૂતરનોમાઃ' એટલે રજ અને મલ રૂપ કર્મોને જેઓએ ખંખેરી કંપાવી દૂર કર્યા છે એવા અહીં બંધાયેલું કર્મ તે રજ અને બંધાતુ કર્મ તે મલ, અથવા ગમનાગમન આદિ ક્રિયાથી વીતરાગ-દશામાં બંધાતુ તે રજ. અને સરાગ-અવસ્થામાં કષાયના ઉદયથી બંધાતુ કર્મ, એ મલ જાણવું. તેવા ૨જ અને મલરૂપ કર્મનો જેમણે નાશ કર્યો છે, એવા તે ‘પ્રક્ષીળ-નર-મરા:’ એટલે કર્મરૂપ કારણોના અભાવે જેમના જરા, મરણ આદિ દુઃખો નાશ પામ્યાં છે, એવા તે ‘ઋતુવિજ્ઞતિરપિ' એટલે ઋષભાદિ ચોવીશ અને અપિ શબ્દથી બીજા પણ ‘નિનવા:' એટલે જિનેશ્વરો અહિં શ્રુતકેવલિ આદિજનોમાં કેવલી હોવાથી પ્રધાન અને ‘તીર્થા' એટલે તીર્થ સ્થાપનારા, તે તીર્થકરો ‘મમ' એટલે મને ‘પ્રસીન્તુ’ પ્રસન્ન થાઓ જો કે તેઓ રાગ-દ્વેષ વગરના હોવાથી સ્તુતિથી પ્રસન્ન કે નિંદાથી દ્વેષ, પામતા નથી તો પણ સ્તુતિ કરનાર સ્તુતિનું ફલ અને નિંદા કરનાર નિંદાનું ફલ અવશ્ય પામે છે. જેમ ચિંતામણિ રત્ન, મંત્રો વગેરેમાં રાગ-દ્વેષ ન હોવા છતાં તેના આરાધક-વિરાધકને લાભ-હાનિરૂપ ફળ મળે છે, તેમ વીતરાગ કેવલી અરિહંત માટે પણ સમજવું. ૩૦૦ વીતરાગસ્તવમાં અમે કહેલું છે કેઃ— જેઓ પ્રસન્ન થાય નહિ. તેઓ તરફથી ફલ કેવી રીતે મળે ? એ કલ્પના અયોગ્ય છે, શું જડ છતાં ચિંતામણિ વિગેરે ફળ નથી આપતાં ?” શિષ્યે પ્રશ્ન કર્યો કે, જેઓ પ્રસન્ન થતા નથી, તેઓને ‘પ્રસન્ન થાઓ' એમ ફોગટ પ્રાર્થનાના પ્રલાપો શા માટે કરવા ? તેના સમાધાનમાં કહે છે કે– એમ નથી, કારણકે ભક્તિની અધિકતાથી એમ કહેવામાં દોષ નથી, કહેલું છે કે, ક્ષીણ લેશવાળા એવા તે ભગવંતો વીતરાગ હોવાથી ભલે પ્રસન્ન થતા નથી, પણ તેઓની કરેલી સ્તુતિ નિષ્ફળ જતી નથી, કારણકે તેમની સ્તુતિ કરનારને ભાવની શુદ્ધિ થાય છે, અને તેથી કર્મનો વિગમ થવા રૂપ પ્રયોજન સફળ થાય છે. આખી ગાથાનો સળંગ અર્થ કહે છે ‘એ પ્રમાણે મેં નામ બોલવાપૂર્વક સ્તુતિ કરેલા ચોવીશ અને બીજા પણ તીર્થંકરો જેમણે ૨જ અને મલરૂપ સર્વ કર્મોના નાશ કર્યો છે તેમજ જરા મરણથી રહિત બનેલા અને જિનોમાં શ્રેષ્ઠ એવા તીર્થ સ્થાપનાર અરિહંતો મારા પર પ્રસન્ન થાઓ.' તથા— कित्तिय वंदिअ महिया, जे ए लोगस्स उत्तम सिद्धा । आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दिंतु ॥ ૬ ॥ જીર્તિતા એટલે દરેકના પોતાના નામ બોલવા પૂર્વક કીર્તન કરાએલાં, ‘વંવિતા' એટલે ત્રણ યોગ પૂર્વક (મન, વચન અને કાયા વડે) સમ્યગ્ રીતે સ્તુતિ કરાએલાં ‘મહિતા' એટલે પુષ્પાદિકથી પૂજાયેલા કોઈક ઠેકાણે મળ્યા એવો પાઠાંતર છે, તેમાં મયા-મયા એટલે મારાથી કીર્તન. વંદન સ્તુતિ કરાએલાં, એવા કોણ ? તે કહે છેઃ- ‘ચે તે નોસ્ય ૩ત્તમા' એટલે જેઓ સર્વ જીવલોકમાં કર્મ-મેલ ટળી જવાથી ઉત્તમ છે, વળી ‘સિદ્ધા' એટલે સિદ્ધ થયાં છે, પ્રયોજનો એવા કૃતકૃત્ય થએલાં ‘આરોગ્ય- વોધિનામ' એટલે આરોગ્યસ્વરૂપ મોક્ષને અને તેના કારણભૂત બોધિલાભને-સમ્યગ્ ધર્મ-પ્રાપ્તિને મને આપો. આવો ધર્મ કોઈપણ સાંસરિક-પૌદ્ગલિકસુખની અભિલાષા વગર મોક્ષ માટે જ કરવામાં આવે તો જ તે ધર્મ ગણાય તેથી અહીં મોક્ષ માટે બોધિલાભની પ્રાપ્તિની પ્રાર્થના અને તેના માટે ‘સમાધિવર' એટલે ચિત્તની પરમ સ્વસ્થતારૂપ ભાવસમાધિ અર્થાત્ આત્માનો સમભાવ, તે પણ તરતમભાવ અનેક ભેદવાળી હોય છે Page #352 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૩૦૧ 44 માટે કહે છે કે ‘ઉત્તમં' = સર્વોત્કૃષ્ટ સમાધિને ‘તુ' = આપો, આ પ્રમાણે પ્રસન્ન થતાં નથી, છતાં પણ ભક્તિથી તેમની પ્રાર્થના કરાય છે. આ. નિ. ૧૧૦૮માં કહ્યું છે કેઃ— ‘ક્ષીણ રાગ-દ્વેષવાળા વીતરાગ સમાધિ કે બોધિને આપતા નથી, છતાં પણ ભક્તિથી આ પ્રમાણે પ્રાર્થના માટે બોલવું તે અસત્યામૃષારૂપ વ્યવહા૨ ભાષા છે. (જગતના સર્વ વ્યવહારોમાં વ્યવહારભાષા બોલાય છે, તે ભક્તિરૂપ હોવાથી સફળ છે) આ પ્રમાણે મારા વડે કીર્તન, વંદન, સ્તુતિ, કરાયેલા એ જેઓ આ લોકને વિષે સર્વોત્તમ સિદ્ધ થએલા છે એવા તીર્થકર ભગવંતો મને આરોગ્ય બોધિલાભ અને ઉત્તમ સમાધિ આપો.'૬ તથા– चंदेसु निम्मलयरा आइच्चेसु, अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु I । ૭ ।। અહિં ‘ચંદ્રેનુ’ માં પ્રાકૃતભાષાના નિયમ પ્રમાણે પંચમી વિભક્તિના અર્થમાં સપ્તમી છે, માટે 'ચંદ્વેષુ' ને બદલે ચંદ્રેભ્યઃ સમજવું નિર્મજ્ઞતાઃ એટલે અતિનિર્મળ અર્થાત સકલ કર્મમલ નાશ થવાથી જેઓ ચંદ્રોની નિર્મલતાથી પણ અતિનિર્મળ તેમજ ‘આવિત્યમ્ય: અધિજ પ્રાશા: એટલે અનેક સૂર્યના પ્રકાશ કરતા અધિક પ્રકાશ કરનારાં છે, સૂર્ય અમુક મર્યાદિત ક્ષેત્રોમાં જ પ્રકાશ કરનાર હોય છે અને અરિહંતો કેવલજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી લોકાલોકના સર્વપદાર્થોને પ્રકાશિત કરનારા છે. કહ્યું છે કેઃ “ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ તો લોક તથા અલોકને સર્વ પ્રકારે પ્રકાશ કરે છે (આ.નિ. ૧૧૨) તથા ‘સારવાંમીશ' એટલે પરિષહ-ઉપસર્ગોથી ક્ષોભ પામતા ન હોવાથી સ્વયંભૂરમણ સમુદ્ર સરખા ગંભીર ‘સિદ્ધા' કર્મરહિત થવાથી કૃતકૃત્ય થએલા એટલે સિદ્ધિ મન વિશન્તુ એટલે ‘પરમપદ મોક્ષ મને આપો’ અર્થાત્ ‘ચંદ્રો કતાં અધિક નિર્મળ, સૂર્યો કરાતં અધિક પ્રકાશ કરનાર સ્વયંભૂરમણ કરતાં ગંભીર એવાં સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો ૭. એ પ્રમાણે ચોવીસ જિનોની સ્તવના કહીને સર્વ લોકમાં રહેલા અરિહંતના બિંબોને વંદનાદિ કરવા માટે કાર્યોત્સર્ગ કરવા નિમિત્તે આ પાઠ બોલે સવ્વનો અરિહંત ઘેઞળ મિ જાÆળથી માંડી અપ્પાાં વોસિરામિ સુધી પાઠ બોલવો, તેમાં અરિહંત-ચેઈઆણં અને અન્નત્થ સૂત્રનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે. માત્ર ‘સર્વાંતો' એટલે ઊર્ધ્વ, અધો અને તિર્દા લોક એમ ત્રણ લોકમાં ચમરેન્દ્ર વગેરેના ભવનોમાં તિર્હાલોકમાં દ્વીપો, પર્વતો અને જ્યોતિષના વિમાનોમાં અને ઊર્ધ્વલોકમાં-સૌધર્મ દેવલોક આદિના વિમાનોમાં રહેલા શાશ્વતા જિનબિંબો છે. જે દરેક મંદિરમાં મૂળબિંબ સમાધિનું કારણ હોવાથી પહેલી મૂળનાયકજીની સ્તુતિ કહી અને સર્વે અરિહંતો ગુણોથી એક સરખા હોવાથી સર્વ લોકના સર્વ ચૈત્યોનાં, સર્વ બિંબો ગ્રહણ કરવા માટે બીજી સ્તુતિમાં સર્વ તીર્થંકરની સાધારણ સ્તુતિ કહેવી. કારણકે કાઉસ્સગ્ગ અન્યને આશ્રીને અને સ્તુતિ અન્યને આશ્રીને કહેવાય તો અતિપ્રસંગ થાય, તે ઉચિત ન ગણાય માટે અહીં સર્વ તીર્થંકરની સાધારણ સ્તુતિ કરવાની જણાવી છે. પુકખરવરદીવડ્યે સૂત્રની વ્યાખ્યા હવે જેનાથી તે અરિહંતો અને તેમણે કહેલા ભાવો સ્પષ્ટપણે જાણી શકાય, તેવા દીપક સરખા સભ્યશ્રુતની સ્તવના કરવી જોઈએ. તેમાં પણ તે શ્રુતને કહેનારા ભગવંતની પ્રથમ સ્તુતિ કરે છે– Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ पुक्खरवरदीवड्ढे, धायइसण्डे अ जंबूदीवे अ । भरहेरवय-विदेहे धम्माइगरे नमसामि ॥ १ ॥ અહીં મરતૈરવત-વિવે એટલે ભરતક્ષેત્ર ઐરાવતક્ષેત્ર અને વિદેહ શબ્દથી ભીમ કહેવાથી ભીમસેન માફક મહાવિદેહ ક્ષેત્ર એમ સમાહાર દ્વન્દ્રસમાસ કરતાં ભરતૈરવત-વિદેહ’ શબ્દ થયો તે સરખા નામવાળા અનેક ક્ષેત્રો હોવાથી પાંચ ભરત પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો છે, એટલે શ્રતધર્મના એટલે સૂત્રરૂપે પ્રથમ શરૂઆત કરનારા તીર્થકરોને “નમામિ' એટલે નમસ્કાર સ્તુતિ કરું છું. હવે તે ક્ષેત્રો કયા છે? તે જણાવે છે કે – “પુરવરદીપ તેમાં પુષ્કરો એટલે પા કમળો વડે શ્રેષ્ઠ હોવાથી પુષ્કરવર એવો જંબુદ્વીપથી ગણતાં ત્રીજો જે દીપ તેના માનુષોત્તર પર્વતની અંદર અર્ધો ભાગ તે પુષ્કરવર દ્વીપાઈ. તેમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્રો છે, એમ તેના છ ક્ષેત્રોમાં તથા ધાતકી નામના વૃક્ષોના ખંડો એટલે વનોને લીધે જેનું “ઘાતકીખંડ' નામ છે. જમ્મુ નામના વૃક્ષથી ઓળખાતો અથવા તે વૃક્ષોની પ્રધાનતાવાળો, તે “જબુદીપ આમાં એક ભરત, એક ઐરાવત, એક મહાવિદેહ આ સર્વ મળી પંદર કર્મભૂમિ છે અને બાકીની તો અકર્મભૂમિઓ છે, જે માટે કહ્યું છે કે – મરતૈરવવિહાર મૂમયોડચત્ર રેવડુત્તરાખ્યઃ (તસ્વાર્થ સૂત્ર ૨૨૬) એટલે દેવકુરુ ને ઉત્તરકુરુ સિવાય ભરત, અને મહાવિદેહ ક્ષેત્રો કર્મભૂમિ કહેવાય. અહીં પહેલા પુષ્કરવરદ્વીપ પછી ધાતકી પછી જમ્બુદ્વીપ એમ અવળા ક્રમથી કહ્યું. તે ક્ષેત્રોની વિશાળતાનું પ્રાધાન્ય જણાવવા માટે સમજવું. વળી ધર્મની આદિ કરનારા કહેવાથી જેઓ વચનને અપૌરુષેય-અનાદિ માને છે, તેના ખંડન માટે આગળ નિર્ણય કરેલો છે, તે પ્રમાણે સમજવું. શિષ્ય પ્રશ્ન કર્યો કે, ભગવંતો ધર્મની આદિ કરનારા છે” “એમ કેવી રીતે કહેવાય ? કારણકે તત્પત્રિમાં કરદયા' તે શ્રુત-જ્ઞાનના વચન દ્વારા એ અરિહંત થાય છે.” એમ કહેલું હોવાથી શ્રુતજ્ઞાન પણ અરિહંતોની પહેલાં અનાદિનું છે. તેનું સમાધાન કરતાં જણાવે છે કે એમ નથી, પરંતુ શ્રત અને તીર્થકરોનો સંબંધ બીજ અને અંકુરાની જેમ કારણ-કાર્ય સંબંધવાળો છે. જેમ બીજથી અંકુરો અને અંકુરાથી બીજ તેમ ભગવંતોને પણ આગલા ત્રીજા ભવમાં શ્રુતના અભ્યાસથી તીર્થકરપણું અને તીર્થકરો શ્રતધર્મની આદિ કરનારા છે- એમ કહેવામાં વાંધો નથી. શ્રતધર્મપૂર્વક જ અહંન્તો થાય છે. એવો નિયમ નથી. કારણકે મરુદેવી આદિ મૃતધર્મપૂર્વકના અભાવમાં પણ કેવળી થયા સંભળાય છે. કેવલજ્ઞાન શબ્દ શ્રવણ કરવાથી અને શ્રુતના અર્થમાં પહોંચેલા હોવાથી તેમનું સર્વજ્ઞપણું પ્રાપ્ત થયું છે. વધારે કહેવાથી સર્યું. પુષ્કરવર દ્વીપનો અંદરનો અર્ધદ્વીપ ઘાતકીખંડમાં અને જંબુદ્વીપમાં રહેલા ભરત, ઐરવત અને મહાવિદેહ કર્મભૂમિમાં શ્રતધર્મની આદિ કરનાર તીર્થકર ભગવંતોને નમસ્કાર કરવા દ્વારા સ્તુતિ કરું છું. હવે શ્રુત ધર્મની સ્તુતિ કરતા કહે છે– तमतिमिरपडलविद्धंसणस्स सुरगण नरिंदमहिअस्स । सीमाधरस्स वंदे, पप्फोडिअ-मोहजालस्स ॥ २ ॥ અહીં ‘તમ-તિમિર-પત્ર-વિધ્વંસની' એ પ્રથમ ચરણમાં તમ એટલે અજ્ઞાન એ જ તિમિર એટલે અંધકાર, અર્થાત્ અજ્ઞાનરૂપી અંધકાર, આ એક અર્થ બદ્ધ, સ્પષ્ટ, અને નિધત્ત એવું જ્ઞાનવરણીય કર્મ, તે તમસ અને નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ તે તિમિર તે રૂપના જ્ઞાનવરણીય કર્મનો જે “પટન' એટલે સમૂહ તેને વિશ્ર્વસની' નાશ કરનારા શ્રુતજ્ઞાનને હું વાંદું છું. એમ વાક્યોનો સંબંધ જાણવો. જ્ઞાન એ Page #354 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ***** ૩૦૩ - અજ્ઞાનનો અને બદ્ધ કર્મોનો નાશ કરનાર છે, વળી આમાં ‘સુર ાનોન્દ્રહિતત્ત્વ' સુરગણ એટલે ભવનપતિ આદિ ચારેય નિકાયોના દેવોનો સમૂહ અને નરેન્દ્ર ચક્રવર્તી રાજાઓ વગેરેથી પૂજાએલા શ્રુતજ્ઞાનને વાંદુ છું વળી ‘સીમાધરસ’ = મર્યાદાને ધારણ કરનારા એવા શ્રુતજ્ઞાનને વાંદુ છું. મર્યાદા એટલે કાર્ય-અકાર્યભક્ષ્ય-અભક્ષ્ય, હેય-ઉપાદેય ધર્મ-અધર્મ આદિ સર્વ વ્યવસ્થા શ્રુતજ્ઞાનમાં રહેલી છે. અહીં કર્મ અર્થ (કારક)માં દ્વિતીયાને બદલે ષષ્ઠી વિભક્તિને હોવાથી શ્રુતને વાંદું છું. અગર તેના મહિમાને વંદન કરું છું. પ્રશ્નોતિમોહનાતસ્ય એટલે સર્વથા તોડી નાંખી છે, મિથ્યાત્વાદિ રૂપ મોહજાળ જેણે એવા શ્રુતજ્ઞાનને વાંદું છું. સમ્યગ્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં વિવેકીઓમાં ખોટા રાગ-દ્વેષ કષાયાદિક મૂઢતા નક્કી વિનાશ પામે છે. આ બીજી ગાથાનો સળંગ ભાવાર્થ થયો કે— ‘અજ્ઞાનાદિ તમતિમિરના સમૂહના નાશ કરનાર, દેવોના સમૂહ અને ચક્રવર્તી આદિથી પૂજાએલ, ધર્મ-અધર્માદિ સર્વ મર્યાદાઓને ધારણ કરનાર, અને મોહની જાળનો સવર્થો નાશ કરનારા એવા શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું. ‘આ પ્રમાણે શ્રુતની સ્તુતિ કરીને તેના જ ગુણો બતાવવા દ્વારા અપ્રમાદ વિષયક પ્રેરણાનું પ્રતિપાદન કરતાં કહે છે— નારૂં-ના-મરણ-૨ -સોળ-પળલળસ્મ, જ્ઞાપુસ્વત-વિસાન-મુદ્દાવહસ્સે । જો દેવ-વાળવ-ત-વિઞસ્ત્ર, ધમ્મસ સારમુવતા વ પમાય ॥ રૂ ॥ તેમાં : ધર્મસ્થ કયો બુદ્ધિમાન શ્રુતધર્મના, ‘સર’ સામર્થ્યને, ‘પતમ્ય' પામીને-જાણીને તે શ્રુતજ્ઞાનમાં જણાવેલાં ધર્માચરણોમાં પ્રમાણ્ ત્’ = પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ સમજુ પ્રમાદ ન ‘નાતિ-ના-મરા-શો' = જન્મ, વૃદ્ધાવસ્થા, – કરે. આ શ્રુતધર્મનું સામર્થ્ય કેવું છે ? તે કહે છે મરણ અને મનનો શોક ઈત્યાદિ દુઃખોનો ‘પ્રાશનસ્ય' મૂળમાંથી સર્વથા નાશ કરવાનું જેમાં સામર્થ્ય છે. શ્રુતધર્મમાં કહેલા અનુષ્ઠાનોથી જન્માદિક નક્કી નાશ પામે જ છે, આ વિશેષણથી જ્ઞાનમાં સર્વ અનર્થો નાશ કરવાની તાકાત છે—એમ જણાવ્યું. ‘ત્યાળ-પુન-વિશાત મુલ્રાવક્ષ્ય' તેમાં કલ્પ એટલે આરોગ્યને = અતિ - લાવે તે કલ્યાણ, મોક્ષ, વળી પુખ્ત = સંપૂર્ણ લગાર પણ ઓછું નહિ, પરંતુ વિસ્તારવાળું મુહાવહસ્ય એવું સુખ પ્રાપ્ત કરાવવાનું જેમાં સામર્થ્ય છે. શ્રુતધર્મમાં કહેલા અનુષ્ઠાન ધર્મથી કહેલા લક્ષણવાળું અપવર્ગ-મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય જ, આ વિશેષણથી આ શ્રુતજ્ઞાન વિશિષ્ટ અર્થ પમાડનાર છે. તે કહે છે:- વળી, ‘તેવવાનવ-નરેન્દ્રાળા-ચિંતસ્ય' દેવોએ દાનવોએ અને ચક્રવર્તીઓએ જેનું અર્ચન કરેલું છે એવું શ્રુતજ્ઞાન, હવે સળંગ અર્થ કહે છેઃ— જન્મ વૃદ્ધા-વસ્થા, મરણ અને શોકને સર્વથા નાશ કરનાર કલ્યાણ એટલે મોક્ષરૂપ સંપૂર્ણ સુખને પ્રાપ્ત કરાવનાર, અનેક દેવો, દાનવો અને ચક્રવર્તી આદિના સમુદાયથી પૂજાએલ એવા શ્રુતજ્ઞાનના પ્રભાવને જાણી ક્યો બુદ્ધિમાન તેમાં બતાવેલાં અનુષ્ઠાનોમાં પ્રમાદ કરે ? અર્થાત્ બુદ્ધિશાળી કોઈ પ્રમાદ ન કરે' ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાનનું અચિત્ત્વ સામર્થ્ય છે, માટે કહે છે કેઃ— सिद्धे भो ! पयओ णमो जिणमए, नंदी सया संजमे । देवं नागसुवण्ण किन्नरगण - सब्भूअ - भावच्चिए लोगो जत्थ पइट्ठिओ जगमिणं, तेलुक्कमच्चासूरं धम्मो व सासओ विजयओ, धम्मुत्तरं वड्डउ = = ॥ ૩ ॥ I ॥ ૪ ॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 444 અહીં એટલે આ જિનમત નક્કી નિઃસંદેહપણે ફળ આપનાર છે અથવા સિદ્ધ એટલે સર્વનયોમાં જિનમત વ્યાપક હોવાથી એટલે સર્વનયો જિનમતમાં સમાએલા છે તથા કષ, છેદ અને તાપરૂપ ત્રિકોટી (પરીક્ષાર્થી) શુદ્ધરૂપે નિવડેલ હોવાથી પણ સિદ્ધ છે, આ ‘સિદ્ધ’ વિશેષણ શ્રુત-આગમનું ‘મો पश्यन्तु ભવન્ત:' આદરપૂર્વક આમંત્રણ કરતા કહે છે કેઃ– અરે તમે જુઓ ! કે આટલા કાળ સુધી તો મેં સારી રીતે યથાશક્તિ જિનમતની આરાધનામાં પ્રયત્ન કર્યો. ‘નમો નિનમસ્તે ‘તે જિનમતને મારા નમસ્કાર થાઓ' એ પ્રમાણે પ્રયત્નવાળો બીજાની સાક્ષીએ પ્રયત્નવાળો થઈ ફરી જિનમતને નમસ્કાર કરે છેઃ‘ગમોનિગમ' પ્રાકૃત હોવાથી ચતુર્થી વિભક્તિના અર્થમાં સાતમી વિભક્તિ કહેલી છે. એમ જણાવી વળી કહે છે કેઃ— આ શ્રુતજ્ઞાનયોગે ‘નદ્ધિ સા સંયમે' એટલે હંમેશા સંયમ-ચારિત્રમાં આનંદ અને સંયમ વૃદ્ધિ થાય છે. કહેલું છે કેઃ- પઢમં નાળ તો થયા એટલે દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ જ્ઞાન અને પછી જ્ઞાનથી દયા એટલે સંયમ પ્રાપ્ત થાય છે એ સંયમ ધર્મ કેવો છે ? તે જણાવતા કહે છે કેઃ– તેવું નાસુવળનિરાળું:, સદ્ભૂત માષિતે ‘એટલે કે વૈમાનિક દેવો, ધરણેન્દ્ર, આદિ નાગદેવો, સુપર્ણકુમાર આદિ ગરુડ દેવો, કિન્નર એટલે વ્યંતર દેવોએ ઉપલક્ષણથી જ્યોતિષ્મઆદિ સર્વ દેવોએ જે સંયમને સાચા અંતઃકરણના ભાવપૂર્વક પૂજ્યું છે.’ દેવના ઉપર અનુસ્વાર છે, તે છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે માત્રામેળ માટે સમજવો તથા સંયમીઓ દેવતાદિકોથી હંમેશા પૂજાય છે, વળી જિનમતનું વર્ણન કરે છે કે - યંત્ર નોઃ પ્રતિષ્ઠિત નાવિમ્' = જે જૈનાગમમાં ‘લોક' જેનાથી જોવાય, તે લોક એટલે જ્ઞાન’ પ્રતિષ્ઠિત છે. તે જ્ઞાન જૈનાગમને આધીન છે, અને આ જગત્ જ્ઞેયપણે જેમાં રહેલું છે. કહેવાનું તત્વ એ છે કે - જિનમતરૂપ આગમની સેવા - આરાધનાથી જ જ્ઞાન પ્રગટે છે અને જ્ઞાન જૈનાગમમાં છે અને સમસ્ત જગત પણ આગમ દ્વારા દેખાય કે સમજાય છે. તેથી આ જગત પણ જૈનાગમમાં જ રહેલું છે. કેટલાકો મનુષ્યલોકને જ જગત માને છે તે ખોટું છે, માટે જગતનું વિશેષણ આપે છે કે ત્રૈલોયમાંસુરમ્ - મનુષ્યો દેવો ઉપલક્ષણથી બાકીના સર્વ જીવો જેમાં રહે છે, તે ઉર્ધ્વ, અધો અને તિર્દા લોકરૂપ આધાર જગત્ અને તેમાં રહેલા સર્વ જીવ, અજીવાદિ ભાવો રૂપ આધેય જગત્ એમ આધાર-આધેયરૂપ સર્વ જગત્ જૈનમતમાં પ્રતિષ્ઠિત છે. એવા જૈનમતરૂપ આ ધર્મ: એટલે શ્રુતધર્મ ‘શાશ્ર્વત્’ = કદી નાશ ન પામે તેમ શાશ્વત રીતે ‘વધૃતામ્’ = વૃદ્ધિ પામે કેવી રીતે ? ‘વિનયતાં થર્મોત્તર' એટલે અન્ય મિથ્યાત્વાદીઓનો પરાજય કરવાપૂર્વક તેમજ શ્રુતધર્મથી ચારિત્રધર્મની અધિકતા જે રીતે થાય, અર્થાત્ શ્રુતના આરાધકોમાં ચારિત્રગુણની વૃદ્ધિ થાય, તે રીતે ‘વર્થતામ્' વૃદ્ધિ પામો. ફરી વૃદ્ધિ પામો એમ એટલા માટે જણાવ્યું કહેલું છે કેઃ— ‘અપુત્ત્રનાળાળે' એટલે અપૂર્વ-અભિનવ-નવું જ્ઞાન ગ્રહણ કરવાથી તીર્થંકર-નામકર્મ બંધાય છે. હવે સળંગ અર્થ કહે છેઃ— “જે જિનમતમાં જ્ઞાનગુણ રહેલો છે, જેમાં આધાર-આધેય રૂપ દેવો, મનુષ્યો, ત્રણ લોક રૂપ જગત્ રહેલું છે અને વૈજ્ઞાનિકો, નાગકુમાર, સુપર્ણકુમાર, વ્યંતરો વિગેર સર્વ દેવોનો સમૂહથી પૂજિત એવા સંયમધર્મની જેનાથી હંમેશા વૃદ્ધિ થાય છે. તે સિદ્ધ-યથાર્થ જિનમતને પ્રયત્નપૂર્વક સેવતો હું હે ભવ્યો ! પુનઃ નમસ્કાર કરું છું. એ જિનમતરૂપ શ્રુતધર્મ અન્ય મિથ્યાવાદીઓના વિજય કરવા પૂર્વક ચારિત્રધર્મની જેવી રીતે વૃદ્ધિ થાય, તેમ તે જિનમત કદી ય નાશ ન પામે તે રીતે વૃદ્ધિ પામો.’ = ૩૦૪ આ પ્રાર્થના મોક્ષના બીજ સરખી હોવાથી વાસ્તવિક રીતે આશંસા-રહિત જે પ્રણિધાન-પ્રાર્થના કરીને શ્રુતને જ વંદન કરવા માટે કાર્યોત્સર્ગ-નિમિત્તે આ પ્રમાણેનો પાઠ બોલે ‘સુઅક્ષ માવો મિ Page #356 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૩૦૫ જાસ્થળ વંળ' વગેરે ‘અપ્પાનું વોસિરામિ' સુધીનો પાઠ કહેવો, જેનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે, માત્ર શ્રુતસ્ય મળવત' એટલે કે પ્રથમ સામાયિકસૂત્ર એટલે ‘કરેમિભંતે’ સૂત્રથી માંડીને બિન્દુસાર નામના દૃષ્ટિવાદના છેલ્લાં અધ્યયન સુધી એટલે દ્વાદશાંગીરૂપ સમગ્ર ‘શ્રુત’ યશ, પ્રભાવ આદિ ભયુક્ત હોવાથી ‘ભગવત્' આવા શ્રુત ભગવંતની આરાધના માટે કાઉસ્સગ્ગ કરું છું ત્યાર પછી પહેલાની માફક ધારીને શ્રુતની સ્તુતિ બોલે. શ્રુતની ત્રીજી સ્તુતિ કહ્યા પછી શ્રુતમાં કહેલાં અનુષ્ઠાનો પરંપરાના ફલરૂપ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે આ પાઠ બોલે: सिद्धाणं, बुद्धाणं, पारगयाणं परंपरगयाणं लो अग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ॥ ૧ ॥ ટીકાર્થ : અહીં સિદ્ધ કહેતા સિદ્ધ થએલા—' જેને ફરી રંધાવાનું નથી. એવા રાંધેલા ભાતની જેમ જેઓની પોતાના તે તે ગુણોથી સિદ્ધ થએલા-પૂર્ણ થયાં, તે તે વિષયમાં હવે તેમને કંઈ પણ કરવાનું બાકી નથી, તેઓ સિદ્ધ, તેઓને નમસ્કાર થાઓ, એમ વાક્યનો સંબંધ જોડવો, એમાં પણ સામાન્યથી કર્મ-સિદ્ધ વગેરે અનેક પ્રકારો પણ કહેલા છે, કહ્યું છે કે– ‘કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા અભિપ્રાય, તપ અને કર્મક્ષય-સિદ્ધ એમ અગિયાર પ્રકારના સિદ્ધો કહેલા છે,' તેમાં કોઈ શિખવનાર આચાર્યના ઉપદેશ વગર જ ચાલુ થયા હોય જેવા કે ભાર ઉપાડવો, ખેતી કરવી, વેપાર વગેરે કાર્યો કર્મ, ‘સહ્યગિરિ-સિદ્ધ’ની માફક પારંગત-નિષ્ણાંત હોય તે કર્મસિદ્ધ કહેવાય, (૧) કોઈ આચાર્યના ઉપદેશથી લોકોમાં ચાલુ થયું હોય, તે લુહાર, ચિત્રકાર, મૂર્તિ ઘડનાર આદિની કળાઓ શિલ્પ કહેવાય, તેમાં કોકાસ સુથાર માફક જે નિષ્ણાત હોય તે શિલ્પસિદ્ધ કહેવાય (૨) જાપ, હોમ આદિથી ફળ આપનાર વિદ્યા, જાપ આદિથી રહિત માત્ર પાઠ બોલાવવાથી સિદ્ધ થાય તે મંત્ર, સ્ત્રી અધિષ્ઠાયક દેવતાવાળી વિદ્યા અને પુરૂષ અધિષ્ઠાયક દેવતાવાળો મંત્ર, તેમાં આર્ય ખપુટાચાર્ય માફક વિદ્યાસિદ્ધિ થયા હોય, તે વિદ્યાસિદ્ધ (૩) સ્તંભકાર્ષકની જેમ મંત્રસિદ્ધ (૪) અનેક ઔષધિઓ ભેગી કરી લેપ, અંજન આદિ તૈયાર કરે તે યોગ, તેમાં આર્ય સમિતાચાર્ય માફક સિદ્ધ થયા હોય, તે યોગસિદ્ધ કહેવાય. (૫) આગમ એટલે બાર અંગો-પ્રવચન તેમાં અસાધારણ અર્થ જાણનાર સિદ્ધ હોવાથી ગૌતમસ્વામી માફક આગમસિદ્ધ (૬) અર્થ એટલે ધન તે બીજાની અપેક્ષાએ મમ્મણ માફક પુષ્કળ પ્રાપ્ત થયું હોય તે અર્થસિદ્ધ (૭) જળમાર્ગે કે સ્થળમાર્ગે જેને તુંડિક માફક મુસાફરી પૂર્ણ થતી હોય તે યાત્રાસિદ્ધ (૮) જે કાર્ય જે રીતે કરવાનો અભિપ્રાય કર્યો હોય, તે રીતે અભયકુમાર માફક સિદ્ધ કરે તે અભિપ્રાયસિદ્ધ (૯) દ્રઢપ્રહારી માફક સર્વોત્કૃષ્ટ તપ કરવાનું સામર્થ્ય પ્રગટ થયું હોય, તે તપસિદ્ધ (૧૦) અને મરુદેવા માતાની જેમ જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ મૂળથી ઉખેડી નાશ કરવા રૂપ કર્મક્ષયથી જે સિદ્ધ થયા તે કર્મસિદ્ધ (૧૧) કહેવાય ઉપર જણાવેલા પ્રથમના દશ • એટલે અજ્ઞાનરૂપ નિદ્રામાં ઉંઘતા જગતમાં બીજાના ઉપદેશ વગર જીવાદિ સ્વરૂપ જાણીને બોધ પામેલા, અર્થાત્ બોધ, પામ્યા પછી કર્મોના સર્વથા ક્ષય કરી જેઓ સિદ્ધ થયા, તેમને મારો નમસ્કાર થાઓ, અહીં કેટલાક એમ માનનારા છે કે, આ સિદ્ધ સિદ્ધપણામાં સંસાર અને નિર્વાણનો ત્યાગ કરીને રહેલા હોય છે. તેઓ કહે છે કેઃ— ‘જે ભુવનના કલ્યાણ માટે સંસાર અને નિર્વાણમાં ત્યાગ કરીને રહેલા હોય છે. તેઓ કહે છે કેઃ— ‘જે ભુવનના કલ્યાણ માટે સંસાર કે નિર્વાણમાં સ્થિર થયા નથી અને લોકો જેનું સ્વરૂપ જાણી શકતા નથી. ચિંતામણીમાં રત્નથી અધિક એવા તે મહાન - 1 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ છે.' તેમના એ મતનું ખંડન કરવા માટે કહે છે કે- ‘પાર ક્લેમ્સઃ' સંસારના પાર અર્થાત અંતને પામેલા, અથવા સંસારના પ્રયોજનના અંતને પામેલા, તેઓને નમસ્કાર થાઓ. તે પાર પામેલા માટે પણ કેટલાક યદચ્છાવાદીઓ કહે છે- “જેમ કોઈ દરિદ્રને એકાએક રાજ્ય મળી જાય, તેમ જીવ પણ આકસ્મિક સિદ્ધ થાય. તેમાં ક્રમ જેવી કોઈ વસ્તુ હોતી નથી. તેમનું ખંડન કરતા કહે છે કે “પરંપરજોગ:' એટલે પરંપરાએ સિદ્ધ થયેલાઓને નમસ્કાર થાઓ. અહીં પરંપરા એટલે ચૌદ ગુણસ્થાનકોના ક્રમે જેનો આત્મા વિકાસ પામ્યો છે, અથવા કોઈ પ્રકારે કર્મના ક્ષયોપશમ આદિની સામગ્રીના યોગે પ્રથમ સમ્યગુ પછી સમ્યગુજ્ઞાન તેથી સમ્યફચારિત્ર એવા ક્રમથી જેણે ગુણ-પ્રાપ્તિ કરી છે, તે પરંપરાથી સિદ્ધ થયેલાઓને આ સિદ્ધોને કેટલાક મોક્ષરૂપ નિયત સ્થાનને બદલે અનિયત સ્થાને રહેલા માને છે. તેઓ એમ કહે છે કે – જ્યાં આત્માના સંસાર કે અજ્ઞાનરૂપ લેશોના નાશ થાય છે, ત્યાં તેનું વિજ્ઞાન સ્થિર રહે છે અને અને લેશોના સર્વથા અભાવ થવાથી અહીં સંસારમાં તેને કદાપિ લેશ પણ બાધા કે દુઃખ હોતા નથી. તેમની આ માન્યતાનો નિરાસ કરવા માટે કહે છે કે- નો પ્રમુપતેગ્ય: અહીં લોકાગ્ર એટલે ચૌદરાજરૂપ લોકની ઉપર અંત ભાગમાં રહેલી ઈષતપ્રાગભારા' નામની સિદ્ધશિલા પૃથ્વી, તેની “ઉપ' એટલે સમીપે, અર્થાત, તે સિવાય બીજા કોઈ સ્થળે નહિ, પણ સર્વ કર્મોનો ક્ષય કરવા પૂર્વક ત્યાં જ પહોંચેલા, ત્યાં જઈને રહેલા એવા સિદ્ધોને કહેલું છે કે – “જ્યાં સિદ્ધનો એક આત્મા છે. ત્યાં સંસારનો ક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા બીજા સિદ્ધો એકબીજાને અગવડ કર્યા વગર અનંતા સુખને પામેલા સુખેથી રહેલા છે. (આ. નિ. ૯૭૫) તેમને નમસ્કાર હો. પ્રશ્ન કર્યો કે, સર્વ કર્મો ક્ષીણ થયા પછી તે જીવની લોકાગ્ર સુધી ગતિ કેવી રીતે થાય ? સમાધાન કરતા કહે છે કે– “પૂર્વ-પ્રયોગ આદિ કારણોના યોગે તેઓ સિદ્ધિગતિ પામે છે. કહેવું છે કે – ‘પૂર્વ પ્રયોગની સિદ્ધિથી એટલે જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગથી સ્વયં આગળ જાય છે, તેમ જીવ કર્મથી મુક્ત થતાં જ ઊર્ધ્વગતિ કરે છે, વળી જેમ એરંડાની ફળીમાંથી છૂટતા જ એરંડાનો દાણો આપોઆપ ઉછળે છે, તેમ જીવ કર્મરૂપબંધનમાંથી છૂટતા જ ઊર્ધ્વ-ગમન કરે છે, જેમ માટીના લેપથી ખરડાયેલ તુંબડું જળમાં ડુબાડી દેવામાં આવે, ત્યાર પછી માટી ધોવાઈ જતાં તે તરત જ સ્વયં ઉપર આવી જાય, તેમ જીવનો કર્મલપ ધોવાતા જ અસંગ બનતા જ જીવ ઊર્ધ્વગમન જ કરે છે. જીવનો ઊર્ધ્વગમન કરવાનો સહજ કુદરતી સ્વભાવ હોવાથી સિદ્ધો ઊર્ધ્વગતિ પામે છે.” ફરી પ્રશ્ન કર્યો કે- “જીવ સિદ્ધિક્ષેત્રથી આગળ ઊંચે, નીચે કે તિચ્છ કેમ જતો નથી ? તેનો પણ ઉત્તર કહે છે કે- “ગૌરવ એટલે કર્મનો ભાર છુટી જવાથી અને નીચે જવાના કારણરૂપ બીજા કસાનો સંગ ન હોવાથી મુક્ત થએલો જીવ નીચે જતો નથી. જેમ પાણીની સહાયતાના અભાવે પાણીની સપાટીથી આગળ ઉંચાણમાં નાવડી જઈ શકતી નથી, તેમ જીવ પણ જવા માટે ગતિ-સહાયક ધર્માસ્તિયકાય દ્રવ્યો ઉપર અલોકમાં અભાવ હોવાથી, ધર્માસ્તિકાય છે, ત્યાં સુધી-એટલે લોકને જઈ અટકી જાય છે, તેથી ઉપર જતો નથી અને તિર્જી ગતિના કારણભૂત યોગો કે તેના વ્યાપારી ન હોવાથી તિÚ ગમન પણ કરતો નથી, માટે સિદ્ધોની લોકના અગ્રભાગ સુધી જ ઊર્ધ્વગતિ છે' એ પ્રમાણે લોકના અગ્રભાગ પર રહેલા સિદ્ધોને નમસ્કાર થાઓ. વળી– નમ: સતા સર્વસિ : એટલે જેમના સર્વ સાધ્યો સિદ્ધ થયાં છે, અથવા તીર્થસિદ્ધ આદિ ભિન્ન ભિન્ન પ્રકારે જેઓ સિદ્ધ થયા છે, તે સર્વસિદ્ધોને હંમેશા નમસ્કાર થાઓ કહ્યું છે કે – (૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થકર સિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (૭) બુદ્ધબોધિત સિદ્ધ(૮) સ્ત્રીલિંગ સિદ્ધ (૯) પુરુષલિંગ સિદ્ધ (૧૦) નપુસંકલિગ સિદ્ધ (૧૧) સ્વલિંગ સિદ્ધ Page #358 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૩૦૭ (૧૨) અન્યલિંગ સિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ (૧૪) એક સિદ્ધ (૧૫) અનેક સિદ્ધ-એમ પંદર ભેદો જાણવા તેમાં ૧. તીર્થ એટલે ચતુર્વિધ શ્રમણસંધરૂપ તીર્થ ઉત્પન્ન થયા પછી જે સિદ્ધિ પામ્યા. તે તીર્થ સિદ્ધો. ૨ તીર્થનો વિચ્છેદ થયો હોય અથવા તીર્થના વચ્ચેના આંતરા કાળમાં જ્યારે સાધુઓનો વિચ્છેદ હોય, ત્યારે જાતિસ્મરણાદિ જ્ઞાનના યોગે, મોક્ષમાર્ગ પામીને સિદ્ધ થયેલા અથવા મરુદેવા-માતા માફક તીર્થ સ્થપાયા પહેલા જ સિદ્ધ થયા હોય, તે અતીર્થસિદ્ધ કહેવાય ૩. તીર્થંક૨૫ણું ભોગવીને સિદ્ધ થએલા તીર્થંકરો તે તીર્થંકર સિદ્ધ ૪. બાકીના સામાન્ય કેવલી થઈ સિદ્ધ થએલા, તે સર્વ અતીર્થંકર સિદ્ધ ૫. પોતાની મેળે બોધ પામી સિદ્ધ થયા, તે સ્વયંબુદ્ધ સિદ્ધો. ૬. પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ થયાં. તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધો સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બોધિપ્રાપ્તિના પ્રકારમાં ઉપાધિમાં શ્રુતજ્ઞાન અને વેષમાં પરસ્પર ફક હોય છે. સ્વયંબુદ્ધ કોઈ બાહ્ય નિમિત્ત કે ઉપદેશ વિના જ બોધ પામે છે અને પ્રત્યેકબુદ્ધ જેમ કરઠંડુ બળદની વૃદ્ધાવસ્થા દેખી બોધ પામ્યા. તેમ વૈરાગ્યના કોઈ બાહ્ય નિમિત્તથી બોધ પામે છે. ઉપધિમાં સ્વયંબુદ્ધને પાત્ર વિગેરે બાર પ્રકારની ઉપધિ છે અને પ્રત્યેકબુદ્ધને ત્રણ કપડાં સિવાય નવ પ્રકારની ઉપધિ હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વમાં પૂર્વેનું ભણેલું જ્ઞાન વર્તમાનમાં હોય તેવો નિયમ નથી. જ્યારે પ્રત્યેકબુદ્ધને તે જ્ઞાન નિયમથી હોય છે. સ્વયંબુદ્ધ સાધુવેષ પ્રાયઃ ગુરુની સાંનિધ્યમાં પણ ગ્રહણ કરે છે, જ્યારે પ્રત્યેકબુદ્ધને નિયમથી દેવતા સાધુવેષ આપે છે. આ પ્રમાણે તે બેમાં અંતર છે. તે સિવાયના ‘બુદ્ધ' એટલે જ્ઞાની આચાર્ય આદિના ઉપદેશથી બોધ પામીને સિદ્ધ થયા તે બુદ્ધબોધિત કહેવાય. એ દરેક પ્રકારોમાં કેટલાંક સ્ત્રીલિંગ સિદ્ધ થયા, તે ૮-સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગે મોક્ષ ગયા તે ૯-પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગે મોક્ષ ગયા, તે ૧૦-નપુંસકલિંગસિદ્ધ. વચમાં શિષ્યે શંકા કરી કે શું તીર્થંકરીપણે પણ સ્ત્રીઓ સિદ્ધ થાય છે અને તેઓના તીર્થમાં સામાન્ય કેવલિપણે અતીર્થંકર અને અતીર્થંકરીઓ પણ સિદ્ધ થાય છે, પરંતુ તે બંનેમાં અતીર્થંકરી સિદ્ધોનું પ્રમાણ વધારે એટલે અસંખ્યાતગણું છે. તીર્થંકરસિદ્ધો નપુંસકલિંગે સિદ્ધ થતાં જ નથી, તથા પ્રત્યેકબુદ્ધસિધ્ધિ પુરુષલિંગ જ સિદ્ધો થાય. ૮૯-૧૦ રજોહરણ આદિ દ્રવ્યલિંગરૂપ સ્વલિંગે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધો ૧૧, પરિવ્રાજક આદિના બીજાના લિંગે સિદ્ધ થાય તે, અન્યલિંગસિદ્ધો, ૧૨, મરુદેવી આદિ ગૃહસ્થલિંગે સિદ્ધ ૧૩, એક સમયે એક જ સિદ્ધ તે એક સિદ્ધ ૧૪, એક સમયે ૧૦૮ સિદ્ધ થયા તે, અનેક સિદ્ધ ૧૫ એમ પંદરભેદે સિદ્ધો કહ્યા, જે માટે કહેલું છે કે ‘એકથી માંડી બન્નીશપર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી, તેત્રીશથી અડતાલીશ પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી સાત સમય સુધી, ઓગણપચાસથી સાઠ સુધી સાથે સિદ્ધ થના૨ા ઉત્કૃષ્ટથી છ સમય સુધી, એકસઠથી બહોતેર પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી તહોંતેરથી ચોરાશી પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ચારસમય સુધી, પંચાશીથી છનું પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી. સત્તાણુંથી એકસો બે પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટ બે સમય સુધી. એકસો ત્રણથી આઠ પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી એક સમય સુધી જ મોક્ષમાં જાય છે, ત્યારબાદ નક્કી વચ્ચે અંત૨ અર્થાત્ ગાળો પડે. અહિં શિષ્યે પ્રશ્ન કર્યો કે :- ‘આ સિદ્ધના પંદર ભેદોમાં પ્રથમ તીર્થસિદ્ધ અને બીજા અતીર્થસિદ્ધ આ બે પ્રકારોમાં જ બાકીના ભેદ સમાઈ જાય છે. કારણકે તીર્થંકર સિદ્ધ વિગેરે, કાં તો તીર્થસિદ્ધ હોય કે અતીર્થસિદ્ધ હોય, તો બાકીના ભેદોનું શું પ્રયોજન છે ?’ ઉત્તર :– ‘તમારી વાત સત્ય છે. છતાં બે જ ભેદ કહેવામાં બાકીના ભેદોનું જ્ઞાન થઈ શકે નહિ, માટે નવીન વસ્તુનું જ્ઞાન કરાવવા માટે ઉત્તરભેદો Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જણાવ્યા તે યોગ્ય છે.' આ પ્રમાણે આ ગાથાનો સળંગ અર્થ એ થયો કે “સિદ્ધ થએલા, બુદ્ધ થએલા, સંસારના પારને પામેલા, પરંપરાએ સિદ્ધ થએલા, લોકાગ્ર પર રહેલા, એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર થાઓ.' આ પ્રમાણે સામાન્યથી સર્વસિદ્ધોની સ્તુતિ કરીને નજીકના ઉપકારી વર્તમાન શાસનાધિપતિ શ્રી મહાવીરસ્વામી - વર્ધમાનસ્વામિની સ્તુતિ કરે છે – जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । तं देवदेवमहिअं सिरसा वंदे महावीरं તેમાં ‘:' = જે ભગવાન મહાવીર લેવાનામપિ' એટલે ભવનપતિ વિગેરે સર્વ દેવોને પૂજ્ય હોવાથી તેઓના પણ દેવઃ દેવ છે અને એથી જ ‘યં દેવી: પ્રાયો નથતિ' “જેઓને દેવો પણ વિનયપૂર્વક બે હાથની અંજલિ કરીને નમસ્કાર કરે છે, તે દેવદેવ'–હિત એટલે તે દેવોના પણ દેવ ઈન્દ્રાદિક તેનાથી પૂજાએલા “મહાવીર' = ભગવંત શ્રી મહાવીરને રિક્ષા વક્વે' = મસ્તક વડે વંદન કરું છું. મસ્તક વડે કથન અત્યંત આદર બતાવવા માટે સમજવું. હવે મહાવીર કેવા ? તે કહે છે – વિશેષ પણ એટલે સર્વથા કર્મોને ઈરણ કરે એટલે નાશ કરે, અથવા જેઓ વિશેષપણે પરાક્રમ કરવા પૂર્વક મોક્ષમાં જાય, તે વીર અને વીરોમાં પણ મહાન એટલે ભગવંત હોવાથી “મહાવીર' એવું નામ દેવોએ આપેલું છે, તેઓને મસ્તકથી વંદન કરું છું. સળંગ અર્થ એમ થયો કે- જે દેવોના પણ દેવ છે, અને તેથી સર્વે દેવો જેમને બે હાથની અંજલિ જોડીને નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વિગેરેથી પૂજાએલા શ્રી મહાવીરને હું મસ્તક વડે વાંદું છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને ફરી તેઓની સ્તુતિનો મહિમા વર્ણવવા દ્વારા બીજાઓના ઉપકાર માટે અને પોતાના ભાવની વૃદ્ધિ કરવા માટે સ્તુતિનું ફળ બતાવનારી ગાથા કહે છે – इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसार-सागराओ, तारेइ नरं व नारिं वा ॥ ३ ॥ “ોડા નમ:' એટલે બહુ વખત નમસ્કારની વાત તો દૂર રાખીએ, માત્ર એક જ વખત નમસ્કાર-જે દ્રવ્યથી મસ્તકાદિ નમાવવા રૂપ શરીર-સંકોચ અને ભાવથી મનની એકાગ્રતારૂપ સંકોચ લક્ષણ, ‘બિનવારવૃષમાય' = અહીં જિન કહેતાં શ્રુતજિન, અવધિજિન વગેરે તેમાં પણ “વર' એટલે શ્રેષ્ઠ સામાન્ય કેવલી, તેઓમાં વૃષભ સમાન એટલે સામાન્ય કેવલીઓમાં પણ તીર્થકર નામકર્મના ઉદયવાળા ભગવંત હોવાથી ઉત્તમ માટે, જિનવરમાં વૃષભ સરખા, ઋષભ આદિ સર્વ તીર્થકરો વૃષભ સરખા ઉત્તમ છે, તેથી અહીં વિશેષનામ કહે છે કે- ‘વર્ધમાનાય' “વર્ધમાનસ્વામીને આદરપૂર્વક કરેલો એક પણ નમસ્કાર' એમ વાક્યર્થ જોડવો, એવો કરેલો નમસ્કાર શું કાર્ય કરે છે ? તે જણાવે છે કે– સંસારસા RI તારતિ' = તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવરૂપે જીવોનું પરિભ્રમણ-સંસરણ તે સંસાર આ સંસાર ભવસ્થિતિ, કાયસ્થિતિ વડે અનેક પ્રકારની અવસ્થાવાળો હોવાથી સમુદ્ર માફક તેનો પાર પામવો મુશ્કેલ હોવાથી સાગર જેવો, માટે સંસાર, એ જ સાગર. એવા સંસાર-સાગરથી જે તારે - પાર પમાડે છે, કોને ? “નર વ નારિ વીપુરુષ કે સ્ત્રીને અહિ ધર્મમાં પુરુષની પ્રધાનતા જણાવવા માટે પ્રથમ “પુરુષને એમ કહ્યું છે, અને સ્ત્રીઓને પણ તે જ ભવમાં તારે છે, અથવા સંસારનો ક્ષય કરી મોક્ષ પમાડે છે, તે જણાવવા માટે નારિ વા ગ્રહણ કર્યું છે. દિગમ્બરોનો યાપનીયતંત્ર નામનો એક પક્ષ છે કે જે સ્ત્રીને મોક્ષ માને છે, તેમાં કહ્યું Page #360 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૩૦૯ +44 છે કે સ્ત્રી પોતે અજીવ નથી, તેમ જ અભવ્ય પણ નથી. તેને સમ્યગ્દર્શન ન થાય, તેમ પણ નથી, મનુષ્ય નથી એમ પણ નથી, અનાર્યપણે ઉત્પન્ન થયેલ છે તેમ પણ નથી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળી યુગલની પણ નથી. અતિક્રૂર બુદ્ધિવાળી છે એમ પણ નથી, સ્ત્રીને મોહનો ઉપશમ થતો નથી એમ પણ નથી, અશુદ્ધ આચારવાળી છે– એમ પણ નથી, અશુદ્ધ શરીરવાળી કે વજઋષભનારાચ સંઘયણ નથી હોતુ- તેમ પણ નથી. (ધર્મ) વ્યાપાર-રહિત નથી, અપૂર્વકરણ ગુણસ્થાનકની વિરોધિની નથી, અર્થાત્ તેને અપૂર્વકરણ ન જ હોય તેમ નથી. સર્વ વિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાનકથી ચૌદમા સુધીના નવગુણસ્થાનકો અથવા નવ એટલે નવાં નવાં ગુણસ્થાનકોથી રહિત જ હોય– એમ પણ નથી તેમ જ અકલ્યાણનું ભાજન છે અર્થાત્ મોક્ષ માટે અયોગ્ય જ છે– એમ પણ નથી; તો તે સ્ત્રીઓ ઉત્તમધર્મને એટલે કે મોક્ષને ન જ સાધે-એમ શી રીતે કહેવાય ? અર્થાત્ સ્ત્રીઓમાં પણ મોક્ષ-સાધનાને અંગે જરૂરી ભાવો હોઈ શકે છે અને તેથી સ્ત્રીઓ પણ તે ભવમાં મોક્ષે જઈ શકે છે. અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે ‘સમ્યગ્દર્શન પામ્યા પછી ઉત્તમ ભાવનાપૂર્વક કરેલો એક જ નમસ્કાર તેવા ઉત્તમ અધ્યવસાયને પ્રગટ કરે છે કે, જે અધ્યવસાયથી ‘ક્ષપકશ્રેણિને’ પામીને સંસાર-સમુદ્રનો પાર પામે છે' એ પ્રમાણે મોક્ષ પ્રાપ્ત કરાવનાર અધ્યવસાયમાં નમસ્કાર કારણરૂપ છે, તો પણ ઉપચારથી કારણને કાર્યરૂપ માનીને નમસ્કારને જ સંસારથી પાર ઉતારનાર કહ્યો, અહીં એમ પ્રશ્ન થાય કે, નમસ્કારથી મોક્ષ થાય માટે ચારિત્રનું કંઈ ફલ નથી, તો એ વાત યોગ્ય નથી, કારણ કે નમસ્કારથી પ્રાપ્ત થતા મોક્ષપ્રાપક અધ્યવસાયો એ જ (નિશ્ચય) ચારિત્ર છે. આ ગાથોના સળંગ અર્થ એમ થયો કે ‘જિનવરોમાં વૃષભ સરખા શ્રીવર્ધમાન સ્વામીને કરેલો એક નમસ્કાર પણ પુરુષને અથવા સ્ત્રીને સંસાર-સમુદ્રથી તારે છે' ‘સિદ્ધાણં બુદ્ધાણ' સૂત્રની આ ત્રણ ગાથાઓ ગણધરકૃત હોવાથી નિયમથી બોલાય છે, કેટલાક તે ઉપરાંત આ બીજી બે ગાથા પણ તેની પછી બોલે છે, તે આ પ્રમાણે છેઃ— उज्जितसेलसिहरे दिक्खा नाणं निसीहिया जस्स । तं धम्मचक्कवट्टिं अरिट्ठनेमिं नम॑सामि चत्तारिअट्ठ दस दोअ, वंदिआ जिणवरा चउवीसं । परमट्ठनिद्विअट्ठा सिद्धा सिद्धि मम दिसंतु " પ્ 11 ઉજ્જયંત શૈલ એટલે ગિરનાર પર્વતના શિખર પર જેમના દીક્ષા, કેવલ-જ્ઞાન અને મોક્ષ કલ્યાણકો થયા છે, તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિ-નેમિનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. ૪. અષ્ટાપદપર્વત ઉપર ભરત ચક્રવર્તીએ ભરાવેલા અને અનુક્રમે પૂર્વાદિ દિશા સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દસ અને બે એમ ચોવીશ જિનવરો, કે જેઓના સર્વ કાર્યો યથાર્થ પૂર્ણ થયા છે અને તેથી જેઓ સિદ્ધ થયા છે, તેઓને હું વંદન કરું છું. તેઓ મને સિદ્ધિ આપો. - 11 ૪ 11 આ પ્રમાણે કહ્યા પછી એકઠા કરેલા પુણ્ય સમૂહવાળો ઉચિત કાર્યોમાં ઉચિત પ્રવૃત્તિવાળો છે– એમ જણાવવા માટે આ પાઠ બોલે– ‘વેયાવધ્વારાળ સન્તિવાળું સમ્મિિદ્વસમાહિારાનું રેમિ વાડÆ ' એટલે શ્રી જૈનશાસનની સેવા-રક્ષારૂપ વેયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખ યક્ષ અપ્રતિચક્રા-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણીઓ, સર્વલોકમાં શાંતિ કરનારા, સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિમાં સહાય કરનારા એવા સમ્યગ્દષ્ટ શાસનદેવોને ઉદ્દેશીને કાઉસ્સગ્ગ કરું છું. અહીં સાતમી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ કહેલી છે માટે, અહિં ‘વંતળવત્તિમાÇ' બોલવું નહિ પણ લાગલું જ ‘અન્નત્થ' સૂત્ર બોલવું, કારણકે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ દેવો અવિરતિ હોવાથી તેઓને વંદન-પૂજન આદિ ઘટતા નથી, એ પ્રમાણે કરવાથી જ તેઓને ભાવની વૃદ્ધિ થતી હોવાથી સ્મરણ કરનારને ઉપકારદર્શક થાય છે. “અન્નત્થ' ની વ્યાખ્યા પહેલા કહી છે, તેમ સમજી લેવી, માત્ર તેયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કહેવી. ફરી તે જ વિધિથી નીચે બેસીને પહેલાની માફક પ્રાણિપાતદંડક-નમુસ્કુર્ણ” કહે અને પછી મુક્તાશુક્તિ-મુદ્રા-પૂર્વક પ્રણિધાન કરે અર્થાત્ પ્રાર્થનાસૂત્ર બોલે, તે આ પ્રમાણેઃ जय वीयराय ! जगगुरु ! होउ ममं तुह पभावओ भयवं । भवनिव्वेओ, मग्गाणुसारिआ इट्ठफलसिद्धि लोगविरुद्धच्चाओ गुरुजणपुआ परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥ २ ॥ ટીકાર્થ : “નય વીતરી ! નાિરો !' એટલે કે વીતરાગ ! હે જગદ્ગુરુ ! આપ જયવંતા વર્તા આ પ્રમાણે ભગવાન ત્રિલોકનાથને બુદ્ધિમાં સ્થાપન કરવા માટે આમંત્રણ કરેલું છે. “મવા મમ' પ્રાર્થના કરૂં, તે મને મળો, “તવ પ્રમાવત્' = તમારા પ્રભાવથી માવ' = હે ભગવંત ! બીજી વખત આ સંબોધન કરી તે પોતાની ભક્તિનો અતિશય બતાવે છે. શું મળો ? તે માટે કહે છે- “મવનિર્વેર' = જન્મ-મરણાદિક દુઃખવાળા સંસારનો કંટાળો થવા રૂપ ભવ-નિર્વેદ, ભવનો કંટાળો આવ્યા વગર કોઈ મોક્ષનો પ્રયત્ન કરતા નથી. ભવના નિર્વેદ વગર સંસારનો રાગ હોવાથી મોક્ષ માટે પ્રયત્ન કરે, તો પણ વાસ્તવિક પ્રયત્ન ગણાતો નથી. કારણ કે તે જડ-ક્રિયા સરખો છે, તથા “માનસરિતા' = આ દુરાગ્રહનો ત્યાગ કરવાપૂર્વક તત્ત્વભૂત સાચા માર્ગને અનુસરવાપણું તથા “રૂદ્ધસિદ્ધિ' = આ ભવના ઈષ્ટ પ્રયોજનની પ્રાપ્તિ તે થવાથી ચિત્તની સ્વસ્થતા થાય અને આત્મકલ્યાણનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકે. આ આશયથી આ લોકના ઈષ્ટફળની સિદ્ધિની પ્રાર્થના અનુચિત ન ગણાય તથા “નોવિ ત્યાઃ ' સર્વ લોકની નિંદા આદિ જ લોકવિરુદ્ધ કાર્યો મનાયાં હોય, તેવી પ્રવૃત્તિનો ત્યાગ કહ્યું છે કે કોઈની પણ નિંદા ન કરવી, તેમાં ગુણવાનોની તો ખાસ ન કરવી. કારણકે તે લોકવિરુદ્ધ છે, તેમ જ સરળ માણસની ધર્મકરણીમાં થતી ભૂલની હાંસી કરવી, લોકોમાં માનનીય પૂજનીય હોય, તેની અવહેલના-અપમાન કરવું, જેના ઘણાં વિરોધી હોય, તેની સોબત કરવી, દેશ-કાલ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું એટલે કે વ્યવહારથી વિરૂદ્ધ ચાલવું અનાર્ય હલકા લોકને છાજે તેવો ઉભટ વેષ પહેરવો,તથા પોતે કરેલા દાન, તપ, યાત્રાદિકના પ્રસંગો જાતે પ્રગટ કરવા, કે બડાઈ ગાવી, તેને પણ કેટલાક આચાર્યો લોક-વિરુદ્ધ કહે છે તથા સાધુપુરુષો ઉપર સંકટ આવે તો ખુશ થવું અને સામર્થ્ય છતાં સંકટમાંથી બચાવવાનો ઉદ્યમ ન કરવો- આ જણાવેલાં કાર્યો લોકવિરૂદ્ધ ગણાય-આવા કામનો મારે ત્યાગ કરવો” (બીજું પંચાશક ગાથા ૮-૯-૧૦) તથા “ગુરુગનપૂના' એટલે ગુરુવર્ગની ઉચિત સેવારૂપ પૂજા.. જો કે ગુરુ તો ધર્માચાર્ય જ કહેવાય છે, તો પણ અહિં માતા-પિતા, કલાચાર્ય વગેરે પણ ગ્રહણ કરવા. કહ્યું છે કે – “માતા-પિતા કલાચાર્ય-વિદ્યાગુરુ તેમના સંબંધીઓ તથા વૃદ્ધો અને ધર્મોપદેશકો એ સર્વને સપુરુષો ગુરુ તરીકે માને છે.” (યોગબિંદુ ગા. ૧૧૦) તથા “પાર્થર, એટલે જીવલોકમાં સારભૂત બીજા જીવોના કાર્યો કરી આપવાં, તે ધર્મપુરુષાર્થનું ચિહ્ન છે. પૂર્વ જણાવ્યા તે ગુણોની પ્રાપ્તિરૂપ લૌકિક સુંદરતાને પામેલ હોય, તે જ લોકોત્તર ધર્મનો અધિકારી બને છે. તે માટે કહે છે કે – “ગુમગુરૂયોઃ ” Page #362 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૪-૧૨૬ ૩૧૧ પવિત્ર વિશિષ્ટ ચારિત્રવાળા આચાર્યોના સંબંધ-નિશ્રા, તથા ‘તરસેવન' = તે સગુરુના વચન પ્રમાણે વર્તન કરવું. આ ગુરુ ભગવંતો કદાપિ અહિતકર ઉપદેશ આપે નહિ, માટે તેમના વચનની સેવા મવમવંડા = જ્યાં સુધી મોક્ષે ન જાઉં, ત્યાં સુધી અખંડ-સંપૂર્ણ હોજો . હવે સળંગ અર્થ કહે છે ીતરાગ ! હે જગદગસ ! આપનો જય થાઓ. હે ભગવંત ! આપના પ્રભાવથી મને સંસારનો કંટાળો, સત્યમાર્ગનો સ્વીકાર, લોકમાં ઈષ્ટ પ્રયોજનની સિદ્ધિ લોક-વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ માતા-પિતાદિક ગુરુઓની સેવા, પરોપકાર કરવાપણું, નિર્મળ ચારિત્રવંત ઉત્તમગુરુનો યોગ અને જ્યાં સુધી મોક્ષ ન જાઉં ત્યાં સુધી સંપૂર્ણપણે ગુરુના વચનની સેવા અર્થાત્ આજ્ઞાપાલન આટલું પ્રાપ્ત થાઓ” આ પ્રાર્થના પ્રાયઃ ત્યાગની અભિલાષારૂપ હોવાથી નિયાણારૂપ ગણાતી નથી અને તે પણ અપ્રમત્તસંયત' નામના સાતમા ગુણસ્થાનકની પહેલાં જ કરવાની હોય છે. કારણકે સાતમા ગુણસ્થાનકથી જીવને “સંસાર કે મોક્ષ એકેયની અભિલાષા રહેતી નથી. તેઓ શુભાશુભ સર્વે ભાવોમાં સમાન ભાવવાળા હોય છે. આ પ્રમાણે શુભ ફળની પ્રાર્થનારૂપ “જય વયરાય'ની બે ગાથા સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનો વિધિ જાણવો. | ૧૨૩ // હવે ત્યાર પછીના કર્તવ્યો જણાવે છે– २९५ ततो गुरूणामभ्यर्णे, प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा, प्रत्याख्यानप्रकाशनम् ॥ १२४ ॥ અર્થ: ત્યારબાદ નિર્મળ ચિત્તવાળો તે (શ્રાવક) વંદનાદિની ભક્તિપૂર્વક ગુરુભગવંત પાસે જિનમંદિરમાં કરેલા પ્રત્યાખ્યાનને પ્રગટ કરે. અર્થાત્ ગુરુદેવના શ્રીમુખથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. || ૧૨૪ || ટીકાર્થ : દેવવંદન કર્યા પછી દેવવંદન કરવા આવેલા કે સ્નાત્રાદિ મહોત્સવનાં દર્શન કે ધર્મોપદેશ આપવા પધારેલા અથવા તો વિહાર કરીને આવીને રહેલા હોય, તેવા ધર્માચાર્ય-ગુરુ ભગવંતોની પાસે સાડા ત્રણ હસ્તપ્રમાણ ક્ષેત્રની બહાર વંદન કરે કે વ્યાખ્યાન-શ્રવણ કરે, દંભ વગરનો-નિર્મલ ચિત્તવાળો દેવ સમક્ષ કરેલા પચ્ચકખાણને ગુરુ પાસે પ્રગટ કરે, કારણકે પ્રત્યાખાન-વિધિ ત્રણ પ્રકારનો છે. ૧. આત્મસાક્ષીવાળું (૨) દેવ સાક્ષીવાળું (૩) ગુરુ-સાક્ષીવાળું. પ્રતિપત્તિ પૂર્વક એમ જણાવ્યું તે ગુરુ-પ્રતિપત્તિવિનય બે શ્લોકથી કહે છે– २९६ अभ्युत्थानं तदालोके-ऽभियानं च तदागमे । शिरस्यञ्जलिसंश्लेषः, स्वयमासनढौकनम् ॥ १२५ ॥ २९७ आसानाभिग्रहो भक्त्या, वंदना, पर्युपासनम् । तद्यानेऽनुगमश्चेति, प्रतिपत्तिरियं गुरोः ॥ १२६ ॥ અર્થ ? હવે ગુરુદેવની ભક્તિના પ્રકારો જણાવે છે : (૧) ગુરુદેવના દર્શન થતાં જ ઉભા થવું. (૨) ગુરુદેવ આવે ત્યારે સામે લેવા જવું. (૩) મસ્તક ઉપર અંજલી જોડવી. (૪) ગુરુને આસન ઉપર બિરાજમાન કરવા. (૫) ગુરુદેવના બેઠા પછી બેસવું. (૬) ગુરુદેવની ભક્તિપૂર્વક વંદના અને સેવા કરવી અને (૭) ગુરુદેવ વિહાર કરે ત્યારે તેમને થોડા પગલા સુધી વળાવવા જવું. આ સર્વ પ્રકારો ગુરુભક્તિના છે. || ૧૨૫-૧૨૬ છે. ટીકાર્થઃ અભુત્થાન એટલે આદરપૂર્વક આસનનો ત્યાગ કરવો, ગુરુને જોતાં જ ઉભા થઈ તેમના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સન્મુખ જવું. આવી ગયા હોય, ત્યારે મસ્તકે બે હાથ જોડી અંજલિ કરવી અને “નમો સિમUTINE' એવો પાઠ બોલવો. આ સર્વ પોતે કરવું પણ બીજાને ન મોકલવો અને જાતે આસન આપવું. તેઓ (ગુરુજી) આસન પર બિરાજમાન થયા પછી પોતે આસન પર બેસવું. બેઠા પછી ભક્તિપૂર્વક પચ્ચીશ આવશ્યક વિશુદ્ધ વંદના કરવી. જવાનું હોય છે, તેવામાં કાર્યમાં રોકાએલા ન હોય તો પર્યાપાસના-સેવા કરવી. તેઓ જાય ત્યારે કેટલાંક ડગલાં સુધી પાછા વળાવવા જવું. આ ધર્માચાર્ય ગુરુ મહારાજનો ઉપચાર-વિનય સમજવો. || ૧૨૫-૧૨૬ || २९८ ततः प्रतिनिवृत्तः सन्, स्थानं गत्वा यथोचितम् । सुधीर्धर्माऽविरोधेन, विदधीतार्थचिन्तनम् ॥ १२७ ॥ અર્થ : તે દેવમંદિરમાંથી પાછો ફરેલો (તે) બુદ્ધિશાળી શ્રાવક યથોચિત સ્થાનમાં જઈ ધર્મને બાધા ન થાય તેમ ધનની પ્રાપ્તિના ઉપાયોનું ચિંતન કરે. # ૧૨૭ || ટીકાર્થ દેહરાસરથી પાછા આવીને પોતપોતાને ઉચિત એવા સ્થાને અર્થાત્ રાજા હોય તો રાજસભામાં, પ્રધાનાદિક રાજસેવા કરતા હોય તો રાજકચેરીમાં, વેપારી હોય તો દુકાને જઈને. જિનધર્મને બાધા ન પહોંચે, તે પ્રમાણે બુદ્ધિશાળી શ્રાવક ધનોપાર્જનની ચિંતા કરે, અહીં અર્થ-ઉપાર્જનની ચિંતા કરી છે, તે અનુવાદ સમજવો. કારણકે તે તો દરેક વગર પ્રેરણાએ સ્વયં સિદ્ધ છે. અહીં વિધાન એ સમજવાનું કે ધર્મના અવિરોધપણે” ધર્મનો અવિરોધ આ પ્રમાણે રાજા હોય તેણે દરિદ્ર કે શ્રીમંત હોય. માનીતો કે અણમાનીતો હોય, ઉત્તમ હોય કે નીચ હોય, તે ભેદ રાખ્યા વગર ન્યાય આપવો. રાજસેવા કરનારાઓ રાજ્યની અને પ્રજાની યથાર્થ સેવા નિષ્ઠાપૂર્વક કરવી. વેપારીઓએ ખોટા તોલ-માપનો ત્યાગ કરી પંદર કર્માદાનનો વેપાર બંધ કરી અર્થની ચિંતા કરવી. ૧૨૭ || २९९ ततो माध्याह्निकी पूजां कुर्यात् कृत्वा च भोजनम् । तद्विद्भिः सह शास्त्रार्थ-रहस्यानि विचारयेत् ॥ १२८ ॥ અર્થ : ત્યારપછી મધ્યાહ્નકાળની પૂજા અને ભોજન કર્યા બાદ શાસ્ત્ર-રહસ્યોના જ્ઞાતા એવા અન્ય શ્રાવકો સાથે શાસ્ત્રાર્થની ચર્ચા-વિચારણા કરે. / ૧૨૮ || ટીકાર્થ : ત્યાર પછી દિવસના મધ્યાહનકાળે પ્રભુ પૂજા કરે અને પછી ભોજન કરે તે અનુવાદ સમજવો. મધ્યાહ્નપૂજા અને ભોજનનો કોઈ કાલ-નિયમ નથી. ભોજનકાલ તેને ગણેલો છે કે જ્યારે સખત ભૂખ લાગે એટલે વ્યવહારથી મધ્યાહન કાળથી પહેલા પણ પચ્ચખાણ પારીને દેવપૂજા કરવા પૂર્વક ભોજન કરે તો દોષ નથી. અહિ આ પ્રમાણે વિધિ છે– ‘જિનપૂજા ઉચિતદાન, કુટુંબ-પરિવારની સંભાળ લેવી અને તેને યોગ્ય ઉચિત કર્તવ્ય-પાલન કરવું. ભૂલચૂક હોય તો શિખામણ કે ઉપદેશ આપવો. તથા પોતાને કયું પચ્ચખાણ છે, તેનું સ્મરણ કરવું તથા ભોજન કર્યા પછી પોતાની શક્તિ અનુસાર “ગંઠસી, વેઢસી, મુઢસી” સાથેનું કોઈ પચ્ચકખાણ કરવું. ‘પ્રમાદિત્યાગની અભિલાષાવાળા આત્માઓએ ક્ષણવાર પણ પચ્ચખાણ વગર ન રહેવું જોઈએ.” શાસ્ત્રોના અર્થોનાં રહસ્યો ઐદંપર્યાયો-તાત્પર્યો-નીચોટની ચર્ચાવિચારણા તેવા જાણકારોનો સમાગમ કરી. ગુરુમુખે તેવા શાસ્ત્ર-રહસ્યો સાંભળવા છતાં પણ તેનું વારંવાર પરિશીલન-ચિંતન આદિ કરવામાં ન આવે તો તે પદાર્થો મનમાં સારી રીતે દઢ સ્થાપન કરી શકાતા નથી. // ૧૨૮ || Page #364 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૭-૧૨૯ ૩૧૩ ३०० ततश्च सन्ध्यासमये, कृत्वा देवार्चनं पुनः । कृतावश्यककर्मा च, कुर्यात्, स्वाध्यायमुत्तमम् ॥ १२९ ॥ અર્થ : તે પછી સંધ્યા સમયે ફરી જિનપૂજા કરી સામાયિકાદિ છ આવશ્યક ક્રિયા કરી શ્રાવક ઉત્તમ કોટિનો (પંચવિધ) સ્વાધ્યાય કરે / ૧૨૯ If ટીકાર્થ: ત્યાર પછી જે બે વખત ભોજન કરતો હોય તે વિકાલ એટલે સાંજ સમય બે ઘડી પહેલાં ભોજન કરીને સંધ્યા-સમયે વળી ત્રીજી વખત અગ્રપૂજારૂપ દેવાર્ચન કરી સાધુ પાસે જઈને સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ કાર્યોત્સર્ગ મનથી ધ્યાન કરવું અને બાકીના કાળમાં સ્પષ્ટ અક્ષરોમાં બોલવું. આ પણ પહેલાં કહેવાયું છે. વંદન એટલે વંદન કરવા યોગ્ય ધર્માચાર્યોને પચીશ આવશ્યકવિશુદ્ધ, બત્રીશ દોષ-રહિત નમસ્કાર કરવા રૂપ વંદન કરવું. તેમાં પચીસ આવશ્યકો આ પ્રમાણે સમજવા. (આ. નિ. ૧૨૧૬). વંદનમાં બે અવનન, એક યથાજાત, બાર આવર્તે, ચાર મસ્તક, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ એક નિષ્ક્રમણ-એમ પચીશ અવશ્ય કરવા યોગ્ય આવશ્યકો છે તેમાં બે અવનમન = પોતાની વંદન કરવાની ઈચ્છા પ્રગટ કરવા રૂપને ગુરુને જણાવવા માટે 'રૂછામિ ઉમ/સમજો વંતિઃ નાવાના નિદિધ્યા' હે ક્ષમાશ્રમણ ! હું મારી શક્તિપૂર્વક નિષ્પાપપણે આપને વંદન કરવા ઈચ્છું છું’ એમ કહે વખતે “મસ્તક' અને કેડ ઉપરનો શરીરનો ભાગ કંઈક નમાવવો તે અવનત કે અવનમન કહેવાય . ૧ જ્યારે ફરી આવર્ત કરીને પાછો આવે ત્યારે પણ ‘રૂચ્છામિ' વિગેરે કહીને ફરી ઈચ્છા જણાવે ત્યારે બીજું ૨. યથાનાત' એટલે ‘જન્મની જેમ તેનો ભાવાર્થ એ છે કે જન્મ બે પ્રકારના ગણાય છે. એક જન્મ થવો એ, બીજો દિક્ષા ગ્રહણ કરવા રૂપ. તેમાં પ્રસવકાળ સમયે બે હાથ જોડીને મસ્તકે રાખેલા હોય છે અને તેવી જ રીતે દીક્ષાકાળે પણ રજોહરણ-મુખવન્નિકાવાળા બે હાથ જોડીને મસ્તકે રાખેલા હોય. જેવી સ્થિતિમાં જન્મયો હતો તેવી જ સ્થિતિમાં ગુરુવંદન વખતે પણ રહેવું તે વંદન પણ યથાકાત કહેવાય. ૩. તથા બાર આવર્તી = ગુરુવંદન કરતાં ગુરુ-ચરણોમાં તથા પોતાના મસ્તકે હાથથી સ્પર્શ કરવારૂપ, તેમાં પ્રથમ પ્રવેશ કરે, ત્યારે મોયે એ વગેરે સૂત્ર ઉચ્ચારણ કરવાપૂર્વક છ આવર્તો કરી પાછો ફરે, વળી બીજી વખત પ્રવેશ કરે. ત્યારે પણ બીજા વંદનમાં છ આવર્તો કરે-એમ બંને મળી બાર આવર્તી ૧૫. વસિર' જેમાં ચાર વાર મસ્તકો નમે છે અર્થાત્ પ્રથમ વંદનમાં “વામિ માણHUTો' બોલતી વખતે પ્રથમ શિષ્ય મસ્તક નમાવે, તે પછી ગુરુ પણ ‘કવિ દ્વામિ' એમ ઉત્તર વાળતાં કંઈક મસ્તક નમાવે એમ ગુરુ અને શિષ્યના બે મસ્તકના નમન, બે વખતના વંદનના મળી કુલ ચાર મસ્તક નમન સમજવા ૧૯. 'ત્રિગુપ્ત' = મન, વચન અને કાયાથી કાયાના યોગોની વંદનામાં એકાગ્રતા કરવી અઅલિત શુદ્ધોચ્ચારણ કરવું. અવનત યથાજાત આવર્તાદિક સંપૂર્ણ આચરવાં, એમ, મન, વચન અને કાયાને વંદન સિવાય બીજામાં જતા રોકવા, તે ત્રણ ગુપ્ત કહેવાય.૨૨ ‘સુપવેસ' ગુરુ મહારાજના આસનથી દરેક દિશામાં સાડા ત્રણ હાથ સુધીની જગ્યા ગુરુનો અવગ્રહ કહેવાય. એટલે દુર રહીને ગુરુનો વિનય કરવાનો હોય છે. શારીરિક સેવા, વંદન આદી માટે તેમની રજા માંગીને અવગ્રહમાં પ્રવેશ કરવાનો હોય. એ નિયમ પ્રમાણે વંદનમાં પ્રથમ રજા માંગીને પ્રવેશ કરે, પછી પાછો નીકળીને બીજી વખત પ્રવેશ કરે નિમ' અવગ્રહમાંથી બહાર નીકળવું તે નિષ્ક્રમણ. પહેલા વંદનમાંથી ‘૩માવસિગાઈ' કહીને Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ બહાર નિષ્ક્રમણ કરવાનું હોય. બીજા વંદનમાં બહાર નીકળવાનું ન હોવાથી નિષ્ક્રમણ નથી. ૨૫ આમ કુલ પચીશ આવશ્યક વંદનના જાણવા. (આ. નિ. ૧૨૨૧થી ૧૨૨૫) બત્રીશ દોષો : ૧. અન્નાદત દોષ : આદર વગર અદ્ધર ચિત્તે વંદન કરવું. ૨. સ્તબ્ધ દોષ ઃ આઠ પ્રકારના મદને આધીન બની વંદન કરવું. ૩. અપવિદ્ધ દોષ : વંદન અપૂર્ણ રાખી ભાગી જવું. ૪. પરિપિંડિત : એક સામટુ દરેકને એક સાથે વંદન કરવું અથવા બે હાથ, પેટ ઉપર તથા બે પગ ભેગા રાખી વંદન કરવું કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરોના સંપદાઓનો યથાસ્થાને અટક્યા વગર અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરવો. ૫. ટોલગતિ : તીડ માફક આગળ-પાછળ કૂદતાં-કૂદતાં અસ્થિરતાથી વંદન કરવું. ૬. અંકુશ : ગુરુ ઉભા હોય, સૂતેલા હોય, અન્ય કાર્યોમાં રોકાએલા હોય, ત્યારે તેમનો ઓઘો, ચોલપટ્ટો વસ્ત્ર કે હાથ પકડી અવજ્ઞાથી આસન પર બેસાડી અંકુશથી જેમ હાથીને, તેમ ઉભા રહેલા ગુરુને આસન પર બેસાડવા પૂજ્ય પુરુષોને કદાપિ ખેંચવા યોગ્ય નથી, કારણકે તેમ કરવાથી અવિનય થાય છે અથવા અંકુશમાં પીડાએલા હાથીની જેમ વંદન કરતા મસ્તક ઊંચું-નીચું કરવું. ૭. કચ્છપરીગિત ઃ ઉભા ઉભા “તિલનારાણ' ઇત્યાદિ પાઠ બોલતા કે બેઠા બેઠા કરો શર્થ #ાં ઇત્યાદિ સૂત્ર બોલતા વિના કારણે વંદન કરતાં કાચબાની જેમ આગળ-પાછળ ખસ્યા કરવું. ૮. મત્સ્યોદ્વર્તન : જેમ માછલું જળમાં એકદમ નીચે જાય, ઉપર આવે અને પાકું ફેરવીને એકદમ રેચકાવર્ત કરી બાજુમાં ફરી જાય, તેમ વંદન કતાં ઉછળીને ઉભો થાય, પડવા માફક બેસી જાય, એકને વંદન કરી બીજાને બાજુમાં ખસ્યા વગર માછલાં માફક પડખું ફેરવી વંદન કરે. ૯. મનઃપ્રદુષ્ટ : ગુરુએ શિષ્ય કે તેના સંબંધીને ઠપકો કે આકરા શબ્દો કહ્યા હોય, તેથી તેઓ પ્રત્યે મનમાં દ્વેષ રાખી વંદન કરવું અથવા પોતાથી તે હીનગુણવાળો હોય તેને હું વંદન કેમ કરું ? અથવા આવા ગુણહીન છતાં પણ વંદન દેવરાવે છે–એમ વિચારતાં વંદન કરે. ૧૦. વેદિકાબદ્ધ : વંદનમાં આવર્ત દેતાં બે હાથ, બે ઢીંચણ વચ્ચે રાખવા જોઈએ. તેને બદલે બે હાથ, બે ઢીંચણ ઉપર રાખે, ઢીંચણ નીચે હાથ રાખે, હાથ ખોળામાં રાખે, બે ઢીંચણ બહાર-પડખે બે હાથ રાખે, અગર બે હાથ વચ્ચે એક ઢીંચણ રાખે તે રીતે વંદન કરે-એમ તેના પાંચ પ્રકારો છે. ૧૧. ભય : વંદન નહિ કરીશ તો સંઘ, સમુદાય કે ગચ્છમાંથી ક્ષેત્રમાંથી દૂર કરશે બહાર કરશેએ ભયથી વંદન કરવું. ૧૨. ભજન : હું વંદનાદિ સેવા કરું છું. તેથી ગુરુ પણ મારી સેવા કરશે. મારી સેવાથી દબાએલા આગળ મારી સેવા કરશે- એમ સમજી થાપણ મૂકવા માફક વંદન કરવું. ૧૩. મૈત્રી : આ આચાર્યાદિક સાથે મારે મૈત્રી છે માટે, અગર વંદન કરું તો મૈત્રી થાય, તેમ સમજી વિંદન કરવું. ૧૪ ગૌરવ : ગુરુ-વંદન, આદિક વિધિઓમાં હું કુશળ હું એમ આવર્તાદિક સાચવીને બીજાને Page #366 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ જણાવવા માટે અભિમાન રાખી વંદન કરે. ૧૫. કારણ ઃ જ્ઞાનાદિ કારણ સિવાય વસ્ત્ર, પાત્ર આદિ ગુરુ પાસેથી મેળવવાના લોભથી વંદન કરવું અગર જ્ઞાનાદિ ગુણોથી લોકોમાં પૂજા પામું, તેવા આશયથી જ્ઞાનાદિ મેળવવા વંદન કરવું. અગર વંદનરૂપ મૂલ્યથી વશ થએલા ગુરુ મારી પ્રાર્થનાનો ભંગ ન કરે-તે દુષ્ટ કારણોથી વંદન કરે. ૩૧૫ ૧૬. સ્કેન : હું બીજાને વંદન કરું એ મારી નાનપ ગણાય. તેથી ચોર માફક છુપાતો વંદન કરે. ભાવાર્થ એમ સમજવો કે આ ચોર માફક જલ્દી જલ્દી કોઈ દેખે. કોઈ ન દેખે તેમ વંદન કરી પલાયન થાય. ૧૭. પ્રત્યેનીક : ગુરુ આહારાદિ કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે વંદન કરવું. કહેલું છે કે ગુરુ અચિત્તવાળા હોય, અવળા બેઠલા હોય, પ્રમાદ કે નિંદ્રા કરતા હોય, આહાર-નિહાર કરતા હોય કે કરવાની ઇચ્છાવાળા હોય, ત્યારે કદાપિ વંદન ન કરવું. (આ. નિ. ૧૨૧૨) — ૧૮. સ્પષ્ટ ઃ ગુરુ કોપાયમાન થએલા હોય અગર પોતે ક્રોધ કરતા હોય ત્યારે વંદન કરવું. ૧૯. તર્જના : વંદન ન કરવાથી ગુસ્સો કરતા નથી અને કરવાથી પ્રસન્ન થતા નથી એટલે વંદન કરનાર અને ન કરનારના ભેદ તમે જાણી શકતા નથી-એમ બોલી તર્જના કરવી, અગર ઘણા લોકની વચમાં મને વંદન કરાવીને હલકો પાડો છો, પણ તમે એકલા હશો ત્યારે ખબર પાડીશ—એમ તર્જની અંગુલિ કે મસ્તકથી અપમાન કરી વંદન કરવું. ૨૦. શઠ : કપટથી ગુરુને કે લોકોને આ વિનયવાળો ભક્ત છે—એવી છાપ ઉભી કરવા અગર માંદગી આદિનું બાનું કાઢી જેમ તેમ વંદન કરવું. ૨૨. વિપરિકુંચિત : અર્ધું વંદન કરી, વચમાં દેશકથાદિ બીજી વાતો કરવી. : ૨૧. હીલિત : હે ગુરુ ! હે વાચકજી ! તમને વંદન કરવાથી શો લાભ થવાનો છે ? એમ અવહેલના કરતા વંદન કરવું. ૨૩. દૃષ્ટાદેષ્ટ : ઘણાની આડમાં ન દેખાય કે અંધારું હોય ત્યારે વંદન ન કરે– બેસી રહે અને ગુરુ દેખે એટલે વંદન કરવા લાગે. ૨૪. શૃંગ : ‘અો ાયં' ઇત્યાદિ આવર્તો બોલીને કરતો કપાળના મધ્ય ભાગમાં સ્પર્શ ન કરતો મસ્તકના ડાબા-જમણા શૃંગભાગમાં સ્પર્શ કરતો વંદન કરે. ૨૫. કર : રાજાને આપવાના કરની માફક અરિહંત ભગવાનને પણ આ વંદનરૂપ કર ચૂકવવો જોઈએ-એમ માની વંદન કરે. ૨૬. મુક્ત : દીક્ષા લેવાથી રાજા આદિકના લૌકિક કરથી તો છૂટયા, પણ આ વંદન કરમાંથી છુટાય તેમ નથી– એમ માની વંદન કરવું. ૨૭. આશ્લિષ્ટાનાશ્લિષ્ટ : ‘અહો જાય’ ઇત્યાદિ બોલીને બાર આવર્ત કરવાના કહેલા છે. રજોહરણ, લલાટ, બે હાથની હથેલીઓનો સ્પર્શ કરે, રજોહરણ સ્પર્શ કરે, લલાટ સ્પર્શ ન કરે, લલાટે સ્પર્શે, રજોહરણને સ્પર્શ ન કરે, બંનેને સ્પર્શે નહિ એ ચારમાં પ્રથમ ભાગો નિર્દોષ છે, બાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે છે ૨૮. ન્યૂન : સૂત્રના અક્ષરો સંપૂર્ણ ન ઉચ્ચારવા કે પચીસ આવશ્યકો પૂર્ણ ન કરવા રૂપ વંદન કરે. Page #367 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૯. ઉત્તર ચૂડા : વંદન કર્યા પછી મોટા શબ્દથી 'મસ્થળ વંમિ' એમ શિખા ચડાવવા માફક બોલવું. ૩૧૬ ૩૦. મૂક ઃ મુંગા માફક ન સમજાય તેમ સૂત્રના અક્ષરો આલાવા મનમાં જ બોલવા પ્રગટ ન બોલવા. અગર ન સમજાય તેમ બોલવા. ૩૧. ઢઢર : મોટા શબ્દથી બોલી વંદન કરવું. ૩૨. ચૂડલ દોષ : ચુડલ એટલે સળગતું ઉંબાડીયું બાળક તેને છેડેથી પકડી ભમાવે તેમ ઓઘાને છેડેથી પકડી ભમાવતા સર્વ સાધુઓને વંદન કરું છું અથવા હાથ લાંબા કરી હું વંદન કરું છું-એમ બોલતા વંદન કરવું. આ પ્રમાણે ગુરુવંદન કરતા કહેલાં બત્રીસ દોષોને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ વંદન કરવું. દરેક નામને ‘દોષ' જોડી દેવો. વંદનમાં શિષ્ય ગુરુને છ પ્રશ્નો પૂછવા રૂપ-૭ અભિલાપો કહે છે— તે આ પ્રમાણે—૧ ઈચ્છા ૨ અનુજ્ઞા, ૩ અવ્યાબાધ, ૪. સંયમયાત્રા ૫. સમાધિ, ૬. અપરાધ-ક્ષમાયાચના કહેલું છે કે– ‘ઈચ્છા અનુજ્ઞા, અવ્યાબાધ, સંયમયાત્રા સમાધિ અને અપરાધની ક્ષમા-યાચના એ છને અંગે તે તે પાઠથી શિષ્ય પ્રશ્ન કરે, (આ. નિ. ૧૨૩૨) તે શિષ્યના છ સ્થાનો રૂપ ગુરુવંદનનું દ્વાર સમજવું.' એ છએના ગુરુ ઉત્તરો આપે છે; તે છ ગુરુ વચનો આ પ્રમાણે– ૧ જેવી તારી ઈચ્છા, ૨ અનુજ્ઞા આપું છું, ૩ તેમ જ છે, ૪ તને પણ વર્તે છે ? ૫ એ જ પ્રમાણે છે અને ૬. હું પણ તમોને ખમાવું છું કહેલું છે કે “તારી ઈચ્છા પ્રમાણે, ૨જા આપું છું, તેમ જ તને પણ વર્તે છે ? એ જ પ્રમાણે છે અને હું પણ તમોને ખમાવું છું – આ પ્રકારે ગુરુ છ ઉત્તરો આપે” (આ. નિ. ૧૨૩૮) આ બંને યથાસ્થાને સૂત્રવ્યાખ્યા કરીશું ત્યારે બતાવીશું સૂત્ર કહે છે—– " इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए, अणुजाणह मे मिउग्गहं, निसीहि । अहोकायं काय-संफासं खमिणिज्जो भे ! किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे ! दिवसो वक्ता ? जत्ता भे ! जवणिज्जं च भे ! खामेमि खमासमणो ! देवसिअं वइकम्मं, आवस्सियाए पडिक्कमामि खमासमणाणं देवसिआए आसायणाए तित्तीसन्नयराए जं किंचि मिच्छाए मणदुक्कडाए, વવતુધાડા, નાયડુવાડા, જોહાણ, માળા, માયા, તોમાત્, સવ્વાતિઞા, સમિચ્છોવ્વવારાપ્ सव्यधम्माइक्कमणाए आसायणाए जो मे अइआरो कओ, तस्स खमासमणो ! पडिक्कमामि, નિંદ્રામિ, રિહામિ, અપ્પાનું વોસિમિ ॥'' સૂત્ર વ્યાખ્યા : અહીં દ્વાદશાવર્ત વંદન કરવાની ઈચ્છાવાળો શિષ્ય ખમાસમણરૂપ લઘુવંદનપૂર્વક સંડાસા પ્રમાર્જીને બેઠાં બેઠાં જ પૂર્વે જણાવ્યા પ્રમાણે પચીશ બોલથી મુત્ત અને પચીશ બોલથી શરીર પડિલેહે તે પછી પરમ વિનયપૂર્વક પોતે મન, વચન અને કાયથી શુદ્ધ થઈને ગુરુના આસનથી પોતાના દેહપ્રમાણમાં ભૂમિરૂપ સાડા ત્રણ હાથ અવગ્રહની બહાર ઉભો રહીને દોરીએ ચડાવેલ ધનુષ્ય જેમ વાંકું હોય, તેમ કેડ ઉપરનું અર્ધું શરીર મસ્તક સાથે નમાવીને અર્થાત્ કાંમૂક નીચો નમીને હાથમાં ઓધો મુહપત્તિ લઈને વંદન કરવા માટે આ પ્રમાણે બોલેઃ– ‘ફચ્છામિ' = હું ઈચ્છું છું આ શબ્દથી કોઈના બળાત્કારથી વંદન કરતો નથી' એમ જણાવ્યું હવે, ‘સ્વમાસમો’ ક્ષમાશ્રમમાં ક્ષમ ધાતુને સ્ત્રીલિંગનો આ પ્રત્યય લગાડી ક્ષમા શબ્દ તૈયાર કર્યો જેનો અર્થ સહન કરવું' એવો થાય, તથા શ્રમ્ — Page #368 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૧૭ ધાતુને કર્તા અર્થમાં મન' પ્રત્યય લાગતાં શ્રમણરૂપ તૈયાર થયું. તેનો અર્થ સંસારના વિષયમાં ખેદ વાળો થઈ તપ કરે, તે શ્રમણ એ બંને શબ્દો એકઠા કર્યા એટલે ક્ષમાપૂર્વક જેઓ તપ કરે, તે ક્ષમાશ્રમણ તેનું સંબોધન પ્રાકૃતમાં ઘમાસમો ! ક્ષમા ગ્રહણ કરવાથી માદવ, આર્જવ આદિ ગુણોમાં પણ સાથે ગ્રહણ કરવા તાત્પર્ય કે ક્ષમા આદિ ગુણોથી પ્રધાન શ્રમણ એટલે યતિ-સાધુ, તે ક્ષમાશ્રમણ, આ વિશેષણથી તેઓ પોતાના આવા ગુણોને યોગે સાચા વંદનીય છે–એમ સૂચવ્યું. હવે શું કરવા ઈચ્છું છું, તો કે “વન્વિતમ્' = આપને વંદન કરવાને કેવી રીતે ? યાપનીયા નધિક્યા એમાં નિષfધક્યાં એ વિશેષ્ય છે અને થાપનીયા એ વિશેષણ છે. નૈષધક્ય પ્રાણાતિપાતાદિ પાપો જેમાં નથી એવી કાયા વડે, અને યાપનીય = સશક્ત કાયા વડે, સમગ્ર વાક્યોનો અર્થ એ છે કે- “ક્ષમાદિ ગુણયુક્ત હે તપસ્વિન્! વંદન કરવામાં હિંસાદિ ન થાય, તે રીતે મારી સશક્ત કાયા વડે હું તમોને વંદન કરવા ઈચ્છું છું. અહિં વિશ્રામ કરવો આ વંદન સમયે જો ગુરુ બીજા કાર્યમાં રોકાએલા હોય, અગર બીજી બાધાવાળા હોય તો, તે કહે કે થોડીવાર પછી. હાલ રાહ જો. કારણ કહેવા યોગ્ય હોય તો તે જણાવે, નહીંતર ન જણાવે એવો ચૂર્ણિકારનો મત છે. ટીકાકારનો મત મન, વચન અને કાયા એમ ત્રિવિધિ વંદન કરવાનો નિષેધ કરે છે. ત્યારે શિષ્ય સંક્ષેપ-વંદન કરે. બીજા કાર્યમાં રોકાયેલા ન હોય તો તેને વંદન કરવાની રજા આપવા માટે ગુરુ “છત્તેર = fમપ્રા ' = તું મને વંદન કરે, તો મને હરકત નથી માટે ખુશીથી તારી ઈચ્છા પ્રમાણે કર. ત્યાર પછી વંદન કરનાર સાડા ત્રણ હાથ દૂર ઉભો રહી કહે છે કે- ‘મનુગાનીત મેં મિતાશ્વગ્રામ્' = મને આપના અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા આપો. અહીં આચાર્ય મહારાજથી ચારે ય દિશામાં પોતાના શરીર પ્રમાણ- સાડા ત્રણ હાથ જમીન તે અવગ્રહ કહેવાય. તેમાં તેઓની અનુમતિ વગર પ્રવેશ કરાય નહિ. કહેલું છે કે- ચારેય દિશામાં સ્વશરીર પ્રમાણ માપવાળી ભૂમિ. તે ગુરુનો અવગ્રહ કહેવાય. અનુમતિ-રજા મેળવ્યા વગર કદાપિ ત્યાં પ્રવેશ કરવો કલ્પ નહિ.” ત્યાર પછી ગુરુ કહે છે કે- 'અનામિ' = હું પ્રવેશ કરવાની અનુમતિ આપું છું ત્યાર પછી શિષ્ય ભૂમિ પ્રમાર્જન કરીને ‘નિસદિ' કહીને અવગ્રહમાં પ્રવેશ કરે-ગુરુ નજીક જાય. અહીં નિસહિનો અર્થ “સર્વ અશુભ વ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક એમ જાણવો. પછી સંડાસાની પ્રમાર્જના પૂર્વક નીચે બેસે અને ગુરુ મહારાજના ચરણો પાસે જમીન ઉપર ઓધો મૂકીને, તે ઓઘામાં દશાઓના મધ્યભાગમાં ગુરુના ચરણ-યુગલની કલ્પનાથી સ્થાપના કરી, ડાબા હાથે પકડેલી મુહપત્તિ વડે ડાબા કાનથી જમણા કાન સુધી લલાટને તથા ડાબા ઢીંચણને ત્રણ વખત પ્રમાર્જીને મુહપત્તિ ડાબા ઢીંચણ ઉપર સ્થાપવી તે પછી એ કાર ઉચ્ચારણ વખતે જ રજોહરણને બે હાથથી સ્પર્શ કરીને દો કાર ઉચ્ચારણ વખતે જ લલાટને સ્પર્શ કરે છે તે પછી ઋl અક્ષરનો ઉચ્ચાર કરતાં પુનઃ તે જ પ્રમાણે બે હાથની દશ અંગુલીઓથી ઓઘાની દશીઓનો સ્પર્શ કરવો. ચું બોલતાં બીજી વખતે લલાટે મધ્યમાં સ્પર્શ કરવો, તે પછી સંફાસ બોલતા બે હાથઅને મસ્તકથી રજોહરણને સ્પર્શ કરે. પછી ગુરુમુખ સામે દષ્ટિ રાખી “વિવો વરૂક્ષતો સુધીનો પાઠ બોલે. એ પદોનો અર્થ આ પ્રમાણે છે – “વમળ્યો છે વિનામો આ પ્રમાણે છે. બે હાથ અને મસ્તકરૂપ મારી કાયા વડે સંસ્પર્શ = સ્પર્શ કરું છું એ અધ્યાહારથી લેવું અર્થાત્ આપના ચરણોને હું બે હાથ અને મસ્તક વડે પ્રણામ કરું છું, એની મને અનુમતિ આપો. આગળ માંગેલી રજા સાથે આનો સંબંધ પણ સમજવો. કારણકે અનુમતિ વગર ગુરુને સ્પર્શ કરવાનો પણ અધિકાર નથી, તે પછી “ક્ષમાળા' = ક્ષમા કરવા યોગ્ય છે.” “મવઃ “હે ભગવંત ! આપ નમ: = મારા સ્પર્શથી આપના શરીરે થતી બાધાની આપે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ મને ક્ષમા આપવી યોગ્ય છે.' તથા અવજ્ઞાતાનામ્ આપનો દિવસો વ્યતિન્તિઃ' - બહુ સુખપૂર્વક મે દિવસ પૂર્ણ થયો. સળંગ અર્થ કહે છે ભગવંત ! અલ્પમાત્ર બાધાવાળા આપને સુખપૂર્વક દિવસ પૂર્ણ થયો. અહિં દિવસ ગ્રહણ કરવાથી રાત્રિ, પક્ષ, ચોમાસી, સંવત્સરી પણ પ્રસંગાનુરૂપ સમજી લેવું. એ પ્રમાણે બે હાથ જોડીને ગુરુનો પ્રત્યુત્તર સાંભળવાની ઈચ્છાવાલા શિષ્યને ગુરુ કહે છે કે ‘તદ્દ’ ત્તિ એટલે તેમ જ અર્થાત્ મારો દિવસ સુખપૂર્વક પસાર થયો છે. આ પ્રમાણે આચાર્યના શરીરના કુશળ-સમાચાર પૂછ્યાં. હવે તપ સબંધી કુશળતા પૂછે - ‘ખત્તા મે માં મૈં એ અનુદાત્ત સ્વરથી ઉચ્ચાર કરતી વખતે બે હથેલીઓની દશેય આંગળીઓથી ઓધાને સ્પર્શ કરવો, પછી હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતા મધ્યમાં ‘ત્તા’ નો સ્વરિત સ્વર વડે ઉચ્ચાર કરવો, અને પોતાની દૃષ્ટિ ગુરુમુખ સામે રાખી તે હથેલીઓમાંથી લલાટને સ્પર્શ કરતાં ‘ઉદાત્ત’ સ્વરથી ‘મે' અક્ષર બોલવો. અહિં ‘નત્તા' – યાત્રા = યાત્રા ભવતાં = આપ ભગવંતને તાત્પર્ય કે-હે ભગવંત ! આપની ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવવાળી સંયમ-યાત્રા તપ અને નિયમરૂપ યાત્રા વૃદ્ધિવાળી છે ? આ અવસરે ગુરુ પણ જવાબ આપે છે કે ‘તુવ્યં પિ વ' મને તો તપ-સંયમની યાત્રાઓ વૃદ્ધિ પામે છે. પણ તને તે યાત્રાઓ આગળ વૃદ્ધિ પામતી હશે. = – – યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ***** અલ્પમાત્ર પીડાવાળા આપને ‘વર્તુણુમેન’ = - 1 હવે નિગ્રહ કરવા લાયક પદાર્થ સંબંધી કુશળતા પૂછવા માટે ફરી પણ શિષ્ય કહે છે – ‘નવન્ત્રિ' ચ મે !' એ પાઠમાં અનુદાત્ત સ્વરથી ‘જ્ઞ' કારનો ઉચ્ચાર કરતાં, પહેલાંની માફક બે હથેલીઓથી ઓઘાને સ્પર્શ કરે, પછી બંને હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતો વચ્ચે અટકીને સ્વરિત સ્વરે ‘વ’ કારનો ઉચ્ચાર કરે અને લલાટે ઉદાત સ્વરથી ‘f' બોલે, એ ત્રણ અક્ષરો બોલવા છતાં પ્રશ્ન અધુરો હોવાથી જવાબની રાહ જોયા વિના જ પુનઃ અનુદાત સ્વરથી ‘ŕ' બોલતાં બે હસ્ત વડે રજોહરણનો સ્પર્શ કરતો ત્યાંથી વળી લલાટ તરફ લઈ જતાં મધ્યમાં અટકાવીને સ્વરિત સ્વરે ‘મે' અક્ષર બોલે, તે પછીના ગુરુના જવાબની રાહ જોતો તે જ રીતે બેસી રહે, અહીં'નળિખ્ખું ચ' यापनीयं કાબુમાં રાખવા લાયક આપની ઈન્દ્રિયો અને મન ઉપશમ વગેરે પ્રકારોના સેવનથી અબાધિત છે ? તથા વળી ભે ભવતાં – આપનું, તાત્પર્ય કે આપના શરીર, ઈન્દ્રિયો તથા મન પીડા વગરના છે ને ? પ્રમાણે ભક્તિપૂર્વક પૂછતાં વિનય કર્યો ગણાય. અહીં ગુરુ જવાબ આપે છે કે– ‘વં’ = હા એમ જ છે, અર્થાત્, ઈન્દ્રિયાદિકથી હું અબાધિત છું 7 : આ તે પછી શિષ્ય ઓઘા ઉપર બે હાથ અને મસ્તક લગાડીને પોતાના અપરાધોને ખમાવવા માટે આ પ્રમાણે કહે– ‘ગ્રામેમિ જીમાસમળો ! તેવસિઝ વધમ क्षमयामि क्षमाश्रमण ! दैवसिंक व्यतिक्रमं ક્ષમાક્ષમણ ! હું દિવસમાં થએલા અપરાધોને ખમાવું છું – અર્થાત્ હે ક્ષમાદિગુણયુક્ત શ્રમણ ! આજે આખા દિવસમાં અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનમાં થએલ વિરાધનારૂપ મારા અપરાધોને ખમાવું છું આપની પાસે તેની ક્ષમા માગું છું. અહીં ગુરૂ જવાબમાં કહે છે કે ‘અપિ ગ્રામમિ' અત્તિ ક્ષમામિ = હું પણ તમને ખમાવું છું. અર્થાત્ પ્રમાદથી આખા દિવસમાં તમારા પ્રત્યે હિતશિક્ષા આદિમાં પણ અવિધિ આદિ કરવારૂપ જે કોઈ અપરાધ થયો હોય, તેને હું ખમાવું છું. = = હે એ પ્રમાણે પ્રણામ કરવાપૂર્વક ખમાવીને પગ પાછળની ભૂમિ પ્રમાર્જન ક૨વાપૂર્વક અવગ્રહમાંથી બહાર નીકળતાં ‘સાવસ્તિઞાર્’ બોલે, તથા પછી ‘પઽિમામિ’ થી આરંભી નો મે ગવારો જ્મો Page #370 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૧૯ સુધીનો પાઠ બોલે આ પાઠ પોતાના અપરાધો-અતિચારોને નિવેદન કરવા રૂપ હોવાથી “આલોચના' નામના પ્રાયશ્ચિતને સૂચવનાર સૂત્ર છે. તે પછીના ‘તરસ માસમ ! પડિhiામિ' વગેરે પાઠ પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત કહેનાર છે તે “ફરી હું એવો અપરાધ નહીં કરું અને આત્માની શુદ્ધિ કરીશ' એવી બુદ્ધિથી અવગ્રહમાંથી બહાર નીકળે બોલે– ‘માવસિંગાપુ' - સાવવા : અવશ્ય અર્થાત ચરણસિત્તરી કરણસિત્તરરૂપ અવશ્ય કરવા યોગ્ય કાર્યોને અંગે જે અયોગ્ય વર્તન થયું હોય, તેનું ‘મિનિ' – પ્રતિમા = પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તેનાથી પાછો ફરું છું. આમ સામાન્યરૂપે કહીને હવે વિશેષથી સ્પષ્ટ સ્વરૂપે કહે છે – “માસમUTvi દેવસિઝાગાયિUTIC” ક્ષમક્ષમUIનાં વૈવસ નાતિન = ક્ષમાશ્રમણ એટલે ગુરુ પ્રત્યે આખા દિવસમાં કરેલી, જ્ઞાનાદિ, લાભોને નાશ કરનારી આશાતના-ખંડના-આશાતના થવા વડે થએલા અપરાધોનું હું પ્રતિક્રમણ કરું છું – એમ આગળના સર્વ વાક્યોમાં સંબંધ જોડવો. હવે કઈ કઈ આશાતનાઓ વડે ? તે જણાવે છે – “તિરસનયરઈ' - ત્રટિશચતરથા = એટલે ગુરુની. તેત્રીશ આશાતનાઓ કહેલી છે, તેમાંથી કોઈ પણ એક, બે ત્રણ કે તેથી અધિક જેટલી આશાનતાઓ થએલી હોય, તે દરેક આશાતનારૂપ અપરાધોને અહીં આખા દિવસમાં અનેક આશાતનાઓ થવાનો સંભવ હોવાથી “એક, બે, અગર સઘળી આશાતનાઓ એમ કહ્યું છે તે આશાતનાઓ આગળ કહેવાશે તે સંબંધી કાંઈક વિશેષ કહે છે – “ગ' &િત્ર મિચ્છાણ – વત્ વિચિત્ મિથ્યા જે કંઈ ખરાબ ગમે તેવું નિમિત્ત પકડીને ખોટા ભાવથી કરી હોય, તેવી આશાતનાથી વળી ‘મહુડી, વહુડી, વાયદુવડા' - મનોહુથી વધુદુર્ણતયા યદુતય = દુષ્ટ મન કે પ્રષના કારણે, દુષ્ટ અસભ્ય કઠોર વચન બોલીને કાયાની દુષ્ટતા એટલે નજીક બેસવું પાસે ચાલવું એવી શરીરની ખોટી પ્રવૃત્તિ દ્વારા થએલી આશાતનાઓથી તેમાં પણ “ોહાણ, માપIC, માયા તો માણ' થયા, માનયા, મીયા, નોમથા = ક્રોધસહિત માનસહિત, માયાસહિત લોભસહિત અર્થાત્ ક્રોધાદિકથી કરેલી આશાતનાઓથી વિનયભ્રંશ થવારૂપ આશાતનાથી, આ પ્રમાણે દિવસે થએલી આશાતના જણાવી. તે પ્રમાણે પફખી ચોમાસી, સંવત્સરી સંબંધીના કાળમાં થયેલી તથા આ ભવ, ગતભવો તથા ભૂતકાળ, ભવિષ્યકાળ વિષયક થએલી જે આશાતના તેના સંગ્રહ માટે “સબ્રક્ષાનિયા' સર્વાનિયા સર્વ કાળ સંબધી આશાતના, અનાગત-ભવિષ્યકાલની આશાતના કેવી રીતે થાય ? તેનું સમાધાન કરતાં કહે છે કે – “આવતીકાલે આ ગુરુનું અમુક અનિષ્ઠ નુકસાન કરવાનો છું એમ વિચાર કરવાથી એવી રીતે ભવાંતરમાં પણ તેનો વધ આદિ નુકસાન કરવાનું નિયાણું કરવું સંભવે છે જ. એમ ત્રણેય કાળ સંબંધી આશાતનાઓથી સદ્ગમછોયારી સર્વપિથ્થોપવાથી - સર્વ દંભ - કપટ - માયાપૂર્ણ ખોટી પ્રવૃત્તિરૂપ અસન્ક્રિયા કરવારૂપ આશાતનાથી તથા સત્રથમૂત્રમUIIC - સર્વથાતિમાથા ! આઠ પ્રવચનમાતાનું પાલન, સામાન્યથી સંયમમાં કરવા યોગ્ય સર્વ કાર્યો તે રૂપ સર્વ ધર્મમાં જે અતિક્રમણઉલ્લંઘન-વિરાધના તે સર્વ કર્મમાં થએલી આશાતનાથી “માસીયાઈ ગો મારો ગો' - ભાશાતનયા યો મચાડતિવીર: #d: = એ પ્રમાણે ગુરુની આશાતના દ્વારા મેં જે કોઈ અતિચાર અપરાધ કર્યો હોય. “તસ મસમો ! પડિAમાનિ' - તસ્ય ક્ષમાશ્રમ ! પ્રતિમામિ = હે ક્ષમાક્ષમણ ! હું તે અતિચારોનું-અપરાધોનું તમારી સાક્ષીએ પ્રતિક્રમણ કરું છુ. અર્થાત્ ફરીથી નહિ કરવાની ભાવનાપૂર્વક તે અપરાધોથી મારા આત્માને પાછો હઠાવું છું તથા નિમિ, હિમ મા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ વોસિરામિ-નિખ્વામિ મમિ – માત્માન વ્યવૃનામિ તે અપરાધો કરનારા મારા ભૂતકાળના પાપવાળા આત્માને સંસારથી વિરકત બનેલો હું પ્રશાન્ત ચિત્તથી વર્તમાનકાલના શુદ્ધ અધ્યવસાયો વડે નિંદા કરું છું. આપની સાક્ષીએ દુષ્ટ કાર્ય કરનારા મારા આત્માને ગર્તુ છું અને દુષ્ટ કાર્ય કરનારા એવા મારા તે આત્માને તેની અનુમોદના-ત્યાગ કરવા વડે કરીને વોસિરાવું છું એ પ્રમાણે ગુરુવંદન-સૂત્ર બોલવા પૂર્વક પ્રથમ વખત વંદન કરીને પુનઃ ત્યાં અવગ્રહ બહાર ઉભા રહીને, અર્ધ શરીર નમાવી બીજી વખત વંદન કરવા માટે “ચ્છામિ ઘમાસમuો' થી શરૂ કરીને વોસિરામિ' સુધી બીજી વખત સંપૂર્ણ પાઠ બોલે, એટલું વિશેષ-સમજવું કે બીજી વખતના વંદનમાં અવગ્રહથી બહાર નીકળ્યા વિના જ સાવસિયણ પાઠ છોડીને બાકીનો સર્વ સુત્રપાઠ બોલે, વંદનસત્રના આ વિધિને જણાવનારી ગાથાઓ આગમમાં આ પ્રમાણે છે. તેના અર્થ લખીએ છીએ – “આચારનું મૂલ વિનય છે, તે ગુણવંતોની પ્રતિપત્તિ-સેવાથી થાય, તે વિધિથી ગુરુને વંદન કરવાથી થાય અને તે દ્વાદશાવર્ત વંદનનો વિધિ આ પ્રમાણે જાણવો. ૧. વંદન કરવાની ઈચ્છાવાલો યથાજાત અર્થાત્ જન્મસમયની અવસ્થાવાળો બની અવગ્રહ બહાર સંડાસાને પ્રમાર્જીને ઉત્કટિકાસને બેસી મુહપત્તિ પડિલેહી ઉપરનું અર્ધ અંગ પ્રમાર્જીને ૨. પછી ઉભો થઈને, કેડ ઉપર કોણીઓથી ચોલપટ્ટાને પકડી (આગળ કંદોરો વાપરતો ન હતો) શરીર નમાવીને યુક્તિપૂર્વક પાછળનો ભાગ ધર્મની નિંદા ન થાય તેમ ઢાંકીને ૩. ડાબા હાથની આંગળીઓમાં મુહપત્તિ તથા બે હથેલીઓમાં રજોહરણ પકડીને અને વંદનને અંગે કહેલા બત્રીશ દોષો ટાળીને ગુરુની સામે આ પ્રમાણે ઉચ્ચાર પૂર્વક બોલે-૪. ઈચ્છામિ ખમાસમણોથી નિસીરિઆએ સુધી બોલીને પછી ગુરુનો છ' એ ઉત્તર સાંભળીને અવગ્રહની યાચના કરવા માટે ૫. “મનાદ એ મિડદું બોલે અને ગુરુ ‘મણુનામિ' કહે, ત્યારે અવગ્રહભૂમિમાં પ્રવેશ કરી, સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. ૬. તે પછી રજોહરણ દશીઓ સહિત પ્રમાર્જીને મસ્તકને સ્પર્શ કરવા માટે ઉપયોગી થશે એમ ધારી જમીન પર સ્થાપન કરે, તે પછી પ્રથમ ૭. ડાબા હાથે એક બાજુથી પકડેલી મુહપત્તિ વડે ડાબા કાનથી આરંભીને જમણા કાન સુધી લલાટ પ્રમાર્જ ૮. અને સંકોચેલા ડાબા ઢીંચણના ઉપરના ભાગે પ્રમાજીને તેની ઉપર મુહપત્તિ મૂકે તથા ઓઘાના મધ્યભાગમાં ગુરુના ચરણયુગની સ્થાપનાકલ્પના કરે. ૯. તે પછી બે હાથ લાંબો કરીને બે સાથળોના મધ્યભાગનો સ્પર્શ ન થાય તેમ ભેગી કરેલી બે હથેલીઓથી 5 કારનું ઉચ્ચારણ કરતો ઓઘાની દશીનો સ્પર્શ કરે ૧૦. તે પછી બે હથેળીને અંદર મુખ તરફ ફેરવીને અને લલાટે સ્પર્શ કરવા માટે ઊંચે લઈ જઈને દો કાર ઉચ્ચારતાં જે બે હથેલીઓથી લલાટને સ્પર્શ કરે. ૧૧. ફરી બંને હાથ અધોમુખવાળા કરી કાર બોલતાં રજોહરણને સ્પર્શ કરે અને ચું અક્ષરના ઉચ્ચાર સાથે ફરી પહેલાં માફક લલાટને સ્પર્શ કરે. ૧૨. વળી 1 અક્ષરના ઉચ્ચાર વખતે ત્રીજીવાર ઓઘાને સ્પર્શ કરીને ય કાર બોલતા ફરી તે જ રીતે લલાટે સ્પર્શ કરે. ૧૩. પછી સંeri પદ બોલતા રજોહરણને બે હાથ અને મસ્તકથી પ્રણામ કરીને મસ્તક ઊંચું કરી, બે હાથ જોડી મસ્તકથી પ્રણામ કરીને, મસ્તક ઊંચું કરી બે હાથ જોડી અવ્યાબાધ-સુખશાતા પૂછવા માટે ૧૪. “મળિો છે હિનામો' મMજિન્નતા વદુખે છે વિવો' દિવસ, પક્ષ કે વર્ષ “વફ#તો' એમ બોલે અને પછી મૌન કરે, ૧૫. જ્યારે ગુરુ તત્તિ' જવાબ આપે, ત્યારે પુનઃ સંયમયાત્રા અને યાપનિકા એટલે ઈન્દ્રિયો અને મનની નિરાબાધતા પૂછે તે વખતે પણ પૂર્વની જેમ બીજી વખતના ત્રણ આવર્તે કરવા, તથા તેમાં સ્વરોનો યોગ કરવો ૧૬. ત્યાં અમે પ્રશ્ન પૂછીએ છીએ કે મંદબુદ્ધિવાળા શિષ્યોના અનુગ્રહ Page #372 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૨૧ ઉપકાર કરવા માટે તે સ્વરયોગ કેવી રીતે કરવો ? તે કહીએ છીએ કે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ સ્વર અવાજથી બોલીને યુક્તિઓ સ્થાપવી. ૧૭. તેમાં જઘન્ય એટલે અનુદાત્ત સ્વર ‘રજોહરણ ઉપર’ ‘ઉત્કૃષ્ટ = ઉદાત્ત સ્વર લલાટે અને મધ્યમ – સ્વરિત સ્વર તે બેની વચ્ચે કરવો, ૧૮. અનુદાત્ત સ્વરથી ન કાર સ્વરિત અવાજથી ત્તા અને ઉદાત્ત સ્વરથી મે અક્ષર બોલવા; વલી એ ન-વ-ત્રિણ અક્ષરો પણ એ જ પ્રમાણે અનુદાત્ત વિગેરે ઉચ્ચારણથી બોલવા. ૧૯. ત્રીજી વાર અનુદાત્ત નૂં સ્વરથી ઘેં સ્વરિત, મે ઉદાત્ત સ્વરથી બોલવા એ પ્રમાણે રજોહરણ ઉપ૨ મધ્યમાં અને લલાટે બોલવાનાં એ સ્વરો જાણવા. ૨૦. પ્રથમના ત્રણ આવર્તો અનુક્રમે બબ્બે અક્ષરોના અને બીજા ત્રણ આવર્તો ત્રણ-ત્રણ અક્ષરોના બનેલા છે. ૨૧. એમ આવર્તોનું સ્વરૂપ જણાવીને હવે બીજી વખતના ત્રણ આવર્તોનો વિધિ કહે છે કે-બે હાથથી રજોહરણ ઉપર ન: કાર, મધ્યમાં ા કાર અને લલાટે મે કા૨ કહીને પછી ગુરુનું વચન સાંભળવું. ૨૨ ગુરુ જ્યારે તુધ્ન ષિ વટ્ટ એમ લાગે ત્યારે બાકીના બે આવર્તો કરીને જ્યાં સુધી ગુરુ વં ન બોલે ત્યાં સુધી મૌન રહે, ૨૩. ગુરુ વં બોલે ગ્રામેમિ જીમાસમો ! કહ્યા પછી શિષ્ય રજોહરણ ઉપર બે હાથની અંજિલ અને મસ્તક લગાડીને વિનયપૂર્વક તેવસિયં વામાં વગેરે બોલે, ૨૪. પછી જ્યારે ગુરુ ‘અમવિ દ્વ્રામેમિ તુમં' એમ કહી ખામણાની સંમતિ જણાવે ત્યારે શિષ્ય ‘આવસ્તિમાત્’ કહીને અવગ્રહમાંથી નીકળે, ૨૫. પછી નમાવેલા શ૨ી૨પૂર્વક સર્વ અપરાધોના ખામણાં કરીને સર્વદોષની નિંદા, ગર્હા અને પરિહાર કરે વોસિરાવે એટલે કે એ રીતે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરે, ૨૬. એમ વિનયપૂર્વક ત્રણ ગુપ્તિએ ગુપ્ત થઈ પહેલી વખત ખમાવીને તે જ પ્રમાણે બીજી વખત વંદન કરે, તેમાં પણ અવગ્રહની યાચના-પ્રવેશ વિગેરે સર્વ પૂર્વની માફક કરે. આ બે વંદનમાં થઈને બે અવનત અને બે પ્રવેશ થાય છે. ૨૭. વંદનના પ્રથમ પ્રવેશમાં છ આવર્તો અને બીજા પ્રવેશમાં છ આવર્તો થાય છે. તે અ-દો વગેરે અક્ષરોને જુદા જુદા બોલીને કરવાના બાર આવર્તી જાણવા. ૨૮. પ્રથમ પ્રવેશમાં બે શિરનમન અને બીજામાં પણ એ જ પ્રમાણે બે શિરનમન થાય છે. તેથી ચાર શિર કહ્યા અને એક નિષ્ક્રમણ કહ્યું છે ૨૯. એક યથાજાત અને ત્રણ ગુપ્ત એ ચારને બાકીનામાં નાંખવાથી બે વંદનમાં કુલ પચીશ આવશ્યકો થાય છે. ૩૦’ ગુરુની તેત્રીશ આશાતનાઓ ‘તિજ્ઞીક્ષનયા' – એમ આગળ કહી ગયા, તે ગુરુ સંબંધી તેત્રીશ આશાતનાઓ તે વિસ્તારથી સમજાવે છે —૧. ‘ગુરુની આગળ નિષ્કારણ ચાલવાથી શિષ્યને વિનયભંગ થવારૂપ આશાતના લાગે છે. માર્ગ બતાવવા કે કોઈ વૃદ્ધ અંધ વિગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી. ૨ ‘ગુરુની સાથે જ બાજુએ જમણા કે ડાબા પડખે ચાલવાથી' અને ૩. ગુરુની પાછળ ચાલવાથી પાછળ પણ લગોલગ ચાલવવાથી નિઃશ્વાસ છીંક, શ્લેષ્મ વિગેર લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય. એ ચાલવા માફક નિષ્કારણ ગુરુની આગળ બરોબર બાજુમાં અને પાછળ પણ બહુ લગોલગમાં એમ ત્રણ રીતે ‘ઉભા રહેવાથી ૪-૫-૬ એમ ત્રણ આશાતના થાય. વળી એ જ પ્રમાણે બરાબર જોડે જ બહુ નજીક પાછળ એમ ત્રણ સ્થાને બેસવાથી પણ ૭-૮-૯ એમ ત્રણ આશાતના લાગે. ૧૦ ગુરુ કે આચાર્યની સાથે સ્થંડિલભૂમિ ગયા હોય અને પ્રથમ પોતે જાય અને પહેલાં દેહશુદ્ધિ કરે, ‘આચમન' નામની. ૧૧. ગુરુ સાથે કોઈકને વાતચીત કરવાની હોય. તેના બદલે શિષ્ય જ પ્રથમ વાતચીત કરેતે પૂર્વાલાપન નામની. ૧૨. આચાર્યની સાથે બહાર ગયો હોય પાછો આવીને આચાર્યની પહેલાં જ ગમનાગમન આલોચે. તે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ગમનાગમન આલોચના' નામની. ૧૩ ભિક્ષા લાવીને ગુરુ પહેલાં કોઈક નાના સાધુ પાસે આલોવીને પછી ગુરુ પાસે આલોવે. ૧૪. એ જ પ્રમાણે ભિક્ષા લાવી ગુરુ પહેલાં નાના સાધુને દેખાડી પછી ગુરુને દેખાડવી. ૧૫ ગોચરી લાવીને ગુરુને પૂછ્યા વગર નાના સાધુઓને તેઓની ઈચ્છા પ્રમાણે ઘણો આહાર આપી દેવો. ૧૬. ભિક્ષા લાવીને પહેલા કોઈ નાના સાધુને નિમંત્રણ કરી પછી ગુરુને નિમંત્રણ કરે. ૧૭. પોતે ભિક્ષા લાવીને ગુરુને કંઈક માત્ર આપીને ઉત્તમ વર્ણ, રસ, ગંધ, સ્પર્શવાળા ઘણી વિગઈવાળા-મનને ગમે તેવા સ્વાદિષ્ટ આહાર, શાક આદિ પોતે જ વાપરવા. ૧૮. રાત્રે ગુરુ બોલાવે કે તે આર્ય ! કોણ જાગે છે ? કોણ ઉઘે છે ? એ સાંભળવા છતાં અને જાગવા છતાં જવાબ ન આપવો ૧૯. એ પ્રમાણે દિવસે કે બીજા સમયે ગુરુએ બોલાવવા છતાં જવાબ ન આપવાથી ૨૦ ગુરુ બોલાવે છતાં જ્યાં બેઠા કે સુતા હોય, ત્યાંથી જ ઉત્તર આપવાથી અર્થાત ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને ત્યાંથી જ ઉત્તર આપવાથી અર્થાત્ ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને પાસે જઈ “સ્થા વંતાનએમ કહીને તેઓ કહે તે સાંભળવું જોઈએ એમ ન કરે તો આશાતના ૨૧. ગુરુ બોલાવે ત્યારે મા વંતાન' એમ કહવાને બદલે “શું છે ? એમ વચન બોલવું. ૨૨. ગુરુને શિષ્ય તુંકાર વડે અપમાનથી બોલે. ૨૩. ગુરુ ગ્લાનાદિકની વેયાવચ્ચ માટે તું આ કાર્ય કર' એમ આજ્ઞા કરે, ત્યારે તમે જાતે કેમ નથી કરતા ? ત્યારે તેમ જાતે કેમ નથી કરતા ? ગુરુ કહે-તું આળસુ છે ત્યારે સામો જવાબ આપે છે કે, “તમો આળસુ છો' એમ સરખા જ સામા જવાબ આપે તે “તજ્જાવચન' નામની આશાતના ૨૪ ગુરુ પાસે કઠોર વચનો મોટા અવાજથી બોલાવા. ૨૫. ગુરુ ધર્મોપદેશ કરતા હોય, ત્યારે વચમાં વગર પૂછ્યું, “આ આમ છે” એમ બોલવું ૨૬. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, આ અર્થ તમને યાદ નથી, આ અર્થ સંભવતો નથી' એમ શિષ્ય વચમાં બોલે, ૨૭ ગુર ધર્મકથા સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ ન હોવાથી શિષ્ય ચિત્તમાં પ્રસન્ન થાય નહિ. ગુરુના વચનની અનુમોદના કરે નહિ આપે સુંદર સમજાવ્યું એમ પ્રશંસા કરે નહિ. તે ઉપહતમનસ્વ' નામની આશાતના, ૨૮ જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, અત્યારે તો ભિક્ષાનો સમય થયો છે. સૂત્ર ભણવાનો કે ભોજનનો વખત થયો છે' વિગેરે કહીને સભા ભૂદવાની આશાતના. ૨૯ ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે કથા કરીશ એમ કહી ગુરુની સભા અને કથા તોડી નાંખવી. તે કથા છેદન આશાતના ૩૦. આચાર્ય ધર્મોપદેશ કરતા હોય અને સભા” ઉઠ્યા પહેલા જ સભામાં પોતાની ચતુરાઈ બતાવવા શિષ્ય વિશેષ, વ્યાખ્યા કરવી, તે આશાતના, ૩૧ ગુરુ આગળ ઉંચા કે સરખા આસને શિષ્ય બેસે. ૩૨ ગુરુની શય્યા કે સંથારાને પગ લગાડવો કે તેની રજા વગર હાથ લગાડવાથી અને એ પ્રકારે કરવા છતાં ક્ષમા નહિ માંગવાથી આશાતના કહ્યું છે કે– ગુરુ કે તેમના કપડાં આદિ વસ્તુઓને શરીરથી સ્પર્શ થઈ જાય કે રજા સિવાય અડકે તો “મારા અપરાધને ક્ષમા કરો” એમ કહી શિષ્ય ક્ષમા માગે, અને ફરી આવી ભૂલ નહિ કરું એમ કહે (દશ. ૯) ૨/૧) ૩૩ ગુરુની શય્યા, સંથારા, આસન- વિગેરે ઉપર ઉભા રહેવાથી, બેસવાથી કે શયન કરવાથી ઉપલક્ષણથી તેઓના વસ્ત્ર, પાત્રાદિ કોઈ વસ્તુ પોતે વાપરવાથી આશાતના થાય છે. આ તેત્રીશ આશાતનાઓ જણાવનારી “પુરો પવજ્ઞા' ઇત્યાદિ છ ગાથાઓ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલી છે. જેનો અર્થ ઉપરના વિવેચનમાં આવી ગયેલો હોવાથી ફરી લખતા નથી. જો કે આ આશાતનાઓ સાધુને આશ્રીને જણાવી છે, છતાં શ્રાવકને પણ થવા સંભવ છે. કારણકે ઘણે ભાગે સાધુક્રિયાના અનુસાર જે શ્રાવકની ક્રિયાની પ્રવૃત્તિ પ્રવર્તે છે. શાસ્ત્રમાં સંભળાય છે કે કૃષ્ણવાસુદેવે Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ દ્વાદશાવર્ત વંદનથી અઢાર હજાર સાધુઓને વંદના કરી છે તેથી આશાતનાઓ પણ સાધુ અનુસાર યથાસંભવ શ્રાવકને પણ જાણવી. એ પ્રમાણે વંદન કરીને અવગ્રહમાં જ રહેલો અતિચારોની આલોચના કરવાની ઈચ્છાવાળો શિષ્ય, શરીરને કાંઈક નમાવવા પૂર્વક ગુરુને આ પ્રમાણે કહે છે—‘ફાવારેળ સંવિસહ, વેવસિયં આનોમિ' આપની ઇચ્છાથી આજ્ઞા કરો, દિવસમાં થએલા અતિચારોને આપની પાસે પ્રગટ કરું. અહિં દિવસ તથા ઉપલક્ષણથી રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સંવત્સરી સંબંધી અતિચારો પણ તે સમય માટે સમજી લેવા. આતોષવામિ' એમાં આ મર્યાદા-વિધિપૂર્વક અથવા સર્વપ્રકારે અને હોમિ આપની પાસે પ્રગટ કરી સંભળાવું છું. અહીં દિવસ વગેરેની આલોચનામાં કાળ-મર્યાદા આ પ્રમાણે છે-દિવસના મધ્યભાગથી આરંભીને રાત્રિના મધ્યભાગ સુધી દેવસિક, અને રાત્રિના મધ્યભાગથી આરંભીને દિવસના મધ્યભાગ સુધી રાત્રિક અતિચારોની આલોચના થઈ શકે છે. અર્થાત્ દેવવિસ કે રાઈ પડિક્કમણ તે પ્રમાણે થઈ શકે છે અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક આલોચના-પ્રતિક્રમણ તો તે પખવાડિયું, ચતુર્માસ કે વર્ષ પૂર્ણ થાય ત્યારે થઈ શકે છે. હવે અહીં ‘આતોĒ= આલોચના કરો એમ ગુરુ-વચન સાંભળી તેને સ્વીકારતો શિષ્ય ‘ફર્જી આલોમિ' એમ શિષ્ય કહે તેમાં રૂચ્છ આપની આજ્ઞા સ્વીકારું છું અને આલોચવાની સ્વીકૃતિનો ક્રિયા દ્વારા પ્રકાશ કરું છું.- આ પ્રમાણે પ્રાથમિક કથન રજૂ કરીને શિષ્ય સાક્ષાત આલોચના કરવા માટે આ પાઠ બોલેઃ— = = ‘નો મે વેસિઓ અફસરો જ્ગો, ાડ્યો, વાસો, માળત્તિઓ, સ્મુત્તો, કમ્મો, ગળો, અભિન્ગો, વ્રુન્દ્રાઓ, વૃિિતિઓ ગળાયો મળિછિદ્મવ્યો, અસાવા-પાળો, નાળે હંસળે, चरित्ताचरित्ते, सुए, सामाइए, तिन्हं गुत्तीणं चउण्हं कसायाणं पञ्चण्हमणुव्वयाणं तिहं गुणव्वयाणं चउन्हं सिक्खावयाणं बारसविहस्स सावगधम्मस्स जं खंडिअ जं विराहियं, तस्स मिच्छा मि તુવર્ડ' | આ સૂત્રપાઠની વ્યાખ્યા આ પ્રમાણે નો-મે-યો મા = મેં જો કોઈ ફેવસિજોતિચારો તમ દિવસ સંબંધી વિધિનું ઉલ્લંઘન કરવા રૂપ અતિચાર ો': કર્યો હોય, તે અતિચાર પણ સાધન-ભેદે અનેક પ્રકારે થાય. માટે કહે છે– ‘ાઓ, વાઞો, માસિો= શરીર વચન કે મન દ્વારા ખોટી પ્રવૃત્તિ કરવા રૂપ અતિચાર થયો હોય, ઉસ્સુત્તો = સૂત્ર વિરુદ્ધ વચન બોલવાથી થયેલો અતિચાર સમ્મો = તેમાં ક્ષાયોપશમિક ભાવ તે માર્ગ, તેનું ઉલ્લંઘન કરવું તે ઉન્માર્ગ અથવા આત્મસ્વરૂપ ક્ષાયોપશમિક ભાવનો ત્યાગ કરી મોહનીય આદિ ઔયિક ભાવમાં પરિણામ પલટાય, તે રૂપ ઉન્માર્ગથી થએલ અતિચાર તથા ‘અપ્પો =‘અલ્પ્ય અહીં કલ્પ = ન્યાય વિધિ-આચાર, અર્થાત્ ચરણ કરણનો વ્યાપાર, તેથી વિપરીત એ અકલ્પ તાત્પર્ય કે સંયમના કાર્યોને યથાર્થ સ્વરૂપે ન કરવાથી થએલા અતિચારને : = સામાન્યથી નહિ કરવા યોગ્ય કાર્યો કરવાથી થએલા અતિચાર ઉપર જણાવેલાં ઉત્સૂત્ર વિગેરે પ્રકારો કાર્યથી નહિ કરવા યોગ્ય કાર્યો કરવાથી થએલો અતિચાર ઉપર જણાવેલાં ઉત્સૂત્ર વિગેરે પ્રકારો કાર્ય કારણરૂપે પરસ્પર સંબંધવાળા છે. જેમ કે— ઉત્સૂત્ર હોય માટે જ ઉન્માર્ગ થાય. ઉન્માર્ગ હોય માટે જ અકલ્પ થાય અને અકલ્પ હોય માટે અકરણીય થાય. આ પ્રમાણે કાયિક અને વાચિક અતિચારનું = = Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વિશેષ સ્વરૂપ જણાવવા માટે આ ઉસૂત્રથી ઉન્માર્ગથી વગેરે કહ્યું હવે માનસિક અતિચારો અંગે વિશેષ કહે છે “૩ામો' = એકાગ્રચિત્તે દુષ્ટ ધ્યાન કરવાથી થએલા આર્તધ્યાન રૌદ્રધ્યાનરૂપ અતિચાર તથા બ્રતિ = ચંચળ ચિત્તથી દુષ્ટ ચિંતન કરવા રૂપ અતિચાર. કહ્યું છે કે – નંથિમવસTUર્તિા નં રત્ન તથં વિત્ત' = મનનો જે સ્થિર અધ્યવ્યવસાય, તે ધ્યાન’ અને જે ચંચળ અધ્યવસાય તે 'ચિત્ત' કહેવાય અહીં તે સ્થિર અને ચંચળ ભેદ સમજવા. જે આવા પ્રકારના છે. તેની અનાચરણીયઆદિ કહે છે.– 'મUTયારો' = શ્રાવકને આચરવા લાયક નહિ માટે અનાચરણીય જાણવા. વળી અનાચરણીય માટે જે “ = “ છાવ્યો' = કરવા યોગ્ય તો નથી જ પણ મનથી પણ અલ્પમાત્ર ઈચ્છવા યોગ્ય નથી. ઈચ્છવા યોગ્ય નથી માટે જ ‘મસાવI-પાડો એટલે સમ્યકત્વ અંગીકાર કર્યું હોય, અણુવ્રતાદિક અંગીકાર કર્યા હોય, દરરોજ સાધુ પાસે સાધુઓની અને શ્રાવકોની સામાચારી-કર્તવ્યો સાંભળતો હોય, તે શ્રાવક તે માટે અઘટિત છે એ કહીને હવે અતિચાર જણાવવા માટે કહે છે– UTUછે, હંસ, વરિત્તારિત્તે એટલે જ્ઞાન, તથા દર્શનના વિષયમાં દેશવિરતિરૂપ ચારિત્રાચારિત્રના વિષયમાં લાગેલા અતિચારો. હવે તે જ્ઞાનાદિના વિષયના અતિચારોને ભેદથી જુદા જુદા પ્રકારે જણાવે છે– “સુ' - શ્રુત્તેિ વિષયે શ્રુત જ્ઞાન વિષયમાં, ઉપલક્ષણથી બાકીના ચાર જ્ઞાનોને અંગે પણ ઉસૂત્રપ્રરૂપણા કે કાળે સ્વાધ્યાય કરવો વગેરે જ્ઞાનાચારના આઠ આચારોને નહિ પાળવાથી લાગેલા અતિચાર તથા સામફિg' = સામાયિકના વિષયમાં અહીં સામાયિક વિષયથી સમ્યક્ત અને દેશવિરતિ એમ બે સામાયિક જાણવા. સમ્યક્તમાં શંકા, કાંક્ષા આદિ, અતિચાર અને દેશવિરતિ-સામાયિકના અતિચારો કહે છે- 'તિષ્ઠ પુત્તી' = ત્રણ ગુપ્તિમાં જે ખંડના કરી હોય, તે રૂપ અતિચાર, અહીં મન, વચન અને કાયાના યોગોને ગોપવવા રૂપ ત્રણ ગુપ્તિને અંગે શ્રદ્ધા નહિ કરવાથી તથા વિપરીત પ્રરૂપણા કરવાથી-એ બે પ્રકારે ખંડના-વિરાધના કરવાથી તથા વતુur aોધ-માન-માયા-ત્નોમ-નક્ષUIનાં વષાથા એટલે ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર કષાયોમાં જે અપ્રશસ્ત કષાયો કરવાનો નિષેધ છે, તે કરવાથી તથા કષાયોના સ્વરૂપની શ્રદ્ધા ન કરવાથી કે તેની વિપરીત પ્રરૂપણા કરવાથી લાગેલા અતિચારો, “પઝાનામUણુવ્રતાનાં ત્રયાનાં ગુણવ્રતાનાં સંતુif શિક્ષાવ્રતાન' એટલે શ્રાવકનાં પાંચ અણુવ્રતો ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો જેનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે. અણુવ્રતાદિ ભેગા કરતાં બાર પ્રકારનો શ્રાવક ધર્મ તેનું દેશથી ખંડન કર્યું હોય, ઘણું ખંડન કર્યું હોય, મૂળથી ભંગ ન થવા છતાં વધારે વ્રત-વિરાધના થઈ હોય, તે વિરાધના કરી હોય, “તસ્ત મિચ્છા મિ તુવ૬ = તેવા દિવસ સંબંધી જ્ઞાનાદિક વિષયના તથા ત્રણ ગુપ્તિ ચાર કષાયો બાર પ્રકારના શ્રાવકધર્મો જે ખંડના-વિરાધના રૂપ અતિચારો લાગ્યા હોય તે મારું પાપ મિથ્યા થાઓ, આ પ્રમાણે પાપનું પ્રતિક્રમણ કરું છું. મારે તે કરવા લાયક નથી; કારણકે દુષ્કર્તવ્ય છે. અહિ શિષ્ય અધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા વૈરાગ્યવાળો માયા, અભિમાન આદિથી રહિત બની પોતાના સર્વ અતિચારની સવિશેષ વિશુદ્ધિની માટે આ પ્રમાણે સૂત્ર પાઠ બોલે – સવ્વસ વિ ટેસિય ચિંતિય કુમાસિય ક્રિય રૂછી રેપ વિ !' આ સર્વ પદોમાં છઠ્ઠી વિભક્તિનો લોપ થયો છે, તેના અર્થ આ પ્રમાણે– આખા દિવસ સંબંધી અણુવ્રત વિગેરેમાં કરવા યોગ્ય કરવાથી અને કરવા યોગ્ય ન કરવાથી જે જે અતિચારો લાગ્યા હોય, તે કેવા પ્રકારના ? તે કહે છે– “વ્યતિય = આર્ત રૌદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિંતવન કરવાથી, આથી માનસિક અતિચાર કહ્યા તથા કુમ્ભાસિય' = પાપ દુર્ભાષણ કરવા રૂપ અતિચાર. એ વચન-વિષયક અતિચારો કહ્યા તથા Page #376 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૨૫ “િિક્રય =નિષેધ કરેલા દોડવા કુદવા વિગેરે રૂપ કાયાની ક્રિયા-ચેષ્ટા તે કાયિક અતિચારો કહ્યા. આ પ્રમાણે દિવસમાં થયેલા અણુવ્રતાદિના વિરાધનારૂપ માનસિક-વાચિક અને કાયિક અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે કહે છે– 'રૂચ્છી ક્યારે સંવિદ (માવત્ !) = એટલે “હે ભગવંત ! મારા દબાણથી નહિ પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે દોષથી પાછા હટવા માટે અનુમતિ આપો. “એમ કહીને શિષ્ય મૌનપણે ગુરુની સન્મુખ જોતા ઉભો રહે, ત્યારે ગુરુ “પડદદ = પ્રતિક્રમણ કરો-એમ કહે, ત્યારે પોતે ગુરુવચનનો સ્વીકાર કરવા માટે “શું' = મારે આપની આજ્ઞા પ્રમાણે છે.” એમ કહી તરસ મિચ્છામિ એટલે ઉપર જણાવેલાં સર્વે અતિચારો રૂપી મારું પાપ મિથ્યા થાઓ-અર્થાત્ એ અતિચારોની હું જુગુપ્સા કરું છું (આ પછી વંતિત સૂત્ર કહેવાય છે, તે પણ અતિચારોનું વિસ્તારથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે. એ કહ્યા પછી ગુરુ અંગે દિવસમાં થએલા અપરાધોને ખમાવવા માટે બે વખત વાંદણા આપવાના છે, તેમાં બીજું વંદન કર્યા પછી અવગ્રહમાં રહ્યા રહ્યાં ઉપરનું અધું અંગ નમાવવા પૂર્વક શિષ્ય પોતાના અપરાધોને ખમાવવા માટે ગુરુને આ પ્રમાણે કહે છે– 'રૂચ્છીક્ષા સંવિદ = હે ભગવંત દુરાગ્રહથી નહિ, પણ આપની ઇચ્છા પ્રમાણે મને રજા આપો' શાની ? તે કહે છે– 'મમ્મકિર્દ એટલે આપને મારાથી થએલા અપરાધોને ખમાવવાની તૈયારીવાળો છું. એટલે અન્ય ઈચ્છાઓ છોડીને ખામણાનું કાર્ય કરવા તત્પર બન્યો છું. શાના ખામણાં ? તે કહે છે– ભિંતર-દેવ સ્વામિ' દિવસમાં જે અતિચાર થવાનો સંભવ હોય તેનાં, “ઘાનિ' – ક્ષમથાપિ' = હું ક્ષમા માગું છું. “અતિચાર' અધ્યાહારથી સમજવું, અન્ય આચાર્યો આ સ્થળે, બીજો પાઠ કહે છે- ‘રૂછામિ ઘમાસમ ! મુદ્દિો મ ભિતરફેવસિ૩ વાૐ અહીં રૂછામિ = ખમાવવા ઈચ્છું છું. એટલે જ નહિ પણ ખમાવવા માટે તૈયાર થયો છું એમ કહીને મૌનપણે ગુરુના આદેશની રાહ જુવે અને ગુરુ જ્યારે કહે કે- “ઘાખેદ = ખમાવો, ત્યારે ગુરુના વચનને બહુમાન કરતો કહે છે- “રૂછું રારિ' = આપની આજ્ઞાનો સ્વીકાર કરી મારા અપરાધોનું ખમાવું . આથી ખમાવવાની ક્રિયાનો પ્રારંભ જણાવ્યો-એમ સમજવું ત્યાર પછી વિધિપૂર્વક બે હાથ, બે ઢીંચણ અને એક મસ્તક જમીન પર લગાડીને તથા મુહપત્તિને મુખ પાસે રાખીને આ પ્રમાણે પાઠ બોલે "जं किंचि अपत्तियं परपत्तिअं भत्ते, पाणे विणए वेयावच्चे, आलावे संलावे उच्चासणे समासणे, अंतरभासाए, उवरिभासाए, जं किंचि मज्झ विणय-परिहीणं, सुहुमं वा वायरं वा तुब्भे जाणह, अहं न या( जा )णामि, तस्स मिच्छा मि दुक्कडं ! વ્યાખ્યાર્થ – એમાં “s રિ ' - વત્ લિવિત્ = જે કાંઈ સામાન્ય-સહેજ કે સર્વ, ‘અપત્તિ' = પ્રાકૃત આર્ષપ્રયોગ પ્રમાણે અલ્પ અપ્રીતિરૂપ અને “પરંપત્તિ' = વિશેષ અપ્રીતિરૂપ અથવા કોઈ બીજાના નિમિત્તે, તથા ઉપલક્ષણથી મારા પોતાના નિમિત્તે પણ આપના પ્રત્યે મારાથી કે મારા પ્રત્યે આપનાથી એમ જે કોઈ અપરાધ થયો હોય, તે મિથ્યા-થાઓ, – એમ છેલ્લાં પદ સાથે અર્થનો સંબંધ જોડવો તથા મત્તેપાળ' == ભોજન-પાણી સંબંધી ‘વિધા, વેયાવચ્ચે' – ઉભા થવું વિગેરે વિનયમાં તથા ઔષધ પથ્ય અનુકુળ આહારાદિક સહાય કરવારૂપ વૈયાવચ્ચમાં સાત્નિાવે સંતાવે' એકવાર બોલવારૂપ આલાપ અને પરસ્પર વધારે વારંવાર વાત કરવા રૂપ સંલાપમાં જે અપરાધ થયો હોય તે તથા ‘પ્લીસ, સમાસ = આપના આસનથી ઉંચા કે સમાન આસનનો ઉપયોગ કરવારૂપ અપરાધ થયો હોય, વળી ‘અંતરમાસા Page #377 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ * ૩૨૬ उवरिभासाए' ગુરુ વાત કરતાં હોય તેમાં વચ્ચે બોલવું. અને ગુરુએ વાત કહી હોય તેમાં વધારો કરી કહેવારૂપ ઉપરિભાષાથી એમ ‘નં હ્રિવિ’જે કંઈ સહેજરૂપ અથવા સર્વપ્રકારે ‘મા વિળય પરિહીí: મારાથી વિનય-રહિતપણે જે થયું હોય, મુન્નુમ વા વાયાં વા' અલ્પ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેવું સૂક્ષ્મ કે વિશેષ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેવું બાદર, બે ‘વા’ કહેવાથી બંનેના વિષયમાં મિથ્યા દુષ્કૃત દેવાનું છે. તુમે નાબૂદ અહં ન નાળામિ'= સમગ્ર ભાવ આપના જાણવામાં હોય તેથી મારા અપરાધો આપ જાણતા હોય. હું મૂઢ હોવાથી હું મારા અપરાધ ન પણ જાણું તથા મે ગુપ્તપણે અપરાધ કર્યા હોય તે આપ ન જાણતા હો અને હું તો મારા અપરાધ જાણતો હોઉં. વળી આપ પણ બીજાએ કરેલા હોય વગેરે કારણોથી જાણતા ન હો અને હું પણ વિસ્મૃતિ આદિના યોગે ન જાણતો હોઉં તથા આપની પ્રત્યક્ષ કરેલા હોવાથી આપ અને હું બંને જાણતા હોઈએ - એમ ચારેય ભાંગે અપરાધ કરેલા હોય તે સર્વે અહિં ગણવા. ‘તસ્સ’= અહિં છઠ્ઠી-સાતમી વિભક્તિનો અભેદ હોવાથી, તેમાં એટલે અપ્રીતિવિષયક અને અવિનયવિષયક થએલા અપરાધોમાં મિચ્છા મિ દુવાડું મારું પાપ મિથ્યા થાઓ. પોતાના ખોટાં આચરણોને પશ્ચાત્તાપ કે કબુલાત કરવા રૂપ પ્રતિક્રમણ અર્થ કહેનારું જૈન પારિભાષિક વાક્ય છે. ‘પ્રયચ્છામિ’= દઉં છું—એ અધ્યાહાર્ય સમજવું અથવા ‘તસ્સ મિચ્છા મિ તુતું એ પાઠથી બીજો અર્થ એ પ્રમાણે છે કે- તÆ વિભક્તિના ફેરફારથી અપ્રીતિવિષયક અને વિનયરહિતપણાના મારા અપરાધો મે મને મિથ્યા = મોક્ષમાર્ગની સાધનામાં વિરોધ કરનારા છે અને વુડ તે પાપરૂપ છે, એ પ્રમાણે પોતાના દોષોની કબુલાતરૂપે પ્રતિક્રમણ એટલે અપરાધની ક્ષમાપના જાણવી. = પહેલાં વંદનામાં આલોચના અને ક્ષમાપના માટે વંદન કરવાનું વિધાન કરેલું હોવાથી વંદન પછી ‘દેવસિયં આલોઉ’ અને અભુઠ્ઠિઓ' સૂત્રની વ્યાખ્યા સમજાવી નહિ તો તેનો અવસર પ્રતિક્રમણ આવશ્યકમાં આવે. આમ દ્વાદશાવર્ત વંદનનો વિધિ કહ્યો. વંદન કરનારને કર્મનિજરારૂપ ફલની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે– શ્રી ગૌતમસ્વામીજી મહાવીર ભગવંતને પૂછે છે કે હે ભગવંત ! ગુરુવંદન કરવાથી જીવ શું મેળવે ? ભગવાન ઉત્તર આપે છે કે— “હૈ ગૌતમ ! જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મો ગાઢ બંધનથી બાંધ્યા હોય, તે ઢીલા બંધનવાલા કરે છે. લાંબાકાળની સ્થિતિ બાંધી હોય, તે અલ્પકાળવાળી કરે છે, તીવ્ર રસવાળાં બાંધેલા અશુભ કર્મોને મંદરસવાળા કરે છે અને ઘણા પ્રદેશવાળા બાંધ્યા હોય તેને થોડા પ્રદેશવાળા કરે છે અને તેથી અનાદિ અનંત સંસારરૂપી અટવીમાં તે લાંબા કાળ ભ્રમણ કરતો નથી.'' તથા બીજા પ્રશ્નમાં પણ કહ્યું છે કે– હે ભગવંત ! ગુરુવંદન કરવાથી જીવ શું ફળ પ્રાપ્ત કરે ? ઉત્તર “હે ગૌતમ ! ગુરુવંદનથી જીવ નીચગોત્રનું કર્મ ખપાવે છે, ઉચ્ચગોત્ર કર્મનો બંધ કરે છે, અને અપ્રતિહત આજ્ઞા ફલવાળું એટલે કે કોઈ આશા ખંડિત ન કરે, તેવું સૌભાગ્યફલ સ્વરૂપવાળું નામકર્મ ઉપાર્જન કરે.” (ઉત. ૩૦-૧૦) વિનયોપચાર કરવા યોગ્ય ગુરુવર્ગની સેવા અને પૂજા તીર્થકરોની આજ્ઞા, શ્રુતધર્મની આરાધના અને ક્રિયા ઇત્યાદિ સ્વરૂપ જણાવ્યું (આ નિ. ૧૨૨૯) અથ પ્રતિમા હવે પ્રતિક્રમણ કહેવાય છે તેમાં પ્રતિ ઉપસર્ગ છે, તેનો વિપરીત અથવા પ્રતિકુળ એવો થાય છે, તેમ જ મ એવો ધાતુ છે, તેનો પાવિક્ષેપ-પગસ્થાપન એવો અર્થ થાય છે. પ્રતિ ઉપસર્ગ પૂર્વક ક્રમ ધાતુને ભાવ અર્થમાં ‘અનર્’પ્રત્યય આવવાથી પ્રતિમા શબ્દ થયો. તેનો અર્થ એવો Page #378 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧ ૨૯ ૩૨૭ થયો કે – શુભ યોગમાંથી અશુભ યોગમાં ગએલા આત્માનું ફરી શુભ યોગોમાં પાછું ફરવું તે પ્રતિમ કહેવાય કહ્યું કે “પ્રમાદવશ બનેલો આત્મા પોતાના સ્થાનમાંથી પરસ્થાનમાં અર્થાત્ સ્વભાવમાંથી વિભાવમાં ગયો હોય, તે ફરી સ્થાનમાં આવી જાય, તે પ્રતિક્રમણ કહેવાય. પ્રતિનો વિપરીત અર્થ કરીને આ વ્યાખ્યા કરી કહેલું છે કે- “ક્ષયોપશમિક ભાવમાંથી ઔદયિક ભાવને વશ થએલા આત્માનું ફરી પ્રતિકુળ ગમન થવું એટલે કે ક્ષયોપશમિક ભાવમાં પાછા આવવું તે પ્રતિક્રમણ કહેવાય' આ તો ઉપર પ્રમાણે જ અર્થ થયો, માટે કહે છે કે = અથવા તો પ્રતિ પ્રતિ મur = પ્રતિમUT મોક્ષફલદાયક શુભ-યોગોની પાસે જવું તે પ્રતિક્રમણ કહેવાય. કહ્યું છે કે– “માયાશલ્ય આદિ સર્વ શલ્યોથી રહિત સાધુનું જે મોક્ષફલ આપનારા શુભ યોગોની તરફ વર્તન થવું તે પ્રતિક્રમણ કહેવાય આ પ્રમાણે પ્રતિક્રમણ શબ્દની વ્યાખ્યા કહી. આ પ્રતિક્રમણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળના પાપકર્મ-વિષયક હોય છે. શંકા કરી કે પ્રતિક્રમણ ભૂતકાલ વિષય હોય છે. કારણકે કહેલું છે કે- ભૂતકાળમાં કરેલા પાપોનું પ્રતિક્રમણ કરું છું. વર્તમાન કાળના પાપને રોકું છું અને ભવિષ્યકાળના પાપનું પચ્ચખાણ કરું છું. એમાં પ્રતિક્રમણ તો ભૂતકાળને અંગે જ કહેલું છે તો ત્રણે કાળ વિષયક પ્રતિક્રમણ કેવી રીતે કહેવાય ? સમાધાન કરતાં કહે છે કે– અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ “અશુભ યોગોથી નિવૃત્તિ કરવી– અટકવું. એટલો જ માત્ર સમજવો કહ્યું છે કે- “જેમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ તેમ અસંયમનું પ્રતિક્રમણ. કષાયોનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત ખરાબ યોગોનું પ્રતિક્રમણ-અર્થાત તે દરેકથી અટકવું તે પ્રતિક્રમણ કહેવાય” (આ.નિ.). તેથી નિંદા દ્વારા અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણ સંવર દ્વારા વર્તમાન અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ વર્તમાનકાળનું પ્રતિક્રમણ અને પચ્ચકખાણ દ્વારા ભવિષ્યકાળ સંબંધી અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ પ્રતિક્રમણ એમ ત્રણેય કાળ સંબંધી અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ ત્રિકાળ પ્રતિક્રમણ થવામાં કોઈ બાધ નથી. આ પ્રતિક્રમણ દેવસિક આદિ-પાંચ ભેદોવાળું છે, દિવસનાં અંતે-સાંજે થનારું દેવસિક, રાત્રિના અંતે થનારું રાત્રિક, પખવાડિયા અંતે થનારું પાક્ષિક, ચાર મહિનાને અંતે થનારું ચાતુર્માસિક, અને સંવત્સર વર્ષને અંતે થવાવાળું સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવાય. ફરી તે પ્રતિક્રમણ બે પ્રકારનું ધ્રુવ અને અધુવ પ્રકારનું છે– ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પહેલાં અને છેલ્લાં તીર્થકરના તીર્થમાં ધ્રુવ, અપરાધ થાય કે ન થાય તો પણ સવાર-સાંજે ઉભયકાલ પ્રતિક્રમણ કરવું જોઈએ. તે ધ્રુવ, અને મધ્યમ તીર્થકરના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રોમાં કારણ હોય એટલે કે તેવા દોષ લાગે, ત્યારે પ્રતિક્રમણ કરવાનું તે અધ્રુવ. જે માટે કહેવું છે કે- “પહેલાં અને છેલ્લાં જિનનો ધર્મ પ્રતિક્રમણ સાથેનો છે. અર્થાત્ તેમના શાસનમાં અવશ્ય બે કાળ પ્રતિકમણ કરવાનું છે અને મધ્યમ તીર્થંકરના તીર્થમાં કારણ પડે તો પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ વિધિ તો પૂર્વાચાર્યોએ કહેલી આ ગાથાઓને અનુસાર સમજવો. જેના અર્થો અહીં જણાવીએ છીએ (આ.નિ. ૧૨૫૮) અહીં પંચવિધિ આચારની વિશુદ્ધિ માટે સાધુ અને શ્રાવક પણ ગુરુની સાથે પ્રતિક્રમણ કરે અને ગુરુના વિરહમાં શ્રાવક પણ કરે ૧. તેમાં પહેલાં દેવવંદન કરીને પ્રારંભમાં ચાર ખમાસમણ દઈને (ભગવાન હ ! વિગેરે કહીને) ભૂમિતલ પર મસ્તક અડાડીને (સબસ્ત વિ બોલીને) સમગ્ર અતિચારોનું મિચ્છા મિ દુક્કડું આપે. ૨. પછી સામાયિક સૂત્ર પૂર્વક ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. વિગેરે સૂત્ર બોલીને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ બે હાથ નીચે લંબાવી કોણીથી ચોલપટ્ટાને કેડ ઉપર પકડી દબાવી રાખે. ૩. અને ઘોટક આદિ કાઉસ્સગ્નના કહેલા ૧૯ દોષોથી રહિત કાઉસ્સગ્ન કરે. તેમાં ચોળપટ્ટો નાભિથી ચાર આગળ નીચે જાનથી ચાર આગળ ઉપર રાખે. (શ્રાવક એ પ્રમાણે ધોતીયું રાખે) ૪. તે કાઉસ્સગ્ન દિવસે કરેલાં અતિચારોને યથાક્રમ હૃદયમાં ધારે-વિચારે અને નવકારથી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ-સંપૂર્ણ લોગસ્સ કહે. ૫. પછી સંડાસા પ્રમાર્જીને નીચે બેસીને બે ભુજાઓનો સ્પર્શ ન થાય તેમ તેને લાંબી રાખી પચીશ બોલ વડે મુહપત્તિ અને શરીર પડિલેહે ૬. તે પછી ઉભા થઈને વિધિપૂર્વક વિનય સહિત બત્રીશ દોષ-રહિત અને પચીશ આવશ્યકવિશુદ્ધ વાંદણા દે. ૭. તે પછી કેડ ઉપરનું અંગ સારી રીતે નમાવીને બે હાથમાં મુહપત્તિ અને રજોહરણ પકડીને કાઉસ્સગ્નમાં વિચારેલા અતિચારોને જ્ઞાનાદિકના ક્રમ પ્રમાણે ગુરુની આગળ પ્રગટ રીતે જણાવે. ૮ પછી જયણા અને વિધિપૂર્વક બેસીને પ્રયત્નથી અપ્રમત્ત બનીને “કરેમિ ભંતે ઇત્યાદિ કહેવાપૂર્વક વંદિતું સૂત્ર કહે, તેમાં અમેટ્રિમોનિ મારVIIT વિગેરે બાકીનું સૂત્ર બોલતાં વિધિપૂર્વક દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે ઉભો થાય. ૯ તે પછી બે વંદન દઈ માંડલિમાં પાંચ કે તેથી વધારે સાધુ હોય તો ત્રણને અદ્ભુદ્ધિઓ બોલી ખમાવે, અને બે વાંદણા આપી “સાયેરિય વાણ' વિગેરે ત્રણ ગાથા કહે. ૧૦ તે પછી કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ.' ઇત્યાદિ કાઉસ્સગ્ગ સૂત્રો કહીને કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને ચારિત્રના અતિચારોની શુદ્ધિ માટે બે લોગસ્સ' ચિતવે. ૧૧. તે પછી વિધિપૂર્વક કાઉસ્સગ્ગ પારીને સમ્યત્વની શુદ્ધિ માટે પ્રગટ “લોગસ્સ' બોલે તથા તેની જ શુદ્ધિ માટે “બ્રહ્નોરિહંતાનું કહીને તે ચેત્યોની આરાધના માટે કાઉસ્સગ્ન કરે. ૧૨. તેમાં એક “લોગસ્સ' ચિંતવી દર્શનશુદ્ધિવાળો તે કાઉસ્સગ્ન પારે અને શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે “પુવરવીવલ્વે સૂત્ર બોલે. ૧૩. ફરી “ચંદેસુ નિમ્મલયરા' સુધી પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસ્સગ્ન કરે અને વિધિપૂર્વક પારે. તે પછી સમગ્ર કુશળ-શુભ અનુષ્ઠાનોના ફલસ્વરૂપ “સિદ્ધાણં-બુદ્ધાણે સિદ્ધસ્તવ કહે. ૧૪. ત્યાર પછી શ્રુતસમૃદ્ધિના કારણભૂત શ્રુતદેવતાનો કાઉસ્સગ્ન કરે અને તેમાં નવકાર ચિંતવે. પારી શ્રુતદેવતાની સ્તુતિ કહે અગર સાંભળે ૧૫. એ પ્રમાણે ક્ષેત્ર દેવતાનો પણ કાઉસ્સગ્ન કરી તેની પણ સ્તુતિ કહે છે કે સાંભળે, ૧૫. એ પ્રમાણે ક્ષેત્ર દેવતાનો પણ કાઉસ્સગ્ન કરી તેની પણ સ્તુતિ કહે કે સાંભળે તે પછી ઉપર પ્રગટ નવકારમંત્ર બોલવો. પછી સંડાસા પ્રમાજીને નીચે બેસે. ૧૬. ત્યાર પછી આગળ કહેલી વિધિથી મુહપત્તિ પડિલેહી બે વાંદરા આપીને રૂછીમો ગુસકું એમ કહીને ઢીંચણના ટેકે નીચે બેસે, ૧૭ પછી ગુરુ મહારાજ નમોડસ્તુની એક સ્તુતિ કહે છતે, પછી વધતા અક્ષરો અને વધતાં સ્વરથી ત્રણે સ્તુતિઓ પૂર્ણ કહે, તે પછી શકસ્તવ નવન બોલીને દૈવસિક પ્રાયશ્ચિતનો કાઉસ્સગ્ન કરે. ૧૮ આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણનો ક્રમ જાણવો. રાઈઅ પ્રતિક્રમણ પણ એ પ્રમાણે છે. માત્ર તેમાં પ્રથમ સવ્યસાવિ કહીને મિચ્છામિ દુવ૬ થી થાપ્યા પછી શસ્તવ ભણે. ૧૯. પછી ઉભા થઈ વિધિપૂર્વક ચારિત્રાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્નમાં એક લોગસ્સ ચિંતવે, તે પછી બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે કરે. તેમાં પણ એક લોગસ્સ ચિંતવે. ૨૦ ત્રીજા કાઉસ્સગ્નમાં ક્રમશઃ રાત્રિના અતિચારો ચિંતવીને પારે અને સિદ્ધાઇ હુક્કા બોલી સંડાસા પ્રમાર્જીને ઉભડક પગે નીચે બેસે. ૨૧ પહેલાં કહ્યું છે તેમ મુહપત્તિ પડિલેહે, બે વાંદણા દે, રાઈ અતિચારની આલોચના કરી “વંદિતુ સૂત્ર કહે છે, તે પછી બે વાંદણા દે, અષ્ણુઢિઓથી ખામણાં કરે. ફરી બે વાંદરા દે અને ત્રણ ગાથાઓ વિગેરે કહીને તપચિંતવનનો કાઉસ્સગ્ન કરે. ૨૨. તે કાઉસ્સગ્નમાં મારા સંયમયોગોમાં હાનિ ન પહોચે તે રીતે હું છ મહિનાનો તપ કરું-એમ નિર્ણય આ પ્રમાણે કરે-ઉત્કૃષ્ટ છે Page #380 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧૨૯ ૩૨૯ મહિનાનો તપ કરવા પોતે શક્તિમાન નથી. ૨૩ તો એક, બે ત્રણ એમ એક-એક દિવસ ઓછો કરતાં છ મહિનામાં ઓગણત્રીસ દિવસ ઓછો તપ કરવાનું ચિંતવે. ૨૪ તેટલું પણ સામર્થ્ય ન હોય તો તેમાં પણ યાવત્ તેર દિવસ ઘટાડતો “ચોત્રીશ ભક્ત = સોળ ઉપવાસ રૂપ તપ ચિંતવે, તેની શક્તિના અભાવમાં બબ્બે ભક્ત ઓછાં કરતાં યાવત્ ચતુર્થભક્ત = એક ઉપવાસ સુધી તપ ચિંતવે, તે સામર્થ્યના અભાવમાં આયંબિલ આદિ તેમ હોય, તે કરવાનો હૃદયમાં નિર્ણય કરી કાઉસ્સગ્ગ પારે. પછી લોગસ્સ કહી મુહપત્તિ પડિલેહી, બે વંદન આપી નિષ્કપટપણે મનમાં ધારેલું તપનું ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કરે. ૨૬ તે પછી ‘રૂછાપો મપુટ્ટ એમ બોલી નીચે બેસી ‘વિશાનનોવન ઈત્યાદિ ત્રણ સ્તુતિઓ હળવા સ્વરથી કહે, તે પછી શકસ્તવ આદિથી દેવવંદન કરે ૨૭. હવે પફખી-પાક્ષિક પ્રતિક્રમણ ચતુદર્શીના દિવસે કરવું. તેમાં પ્રથમ આગળની જેમ “નંદિનું સૂત્ર કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરીને, તે પછી સમ્યગ રીતે પખી પ્રતિક્રમણ આ ક્રમથી કરે. ૨૮ પહેલાં પફખી મુહપત્તિ પડિલેહીને વાંદણા આપી. “સંબુદ્ધા” ખામણાં કરે; પછી (પાક્ષિક અતિચારોથી) આલોચના કરે પછી વાંદણા “પત્તેએ પ્રત્યેક ખામણા કરી ખમાવે. ફરી વાંદણા દે અને પછી પાક્ષિક-પફખી સૂત્ર કહે ૨૯ તે પછી “વંદિતુ' સૂત્ર, તેમાં ‘સમુનિ મારVI પદ બોલતાં ઉભા થઈને ‘વંદિતું પૂર્ણ કર્યા પછી કાઉસ્સગ્ન કરે, પછી મુહપત્તિ પડિલેહણ કરી વાંદણા આપી “સમત્ત’ - સમાપ્ત ખામણાં અને ચાર થોભવંદના કરે. ૩૦ તે પછી પૂર્વ જણાવેલ વિધિ પ્રમાણે બાકી રહેલા દૈવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરે પણ શ્રુતદેવતાને બદલે ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કહે અને સ્તવનના સ્થાને “અજિતશાંતિ-સ્તવ' કહે-એટલો ભેદ જાણવો ૩૧. એ પ્રમાણે પાક્ષિકના વિધિ પ્રમાણે ક્રમશઃ ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ પણ જાણવો. માત્ર તે પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણોમાં નામો. જે જે પ્રતિક્રમણ હોય, તે કહેવા. ૩૨. તથા કાઉસ્સગ્નમાં અનુક્રમે બાર, વીશ અને નવકાર સહિત ચાલીશ લોગસ્સના કરવા અને “સંબુદ્ધા ખામણાં ત્રણ, પાંચ, સાત સાધુઓને યથાક્રમે અભુક્રિઓનાં ખામણાં કરવા. ૩૩. ‘પ્રતિક્રમણ વંદિતું સૂત્રનું વિવરણ ગ્રંથ-વિસ્તારના ભયથી અમે અહીં કહેલું નથી. ૩૫થ યોત્સ: – કાયા એટલે શરીરનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો તે કાયોત્સર્ગ. તે કેવી રીતે કરવો ? તે માટે જણાવે છે કે, શરીરથી સ્થાન કરી જિન મુદ્રાથી ઉભા રહેવું. અપવાદ સ્થિર બેસવું વિગેરે. વચનથી મૌન અને મનથી શુભ ધ્યાન કરવું. તદુપરાંત “અન્નત્થ સૂત્રમાં કહેલી શ્વાસોચ્છવાસ આદિ અનિવાર્ય શારીરિક ચેષ્ટાઓ સિવાયની મન, વચન અને કાયાની સમગ્ર પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ કહેવાય તે કાયોત્સર્ગ કેટલા સમયનો અથવા ક્યાં સુધી કરવો ? તે માટે કહ્યું છે કે- જે કાઉસ્સગ્નમાં જેટલા શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકાર, લોગસ્સ આદિ જણાવેલા હોય તે પૂર્ણ થાય તે પછી નમો રિહંતાઈ' એમ ઉચ્ચાર કરે ત્યાં સુધી ઉપર કહ્યા પ્રમાણે કાયાનો ત્યાગ કરવો, તે કાયોત્સર્ગ કહેવાય. તે કાયોત્સર્ગ બે પ્રકારનો-એક ચેષ્ટા પ્રવૃત્તિ વિષયક. બીજો ઉપસર્ગ-પરાભવ થાય તેવા પ્રસંગે. તેમાં જવું આવવું વિગેરે પ્રવૃત્તિને અંગે ઇરિયાવહિ આદિ પડિક્કમતાં જે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તે ચેષ્ટા પ્રવત્તિને અંગે સમજવો. અને જે આકસ્મિક ઉપસર્ગોને જિતવા માટે કરવામાં આવે છે. તે ઉપસર્ગ પ્રવૃત્તિ અંગે સમજવો. કહ્યું છે કે– “તે કાયોત્સર્ગ ચેષ્ટા અને પરાભવથી એમ બે પ્રકારે જાણવો. તેમાં ભિક્ષા માટે ફરવું ઇત્યાદિક પ્રવૃત્તિઓ માટે જે કરાય તે પહેલો અને ઉપસર્ગ પ્રસંગે જે કરાય. તે બીજો જાણવો. તેમાં ચેષ્ટા-કાયોત્સર્ગ તો જઘન્ય આઠથી માંડીને પચીશ. સત્તાવીશ, ત્રણસો પાંચસો અને એક હજાર અને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ સુધીનો પણ હોય છે અને ઉપસર્ગાદિ પરાભવોને અંગે જે Page #381 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૩૦ કાર્યોત્સર્ગ કહ્યો, તે એક મુહુર્તથી માંડીને બાહુબલિજીની માફક એક વર્ષનો પણ હોય છે. તે કાયોત્સર્ગ વળી ત્રણ પ્રકા૨નો-ઉભા ઉભા કરવાનો, બેઠાં બેઠાં અને સુતાં સુતાં પણ કરી શકાય ફરી એક-એકનાં ચાર પ્રકાર તેમાં પહેલાં ‘ઉચ્છિતોચ્છિત એટલે દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે ઉભા થઈને તાત્પર્ય કે દ્રવ્ય-શરીરથી ઉભા રહીને અને ભાવથી ધર્મ કે શુકલ ધ્યાનમાં રહીને. બીજો ‘ઉચ્છતોનુધ્રૂિ' એટલે દ્રવ્યથી ઉભા રહીને માટે ઉચ્છિત અને ભાવથી કૃષ્ણાદિ અશુભ લેશ્યાના પરિણામપૂર્વક માટે અનુચ્છિત ત્રીજો અનુચ્છિતોચ્છિત એટલે દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં રહીને તથા ચોથો અનુચ્છિતાનુચ્છિત દ્રવ્યથી-શરીરથી નીચે બેસીને અને ભાવથી પણ કૃષ્ણાદિ લેશ્યાના અશુભ પરિણામવાળો, એ ચાર ભેદો ઉમ્બ્રિતના જણાવ્યા એ પ્રમાણે બેઠેલાના અને સુતેલાના એ બંનેના પણ ચાર ચાર ભેદો સ્વયં વિચારવા. કાયોત્સર્ગના એકવીશ દોષો -- દોષરહિત કાર્યોત્સર્ગ કરવો જોઈએ તેના એકવીશ દોષો કહે છે– ૧. ઘોડાની જેમ એક પગ ખોડો રાખી કાઉસ્સગ્ગ કરે, તે ઘોટક દોષ. ૨. સખત પવનથી કંપનથી વેલડી માફક શરીર કંપાવે, તે લતા દોષ. ૩-૪. ભીંત કે થાંભલે ટેકો રાખી કાઉસ્સગ્ગ કરે, તે સ્તંભ કુડ્સ દોષ. ૫. ઉંચે છત કે માળિયાને મસ્તક અડકાડીને કાઉસ્સગ્ગ કરે, તે માલ દોષ. ૬. ભીલડી માફક બે હાથ ગુહ્યપ્રદેશ ઢાંકવા માફક કાઉસ્સગ્ગમાં રાખે, તે શબરી દોષ. ૭. કુલવધુ નવપરણેતર માફક માથું નીચું રાખી કાઉસ્સગ્ગ કર તે વધૂ દોષ. ૮. બેડીમાં જકડાએલા માફક બે પગ પહોળા કે ભેગા કરી ઉભા રહે તે નિગડદોષ. ૯. નાભિ ઉપર-ઢીંચણ સુધી ચોલપટ્ટો બાંધીને કાઉસ્સગ્ગ કરે, તે લંબોત્તર દોષ. ૧૦. વસ્ત્રાદિકથી જેમ સ્તનને ઢાંકે તેમ ડાન્સ-મચ્છરના નિવારણ માટે કે અજ્ઞાનથી કાઉસ્સગ્ગમાં સ્તન કે હૃદયને ઢાંકે તે સ્તનદોષ અથવા ધાવમાતા બાળક માટે સ્તનો જેમ નમાવે તેમ સ્તન કે છાતી નમાવી કાઉસ્સગ્ગ કરે એમ કેટલાંક આ દોષને કહે છે. ૧૧. ગાડાની ઉધની માફક પાછલની બંને પાનીઓ કે આગલ અંગુઠા કરે અગર બંને છુટા રાખે તે અવિધિથી કાઉસ્ગ કરે, તે શકટોર્ધ્વિ નામનો દોષ. ૧૨. સાધ્વી માફક મસ્તક વગર આખા શરીરે કપડું ઢાંકે તે સંયતી દોષ. ૧૩. ઘોડાની લગામની જેમ ચરવલા કે ઓઘાનો ગુચ્છો પકડી ઉભો રહે, તે ખલીન દોષ બીજા આચાર્યો કહે છે કેમ્પ લગામથી પીડા પામેલો ઘોડો જેમ મસ્તક કંપાવે તેમ નીચે કે ઉંચે કાઉસ્સગ્ગમાં મસ્તક કંપાવે, ખલનીદોષ. ૧૪. કાગડાના માફક આંખનો ડોળો આમ-તેમ ભમાવવો કે દિશા જોવી, તે વાયસદોષ. ૧૫. જુઓ થવાના ભયથી કોઠાફળની માફક ચોલપટ્ટાનો ગોટો કરી મુઠ્ઠીમાં પકડી કાઉસ્સગ્ગ કરે, તે કપિત્થદોષ એવી રીતે મુઠ્ઠી બંધ રાખી ઉભો રહી કાઉસ્સગ્ગ કરે, તેને પણ એ દોષ બીજા કહે છે. ૧૬. ભૂતના વળગાડ માફક મસ્તક કંપાવતો કાઉસગ્ગ કરે, તે શીર્ષોત્સંપતિ દોષ. Page #382 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧૨૯ ૩૩૧ ૧૭. મૂંગા માફક ન સમજાય તેમ અવ્યક્ત શબ્દ કરતો કાઉસ્સગ્ન કર, તે મૂકદોષ. ૧૮. કાઉસ્સગ્ગના લોગસ્સની સંખ્યા ગણવા માટે આંગળીના વેઢા ચલાવતા કાઉસ્સગ્ન કરે તે અંગુલિદોષ. ૧૯. બીજા તરફ નજર કરવા માટે આંખની ભ્રમરને નચાવે-ભમાવે એવી રીતે કાઉસગ્ગ કરે તે ભૂદોષ. ૨૦. મદિરા ઉકળતા જેમ બુડ બુડ શબ્દ સંભળાય તેમ શબ્દો કરતાં કાઉસ્સગ્ન કરે તે વારુણીદોષ મદિરાપાન કરી મત્ત બનેલાની જેમ ઘૂમતો ઘૂમતો કાઉસ્સગ્ન કરે, તેને બીજાં કેટલાક વાસણીદોષ ગણાવે છે. ૨૧. સ્વાધ્યાય કરનારના બે હોઠ ચાલતાં હોય તેમ હોઠ ચલાવતો ચલાવતો કાઉસ્સગ્ન કરે તે અનુપ્રેક્ષા દોષ. તે માટે કહેવું છે કે– “ઘોટક, લત્તા, સ્તંભ, કુષ્ય, માલ, શબરી, વધુ નિગડ, લંબોત્તર, સ્તન, ઉર્ધ્વ, સંયમી, ખલીન, વાયસ, કપિત્થ શીરોકંપતિ, મૂક, અંગુલિભૃવારુણી, પ્રેક્ષા' કોઈક આચાર્ય આ સિવાયના બીજા પણ દોષો જણાવે છે જેમ કે યૂકવું શરીરને સ્પર્શ કરવો ખણવું. કપટ-ગર્ભિત ડોળવાળી સ્થિતિ રાખવી. સૂત્રમાં કહેલા વિધિની ન્યૂનતા સેવવી, વયની અપેક્ષાનો ત્યાગ કરવો, કાલની અપેક્ષાનું ઉલ્લંઘન કરવું, વ્યાપ આસક્તિવાળું ચિત્ત રાખવું - લોભાકુલિત ચિત્ત કરવું, પાપકાર્યોમાં ઉદ્યમ કરનાર થવું. કાર્યાકાર્યમાં અત્યંત અજ્ઞાનતાવાળો પાટ-પાટલા ઉપર કાઉસ્સગ્ન કરવો ઈત્યાદિ. કાયોત્સર્ગનું ફળ પણ નિર્જરા જ છે. જે માટે કહેલું છે કે “કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઉભા રહેલાનાં શરીરના અંગોપાંગો જેમ જેમ ભાંગે તૂટે છે, તેમ તેમ વિધિપૂર્વક કાઉસ્સગ્ન કરનાર સુવિહિત આત્માઓ આઠ પ્રકારના કર્મસમૂહને ભેદી નાશ કરે છે.” (૧૬૪૮ આ. નિ.) કાયોત્સર્ગના સૂત્રના અર્થ પહેલાં વ્યાખ્યા કરી સમજાવેલ છે જ. પચ્ચખાણ-પ્રકરણ મથ પ્રત્યાધ્યાનમ પ્રતિ + મ પ ધ્યાન એ ત્રણે શબ્દોથી પ્રત્યાખ્યાન શબ્દ તૈયાર થયો છે. પ્રતિ = પ્રતિકુળપણે મા = અમુક મર્યાદાપૂર્વક અને રસ્થાન = કથન કરવું. અર્થાત્ ભાવાર્થ એ સમજવો કે અનાદિથી વિભાવદશામાં વર્તતા આત્માની ચાલુ ટેવોથી પ્રતિકુળપણે ચોક્કસ મર્યાદાપૂર્વક પ્રવૃત્તિની કબુલાત કરવી. તે પચ્ચખાણ કહેવાય તે પચ્ચક્ખાણ બે પ્રકારનું છે. એક મૂલગુણરૂપ અને બીજું ઉત્તરગુણ તેમાં સાધુઓને પાંચ મહાવ્રતો તે મૂલગુણ વ્રતો. શ્રાવકોને પાંચ અણુવ્રતો તે મૂલગુણ સાધુઓને પિડવિશુદ્ધિ આદિ ઉત્તર-ગુણ અને શ્રાવકોને ગુણવ્રતો, શિક્ષાવ્રતો, ઉત્તરગુણ કહેવાય.તેમાં મૂલગુણોમાં સર્વ અને દેશ પ્રત્યાખ્યાનો હિંસાદિ પાંચ પાપોના ત્યાગરૂપ અને સાધુઓને પિંડવિશુદ્ધિ આદિ. તથા શ્રાવકોને દિશિવ્રતાદિક ઉત્તરગુણોના પ્રત્યાખ્યાનો “પ્રતિપક્ષ ભાવોના ત્યાગ કરવા રૂપ” છે. તેમાં જેણે પહેલાં ઉચિતકાળે પોતાની મેળે પચ્ચખાણ કર્યું હોય તેવો પચ્ચક્ખાણના સ્વરૂપનો જાણકાર પોતે પચ્ચખાણના અર્થને જાણનાર એવા ગુરુ પાસે વિનયપૂર્વક ઉપયોગની એકાગ્રતા કરીને તેઓ જે પચ્ચખાણનો પાઠ બોલે છે. તે પ્રમાણે પોતે પણ ધીમેથી તેમની સાથે અનુવાદ કરતો પચ્ચખાણ કરે ત્યારે પોતે અને પચ્ચકખાણ કરાવનાર ગુરુ બંને જાણકાર તરીકેનો પ્રથમ ભાંગો થયો. ૧. ગુરુ જાણકાર. લેનાર અજાણ હોય- એ બીજો ભાંગો, તે સમયે શિષ્યને સંક્ષેપથી સમજાવીને જો ગુરુ પચ્ચખ્ખાણ કરાવે તો આ ભાંગો પણ શુદ્ધ છે ૨. ગુરુ અન્ન હોય અને શિષ્ય જાણકાર હોય તો ત્રીજો ભાગો, આ ભાંગો Page #383 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૩૨ પણ તથા પ્રકારના ગુરુનો યોગ પ્રાપ્ત ન થવાથી ગુરુ પ્રત્યે બહુમાન હોવાથી ગુરુસ્થાને સાક્ષી તરીકે પિતા, કાકા, મામા, મોટાભાઈ આદિને રાખી પચ્ચક્ખાણ કરનાર ત્રીજા ભાંગોમાં પણ શુદ્ધ ગણ્યા ૩. આ સિવાયમાં અશુદ્ધ બંને અજાણ હોય તેવો ભાંગો અશુદ્ધ જ છે ૪. દરરોજ ઉપયોગી એવા ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છે. એક સંકેત-પ્રત્યાખ્યાન બીજું અદ્ધા પ્રત્યાખ્યાન તેમાં સંકેત-પચ્ચક્ખાણ - શ્રાવક પોરસી આદિ પ્રત્યાખ્યાન કરીને બહાર ખેતર આદિમાં ગયો હોય કે ઘરે રહેલો હોય ત્યારે ભોજન મળવા પહેલાં ‘પચ્ચક્ખાણ વગરનો ન રહું' એ કારણે અંગુઠો આદિના સંકેતવાળો પચ્ચક્ખાણ કરે. એટલે જ્યાં સુધી અંગુઠો મુઠ્ઠી કે ગાંઠ ન છોડું અથવા ઘરમાં પ્રવેશ ન કરું જ્યાં સુધી પરસેવાના બિન્દુઓ સુકાઈ ન જાય. આટલા શ્વાસોશ્વાસ ન થાય. પાણીથી ભીંજાએલી માચી જ્યાં સુધી સુકાએલા બિન્દુવાલી ન થાય, જ્યાં સુધી દીવો બુઝાઈ ન જાય, ત્યાં સુધી મારે ભોજન ન કરવું. કહેલું છે કેઃ– ‘અંગુઠો મુઠ્ઠી, ગાંઠ, ઘર, પરસેવો, શ્વાસોચ્છ્વાસ બિન્દુઓ દીવો આ વિગેરે ચિન્હોથી અનંતજ્ઞાની ધીરપુરુષોએ સંકેત-પચ્ચક્ખાણ કહ્યું છે (આ.નિ. ૧૫૭૮) હવે અદ્ધા-પચ્ચક્ખાણ તે કહેવાય. જેમાં કાળની મર્યાદા હોય તે દસ પ્રકારનું આ પ્રમાણે જાણવું. ૧ નવકા૨-સહિત-નવકારશી ૨. પૌરુષી ૩. પૂર્વાધ ૪. એકાસણું ૫. એકલઠાણું ૬. આયંબિલ, ૭ ઉપવાસ ૮. દિવસચરમ કે ભવચરિમ ૯. અભિગ્રહ ૧૦ વિગઈ સંબંધી-એમ દશ પ્રકારે કાળ-પચ્ચક્ખાણો (આ. નિ.૧૬૧૧) પ્રશ્ન- એકાસણાદિ પચ્ચક્ખાણોમાં જો કાળનું નિયમન નથી તો તેને કાળ પચ્ચક્રૃખાણ કેમ કહેવાય ? ઉત્તર- જરૂર કાળ નિયમન નથી તે વાત સત્ય છે, પરંતુ તે પચ્ચક્ખાણો પ્રાયઃ અહ્વા ‘પ્રત્યાખ્યાન’ સાથે કરાતાં હોવાથી તે પણ અદ્ધા-પ્રત્યાખ્યાનો કહેવાય છે. પચ્ચક્ખાણો આગાર-સહિત કરવાં નહિતર ભંગ થાય. ભંગ થાય એટલે દોષ-પાપ લાગે કહેલું છે કે— “વ્રતભંગ થવાથી મોટો દોષ લાગે, થોડા નાના પચ્ચક્ખાણનું પાલન કરવાથી ગુણ થાય છે. તેથી ધર્મ કરવામાં લાભ કે હાનિનો વિવેક કરવો જરૂરી છે. તેથી આગારો કહેલા છે. (પંચાશક ૫-૧૨) પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે રાખવામાં આવેલી મર્યાદાવાળી છૂટછાટ તેને આગાર કહેવામાં આવે છે અને નવકારશી આદિમાં જેટલી છૂટછાટઆગાર રાખવામાં આવે છે, તે અહીં જણાવીએ છીએ. તેમાં મુહૂર્તપ્રમાણ કાળ નવકારથી નમસ્કાર ઉચ્ચારણ કરીને પારવાલાયક પચ્ચક્ખાણમાં બે આગાર હોય છે. પચ્ચક્ખાણ-ભંગ ન થવા માટે કરવામાં આવતી મર્યાદા તે આકાર-આગાર-અપવાદ છૂટછાટ કહેવાય તેવા આગારો કેટલા કયા પચ્ચક્ખાણમાં છે તે આગળ જણાવીશું. શંકા કરી કે કાલ ન જણાવેલો હોવાથી આ સંકેત પચ્ચક્ખાણ સમાધાન આપતા કહે છે કે ના, કારણકે અહીં નમુક્કાર શબ્દની સાથે સહિત શબ્દ છે તે મુહૂર્તકાળ - પ્રમાણનું વિશેષણ છે. વિશેષણથી વિશેષ્યનો બંધ થતો હોવાથી સહિત શબ્દ છે. મુહૂર્તકાળ પ્રમાણેનો અર્થ નીકળે છે. અહીં એવી શંકા થાય કે મુહૂર્ત શબ્દ તો છે નહિ તો તે વિશેષ્ય શી રીતે જવાબમાં જણાવે છે કે શાસ્ત્રમાં તેને કાળપચ્ચક્ખાણ ગણેલું છે. પ્રહર વિગેરે કાળ પ્રમાણવાળા પોરિસી આદિ પ્રત્યાખાનો તો આગળ જુદાં કહેવાય છે માટે તેની પહેલાનું આ પ્રત્યાખ્યાન મુહૂર્ત-પ્રમાણનું જ બાકી રહ્યું ગણાય. તેથી નમસ્કાર સહિત પચ્ચક્ખાણમાં મુહૂર્ત-પ્રમાણકાળમાં છે. એમ સમજવું ફરી શંકા કરી કે બે મુહૂર્ત કાળક્રમ ન ગ્રહણ કરવો ? સમાધાન કરે છે - તેમાં માત્ર બે જ આગાર-છૂટછાટ રાખેલા હોવાથી જ્યારે પોરસીમાં તો છ આગારો રાખેલા છે. નમુક્કાર-સહિતમાં તો માત્ર બે જ આગારો રાખેલા હોવાથી તેથી કાળ પણ અલ્પ જ હોવો જોઈએ. તે અલ્પકાળ ઓછામાં ઓછો ‘એક મુહુર્ત’ પ્રમાણ જ ઘટી શકે છે. માટે આ નવ Page #384 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૩૩ નમુક્કાર-સહિતનું પ્રત્યાખ્યાન એક મુહૂર્ત પ્રમાણ કાળનું જ સમજવું. અલ્પકાળ પણ નમસ્કાર મંત્રની સાથે જ એટલે કે સૂર્યોદય થયા પછી મુહૂર્ત પૂર્ણ થવા છતાં જ્યાં સુધી નમસ્કાર મંત્રનો ઉચ્ચાર ન કરે ત્યાં સુધી તે પ્રત્યાખ્યાન પૂર્ણ ન થાય અને બે ઘડી થયા પહેલાં જ જો નમસ્કારમંત્ર ગણે તો પણ તેનો કાળ અપૂર્ણ હોવાથી પચ્ચખાણનો ભંગ થાય તેથી સિદ્ધ થયું કે સૂર્યોદયથી મુહૂર્ત-પ્રમાણ કાળ અને નમસ્કાર મંત્રના ઉચ્ચાર સહિત નમુક્કારસી પ્રત્યાખ્યાન છે. પ્રથમનું મુહૂર્ત કેવી રીતે લેવું? સૂત્ર-પ્રમાણથી પોરસી માફક તે સૂત્ર આ પ્રમાણે – __उग्गए सूरे नमोक्कार-सहिअं पच्चक्खाइ, चउव्विहं पि आहारं असणं, पाणं, खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं वोसिरे ॥ વ્યાખ્યાર્થ? – દૂતે સૂર્યે = સૂર્યોદયથી માંડીને નમાહિત' = પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સહિત અને સર્વધાતુઓ કરવું એ અર્થમાં વ્યાપક હોવાથી તે ન્યાય પ્રમાણે “પ્રત્યાતિ ' = કરું છું. એમાં પ્રત્યાખ્યાતિ પ્રત્યાખ્યાન આપનાર ગુરુએ અનુવાદરૂપે બોલવાનું વચન છે – એમ સમજવું. તેનો સ્વીકાર કરનાર શિષ્ય તો “ વ્યવવામિ પ્રત્યારથ્રાપિ' = હું પ્રતિજ્ઞા કરું છું એમ બોલે એ જ પ્રમાણે વ્યુત્કૃનતિ માં પણ ગુરુ અનુવાદરૂપે વોસિર = ત્યાગ કરૂં છું એમ બોલે, ત્યારે તેનો સ્વીકાર કરવા માટે શિષ્ય વોસિરામિ હું ત્યાગ કરૂં છું એમ બોલવું શાનો ત્યાગ ? ત્યારે જણાવે છે કે ચાર પ્રકારના આહારનો ત્યાગ છે – એવો સંપ્રદાય ગત અર્થ છે. તે જણાવતાં કહે છે કે – તે રાત્રિએ કરેલા ચઊવિહ આહારત્યાગ અથવા રાત્રિભોજનના કાંઠે પહોંચીને તરી જવા સમાન છે, તેમ જ સૂર્યોદય પછી એક મુહૂર્ત થાય છે. બે ઘડી કે અડતાલીસ મિનિટ પ્રમાણ કાળ પૂર્ણ થયા પછી જ નવકારમંત્રના ઉચ્ચારપૂર્વક પારવાથી પૂર્ણ થાય છે – એટલે તે પ્રમાણે પારી શકાય કમશન ઇત્યાદિથી ચારે પ્રકારના આહાર જેની વ્યાખ્યા આગળ કહેલી છે. અહીં નિયમ-ભંગના કારણે બે આગારો જણાવે છે. “અત્યમો સદા રેvi અહીં પંચમીવિભક્તિના અર્થમાં ત્રીજી વિભક્તિ જણાવેલી છે અને તેમાં અનાભોગ અને સહસાકાર એ બે કારણો સિવાય પચ્ચકખાણ ભાંગે અથવા એ બે કારણો સિવાય પચ્ચખાણ અખંડિત રહે. તેમાં અનાભોગ = અત્યંત વિસ્મરણ-પચ્ચકખાણ કે ત્યાગ કરેલી વસ્તુ ભુલાઈ જવી, સહસાકાર એટલે ઉતાવળે આગળ વધી ગયેલી કાયાને પાછી હઠાવી શકાય નહિ ઇત્યાદિ આકસ્મિક એવું થઈ જાય. જેને રોકી શકવાનો સમય નથી. જેમ કે સ્નાન કરતાં મુખમાં છાંટો ઉડે તો પચ્ચખાણ ન ભાંગે, વ્યુત્કૃતિપરિતિ = અર્થ આગળ કહેલો છે. अथ पौरुषीप्रत्याख्यानम् - "पौरिसिं पच्चक्खाइ - उग्गए सूरे चउव्विहं पि आहारं, असणं, पाणं, खाइम, साइमं, सहसागारेणं पच्छन्न-कालेणं दिसामोहेणं साहुवयणेणं, सव्वसमाहिવત્તિમારે વોસિર છે” પૌરુષી એટલે પુરુષના શરીર પ્રમાણવાળી છાયા તથા તે સમયે પણ ‘પૌરુષી કહેવાય છે અથવા તે પહોર પણ બોલાય છે. તેટલા પ્રમાણવાળા કાલ માટે પચ્ચખાણ કરે તે “પષી (પારસી) પચ્ચક્ખાણ કહેવાય. તેમાં શું કરે ? ત્યારે જણાવે છે કે – અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય લક્ષણ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરું છું.-એમ છેવટનો સંબંધ જોડવો અહીં છ આગારો છે, તેમાં પહેલાં બે નવકારશી માફક જાણવા અને બાકીના પ્રચ્છનાન, હિમોદ, સાધુવન સર્વસમાધિ પ્રત્યયાિર એ આગારો રાખીને પચ્ચકખાણ કરું છું. કાલની પ્રચ્છન્નતા કેવી રીતે? તે કહે છે – વાદળાં, રજ કે પર્વતની આડ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આવી જવાથી સૂર્ય દેખી શકાય નહિ– તેવા સમયે પડછાયાના અભાવમાં પચ્ચખાણનો સમય થઈ ગયો એમ અનુમાનથી માની જો આહાર વાપરે એમ ભૂલથી અધૂરા સમયે પચ્ચકખાણ પારે છતાં આગાર હોવાથી ભંગ ન થાય. પરંતુ પછી કોઈ સમયે જણાવે. અગર પોતાને સાચા સમયનો ખ્યાલ આવે તો અર્ધ જમ્યા છતાં, અટકી બેસી રહેવું. પૂર્ણ સમય થાય ત્યારે બાકીનું ભોજન કરવું. અપૂર્ણ સમય જાણ્યા છતાં વાપરે તો પચ્ચખાણ-ભંગ ગણાય. “હિમોહા” = “દિશાનો ભ્રમ થવાથી પૂર્વને પશ્ચિમ દિશા સમજે ત્યારે અપૂર્ણ સમયે પણ ભોજન કરવાનો વખત આવે એવા પ્રસંગે આગાર હોવાથી ભંગ ન થાય ભ્રમ ટળી જાય-અધુરા સમયનો ખ્યાલ આવી જાય તો પહેલાંની માફક અર્ધ ભોજન કરી અટકી જવું. નિરપેક્ષપણે ભોજન કરે તો પ્રત્યાખ્યાનનો ભંગ થાય “સાધુવચના-ઉદ્ધાટા પૌરૂષી' એ સાધુના વચનના આધારે એટલે કે સાધુઓ પૌરૂષી-પચ્ચકખાણ સમય પહેલાં મુહપત્તિ પલવવા-ભણાવવા માટે બહુપડિપુન્ના પોરિસી’ એમ મોટા શબ્દોથી આદેશ માંગે, તે સાંભળી શ્રાવક વિચારે કે પોરસી પ્રત્યાખ્યાન પારવાનો સમય થઈ ગયો છે. – તેમ વિભ્રમથી પચ્ચક્ખાણ પારી ભોજન કરે, તો ભંગ નથી, ખબર પડે અટકી જાય વિગેરે આગળના આગાર માફક સમજી લેવું તથા પૌરુષી પ્રત્યાખ્યાન કર્યા બાદ તીવ્ર શૂલાદિક પીડા ઉત્પન્ન થાય. ત્યાં સુધી પૈર્ય ટકાવી શકે નહિ. આર્તરૌદ્રધ્યાન થાય. અસમાધિ પ્રસંગ ઉભો થાય, તો આગારથી સમય પહેલાં પણ ઔષધ પથ્યાદિ ગ્રહણ કરવા છતાં પણ ભંગ ન થાય વૈદ્ય આદિ બિમારની સમાધિ માટે અપૂર્ણ સમયમાં ભોજન કરાવે તો ભંગ નથી અર્ધ જમ્યા બાદ બિમારી ઘટી ગયા પછી સમાધિ થતાં કારણ ઉત્પન્ન થવાનું જાણ્યા પછી તેવી જ રીતે ભોજનનો ત્યાગ કરવો. હવે “સદ્ધિજ્વરૂપી' પ્રત્યાખ્યાનનો અર્થ કહે છે. પ્રત્યાખ્યાનના આગારો પાઠ વિગેરે “પોરિસી પ્રત્યાખ્યાન બરાબર હોવાથી તેના અર્થો પોરિસી માફક જાણવા માત્ર પરિસ' ને બદલે સાર્ડ્સપોરિસ બોલે. કર્થ પૂર્વાર્ધ-પ્રત્યાધ્યાનમ હવે “પુરિમડક્ટ્ર પ્રત્યાખ્યાન કહે છે "सूरे उग्गए पुरिमड्ढे पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं, पाणं, खाइमं साइमं, अणत्थणाभोगेणं, सहसागारेणं, पच्छन्नकालेणं दिसामोहेणं, साहुवयणेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं वोसिरह પૂર્વ ર ત ર પૂર્વાર્થમ્ = દિવસનો પ્રથમ અર્ધ ભાગ બે પ્રહર તે પુરિમઢ કે પૂર્વાર્ધ કહેવાય. તેટલા સમય માટેનું પ્રત્યાખ્યાન તે પ્રાકૃતમાં “પુરિમઢ' – એમ કહેવાય. ત્યાં સુધીનું હું પચ્ચખાણ કરું છું. છ આગારોનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે. મ = અંગીકાર કરેલા પચ્ચખાણના પાલન કરતાં વધારે કર્મનિર્જરારૂપ લાભનું કોઈ કારણ આવે તો પચ્ચકખાણના સમયે પહેલા પણ આહારાદિ વાપરે તો ભંગ ન થાય જેમ કે કોઈ સાધુની માંદગી, સંકટ, ચૈત્ય મંદિર સંઘ આદિના પ્રયોજન કે અકસ્માત સમયે તે બીજાથી બની શકે તેમ ન હોય તો, તેવા કારણે આ ‘મહત્તરાગારથી પ્રત્યાખ્યાન વહેલું પાણી શકાય. આ આગાર નવકારશી પોરશી (પૌરુષી) આદિમાં નથી કહ્યો. તેનું કારણ એ છે કે પચ્ચખાણનો સમય ટૂંકો છે અને આનો સમય લાંબો છે. સાથ નિત્યારાનમ્ - હવે એકાશ(સોનનાં વર્ણનમાં પચ્ચખાણના આઠ આગારો રહેલાં. તેનો પાઠ આ પ્રમાણે – - “સિનં પāવસ્થા; બ્રિÉ તિવિહં પિ વી શાહ, સ, પાઉં, ઘીરૂભં, સોરૂમ, अण्णत्थणाभोगेणं, सहसागारेणं, सागारिआगारेणं, आऊंटणपसारेणणं, गुरुअब्भुट्ठाणेणं, Page #386 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧ ૨૯ ૩૩૫ पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ ॥ એક વખત ભોજન કરવું અથવા તો એક આસને બેસવાથી અર્થાત્ બેઠકનો ભાગ આસન પરથી ચલાયમાન થાય નહિ – એ રીતે એક આસને બેસી ભોજન કરવું તે બંને પ્રકારે એકાસણું જાણવું તે એકાસણાનું પચ્ચખાણ કરું છું. એવો વાક્ય-સંબંધ જોડવો. આઠ આગારોમાં પહેલાં બે અને છેલ્લાં બે આગારોનું વર્ણન કહેવાઈ ગયું છે. વચ્ચેના ચાર આગારોનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. ‘સરિમા ' - સાયરિ + મારે અગાર = ઘર તે ઘરવાળા સાગરિક એટલે ઘરવાળો-ગૃહસ્થ તે ગૃહસ્થ સંબંધી છૂટ જ રહે. તે “સાગરિકાગાર' કહેવાય. હકીકત એવી છે કે–ગૃહસ્થના દેખતા સાધુએ ભોજન કરવું તે સાધુ આચાર નથી. કારણકે તેમ કરવાથી શાસન અને ધર્મની અપભ્રાજના થવાનો સંભવ છે. માટે જ કહેલું છે કે- “છક્કાય જીવોની દયા પાળવા છતાં પણ સાધુ આહાર કે નિહાર-ઝાડો-પેશાબ-ગૃહસ્થના દેખતાં કરે તો તેથી શાસનની અપભ્રાજના થવાના કારણે તથા આહાર-પાણી આદિ દુગંછિત કુલોમાંથી ગ્રહણ કરે. તો તેને સમ્યકત્વ-પ્રાપ્તિ દુર્લભ થાય છે.” આ કારણથી સાધુનો એવો આચાર છે કે- પોતે જ્યાં ભોજન કરતાં હોય ત્યાં જો ગૃહસ્થ આવે અને જો તુરત પાછો જવાનો હોય તેટલો સમય રાહ જુએ, પણ વધારે સમય રોકાવાનો હોય તો તેટલા સમય બેસી રહેવાથી સ્વાધ્યાય આદિમાં ખલેલ પડે. માટે ત્યાંથી ઉઠીને બીજે સ્થાને બેસે અને ભોજન કરે તે પ્રસંગે આગારના કારણે સાધુના એકાસણાના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. સાધુને આશ્રીને આ હકીકત કહી. હવે ગૃહસ્થના એકાસણાને આશ્રીને કહે છે. કે – જે કોઈના દેખવાથી કે નજર લાગવાથી ભોજન પચે નહિ. તે સાગરિક એટલે એવા કારણે ગૃહસ્થ પણ સ્થાન બદલી ભોજન કરે, તો એકાસણાનો ભંગ ન થાય તથા : તેમાં મીઝંટા-પસારે | માદર = જંઘાદિકને સંકોચવા અને પ્રસાર = ટૂંકા કરેલા પગને લંબાવવા-પહોળા કરવા અર્થાત કોઈ સહન ન કરી શકે તેવા ભોજન કરે, ત્યાં સુધી પલાંઠી વાળી સ્થિરાસને ન બેસી શકે અને પગ લાંબા-ટૂંકા પહોળા અને અલ્પમાત્ર આસનથી ચલાયમાન થાય તો પણ આ આગારથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી તથા “ગુ મમાઇvi, ગુરબ્યુત્થાના સ્થા-વાર્યસ્થ = એકાસણામાં ભોજન કરતી વખતે ઉભા થવા રૂપ વિનય કરવા યોગ્ય આચાર્ય ભગવંત કે વિહાર કરીને આવેલા પરોણા સાધુ ભગવંતો આવ્યા હોય, તેમના વિનય માટે આસન પરથી ઉભા થવા છતાં આ આગારથી પચ્ચખાણનો ભંગ થતો નથી. ઉભા થવા રૂપ વિનય અવશ્ય કરવા યોગ્ય હોવાથી ભોજન કરતાં હોવા છતાં પણ તે જ કર્તવ્ય જ છે તેથી ભંગ ન થાય. પારિવિિારેvi - પરિઝાપનં-સર્વથા યેનનમ્ અર્થાત પરઠવવું સર્વથા ત્યાગ કરવું તે પરિઝાપન કહેવાય આ આગાર સાધુને આશ્રીને સમજવો. તેને પ્રયોજન અર્થમાં ‘રૂક્ષન' પ્રત્યય લાગતાં’ ‘પારિષ્ટાપનિક' શબ્દ બન્યો. અર્થાત્ સાધુને આહાર વધી પડે કે બીજા કારણે તેનો ત્યાગ કરવાનું પ્રયોજન પડે કે પ્રસંગ આવે ત્યારે તે આહાર જેણે પચ્ચકખાણથી ત્યાગ કરેલો હોય તેને તે વાપરવા છતાં પચ્ચખાણ ભાંગે નહિ. આહાર પરઠવવામાં વધારે દોષ છે. જ્યારે સિદ્ધાંતની વિધિ પ્રમાણે વાપરવામાં ગુણ છે, માટે વધેલો આહાર ગુરુની આજ્ઞાથી પ્રત્યાખાનવાળો વાપરે તો ભંગ થતો નથી. “વોસિર' - વ્યુત્કૃતિ અર્થાત એ આગારી પૂર્વક એક જ આસન અને એક જ વાર આહાર કરવા સિવાય બાકી આસન અને આહારનો ત્યાગ કરું છું. એ પ્રમાણે એકાસણ-પચ્ચક્ખાણનું સ્વરૂપ જણાવ્યું. મથ સ્થાનમ્ હવે એકસ્થાનક-દેશી ભાષામાં “એકલઠાણું તેમાં સાત આગાર છે અને તેનો પાઠ એકાસણા પ્રમાણે જ છે. માત્ર “પાસ' ને બદલે “કૃપા' બોલવું અને માઉંટ-પસાર એ આગાર સિવાય બાકીના આગારો બોલવા. આમાં “એક સ્થાન' એટલે શરીરના અંગો જે રીતિએ રાખ્યા Page #387 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૩૬ ❖❖❖❖ હોય, તે એક જ રીતે રાખીને જમવું ભોજન પુરૂ થતાં સુધી એક સ્થિતિમાં અંગોપાંગ રાખવા, માત્ર એક હાથ અને મુખને હલાવ્યા સિવાય ભોજન અશક્ય છે તેથી તે બંનેને હલાવવાનો નિષેધ કર્યો નથી અહીં આડંટળ-પસારેણં એ આચાર છોડવાનું જે વિધાન કર્યું છે. તે એકલઠાણું અને એકાસણ-એ બેનો ભેદ સમજાવવા માટે છે. નહિતર બંને સરખા થઈ જાય. अथ आचामाम्लम् - હવે આયંબિલનું સ્વરૂપ કહે છે ww તેના આગારો આઠ છે અહીં સૂત્ર કહે – "आयबिलं पच्चक्खाइ, अण्णत्थणाभोगेणं, सहसागारेणं, लेवालेवेणं, गिहत्थसंसद्वेणं उक्खित्त-विवेगेणं पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ‘આવામ:' અવસ્ત્રાવળમ્ = અવસ્રાવણ-ઓસામણ અને ‘અમ્ન’ પાંચ રસો પૈકી ચોથો ખાટો રસ' તાત્પર્ય કે એવી નિરસ અને વિરસ વસ્તુઓ પ્રાયઃ સાધન તરીકે જે ભોજનમાં હોય તેવા ભાત, અડદ સાથવો વિગેરે ભોજન કરી નિર્વાહ કરવો. તેને જૈનશાસનની પરિભાષામાં ‘આયંબિલ' કહે છે એટલે જેમાં સ્વાદવાળી-રસવાળી વિકા૨ક પૌષ્ટિક વસ્તુઓ સિવાયનું લુખ્ખું નિરસ ભોજન કરવાનું હોય તે આયંબિલ, તેનું પચ્ચક્ખાણ કરું છું – એમ વાક્યનો સંબંધ જોડવો. આમા પ્રથમના બે અને છેલ્લાં ત્રણ આગારોની વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગઈ છે, વચલા ત્રણ આગારોની વ્યાખ્યામાં ‘તેવાતેવેન लेपालेपेन ‘લેપ અને અલેપથી' એવો અર્થ થાય છે. એટલે કે આયંબિલ પ્રત્યાખ્યાન કરનારને ન કલ્પે તેવી વસ્તુઓ ઘી, તેલ, ગોળ, લીલાં શાક વિગેરેથી ખરડાએલ વાસણ હોય, તે લેપ અને તેલ, ઘી, ગોળ, આદિથી પહેલાં લેપ થયો હોય, પણ હાથ કે કપડાંથી લુછી સાફ કરેલા ભાજનમાંથી ગ્રહણ કરાય તો તે અલેપ, આવા વિગઈ આદિથી ખરડાએલ હોય કે વસ્ત્રથી લૂછેલા ભાજનમાંથી વાપરવામાં આવે તો તેનો ભંગ ન થાય તથા શિદ્દત્યસંસળું - ગૃહસ્થ- સંપૃષ્ઠાત્ = એટલે આહાર આપનાર ગૃહસ્થનું કડછી આદિ ભાજન વિગઈ આદિ પચ્ચક્ખાણમાં ન ખપે તેવી અકલ્પનીય વસ્તુથી ખરડાયેલું હોય અને તેનાથી આયંબિલમાં વાપરવાની વસ્તુ વહોરાવે તો ન કલ્પે. તેની વસ્તુના અંશથી ભળેલા આહાર ખાવા છતાં તેમાં તેનો સ્વાદ સ્પષ્ટ સમજવામાં ન આવે તો આ આગારથી આયંબિલ પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય તથા ‘વિશ્ર્વત્તવિવેગેનું ‘ક્ષિપ્તવિવેòન એટલે કે આયંબિલમાં વાપરી શકાય તેવા સુકા રોટલા રોટલી-ભાત આદિ વસ્તુઓ ઉપર આયંબિલમાં વાપરવા યોગ્ય તેવા અપ્રવાહી-કઠણ વિગઈ, ગોળ, પકવાન આદિ જે ઉપાડતા પૂરેપૂરી ઉચકી શકાય અને તેના અંશ કે લેપ રોટલા-ભાતને લાગે તેમ ન હોય તેવી વસ્તુ આગળ મૂકેલી હોય, તેનો ‘વિવેક' ઉપાડી લીધા પછી તે રોટલા-ભાતને આદિ વાપરે તો પણ આયંબિલ પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. અર્થાત્ કલ્પ્સમાં અકલ્પ્સનો સ્પર્શ આવી જાય તો પણ ભંગ ન થાય શીરા જેવી સંપૂર્ણ ઉપાડી શકાતી વસ્તુ ન હોવાથી અને તેવી વિગઈ રહી જાય તેવા રોટલા-રોટલીભાત ખાવાથી ભંગ સમજવો. આ પ્રમાણે આગારો-છૂટા રાખીને બાકી આયંબિલમાં ન વપરાય. તેવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરું છું. બાકીના પદોનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે, તે પ્રમાણે જાણવો. - ગ્રંથ અમòાર્થ-પ્રત્યાઘ્યાનમ્ ઉપવાસ તેમાં પાંચ આગારો છે. અહીં સૂત્ર કહે છે = ‘“મૂરે ૩૫૫, अब्भत्तट्टं पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं पाणं, खाइमं, साइमं अण्णत्थणाभोगेणं सहसागारेणं पारिट्ठावणियागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ ॥ = Page #388 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૩૭ ‘સૂરે રાતે’ સૂર્યોામાનારમ્ય -- સૂર્યોદયથી આરંભીને આવો અર્થ હોવાથી નક્કી થયું કે ‘અમુક ભોજન કર્યા પછી દિવસનો બાકી સમયનો’ ઉપવાસ કરી શકાય નહિ, તથા ‘અમાર્થ = એટલે ભોજન કરવાનું જેમાં પ્રયોજન નથી, તે અભક્તાર્થ અથવા તો ભોજન કરવાનું પ્રયોજન જેમાં નથી તેવું પ્રત્યાખ્યાન અભક્તાર્થ ઉપવાસ એમ ભાષામાં કહેવાય છે. આગારો પહેલાં કહેવાઈ ગયાં છે, તે પ્રમાણે અહીં પણ અર્થ સમજી લેવો. ‘પારિકાળિયા' આગારમાં અહીં એટલું વિશેષ સમજવાનું કે-જો તિવિહાર ઉપવાસ કર્યો હોય તો તેમાં તેને પાણી પીવાની છુટ હોવાથી વધેલો આહાર ગુરુની આજ્ઞાથી વાપરીને ઉ૫૨ પાણી વાપરી શકે પણ જેણે ઉપવાસ ચઉહિાર કર્યો હોય તે તો પાણી અને આહાર બંને વધ્યા હોય તો જ વાપરી શકે. પાણી વધ્યું ન હોય તો એકલા આહાર તેનાથી વાપરી શકાય નહિં. વોસિરફ પ્રયોજનને અંગે જરૂરી અશનાદિ આહારને તજું છું. ભોજનના = અથપાનમ્ - હવે પાણીનું પચ્ચક્ખાણ કહે છે. તેમાં પોરિસી, પુરિમઠ્ઠાણ એકાસણ એકલઠાણ આયંબિલ તથા ઉપવાસના પચ્ચક્ખાણોમાં ઉત્સર્ગ માર્ગે ચોવિહાર પચ્ચક્ખાણ કરવું તે વ્યાજબી છે. છતાં જો તિવિહાર પચ્ચક્ખાણ કરવામાં આવે – (પાણીની છૂટ રાખે) તો પાણીના અંગે છ આગારો રાખવાના કહેલા છે તે આ પ્રમાણે "पाणस्स लेवेण वा अलेवेण वा अच्छेण वा, बहुलेवेण, ससित्थेण वा असित्थे वा વોસિર । પોરિસી વિગેરે આગારોમાં અાર્થે પાઠ આ આગારોની સાથે પણ જોડવો અને જે ત્રીજી-વિભક્તિ છે, તે પાંચમીના અર્થમાં છે એમ જાણવું તેથી ‘નેવેળવા તેવ‰તાત્ = ઓસામણ આદિના ડોળાયેલું પાણી કે જેનાથી ભાજન વિગેર ખરડાય, તેવા ‘લેપકૃત' પાણી સિવાયના ત્રિવિધ આહારનો હું ત્યાગ કરું છું એટલે કે તેવા લેપકૃત પાણી ઉપવાસ કે ભોજન સિવાયના સમયે એકાસણાં વિગેરેમાં વાપરવા છતાં પણ પચ્ચક્ખાણ ન ભાંગે એમ અર્થ જાણવો. આ દરેક સાથે વા અવ્યય છે, તે લેપકૃતઅલેપકૃત વિગેરે સર્વ પ્રકારના પાણી પાળÆ પાણીનાં પચ્ચક્ખાણમાં જણાવવા માટે સમજવું, એ જ પ્રમાણે અનેપતાત્ વા જેનાથી ભાજન વિગેરે ન ખરડાય તેવાં નીતરેલાં પાણી વિગેરે સિવાય, એટલે કે આગારથી આવા પાણી વાપરવાથી પચ્ચક્ખાણ ન ભાંગે તથા ‘અલ્ઝેળ વા’- સાત્ વા ઉકાળેલાં શુદ્ધ નિર્મલ પાણી સિવાય, ‘વહુનાત્ વા' તલ, કાચા ચોખાનું ધોવાણ, ‘બહુલજળ’ ‘ગડુલજળ' કહેવાય. ‘સસિવથાત્ વા = ધાન્યનો દાણો પાણીમાં પડ્યો હોય કે ફોતરાવાળું ધાન્ય આ કે ઓસામણવાળું પાણી હોય કે તેથી રહિત હોય તે સર્વ કપડાંથી ગાળી પાણી પીવાથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી લોટની કણકનું નીતરેલું પાણી પણ આમાં આવી જાય. આ પ્રમાણે પાણીનાં છ આગારો જણાવ્યા. એક ‘અથ ઘરમમ્’ અહિં ચરમ એટલે અંતિમ પચ્ચક્ખાણ સમજાવતાં તેના બે ભેદ કહે છે દિવસનો છેલ્લો ભાગ અને બીજો ભવનો છેલ્લો ભાગ તે બંને પચ્ચક્ખાણનો દિવસ-ચરિમ અને ભવચરિમ અનુક્રમે કહેવાય. તેમાં ભવ ચરિમ યાવજ્જીવ-પ્રાણ રહે ત્યાં સુધીનું પચ્ચક્ખાણ સમજવું અને ભેદોના ચાર ચાર આગારો છે, તેનો પાઠ કરે છે. “વિવસ-મિ, ભવ-મિ વા પથ્વગ્રાફ-ચ િપિ-આહાર અસળ, પાળ, સ્વામ, - Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ साइमं अणत्थणाभोगेणं, सहसागारेणं महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं, वोसिरह શંકા - એકાસણ વિગેરે પ્રત્યાખ્યાનો એવી રીતે થાય છે કે- જેમાં વિસરિk ની જરૂર રહેતી નથી. માટે દિવસ-ચરિમ પ્રત્યાખ્યાન નિષ્ફળ છે. સમાધાન - એમ નથી, પણ એકાસણ વિગેરેમાં આઠ વિગેરે આગારો રાખેલાં છે અને દિવસચરિમમાં તો ચાર જ આગારો છે, જેથી વધારે અપવાદ-છૂટોનો સંક્ષેપ થવાથી ઓછા આગારવાળું આ પચ્ચખાણ નિષ્ફળ નથી, પણ સફળ છે. વળી સાધુએ રાત્રિભોજનનો ત્રિવિધ ત્રિવિધ માવજીવ માટે ત્યાગ કરેલ હોવાથી તેઓને માટે એકાસણ વગેરે પચ્ચકખાણો દિવસ પૂરતાં જ અને ગૃહસ્થને ઉદેશીને તે એકાસણ વિગેરે પચ્ચખાણો બીજા દિવસના સૂર્યોદય સુધીના હોય છે. કારણકે-દિવસ શબ્દનો અર્થ જેમ દિવસ થાય છે, તેમ અહોરાત્રિ-રાત્રિ સહિત દિવસ એવા પર્યાયવાળો પણ જોવામાં આવે છે, તેમાં જેમને રાત્રિભોજનનો ત્યાગ હોય તેવા સાધુ કે શ્રાવકને રાત્રિભોજન-ત્યાગ હોય, તેઓને પણ આ પચ્ચક્ખાણથી પુનઃ તે રાત્રિ ભોજન-ત્યાગનું સ્મરણ થતુ હોવાથી સફળ જ છે. ‘મવરમમ્' પચ્ચકખાણમાં એટલું વિશેષ છે કે- જ્યારે એમ જાણવામાં આવે છે કે – “મહત્તર' અને સર્વસમાધિ-પ્રત્યય' આગારોની જરૂર નથી, ત્યારે માત્ર “અનાભોગ અને સહસાકાર” એ બે આગારોથી પણ ભવચરમ પ્રત્યાખ્યાન થઈ શકે છે. ઉપયોગ-શૂન્યપણે કે સહસા આંગળી વિગેરે મુખમાં નાંખવાનો સંભવ હોવાથી આ બે આગારો તો જરૂરી છે જ. આથી જ જો મહત્તર અને સર્વસમાધિ-પ્રત્યય આગારો ન રાખે, તો પૂર્વ જણાવેલાં આ પ્રત્યાખ્યાનને અનાગાર પચ્ચફખાણ પણ કહેવાય. આ બે આગારોના પરિહાર કરી શકાતો ન હોવાથી. ૩૫થ મારવ્યાનમ્ ! હવે અભિગ્રહ-પ્રત્યાખ્યાન કહે છે– તે “દાંડા પૂંજી-પ્રમાર્જીને લેવા મૂકવા અને આપવા' ઇત્યાદિ અભિગ્રહરૂપ એવા વિવિધ અભિગ્રહો આ રીતે કરી શકાય છે. તેવા કોઈપણ અભિગ્રહવાળું પચ્ચખાણ તે, “અભિગ્રહ-પચ્ચકખાણ' કહેવાય. તેમાં ચાર આગારો કહેલા છે. તેના પાઠ આ પ્રમાણે – "अभिग्गहं पच्चक्खाइ "अण्णत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिવત્તિમારેvi વોસિર આ અભિગ્રહ-પ્રત્યાખ્યાનમાં વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ કરે ત્યારે યોનિપટ્ટારેvi એ પાંચમો આગાર કહેલો છે, એટલે કારણ પડે તો ચોલપટ્ટો પહેરવાથી અભિગ્રહ-પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય. 1ણ વિકૃતિ – પ્રત્યાહ્યાનમ્ આ વિગઈ-પચ્ચકખાણમાં આઠ કે નવ આગારો કહેલા છે તેનો પાઠ આ પ્રમાણેઃ विगईओ पच्चक्खाइ अण्णथणाभोगेणं, सहसागारेणं, लेवालेवेणं गिहत्थसंसटेणं, उक्खित्त विवेगेणं पडुच्चमक्खिवेगेणं पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ ‘વિતિ' = મનને વિકારમાં કારણભૂત હોવાથી વિકૃતિ-વિગઈ કહેવાય તેના દસ પ્રકાર છે. કહેલું છે કે – ૧ દૂધ ૨. દહીં ૩ માખણ, ૪ થી ૫ તેલ, ૬ ગોળ, ૭ મદ્ય, ૮ મદ્ય ૯ માસ, ૧૦ તળેલું (પંચવસ્તુ ૩૭૧) ૧ દૂધ - ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટી-એ પાંચના દૂધ તે વિગઈના પાંચ પ્રકાર ઊંટડીના દૂધનું દહીં થતું ન હોવાથી તે સિવાય દહીં, માખણ અને ઘી ચાર પ્રકારનાં તેલ-તલ, અળશી, લટ્ટા, તથા સરસવ એ ચારેના તેલ એમ તેલના ચાર પ્રકાર છે. બાકીના તેલોને વિગઈમાં ગણ્યા નથી. પણ લેપકૃત જણાય છે. ૬ ગોળ-શેરડીનો રસ ઉકાળવાથી બને તે દ્રવ્ય નરમ અને કઠિન ગોળ એમ બે પ્રકારે Page #390 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૩૯ ૭ મઘ-સુરા-દારૂ વિગઈના બે પ્રકાર-એક મહુડા, તાડી વિગેરેના રસમાંથી બનાવાય છે, તે કાષ્ટજન્ય અને બીજો લોટ કહોવડાવીને બનાવાય, તે પિષ્ટજન્ય ૮. મધ-ત્રણ પ્રકારનું-એક માખીનું બીજું કુંતા નામના ઊડતા જીવોએ બનાવેલું અને ત્રીજું ભમરીઓએ બનાવેલું છે. ૯ માંસ ત્રણ પ્રકારનું-જળચર, સ્થળચર અને ખેચર આદિ જીવોનું અથવા બીજા પ્રકારે ચામડું લોહી અને માંસ એવા પણ ત્રણ પ્રકારો છે. ૧૦ તળેલું ઘી કે તેલમાં ડુબાડુબ તળેલાં જેવા કે પુડલા, દહીથરા, જલેબી આદિ અવગાહિમ = પકવાન્ન અવગહ શબ્દને ભાવ-અર્થમાં “રૂમ' પ્રત્યય આવવાથી અવગાહિમ = (તળેલું) શબ્દ સિદ્ધ થાય છે. એનું સ્વરૂપ એવું છે કે ઊંડા તવા કે કડાયામાં તેલ કે ઘી ભરીને જ્યારે ઉકળે ત્યારે અંદર તળવા નાંખેલી ચીજો ઉપર-નીચે ચલાચલ થયા કરે અને તળાઈ જાય, એમ ઘી ઉમેર્યા વગર ત્રણ ઘાણ સુધી પકવાન વિગઈ કહેવાય અને તે પછી ચોથા ઘાણથી માંડીને બનેલી વસ્તુ પકવાન વિગઈનું નિવિયાતું ગણાય. એવું નિવિયાતું યોગવાહી સાધુઓને (મતાંતરે અયોગવાહી) નિર્વિકૃતિક (નીવી) પ્રત્યાખ્યાનમાં પણ લેવું કલ્પ છે. એટલે કે તળેલી વિગઈના ત્યાગમાં પણ યોગની નીવીમાં ત્રણ ઘાણ પછીનું તળેલું કે પકવાન વિગઈ લેવી કહ્યું છે. જો વચ્ચે ઘી કે તેલ ઉમેર્યું ન હોય તો આ વિષયમાં એવી એક વૃદ્ધ સમાચારી છે કે-જો તવી કે કડાયો જેમાં તળવાનું હોય તેમાં જો એક જ પુડલો એવો મોટો તળવામાં આવે કે જેથી કડાયમાં ચારે બાજુનું ઘી કે તેલ ઢંકાઈ જાય તો બીજી વખતનું પકવાન નિર્વિકૃતિક પ્રત્યાખ્યાનમાં યોગવાહીને કહ્યું છે, પણ લેપકૃત દ્રવ્ય તો ગણાય. આ દશ વિગઈમાં મદિરા, માંસ મધ, અને માખણ-એ ચાર વિગઈઓ અભક્ષ્ય છે, બાકીની છ ભક્ષ્ય છે. તેમાં ભક્ષ્ય વિગઈઓમાં એક વિગઈથી માંડી છ વિગઈના પ્રત્યાખ્યાન અને નિવિયાતી વિગઈઓનાં પચ્ચખાણ સાથે પણ લઈ શકાય છે. આગારો પહેલાની માફક સમજી લેવા. વિશેષમાં ‘દિત્ય-સંસદ દજ્જ સંસષ્ઠાત ગહસ્થ પોતાના માટે દુધ સાથે ભાત ભેળવ્યો હોય, તે દૂધમાં ભાત ડુબાડીને ઉપર ચાર અંગુલ સુધી દૂધ ચડે, તે દૂધ વિગઈ કહેવાય નહિ, પણ ‘સંસૃષ્ટ દ્રવ્ય' કહેવાય છે અને પાંચ આંગળના આરંભમાં તે “દૂધ વિગઈમાં ગણાય છે. તે પ્રમાણે બીજી વિગઈઓમાં પણ સંસૃષ્ટ દ્રવ્યો આગમશાસ્ત્રથી જાણવા તે સંસ્કૃષ્ટ દ્રવ્યો વાપરવાં છતાં પણ પચ્ચક્ખાણ ન ભાંગે એવી આગારથી છૂટ રહે છે. “વિવૃત્ત વિવેvi, ૩ક્ષિત-વિવે: આયંબિલના આગારમાં કહ્યા પ્રમાણે કઠણ દ્રવ્ય હોય અને આખું દ્રવ્ય હોય તેનો ત્યાગ હોય, એનો કણ કદાચ રહી ગયો હોય તો પણ તે વાપરવાથી પચ્ચખાણ ભંગ થતો નથી. એ આગાર કઠિન વિગઈ આશ્રી સમજવો. રેલો થાય કે પ્રવાહી વિગઈ માટે આ છૂટ નથી. ય સર્વથા લુખા રોટલા-રોટલી આદિને ઉદેશથી કંઈક કોમળ રાખવા માટે પડુષ્ય-મવિશ્વાdi પ્રતીત્ય પ્રક્ષતાત્ અલ્પમાત્ર ચોપડેલું અર્થાત્ ચોપડવા છતાં પણ ખાતાં સ્વાદ લગાર પણ ન જણાય તો કહેવાય. લુવા પર આંગળીથી અલ્પમાત્ર ચોપડે એવી રોટલી આદિ વાપરવામાં આવી જાય તો પચ્ચકખાણનો ભંગ ન થાય પણ ધાર કરીને નાંખે તો તે વિગઈના પચ્ચકખાણવાળાને ન કલ્પે. એ પ્રમાણે વિગઈ અને ઉપલક્ષણથી નિર્વિગઈના પચ્ચખાણના આગારો કહ્યાં તે પ્રમાણે છૂટ રાખીને વોસિર ત્યાગ કરું છું. આમા ગોળના ગાંગડા હોય તેવા કઠિન જે મૂક્યા પછી આખા ઉપાડી શકાય, તેના નવ અને દૂધ આદી પ્રવાહી વિગઈઓનાં આઠ આગારો જાણવા. કહેલી વાતને પુષ્ટ કરનારી આગમ-ગાથાઓના અર્થ અહીં જણાવે છે કે – “નમુક્કારસહિ પચ્ચકખાણના બે, પોરિસીમાં છે, પુરિમડપૂર્વાર્ધમાં સાત, એકાસણાના આઠ, એકલઠાણાના સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણસ્સના છે, દિવસ અને ભવ-ચરિમ પચ્ચકખાણમાં ચાર, અભિગ્રહમાં પાંચ કે ચાર નિર્વિકૃતિકમાં આઠ કે નવ આગારો છે. તેમાં અપાવરણ અભિગ્રહમાં પાંચ અને બાકીના અભિગ્રહ પચ્ચકખાણમાં ચાર આગારો હોય છે.” (આ. નિ. ૧૬૧૨ થી ૧૬૧૪) Page #391 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ****** પ્રશ્ન નિર્વિકૃતિક માટે કહેલા આ આગારો વિગઈ-ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં કહ્યા, તો અમુક વિગઈનો ત્યાગ કરી બાકીની છૂટ રાખી હોય, તેવા વિગઈના પચ્ચક્ખાણમાં આગારો શા ઉપરથી સમજવા ? ३४० - ઉત્તર - નિર્વિગઈના પ્રત્યાખ્યાન સાથે ઉપલક્ષણથી પરિમિત વિગઈના પચ્ચક્ખાણનો પણ સંગ્રહ થઈ જતો હોવાથી તે જ આગારો લેવા એટલે કે નિર્વિકૃતિકના આગારો કહ્યા તે જ વિગઈ-પચ્ચક્ખાણમાં પણ છે. વળી એકાસણું પોરિસી, પુરિમઢનાં જ પચ્ચક્ખાણો કહ્યાં છે, તો પણ તે એકાસણાની સાથે બેઆસણાનું પોરિસી સાથે સાઢપોરિસીનું અને પુરિમઢ સાથે અવર્ડ્ઝનું-એમ અપ્રમત્તપણાની વૃદ્ધિ માટે હોવાથી તે તે સાથે ગણવામાં ખોટું નથી. એકાસનાદિ સંબંધી આગારો પણ સમાન હોવાથી બેઆસણમાં, પોરિસીના સાઢપોરિસીમાં પુરમઢના અવર્ડ્ઝમાં સમજી લેવા. કારણ કે જેમ ચોવિહારમાં જે આગારો છે, તે જ દુવિહાર, તિવિહાર, પચ્ચક્ખાણનાં આગારો છે. તેમ બેઆસણા આદિમાં પણ એકાસણા આદિના આગારો આસણ શબ્દની સમાનતાથી વ્યાજબી છે. પ્રશ્ન - બેઆસણા આદિક પ્રત્યાખ્યાનો અભિગ્રહરૂપ છે, તો તેના ચાર જ આગારો હોવા જોઈએ. વધારે શા માટે ? સમાધાન-નહિ એકાસણા આદિકની માફક જ ગ્રહણ-પાલન-રક્ષણ કરવાનું હોવાથી તેની સાથે જ તેની સમાનતા છે, માટે બેઆસણાના પણ તેટલા જ આગારો સમજવા. બીજા કેટલાંક આચાર્યોનું માનવું છે કે— બેઆસણા આદિકને પચ્ચક્ખાણોમાં ગણતાં તેની મૂલ સંખ્યા કાયમી રહેતી નથી, માટે એકાસણાદિક દશ જ પચ્ચખાણ ગણવાં-તે બરાબર છે. એકાસણું વિગેરે કરવા અશક્ત હોય તે ભાવનાશક્તિ પ્રમાણે પોરિસીઆદિ પ્રત્યાખ્યાન લે, અને તેમાં પણ વધારે લાભ મેળવવાની ઈચ્છાવાળો તેની સાથે ગંઠિસહિત, મુક્રિસહિત આદિ પ્રત્યાખ્યાન કરે. તે યોગ્ય ગણાય. કારણકે ગંઠિસહિત આદિ પ્રત્યાખ્યાનો અપ્રમત્તદશા વધારનાર હોવાથી ફળદાયી છે. આ પચ્ચક્ખાણો સ્પર્શનાદિક ગુણોવાળાં હોય તો સુપ્રત્યાખ્યાન કહેવાય. જે માટે કહેલું છે કેઃ— ૧ ફાસિઅ, સ્પર્શિત ૨. પાલિત, ૩. શોભિત, ૪. તીરિત, ૫. કીર્તિત અને ૬ આરાધિત - એમ છ પ્રકારે પચ્ચક્ખાણોની શુદ્ધિ છે.” તેમાં ૧. સ્પર્શિત તે કહેવાય કે, પચ્ચક્ખાણના કાળે વિધિપૂર્વક પ્રાપ્ત થવું. ૨. પાલિત તે કહેવાય કે, લીધેલા પચ્ચક્ખાણનો વારંવાર ઉપયોગ રાખીને-સ્મરણ કરીને રક્ષણ કરવા પૂર્વક પાલન કરવું. ૩. શોભિત તે કહેવાય કે ગુરુ તપસ્વી, બાળ, ગ્લાન, થાકેલા લોચવાળા આદિકને આપીને બાકી રહે, તેનાથી નિર્વાહ કરવો. ૪. તીરિત તે કહેવાય કે, પચ્ચક્ખાણનો સમય પૂર્ણ થયા પછી થોડો સમય રોકાઈને પછી પારવું. ૫. કીર્તિત તે કહેવાય કે મેં અમુક પચ્ચક્ખાણ કર્યું છે, તે ફરી યાદ કરી વાપરવું. ૬. એ સર્વ પ્રકારની શુદ્ધિપૂર્વક પાલન કરવું, તે આરાધિત કહેવાય. હવે પચ્ચક્ખાણનાં અનંતર અને પરંપર એમ બે પ્રકારના ફળ જણાવે છેઃ— “પચ્ચક્ખાણ કરવાથી કર્મ આવવાના દ્વારો-નિમિત્તો બંધ થાય છે, અને તેથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાઓ બંધ થવાથી અનુપમ ઉપશમ-ભાવ પ્રગટ થાય છે અને તેથી કરેલું પ્રત્યાખ્યાન શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચક્ખાણથી ચારિત્રધર્મ યથાર્થપણે પ્રાપ્ત થાય છે, તેથી જુનાં કર્મોની નિર્જરા, તેથી ઉત્તરોત્તર ગુણસ્થાનકોની પ્રાપ્તિ, તેથી કેવળજ્ઞાન અને કેવળજ્ઞાન થવાથી શાશ્વતસુખના સ્થાનરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પરંપરાએ મોક્ષ-ફળની પ્રાપ્તિ થાય છે— આ પ્રમાણે પચ્ચક્ખાણ આવશ્યક સાથે છ આવશ્યકનું સ્વરૂપ સમજાવ્યું. (આ. નિ. ૧૬૦૮ થી ૧૬૧૦) કદાપિ એમ ન બોલવું કે ‘શ્રાવકને ચૈત્યવંદન આદિ જ અવશ્ય કરવા યોગ્ય છે, આ છ આવશ્યક Page #392 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૦ ૩૪૧ નહિ' કહ્યું છે કે- “શ્રમણે કે શ્રાવકે રાત્રે કે દિવસે અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેને “આવશ્યક' - પ્રતિક્રમણ કહે છે. આ પ્રમાણે આગમમાં પણ શ્રાવક પ્રત્યે પણ આવશ્યક કરવાનું કહેલું છે. અહીં ચૈત્યવંદન આદિ માફક આવશ્યક કહેવું ઉચિત નથી. તેથી તો મો-નિસિસ = દિવસ અને રાત્રિના અંતે એમ કહીને બે કાળ પણ કહેલા છે અને ચૈત્યવંદના તો ત્રિકાલ કરવાની છે. અનુયોગદ્વાર આગમસૂત્રમાં પણ આ વિષયમાં લોકોત્તર આવશ્યકના લક્ષણ જણાવ્યું છે કે, “જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તે આવશ્યકસૂત્ર અને તેના અર્થમાં એકાગ્ર ચિત્તવાળો તન્મય બનેલો તેની જ વેશ્યાવાળો તેના અર્થમાં જ ઉપયોગવાળો, તેમાં જ ત્રણ કરો અર્પણ કરનારો તેની જ માત્ર ભાવનાવાળો બંને કાળે-આવશ્યકપ્રતિકણ કરે. તો લોકોત્તર ભાવ-આવશ્યક સમજવું. એ વચનથી શ્રાવકને પણ આવશ્યક પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલું જ છે. ત્યાર પછી જ આવશ્યક કરનારો શ્રાવક સ્વાધ્યાય, અણુવ્રતવિધિ આદિ કે નવકારવાળી ગણવાની ક્રિયા કરે, અથવા પાંચ પ્રકારના વાચના પ્રશ્ન પૂછવા, ભણેલું, પરાવર્તન કરવું. સૂક્ષ્મ પદાર્થોમાં માંહોમાંહે ચર્ચા કરી નિઃસંદેહ બનવું કે ધર્મકથા કરવી સાંભળવી ઇત્યાદિ કરવામાં સમયની સફળતા કરવી. હવે જે સાધુવાળા ઉપાશ્રયે જઈ શકવા સમર્થ ન હોય, અથવા રાજા કે મહદ્ધિક હોય કે બહાર નીકળવામાં મુશ્કેલી હોય, તે પોતાના ઘરે જ આવશ્યક સ્વાધ્યાય કરે, ‘ઉત્તમમ્ - ઉત્તમનિર્નરહેતુન્ ઉત્તમ નિર્જરાના કારમભૂત કહેલું છે કે, કેવલિ ભગવંતોએ ઉપદેશેલ બાહ્ય અને અત્યંતર રૂપ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવો તપ છે નહિ, થશે નહિ અને થયો નથી (૫.ચ. વ. પ૬૨) તથા સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન થાય, તથા સર્વ પરમાત્મા પણ સ્વાધ્યાયથી ક્ષણે-ક્ષણે વૈરાગ્યને પ્રાપ્ત કરે છે (ઉપદેશમાલા ૩૩૮) ઈત્યાદિ // ૧૨૯ // ३०१ न्याय्ये काले ततो देव-गुरुस्मृतिपवित्रितः । निद्रामल्यामुपासीत, प्रायेणाऽब्रह्मवर्जकः ॥ १३० ॥ અર્થ : ત્યારબાદ નિંદ્રાના યોગ્ય કાળમાં રાત્રિના પ્રથમ પહોરમાં) દેવ-ગુરૂના સ્મરણથી પાવન થયેલો તથા બહુલતાથી અબ્રહ્મનું વર્જન કરનારો તે અલ્પનિંદ્રા કરે. || ૧૩૦ // ટીકાર્થ : રાત્રિના પ્રથમ પ્રહર કે અર્ધરાત્રિ, અગર શરીરની સ્વસ્થતા પ્રમાણે સ્વાધ્યાય કર્યા પછી અલ્પનિંદ્રા-ક્રિયાની ઉપાસના કરવી. કેવી રીતે ? તો કે ભટ્ટારક અરિહંતાદિ દેવો, ધર્માચાર્ય, ગુરુઓ તેમનું સ્મરણ મનમાં પવિત્ર કરેલા આત્માવાળો ઉપલક્ષણથી ચાર શરણ અંગીકાર-દુષ્કતૃગહ સુકૃતાનુંમોદન પંચપરમેષ્ઠિ-સ્મરણ, ઇત્યાદિ, આ સર્વ સ્મરણ વગર આત્મા પવિત્ર બની શકતો નથી. તેમાં દેવની સ્મૃતિ નમો વીરા વ્યાપૂ' તિનોપૂબાdi નહીંવત્થવા રૂદ્દિ “વીતરાગ સર્વજ્ઞ ત્રણલોકથી પૂજિત યથાર્થ વસ્તુને કહેનારાં તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ' “ગુરુસ્મૃતિ આ પ્રમાણે– થચાતે પ્રામ-નર-નાપવા, ચેષ મીયા થHવાર્ય વિરત્તિ ! “તે ગામ, નગર, દેશ આદિકને ધન્ય છે. જ્યાં મારા ધર્માચાર્ય ગુરુ મહારાજ વિચરી રહેલા છે. “અલ્પનિંદ્રા' “તેમાં નિંદ્રા એ વિશેષ્ય, અલ્પ વિશેષણ અહીં અલ્પ એ વિધાન જણાવ્યું. ‘વિશેષણ-સહિત વિધિ અને નિષેધ હોય ત્યારે તે વિશેષણમાં લાગુ પડે છે' એ ન્યાયથી નિદ્રા કરવી એમ વિધાન થતું નથી પણ દર્શનાવરણ કર્મના ઉદય વડે નિંદ્રા આપોઆપ આવે જ છે. “ન જાણેલા પદાર્થોમાં શાસ્ત્ર સફળ ગણાય' એ વાત તો કહેલી જ છે, તેથી નિંદ્રામાં અલ્પનું વિધાન કર્યું વળી બીજું શું? તો કે ગૃહસ્થ છે, તો ઘણે ભાગે અબ્રહ્મનો ત્યાગ કરે. || ૧૩૦ || વળી– Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३०२ निद्राच्छेदे योषिदङ्ग-सतत्वं परिचिन्तयेत् । स्थूलभद्रादिसाधूनां, तन्निवृत्तिं परामृशन् ॥ १३१ ॥ અર્થ : નિદ્રા પૂર્ણ થાય ત્યારે સ્થૂલભદ્રાદિ-મહામુનિઓએ આદરેલી સ્ત્રીના શરીરની નિવૃત્તિની યાદ કરતો તે સ્ત્રીના અંગોનું બિભત્સ સ્વરૂપે વિચારે ! | ૧૩૧ // ટીકાર્થ : કદાચ રાત્રે નિદ્રા ઉડી જાય તો સ્થૂલભદ્ર આદિ સાધુઓએ સ્ત્રીઓનાં અંગોની મલિનતા, દુર્ગછનીયતા, અસારતા, વિચારી તેની કરેલી નિવૃત્તિનું સ્મરણ કરતો તેના દેહનું યથાર્થ સ્વરૂપ વિચારે સ્થૂલભદ્રમુનિનું સંપ્રદાય-ગમ્ય ચરિત્ર આ પ્રમાણે જાણવું – સ્થૂલભદ્ર કથા : શકટાલ નામનો સર્વશ્રેષ્ઠ અમાત્ય હતો. તેને તીક્ષ્ણબુદ્ધિવાલો, વિનયાદિ, ગુણોનો સ્થાન સુંદર આકૃતિ હોવાથી ચંદ્ર સમાન આલાદક ચૂલભદ્ર નામનો મોટો પુત્ર હતો. તેમજ નન્દરાજાના હૃદયને અત્યંત આનંદ આપવા માટે ગોશીષચંદન સમાન ભક્તિવાળો શ્રીયક નામનો નાનો પુત્ર હતો. તે નગરમાં રૂપ કાન્તિ વડે ઉર્વશી સમાન એવી કોશા નામની વેશ્યા હતી. સ્થૂલભદ્ર રાત્રિ-દિવસ વિવિધ પ્રકારના ભોગો ભોગવતો તેમાં એવો તન્મય બની ગયો કે તેને ત્યાં રહેતા બાર વરસ વીતી ગયાં. નંદરાજાના બીજા હૃદય સરખો અત્યંત વિશ્વાસપાત્ર શ્રીયક તે રાજાનો અંગરક્ષક બન્યો. તે જ નગરમાં કવિઓ વાદીઓ અને વૈયાકરણીઓમાં મસ્તકના મણિસમાન વરરુચિ નામનો એક બ્રાહ્મણ આગેવાન હતો. બુદ્ધિશાળી તે દરરોજ નવનવા એક્સો આઠ કાવ્યો બનાવી બનાવીને રાજાની સ્તુતિ કરતો હતો. તે કવિ મિથ્યાદષ્ટિ હોવાથી શકટાલ મંત્રી કદાપિ તેની પ્રશંસા કરતો ન હતો અને તે કારણે રાજા તુષ્ટ થવા છતાં પણ તષ્ટિ-દાન આપતા ન હતા. પોતાને દાન ન મળવાનું કારણ જાણીને વરસચિએ મંત્રીની પત્નીની આરાધના શરૂ કરી. વરસચિની સેવાથી ખુશ થએલી મંત્રી પત્ની કોઈક દિવસે કાર્ય પુછ્યું ત્યારે તેણે કહ્યું કે, “તમારા પતિ રાજા પાસે મારા કાવ્યની પ્રશંસા કરે.' તેણીના આગ્રહથી પતિએ તેને કહ્યું કે તે મિથ્યાષ્ટિની પ્રશંસા હું કેવી રીતે કરી શકે ? છતાં પણ અત્યંત આગ્રહને વશ બનેલા મંત્રીએ તે વાત સ્વીકારી. કારણકે અંધ, સ્ત્રી, બાળક અને મુખઓની હઠ બળવાન હોય છે. કોઈક વખતે વરરુચિ રાજા પાસે કાવ્ય ભણતો હતો. ત્યારે મહાઅમાત્યે “અહો ! સુંદર સુભાષિત એમ બોલી પ્રશંસા કરી એટલે રાજાએ તેને એકસો આઠ સુવર્ણ નાણું આપ્યું. ખરેખર રાજમાન્ય પુરુષનું અનુકુલ વચન પણ જીવિત આપનાર બને છે. આ પ્રમાણે દરરોજ એકસો આઠ સુવર્ણ દીનાર આપતા હતા, ત્યારે મંત્રીએ રાજાને વિનંતી કરતા પૂછ્યું કે આને શા કારણે આપો છો ? ત્યારે રાજાએ મંત્રીને કહ્યું કે, તમે પ્રશંસા કરી એટલે આપું છું. જો મારે આપવા જ હોત તો પહેલા કેમ ન આપ્યા ? ત્યારે મંત્રીએ કહ્યું હે દેવ ! મેં તેની પ્રશંસા કરી નથી મેં તો તે સમયે માત્ર બીજાનાં કાવ્યોની પ્રશંસા કરી હતી. આપની આગળ તે બીજાનાં બનાવેલાં કાવ્ય “મેં બનાવ્યા છે એમ કહી બોલી જાય છે, “શું આ વાત સત્ય છે ? એમ રાજાએ પુછ્યું” એણે બોલેલા કાવ્યો તો મારી બાલિકાઓ પણ બોલી જાય છે અને તે હું આપને સવારે સાક્ષાત્કાર કરાવીશ” એમ મંત્રીએ કહ્યું. શકટાલ મંત્રીને યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા સેણા, વેણા અને રેણા નામની બુદ્ધિશાળી સાત પુત્રીઓ હતી. એમાં યક્ષા એક વખત સાંભળતા જ. બીજી બે વખત, ત્રીજી ત્રણ વખત એમ ક્રમસર સાતમી સાત વખતે સાંભળે તો ગ્રહણ કરી યાદ રાખી શકે તેવી ચતુર બુદ્ધિશાળી હતી. બીજા દિવસે મંત્રીએ તે સાતને રાજાની સામે એક પડદામાં કોઈ ન દેખે તેમ બેસાડી વરસચિની દરરોજની જેમ ૧૦૮ નવા નવા શ્લોકો બનાવીને રાજાને સંભળાવ્યા ત્યાર પછી સાતે કન્યાઓ અનુક્રમે તે શ્લોકો બોલી ગઈ. ત્યાર પછી રોષાયમાન થએલા રાજાએ દાન નિવારણ કર્યું. “મંત્રીઓ પાસે ઉપકાર Page #394 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧ ૩૪૩ કે અપકાર કરવાના ઉપાયો હોય જ છે ત્યાર પછી વરસચિએ ગંગાનદીએ પહોંચીને ગંગાજળમાં એક એવું યંત્ર ગોઠવ્યું. વસ્ત્રમાં બાંધેલા ૧૦૮ દિનાર એમાં રાખેલા હતા. ત્યાર પછી વરસચિએ સવારે ગંગાની સ્તુતિ કરી પગથી યંત્ર દબાવ્યું. એટલે તે સર્વ દિનારો છળીને તેના હાથમાં પડ્યા. આ પ્રમાણે તે દરરોજ કરી રહ્યો હતો. આથી નગરલોકો વિસ્મય પામ્યા. રાજાને કાને પણ વાત પહોંચી એટલે મંત્રી પાસે પ્રશંસા કરી. મંત્રીએ કહ્યું કે, “જો વાત સત્ય હોય તો સવારે આપણે જાતે જોવા જઈએ' એ પ્રમાણે કહેવાએલા રાજાએ મંત્રીની વાત સ્વીકારી. સાંજે મંત્રીએ એક ગુપ્ત મનુષ્યને શિખામણ આપી નદીએ મોકલ્યો અને તેણે પણ પક્ષી માફક ઝાડીમાં છુપાઈને વરરુચિ શું કરે છે, તેની ભાળ કરી, તે વખતે વરરુચિ ગંગા નદીના જળમાં ગુપ્તપણે ૧૦૮ દિનારની પોટલી સ્થાપન કરી ઘરે ગયો. તેના જીવિતની માફક દીનારની પોટલી લઈને ગુપ્ત પુરુષ શકટાલમંત્રી પાસે ગયો અને ગુપ્તપણે તેને અર્પણ કરી. હવે રાત્રિ પૂર્ણ થયા પછી છૂપી રીતે દીનાર-પોટલી લઈને મંત્રી રાજા સાથે ગંગા નદીએ ગયો, ત્યારે વરચિએ જાણ્યું કે રાજા જાતે જોવા પધાર્યા છે, એટલે તેમને દેખી અભિમાની બનેલા મૂઢ વરરુચિ વિસ્તારથી ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિના અંતે વરુચિએ પગથી યંત્ર ચલાયમાન કર્યું પણ દિનારની પોટલી છળીને તેના હાથના ખોબામાં ન પડી. ત્યાર પછી જળમાં હાથથી દ્રવ્યની શોધ કરવા લાગ્યો. પરંતુ ધન ન દેખવાથી ધૂર્ત ધીઠો મૌન સેવન કરવા લાગ્યો. ત્યાર પછી મહામંત્રીએ તેને કહ્યું કે, થાપણ કરેલું દ્રવ્ય ગંગા શું નથી આપતી ? કે જેથી વારંવાર તેને ખોળે છે ? માટે આ તારું દ્રવ્ય ઓળખીને ગ્રહણ કર” એમ બોલતા મંત્રીએ વરરુચિના હાથમાં દીનાર-પોટલી આપી. તેણે હૃદયના ધ્રાસ્કા સરખી તે દીનારની પોટલી વડે મરણથી પણ અધિક દુસહ દશા પ્રાપ્ત કરી. પ્રધાને રાજાને કહ્યું કે, લોકોને ઠગવા માટે સંધ્યાએ દ્રવ્ય અંદર નાંખે છે અને સવારે વળી ગ્રહણ કરે છે. “તમે આ પ્રપંચની વાત ઠીક મને જણાવી’ એમ મંત્રીને જણાવીને વિસ્મયથી પ્રફુલ્લ નયનવાળો રાજા પોતાના મહેલે ગયો. શકટાલમંત્રી પર ક્રોધે ભરાએલા, આનો બદલો લેવા માટે વિચારી રહેલા વરસચિએ મંત્રીના ઘરની કોઈ દાસીને તેના ઘરની હકીકત પૂછી ત્યારે મંત્રીની દાસીએ તેને કહ્યું કે, શ્રીયકપુત્રના વિવાદમાં રાજાને ભોજન માટે બોલાવશે. તે વખતે નંદરાજાને પહેરામણી આદિ આપવા માટે મંત્રી હથિયારો સજાવે છે. કારણકે “શસ્ત્રપ્રિય રાજાઓને શસ્ત્રોની જ ભેટ અપાય' મંત્રીના છિદ્રને જાણી વરુચિએ બાળકો એકઠા કરી ચણા આપીને ભણાવ્યા કે, “રાજાને ખબર નથી કે, આ શકટાલ મંત્રી નંદરાજાને મારીને તેના રાજ્ય પર શ્રીયકને સ્થાપન કરશે ? દરરોજ સ્થાન સ્થાન પર બાળકોને આમ બોલતા સાંભળી અને લોકવાયકાથી રાજાએ પણ આ સાંભળ્યું અને વિચાર્યું – “બાળકો જે બોલે તથા સ્ત્રી જે બોલે તથા ઔત્પાતિકી જે ભાષા બોલાય, તે કદાપી નિષ્ફળ ન હોય” તેની ખાત્રી કરવા માટે પોતાના વિશ્વાસુ મનુષ્યને રાજાએ મંત્રીના ઘેર મોકલ્યો, તપાસ કરીને પાછા આવીને તેણે જેવું દેખ્યું હતું તેવું જણાવ્યું. ત્યાર પછી સેવાસમયે આવેલા મંત્રીએ રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજા અવળું મુખ કરીને બેઠો. તેના ભાવને સમજી ગએલા શકટાલે ઘરે આવીને શ્રીયકને કહ્યું કે, કોઈક દ્વેષીએ રાજાના કાન આપણા માટે ભંભેર્યા જણાય છે અને કોપાયમાન થયો છે. નક્કી તે એકદમ આપણા કુલનો ક્ષય કરશે, માટે હે વત્સ ! જો મારી આજ્ઞા સ્વીકારીશ તો કુલનું રક્ષણ થશે. હું જ્યારે રાજાને નમસ્કાર કરવા મારું મસ્તક નમાવું. ત્યારે તલવારથી મારા મસ્તકનો છેદ કરતાં એમ કહેવું કે, “ભલે પિતા હોય પણ સ્વામીનો ભક્ત ન હોય તે વધ કરવા યોગ્ય છે ! જો કે હવે વૃદ્ધાવસ્થા પામેલો છું અને આમ મૃત્યુ પામું તો મારા કુલગૃહના સ્તંભ સરખો તું લાંબા કાળ સુધી આનંદ કરીશ.” શ્રીયક પણ ગદ્ગદ્ સ્વરે રુદન કરતા એમ બોલવા લાગ્યો કે, “આવું ઘોર નીચ પાપકર્મ તો ચંડાલ પણ ન કરે” અમાત્યે કહ્યું કે “આવી વિચારણા કરીને તું ખરેખર માત્ર વેરીઓના મનોરથો પૂર્ણ કરે છે. જેટલામાં જમ સરખો રાજા ક્રોધી બની સહકુટુંબ મને મારી ન નાખે Page #395 -------------------------------------------------------------------------- ________________ 44 4444 યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તેટલામાં મારા એકનો ક્ષય કરીને આખા કુટુંબ તું રક્ષણ કર. બીજું હું મારા મુખમાં તાલપુટ ઝેર સ્થાપન કરી રાજાને પ્રણામ કરીશ, ત્યારે મૃત્યુ પામેલા મારા મસ્તકને છેદજે. જેથી તને પિતૃહત્યા ન લાગે. આ પ્રમાણે કોઈપણ પ્રકારે સમજાવેલા પુત્રે તે વાતનો સ્વીકાર કર્યો કારણ કે બુદ્ધિશાળીઓ ભાવીના શુભ માટે વર્તમાનની ભયંકરતાને પણ આચરે છે. પિતાની આજ્ઞા પ્રમાણે શ્રીયકે પણ રાજસભામાં રાજા સમક્ષ પિતાના મસ્તકનો છેદ કર્યો. રાજાએ શ્રીયકને પૂછ્યું કે, ‘હે વત્સ ! આવું દુષ્કર અકાર્ય તે કેમ કર્યું ? ગભરાયેલા રાજાથી પૂછાએલા શ્રીયકે કહ્યું કે, આપે જાણ્યું કે આ દ્રોહી છે, તેથી મે હણ્યા, માલિકના ચિત્તના અનુસારે જ હંમેશા સેવકોએ પ્રવર્તવાનું હોય. ! ૩૪૪ દોષો સ્વયં જાણવામાં આવી જાય તો સેવકોને વિચારણા કરવી એ યોગ્ય ગણાય, પરંતુ સ્વામીના જાણવામાં આવે તો, તો પ્રતિકાર જ કરવો યોગ્ય ગણાય નહિ કે વિચારણા' શકટાલ મહામંત્રીની મરણોત્તર ક્રિયા પછી નંદરાજાએ શ્રીયકને કહ્યું કે, ‘આ સર્વ રાજવ્યવસ્થાના કાર્ય સંભાળનારી મુદ્રા તુ ગ્રહણ કર' એટલે શ્રીયકે રાજાને પ્રણામ કરતાં કહ્યું કે, ‘પિતા સરખા મારા મોટાભાઈ સ્થૂલભદ્ર નામના છે, જે પિતાની કૃપાથી આનંદપૂર્વક કોશાને ત્યાં બાર વરસથી ભોગ ભોગવતા રહેલા છે' ત્યાર પછી રાજાએ સ્થૂલભદ્રને બોલાવી તે મુદ્રા સ્વીકારવા કહ્યું ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, વિચારણા કરી પછી આજ્ઞાનો અમલ કરીશ. રાજાએ કહ્યું કે, ‘વિચારણા આજે જ કરી લો' એ પ્રમાણે કહેવાએલા સ્થૂલભદ્ર અશોક વનમાં જઈ ચિત્તથી વિચાર કરવા લાગ્યો કે “રાજસેવકો રિદ્રની જેમ યોગ્યકાળે શયન, ભોજન, સ્નાન બીજાં સુખના સાધન ભોગવી શકતા નથી. પૂર્ણ કુંભમાં જેમ પાણીનો અવકાશ હોતો નથી, તેમ પોતાના રાષ્ટ્રની પરરાષ્ટ્રની ચિંતામાં વ્યગ્ર બનેલા રાજસેવકોને ચિત્તમાં પ્રાણવલ્લભ માટે પણ અવકાશ રહેતો નથી. પોતાના સર્વ અંગત સ્વાર્થનો ત્યાગ કરીને એકાંત રાજાની સેવા કરવા છતાં, બાંધેલા પશુઓને જેમ કાગડો તેમ ચાડીયા ખલપુરુષો રાજસેવકોને ઉપદ્રવ કરે છે. જેમ સ્વદેહ અને સ્વદ્રવ્યનો વ્યય કરીને પણ રાજા માટે પ્રયત્ન કરાય છે, તેમ બુદ્ધિશાળી પોતાના આત્માર્થે કેમ પ્રયત્ન નથી કરતો ? એમ વિચારી સ્થૂલભદ્રે પાંચ મુઠ્ઠીથી કેશનો લોચ કર્યો અને રત્નકંબલની દશીઓનું રજોહરણ બનાવ્યું. તે પછી તે મહાસત્ત્વશાળીએ રાજસભામાથી પહોંચી રાજાને કહ્યું કે, મેં આ વિચાર કરી લીધો અને તમોને ધર્મનો લાભ હો' ત્યાર પછી ગુફાથી જેમ કેસરીસિંહ તેમ સંસારરૂપી હાથીઓથી રોષે પામેલો મહાસત્ત્વવાળો તે રાજસભામાંથી બહાર નીકળ્યો. શું આ કપટ કરીને પાછો વેશ્યાને ત્યાં તો જતો નહિ હોય ? એ ખાત્રી કરવા માટે રાજા ગવાક્ષમાં રહીને નિરીક્ષણ કરવા લાગ્યો. દુર્ગંધી મડદાવાળા સ્થાનમાં નાસિકા મરડ્યા વિના જતા સ્થૂલભદ્રને દેખી રાજાએ મસ્તક ડોલાવ્યું અને તે વિચારવા લાગ્યો કે ભગવાન નક્કી વૈરાગી જ બનેલા છે. તેના વિષયમાં મેં ખોટું વિચાર્યું-એમ આત્મનિંદા સાથે તેને અભિનંદન આપ્યાં. સ્થૂલભદ્રે પછી શ્રીસંભૂતિવિજય આચાર્ય પાસે પહોંચી સામાયિક સૂત્ર ઉચ્ચારવા પૂર્વક દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી નંદરાજાએ શ્રીયકને હાથમાં લઈ ગૌરવપૂર્વક સમગ્ર રાજ્ય વ્યવસ્થાના કારભારવાળા મંત્રીમુદ્રા - અધિકારમાં નિયુક્ત કર્યો. શ્રીયક પણ હંમેશા સાક્ષાત્ શકટાલ માફક શ્રેષ્ઠ ન્યાય કુશળતાથી રાજ્યચિંતામાં સાવધાની રાખતો હતો. તે હંમેશા વિનયપૂર્વક કોશાને ઘરે જતો હતો. ભાઈના સ્નેહથી તેની પ્રિયાનું પણ કુલીન પુરુષો બહુમાન કરે છે. સ્થૂલભદ્રના વિયોગથી દુ:ખી થયેલી કોશા પણ શ્રીયકને દેખી ડૂસકે ડૂસકે રડવા લાગી. ‘ઇષ્ટને દેખી દુઃખી પુરૂષો દુઃખ ધારી રાખવા સમર્થ બની શકતા નથી. ત્યારપછી શ્રીયકે કોશાને કહ્યું કે, હે આર્ય ! આમાં આપણે શું કરી શકીએ ? પાપી એવા વરરુચિએ જ પિતાનો ઘાત કરાવ્યો છે. અકાળે ઉત્પન્ન થયેલ વજ્રાગ્નિની આગ સરખો સ્થૂલભદ્રનો અણધાર્યો વિયોગ પણ તને તેણે જ કરાવ્યો. માટે હે મનસ્વિનિ ! જ્યાં સુધી Page #396 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧ ૩૪૫ . તે તારી બહેન ઉપકોશામાં રાગવાળો છે ત્યાં સુધીમાં તેનો કાંઈક પ્રતિકાર વિચાર અને ઉપકોશાને આજ્ઞા કર કે કોઈ પ્રકારે વરુચિને કપટ કરી તારે મદિરાપાનની રૂચિવાળો કરવો. પોતાના સ્નેહીના વિયોગના વેરથી, દેવરના દાક્ષિણ્યથી તેણે તે વાત સ્વીકારી અને ઉપકોશાને આજ્ઞા કરી. કોશાની આજ્ઞાથી નાની બહેન ઉપકોશાએ તે પ્રમાણે કર્યું, અને તેને મદિરા-પાન કરાવ્યું ‘ સ્ત્રીને આધીન બનેલા પાસે શું ન કરાવી શકાય ? વરરુચિ બ્રાહ્મણ પાસે પોતાની ઈચ્છાથી મદિરાપાન કરાવ્યું એ પ્રમાણે પ્રાતઃકાળમાં ઉપકોશાએ મોટીબહેન કોશાને જણાવ્યું. હવે કોશાના મુખથી શ્રીયકે પણ સર્વ સાંભળ્યું અને માન્યું કે પિતાના વેરનો બદલો બરાબર લીધો. શકાટલ મહામંત્રીના મરણથી માંડીને વરરુચિભટ્ટ રાજાની સેવાનો સમય સાચવવામાં બરાબર તત્પર બન્યો. તે દરરોજ રાજકુલમાં ફરજ બજાવવાના સમયે હાજર થઈ જતો હતો અને રાજા તથા લોકો પણ તેને ગૌરવથી જોતા હતા. કોઈક સમયે નંદરાજાએ શકટાલ મંત્રીના ગુણોનું સ્મરણ કરતાં ઉદાસીન બની સભામાં શ્રીયકને ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું કે, ઇન્દ્રને જેમ બૃહસ્પતિ તેમ મારે હંમેશાં ભક્તિવાળો, શક્તિવાળો, મહાબુદ્ધિશાળી મહાઅમાત્ય શકટાલ હતો. દૈવયોગે આવી રીતે આ મૃત્યુ પામ્યો ! ખરેખર તેના વગર મારી આ રાજસભા મને શૂન્યકાર લાગે છે. શ્રીયકે પ્રત્યુત્તર આપ્યો કે દેવ ! આપની વાત યથાર્થ જ છે, પરંતુ એ વિષયમાં શું કરી શકાય ? ખરેખર મદિરાપાન કરનાર પાપી વરરુચિનું જ આ કાર્ય છે. શું એ સુરાપાન કરે છે ? એમ રાજાએ પૂછ્યું એટલે શ્રીયકે કહ્યું કે આવતીકાલે તમને હું બતાવીશ. બીજા દિવસે રાજસભામાં આવનાર સર્વ પુરુષોને એક એક કમળ આપ્યું. પોતાના એક વિશ્વાસુ પુરુષ દ્વારા આગળથી શીખવ્યા પ્રમાણે વરરુચિને આપવા માટે સુંદર પદ્મકમળ આપ્યું. તત્કાલ તૈયાર કરેલ મદનફલ - મિંઢોલ-રસની ભાવનાયુક્ત તે કમળ દુરાત્મા વરરુચિને અર્પણ કર્યું. આવા પ્રકારનું અદ્ભુત સુગંધવાળું આ કમળ ક્યાંનું હશે ? એમ વર્ણવતા રાજા આદિ પોતપોતાના કમળને નાસિકા પાસે લઈ ગયા. વરરુચિભટ્ટ પણ સુંઘવા માટે નાસિકા પાસે પોતાનું કમળ લઈ ગયો એટલે તરત રાત્રે પીધેલ ચંદ્રહાસ મદિરાનું વમન થયું. બ્રાહ્મણજ્ઞાતિમાં વધ કરવા યોગ્ય મદિરાપાન કરનાર આને ધિક્કાર હો' - એ પ્રમાણે સર્વથી તિરસ્કાર પામેલો તે સભામાંથી પાછો ચાલ્યો ગયો. તેણે પોતાની શુદ્ધિ માટે બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત માંગ્યું ત્યારે તેઓએ મદિરાપાનના પાપને નાશ કરનાર તપાવેલ સીસાના રસનું પાન પ્રાયશ્ચિત તરીકે જણાવ્યું. વરરુચિ પણ સીસું ગાળવાની કુલડીમાં રસ તપાવીને પી ગયો, તત્કાલ દાઝવાના ભયથી હોય તેમ તેના પ્રાણો પલાયન થયા. દુષ્કર-દુષ્કરકારક સ્થૂલભદ્ર મુનિ પણ સંભૂતિવિજય આચાર્યની પાસે દીક્ષા પાલન કરતા શ્રુતસમુદ્રના પારગામી બન્યા. વર્ષાકાલમાં કોઈ સમયે સંભૂતિવિજય ગુરુને પ્રણામ કરી એક મુનિએ આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે ‘હું ચોમાસાના ચાર મહિનાના ઉપવાસ કરી સિંહાગુફાના દ્વારમાં કાઉસ્સગ્ગ ધ્યાને ઉભો રહીશ', બીજા મુનિએ ચાર મહિનાના ઉપવાસ કરીને વિષસર્પના દર પાસે કાઉસ્સગ્ગ કરીને રહીશ એવો અભિગ્રહ કર્યો. ત્રીજા મુનિએ ચાર મહિનાના ઉપવાસ કરી કૂવા ઉપરના લાકડા ઉપર મંડૂકાસને કાઉસ્સગ્ગ કરવાનો અભિગ્રહ કર્યો. અભિગ્રહ માનનારા ત્રણે સાધુઓને યોગ્ય માનીને તેમને તે માટે ગુરુજીએ અનુમતિ આપી. એટલે સ્થૂલભદ્ર મુનિએ આગળ આવીને ગુરુને નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું કે, ‘વિચિત્ર કામશાસ્ત્રમાં કહેલા કરણ (આસનો), શૃંગા૨૨સોત્તેજક ચિત્રામણવાળી કોસા વેશ્યાની ચિત્રશાળામાં તપકર્મ કર્યા વગર ષડ્સનું ભોજન કરી ચાર મહિના રહેવું એવા હે પ્રભુ ! મેં અભિગ્રહ કર્યો છે. ગુરુએ શ્રુતના ઉપયોગથી તે અભિગ્રહને યોગ્ય અનુમતિ આપી-એટલે સર્વે સાધુઓએ અંગીકાર કરેલા અભિગ્રહોને પૂર્ણ કરવા માટે પોતપોતાના સ્થાને ગયા. સ્થૂલભદ્રમુનિ પણ કોશા વેશ્યાના મહેલે પહોંચ્યા, એટલે તે આગળ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આવી બે હાથ જોડી સન્માન કરવા ઉભી થઈ. “સ્વભાવથી સુકુમાર કાયાવાળા કેળસ્તંભ સરખા સાથળ વડે વ્રતભાર ઉંચકવાથી કાયર બનેલા આ મુનિ અહીં પધાર્યા જણાય છે' એમ વિચારી કહ્યું કે, સ્વામી ! તમારું સ્વાગત કરું છું. હવે આપ મને આજ્ઞા કરો કે, “હું શું કરું ? આ શરીર, ધન, પરિવાર સર્વ આપના જ છે' સ્થૂલભદ્ર મુનિએ કહ્યું કે, ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળાની વસ્તી આપ, જવાબમાં કોશાએ જણાવ્યું. આપ ગ્રહણ કરો. કોશાએ તે ચિત્રશાળા રહેવા યોગ્ય તૈયાર કરી, એટલે પોતાની બલવત્તાથી ધર્મની માફક ભગવંતે પણ કામસ્થાન ચિત્રામણ શાળામાં પ્રવેશ કર્યો. પણ આહાર પછી ભોજન કર્યા. મુનિને ક્ષોભ પમાડવા માટે શૃંગાર સજીને આવી તે તેની સમક્ષ બેઠી. ત્યારે જાણે કોઈ ઉત્કૃષ્ટ અપ્સરા હોય તેમ વારંવાર ચતુરાઈથી હાવભાવ-કટાક્ષ કરવા લાગી. પૂર્વે કરેલ અનુભવ શૃંગારકીડા ઉદ્દામ સુરતક્રીડાઓ વિગેરે વારંવાર યાદ કરાવ્યા, તે મહામુનિને ક્ષોભ પમાડવા માટે ત્યાં તેણે જેટલા ઉપાયો કર્યા. તે સર્વ વજ પર નખ વલોરવા માફક નકામા ગયા. આ પ્રમાણે દરરોજ મુનિને ક્ષોભ પમાડવા પ્રયત્ન કરતી હતી. પરંતુ મહામક્કમ મનવાળા મુનિ લગાર પણ ક્ષોભ ન પામ્યાં. તે મહામુનિને ઉપસર્ગ કરનારી કોશાએ જેમ જેમ અનુકૂળ ઉપસર્ગો કર્યા. તેમ તેમ મેઘજળ વડે કરીને અગ્નિ-વીજળી વિશેષ ઉદ્દીપન થાય તેમ મહામુનિનો ધ્યાનાગ્નિ વધારે દીપવા લાગ્યો, હે સ્વામી ! અજ્ઞાનથી પહેલાની માફક તમારી સાથે ક્રિીડા કરવાની ઈચ્છાવાળી મને ધિક્કાર થાઓ' એમ આત્માની નિંદા કરતી તે તેમના પગમાં પડી. મુનિના ઈન્દ્રિય જયની પરાકાષ્ઠાથી ચમત્કાર પામેલી તે શ્રાવકપણું પામી અને આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે, કદાપિ તુષ્ટ થએલ રાજા જો મને કોઈને અર્પણ કરે તો તે એક પુરુષને છોડીને બાકીનાનો હું નિયમ કરું છું. એ પ્રમાણે પોતપોતાના અભિગ્રહ પૂર્ણ કરીને ચોમાસું પૂર્ણ થયા પછી ત્રણ સાધુઓએ પણ અનુક્રમે ગુરુના ચરણ-કમળમાં આવી પ્રણામ કર્યા તે સમયે સિંહગુફાવાસી સાધુ આવ્યા ત્યારે ગુરુએ કંઈક ઉભા થઈ તેને કહ્યું કે, હે દુષ્કરકારક ! તારું સ્વાગત કરું છું. તેમજ તેની માફક બીજા બે સાધુઓ આવ્યા ત્યારે તેમને પણ સૂરિજીએ દુષ્કરકારક કહીને સ્વાગત કર્યું. “સરખા પ્રતિજ્ઞા નિર્વાહ કરનારાઓને સ્વામીનો સત્કાર પણ સમાન જ હોય છે. હવે તે પ્રતિજ્ઞાવાળા સ્થૂલભદ્રમુનિ પણ પાછા આવ્યા, ત્યારે ગુરુએ ઉભા થઈને 'હે દુષ્કર-દુષ્કર મહાત્મા ! તમારું સ્વાગત હો” આ સાંભળી ઈવાળા થયેલા પહેલા આવેલા સાધુઓ મનમાં વિચાર કરવા લગ્યા કે ગુરુજી આ આમંત્રણ આ મંત્રિપુત્ર હોવાના કારણે આપે છે. જો છ રસના આહાર કરનારને “દુષ્કર દુષ્કર કર્યું.' એમ કહ્યું તો આવતા વર્ષે અમે પણ તેવી પ્રતિજ્ઞા કરીશું. એ પ્રમાણે મનમાં નિર્ણય સ્થાપન કરીને ઈર્ષાવાળા તે મુનિઓએ ક્રમસર આઠ મહિના તો સંયમ પાલન કરતાં પસાર કર્યા. લેણદાર સરખો વર્ષાકાળ પ્રાપ્ત થયો ત્યારે હર્ષ પામતા સિંહગુફાવાસી સાધુએ ગુરુ પાસે જઈને આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી કે, “હે ભગવંત ! કોશા વેશ્યાને ઘરે હંમેશા છ-રસવાળું ભોજન કરતો હું ચોમાસી રહીશ” ગુરુ મહારાજે ઉપયોગ મૂકીને વિચાર કર્યો કે- “આ તો માત્ર સ્થૂલભદ્રની ઈર્ષ્યાથી આ અભિગ્રહ અંગીકાર કરવા તૈયાર થયો છે એમ જાણી કહ્યું કે હે વત્સ ! અતિદુષ્કર-દુષ્કર એવો આ અભિગ્રહ કરવા તું સમર્થ નથી માટે તું ન કરીશ. એ તો મેરું સરખા સ્થિર સ્થૂલભદ્ર જ માત્ર કરવા સમર્થ છે. ત્યારે તે મુનિએ ગુરુને કહ્યું કે, “મને તો દુષ્કર જ નથી, પછી દુષ્કરદુષ્કરની તો વાત જ ક્યાં રહી ? માટે આ અભિગ્રહ તો અવશ્ય હું કરીશ જ, ગુરુએ કહ્યું કે, આ અભિગ્રહથી તો ભાવમાં ભ્રશ અને પૂર્વ કરેલા તપનો પણ નાશ થશે. કારણકે શક્તિ ઉપરાંત ભાર નાંખવાથી અંગોપાંગનો નાશ થાય છે. પોતાના પરાક્રમો ગણતા તે મુનિ ગુરુના વચનની અવગણના કરી કામદેવના વાસગૃહ સરખા કોશાના મહેલે ગયા. “સ્થૂલભદ્રની હરીફાઈ કરવા આ તપસ્વી મુનિ આવેલા જણાય છે” એમ માનું છું. પરંતુ પતન થતાનું રક્ષણ કરવું જોઈએ એમ વિચારી તે ઉભી થઈ નમન કરે છે. તે મુનિએ તે સતી કોશા પાસે ચિત્રશાલાની યાચના કરી. કોશાએ તેને અર્પણ કરી, એટલે મુનિએ Page #398 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧ ૩૪૭ તેમાં પ્રવેશ કર્યો. છ-રસવાળો આહાર કરી રહ્યા પછી મુનિની પરીક્ષા કરવા માટે મધ્યાહુન-સમયે લાવણ્યના ભંડાર સરખી કોશા તેની પાસે ગઈ. પદ્મકમળ સરખા નયનવાળી તેવી કોશાને દેખતાં જ એકદમ મુનિ તો ક્ષોભ પામ્યાં. કારણકે તેવા પ્રકારની રૂપવતી લાવણ્યવાળી સ્ત્રી, તેવા પ્રકારનું સુંદર રસવાળું ભોજન મળે. પછી વિકાર થવામાં શો વાંધો આવે ? કામની પીડાથી તેને પ્રાર્થના કરી, ત્યારે કોશાએ કહ્યું કે, “હે ભગવંત ! અમે તો વેશ્યા કહેવાઈએ અને ધનના દાનથી વશ થનારી છીએ.’ મુનિએ કહ્યું, હે મૃગસરખા નયનવાળી ! તું મારા પર પ્રસન્ન થા, વાલુકામાં તેલ માફક અમારી પાસે ધન તો ક્યાંથી જ હોય ! ત્યારે કોશાએ પ્રતિબોધ કરવા માટે તેને કહ્યું કે, “નેપાલ દેશના રાજા કોઈ પ્રથમ વખત મળવા આવે. જેને કોઈ દિવસ આગળ જોયો ન હોય, તેવા સાધુને રત્નકંબલ આપે છે. માટે તે લઈ આવો.' – એમ તે મુનિને વૈરાગ્ય લાવવા માટે કહ્યું. ત્યાર પછી બાળકની જેમ વિષ્નવાળો વરસાદ-કાળ હોવા છતાં પણ પોતાના વ્રત માફક કાદવવાળી ભૂમિમાં અલના પામતા તે મુનિ ચાલ્યા. ત્યાં પહોંચી રાજા પાસેથી રત્નકંબલ મેળવી મુનિ પાછા ફરી રહેલા હતા ત્યારે માર્ગની વચ્ચે ચોરો રહેલા હતા ત્યારે ચોરોના પાળેલા પક્ષીએ કહ્યું કે, લક્ષમૂલ્યવાળો આવે છે, ત્યારે ચોરના રાજાએ વૃક્ષ પર બેઠેલા બીજા ચોરને પૂછ્યું કે, “કોણ આવે છે ?' ત્યારે તેણે કહ્યું કે, કોઈક ભિક્ષુ આવે છે, પણ તેવો કોઈક જણાતો નથી.' એમ વૃક્ષ પર બેઠલાએ ચોર-સેનાપતિને કહ્યું. ત્યાં પેલા આવ્યા. એટલે તેને પકડીને બરાબર તપાસ્યા તેની પાસે કંઈપણ ન જોયું-એટલે ચોરોએ તેને છોડી મૂક્યા. વળી પક્ષી બોલ્યું કે, “આ લક્ષમૂલ્ય ચાલ્યું જાય છે.' એટલે ચોર-સેનાપતિએ ફરી પૂછયું કે, તારી પાસે જે હોય તે સત્ય હકીકત જણાવ, ત્યારે મુનિએ તેને કહ્યું કે, વેશ્યાને આપવા માટે આ પ્રમાણે રત્નકંબલ મેળવી છે અને તેને વાંશ (વાસ)ના પોલાણમાં છુપાવી છે, એટલે ચોર પણ મુનિને છોડી દેતા તે મુનિએ કોશા પાસે પાછા આવીને રત્નકંબલ અર્પણ કરી એટલે તરત જ નિઃશંકપણે ઘરની ખાળકુંડીમાં ફેકી ત્યારે મુનિ કહે હે શંખ સર આ તે શું કર્યું ? ફેંકવાની ન હોય પછી કોશાએ પણ તેને પ્રત્યુત્તર આપ્યો કે, “હે મૂઢ ! આ રત્નકંબલની ચિંતા કરે છે, પણ ગુણરત્નમય તું નરકમાં ફેંકાઈ રહેલો છે તેની ચિંતા થાય છે ? તે સાંભળતા જ મુનિ ચોંકી ઉઠ્યા અને કહ્યું કે, ખરેખર તે મને પ્રતિબોધ કર્યો અને મને સંસારથી બરાબર ઉગારી લીધો. હવે અતિચારોથી લાગેલા પાપોનું ઉમૂલન કરવા માટે ગુરુના ચરણકમળમાં જઈશ. હે ભાગ્યશાળી ! તને ધર્મલાભ ! કોશાએ પણ તેમને કહ્યું. તમોને પણ 'મિચ્છામિ દુક્કડમ્' આપું છું. કારણકે બ્રહ્મચર્ય વ્રતમાં હોવા છતાં પણ મેં તમને ખેદ પમાડ્યા. તમારા પ્રતિબોધ માટે જે મેં તમારી આ આશાતના કરી છે, તો તેની તમારે ક્ષમા આપવી અને હવે જલદી ગુરુની નિશ્રામાં પહોંચી જાવ-એમ જ ઈચ્છું છું. મુનિ ગુરુ પાસે આવીને આલોચના લઈ ફરી કઠોર તપની સેવના કરી. રથકાર અને કોશાનું કલા-વિજ્ઞાન હવે કોઈક સમયે તુષ્ટ થએલા રાજાએ કોઈક રથકારને કોશા વેશ્યા આપી. પરંતુ વેશ્યા રાજાધીન હોવાથી રાગ વગર તેની સાથે સહવાસ કરતી હતી. વેશ્યા પણ દરરોજ “સ્થૂલભદ્ર વગર બીજો કોઈ મહાપુરુષ નથી.' એમ રથકાર પાસે વર્ણન કરવા લાગી' રથકારને મનમાં થયું કે, આને કંઈક ચમત્કાર બતાવું તો રાગ કરશે–એમ જાણી તે ગૃહઉદ્યાનમાં જઈ એક પલંગ પર બેસી તેણે તેના મનનું રંજન કરવા માટે પોતાનું વિજ્ઞાન ચાતુર્ય આ પ્રમાણે બતાવ્યું. આંબાના ફળની એક લુંબીને તેણે એક બાણથી વીંધી તે બાણને બીજા બાણથી એમ બાણોની શ્રેણીથી પોતાના હાથ સુધી લાવ્યો. હવે લુંબીની ડાંખળીને અસ્ત્રાકરણ બાણથી છેદી હવે એક એક બાણ જે પોતાના હાથ પાસે છે તેમ તેમ ખેંચતા લુંબીને ત્યાં જ બેઠાં બેઠાં ખેંચી લાવી તે કોશાને સમર્પણ કરી. ત્યાર પછી વેશ્યાએ પણ કહ્યું કે, “હવે મારું પણ વિજ્ઞાન Page #399 -------------------------------------------------------------------------- ________________ ३४८ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જો” એમ કહેતા એક સરસવ ધાન્યનો ઢગલો કર્યો અને તેના ઉપર એક સોય ગોઠવી અને આખો ઢગલો પુષ્પપાંખડીઓથી ઢાંકી દીધો. તે સોય પર એવી રીતે નૃત્ય કર્યું કે સોયથી ન પગ વીંધાયો કે ઢગલામાંથી એક પણ પુષ્પપાંખડી ખસી નહિ” તુષ્ટ થએલા રથકારે કોશાને કહ્યું કે, દુષ્કર એવા તારા આ કાર્યથી હું તારા પર પ્રસન્ન થયો છું. માટે મારે સ્વાધીન વસ્તુની મારી પાસે માંગણી કર, તો નક્કી હું તને આપીશ. ત્યારે તેણે કહ્યું કે, “મે એવું શું દુષ્કર કાર્ય કર્યું. જેથી તું આટલો ચમત્કાર પામ્યો. આ કરતાં પણ અધિક દુષ્કર અભ્યાસ કરનારને કંઈ દુષ્કર હોતું નથી. વળી આ આમ્રલુમ્બી-છેદ કે આ નૃત્યુ દુષ્કર નથી. કારણ કે અભ્યાસ યોગે આ કળા સિદ્ધ કરી શકાય છે; પરંતુ વગર અભ્યાસે સ્થૂલભદ્ર જે કર્યું તે તો ખરેખર દુષ્કર જ છે. જેણે મારી સાથે જ્યાં અવિરત છે ભોગવ્યા. તે જ ચિત્રશાળામાં તે અખંડિત વ્રતવાળા અંડોલ રહ્યા. જ્યાં નોળિયાની અવરજવર હોય ત્યાં રહેલું જેમ દૂધ તેમ સ્ત્રીવાળા સ્થાનમાં એક માત્ર સ્થૂલભદ્ર મહામુનિને બાદ કરીને યોગીઓનાં મન પણ દુષિત થયા વગર રહેતા નથી. સ્ત્રીની સમક્ષ માત્ર એક જ દિવસે તેવી રીતે રહેવા કોણ સમર્થ બની શકે? જ્યારે સ્થૂલભદ્રમુનિ ચાર મહિના સુધી અખંડિત વ્રતવાળા વસ્યા, અગ્નિ સરખી સ્ત્રીઓ પાસે ધાતુ સરખા કઠણ હૃદયવાળા પણ પુરુષો પીગળી જાય છે, પરંતુ અમે તો તે સ્થૂલભદ્રને મહામુનિને તો ખરેખર વજમય જ માનીએ છીએ. ‘દુષ્કર દુષ્કર’ કરનારા એવા મહાસત્ત્વવાળા સ્થૂલભદ્ર મુનિનું વર્ણન કર્યા પછી ખરેખર બીજાનું વર્ણન કરવા માટે મુખ મુદ્રિત જ કરવું. અર્થાત્ મૌન રહેવું જોઈએ. રથિકે પણ કોશાને પૂછ્યું કે, તું જેનું આટલું વર્ણન કરે છે, તે મહાસત્વ-શિરોમણિ આ સ્થૂલભદ્ર કોણ છે ? ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે તારા પાસે જેનું મેં વર્ણન કર્યું તે નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર સ્થૂલભદ્ર છે. આ સાંભળી તે પણ આશ્ચર્ય પામી હાથ જોડી કહેવા લાગ્યો કે, તે સ્થૂલભદ્ર મહામુનિનો હું એક સેવક છું. વૈરાગી બનેલા તે રથકારને જાણી તેણે ધર્મદેશના આપી મોહનિદ્રા દૂર કરી. સદ્દબુદ્ધિવાળો તે પ્રતિબોધ પામ્યો. પ્રતિબોધ પામેલા રથકારને જાણી પોતાને અભિગ્રહ જણાવ્યો. તે સાંભળી વિસ્મયથી વિકસ્વર લોચનવાળા તેણે કહ્યું કે, “હે ભદ્રે ! સ્થૂલભદ્રના ગુણોત્કીર્તન કરવા દ્વારા તે મને પ્રતિબોધ કર્યો છે અને હવે તે બતાવેલા તેના માર્ગે હું આજ જઈશ. હે ભદ્રે ! તારું કલ્યાણ થાઓ. તારા અભિગ્રહનું તું બરાબર પાલન કર” એમ કહી સદ્ગુરુ પાસે જઈ તેણે દીક્ષા અંગીકાર કરી. ભગવાન્ સ્થૂલભદ્ર પણ કઠોર વ્રતનું પાલન કરતા હતા તે સમયે બાર વરસનો લાગ લગાટ દુષ્કાળ પડ્યો. તે સમયે સમગ્ર સાધુસંઘ સમુદ્ર-કિનારે ગયો અને કાલરાત્રી માફક ભયંકર દુષ્કાલ-સમય પસાર કર્યો. સાધુઓને આહાર-પાણી પૂરતા ન મળવાથી શ્રુતજ્ઞાનનું પરાવર્તન ન કરી શકવાથી તે સમયે ભણેલું શ્રત પણ ભૂલાવા લાગ્યું. ‘અભ્યાસ અને પરાવર્તન વગર બુદ્ધિશાળીઓના પણ ભણેલા શ્રતનો નાશ થાય છે” “હવે પાટલીપુત્રમાં (શ્રમણ) સંઘને એકઠો કર્યો અને જેની પાસે જેટલાં અંગ, અધ્યયન, ઉદેશાદિક યાદ હતા, તે ગ્રહણ કરી લીધા અને એમ કરતાં શ્રીસંઘે અગિયારે અંગો જોડીને મેળવી દીધા. હવે દૃષ્ટિવાદ માટે કંઈક વિચારણા કરતા હતા. તે સમયે સંઘને યાદ આવ્યું કે ભદ્રબાહુ ગુરુ દષ્ટિવાદ ધારણ કરનારા છે. તેમને બોલાવવા માટે બે મુનિઓને મોકલ્યા. તે બંનેએ ત્યાં જઈને તેમને વંદન કરીને બે હાથની અંજલિ કરવાપૂર્વક સંદેશો જણાવ્યો કે શ્રીસંઘ આપને ત્યાં આવવા માટે આજ્ઞા કરે છે, ત્યારે તેમણે પ્રત્યુત્તર આપ્યો કે, “મેં મહાપ્રાણ ધ્યાન શરૂ કરેલ હોવાથી ત્યાં મારે આગમન નહિ બની શકે' તેનો જવાબ લઈને તે લઈને તે બંને મુનિઓ શ્રમણસંઘ પાસે પાછા ગયા અને કહેલો જવાબ જણાવ્યો. શ્રીશ્રમણસંઘે પણ બીજા બે મુનિઓને બોલાવીને આજ્ઞા કરી કે તમારે પહોંચીને આચાર્યને કહેવું કે- જે આચાર્ય Page #400 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧ ૩૪૯ શ્રીસંઘની આજ્ઞા ન માને તેને શું દંડ હોય ? તે અમને કહો ત્યારે તેને સંઘ-બહાર કરવા જોઈએ એમ જ્યારે કહે ત્યારે તમારે એક સાથે મોટા શબ્દથી આચાર્યને કહેવું કે તો પછીતમે પણ તે દંડપાત્ર છો' તે બંનેએ ત્યાં પહોંચી આચાર્યને તે પ્રમાણે કહ્યું. એટલે ભદ્રબાહુ આચાર્યે તેમને કહ્યું કે, ‘શ્રીસંઘ એ પ્રમાણે ન કરો, પરંતુ આમ કરો કે– મારા ઉપર કૃપા કરી બુદ્ધિશાળી શિષ્યોને અહિં મોકલે. અહીં તેઓને હું સાત વાચના આપીશ; તે આ પ્રમાણે-તેમા ભિક્ષાચર્યાથી પાછા ફરે, ત્યારે એક વાચના આપીશ. બીજી કાળવેલા-સમયે, બર્હિભૂમિથી પાછો આવું ત્યારે ત્રીજી. વિકાલવેળા-વખતે ચોથી, તથા આવશ્યક વખતે ત્રણ-એમ સાત વાચનાઓ અપાતા સંધકાર્ય અને મારું પણ કાર્ય વગર બાધાએ સિદ્ધ થશે. તે બંનેએ આવી તે પ્રમાણે કહ્યું. એટલે ભાગ્યશાળી બનેલા શ્રીસંઘે પણ સ્થૂલભદ્ર વિગેરે પાંચસો સાધુઓને ત્યાં મોકલ્યા. પાંચસો મુનિઓને ભદ્રબાહુ આચાર્ય વાચના આપવા લાગ્યા; પરંતુ તે વાચના ઘણી અલ્પ લાગવાથી ઉદ્વેગ પામી, તેઓ પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પણ સ્થૂલભદ્ર તો ત્યાં રોકાઈ ગયા. તું કેમ ઉદ્વેગ પામતો નથી ? એમ સ્થૂલભદ્રને પૂછતાં કહ્યું કે, હું ઉદ્વેગ નથી પામતો પણ વાચના ઘણી મળે છે, સુરિએ કહ્યું કે, હવે મારું ધ્યાન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. તે પૂર્ણ થયા પછી તારી ઈચ્છા પ્રમાણે તને વાચના આપીશ. ધ્યાન પૂર્ણથયા પછી સુરિજીએ તેની ઈચ્છા પ્રમાણે વાચનાઓ આપી. બે વસ્તુ ન્યૂન એવા દસ પૂર્વ સુધી સ્થૂલભદ્ર મુનિને ભણાવ્યા. સિંહનું રૂપ અનુક્રમે વિહાર કરતાં કરતાં ભદ્રબાહુ સ્વામી પાટલીપુત્રનગર આવ્યા અને બહારના ઉદ્યાનમાં આશ્રય કર્યો. આ સમયે ક્રમસર વિહાર કરતી સ્થૂલભદ્રની સાત બહેનો પણ આવેલી હતી, તેઓ સાધુઓને વંદન કરવા માટે આવી. ગુરુને વંદન કરી પૂછ્યું કે, હે પ્રભો ! સ્થૂલભદ્રમુનિ ક્યાં છે ? ત્યારે ગુરુજીએ હ્યું કે, અહીં ઉપલા ઉપર છે-એમ તેઓને કહ્યું ત્યાર પછી તેમને સામે આવતી દેખીને કંઈક આશ્ચર્ય દેખાડવા માટે એક સિંહનું રૂપ વિકર્યુ. સાધ્વીઓ તો સિંહને દેખી ભય પામી પાછી આવી. સૂરિને વિનંતી કરી કે, મોટાભાઈને સિંહ ખાઈ ગયો લાગે છે, હજુ સિંહ પણ ત્યાં જ રહેલો છે. ઉપયોગ મૂકીને આચાર્યે જાણ્યું અને આજ્ઞા કરી કે, ત્યાં જાવ અને મોટાભાઈ-મુનિને વંદન કરો, તે ત્યાં જ છે અને ત્યાં સિંહ નથી એટલે સાધ્વીઓ ફરી ત્યાં ગઈ. હવે પોતે પોતાના મૂળસ્વરૂપમાં દેખાયા એટલે સ્થૂલભદ્રને વંદના કરી અને પોતાની વીતક કથા જણાવી કે શ્રીયકની સાથે અમે પણ દીક્ષા લીધી પરંતુ હંમેશા ક્ષુધાવાળો તે એક એકાસણું પણ કરવા શક્તિશાળી ન હતો. પર્યુષણમાં સંવત્સરી મહાપર્વના દિવસે મેં શ્રીયકમુનિને કહ્યું કે– ભાઈ ! આજે મહાપર્વના દિવસે નવકારશીના બદલે પોરસી પચ્ચક્ખાણ કર, એટલે તેણે તે પચ્ચક્ખાણ કર્યું તે સમય પૂર્ણ થયો, ત્યારે મેં કહ્યું, ભાઈ ! થોડીવાર રોકાઈ જાવ અને ચૈત્ય-પરિપાટીમાં દર્શન કરશો એટલે પુરિમઢ પચ્ચક્ખાણ આવી જશે, એ વાત પણ તેણે સ્વીકારી. વળી ત્રણ પહોર સુધીનું અવર્ડ્ઝ પચ્ચક્ખાણ કરવા માટે કહ્યું. પછી કહ્યું કે, હવે ટૂંકા કાળમાં પ્રતિક્રમણ કરી રાત્રે તો સુઈ જવાનું છે અને સુખપૂર્વક ઉંઘી જશો, એટલે રાત્રિ પૂર્ણ થશે માટે હવે ઉપવાસનું જ પ્રત્યાખ્યાન ગ્રહણ કરી લો. તેણે પણ તે પ્રમાણે ઉપવાસનું પ્રત્યાખ્યાન મારા આગ્રહથી કર્યું ત્યાર પછી રાત્રે સુધાથી પીડા પામેલા તે દેવ-ગુરુ-નવકારનું સ્મરણ કરતો મૃત્યુ પામી દેવલોક ગયો. મને ઋષિઘાતનું પાપ લાગ્યું. મેં મુનિહત્યા કરી-એ પ્રમાણે હું ખેદ પામતી હતી તેવી અવસ્થામાં શ્રમણસંઘ પાસે જઈને પ્રાયશ્ચિત માંગણી કરી. ત્યારે સંધે (સાધ્વીજીને) કહ્યું કે તમે આ શુદ્ધ ભાવનાથી કરેલું હોવાથી આ માટે તમારે કંઈ પણ પ્રાયશ્ચિત કરવાનું હોતું નથી, ત્યારે મેં કહ્યું કે, આ વાત સાક્ષાત્ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જિનેશ્વર ભગવંત કહે, તો જ મારા હૃદયને શાંતિ થાય, નહિતર મારું શલ્ય નહિ જાય. આ વિષયમાં સમગ્ર શ્રમણસંઘે કાર્યોત્સર્ગ કર્યો. એટલે શાસનદેવી હાજર થઈ કહેવા લાગી કે“બોલો, તમારું શું કાર્ય કરું ?” સંઘે કહ્યું કે, “આ સાધ્વીજીને પ્રભુ પાસે લઈ જાવ. દેવીએ કહ્યું નિર્વિન ગતિ માટે તમારે કાઉગ્નમાં જ રહેવું. સંઘે પણ તે વાત કબૂલ રાખી અને મને જિનેશ્વરની પાસે લઈ ગઈ. ત્યાં મે સીમંધર સ્વામીને વંદના કરી, પછી જિનેશ્વર સીમંધર સ્વામીએ કહ્યું કે, “ભરત ક્ષેત્રથી આવેલી આ આર્યા નિર્દોષ છે.' કૃપાથી મારા માટે તેમણે બે ચૂલિકાની રચના કરી. ત્યાર પછી નિઃસંદેહવાળી હું દેવી સાથે પાછી અહી મારા સ્થાનમાં આવી અને બે ચૂલિકા મેં સંઘને અર્પણ કરી. એ પ્રમાણે કહીને સ્થૂલભદ્રથી રજા પામેલી તે પોતાના ઉપાશ્રયે ગઈ. ત્યાર પછી સ્થૂલભદ્ર પણ વાચના માટે ગુરુ પાસે ગયા. “તું વાચના માટે અયોગ્ય છે.” એમ કહી ગુરુએ વાચના ન આપી એટલે તેણે દીક્ષાથી માંડી આજ સુધીના અપરાધો યાદ કર્યા. વિચાર કર્યા છતાં પોતાની એક પણ ભૂલ યાદ ન આવી એટલે તેણે કહ્યું કે, મને કંઈ અપરાધ યાદ આવતો નથી ? એટલે ગુરુએ કહ્યું કે, અપરાધ કરીને હવે યાદ આવતો નથી ? “શાન્ત પાપમ્' એમ ગુરુએ કહ્યું ત્યાર પછી સ્થૂલભદ્ર ગુનો યાદ કરીને ગુરુના પગમાં પડ્યા અને કહ્યું કે “ફરી હવે આમ નહીં કરીશ, માટે મને માફ કરો” “હવે તું નહિ કરીશ. પરંતુ હમણાં તો તે અપરાધ કર્યો છે, માટે હવે તને વાચના આપીશ નહિ એ પ્રમાણે આચાર્યે તેને કહ્યું ત્યાર પછી સ્થૂલભદ્રની વિજ્ઞપ્તિથી સર્વ સંધે ગુરુને વિનવણી કરી, “મોટા કોપ પામે તેને પ્રસન્ન કરવા માટે મહાપુરુષો જ સમર્થ બને છે. “સૂરિએ સંઘને કહ્યું કે, “અત્યારે આમણે આમ કર્યું. હવે પછીના મન્દસત્ત્વવાળા આત્માઓ પણ આમ દુરુપયોગ કરશે. માટે બાકીના પૂર્વો હવે મારી પાસે ભલે રહેતા. આ ભૂલનો તેને આ જ દંડ હો, અને બીજાને ભણાવવા માટે પણ આ દંડ” પછી શ્રમણ-સંઘના આગ્રહથી અને ઉપયોગ મૂક્યો એટલે જાણ્યું કે, બાકીના પૂર્વોના વિચ્છેદ મારાથી નહિ પણ ભાવમાં વિચ્છેદ થવાનો છે. હવે બાકીના પૂર્વે તારે બીજાને ન આપવા.' એમ નક્કી કરાવવા પૂર્વક ભદ્રબાહુસ્વામીએ સ્થૂલભદ્રને વાચના આપી. આ સ્થૂલભદ્ર મહામુનિ સર્વ પૂર્વને ધારણ કરનારા થઈ ગયા, આચાર્ય પદ પ્રાપ્ત કરીને તેઓએ ભાવિ કલ્યાણ પામનારા જીવોને પ્રતિબોધ પમાડ્યા. સ્ત્રી-સંબંધથી નિવૃત્તિ પામીને સમાધિ ભાવમાં લીન બનેલા શ્રીસ્થૂલભદ્રમુનિ ક્રમે કરીને દેવલોક પામ્યા. એ પ્રમાણે એ ઉત્તમ સાધુ-વર્ગની સર્વ પ્રકારની સંસાર-સુખના ત્યાગરૂપ વિરતિની ભાવના બુદ્ધિશાળી ભવ્યાત્મા ભાવે + ૧૩૧ || એ પ્રમાણે સ્થૂલભદ્ર-કથાનક પૂર્ણ થયું. હવે સ્ત્રીના અંગોની યથાર્થતા જણાવે છે – ३०३ यकृच्छकृन्मल-श्लेष्म-मज्जाऽस्थिपरिपूरिताः । स्नायुस्यूता बही रम्याः, स्त्रियश्चर्मप्रसेविकाः ॥ १३२ ॥ અર્થ: કલેજું-વિષ્ટા-મેલ-કફ-ચરબી અને હાડકાઓથી ભરેલી સ્નાયુના સમૂહથી સંધાયેલી, ચામડાની ધમણ જેવી સ્ત્રીઓ બહારથી જ રમ્ય દેખાય છે. જે ૧૩ર / ટીકાર્થ : જેમ ચામડાની મશક ભીસ્તી-પખાળમાં કાલખંડ-માંસ-ટુકડા, વિષ્ટા, દાંત-કાન-જીભનો મલ, શ્લેષ્મ મજ્જા, વીર્ય, રૂધિર, હાડકાં આદિ ભરપૂર ભરીને સીવી લીધી હોય તો બહારથી સુંદર દેખાય, તેમ સ્ત્રીઓ બહારનાં દેખાવથી સુંદર લાગે પણ સ્નાયુઓ વડે જાણે સીવાએલી હોય, તેમ બહારથી સુંદર દેખાય, પરંતુ તેના શરીરમાં તો માંસ, વિષ્ટા, ઈન્દ્રિયોના મેલ, શ્લેષ્મ, કફ, મજ્જા, Page #402 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૨-૧૩૪ ૩૫૧ ચરબી, રૂધિર, હાડકાં આદિ ભરપૂર ભરેલા છે. / ૧૩૨ | તથા ३०४ बहिरन्तर्विपर्यासः स्त्रीशरीरस्य चेद् भवेत् । तस्यैव कामुकः कुर्याद्-गृध्रगोमायुगोपनम् ॥ १३३ ॥ અર્થ : જો સ્ત્રીના શરીરના બહારના અને અંદરના ભાગના વિપર્યાસ (ઉલટસુલટ) કરવામાં આવે તો કામીપુરૂષે ગીધ અને શિયાળથી તે શરીરનું રક્ષણ કરવામાં જ લીન થઈ જાય. || ૧૩૩ // ટીકાર્થ : કદાચ જો સ્ત્રી-શરીરનો પલટો થઈ બહારનો ભાગ અંદર જાય અને અંદરનો ભાગ બહાર આવે, તો કામીઓએ રાત-દિવસ ગીધડા અને શિયાળથી તેનું રક્ષણ કરવું પડે. દિવસે ગીધડા માંસ દેખી ખાવા આવે અને રાત્રે શિયાળો આવે, તેઓને દૂર કરવામાં જ વ્યાકુળ બનવું પડે. પછી ભોગની વાત તો ક્યાં રહી? રાત-દિવસ રક્ષણ કરવામાં એવો વ્યાકુળ બની જાય, જેથી બીભત્સ શરીર સાથે ભોગની ચાહના ન કરે-ભોગકાળ મેળવી શકે નહિ. ૧૩૩ તથી ३०५ स्त्रीशस्त्रेणापि चेत् कामो-जगदेतज्जिगीषति । ___ तुच्छपिच्छमयं शस्त्रं, किं नादत्ते स मूढधी: ? ॥ १३४ ॥ અર્થ કામદેવ જો સ્ત્રીરૂપ શસ્ત્રથી જ આ જગતને જીતવા ઈચ્છે છે, તો પછી મૂઢબુદ્ધિવાળો તે તુચ્છ પીંછાથી બનેલા શસ્ત્રને ગ્રહણ કેમ નથી કરતો ? || ૧૩૪ | ટીકાર્થઃ જો કામદેવ, આ ત્રણલોકરૂપ જગતને સ્ત્રીરૂપ હથિયારથી જીતવાની ઈચ્છા રાખતો હોય, તો મૂઢબુદ્ધિવાળો તે સુલભ કાગડા આદિકના પીંછાવાળા તુચ્છ શસ્ત્રને ક્યા કારણથી ગ્રહણ કરતો નથી? અમારા કહેવાનું તાત્પર્ય એ છે કે – જો સંસાર શ્લેષ્મ કફ આદિક, રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા શુક્ર આદિ અશુચિ પદાર્થોની ભરેલ ઘણા પ્રયાસથી મેળવી શકાય તેવા સ્ત્રીરૂપ હથિયારથી કામદેવ જીતવાની અભિલાષા કરે છે, તો પછી વગર મહેનતે સહેલાઈથી લભ્ય અને અપવિત્રતા રહિત એવા પીછો કેમ ગ્રહણ કરતો નથી ? ખરેખર તે મૂર્ખ આ વાત ભૂલી ગએલ જણાય છે. લોકો આ પ્રમાણે બોલે છે. કે પોતાના ઘર-આંગણે મધ મળી જતું હોય, તો કયો મૂર્ખ તે પર્વત ઉપર લેવા જવાનો પરિશ્રમ કરે ? ઈષ્ટ પદાર્થની સિદ્ધિ થયા પછી કોઈ પણ પંડિત પ્રયત્ન કરતો નથી ? | ૧૩૪ ] તથા નિંદ્રા ઉડી ગયા પછી આ પણ ચિંતવે– ३०६ सङ्कल्पयोनिनाऽनेन हहा ! विश्वं विडम्बितम् । तदुत्खनामि सङ्कल्पं, मूलमस्येति चिन्तयेत् ॥ १३५ ॥ અર્થ : “સંકલ્પરૂપ કારણને ધરનારાં આ કામદેવ આખાય વિશ્વને વિડંબિત કર્યું છે–મલિન કર્યુ છે તેથી હું તેના કામદેવના) મૂળભૂત સંકલ્પોને ઉખેડી નાખું. તે શ્રાવક આવી ભાવના પણ ભાવે. // ૧૩૫ //. ટીકાર્થ : “કામની કલ્પના કે વિચાર માત્ર કરવો તે વાસ્તવિક કારણ ન ગણાય. છતાં પણ સંકલ્પ એ પણ તેની યોનિકારણ છે, તેવી સમગ્ર જગતને અનુભવસિદ્ધ એવા આ કામદેવે સમગ્ર જગતને પરેશાન કરવામાં કશી કમીના રાખી નથી માટે હું તેમના સંકલ્પરૂપ મૂળને જ ઉખેડી નાખું.” એમ ભાવના ભાવે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સમગ્ર વિશ્વ એટલા માટે જણાવ્યું કે, બ્રહ્મા, ઈન્દ્ર,મહાદેવ આદિ સ્ત્રીના દર્શન આલિંગન, સ્મરણ આદિ પ્રકારોથી વિડંબના પામ્યા છે. પુરાણોમાં સંભળાય છે કે- “મહાદેવ અને ગૌરીના વિવાહમાં બ્રહ્માજી પુરોહિત બન્યા. પાર્વતીના પ્રણયની પ્રાર્થનામાં મહાદેવ, ગોપીઓની ખુશામત કરવી ઈત્યાદિકથી શ્રીપતિ, (વિષ્ણુ) ગૌતમ ઋષિની ભાર્યા સાથે ક્રીડા કરનાર ઈન્દ્ર, બૃહસ્પતિ દેવ ગુરુની ભાર્યા તારામાં ચંદ્ર, અથામાં સૂર્ય પણ અનુક્રમે વિડંબના પામ્યા.” તેથી કરીને આવા અસાર હેતુઓ ઉભા કરીને જે કામદેવ જગતને પરેશાન કરે છે. તે યોગ્ય ન ગણાય માટે હવે જગતને વિડંબના પમાડનાર આ વિષયના કારણભૂત સંકલ્પને જ હું મૂળમાંથી ઉખેડી નાખું. એ પ્રમાણે સ્ત્રી-શરીરવાળું અશુચિપણું, અસારપણું, સંકલ્પયોનિ (કામ)નું સાધન છે– ઈત્યાદિક ચિતવવું. ૧૩૫ / તથા નિદ્રા ઉડી ગયા પછી આ પણ વિચારવું – ३०७ योः यः स्याद्बाधको दोष-स्तस्य-तस्य प्रतिक्रियाम् । चिन्तयेद् दोषमुक्तेषु, प्रमोदं यतिषु व्रजन् ॥ १३६ ॥ અર્થ: વળી-દોષોથી મુક્ત થયેલા સાધુઓમાં પ્રમોદભાવને પામતાં તે શ્રાવક જે જે દોષ સમભાવમાં બાધક હોય, તે તે દોષના નાશક ઉપાયોનું ચિંતન કરે || ૧૩૬ / ટીકાર્થ : રાગ-દ્વેષાદિક દોષરહિત મુનિઓ તથા તેમના ગુણોમાં હર્ષ પામતો આત્મગુણમાં હર્ષ પામતો-આત્મ-ગુણબાધક જે જે દોષો હોય, તેની પ્રતિક્રિયા વિચારે. ચિત્ત-પ્રશાંતવાહિકના બાધક જે જે દોષો-જેવા કે રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, કામ, ઈર્ષ્યા, મત્સરાદિક દોષો તેનો પ્રતિકાર વિચારવો. તે આ પ્રમાણે-રાગનો પ્રતિપક્ષ વૈરાગ્ય, દ્વેષ થાય ત્યાં મૈત્રીભાવના ક્રોધ માટે ક્ષમા, માન માટે નમ્રતા, માયા માટે સરળતા, લોભ માટે સંતોષ, મોહ માટે વિવેક, કામદેવ માટે સ્ત્રી શરીર વિષયક અશૌચભાવના. ઈષ્ય માટે ઈર્ષાનો અભાવ, પારકાની સંપત્તિના ઉત્કર્ષમાં ચિત્તમાં દુઃખ ન લાવવું– આ પ્રમાણે દરેક દોષોની પ્રતિક્રિયા માનેલી છે આ કરવું અશક્ય છે– એમ ન માનવું. જગતમાં એવા અનેક મુનિવરો દેખાય છે કે, જેમણે તેવા તેવા દોષોનો ત્યાગ કરીને, તેવાં તેવાં ગુણો પ્રાપ્ત કરીને તેવો ગુણમય આત્મા બનાવ્યો છે. માટે કહ્યું છે કે- દોષરહિત એવા મુનિઓ પ્રત્યે પ્રમોદ પામતો ઉપર જણાવ્યા પ્રમાણે બાધક દોષોની પ્રતિક્રિયા ચિંતવે. દોષમુક્ત મુનિના દષ્ટાંતથી આત્મામાં પ્રમોદ થાય અને આત્મામાં રહેલા દોષો છોડવા સહેલા બને. | ૧૩૬ // તથા ३०८ दुःस्थां भवस्थितिं स्थेम्ना सर्वजीवेषु चिन्तयन् । निसर्गसुखसर्गं ते-ष्वपवर्ग विमार्गयेत् ॥ १३७ ॥ અર્થ : તન – મનની સ્થિરતાપૂર્વક સર્વજીવોની દુઃખફલક ભવસ્થિતિનો વિચાર કરતો તે જગતના સર્વ જીવો સ્વાભાવિક સુખના સંગવાળા મોક્ષને કેવી રીતે પામે “ આવી મનોકામના કરે || ૧૩૭ || ટીકાર્થ : નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચાર ગતિના જીવો સંબંધી દુઃખના કારણ સ્વરૂપ ભવસ્થિતિ વિચારતો, તે જીવો શાશ્વત સ્વાભાવિક મોક્ષસુખ કેવી રીતે પ્રાપ્ત કરે ? અથવા તો સમગ્ર સાંસારિક દુઃખથી કેવી રીતે મુક્ત થાય ? તે વિચારે – ભવસ્થિતિ એટલે તિર્યંચગતિમાં વધ, બંધ, માર ખાવો, પરવશતા, ભૂખ, તરસ, અતિભાર ઉંચકવો Page #404 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૫-૧૩૮ ૩૫૩ પડે, અંગ-અવયવનું છેદન આદિનું દુઃખ સહેવું પડે. નારકી ગતિમાં સ્વાભાવિક એકબીજાની ઉદીકરણાથી પરમાધામી દેવતાઓએ કરેલા. ક્ષેત્રનાં લીધે થએલા દ:ખોની વેદના અનુભવવી. કરવતથી કપાવું રંધાવું. ખરાબ કાંટાળા, શાલ્મલી વૃક્ષો સાથે આલિંગન વૈતરણી નદીમાં તરવું. ઈત્યાદિક નરભવમાં દરિદ્રતા વ્યાધિ-રોગ, પરશવતા, વધ, બંધન વિગેરે દેવભવમાં ઈર્ષ્યા, વિષાદ બીજાઓની સંપત્તિ દેખી બળવું. મરણના દુઃખનો સંતાપ-આ વિગેરે કારણોથી દુઃખ કારણ એવી ભાવસ્થિતિને ધૈર્યથી વિચારતો, તથા સંસારના સર્વ જીવો સંસારના જન્મ, મરણાદિ સર્વ દુઃખોથી મુક્ત બની મોક્ષની સાથે કેવી રીતે યોગ પામે-એ વિચારે // ૧૩૭ || જાગ્યા પછી આ પણ વિચારે ३०९ संसर्गेऽप्युपसर्गाणां, दृढव्रतपरायणाः धन्यास्ते कामदेवाद्याः श्लाघ्यास्तीर्थकृतामपि ॥ १३८ ॥ અર્થ વળી – તે શ્રાવક એમ ભાવના ભાવે કે – ઉપસર્ગોના પ્રસંગે પણ દેઢ એવા વ્રતપાલનમાં પરાયણ અને તીર્થંકર દેવોની પ્રશંસાના પાત્રભૂત તે કામદેવ આદિ શ્રાવકો ધન્ય છે. || ૧૩૮ . ટીકાર્થ : દેવતા આદિએ કરેલા ઉપસર્ગો થવા છતાં પણ પોતાના વ્રતમાં મક્કમ રહેલા, તીર્થકર ભગવંતોએ પણ જેમની પ્રશંસા કરેલી છે–એવા કામદેવ આદિ શ્રાવકો ખરેખર ધન્ય છે. સંપ્રદાય-ગમ્ય કામદેવની કથા આ પ્રમાણે જાણવી– કામદેવની કથા ગંગા નદીના કિનારા પાસે નમેલી વાંસ-પંક્તિ માફક મનોહર ચૈત્યધ્વજાઓથી શોભાયમાન ચંપા નામની મહાનગરી હતી. ત્યાં સર્પના દેહ સરખા લાંબા ભુજાતંભવાળો, લક્ષ્મીના કુલગૃહ-સમાન જિતશત્રુ નામનો રાજા હતો. તે નગરમાં માર્ગના મોટાં વૃક્ષ માફક અનેક લોકોને આશ્રયસ્થાન એવો બુદ્ધિશાળી કામદેવ નામનો એક ગૃહસ્થ રહેતો હતો. સ્થિરીભૂત લક્ષ્મી જેવી રૂપ લાવણ્યથી શોભતી ઉત્તમ આકૃતિવાળી ભદ્રા નામની તેને ધર્મપત્ની હતી તેને છ ક્રોડ સુવર્ણધન ભૂમિમાં દાટેલું. તેટલું જ વ્યાજે ફરતું. એટલું જ વેપારમાં અને દશ હજાર ગાયનું એક ગોકુળ એવા છે ગોકુળો હતાં. તે સમયે પૃથ્વીના મુખની શોભા કરનાર પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં વસુંધરામાં વિહાર કરતા હતા. શ્રી વીરપ્રભુ સમોસર્યા, કામદેવ પણ ભગવંતની પાસે ચાલીને આવ્યો અને કર્ણામૃત સરખી ધર્મદેશના સાંભળી, ત્યાર પછી દેવતાઓનાં મનુષ્યોનાં અને અસુરોના ગુરુ વીર ભગવંત પાસેથી નિર્મળ બુદ્ધિવાળા કામદેવે બાર પ્રકારનો ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. તે કામદેવ ભદ્રા સિવાય સર્વસ્ત્રીઓનાં છ ગોકુળો સિવાયના સર્વ ગોકુળો અને નિધિ, વ્યાજ અને વેપાર એ દરેકમાં છ છ ક્રોડ સિવાય બાકીના સર્વ ધનના પચ્ચખાણ કર્યા. પાંચસો હળ છોડીને બાકીના હળોને પાંચસો ખેતર તેટલા જ ગાડાં અને તેટલાં જ પરદેશથી માલ લાવનારા ગાડાને છોડીને બાકીનાનો ત્યાગ કર્યો. પરદેશથી માલ લાવનાર લઈ જનાર ચાર ચાર વહાણોને છોડી બાકીના વહાણોનો ત્યાગ કર્યો. એક ગંધકાષાય અંગ લુછવાના વસ્ત્ર સિવાય બાકીનાનો લીલી મધુષ્ટિ (જેઠીમધ) સિવાય બાકીનાં દાતણનો ક્ષીર-અમલક સિવાય બાકીનાં ફળોનો ત્યાગ કર્યો તથા તેલ મર્દન કરવા માટે સહસ્રપાક અને શતપાક સિવાયના તેલોનો ત્યાગ કર્યો. સુગંધી ગંધયુક્ત ચોળવાની (માટી) સિવાયના ઉદ્વર્તનનો ત્યાગ કર્યો. તેમજ આઠ ઘડાથી વધારે પાણીના સ્નાનનો ત્યાગ, ચંદન અગરના ઘસેલા લેપ સિવાયના લેપ, જાતિપુષ્પની માળા અને પદ્મકમળ સિવાયનાં પુષ્પોનો ત્યાગ કર્યો તથા કર્ણાભૂષણ અને નામવાળી મુદ્રા સિવાયના આભૂષણો, તથા દશાંગ અને અગરના ધૂપ સિવાય બાકીના ધૂપવિધિનો ત્યાગ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ કર્યો. ઘેબર અને ખાજા સિવાય બાકીની સર્વ મીઠાઈઓનો ત્યાગ, પીપરામૂળ, આદિ કાષ્ઠ ઉકાળીને તૈયાર કરેલી કાષ્ઠપેય (રાબ) કલમ સિવાયનાં ચોખા, અડદ, મગ અને વટાણા દાળનાં સૂપ સિવાય બાકીના સૂપનો ત્યાગ, શરદ ઋતુના બનેલા ગાયના ઘી સિવાય અન્ય ઘીનો ત્યાગ, સ્વસ્તિક (સાથિયો), મંડુકી (ડોડકી) પલંક (પલ્લકની ભાજી) સિવાયના શાકનો ત્યાગ, વરસાદના જળ અને સુગંધી તાબૂલ સિવાય, બાકીના જળ અને મુખવાસનો ત્યાગ કર્યો. ત્યાર પછી પ્રભુને વંદના કરી પોતાના ઘરે ગયો. તેની ધર્મપત્નીએ પણ સ્વામી પાસે આવી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. કુટુંબનો ભાર મોટા પુત્ર ઉપર નાંખી પોતે. પૌષધશાળામાં વ્રતોમાં અપ્રમત્તપણે રહેતો હતો. તે કામદેવ શ્રાવક પૌષધશાલામાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા હતા. ત્યારે રાત્રે તેને ક્ષોભ પમાડવા માટે કોઈ મિથ્યાદષ્ટિ દેવ પિશાચનું રૂપ ધારણ કરીને આવ્યો. તેના મસ્તકના કેશ બરછટ પીળી કાન્તિવાળા અને ક્યારામાં પાકેલા ડાંગરની સળીઓ સરખા દેખાતા હતા. કપાળ ઘડાની ઠીબડી સરખું તથા ભ્રમર નોળિયાની પુંછડી સરખા કાન સુપડાના આકાર જેવા હતા. જોડિયા ચૂલા જેવા બે નસ્કોરાં હતા. ઉંટના જેવા બે હોઠ હળ સરખા દાંત હતા. જિહુવા સર્પ સરખી અને મૂછ ઘોડાના પૂંછડા સરખી હતી. તપાવેલ કુલડી સરખી પીળી બે આંખો હતી. હડપચી સિંહની હડપચી જેવી હતી. હોઠની નીચેની ભાગ “ચિબુક' તે હળના મુખ સરખો હતો. ડોક ઊંટના જેવી હતી. છાતી નગર-દરવાજા સરખી હતી. સર્પ સરખી ભયંકર બે ભુજાઓ હતી. બે હાથ પત્થરની નિશા – ઓરસિયા સરખા હતા પાતાલ સરખું ઉંડું પેટ, કૂપ સરખી નાભિ, અજગર સરખું પુરુષ ચિન્હ અને ચર્મપાત્ર-કુડલા સરખા વૃષણો હતા. તાડના વૃક્ષ જેવી બે જંઘા, પર્વતની શિલા સરખા બે પગો, અકાંડે-અણધાર્યા વીજળીના કડાકા સરખો તેનો કોલાહલ શબ્દ ભયંકર હતો, મસ્તક પર ઉંદરની માળા, ડોકમાં સરડા-કાંચડાની બનાવેલી માળા ધારણ કરતો, કર્ણાભૂષણસ્થાને નોળિયા, બાજુબંધ-સ્થાને સર્પોને ધારણ કરેલો તે ક્રોધવાળો બની તર્જની આંગળી સરખો ચાબુક ભયંકર રીતે ઉગામીને તથા મ્યાનમાંથી તરવાર બહાર ખેંચતો કામદેવને એમ કહેવા લાગ્યો – અરે ! પ્રાર્થના કરનાર ! આ તે શું માંડ્યું છે ? હે રાંકડા ! તારા સરખાને વળી સ્વર્ગ કે મોક્ષની અભિલાષા થઈ છે ? આ શરૂ કરેલ કાર્યનો ત્યાગ કર. નહિતર ઝાડની ડાળ પરથી જેમ ફળ પડે તેમ આ તીક્ષ્ણ તલવારથી તારા મસ્તકને ભોય પર રગદોળી પાડીશ. આ પ્રમાણે પિશાચે તર્જના કરવા છતાં પણ કામદેવ પોતાની સમાધિથી લગાર પણ ચલાયમાન ન થયો. શું અષ્ટાપદ પાડાના શબ્દોથી કદાપિ ક્ષોભ પામે ખરો? કામદેવ શ્રાવક પોતાના શુભધ્યાનથી બિલકુલ ચલાયમન ન થયો, ત્યારે અધમ દેવે બે ત્રણ વખત તે પ્રમાણે કહ્યું. તેથી પણ ક્ષોભ ન પામ્યો, એટલે વળી ક્ષોભ પમાડવા માટે તેણે હાથીનું શરીર બનાવ્યું. કારણકે “ખલપુરુષો પોતાની શક્તિનો છેડો દેખ્યા સિવાય અધમકાર્યથી અટકતા નથી.' સજળ મેઘ સરખું. શ્યામ અતિ ઉંચું અને જાણે ચારે બાજુથી મિથ્યાત્વ એક ઢગલામાં આવીને એકઠું થયું હોય તેવું શરીર ધારણ કર્યું. તેણે લાંબા ભયંકર આકારવાળાં અને જાણે યમરાજના બે ભુજાદંડ હોય તેવા દંતશૂળ-યુગલને ધારણ કર્યું તથા કાળ-પાશ સરખી સૂંઢને ઉંચી લંબાવીને કામદેવને એમ કહ્યું કે, આ કયા પાખંડી ત્યાગ કર. હે માયાવી ! આ માયાનો ત્યાગ કર અને મારી આજ્ઞાથી સુખેથી રહે, કે, કયા પાખંડી ગુરુએ આ પ્રમાણે તેને ભરમાવ્યો છે ? જો તું આ ધર્મનો ત્યાગ નહીં કરે, તો મારા સૂંઢરૂપ દંડ વડે તને એકદમ આ સ્થાનથી (છાળીને આકાશ સુધી લઈ જઈશ અને વળી આકાશથી નીચે પડીશ ત્યારે આ દંતશૂળમાં એવી રીતે ઝીલીશ કે તારા શરીરમાં દંતશૂળો આરપાર ભોંકાઈને પછી લાકડા ચીરવા માફક તને ચીરી નાંખશે. કુંભાર જેમ માટીને ગુંદે તેમ પગ વડે એવી રીતે તારા દેહનું મર્દન કરીશ. જેથી તું નિર્દયપણે મૃત્યુ પામી તલવટીના ચૂરણ માફક કે ઘાણીમાં પીલાએલ ખોળ માફક ક્ષણવારમાં એક પિંડ સ્વરૂપ બની જશે. ઉન્મત્ત એવા તેણે ભયંકરપણે ભયનાં વચનો કહ્યાં. છતાં ધ્યાનમગ્ન બનેલા કામદેવ શ્રાવકે તેને Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ પ્રત્યુત્તર બિલકુલ ન આપ્યો. દંઢાશયવાળા કામદેવને અક્ષોભિત-અડોલ દેખીને તે દુષ્ટાશયવાળા અધમ દેવે એ જ પ્રમાણે બે-ત્રણ વખત વળી સંભળાવ્યું તે વચનોથી પણ ક્ષોભ ન પામ્યો, ત્યારે સૂંઢ દંડથી તેને ભીંસમાં લઈ આકાશમાં ઉછાળ્યો અને પૂળો ઉછાળે પછી ઝીલી લે, તેમ ઝીલી લીધો. દંતશૂળોથી વીંધી નાખ્યો, પગથી ચગદીને મર્દન કર્યું. ‘ધર્મકાર્યોના વિરોધી દુરાત્માઓને શું અકાર્ય હોય ? મહાસત્ત્વવાળા કામદેવે આ સહન કર્યું. પર્વત માફક સ્થિર રહી લગાર પણ સ્થિરતા ન છોડી. આવા કાર્યથી પણ તે ધ્યાનથી ચલાયમાન ન થયા, એટલે અહંકારી તે અધમદેવે સર્પનું રૂપ વિકુğ. આગળની જેમ ફરી પણ તે દેવે તેને બીવડાવવા માટે એ પ્રમાણે કહ્યું પણ ધ્યાનમાં એકાગ્ર બનેલો તે ધી૨ લગાર પણ ભય ન પામ્યો. વારંવાર તે જ વચનોથી નિર્ભય બનેલા તેને જોઈને તે સુરાધમ તબલાને જેમ વાધર તેમ સર્પરૂપે તેના દેહે ભરડો લઈ તેને ભીંસમાં લીધો. સર્પ નિર્દય બની દાંતોથી તેને ખૂબ ડંખ્યો. છતાં પણ તેણે પોતાના ધ્યાનામૃતમાં મસ્ત બની વેદનાને ન ગણકારી. ત્યાર પછી પોતાનું દિવ્યરૂપ ધારણ કરી દિશાઓમાં અજવાળું ફેલાવતો તે દેવ પૌષધશાળામાં પ્રવેશ કરી એમ કહેવા લાગ્યો કે, ‘હે કામદેવ ! ખરેખર તમે ધન્ય છો, ઈન્દ્ર મહારાજે દેવસભામાં તમારી પ્રશંસા કરી છે, તે હું સહન કરી શક્યો નહિ, તેથી અહીં તમને ચલાયમાન કરવા આવ્યો. કારણકે ‘કેટલીક વખત સ્વામીઓ પોતાની મોટાઈથી અછતી વસ્તુના પણ ખોટાં વર્ણન કરે છે' તે કારણે વિવિધ રૂપોની વિકુર્વણા કરીને મેં તમારી પરીક્ષા કરી. ઈન્દ્રે જેવા પ્રકારની તમારી પ્રશંસા કરી હતી, તેવા જ તમે ખરેખર નિઃશંક ધર્મમાં ધીરતાવાળા છો. પરીક્ષા કરતાં તમને મેં જે હેરાન કર્યા તે અપરાધની ક્ષમા માંગુ છું,’ આ પ્રમાણે દેવ કામદેવને કહીને પોતાના ભવનમાં ચાલ્યો ગયો, અને અખંડદ્રતવાળા તેણે પોતાની પ્રતિમા-કાઉસ્સગ્ગ પાર્યો. ગુણ પ્રત્યે વત્સલવાળા વીર ભગવંતે પણ સમવસરણની સભામાં ઉપસર્ગ સહન કરવાવાળા કામદેવની પ્રશંસા કરી. બીજા દિવસે કામદેવ શ્રાવક ત્રણે જગતના સ્વામી વીરપ્રભુના ચરણ કમળના વંદન માટે આવ્યો. ભગવંતે પણ ગૌતમ આદિક મુનિવરોને આ પ્રમાણે કહ્યું કે, ‘ગૃહસ્થ-ધર્મમાં પણ કામદેવ આવા ઉપસર્ગો સમભાવથી નિર્ભયપણે સહન કર્યાં. તો પછી સર્વ સંગનો ત્યાગ કરનાર યતિધર્મમાં તત્પર તમારા સરખાએ તો તેવા ઉપસર્ગો વિશેષ પ્રકારે સહેવા જોઈએ' કામદેવ શ્રાવકે કર્મને નિર્મૂલન કરવાના ઉપાયભૂત એવી શ્રાવકની અગિયારે પ્રતિમાઓ ક્રમસર વહન કરી. અંતે સંલેખના કરી. ત્યાર પછી તેણે અનશનવ્રત અંગીકાર કર્યું. ઉત્તમ પ્રકારની સમાધિ પ્રાપ્તિ કરી કાલધર્મ પામીને અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. જેવી રીતે કામદેવ ઉપસર્ગમાં પણ પોતાના વ્રતમાં અડગ રહી સ્વાભાવિક ધૈર્ય ધારણ કર્યું, તેથી તીર્થંકર ભગવંતે પણ તેની પ્રશંસા કરી; તેવી રીતે બીજા ઉત્તમ આત્માઓએ પણ તેવા પ્રકારે અડગ વ્રત ધારણ કરનાર બનવું. એ પ્રમાણે કામદેવની કથા કહી || ૧૩૮ || જાગે ત્યારે આ પણ વિચારવું– તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૮ **** ३१० जिनो देवः कृपा धर्मो, गुरवो यत्र साधवः । શ્રાવાય સ્તમ્, ન હ્તાયેતાવિમૂઢથી: ? | ૨૩૨ ૫ અર્થ : તથા - જે (શ્રાવકપણા)માં રાગાદિ શત્રુઓને જીતનારા ‘દેવ’ છે. કૃપા એ ‘ધર્મ’ છે અને મોક્ષમાર્ગને સાધનારા (સાધુઓ) ‘ગુરુ' છે. તેવા શ્રાવકપણાની પ્રશંસા કરતો નિર્મળ બુદ્ધિવાળો ગૃહસ્થ ન કરે ? ।। ૧૩૯ || ટીકાર્થ : જે શ્રાવકધર્મમાં રાગાદિ શત્રુઓને જીતનારા દેવ છે. દુઃખીના દુઃખને દુર કરવાની અભિલાષારૂપ કૃપા ધર્મ છે, પંચમહાવ્રતમાં તલ્લીન ગુરુવર્યો ધર્મોપદેશકો છે; કયો તત્ત્વ સમજનાર તેવા Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ શ્રાવકધર્મની પ્રશંસા ન કરે? રાગાદિવાળા દેવો પૂજનીય દેવ નથી. હિંસાદિસ્વરૂપ યજ્ઞાદિ ધર્મ નથી અને પરિગ્રહ અને આરંભવાળા ગુરુ નથી. તેવા દેવ, ગુરુ, ધર્મ ન કહેવાય. || ૧૩૯ // તથા નિંદ્રા ઉડી ગયા પછી શ્રાવકે ભાવવા યોગ્ય ભાવનાઓ સાત શ્લોકોથી જણાવે છે – ३११ जिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥ १४० ॥ અર્થ: હું જિનધર્મથી રહિત ચક્રવર્તી પણ ન થાઉં, પરંતુ જિનધર્મથી યુક્ત દાસ અને દરિદ્રી થવાનું પણ મને માન્ય છે.' || ૧૪૦ || ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જિનધર્મથી રહિત ‘ચક્રવર્તીપણું મને મળતું હોય, તો ન જોઈએ. કારણ કે ધર્મ વગરનું તે નરકમાં લઈ જાય છે. પરંતુ જૈન ધર્મના દઢ સંસ્કારવાળા કુટુંબમાં દરિદ્ર નોકર થાઉં તો તે પણ મને ઘણું ઈષ્ટ છે, કે જ્યાં ધર્મ-પ્રાપ્તિ સુલભ છે. [ ૧૪૦ | તથા३१२ त्यक्तसङ्गो जीर्णवासा, मलक्लिन्नकलेवरः । भजन् माधुकरी वृत्तिं, मुनिचर्यां कदा श्रये ? ॥ १४१ ॥ અર્થ : સર્વસંગતા ત્યાગી, જીર્ણ, વસ્ત્રો ધારણ કરનારો મેલથી વ્યાપ્ત શરીરવાળો અને માધુકરી ભિક્ષાને ભજનારો (ગ્રહણ કરનારો) હું મુનિચર્યા (સાધ્વાચાર)ને ક્યારે પામીશ ? | ૧૪૧ / ટીકાર્થ : મારા માટે આવો શુભ સમય ક્યારે આવશે કે, હું સર્વ-સંગનો ત્યાગ કરનારો થાઉં, જુના કપડાંવાળો, મેલયુક્ત શરીરવાળો થઈ માધુકરીવૃત્તિને ભજનારો બને ? જે માટે કહેલું છે કે – “જેવી રીતે બીજા માટે ઉગાડેલા વૃક્ષનાં પુષ્પોમાંથી ભમરો રસ-પાન કરે છે, પરંતુ પુષ્પોને લગાર પણ પાડા કરતો નથી અને પોતાના આત્માને સંતોષ પમાડે છે. એવી રીતે ગહસ્થોએ પોતા માટે કરેલા આહારમાંથી થોડો થોડો આહાર તેમને અંતરાય કે પીડા ન થાય. તેમ દાનૈષણા અને ભક્તષણા કરવા રવા પૂર્વક ગ્રહણ કરે છે. જેઓ આ લોકમાં બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, તેઓ શ્રમણ કહેવાય છે.” એવી પોઆપ સહજ તૈયાર થયેલાં પુષ્પો વિષે જેમ ભમરા તેમ સાધુઓ પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થએલાં આહારથી શરીર અને સંયમયાત્રા સાધીશ. પરંતુ કોઈપણ પ્રકારે ભમરાની ઉપમાથી બીજા જીવોને આઘાત પહોંચાડીશું નહિ.” આનું નામ માધુકરીવૃત્તિ. મૂલગુણ અને ઉત્તરગુણવાળી આવી મુનિઓની ચર્ચાનું સેવન હું ક્યારે કહીશ ? || ૧૪૧ || તથા– ३१३ त्यजन् दुःशीलसंसर्ग, गुरूपादरजः स्पृशन् । कदाऽहं. योगमभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ॥ १४२ ॥ અર્થ: દુરાચારીના સંસર્ગનો પરિત્યાગ કરતો, ગુરુ ભગવંતના ચરણની રજને સ્પર્શ કરતો અને યોગનો અભ્યાસ કરતો હું સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ ક્યારે બનીશ ? / ૧૪૨ || ટીકાર્થ : જારપુરુષ, સૈનિક, ભાંડ-ભવાયા, ગણિકા વગેરે લૌકિક દુઃશીલવાળા અને પાસત્થા, સન્ના, કુશીલ, સંસક્ત, યથાચ્છદંક તે લોકોત્તર દુઃશીલ-તેમના સાથે સહવાસ-સંસર્ગ કરવો, તે દુઃશીલ Page #408 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૯-૧૪૫ ૩પ૭ સંસર્ગ, તેનો ત્યાગ કરીને ગુરુમહારાજના ચરણ-રજને સ્પર્શતો અર્થાત, સત્પરૂષોનો સંસર્ગ કરતો; ત્રણ યોગોનો વારંવાર અભ્યાસ કરીને ભવનો ઉચ્છેદ કરવા માટે હું ક્યારે શક્તિશાળી બનીશ ? / ૧૪૨ // તથી ३१४ महानिशायां प्रकृते, कार्योत्सर्गे पुराद् बहिः । સ્તબ્બવત્ ચૈષvi, વૃષા : સ ય છે ૨૪રૂ II અર્થ : નગરના બાહ્ય પ્રદેશમાં ભયંકર રાત્રિના સમયે કાયોત્સર્ગનો પ્રારંભ કરનાર મારા શરીરને બળદો થાંભલાની માફક માનીને પોતાના ખભાની સાથે ઘસનારા ક્યારે થશે ? || ૧૪૩ // ટીકાર્થ: રાત્રિએ નગર બહારના પ્રદેશમાં શ્રાવકની પ્રતિમારૂપ કાયોત્સર્ગ કરતો હોઉં, ત્યારે કોઈ બળદ કે પશુ આવી મને શિલાખંભ કે વૃક્ષ-ધડ માની ક્યારે પોતાની ગરદનની ખૂઘ મારા શરીર સાથે ઘસીને દૂર કરશે ? પ્રતિમા વહન કરનાર શ્રાવક નગર બહાર કાયોત્સર્ગ એકાગ્રતાથી કરે, ત્યારે શિલાતંભની ભ્રાન્તિથી વૃષભો પોતાની ગરદન ઘસે છે, યતિ થવાની અભિલાષાવાળી અપેક્ષાએ આ સમજવું. જિનકલ્પી સાધુઓને તો હંમેશા કાયોત્સર્ગનો સંભવ હોય છે. તે ૧૪૩ // તથા ३१५ वने पद्मासनासीनं क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघ्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥ १४४ ॥ અર્થ : હરણના યુથપતિ એવા વૃદ્ધ હરણો જંગલમાં પદ્માસનમાં બેઠેલા અને ખોળામાં રહેલા બાળહરણવાળા મારા મોઢાને ક્યારે સુંઘશે ? || ૧૪૪ || ટીકાર્ય : હું વનમાં પદ્માસન કરીને બેઠલો હોઉં, ત્યારે મૃગ બચ્ચાઓ વિશ્વાસપૂર્વક મારા ખોળામાં આવી ક્યારે ક્રીડા કરશે ? આ પ્રકારે મારા શરીરની પણ સંભાળ ન લેતો હોઉં-એવા શરીરની દરકાર વગરના મારા મુખને વૃદ્ધ મૃગો ક્યારે વિશ્વાસપૂર્વક સંઘશે ? વૃદ્ધમૃગ કહેવાનું પ્રયોજન એ સમજવું કે, સહેજે તેઓ કોઈનો એકદમ વિશ્વાસ ન કરે, પણ પરમ સમાધિની નિશ્ચલતા દેખી તેવા વૃદ્ધ મૃગલાઓ પણ એવા વિશ્વાસુ બની જાય કે નિર્ભયતાથી મુખ ચાટે કે સુંઘે . ૧૪૪ II તથા ३१६ शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ? ॥ १४५ ॥ અર્થ: વળી - હું શત્રુમાં અને મિત્રમાં, ઘાસમાં અને સ્ત્રીજનમાં, સુવર્ણ અને પથ્થરમાં, મણિમાં અને માટીમાં તથા મોક્ષમાં અને સંસારમાં સમભાવવાળો ક્યારે બનીશ ? || ૧૪૫ // ટીકાર્ય : હવે હું શત્રુ અને મિત્રમાં તૃણ અને સ્ત્રીસમુદાય વિષે સુવર્ણ કે પત્થર, મણિ કે માટીમાં , મોક્ષ અથવા ભવમાં ક્યારે સમાન બુદ્ધિવાળો બનીશ? શત્રુ-મિત્રાદિકથી માંડી મણિ અને માટીમાં તો હજુ બીજાઓ સમાન બુદ્ધિ કરનાર મળી આવે, પણ પરમવૈરાગ્ય પામેલા આત્માઓને તો મોક્ષ અને ભવમાં પણ કશો ફરક લાગતો નથી. જે માટે કહેલું છે કે– “મોક્ષે મ સર્વત્ર, નિ:સ્પૃહો મુન Page #409 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ,, सत्तमः = ‘મુનિઓમાં જે ઉત્તમ હોય, તેઓને તો મોક્ષ કે સંસાર દરેકમાં નિઃસ્પૃહ ભાવ હોય છે.' આ મનોરથો ક્રમસર આગળ આગળના ચિડયાતા હોય છે, તે આ પ્રમાણે પ્રથમ શ્લોકમાં જિનધર્મના અનુરાગનો મનોરથ, બીજામાં સાધુધર્મ, ગ્રહણ કરવાનો મનોરથ, ત્રીજામાં સાધુધર્મની ચર્યામાં ઉત્કૃષ્ટકોટીનું ચારિત્ર પ્રાપ્ત કરવાના મનોરથ, ચોથમાં કાયોત્સર્ગાદિમાં નિષ્કપભાવ મેળવવાના મનોરથ, પાંચમામાં પર્વત, ગુફા આદિ નિર્જન સ્થળમાં રહીને મુનિચર્યા પાળવાના મનોરથ, છઠ્ઠામાં‘ પરમ સામાયિક સુધી પહોંચવાના મનોરથ કહેલા છે. || ૧૪૫ || હવે ઉપસંહાર કરતા કહે છે– ૩૫૮ ३१७ अधिरोहुं गुणश्रेणिं निश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान्, कुर्यादिति, मनोरथान् ॥ ૪૬ ॥ અર્થ : આ પ્રમાણે શ્રાવકે મુક્તિમહેલની નિસરણી સમાન ગુણસ્થાનની શ્રેણી ઉપર ચડવા માટે પરમાનંદરૂપે લત્તાના અંકુરા તુલ્ય મનોરથો કરવા જોઈએ ॥ ૧૪૬ || ટીકાર્થ : મોક્ષરૂપી મહેલમાં ચડવા માટે ગુણોરૂપી નિસરણીના પગથિયા સ્વરૂપ આવા પ્રકારના મનોરથો કરવા વળી મનોરથો કેવા ? જેમ કંદથી લતા તૈયાર થાય છે. તેમ આ જણાવેલા મનોરથોથી પરમસામાયિક સ્વરૂપ જે પરમાનંદ તે પ્રગટ થાય છે. ૧૪૦ થી ૧૪૬ સુધી સાત શ્લોકોનો અર્થ સમજાવ્યો. ॥ ૧૪૬ || ઉપસંહાર કરે છે— ३१८ इत्याहोरात्रिकीं चर्या - -मप्रमतः समाचरन् 1 યથાવસ્તુવૃત્તસ્થો, ગૃહસ્થોપિ વિશુધ્ધતિ ॥ ૨૪૭ ॥ અર્થ : આ મુજબ અહોરાત્રિકી (રાત દિવસની) ચર્યાને આચરતો અને જિનાગમકથિત શુભ અનુષ્ઠાનોમાં તત્પર એવો અપ્રમાદી ગૃહસ્થ પણ પાપકર્મથી વિશુદ્ધ થાય છે પાપનો વિનાશ કરે છે || ૧૪૭ || ટીકાર્થ : આ પ્રમાણે દિવસ અને રાત્રિની શ્રાવકની ચર્ચા અપ્રમત્તપણે સમ્યક્ પ્રકારે આચરતો અને જિનાગમમાં કહેલી શ્રાવકની અગિયાર પ્રતિમા તે રૂપ વ્રતમાં રહેલો યથાવત્ સમ્યગ્ વિધિથી તેને આરાધના કરતો સાધુ થયો ન હોવા છતાં પણ ગૃહસ્થપણામાં અલ્પપાપવાળો થઈ નિર્મળતા પ્રાપ્ત કરે છે. અગિયાર પ્રતિમા = હવે તે પ્રતિમાઓ કઈ જેમાં રહેલો ગૃહસ્થ પણ નિર્મળ થાય છે તે કહે છે– ૧. દર્શન પ્રતિમા- શંકાદિ દોષ રહિત, પ્રશમાદિ લક્ષણોથી યુક્ત થૈર્યાદિ ભૂષણોથી ભૂષિત, એવું મોક્ષમાર્ગના મહેલના પાયારૂપ સમ્યગ્દર્શન. તેનું ભય, લોભ, લજ્જાદિ વિઘ્નોથી કોઈપણ અતિચારનું સેવન કર્યા વગર નિરતિચા૨૫ણે એક મહિના સુધી લાગલગાટ પાલન કરવું. - ૨. બીજી વ્રત પ્રતિમા – પૂર્વની પ્રતિમાની અનુષ્ઠાન સાથે નિરતિચાર પણે બારે વ્રતો બે મહિના સુધી લાગલગાટ અવિરતપણે પાલન કરવા રૂપ. ૩. ત્રીજી સામાયિક પ્રતિમા ત્રણ મહિના સુધી બંને કાળે અપ્રમતપણે આગળની પ્રતિમાઓના Page #410 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૪૬-૧૪૭ ૩પ૯ અનુષ્ઠાન સહિત સામાયિકના દોષો ટાળીને સામાયિક કરવું. ૪. ચોથી પૌષધ પ્રતિમા – ચાર મહિના દરેક ચતુષ્કર્વીમાં પૂર્વ અનુષ્ઠાન સહિત આઠ પહોરના પૌષધનું નિરતિચારપણે પાલન કરવું. ૫. પાંચમી કાર્યોત્સર્ગ પ્રતિમા – આગળ કહેલ ચારેય પ્રતિમાઓના અનુષ્ઠાન પાલન કરવા પૂર્વક પાંચ મહિના સુધી ચારે પર્વોમાં ઘરમાં, ઘરના દ્વારમાં કે ચૌટા કે ચોકમાં પરિષહ ઉપસર્ગમાં આખી રાત્રિ થયા વગર કાયાને વોસિરાવવારૂપ કાર્યોત્સર્ગમાં રહેવું. આમ આગળ આગળની દરેક પ્રતિમાઓની અંદર પહેલા પહેલાની પ્રતિમાઓનાં અનુષ્ઠાન, નિરતિચારતા પ્રતિમા પ્રમાણે સમય-કાળમર્યાદા તેટલા મહિનાની સમજી લેવી. તેમજ આગળ કહીશું, પ્રતિમામાં પણ પહેલાની પ્રતિમાનું અનુષ્ઠાન સમજી લેવું. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા – છ મહિના સુધી ત્રિકરણ યોગે નિરતિચાર બ્રહ્મચર્ય-પાલન ૭. સચિત્તવર્જન પ્રતિમા – સાત મહિના સુધી સચિત્તનો ત્યાગ ૮. આરંભ-વર્જન પ્રતિમા – આઠ મહિના સુધી પોતે આરંભ ન કરે. ૯. શ્રેષ્ય-વર્જન પ્રતિમા – નવ મહિના સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવે. ૧૦. ઉદિષ્ટ વર્જન પ્રતિમા – દશ મહિના સુધી પોતાને માટે રાંધેલો કે તૈયાર કરેલો આહાર પણ પોતે ન વાપરે. ૧૧. શ્રમણભૂત પ્રતિમા – અગિયાર મહિના સુધી સ્વજનાદિકનો સંગ છોડી, રજોહરણાદિ સાધુવેષ ધારી, કેશનો લોચ કરી, ગોકુલ આદિક પોતાના સ્વાધીન સ્થાનમાં રહેલો “તિમ પ્રતિપનીય શ્રમણોપાસવાય મિક્ષ દ્વત્ત' અર્થાત્ પ્રતિમધારી શ્રાવકને ભિક્ષા આપો.” એમ બોલતો આહાર આપનારને ધર્મલાભ” શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર સુસાધુ માફક સુંદર આચારોનું પાલન કરવું. કહેલું સમ્યત્વવંત આત્માની કાયા-શરીર મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી શાસ્ત્ર-વિરુદ્ધ દુરાગ્રહ કલંકથી રહિત હોય તે અહીં દર્શનપ્રતિમા સમજવી.(પંચાશક ૧૦,૪) નિરતિચાર અણુવ્રતાદિક બાર વ્રતો પાળવાં. તે બીજી વ્રતપ્રતિમા, સામાયિકનું શુદ્ધપણે પાલન કરવું તે ત્રીજી સામાયિક પ્રતિમા, આગળ કહેલા સર્વ અનુષ્ઠાનો સાથે બે અષ્ટમી, બે ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવસ્યારૂપ ચતુષ્પર્વમાં સમ્યગુ રીતિએ પૌષધપાલન, તે ચૌથી પૌષધ પ્રતિમા પૂર્વ કહેલા સર્વ અનુષ્ઠાનોથી યુક્ત ચાર પર્વરાત્રિમાં ઘરે. ઘરના દ્વારે કે ચૌટામાં પરિષહ-ઉપસર્ગમાં નિષ્ફપપણે કાર્યોત્સર્ગે પ્રતિમા ધારણ કરીને અડગ રહે. તે પાંચમી પ્રતિમા. (આ પ્રતિમા અંગે આટલું વિશેષ પણ જાણવું કે આમાં સ્નાન ન કરવાનું રાત્રે ચારે આહારનો ત્યાગ, ધોતીને કચ્છ વાગે નહિ. ચાર પર્વ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય-પાલન અને તે સિવાયના દિવસોમાં રાત્રિમાં સ્ત્રી અને ભોગનું પ્રમાણ નક્કી કરે. કાઉસ્સગ્નમાં જિનેશ્વરોનું ધ્યાન કરે. પાંચ મહિના સુધી કામની નિંદા કરે (પંચાશક) છઠ્ઠી પ્રતિમામાં બ્રહ્મચર્ય-પાલન, સાતમીમાં અચિત્ત આહારનો જ ઉપયોગ કરે, આઠમીમાં સાવદ્યારંભનો ત્યાગ, નવમીમાં બીજા પાસે પણ આરંભ ન કરાવે. દસમીમાં પોતાના નિમિત્તે કરેલો આહાર ન ખાય. અગિયારમી પ્રતિમામાં નિઃસંગ બની સાધુવેષ ધારણ કરી કાષ્ટપાત્ર ધારણ કરે, મસ્તકે કેશનો લોચ કરે, સુસાધુ માફક પૂર્વે જણાવેલા ગુણમાં આદરવાળી બને છે ૧૪૭ | Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ હવે પાંચ શ્લોકોથી વિશેષ વિધિ કહે છે— યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३१९ सोऽथावश्यकयोगानां भङ्गे मृत्योरथागमे 1 ત્વા સંખેવનામાવો, પ્રતિપદ્ય = સંયમમ્ ॥ શ્૪૮ ॥ ३२० जन्मदीक्षाज्ञानमोक्ष - स्थानेषु श्रीमदर्हताम् 1 1 तदभावे गृहेऽरण्ये, स्थण्डिले जन्तुवर्जिते ॥ १४९ ॥ ३२१ त्यक्त्वा चतुर्विधाऽऽहारं, नमस्कारपरायणः आराधनां विधायोच्चैश्चतुः शरणामाश्रितः ३२२ इहलोके परलोके, जीविते मरणे तथा || ૬૦ ॥ I ત્યવત્વાડાંમાં, નિદ્રાનું વ્ર, સમાધિસુધયોક્ષિતઃ ॥ ૨ ॥ ३२३ परीषहोपसर्गेभ्यो निर्भीको जिनभक्तिभाक् I प्रतिपद्येत मरण-मानन्दः श्रावको यथाः ॥ ૨ ॥ અર્થ : હવે મરણ સમયની આરાધના કેવી રીતે સાધવી તેને પાંચ શ્લોકોથી જણાવે છે હવે (તે શ્રાવક) સંયમાદિ આવશ્યક યોગોના ભંગરૂપ (અશક્તિ) અને મૃત્યુના આગમનરૂપ બે હેતુથી પ્રારંભમાં સંલેખના સહ સંયમનો સ્વીકાર કરીને શ્રી તીર્થંકર પરમાત્માઓનો જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ભૂમિમાં. તેના અભાવમાં ઘરમાં અથવા જંગલમાં અશનાદિ ચારેય આહારને ત્યજીને નમસ્કારના સ્મરણમાં ઉત્તમ કોટિની આરાધના કરીને ચાર શરણને સ્વીકારનારો, આલોક-પરલોકજીવન અને મરણની આશંસા (ઈચ્છા)નો ત્યાગ કરીને સમાધિરૂપ અમૃતથી સિંચાયેલો પરિષહો અને ઉપસર્ગોથી નિર્ભય અને જિનભક્તિમાં પરાયણ એવો શ્રાવક ‘આનંદ’ નામના શ્રમણોપાસકની જેમ સમાધિમરણને સાધે - પ્રાપ્ત કરે ॥ ૧૪૮-૧૪૯-૧૫૦-૧૫૧-૧૫૨ || = ટીકાર્થ : સંલેખનાના કરણો તે શ્રાવક અવશ્ય કરવા યોગ્ય યોગો અર્થાત્ સંયમ-વ્યાપારો તે શરીરની શક્તિ ન હોવાથી તેનો ભંગ થાય તે એક કારણ બીજું મૃત્યુ સમય પ્રાપ્ત થયો હોવાથી સંલેખના કરવી. અર્થાત્ શરી૨ અને કષાયો પાતળા કરવા તે સંલેખના તેમાં શરીર-સંલેખના તે કહેવાય. જેમાં ક્રમસર ભોજનનો ત્યાગ કરવામાં આવે. કષાય સંલેખના એટલે ક્રોધાદિ કષાયોનો પરિહાર કરવો. તેમાં પ્રથમ શરીર-સંલેખનાનું આ કારણ શરીરની સંલેખના એટલે પાતળું કરવું – શરીરની સંલેખના કરવામાં ન આવે તો, અકસ્માત ધાતુઓનો ક્ષોભ થવાથી છેલ્લાં સમયમાં શરીરધારી જીવોને આર્તધ્યાન થઈ જાય (પંચવસ્તુ -૧૫૦૭) બીજી કષાય- સંલેખનાનું વળી આ કારણ સમજવું કે (વ્યવહાર ભાષ્ય ૧૦/૪૬૩) “તે તપશ્ચર્યા કરીને શરીર કૃશ કરી નાંખ્યું તેની પ્રશંસા હું કરતો નથી. આ તારી આંગળી શા કારણે ભાંગી ગઈ તે સમજ ! માટે ભાવ-સંલેખના કર, અનશન કરવાની ઉતાવળ ન કર' એ વિગેરે વિસ્તારથી કહ્યું. યથાઔચિત્યથી સંયમ પણ અંગીકાર કરે” તેમાં આ સમાચારી સમજવી. શ્રાવક સમગ્ર શ્રાવક-ધર્મના ઉદ્યાપન માટે જ જાણે હોય તેમ છેવટે સંયમ અંગીકાર કરે. તેવા શ્રાવકને અંતે કહે છે કે સંયમ ધર્મના બાકી રહેલ ધર્મસ્વરૂપ સંલેખના‘ અંગીકાર કરવી યોગ્ય છે જે માટે કહેલું છે કે સંસ્નેહા ૩ અંતે, ન નિોમા નેળ Page #412 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૪૮-૧૫૨ પવ્યયઃ જોડું । (પંચાશક ૧/૪૦) ત્યાર પછી જે અંત સમયે પણ અંગીકાર કરે. તે સંયમ લીધા પછીના કાળમાં સંલેખના કરીને મરણ અંગીકાર કરે. જે સંયમ અંગીકાર ન કરે. તેના માટે સમગ્ર ગ્રંથ ‘જેમ આનંદ શ્રાવક' ત્યાં સુધીનો સંબંધ લેવો. ૩૬૧ - जन्मदीक्षा જ્યાં શ્રીઅરિહન્ત ભટ્ટારકના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, મોક્ષ કલ્યાણકો થયાં હોય સ્થાનકોમાં તેમાં જન્મસ્થાનકો ક્યાં ? ઋષભાદિક જિનેશ્વરોની જન્મભૂમિઓ અનુક્રમે આ પ્રમાણે જાણવી : – ૧ ઈક્ષ્વાકુભૂમિ. ૨. અયોધ્યા, ૩. શ્રાવસ્તી, ૪. વિનીતા ૫. કૌશલપુર ૬. કૌશામ્બી ૭. વારાણસી ૮. ચંદ્રાનના ૯. કાકંદી, ૧૦ દિલપુર ૧.૧ સિંહપુર ૧૨. ચમ્પા, ૧૩. કપિલા, ૧૪. અયોધ્યા, ૧૫. રત્નપુર, ૧૬-૧૭-૧૮ ગજપુર ૧૯ મિથિલા, ૨૦ રાજગૃહ, ૨૧ મિથિલા, ૨૨ શૌર્ય નગર ૨૩ વારાણસી અને ૨૪ કુંડપુર, (આ.નિ. ૩૮૨-૩૮૪) તેમના દીક્ષાસ્થાનો – : ઋષભદેવ ભગવંતે વિનિતા નગરીમાં, અરિષ્ટનેમ ભગવંતે દ્વારાવતીમાં બાકીના તીર્થકરોએ પોતાની જન્મભૂમિમાં દીક્ષા લીધી. ઋષભદેવે સિદ્ધાર્થવનમાં વાસુપુજ્ય ભ.એ. વિહારગૃહમાં ધર્મનાથ ભગવંતે વપ્રગામાં મુનિસુવ્રત ભ.એ, નીલગુફામાં પાર્શ્વનાથ ભગવંતે આશ્રમપદમાં વીર ભગવંતે જ્ઞાત ખંડમાં અને બાકીના તીર્થકરોએ સહસ્રામ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી. (આ. નિ. ૨૨૯ થી ૨૩૧) કૈવલ જ્ઞાનકલ્યાણક-ભૂમિઓ-ઋષભદેવ ભગવંતને પુરિમતાલમાં વીર ભગવંતને ઋજુવાલુકા નદીના કાંઠે, બાકીનાઓને જે ઉદ્યાનોમાં દીક્ષા લીધી, સ્થળે જ કેવલજ્ઞાન (આ. નિ. ૨૫૪) મોક્ષકલ્યાણક-ભૂમિઓ :– ઋષભદેવ ભ. અષ્ટાપદપર્વત ઉપર, વાસુપૂજ્ય ભ. ચંપાનગરીમાં નેમિનાથ રૈવતાચલગિરિ પર વીરપ્રભુ પાવાપુરીમાં બાકીના વીશ પ્રભુઓ સંમેત શૈલશિખર ઉપર મોક્ષે ગયા. (આ. નિ. ૩૦૭) ત્યાં મરણરૂપ અંતક્રિયાનો સ્વીકાર કરે. તેવા જન્મ, દીક્ષા, જ્ઞાન, મોક્ષ કલ્યાણક-સ્થાન ન મળે તો ઘરમાં અગર સાધુની વસતિ-ઉપાશ્રયમાં અરણ્યમાં કે શંત્રુજ્યાદિક સિદ્ધિક્ષેત્રમાં તે સ્થાનોમાં ભૂમિને પુંજી-પ્રમાર્જીને એટલે જીવ-જંતુરહિત એવી જગ્યામાં જન્મકલ્યાણક ભૂમિ આદિમાં પણ જીવજંતુરહિત પૂંજી-પ્રમાર્જીને એમ સમજી લેવું. અશન, પાન, ખાદ્ય સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને નમસ્કાર પરમેષ્ઠિ મહામંત્ર સ્તવનનું સ્મરણ કરતો કરતો. જ્ઞાનાદિકની આરાધનાનો તેના અતિચારનો પરિહાર-પૂર્વક કરતો અરિહંત, સિદ્ધિ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણોને સ્વીકારતો અથવા પોતાના આત્માને તેમન સમર્પણ કરતો અરિહંતે सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि साहु सरणं पवज्जामि, केवलिपन्नतं धम्मं सरणं પવન્નમિ।'' ‘હું અરિહંત ભગવંતોનું શરણ અંગીકાર કરું છું. સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. સાધુ ભગવંતોને શરણે જાઉં છું અને કેવલીભગવંતે કહેલ ધર્મ, એ જ મને શરણ હોજો' પાંચ પ્રકારના અતિચારનો ત્યાગ કરવા પૂર્વક આહાર-ત્યાગનો સ્વીકાર કરવો. તે જ વાત કહે છે— આ લોકના લાભરૂપ ધન, પૂજા, કીર્તિ આદિની અભિલાષા ન રાખવી. સંલેખના અનશન, કરવાથી આવતા ભવમાં દેવલોક આદિની ઋદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થશે વધારે સમય જીવવાની અભિલાષા એટલા માટે થાય છે કે પોતાની પૂજા પ્રશંસા વધારે થતી દેખાય તે માટે, ઘણા લોકોને પોતાના દર્શને આવતા જોઈને, સર્વ લોકને પ્રશંસા સાંભળીને એમ માને છે કે, ‘જીવવું એ જ શ્રેય છે’ ચારે આહારના પચ્ચક્ખાણના કર્યા હોવા છતાં પણ આવા પ્રકારની વિભૂતિ મારા નિમિત્તે જ પ્રવર્તે છે, એ રૂપ આશંસા, મરણ એટલે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પ્રાણનો ત્યાગ કરવો – તેમાં કોઈકે અનશન કર્યું. પરંતુ તેના તરફ કોઈ આદરભાવ, પૂજા-ભાવના કરતું નથી કે પ્રશંસા કરતા નથી. ત્યારે મનમાં એમ વિચારે કે, જો હું જલ્દી મરી જાઉં તો ઠીક તેવી આશંસાનો ત્યાગ કરે, નિયાણું એટલે કે પોતે દુષ્કરતપ કર્યું હોય, તેના બદલામાં તપના ફળરૂપ જન્માન્તરમાં હું ચક્રવર્તી વાસુદેવ, મંડલાધિપતિ, સૌભાગી, રૂપવાળો થાઉં.' એવી પ્રાર્થનાનો ત્યાગ કરવો. ફરી કેવા પ્રકારનો ? તે માટે જણાવે છે કે સમાધિ પ૨મ સ્વસ્થતા તે જ અમૃત, તેનાથી સિંચાએલો. તથા પરિષહ ઉપસર્ગ આવે, તો પણ નિર્ભયતાવાળો તેમા માર્ગથી ન ખસી જવા માટે કે કર્મની નિર્જરા કરવા માટે સહન કરાય, તે પરિષહો કહેવાય. તે બાવીશ છે તે આ પ્રમાણે ૨૨ પરિષહો : *. -વધ " क्षुत्पिपासा शीतोष्ण दंश-मशक - नाग्न्यारति - स्त्री चर्या निषद्याशय्याऽऽक्रोश-व યાજ્બાડતામ-રોળ-તૃળસ્પર્શ: મન સાર: પ્રજ્ઞા-જ્ઞાન-દર્શનનક્ષ: ।'' આ પ્રમાણે બાવીસ પરિષહો કહ્યા, તેના પર જય મેળવવો તે આ પ્રમાણે :— ૧. ક્ષુધા-પરિષહ– ક્ષુધાથી પીડાએલો શક્તિવાળો વિવેકી સાધુ ગોચરીની એષણાનું ઉલ્લંઘન કર્યા વગર. દીનતા લાવ્યા સિવાય કે અકળાયા વગર માત્ર પોતાની સંયમયાત્રાના નિર્વાહ માટે ભિક્ષા માટે ફરે. ૨. તૃષા-પરિષહ— તત્ત્વ સમજનાર એવો તરસ્યો થએલ મુનિ માર્ગમાં ચાલતા તળાવ, વાવડીનું જળ દેખી, તે પીવાની ઇચ્છા ન કરે, પરંતુ દીનતાનો ત્યાગ કરી અચિત્ત જળની ગવેષણા કરે. ૩. શીત-પરિષહ ઠંડીથી પીડાતો હોવા છતાં, પાસે વસ્ત્ર, કંબલ ન હોય તો પણ ન કલ્પે તેવા વસ્ત્ર ગ્રહણ કરે નહિ કે ઠંડી દૂર કરવા અગ્નિ ન સળગાવે. ૪. ઉષ્ણ-પરિષહ – જમીન તપેલી હોય કે બફારો થતો હોય તો ગરમીની નિંદા કરે નહિ. તેમજ વીંજણો-પંખો સ્નાન કે ગાત્ર ધોવાની અભિલાષા કરે નહિ. ૫. ડાંસ-મચ્છર માંકડ કે તેવી જીવાતો ડંખ મારતી હોય કારણકે દરેક જીવોને આહાર પ્રિય છે માટે તેમને ત્રાસ ન પમાડવા, દ્વેષ ન કરવો કે નિરાશ ન કરવા પણ તેમની ઉપેક્ષા કરવી. એમ ૬. નાગ્ય-પરિષહ વસ્ત્ર ન હોય કે અશુભ વસ્ત્ર હોય અથવા આ સારું આ ખરાબ છે ન ઈચ્છે; માત્ર લાભાલાભની વિચિત્રતાનો વિચાર કરે, પણ વસ્ત્ર રહિતપણાથી દુ:ખ ન લાવે. ૭. અતિ પરિષહ ધર્મ બગીચામાં આનંદ કરતો યતિ વિહાર કરતાં, બેસતાં, ઉઠતાં કે સંયમ અનુષ્ઠાન કરતાં કદાપિ અતિ-કંટાળો ન કરે. હંમેશા સ્વસ્થતાનો જ આશ્રય કરે. — ૮. સ્ત્રી–પરિષહ – દુર્ધ્યાન ઉત્પન્ન કરાવનાર, સંગરૂપ, કર્મકિચ્ચડમાં મલિન કરનાર, મોક્ષમાર્ગમાં વિઘ્ન કરાવનાર હોવાથી અર્ગલા-સમાન એવી સ્ત્રીઓ યાદ કરવા માત્રથી ધર્મનો નાશ કરનાર થાય છે માટે તેને યાદ જ ન કરવી. ૯. ચર્ચા-પરિષહ ગામ, નગર, શહેર આદિમાં અનિયતપણે રહેના૨ કોઈપણ સ્થાનની મમતા વગરનો, વિવિધ અભિગ્રહોને ધારણ કરતો એકલો હોય તો પણ દરેક મહિને સ્થાનાન્તર કરે. ૧૦. નિષદ્યા-પરિષહ – સ્મશાનદિક જે સ્થળમાં રહેવાય તે નિષદ્યા, તે સ્ત્રી, પશુ નપુંસકરહિત સ્થાન હોય તેમાં અનુકુળ કે પ્રતિકુળ ઉપસર્ગ થાય તો પણ નિર્ભયતાથી રહે. = ૧૧. શય્યા-પરિષહ શુભ કે અશુભ શય્યામાં સુખ-દુઃખમાં રાગ-દ્વેષ કર્યા વગર ‘સવારે તો છોડવાની છે’ એમ માની હર્ષ-શોક ન કરવો. Page #414 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૫ર ૩૬૩ ૧૨. આક્રોશ-પરિષહ – આક્રોશ કરનાર ઉપર પણ ક્રોધ ન કરે અને “ક્ષમાં રાખનાર-ક્ષમા આપનાર શ્રમણ છે” એમ જાણનાર આક્રોશ કરનાર પર પણ ઉપકારીપણાની બુદ્ધિ કરે. ૧૩. વધ-પરિષહ – મુનિને કોઈ હણે, તો પણ જીવનો નાશ ન હોવાથી, ક્રોધની દુષ્ટતા હોવાથી અને ક્ષમા વડે ગુણોપાર્જન હોવાથી સામે હણવા જાય નહિ અને વધ—પરિષહ સહન કરે. ૧૪. યાચના-પરિષહ – બીજાઓએ આપેલ પદાર્થોની આજીવિકા કરનાર યતિઓએ યાચના કરવામાં દુઃખ ન માનવું અને ગૃહસ્થપણું ન ઈચ્છવું ગૃહસ્થની પાસે માંગતા શરમ ન રાખવી જોઈએ. ૧૫. અલાભ-પરિષહ – બીજા પાસેથી પોતા કે બીજા માટે આહારાદિ ન પ્રાપ્ત ન કરે અગર પ્રાપ્ત કરે તો પ્રાપ્ત થવાથી અભિમાન ન કરે અને ન પ્રાપ્ત થવાથી પોતાને કે બીજાને નિંદે નહિ. ૧૬. રોગ-પરિષહ – રોગો થયા હોય તો તેનાથી ઉગ ન પામે કે તેની ચિકિત્સા કરવાની અભિલાષા ન રાખે અને દીનતા રાખ્યા વગર દેહ અને આત્માનો ભેદ સમજનારો તેને સહન કરે. ૧૭. તૃણસ્પર્શ-પરિષહ – થોડા અગર પાતળા વસ્ત્રમાં તૃણાદિક પાથર્યા હોય અને તેની અણીના સ્પર્શના દુ:ખને સહન કરે, પણ તે કોમળ ન ઈચ્છે. ૧૮. મલ-પરિષહ – ગ્રીષ્મનો તાપ લાગવાથી કે પરસેવાથી સર્વ શરીર પર મેલ ચોંટી જાય, તેથી મુનિ ઉદ્વેગ ન પામે કે સ્નાનની ઈચ્છા ન કરે, કે મેલ ધસીને દૂર ન કરે. ૧૯. સત્કાર-પરિષહ-કોઈના તરફના વિનયન, પૂજાની કે દાનની અભિલાષા સાધુએ ન રાખવી, તે સત્કાર ન થાય, તેમાં દીનતા ન કરવી કે થાય તો હર્ષ કે અભિમાન ન કરવું. ૨૦. પ્રજ્ઞા-પરિષહ – બીજા અધિક બુદ્ધિવાળાની બુદ્ધિ દેખીને પોતાની અલ્પબુદ્ધિ જાણતો મનમાં ખેદ ન કરે, કે વધારે બુદ્ધિ હોય તો અભિમાન ન કરે. ૨૧. અજ્ઞાન-પરિષહ – ‘જ્ઞાન અને ચારિત્રયુક્ત હોવા છતાં પણ હું હજુ છમસ્થ છું. એમ અજ્ઞાન સહન કરે અને મનમાં વિચારે કે જ્ઞાન ક્રમે ક્રમે પ્રાપ્ત થાય છે. ૨૨. સમ્યક્ત્વ – પરિષહ – સમ્યકત્વ પ્રાપ્ત થએલ આત્માએ એમ વિચારવું કે, જિને કહેલા જીવ, ધર્મ, અધર્મ ભવાન્તર આદિ પરોક્ષ હોવા છતાં તે ખોટા નથી જ એમ-વિચારે. આ પ્રમાણે નિર્ભય, ઈન્દ્રિયોને વશ કરનાર, મન, વચન, કાયાને કાબુમાં રાખનાર મુનિ શારીરિક કે માનસિક કુદરતી કે બીજાએ કરેલા પરિષહોને કર્મ નિર્જરા માટે સમતાભાવથી સહન કરે. જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મોના ઉદયથી પરિષદો થાય છે. વેદનીયકર્મથી ક્ષુધા તૃષા શીત, ઉષ્ણ, દંશાદિ, ચર્યા, શય્યા, વધ, રોગ તૃણસ્પર્શ મલ પરીષણો ઉત્પન્ન થાય. જ્ઞાનવરણકર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન, તથા અંતરાય-કર્મના ઉદયથી અલાભ આ ચૌદ પરીષહો છદ્મસ્થને થાય અને વેદનીય કર્મના ઉદયથી સુધા, તૃષા, શીત, ઉષ્ણ દંશ, ચર્યા, વધ, મલ, શવ્યા રોગ, તૃણસ્પર્શ જિનોને-કેવળીઓને પણ સંભવે તથા ઉપસર્ગોમાં નિર્ભય રહે તેમાં ૩૫ સમીપમાં થવાવાળા, તે ઉપસર્ગો અથવા જેમના વડે હેરાન કરાય, તે ઉપસર્ગો, તે ચાર પ્રકારના આ પ્રમાણે- ૧. દિવ્ય, ૨. મનુષ્ય કરેલા ૩. તિર્યંચે કરેલા અને ૪. પોતાથી થએલા વળી દરેકના ચાર પ્રકાર – ૧. હાસ્યથી ૨. દ્વેષથી ૩. વિમર્શ-પરીક્ષા કરવા માટે. ૪. આ સર્વ એકઠા થવાથી-મિશ્રરૂપે થવાથી દેવતાઈ ઉપસર્ગો સંભવે છે. મનુષ્ય સંબંધી ઉપસર્ગો હાસ્ય, વૈષ વિમર્શ દુઃશીલસંગથી તિર્યંચ વિષયક ઉપસર્ગો, ભય, ક્રોધ, આહાર, કે પરિવારના રક્ષણ માટે મારે ઠોકે, રોકે, ચોટે પાડે, શરીરની વેદનાઓ કરે, અથવા વાત, પિત્ત, કફ, સનેપાત થવાથી આ ઉપસર્ગો ઉત્પન્ન થાય છે. આમ પરિષહ-ઉપસર્ગોને સહન કરનાર, આરાધના કરનાર જિનેશ્વરો વિશે ભક્તિવાળો, Page #415 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૩૬૪ કહ્યું છે કે– ‘સંસારસમુદ્ર પા૨ પામનારાં જિનેશ્વરોએ પણ પર્યંત આરાધનાનું અનુષ્ઠાન આરાધ્યું છે’ એવા બહુમાનથી તથા કહેલું છે કે ‘પ્રથમ તીર્થંકર ભગવંતે નિર્વાણ અંતક્રિયા છ ઉપવાસનું અનશન, વીરભગવંતે છઠ્ઠ અને બાકીના બાવીશ તીર્થંકર ભગવંતોએ માસિક અનશનરૂપ અંતક્રિયા કરી આવા પ્રકારનો થયો થકો સમાધિ-મરણ આનંદ શ્રાવક માફક સ્વીકારે તેની કથા સંપ્રદાયથી આ પ્રમાણે જાણવી. આનંદશ્રાવકની અંતક્રિયા - બીજાં નગરો કરતાં ચડિયાતી ઋદ્ધિ સમૃદ્ધિવાળું વાણિજક નામનું પ્રસિદ્ધ મહાનગર હતું ત્યાં પૂજાનું વિધિપૂર્વક પાલન કરતો, પિતા સરખો જિતશત્રુ નામનો વિખ્યાત રાજા હતો. તે નગરમાં નયનને આનંદ આપનાર જેનું દર્શન છે, જાણે પૃથ્વીમાં ચંદ્ર આવ્યો હોય તેવા‘આનંદ' નામનો કટુંબી રહેતો હતો. ચંદ્રને જેમ રોહિણી તેમ તેને રૂપ લાવણ્યથી મનોહર એવી શિવનંદા નામની ધર્મપત્ની હતી. તેની જમીનમાં નિધાનરૂપે તથા વ્યાજે ફરતી અને વેપારમાં રોકેલી એમ ચાર ચાર સુવર્ણકોટિઓ હતી અને ગાયોના મોટાં ચાર ગોકુળો હતાં. તે નગરના વાયવ્યકોણ દિશા-વિભાગમાં કોલ્લાક નામના ઉપનગરમાં આનંદના ઘણા સગાસંબંધીઓ રહેતા હતા, તે સમયે પૃથ્વીતલ પર વિહાર કરતાં સિદ્ધાર્થનંદન-વર્ધમાન સ્વામી તે નગરના ક્રૂતિપલાશ નામના ઉદ્યાનમાં સમવસર્યાં. જિતશત્રુરાજાએ પ્રભુના આગમનના સમાચાર જાણ્યા એટલે પરિવાર સાથે ઉતાવળો, ઉતાવળો વંદન કરવા માટે ગયો. આનંદ પણ પગે ચાલીને પ્રભુના ચરણ-કમળ સમીપ ગયો અને કાનને ગમે તેવી. અમૃતપાન સરખી ધર્મદેશના સાંભળી ત્યાં આગળ પ્રભુના ચરણમાં નમસ્કાર કરી મહામનવાળા તે આનંદે પ્રભુ પાસે બાર વ્રતરૂપ ગૃહિધર્મ અંગીકાર કર્યો. શિવનંદા સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓનો તથા નિધાન, વ્યાજ અને વેપારમાં રોકેલ ચાર ચાર કોડ સુવર્ણ સિવાયના દ્રવ્યનો ત્યાગ કર્યો. ચાર ગોકુળ સિવાય બીજા ગોકુળોનો તથા પાંચસો હળથી ખેડાય તે સિવાયના ખેતરોના ત્યાગ, વેપાર માટે માલ વહન કરનારાં પાંચસો ગાડા સિવાય બાકીનાં ગાડાઓનો ત્યાગ તથા દિગ્યાત્રા એટલે દરેક દિશામાં વેપાર માટે માલ લાવવા લઈ જનારા ચાર વહાણ સિવાય બાકીનાનો ત્યાગ કર્યો. તેમ જ ગંધકાષાય સિવાય બાકીના શરીર લૂછવાના ટુવાલ વસ્ત્રોનો ત્યાગ, લીલા મધુ જેઠીમધ વૃક્ષના દાતણ સિવાય બીજા દાતણનો ત્યાગ, ક્ષીર, અમલક સિવાય બાકીનો ફળોનો ત્યાગ, સહસ્રપાક અને શતપાક સિવાય બાકીનાં તેલ-માલિસનો ત્યાગ કર્યો. સુગંધી ચોળવા યોગ્ય પદાર્થ સિવાય બાકીના ઉર્તન કરવાના પદાર્થોનો ત્યાગ કર્યો. સ્નાન કરવામાં આઠ ઘડા સિવાય વધારાના જળનો ત્યાગ, સુતરાઉ વસ્ર-જોડી સિવાય વસ્ત્રો ત્યાગ, સુખડ, અગરુ અને કેસરના લેપ સિવાયના વિલેપનનો ત્યાગ માલતી-પુષ્પની માળા સિવાય અને પદ્મ સિવાયનાં પુષ્પોનો ત્યાગ કર્ણાભૂષણ મુદ્રિકા સિવાયનાં સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો. દશાંગધૂપ, અગરનો ધૂપ, તે સિવાય ધૂપવિધિનો ત્યાગ કર્યો. ઘેબર અને ખાજાં સિવાયની મીઠાઈઓનો ત્યાગ,કાષ્ઠમાંથી તૈયાર કરેલાં પીણાં અને ક્લમથી અન્ય પીણાં અને ચોખાનો ત્યાગ, અડદ- મગ-વટાણાના સૂપ સિવાય અન્ય સૂપનો ત્યાગ, શરદઋતુના બનેલા ગાયના ઘી સિવાય અન્ય ઘીનો ત્યાગ, સ્વસ્તિક (સાથિયો), મહૂંકી (ડોડકી), પથંક (પલ્લકની ભાજી)સિવાયના શાકનો ત્યાગ, સ્નેહાલ-દાલ્યામ્લ (દાસળ) સિવાયના સર્વ તીમનોનો ત્યાગ કર્યો, વરસાદ સિવાયના અન્ય જળ અને પંચસુગંધી તામ્બૂલ સિવાયના અન્ય મુખવાસનો ત્યાગ કર્યો. પછી આનંદે શિવનંદા પાસે આવી હર્ષપૂર્વક સમગ્ર ગૃહસ્થધર્મ કહ્યો, એટલે તે સાંભળી કલ્યાણ માટે ગૃહસ્થધર્મ અંગીકાર કરવાની અભિલાષાવાળી શિવનંદા પણ વાહનમાં બેસી તરત જ ભગવાનના ચરણકમળ પાસે પહોંચી. ત્રિભુવનગુરુના ચરણમાં નમસ્કાર કરી સાવધાનતાથી શિવનંદાએ પણ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ભગવંતની વાણીરૂપી સુધાનું પાન કરવાથી હર્ષ પામતી વિમાન સરખા તેજસ્વી વાહનમાં Page #416 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧૫ર ૩૬૫ બેસી તે ઘરે પહોંચી. હવે ગૌતમસ્વામીએ સર્વજ્ઞ ભગવંતને પૂછયું કે, આ મહાત્મા આનંદ શ્રાવક યતિધર્મ અંગીકાર કરશે ખરો કે નહિ ? ત્રણે કાળ દેખવાના સ્વભાવવાળા ભગવંતે પ્રત્યુત્તર આપ્યો કે આનંદ ઘણા લાંબા સમય સુધી શ્રાવકનાં વ્રતોનું પાલન કરશે, ત્યાર પછી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકના અરુણપ્રભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળો શ્રેષ્ઠ દેવ થશે. બાર વ્રત-પાલનમાં સતત સાવધાની રાખનાર આનંદ શ્રાવકને ચૌદ વર્ષો વીતી ગયાં. નિર્મળ બુદ્ધિવાળા તેણે એક દિવસ રાત્રિના અંતભાગમાં વિચાર કર્યો કે, “હું આ નગરમાં ઘણા શ્રીમંતોનો આશ્રય સ્થાન સરખો છું. તેઓની ચિંતા કરતાં કરતાં રખે ક્યાંક હું ખલના પાયું, તો સર્વજ્ઞ-કથિત અંગીકાર કરેલા ધર્મમાં મને અતિચારાદિ દોષો લાગી જાય' ઇત્યાદિ મનમાં શુભ ભાવના ભાવીને કાર્ય સમજનાર તે આનંદ શ્રાવક પ્રાત:કાળમાં ઉઠીને કોલ્લાક સન્નિવેશમાં અતિવિશાલ પૌષધશાળા કરાવી અને ત્યાં મિત્રો, સંબંધીઓ, બંધુઓ આદિને નિમંત્રણ કરી, ભોજન કરાવી, પોતાના કુટુંબનો ભાર જ્યેષ્ઠ પુત્ર ઉપર આરોપણ કર્યો. ત્યાર પછી પુત્ર, મિત્રાદિક સર્વનું સન્માન કરી તેમની અનુમતિ પૂર્વક ધર્મ-કાર્ય કરવાની અભિલાષાથી તે પૌષધશાળામાં ગયા. ત્યાં કર્મની જેમ શરીરને કૃશ કરતા આ આનંદ મહાત્મા ભગવંતે કહેલા ધર્મને આત્માની માફક પાલન કરતા રહેલા હતા. સ્વર્ગ અને મોક્ષમાં ચડવા માટે નિસરણી સરખી શ્રાવકની અગિયાર પ્રતિમાઓની શ્રેણીએ તે ક્રમસર ચડવા લાગ્યા. તીવ્ર તપશ્ચર્યા કરતાં કરતાં મહાસત્ત્વવાળા તેણે શરીરમાં લોહી, માંસ સુકાવી નાખ્યાં. ચામડાથી વીંટાળેલ લાકડી સરખા શરીરવાળા તે દેખાવા લાગ્યા. કોઈક દિવસે રાત્રિ-સમયે ધર્મજાગરિકાથી જાગતા અને સતત તપશ્ચર્યાના આનંદમાં મહાલતા તે એમ વિચારવા લાગ્યા કે, “જ્યાં સુધી હજુ ઊભા થવાની શક્તિવાળો છું. બીજાને બોલાવવા માટે પણ સમર્થ છું, તેમજ મારા ધર્માચાર્ય વિચરે છે, ત્યાં સુધીમાં બંને પ્રકારની મારણાન્તિક સંખના કરીને ચાર પ્રકારના આહારનાં હું પ્રત્યાખ્યાન કરું.” એ પ્રમાણે વિચાર કરી આનંદ શ્રાવકે તેનો અમલ પણ કર્યો. ‘મહાત્મા પુરુષોના વિચાર અને વર્તમાનમાં કદાપિ જુદાઈ હોતી નથી.' મરણના વિષયમાં નિસ્પૃહતા અને સમભાવના અધ્યવસાયવાળા તેને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થયું. વિહાર કરતા કરતાં ભગવાન વીર સ્વામી ત્યાં આગળ દૂતિપલાશ ઉદ્યાનમાં સમવસર્યા અને ધર્મદેશના આપી. તે સમયે ગૌતમ ગણધરભગવંતે તે ભિક્ષાચર્યા માટે નગરમાં પ્રવેશ કર્યો અને આનંદશ્રાવકથી ભૂષિત કોલ્લાક સન્નિવેશમાં આહાર-પાણી ગ્રહણ કરવા પધાર્યા. ગૌતમસ્વામીના આગમનથી લોકોને આશ્ચર્ય થયું. ત્યાં ઘણા લોકો એકઠા થયા અને ગૌતમસ્વામીને કહ્યું કે, વીરભગવંતના પુણ્યશાળી શ્રાવક-શિષ્ય આનંદ અનશનવ્રત અંગીકાર કરેલું છે, જેને કોઈ પણ પ્રકારની સંસાર-સુખની અભિલાષા નથી, તે અહીં રહેલા છે. તે સાંભળી ગૌતમસ્વામીએ વિચાર્યું કે, “તે શ્રાવકને જોઉં' એવી બુદ્ધિથી તેની પૌષધશાળામાં ગયા. અકસ્માત, અચિંતિત રત્નવૃષ્ટિ વરસે તેમ તેમનાં દર્શન થવાથી આનંદશ્રાવકે હર્ષિત બની વંદના કરીને આમ કહ્યું, હે ભગવંત ! આ ક્લિષ્ટ અનશન તપ કરવાથી ઉભા થવાની શક્તિ રહી નથી, તેથી આપ અહીં આપની ઈચ્છાથી મારી પાસે નજીકમાં પધારો, જેથી હું આપના ચરણ-કમળને સ્પર્શ કરું એટલે મહામુનિ તેની પાસે આવી ઉભા રહ્યા, ત્યારે તેમના ચરણોને મસ્તકથી સ્પર્શ કરતા કરતાં આનંદે ત્રિકરણ શુદ્ધિથી વંદન કર્યું અને તેમને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ?' તેના પ્રત્યુત્તરમાં ગણધરભગવંતે જણાવ્યું કે, હા, થાય. ‘ત્યારે આનંદશ્રાવકે કહ્યું “હે ભગવંત ! ગુરુ-કૃપાથી ગૃહસ્થ એવા મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એમ ત્રણ દિશામાં એક્સો યોજન સુધી, તે તે સમુદ્રોનું જળ અને ઉત્તરદિશામાં હિમવાન પર્વત સુધી હું દેખું છું. હે ભગવંત ! ઉપર સૌધર્મ દેવલોક સુધી અને નીચે રત્નપ્રભા પૃથ્વીના લોલુપ વન સુધી હું અવધિજ્ઞાનથી દેખું છું. ત્યારે ગૌતમસ્વામીએ આનંદશ્રાવકને કહ્યું કે, ગૃહસ્થને અવધિજ્ઞાન જરૂર થાય, પણ આટલા વિષય સુધીનું ન થાય, માટે આ સ્થાનની આલોચના Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરો.' ત્યારે આનંદ પણ કહ્યું કે “મને તેટલું અવધિજ્ઞાન છે અને શું વિદ્યમાન પદાર્થો કહેવામાં પણ આલોચના હોઈ શકે ? અને અલોચના જો લેવાની હોય તો આ સ્થાનની તમો અત્યારે આલોચના લો.” આ પ્રમાણે ગૌતમસ્વામીને જ્યારે આનંદે કહ્યું. ત્યારે તેઓ પણ શંકાવાલા થયા અને વીરપરમાત્મા પાસે જઈ આકાર પાણી બતાવ્યાં. અને આનંદના અવધિજ્ઞાનના વિષયમાં જે અશ્રદ્ધા હતી, તે વાત વીરભગવંત પાસે પ્રગટ કરી અને પુછ્યું કે અહિં આનંદે કે મારે આલોચના કરવાની છે ?' એમ ગૌતમ સ્વામીએ વિનંતી કરતાં પ્રભુએ આજ્ઞા કરી કે “તારે મિચ્છા મિ દુક્કડમ્ આપવાનું છે તે પ્રમાણે પ્રભુની આજ્ઞા માન્ય કરી ક્ષમાના ભંડાર ગૌતમસ્વામીએ આનંદશ્રાવકને ખમાવ્યા. એ પ્રમાણે આનંદ શ્રાવક વીશ વરસ શ્રાવકધર્મનું પાલન કરી, અને અનશન કરવા પૂર્વક મૃત્યુ પામી અણવર નામના વિમાનમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ઉત્પન્ન થઈ ત્યાંની પરમ-પદ મોક્ષ પ્રાપ્ત કરશે. / ૧૪૮-૧૪૯-૧૫૦-૧૫૧૧૫૨૧ી. એ પ્રમાણે અનશન કરનાર આનંદશ્રાવકની કથા કહી. ઉપર જણાવ્યા પ્રમાણે તે શ્રાવકની ભાવિ ગતિ બે શ્લોકોથી વર્ણવે છે– ३२४ प्राप्तः स कल्पेष्विन्द्रत्व-मन्यद्वा स्थानमुत्तमम् । મોલતેનુત્તરપ્રજ-પુષ્યસમારમા તતઃ | શરૂ II ३२५ च्युत्वोत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् ।। विरक्तो मुक्तिमाप्नोति शुद्धात्मान्तर्भवाष्टकम् ॥ १५४ ॥ અર્થ : સમાધિમરણનો સાધક એવો તે શ્રાવક દેવલોકમાં ઈન્દ્રપણું અથવા બીજા ઉત્તમ પદને પ્રાપ્ત કરે છે અને અનુત્તર તથા વિશાળ પુણ્યના પ્રભારને ભોગાવનારો તે પ્રમોદને પામે છે | ૧૫૩ // દેવલોકમાંથી અવીને નીકળીને મનુષ્ય જાતિમાં જન્મ લઈ સુદુર્લભ ભોગોને ભોગવીને વિરાગી તથા કર્મમળને દુર કરવાથી વિશુદ્ધ એવો તે શ્રાવક (એ જ ભવમાં અથવા) આઠ ભવની અંદર મુક્તિને પામે છે ! ૧૫૪ / ટીકાર્થ : તે શ્રાવક અહી શાસ્ત્રમાં કહેલા શ્રાવકધર્મનું યથાર્થ પાલન કરવાથી સૌધર્માદિક બાર દેવલોકવાળા વૈમાનિક નિકાયમાં ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિઓ બીજા ઉતરતા દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. ત્યાં પણ ઈન્દ્રપણું સામાજિક ત્રાયન્નિશ, પર્ષદામાં બેસવાવાળા, લોકપાલ આદિ સ્થાનને પામવાવાળા ‘ઉત્તમ' કહેવાથી નોકર-હુકમ ઉઠાવનાર એવા હલકા દેવમાં ઉત્પન્ન ન થાય ત્યાં ઉત્પન્ન થએલા વળા, જણાવેલાં કારણો પ્રાપ્ત કરીને આનંદનો અનુભવ કરે છે. ઉત્તમ રત્નોનાં બનાવેલાં વિમાનો, મહાઉદ્યાન સ્નાન કરવાની વાવડીઓ વિચિત્ર રત્ન, વસ્ત્ર, આભૂષણો પ્રાપ્ત થવાથી દેવાંગનાઓ ચામર વીજંણા, વીંજવાના બાનાથી, કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા ઉપર આવતાં ભમરાઓને રોકવા માટે હું પ્રથમ સેવાનો લાભ મેળવું. “એમ પરસ્પર સેવા મેળવવાની અભિલાષાથી હરીફાઈ કરતી હોય, તથા કોડો બીજા દેવતાઓ પણ જયજયારવ કરીને આકાશમાં પડઘો પાડતા હોય, જ્યાં મનથી જ માત્ર અભિલાષા કરતાની સાથે જ સમગ્ર પ્રકારના વિષય-સુખની પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારનાં સિદ્ધાયતનોની યાત્રામાં અત્યંત હર્ષ ઉત્પન્ન થાય છે. એવા પ્રકારનો જ્યાં આનંદ ઉત્પન્ન થાય છે. આ પુણ્ય પ્રાપ્ત થવામાં હેતુ જણાવે છે. કે અનન્ય અસાધારણ અતિશય એવો જે પુણ્ય-પ્રક" તેને અનુભવે છે. || ૧૫૩ // તે વૈમાનિક દેવલોકમાંથી આવ્યા પછી મનુષ્યભવમાં વિશિષ્ટ દેશ, જાતિ, કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ Page #418 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૫૩-૧૫૫ ૩૬૭ આદિ પ્રાપ્ત કરીને ઔદારિક શરીરપણે જન્મ ધારણ કરી શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, લક્ષણ ભોગો ભોગવીને કંઈક તેવા પ્રકારનું વૈરાગ્યનું નિમિત્ત મેળવીને સાંસારિક સુખથી વિરક્તભાવ પામી. સર્વવિરતિ સ્વીકારીને તે જ જન્મમાં ક્ષપકશ્રેણિના ક્રમે કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને સમગ્ર કર્મ નિર્મુલ કરીને શુદ્ધાત્મ સ્વરૂપ બનેલા આત્મા મુક્તિ મેળવે છે. કદાચ તે જન્મમાં મુક્તિ ન પામે, તો પછી કેટલા જન્માતરમાં મુક્તિ પામે ? ત્યારે જણાવે છે કે આઠ ભવની અંદર જરૂર મુક્તિ પામે / ૧૫પ || ३२६ इति संक्षेपतः सम्यग्-रत्नत्रयमुदीरितम् ।। सर्वोऽपि यदनासाद्य नासादयति निर्वृतिम् ॥ १५५ ॥ અર્થ : કોઈપણ આત્મા જેને ગ્રહણ કર્યા વિના નિર્વાણપદને પામતો નથી, તેવા જ્ઞાનાદિ રૂપ રત્નત્રયીનું સ્વરૂપ આ રીતે સારી રીતે અને સંક્ષેપથી કહ્યું. || ૧૫૫ || ટીકાર્થ : આ પ્રમાણે ત્રણ પ્રકાશ દ્વારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ રત્ન સ્વરૂપ યોગનું સ્વરૂપ જણાયું છે કેવી રીતે ? જિનાગમમાં વિરોધ ન આવે તેવી રીતે, સંક્ષેપથી કેમ કર્યું ? છદ્મસ્થ વિસ્તારથી કહેવું અશક્ય હોવાથી, ત્રણ રત્ન વગર બીજા કારણથી નિર્વાણ-પ્રાપ્તિની શંકાવાળાને જણાવે છે કે સર્વ પણ એકની વાત તો દૂર રહી. તે માટે કહે છે કે કાકતાલીય-ન્યાયે પણ ત્રણ રત્ન પ્રાપ્ત કર્યા સિવાય કોઈ મુક્તિ મેળવી શકે જ નહિ. જેણે તત્ત્વો જાણ્યા નથી, જે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા કરતો નથી. તે નવા કર્મ બાંધે છે. જુના કર્મ શુકલધ્યાનના બલ સિવાય ખપાવી શકતો નથી અને સંસારના બંધનથી છૂટી મુક્તિ મેળવી શકતો નથી, માટે સર્વ કહીને જ્ઞાન, દર્શન અને ચારિત્રની સંયુક્ત આરાધનાથી જ મોક્ષ મેળવી શકાય છે || ૧૫૬ || એ પ્રમાણે પરમાત કુમારપાળ ભૂપાળને શ્રવણ કરવાની અભિલાષાથી આચાર્ય શ્રી હેમચંદ્રસુરિએ રચેલા એ “અધ્યાત્મ ઉપનિષદ્ નામો જેને પટ્ટબંધ પ્રાપ્ત થયેલો છે, તેવા પોતે રચેલા યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવિવૃત્તિમાં ત્રીજો પ્રકાશ પૂરો થયો. આગમોદ્વારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. હેમસાગરસુરિએ શ્રેષ્ઠી શ્રીદેવચંદ લાલભાઈ જૈન પુસ્તકો દ્વારા ફંડના મુખ્ય કાર્યવાહક સુરત નિવાસી ચોકસી મોતીચંદ મગનભાઈના ઉપરોધથી તેનો કરેલો ગુર્જર અનુવાદ પૂર્ણ થયો. (૩) Page #419 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ ધર્મ અને ધર્મીના ભેદનયને આશ્રીને આત્માનાં જ્ઞાનાદિ ત્રણ રત્નો મુક્તિના કારણપણે નિરૂપણ કરાયા. હવે અભેદનયને આશ્રીને આત્માના જ્ઞાનાદિ ત્રણ રત્નોનું એકત્વ જણાવે છે– ३२७ आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः ।। यत्तदात्मक एवैष-शरीरमधितिष्ठति ॥ १ ॥ અર્થ : સાધુનો આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. કેમ કે રત્નત્રયીરૂપ આત્મા જ શરીરમાં રહે છે. / ૧ / ટીકાર્થ : મૂળ શ્લોકમાં “અથવા શબ્દ અભેદ એવો બીજો પ્રકાર જણાવવા માટે છે. આત્મા દર્શન, જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે, દર્શનાદિ આત્માથી જુદાં નથી. યતિનો આત્મા એમ સંબંધ જોડવો. દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ આત્મા જ યતિના શરીરમાં રહેલો છે. જ્ઞાનાદિક આત્માથી જુદાં નથી, આત્મસ્વરૂપ છે, તેથી જ મુક્તિનાં કારણ બને છે. આત્માથી જુદાં હોય તો તે મુક્તિનાં કારણ બને નહિ. દેવદત્તનાં જ્ઞાનાદિ યજ્ઞદત્તને મુક્તિ આપનાર થાય નહિ, તેમ / ૧ // અભેદનું સમર્થન કરવા કહે છે – ३२८ आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्य आत्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥ २ ॥ અર્થ : જે (આત્મા) મોહના ત્યાગથી આત્મામાં આત્મા વડે આત્માનાં સ્વરૂપને જાણે છે, તે આત્મજ્ઞાન જ આત્માનું ચારિત્ર-જ્ઞાન અને દર્શનરૂપ છે. | ૨ || ટીકાર્થઃ કર્મવાળા આત્માને આત્મા પોતે જ જાણે છે. આવું જ્ઞાન મૂઢજીવોને હોઈ શકતું નથી. માટે કહે છે કે મોહના ત્યાગથી થતું જ્ઞાન તે આત્મજ્ઞાન અનાશ્રવરૂપ હોવાથી ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને શ્રદ્ધારૂપ હોવાથી તે જ દર્શન છે. || ૨ || આત્મજ્ઞાનની સ્તુતિ કરે છે– ३२९ आत्माऽज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । तपसाप्यात्मविज्ञान-हीनैश्छेत्तुं न शक्यते ॥ ३ ॥ અર્થ : આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ નાશ પામે છે. આત્મજ્ઞાનથી રહિત જીવો વડે તપધર્મ વડે પણ તે દુ:ખનો નાશ થઈ શકતો નથી. || ૩ || ટીકાર્થ : આ સંસારમાં આત્માની સમજણ વગરનાને સર્વ પ્રકારનાં દુઃખો થાય છે. જેમ પ્રકાશથી Page #420 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧-૫ ૩૬૯ અંધકારનો તેમ તેના પ્રતિપક્ષભૂત આત્મજ્ઞાન વડે કરીને દુઃખનો ક્ષય થાય છે. શંકા કરી કે કર્મક્ષયનું મુખ્ય કારણ તો તપ કહેલું છે. જે માટે કહેલું છે કે – “પૂર્વે ખરાબ વર્તનના યોગે બાંધેલા કર્મ જેનું પ્રતિક્રમણ કરેલું નથી, તેવા કર્મો ભોગવ્યા પછી જ મુક્તિ મળે છે. પણ ભોગવ્યા સિવાય મુક્તિ નથી. અથવા તો તપસ્યા કરીને કર્મ ખપાવે, તો મુક્તિ થાય' (દશર્વ. ચૂલિકા) તેના સમાધાનમાં જણાવે છે કે, આત્માના અજ્ઞાનથી થવાવાળું દુઃખ આત્માના વિશુદ્ધ જ્ઞાન વગર થતી તપસ્યા કે બીજાં અનુષ્ઠાન વડે છેદી શકાતું નથી. કારણકે જ્ઞાન વગરનું તપ અલ્પ ફળ આપનાર છે. કહેવું છે કે – અજ્ઞાની ક્રોડો વર્ષો સુધી તપ કરીને જે કર્મ ખપાવે, તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની એક શ્વાસોચ્છવાસ માત્રમાં ખપાવે છે.” (બૃહ-કલ્પ-ભા. ૧૧૭૦) આથી નક્કી થયું કે બાહ્ય પદાર્થો કે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી રત્નત્રયના સર્વસ્વભૂત એવા આત્મજ્ઞાનમાં પ્રયત્ન કરવો જોઈએ. જે માટે બીજામતવાળાઓ પણ કહે છે કે- “અરે ! આત્મા શ્રવણ કરવા યોગ્ય છે, માનવા-મનન કરવા લાયક છે અને ધ્યાન કરવા લાયક છે. (બૃહદારણ્ય ૪/૫/૬) આત્મજ્ઞાન આત્માથી લગાર પણ જુદું નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્માનાં પોતાના અનુભવરૂપે જ જાણી શકાય છે. આથી આનાથી બીજું કોઈ આત્મજ્ઞાન નથી, એ પ્રમાણે દર્શન ને ચારિત્ર પણ આત્માથી જુદાં નથી. આવા પ્રકારનો ચિતૂપ આત્મા જ્ઞાનાદિ નામોથી પણ બોલાવાય છે. શંકા કરી કે, બીજા વિષયોનો ત્યાગ કરી આત્મજ્ઞાન જ કેમ ખોળાય છે? બીજા વિષયોનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ દુઃખનો છેદ કરનાર નથી ? સમાધાન કરતાં જણાવે છે કે; નહિ, સર્વ વિષયોમાં આત્માનું જ પ્રધાનપણું છે. કર્મના કારણભૂત શરીરના પરિગ્રહમાં આત્મા જ દુઃખી થાય છે અને કર્મનો ક્ષય થાય તો તે જ આત્મા સિદ્ધસ્વરૂપ થવાથી સુખી થાય છે. || ૩ || એ જ વાત જણાવે છે – __३३० अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः ध्यानाग्निदग्धकर्मा तु, सिद्धात्मा स्यानिरञ्जनः ॥ ४ ॥ અર્થ : ચેતન સ્વરૂપી આ આત્મા કર્મના યોગથી શરીરધારી છે તથા ધ્યાનરૂપ અગ્નિથી કર્મને બાળનારો અને નિરંજન એવો આ આત્મા જ સિદ્ધસ્વરૂપી (અશરીરી) છે. || ૪ || ટીકાર્થ : સકલ પ્રમાણોથી સિદ્ધ થયેલો આ આત્મા ચેતન-જ્ઞાનસ્વભાવવાળો છે. કારણકે જીવ ઉપયોગ-લક્ષણવાળો છે. તેમ જ એનો એ જીવ કર્મના યોગથી શરીરવાળો થાય છે, પણ બીજા વિષયો તેમ બનતા નથી. તેથી બીજાં વિષયોનું જ્ઞાન મેળવવાની જરૂર નથી. આત્મા જ શુકલધ્યાનાગ્નિથી કર્મ ઈંધનને બાળીને શરીરરહિત થાય છે, ત્યારે મુક્તસ્વરૂપ નિરંજન નિર્મળ થાય છે. || ૪ || તથા– ३३१ अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥ ५ ॥ અર્થ : કષાયો અને ઈન્દ્રિયોથી જીતાયેલો આ આત્મા જ સંસાર છે તથા ઈન્દ્રિયોનો વિજય કરનારા અત્માને જ પંડિત પુરૂષોએ મોક્ષ કહ્યો છે || ૫ | ટીકાર્થ : કષાયો અને ઈન્દ્રિયોને વશ બનેલો આ આત્મા જ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ સંસાર છે, અને તેનો તે જ આત્મા જો કષાયો અને ઈન્દ્રિયોને જિતનાર થાય, તો તે જ મોક્ષ છે. સ્વસ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ મોક્ષ નથી.” જે આનંદસ્વરૂપતા છે. તે આત્માનું પોતાનું સ્વરૂપ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ મેળવવું તે જ છે. માટે આત્મજ્ઞાનની ઉપાસના કરવી. દર્શન અને ચારિત્ર પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. || ૫ || કષાયો અને ઈન્દ્રિયોથી જિતાએલો” એમ કહ્યું તેમાં પહેલાં કષાયોને વિસ્તારથી સમજાવે છે३३२ स्युः कषायाः क्रोधमानमायालोभाः शरीरिणाम् । चतुर्विधास्ते प्रत्येकं भेदैः संज्वलनादिभिः ॥ ६ ॥ અર્થ : સંસારી જીવોને ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર કષાયો હોય છે. સંજ્વલનાદિ ભેદથી તે ચારેય કષાય ચાર ચાર ભેદવાળા છે | ૬ || ટીકાર્થ : ક્રોધ, માન, માયા અને લોભ તે “કષાય’ શબ્દથી બોલાય છે અથવા જેમાં કે જેના વડે પ્રાણીઓની હિંસા કરાય, તે કષ એટલે સંસાર અથવા કર્મ અને તેનો આય એટલે પ્રાપ્તિ તે કષાય. અથવા જેના વડે સંસારની પ્રાપ્તિ થાય તે કષાયો શરીરધારી સંસારીઓને હોય, મુક્તાત્માઓને કષાયો હોતા નથી. તે દરેક ક્રોધાદિક સંજ્વલનાદિક ભેદો વડે ચાર ચાર પ્રકારવાળા હોય છે. તેમાં સંજ્વલન ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને અનંતાનુબંધી ક્રોધ. એવી જ રીતે માન. માયા, અને લોભ પણ ચાર ચાર પ્રકારના સમજવાં. + ૬ || સંજ્વલન આદિ કષાયોનાં લક્ષણ કહે છે३३३ पक्षं संज्वलनः, प्रत्या-ख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष जन्मानन्तानुबन्धः ॥ ७ ॥ અર્થ : સંજ્વલન કષાય એક પખવાડિયા સુધી રહે છે, પ્રત્યાખ્યાન કષાય ચાર મહિના સુધી ટકે છે, અપ્રત્યાખ્યાન કષાય એક વર્ષ સુધી રહે છે અને અનંતાનુબંધી કષાય માવજીવ જીવની સાથે રહે છે. ટીકાર્થ : સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ પંદર દિવસ સુધી રહેનારા હોય છે. તે ઘાસના અગ્નિ માફક, અલ્પ સમય બાળનાર અથવા પરીષહાદિ પ્રાપ્ત થતાં બાળવાનાં સ્વભાવવાળો છે. ‘પ્રત્યાખ્યાન' ભીમસેનને “ભીમ' નામથી બોલાવાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ શબ્દને ટૂંકા “પ્રત્યાખ્યાન' શબ્દથી વ્યવહાર કરાય છે. આ પ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વવિરતિ પ્રત્યાખ્યાનને રોકે છે અને ચાર મહિના સુધી રહેનાર છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય શબ્દમાં “નગ' અલ્પ અર્થમાં હોવાથી અલ્પ પણ એટલે દેશવિરતિ પ્રત્યાખ્યાનને રોકનાર છે અને એક વર્ષ સુધી રહેનાર છે. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ-સહિત હોવાથી અનંતા ભવ બંધાવનાર, અને આખા જન્મ સુધી રહેનાર હોય છે. પ્રસન્નચંદ્ર આદિક કેટલાકને ક્ષણમાત્ર સ્થિતિ હોવા છતાં પણ તે અનંતાનુબંધી કષાય છે. નહિતર નરકયોગ્ય કર્મ ઉપાર્જન કરવાનો વખત આવે નહિ. || ૭ . આ પ્રમાણે કાલનો નિયમ કરવા છતાં સંજ્વલન આદિના લક્ષણમાં હજુ અપૂર્ણતા જણાવાથી બીજું લક્ષણ જણાવે છે ३३४ वीतरागयतिश्राद्ध-सम्यग्दृष्टित्वघातकाः । ते देवत्व-मनुष्यत्व-तिर्यक्त्वनरकप्रदाः | ૮ | Page #422 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૬-૯ ૩૭૧ અર્થ : તે સંજ્વલનાદિ ચારે કષાયો અનુક્રમે વીતરાગપણું, સાધુપણું, શ્રાવકપણું અને સમ્યત્વના ઘાત કરનારા છે તથા દેવપણું, મનુષ્યપણું, તિર્યચપણું અને નરકપણું આપનાર છે. | ૮ || ટીકાર્થ : ‘ત્વ પ્રત્યય દરેક સાથે જોડવાથી વિતરાગપણાનો, યતિપણાનો, શ્રાવકપણાનો અને સમ્યગ્દષ્ટિપણાનો ક્રમસર ઘાત કરનાર છે. તે આ પ્રમાણે-સંજ્વલન ક્રોધાદિક કષાયોના ઉદયમાં યતિપણું હોય છે પણ વીતરાગપણું હોઈ શકતું નથી. પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયમાં શ્રાવકપણું હોય, પણ યતિપણું ન હોય. અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં સમ્યગ્દષ્ટિપણું હોય પણ દેશવિરતિ-શ્રાવકપણાનું પાંચમું ગુણસ્થાનક ન હોય. અનંતાનુબંધી કષાયોના ઉદયમાં સમ્યગ્દષ્ટિપણું ન હોય. એ પ્રમાણે વીતરાગપણાનો ઘાત કરનાર સંજવલન, યતિપણાનો ઘાત કરનાર પ્રત્યાખ્યાનાવરણ “શ્રાવકપણાનો ઘાત કરનાર અપ્રત્યાખ્યાનાવરણ અને સમ્યક્ત્વનો ઘાત કરનાર અનંતાનુબંધી ચારે કષાયો - આ પ્રમાણે સ્પષ્ટ લક્ષણ નક્કી થયું. આ શ્લોકના ઉત્તરાર્ધથી તે કષાયોનાં ફળ જણાવે છે. તે સંજ્વલનાદિક કષાયો દેવપણું આદિક ફળ આપનાર થાય છે. તે આ પ્રમાણે :- સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ દેવગતિને, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિક મનુષ્યગતિને, અપ્રત્યાખ્યાનાવરણ કષાયો તિર્યંચગતિને, અનંતાનુબંધી કષાયો નરકગતિને આપનાર થાય છે. આ સંજ્વલનાદિક ચારે કષાયોનાં સ્વરૂપ સ્પષ્ટ દૃષ્ટાન્ત કહેવા દ્વારા સમજાવે છે– સંજ્વલન આદિ ચારે પ્રકારના ક્રોધ, અનુક્રમે, જલ-રેખા, રેતી-રેખા, પૃથ્વી-રેખા અને પર્વત-રેખા સરખા હોય. તેમજ ચારે પ્રકારના માન નેતર-લતા, કાષ્ટ, હાડકા અને પર્વતના થાંભલા સરખા હોય. ચારે પ્રકારની માયા રંધાથી છોલેલી લાકડાની છાલ, ગો-મૂત્રિકા, ઘેટાનું શીગડું, અને વાંસના મૂલ જેવી હોય છે. તથા ચારે પ્રકારના લોભ હળદર, ગાડાની મળી, કાદવ, કિરમજી રંગ સરખા હોય છે. જે માટે કહેલું છે કે – ‘પાણી, રેતી, પૃથ્વી અને પર્વતની શિલાની રેખા સમાન ચારે પ્રકારનો ક્રોધ, નેતરલતા, કાષ્ઠ, હાડકાં અને પત્થરના થાંભલા સરખો માન, કાષ્ઠકોલ, ગોમૂત્રિકા, મેંઢાનું શિંગડું, સજ્જડ મજબૂત વાંસના મૂળ સરખી માયા, હળદર, મેશ, કાદવ, કૃમિરાગ સરખો લોભ ક્રમસર સમજવો. | ૮ || હવે કપાયાધીન થનારને દોષ બતાવતા કહે છે કે ३३५ तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । તુર્વર્તની થ:, કોઇ: શમસુદ્યાના છે ? / અર્થ : ક્રોધ શરીર અને મનને તપાવનારો છે. ક્રોધ વેરનું કારણ છે, ક્રોધ દુર્ગતિનો માર્ગ છે અને ક્રોધ એ પ્રશમ સુખની અર્ગલા-મૂંગળ (આગળીયો) છે. | ૯ | ટીકાર્થ : તે કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ એ શરીર અને મનને ઉપતાપ કરે છે, તથા તે ક્રોધ સુભુમ અને પરશુરામ માફક એકબીજાને ઉપઘાત કરવાના કારણભૂત વૈર ઉત્પન્ન કરનાર છે, નરકગતિરૂપ દુર્ગતિની કેડી અર્થાત તે માર્ગે લઈ જનાર છે તથા આત્મામાં પ્રશમના આનંદનો પ્રવેશ થતો હોય, તો તેને રોકનાર અર્ગલા સમાન આ ક્રોધ છે. આ શ્લોકમાં વારંવાર ક્રોધ શબ્દ ગ્રહણ કરવાથી સમજવું કે આ ક્રોધ અતિદુષ્ટ અને નુકસાન કરનાર છે. / ૯ // આ ક્રોધ અગ્નિના દૃષ્ટાન્તથી પોતાનો અને પાસે રહેલા બીજાનો પણ નાશ કરનાર થાય છે. તેમાં પોતાને કેવી રીતે બાળે છે તેનું સમર્થન કરે છે– Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३३६ उत्पद्यमानः प्रथमं दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत्पश्चादन्यं दहति वा न वा ॥ १० ॥ અર્થ : ઉત્પન્ન થતો ક્રોધ અગ્નિની જેમ પ્રથમ પોતાના સ્થાનને બાળે જ છે પછી બીજાને બાળે અને ન પણ બાળ. | ૧૦ || ટીકાર્થ : તેવા પ્રકારનું નિમિત્ત પામીને ઉત્પન્ન થએલો ક્રોધ અગ્નિ માફક પોતાનું આશ્રયસ્થાન એટલે જેમાં તે ઉત્પન્ન થાય તેને નક્કી બાળે છે, ત્યાર પછી અગ્નિની માફક બીજા બાળવા યોગ્યને બાળે કે નહીં પણ બાળે. જો સામો આત્મા ક્ષમા રાખવાના સ્વભાવવાળો હોય, ઘાટિલા લીલા વૃક્ષ માફક તો તેને બાળી શકતો નથી. અહીં ક્રોધવિષયને લગતા શ્લોકોનો ભાવાર્થ જણાવતા કહે છે કે ક્રોધરૂપી અગ્નિ આઠ વર્ષ જૂન પૂર્વકોટી વર્ષો સુધી પાળેલા ચારિત્રને અને તેટલાં વર્ષો સુધી કરેલા તપને એક ક્ષણમાં ઘાસની ગંજી માફક બાળીને ભસ્મ કરી નાંખે છે. અતિપુણ્યના સમુદાયથી ભરપૂર એકઠું કરેલું સમતારૂપ જળ (દૂધ), ક્રોધરૂપ ઝેરના સંપર્ક માત્રથી ક્ષણવારમાં અભોગ્ય બની જાય છે. ક્રોધાગ્નિનો ધૂમાડો ફેલાતો ફેલાતો રસોડાની માફક આશ્ચર્યકારી ગુણોને ધારણ કરનાર ચારિત્રરૂપી ચિત્રશાળાને અત્યંત શ્યામ કરી નાંખે છે. વૈરાગ્યરૂપ શમીવૃક્ષનાં નાનાં નાનાં પાંદડાં વડે સમરસ ઉપાર્જન કર્યો હોય અર્થાત્ ઘણાં લાંબા કાળે શમામૃત આત્મામાં એકઠું કર્યું હોય તેનો ખાખરાના મોટા પાંદડાના પડીયા સરખા ક્રોધ વડે કરીને કેમ ત્યાગ કરાય ? વૃદ્ધિ પામતો આ ક્રોધ શું અકાર્ય-આચરણ ન કરે ? તૈપાયનઋષિના ક્રોધાગ્નિમાં યાદવકુળ અને પ્રજા આદિ સહિત દ્વારકા નગરી બળીને ભસ્મ થઈ ગઈ. ક્રોધ કરવાથી જે કાર્યસિદ્ધિ થાય છે તે ક્રોધના નિમિત્તવાળી નથી, પરંતુ ખરેખર તે જન્માંતરમાં ઉપાર્જન કરેલ બળવાન પુણ્યકર્મનું ફળ સમજવું. પોતાના બંને ભવ બગાડનાર, પોતાના અને પારકાના અર્થનો નાશ કરનાર એવા ક્રોધને જે પ્રાણીઓ પોતાના શરીરમાં ધારણ કરે છે, તેને ધિક્કાર હો. ક્રોધાન્ધ બનેલા નિર્દય આત્માઓ પિતા, માતા, ગુરુ, મિત્ર, સગાભાઈ, પત્ની અને પોતાના આત્માનો વિનાશ કરે છે ! તેને જુઓ. || ૧૦ || ક્રોધનું સ્વરૂપ જણાવીને તેનો જય કરવા માટે ઉપદેશ કરે છે – ३३७ क्रोधवतेस्तदह्नाय, शमनाय शुभात्मभिः । શ્રીયા ક્ષવિ, સંમારમાર : | ૨૬ છે. અર્થ : પુણ્યશાળી આત્માએ ક્રોધરૂપી અગ્નિને તત્કાલ શાન્ત કરવા માટે સંયમ-બગીચા માટે નીક સમાન એવી એક ક્ષમાનો જ આશ્રય કરવો જોઈએ. / ૧૧ || ટીકાર્થ : શરૂઆતથી જ ક્રોધને રોકવામાં ન આવે તો વૃદ્ધિ પામતા દાવાનલની માફક પાછળથી નિવારણ કરવું અશક્ય થાય છે. કહેલું છે કે - “થોડું પણ ત્રણ (ઘા), થોડો પણ અગ્નિ અને થોડો પણ કષાય, તેનો તમારે લગાર પણ વિશ્વાસ ન કરવો, કારણકે તેમાં થોડામાંથી વિરાટ થતાં વાર લાગતી નથી. (આ.નિ. ૧૨૦) તેવા સમયે ક્ષમાનો જ આશ્રય કરવો. આ જગતમાં ક્રોધને ઉપશાંત કરવાનો ક્ષમા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્રોધના ફળનું સંપ્રદાન-વૈર-નિમિત્તક હોવાથી ઉલટું તે ક્રોધને વધારવામાં કારણ છે, નહિ કે શમાવનાર થાય, માટે એકલી ક્ષમા જ ક્રોધને શાન્ત કરનાર છે. ક્ષમા કેવી ? તે વર્ણવતા જણાવે છે કે-સંયમરૂપી બગીચા માટે નીક સમાન એવી ક્ષમા, નવાં નવાં સંયમસ્થાનો અધ્યવસાય Page #424 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, સ્લો.૧૦-૧૨ ૩૭૩ +44 સ્થાનકરૂપ સ્થાનકો, તે રૂપ વૃક્ષોને રોપવા, તેની વૃદ્ધિ કરવી. બગીચાની અંદર અનેક પ્રકારનાં વૃક્ષોનો સમૂહ ઉગાડવામાં આવે છે. વળી તેમાં પાણીની નીક વહેવડાવવાથી વૃક્ષોને પુષ્પો, ફળો આદિકની વૃદ્ધિ થાય છે. ક્ષમા એ પ્રશાન્તવાહિતા-સ્વરૂપ ચિત્તની પરિણતિ છે. તેને નીકનું રૂપ આપી નવી નવી પ્રશમપરિણતિને ઉત્પન્ન કરનાર છે-એમ જણાવ્યું. આ વિષયને લગતા શ્લોકોના ભાવાર્થને કહે છે : અપકારીવર્ગ ઉ૫૨ કોપથી અટકવું શક્ય નથી. સિવાય કે પોતાની સહનશક્તિનાં પ્રભાવથી અથવા આવા પ્રકારની ભાવનાથી, કે જે પોતા માટે પાપનો સ્વીકાર કરી મને પીડા કરવા ઈચ્છે છે, તે બિચારો પોતાના કર્મથી જ હણાએલો છે. તેવા ઉપર ક્યો બાલિશ મનુષ્ય કોપ કરે ? ‘હું અપકારી ઉપર કોપ કરું' એવા પ્રકારનો જો તારો આશય થાય, તો પછી દુઃખના કારણભૂત એવા તારા પોતાના કર્મ ઉપર ક્રોધ કેમ કરતો નથી ? કૂતરો ઢેકું ફેંકનાર તરફ ઉપેક્ષા કરીને ઢેફાને કરડવા જાય છે. જ્યારે સિંહ બાણ તરફ નજર કર્યા વગર બાણ ફેંકનારનો પીછો પકડે છે. ક્રૂર એવા જે કર્મોથી પ્રેરાએલો મારો આત્મા કોપ કરે છે, તે કર્મોની ઉપેક્ષા કરીને બીજા ઉપર ક્રોધ કરતો તું ભસવાનો આશ્રય કેમ કરે છે ? સાંભળીએ છીએ કે શ્રીમહાવીર ભગવંત સહન કરવાની બુદ્ધિથી મ્લેચ્છ દેશમાં ગયા અર્થાત્ તે માટે પ્રયત્ન કર્યો. તો પછી વગર પ્રયત્ને આવેલી ક્ષમા વહન કરવા કેમ ઈચ્છતો નથી ? જેઓ ત્રણે લોકના પ્રલય કે રક્ષણ કરવા સમર્થ છે, તેઓ જો ક્ષમાનો આશ્રય કરતા હોય, તો પછી કેળ સરખા અલ્પસત્ત્વવાળા તારા જેવાને ક્ષમા રાખવી તે શું યુક્ત નથી ? તેવા પ્રકારનું પુણ્ય કેમ નથી કરતો ? જેથી કરી કોઈ પીડા ન કરે, હવે તો તારા પ્રમાદને નિંદતો ક્ષમા કેમ અંગીકાર કરતો નથી ? ક્રોધમાં અંધ બનેલા મુનિ અને કોપ કરનાર ચંડાલમાં કોઈ પ્રકા૨નો તફાવત નથી માટે ક્રોધનો ત્યાગ કરીને ઉજ્જવલ બુદ્ધિના સ્થાન સ્વરૂપ ક્ષમાનું સેવન કર. ક્રોધવાળા મહા તપસ્વી મહામુનિ હતા અને ક્રોધ વગરના કુરગડુ મુનિ નવકારશી માત્ર પચ્ચક્ખાણ કરનાર હતા. દેવતાઓએ મહાતપસ્વી મુનિને છોડીને કુરગડુ મુનિને વંદના કરી. મર્મસ્થાન વિંધાય તેવા વચન-શસ્ત્રોથી ક્લેશ પામતો વિચારે કે, કહેનાર મને સત્ય કહે છે, તો કોપ શા માટે કરવો ? અને ખોટું કહેતો હોય તો તેને ઉન્મત્ત ગાંડાના વચન ગણવા. કોઈક વધ કરવા માટે આવ્યો, તો વિસ્મય પામેલો તેના તરફ હાસ્ય કરે કે વધ તો મારા બાંધેલા કર્મથી થવાનો છે. આ મૂર્ખશેખર ફોગટ નૃત્ય કરે છે. કોઈક હણવા માટે તૈયાર થાય, ત્યારે આત્માએ એમ વિચારવું કે, મારા આયુષ્ય કર્મનો ક્ષય થયો છે. તેમ વિચારવાથી પોતે પાપથી નિર્ભય બને છે. આ બિચારો મરેલાને મારે છે. સર્વ પુરુષાર્થ ચોરનાર એવા ક્રોધ ઉપ૨ તને જો કોપ નથી થતો, તો પછી સ્વલ્પ અપરાધવાળા બીજા ઉપર તું આટલો કોપ ક૨ના૨ કેમ બને છે ? માટે તને ધિક્કા૨ થાઓ. સર્વ ઈન્દ્રિયોને ગ્લાનિ પમાડનાર ઉગ્રસર્પ માફક આગળ વધતા કોપને જીતવા માટે બુદ્ધિશાળી જાંગુલિવિદ્યા જેવી નિર્દોષ ક્ષમાનું સતત સેવન કરે. ।। ૧૧ ।। હવે માન-કષાયનું સ્વરૂપ જણાવે છે– ३३८ विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः 1 विवेकलोचनं लुम्पन्, मानोऽन्धङ्करणो नृणाम् ॥ १२ ॥ અર્થ : વિનય, વિદ્યા, સુંદર સ્વભાવ, તથા ધર્મ, અર્થ, કામરૂપ ત્રણ વર્ગનો નાશ કરનાર, વિવેક ચક્ષુનો લોપ કરી મનુષ્યોને અંધ બનાવનાર માન કષાય છે. | ૧૨ || ટીકાર્થ : માન એ ગુરુઆદિ વડીલોનો વિનય, શ્રુત એટલે વિદ્યા, શીલ એટલે સારો સ્વભાવ, સુંદર વર્તન, તેઓનો ઘાત કરનાર છે. જાતિ આદિના મદમાં અભિમાની બનેલો, પિશાચ સરખો ગુરુ આદિકનો Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ****** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વિનય કરતો નથી. અવિનયવાળો ગુરૂની સેવા ન કરતો હોવાથી વિદ્યા પ્રાપ્ત કરી શકતો નથી, તેથી કરીને સર્વ લોકોની અવજ્ઞા કરનારો પોતાનો દુઃસ્વભાવ પ્રગટ કરે છે. માન એકલા વિનયાદિકનો ઘાતક છે, એમ નહિ. પરંતુ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે વર્ગનો પણ ઘાતક બને છે. અહંકારવાળો હોવાથી ઈન્દ્રિયોનો જય કરી શકતો નથી. તેથી તે ધર્મ પણ કેવી રીતે કરી શકે ? માની પુરૂષ અક્કડ હોવાથી રાજાદિકની સેવામાં પરાયણ ન થતો હોવાથી અર્થ પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? કામ પ્રાપ્ત કરવામાં તો માર્દવતા હોય, તો જ તે મેળવી શકાય. ઠુંઠા માફક માનમાં અક્કડ બનેલાને કામપુરૂષાર્થ કેવી રીતે સિદ્ધ થાય ? વળી પહેલાં દેખતો હોય અને પાછળથી જેના વડે અંધ થાય, તે અંધાપો કરનાર માન કષાય છે. કોને ? તો કે મનુષ્યોને, કૃત્ય અકૃત્યની વિચારણા કરવારૂપ વિવેક-લોચનને લોપ કરતો- ‘એક નિર્મળ ચક્ષુ તે કહેવાય કે જેમાં સ્વાભાવિક વિવેક હોય' એ વચનથી વિવેક એ લોચન કહેવાય. માનવાળો વૃદ્ધોની સેવા ન કરતો હોવાથી તે વિવેક લોચનનો લોપ કરનારો અવશ્ય બને છે. તે પ્રમાણે હોવાથી ‘માન એ અંધ કરનાર છે' એમ સહેજે સમજી શકાય તેવી વાત છે. || ૧૨ || હવે માનના ભેદો બતાવી તેના ફળને જણાવે છે— ३३९ जातिलाभकुलैश्वर्य-बलरुपतपश्रुतैः 1 कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ॥ ૧ ॥ અર્થ : જાતિ, લાભ કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાન, તેઓ વડે અભિમાન કરનાર મનુષ્ય ફરી જન્માંતરમાં હીનજાતિ આદિપણાને પામે છે. ॥ ૧૩ ॥ ટીકાર્થ : આ વિષયને લગતા આંત૨ શ્લોકોનો ભાવાર્થ કહે છેઃ— ઉત્તમ, મધ્યમ અને અધમ આદિ અનેક જાતિભેદો દેખીને ક્યો ડાહ્યો પુરૂષ કદાપિ જાતિમદ કરે ? શુભકર્મના યોગે ઉત્તમજાતિ પામ્યા, પછી વળી અશુભકર્મના યોગે હીનજાતિ પ્રાપ્ત કરે છે— આવી અશાશ્વતી જાતિ પામીને તે માટે કોણ અભિમાન કરે ? અંતરાયકર્મનો ક્ષય થવાથી જ લાભ થાય છે. તે સિવાય લાભ થતો નથી. તેથી કરીને વસ્તુસ્વરૂપ સમજનારો લાભમદ વહન ન કરે. પારકીકૃપા કે બીજાના પ્રયત્ન આદિથી મોટા પ્રકારનો લાભ થાય, તો પણ મહાપુરૂષો કોઈ પણ પ્રકારે લાભનો મદ કરતા નથી. અકુલીનોને પણ પ્રજ્ઞા-લક્ષ્મી-શીલવંત જોઈને મહાકુલમાં જે જન્મ્યા હોય, તેઓ કુલમદ ન કરે. ‘કુશીલવાળાને કુલથી શું ? અને સુશીલવાળાને પણ તેનાથી શું ? એમ સમજતો વિચક્ષણ પુરૂષ કુલનો મદ ન કરે. વજ્ર ધારણ કરનાર ઈન્દ્રની ત્રણે લોકની ઐશ્વર્ય-સંપત્તિ સાંભળીને નગર, ગામડા કે ધન આદિકના ઐશ્વર્યમાં મદ કઈ રીતે થાય ? કુશીલ સ્ત્રી માફક નિર્મલ ગુણવાળા પાસેથી પણ ઐશ્વર્ય ચાલ્યું જાય અને દોષવાળાનો પણ આશ્રય કરે છે; માટે વિવેકીઓએ ઐશ્વર્યનો મદ ન કરવો. મહાબળવાળો પણ રોગાદિક કારણે ક્ષણમાં નિર્બળ કરાય છે. આમ પુરુષમાં બળની અનિત્યતા હોવાથી બળમદ કરવો યોગ્ય નથી. બળવાનો પણ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ-સમયે કે બીજા કર્મફળના ઉદયકાળે નિર્બળ બનતા દેખાય છે, તેથી ખરેખર તેઓએ બળમદ કરવો નિરર્થક છે. સાત ધાતુઓથી પૂર્ણ, વધવા ને ઘટવાના સ્વભાવવાળા દેહમાં વૃદ્ધાવસ્થા, રોગ જેમાં વ્યાપેલા છે, તેવા રૂપનો મદ કોણ વહન કરે ? સનત્કુમારનું રૂપ, તેમજ તેના રૂપનો ક્ષય વિચારનાર કો ડાહ્યો પુરૂષ સ્વપ્નથી પણ રૂપનો મદ કરે ? ઋષભદેવ અને શ્રીવીરભગવંતના તપની પરાકાષ્ઠા સાંભળીને પોતાના અતિઅલ્પ તપમાં કોણ અભિમાન કરે ? જે તપસ્યા વડે એકદમ કર્મનો સમૂહ તૂટી જાય છે, પરંતુ અભિમાનથી ખરડાએલા તે તપથી જ કર્મ-સમૂહ વૃદ્ધિ પામે છે. બીજાઓએ રચેલા શાસ્ત્રોનો અભ્યાસ Page #426 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો, ૧૩-૧૪ - ૩૭૫ કરીને પોતાની બુદ્ધિથી અલ્પ પ્રયત્ન વડે ગ્રંથો તૈયાર કર્યા અને તેથી પોતે સર્વજ્ઞ-પણાનું અભિમાન કરે તે પોતાના અંગોનું જ ભક્ષણ કરે છે. શ્રીગણધર ભગવંતોની દ્વાદશાંગીની નિર્માણશક્તિ અને ધારણાશક્તિ સાંભળીને કયો બુદ્ધિશાળી પુરૂષ શ્રુતમદનો આશ્રય કરે ? કેટલાક આચાર્યો ઐશ્વર્ય અને તપસ્યાના સ્થાને વલ્લભતા અને બુદ્ધિ મદ કહે છે અને એ પ્રમાણે ઉપદેશ આપે છે કે– દરિદ્ર પુરુષ ઉપકારનિમિત્તે દુષ્ટકર્મ કરીને બીજા મનુષ્યની વલ્લભતા મેળવે છે, તેનાથી મદ કેમ કરી શકાય ? બીજાની કૃપા મેળવવા રૂપ વલ્લભતા, તેનાથી જે ગર્વ કરે છે. પરંતુ તે વલ્લભતા જ્યારે ચાલી જાય છે, ત્યારે તે શોકસમુદાયમાં ડૂબી જાય છે. તથા બુદ્ધિના અંગો, વિધિ, વિકલ્પો, અનંત પર્યાયોમાં વૃદ્ધિ પામતા અર્થાત્ ષસ્થાનપતિત ભાંગાવાળા અનંતગુણ વૃદ્ધિવાળા સૂત્રના અર્થો ગ્રહણ કરવા, ગ્રહણ કરાવવા, નવીન રચનાઓ કરવી, અર્થ-વિચારણા, અર્થની અવધારણા આદિ વિષયોમાં પૂર્વના મહાપુરુષોમાં સિંહ સમાન એવા તેઓના અનંત વિજ્ઞાનાતિશય સાંભળી અત્યારના અલ્પ બુદ્ધિવાળા પુરુષો પોતાની બુદ્ધિનો અહંકાર કેવી રીતે કરી શકે ? (પ્ર.શ. ૯૧ થી ૯૪) || ૧૩|| માનનું સ્વરૂપ તેના ભેદો પ્રતિપાદન કરીને જણાવ્યું તે માનના પ્રતિપક્ષભૂત માર્દવ-નમ્રતા, જે માન પર જય મેળવવાના ઉપાયભૂત છે. તેનો ઉપદેશ આપે છે— ३४० उत्सर्पयन् दोषशाखागुणमूलान्यधो नयन् 1 उन्मूलनीयो मानद्रुस्तन्मार्दवसरित्प्लवैः ॥ ૪ ॥ અર્થ : દોષોરૂપ શાખાઓએ ઊંચે લઈ જતા અને ગુણોરૂપ મૂળિયાઓએ નીચે લઈ જતા માનવૃક્ષને કોમળતારૂપ નદીના પૂર વડે ઉખેડવું જોઈએ. ।। ૧૪ । ટીકાર્થ : માનને વૃક્ષની ઉપમાં આપી બંનેની સમાનતા જણાવે છે કે માનવાળા પુરૂષના દોષો વૃક્ષની શાખા માફક ઉંચાણમાં ફેલાય છે અને ગુણો એ વૃક્ષના મૂળની જેમ નીચે જાય છે. અર્થાત્ દોષનું ધોરણ વધતું જાય છે અને ગુણોનું ધોરણ ઘટતું જાય છે. આવા પ્રકારનું માનવૃક્ષ છે. તેનો ઉચ્છેદ કેવી રીતે કરવો ? તે જણાવે છે– માર્દવ-નમ્રતા રૂપી સતત પ્રવાહવાળી નદીના વેગથી. મદવૃક્ષ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ ગુણમૂલો છુપાઈ જાય છે અને દોષની ડાળીઓ વિસ્તાર પામે છે. તે કુહાડા આદિથી ઉખડેવી અશક્ય છે. નમ્રતા ભાવના રૂપી નદીના જળપ્રવાહથી મૂળ સહિત ઉખેડી શકાય છે. અહીં આંતરશ્લોકોનો અર્થ જણાવે છે— માર્દવ એટલે મૃદતા-ઉદ્ધતાઈનો ત્યાગ ઉદ્ધતાઈ એ માનનું સ્વાભાવિક ઉપાધિ વગરનું સ્વરૂપ છે. જે જે વિષયમાં જાતિ આદિ સંબંધી અભિમાન પ્રગટ થતું હોય, તેમાં તેના પ્રતિકાર માટે નમ્રતાનો આશ્રય કરવો. દરેક સ્થાનમાં કોમળતા, નમ્રતા, વિનય કરવો અને પૂજ્ય પુરુષોને વિશે તો વિશેષ પ્રકારે વિનય કરવો. જેથી કરીને પૂજ્ય પુરૂષોની પૂજા કરવાથી ધોવાઈ જતાં પાપોથી મુક્ત થાય છે. બાહુબલી અભિમાનથી પાપરૂપી વેલડીઓ વડે બંધાયા અને મનમાં નમ્રતા ચિંતવી, તો તરત જ મુક્ત બની કેવળજ્ઞાન પામ્યા. ચક્રવર્તી સંસારસંગનો ત્યાગ કરી વૈરીઓના ઘરે પણ ભિક્ષા માટે જાય છે ! ખરેખર માન છેદનારું તેમનું માર્દવ પણ કઠોર છે. તત્કાલ દીક્ષા લીધેલ ક સાધુને પણ ચક્રવર્તી વંદન કરે છે, માનનો ત્યાગ કરીને દીર્ધકાળ સુધી તેની સેવા કરે છે. એ પ્રમાણે માન સંબંધી દોષો વિચારીને અને નમ્રતા સેવન કરવાથી ઉત્પન્ન થયેલા ગુણોને જાણીને માન-ત્યાગ કરીને યતિધર્મમાં વિશેષ રૂપ માર્દવમાં એકતાનવાળા થઈને તત્કાલ તેનો આશ્રય કરો. ॥ ૧૪ || Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ હવે માયા કષાયના સ્વરૂપને જણાવે છે :३४१ असूनृतस्य जननी, परशुः शीलशाखिनः ।। जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥ १५ ॥ અર્થ : માયા અસત્યને પેદા કરનારી માતા છે. શીલરૂપ વૃક્ષને ઉખેડવા માટે કુહાડા જેવી છે, મિથ્યાજ્ઞાનનું જન્મસ્થાન છે અને દુર્ગતિનું કારણ છે || ૧૫ || ટીકાર્થ : જૂઠને ઉત્પન્ન કરનાર હોવાથી માતાની માફક તેની માતા, ઘણે ભાગે માયા વગર જૂઠનો અભાવ છે. માયા એટલે બીજાને છેતરવાના પરિણામ, શીલ એટલે સુંદર સ્વભાવ, તે રૂપ વૃક્ષ તેને છેદનાર કુહાડી સરખી, અવિદ્યા એટલે મિથ્યાજ્ઞાનોનું ઉત્પત્તિ સ્થાન, એવી માયા દુર્ગતિનું કારણ છે એમ કહી માયાના ફળનો નિર્દેશ કર્યો || ૧૫ // બીજાને ઠગવા માટે કરેલી માયાથી પરમાર્થથી તે પોતાને જ ઠગે છે, તે રૂપ ફલ જણાવે છે : ३४२ कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । __ भुवनं वञ्चयमाना, वञ्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ અર્થ : માયાથી બગલાના સ્વભાવવાળા, પ્રપંચો કરવામાં હોંશિયાર એવા પાપી જીવો જગતને ઠગતાં પોતે જ ખરેખર ઠગાય છે કે ૧૬ // ટીકાર્થ : ત્રીજા કષાયરૂપ માયાથી જગતને છેતરનારાઓ પોતાના આત્માને જ ઠગે છે. પોતાનાં પાપકાર્યને છૂપાવવાની વૃત્તિવાળા હોવાથી બકવૃત્તિવાળા એવા તે પાપકર્મ કરનારા છે. જેમ બગલો મત્સ્ય આદિને ઠગવા માટે ધીમી ધીમી ચેષ્ટા કરે છે, તેવી રીતે તેઓ પણ જગતને ઠગવા માટે બગલા સરખી ચેષ્ટા કરે છે. શંકા કરી કે, માયાથી જગતને ઠગે છે અને તે માયાને છપાવે છે. આટલો ભાર લો ભાર વહન કરવા તે કેવી રીતે સમર્થ બને ? તે માટે જણાવે છે કે, ઠગવાની ચતરાઈ વગરનો કદાપિ બીજાને ઠગી : નથી કે કદાપિ છૂપાવી શકતો નથી, કુટિલતા કરવામાં નિપુણ હોય, તેમાં બીજાને ઠગવાનું અને વળી તેને છૂપાવવાનું એમ બંને હોય છે અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ કહે છે : - - રાજાઓ કૂટ પäત્ર ગુણયોગ વડે કપટથી વિશ્વસ્તનો ઘાત કરવાથી, ધનના લોભથી સમગ્ર લોકોને ઠગે છે. બ્રાહ્મણો તિલક કરવા વડે, ચહેરા અને હાથની મુદ્રાઓ કરવા વડે અને મંત્રોના જાપ તથા દુર્બળતાનો દેખાવ કરી અંદર હૃદયમાં શૂન્ય, બહારનો ડોળ કરીને લોકોને ઠગે છે વણિક લોક ખોટાં તોલ માપ, ઉતાવળા તોલ-માપ કરવાની ક્રિયા કરવાના યોગથી કપટ કરીને ભોળા લોકોને છેતરે છે. મસ્તકે જટા ધારણ કરવી, મસ્તક મુંડાવી નાખવું, ચોટલી રાખવી, ભસ્મ લગાડવી, ભગવાં વસ્ત્ર પહેરવાં કે નગ્નપણે રહેવું એવા, હૃદયમાં નાસ્તિક પાખંડીઓ ભદ્રિક શ્રદ્ધાળુ યજમાનોને છેતરે છે. વેશ્યાઓ સ્નેહ વગરની, હાવ-ભાવ-વિલાસવાળી ગતિ, કટાક્ષથી અવલોકન કરવું ઈત્યાદિક વિલાસોથી કામીઓને રંજન કરતી જગતને ઠગે છે. ખોટા સોગન ખાવા પડે અને કૂટ કોડી અને પાસા બનાવવા વડે કરીને જુગાર રમનારાઓ ધનવંતોને ઠગે છે. દંપતી, માતા-પિતાઓ, પુત્રો, સગાભાઈઓ, મિત્રો, સ્વજનો, શેઠિયાઓ, નોકરો તથા બીજાઓ પરસ્પર એક બીજાને ઠગનારા હોય છે. ધનલુબ્ધ પુરુષો, લજ્જા વગરના ખુશામતીયા ચોરો હંમેશા સાવધાન હોય છે અને પ્રમાદીઓને છેતરી જાય છે. કારીગરો, ચાંડાલો પોતાના બાપ-દાદાના ધંધાથી આજીવિકા કરનારા હોય છે. તેઓ માયાથી ખોટા સોગન ખાઈને સારા સાધુ પુરુષોને ઠગે છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૫-૧૭ ૩૭૭ ક્રૂર વ્યંતર આદિ કુયોનિમાં રહેલા ભૂત, પિશાચ, રાક્ષસાદિ પ્રમાદીઓને દેખીને ઘણે ભાગે માનવોને અને પશુઓને અનેક પ્રકારે હેરાન કરે છે. મત્સાદિક જળચરો પ્રપંચથી પોતાનાં જ બચ્ચાંઓનું ભક્ષણ કરનારા હોય છે, વળી તેઓને પણ કપટથી ધીવર જાળ વિગેરે દ્વારા સપડાવે છે. ઠગવામાં ચતુર એવા શિકારીઓ જુદા જુદા ઉપાયો યોજીને નિબુદ્ધિ સ્થળચર પ્રાણીઓને જાળમાં બાંધે છે અને મારી નાખે છે. આકાશમાં ઉડતા એવા બિચારા લાવક, ચકલા-ચકલી, મેના-પોપટ આદિ અનેક ભેદવાળા પક્ષીઓને માયાથી અતિક્રૂર અને અલ્પમાત્ર માંસ ખાવામાં આસક્તિવાળા, જાળ ધારણ કરનારા હિંસક પારધીઓ નિર્દયતાથી બાંધે છે. આ પ્રમાણે સર્વ લોકમાં પણ બીજાઓને છેતરવામાં પરાયણ બની. આત્મ-વંચકો પોતાના ધર્મનો અને સદ્ગતિનો નાશ કરે છે. તથા બુદ્ધિશાળી પુરુષોએ તિર્યંચ-જાતિમાં ઉત્પન્ન થવાના બીજભૂત, અપવર્ગનગરીની અર્ગલા, વિશ્વાસ-વૃક્ષ માટે દાવાગ્નિ સમાન એવી માયાનો ત્યાગ કરવો જોઈએ. પૂર્વભવમાં મલ્લિનાથ ભગવંતે એક નાની માયા કરીને એ માયાશલ્ય દૂર ન કર્યું અર્થાત આલોચ્યું નહિ એટલે એ માયાના યોગે તીર્થકર સરખા આત્માએ પણ સ્ત્રીપણું મેળવ્યું ! |૧૬ || હવે માયાને જીતવા તેની પ્રતિપક્ષભૂત સરળતાનો ઉપદેશ આપતા જણાવે છે :३४३ तदार्जवमहौषध्या जगदानन्दहेतुना जयेज्जगद्दोहकरी मायां विषधरीमिव ॥ १७ ॥ અર્થઃ તેથી જગતનો દ્રોહ કરનારી અને સાપણ જેવી માયાને જગતના આનંદના હેતભૂત સરળતારૂપ મહાપ્રભાવશાળી ઔષધી વડે જીતવી | ૧૭ || ટીકાર્થ : માયા અને સર્પિણી બની સમાનતા સમજાવે છે કે, જંગમ લોકનો દ્રોહ એટલે અપકાર કરવાના સ્વભાવવાળી હોવાથી તે સર્પિણી જેવી છે. જગત-દ્રોહકારી તેને શેનાથી જીતવી ? તો કે સરળતારૂપી મહાઔષધિ વડે. તે બંનેનું પણ સાધર્મ કહે છે. જંગલોકને કાય-આરોગ્ય કરનાર પ્રીતિવિશેષ જે વંચકતાના પરિહાર કરવા પૂર્વક કષાયનો જય કરવાથી મોક્ષના કારણરૂપ બને છે. અહિ આંતરશ્લોકોનો ભાવાર્થ કહે છે : બીજા મતવાળાઓ પણ કહે છે કે, મુક્તિ-નગરીનો સીધો માર્ગ હોય, તો તે સરળતા છે, બાકી આચારનો વિસ્તાર છે. “સર્વપ્રકારનું કપટ કરવું તે મૃત્યુસ્થાન અને સરળતા એ અજરામર સ્થાન સમજવું, આટલું જ જ્ઞાન બસ છે. બાકીનો સર્વ પ્રલાપ સમજવો’ જગતમાં પણ સરળતાવાળો પ્રીતિનું કારણ બને છે અને સર્પ જેવા કુટિલ મનુષ્યથી તો પ્રાણીઓ ઉદ્વેગ પામે છે. સરળતાવાળી ચિત્ત-વૃત્તિવાળા મહાત્મા પુરુષોને ભગવાસમાં રહેવા છતાં પણ અનુભવવા યોગ્ય સ્વાભાવિક મુક્તિસુખનો અનુભવ થાય છે. કુટિલતા રૂપી શંકુ વડે ઘવાએલા ક્લિષ્ટ મનવાળા ઠગનારાઓને શિકાર કરવાના વ્યસનીઓની માફક સ્વપ્રમાં પણ સુખ કયાંથી હોય ? સમગ્ર કળામાં ચતુર, સમગ્ર વિદ્યાનો પારગામી પણ બન્યો હોય, પરંતુ ભાગ્યશાળી હોય, તેને જ બાળકો સરખું આર્જવ પ્રાપ્ત થાય છે. અજ્ઞાની એવા બાળકોની સરળતા પ્રીતિનું કારણ થાય છે, તો પછી સર્વ શાસ્ત્રોનો પાર પામેલા હોય, તેના માટે તો શું કહેવું ? સરળતા એ સ્વાભાવિક છે, કુટિલતા એ કૃત્રિમ છે, તેથી કરી સ્વાભાવિક ધર્મનો ત્યાગ કરી કૃત્રિમ અને અધર્મરૂપ માયાનો આશ્રય કોણ કરે ? છલ, પ્રપંચ, ચાડી-ચુગલી, વક્રોક્તિ, વંચના આદિ કરવામાં નિષ્ણાત બનેલા લોકના સંપર્કમાં આવવા છતાં કેટલાક ભાગ્યશાળીઓ સુવર્ણ-પ્રતિમા માફક નિર્વિકાર રહેલા હોય છે. ગૌતમ ગણધર ભગવંત શ્રુત-સમુદ્રનો પાર પામવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે, નવા દીક્ષિત શિષ્યની Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ****** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ માફક સરળતાથી ભગવંતની વાણી સાંભળતા હતા. ગમે તેવાં દુષ્કર્મો કર્યા પછી સરળતાથી સમગ્ર દુષ્કર્મોની આલોચના કરનાર સર્વકર્મ ખપાવી નાખે છે અને લક્ષ્મણા સાધ્વીની માફક કુટિલ દંભપૂર્વકની આલોચના અલ્પમાત્ર પાપ હોય, તો પણ સંસાર વધારનાર થાય છે. કાયામાં, ચિત્તમાં કે વચનમાં કુટિલાત્માઓનો કોઈપણ પ્રકારે મોક્ષ નથી, પરંતુ મોક્ષ તો દરેક પ્રકારે સરળ આત્માઓનો જ થાય છે. આ પ્રમાણે કુટિલતા સેવનારાઓનું ઉગ્રકર્મ અને સરળતા પરિણતિનું સેવન કરનારાનું નિર્દોષ ચરિત્ર કહ્યું, તે બંનેનો બુદ્ધિથી વિવેક કરતો શુદ્ધબુદ્ધિવાળો મુમુક્ષુ નિરુપમ સરળભાવનો આશ્રય કરે. ।। ૧૭ II હવે લોભકષાયનું સ્વરૂપ જણાવે છે : ३४४ आकरः सर्वदोषाणां गुणसंग्रसनराक्षसः 1 कन्दोव्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः ॥ ૧૮ ॥ અર્થ : લોભ એ સર્વ દોષોની ખાણ છે, ગુણોનો કોળિયો કરવા રાક્ષસ તુલ્ય છે, સંકટોરૂપ વેલડીના કંદ જેવો છે અને સર્વ પુરૂષાર્થોને બાધા કરનારો છે. ॥ ૧૮ । " ટીકાર્થ : લોઢું આદિ ધાતુઓની ખાણ માફક પ્રાણાતિપાતાદિક સર્વ દોષોની ખાણ, જ્ઞાનાદિક ગુણોનો કોળીયો કરી જનાર રાક્ષસ, દુઃખરૂપ વેલડીના કંદ સરખો લોભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ લક્ષણ સર્વ અર્થોનો પ્રતિકૂલ છે. અર્થાત્ સર્વ દોષોની ખાણ, સર્વગુણનો ઘાત કરનાર, સર્વદુઃખનો હેતુ અને સર્વ પુરુષાર્થનો ઘાત કરનાર હોય, તો આ લોભ કષાય છે. ।। ૧૮ ॥ લોભનું દુર્જેયપણું ત્રણ શ્લોકોથી કહે છે : ३४५ धनहीनः शतमेकं सहस्त्रं शतवानपि 1 ॥ ૨૨ ॥ 1 चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥ २० ' ३४७ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदिच्छा न निवर्तते 1 मूले लधीयांस्तल्लोभः शराव इव वर्धते ॥ ૨ ॥ અર્થ : નિર્ધન પુરૂષ સોને ઈચ્છે છે, સો વાળો હજારને વાંછે છે, હજારવાળો લાખને ઇચ્છે છે. લખપતિ કરોડને વાંછે છે. કોટિપતિ રાજા થવા ઇચ્છે છે. રાજા ચક્રવર્તી બનવા વાંછે છે. ચક્રવર્તીને દેવ બનવાની ઈચ્છા થાય છે. દેવને ઈન્દ્રપણાની વાંછા થાય છે. ઈન્દ્રપણું મળવા છતાં પણ દુષ્ટ ઈચ્છાઓ પૂરી થતી નથી, તેથી મૂળમાં નાનો સરખો લોભ માટીના શકોરાની જેમ વધે છે. | ૧૯-૨૦-૨૧ || " सहस्त्राधिपतिर्लक्षं, कोटिं लक्षेश्वरोऽपि च ३४६ कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्द्र श्वक्रवर्तिताम् ટીકાર્થ : ધન વગરનો પુરૂષ અભિલાષા કરે કે સો મળી જાય તો બસ સંતોષ, પણ સો મળી ગયા પછી વળી હજારની ઈચ્છા કરે, હજારવાળો લાખની, લાખ રૂપિયા મળી ગયા પછી ક્રોડ મેળવવાની, કોટીશ્વર રાજાપણાની, રાજા ચક્રવર્તીપણાની, ચક્રવર્તી દેવપણાની, દેવ ઈન્દ્રપણાની અભિલાષા કરે, ઈન્દ્રપણું મળવા છતાં હજુ ઈચ્છા પૂર્ણ થતી નથી. શરૂઆતમાં લોભ નાનો સરખો હોય છે, પણ માટીના ચાકડાના સરાવલા માફક લોભ આગળ આગળ વૃદ્ધિ પામતો જાય છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૮-૨૨ ૩૭૯ અહિં લોભને લગતા આંતરશ્લોકોનો ભાવાર્થ કહેવાય છે : સર્વ પાપોમાં જેમ હિંસા, કર્મમાં મિથ્યાત્વ, રોગોમાં ક્ષયરોગ, તેમ સર્વ અવગુણોમાં લોભ એ મહાન છે, અહો ! આ મહીતલમાં લોભનું સામ્રાજ્ય એકછત્રવાળું છે કે, વૃક્ષો પણ નિધાન પ્રાપ્ત કરીને તેને પોતાનાં મૂળીયાંથી ઢાંકી દે છે. દ્રવ્યના લોભથી બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળા જીવો પણ પોતે દાટેલા નિધાન ઉપર મૂચ્છથી સ્થાન કરીને રહે છે. સર્પ, ઘરની ઘો, ઉંદર વગેરે પંચેન્દ્રિય જીવો પણ ધનના લોભથી નિધાન-સ્થાનવાળી ભૂમિમાં મૂચ્છથી વાસ કરે છે. પિશાચ, મુગલ, પ્રેત, ભૂત, યક્ષ વગેરે પોતાના કે પારકાના ધનના લોભથી મૂર્છા કરી ત્યાં વાસ કરે છે. આભૂષણ, ઉદ્યાન, વાવડી આદિમાં મૂર્છાવશ બનેલા દેવો પણ અવીને તે પૃથ્વીકાયાદિયોનિવાળા આભૂષણાદિકમાં જ ઉત્પન્ન થાય છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનક પામી ક્રોધાદિકનો વિજય કરવા છતાં એકમાત્ર લોભનો અતિઅલ્પ દોષ બાકી રહેવાથી સાધુઓ પણ નીચેના ગુણસ્થાને પડે છે. એક માંસના ટુકડા માટે જેમ શ્વાનો, તેમ અલ્પ ધન ગ્રહણ કરવાની અભિલાષાથી એક માતાની કુક્ષિએ જન્મેલા બે સગા ભાઈઓ પણ માંહોમાંહે લડે છે. લોભાધીન થવાથી ગામડાં, પર્વત કે જંગલની સરહદ માટે સહૃદયતાનો ત્યાગ કરી ગામવાસીઓ, રાજ્યાધિકારીઓ, દેશવાસીઓ કે રાજાઓ પરસ્પર વિરોધવાળા થઈ વૈરીનું આચરણ કરે છે. આત્મામાં હાસ્ય, શોક, દ્વેષ કે હર્ષ ન હોવા છતાં પણ લોભવાળા મનુષ્યો સ્વામી આગળ નટ માફક પ્રગટપણે નાટક કરી બતાવે છે. લોભનો ખાડો પૂરવા માટે જેમ જેમ આરંભ કરવામાં આવે છે, તેમ તેમ આશ્ચર્યની વાત છે કે, એ ખાડો વધતો જાય છે. હજુ કદાચ સમુદ્ર જળવડે પૂર્ણ થઈ જાય, પરંતુ ત્રણે લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ લોભ પૂર્ણ થતો નથી. ભોજન, કપડાં, વિષયો, દ્રવ્યના ઢગલા અનંતા ભોગવ્યા તો પણ લોભનો અંશ હજુ પૂરાયો નથી. જો લોભનો તમે ત્યાગ કર્યો છે, તો પછી નિષ્ફલ તપ વડે સર્યું અને જો લોભનો ત્યાગ નથી કર્યો, તો પછી નિષ્ફળ તપનું શું પ્રયોજન છે? સર્વશાસ્ત્રોના પરમાર્થોનું મંથન કરી મેં એટલો નિર્ણય કર્યો કે મહામતિવાળાએ એકમાત્ર લોભના નાશ માટે પ્રયત્ન કરવો જોઈએ. || ૧૯-૨૦-૨૧ || લોભના સ્વરૂપનું નિરૂપણ કરી તેના જયના ઉપાયો કહે છે३४८ लोभसागरमुढेल-मतिवेलं महामतिः । सन्तोषसेतुबन्धेन, प्रसरन्तं निवारयेत् ॥ २२ ॥ અર્થ: તેથી મહાબુદ્ધિશાળી મુનિએ અતિશય ઘણાં ઊંચે ઉછળતા મોજાવાળા અને ચારે બાજુ ફેલાતા લોભસાગરને સંતોષરૂપ પાળના બંધ વડે અટકાવવો જોઈએ. || ૨૦ || ટીકાર્થ : મહાબુદ્ધિશાળી એવા મુનિ, લોભ-સમુદ્ર કે જેનો પાર પામી શકાતો નથી અને તેની ભરતીના ઉછળતા અને વૃદ્ધિ પામતાં-ફેલાતાં મોજાંઓનું નિવારણ કરી શકાતું નથી, તેને સંતોષરૂપ સેતુબંધ વડે આગળ વધતા નિવારણ કરે. સંતોષ એ લોભનો પ્રતિપક્ષભૂત મનોધર્મ છે અને જળને લના કરવા માટે જેમ પાલી-બંધ, તેમ લોભ કષાયનો જય કરવા માટે સંતોષ એ પરમોપાય છે. અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ જણાવાય છે મનુષ્યોમાં જેમ ચક્રવર્તી, દેવોમાં ઈન્દ્ર, તેમ સર્વ ગુણોમાં સર્વથી ચડીયાતો ગુણ હોય તો સંતોષ છે. સંતોષગુણવાળો યતિ અને અસંતુષ્ટ ચક્રવર્તી આ બંનેના સુખ-દુઃખની તુલના કરવામાં આવે તો, એકને સુખનો પ્રકર્ષ છે અને બીજાને દુઃખનો પ્રકર્ષ છે, સંતોષામૃતની અભિલાષાથી સ્વાધીન એવા છ ખંડના રાજ્યનો ત્યાગ કરીને ક્ષણવારમાં ચક્રવર્તીઓ નિઃસંગપણાનો સ્વીકાર કરે છે. ધનની ઈચ્છા નિવૃત્ત બની Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ એટલે સંપત્તિઓ નજીકમાં આવી ઉભી રહે છે. આંગળી વડે ઢાંકેલા કાનમાં શબ્દોનું અદ્વૈતપણું વૃદ્ધિ પામે છે. જે શબ્દો કાનથી દૂર હતા, તે આપોઆપ અંદર ગુંજે છે. “સંતોષ પ્રાપ્ત થયો, એટલે દરેક વસ્તુમાં વૈરાગ્ય થાય છે. બે આંખ ઢાંકી દીધી એટલે ખરેખર ચરાચર આખું વિશ્વ પણ ઢંકાઈ ગયું.” એકલી ઈન્દ્રિયોનું દમન કરવાથી કે કાયાની પીડા સહન કરવાથી શું ? એક માત્ર જો સંતોષ ગુણ પ્રાપ્ત થયો, તો નક્કી મુક્તિ-લક્ષ્મીના મુખનું દર્શન થાય. જેઓ સંસારમાં જીવન ધારણ કરવા છતાં પણ લોભ-નિર્મુક્ત બનેલા છે, તેઓ અહિ જ મુક્તિ-સુખનો અનુભવ કરે છે. શું મુક્તિના મસ્તક પર કોઈ શિંગડું વર્તે છે? રાગ-દ્વેષના ભેળસેળવાળા કે વિષયોથી ઉત્પન્ન થયેલા સુખથી સર્યું. શું સંતોષથી ઉત્પન્ન થયેલ સુખ શિવ-સુખ કરતાં કાંઈ કમ છે ? બીજાને વિશ્વાસ પમાડનાર અસાર શાસ્ત્રનાં સુભાષિતોથી કયું સુખ થવાનું છે ? બે આંખો બંધ કરીને સંતોષ સ્વાદથી થયેલું સુખ મનમાં વિચારો જો તમે કારણને અનુરૂપ કાર્ય સ્વીકારતા હો, તો સંતોષ-આનંદથી થયેલું જે મોક્ષાનન્દનું સુખ તેની પ્રતીતિ કરો. જો તમે કર્મને નિર્મૂલન કરવા માટે તીવ્રતપ કહેતા હો, તો તે સત્ય છે, પરંતુ તે પણ સંતોષ રહિત તપ હોય, તો નિષ્ફળ સમજવું. સુખના અર્થીઓને ખેતી, નોકરી, પશુ-પાલન કે વેપાર કરવાથી કયું સુખ થવાનું છે ? શું સંતોષામૃતનું પાન કરવાથી આત્મા નિવૃત્તિ-સુખ મેળવી શકતો નથી ? ઘાસના સંથારા પર શયન કરનારા સંતોષવાળાને જે સુખ હોય છે, તેવા પ્રકારનું સુખ, પલંગ પર પોઢનારા, તળાઈમાં શયન કરનારા સંતોષ વગરનાને કયાંથી હોય ? અસંતોષવાળા ધનિકો પણ પોતાના સ્વામી પાસે તૃણ સરખા છે અને સંતોષવાળાની આગળ તે સ્વામીઓ પણ તૃણ સરખા છે. ચક્રવર્તીની અને ઈન્દ્રની સંપત્તિઓ પરિશ્રમથી પ્રાપ્ત થવાવાળી અને છેવટે નશ્વર છે, પરંતુ સંતોષથી થવાવાળું સુખ પરિશ્રમ વગરનું અને શાશ્વત છે. આ પ્રમાણે લોભના સમગ્ર પ્રતિપક્ષરૂપ અને પરમસુખના સામ્રાજ્ય-સ્વરૂપ સંતોષ મેં જણાવ્યો, માટે લોભાગ્નિના ફેલાતા પરિતાપને શમાવવા માટે સંતોષામૃત રસમય એવા આ આત્મગૃહમાં રતિ કરો. || ૨૨ // આ પ્રમાણે કહેલી હકીકતને એક શ્લોકમાં સંગ્રહ કરીને કહે છે :३४९ क्षान्त्या क्रोधो मृदुत्वेन मानो मायाऽऽर्जवेन च । लोभश्चानीहया जेयाः, कषाया इति संङ्ग्रहः ॥ २३ ॥ અર્થ : ક્ષમા વડે ક્રોધજય કરવો, નમ્રતાથી માનજય કરવો, સરળતાથી માયાજય કરવો અને સંતોષથી લોભનય કરવો, આ પ્રમાણે કષાયોનો જય કરવો. આ પૂર્વોક્ત પદાર્થોનો સંગ્રહ છે. તે ૨૩|| ટીકાર્થ : ક્ષાન્તિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને, અને નિઃસ્પૃહતાથી લોભને, આ પ્રમાણે કહેલા ઉપાયોથી કષાયોને જિતવા-એ પ્રમાણે સંગ્રહરૂપે જણાવ્યું. પૂર્વે જણાવેલા પદાર્થો અહીં સંગ્રહરૂપે કહ્યા. || ૩ જો કે તુલ્યયોગિપણાથી કષાય-જય અને ઈન્દ્રિયોનો જય મોક્ષરૂપે જ કહેલા છે, તો પણ તે બેમાં કષાયજય મુખ્ય છે અને ઈન્દ્રિજય તો તેના કારણભૂત છે. તે જ વાત હવે જણાવે છે ३५० विनेन्द्रियजयं नैव, कषायान् जेतुमीश्वरः । हन्यते हैमनं जाड्यं, न विना ज्वलितानलम् ॥ २४ ॥ અર્થ : જેમ અગ્નિના તાપ વિના શિયાળાની ઠંડી દૂર થતી નથી, તેમ ઈન્દ્રિયોના જય વિના કષાયોનો જય થઈ શકતો નથી | ૨૪ || Page #432 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.ર૩-૨૬ ૩૮૧ ટીકાર્થ : કષાયજય અને ઈન્દ્રિયજય એક કાળે થવાવાળા હોવા છતાં પણ પ્રદીપ અને પ્રકાશ માફક કાર્ય-કારણભાવવાળા બને છે, માટે જણાવ્યું કે, ઈન્દ્રિયજય વગર કષાયજય કરવા સમર્થ બની શકાતું નથી. સળગતા અગ્નિ સિવાય શિયાળાની ઠંડી હણી શકાતી નથી. હેમંતઋતુની ઠંડી સમાન કષાયો અને સળગતા અગ્નિ સમાન ઈન્દ્રિય-જય સમજવો. || ૨૪ || ઈન્દ્રિયોનો જય, કષાયજ્યના કારણપણે જણાવ્યો. જેમણે ઈન્દ્રિયો જિતેલી નથી, તેઓને કષાય જય થતો નથી, ઉલટો અપાય-આપત્તિનું કારણ થાય છે, તે કહે છે ३५१ अदान्तैरिन्द्रियहयै-श्चलैरपथगामिभिः માષ્ય નરેન્નાથે, ગત્ સપદ્ધિ નીયતે || રપ છે અર્થઃ અદાંત (ન જીતાયેલા) ચંચળ અને ઉન્માર્ગગામી ઈન્દ્રિયોરૂપી ઘોડાઓ જીવને તત્કાલ ઘસડીને નરકરૂપ જંગલમાં લઈ જાય છે. || ૨૫ //. ટીકાર્થ : ઉન્માર્ગે ગમન કરનાર ઈન્દ્રિયો રૂપી અશ્વો, અશ્વોની ઉપમા એટલે આપી કે, તેઓ સ્વભાવથી અસ્થિર સ્વભાવવાળા હોય છે અને તે અશ્વો બળાત્કારે પ્રાણીને વિવિધ ભયવાળા અરણ્યમાં તત્કાળ ખેંચી જાય છે, તેવી રીતે વશ કરેલી ન હોય તેવી ઈન્દ્રિયો ઉન્માર્ગ ખેંચી જાય છે અને બળાત્કારે જીવને એકદમ નરકમાં ધકેલે છે. || રપ || ઈન્દ્રિયો ન જિતેલી હોય, તો નરકે કેમ લઈ જાય છે ? તે કહે છે – રૂ૫ ૨ ર્વિનિતો નતુ , પાવૈfમૂયતે | વીર છેષ્ઠ પૂર્વ વાદ : વિશ્વને ઉચત્તે ? ર૬ અર્થ : ઈન્દ્રિયોથી જીતાયેલો આત્મા કષાયોથી પણ પરાજિત બને છે. શૂરવીરે પ્રથમ ખેંચેલી ઈટવાળો કિલ્લો કોના કોનાથી ખંડિત નથી કરાતો ? || ૨૬ | ટીકાર્થ : જે આત્મા ઈન્દ્રિયોનો જય કરી શકતો નથી, તે કષાયોથી પણ પરાભવ પામે છે. એક તાકાતવાળા મનુષ્ય કિલ્લાની એક ઈંટ ખેંચી, પછી સામાન્ય-તાકાત વગરના માણસોને પણ પછીની ઈંટો ક્રમસર પાડતાં પાડતાં આખો કિલ્લો ખંડિત કરતાં વાર લાગતી નથી. તેમ કષાયોને જીતવા માટે ઈન્દ્રિયોનો જય કરવા ઉપદેશ અપાય છે, કારણકે તે ઈન્દ્રિયો વડે જ કષાયોને આધીન બની નરકે જાય છે. શંકા કરી કે ઈન્દ્રિયજય કરવા માટે અશકત હોય, તેવો જીવ ઈન્દ્રિયથી થયેલી બાધા ભલે પામે, તેને કષાય-બાધા કયો અવસર છે ? તે શંકા દર કરવા દૃષ્ટાન્ત આપે છે- એક બહાદુર પુરુષે કિલ્લાની એક ઈંટ ખેંચી, પછી તો વગર તાકાતવાળો પણ એક એક ઈંટ ખેંચી ખેંચી આખો કિલ્લો ખંડિત કરી નાખે છે. ભાવાર્થ એ છે કે-જેમ વીરપુરુષે કિલ્લામાં એક કાણું પાડ્યું, પછી નોકર સરખાને પણ કિલ્લો તોડતાં મુશીબત પડતી નથી, તેમ ઈન્દ્રિયોથી હારેલો હોય, તે સામાન્ય પુરુષ સરખા કષાયોથી બાધા પામે છે, કારણ કે કષાયો ઈન્દ્રિયોને અનુસરનારા છે. તે ૨૬ // ઈન્દ્રિયો વશ કર્યા વગરની હોય અને કષાયોથી પરાભવ પામેલો હોય, તેનાથી જંતુને નરકે જવું પડે છે એટલું જ નહિ, પરંતુ ઈન્દ્રિયો ન જીતેલી હોય, તો તેના ગેરફાયદા-નુકસાન આલોકમાં પણ છે, તે બતાવે છે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ३५३ कुलघाताय पाताय, बन्धाय च वधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ૫ ૨૭ ।। અર્થ : જીવોથી નહિ જીતાયેલી ઈન્દ્રિયો કુળના નાશ માટે, પતન માટે, બંધ અને વધના હેતરૂપ થાય છે. ॥ ૨૭ ટીકાર્થ : નહિં વશ કરેલી ઈન્દ્રિયો પ્રાણીઓને કેવા કેવા આલોકના અપાયનું કારણ બને છે, તે જણાવે છે- કુલઘાત એટલે વંશનો ઉચ્છેદ થવો, રાજ્યથી ભ્રષ્ટ બનવું, કેદખાનાના બંધનમાં જકડાવું, પ્રાણ ચાલ્યા જવા. તેમાં કુલઘાત કરનાર રાવણની જેમ, ઈન્દ્રિયો ન જીતવાથી પરસ્ત્રી સાથે ૨મણ કરવાની અભિલાષા કરવાથી રામ-લક્ષ્મણે તેના કુલનો ક્ષય કર્યો, જે હકીકત પહેલાં કહેવાએલી છે. ઈન્દ્રિયો પતન માટે સોદાસની માફક આવી રીતે થાય છે કે, તે રાજ્ય પાલન કરતો હતો, ત્યારે માંસમાં આસક્ત ઈન્દ્રિયવાળો થવાથી તે જુદા જુદા પ્રકારનાં માંસ ખાઈને આત્માને ખુશ કરતો. એક વખત રસોઈયાએ માંસ રાંધી તૈયાર કર્યું, પરંતુ બિલાડી આદિ માંસ ભક્ષણ કરી ગઈ. વળી તે દિવસે શ્રદ્ધાળુ શ્રાવકોએ રાજાને પ્રસન્ન કરી અમારિપડહ દેવરાવ્યો હતો, એટલે જીવવધ ન થવાથી બીજા માંસની પ્રાપ્તિ ન થવાથી કોઈનું બાળક સુલભતાથી મળી ગયું અને તેનું માંસ પીરસીને રસોઈયાએ રાજાને ખુશ કર્યો. રાજાએ એકાંતમાં સોગન આપવા પૂર્વક પૂછ્યું, એટલે રસોઈયાએ બનેલી યથાર્થ હકીકત જણાવી એટલે તે મનુષ્યના માંસમાં અત્યંત આસકત બન્યો. આખા નગરમાં બાળક મનુષ્યોને લેવા માટે સેવકો નિયત કર્યા. નગરલોકોને આ વાતની ખબર પડી, એટલે મંત્રી, નગરલોકો વિગેરે એકીમતે નક્કી કરી મદ્યપાનમાં મૂર્છાવાળા તે રાજાને બાંધી-જકડીને જંગલમાં મૂકી આવ્યા, જિલ્લા ઈન્દ્રિયને વશ થયેલો તે સોદાસ રાજ્યથી, કુળથી, પરિવારથી વિખૂટો પડી જંગલમાં શ્વાપદની માફક દુઃખ ભોગવનાર બન્યો. ઈન્દ્રિયો ચંડપ્રદ્યોતની માફક બંધન માટે થાય છે, ઈન્દ્રિયો રાવણની માફક મૃત્યુ માટે થાય છે, જે પહેલાં કહેવાઈ ગયું છે. અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે == ઈન્દ્રિયોના વિષયોમાં વિવશ બનેલા કોણ વિડંબના પામતા નથી ? અરે ! શાસ્ત્રોના પરમાર્થ જાણનારા પણ બાળક માફક ચેષ્ટા કરે છે. અરે ! આના કરતાં બીજું ચડિયાતું ઈન્દ્રિયોનું ધૃણાસ્થાન કયું પ્રગટ કરવું ? કે જે બન્યું બાહુબલિની ઉપર ભરતે મહાઅસ્ર-ચક્ર ફેંકયું. વળી જે બાહુબલિનો જય અને ભરતનો પરાજય એમ જય અને હાર થયા, તે સર્વ ઈન્દ્રિયોનું નાટક છે. ચરમભવવાળા હોવા છતાં પણ જેઓ શસ્ત્રો અને અસ્ત્રોથી યુદ્ધ કરે છે ! તે ખરેખર દુરન્ત એવી ઈન્દ્રિયોના પ્રભાવથી લજજા પામવાનું થાય છે. પશુઓ અને અજ્ઞાની લોકો ચંડચરિત્રવાળી ઈન્દ્રિયોથી દંડાય, તે સમજી શકાય તેવી હકીકત છે, પરંતુ શાન્તમોહવાળા, પૂર્વના જ્ઞાનવાળા ઈન્દ્રિયોથી દંડાય છે, તે વાત અદ્ભૂત છે. દેવો, દાનવો અને માનવો ઈન્દ્રિયોથી અતિશય પરાભવ પામ્યા છે, પરંતુ ખેદની વાત છે કે બિચારા કેટલાક તપસ્વીઓ હોવા છતાં પણ ઘૃણા કરવા યોગ્ય કાર્યો કરવામાં પાછા પડતા નથી. ઈન્દ્રિયોને વશ પડેલા મનુષ્યો ન ખાવા યોગ્યનું ભક્ષણ કરે છે, ન પીવા યોગ્યનું પાન કરે છે, ન સેવવા યોગ્યનું સેવન કરે છે. ઈન્દ્રિયવશ બનેલા પામરો પોતાનાં કુલ અને શીલનો ત્યાગ કરીને નિર્લજ્જ બની વેશ્યાનાં નીચ કાર્યો અને તેમની ગુલામી પણ કરે છે. મોહથી અંધ બનેલા મનવાળા પુરુષોની પરદ્રવ્યમાં અને પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ છે, તે અસ્વાધીન ઈન્દ્રિયોનું નાટક સમજવું. પ્રાણીઓ જેનાથી હાથ, પગ, ઈન્દ્રિય અને અવયવોના છેદને તથા Page #434 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો. ૨૭-૩૨ 44. મરણને પ્રાપ્ત કરે છે, તેવી ઈન્દ્રિયોને (નવ ગજના) નમસ્કાર હો! જેઓ બીજાઓને વિનય ગ્રહણ કરાવે છે, અને પોતે તો ઈન્દ્રિયોથી પરાભવ પામેલા છે, તેમને વિવેકી પુરૂષો હાથથી મોં ઢાંકીને હસે છે. આ જગતમાં ઈન્દ્રથી માંડીને કીડા સુધીના જે જંતુઓ છે તે સર્વે, એક માત્ર વીતરાગને છોડીને ઈન્દ્રિયોથી પરાભવ પામેલા છે. ।। ૨૭ || ૩૮૩ →→ આ પ્રમાણે સામાન્યથી ઈન્દ્રિયોના દોષો કહીને સ્પર્શન આદિ ઈન્દ્રિયોના દોષો પાંચ શ્લોકોથી કહે છે ३५४ वशास्पर्शसुखास्वाद - प्रसारितकरः करी 1 आलानबन्धनक्लेश-मासादयति तत्क्षणात् ૫ ૨૮ ॥ ३५५ पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम् 1 મેનિસ્ય રેટીનો, મીન: પતિ નિશ્ચિતમ્ ॥ ૨૧ ॥ ३५६ निपतन् मत्तमातङ्ग - कपोले गन्धलोलुपः 1 कर्णतालतलाघाताद्, मृत्युमाप्नोति षट्पदः ॥ ३० ॥ ३५७ कनकच्छेदसङ्काशशिरवाऽऽलोकविमोहितः 1 " रभसेन पतन् दीपे शलभो लभते मृतिम् ॥ ३१ ॥ ३५८ हरिणो हारिणं, गीतिमाकर्णयितुमुद्धरः 1 (પશ્ચમિ: આળાં ધૃષાપસ્ય, યાતિ વ્યાધય વૈધ્યતામ્ ॥ રૂ૨ ॥ કુતમ્) અર્થ : (૧) સ્પર્શેન્દ્રિય : હાથણીના સ્પર્શ-સુખનો આસ્વાદ માણવા સૂંઢ લાંબી કરનારો હાથી તે જ ક્ષણે આલાનસ્થંભના બંધનરૂપ ક્લેશને પામે છે. ॥ ૨૮ ॥ (૨) રસેન્દ્રિય : સમુદ્ર વગેરેના અગાધ પાણીમાં ફરતો માછલો કાંટામાં રહેલા માંસના ટુકડાને ગળતો અને દીન એવો નિશ્ચે માછીમારના હાથમાં આવી જાય છે || ૨૯ || (૩) ઘ્રાણેન્દ્રિય : મદોન્મત્ત હાથીના ગંડસ્થળ ઉપર બેઠેલો ગંધલોલુપી ભમરો કાનના તળિયારૂપ ચપેટાના ઘાતથી મૃત્યુ પામે છે II ૩૦ I (૪) ચક્ષુરિન્દ્રિય : સુવર્ણના છેદ જેવી અગ્નિની શિખાને જોવાથી મુંઝાયેલો પંતગિયો ઉતાવળથી દીવા ઉપર પડતાં જ મૃત્યુ પામે છે ॥ ૩૧ ॥ (૫) શ્રોત્રેન્દ્રિય : મનોહર ગીતને સાંભળવા માટે તત્પર થયેલો હરણ કાન સુધી ખેંચેલા બાણવાળા શિકારીના વીંધવાના લક્ષ્યભૂત બને છે II ૩૨ ॥ ટીકાર્થ : હાથણીનો સ્પર્શ કરવા રૂપ સુખના આસ્વાદ માટે લાંબી કરેલી સૂંઢવાળો હાથી ક્ષણવારમાં હસ્તીશાળાના ખીલે બંધાવાનો કલેશ પ્રાપ્ત કરે છે. પાણીના ઉંડાણમાં વિચરતો મત્સ્ય દોરડા સાથે બાંધેલાં માંસ-ટુકડા સહિત કાંટાનું ભક્ષણ કરવા જતાં બિચારો માછીમારના હાથમાં નક્કી પકડાઈને મૃત્યુ પામે છે. મદવાળા હાથીના ગંડસ્થળમાં ગંધની આસક્તિથી ભમરો ગંધ લેવા ઉડે છે, પરંતુ હાથીના કાન સાથે અથડાવાના ઘાતથી તરત જ ત્યાં મૃત્યુ પામે છે. સુવર્ણના છેદ સરખી દીપશિખાના તેજમાં મૂર્છા પામેલો Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પતંગીયો દીવામાં ઉતાવળથી ઝંપલાવતાં મૃત્યુને આધીન થાય છે. હરણીયું મનોહર ગીત શ્રવણ કરવામાં તન્મય બનેલું હોય, ત્યારે કાન સુધી ખેચેલા બાણવાળા શિકારીનો શિકાર બને છે. || ૨૮-૩ર // ઉપસંહાર કરતા કહે છે३५९ एवं विषय एकैकः, पञ्चत्वाय निषेवितः । कथं हि युगपत् पञ्च, पञ्चत्वाय भवन्ति न ? ॥ ३३ ॥ અર્થ : આ પ્રમાણે સેવન કરાયેલ એક-એક વિષય પણ જો મૃત્યુ માટે થતો હોય, તો એકી સાથે સેવાયેલા પાંચ વિષયો મરણનો હેતુ કેમ ન બને ? || ૩૩ || ટીકાર્થ : એક એક ઈન્દ્રિયના વિષયને સેવનાર મૃત્યુ પામનાર બને છે, તો પછી એક સાથે પાંચે ઈન્દ્રિયોના વિષયોને સેવનાર મૃત્યુ પામનાર કેમ ન બને ? અર્થાત મૃત્યુ પામે જ. કહેલું છે કે- એકેકમાં આસક્ત બનેલાં પાંચ વિનાશ પામે છે પરંતુ એક જ જો પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં મૂઢ બની આસકત બને, તો તે મૃત્યુ પામી ભસ્મીભૂત (રાખરૂપ) થાય છે. // ૩૩ // ઈન્દ્રિયોના દોષો કહીને તેના જય માટે ઉપદેશ આપે છે३६० तदिन्द्रियजयं कुर्याद्, मन:शुद्धया महामतिः । यं विना यमनियमैः, कायक्लेशो वृथा नृणाम् ॥ ३४ ॥ અર્થ : માટે કરીને મહામતિવાળો મુનિ મનની શુદ્ધિથી ઈન્દ્રિયોનો જય કરે, કારણ કે, ઈન્દ્રિયોના જય વગર મનુષ્યોએ કરેલા યમ-નિયમો એ ફોગટ કાયકલેશરૂપ બને છે ! ૩૪ || ટીકાર્થ ઈન્દ્રિયો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારવાળી છે. ચામડી, જીભ, નાસિકા, આંખ અને કાન એ આકારરૂપે પરિણત થયેલી પુદ્ગલ દ્રવ્યરૂપ દ્રવ્ય-ઈન્દ્રિયો છે અને સ્પર્શ, રસ, ગંધ, દર્શન, શ્રવણરૂપ વિષયોની અભિલાષા કરવી, તે રૂપ ભાવ-ઈન્દ્રિયો છે, તેની આસક્તિનો ત્યાગ કરવો, તે રૂપ તેનો જય કરવો. આને લગતા આંતરશ્લોકોનો ભાવાર્થ આ પ્રમાણે : ઈન્દ્રિય-સમુદાયથી પરાભવ પામેલો પ્રાણી અનેક દુઃખોથી પરેશાન થાય છે, માટે સર્વ દુઃખોથી મુક્ત બનવા માટે ઈન્દ્રિયોને વશ કરવી. તેના વિષયોમાં સર્વથા ન પ્રવર્તવું- એ જ ઈન્દ્રિયોનો વિજય નથી, પરંતુ રાગ-દ્વેષ રહિતપણે તેમાં પ્રવૃત્તિ થાય, તો પણ તેનો જય થયો ગણાય. ઈન્દ્રિયોની સમીપમાં રહેલા વિષયોનો સંયોગ ટાળવો અશકય છે, પરંતુ બુદ્ધિશાળી તેના વિષયમાં થતા રાગ-દ્વેષોનો ત્યાગ કરે. સંયમી યોગીઓની ઈન્દ્રિયો હંમેશાં હણાએલી અને વગર હણાએલી હોય છે. હિતકારી સંયમયોગોમાં હણાયા વગરની અને પ્રમાદાદિ અહિત પદાર્થોમાં હણાએલી હોય છે. જિતેલી ઈન્દ્રિયો મોક્ષ આપનાર અને ન જીતેલી ઈન્દ્રિયો સંસારમાં રખડાવનાર થાય છે. બંનેનું અંતર સમજીને જે યુક્ત અને હિતકારી લાગે, તેનો અમલ કર. રૂની તળાઈ આદિના કોમળ સ્પર્શમાં અને પત્થરના કઠોર સ્પર્શમાં થનારી રતિ અને અરતિનો ત્યાગ કરીને તે સ્પર્શ-ઈન્દ્રિયને જિતનારો બન. ભક્ષણ કરવા યોગ્ય સ્વાદિષ્ટ રસમાં અને બીજા વિરસ પદાર્થમાં પ્રીતિ કે અપ્રીતિ કર્યા વગર ઉત્તમ પ્રકારે તું જિલ્લા-ઈન્દ્રિય પર જય પામનારો થા. સુગંધી સ્થાનને પ્રાપ્ત કરી શુભ ગંધમાં કે તેથી વિપરીત દુર્ગધી પ્રાપ્ત કરીને અશુભ ગંધમાં, વસ્તુના પર્યાયો અને Page #436 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૩૩-૩૬ ૩૮૫ * પરિણામો સમજી રાગ-દ્વેષ કર્યા વગર તું નાસિકા-ઈન્દ્રિય પ૨ જય મેળવ. મનોહર મન અને નયનને ગમતું રૂપ નીહાળીને કે તેનાથી વિરુદ્ધ અણગમતું રૂપ જોઈને હર્ષ કે ઘૃણા કર્યા વગર તું નયન-ઈન્દ્રિયનો જય કર. વીણા આદિક વાજિંત્રોના શ્રવણ કરવા યોગ્ય સુસ્વરમાં કે ગધેડા કે ઉંટના દુ:સ્વરમાં રતિ અને અણગમો કર્યા વગર તું કર્મેન્દ્રિયનો જય મેળવ. આ જગતમાં એવો કોઈ મનોહર કે તેથી વિપરીત વિષય નથી, કે જે ઈન્દ્રિયોએ આજ સુધીના તમામ ભવમાં ન અનુભવ્યો હોય, તો પછી તેમાં મધ્યસ્થભાવ કેમ નથી સેવતો ? શુભ વિષયો પણ અશુભપણાને અને અશુભ વિષયો પણ શુભપણાને પામે છે, તો પછી ઈન્દ્રિયોએ કયાં રાગ અને વિરાગ કરવો ? જો હેતુથી તે જ વિષય રુચિ કરવા યોગ્ય કે દ્વેષ કરવા યોગ્ય હોય, તો ભાવોનું શુભાશુભપણું કદાચિત્ તત્ત્વથી હોતું નથી. એ પ્રમાણે વિષયોને આશ્રીને રાગ-દ્વેષનો ત્યાગ કર અને તું ઈન્દ્રિયોના જય માટે અભિલાષાવાળો થા. હવે આ પ્રમાણે દુર્રય એવી ઈન્દ્રિયોના જય માટે અસાધારણ ઉપાય કયો ? તે માટે કહે છે કે મનની નિર્મળતા સાથે બીજા પણ, જેવા કે યમો, નિયમો, વૃદ્ધોની સેવા, શાસ્ત્રાભ્યાસ વગેરે ઇન્દ્રિયજયનાં કારણો છે, પરંતુ અસાધારણ નજીકનું કારણ હોય તો મનની શુદ્ધિ જ છે. બીજાં કારણો એકાન્તક કે આત્યંતિક નથી. મનની નિર્મળતા વગરના યમ-નિયમાદિક હોવા છતાં પણ તે ઈન્દ્રિયજયનાં કારણો બનતાં નથી એ જ વાત કહે છે કે- યમો એટલે પાંચ મહાવ્રતરૂપ, મૂળગુણો, નિયમો એટલે પિંડવિશુદ્ધિ, સમિતિ-ગુપ્તિરૂપ, ઉપલક્ષણથી વૃદ્ધાદિકની સેવા વગેરે કાય-પરિશ્રમ આ સર્વ, મનની શુદ્ધિ વગર પુરૂષોને નિષ્ફળ છે. આ મનની શુદ્ધિ મરુદેવા આદિકની માફક કેટલાકને સ્વભાવથી જ થાય છે, અને કેટલાકોને યમ, નિયમ આદિ ઉપાયોના બળથી નિયંત્રિત કરેલા મનથી થાય છે. ॥ ૩૪ || વગર કબજે કરેલું મન જે કરે છે, તે કહે છે ३६१ मनःक्षपाचरो भ्राम्य-न्नपशङ्कं निरङ्कुशः प्रपातयति संसारा-वर्तगर्ते जगत्त्रयीम् 1 ॥ ૧ ॥ અર્થ : શંકા વિના પરિભ્રમણ કરતો અને નિરકુંશ મનરૂપ રાક્ષસ ત્રણે ય વિશ્વને સંસારરૂપ આવર્તવાળા ખાડામાં પાડે છે. | ૩૫ || ટીકાર્થ : નિરંકુશ મન-નિશાચર નિઃશંકપણે ત્રણે જગતને ભમાવતો સંસાર-આવર્તના ખાડામાં ગબડાવી ધકેલી દે છે. અહિં દ્રવ્ય અને ભાવ એમ મન બે પ્રકારનું છે. તેમાં વિશિષ્ટ આકારમાં પરિણમેલા પુદ્ગલો, તે દ્રવ્યમન છે અને ભાવમન તો તે પુદ્ગલ-દ્રવ્યની ઉપાધિથી થયેલા સંકલ્પરૂપ આત્માના પરિણામ છે. મન એજ સંકલ્પરૂપ રાક્ષસ અવિષયમાં પણ પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળુ હોવાથી, તે તે વિષયમાં સ્વૈર્યનું અવલંબન ન કરનાર હોવાથી ભટકતું મન કેવી રીતે ભટકે છે ? તો કહે છે કે, નિર્ભયપણે, સ્વરૂપભાવનાઓ જેમાંથી ચાલી ગઈ છે, એવું નિરંકુશ મન સંસારરૂપ ચક્કરવાળા ખાડામાં એવી રીતે પાડે છે, જ્યાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ પડે, ત્રણે જગતને એટલે ત્રણે જગતમાં એવો કોઈ જીવ નથી, કે જે નિરંકુશ મન વડે સંસા૨ આવર્તમાં ન પડે. ।। ૩૫ ॥ ફરી પણ અનિયંત્રિત મન-વિષયક દોષ જણાવે છે . ३६२ तप्यमानांस्तपो मुक्तौ, गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः, क्षिपत्यन्यत्र कुत्रचित् ॥ ૬ ॥ Page #437 -------------------------------------------------------------------------- ________________ ❖❖❖❖❖❖ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : ચંચળ એવું ચિત્ત મુક્તિમાં જવાની ભાવનાવાળા તપધર્મને કરનાર જીવોને વાયુના સમૂહની માફક કોઈ અન્ય ગતિમાં જ ફેંકે છે || ૩૬ || ટીકાર્થ ઃ મુક્તિમાં જવાની અભિલાષાથી જ તપ તપતા એવા મનુષ્યોને આ અસ્થિર ચિત્ત એટલે ભાવમન વંટોળીયા માફક ધારેલ સ્થાન કરતાં બીજા કોઈપણ નરકાદિ સ્થાનમાં ફેંકી દે છે. ।। ૩૬ || ફરી પણ અનિયંત્રિત મનના દોષ કહે છે ३६३ अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । ૩૮૬ पद्भ्यां जिगमिषुर्ग्रामं स पङ्गुरिव हस्यते ॥ ३७ ॥ અર્થ : મનની ચપળતાને નહિ રોકનારો જે પુરૂષ યોગની શ્રદ્ધા ધારણ કરે છે, તે બે પગથી ગામમાં જવાની ઈચ્છાવાળા પાંગળા પુરૂષની જેમ હાંસીપાત્ર બને છે ॥ ૩૭ || ટીકાર્થ : લંગડો મનુષ્ય પગે ચાલીને બીજે ગામે જવાની અભિલાષા કરે, તેની માફક હું યોગી છું એવું અભિમાન કરનાર જો મનને ન રોકે તો તેવો યોગી હોવા છતાં વિવેકીઓને હાસ્યપાત્ર થાય છે. પગે ચાલવારૂપ મનનો રોધ અને તેના અભાવમાં લંગડો ગ્રામાન્તર જવાની અભિલાષા કરે, તેના સરખી યોગ-શ્રદ્ધા સમજવી || ૩૭ || મન-નિરોધ ન કરનારને માત્ર યોગ-શ્રદ્ધા નિષ્ફળ છે, એટલું જ નહિ, પરંતુ ઘણાં જ અશુભ પાપકર્મો ઉત્પન્ન થાય છે-એમ ઉત્તરાર્ધથી જણાવે છે અને પૂર્વાર્ધથી મનના નિરોધનું ફળ જણાવે છે ઃ३६४ मनोरोधे निरुध्यन्ते, कर्माण्यपि समन्ततः 1 अनिरुद्धमनस्कस्य, प्रसरन्ति हि तान्यपि ૫ ૨૮ ॥ અર્થ : મનના નિરોધથી (વિષયોથી પાછું ફરવાથી) કર્મોનો પણ સંપૂર્ણ નિરોધ થાય છે, પરંતુ મનનો નિરોધ ન કરનારને તે કર્મો ચાર તરફથી ફ્લાય છે - વૃદ્ધિ પામે છે. II ૩૮ || ટીકાર્થ : વિષયોથી મનનો રોધ કરવાથી, આશ્રવનો નિરોધ કરવાથી, પ્રબળ જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ આવતાં રોકાય છે, કારણ કે કર્મોનો રોધ મનોરોધને આધીન છે. ચાલુ વિષયનો સંબંધ જોડતાં કહે છે કે- વિષયો તરફ જતા મનને ન રોકનાર પુરૂષને તે કર્મો વધારે વૃદ્ધિ પામે છે કારણ કે કર્મ બાંધવાં એ નિરંકુશ મનને આધીન છે. ॥ ૩૮ | માટે આ નિશ્ચય કરીને મનને કબજામાં લાવવા માટે યત્ન કરવો જોઈએ તે વાત જણાવે છે ३६५ मनः कपिरयं विश्व- परिभ्रमणलम्पटः I नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः ॥ ૨૨ | અર્થ : આત્માની મુક્તિને ઈચ્છનારા પુરૂષોએ વિશ્વનાં પરિભ્રમણમાં લંપટ એવા આ મનરૂપ માંકડાનુંવાંદરાનું નિયંત્રણ કરવું. ॥ ૩૯ || ટીકાર્થ : ભાવમન એજ માંકડું- આ વાત દરેકને અનુભવસિદ્ધ છે, મન અને માકડાનું સરખાપણું કહે છે- માકડાઓ જેમ અટવીમાં ભ્રમણ કરે, એમને ભ્રમણ કરતાં કોઈ નિયંત્રણ હોતું નથી, તેમ મન પણ આખા વિશ્વમાં વગર રોક-ટોકે ભ્રમણ કર્યા કરે છે. તેથી કહે છે કે, જુદા જુદા વિષયો પકડી અસ્થિરપણે ભ્રમણ કરવામાં લોલુપ છે તેવા અનિયંત્રિત મનને ચપલતાનો ત્યાગ કરાવી ઉચિત વિષયમાં સ્થાપન કરવું Page #438 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૩૦-૪૨ ૩૮૭ કેવી રીતે ? તો કહે છે- અભ્યાસ કરવા રૂપ પ્રયત્નથી, કોણે ? આત્માની મુક્તિ ઈચ્છનારાઓએ. મનની ચપળતા રોકનાર મુક્તિ સાધી શકવા સમર્થ બની શકે છે. || ૩૦ || હવે ઈન્દ્રિયજયના કારણભૂત મનશુદ્ધિની સ્તુતિ કરે છે__३६६ दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शिनी । एकैव मनसः शुद्धि समाम्नाता मनीषिभिः ॥ ४० ॥ અર્થ : “એકલી મનની શુદ્ધિ જ નિર્વાણપથને દર્શાવનારી તથા સદાકાળ જલતી દીપિકા છે.” એમ પૂર્વાચાર્યોએ ફરમાવ્યું છે. તે ૪૦ || ટીકાર્થ: યમ-નિયમાદિથી રહિત એકલી માત્ર મનની શુદ્ધિ અણઓલવાએલ દીવડી સરખી મોક્ષના માર્ગને દેખાડનારી છે-એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. જ્ઞાન, ધ્યાન, દાન, માન, મન આવા શુભ યોગોમાં હંમેશાં ઉદ્યમવાળો હોય, પણ જો મન નિર્મળ ન હોય તો તે સમગ્ર રાખમાં ઘી હોમવા સમાન સમજવું. ને ૪૦ || અન્વય-વ્યતિરેકથી મન-શુદ્ધિના ગુણાન્તર દેખાડવા દ્વારા ઉપદેશ આપે છે ३६७ सत्यां हि मनसः शुद्धौ सन्त्यसन्तोऽपि यद्गुणाः । सन्तोऽप्यसत्यां नो सन्ति, सैव कार्या बुधैस्ततः ॥ ४१ ॥ અર્થ : મનની શુદ્ધિ હોતે છતે અવિદ્યમાન હોવા છતાં પણ ક્ષમાદિ ગુણોની સમૃદ્ધિની) પ્રાપ્તિ થાય છે અને મનશુદ્ધિ ન હોય તો વિદ્યમાન ગુણો પણ નિષ્ફળ છે. તેથી પ્રાજ્ઞ પુરૂષોએ મનની શુદ્ધિમાં જ યત્ન કરવો. || ૪૧ // ટીકાર્થ: મનની શુદ્ધિ હોય અને બીજા ગુણો ન હોય, તો પણ તેના ફળનો સદ્ભાવ હોવાથી ક્ષત્તિ આદિ ગુણો છે. બીજા ગુણો હોવા છતાં પણ મનની શુદ્ધિ ન હોય તો તે છતાં ગુણો પણ નથી જ, કારણ કે તેના ફળનો અભાવ છે. આમ સુલટા-ઉલટા તર્કના આધારે નિશ્ચિત ફળવાળી મનની શુદ્ધિ વિવેકીઓએ કરવી જોઈએ. | ૪૧ || જેઓ કહે કે- મન-શુદ્ધિની શી જરૂર છે? તપના બળથી અમે મુક્તિ સાધીશું - એમ પ્રતિપાદન કરનારા પ્રત્યે કહે છે ३६८ मनः शुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते, तितीर्षन्ति महार्णवम् ॥ ४२ ॥ અર્થ : મનઃશુદ્ધિને ધારણ નહિ કરનાર જેઓ મુક્તિ માટે તપધર્મને આદરે છે, તેઓ નાવને છોડી બે ભુજા વડે સમુદ્રને તરવાની ઈચ્છા રાખે છે ! | ૪૨ / ટીકાર્થ : મનની શુદ્ધિ કર્યા વગર જેઓ મુક્તિ માટે તપનો પરિશ્રમ અનુભવે છે, તે ખરેખર ગ્રહના વળગાડવાળા કે ગાંડા માણસની માફક પાસે રહેલી નાવડીનો ત્યાગ કરીને બે ભુજાથી મહાસમુદ્રને તરવા, માટે તૈયાર થાય છે. || ૪ર // વળી જેઓ તપ સહિત ધ્યાન એ મુક્તિ આપનાર છે-એમ બોલનારા મનઃશુદ્ધિની ઉપેક્ષા કરે છે અને ધ્યાન જ કર્મ-ક્ષયનું કારણ છે- એમ પ્રતિપાદન કરે છે, તેના પ્રત્યે કહે છે Page #439 -------------------------------------------------------------------------- ________________ 3८८ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ___ ३६९ तपस्विनो मनःशुद्धिविनाभूतस्य सर्वथा । ध्यानं खलु मुधा चक्षु-विकलस्येव दर्पणः ॥ ४३ ॥ અર્થ : જેવી રીતે નેત્ર વિનાના પુરૂષને આરસી નકામી છે, તેવી જ રીતે સહેજ પણ મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન આવવું - પ્રાપ્ત થવું ખરેખર ફોગટ છે || ૪૩ || ટીકાર્થ : આંધળાને જેમ આરસી, તેમ તપસ્વીને મન શુદ્ધિ વગર કરેલું ધ્યાન સર્વથા નિષ્ફળ સમજવું. જો કે મનની શુદ્ધિ વગર તપ અને ધ્યાનના બળથી નવમા સૈવેયક સુધીની ગતિ સંભળાય છે, તો પણ તે પ્રાયિક સમજવી અને રૈવેયકના ફળની ગણતરી જૈનશાસન સ્વીકારતું નથી. મોક્ષ એ જ ફળ માનેલું છે. માટે મનની શુદ્ધિ વગરનું ધ્યાન મોક્ષફળની અપેક્ષાએ ફોગટ સમજવું. જો કે દર્પણ રૂપ જોવાનું સાધન છે, પણ આંખ ન હોય તેને નકામું છે, તેમ ધ્યાન માટે પણ સમજવું. // ૪૩ / હવે ઉપસંહાર કરે છે३७० तदवश्यं मनःशुद्धिः, कर्तव्या सिद्धिमिच्छता । તપ:શ્રતયમપ્રાર્થ: ચૈિ : શાય નૈ. કે ૪૪ છે. અર્થ : તેથી સિદ્ધિપદની અભિલાષા કરનારા પુરૂષે અવશ્ય મનની શુદ્ધિ કરવી. બીજા તપ-જ્ઞાનયમ-નિયમાદિ કાયાને દંડનારા-પીડા આપનારા અનુષ્ઠાનોથી શું | ૪૪ || ટીકાર્થ : માટે મોક્ષાભિલાષી આત્માઓએ મનની શુદ્ધિ અવશ્ય કરવી. અનશનરૂપ તપ, આગમશ્રુત, મહાવ્રતો-યમો અને બીજા નિયમો રૂપ અન્ય અનુષ્ઠાનોના કાયકલશ કરવાથી શો લાભ ? અહીં આ પણ વાત જોડવી- આ મનની શુદ્ધિ કેવી રીતે થાય ? લેગ્યાની વિશુદ્ધિથી મનની નિર્મળતા થાય. લેશ્યાધિકાર વળી લેશ્યાઓ કઈ કઈ ? ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. કાપોત, ૪. તૈજસ, ૫ પદ્મ અને ૬. શુકલબે છ લેશ્યા. તેવા પ્રકારના વર્ણવાળા દ્રવ્યના સહકારથી આત્માના તેના અનુરૂપ પરિણામ. કહેવું છે કેકૃષ્ણ આદિ દ્રવ્યોની સહાયથી આત્માના સ્ફટિક માફક જે પરિણામ પરિણમવા, તેનો વેશ્યા શબ્દથી વ્યવહાર કરાય છે. તેમાં કાળા વર્ણના પુદ્ગલોના સંનિધાનમાં આત્માના અશુદ્ધતમ પરિણામ, તે કૃષ્ણ લેશ્યા. નીલવર્ણવાળા દ્રવ્યોના સંન્નિધાનમાં જે આત્માના અશુદ્ધતર પરિણામ, તે નીલલેશ્યા, કાપોત વર્ણવાળા દ્રવ્યોના સંન્નિધાનથી તેના અનુરૂપ અશુદ્ધ આત્મ પરિણામ તે કાપોતલેશ્યા. તેજોવર્ણવાળા દ્રવ્યના સાંનિધ્યથી તેના અનુરૂપ શુદ્ધ આત્મ-પરિણામ તે તેજોલેશ્યા, પદ્મવર્ણવાળા દ્રવ્યોના સાંનિધ્યથી તેના અનુરૂપ વધારે શુદ્ધ આત્મ-પરિણામ તે પદ્મવેશ્યા, શુક્લવર્ણવાળા દ્રવ્યોના સાંનિધ્યથી એકદમ શુદ્ધ આત્મ-પરિણામ તે શુક્લલેશ્યા, કૃષ્ણ આદિ દ્રવ્યો સમગ્ર કર્મપ્રકૃતિના નિયંદ એટલે સારભૂત છે. તેની ઉપાધિથી ઉત્પન્ન થનારી ભાવલેશ્યા, તે કર્મની સ્થિતિમાં કારણ છે. કહેલું છે કે- તે કૃષ્ણ, નીલ, કાપોત, તૈજસ, પદ્મ અને શુકલ નામની છ લેશ્યાઓ વર્ણન બંધને કરનાર શ્લેષની માફક કર્મબંધની સ્થિતિને ઉત્પન્ન કરનારી છે. (પ્રશ.-૩૮) આ કહેલી વેશ્યાઓ અશુદ્ધતમાં, અશુદ્ધતરા, અશુદ્ધા, શુદ્ધા, શુદ્ધતા અને શુદ્ધતમાં એવા આત્મ-પરિણામવાળી જાંબૂફળ ખાનારના દષ્ટાન્તથી તથા ગ્રામઘાતકના દૃષ્ટાંતથી સમજવી. આ વિષયને સમજાવનારી આગમની ગાથાઓનો અર્થ અહીં કહીએ છીએ Page #440 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૪૩-૪૫ - લેશ્યા સમજવા માટે બે દૃષ્ટાંત ૧. જેમ સારી રીતે પાકેલાં ફળોથી પરિપૂર્ણ, તેથી જેની શાખાઓ નમી ગયેલી છે, એવા પ્રકારનું એક જમ્બુવૃક્ષ છ પુરૂષોના દેખવામાં આવ્યું. ત્યારે તેઓ બોલવા લાગ્યા કે, આ ફળોનું ભક્ષણ કરીએ. કેવી રીતે ? ત્યારે એકે કહ્યું કે, ઉપર ચડીએ તો જીવનું જોખમ છે, માટે મૂળમાંથી છેદી આખું વૃક્ષ પાડીને જાંબુફળ ખાઈએ. બીજા પુરુષે કહ્યું કે, આટલા મોટા આખા વૃક્ષને છેદવાનું આપણને શું પ્રયોજન છે ? માટે એક મોટી ડાળી છેદો. ત્રીજાએ કહ્યું કે, માત્ર નાની ડાળી છેદો. ચોથાએ કહ્યું કે, ફળના ગુચ્છા તોડો. પાંચમાએ માત્ર ફળો અને છઠ્ઠાએ કહ્યું કે, ભોંય પર પડેલાં ફળોને જ માત્ર ગ્રહણ કરીને ખાવ. આ દૃષ્ટાન્તનો ઉપનય કહે છે કે- જેણે કહ્યું કે, વૃક્ષને મૂળમાંથી છેદો, તે કૃષ્ણલેશ્યામાં વર્તે છે. મોટી શાખા કહી હતી, તે નીલલેશ્યામાં, નાની શાખા કહેનાર કાપોતલેશ્યામાં, ગુચ્છા કહેનાર તૈજસ લેશ્યામાં, ફળ કહેનાર પદ્મલેશ્યામાં અને ભૂમિ પર સ્વાભાવિક પડેલાં ફળો લેવાનું કહેનાર શુક્લલેશ્યાવાળો સમજવો. અથવા બીજું ઉદાહરણ કહે છે ૩૮૯ ૨. ચોરો ગામને લૂંટવા માટે વધ કરવા નીકળ્યા. તેમાં એકે કહ્યું કે, ગામમાં જે બે કે ચાર પગવાળા દેખો, તે સર્વનો ઘાત કરો. બીજો કહે કે, એકલા મનુષ્યોને, ત્રીજો કહે, એકલા પુરૂષોને, ચોથો કહે કે, હથીયારવાળા પુરૂષોને, પાંચમો કહે કે, યુદ્ધ કરવા આવે તેને હણો, વળી ત્યાં છઠ્ઠો આ પ્રમાણે કહે છે કે, એકલું માત્ર ધન હરણ કરો, પણ કોઈને મારશો નહિં. માત્ર ધન લઈ લો. તેઓનો ઉપસંહાર આ પ્રમાણે-સર્વને મારો એમ કહેનાર કૃષ્ણલેશ્યાના પરિણામવાળો, આ પ્રમાણે ક્રમસર બાકીના પણ સમજવા. છેલ્લો શુક્લલેશ્યાવાળો છે. આ છમાં પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત અર્થાત્ ખરાબ સમજવી. છેલ્લી ત્રણ પ્રશસ્ત એટલે સારી સમજવી. મનુષ્યોમાં આ પરિવર્તમાન-ફેરફાર થયા કરે છે. તેથી છેલ્લી ત્રણ આત્માને હોય, ત્યારે વિશુદ્ધિ વર્તે છે-એમ કહેવાય. મરણકાળે જે લેશ્યા વર્તતી હોય, તેને અનુરૂપ ગતિમાં આત્મા પ્રયાણ કરે છે- એમ સમજવું છે તેમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યામાં પરિણત જીવ નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે. પીત, પદ્મ અને શુકલલેશ્યામાં પરિણત થયેલો જીવ મનુષ્ય કે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ભગવંતે ફરમાવેલું છે કે-તે માફ, તછેતેમુ વવજ્ઞરૂ જે લેશ્યામાં મૃત્યુ પામે, તેવી લેશ્યાવાળી ગતિમાં ઉત્પન્ન થાય. લૌકિકો પણ કહે છે કે- અન્ત = ભરતશ્રેષ્ઠ ! યા મતિઃ સા ગતિનુંળામ્ । એટલે કે હે ભરતશ્રેષ્ઠ ! અંત વખતે જેવી મતિ હોય, તેવી જીવની ગતિ થાય. અહીં જે મતિ એટલે ચેતનામાત્ર, ત્યારે જેવી મતિ તેવી ગતિ, આ વાત કોની સાથે સંગત થાય ? અશુદ્ધતમ આદિ પરિણામયુકત મતિની વ્યાખ્યા કરાય, ત્યારે આ પરમઋષિનું વચન બરાબર છે. વધારે કહેવાથી સર્યું. આ પ્રમાણે અશુદ્ધ લેશ્યાનો ત્યાગ અને વિશુદ્ધ લેશ્યાનો સ્વીકાર કરવાથી મનની શુદ્ધિ જણાવી. ॥ ૪૪ ॥ હવે મનઃશુદ્ધિ નિમિત્તે બીજો નાનો ઉપાય કહે છે ३७१ मनः शुद्धयै च कर्तव्यो रागद्वेषविनिर्जयः 1 कालुष्यं येन हित्वाऽऽत्मा, स्वस्वरूपेऽवतिष्ठते ॥ ४५ ॥ અર્થ : મનની શુદ્ધિ માટે રાગ-દ્વેષનો વિજય કરવો, જેના યોગે આત્મા અશુદ્ધતાને ત્યજી સ્વ-સ્વરૂપ આત્મસ્વભાવમાં સ્થિર થાય છે ॥ ૪૫ ॥ ટીકાર્થ : આત્મસ્વરૂપ ભાવમનની શુદ્ધિ માટે પ્રીતિ-અપ્રીતિ સ્વરૂપ રાગ-દ્વેષનો નિરોધ કરવો જોઈએ. ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા, ઉદયમાં ન આવેલાને ઉત્પન્ન ન થવા દેવા, તેમ કરવાથી શું થાય ? Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અશુદ્ધતાનો ત્યાગ કરી, ભાવમન સ્વરૂપ આત્મા પોતાની સ્વરૂપ અવસ્થામાં સ્થિર ટકી રહે છે. / ૪૫ // હવે રાગદ્વેષ દુર્વ્યય છે, તે ત્રણ શ્લોકથી સમજાવે છે– ३७२ आत्मायत्तमपि स्वान्तं कुर्वतामपि योगिनाम् । रागादिभिः समाक्रम्य परायत्तं विधीयते ॥ ४६ ॥ અર્થ : જગતમાં ફેલાયેલા રાગાદિ શત્રુઓ સ્વાધીન થયેલા અને તે માટે પ્રયત્ન કરતા એવા પણ યોગીઓના ચિત્તને પોતાના પરાક્રમ દ્વારા પરાધીન બનાવે છે. // ૪૬ || ટીકાર્થ: આ જગતમાં યોગીઓ સરખા પણ પોતાના સ્વાધીન એવા મનને જીતવા માટે પ્રયત્ન કરવા છતાં રાગ, દ્વેષ, મોહથી દબાઈને ક્ષણમાં રક્ત, દ્વેષી અને મૂઢતાવાળું પરાધીન કરી નાખે છે. / ૪૬ ! તથા ३७३ रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनाग् मिषम् । પિશાચ રૂવ રાદ-છત્રન્તિ મુહુર્ખદુઃ ૪૭ | અર્થ : પિશાચ જેવા રાગાદિ દોષો અલ્પ છળને પામીને રક્ષણ કરાતા મનને પણ વારંવાર પોતાને આધીન કરે છે - પરવશ બનાવે છે. || ૪૭ || ટીકાર્થ : ભાવમનનું યમ-નિયમાદિ વડે રક્ષણ કરવા છતાં પણ, કંઈક પ્રમાદને આગળ કરીને વારંવાર પિશાચોની માફક રાગાદિક યોગીઓના મનને છળે છે. મંત્ર-તંત્રાદિકથી પિશાચોથી રક્ષણ કરવા છતાં પણ છળ પ્રાપ્ત કરીને પિશાચો સાધકને પરવશ બનાવે છે, તેવી રીતે રાગાદિ પિશાચો પણ યોગીઓનાં મનને છળે છે. || ૪૭ || તથા३७४ रागादितिमिरध्वस्त-ज्ञानेन मनसा जनः । अन्धेनान्धइवाऽऽकृष्टः पात्यते नरकावटे અર્થ : જેમ અંધપુરૂષ દ્વારા ખેંચાતો – લઈ જવાતો આંધળો કૂવામાં પડાય છે. તેમ રાગાદિ રૂપ અંધકારથી નાશ પામેલા જ્ઞાનરૂપ નેત્રવાળાં મન વડે ખેંચાયેલો ધર્મીલોક નરકરૂપ (અંધારા) કૂવામાં પડાય છે. અર્થાત્ અજ્ઞાન નરકમાં લઈ જનારું છે. / ૪૮ | ટીકાર્થ : રાગાદિક સમ્યગ્દર્શનનો વિઘાત કરનારા છે, અંધકાર આંખને ઉપદ્રવ કરનાર છે તેમ રાગાદિક અંધકારથી તત્ત્વ-શ્રદ્ધા અને જ્ઞાન જેમનાં નાશ પામ્યા છે, તેવા પ્રકારનો સમ્યગ્દર્શન અને જ્ઞાન વગરનો યોગી મનથી ખેંચાઈને નરકરૂપ કૂવામાં પડે છે. કોની માફક ? આંધળાથી જેમ આંધળો, રાગાદિક વડે અંધ કરાયેલો-એ માનસિક રીતે અંધ જ છે. અહીં આંધળો જ માર્ગદર્શક હોવાથી, તેથી કરીને અંધ ખેંચાય, તો કૂવામાં જ પટકાય, તેમ મન વડે અંધ મનુષ્ય પણ નરકરૂપ કૂવામાં પડે છે. આંતરશ્લોકોનો ભાવાર્થ કહેવાય છે દ્રવ્યાદિકમાં રતિ-પ્રીતિ થાય, તે રાગ કહેવાય. તેમાં જ અરતિ-અપ્રીતિ થાય, તેને પંડિતપુરૂષો દ્વેષ કહે છે. સર્વ જીવોને આ રાગ-દ્વેષ એ બે મહાબંધન અને સર્વદુઃખોરૂપી વૃક્ષોનાં મૂળ અને કંદ કહેલાં છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૪૬-૫૦ ૩૯૧ 4 જો આ જગતમાં રાગ અને દ્વેષ બે ન હોત, તો સુખમા કોણ વિસ્મય અને હર્ષ પામત ? તથા દુઃખમાં કોણ દીન બનત ? અને મોક્ષ કોણ ન મેળવત ? રાગ વગરનો એકલો દ્વેષ હોતો નથી અને દ્વેષ વગરનો રાગ હોતો નથી. બેમાંથી ગમે તે એકનો ત્યાગ થાય, તો બંનેનો ત્યાગ થયેલો ગણાય. કામ વિગેરે દોષો રાગના સેવકો છે અને મિથ્યાભિમાન આદિને દ્વેષનો પરિવાર છે. તે રાગ અને દ્વેષના પિતા, બીજ, નાયક, ૫૨મેશ્વર, તે બંનેથી અભિન્ન, તે બંનેથી રક્ષાએલ અને સર્વ દોષોનો દાદો હોય તો મોહ છે. આ પ્રમાણે આ ત્રણ જ દોષો છે, આ સિવાય બીજો કોઈ દોષ નથી, તેઓથી આ જગતના સર્વ જંતુઓ ભવસમુદ્રમાં ભ્રમણ કરી રહેલા છે. સ્વભાવે તો આ જીવ સ્ફટિકરત્ન સરખો તદ્દન નિર્મળ છે, પરંતુ આ રાગાદિકની ઉપાધિઓથી તે રાગાદિક સ્વરૂપવાળો ઓળખાય છે. અહો ! આ દેખતાં હરણ કરનારા રાગાદિક ચોરો વડે આ વિશ્વ અરાજક થયું છે કે જે જીવોનું સર્વસ્વરૂપે રહેલું સર્વ જ્ઞાન હરણ કરે છે. નિગોદોમાં જે જીવો છે, તથા જે જીવો નજીકમાં મુક્તિગામી છે, તે સર્વ જીવોને વિષે આ મોહાર્દિકની નિષ્કરુણ સેના પડે છે. શું તેમને મુક્તિ સાથે, કે મુક્તિની ઇચ્છાવાળા સાથે વેર છે ? કે તેઓ બંનેના થતા યોગને રોકે છે ? દોષો ક્ષય કરવામાં સમર્થ અરિહંતોની શું ઉપેક્ષા કે ક્ષમા છે કે જેઓએ જગતને બાળી નાખનાર એવી દોષરૂપી આગને શાન્ત ન કરી ? વાઘ, સર્પ, જળ અને અગ્નિથી મુનિ ભય પામતા નથી, તેમ બંને લોકમાં અપકાર કરનાર રાગાદિકથી પણ મુનિ ભય પામતા નથી. ખરેખર જેની પડખે રાગ, દ્વેષરૂપ સિંહ અને વાઘ રહેલા છે, એવા પ્રકારનો અતિસંકટવાળો માર્ગ યોગીઓએ સ્વીકાર્યો છે. || ૪૮ ॥ હવે રાગ-દ્વેષનો જય કરવાના ઉપાયનો ઉપદેશ આપે છે ३७५ अस्ततन्द्रैरतः पुम्भि- र्निर्वाणपदकाङ्क्षिभिः ' વિધાતવ્ય: સમત્વન, રાગ-દ્વેષદ્વિષજ્ન્મય: ॥ ૪૧ || અર્થ : આ જ કારણે નિર્વાણપદની અભિલાષાવાળા અને અપ્રમાદી એવા પુરૂષોએ સમભાવથી રાગદ્વેષરૂપ શત્રુઓનો જય કરવો. ॥ ૪૯ || ટીકાર્થ : રાગ-દ્વેષ આવા પ્રકારના છે, માટે નિર્વાણપદના અભિલાષી એવા પરાક્રમી યોગીપુરુષોએ રાગ, દ્વેષ એ ઉપતાપ કરાવનાર હોવાથી શત્રુભૂત છે, તેનો માધ્યસ્થ્યભાવથી પરાભવ કરવો જોઈએ. || ૪૯ || રાગ-દ્વેષનો જય કરવા સામ્ય ઉપાય જેવા પ્રકારનો છે, તે કહે છે ३७६ अमन्दानन्दजनने, साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥ ૧ ॥ અર્થ : અત્યંત આનંદને ઉત્પન્ન કરનાર સમતારૂપ પાણીમાં સ્નાન કરનારાં પુરૂષોનાં રાગદ્વેષ રૂપ મેલ જલ્દીથી નાશ પામે છે. || ૫૦ || ટીકાર્થ : જેમ જળમાં સ્નાન કરનારનો મેલ દૂર થાય છે, તેમ અતિશય આનંદ ઉત્પન્ન કરાવનાર સામ્ય-સમતાભાવ, તે આત્માને અત્યંત શીતળ કરનાર હોવાથી જળસ્વરૂપ છે, તેમાં સ્નાન કરવાથી પુરૂષોના રાગ-દ્વેષરૂપ મળનો એકદમ ક્ષય થાય છે. સામ્યભાવમાં લીન થનારના રાગ-દ્વેષ બંને ક્ષય પામે છે. || ૫૦ || Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સામ્યભાવ માત્ર એકલા રાગ, દ્વેષને જ દૂર કરનાર છે, એમ નથી, પરંતુ સર્વ કર્મોને પણ દૂર કરનાર છે, તે કહે છે ३७७ प्रणिहन्ति क्षणार्धेन, साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्र-तपसा जन्मकोटिभिः ॥ ५१ ॥ અર્થ : મનુષ્ય કરોડો જન્મમાં આદરેલા તીવ્રતપથી જે કર્મને ખપાવતો નથી. તે કર્મને ક્ષણાર્ધ - એક અંતર્મુહર્તકાળની સમતાના આલંબનથી - આધારથી ક્ષય કરે છે. મેં પ૧ || ટીકાર્થ : જ્ઞાનાવરણીયાદી જે કર્મ, ક્રોડો જન્મ સુધી અનશનાદિ રૂપ તીવ્ર તપશ્ચર્યા કરીને સમતા વગર ખપાવી શકાતું નથી, તેવું કર્મ સમતાનું આલંબન કરીને અંતર્મુહૂર્તમાં ખપાવી નાશ કરી શકાય છે. | ૫૧ છે. સામ્ય અંતર્મુહૂર્તમાં કેવી રીતે સર્વ કર્મ દૂર કરાવનાર થાય છે, તે કહે છે३७८ कर्म जीवं च संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः । વિમિનીને સાથ, સામયિક્ષશતાય છે છે અર્થ: આત્મસ્વરૂપનો જ્ઞાતા થયેલો સાધુ જોડાયેલા જીવ અને કર્મને સામાયિકરૂપ શલાકાથી-સળીથી જુદા કરે છે || પર | ટીકાર્થ : જીવ અને કર્મ બંનેનો સંયોગ થયો છે, બંને જુદા છે, એક નથી-એવા પ્રકારનો આત્મનિશ્ચય જેણે જાણેલો છે, તેવા પ્રકારનો મુનિ સામાયિકરૂપી સળી વડે જીવ અને કર્મને જુદા પાડે છે. સામાયિક સમભાવ એ જ વાંસ વગેરેની સળી, તેનાથી ચોટેલા જીવ અને કર્મને છૂટા પાડે, જેમ ચીકાશવાળાં દ્રવ્યો સાથે ચોંટેલાં પાત્રાદિક શલાકા-સળી વડે જુદાં કરાય છે, તેવી રીતે જીવ અને કર્મનો પણ તાદામ્ય સંબંધ સામાયિકથી જુદો પાડી શકાય છે. આનું જ નામ કર્મક્ષય કહેવાય. કોઈ દિવસ પુદગલોનો આયન્તિકસર્વથા ક્ષય નથી, કારણ તે દ્રવ્ય નિત્ય છે. આત્માથી કર્મ-પુદ્ગલો જુદાં પડી જાય, તેને કર્મનો ક્ષય થયોએમ કહેવાય છે. શંકા કરે છે કે, સાધુ સામાયિક-શલાકાથી કર્મો છૂટાં પાડે છે-એ તો માત્ર વાણીનો વિલાસ છે, તેના સમાધાનમાં જણાવે છે કે- આત્મજ્ઞાનનો અભ્યાસ કરતાં, તેવા પ્રકારનાં આવરણકર્મ દૂર થવાથી જેણે આત્મ-નિર્ણય સારી રીતે જાણેલો-અનુભવેલો છે, તેવા પ્રકારનો આત્મા જીવ અને કર્મને સામાયિક-શલાકાથી જુદા પાડે છે. તથા ફરી ફરી સ્વસંવેદન-આત્માનુભવથી આત્માનો નિશ્ચય દઢ કરે છે કે, “આત્મસ્વરૂપથી આત્મસ્વરૂપને આવનારા કર્મો ભિન્નસ્વરૂપવાળાં છે અને તે પરમ સામાયિકના બળથી નિર્ભરે છે- વિખૂટાં પાડે છે. // પર // આત્મનિશ્ચય-બળથી એકલાં કર્મોને જ જુદાં કરે છે, એમ નહિ, પરંતુ આત્માને પરમાત્મ-દર્શન સુધી પણ પહોંચાડે છે, તે કહે છે ३७९ रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना । स्वस्मिन् - स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥ ५३ ॥ અર્થ : યોગીપુરૂષો સામાયિકરૂપ સૂર્યથી રાગાદિ-અંધકારનો નાશ કરીને આત્મામાં જ પરમાત્માના સ્વરૂપને જુએ છે, દેખે છે. / પ૩ || Page #444 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૫૧-૫૪ ૩૯૩ ટીકાર્થ : સામાયિકરૂપી સૂર્ય વડે રાગાદિક અંધકારનો નાશ થવાથી યોગીપુરૂષો પોતામાં જ પરમાત્મસ્વરૂપનાં દર્શન કરે છે. રાગાદિક આત્મ-સ્વરૂપનો રોધ કરતા હોવાથી, રાગાદિક એજ અંધકાર, તેનો સામાયિકરૂપ સૂર્ય નાશ કરનાર છે. એટલે દરેક આત્મામાં પરમાત્મસ્વરૂપ સ્વાભાવિક રહેલું છે, તેને તેવા યોગી પુરૂષો દેખે છે. તત્ત્વથી વિચારીએ તો, સર્વે આત્મા પરમાત્મા જ છે, દરેકમાં કેવલજ્ઞાનના અંશો રહેલા જ છે. આગમમાં પરમ મહર્ષિઓએ કહેલું છે કે -, “સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ હંમેશાં આવરણ વગરનો ખુલ્લો-ઉઘાડો હોય છે જ.” (નન્દી સૂ. ૭૭) માત્ર રાગાદિક દોષોથી કલુષિત થયેલ હોવાથી સાક્ષાત્ પરમાત્મ-સ્વરૂપ પ્રગટ જણાતું નથી. સામાયિકરૂપી સૂર્યનો પ્રકાશ થવાથી, રાગાદિક અંધકાર દૂર થવાથી આત્મામાં જ પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય છે. || પ૩ // હવે સામ્યનો પ્રભાવ વર્ણવે છે३८० स्निह्यन्ति जन्तवो नित्यं, वैरिणोऽपि परस्परम् । अपि स्वार्थकृते साम्य-भाजः साधोः प्रभावतः ॥ ५४ ॥ અર્થ : સદાકાળ વૈરી પ્રાણીઓ, સ્વાર્થનું નિમિત્ત હોવા છતાં સમતાશાળી સાધુના પ્રભાવથી પરસ્પર સ્નેહ કરે છે, મૈત્રી કરે છે. || ૫૪ | ટીકાર્થ જો કે સ્વાર્થ-નિમિત્તે સામાયિક કરેલું હોવા છતાં પણ સામ્યયુક્ત સાધુના પ્રભાવથી જન્મથી નિરર્થક વૈરવાળા સર્પ - નોળીયા, મૃગ કે સિંહ એવા હિંસક પ્રાણીઓ, વિરોધી વૈરવાળા જીવો પણ એકબીજા જાનવરો પ્રત્યે સ્નેહ કરે છે, મૈત્રી બાંધે છે. કહેવાનું તાત્પર્ય કે સામ્યનો આવા પ્રકારનો પ્રભાવ છે કે, પોતે પોતાના નિમિત્તે સામ્ય કરેલું છે, પરંતુ નિત્ય વૈરી એવા બીજાઓમાં પણ મૈત્રીભાવ પ્રગટ થાય છે જે માટે પંડિતો સ્તુતિ કરે છે કે- “હે દેવ! હાથી કેસરીનો પગ સૂંઢથી ખેંચીને કપોલસ્થળ સાથે ખંજવાળે છે, સર્પ નોળિયાનો માર્ગ રોકીને ઉભો રહેલો છે. મોં ફાડીને વિશાળ મુખ-ગુફા તૈયાર કરી છે એવા વાઘને મૃગલું વારંવાર વિશ્વાસથી સુંઘે છે. જ્યાં આવા કૂર પશુઓ પણ શાન્તમનવાળા બની જાય છે, એવા તમારા સામ્યસ્થાનની-સમવસરણ ભૂમિની હું પ્રાર્થના કરું છું. લૌકિકો પણ સામ્યવાળા યોગીઓની સ્તુતિ આ પ્રમાણે કરે છે કે તેમની-યોગીઓની સમીપમાં વૈરનો ત્યાગ થાય છે' (પાતંજલ - ર/૩૫) આંતરશ્લોકાર્ધ કહેવાય છે ચેતન કે અચેતન પદાર્થોમાં, ઈષ્ટ કે અનિષ્ટપણે જેનું મન મુંઝાતું નથી, તે સામ્ય કહેવાય છે. કોઈક આવી ગોશીર્ષ-ચંદનનો શરીરે લેપ કરે, કે કોઈક વાંસલાથી ભુજાઓ છે, તો પણ ચિત્તવૃત્તિ ભેદવાળીરાગ-દ્વેષવાળી ન થાય, તે અનુત્તર સામ્ય કહેવાય. કોઈ તમારી સ્તુતિ કરે, તો તમને પ્રીતિ ન થાય, અને શ્રાપ આપે, તો વેષ ન થાય, પરંતુ બંને તરફ સમાન ચિત્ત રહે, તો તે સામ્યનું અવગાહન કરે છે. જેમાં કંઈક હવન, તપ કે દાન કરવું પડતું નથી, ખરેખર આ નિવૃત્તિની નિમૂલ્ય ખરીદી સામ્યમાત્રથી જ થાય છે. ઉત્કૃષ્ટ અને આકરા પ્રયત્નવાળી રાગાદિકની ઉપાસના કરવાથી સર્યું, કારણ કે વગર પ્રયત્ન મળનારું આ મનોહર અને સુખ આપનાર સામ્ય છે, તેનો તું આશ્રય કર. પરોક્ષ પદાર્થ ન માનનાર નાસ્તિક, સ્વર્ગ અને મોક્ષને નહિ માનશે, પણ સ્વાનુભવ-જન્ય સામ્ય-સુખનો તે અપલાપ નહિ કરે. કવિઓના પ્રલાપમાં રૂઢ થયેલ એવા અમૃતમાં કેમ મુંઝાય છે ? હે મૂઢ ! આત્મસંવેદ્ય રસરૂપ સામ્યામૃત-રસાયનનું તું પાન કર. ખાવા લાયક, ચાટવા લાયક, ચૂસવા લાયક, પીવા લાયક રસોથી વિમુખ બનેલા હોવા છતાં પણ યતિઓ વારંવાર સ્વેચ્છાએ સામ્યામૃતરસનું પાન કરે છે. કંઠપીઠ પર સર્પ કે કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા લટકતી Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હોય તો પણ જેને અપ્રીતિ કે પ્રીતિ હોતી નથી તે સમતાનો સ્વામી છે. આ સામ્ય કોઈ ગૂઢ કે કોઈ આચાર્યની મુષ્ટિરૂપ ઉપદેશ કે બીજું કંઈ પણ નથી. બાળક હોય કે પંડિત હોય, બંને માટે એક સામ્ય જ ભવ-રોગ મટાડનાર ઔષધ છે. શાંત એવા પણ યોગીઓનું આ અત્યંત ક્રૂર કર્મ છે કે, તેઓ સામ્યશસ્ત્ર વડે રાગ વગેરેનાં કુળોને હણે છે ! સમભાવના આ પરમ પ્રભાવની તમે પ્રતીતિ કરી કે, જે ક્ષણવારમાં પ્રાણીઓને પણ પરમસ્થાન પ્રાપ્ત કરાવે છે. જે સમભાવની હાજરીમાં રત્નત્રયી સફલતાને પામે છે અને સમભાવની ગેરહાજરીમાં નિષ્ફળ નીવડે છે, તેવા મહાબળવાળા તે સમભાવને નમસ્કાર થાઓ. સર્વ શાસ્ત્રોનું અને તેના અર્થોનું અવગાહન કરીને મોટા શબ્દોથી બૂમ પાડીને તમને જણાવું છું કે, આ લોક કે પરલોકમાં પોતાનું કે બીજાનું સામ્ય સિવાય બીજું કોઈ સુખ કરનાર નથી. ઉપસર્ગોના પ્રસંગમાં કે મૃત્યુ-સમયે, તે કાલોચિત સામ્ય સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાગ-દ્વેષ આદિ શત્રુઓનો નાશ કરવામાં નિપુણ એવી સામ્ય-સામ્રાજ્યલક્ષ્મીનું સેવન કરીને અનેક પ્રાણીઓ શાશ્વત શુભગતિરૂપ અને પદવીને પામ્યા છે, તેથી કરી આ મનુષ્યપણું સફળ બનાવવાની ઈચ્છાવાળાએ નિઃસીમ સુખ-સમુદાયથી ભરપૂર એવા આ સામ્યમાં પ્રમાદ ન કરવો. | પ૪ || શંકા કરી કે, સર્વ દોષોનું નિવારણ કરવાનું કારણ સમત્વ એ અમે સમજ્યા. અમે પ્રસન્ન થયા છીએ. જો તે સામ્ય પ્રતિ કોઈ ઉપાય હોય અને તે ઉપાયના પણ બીજા ઉપાયો હોય અને તે સહજ કરી શકાય તેવા હોય, તો અમે આકાંક્ષા વગરના થઈ આનંદ પામીએ-એમ મનમાં વિચારીને બે શ્લોકો જણાવે છે ३८१ साम्यं स्याद् निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । अनित्यताशरणं भवमेकत्वमन्यताम् ३८२ अशौचमाश्रवविधिं संवरं कर्मनिर्जराम् । __ धर्मस्वाख्याततां लोकं, द्वादशी बोधिभावनाम् ॥ ५६ ॥ અર્થ : સમતાની પ્રાપ્તિ નિર્મમત્વથી થાય છે તથા નિર્મમત્વને પામવા બાર ભાવનાઓનો આશ્રય કરવો. તે ભાવનાઓ આ મુજબ છે. (૧) અનિત્ય-ભાવના (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિત (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) ધર્મવાખ્યાત (૧૧) લોક અને (૧૨) બોધિદુર્લભ ભાવના. || પપ-પ૬ || ટીકાર્થ : જેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે એવું સામ્ય નિર્મમત્વ ઉપાયથી થાય છે. શંકા કરી કે, સામ્ય અને નિર્મમત્વ એમાં શો તફાવત ? સમાધાન કરે છે કે-રાગ-દ્વેષ બંનેના પ્રતિપક્ષભૂત સામ્ય છે અને નિર્મમત્વ તો એકલા રાગનો પ્રતિપક્ષ છે. માટે બંને દોષનું નિવારણ કરવા માટે સામ્ય કરવાની ઈચ્છા કરી. એટલે બલવત્તર રાગના પ્રતિપક્ષભૂત નિર્મમત્વ ઉપાય પણ અંદર સમાઈ જાય છે. જેમ બળવાન સેના હોય, તેમાં કોઈ બળવાનનો વિનાશ થયો, એટલે બીજાનો પણ વિનાશ કરતાં મુશીબત પડતી નથી, તેવી રીતે રાગનો નિગ્રહ હેતુ નિર્મમત્વ તે હીનબળવાળા દ્વેષાદિકના વિનાશ માટે થાય છે, માટે વધારેથી સર્યું. નિર્મમત્વનો ઉપાય બતાવે છે તે નિર્મમત્વ નિમિત્તે યોગી અનુપ્રેક્ષા-ભાવનાઓનો આશ્રય કરે. એ ભાવનાઓ નામથી કહે છે Page #446 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૫૫-૫૯ 4444 બાર ભાવનાઓ ૧. અનિત્યભાવના, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશૌચ, ૭ આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. ધર્મસ્વાખ્યાતતા, ૧૧. લોક, અને ૧૨ બોધિભાવના. ॥ ૫૫-૫૬ ॥ ‘તે આ પ્રમાણે' એમ કહીને પ્રથમ અનિત્યભાવનાનું સ્વરૂપ બતાવે છે ३८३ यत्प्रातस्तन्न मध्याह्ने यन्मध्याह्ने न तन्निशि ' निरीक्ष्यते भवेऽस्मिन् ही ! पदार्थानामनित्यता ॥ ५७ ॥ ३८४ शरीरं देहिनां सर्व-पुरुषार्थनिबन्धनम् I प्रचण्डपवनोद्धूत-घनाघनविनश्वरम् ३८५ कल्लोलचपला लक्ष्मी: संगमाः स्वप्नसंनिभाः । ૩૯૫ ॥ ૧૮ ॥ वात्याव्यतिकरोत्क्षिप्त- तूलतुल्यं च यौवनम् ॥ ५९ ॥ અર્થ : જે પદાર્થો સવારે છે, તે મધ્યાહ્નકાળમાં નથી. જે મધ્યાહ્નમાં છે, તે રાત્રિમાં નથી. ખરેખર, આ સંસારમાં પદાર્થોની અનિત્યતા દેખાય છે. || ૫૭ || સર્વ પુરુષાર્થના હેતુભૂત જીવોનું શરીર પ્રચંડ પવનથી વિખરાયેલા વાદળ જેવું વિનશ્વર છે. ॥ ૫૮ ॥ સંપત્તિ સમુદ્રના મોજાં જેવી ચપળ છે, સંયોગો સ્વપ્ન જેવા છે અને યૌવન પુષ્કળ પવનથી ઊંચે ફેંકાયેલા કપાસ તુલ્ય છે. ॥ ૫૯ ॥ ટીકાર્થ : જે સવારે હોય છે, તે મધ્યાહ્ને હોતું નથી. મધ્યાહ્ને હોય, તે રાત્રે હોતું નથી. આ ભવમાં જ આમ પદાર્થોની અનિત્યતા દેખાય છે. દરેક દેહધારીઓને આ શરીર સર્વ પુરુષાર્થોનું કારણ છે, પરંતુ તે શરીર તો પ્રચંડ વાયરાથી વિખરાએલા મેઘની માફક નાશ પામવાના સ્વભાવવાળું છે. પાણીનાં મોજાં સરખી લક્ષ્મી ચપળ છે. સંગમો સ્વપ્ન જેવા છે. અને યૌવન વંટોળીઆએ ઉડાડેલા રૂ સરખું ચપળ છે. આને લગતા આંત૨ શ્લોકોનો અર્થ જણાવે છે પોતાથી કે બીજાથી સર્વ દિશાઓથી આપત્તિઓ આવ્યા જ કરે છે. યમરાજાના દાંતના ચોકઠામાં રહેલા જંતુઓ કષ્ટથી જીવી રહેલા છે. ચક્રવર્તી, ઈન્દ્રાદિકના વજ્ર સરખા શરીરમાં પણ અનિત્યતા રહેલી છે, તો પછી કેળના ગર્ભ સરખા અસાર શરીરવાળાઓની કથા કરવાની જ કયાં રહી ? જે અસાર એવા શરીરમાં રહેવાની ઈચ્છા કરે છે તે ખરેખર જીર્ણ, સડી ગયેલાં સૂકાં પાંદડાંના બનાવેલા ચાડીયા પુરૂષના શરીરમાં રહેવા જેવી અભિલાષા કરે છે. મરણરૂપ વાઘના મુખ-કોટરમાં રહેલા શરીરધારીઓને મંત્ર-તંત્ર કે ઔષધ રક્ષણ કરવા સમર્થ નથી. વૃદ્ધિ પામતા જીવને પ્રથમ વૃદ્ધાવસ્થા અને ત્યાર પછી યમરાજા કોળીયો કરવાની ઉતાવળ કરે છે. ધિક્કાર થાઓ આ જીવોના જન્મોને ! યમરાજાને આધીન આ જીવને બરાબર જાણી લેવાય તો એક કોળીયો પણ ગ્રહણ કેવી રીતે કરાય ? પછી પાપકર્મ વિષયની વાત જ કયાં રહી? જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થઈ થઈને વિનાશ પામે છે, તેમ ક્ષણવારમાં જ પ્રાણીઓનાં શરીરો ઉત્પન્ન થઈ વિનાશ પામે છે. ધનવાન કે દરિદ્ર, રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, સજ્જન કે દુર્જનને એકસરખી રીતે હરણ કરવા માટે યમરાજા પ્રવર્તે છે. તેને ગુણોમાં દાક્ષિણ્ય નથી, દોષોમાં દ્વેષ નથી. જેમ દવાગ્નિ અરણ્યોને, તેમ યમરાજા લોકોનો વિનાશ કરે છે. કુશાસ્ત્રોમાં મુંઝાએલો તું એવી શંકા ન કરીશ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કે, કોઈપણ ઉપાયથી કાયા આપત્તિ વગરની થાય. જેઓ મેરુપર્વતને દંડ અને પૃથ્વીને છત્રરૂપ બનાવવા સમર્થ છે, તેઓ પણ પોતાને કે બીજાને મૃત્યુથી બચાવવા સમર્થ નથી. કીડાથી માંડી દેવેન્દ્ર સુધી કોઈપણ ડાહ્યો માણસ કદાપિ એમ નહિ બોલે કે, “યમરાજાના શાસનમાં હું કાલને વંચન કરીશ.” વળી બુદ્ધિશાળીઓ યૌવનને પણ અનિત્ય જ માને. કારણ કે, બળ અને રૂપનું હરણ કરનાર વૃદ્ધાવસ્થા તેને જર્જરિત કરી નાંખે છે. યૌવન વયમાં જે કામિનીઓ કામની ઈચ્છાથી તમારી અભિલાષા કરતી હતી તે વૃદ્ધાવસ્થામાં અત્યંત ધૂત્કાર કરતી તમારો ત્યાગ કરે છે. જે ધન ઘણા જ કલેશ-પૂર્વક ઉપાર્જન કર્યું, ભોગવ્યા વગર રક્ષણ કર્યું, એવું ધનિકોનું ધન ક્ષણવારમાં નાશ પામે છે. આ ધનને ફીણની, પરપોટાની કે વીજળીની શાની ઉપમા આપવી ? કે, જે દેખતાં જ તરત અવશ્ય નાશ પામે છે. મિત્રો, બંધુઓ કે પોતાના સંબંધીઓ સાથેના સમાગમો પણ વિયોગવાળા જ છે. પોતાનો કે બીજાનો નાશ થાય, વિકૃતિ થાય કે અપકારમાં વિયોગ થાય. આ પ્રમાણે હંમેશાં અનિત્યતાને વિચારનાર આત્મા પુત્ર મૃત્યુ પામે તો પણ શોક ન કરે. નિત્યતાના ગ્રહ-વળગાડવાળા મૂઢ તો ભીંત ભાંગે તો પણ રૂદન કરવા લાગે. આ જગતમાં જીવોને આ શરીર, ધન, યૌવન, બાંધવો વગેરે માત્ર અનિત્ય નથી, પરંતુ સચેતન અને અચેતન સમગ્ર વિશ્વ પણ ઉત્પત્તિ ધર્મવાળું હોઈ અનિત્ય છે-એમ સન્ત પુરૂષો કહે છે. તે પ૭-૫૮-૫૯ // અનિત્યભાવનાનો ઉપસંહાર કરતા ઉપદેશ આપે છે३८६ इत्यनित्यं जगद्वृतं स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय, निर्ममत्वाय चिन्तयेत् ॥६० ॥ અર્થ : સ્થિર ચિત્તવાળા પુરૂષે આ મુજબ રાગરૂપ કાળોતરા સાપને માટે તંત્રતંત્ર સમાન નિર્મમતાને મેળવવા માટે અનિત્ય એવા જગતના સ્વરૂપનું પ્રતિક્ષણ ચિંતવન કરવું જોઈએ. || ૬૦ || ટીકાર્ય : આ પ્રમાણે સ્થિર ચિત્તવાળો બની નિર્મમત્વ મેળવવા માટે દરેક ક્ષણે જગતનું અનિત્ય સ્વરૂપ ચિંતવે, નિર્મમત્વ કેવું? તે કહે છે- તૃષ્ણા એટલે રાગ, તે જ કાળો સર્પ, તેના માટે મંત્ર-સમાન એવું નિર્મમત્વ. ૬૦ અનિત્યભાવના કહી. હવે અશરણભાવના કહે છે३८७ इन्द्रोपेन्द्रादयोऽप्येते यन्मृत्योर्यान्ति गोचरम् ।। મહો ! તેવત : શરષઃ શરીરિUTIK ? | ઘ | અર્થ : અહો ! ઇન્દ્ર વાસુદેવાદિ સઘળાય જે મૃત્યુને વશ થાય છે, તે મૃત્યુનો ભય પેદા થાય ત્યારે જીવોને શરણરૂપ કોણ ? | ૬૧ || ટીકાર્થ ઃ ઈન્દ્ર, વાસુદેવ, દેવતાઓ, મનુષ્યો વિગેરેને મૃત્યુને આધીન થવું પડે છે. આ કારણથી અંતસમયે જીવોને કોણ શરણભૂત થાય? અર્થાત્ ઈન્દ્ર સરખાને પણ મરણ સમયે કોઈ શરણભૂત થતું નથી. || ૬૧ // તથા ३८८ पितुर्मातुः स्वसुर्धातु-स्तनयानां च पश्यताम् । __ अत्राणो नीयते जन्तुः, कर्मभिर्यमसद्मनि ॥ ६२ ॥ અર્થ: આ અશરણ આત્મા કર્મો દ્વારા પિતા-માતા-ભગિની-બ્રાતા અને પુત્રોનાં દેખતાં જ યમરાજાનાં Page #448 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૦-૬૪ ૩૯૭ ઘરમાં લઈ જવાય છે. || ૬૨ // ટીકાર્થ : પિતા, માતા, બહેન, ભાઈ કે પુત્રનો અનાદર કરીને શરણવગરનો જીવ શુભાશુભ કર્મ વડે યમરાજાને ત્યાં લઈ જવાય છે. લોકોની વાત પ્રમાણે આમ બોલાય છે. વાસ્તવિક તો ચતુર્ગતિરૂપ સંસારમાં પોતાના કર્મના અનુસાર તે તે ગતિમાં લઈ જવાય છે. || ૬૨ / તથા३८९ शोचन्ति स्वजनानन्तं नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति नात्मानं मूढबुद्धयः ॥ ६३ ॥ અર્થઃ મૂઢ બુદ્ધિવાળા મનુષ્યો સ્વ-કર્મો વડે મૃત્યુ અવસ્થાને પામતા સ્વજનોનો શોક કરે છે, પરંતુ સ્વ-કર્મથી મૃત્યુ પામનારા પોતાના આત્માનો શોક નથી કરતાં. / ૬૩ // ટીકાર્થ : મૂઢ બુદ્ધિ મનુષ્યો પોતાનાં કર્મો વડે અંત (મૃત્યુ) તરફ લઈ જવાતા સ્વજનોનો શોક કરે છે, પરંતુ ભવિષ્યમાં પોતાને તે તરફ લઈ જવાશે, તેનો શોક કરતા નથી. / ૬૩ / ३९० संसारे दुःखदावाग्नि-ज्वलज्ज्वालाकरालिते । वने मृगार्भकस्येव, शरणं नास्ति देहिनः ॥ ६४ ॥ અર્થ : વનમાં રહેલા હરણના બચ્ચાની જેમ દુઃખ-દાવાગ્નિની બળતી જ્વાળાઓથી ભયંકર એવા આ સંસારમાં જીવોને કોઈનું શરણ નથી. | ૬૪ || ટીકાર્થ : દુઃખરૂપી દાવાગ્નિની જવાલાઓથી ભયંકર એવા સંસારરૂપી વનમાં મૃગબચ્ચાંની માફક જીવને કોઈનું શરણ નથી. મૃગબાળક એટલા માટે કહ્યું કે, સિંહ મૃગલાના ટોળામાંથી ભોળા બાળકને ખેંચી જાય, ત્યારે કોઈ પણ તેને શરણ બની બચાવી શકતું નથી. અશરણભાવના જણાવી. આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે : અષ્ટાંગભેદવાળું આયુર્વેદ, જીવન આપનાર ઔષધિઓ, મૃત્યુંજય આદિ મંત્રો વડે મૃત્યુથી કોઈ બચાવી શકાતું નથી, ચારે બાજુ ખુલ્લી તરવારનું પાંજરું તૈયાર કર્યું હોય, અને ચતુરંગ સેના વીંટળાઈને રક્ષણ કરતી હોય, એવો રક્ષાએલો રાજા પણ રંકની માફક બળાત્કારથી યમસેવકો વડે ખેંચીને લઈ જવાય છે. પાણીના મધ્યભાગમાં રહેલા સ્તંભના ઉપલા ભાગમાં રાખેલા પાંજરામાં સુરક્ષિત રાખેલા રાજાના પ્રિયપુત્રને મૃત્યુ ખેંચી જાય, પછી બીજાની વાત કયાં કરવી ? સગર ચક્રવર્તીના સાઠહજાર પુત્રોને શરણરહિતપણે જ્વલનમભદેવે તૃણમાફક ક્ષણવારમાં સામટા બાળી નાખ્યા ! યમસરખા પાલકે સ્કંદકાચાર્યને જકડીને તેમના પાંચસો શિષ્યોને આચાર્યના દેખતાં જ ઘાણીમાં પીલીને મારી નાખ્યા ! ત્યારે તેઓને કોઈ શરણભૂત ન થયું. જેમ પશુઓ મૃત્યુનો પ્રતિકાર જાણતા નથી, તેમ પંડિત થવા છતાં પણ મૃત્યુનો પ્રતિકાર જાણતા નથી, તેવી મૂઢતાને ધિક્કાર હો ! કેટલાક એવા પરાક્રમી હોય છે કે, માત્ર એક તરવારથી પૃથ્વીને નિષ્ફટક બનાવે છે, પરંતુ તેવા પણ યમરાજાની ભૂકુટીની ભયંકર રચનાથી ભય પામી મુખમાં આંગળી કરડે છે ! ઈન્દ્રમહારાજાએ પણ જેને નેહથી ભેટીને પોતાના અર્ધાસને બેસાડયા, એવા શ્રેણિકરાજા પણ શરણ વગરના થઈ ન સાંભળી શકાય તેવી ખરાબ દશાને પામ્યા. અસિધારા સરખા વ્રત પાલન કરનારા મુનિઓ, કે જેઓ જીવનમાં પાપ કરતા નથી, પવિત્ર હોવા છતાં પણ તેઓ મરણનો પ્રતિકાર કરવા સમર્થ નથી. ખરેખર, આ જગત શરણ વગરનું, અરાજક, નાયક વગરનું છે. તેનો કોઈ પ્રતિકાર કરી શકતું Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નથી અને યમરાક્ષસ વડે તેનો કોળીયો થયા કરે છે. વળી, જે ધર્મ પ્રતિકાર ગણાય છે, તે પણ મરણનો પ્રતિકાર નથી, તે શુભ ગતિ આપનાર કે શુભ ગતિનો કર્તા ગણાય છે. આ પ્રમાણે નિઃશંકપણે બ્રહ્માથી માંડી કીડા સુધીના તમામ જીવોવાળા આખા જગતનો કોળીયો કરતો ત્રણે લોકમાં ભયંકર એવો યમરાજા કોઈ પ્રકારે થાકતો નથી. આના પ્રતિકાર કાર્યમાં ઈન્દ્ર પણ સમર્થ નથી. ખરેખર, અશરણ એવું આખું જગત તેનાથી પરેશાન થયું છે. અશરણભાવના કહી / ૬૪ || હવે ત્રણ શ્લોકોથી સંસારભાવના કહે છે___३९१ श्रोत्रियः श्वपचः स्वामी, पत्तिर्ब्रह्मा कृमिश्च सः ।। સંસારનાઢ્ય નરવત્ સંસારી દત્ત ! ઘેeતે છે | અર્થ : વેદવેત્તા, ચાંડાલ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કીડાના ભવને પામતો તે સંસારી આત્મા સંસારનાટકમાં નટની જેમ વિવિધ ચેષ્ટા કરે છે / ૬૫ / ટીકાર્થ : વિવિધ યોનિમાં રખડવું, તે રૂ૫ નાટક. સંસારીજીવ વિવિધ ચેષ્ટા કરીને નટની માફક નાટક કરે છે. વેદ-પારગામી બ્રાહ્મણ હોય તે ચામડાં ચૂંથનાર ચંડાળ થાય છે, સ્વામી હોય તે સેવક અને બ્રહ્મા એ કૃમિરૂપે થાય છે. જેમ નાટકીયો જુદા જુદા વેશ ભજવે છે, તેમ વિચિત્ર કર્મ-ઉપાધિથી બ્રાહ્મણાદિકને કહેલી સ્થિતિ અનુભવવી પડે છે. પરમાર્થથી તેનું રૂપ તેવા પ્રકારનું નથી || ૬૫ | તથા३९२ न याति कतमां योनि, कतमां वा न मुञ्चति । संसारी कर्मसम्बन्धा-दवक्रयकुटीमिव ॥ ६६ ॥ અર્થ : સંસારી જીવ કર્મના સંબંધને કારણે ભાડૂતી ઝુંપડાની જેમ કઈ યોનિમાં જતો નથી અને કઈ યોનિને મૂકતો નથી ? || ૬૬ | ટીકાર્થ : સંસારી જીવ આ સંસારમાં એકેન્દ્રિયાદિક ચોરાશી લાખ યોનિમાંથી કઈ યોનિમાં નથી ગયો? અને તેણે કઈ યોનિનો ત્યાગ કર્યો નથી ? અર્થાત્ સર્વયોનિમાં ગયો છે અને તે છોડી છે. તેવા પ્રકારના કર્મ-સંબંધથી ભાડાની ઝૂંપડી માફક. તેવા પ્રકારના કોઈ ઉપયોગ-કારણે ગૃહસ્થ એક ઝુંપડી ભ રાખે. જરૂર ન હોય ત્યારે તે છોડી દે અને બીજામાં પ્રવેશ કરે. એમ નિયત કર્મના ઉપયોગ માટે એક યોનિમાં જીવ પ્રવેશ કરે અને તેવાં કર્મને ભોગવ્યા પછી તેને છોડી દે અને બીજી યોનિ પકડે, ફરી તેનો ત્યાગ કરે, પણ કોઈ નિયત યોનિ પકડી રાખી શકતો નથી. || ૬૬ || તથી ३९३ समस्तलोकाकाशेऽपि नानारूपैः, स्वकर्मतः । वालाग्रमपि तन्नास्ति यन्न स्पृष्टं शरीरिभिः ॥ ६७ ॥ અર્થ : જીવોએ સ્વ-કર્મના યોગે અનેક રૂપ વડે સર્વ લોકાકાશમાં તે કોઈ વાલાઝ-સૂક્ષ્મ વાળ જેટલું સ્થાન નથી કે જેને સ્પર્શ ન કર્યો હોય. / ૬૭ | ટીકાર્થ : સમગ્ર ચૌદરાજ લોકાકાશમાં વાલાઝ જેટલો પણ પ્રદેશ નથી, જેને જીવોએ જુદાં જુદાં પોતાનાં કર્મથી પ્રાપ્ત કરેલાં શરીરો વડે જન્મતાં અને મરતાં સ્પર્શ કર્યો ન હોય. Page #450 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૫-૬૭ ૩૯૯ અહીં આકાશ બે પ્રકારનું લોકાકાશ અને અલોકાકાશ. જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલોનો સંભવ છે, તે લોકાકાશ અને તે સિવાયનું અલોકાકાશ. કહેવું છે કે- “ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની વૃત્તિ જે ક્ષેત્રમાં હોય, તે દ્રવ્યસહિત લોક કહેવાય અને એથી વિપરીત, તે અલોક કહેવાય', સૂક્ષ્મ બાદર, પ્રત્યક, સાધારણરૂપ એકેન્દ્રિયના ભેદોથી તથા બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જુદા જુદા ભેદવાળા જીવો, પોતાના કર્મથી, નહિ કે ઈશ્વરાદિકની પ્રેરણાથી સમગ્ર લોકાકાશને જન્મ-મરણ દ્વારા સ્પર્શ કર્યો છે. બીજાઓ કહે છે કે “અજ્ઞાની જીવ પોતાના સુખ-દુઃખના વિષયમાં અસમર્થ છે, તેથી ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગમાં કે નરકમાં જાય છે' (મહાભારત ૩૧-૨૭) તેમાં ઈશ્વરની પ્રેરણા જો કર્મથી નિરપેક્ષ માનવમાં આવે, તો વિશ્વનું વિવિધરૂપ વિલય પામે. કર્મની સાપેક્ષતા માનીએ તો ઈશ્વરની અસ્વતંત્રતા કે નિષ્ફળતા થાય. કર્મો જ માત્ર પ્રેરક છે, વચમાં ઈશ્વરની શી જરૂર છે ? વિતરાગસ્તોત્ર ૭પ માં અમે કહેલું જ છે કે, “કર્મની અપેક્ષાએ કર્તા જો ઈશ્વર માનીએ, તો તે અમારી માફક સ્વતંત્ર નથી અને જગતનું વૈચિત્ર્ય કર્મથી સ્વીકારીએ તો પછી વચ્ચે એ શિખંડી (નપુંસક)નું શું પ્રયોજન છે ? અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ કહેવાય છે :નારકીગતિનાં દુઃખો ઘણા ભાગે જેમાં ઘણાં દુ:ખો રહેલાં છે. કર્મના સંબંધથી પીડા પામતા સંસારી જીવોના નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતારૂપ ચાર ભેદો કહેલા છે. પ્રથમની ત્રણ નરકમાં ઉષ્ણવેદના, બાકીની ચારમાં શીતવેદના, ચોથીમાં શીત અને ઉષ્ણવેદના, નારકીના જીવોને આ પ્રમાણે ક્ષેત્રથી ઉત્પન્ન થયેલું દુઃખ હોય છે. ઉષ્ણ અને શીત વેદનાવાળી નરકમાં કદાચ જો લોહનો પર્વત પડે, તો તે ભૂમિ સુધી પહોંચ્યા પહેલાં જ ઓગળી કે વિખરાઈ જાય. વળી નારકીના જીવો માંહોમાંહે એક-બીજાને દુઃખની ઉદીરણા કરે છે, તેમજ પરમાધાર્મિક દેવો વડે દુઃખ અપાતા તે જીવો ત્રણ પ્રકારના દુ:ખની પીડા પામતા નરકમૃથ્વીમાં વાસ કરે છે. કુંભીયંત્રમાં ઉત્પન્ન થયેલા તે નારકી જીવોને તે અસુરો બળાત્કારથી નાના દ્વારમાંથી સીસાની સળી માફક બહાર ખેંચી કાઢે છે. ધોબીઓ જેમ શિલાપીઠ ઉપર કપડાને ઝીંકે, તેમ પરમાધામીઓ હાથ, પગ વગેરે પકડીને વજન કાંટાવાળી શિલા ઉપર અફાળે છે. જેમ કરવત વડે લાકડાં વિદારણ કરાય, તેમ ભયંકર કરવતથી તે નારકીઓને દેવો વિદારે છે. તેમ જ જેમ તલ પીસીને ઘાણીમાંથી તેલ કઢાય, તેમ યંત્રોથી તે જીવોને પીલે છે. તૃષાથી પીડાતા તેમને બિચારાને વળી તપાવેલા સીસા કે તાંબાના રસ વહેતી વૈતરણી નદીમાં વહેવડાવે છે. તડકામાં દાઝતાં છાંયડામાં જવાની અભિલાષા કરે, તો અસિવનમાં છાંયડામાં પહોંચતાં જ ઉપરથી તલવારની ધાર સરખાં પાંદડાં પડવાથી તેમના શરીરના તલ સરખા સેકડો ટુકડા થઈ જાય છે. પહેલાના ભવોમાં પારકી સ્ત્રી સાથેના રમણ-પ્રસંગો યાદ આપીને વજ કાંટાવાળી શાલ્મલી વૃક્ષની ડાળીઓ તથા તપાવેલી લોહ-પૂતળીઓ સાથે આલિંગન કરાવે છે. પહેલાનાં માંસ ખાવાના પ્રસંગો યાદ આપીને તથા મદિરા-વ્યસનની લોલુપતા જણાવીને તેમને પોતાનાં અંગોમાંથી માંસ કાપીને ખવડાવે છે તથા તપાવેલા સીસાના રસનું પાન કરાવે છે. અંગારામાં શેકાવું, દડા માફક છાળવું, મહાશૂળીમાં ભોંકાવું, કુંભીપાકની વેદના, ઉકળતા તેલમાં તળાવું, ગરમ રેતીમાં પાણી માફક ભુંજાવુ ઈત્યાદિક સતત વેદનાઓ પરાધીનતાએ પાપકર્મી આત્માઓને નરકમાં રડતાં રડતાં અનુભવવી પડે છે. બગલા, કંકપક્ષી ઈત્યાદિ હિંસક પક્ષીઓ તેમનાં શરીરને છિન્ન-ભિન્ન કરી નાખે છે, આંખ વિગેરે ઈન્દ્રિયો પણ ખેંચી કાઢે છે, તેમના છૂટા પડેલા શરીરના અવયવો પાછા ભેગા મળી જાય છે આ પ્રમાણે મહાદુઃખથી હણાએલા સુખના અંશથી વર્જિત જીવો તેત્રીસ સાગરોપમ જેટલો લાંબો કાળ નરકમાં પસાર કરે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તિર્યચ-ગતિનાં દુઃખો તિર્યંચ ગતિ પામેલા કેટલાક એકેન્દ્રિયમાં પૃથ્વીકાયપણું પામે છે. હળ વગેરે શસ્ત્રોથી ખોદાવું, હાથીઓથી, ઘોડાઓથી ચગદાયું, જળ-પ્રવાહથી ભીંજાવું, દવાગ્નિથી બળવું, લવણ, ખટાશ, મૂત્રાદિક જળથી વ્યથા પામવી. તથા લવણજળમાં તથા ઉકળતા પાણીમાં કઢાવું, કુંભાર વગેરે નીભાડામાં અગ્નિથી પકાવે, ત્યારે ઘડા, ઈંટ, તાવડી વગેરે રૂપમાં પકાવું, કાદવરૂપ બનતાં તેને ભીંતમાં ચણી લેવાય છે. કેટલાક પુથ્વીકાય, જેવા કે હીરા, રત્ન, પાનાં વગેરેને સરાણ પર ઘસાવું પડે છે. માટીની કડલીમાં સવર્ણને ગાળે ત્યારે અગ્નિમાં દાઝવું પડે. તેમ જ સખત પત્થરોને ટાંકણાથી વિદારાવું પડે અને નદીના પૂરથી પર્વતોને ભેદાવું પડે છે. અપૂકાયપણું પામીને સૂર્યનાં ઉષ્ણ કિરણોમાં તપાવું પડે, હિમમાં બરફ બની થીજાવું પડે, ધૂળમાં શોષાવું પડે, ખારાં, ખાટાં, વિજાતીય જળ પરસ્પર એકઠાં થવાથી તથા હાંડલીમાં રંધાઈને અને તૃષાવાળાઓ વડે પીવાથી અપકાય જીવો મૃત્યુ પામે છે. અગ્નિપણું પામેલા જીવોને જળાદિકથી ઓલવાવું, ઘણ આદિથી કૂટાવું, ઈન્દ્રણાદિકથી બળવું ઈત્યાદિક અગ્નિકાયની વેદના છે. વાયુકાયપણાને તા જીવો વીંજણા-પંખાદિકથી હણાય છે, શીત ઉષ્ણ આદિ દ્રવ્યોના યોગથી ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે. જુદી જુદી પૂર્વાદિ દિશાઓના સર્વે વાયુકાયના જીવો પરસ્પર એકઠા થવાથી વિરાધના પામે છે મુખ, નાસિકા આદિના વાયુવડે વિરાધના થાય છે, તથા સર્પાદિકથી પાન કરાય છે. કન્દ વગેરે દસ પ્રકારનું વનસ્પતિપણું પામેલા એકેન્દ્રિય જીવો છેદાવું, ભેદાવું, અગ્નિના યોગથી રંધાવું, સુકાવું, પીલાવું, અન્યોઅન્ય ઘસાવું, ક્ષારાદિકથી દઝાવું-બળવું અને ખાનારા વડે આહારરૂપ બનવું, સર્વ અવસ્થામાં ખવાવું, ભુજનારા વડે ભુંજાવું, દાવાનલથી રાખોડારૂપ બનવું, નદી-પ્રવાહથી મૂળમાંથી ઉખડી જવું, સર્વ વનસ્પતિઓ સર્વ જીવોને ભોજનરૂપ બનનારી છે, તેથી સર્વ પ્રકારનાં શસ્ત્રો વડે હંમેશાં કલેશ-પરંપરા અનુભવે છે. બેઈન્દ્રિયપણામાં પણ તપવું પડે છે, પોરાઓ પાણી સાથે પીવાય છે, કૃમિઓ પગ વડે હૂંદાય છે, ચકલા, કૂકડાદિક વડે ભક્ષણ કરાય છે. શંખાદિક ખોદી નંખાય છે અને જળો નીચોવાય છે, ઔષધ વિગેરેથી પેટનાં કરમીયાં આદિને પાડીને મારી નંખાય છે ત્રણઈન્દ્રિયપણું પામેલા જીવો જૂ, માંકડ આદિક મસળાવું, શરીરથી દબાઈ જવું, તડકામાં તપવું, ઉષ્ણજળમાં દાઝવું, કીડીઓ પગથી ચંપાય, અગર સાવરણીથી સાફ કરતાં કચરા સાથે વળાવું, ન દેખાય તેવા કુંથુઆ આદીને આસન આદિથી ચગદાઈ જવું પડે છે ઈત્યાદિ વેદના અને મરણ-દુઃખ અનુભવવાં. ચારઈન્દ્રિયવાળા જીવો જેવા કે મધમાખો, ભમરા આદીને મધ ભક્ષણ કરનારાઓ લાકડી,ઢેફાં વિગેરેથી તાડન કરી વિરાધના કરે છે, તાડના પંખા આદિકથી ડાંસ, મચ્છર આદિકને તાડન કરે છે. તથા ગીરોલી, ગોધા આદિ માખ, મંકોડા આદિનું ભક્ષણ કરે છે, પંચેન્દ્રિય જળચર જીવો ઉત્સુકતાથી એક-બીજાને મત્સ્યગલાગલ ન્યાયે ખાઈ જાય છે તથા માછીમારો જાળમાં પકડે છે અને બગલાઓ માછલીઓને ગળી જાય છે. ચામડી ઉખેડીને, તેના માંસની વાનગીઓ બનાવી ખાય છે અને ચરબીના અર્થીઓ તેમાંથી ચરબી કાઢી લે છે. સ્થળચરમાં ઉત્પન્ન થયેલા નિર્બળ મૃગલા વગેરે બળવાન સિંહ આદિથી માંસ ખાવાની ઈચ્છાથી મારી નંખાય છે. શિકાર કરવાના વ્યસનીઓ તેમાં આસક્ત બનેલાં, કેટલાક ક્રીડાના શોખથી, કેટલાક માંસની ઈચ્છાથી તેવા તેવા ઉપાયો કરીને અપરાધ વગરના તે પ્રાણીઓની હિંસા કરે છે. આ બિચારા સ્થળચર પશુઓ ભૂખ, તરસ, ઠંડી, તાપ, અતિભાર ઉંચકવો, ચાબુક, અંકુશ, પરોણી આદિની વેદના અને માર સહન કરે છે. આકાશમાં ઉડનારા પક્ષીઓ તેતર, પોપટ, પારેવા, ચકલા વિગેરે સીંચાણા, બાજ, ગીધ આદિક માંસભક્ષી પક્ષીઓથી ભક્ષણ કરાય છે. માંસલુબ્ધ કસાઈઓ, શિકારીઓ વિવિધ ઉપાયોથી અને પ્રપંચથી વિવિધ વેદનાઓ કરવા વડે તેઓને Page #452 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૭ ૪૦૧ પકડે છે અને હણે છે. આ બિચારા રાંકડા તિર્યંચોને જળ, અગ્નિ, શસ્ત્રાદિથી થનારા ભય સર્વ બાજુથી હોય છે, તેમના પોતપોતાના કર્મબંધના કારણભૂત કેટલાકનું વર્ણન કરવું ? મનુષ્યગતિનાં દુઃખો મનુષ્યપણામાં અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ તેવાં તેવાં પાપકર્મો કરે છે, જે બોલવાં પણ શકય નથી. આર્યદેશમાં જન્મવા છતાં પણ ચાંડાલ, ભંગી અને કસાઈઓ પાપકર્મો કરે છે અને દુઃખો અનુભવે છે. આર્યવંશમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ અનાર્યની ચેષ્ટા કરનારા, દુઃખ, દારિયે, દુર્ભાગ્યથી બળી-ઝળી રહેલા દુઃખ ભોગવે છે. પારકી સંપત્તિથી પોતાની સંપત્તિ ઓછી દેખીને પારકી ગુલામી કરવાથી મનમાં દૂભાતા માનવીઓ દુઃખેથી જીવે છે. રોગ, વૃદ્ધાવસ્થા, મરણાદિ દુઃખોથી ઘેરાયેલા નીચકર્મ કરવાથી કદર્શન પામેલા તેવા તેવા પ્રકારની દયામણી દુઃખ-દશા પામે છે. વૃદ્ધાવસ્થા, રોગ, મરણ, ગુલામી તેવા દુઃખ કરનારા નથી, જેટલો નરકાવાસ જેવો ગર્ભાવાસ છે. યોનિયંત્રમાંથી જ્યારે બહાર નીકળે છે, તે સમયે જે દુઃખાનુભવ થાય છે, તે ખરેખર ગર્ભાવાસના દુઃખ કરતાં પણ અનંતગણું દુઃખ છે. બાળપણમાં મૂતરમાં અને વિષ્ટામાં આળોટવાનું, યૌવનમાં મૈથુનની ચેષ્ટાઓ અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ, દમ, ઉધરસ, આદિથી આ જીવ લજ્જા પામતો નથી. પ્રથમ વયમાં વિષ્ટાનો ભુંડ, પછી મદનનો ગધેડો, પછી ઘરડો બેલ-આ પુરૂષ તે કદાપિ પુરૂષ હોતો નથી ! આ મૂર્ખ મનુષ્ય બાલ્યકાળમાં માતાના મુખ તરફ નજર કરનારો, યૌવનમાં યુવતીનાં મુખ જોનારો અને વૃદ્ધભાવમાં પુત્રાદિકનાં મુખ જોનારો થાય છે, પરંતુ કદાપિ અંતર્મુખ-આત્મ-સન્મુખ થતો નથી. ધનની આશામાં વ્યાકુળ બનેલો આ જીવ નોકરી, ખેતી, વેપાર, પશુપાલન આદિ કાર્યમાં પોતાનો જન્મ નિષ્ફળ બનાવે છે. કોઈક વખત ચોરી, કોઈ વખત જુગાર, કોઈ વખત ની સાથે દુર્જનતા કરવી, વગેરે આ મનુષ્યોને ફરી ભવ-ભ્રમણનાં કારણો સેવવાં પડે છે. સુખી થયો હોય તો કામવિલાસમાં, દુ:ખીપણામાં દૈન્ય અને રુદન કરવામાં, મોહબ્ધ પુરૂષો પોતાનો જન્મ પસાર કરે છે. પરંતુ તેમને ધર્મકાર્ય સુઝતું નથી. ક્ષણમાં અનંતકર્મ-સમૂહનો ક્ષય કરવા સમર્થ મનુષ્યપણું પ્રાપ્ત કરીને પાપી આત્માઓ પાપો કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોના આધારભૂત મનુષ્યપણું પામીને ખરેખર સુવર્ણના ભાજનમાં સુરાની ઉપમાવાળા પાપકર્મને સેવે છે. સંસાર-સમુદ્રમાં રહેલા જીવે કોઈ પ્રકારે મહામુશીબતે ધૂંસરું અને ખીલીના યોગ માફક ચિંતામણિરત્નથી અધિક મનુષ્યપણું મેળવ્યું, પરંતુ તે કાગડો ઉડાડવા માટે ફેંકેલા રત્નની માફક હારી જાય છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ મનુષ્યપણું પામવા છતાં પણ નરકાદિકની પ્રાપ્તિના ઉપાયભૂત કાર્યો કરવા માટે મનુષ્ય તૈયાર થાય છે. અનુત્તરવિમાનવાસી દેવતાઓ પણ જે મનુષ્યગતિ માટે પ્રયત્ન-પૂર્વક આશા રાખે છે, પરંતુ પાપી મનુષ્યો તે મનુષ્યપણાનો પાપમાં જ ઉપયોગ કરે છે. નરકનાં દુઃખ પરોક્ષ છે, નરજન્મમાં તો પ્રત્યક્ષ છે, તેનો પ્રપંચ વિસ્તારથી કેવી રીતે વર્ણવવો ? દેવગતિનાં દુઃખો શોક, ક્રોધ, વિષાદ, ઈર્ષા, દૈન્ય આદિથી હણાએલી બુદ્ધિવાળા દેવોમાં પણ દુ:ખનું સામ્રાજ્ય વર્તી રહેલું છે. બીજાની મોટી સમૃદ્ધિ દેખીને પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ અલ્પ સુકૃત જાણીને દેવો લાંબા કાળ સુધી તેનો શોક કરે છે. બીજા બળવાને પાછો પાડયો હોય, તેનો પ્રતિકાર કરવા માટે અસમર્થ થયો હોય, ત્યારે તીણ ક્રોધ-શલ્યથી હણાએલો મનમાં નિરંતર દુભાયા કરે છે કે મેં આગળ કંઈ સુકૃત કર્યું નથી, તેથી Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અહિ હુકમ ઉઠાવનાર સેવક દેવ થયો અને બીજાઓની વધારે વધારે સમૃદ્ધિ દેખી દેવો વિષાદ પામે છે. બીજા દેવોનાં વિમાનો, દેવીઓ, રત્નો અને ઉપવનોની સંપત્તિ દેખીને આખી જીંદગી સુધી સળગતી ઈર્ષ્યા-અગ્નિની જ્વાળાઓથી શેકાયા કરે છે. “હા, પ્રાણેશ ! હે દેવ ! મારા પર પ્રસન્ન થાવ' એમ ગગદાક્ષરે બીજાથી લૂંટાયા હોય અને સર્વ સમૃદ્ધિ ગુમાવી હોય, ત્યારે દીનવૃત્તિવાળા કરગરે છે. તે કાંદર્ષિક આદિ દેવોએ પુણ્યથી સ્વર્ગ પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ કામ, ક્રોધ અને ભયથી પીડા પામતા સ્વસ્થતાને પામતા નથી. તે દેવલોકમાંથી ચ્યવી જવાનાં ચિહ્નો દેખીને વિલાપ કરે છે કે, હવે અહીંથી વિલય પામી કયાં ગર્ભમાં સ્થાન પામીશું ? તે આ પ્રમાણે- કલ્પવૃક્ષમાં ઉત્પન્ન થયેલી, કદી નહીં કરમાતી એવી પુષ્પમાળા દેવોના વદન-કમળ સાથે જ કરમાવા માંડે છે. હૃદય સાથે સમગ્ર સંધિ-બંધનો ઢીલાં પડે છે અને મહાબળવાળાથી પણ ન કંપે તેવા કલ્પવૃક્ષો ધ્રૂજવા માંડે છે, અકાલ–સમયે સ્વીકારેલી પ્રિયાની સાથે જ જાણે હોય તેવી શોભા અને લજ્જા ગુનો કરેલા દેવતા માફક છોડીને ચાલી જાય છે વસ્ત્રોની નિર્મળ શોભા ક્ષણવારમાં મલિન બની જાય છે. અકસ્માત ફેલાતા શ્યામ મેઘવડે જેમ આકાશ, તેમ પાપવડે નિસ્તેજ બની જાય છે. જે દીનતા વગરના હતા, તે દીનતાયુક્ત, નિદ્રા વગરના પણ નિદ્રાયુક્ત, મૃત્યકાળ કીડીઓને પાંખ આવે તેમ દીનતા અને નિદ્રાનો આશ્રય કરે છે, ન્યાય ધર્મનું ઉલ્લંઘન કરીને વિષયોમાં અતિરાગ કરનારા થાય છે અને યત્નપૂર્વક કરવાની ઈચ્છાવાળા અપથ્યને પણ ઈચ્છે છે. ભાવિ દુર્ગતિ થવાની છે અને તેની વેદનામાં વિવશ બનેલા માફક નીરોગી હોવા છતાં પણ સર્વ અંગોના અને ઉપાંગોના સાંધાઓ તૂટે છે, અકસ્માત્ પદાર્થ સમજવાની પટુબુદ્ધિ પણ ચાલી જાય છે અને બીજાની સંપત્તિનો ઉત્કર્ષ દેખવા માટે પણ અસમર્થ બની જાય છે. હવે ભાવમાં ગર્ભાવાસનું દુઃખ આવવાનું છે, તેના ભયથી હોય તેમ પોતાનાં અંગોને કંપાવતો બીજાને પણ બીવડાવે છે. પોતાનાં ચ્યવનનાં નિશ્ચિત લક્ષણો જાણીને અંગારાને આલિંગન કરવા માફક વિમાનમાં, નંદનવનમાં કે વાવડીમાં કયાંય પણ રતિ પ્રાપ્ત કરતો નથી. હા પ્રિયા ! હા મારાં વિમાનો ! હા વાવડીઓ ! હા કલ્પવૃક્ષો ! મારૂં દૈવ હણાયા પછી અને તમારો વિયોગ થયા પછી ફરી તમને કયારે દેખીશ? અહો ! અમૃતવૃષ્ટિ સરખું હાસ્ય, અહો ! અમૃત સરખા લાલહોઠ, અહો ! અમૃત ઝરનારી વાણી, અમૃતમય વલ્લભા ! હા ! રત્નોના ઘડેલા સ્તંભો, હા ! મણિજડિત કુટિમતલ, હા ! રત્નમય વેદિકા, હવે તમે કોનો આશ્રય કરશો ? હા ! રત્ન-પગથીયાવાળી, કમળો અને ઉત્પલોથી શોભાયમાન એવી આ પૂર્ણ વાવડીઓ કોના ઉપભોગ માટે થશે? હે પારિજાત! મન્દાર ! સંતાન ! હરિચંદન ! કલ્પવૃક્ષો ! તમે સર્વ પણ મને છોડી દેશો ? અરે રે ! સ્ત્રીના ગર્ભાવાસરૂપ નરકમાં પરાધીનપણે મારે વાસ કરવો પડશે ! અરે રે ! ત્યાં પણ વારંવાર અશુચિ રસનો આસ્વાદ કરવો પડશે ! અરે રે ! જઠરાગ્નિની સગડીમાં શેકાવા રૂપ દુઃખ મારાં કરેલાં કર્મથી મારે ભોગવવું પડશે ! રતિના નિધાન સરખી તે તે દેવાંગનાઓ કયાં ! અને અશુચિ ઝરતી બીભત્સ માનુષી સ્ત્રી કયાં ! આ પ્રમાણે દેવતાઓ દેવલોકની વસ્તુઓને યાદ કરી કરીને વિલાપ કરે છે અને તેમ કરતાં ક્ષણમાં દીવા માફક ઓલવાઈ જાય છે. આ પ્રમાણે ચારે ગતિમાં રહેલા સંસારી જીવોને અહીં સંસારમાં સુખનો છાંટો પણ નથી. એટલું જ નહી, પરંતુ કેવળ માનસિક અને શારીરિક અતિશય દુઃખ જ છે, એમ સમજીને મમતાને દૂર કરવા માટે સતત શુદ્ધાશયથી જો તમે ભવના ભયને ઉચ્છેદ કરવા તૈયાર થયા હોય તો સંસારભાવનાનું ધ્યાન કરો. સંસાર-ભાવના કહી. છે ૬૭ | હવે એકત્વ-ભાવના કહે છે - Page #454 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૮-૬૯ ३९४ एक उत्पद्यते जन्तु - रेक एव विपद्यते I कर्माण्यनुभवत्येकः, प्रचितानि भवान्तरे ૫ ૬૮ ॥ અર્થ : જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે અને ભવાંત૨માં એકઠા કરેલા કર્મોને એકલો જ અનુભવે છે સહન કરે છે. II ૬૮ || - ૪૦૩ ટીકાર્ય : આ સંસારમાં કોઈની સહાય વગર આ જીવ એકલો જ શરીરના સંબંધનો અનુભવ કરે છે. એકલો જ શરીરનો વિયોગ એટલે મૃત્યુ પામે છે. પૂર્વે પોતે બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મો પોતે એકલો જ ભોગવે છે. ભવાંતરમાં એમ કહ્યું, તે ઉપલક્ષણથી સમજવુ. કારણ કે આ જન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં પણ ભોગવવાં પડે છે. ભગવંતે કહેલું છે કે, ‘પરલોકમાં કરેલાં કર્મો આલોકમાં ભોગવાય છે, તથા આલોકમાં કરેલાં કર્મો પણ આલોકમાં ભોગવાય છે' ! ૬૮ ॥ તથા ३९५ अन्यैस्तेनार्जितं वित्तं भूयः सम्भूय भुज्यते 1 સ વેજો નોકે, વિજ્ઞયતે નિનમંમિઃ ૫ ૬૧ ॥ અર્થ : તે જીવે મેળવેલું ધન બીજાઓ ભેગા થઈને ભોગવે છે, પરંતુ તે એકલો જ નરકના ખોળામાં પોતાના કર્મોના ઉદયથી ક્લેશ પામે છે. || ૬૯ | ટીકાર્થ : મહાઆરંભ અને પરિગ્રહાદિથી ઉપાર્જન કરેલ ધનનો, સંબંધી, બંધુઓ, નોકરો આદિ એકઠા થઈ ભોગવટો ભાગ-વહેંચણી આદિ કરે છે અને પાપ કરીને ધન ઉપાર્જન કરનાર એકલો (ધન ભોગવનાર લોક સિવાયનો) નરકમાં પોતાના કરેલાં પાપકર્મથી દુ:ખો ભોગવીને ક્લેશ અનુભવે છે. આંતરશ્લોકોનો ભાવાર્થ દુઃખ-દાવાનળથી ભયંકર વિશાળ ભવ-અરણ્યમાં કર્માધીન આ એકલો જીવ રખડપટ્ટી કરે છે. ભલે બંધુ આદિ સંબંધીઓ જીવના સહાયકો થતા નથી, પરંતુ સુખ-દુઃખનો અનુભવ આપનાર આ શરીર તો સહાયક છે ને ? તેના સમાધાનમાં જણાવે છે કે, આ કાયા આગલા ભવમાં સાથે આવતી નથી કે ભવાંતરમાં સાથે જતી નથી, તો પછી આ અણગમતી રીતે ભેટી ગયેલી કાયા સહાયક કેવી રીતે થાય? ધર્મ અને અધર્મ એ બે તો નજીકના સહાયકો છે, એવી જો તમારી મતિ હોય તો આ વાત સત્ય નથી, કારણ કે, મોક્ષમાં ધર્મ કે અધર્મની સહાયતા નથી. તેથી શુભાશુભ કર્મ કરતો જીવ એકલો જ સંસારમાં પરિભ્રમણ કરે છે અને તે કર્મને અનુરૂપ શુભાશુભ ફળ ભોગવે છે તથા અનુત્તર એવી મોક્ષલક્ષ્મી એકલો જ ગ્રહણ કરે છે. ત્યાં કોઈ સંબંધ હોતો નથી. જે ભવમાં થનારૂં દુઃખ, તેમજ મોક્ષમાં થનારૂં સુખ તે એકલો જ ભોગવે છે તેમાં કોઈ સહાયક હોતું નથી. જેમ તરનાર એકલો હોય તો મોટા સમુદ્રનો તે ક્ષણવારમાં પાર પામી જાય છે, પણ હૃદય, હાથ, પગ આદિ એકઠા કરી જોડી રાખેલા હોય, અગર સાથે બીજો પરિગ્રહ રાખ્યો હોય તો પાર પામી શકતો નથી. તેવી જ રીતે ધન, દેહ આદિથી વિમુખ બનેલો સ્વસ્થ એકલો ભવ-સમુદ્રનો પાર પામી જાય છે. એકલો પાપ કરવાથી નરકમાં પડે છે. પુણ્ય કરનાર સ્વર્ગમાં એકલો જાય છે અને પુણ્યપાપના સમૂહનો ક્ષય થવાથી મોક્ષે પણ એકલો જ જાય છે. આમ સમજીને લાંબા કાળ સુધી નિર્મમત્વ મેળવવા માટે એકત્વ નામની ભાવનાનું ધ્યાન કરો. એકત્વ-ભાવના કહી.. || ૬૯ || Page #455 -------------------------------------------------------------------------- ________________ ४०४ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ હવે અન્યત્વભાવના કહે છે. ___३९६ यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥ ७० ॥ અર્થ : જેમાં અસમાનતાના યોગે આત્માથી દેહ ભિન્ન છે તે યુક્તિમાં ધન-બંધુ-મિત્રો આદિ પણ આત્માથી અન્ય છે, એમ કહેવામાં દુષ્ટતા નથી. | ૭૦ || ટીકાર્થ : જ્યાં શરીર અને જીવનું આધાર-આધેય, મૂર્ત-અમૂર્ત, અચેતન-ચેતન, અનિત્ય-નિત્ય, બીજા ભવમાં અગમન-ગમન વડે કરીને જુદાપણું છે, તો પછી ધન, બંધુ, માતાપિતા, મિત્રો, સેવકો, પત્ની, પુત્રો એ જુદા છે-એમ બોલવું એ ખોટું કથન નથી. કહેવાનો ભાવ એ છે કે, જો સાથે રહેનાર શરીર યુક્તિથી જુદું સ્વીકાર્યું, પછી ધનાદિક પદાર્થો જુદા સ્વીકારવામાં હરકત આવતી નથી | ૭૦ || અન્યત્વ-ભાવનાથી માત્ર નિર્મમત્વ ફળ છે, એમ નથી, પરંતુ બીજું પણ ફળ છે, તે કહે છે - ३९७ यो देहधनबन्धुभ्यो, भिन्नमात्मानमीक्षते । क्व शोकशङ्कना तस्य, हन्तातङ्क: प्रतन्यते ॥ ७१ ॥ " અર્થ : જે પુરૂષ આત્માને દેહ-ધન-બંધુ વગેરેથી ભિન્ન માને છે, તેને શોક-શંકુ સંતાપ ક્યાંથી આપે ? || ૭૧ છે. ટીકાર્થ : જે વિવેકી આત્મા વિવેકના અજવાળાથી દેહ, ધન અને સ્વજનોથી આત્માને ભિન્ન સ્વરૂપે દેખે છે, તે આત્માને શોકની ફાચર પીડા કરતી નથી. અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ અન્યત્વ એટલે ભેદ, જેમાં વિસમાનતા હોય, તે આત્મા અને દેહ, ધન, સ્વજનાદિકની સાક્ષાત્ પ્રતીતિ થાય છે. શંકા કરી કે દેહાદિક પદાર્થો ઈન્દ્રિયથી જાણી શકાય છે અને આત્મા-અનુભવવિષયક છે, તો પછી તેનું એકપણું કેવી રીતે ઘટી શકે ? જો આત્મા અને દેહ આદિ ભાવોનું અન્યત્વ સ્પષ્ટ છે, તો દેહમાં મહારાદિ વાગવાથી આત્મા કેમ પીડા પામે છે? સત્ય વાત છે. જેમને શરીરાદિમાં ભેદબુદ્ધિ વર્તતી નથી, તેઓને દેહમાં પ્રહાર વાગવાથી આત્મપીડા અનુભવાય છે. પરંતુ જેઓ દેહ અને આત્માનો સમ્યફ પ્રકારે ભેદ માને છે, તેઓને દેહમાં પ્રહાર વાગે, તો પણ આત્મા પીડા પામતો નથી. દૂધપાકમાં લોઢાનો તવેથો ફરતો હોય, પણ તે સ્વાદ ચાખી શકતો નથી, તેમ છેલ્લા તીર્થંકર પરમાત્માને બાર વરસમાં ઘણા ઉપસર્ગો, શારીરિક પીડાઓ થઈ, છતાં તેઓ આત્મા અને દેહનો ભેદ જાણનાર હોવાથી તેમના આત્માને પીડા થઈ નથી. નમિરાજા ધન અને આત્માનો ભેદ જાણનાર હતા. તેથી નગર બળતું હતું, ત્યારે ઈન્દ્રને કહ્યું કે, “મિથિલા નગરીનો દાહ થવા છતાં મારું કંઈ પણ બળતું નથી.” ભેદજ્ઞાનવાળો આત્મા પિતાના દુઃખમાં પણ દુઃખ પામતો નથી જ્યારે ભેદજ્ઞાન વગરનો આત્મા નોકરને દુઃખ થાય અને તેમાં આત્મીયતા હોય તો આત્મીય અભિમાનના યોગે મુંઝાય છે. પુત્ર પણ પોતાનો નથી, પારકો જ છે અને સેવકને સ્વકીય તરીકે સ્વીકારે તો તેના ઉપર પુત્રાધિક પ્રીતિ થાય છે. અહીં રાજભંડારી પારકું ધન બાંધીને ધારણ કરે છે, તેમ પારકા પદાર્થમાં મારાપણાની બુદ્ધિનો આશ્રય કરનારા હે ભવ્યાત્માઓ ! તમે આ વસ્તુનો વિવેક કરો અને અવળી ભાવનાનો ત્યાગ કરી મમતા છેદનાર અન્યત્વ-ભાવનાનું સતત સેવન કરો. અન્યત્વ ભાવના કહી. ||. ૭૧ || Page #456 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૦-૭૩ હવે અશુચિ-ભાવના કહે છે ३९८ रसाऽसृग्मांसमेदोऽस्थि-मज्जाशुक्रान्त्रवर्चसाम् ૪૦૫ 1 अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत् कुतः ? ॥ ७२ ॥ અર્થ : રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા, શુક્ર, આંતરડા, વિષ્ટારૂપી અશુચીના સ્થાનભૂત શરીર છે તો પછી તે શરીરનું પવિત્રપણું ક્યાંથી ? ॥ ૭૨ ॥ ટીકાર્થ : ખાધેલા-પીધેલા આહાર-પાણીના પરિણમન થવાથી થયેલો રસ, રસમાંથી થયેલું લોહી, લોહીમાંથી થયેલું માંસ, માંસમાંથી તૈયાર થયેલી ચરબી, મેદમાંથી થયેલાં હાડકાં, મેદમાંથી હાડકાં થાય છે, મજ્જાથી વીર્ય, આંતરડાં, વિષ્ટા આ સર્વ અશુચિ પદાર્થોનું સ્થાન હોય તો કાયા છે. તે કાયાની પવિત્રતા કેટલી હોય ? અર્થાત્ કાયાની બીલકુલ પવિત્રતા નથી. || ૭૨ || જેઓ કાયામાં પવિત્રતા માનનારા છે, તેને ઠપકો આપતા કહે છે ३९९ नवस्त्रोत: स्रवद्विस्र- रसनिः स्यन्दपिच्छिले 1 देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजृम्भितम् ॥ ૭૨ || અર્થ : નેત્ર-કાન-નાક-મુખ-ગુદા અને લિંગ આ ૯ અશુદ્ધિ ઝરનાર દ્વા૨ોમાંથી નીકળતાં દુર્ગંધી પદાર્થથી ખરડાયેલા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું - એ ખરેખર મહામોહનું સામ્રાજ્ય સમજવું. || ૭૩ || ટીકાર્થ : નેત્ર, કાન, નાસિકા, મુખ, ગુદા અને લિંગ આ નવ અશુચિ ઝરનાર દ્વારો, તેમાંથી નીકળતો દુર્ગંધી પદાર્થ, તેથી ખરડાએલું શરીર, તેમાં પવિત્રપણાનું અભિમાન કરવું-એ મહામોહનું સામ્રાજ્ય સમજવું. અહીં આને લગતા આંત૨શ્લોકોનો ભાવાર્થ જણાવાય છે : વીર્ય અને લોહીથી ઉત્પન્ન થનાર, મળના રસથી વૃદ્ધિ પામેલું, ગર્ભમાં જરાયુથી વીંટળાઈ ઢંકાયેલું શરીર પવિત્ર કેવી રીત હોઈ શકે ? માતાએ ખાધેલા અન્ન-જળ-પાનના રસથી ઉત્પન્ન થયેલ અને નાડી દ્વારા આવેલ રસ પી પીને વૃદ્ધિ પામેલ શરીરમાં પવિત્રતા કોણ માને ? અશુચિ દોષો, ધાતુ, મલથી વ્યાપ્ત અને કરમીયા, ગંડોલને રહેવાના સ્થાનરૂપ, રોગરૂપી સર્પ-સમુદાયથી ખવાયેલ શરીરને પવિત્ર કોણ કહી શકે ? વિલેપન કરવા માટે ચોપડેલ સુગંધી પદાર્થો કપૂર, અગર, કક્કોલ, કસ્તૂરી અને ચંદન ઘસીને તૈયા૨ કરેલ યક્ષકર્દમ જ્યાં એકદમ મલિન બની જાય એવા શરીરમાં શૌચ કેવી રીતે હોય ? સુગંધી તામ્બ્રેલ ખાઈને રાત્રે સૂઈ ગયો અને પ્રભાતે જાગ્યા પછી મુખના ગંધની જુગુપ્સા જ્યાં કરાય, એવા શરીરને પવિત્ર કેવી રીતે ગણવું ? સ્વભાવથી સુગંધવાળા ગંધ, ધૂપ, પુષ્પમાળાઓ આદિ જેના સંગથી દુર્ગંધી થાય, તે કાયા પવિત્ર કેવી રીતે કહેવાય ? ગંદા દારુના ઘડાની માફક આ કાયા અત્યંગન કરવા છતાં, કે વિલેપન કરવા છતાં, કે ક્રોડો ધડા ભરીને ધોવા છતાં પણ પવિત્રતા પામતી નથી. જેઓ માટી, જળ, અગ્નિ, વાયુ, સૂર્યકિરણ વડે કાયાનું શૌચ કહેનારા છે, તે તો ગતાનુગતિક કહેનારા સમજવા. તેઓ તો માત્ર ફોતરાં ખાંડનારાના પ્રયત્ન જેવા સમજવા. મદ, અભિમાન, કામદેવના દોષને નાશ કરનાર શરીરની અશૌચ-ભાવના આ પ્રમાણે ભાવતો નિર્મમત્વના મહાભારને વહન કરવા સમર્થ થાય છે. વધારે કેટલું કહેવું ? અશૌચ-ભાવના કહી. || ૭૩ || Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હવે આશ્રવ-ભાવના કહે છે४०० मनोवाक्कायकर्माणि योगाः कर्म शुभाशुभम् । यदास्रवन्ति जन्तूना-मास्रवास्तेन कीर्तिताः ॥ ७४ ॥ અર્થ : જીવોના મન-વચન-કાયાના વ્યાપારરૂપી યોગો શુભાશુભ કર્મને ઉત્પન્ન કરે છે તેથી તે યોગને જ આશ્રવ કહ્યા છે. || ૭૪ || ટીકાર્થ : મન, વચન અને કાયાના વ્યાપારો, તે યોગ કહેવાય. આ યોગો શુભ અને અશુભ કર્મ જીવોમાં ઉત્પન્ન કરે છે, તેથી તેને આશ્રવ કહેવાય. તેમાં, શરીરધારી આત્મા સર્વ આત્મ-પ્રદેશો વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્ગલો શુભ વગેરે મનન કરવા માટે કરણભાવનું આલંબન કરે, તેના સંબંધથી આત્માનો પરાક્રમવિશેષ તે મનોયોગ. તે મનવાળા પંચેન્દ્રિયને હોય છે. તથા દેહધારી આત્મા વચન-યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી છોડી દે, તે વચનપણે કરણતા પામે, તે વચનકરણના સંબંધથી આત્માનું બોલવાની શક્તિ, તે વચનયોગ. તે બેઈન્દ્રિયાદિક જીવોને હોય છે. કાય એટલે આત્માનું નિવાસ-સ્થાન, તેના યોગથી જીવનો વીર્ય-પરિણામ, તે કાયયોગ. આ મન, વચન અને કાયા ત્રણેના સંબંધથી અગ્નિ-સંબંધથી ઈંટ આદિ લાલરંગ પામે તેમ આત્માની વીર્ય-પરિણતિ વિશેષ યોગો કહેવાય. કહેલું છે કે “યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય આ શબ્દો યોગના પર્યાયવાચક જાણવા.” (પંચસંગ્રહ ગા. ૩૯૬) આ યોગો દુર્બળ કે વૃદ્ધને લાકડીના ટેકા માફક જીવને ઉપકાર કરનારા છે. તેમાં મનોયોગ્ય પુદ્ગલો આત્મ-પ્રદેશમાં પરિણમાવવા, તે મનોયોગ. ભાષાયોગ્ય પુદ્ગલોને ભાષાપણે પરિણમાવવા, તે વચન-યોગ. કાયા યોગ્ય પુદ્ગલોને ગમનાદિ યોગ-ક્રિયાના હેતુરૂપપણે પરિણાવવા, તે કાયયોગ. આ યોગો શુભ અને અશુભ, શતાવેદનીય અને અશાતા વેદનીય કર્મને ઉત્પન્ન કરે છે, તે કારણે આશ્રવ કહેવાય. જેના વડે કર્મ આત્મામાં આવ્યા કરે, તે આશ્રવ કહેવાય. | ૭૪ || શુભાશુભ કર્મનો આશ્રવ કરાવે, તે યોગ' એમ કહ્યું, કારણને અનુરૂપ કાર્ય હોય છે, તેથી શુભ અને અશુભ કર્મના હેતુઓ વિવેકથી બતાવે છે ४०१ मैत्र्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं वितनोत्यशुभं पुनः ॥ ७५ ॥ અર્થ : મૈત્રી આદિ ભાવનાથી વાસિત ચિત્ત શુભકર્મને બંધાવે છે અને વિષય કષાયથી વ્યાપ્ત ચિત્ત અશુભ કર્મને બંધાવે છે || ૭૫ / ટીકાર્થ : મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા લક્ષણ ચાર ભાવનાઓથી ભાવિત ચિત્ત પુણ્યસ્વરૂપ કર્મ બાંધે છે. તે કર્મ ક્યા કયા તે જણાવે છે- શાતવેદનીય , સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરૂષવેદ, શુભાયુ, શુભનામ, શુભગોત્ર. તે જ મન ક્રોધાદિક કષાયમાં જોડાયેલું હોય, સ્પર્શાદિક ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા કરતું હોય, કષાયો અને વિષયોમાં પરાધીન બન્યું હોય, તો અશાતાવેદનીયાદિ અશુભ કર્મ ઉપાર્જન કરે છે. || ૭૫ / તથા - Page #458 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૪-૭૮ ૪૦૭ ४०२ शुभार्जनाय निर्मिथ्यं, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्जेय-मशुभार्जनहेतवे ॥ ७६ ॥ અર્થ : શ્રુતજ્ઞાનયુક્ત સત્ય વચન શુભકર્મના ઉપાર્જન માટે થાય છે અને તેનાથી વિપરીત વચન અશુભ કર્મને બંધાવે છે ૭૬ | ટીકાર્થઃ દ્વાદશાંગી-ગણિપિટકરૂપ શ્રુતજ્ઞાનને અનુસરતું યથાર્થ વચન, તે રૂ૫ વચનયોગ. તે શુભકર્મ ઉપાર્જન કરાવનાર થાય. અને તેથી વિપરીત-શ્રુતજ્ઞાનવિરોધી વચન, તે અશુભકર્મ બંધાવનાર થાય. || ૭૬ || તથા४०३ शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तु-घातकेनाशुभं पुनः ॥ ७७ ॥ અર્થ : આત્મા સુગુપ્ત શરીર દ્વારા શુભકર્મને એકત્ર કરે છે અને સતત આરંભવાળા પ્રાણિઘાતક શરીરથી અશુભ કર્મ એકત્રિત કરે છે. ૭૭ ||. ટીકાર્થ : સારી રીતે ગોપવેલ, ખોટી ચેષ્ટાથી રહિત, કાયોત્સર્ગ આદિ શુભ અવસ્થામાં નિશ્ચેષ્ટપણે કાયા પ્રવર્તાવે, તો તે કાયયોગથી જીવ શાતાવેદનીયાદિ શુભ પુણ્યકર્મ ઉપાર્જન કરે અને મહાઆરંભ, સતત આરંભ કરવા વડે અને તેનાથી જીવોની વિરાધના કરવાથી અશાતા વેદનીય પાપકર્મ એકઠું કરે છે. આ પ્રમાણે શુભાશુભ યોગના મૂળપણે શુભાશુભ કર્મનું ઉત્પન્ન થવું–એમ પ્રતિપાદન કરવાથી કાર્યકારણ-ભાવનો વિરોધ થતો નથી. || ૭૭ || શુભયોગો શુભફળના હેતુઓ થાય છે—એ પ્રસંગથી જણાવ્યું. ભાવના–પ્રકરણમાં તો અશુભ યોગોનું અશુભ-ફળહેતુપણ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે પ્રતિપાદન કરવું જોઈએ, તેથી કહ્યા સિવાયના પણ અશુભ હેતુઓનો સંગ્રહ કરી કહે છે ૪૦૪ પાયા વિષય યોr:, પ્રમાવિતી તથા | मिथ्यात्वमार्त्तरौद्रे चेत्यशुभं प्रति हेतवः ॥ ७८ ॥ અર્થ : કોષાદિક કષાયો, પાંચ ઇન્દ્રિયોના વિષયો, અશુભ યોગો, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ તથા આર્ત-રૌદ્રધ્યાન, આ અશુભકર્મબંધના હેતુઓ જાણવા // ૭૮ || ટીકાર્થ : ક્રોધ, માન, માયા અને લોભ-લક્ષણ ચાર કષાયો; કષાયોની સાથે રહેનારા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા તથા પુરૂષ, સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદ મળી નવ નોકષાયો; સ્પર્શાદિક ઈચ્છા કરવા યોગ્ય વિષયો; મન, વચન અને કાયાના કર્મ-લક્ષણ ત્રણ યોગો; અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મનો અનાદર, યોગોમાં બરાબર વર્તન ન કરવું તે રૂપ આઠ પ્રકારનો પ્રમાદ; પાપનાં પચ્ચખાણ ન કરવા રૂપ અવિરતિ; મિથ્યાદર્શન; આર્ત અને રૌદ્ર ધ્યાન જે પહેલાં કહેવાઈ ગયાં છે, આ સર્વે અશુભ કર્મ આવવાનાં કારણો છે. પ્રશ્ન કર્યો કે, આ સર્વે બન્ધને અનુલક્ષીને હેતુઓ કહ્યા, વાચક-મુખ્ય ઉમાસ્વાતિજીએ કહેલું છે કે મિથ્થાનાવિતિપ્રતિષાયથોલાવતવ : (તત્વાર્થ ૮/૧) એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય Page #459 -------------------------------------------------------------------------- ________________ ४०८ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અને યોગ કર્મબંધના હેતુઓ છે. તો આશ્રવ ભાવનામાં આ બંધના હેતુઓ કેમ કહ્યા ? સમાધાન કરતાં જણાવે છે કે-તમારો પ્રશ્ન સત્ય છે. પરંતુ મહાપુરુષોએ આશ્રવ ભાવના જ કહેલી છે, બંધભાવના ભાવનારૂપે કહેલી નથી, આવભાવનામાં જ તે સમજાઈ જાય છે. આશ્રવ વડે ગ્રહણ કરેલાં કર્મ-પુગલો આત્માની સાથે સંબંધ પામતાં “બંધ” એમ કહેવાય છે. જે માટે કહેલું છે કે “સાત્વિજ્ઞીવ: વર્ષો યોથાત્ પુર્તિાનાન્નેિ, સ વચ: (તત્વાર્થ ૮/૨-૩) કષાયસહિત જીવ કર્મ-યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તે કર્મનો બંધ કહેવાય. તેથી બંધ અને આશ્રવના ભેદની વિરક્ષા કરી નથી. વળી, શંકા કરી કે, ક્ષીરનીરન્યાયે આત્માની સાથે કર્મ-પુગલોનું એકમેક બનવુ તે બંધ કહેવાય, તો પછી આશ્રવ એ બંધ કેમ કહેવાય ? સમાધાન કરતાં કહે છે કે તમારી વાત સાચી અને યુક્તિવાળી છે તો પણ આશ્રવ વડે નહીં ગ્રહણ કરાયેલાં કર્મ-પુદ્ગલોનો બંધ કેવી રીતે થાય? આ કારણે પણ કર્મ-પુદ્ગલો ગ્રહણ કરવાના હેતુરૂપ આશ્રવમાં બંધ હેતુઓનું કથન અદુષ્ટ સમજવું. શંકા કરી છે, તો પણ બંધ હેતુનો પાઠ નકામો છે. જવાબ આપે છે કે-નહિ, બંધ અને આશ્રવ એકસ્વરૂપે કહેલા છે, માટે આશ્રવ-હેતુઓનો આ પાઠ એ પ્રમાણે છે તે સર્વ યથાર્થ સમજવું. અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ કર્મ-પુગલો ગ્રહણ કરવાનાં કારણો તે આશ્રવ કહેવાય. જ્ઞાનાવરણીય આદિ ભેદથી કર્મો આઠ પ્રકારનાં જાણવા. જ્ઞાન અને દર્શન ગુણના અને તેની જેમ તેના હેતુઓનો જે અંતરાય કરવો, ઓળવવા, ચાડી ખાવી, આશાતના કરવી, ઘાત કરવો, અદેખાઈ કરવી, તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના હેતુલક્ષણ આશ્રવ સમજવા. દેવની પૂજા, ગુરૂઓની વૈયાવચ્ચ, સુપાત્રદાન, દયા, ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કર્મથી મલિન ન બનવારૂપ શૌચ, બાલતપશ્ચર્યા આ શાતાવેદનીય પુણ્યકર્મના આશ્રવો સમજવા. પોતાને, બીજાને કે ઉભયને દુઃખે કરવું, શોક કરવો- કરાવવો, વધ, ઉપતાપ, આક્રન્દન, પસ્તાવો કરવો-કરાવવો, તે અશાતાવેદનીય પાપકર્મના આશ્રવો છે. વીતરાગ, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ, સર્વ દેવતાઓનો અવર્ણવાદ-નિંદા કરવી; તીવ્ર મિથ્યાત્વના પરિણામ થવા; સર્વજ્ઞ, સિદ્ધ, દેવ માટે અપલાપ કરવો કે ઓળવવા, ધાર્મિક પુરૂષનાં દૂષણ બોલવાં, ખોટા માર્ગની દેશના આપવી, ખોટો આગ્રહ પકડી રાખવો, અસંયતની પૂજા, વગર વિચાર્યું કાર્ય કરવું, ગુર્નાદિકનું અપમાન ઈત્યાદિક દર્શનમોહનીય કર્મના આશ્રવો કહેલા છે. આવાં કાર્ય કરનારને સમ્યગ્દર્શન મેળવતા ઘણી મુશ્કેલી પડે છે. તીવ્ર કષાયના ઉદયથી આત્માનો જે તીવ્ર પરિણામ તે ચારિત્રમોહનીયકર્મનો આશ્રવ જણાવેલો છે. જીવને ચારિત્ર-રત્ન પ્રાપ્ત થવામાં મુશ્કેલી ઉભી થાય. હાસ્યને ઉત્તેજન, કામદેવ સંબંધી ઉપહાસ કરવો, હસવાની ટેવ, બહુ બોલબોલ કરવું, દીનતાવાળાં વચન બોલવાં ઈત્યાદિક હાસ્યમોહનીય નોકષાયના આશ્રવો સમજવા. નવા નવા દેશ, ગામ, નગરાદિક જોવાની ઉત્કંઠા, ચિત્રામણો જોવાં, રમતો રમવી, ક્રીડાઓ કરવી, પારકાના ચિત્તનું આકર્ષણ કરવું, આ સર્વ રતિ નોકષાયના આશ્રવો છે. ઈર્ષા, પાપકાર્યો કરવાનો સ્વભાવ રાખવો, પારકી રતિનો નાશ કરવો, અકુશળ કાર્યોમાં પ્રોત્સાહન આપવું, આ સર્વે અરતિ નોકષાયના આશ્રવો સમજવા. પોતે ભય પરિણામવાળા થવું, બીજાને બીવડાવવા, ત્રાસ આપવો, નિર્દય બનવું તે ભય માટેના આશ્રવો છે. બીજાને શોક ઉત્પન્ન કરવો, પોતે શોક કરવો, શોક ઉત્પન્ન થયો તેમાં ચિંતા કરવી, સદન કરવું, તેમાં મગ્ન બનવું આ સર્વે શોકના આશ્રવો છે. ચાર પ્રકારના વર્ણવાળા શ્રીસંઘના અવર્ણવાદ, નિંદા જુગુપ્સા, સદાચારની જુગુપ્સા, તે જુગુપ્સા નોકષાયના આશ્રવ છે. ઈર્ષ્યા, વિષયની વૃધ્ધિ, જૂઠ બોલવું, અતિવક્રતા રાખવી, માયા કરવી, પરદાર-સેવનમાં આસક્તિ કરવી આ સ્ત્રીવેદ બંધાવનાર આશ્રવનાં Page #460 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૮ 4 ૪૦૯ કારણો સમજવા. પોતાની સ્ત્રીમાં જ સંતોષી, ઈર્ષ્યા-રહિતપણું, મંદકષાયતા, સુંદર આચારનું સેવન એ પુરૂષવેદ બાંધવાના આશ્રવો છે. સ્ત્રી-પુરૂષ સાથે અનંગ-સેવા, ઉગ્ર કષાયો, તીવ્ર કામાભિલાષ, પાખંડ (વ્રતધારી) સ્ત્રીના વ્રતનો ભંગ-આ નપુસંકવેદના આશ્રવો છે. તથા સાધુઓની નિંદા, ધર્મ સન્મુખ બનેલાઓને ધર્મ કરવામાં વિઘ્ન કરવાં, મદ્ય-માંસની વિરતિ કરનાર પાસે અવિરતિનાં વખાણ ક૨વાં, શ્રાવકધર્મમાં અંતરાય કરવો, અચારિત્રના ગુણ વર્ણવવા, તથા ચારિત્રના દોષ બોલવા, બીજા જીવોના કષાય નોકષાયની ઉદીરણા કરવી આ સર્વે સામાન્યથી ચારિત્રમોહનીય કર્મના આશ્રવો સમજવા. આયુષ્યકર્મના આશ્રવો પંચેન્દ્રિય જીવોનો વધ, બહુ આરંભ-પરિગ્રહ, અનુપકાર, માંસ-ભોજન, કાયમ વૈર ટકાવી રાખવું, રૌદ્રધ્યાન, મિથ્યાત્વાનુંબધી કષાયતા, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા, જૂઠ બોલવું, પારકા દ્રવ્યનું અપહરણ, વારંવાર મૈથુન-સેવન, ઈન્દ્રિયોની નિરંકુશતા-આ નરકાયુષ્યના આશ્રવો જાણવા. ઉન્માર્ગની દેશના, માર્ગનો નાશ, મૂઢચિત્તતા, આર્તધ્યાન, શલ્ય-સહિતપણું, માયા, આરંભ અને પરિગ્રહ, અતિચારવાળુ શીલવ્રત, નીલ-કાપોત લેશ્યા, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો એ તિર્યંચ-આયુષ્યના આશ્રવો જાણવા. અલ્પ પરિગ્રહ અને આરંભ, સ્વાભાવિક નમ્રતા અને સરળતા, કાપોત અને પીતલેશ્યા, ધર્મધ્યાનમાં અનુરાગિતા, પ્રત્યાખ્યાનકષાયો, મધ્યમ પરિણામ, પરોણાગતિ કરવી, દેવ-ગુરુનું પૂજન, આવનારને પ્રથમ બોલાવવું, પ્રિય તથા સુખપૂર્વક સમજાવી શકાય તેવું બોલવું, લોયાત્રામાં મધ્યસ્થભાવ આ મનુષ્ય આયુષ્યનો આશ્રવ છે. સરાગસંયમ, દેશસંયમ, અકામનિર્જરા, કલ્યાણમિત્રોનો સંપર્ક, ધર્મ શ્રવણ કરવાના સ્વભાવવાળો, પાત્રે દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, મૃત્યુકાળે પદ્મ-પીતલેશ્યાનો પરિણામ, બાલતપ, અગ્નિ, જળ આદિ સાધનથી પ્રાણત્યાગ કરનાર, અવ્યક્ત સામાયિક આ દેવના આયુષ્યના આશ્રવો છે. અશુભ નામકર્મના આશ્રવો મન, વચન અને કાયાની વક્રતા, બીજાને છેતરવા, માયા-પ્રયોગ કરવો, મિથ્યાત્વ, ચાડી, ચલચિત્તતા, સુવર્ણ આદિની નકલો બનાવવી, ખોટી સાક્ષી, વર્ણ, ગંધ રસ, સ્પર્શદ સંબંધી ફેરફાર કથન કરવું, કોઈનાં અંગોનો કે ઉપાંગોનો વિનાશ કરવો, યંત્રકર્મ કે પક્ષીઓને પાંજરામાં પૂરવાં, ખોટાં તોલ-માપ રાખવાં, બીજાની નિંદા, પોતાની પ્રશંસા, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, મહાઆરંભ-પરિગ્રહ, કઠોર કે અસભ્ય વચન બોલવાં, સારો પવિત્ર વેષ ધારણ કર્યાનો અહંકાર, જેમ આવે તેમ બોલ બોલ કરવું, આક્રોશ ક૨વો, સૌભાગ્યનો ઉપઘાત, કામણ-સૂંબણ કરવાં, બીજાને કુતૂહલ ઉત્પન્ન કરાવવું, મશ્કરી, હેરાનગતિ કરવી, વેશ્યાદિકને આભૂષણોનું દાન, દાવાગ્નિ સળગાવવો, દેવાદિકના બહાને ગંધાદિકની ચોરી, તીવ્ર કષાયતા, દેરાસર, ઉપાશ્રય, બગીચા, પ્રતિમાઓનો વિનાશ કરવો, અંગારા પાડવાનો ધંધો અને તેવી ક્રિયાઓ કરવી-તે અશુભનામકર્મના આશ્રવો જાણવા. શુભ નામકર્મના આશ્રવો ઉપર કહ્યા, તેથી વિપરીત તથા સંસારભીરુતા, પ્રમાદ-ત્યાગ, સદ્ભાવ-પૂર્ણ અર્પણ થવું, ક્ષમાદિક ગુણ ધારણ કરવા, ધાર્મિક પુરૂષોના દર્શનમાં આદર અને સ્વાગત ક્રિયા કરવી ઈત્યાદિક શુભ નામકર્મના આશ્રવો સમજવા. તીર્થંકર-નામકર્મના આશ્રવો અરિહંતો, સિદ્ધો, ગુરુઓ, સ્થવિરો, બહુશ્રુત, ગચ્છ, શ્રુતજ્ઞાન, તપસ્વીઓ વિષે ભક્તિ, આવશ્યક Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ક્રિયામાં, વ્રતો અને (આચારમાં) શીલમાં અપ્રમાદ, વિનીતપણું, જ્ઞાનાભ્યાસ, તપ, ત્યાગ, વારંવાર ધ્યાન, તીર્થપ્રભાવના, સંઘમાં સમાધિ ઉત્પન્ન કરવી, સાધુની વૈયાવચ્ચ, અપૂર્વ-નવીનજ્ઞાન-ગ્રહણ અને દર્શનની વિશુદ્ધિ- આ વીશ સ્થાનકો તીર્થંકર નામકર્મના આશ્રવ છે. પ્રથમ શ્રી ઋષભદેવ ભગવંત અને છેલ્લા શ્રીવીર પરમાત્માએ આ વીશે સ્થાનકોની આરાધના કરી હતી અને બાકીના જિનેશ્વરોએ એક, બે કે ત્રણ અગર સર્વની સાધના કરી હતી. ગોત્રકર્મના આશ્રવો પારકાની નિંદા, અવજ્ઞા-અનાદર, મશ્કરી, સદ્ગણોનો લોપ કરવો, છતા કે અછતા દોષોનું કથન કરવુ, આત્મ-પ્રશંસા, તથા પોતાના છતા કે અછતા ગુણો કથન કરવા, પોતાના છતા દોષો ઢાંકવા, જાતિ આદિનાં અભિમાન કરવાં-આ સર્વ નીચગોત્રના આશ્રવો છે. નીચગોત્ર આશ્રવોનું વિપરીતપણું, ગર્વરહિતપણું, વચન, કાયા અને મનથી વિનય કરવો, તે ઉચ્ચગોત્રના આશ્રવો છે. અંતરાયકર્મના આશ્રવો દાન, લાભ, વીર્ય, ભોગ-ઉપભોગમાં નિમિત્તે કે વગર નિમિત્તે વિદ્ધ કરવું, તે અંતરાયકર્મના આશ્રવો સમજવા. પ્રસંગોપાત આમાં શુભ આશ્રવ જણાવ્યા, બાકી આ જીવોને વૈરાગ્યનું કારણ નથી. આ પ્રમાણે અશુભ આશ્રવ જાણીને ભવ્ય જીવોએ નિર્મમતા-નિમિત્તે આશ્રવ-ભાવના વિચારવી. આ પ્રમાણે આશ્રવ ભાવના જાણવી. || ૭૮ || હવે સંવર-ભાવના કહે છેઃ४०५ सर्वेषामाश्रवाणां, तु निरोधः संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा, द्रव्यभावविभेदतः ॥ ७९ ॥ અર્થ : સર્વ આશ્રવનો રોધ-અટકાવ કરવો, તેને સંવર કહ્યો છે, તે સંવર દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનો છે. || ૭૯ || ટીકાર્થ : પૂર્વે જણાવેલા સર્વ આશ્રવોનાં દ્વારો બંધ કરવાં, તે સંવર કહેવાય. તે તો અયોગિ કેવલિઓને જ હોય. આ સર્વસંવરની વાત છે. એક, બે, ત્રણ આદિ આશ્રવોને રોકવા રૂપ સામર્થ્યથી દેશસંવર કહેવાય. સર્વસંવર અયોગિકેવલિ નામના ચૌદમાં ગુણસ્થાનકે હોય. સર્વસંવર અને દેશસંવર બંને દ્રવ્ય અને ભાવ એવા બબ્બે પ્રકારવાળા છે || ૭૯ || બે પ્રકાર કહે છે४०६ यः कर्मपुद्गलादानच्छेदः स दव्यसंवरः મહેતયિત્યિ:, તે પુર્ભાવસંવર: | ૮૦ છે. અર્થ : ગ્રહણ કરાતાં કર્મપુદ્ગલોનો છેદ કરવો તેને દ્રવ્ય સંવર કહેવાય અને સંસારના કારણભૂત ક્રિયાઓનો ત્યાગ કરવો તેને ભાવસંવર કહ્યો છે . ૮૦ || ટીકાર્ય : આશ્રવદ્વાર વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું કે આત્મામાં પ્રવેશ થવો, તે જેના વડે છેદાય, તે દ્રવ્યનો સંવર હોવાથી દ્રવ્યસંવર. ભાવસંવર તે કહેવાય કે, જે સંસારના કારણભૂત આત્મવ્યાપારરૂપ ક્રિયાઓનો ત્યાગ. || ૮૦ || Page #462 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૯-૮૪ ૪૧૧ હવે કષાયો, વિષયો, યોગો ઈત્યાદિ વડે કહેલા અશુભકર્મ-હેતુઓના પ્રતિપક્ષભૂત અર્થાત્ વિરોધી ઉપાયોની સ્તુતિ કરે છેઃ ४०७ येन येन ह्युपायेन रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोधाय स स योज्यो मनीषिभिः ॥ ८१ ॥ અર્થ : બુદ્ધિશાળી પુરૂષોએ જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકાય, તે તે આશ્રવનાં નિરોધ માટે તે તે ઉપાયનો પ્રયોગ કરવો. || ૮૧ || ટીકાર્થ : જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકી શકાય, તેને રોકવા માટે ડાહ્યા પુરૂષોએ તે ઉપાય યોજવો જોઈએ. ॥ ૮૧ || ઉપાયો જણાવે છે : ४०८ क्षमया मृदुभावेन ऋजुत्वेनाऽप्यनीहया 1 क्रोधं मानं तथा मायां, लोभं रून्ध्याधे यथाक्रमम् ॥ ८२ ॥ અર્થ : ક્ષમાથી, કોમળતાથી, સરળતાથી અને નિર્લોભતાથી ક્રોધ-માન-માયા અને લોભને યથાક્રમે રોકવા || ૮૨ || ટીકાર્થ : સંયમ માટે પ્રયત્ન કરતા યોગીએ ક્ષમા વડે ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને રોકવો. ॥ ૮૨ કષાયોનો પ્રતિપક્ષથી ક્ષય જણાવી વિષયોનો સંવર કહે છે : ४०९ असंयमकृतोत्सेकान् विषयान् विषसंन्निभान् I निराकुर्यादखण्डेन संयमेन महामतिः ॥ ૮૨ | અર્થ : મહાબુદ્ધિવાળાએ અસંયમથી ઉલ્લાસ પામેલા, વિષ જેવા વિષયોને અખંડ સંયમથી રોકવા જોઈએ. ॥ ૮૩ ટીકાર્ય : ભોગવતી વખતે મધુર લાગતા, પરિણામે ભયંકર વિષ સરખા છે. આવા સ્પર્શદિ ઈન્દ્રિયોના વિષયોના ઉન્માદને-ઉન્માર્ગે જતાં ઈન્દ્રિયના સામર્થ્યને ઈન્દ્રિયોનો જય કરીને મહાબુદ્ધિશાળી મુનિ અખંડ સંયમી બને. ॥ ૮૩ || હવે યોગ, પ્રમાદ, અવિરતિના પ્રતિપક્ષને કહે છે: ४१० तिसृभिर्गुप्तिभिर्योगान्, प्रमादं चाप्रमादतः 1 सावद्ययोगहानेनाऽविरतिं चापि साधयेत् ॥ ८४ ॥ અર્થ : મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિથી ત્રણ અશુભ યોગોને, અપ્રમાદથી પ્રમાદને અને સાવદ્ય યોગોના ત્યાગથી અવિરતિના વિજયને સાધવો. ॥ ૮૪ ॥ ટીકાર્થ : મન, વચન અને કાયાના વ્યાપાર લક્ષણ ત્રણ યોગોને મન, વચન અને કાયાના રક્ષણરૂપ ગુપ્તિઓ વડે; મદ્યપાન, વિષય-સેવન, કષાય, નિદ્રા, વિકથા-લક્ષણ પાંચ પ્રકારના કે અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગોને ખરાબ રીતે પ્રવર્તાવવા-એમ આઠ પ્રકારના Page #463 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૪૧૨ પ્રમાદને તેના પ્રતિપક્ષી-વિરોધી અપ્રમાદ વડે જીતે. પાપવ્યાપારવાળા યોગોનો ત્યાગ કરી અવિરતિને વિરતિ વડે જીતે ॥ ૮૪ || હવે મિથ્યાત્વ, આર્ત-રૌદ્ર-ધ્યાનના પ્રતિપક્ષ કહે છે: ४११ सद्दर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः 1 વિનયેતાઽત્તરીત્રે ત્ર, સંવાર્થ નૃતોદ્યમઃ ॥ ૮× II અર્થ : સંવર માટે ઉદ્યમ કરનાર પુરૂષે સમ્યગ્દર્શનથી મિથ્યાત્વનો અને ચિત્તની શુભ સ્થિરતાથી આર્ન-રૌદ્રધ્યાનનો વિજય કરવો. ॥ ૮૫ ॥ ટીકાર્થ : સંવર માટે ઉદ્યમ કરનાર યોગી સમ્યગ્દર્શનથી મિથ્યાત્વનો વિજય કરે અને ધર્મધ્યાન, શુકલધ્યાનરૂપ ચિત્તની સ્થિરતાથી આર્ત-રૌદ્રધ્યાનનો વિજ્ય કરે. અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ જણાવાય છેઃ જેમ ચારે બાજુ રાજમાર્ગ હોય અને ઘણા દ્વારોવાળું ઘર હોય, બારણાં બંધ કર્યાં ન હોય અને ખુલ્લાં હોય, તો નક્કી તેમાં ધૂળનો પ્રવેશ થાય છે અને તેમાંય જો અંદર ભીંત કે બારી-બારણાં તેલવાળાં કે ચીકાશવાળાં હોય ધૂળ તે સાથે બરાબર ચોંટીને તન્મય બની જાય છે પરંતુ તેમાંય તે દ્વારો બંધ કર્યાં હોય તો ધૂળ અંદર પ્રવેશ ન કરે, તેલ સાથે એકરૂપ બની ચોંટી ન જાય. અથવા જેમ તળાવમાં પાણી આવવાના સર્વ માર્ગો ખુલ્લા હોય તો તેમાંથી પાણી પ્રવેશ કરે, પણ દ્વારો બંધ કર્યાં હોય તો લગાર પણ પાણીનો પ્રવેશ ન થાય અથવા જેમ નાવડીમાં છિદ્ર પડેલું હોય, તો તેમાંથી પાણી નાવડીમાં પ્રવેશ કરે, પરંતુ છિદ્ર પૂરી દીધું હોય કે ઢાંકી દીધું હોય તો લગાર પણ પાણીનો પ્રવેશ ન થાય. એ પ્રમાણે, આશ્રવદ્વારરૂપ યોગોને સર્વ બાજુથી રોકવામાં આવે, તો સંવર-સ્વરૂપ આત્મામાં કર્મ-દ્રવ્યનો પ્રવેશ ન થાય. સંવ૨ ક૨વાથી આશ્રવદ્વા૨નો નિરોધ થાય. વળી, સંવર ક્ષાન્તિ આદિ ભેદોથી ઘણા પ્રકારવાળો તે જ પ્રમાણે પ્રતિપાદન કરેલો છે. ગુણસ્થાનકો વિષે જેનો જેનો સંવર થાય, તે તે સંવર કહેવાય. મિથ્યાત્વનો અનુદય થાય, તે આગળ આગળના ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ-સંવર કહેવાય. તથા દેશિવરતિ આદિમાં અવિરતિનો સંવર અને અપ્રમત્તસંયતાદિમાં પ્રમાદસંવર માનેલો છે. પ્રશાન્ત અને ક્ષીણમોહાદિકમાં કષાયસંવર, અયોગિકેવલિમાં સંપૂર્ણ યોગનો સંવર છે. એ પ્રમાણે, આશ્રવનિરોધના કારણરૂપ સંવર વિસ્તારથી વર્ણવ્યો. ભાવના-ગણમાં શિરોમણિ એવી સંવરભાવના ભવ્યજીવોએ અહીં ભાવવી જોઈએ. સંવર-ભાવના જણાવી. ॥ ૮૫ ॥ હવે નિર્જરાભાવના કહે છે ४१२ संसारबीजभूतानां कर्मणां जरणादिह , निर्जरा सा स्मृता द्वेधा, सकामा कामवर्जिता ॥ ८६ ॥ અર્થ : સંસારના બીજભૂત કર્મોના નાશથી નિર્જરા કહી છે, તે બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા ॥ ૮૬ || ટીકાર્થ : ચારે ગતિમાં ભ્રમણ કરવા સ્વરૂપ સંસારના બીજભૂત કર્મોનું આત્મ-પ્રદેશોથી રસ અનુભવવાપૂર્વક કર્મ-પુદ્ગલનું ખરી પડવું - છૂટા પડવું, તે પ્રવચનમાં નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. “મારા કર્મની નિર્જરા થાવ' એવી ઈચ્છાપૂર્વકની તે સકામ-નિર્જરા છે, પરંતુ આ લોક કે પરલોકના ફળાદિની ઈચ્છાવાળી નિર્જરા સકામ નિર્જરા નથી. કારણ કે તેવી ઈચ્છા કરવાનો તો પ્રતિષેધ Page #464 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૮૫-૮૮ ❖❖❖ ૪૧૩ * કરેલો છે. કહેલું છે કે- “આ લોકના સુખની અભિલાષાથી તપ-અનુષ્ઠાન ન કરવું. પરલોકમાં ઈષ્ટ સુખો મેળવવા માટે તપ ન કરવું. કીર્તિ પ્રશંસા, વર્ણ, શબ્દ, વખાણ માટે તપ ન કરવું. નિર્જરાના લાભ સિવાય બીજા માટે તપ ન કરવું.” (દશ. વૈ.૯/૪.) આ એક સકામ નામની નિર્જરા. બીજી પૂર્વે જણાવેલી અભિલાષા વગરની અકામનિર્જરા, જેમાં મારાં પાપકર્મોનો નાશ થાય' તેવી અભિલાષા-વગરની અકામનિર્જરા, અહીં મૂળ-શ્લોકમાં ચકાર ન કહેવા છતાં પણ સમુચ્ચય અર્થવાળો ચકાર અધ્યાહારથી સમજી લેવો. તેથી સકામા અને અકામા વચ્ચે ચકાર કહેલ નથી. ॥ ૮૬ ।। બંને નિર્જરાની વ્યાખ્યા કરે છેઃ ४१३ ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणां फलवत् पाको, यदुपायात् स्वतोऽपि हि ॥ ८७ ॥ અર્થ : સાધુઓને સકામ નિર્જરા અને બીજા જીવોને અકામ નિર્જરા થાય છે. ફળની જેમ કર્મોનો પરિપાક ઉપાયથી અને સ્વાભાવિક એમ બે રીતે થાય છે. ॥ ૮૭ || ટીકાર્થ : ‘મને નિર્જરા થાવ' એવી અભિલાષાપૂર્વક જે યતિઓ કર્મક્ષય કરવા માટે જ તપનું સેવન કરે છે, એમને બીજા કોઈ પણ આ લોક કે પરલોકના સંસારના સુખની અભિલાષા હોતી નથી, તે સકામ નિર્જરા. યતિ સિવાયના બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને કર્મક્ષય-ફળથી નિરપેક્ષ નિર્જરા, તે અકામનિર્જરા. તે આ પ્રમાણે-પૃથ્વીકાયથી માંડી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવો ઠંડી, ગરમી, વરસાદ, જળ, અગ્નિ, શસ્ર આદિના ઘા, છેદ-ભેદ વગેરેથી આશાતાવેદનીય કર્મનો અનુભવ કરી નિરસ કર્મ પોતાના આત્મપ્રદેશથી છૂટું પાડે છે. વિકલેન્દ્રિય જીવો ક્ષુધા, તૃષ્ણા, ઠંડી, ગરમી આદિ વડે; પંચેન્દ્રિય તિર્યંચો છેદભેદ થવો, દાઝવું, શસ્ત્રાદિકથી; નારકીઓ ત્રણ પ્રકારની વેદના અનુભવીને; મનુષ્યો ભૂખ-તરસ, વ્યાધિ, દરિદ્રતા આદિ દુઃખો વડે અશાતા ભોગવીને, દેવતાઓ બીજાના હુકમો કિધ્ધિષત્વાદિ વડે અશાતા-વેદનીય કર્મ અનુભવી પોતાના આત્મપ્રદેશથી વિખૂટા કરી નાખે છે. આ પ્રમાણે વગ૨ ઈચ્છાએ આવી પડેલાં દુઃખો પરાધીનપણે ભોગવી લે અને આત્મ-પ્રદેશથી કર્મ છૂટાં પડી જાય, તે અકામનિર્જરા કહેવાય. પ્રશ્ન કર્યો કે, સકામ અને અકામ નિર્જરાનું બે પ્રકારનું સ્વરૂપ કયાંય દેખ્યું છે ? આ પ્રમાણેના પ્રશ્નનો સ્પષ્ટ દાખલો (દૃષ્ટાંત) કહે છે : અશાતાવેદનીય કર્મો ફળોની માફક પોતાની મેળે કે ઉપાયથી પકાવાય છે. જેમ વાયા વગરના સ્થાનમાં-બાફમાં પલાલ-ઘાસ ઢાંકીને કેરી આદિ ફળ પકાવવામાં આવે છે, અગર કાળ થાય ત્યારે આપોઆપ સાખ કેરી ઝાડ પર પાકી જાય છે. જેમ ફળોનું પાકવું આપોઆપ અને ઉપાયથી પ્રકારે થાય છે તેમ કર્મમાં તપશ્ચર્યાદિક ઉપાયોથી વહેલાં પણ નિર્જરા કરી શકાય છે. તેથી નિર્જરાના સકામ અને અકામ એવા બે પ્રકાર કહ્યા. શંકા કરી કે, ફળ બે પ્રકારે પાકે છે, તેમાં કર્મોના પાકનો શો સંબંધ ? અહીં પાકવું, તે નિર્જરારૂપ છે. તેથી જેમ ફળપાક બે પ્રકારે થાય છે, તેમ કર્મ-નિર્જરા પણ બે પ્રકારે સમજવી. ॥ ૮૭ | હવે સકામનિર્જરાનો હેતુ સ્પષ્ટ દૃષ્ટાંતથી જણાવે છે ४१४ सदोषमपि दीप्तेन सुवर्णं वह्निना यथा I तपोग्निना तप्यमान- स्तथा जीवो विशुध्यति ॥ ८८ ॥ Page #465 -------------------------------------------------------------------------- ________________ **❖❖❖❖❖ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : જેમ દીપ્તિમાન અગ્નિથી દોષયુક્ત સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ તપરૂપ અગ્નિથી જીવ પણ વિશુદ્ધ થાય છે. II ૮૮ ॥ ૪૧૪ મેલ કે હલકી ધાતુથી યુક્ત સુવર્ણ અગ્નિવડે તપાવવામાં આવે, તો મેલ કે હલકી ધાતુ બળી જવાથી સુવર્ણ ચોખ્ખું અને વિશુદ્ધ થાય છે. તેવી રીતે અસàઘાદિ-અશુભ-કર્મોના દોષવાળો જીવ તપરૂપ અગ્નિ વડે તપાવવામાં આવે, તો નિર્મળ બને છે. જેના વડે રસાદિ ધાતુઓ અને કર્મો તપે તે તપ કહેવાય. કહેલું છે કે- ‘રસ, રુધિર, માંસ, મેદ-ચરબી, હાડકાં, મજ્જા, શુક્ર વગેરે અને અશુભ કર્મો તપીને ભસ્મ થાય, તે નિરુક્તથી તપ કહેવાય.' તે જ નિર્જરાહેતુ છે. કહેલું છે કે- જેમ પુષ્ટ હોવા છતાં પણ યત્નપૂર્વક શોષણ કરવાથી દોષો નાશ પામે છે, તેની માફક એકઠાં કરેલાં કર્મો તપસ્યા વડે સંવૃત થયેલો આત્મા બાળી નાખે છે' (પ્રશ. ૧૫૯) ॥ ૮૮ II તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારવાળું છે. તેમાં બાહ્ય તપના ભેદો જણાવે છેતપના બાર ભેદો : I ४१५ अनशनमौनोदर्यं वृत्तेः संक्षेपणं तथा रसत्यागस्तनुक्लेशो, लीनतेति बहिस्तपः || ૮૧ 11 અર્થ : ૧. અનશન, ૨. ઉત્તોદરી, ૩. વૃત્તિ સંક્ષેપ, ૪. રસત્યાગ ૫. કાયકલેશ અને ૬.સંલીનતાઆ છ પ્રકારનો બાહ્યતપ કહ્યો છે. II ૮૯ || ટીકાર્ય : ૧. અનશન - બે પ્રકારનું. એક થોડા કાળ માટેનું ઇત્વરિક અને બીજું જીંદગી સુધીનું યાવત્કથિક. નમસ્કાર-સહિત વગેરે શ્રીમહાવીર પ્રભુના તીર્થમાં છ માસ સુધીનું, ઋષભદેવના તીર્થમાં એક વરસ સુધીનું, મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં આઠ મહિના સુધીનું ઇત્વરિક અનશન હોય છે. જીંદગી સુધીનું અનશન તો ત્રણ પ્રકારવાળું છે. તે આ પ્રમાણે-પાદપોપગમન, ઈંગિની અને ભક્ત-પ્રત્યાખ્યાન. તેમાં પાદપોપગમનના બે ભેદ-વ્યાઘાતવાળું. અને વ્યાઘાત વગરનું. તેમાં આયુષ્ય હોવા છતાં પણ વ્યાધિ ઉત્પન્ન થવાથી હેરાનગતિ ભોગવતો હોય કે મહાવેદના અનુભવતો હોય, તો પ્રાણોનો ત્યાગ કરવામાં આવે, તે વ્યાઘાતવાળું. અને નિર્વ્યાઘાત તો આ પ્રમાણેઃ- ‘મહાભાગ્યશાળી ગચ્છનું સારી રીતે પાલન કર્યું, ઉગ્ર વિહાર કર્યો, હવે મરણ માટે તૈયાર થયો છું.' આ પ્રમાણે વય પાકી થાય ત્યારે ત્રસ, સ્થાવર જીવ-રહિત ભૂમિમાં વૃક્ષમાફક ચેષ્ટા વગરનો એવા સંસ્થાનથી રહે, જેથી કરીને ચિત્ત પ્રશસ્ત ધ્યાનમાં પરોવાએલું ટકી રહે અને પ્રાણ છૂટતાં સુધી તેવી સ્થિતિ ટકી રહે. આમ પાદપોપગમન અનશન બે પ્રકારનું છે. ઈંગિનીમરણશ્રુતમાં કહેલ ક્રિયાવિશેષથી યુક્ત અનશન, તે ઈંગિની. આ મરણનો સ્વીકારનાર તે જ ક્રમથી આયુષ્યની પરિહાણિ જાણીને તથાપ્રકા૨ની સ્થંડિલ-ભૂમિમાં એકલો ચારે આહારનો ત્યાગ કરીને છાયામાંથી તડકામાં અને તડકામાંથી છાયામાં જતો આવતો-સ્થાનની ફેરબદલી કરતો, ચેષ્ટાવાળો સારા ધ્યાનમાં પરાયણ બનેલો પ્રાણોનો ત્યાગ કરે, તે આ ઈંગિનીરૂપ અનશન. જે ગચ્છ-સમુદાય વચ્ચે રહીને, કોમળ સંથારાનો આશ્રય કરીને શરીર અને ઉપકરણોની મમતાનો ત્યાગ કરી, ચારે આહારનાં પચ્ચક્ખાણ કરે અને પોતે જાતે નમસ્કાર બોલે, અગર નજીક રહેલા સાધુઓ નવકાર સંભળાવે, પડખું ફેરવતો હોય અને સમાધિથી કાળ પામે, તે ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કહેવાય. ૨. ઉનોદરી - ઉણું ઉદર જે રાખે તે ઉનોદર. તેનો ભાવ તે ઔનોદર્ય. તેના ચાર પ્રકાર-અલ્પાહાર ઉનોદરી, અર્ધાથી ઓછી ઉત્તોદરી, અર્ધ ઉનોદરી અને પ્રમાણ-પ્રાપ્ત આહારથી કંઈક ઓછી ઉનોદરી. તેમાં Page #466 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૮૯-૯૦ ૪૧૫ પુરૂષનો આહાર બત્રીશ કોળીયા પ્રમાણ ગણાય છે. અહીં ઉત્કૃષ્ટ અને જઘન્ય છોડીને મધ્યમ કોળીયા ગ્રહણ કરવાં. જેમાં મુખ વિકૃતિવાળું ન દેખાય તેવા મુખના વિવર પ્રમાણે કોળીયો લેવો. તેમાં આઠ કોળીયાનું ભોજન કરવું, તે અલ્પાહાર ઉણોદરી. અર્ધની સમીપમાં હોય તે ઉપાધ, તેમાં બાર કોળીયા હોય, કારણ કે તેમાં ચાર કોળીયા ઉમેરવાથી સંપૂર્ણ અર્ધ કહેવાય, તેથી બાર કોળીયા તે અધથી ઓછી ઉનોદરી. સોળ કોળીયા, તે અર્ધ ઉનોદરી. પ્રમાણ પ્રાપ્ત આહાર બત્રીશ કોળીયા-પ્રમાણ ગણાય. તેમાં એક આદિ કોળીયો ઓછો કરતાં કરતાં ચોવીશ કોળીયા સુધી પ્રમાણ-પ્રાપ્ત એટલે તેનાથી કંઈક ન્યૂન ઉણોદરી. ચારે પ્રકારમાં પણ એક એક કોળીયો ઓછો કરવાથી ઘણા સ્થાનવાળી ઉણોદરી થાય. આ સર્વે ઉનોદરીવિશેષો છે. સ્ત્રીઓને અઠ્ઠાવીશ કવલ-પ્રમાણ આહાર હોય. કહેલું છે કે પુરૂષને બત્રીશ કોળીયા આહાર કુક્ષિ-પૂરક કહેલો છે અને સ્ત્રીને અઠ્ઠાવીશ કોળીયા સમજવા.” (પિંડ. નિ. ૬૪૨) પુરૂષને અનુસાર સ્ત્રીનું ન્યૂન આહારદિક સમજી લેવું. ૩. વૃત્તિ-સંક્ષેપ - વૃત્તિ એટલે ભૈશ્ય, તેનો સંક્ષેપ કરવો તે દત્તિપરિમાણરૂપ. એક, બે, ત્રણ આદિ ઘરોનો નિયમ; તથા શેરી, ગામ, અર્ધગામનો નિયમ. આમાં જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહો સમાઈ જાય છે. ૪. રસત્યાગ - વિશિષ્ટ રસવાળી, વિકારના કારણભૂત એવી ‘વિકૃતિ' શબ્દથી જેનો વ્યવહાર કરાય છે, તે મધ, માંસ, મધ, માખણ તથા દૂધ, દહીં, ઘી, તેલ, ગળપણ, તળેલું એ દસ વિગય છે. એનો ત્યાગ કરવો. ૫. કાયક્લેશ - શાસ્ત્રથી અબાધિત રીતે કાયાનું કષ્ટ સહન કરવું. શંકા કરી કે, “શરીર તો અચેતન હોવાથી તેને કેવી રીતે ક્લેશ સંભવે ?” સમાધાન કરે છે કે- શરીર અને શરીરવાળો જીવ તેનો ક્ષીરનીરન્યાયે અભેદ સંબંધ હોવાથી આત્માના ક્લેશને તનુક્લેશ કહી શકાય છે. માટે તેનુફ્લેશ એટલે કાયક્લેશ. તે વિશિષ્ટ આસન કરવાથી, શરીરની ટાપટીપ-સંસ્કાર ન કરવા રૂપ, કેશ-લોચ કરવો ઈત્યાદિરૂપ છે. શંકા કરી કે, “પરીષહમાં અને આમાં કયો વિશેષ સમજવો ?” સમાધાન કરે છે કે, પોતે જાતે ક્લેશ સ્વેચ્છાએ સ્વીકારવો, તે તનુક્લેશ, અને અનિચ્છાએ બીજાએ કરેલા ક્લેશ-દુઃખ અનુભવવાં, તે પરીષહ - આ પ્રમાણે બેનો ફરક સમજવો. ૬. સલીનતા - વિવિક્ત આસન-શધ્યતા. તે તો એકાંત, બાધા વગરના, સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત શૂન્યધર, દેવકુલ, સભા, પર્વત, ગુફા, આદિમાંથી કોઈપણ સ્થાનમાં રહેવું, તે સાથે મન, વચન, કાયા, કષાય, ઈન્દ્રિયો ગોપવવી, તે સંલીનતા. આ છ પ્રકારનો બાહ્ય તપ. બાહ્ય દ્રવ્યની અપેક્ષા રાખનાર હોવાથી, બીજાને પ્રત્યક્ષ થવાથી, કુતીર્થિકોને અને ગૃહસ્થોને પણ કરવા યોગ્ય હોવાથી તેનું બાહ્યપણું છે. આ છએ પ્રકારના બાહ્યતપથી સંગત્યાગ, શરીરનું હલકાપણું, ઈન્દ્રિયોનો વિજય, સંયમ-રક્ષણ અને કર્મનિર્જરા થાય છે. || ૮૯ . હવે અત્યંતર તપ કહે છે४१६ प्रायश्चितं वैयावृत्त्यं स्वाध्यायो विनयोऽपि च । व्युत्सर्गोऽथ शुभं ध्यानं षोढेत्याभ्यन्तरं तपः ॥ ९० ॥ અર્થ: ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વૈયાવચ્ચ, ૩. સ્વાધ્યાય ૪. વિનય ૫. કાયોત્સર્ગ અને શુભધ્યાન – આ છ ભેટવાળો અત્યંતર તપ છે. || ૯૦ || Page #467 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ટીકાર્થ ઃ પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને શુભધ્યાન એ અત્યંતર તપના છ ****** : ભેદ જાણવા. ૪૧૬ પ્રાયશ્ચિત્ત- મૂળ અને ઉત્તરગુણમાં અતિઅલ્પ પણ અતિચાર ગુણોને મલિન કરે છે, તે માટે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત. અથવા મોટા પ્રમાણમાં જેમાંથી આચારધર્મ ચાલ્યો જાય, તે ઘણે ભાગે મુનિલોક હોય, તેઓ વડે અતિચારની વિશુદ્ધિ માટે જે વિચારાય, સ્મરણ કરાય, તે પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન-વિશેષ અથવા પ્રાયે એટલે ઘણે ભાગે મનમાં વ્રતાતિચાર જાણે છે અને ચિત્ત ફરી તે અતિચારોને આચરતું નથી માટે તે પ્રાયશ્ચિત્ત. અથવા પ્રાયઃ એટલે અપરાધ, તે જેનાથી વિશુદ્ધ થાય તે પ્રાયશ્ચિત્ત. ‘ચિતી’ ધાતુ સંજ્ઞા અને વિશુદ્ધિ અર્થમાં (તત્વાર્થ ભાષ્ય ૯/૨૨) છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં છે ૧. આલોચન, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્રણ, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂળ, ૯. અનવસ્થાપ્ય અને ૧૦. પારાંચિક તેમાં ૧. આલોચન - એટલે ગુરૂ સન્મુખ પોતાના અપરાધ પ્રગટ કરવા. તે જે પ્રમાણે સેવન કર્યા હોય, તે ક્રમે અથવા જેમાં પ્રાયશ્ચિત્ત વધારે આવે, તે પહેલાં આલોવવું તે ક્રમે છેક નાના પ્રાયશ્ચિત્ત સુધી પહોંચાય, તે પ્રાયશ્ચિત્તના ક્રમે આલોવવું. આસેવન-આનુલોમ્ય એટલે ક્રમે અતિચાર સેવ્યો હોય, તે જ ક્રમે ગુરૂ આગળ દોષ પ્રગટ કરવો અને પ્રાયશ્ચિત્ત આનુલોમ્ય એ ગીતાર્થ શિષ્યને હોય. તે પંચક, દશક, પંચદશ ક્રમવડે ગુરૂ, લઘુ અપરાધને અનુરૂપ જાણીને જે મોટો અપરાધ હોય, તે પ્રથમ પ્રગટ કરે, પછી નાનો, પછી વધારે નાનો એ ક્રમે આલોચના કરવી. ૨. પ્રતિક્રમણ - અતિચારના પરિહાર-પૂર્વક પાછા ફરવું, તે પ્રતિક્રમણ. તે પણ મિથ્યા દુષ્કૃત-યુક્ત હૃદયના સાચા પાપના પશ્ચાત્તાપ સાથે અને ફરી આવુ પાપ હવે હું નહિં કરીશ' એ પરિણામવાળું જોઈએ. ૩. મિશ્ર - આલોચન અને પ્રતિક્રમણ બંને સાથે. પહેલાં ગુરૂ પાસે આલોવવુ, પછી ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રતિક્રમણ કરવું. ૪. વિવેક જીવાદિકથી યુક્ત અન્ન, પાન, ઉપકરણ, શય્યાદિ પદાર્થોનો ત્યાગ. ૫. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ. અનેષણીય-દોષિત વસ્તુઓનો ત્યાગ કરવામાં, જતાં-આવતાં, પાપવાળાં સ્વપ્ર-દર્શન થતાં, નાવડીમાં બેસી સામે પાર જતાં, સ્થંડિલ મારું કરતાં, વિશિષ્ટ પ્રણિધાનપૂર્વક કાયા, વચન, મનના વ્યાપારોનો ત્યાગ કરવારૂપ એટલે કે તે દોષો ટાળવા માટે કાઉસ્સગ્ગ કરવારૂપ પ્રાયશ્ચિત્ત. ૬. તપ - છેદગ્રંથ કે જીતકલ્પસૂત્રના અનુસારે જે કોઈ તપથી વિશુદ્ધિ થાય, તે દેવું અને સેવન કરવું. - ૭. છેદ - તપસ્યાથી જેને કાબુમાં ન લઈ શક્ય તેવા ઉલ્લંઠ શિષ્યને પાંચ રાત્રિ-દિવસના ક્રમથી સાધુપણાના પર્યાયનો છેદ કરવો. . ૮. મૂળ મહાવ્રતો મૂળથી ફરી વખત આપવાં. ૯ અનવસ્થાપ્ય - અતિદુષ્ટ પરિણામવાળો, તપવિશેષ કરતો નથી, તેવાને વ્રતો આપવા. પૂર્વે તેને એવું તપ કરાવવું કે પોતે ઉઠવા-બેસવા માટે પણ અશક્ત બની જાય, ત્યાં સુધી તપ કરાવવું. જ્યારે તે ઉઠવા-બેસવા માટે અશક્ત બન્યો હોય, ત્યારે બીજાને પ્રાર્થના કરે કે, ‘હે આર્યો ! મારે ઉભા થવું છે' ત્યારે તે સાધુઓ તેની સાથે કાંઈ પણ વાતચીત કર્યા વગર તેનાં કાર્યો કરી આપે. કહેલું છે કે ‘ મને ઉભો Page #468 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૦ ૪૧૭ કરો, બેસાડો, ભિક્ષા જાવ, પાત્ર પલેવો” એમ કહે ત્યારે કોપાયમાન પ્રિય બાંધવ માફક મૌનપણે બીજો સાધુ કાર્ય કરી આપે. (વ્યવહાર ભાષ્ય ૧/૩૬૮) આટલું તપ કરે ત્યારે ફરી વડી દીક્ષા અપાય. ૧૦. પારાંચિત - પ્રાયશ્ચિત્તોનો પાર અથવા છેડો એટલે કે તેનાથી ચડીયાતા પ્રાયશ્ચિત્તનો અભાવ, અથવા અપરાધોનો છેડો પામવો, તે જ પારાંચિત. તે મોટો અપરાધ થાય, ત્યારે વેષથી, કુલથી, ગણથી કે સંઘથી તેનો બહિષ્કાર કરવો. આ છેદ સુધીનાં પ્રાયશ્ચિત્તો ગુમડાંની ચિકિત્સા સરખાં પૂર્વાચાર્યોએ કહેલાં છે. તેમાં બહુ જ નાનું શલ્ય-નાની ફાંસ - કે શરીરમાં જે લોહી સુધી પહોંચી નથી, માત્ર ચામડી સાથે લાગેલી હોય તેવા પ્રકારની ફાંસ - શલ્ય કે ડાભની અણી ચામડીમાં લાગેલી હોય, તે શરીરમાંથી બહાર કાઢી શકાય છે. ત્યાં જે છિદ્ર પડેલું હોય, તેનું મર્દન કરવાની જરૂર નથી કારણ કે શલ્ય અલ્પ હોવાથી છિદ્ર પણ નાનું છે. બીજું શલ્ય એટલે ફાંસ બહાર કાઢી તો છિદ્રનું મર્દન કરવું પડે. પણ કાનના મેલથી છિદ્ર પૂરવાની જરૂર રહેતી નથી. ત્રીજા પ્રકારમાં શલ્ય વધારે ઊંડું ગયું હોય, તેને બહાર કાઢયા પછી શલ્ય-સ્થાનનું છિદ્રનું મર્દન કરવું પડે અને કાનનો મેલ છિદ્રમાં પૂરવો પડે. ચોથામાં શલ્ય ખેંચી કાઢવું, મર્દન કરવું, અને વેદના દૂર કરવા માટે લોહી પણ દાબીને બહાર કાઢી નાખવું. પાંચમામાં તો અતિ ઉંડાણમાં ગયેલું શલ્ય, તેનો ઉદ્ધાર કરવાનો હોય તો તેમાં ગમન કરવું, જવા-આવવાનું, ચાલવાનું વગેરે ક્રિયાઓ બંધ કરવી. છઠ્ઠામાં શલ્યનો ઉદ્ધાર કર્યા પછી માત્ર હિત, મિત, પથ્ય ભોજન અગર અભોજનવાળા રહેવું. સાતમાં પ્રકારમાં તો શલ્યનો ઉદ્ધાર કર્યા પછી જ્યાં સુધી શલ્યવડે માંસ, લોહી આદિ દૂષિત થયાં હોય ત્યાં સુધી તેનો છેદ કરવો-ખોદી નાખવુ. સર્પ, ઘો પ્રાણી કરડી ગયું હોય, કે દરાજ-ખૂજલી આદિ દરદ થયું હોય તે, પૂર્વે જણાવેલી ક્રિયાથી પણ મટતાં ન હોય અને વૃદ્ધિ પામતાં હોય, તો બાકીના અવયવોનું રક્ષણ કરવા માટે હાડકાં-સહિત અંગનો છેદ કરવો પડે. આ દ્રવ્યવ્રણના દૃષ્ટાન્તથી મૂળગુણ અને ઉત્તરગુણરૂપ ચારિત્ર-પુરૂષના અપરાધરૂપ વ્રણ-છિદ્ર-ફોલ્લો તેની ચિકિત્સા-શુદ્ધિ આલોચનાથી માંડી છેદ સુધીના પ્રાયશ્ચિત્તવિધિથી કરવી. પૂજ્ય ભગવાન ભદ્રબાહુસ્વામીએ કહેલું છે કે “નાનો, બારીક, અણી વગરનો, વગર લોહીનો માત્ર ચામડી સાથે જ લાગેલો કાંટો ખેંચી કાઢી ફેંકી દેવાય છે અને ત્રણ-મર્દન કરાતું નથી. બીજામાં શલ્ય ખેંચીને મર્દન કરાય છે. અને શલ્ય તેથી વધારે ઉંડું ગયું હોય તેવા ત્રીજામાં શલ્યને બહાર કાઢવાનું, મર્દન અને મલ-પૂરણ કરવાનું. ચોથા પ્રકારમાં ખેંચ્યા પછી વેદના ન થાય, તે માટે તદુપરાંત લોહી પણ દાબીને કાઢી નાખવું. પાંચમા પ્રકારમાં નાની ચેષ્ટાઓ પણ રોકવી. છઠ્ઠામાં વ્રણની રુઝ લાવવા માટે હિત, મિત, પથ્ય ભોજન કરનારો કે ભોજન નહિ કરનારો હોય. સાતમાં પ્રકારમાં તેટલું માત્ર સડી કે બગડી ગયેલું માંસ કાપી નાખવું, તો પણ દરદ આગળ વધતું ન અટકે પણ સર્પભક્ષણ, દરાજ કે ખરજવું કે તેવા સડવા જેવા રોગ થયા હોય તો બાકીના અંગની રક્ષા માટે હાડકા-સહીત તે અંગનો છેદ કરવો. મૂળ અને ઉત્તર ગુણો રૂપ પરમચરણ-પુરૂષનું રક્ષણ કરનાર, અપરાધરૂપ શલ્યથી થવાવાળું ભાવવ્રણ સમજવું. ભિક્ષાચર્યાદિનો કોઈ અતિચાર આલોચનાગુરૂ પાસે માત્ર અતિચાર પ્રગટ કરવા માત્રથી જ શુદ્ધ થાય. બીજામાં સમિતિ વગરનો કે અકસ્માત ગુપ્તિવગરનો, ત્રીજામાં શબ્દાદિક વિષયોમાં લગાર રાગ-દ્રષવાળો થયો અને ચોથામાં અષણીય આહારાદિ જાણીને તેનો વિવેક કરવો. કોઈક અતિચાર કાયોત્સર્ગથી અને કોઈક તપથી શુદ્ધ થાય છે. તેથી પણ શુદ્ધ ન થાય, તો છેદ વિશેષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે.” (આ. નિ. ૧૪૩૪-૧૪૪૨) પ્રમાદ દોષનો ત્યાગ, ભાવની પ્રસન્નતાવડે, શલ્ય, અનવસ્થા દૂર કરવાં, મર્યાદાનો ત્યાગ ન કરવો, સંયમની દઢતાપૂર્વક આરાધના વગેરે પ્રાયશ્ચિતનું Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ફળ છે. ૨. વૈયાવૃત્ય - પ્રવચનમાં કહેલી ક્રિયાના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતો, તેનો ભાવ તે વૈયાવૃજ્ય. વ્યાધિ, પરીષહ, મિથ્યાત્વ આદિના ઉપદ્રવમાં તેનો પ્રતિકાર તથા બાહ્ય તકલીફના અભાવમાં પોતાની કાયાથી તેને અનુકુલ જે અનુષ્ઠાન. તે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, નવદીક્ષિત, બિમાર સાધુ, સમાનધર્મી, કુલ, ગણ અને સંઘ એમ દસનું વૈયાવચ્ચ વિષય-ભેદથી જણાવેલું છે. - તેમાં પોતે પાંચ પ્રકારના આચારો પાળે અને બીજાને પળાવે, અથવા જેની સેવા કરાય, તે આચાર્ય. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે- ૧. પ્રવ્રાજક આચાર્ય અર્થાત્ દીક્ષા આપનાર, ૨. દિગાચાર્ય, ૩. યોગાદિક ક્રિયા કરાવનાર ઉદેશકાચાર્ય, ૪. સૂત્રના સમુદેશ-અનુજ્ઞા કરાવનાર આચાર્ય ૫. પરંપરાથી સૂત્ર આવેલાં હોય, તેને આપનાર વાચનાચાર્ય. તેમાં સામાયિક-વ્રતાદિ આરોપણ કરનાર પ્રવ્રાજકાચાર્ય. સચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપનાર દિગાચાર્ય. પ્રથમ શ્રુતજ્ઞાનનો ઉદેશો કરનાર ઉદેશાચાર્ય. ઉદેશ કરનાર ગુરૂના અભાવમાં તે જ શ્રુતના સમદેશ અને અનુજ્ઞાની વિધિ કરાવનાર સમુદેશાનુજ્ઞાચાર્ય ઉત્સર્ગ, અપવાદલક્ષણ પરંપરાથી આવેલા અર્થની જે વ્યાખ્યાઓ આપે, પ્રવચનના અર્થ કહેવા દ્વારા ઉપકાર કરનારા. અક્ષ, નિષદ્યા આદિની અનુજ્ઞા આપનાર, આમ્નાયના અર્થો જણાવનાર આમ્નાયાર્થ વાચકાચાર્ય આચારવિષયક કે સ્વાધ્યાય કથન કરનાર એવા પાંચ પ્રકારના આચાર્યો. આચાર્યે આપેલી અનુજ્ઞાથી સાધુઓ જેની પાસે વિનયથી અભ્યાસ કરે, તે ઉપાધ્યાય. સ્થવિર એટલે વૃદ્ધ સાધુ તેના ત્રણ ભેદ આ પ્રમાણેશ્રત, પર્યાય અને વયથી વિર. સમવાયાંગ સુધીના અભ્યાસી સાધુ શ્રુતસ્થવિર. દીક્ષા લીધાને વશ વર્ષ થયાં હોય, તે પર્યાય-સ્થવિર. સીત્તેર વર્ષ કે તેથી અધિક વયવાળા વયસ્થવિર કહેવાય. ચાર ઉપવાસથી માંડી કંઈક ન્યૂન છમાસ સુધીનું તપ કરનારા તપસ્વી કહેવાય. તાજી દીક્ષા લેનાર શિક્ષાયોગ્ય તેવા નવદીક્ષિત. રોગાદિકથી નિર્બળ તાકાતવાળા તે ગ્લાન. સમાન ધર્મવાળા-બાર પ્રકારના સંભોગવાળા-લેવડદેવડ-વ્યવહારવાળા એવા સાધર્મિકો. એક જાતિ-સામાચારી-આચરણાવાળા ઘણા ગચ્છોનો સમુદાય તે ચંદ્રાદિ નામવાળાં કુલ કહેવાય. એક આચાર્યની નિશ્રામાં રહેનાર સાધુ-સમુદાય તે ગચ્છ. કુલનો સમુદાય તે કોટિક આદિ ગણ. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકોઓનો સમુદાય, તે સંઘ. આ આચાર્યાદિકોને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટલા, સંસ્મારક આદિ ધર્મ-સાધનો પ્રતિલાભવાં; તેમની ભેષજ-ઔષધ શશ્રષા-સેવા-ભક્તિ-વૈયાવચ કરવી: જંગલ વટાવવામાં સહાયતાઃ રોગ, ઉપસર્ગાદિકમાં સારસંભાળ રાખવી ઈત્યાદિ વૈયાવૃજ્ય. ૩. સ્વાધ્યાય - મર્યાદાથી કાળવેળા ત્યાગ કરીને પૌરુષી આદિ અપેક્ષાએ સૂત્રાદિનું અધ્યયન કરવું. તેના પાંચ પ્રકાર છે - વાચના, પ્રચ્છના, અનુપ્રક્ષા, પરાવર્તન અને ધર્મોપદેશ કરવો. તેમાં શિષ્યોને સૂત્રાદિક ભણાવવાં તે વાચના. ગ્રંથના અને અર્થના સંદેહ છેદવા માટે કે નિશ્ચિત અર્થ-બળ સ્થાપન કરવા માટે બીજા પાસે વ્યાખ્યા કરાવવી કે પૂછવી તે પ્રચ્છના. ગ્રંથ અને અર્થનું મનથી ચિંતન કરવું, તે અનુપ્રેક્ષા. વિશુદ્ધ ઉચ્ચારથી પરાવર્ત-ગુણન કરવું તે પરાવર્તન આખ્યાન. ધર્મોપદેશ, અર્થોપદેશ, વ્યાખ્યાન આપવું, અનુયોગ વર્ણન કરવું, તે સર્વ ધર્મોપદેશમાં આવી જાય. ૪. વિનય - આઠ પ્રકારનાં કર્મો જેનાથી દૂર કરાય, તે વિનય. તે ચાર પ્રકારનો છે. જ્ઞાન-વિનય, દર્શન-વિનય, ચારિત્ર-વિનય અને ઉપચાર-વિનય. તેમાં બહુમાન-સહિત જ્ઞાન ગ્રહણ કરવું, અભ્યાસ કરવો, યાદ રાખવું, તે જ્ઞાન-વિનય. સામાયિકસૂત્રથી માંડી લોકબિન્દુસાર સુધીના શ્રુતજ્ઞાનમાં ભગવંતે કહેલા પદાર્થોમાં લગાર પણ ફેરફાર નથી જ એવા પ્રકારની નિઃશંક્તિ શ્રદ્ધાવાળા થવું, તે દર્શન-વિનય. Page #470 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૧ ૪૧૯ ચારિત્રવાળામાં અને ચારિત્રમાં આદરવાળા-સદ્ભાવવાળા થવું તે ચારિત્ર વિનય. સામા જવું, અંજલિ જોડવી ઈત્યાદિક ઉપચાર-વિનય. પરોક્ષમાં પણ તેઓ માટે કાયા, વચન, મનથી અંજલિ-ક્રિયા, ગુણ - સંકીર્તન અને સ્મરણ આદિ કરવાં, તે ઉપચાર-વિનય. ૫. વ્યુત્સર્ગ - વોસરાવવા યોગ્યનો ત્યાગ, તે વ્યુત્સર્ગ. તે બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. તેમાં બાહ્ય બાર પ્રકારની ઉપાધિથી વધારાની ઉપધિનો ત્યાગ અથવા અનેષણીય કે જીવ-જંતુથી સચિત્ત પદાર્થો યુક્ત અન્ન-પાનાદિકનો ત્યાગ કષાયોનો ત્યાગ તથા મૃત્યકાલે શરીરનો ત્યાગ, તે અત્યંતર વ્યુત્સર્ગ. શંકા કરી કે, “બુત્સર્ગ પ્રાયશ્ચિત્તની અંદર કહેલો જ છે, વળી અહીં બીજી વખત શા માટે કહ્યું? સમાધાન કરે છે કે, “બરાબર, ત્યાં અતિચારની વિશુદ્ધિ માટે કહેલ છે, અહીં તો સામાન્ય નિર્જરા માટે કહેલ હોવાથી પુનરુક્ત નથી.” ૬. શુભ ધ્યાન - આર્ત, રૌદ્ર છોડીને ધર્મ અને શુક્લ એવા બે શુભધ્યાન ધ્યાવાં. આર્ત અને રૌદ્ર ધ્યાનની વ્યાખ્યા પહેલા કહેવાઈ ગઈ છે અને ધર્મ તથા શુક્લ પ્લાનની વ્યાખ્યા આગળ કહેવાશે. આ પ્રમાણે છ પ્રકારનું અત્યંતર તપ. અત્યંતરકર્મનો તપાવનાર-બાળનાર હોવાથી અથવા અંતર્મુખ બન્યા હોય તેવા કેવલજ્ઞાની ભગવંતોથી જાણી શકાય તેવું હોવાથી આને અત્યંતર તપ કહ્યું છે. સર્વથી છેલ્લો સર્વ તપના ઉપર ધ્યાનનો પાઠ રાખ્યો, તે એટલા માટે કે મોક્ષ-સાધનોમાં ધ્યાનનું મુખ્યપણું છે. કહેલું છે કે – “જો કે સંવર, નિર્જરા, મોક્ષના માર્ગો છે, પણ તે બે કરતાં પણ તપ પ્રધાન છે. તપમાં પણ ધ્યાન પ્રધાન છે, તેથી ધ્યાન મોક્ષનો હેતુ છે. (ધ્યાનેશતક ગા. ૯૬) | ૯૦ //. હવે તેમને નિર્જરાનું કારણ પ્રગટ કરતા કહે છે– ४१७ दीप्यमाने तपोवह्नौ, बाह्ये चाभ्यन्तरेऽपि च । यमी जरति कर्माणि, दुर्जराण्यपि तत्क्षणात् ॥ ९१ ॥ અર્થ : બાહ્ય-અભ્યતર તપરૂપ અગ્નિ દીપ્તિમાન હોવાથી સાધુ દુઃખપૂર્વક નાશ પામે તેવા કર્મોને તે જ ક્ષણમાં ખપાવે છે. ૯૧ ||. ટીકાર્થ : તારૂપ અગ્નિ-પાપરૂપ વનને બાળી નાંખનાર હોવાથી તપ-અગ્નિ. તે જ્યારે પ્રબળ બને છે ત્યારે સંયમવાળો આત્મા દુઃખે ક્ષય કરી શકાય તેવા જ્ઞાનાવરણીયાદિ કર્મોને તપસ્યાથી બાળીને ભસ્મ કરી નાંખે છે. તપ નિર્જરા-હેતુ છે, તે ઉપલક્ષણ છે. બાકી તો સંવરનો પણ હેતુ છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિજીએ કહેલું છે કે– ‘તપથી સંવર અને નિર્જરા થાય છે' (તત્ત્વાર્થ ૯૪) તપ એ સંવર કરનાર હોવાથી આવતા નવીન કર્મસમૂહને અટકાવનાર અને જૂના કર્મોની નિર્જરા કરાવનાર છે તથા નિર્વાણ પમાડનાર છે. અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ કહે છેઃ જેમ સરોવરના દ્વારા ચારે બાજુથી ઉપાય પૂર્વક બંધ કર્યા હોય તો નવા જળપ્રવાહથી સરોવર પૂરતું નથી, તે જ પ્રમાણે આશ્રવ-નિરોધ કરવાથી સંવરથી સમાવૃત્ત થએલો આત્મા નવા નવા કર્મદ્રવ્યો વડે પૂરાતો નથી. જેવી રીતે પહેલાનું એકઠું થએલું સરોવરનું જળ સૂર્યના પ્રચંડ તાપથી સંતાપ પામી વારંવાર શોષાયા કરે છે, તેવી રીતે જીવે પહેલા બાંધેલા સર્વ કર્મો તપ વડે શોષવામાં આવે, તો ક્ષણવારમાં સુકાઈને ક્ષય પામે છે. બાહ્યતપ કરતાં અત્યંતરતા નિર્જરાનું શ્રેષ્ઠ કારણ છે. તેમાં પણ ધ્યાનતપને એક છત્રરૂપ મુનિઓએ કહેલું છે. લાંબા કાળના ઉપાર્જન કરેલા ઘણાં અને પ્રબળ કર્મનો ધ્યાનશાળી યોગી તત્કાલ ક્ષય કરે છે. જેમ પુષ્ટ થએલ દોષ લંઘન કરવાથી શોષાઈ જાય છે, તેવી જ રીતે પૂર્વ એકઠા કરેલ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ કર્મ તપથી ક્ષય પામે છે. જેમાં પ્રચંડ પવનથી અથડાએલા વાદળના સમૂહો આમ તેમ વિખરાઈ જાય, તેમ તપસ્યાથી કર્મો પણ આમ-તેમ વિખેરાઈ જાય છે. જો કે સંવર-નિર્જરા દરેક ક્ષણે ચાલુ હોવા છતાં પણ જ્યારે પ્રકર્ષ પામે, ત્યારે જ તે સંવર-નિર્જરા ધ્રુવપણે મોક્ષને ઉત્પન્ન કરે છે. બંને પ્રકારના તપ વડે નિર્જરા કરતો, નિર્મળ બુદ્ધિવાળો આત્મા સર્વ કર્મના ક્ષયસ્વરૂપ મુક્તિને પામે છે. આ પ્રકારે તપ વડે પુષ્ટ કરેલી, સમગ્ર કર્મનો વિઘાત કરનારી, ભવ-સમુદ્ર તરવા માટે સેતુ-સમાન, મમતાનો ઘાત કરવામાં કારણભૂત એવી નિર્જરાનું ધ્યાન કરો. એમ નિર્જરા-ભાવના કહી. || ૯૧ / હવે ધર્મ-સ્વાખ્યાત-ભાવના કહે છે४१८ स्वाख्यातः, खलु धर्मोऽयं भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि, न च मज्जेद् भवसागरे ॥ ९२ ॥ અર્થ : જિનમાં ઉત્તમ એવા શ્રી અરિહંત ભગવંતોએ આ ધર્મ ખરેખર એવો કહ્યો છે કે, જેનું આલંબન કરનાર આત્મા ભવસાગરમાં ડૂબે નહિ. || ૯૨ || ટીકાર્થ : ધર્મ સુ-આખ્યાત-કુતીર્થિક ધર્મની અપેક્ષાએ પ્રધાનતાવાળો, વિધિ-પ્રતિષેધ-મર્યાદા વડે કહેલો એવો ધર્મ, વિદ્વાનોના ચિત્તમાં વર્તતો એવો આ ધર્મ, કોણે કહેલો ? અવધિજિન આદિકથી પણ ચડિયાતા કેવલી-ભગવંતોએ કહેલો, જેનું આલંબન લેનાર જીવ ભવસમુદ્રમાં ડૂબતો નથી. ૯૨ / સારી રીતે કહેલા ધર્મના દસ પ્રકારો કહે છે :४१९ संयमः सूनृतं शौचं, ब्रह्माऽकिञ्चनता तपः ।। क्षान्तिर्मार्दवमृजुता मुक्तिश्च स दशधा तु ॥ ९३ ॥ અર્થ : તે ધર્મ દશ પ્રકારનો છે : ૧. સંયમ, ૨. સત્ય, ૩. શૌચ, ૪. બ્રહ્મચર્ય ૫. અકિંચન ૬. તપ ૭. ક્ષમા ૮. માર્દવ ૯. સરળતા અને ૧૦. મુક્તિ. / ૯૩ // ટીકાર્ય : સત્તર પ્રકારનો સંયમ-ધર્મ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ક્ષાન્તિ, માર્દવ, સરળતા, નિર્લોભતા, આ દસ પ્રકારનો ધર્મ છે, તેમાં ૧. સંયમ - એટલે પ્રાણિ-દયા. તે સત્તર પ્રકારનો છે. પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનું મન, વચન અને કાયા દ્વારા કરણ, કરાવણ અને અનુમોદન વડે સંરંભ, સમારંભ અને આરંભનો ત્યાગ કરવો-એમ નવપ્રકાર. અવરૂપ પુસ્તકાદિનો પણ સંયમ. દુઃષમકાળના દોષથી બુદ્ધિબળ ઘટતું જવાથી, શિષ્યોના ઉપકાર માટે યતના-પૂર્વક પ્રતિલેખના, પ્રમાર્જના સહિત પુસ્તકાદિ ધારણ કરે તો અજીવ-સંયમ. તથા પ્રેક્ષા-સંયમ, આંખથી બીજ-જંતુ, લીલોતરી આદિથી રહિત અંડિલભૂમિ દેખીને, ત્યાં શયન, આસન આદિ કરવા. સાવદ્ય વ્યાપાર કરનારા ગૃહસ્થોને ન પ્રેરતા, તેની ઉપેક્ષા કરવા રૂપ ઉપેક્ષા-સંયમ. દૃષ્ટિ-પડિલેહણ કરેલી ભૂમિમાં શયન, આસનાદિ કરતાં રજોહરણાદિથી પ્રાર્થના કરતો, તથા એક સ્થળેથી બીજે સ્થળે ચાલતા, સચિત્ત, અચિત્ત કે મિશ્ર પૃથ્વીમાં ચાલતા રજ કે ધૂળવાળા ચરણો થયા હોય, તેને પ્રમાર્જન કરી આગળ જાય તો પ્રમાર્જના-સંયમ. દોષિત અનેષણીય ભોજન-પાણી, અનુપકારક વસ્ત્ર-પાત્રો કે જીવોથી સંસક્ત હોય તેવા અન્ન, પાણી, વસ્ત્રાદિકને નિર્જીવ સ્થાનમાં પરઠવતો પરિઠાપના-સંયમ. કોઈનું નુકસાન, અભિમાન, ઈર્ષાદિકની નિવૃત્તિ કરી, મનને ધર્મધ્યાનાદિકમાં પ્રવર્તાવવું, તે મનઃ સંયમ, હિંસક-કઠોર, કડવા વગેરે પ્રકારના વચનોથી નિવૃત્તિ Page #472 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૨-૯૩ ૪૨૧ કરી. શુભભાષામાં વચનની પ્રવૃત્તિ કરવી, તે વચન-સંયમ. દોડવું, કૂદવું, વળગવું આદિ પાપ-પ્રવૃત્તિ બંધ કરી કાયાને શુભક્રિયામાં પ્રવર્તાવવી, તે કાય-સંયમ. એ પ્રમાણે પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ સત્તર પ્રકારનો સંયમ. કહેલું છે કે- ‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જીવો, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના, પારિષ્ઠાપનિકા, મન, વચન અને કાયાનો સત્તર પ્રકારનો સંયમ છે. (આવશ્યક સં.) ૨. સૂતૃત - પ્રિય-સત્ય વચન. તે તો કઠોરતા, ચાડી, અસભ્ય, ચપળતા, ચાવીને બોલવું, સ્પષ્ટ ગભરામણ, ઉતાવળ, સંદેહ, ગ્રામ્ય, રાગ-દ્વેષ-યુક્ત, કપટ-પાપયુક્ત, નિંદાદિક દોષ વગરનું તથા માધુર્ય, ઔદાર્ય, સ્પષ્ટ, ઉત્તમ પદાર્થ પ્રગટ કરનાર, અરિહંત પરમાત્માના વચનને અનુસરનાર, અર્થી લોકો ભાવ ગ્રહણ કરી શકે એવું, દેશ કાલને અનુરૂપ, સંયમવાળાને મિતાક્ષર, હિતકારી ગુણોથી યુક્ત વાચના, પ્રશ્ન પૂછેલાના ઉત્તરો આપવા રૂપ મૃષાવાદ-રહિત તે સત્ય વચન. ૩. શૌચ - સંયમને પાપકર્મનો લેપ ન લાગવારૂપ, અદત્તાદાન ત્યાગ કરવા રૂપ તે શૌચ છે. લોભ વશ બનેલો પારકા ધનને લેવા ઈચ્છા કરતો સંયમને મલિન કરે છે. લૌકિકો પણ કહે છે કે- “સર્વે શૌચોમાં અર્થ-શૌચ મહાન કહેલ છે, જે અર્થમાં શુચિ થયો તે શુચિ છે. માટી કે જળ વડે જે શુચિ થયો, તે શુચિ નથી.” (મનુસ્મૃતિ પ/૧૦૬) અશુચિવાળો આ લોક કે પરલોકમાં ભાવ-મળરૂપ કર્મો એકઠાં કરે નથી. એટલા માટે અદત્તાદાનના પરિહારરૂપ શૌચ ધર્મ જણાવ્યો છે. ૪. બ્રહ્મચર્ય - નવ પ્રકારની બ્રહ્મચર્યગુપ્તિથી યુક્ત ઉપસ્થ-સંયમ, ગુપ્તેન્દ્રિય વિષયક સંયમ. ભીમસેનને ભીમ' એ ટૂંકા નામથી બોલાય, તે ન્યાયાનુસારે બ્રહ્મ પણ બોલાય'. બ્રહ્મચર્ય મહાન હોવાથી બ્રહ્મચર્ય એટલે આત્મારામતા, તેના માટે ગુરુકુલવાસ સેવન પણ બ્રહ્મચર્ય અબ્રહ્મની નિવૃત્તિરૂપ પણ બ્રહ્મચર્ય. ૫. અકિંચનતા - જેની પાસે કંઈ પણ દ્રવ્ય નથી તે અકિંચન. તેનો ભાવ તે અકિંચનતા. ઉપલક્ષણથી શરીર, ધર્મોપકરણાદિમાં નિર્મમત્ત્વ હોય. શરીર ધારણ કરનારા મુનિઓ મમતા વગરના હોવાથી તેઓ પરિગ્રહ વગરના છે અને ભોજનાદિક પણ સંયમ-યાત્રાના નિર્વાહ પૂરતા જ ગાડાના પૈડાને દીવેલના લેપ માફક મૂછ વગર ગ્રહણ કરે છે. રજોહરણ અને ઉપકરણો પણ સંયમના રક્ષણ માટે તથા વસ્ત્ર, પાત્રાદિક સંયમ-શરીરના રક્ષણ માટે ધારણ કરે છે પણ લોભ કે મમતાથી નહિ માટે નિષ્પરિગ્રહી જ છે. એ પ્રમાણે પરિગ્રહ પરિહારરૂપ અકિંચનતા. ૬. તપ - સંવર અને નિર્જરાના હેતુરૂપ હોવાથી જો કે પહેલાં કહેવાઈ ગયો છે. તે બાર પ્રકારનો છે પણ પ્રકીર્ણરૂપ અનેક પ્રકારનો પણ છે. તે આ પ્રમાણે યવમધ્ય, વજમય, ચાન્દ્રાયણ, કનકાવલિ, રત્નાવલિ, મુક્તાવલિ, સિંહવિક્રીડિત બે પ્રકારના, સાત સપ્તમિકાદિ ચાર પ્રતિમામાં સર્વતોભદ્ર, ભદ્રોત્તર, વર્ધમાન આયંબિલતપ વગેરે બાર ભિક્ષુ-પ્રતિમાઓ એક મહિનાથી માંડી સાત મહિનાની સાત, સાત રાત્રિ સંબંધી ત્રણ, એક દિવસ-રાત્રિની, એક રાત્રિની. ૭. ક્ષાન્તિ-ક્ષમા - શક્ત કે અશક્ત હોય તેનું સહન કરી લેવાના પરિણામ કરવા તે ક્ષમા. તે ક્રોધનિમિત્તનો આત્મામાં ભાવ કે અભાવ વિચારવાથી, ક્રોધ કરવાના દોષો વિચારવાથી, બાળ-સ્વભાવ વિચારવાથી, પોતે કરેલાં કર્મના ફળો ઉદયમાં આવ્યાનું ચિતવવાથી, ક્ષમાગુણ રાખવાના લાભ વિચારવાથી, ક્ષમા ઉત્પન્ન થાય છે. તેમાં જે દોષના કારણે મારા પર બીજો આક્રોશ કરે છે તે મારામાં હોય તો તે Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ માણસ સભૂત પદાર્થ જણાવે છે, તેનો એમાં કયો દોષ ? હવે જો પોતાનામાં તે દોષ નથી, તો તે અસત્ય બોલે છે, માટે મારે તેને ક્ષમા આપવી. કહેલું છે કે – “કોઈ આક્રોશ કરે તો તે બુદ્ધિશાળી સમજુએ યથાર્થ તત્ત્વની વિચારણા કરવી. જો સત્ય હોય તો કોપ કેમ થાય ? અને અસત્ય હોય તો અજ્ઞાની સાથે કોપ કરવાથી શો ફાયદો?' ક્રોધ કરવાનું નુકસાન ચિંતવવાથી પણ ખમી ખાવું જોઈએ. ક્રોધ કરનારને તો નક્કી પાપકર્મનો બંધ થાય છે જ. તેથી બીજાને મારવાનું થાય, તેથી અહિંસાવ્રતનો લોપ થાય, ક્રોધમાં આડું અવળું બોલવાથી બીજા વ્રતનો પણ લોપ થાય. ક્રોધમાં દીક્ષા લીધાની વાત ભૂલી જાય તો વગર આપેલું લેવાથી અદત્ત પણ ગ્રહણ કરે – એટલે ત્રીજા વ્રતનો લોપ થાય. દ્વેષથી પરપાખંડિની(સ્ત્રી) સાથે અબ્રહ્મ સેવનથી ચોથા વ્રતનો લોપ થાય, અત્યંત ક્રોધી બનવા યોગે અવિરતગૃહસ્થોની સહાયબુદ્ધિથી તેમના ઉપર મમતાભાવ-મૂછ પણ થાય, એટલે પાંચમા વ્રતનો લોપ. ઉત્તરગુણોના ભંગની વાત તો રહી જ કયાં? ક્રોધી આત્મા ગુરુની પણ આશાતના કરે અને અપમાન કે તિરસ્કાર પણ કરે. એ પ્રમાણે ક્રોધના દોષો વિચારે. બાળ-સ્વભાવ ચિંતવવાથી પણ ક્ષમા રાખવી. બાળ એટલે અણસમજુ, તેનો સ્વભાવ. આ પ્રમાણે વિચારે કે, બાળજીવ કોઈ વખત પરોક્ષ અને કોઈ વખત પ્રત્યક્ષ આક્રોશ કરે. કોઈ વખત પરોક્ષ આક્રોશ કરતા માને કે મારી પાછળ આક્રોશ કરે છે, સન્મુખ કે પ્રત્યક્ષ તો કંઈ કહેતો નથી ને ! એટલો ભલો છે. કદાચ પ્રત્યક્ષ આક્રોશ કરતો હોય તો કહે છે કે, ભલો આ માણસ મુખથી આક્રોશના શબ્દો બોલે છે પણ મારતો તો નથી ને? મારતો હોય તો પ્રાણ તો લેતો નથી ને ? પ્રાણ પણ લેતો હોય તો, મને ધર્મથી ભ્રષ્ટ કરતો નથી ને ! એમ આગળ આગળના અભાવમાં પોતાને લાભ માને છે. કહેવું છે કે, “આક્રોશ કરે, હણે, પ્રાણ લે, ધર્મભ્રષ્ટ કરે– આ વગેરે અજ્ઞાની આત્માઓને સુલભ છે. ધીર સમજુ આત્મા આગળ આગળના ભાવ-અભાવમાં પોતે લાભ માને છે.” એ પ્રમાણે બાળ-સ્વભાવ વિચારવો. પોતે કરેલા કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે. એમ ચિંતવવાથી પણ ક્ષમા થાય છે. પૂર્વે કરેલા કર્મના ફળનું આવવું આ પ્રમાણે થાય છે. કર્મનું ફળ ભોગવ્યા વગર કે તપ કર્યા વગર નિકાચિત કર્મનો ક્ષય થતો નથી. અવશ્ય ભોગવવા લાયક ફળ-વિષયમાં બીજો તો માત્ર નિમિત્ત છે. કહેવું છે કે “સર્વે કોઈ પૂર્વે કરેલા કર્મનો ફળ - વિપાક પામે છે. અપરાધ થવામાં કે ઉપકાર-ગુણ થવામાં બીજો તો માત્ર નિમિત્તભૂત છે.' આ પ્રમાણે પોતે કરેલા કર્મ-ફળનો ઉદયકાળ વિચારવો. ક્ષમાગુણની વિચારણા કરવાથી ક્ષમા પ્રગટ થાય છે શ્રમનો અભાવ, વગર પ્રયાસે ક્રોધ-નિમિત્તના પ્રાયશ્ચિત્તનો અભાવ, શુભધ્યાનનો અધ્યવસાય, પરમસમાધિની ઉત્પત્તિ, સ્થિર પ્રસન્નતાવાળો અંતરાત્મા, કોઈને મારવા માટે હથિયાર શોધવાના પ્રયત્નનો અભાવ, આવેશ ન કરવાપણું, મુખની પ્રસન્નતા, ક્રોધ કરવાથી આંખ લાલ થાય અને ન કરવાથી ઉજ્જવલ રહે, પરસેવો ન થવો, કંપારી ન થવી, બીજાને પ્રહાર કરવાની વેદનાનો અભાવ-એ પ્રમાણે ક્ષમાં રાખવાના ગુણો જાણવા. આમ ક્રોધનો પ્રતિપક્ષ, તે ક્ષમા ધર્મ. ૮. માર્દવ - નમ્રતા. નમ્રતાવાળા, અભિમાન વગરના થવું. બંને અહંકારનો નિગ્રહ કરવાથી થાય છે. તે મદ જાતિમદ આદિ આઠ પ્રકારના પહેલાં કહેવાઈ ગયા છે :- તેથી “જાતિ, કુલ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, વલ્લભતા અને શ્રતમદમાં અંધ બનેલા પુરૂષાર્થ-હીન-પુરૂષો આ લોક અને પરલોકમાં હિતકારી પદાર્થ પણ દેખતા નથી.” (પશમરતિ-૮૦) એ વગેરે મદના દોષ-પરિહારના કારણભૂત માનનો પ્રતિપક્ષ માર્દવ ધર્મ.. ૯ સરળતા - મન, વચન અને કાયાના કાર્યોની એકરૂપતા, તે રૂપ સરળતા અર્થાત્ માયા-રહિતપણું. માયાથી પોતાની પ્રતિજ્ઞા કે બોલવા પ્રમાણે વર્તતો ન હોવાથી દરેકને શંકાનું સ્થાન-અવિશ્વાસવાળો થાય Page #474 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૪-૯૫ ૪ ૨૩ છે. કહેલું છે કે- “માયાથી પુરૂષ જો કે અપરાધ ન કરે તો પણ પોતાના દોષ વડે સર્પ માફક દરેકને અવિશ્વાસુ થાય છે.” (પ્રશમરતિ/૨૮) આ પ્રમાણે માયાની પ્રતિપક્ષભૂત સરળતા ધર્મ ૧૦. મુક્તિ - નિર્લોભતા એટલે બાહ્ય કે અત્યંતર પદાર્થ-વિષયક તૃષ્ણાનો વિચ્છેદ થવો અર્થાત્ લોભ અને આશાનો અભાવ. લોભાધીન થએલો આત્મા ક્રોધ, માન, માયા, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ રૂપ દોષ-સમુદાયથી પુષ્ટ થાય છે. કહેવું છે કે- “સર્વ વિનાશનું આશ્રયસ્થાન, સર્વ દુ:ખનો એક રાજમાર્ગ એવા લોભના મુખમાં ગયેલો લોભી પુરૂષ ક્ષણે ક્ષણે નવા નવા દુઃખો પ્રાપ્ત કર્યા કરે છે. (પ્રશમરતિ ૨૯) એ પ્રમાણે લોભના ત્યાગરૂપ નિર્ભયતા, સ્વ-પર-હિત આત્મપ્રવૃત્તિ, મમત્વનો અભાવ, નિઃસંગતા, બીજાનો દ્રોહ ન કરવાપણું, રજોહરણ આદિ સંયમના ઉપકરણોમાં પણ રાગરહિતપણું એ વિગેરે રૂપ મુક્તિધર્મ - આ પ્રમાણે દશ પ્રકારનો ધર્મ કહ્યો. પ્રશ્ન કર્યો કે, સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મ, અકિંચનતાને મહાવ્રતોમાં તથા ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિને સંવર-પ્રકરણમાં અને તપને સંવર અને નિર્જરાના કારણરૂપ કહેલો હોવાથી ધર્મ-પ્રતિપાદનના પ્રકરણમાં ફરી કહેવાથી પુનરુક્તતા થઈ. તેના સમાધાનમાં જણાવે છે કે, અહીં સંયમાદિનું ફરી કથન કરવું એમ અધિકાર નથી. પરંતુ સંયમ આદિ દશ પ્રકારના ધર્મ-પ્રતિપાદનના પ્રકાર વડે અરિહંત ભગવંતોએ સારી રીતે કહેલા ધર્મની વિચારણા જ છે. ધર્મોના ગુણપણાને અંગે તેની વ્યાખ્યા કરનારા ભગવંતોની અનુપ્રેક્ષા-નિમિત્તે સ્તુતિ થાય છે, માટે કહેલું સર્વ વાસ્તવિક સમજવું. / ૯૩ / આ ધર્મનો પ્રભાવ કહે છે– ४२० धर्मप्रभावतः कल्प-द्रुमाद्या ददतीप्सितम् । गोचेरऽपि न ते यत्स्यु-रधर्माधिष्ठितात्मनाम् ॥ ९४ ॥ અર્થ : ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ આદિ ઉત્તમ વસ્તુઓ પણ ઈષ્ટ પદાર્થો આપે છે, પરંતુ અધર્મનો આશરો લેનાર પુરૂષોને તે કલ્પદ્રુમાદિ સ્વપ્ન પણ દેખાતા નથી. || ૯૪ || ટીકાર્થ : ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષો, આદિથી ચિંતામણિરત્ન વિગેરે સુષમાદિક કાળમાં થનારા જે વનસ્પતિરૂપ અને પાષાણરૂપ હોવા છતાં ધર્મવાળા જીવોને ઈષ્ટ ફળ આપનારા થાય છે. તે જ ક દુઃષમાદિ કાળમાં થનારા ધર્મહીનોને દૃષ્ટિના વિષયમાં પણ આવતા નથી, તો પછી તેનાથી અભિષ્ટની પ્રાપ્તિ તો ક્યાં જ રહી ? અહીં અર્થ-પ્રાપ્તિ ફળ કહ્યું // ૯૪ || પવૃક્ષ તથા ४२१ अपारे व्यसनाभ्भोधौ, पतन्तं पाति देहिनम् । ___ सदा सविधवत्र्यैक-बन्धुर्धर्मोऽतिवत्सलः ॥ १५ ॥ અર્થઃ સદા નજીકમાં રહેનારો અને અતિ વત્સલ બંધુ જેવો ધર્મ અપાર દુઃખસાગરમાં પડતાં પ્રાણીનું રક્ષણ કરે છે. | ૫ || ટીકાર્થ : ધર્મ એ નજીક રહેલો અતિવત્સલતાવાળો હંમેશના બંધુસમાન છે. તથા પાર વગરના દુઃખસમુદ્રમાં પડતાં એવા પ્રાણીનું રક્ષણ કરે છે. અહીં અનર્થ-પરિહાર ફળ જણાવ્યું કે ૯૫ / તથા Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ४२२ आप्लावयति नाम्भोधि-राश्वासयति चाम्बुदः । યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ यन्महीं स प्रभावोऽयं ध्रुवं धर्मस्य केवलः ॥ ९६ ॥ અર્થ : જે સમુદ્ર ડુબાડતો નથી, મેઘ આ પૃથ્વીને જે આશ્વાસન આપે છે, તે નિશ્ચે પ્રભાવ કેવલ ધર્મનો છે. | ૯૬ || ટીકાર્થ : આ પૃથ્વીને સમુદ્ર ડુબાડી દેતો નથી, તથા મેઘ આ જગત ઉપર ઉપકાર છે, તે માત્ર જો પ્રભાવ હોય તો એકલા ધર્મનો જ છે. અહીં અનર્થ-પરિહાર અને અર્થ-પ્રાપ્તિ બંને ફળો જણાવ્યા. || ૯૬ || હવે સાધારણ ધર્મનું સાધારણ ફલ કહે છે— ४२३ न ज्वलत्यनलस्तिर्यग्, यदूर्ध्वं वाति नानिलः । અચિત્ત્વમહિમા તંત્ર, ધર્મ વ નિવસ્થનમ્ ॥ ૧૭ ॥ અર્થ : જે અગ્નિ તીર્થો બળતો નથી, જે પવન ઉ૫૨ વાતો નથી, ત્યાં અચિત્ત્વ મહિમાવાળો ધર્મ એક જ કારણભૂત છે. || ૯૭ || ટીકાર્થ : જગતમાં અગ્નિ તિર્થ્રો સળગતો નથી અને વાયુ ઉપર આકાશમાં વાતો નથી, તે અચિન્ત્ય પ્રભાવ હોય તો અને તેમાં ખરૂં કારણ હોય તો તે એક ધર્મનું જ સમજવું. મિથ્યાર્દષ્ટિઓ પણ કહે છે કે, ‘અગ્નિ ઉર્ધ્વ સળગે છે, પવન તિર્થ્રો વાય છે, તેમાં કોઈ અદૃષ્ટ જ કારણ સમજવું. ॥ ૯૭ ॥ તથા— 1 ४२४ निरालम्बा निराधारा, विश्वाधारा वसुन्धरा यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ૫ ૧૮ ॥ અર્થ : વિશ્વના આધારભૂત પૃથ્વી આલંબન અને આધાર વિના રહે છે, તેમાં પણ ધર્મ સિવાય બીજો કોઈ હેતુ નથી. ॥ ૯૮ ॥ ટીકાર્થ : દોરડા આદિ આલંબન વગરની, શેષનાગ, કૂર્મ, વરાહ, દિગ્ગજો-દિશાહાથી આદિના આધાર વગરની, (તેઓ હોવામાં કંઈ પણ પ્રમાણ મળતું ન હોવાથી), આ ચરાચર જગત-વિશ્વના આધારરૂપ પૃથ્વી અધ્ધર ટકી રહેલી છે, નીચે પડતી નથી, તેમાં ધર્મ સિવાય બીજું કારણ નથી. અન્વયવ્યતિરેકથી વિચારતા ધર્મ સિવાય કોઈ પણ ટકાવનાર હેતુ નથી. ॥ ૯૮ ॥ તથા— ४२५ सूर्याचन्द्रमसावेतौ, विश्वोपकृतिहेतवे 1 उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात् ૫ ૧૧ ॥ અર્થ : ખરેખર ધર્મના શાસનથી-હુકમથી જ સૂર્ય અને ચંદ્ર વિશ્વના ઉપકાર માટે આ જગતમાં ઉદય પામે છે. ।। ૯૯ || ટીકાર્થ : આ સૂર્ય અને ચંદ્ર બંને જગતના પરોપકાર માટે આ લોકમાં ઉદય પામે છે, નક્કી તેમાં કોઈ પ્રભાવ હોય તો આ ધર્મના શાસનનો જ પ્રભાવ છે. | ૯૯ | Page #476 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૬-૧૦૨ ૪૨૫ તથા– ४२६ अबन्धूनामसौ बन्धु-रसखीनामसौ सखा । अनाथानामसौ नाथो, धर्मो विश्वैकवत्सलः ॥ १०० ॥ અર્થ : જગતમાં એક વત્સલરૂપ જિનધર્મ બંધુ વિનાના જીવો માટે બધુ તુલ્ય છે, મિત્ર વગરના આત્માઓનો મિત્ર છે અને અનાથ આત્માઓનો નાથ છે. | ૧૦૦ || ટીકાર્ય : આ ધર્મ બંધ વગરનાઓ માટે બંધુ છે. કારણકે જે વિપત્તિમાં સહાય કરનાર, તેમાંથી પાર ઉતારનાર હોય છે, તે બંધુ છે. તેનું કાર્ય કરનાર, પ્રીતિ ઉત્પન્ન કરનાર હોવાથી મિત્ર વગરનાઓ માટે આ મિત્ર છે. યોગ અને ક્ષેમ બંને કરનાર હોવાથી નાથ વગરનાઓ માટે એ નાથ છે. કહેલું છે કે “યોગક્ષેમ કરનાર હોય, તે નાથ કહેવાય.” અહીં હેતુ કહે છે– જગતમાં અદ્વિતીય વત્સલ કોઈ હોય, તો તે ધર્મ છે. ગાય વાછરડાને સ્નેહથી ગ્રહણ કરે છે તેથી વત્સલ ગણાય છે; તેની માફક સમગ્ર જગતને પ્રીતિનું કારણ હોવાથી ધર્મ પણ વત્સલ છે. || ૧૦૦ // હવે અનર્થફળની નિવૃત્તિ થતી હોવાથી અભણ સામાન્યજનો પણ ધર્મ કરવાની અભિલાષા રાખે છે, તેથી ધર્મનું ફળ કહે છે. ४२७ रक्षोयक्षोरगव्याघ्र-व्यालाऽनलगरादयः । નાપવતું « તેષાં, ચૈઈ, શરy fશ્રતઃ | ૧૦૨ છે અર્થ : જે જીવોએ ધર્મના શરણનો સ્વીકાર કર્યો છે, તેઓને રાક્ષસ, યક્ષ, સાપ, વાઘ, ઉન્મત્ત હાથી, અગ્નિ અને ઝેર આદિ કોઈપણ અપકાર કરવા સમર્થ બનતા નથી. // ૧૦૧ // ટીકાર્થ : જેઓએ આ ધર્મનું શરણ સ્વીકાર્યું છે, તેઓને રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, સિંહ, અગ્નિ, ઝેર વગેરે કશો પણ ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતા નથી. // ૧૦૧ || હવે પ્રધાનભૂત અનર્થ ટાળવાપણું અને ઉત્તમ પદાર્થની પ્રાપ્તિરૂપ ધર્મનું ફળ કહે છે४२८ धर्मो नरकपाताल - पातादवति देहिनः । धर्मो निरुपमं यच्छ-त्यपि सर्वज्ञवैभवम् ॥ १०२ ॥ અર્થ : શ્રી જિનધર્મ આત્માને નરકરૂપ પાતાળમાં પડવાથી બચાવે છે અને ધર્મ નિરૂપમ કોટિના સર્વજ્ઞત્વના વૈભવને પણ આપે છે. ૧૦૨ / ટીકાર્થ : કહેલો ધર્મ નરકમાં પડવાથી રક્ષણ કરનાર, તે રૂપ નુકસાનથી અટકાવનાર, તેમ જ સર્વજ્ઞના વૈભવને પણ પ્રાપ્ત કરાવનાર પ્રધાનફળની પ્રાપ્તિરૂપ ધર્મ છે. બાકીનું તો આનુષંગિક ફળ સમજવું. અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ જણાવાય છે આ દશ પ્રકારના યતિધર્મને મિથ્યાષ્ટિઓએ દેખ્યો નથી અને જે કોઈકે ક્યાંક કહેલ છે તે પણ માત્ર વાણીથી વર્ણન કરવા પૂરતું સમજવું. તત્ત્વોના અર્થો વાણીમાં દરેકને હોય, કેટલાકને મનમાં હોય, પરંતુ ક્રિયાથી પણ હંમેશા અમલ કરતા હોય તો જિનમત માનનાર સમજવા. વેદશાસ્ત્રોમાં પરાધીન બુદ્ધિવાળા અને તેના સૂત્રો કંઠે મુખપાઠ રાખનારા તત્ત્વથી લેશ પણ ધર્મરત્નને જાણતા નથી. ગોમેધ, નરમધ, અશ્વમેધ વિગેરે યજ્ઞ કરાવનારા-પ્રાણીઓનો ઘાત કરનારા અને કરાવનારા યાજ્ઞિકોને ધર્મ કેવી રીતે હોય? Page #477 -------------------------------------------------------------------------- ________________ - ૪૨૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ ને શ્રદ્ધા ન કરવા યોગ્ય અસત્ય અને પરસ્પર વિરોધિ વસ્તુનો પ્રલાપ કરનારા પુરાણ કરનારા પૌરાણિકોને ધર્મ કયો ? કેવો ? ખોટી વ્યવસ્થાઓ વડે બીજાનું દ્રવ્ય પડાવનારા, માટી, જળ આદિથી શૌચધર્મ જણાવનારા સ્માર્તા વગેરેને ધર્મ કેવી રીતે સંભવે ? ઋતુકાળ વીત્યા પછી ગર્ભહત્યા કે બાળહત્યા કરનાર, બ્રહ્મચર્યનો અપલાપ કરનાર બ્રાહ્મણોને બ્રહ્મ એટલે ધર્મ કેવી રીતે સંભવે ? ન દેવાની ઈચ્છાવાળા યજમાન પાસેથી પણ સર્વ ઝુટવી લેવાની ઇચ્છાવાળા, ધન માટે પ્રાણ-ત્યાગ કરનારા બ્રાહ્મણોને અકિંચનપણું કેવી રીતે હોય ? રાત્રે અને દિવસે મુખને પૂછીને ભક્ષણ કરનારા, ભક્ષ્યાભઢ્યના વિવેક વગરના સૌગતોનેબૌદ્ધધર્મવાળાને તપધર્મ જ કયાં છે ? “કોમળ શય્યા, સવારે મીઠારસનું પાન, બપોરના ભોજન, સાંજે ઠંડુ પીણું, મધ્યરાત્રે દ્રાક્ષા અને સાકર, ઈચ્છા પ્રમાણે ખાવા-પીવામાં શાક્ય સુંદર ધર્મ જણાવેલો છે !” નજીવા એવા અપરાધમાં ક્ષણવારમાં શાપ આપતા લૌકિક ઋષિઓમાં ક્ષમાધર્મનો અંશ પણ સંભવતો નથી. ‘પોતાની બ્રાહ્મણ જાતિ સર્વોત્તમ છે.” એવા જાતિ આદિના મદવાળા દુર્વર્તનવાળા અને તેવા જ ચિત્તવાળા ચાર આશ્રમમાં વર્તતા બ્રાહ્મણોને માર્દવધર્મ ક્યાંથી હોય ? હૃદયમાં દંભના પરિણામ વહેતા હોય, બહારથી બકવૃત્તિ ધારણ કરનાર, પાખંડ-વ્રત ધારણ કરનારાઓને સરળતાનો લેશ પણ ક્યાંથી હોય? પત્ની, ઘર, પુત્રાદિ પરિવાર અને સદા પરિગ્રહવાળા લોભના એકમાત્ર કુલગૃહ એવા બ્રાહ્મણોને મુક્તિધર્મ કેવી રીતે હોય? તેથી કરીને રાગદ્વેષ-મોહ વગરના કેવળજ્ઞાનવાળા અરિહંત ભગવંતોની આ ધર્મસ્વાખ્યાતના ભાવના વિચારવી. રાગથી, દ્વેષથી કે મોહ-અજ્ઞાનથી ફેરફાર-વિતર્થ બોલવાનું થાય. તેના અભાવમાં અરિહંતોની વિતકવાદિતા કેવી રીતે હોય? જેઓ રાગાદિક દોષો વડે કલુષિત ચિત્તવાળા હોય, તેઓના મુખમાંથી સત્યવાણી કદાપિ નીકળતી નથી. તે આ પ્રમાણે યજ્ઞ કરાવવો, હવન કરવું ઈત્યાદિ તથા અનેક વાવડી, કૂવા, તળાવ, સરોવર આદિ ઈષ્ટાપૂર્ત કાર્યો કરતાં, પશુઓનો ઘાત કરવાથી સ્વર્ગલોકના સુખની પ્રાપ્તિ બતાવતા બ્રાહ્મણોને ભોજન આપવાથી, પિતૃઓને તૃપ્તિ કરાવવાની અભિલાષાવાળા, ઘીની યોનિ આદિ કરાવવી તે રૂપ પ્રાયશ્ચિત્ત કરાવનારા, પાંચ આપત્તિના કારણે સ્ત્રીઓના ફરી લગ્ન કરાવનારાં, પુત્ર ન થતાં હોય તેવી સ્ત્રીઓ વિષે ક્ષેત્રજ અપત્ય (બીજા પુરૂષ દ્વારા ઉત્પન્ન)નું કથન કરનારા, દોષિત સ્ત્રીઓની રજોથી શુદ્ધિ કહેનારા, કલ્યાણબુદ્ધિથી યજ્ઞમાં હણેલા બોકડા આદિના લિંગથી આજીવિકા ચલાવનારા, સૌત્રામણિયજ્ઞમાં સાત પેઢી સુધી મદિરાપાન કરનારા, વિષ્ટાભક્ષણ કરનારી, ગાયને સ્પર્શ કરવાથી પવિત્રતા માનનારા, જળાદિકના જ્ઞાનમાત્રથી પાપશુદ્ધિ કહેનારા, વડલા, પીપળા, કોડ, આમળા, આંબલી આદિ વૃક્ષોની પૂજા કરાવનારા અને કરનારા, અગ્નિમાં ઘી આદિના હવન વડે દેવ-દેવીઓને ખુશ કરવાનું માનનારા, ભૂમિ પર ગાયને દોહન કરવાથી અમંગળની શાંતિ માનનારા, સ્ત્રીઓને વિડંબના આપવા સરખા વ્રત અને ધર્મનો ઉપદેશ કરનારા, તથા જટા ધારણ કરવી, કાનમાં પટલ, શરીરે ભસ્મ લગાડવી, લંગોટી પહેરવી, આકડા, ધતૂરા, બીલીપત્ર, તુલસી આદિથી દેવપૂજા કરનારા, કુલા (નિતંબ) વગાડતા, ગીત-નૃત્યાદિ વારંવાર કરતા અને વદનના શબ્દથી વાજિંત્રના શબ્દો કરતા, અસત્યભાષા બોલવા પૂર્વક મુનિઓ, દેવો અને લોકોને હણતા, વ્રતભંગ કરી દાસપણું અને દાસીપણું ઈચ્છતા, વારંવાર પાશુપત-વ્રત ગ્રહણ કરતા અને વળી છોડતા, ઔષધાદિના પ્રયોગ કરવા વડે જૂ-લીખોને મારી નાંખતા, મનુષ્યના હાડકાનાં આભૂષણો ધારણ કરતા, શૂળ અને ખટ્વાંગને વહન કરતા, ખપ્પર (ખોપરી)માં ભોજન કરતા, ઘંટારૂપ નૂપૂર ધારણ કરતા, મદિરા, માંસ અને સ્ત્રીના ભોગમાં આસક્ત બનેલા, નિરંતર નિતંબ (કુલા) ઉપર ઘંટ બાંધી વારંવાર ગાયન નૃત્ય કરનારા, તેઓને ધર્મ કેવી રીતે સંભવે ? તથા અનંતકાય-કન્દાદિ ફળ, મૂળ અને પત્રોનું ભોજન કરનારા, વળી સ્ત્રી-યુક્ત વનવાસ Page #478 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૩-૧૦૪ ૪૨૭ સ્વીકાર કરનારા તથા ભક્ષ્યાભઢ્ય, પયારેય, કે આચરવા યોગ્ય કે ન આચરવા યોગ્ય સર્વમાં સમાન ભાવવાળા, યોગી નામથી પ્રસિદ્ધિ પામેલા કૌલાચાર્યના અન્તવાસી શિષ્યો તથા બીજાઓ કે જેઓએ જૈનેન્દ્ર-શાસનનો મર્મ જાણ્યો નથી, તેવાઓને ધર્મ શું ? તેનું ફળ શું છે ? એ તેની સુંદર મર્યાદાવાળી કથન-રીતિ કેવી ? તે તો ક્યાંથી જાણી હોય ? જિનેશ્વર ભગવંતના ધર્મનું આ લોક અને પરલોકમાં જે ફળ છે, તે તો ગૌણ ફળ છે. મુખ્ય ફળ તો મોક્ષ કહેલો છે. ખેડૂત ખેતી કરતાં, ધાન્ય વાવતાં ધાન્ય મેળવવાની ઈચ્છા રાખે છે, વચમાં ઘાસ-પલાળા આદિક તો આનુષંગિક ફળ છે. તેમ ધર્મનું યથાર્થ ફળ તો અપવર્ગ-મોક્ષ છે, અને સાંસારીક ફલ તો આનુષંગિક સમજવું. જિનેશ્વર ભગવંતોએ કહેલા ધર્મને આશ્રિત સ્વાખ્યાતના ભાવનાને વારંવાર ભાવતા થકા મમત્વરૂપ વિષ-વેગના વિકાર-દોષોથી મુક્ત બની પરમ પ્રકર્ષવાળી સામ્યપદવીને પામે છે. એ પ્રમાણે ધર્મ-સ્વાખ્યતતા ભાવના કહી. || ૧૦૨ || હવે લોક-ભાવના કહે છે. ४२९ कटिस्थकरवैशाख-स्थानकस्थनराकृतिम् । द्रव्यैःपूर्णं स्मरेल्लोकं, स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥ १०३ ॥ અર્થ : કેડ ઉપર રાખેલા હાથ અને વૈશાખ સ્થાનમાં રહેલા-પહોળા કરેલા પગવાળા મનુષ્યની આકૃતિવાળા તથા સ્થિતિ-ઉત્પત્તિ-વ્યયસ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ એવા જીવલોકને ચિંતવવો તેને લોકભાવના કહે છે. ૧૦૩ . ટીકાર્થ : કેડ ઉપર બે હાથ ટેકવીને રાખેલા હોય અને વૈશાખ-સંસ્થાનથી બે પગ પહોળા કરેલા હોય એવા પ્રકારના આકારે ઉભેલો એક પુરૂષ, તેવી, ચૌદ રાજલોકના આકાશ-ક્ષેત્રની આકૃતિનું સ્મરણ કરવું. લોકાકાશ ક્ષેત્ર કેવું ? ત્યારે જણાવે છે કે સ્થિતિ, ઉત્પાદ અને વ્યય સ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ ક્ષેત્ર. સ્થિતિ એટલે ધ્રુવતા, ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે વિનાશ. જગતની તમામ વસ્તુઓ સ્થિતિ, ઉત્પાદ અને વ્યય-સ્વરૂપ છે. તત્ત્વાર્થ-સૂત્રમાં કહેવું છે કે, “ત્યાદ્રિ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' (તત્વાર્થ પ-૨૯) આકાશાદિ પણ નિત્યાનિત્યપણાથી પ્રસિદ્ધ છે તે દરેક ક્ષણે તે તે પર્યાયથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પ્રદીપ વગેરે પણ ઉત્પાદક અને વિનાશના યોગવાળા બનીને રહે છે. પણ એકાંતસ્થિતિયોગવાળું કે ઉત્પાદવિનાશયોગી કંઈ પણ નથી. (અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકામાં) એમ કહ્યું છે કે: “દીવાથી લઈને આકાશ સુધી સર્વ વસ્તુ સરખા સ્વભાવવાળી છે. સ્યાદ્વાદની મુદ્રાને ઉલ્લંઘન ન કરે તેવી છે. તેમાંથી એક વસ્તુ નિત્ય જ છે અને બીજી વસ્તુ અનિત્ય જ છે એવા પ્રલાપો તમારી આજ્ઞાના દ્વેષીઓના છે.” || ૧૦૩ || લોકસ્વરૂપ જ કહે છે– ४३० लोको जगत्त्रयाकीर्णो, भुवः सप्तात्र वेष्टिताः । घनाम्भोधिमहावात-तनुवातैर्महाबलैः ॥ १०४ ॥ અર્થ : આ જીવલોક ત્રણ જગતથી ભરેલો છે, તેમાં રહેલી સાત પૃથ્વીઓ મહાબળવાન એવા ઘનોદધિ, ઘનવાન અને તનુવાતથી વીંટળાયેલી છે. તે ૧૦૪ | ટીકાર્થ : કહેલી આકૃતિ અને સ્વરૂપવાળો લોક અધઃ, તિર્યગુ અને ઉર્ધ્વ એમ ત્રણ લોકથી વ્યાપ્ત છે, તે લોકમાં રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, મહાતમ:પ્રભા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ યથાર્થનામવાળી પૃથ્વીઓ છે. તથા અનાદિકાળથી પ્રસિદ્ધ નિરન્વર્થક નામવાળી છે - તે આ પ્રમાણે ધર્મા, વંશા, શૈલા, અંજના, અરિષ્ઠા,માઘવ્યા અને માધવી. દરેક રત્નપ્રભાથી નીચે નીચે વધારે વધારે પહોળી છે. તેમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, પંદર લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચન્સૂન એક લાખ અને પાંચ જ એવા નારકાવાસો છે. તે નીચે અને પડખેથી ચારે બાજુ ગોળાકાર વીંટળાયેલી છે. કોનાથી ? પ્રવાહ નહિ પણ કઠણ સમુદ્ર, મહાબળવાન એવા ઘનવાત અને તનુવાતથી, ‘મહાબળ’ કહેવાથી પૃથ્વી ધારણ કરવા સમર્થ. તેમાં દરેક પૃથ્વીની નીચે ઘનોદધિ મધ્યભાગમાં વીશ હજાર યોજન જાડો છે અને મહાવાયુની જાડાઈ ધનોદધિ કરતાં મધ્યભાગમાં અસંખ્યાતા હજાર યોજનની અને તનુવાત મહાવાયુ કરતાં અસંખ્યાત યોજનની જાડાઈવાળો છે. ત્યાર પછી અસંખ્યાતા યોજનસહસ્ર આકાશ છે. આ વચ્ચેની જાડાઈનું માપ સમજવું. ત્યાર પછી ક્રમે ક્રમે બંને બાજુ ઘટતું ઘટતું છેવટે વલયના સરખા માપવાળું થાય છે. રત્નપ્રભાના ઘનોદધિવલયનું પહોળાઈનું માન છ યોજનનું, ઘનવાતવલયનું પહોળાઈનું માન સાડાચાર યોજન અને તનુવાત વલયનું પહોળાઈનું માન દોઢ યોજન સમજવું. રત્નપ્રભાના વલયમાનની ઉપર ઘનોદધિમાં યોજનનો ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ, તનુવાતમાં ગાઉનો ત્રીજો ભાગ હોય છે. એ પ્રમાણે શર્કરાપ્રભામાં વલયમાન જાણવું. એવી રીતે શર્કરાપ્રભાના વલયમાનથી ઉપર આ પ્રમાણે પ્રક્ષેપ અર્થાત્ ઉમેરો કરવો. એમ પહેલા પહેલાના વલયમાનથી ઉપર આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી ઉમેરતાં ઉમેરતાં આગળ જવું. કહેલું છે કે, પહોળાઈમાં ‘ધર્માના પ્રથમ વલયની પહોળાઈમાં યોજનનો ત્રીજોભાગ, બીજા વલયની પહોળાઈમાં એક ગાઉ, છેલ્લા વલયની પહોળાઈમાં ગાઉનો ત્રીજો ભાગ, આદિ ધ્રુવમાં ઉમેરતા જવું, એવી રીતે સાતમી પૃથ્વી સુધી ઉમેરવું. પ્રક્ષેપ કર્યા પછી વલયની પહોળાઈનું માપ આ પ્રમાણે જાણવું. બીજી વંશા નામની પૃથ્વીમાં પહેલા વલયનો વિષ્ફભ-પહોળાઈ છ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ અર્થાત્ ૬, યોજન, બીજા વલયમાં પોણાપાંચ યોજન અને ત્રીજા વલયમાં યોજન, એમ સર્વ સરવાળો એકઠો કરવાથી શર્કરાપ્રભા - વંશા બીજી નારક પૃથ્વીના છેડાથી બાર પૂર્ણાંક બે તૃતીયાંશ યોજનના છેડે અલોક છે. વાલુકાપ્રભા - શૈલા નામની ત્રીજી નારકીના પહેલા વલયનો વિખંભ ૬ યોજન, બીજા વલયનો ૫ યોજન અને ત્રીજા વલયનો ૧ યોજન એમ ૧૨ ૨ ૨ ૧ સરવાળો કરતાં ૧૩ - યોજને વાલુકાપ્રભાનો સીમાડો પૂર્ણ થાય. ત્યાંથી આગળ ફરતો અલોક છે. ચોથી પંકપ્રભા-અંજના નામની નારકીના વલયોમાં પ્રથમનો વિષ્ફભ સાત યોજન, બીજા વલયનો સવા પાંચ યોજન અને ત્રીજાનો પોણા બે યોજન મળી ચૌદ યોજન પછી અલોક આવે છે. હવે ધૂમપ્રભા - રિષ્ટા ૧ ૧ પ્ ૩ ૨ E નામની પાંચમી નરકમાં ત્રણ વલયોનું અનુક્રમે ૭ ૫ ૧ યોજન વિખંભ જાણવું. અર્થાત્ ૧૪ યોજન પછી અલોક ફરતો હોય છે. હવે તમઃપ્રભા-મેઘા નામની છઠ્ઠી નરક પૃથ્વીને ફરતાં ત્રણ વલયો છે. તેમાં પ્રથમ ઘનોદધિ-વલયનો વિસ્તાર ૭ બીજાનો ૫ પોણા છ યોજન અને ત્રીજાનો ૨ ૩ ૧૧ ૧ ૧૨ યોજન છે. અર્થાત્ ૧૫ યોજન પછી કરતો અલોક છે. હવે તમઃ-તમપ્રભા-માધવતી નામની સાતમી નારકીના પ્રથમ વલયનું માન આઠ યોજન, બીજા વલયનું છ યોજન અને ત્રીજા વલયનું બે યોજન વિખંભ - પ્રમાણ સમજવું – એટલે સોળ યોજન પછી ફરતો અલોક સમજવો. (બૃહત્સંગ્રહણી ૨૪૫૨૫૧) પૃથ્વીના આધારભૂત ઘનોષિ, ઘનવાત, તનુવાતથી આ વલયો પૃથ્વીની ચારે બાજુ વલયાકારથી છેડાના ભાગ સુધી એટલી પહોળાઈથી પૃથ્વીની ઉંચાઈ જેટલા તેના પણ માપ સમજવાં. ॥ ૧૦૪ ॥ ફરી લોકનું સ્વરૂપ કહે છે - Page #480 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫ ૪૨૯ ४३१ वेत्रासनसमोऽधस्तान् मध्यतो झल्लरीनिभः । अग्रे मुरजसङ्काशो, लोकः स्यादेवमाकृतिः ॥ १०५ ॥ અર્થ : વળી - આ લોક નીચેથી ત્રાસન જેવો, મધ્યભાગે ઝાલર જેવો અને ઉપરથી મુરજ નામના વાજિંત્રની આકૃતિવાળો છે. || ૧૦૫ / ટીકાર્થઃ વેત્રાસન જેવો નીચેનો ભાગ. છેક નીચેનો ભાગ વધારે પહોળો હોય, ઉપર ઉપરનો ભાગ સાંકડો થતો જાય, તેના જેવો નીચેનો આકાર, મધ્યનો ભાગ ઝાલર-વાજિંત્ર-વિશેષ તેના જેવો આકાર, મધ્યલોકની ઉપરનો ભાગ મૃદંગ જેવો એટલે કે ઉપર-નીચે સાંકડો, વચમાં પહોળો ભાગ - એમ ત્રણ આકારવાળો લોક સમજવો. કહેલું છે કે – “તેમાં ઉધું સરાવલું હોય, તેવો અધોલોક, થાળ જેવો તિર્યશ્લોક, અને બે સરાવલાનો સંપુટ બનાવે, તેવા આકારવાળો ઉર્ધ્વલોક હોય” (પ્રશમ. ૨૫૧) અહિ, અધઃ, તિર્યંગ, ઉર્ધ્વલોક એ રુચક પ્રદેશોની અપેક્ષાએ, મેરુપર્વતના બરાબર મધ્યભાગમાં ગાયના સ્તનાકારે ચાર આકાશ પ્રદેશો નીચેના ભાગમાં, તેના જ ઉપરના ભાગમાં તે જ પ્રમાણે ચાર બીજા રુચક-પ્રદેશો, એમ આઠ નીચે ઉપરના આકાશ-પ્રદેશો તે ચક પ્રદેશો છે. કહેવું છે કે- “તિરસ્કૃલોકના બરાબર મધ્યભાગમાં આઠ ચક–પ્રદેશો છે, તેનાથી જ દિશાઓ અને વિદિશાઓની ઉત્પત્તિ છે.” (આ. નિ. ૪૨) તેમાં રુચક-પ્રદેશની નીચે અને ઉપર નવસો નવસો યોજન તિથ્થલોક છે, જેની જાડાઈ અઢારસો યોજન પ્રમાણ છે. તિર્જીલોકની નીચે નવસો યોજન છોડ્યા પછી લોકના અંત સુધીનો ભાગ, તે સાતરાજ પ્રમાણ અધોલોક છે. તેમાં કહેલા સ્વરૂપવાળી સાત પૃથ્વીઓ છે, તેમાં પ્રથમ રત્નપ્રભા નામની પૃથ્વીમાં એક લાખ એંશી હજાર યોજન ઉંચાઈ કહો કે જાડાઈ કહો, તેના ઉપર અને નીચેના એક એક હજાર યોજન છોડીને વચ્ચે ૧ લાખ, ૭૮ હજાર યોજનની અંદર ભવનપતિ-દેવોના ભવનો છે. તેઓ અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાયુ, સ્વનિત, ઉદધિ, દીપ અને દિકુમાર નામના ભવનપતિ-દેવો છે. તેઓ ચૂડામણિ, સર્પ, વજ, ગરુડ, ઘટ, અશ્વ, વર્ધમાન, મગર, સિંહ અને હાથીના ચિહનવાળા છે. તેમાં ભવનપતિ-દેવો દક્ષિણ અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત થએલા બે બે ઈન્દ્રો હોય છે. તેમાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર નામના બે ઈન્દ્રો અસુરકુમાર દેવોના છે. ધરણેન્દ્ર અને ભૂતાનંદઇન્દ્ર નાગકુમાર દેવોના છે, હરિ અને હરીસહ નામના બે ઈન્દ્રો વિદ્યુતકુમાર દેવોના છે. વેણુદેવ અને વેણુદાલિ નામના બે ઈન્દ્રો સુપર્ણકુમાર દેવોના, અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના બે ઈન્દ્રો અગ્નિકુમાર દેવોના, વેલંબ અને પ્રભંજન વાતકુમાર દેવોના ઈન્દ્રો, સુઘોષ અને મહાઘોષ સ્વનિતકુમાર દેવોના ઈન્દ્રો, જલકાત્ત અને જલપ્રભ ઈન્દ્ર ઉદધિકુમાર દેવોના, પૂર્ણ અને વિશિષ્ટ નામના બે ઇન્દ્રો દ્વીપકુમાર દેવોના, અમિત અને અમિતવાહન નામના બે ઈન્દ્રો દિકુમાર દેવોના જાણવા. આ જ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાં ઉપર અને નીચેના સો સો યોજન છોડીને વચલા આઠસો યોજનમાં આઠ પ્રકારના પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ્બુરુષ, મોરગ અને ગંધર્વ અનુક્રમે કદંબવૃક્ષ, સુલસવૃક્ષ, વડલાનું વૃક્ષ, ખટ્વાંગ (તાપસ ઉપકરણ), અશોકવૃક્ષ, ચમ્પકવૃક્ષ, નાગવૃક્ષ, તુમ્બવૃક્ષના ચિહ્નવાળા, તિસ્કૃલોકમાં વાસ કરનારા વ્યંતર દેવોના નગરો છે. તેમાં પણ દક્ષિણ અને ઉત્તર દિશામાં બબ્બે ઈન્દ્રોની વ્યવસ્થા છે. તેમાં પિશાચોનાં કાલ અને મહાકાલ, ભૂતોના સરૂપ અને પ્રતિરૂપ, યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને કિંપુરુષ, કિંગુરુષોના સપુરુષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય, ગંધર્વોના ગીતરતિ અને ગીતયશા નામના ઈન્દ્રો છે. તેમ જ રત્નપ્રભામાં પહેલા Page #481 -------------------------------------------------------------------------- ________________ ४३० યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ સો યોજના નીચેના અને ઉપરના દશ દશ યોજન છોડી વચલા એંશી યોજનમાં અણપત્ની-પપત્ની વગેરે દક્ષિણ અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત બનેલા આઠ વાણવ્યંતર નિકાયના દેવોના બળે ઈન્દ્રો છે. તથા રત્નપ્રભા પૃથ્વીના સમતલપ્રદેશની ઉપર સાતસો નેવું યોજને જ્યોતિષ્કોની નીચેનો પ્રદેશ તેની ઉપર દશ યોજનમાં સૂર્ય, તેની ઉપર એંશી યોજને ચંદ્ર, તેની ઉપર વીશ યોજને તારા અને ગ્રહો, એ પ્રમાણે જ્યોતિષલોક એક્સોને દશ યોજન જાડાઈવાળો છે. અગિયારસોને એક્વીશ યોજન જંબુદ્વીપના મેરુને અડક્યા વગર અને લોકના છેડાથી અગિયારસો અગિયાર યોજન સ્પર્શ કર્યા વગર સર્વદિશામાં મંડલાકારે વ્યવસ્થિત રીતે ધ્રુવને છોડીને જ્યોતિષચક્ર ભ્રમણ કરે છે. કહેવું છે કે, “અગિયારસો એકવીશ અને અગિયારસો અગિયાર એમ મેરુ અને અલોક એ બંનેના બહારના ભાગમાં જ્યોતિષચક્ર ફરતુ રહે છે.” અહિં સર્વના ઉપર સ્વાતિનક્ષત્ર, સર્વની નીચે ભરણિ નક્ષત્ર, સર્વની દક્ષિણમાં મૂલ, સર્વની ઉત્તરમાં અભીજિત નક્ષત્ર છે. તેમાં જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય, કાલોદધિસમુદ્રમાં બેતાલીશ ચંદ્ર અને સૂર્ય પુષ્કવરાર્ધમાં બોંતેર ચંદ્ર અને સૂર્ય, એ પ્રમાણે મનુષ્યલોકમાં એકસો બત્રીશ ચંદ્ર અને એક્સો બત્રીસ સૂર્ય થયા. અઠ્યાસી ગ્રહો, અઠ્ઠાવીસ નક્ષત્રો, છાસઠ હજાર, નવસો, પંચોતેર અધિક તારાઓની કોટિ કોટિ પ્રમાણ એક એક ચંદ્રનો પરિવાર છે. પ૬૬૧ યોજન લંબાઈ-પહોળાઈ પ્રમાણવાળું ચંદ્રનું વિમાન, ૪૮૬૧ યોજન લંબાઈ-પહોળાઈ પ્રમાણયુક્ત સૂર્યનું વિમાન, અર્ધયોજન-પ્રમાણ ગ્રહોનું વિમાન, નક્ષત્રોનું એક ગાઉ-પ્રમાણ વિમાન, સર્વોત્કૃષ્ટ આયુષ્યવાળા તારાનું અઈક્રોશ, સર્વજધન્ય આયુષ્યવાળાને પાંચસો ધનુષ્ય-પ્રમાણ વિમાન હોય, સર્વ વિમાનોનું બાહલ્ય-જાડાઈ પહોળાઈથી અર્ધ-પ્રમાણ હોય છે. આ વિમાનો પિસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રમાં હોય. ચંદ્રાદિક વિમાન વાહનોની આગળ પૂર્વમાં સિંહો, દક્ષિણે હાથીઓ, પશ્ચિમમાં વૃષભો અને ઉત્તર તરફ અશ્વો હોય છે. સૂર્ય અને ચંદ્રને સોળ હજાર હુકમ ઉઠાવનારા આભિયોગિક દેવો હોય છે. ગ્રહોને આઠ હજાર, નક્ષત્રોને ચાર હજાર, તારકોને બે હજાર આભિયોગિક પરિવાર હોય છે. પોતાની દેવગતિ અને દેવપુણ્ય હોવા છતાં તેઓ આભિયોગ્ય કર્મ-વશથી ત્યાં તે સિંહ, વૃષભ આદિ રૂપે ઉપસ્થિત થાય છે. માનુષોત્તર પર્વત પછી પચાસ હજાર યોજન ક્ષેત્ર-પરિધિની વૃદ્ધિ વડે સંખ્યાથી વૃદ્ધિ પામતા લેશ્યવાળા ગ્રહો, નક્ષત્ર, તારાના પરિવારવાળા ઘેટાના આકાર સરખા અસંખ્યાતા, સ્વયંભૂરમણ સમુદ્રથી લાખ યોજન આંતરાવાળી શ્રેણિઓમાં રહેલા હોય છે મધ્યલોકમાં તો જંબૂદ્વીપ અને લવણાદિક સમુદ્રો સારા સારા નામવાળા, આગલાં આગલાની પરિધિથી બમણી બમણી પરિધિ-વ્યાસ-ગોળાઈવાળા, અસંખ્યાતા વલયાકારવાળા દ્વીપો અને સમુદ્રો છે. છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. જંબૂદ્વીપના મધ્યભાગમાં મેરુપર્વત સુવર્ણકાળ સરખો ગોળ એક હજાર યોજન નીચે પૃથ્વીમાં છુપાઈ રહેલો, નવાણું હજાર યોજન ઉંચો, મૂળમાં દસ હજાર નેવું યોજન અધિક ૧૦0૯૦ વિસ્તારવાળો ધરણિતળમાં દસ હજાર યોજન વિસ્તારવાળો, ઉપર હજાર યોજન પહોળો, ત્રણ કાંડ-વિભાગવાળો અધોલોકમાં ૧OO યોજન, તિષ્ણુલોકમાં ૧૮૦૦ યોજન અને ઊર્ધ્વલોકમાં ૯૮૧૦) યોજન એ પ્રમાણે ત્રણે લોકના વિભાગ કરનાર, ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક એ નામનાં ચાર વનોથી પરિવરેલો છે. તેમાં શુદ્ધપૃથ્વી, પાષાણ, વજ (હીરા), કાંકરાઓની બહુલતાવાળો એક હજાર યોજન પ્રમાણવાળો પ્રથમ કાંડ છે. રૂપું, સોનું, અંક અને સ્ફટિકરત્નની બહુલતાવાળો ત્રેસઠ હજાર યોજન પ્રમાણવાળો બીજો Page #482 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫ ૪૩૧ કાંડ, સુવર્ણની બહુલતાવાળો છત્રીસ હજાર યોજન-પ્રમાણવાળો ત્રીજો કાંડ છે. વૈડૂર્યરત્નની બહુલતાવાળી, ચાળીશ યોજન ઊંચી તેની ચૂલિકા છે. જે મૂળમાં બાર યોજન લાંબી, મધ્યે આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબી છે. મેરુની તળેટીમાં વલાયાકારે ભદ્રશાલવન છે. ભદ્રશાલવનથી પાંચસો યોજન ઉપર ગયા પછી પાંચસો યોજન વિસ્તારવાળું પ્રથમ મેખલામાં વલયાકૃતિવાળું નંદનવન છે. ત્યારપછી સાડી બાસઠ હજાર યોજન ઉંચે ગયા પછી બીજી મેખલામાં પાંચસો યોજન વિસ્તારવાળું વલયાકૃતિવાળુ સૌમનસ વન છે. ત્યાર પછી છત્રીસ હજાર યોજન ઉપર ગયા પછી ત્રીજી મેખલામાં ચારસો ચોરાણું યોજન વિસ્તારવાળું વલયાકૃતિયુક્ત મેના શિખર ઉપર પાંડકવન છે. આ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો છે. તેમાં દક્ષિણ બાજુ ભરતક્ષેત્ર, તેની ઉત્તરે હૈમવતક્ષેત્ર, ત્યાર પછી હરિવર્ષ ક્ષેત્ર ત્યાર પછી મહાવિદેહ, તે પછી રમ્યક ક્ષેત્ર, ત્યાર પછી હૈરણ્યવત ક્ષેત્ર, ત્યારપછી ઐરાવત ક્ષેત્ર છે. દરેક ક્ષેત્રોનો વિભાગ કરનાર હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ નામના પર્વતો છે. અનુક્રમે તેઓ હેમ, અર્જુન, તપનીય (સુવર્ણ), વૈડૂર્ય, ચાંદી અને તપનીયમય વિચિત્ર મણિરત્નોથી શોભાયમાન પડખાવાળા, મૂળ અને ઉપલા ભાગમાં સમાન વિસ્તારવાળા છે. તેમાં હિમવંત પર્વત પચીસ યોજન જમીનમાં અને સો યોજન ઉંચો, મહાહિમવંત તેનાથી બમણો એટલે બસો યોજન ઉંચો, નિષધપર્વત ચારસો યોજન ઉંચો, નીલપર્વત પણ તેટલો એટલે ચારસો યોજન ઉંચા, રુક્તિ મહાહિમવંત જેટલો, શિખરી હિમવંત જેટલો છે. તે પર્વતો ઉપર પધ, મહાપદ્મ, તિગિચ્છ, કેશરી, મહાપુંડરીક અને પુંડરીક નામના અનુક્રમે સરોવરો છે. પ્રથમ હજાર યોજન લાંબું અને પાંચસો યોજન પહોળું. બીજું તેથી બમણી લંબાઈ-પહોળાઈવાળું, ત્રીજું તેથી બમણી લંબાઈ-પહોળાઈવાળું છે. ઉત્તરમાં પુંડરીક આદિ દક્ષિણની માફક સરખા છે. દરેક સરોવરોમાં દશ યોજનની અવગાહનાવાળાં પાકમળો છે અને તેના ઉપર નિવાસ કરનારી અનુક્રમે શ્રીદેવી, ફ્રિીદેવી, ધૃતિદેવી, કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષ્મીદેવીઓ છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું, તેમ જ તેઓ સામાનિક દેવો, પર્ષદા દેવો તથા આત્મરક્ષક દેવોથી પરિવરેલી હોય છે. ત્યાં ભારતમાં ગંગા અને સિધુ નામની બે મોટી નદીઓ છે. હેમવતમાં રોહિતાશા અને રોહિતા હરિવર્ષમાં હરિકાન્તા અને હરિતા, મહાવિદેહમાં શીતા અને શીતોદા, રમ્યફમાં નારીકાન્તા અને નરકાન્તા હૈરણ્યવંતમાં સુવર્ણકૂલા અને રૂખકૂલા, ઐરાવતમાં રક્તા અને રક્તોદા નામની નદીઓ છે. તેઓમાં પહેલી કહી, તે નદી પૂર્વ તરફ વહન થનારી અને બીજી પશ્ચિમમાં વહેનારી જાણવી. તેમાં ગંગા અને સિક્યુ બંને નદીઓ ચૌદ હજાર નદીઓના પરિવારવાળી, રોહિતાશા અને રોહિતા બંને અઠ્ઠાવીશ હજાર નદીઓના પરિવારવાળી, હરિકાન્તા અને હરિતા બંને છપ્પન હજાર નદીઓના પરિવારવાળી, શીતા અને શીતોદા બંને નદીઓ પાંચ લાખ, બત્રીસ હજાર નદીઓના પરિવારવાળી છે. ઉત્તરની નદીઓનો પરિવાર દક્ષિણની માફક તેના સરખો સમજવો. તેમાં ભરતક્ષેત્રનો વિસ્તાર પાંચસો છવ્વીશ યોજન અને એક યોજનના ઓગણીશ ભાગ કરીએ, તેના છ ભાગ અર્થાત ૬/૧૯ યોજન, ત્યાર પછી અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા પર્વતો અને ક્ષેત્રો મહાવિદેહ સુધીના અને ઉત્તરના દરેક ક્ષેત્રો અને પર્વતો દક્ષિણ સરખા સમજવા. મહાવિદેહમાં નિષધ પર્વતની ઉત્તરે અને મેરુની દક્ષિણ પશ્ચિમ અને પૂર્વમાં વિદ્યુ—ભ અને સૌમનસ નામના નિષધની અંદર રહેલા ગજદંત આકૃતિવાળા પર્વતોથી વીંટળાએલાં, શીતોદા નદી વડે વિભાગ પામેલા પાંચ પાંચ કુંડો અને તેની બંને પડખે રહેલા દશ દશ કાંચન પર્વતો વડે શોભાયમાન, શીતોદા નદીના પૂર્વ-પશ્ચિમ બંને કાંઠે રહેલા એક હજાર યોજન ઊંચા, તેટલા જ નીચે વિસ્તારવાળા અને તેથી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ****** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્ધપ્રમાણ ઉપર વિસ્તારવાળા વિચિત્રકૂટ અને ચિત્રકૂટથી શોભાયમાન દેવકુરુઓ ૧૧૮૪૨ ૨/૧૯ યોજનપ્રમાણ છે. મેરુની ઉત્તરે અને નીલપર્વતની દક્ષિણે ગન્ધમાદન અને માલ્ય પર્વત, જેની આકૃતિ હાથીના દાંત સરખી છે. તેનાથી વીંટળાયેલા મેરુ અને નીલ પર્વતની વચ્ચે રહેલી શીતા નદી વડે વિભાગ પામેલા પાંચ કુંડના બંને પડખે રહેલા સો કંચનપર્વતયુક્ત, શીતા નદીના બંને કિનારે રહેલા વિચિત્રકુટ અને ચિત્રકૂટ સરખા સુવર્ણના યમક પર્વતોથી શોભાયમાન ઉત્તરકુરુઓ પણ ૧૧૮૪૨ ૨/૧૯ યોજના પ્રમાણ છે. દેવકુરુ અને ઉત્તરકુરુથી પૂર્વ તરફ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ તરફ પશ્ચિમ મહાવિદેહ છે. પૂર્વ વિદેહમાં ચક્રવર્તીઓને જીતવા યોગ્ય, નદી અને પર્વતોથી વિભાજિત થએલી પરસ્પર એકબીજામાં જઈ ન શકાય તેવી સોળ વિજ્યો છે, એવી જ રીતે પશ્ચિમ વિદેહમાં પણ સોળ વિજ્યો છે. ભરત ક્ષેત્રના મધ્યભાગમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સમુદ્રને અડકીને રહેલો, દક્ષિણ અને ઉત્તર એવા ભરતના અર્ધ વિભાગ કરનાર, તમિસ્રા અને ખંડપ્રપાતા એ નામની બે ગુફાઓથી શોભાયમાન, સવા છ યોજન જમીનમાં રહેલો, પચાસ યોજન વિસ્તારવાળો, પચીશ યોજન ઉંચો વૈતાઢય પર્વત છે. આ જ પર્વતના દક્ષિણ અન ઉત્તરના પડખાઓમાં ભૂમિથી દશ યોજન ઊંચે, દશયોજન વિસ્તારવાળી વિદ્યાધરશ્રેણીઓ છે. તેમાં દક્ષિણ દિશામાં દેશો સહિત પચાસ નગરો છે, ઉત્તર દિશામાં તો સાઠ નગરો છે. વિદ્યાધર-શ્રેણિઓથી ઊંચે બંને બાજુ દશયોજન પછી તિર્યંગઝુંભક વ્યંતરદેવોની શ્રેણીઓ છે. તેમાં વ્યંતરદેવોના આવાસો છે. વ્યતંર શ્રેણીઓની ઉ૫૨ પાંચ યોજનમાં નવ ફુટો છે. વૈતાઢયની વક્તવ્યતા ઐરાવત ક્ષેત્રમાં પણ સરખી સમજવી. જંબૂદ્દીપની ચારે બાજુએ કોટ સરખી વજ્રમય આઠ યોજન ઉંચી જગતી છે. મૂળમાં બાર યોજન વિખંભ એટલે પહોળાઈ છે, વચ્ચે આઠ યોજન અને ઉપર ચાર યોજન વિધ્વંભ છે. તેના ઉપર બે ગાઉ ઉંચે જાલકટક નામનું વિદ્યાધરોને રમવાનું ક્રીડાસ્થળ છે. તેના ઉપરના ભાગમાં પદ્મવરવેદિકા નામની દેવોની ભોગભૂમિ છે. આ જગતીને પૂર્વાદિક દરેક દિશામાં અનુસ્મે વિજય, વૈજ્યંત, જ્યન્ત અને અપરાજિત નામના ચાર દ્વારો છે. હિમવંત અને મહાહિમવંત એ બંને પર્વતોની વચ્ચે શબ્દાપાતી નામનો વૃત્ત વૈતાઢય પર્વત છે. રુકમી અને શિખરી વચ્ચે વિકટાપાતી, મહાહિમવાન્ અને નિષધના આંતરામાં ગન્ધાપાતી, નીલ અને રુકિમના આંતરમાં માલ્યવાન, એ સર્વે એક હજાર યોજન ઉંચા અને પ્યાલાની આકૃતિવાળા છે. તથા જંબૂદ્વીપને ચારે બાજુ વીંટળાઈને રહેલો તેના કરતાં બમણાં એટલે બે લાખ યોજનાવાળા વિસ્તારવાળો, મધ્યમાં દશહજાર યોજનના વિસ્તારમાં એક હજાર યોજન ઊંડો અને તેમાં પંચાણું હજાર યોજન બંને બાજુ અને તેના મધ્યમાં ઉંચે વૃદ્ધિ પામતા જળનો વિસ્તાર સોળ હજાર યોજન પ્રમાણ ઉંચો હોય છે. તેના ઉપર રાત અને દિવસના સમયે બે ગાઉ સુધી ઘટતો અને વૃદ્ધિ પામતો, લવણ સમુદ્ર છે. તેના મધ્યભાગમાં ચારે દિશામાં લક્ષયોજન પ્રમાણવાળા પૂર્વમાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં યૂપ અને ઉત્ત૨માં ઈશ્વર એ નામના હજાર યોજન ઠીકરીની જાડાઈવાળા તથા દશ હજાર યોજનના મુખ તથા તળિયાવાળા કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન દેવોના આવાસવાળા, મહા ઉંડાણવાળા ખાડા સરખા નીચેના ત્રીજા ભાગમાં વાયુવાળા, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ અને જળવાળા અને ઉપરના ત્રીજા ભાગમાં જળવાળા પાતાલકળશો છે. બીજા નાના કળશો હજાર યોજન પ્રમાણવાળા, નીચે મુખમાં સો યોજન વિસ્તારવાળા, દશ યોજનની જાડી ઠીકરીવાળા, ૩૩૩ ૧/૩ યોજન ઉપરના ભાગમાં જળ, મધ્યમાં વાયુ અને જળ અને નીચે વાયુ હોય છે. જંબુદ્વીપમાં પ્રવેશ કરતી વેળાને રોકનારા ૭૮૮૪ દેવો તથા Page #484 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫ ૪૩૩ અંતર્વેળાને રોકનાર ૪૨૦૦૦ નાગકુમાર દેવો અને બાહ્ય વેળા રોકનાર ૭૨OOO દેવો અને શિખાવેલા રોકનાર ૬OOO૦ દેવો હોય છે. ગોસ્તૂપ, ઉદકાભાસ, શંખ અને દકસીમ એ નામના ચાર આવાસ-પર્વતો વેલંધરદેવના છે. સુવર્ણ, અંતરત્ન, ચાંદી અને સ્ફટિકમય ગોસ્તૂપ, શિવક શંખ, મનઃશિલ નામના અધિપતિ દેવોના આવાસો છે, તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન, નીચે ૧૦૨૨ યોજન વિસ્તારવાળા ઉપર ૪૨૪ યોજન પ્રમાણ વિસ્તાર છે. તેના ઉપર પ્રાસાદ છે. કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરુણપ્રભ એ નામના જેના અધિપતિઓ છે. એવા કર્કોટક, વિદ્યુતજિલ્લા, કૈલાસ અને અરુણપ્રભ નામના આવાસોવાળા નાની વેળા રોકનાર સર્વરત્નમય પર્વતો છે તથા વિદિશાઓમાં બાર હજાર યોજનમાં તેટલા જ લાંબા-પહોળા ચંદ્ર દ્વીપો અને તેટલા જ સૂર્યના દ્વીપો છે, તથા ગૌતમ દ્વીપ અને સુસ્થિત આવાસ પણ તેટલા જ પ્રમાણવાળો છે તથા અંતર અને બાહ્ય લવણસમુદ્રના ચંદ્ર અને સૂર્ય સંબંધી (?) (દ્વીપો) અને સર્વક્ષેત્રોમાં પ્રાસાદો છે અને લવણસમુદ્રમાં લવણરસ છે. લવણસમુદ્રની ચારે બાજુ ફરતો અને તેનાથી બમણા પ્રમાણવાળો ધાતકી ખંડ છે. જે મેરુ અને બીજા વર્ષઘર પર્વતો તથા ક્ષેત્રો જેબૂદ્વીપમાં કહ્યા, તેના કરતાં બમણા ધાતકીખંડમાં સમજવા. દક્ષિણ અને ઉત્તરમાં લાંબા એવા બે ઈષકાર પર્વતોથી જુદા પડેલા બે ધાતકી ખંડો, જંબૂદ્વીપના જ પર્વતાદિના નામ અને સંખ્યાવાળા, પૂર્વાર્ધ અને પશ્ચિમધમાં ચક્રના આરા પ્રમાણે રહેલા જેબૂદ્વીપના નિષધાદિની ઊંચાઈવાળા, કાલોદધિ અને લવણના જળનો સ્પર્શ કરનારા, ઈષના આકારવાળા પર્વતો સહિત પર્વતો છે. ક્ષેત્રો આરાના વચલા ભાગમાં રહેલા છે. ધાતકીખંડની ચારે બાજુ વીંટળાઈને રહેલો, આઠ લાખ યોજન પહોળાઈવાળો કાલોદધિ સમુદ્ર છે. કાલોદધિ સમુદ્રની ચારે બાજુ વીંટળાઈને રહેલો, તેનાં કરતાં બમણા વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ છે. તેના અર્ધ-પ્રમાણ સુધી મનુષ્યક્ષેત્ર છે. ધાતકીખંડમાં મેરુ વગેરે તથા ઈષકાર પર્વતો આદિની સંખ્યા છે, તે જ સંખ્યા-પ્રમાણવાળા પુષ્કરવરાર્ધમાં ક્ષેત્ર, પર્વતાદિ જાણવા. ધાતકીખંડના ક્ષેત્રાદિ વિસ્તારથી બમણા, ક્ષેત્રાદિ વિસ્તાર જાણવા. ધાતકીખંડ અને પુષ્કરાધના ચાર નાના મેરુઓ મહામેરુ કરતાં પંદરહજાર યોજન હીન ઊંચાઈવાળા અર્થાત્ ૮૫000 યોજનની ઊંચાઈવાળા તથા પૃથ્વીતળમાં છસો યોજન હીન વિખંભવાળા છે. તેઓના પ્રથમકાંડ, મોટા મેરુ સરખો છે. બીજો કાંડ, સાત હજાર યોજન ઓછો એટલે છપ્પન હજાર યોજનનો ત્રીજો આઠ હજાર યોજન ઓછો એટલે અઠ્ઠાવીસ હજાર યોજનનો છે. ભદ્રશાલ, નંદનવન મહામેરુ માફક છે. સાડા પંચાવન હજાર યોજન ઉપર પાંચસો યોજન વિસ્તારવાળું સૌમનસવન છે. ત્યાર પછી અઠ્ઠાવીસ હજાર યોજન ઉપર ૪૯૪ યોજન વિસ્તારવાળું પાંડુકવન છે. ઉપર નીચેનો વિખંભ અને અવગાહ મહામેરુ માફક અને ચૂલિકા પણ તે પ્રમાણે. આ પ્રમાણે અઢી દ્વીપ અને બે સમુદ્રો એ મનુષ્યક્ષેત્ર કહેવાય, તેમાં પાંચ મેરુઓ, પાંત્રીશ ક્ષેત્રો, ત્રીશ વર્ષધર પર્વતો, પાંચ દેવકુરુઓ, પાંચ ઉત્તરકુરુઓ અને એક્સો સાઠ વિજયો છે. મહાનગરને ઘેરાતો કિલ્લો હોય, તેમ પુષ્કરદ્વીપાઈને ફરતો, મનુષ્યલોકને વીંટળાઈને રહેલો સુવર્ણમય માનુષોત્તર પર્વત ૧૭૨૧ યોજન ઊંચો, ૪૩૦ યોજન અને એક ક્રોશ નીચે જમીનમાં, ૧૦૨૨ યોજના મૂળમાં વિસ્તારવાળો ૭૨૩ યોજન મધ્યમાં, ૪૨૪ યોજના ઉપરના ભાગમાં વિસ્તારવાળો છે. આ પર્વત પછીના ક્ષેત્રમાં કદાપિ મનુષ્યો જન્મ કે મરે નહિ. જે ચારણ કે વિદ્યાધર લબ્ધિવાળા હોય, તેવા મનુષ્યો તે પર્વતનું ઉલ્લંઘન કરી આગળ ગયા હોય, તો પણ ત્યાં તેઓ મૃત્યુ પામતા નથી. આ કારણે જે તે માનુષોત્તર' પર્વત કહેવાય છે. તે પર્વતથી આગળ બાદર અગ્નિકાય, મેઘ, વીજળી, નદી, કાળ, Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ પરિવેષાદિક નથી. મનુષ્યક્ષેત્રની અંદર પાંત્રીશ ક્ષેત્રોમાં તથા આંતર દીપોમાં જન્મથી મનુષ્યો હોય છે. સંહરણવિદ્યા અને ઋદ્ધિયોગથી સર્વ મનુષ્યો અઢી દ્વીપોમાં, મેરુઓના શિખર ઉપર અને બે સમુદ્રોમાં જાય. આ ભરતક્ષેત્રના, આ હૈમવંત ક્ષેત્રના, આ જંબૂદ્વીપના, આ લવણસમુદ્રના અંતરદ્વીપના મનુષ્યો છે. આ પ્રમાણે દ્વીપો અને સમુદ્રના વિભાગોથી મનુષ્યો ઓળખાય છે. તે આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારના છે. તેમાં આર્યો સાડી પચ્ચીશ દેશોમાં ઉત્પન્ન થએલા હોય છે. વિશિષ્ટ નગરોથી ઓળખાતા તે દેશો આ પ્રમાણેઃ ૧. મગધદેશ રાજગૃહનગરથી, ૨ અંગદેશ ચંપાનગરથી, ૩ બંગદેશ તામ્રલિપ્તિથી, ૪. કલિંગદેશ કાંચનપુરથી ૫. કાશીદેશ વારાણસીથી, ૬. કોશલ સાકેતનગરથી, ૭. કુરુદેશ ગજપુરથી, ૮. કુશાર્તદેશ શૌર્યપુરથી, ૯ પંચાલ કંપિલ્યનગરથી, ૧૦ જંગલ અહિચ્છત્રાથી, ૧૧ સૌરાષ્ટ્ર દ્વારાવતીનગરથી, ૧૨. વિદેહ મિથિલાથી, ૧૩ વત્સદેશ કૌશાંબીથી, ૧૪ શાંડિલ્ય નન્દીપુરથી ૧૫ મલય ભદિલપુરથી, ૧૬ મત્સ્યદેશ વિરાટ નગરીથી, ૨૦, અચ્છેદેશ વરુણાનગરીથી, દશાર્ણ કૃત્તિકાવતી નગરીથી, ચેદી શુક્તિમતી નગરીથી, સિંધુસૌવિર વીતભયથી, ર૧. શૂરસેન મથુરાથી, ૨૨ ભંગા પાપળીથી ૨૩, વર્તા મોષપુરીથી ૨૪. કુણાલ શ્રાવસ્તીથી ર૫, લાટ કોટિવર્ષથી, ૨૬ કૈકયનો અર્ધદેશ શૈતામ્બિકા નગરીથી ઓળખાય છે. આ સાડા પચ્ચીશ દેશો આર્યદેશ કહેવાય, કે જ્યાં જિનેશ્વરો, ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવોના જન્મ થતા હોય. શક, યવન, આદિ દેશો અનાર્યદેશો કહેવાય. તે આ પ્રમાણે શક, યવન, શબર, કાયમુસંડ ઉડ્ડડ, ગૌણ, પકવણ, આખ્યાન, હૂણ, રોમશ, પારસ, ખસ, કૌશિક, દુમ્બલિ, લકુશ, બુક્કસ, ભિલ્લ, આંધ, પુલિન્દ્ર, કૌંચ, ભ્રમણ, રુચિ, કાપોત, ચીન, ચંચુક, માલવ, દ્રવિઠ, કુલત્થ, કૈકેય, કિરાત, યમુખ, સ્વરમુખ, ગજમુખ, તરંગમુખ, મેંઢમુખ હયકર્ણ, ગજકર્ણએ સિવાયના પણ અનેક અનાર્ય મનુષ્યો છે. તેઓ પાપકર્મ કરનારા પ્રચંડ સ્વભાવવાળા, નિર્દય, પશ્ચાત્તાપ વગરના અને ધર્મ એવો શબ્દ પણ જેમને સ્વપ્નમાં પણ જાણવામાં આવ્યો ન હોય એવા છે. આ સિવાય અંતરદ્વીપમાં થએલા યુગલિક મનુષ્યો પણ અનાર્ય સમજવા. છપ્પન અંતરદ્વીપો આ પ્રમાણે સમજવા – હિમવાનું પર્વતના આગલા અને પાછળા ભાગમાં ઈશાન આદિ ચારે વિદિશાઓમાં લવણસમુદ્રની અંદર ઈશાન ખૂણામાં ત્રણસો યોજન અવગાહન કરીને, ત્રણસો યોજન લાંબો-પહોળો એકોરૂક નામનો પ્રથમ અંતરદ્વીપ રહેલો છે. ત્યાં એકોરૂક પુરુષોનો વાસ છે. દ્વીપોનાં નામ પ્રમાણે પુરુષોનાં નામો છે. પુરુષો તો સર્વ અંગ-ઉપાંગે સુંદર છે પણ એક ઉરૂકવાલા નથી. એ જ પ્રમાણે બીજા માટે પણ સમજવું. અગ્નિ ખૂણામાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં અંદર ગયા પછી ત્રણસો યોજન લંબાઈ-પહોળાઈવાળો અને આભાષિક પુરુષોને રહેવાના સ્થાનરૂપ પ્રથમ આભાષિક નામનો અંતરદ્વીપ છે તથા નેઋત્ય ખૂણામાં તે જ પ્રમાણે લવણસમુદ્રમાં અવગાહન કરીને ત્રણસો યોજન લંબાઈ પહોળાઈવાળો લાંગૂલિક મનુષ્યોને રેહવા લાયક લાગૂલિક નામનો પ્રથમ અંતરદ્વીપ છે તથા વાયવ્ય ખૂણામાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં ગયા પછી ત્રણસો યોજન લાંબો-પહોળો વૈષાણિક મનુષ્યોને રહેવા યોગ્ય વૈષાણિક નામનો પ્રથમ અંતરદ્વીપ છે. એ પ્રમાણે પહેલા ચાર અંતરદ્વીપ છે. ત્યાર પછી ચારસો યોજન આગળ જઈને, ચારસો યોજન લંબાઈ પહોળાઈવાળા એ જ પ્રમાણે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શષ્ફલીકર્ણ એ નામના બીજા ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી પાંચસો યોજન અવગાહી, પાંચસો યોજન લાંબા પહોળા આદર્શમુખ, મેષમુખ, હયમુખ, ગજમુખ નામના ત્રીજા ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી Page #486 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦પ ૪૩૫ છસો યોજન અવગાહીને તેટલી જ લંબાઈ-પહોળાઈ પ્રમાણવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાધ્રમુખ નામના ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી સાતસો યોજન લવણ સમુદ્રમાં આગળ જઈને, તેટલી લંબાઈ પહોળાઈ-પ્રમાણ અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપ્રવારણ નામના પાંચમા ચાર આંતરદ્વીપો છે. પછી આઠસો યોજન એ જ પ્રમાણે અવગાહન કરીને, તેટલા જ લંબાઈ-પહોળાઈવાળા, ઉલ્કામુખ, વિદ્યુતજિહા, મેષમુખ, વિધુરંત નામના છઠ્ઠા ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી નવસો યોજને લવણસમુદ્રમાં અવગાહન કરીને, તેટલા લંબાઈ-પહોળાઈવાળા ધનદંત, ગૂઢદંત, શ્રેષ્ઠદંત, શુદ્ધદંત નામના સાતમા ચાર અંતરદ્વીપો છે. આ અંતરદ્વીપોમાં જન્મ પામનારા, જોડીયા-યુગલીયા મનુષ્યો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના આયુષ્યવાળા, આઠસો ધનુષ્યની ઊંચી કાયાવાળા હોય છે. તેવી જ રીતે ઐરાવત ક્ષેત્રનો વિભાગ કરનાર શિખરી પર્વતથી પણ ઈશાનાદિ વિદિશાઓમાં આ જ ક્રમથી નામોના સમુદાયથી અઠ્ઠાવીશ અંતરદ્વીપો છે. એ સર્વ એકઠા કરવાથી છપ્પન અંતરદ્વીપો થાય છે. માનુષોત્તર પર્વત પછીનો પુષ્કરવરદીપનો અર્ધો બોજો ભાગ, પુષ્કરવરદ્વીપથી ચારે બાજુ ફરતો દ્વિીપ કરતાં બમણાં વિસ્તારવાળો પુષ્કરોદ સમુદ્ર, ત્યાર પછી વાણીવર દ્વીપ અને સમુદ્ર, તે પછી ક્ષીરવર દ્વિીપ અને સમુદ્ર, ધૃતવર દ્વીપ અને સમુદ્ર, ઈક્ષુવર દ્વીપ અને સમુદ્ર, આઠમો નંદીશ્વર દ્વીપ છે. તે ૧૬૩૮૪00000 યોજન-પ્રમાણવાળો, વિવિધ પ્રકારની સુંદર ગોઠવણીવાળા બગીચાવાળા દેવલોકની સ્પર્ધા કરનાર, જિનેન્દ્રદેવોની પ્રતિમાની પૂજામાં એકતાન બનેલા દેવોના આગમનથી મનોહર, તેમ જ ઈચ્છા પ્રમાણે વિવિધ ક્રીડા કરતાં દેવોના એકઠા થવાથી રમણીય છે. ત્યાં તેના મધ્યભાગમાં ચારે દિશામાં અંજન સરખા વર્ણવાળા, નાનામેરુ સરખા એટલે ૮૪000 યોજન ઊંચાઈવાળા, નીચે દશ હજાર યોજનથી અધિક અને ઉપર એક હજાર યોજન વિસ્તારવાળા ચાર અંજનગિરિઓ છે, તેના અનુક્રમે દેવરમણ, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ અને રમણીય નામો છે, તેમાં સો યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બહોંતેર યોજન ઉંચા જિનાલયો છે, ત્યાં સોળ યોજન ઊંચા, આઠ યોજન વિસ્તારવાળા, આઠ યોજન પ્રવેશ કરવા યોગ્ય દેવ, અસુર, નાગ, અને સુપર્ણ દેવતાઓના તેમના જ નામવાળા આવાસો અને ચાર દ્વારો છે તેની મધ્યમાં સોળ યોજન લાંબી પહોળી, આઠ યોજન ઊંચી એક પીઠીકા છે. તેના ઉપર કંઈક અધિક લાંબા પહોળા દેવચ્છેદકો છે. તે દરેકમાં ઋષભ, વર્તુમાન, વારિષણ અને ચંદ્રાનન એ નામની ચાર પર્યકાસને બિરાજમાન તેમજ એકસો આઠનો દરેકનો પરિવાર હોય તેવી શાશ્વત જિનપ્રતિમાઓ હોય છે. દરેક પ્રતિમાને બે નાગદેવની પ્રતિમા, બે યક્ષપ્રતિમા, બે ભૂતપ્રતિમા, બે કુંડ (કળશ) ધર પ્રતિમા, બે ચામર ધારણ કરનાર દેવોની પ્રતિમા હોય છે અને પાછળ એક છત્રધરની પ્રતિમા હોય છે. તે પ્રતિમાઓ પુષ્પમાળા, ઘંટા, કુંભ, ધૂપઘટિકા, અષ્ટમંગળ, તોરણ, ધ્વજા, પુષ્પચંગેરિકા, દર્પણ, પટલ, છત્ર અને આસનથી યુક્ત હોય છે. પ્રાસાદભૂમિ પર સુવર્ણની મનોહર ઝીણી રેતી પાથરેલી હોય છે તથા સોળ પૂર્ણકળશોથી શોભાયમાન, જિનમંદિરના માપવાળા આગળને મંડપો, પ્રેક્ષામંડપ, અક્ષવાટક-ગવાક્ષ, મણિપીઠિકા, સૂપ, ચૈત્યવૃક્ષ, ઈન્દ્રધ્વજ, વાવડી આદિકની ક્રમસર રચનાઓ હોય છે. દરેક અંજનગિરિ પર્વતની પૂર્વાદિ ચાર દિશાઓમાં ચાર ચાર વાવડીઓ છે. તેના નામ અનુક્રમે નંદિષેણા, અમોઘા, ગોસ્તૂપા, સુદર્શના, નંદોત્તરા, નંદા, સુનંદા, નંદિવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા, પંડિરીકિણી, વિજ્યા, વૈયંતી, ચંતિ, અપરાજિતા. તે દરેક વાવડીની આગળ પાંચસો યોજન પછી લાખ યોજન લાંબા, પાંચસો યોજન પહોળા, અશોક, સપ્તચ્છદ, ચંપક, આંબા આદિના નામવાળાં ઉદ્યાનો છે. વાવડીઓના મધ્યભાગમાં સ્ફટિકરત્નમય દધિમુખ પર્વતો, સુંદર વેદિકા, ઉદ્યાન આદિથી યુક્ત Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ચોસઠહજાર યોજન ઉંચા, એક હજાર યોજન ઉડા, દશ હજાર યોજન નીચેનાં વિસ્તારવાળાં, તેટલાં જ ઉપર વિસ્તારવાળા અને પલ્ય આકારવાળા પર્વતો છે. કેટલાક તો એમ કહે છે કે – વાવડીઓની વચ્ચે વચ્ચે બબ્બે પર્વતો છે, રતિકર પર્વતો, દશ હજાર યોજન લાંબા-પહોળા, હજાર યોજન ઉંચા, સર્વરત્નમય ઝાલરઘંટની આકૃતિવાળા પર્વતો છે. ત્યાં દક્ષિણમાં શક્ર ઈન્દ્રની અને ઉત્તરનાં બે પર્વતોમાં ઈશાન ઈન્દ્રની આઠ અગ્ર મહાદેવીઓની ચારે દિશામાં લાખયોજન પ્રમાણવાળી, દરકે જિનાયતનોથી વિભૂષિત એવી આઠ આઠ રાજધાનીઓ છે. તેનાં નામો અનુક્રમે આ પ્રમાણે જાણવા સુજાતા, સૌમનસા, અર્ચિ, માલી, પ્રભાકરા, પદ્મા, શિવા, શુચિ, અંજના, ભૂતા, ભૂતાવતંસા, ગૌસ્તૂપ, સુદર્શન, અમલા, અપ્સરા, રોહિણી, નવમી, તથા રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના, રત્નસંચયા, વસુ, વસુમિત્રા, વસુંધરા, નંદોત્તરા, નંદા, ઉત્તરકુરુ, દેવકુરું, કૃષ્ણા, કૃષ્ણરાજિ, રામા, રામરક્ષિતા; અગ્નિખૂણાના ક્રમથી જાણવી. ત્યાં સર્વસંપત્તિવંત દેવો પોતપોતાના પરિવાર સાથે પુણ્ય-પર્વ દિવસોમાં આવીને દેવો, અસુરો અને વિદ્યાધરાદિકોને પૂજનીય એવા જિનમંદિરોમાં હર્ષિત મનવાળા થઈ અષ્ટાદ્ધિકા-મહોત્સવો કરે છે. અહિં અંજનગિરિમાં ચાર અને દધિમુખ પર્વતોમાં સોળ મળી વીશ જિનાયતનો તથા રતિકર પર્વતો પર બત્રીશ એ પ્રમાણે ગિરિશિખરોમાં બાવન અને રાજધાનીઓમાં બત્રીશ જિનાયતનો છે. કેટલાક તો સોળ માને છે. આ અર્થને પુષ્ટ કરનારી પૂર્વાચાર્યોની ગાથાઓના અર્થ કહેવાય છે.: જ્યાં હંમેશા દેવ-સમુદાયો વિલાસ અને પ્રભુભક્તિમાં આનંદ માણી રહેલ છે, એવો નંદીશ્વર નામનો આઠમો દ્વીપ ૧૬૩૮૪00000 એક્સો ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ યોજન લંબાઈ-પ્રમાણ છે. ત્યાં પૂર્વાદિ ચારે દિશામાં પાડાના શિંગડા સરખા શ્યામવર્ણવાળા ૮૪000 યોજન ઉંચા, એક હજાર યોજન મૂળમાં, ભૂમિતળમાં દસ હજાર અને તેની ઉપરના ભાગોમાં ચોરાણેસો અને છેક ઉપર એક હજાર યોજન પહોળા, ૩/૨૮, ક્ષયવૃદ્ધિ-અધિકતાવાળા પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિત્યોદૂધોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ, ઉત્તરદિશામાં રમણીય એવા ચાર પર્વતો છે. અંજનપર્વતોથી એક લાખ યોજન દૂર ચાર દિશામાં હજાર યોજન ઊંડાઈ વાળી, મત્સ્ય વગરના નિર્મળ જળવાળી વાવડીઓ છે. પૂર્વાદિ પ્રત્યેક દિશાઓમાં ચાર ચાર વાવડીઓનાં નામો અનુક્રમે આ પ્રમાણે જાણવાં ૧ નંદિષેણા ૨ અમોધા, ૩ ગોસ્તુપા ૪. સુદર્શના, ૫ નંદોત્તરા, ૬ નંદા, ૭ સુનંદા, ૮ નંદિવર્ધના, ૯ ભદ્રા, ૧૦ વિશાલા, ૧૧, કુમુદા, ૧૨ પુંડરીકિણી, ૧૩ વિજ્યા, ૧૪ વૈજ્વતી, ૧૫ જયંતી, ૧૬ અપરાજિતા, ત્યાંથી આગળ પાંચસો યોજના ગયા પછી લાખ યોજના લાંબા અને પાંચસો યોજન પહોળા વનખંડો છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન નામના વનો છે, વાવડીઓના મધ્યભાગમાં પાલા આકાર સરખા, સ્ફટિક રત્નમય, દશ હજાર યોજન પહોળા, એક હજાર યોજન જમીનમાં મૂળમાં, ચોસઠ હજાર યોજન ઊંચા સોળ દધિમુખ પર્વતો છે. અંજન અને દધિમુખ પર્વતો ઉપર સો યોજન લાંબા, પચાસ યોજન પહોળાં, બહોતેર યોજના ઊંચાં, વિવિધ પ્રકારની શોભાવાળાં, સુંદર ગોઠવણીવાળાં, નૃત્ય, ગીત, સંગીત આદિ સેંકડો પ્રકારની ભક્તિથી યુક્ત, તોરણ, ધ્વજા, મંગલાદિ સહિત જિનભવનો છે. એ ભવનોમાં દેવો, અસુરો, નાગકુમારો, સુપર્ણકુમારો, એવા દેવતાના નામવાળા કોટના દરવાજા છે, જેની ઊંચાઈ સોળ યોજન અને પહોળાઈ આઠ યોજન છે. દરેક ધારો, કળશો વિગેરે, આગલો મંડપ, પ્રેક્ષામંડપ, ગવાક્ષો, મણિપીઠ, સ્તૂપો, પ્રતિમાઓ, ચૈત્યવૃક્ષો, ધ્વજાઓ અને વાવડીઓમાંથી શોભાયમાન છે. તેના ઉપર જિનમંદિરના ગર્ભગૃહમાં ૮ યોજન ઊંચી, ૧૬ યોજન લાંબી, આઠ યોજન પહોળી મણિપીઠિકા છે અને અધિક પ્રમાણવાળા રત્નમય દેવચ્છેદો છે. તેમાં (૧) ઋષભ (૨) વર્ધમાન (૩) ચંદ્રાનન અને (૪) Page #488 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫ ४३७ વારિષણ નામના જિનેશ્વરોની પલ્યકાસનવાળી ૧૦૮ શાશ્વતી પ્રતિમાઓ છે. દરેક પ્રતિમા આગળ બબ્બે નાગકુમારો, યક્ષો, ભૂતો, કુંડધરોની પ્રતિમાઓ, બે બાજુ બે ચામર ધરનારા અને પાછળ એક છત્ર ધરનારની પ્રતિમા છે. તથા ઘંટા, ચંદન-ઘટ, ભંગાર, દર્પણ આદિ ભદ્રાસન, મંગળો, પુષ્પ-ચંગેરી,, પટલક, છત્ર, આસન પણ સાથે હોય છે. અહિં, સૂત્રમાં કહેલા આદેશથી બલ્બ વાવડીઓના આંતરે આંતરે બબ્બે બબ્બે રતિકર નામના પર્વતો છે, તે બત્રીશ પર્વતો ઉપર આગળ કહ્યા પ્રમાણે જિનભવનો છે. મહાપર્વના પવિત્ર દિવસે વંદન, નમસ્કાર કરતાં, સ્તુતિ કરતા, પૂજા કરતાં, જતા-આવતા, એવા વિદ્યાધરો તથા દેવતાઓ જેના મહોત્સવ કરે છે– એવી જિનપ્રતિમાઓ તેમાં બિરાજમાન છે તથા હજાર યોજન ઊંચા, દશ હજાર જોજન લાંબા-પહોળા, ઝલ્લરી સરખા, રત્નમય રતિકર નામના પર્વતો દીપની વિદિશામાં શોભી રહેલા છે. તે પર્વતોની ચાર દિશાઓમાં જંબૂદ્વીપ સરખા લાખ યોજનમાં શક્ર અને ઈશાન ઈન્દ્રની અગ્રદેવીઓની આઠ આઠ રાજધાનીઓ છે. તે રાજધાનીઓ નિર્મળ મણિરત્નોથી શોભાયમાન ફરતા કોટના વલયોવાળી છે અને તેમાં અનુપમ, અત્યંત રમણીય એવી રત્નમય પ્રતિમાઓથી પ્રતિષ્ઠિત જિનમંદિરો છે. આ પ્રમાણે વીશ અને બાવન શિખરો ઉપર રહેલાં જિનાયતનોની અમે સ્તુતિ કરીએ છીએ, અથવા ઈન્દ્રાણીઓની રાજધાનીમાં રહેલા બત્રીશ કે સોળ જિનાયતનોને હું નમસ્કાર કરું છું. નંદીશ્વરદ્વીપની ચારે બાજુ વલયાકાર ફરતો નંદીશ્વર સમુદ્ર છે. ત્યાર પછી અરુણદ્વીપ, અણસમુદ્ર, પછી અરુણાભાસ દ્વીપ, અરુણાભાસ સમુદ્ર, પછી કુંડલ દ્વીપ, કુંડલ સમુદ્ર; પછી રુચક દ્વીપ, સેચક સમુદ્ર; ત્યાર પછી અરૂણવર દીપ અરૂણવર સમુદ્ર એ પ્રમાણે પ્રશસ્ત નામવાળા બમણા બમણા માપવાળા દીપો અને સમુદ્રો જાણવા છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ દ્વીપસમુદ્રોની અંદર અઢી દ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ સિવાય ભરત, ઐરાવત અને મહાવિદેહ એ કર્મભૂમિઓ છે. કાલોદધિ, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના જળનો સ્વાદ જળ જેવો છે. લવણ સમુદ્રના જળનો સ્વાદ લવણરસ સરખો છે. વારુણોદધિ વિવિધ પ્રકારના મદિરાપાન સરખા સ્વાદવાળો છે, ક્ષીરસમુદ્રનું જળ, ખાંડ અને ઘી-આદિ સાથે ચોથા ભાગનું ગાયનું દૂધ હોય, તેના સરખા સ્વાદવાળું છે. ધૃત સમુદ્રનું જળ સારી રીતે પકાવેલા તાજા ઘીના સરખા સ્વાદવાળું હોય છે. બાકીના સમુદ્રોનું જળ તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસરથી મિશ્રિત, તત્કાલ છેદેલી શેરડીનો રસ ત્રીજા ભાગે જેમાં હોય તેવા સ્વાદવાળું હોય છે. લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણા મલ્યો અને કાચબા આદિ હોય છે. પરંતુ બીજામાં હોતા નથી. તથા જંબૂદ્વીપમાં જધન્યથી ચાર તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવો હંમેશા હોય છે ઉત્કૃષ્ટથી ચોત્રીશ તીર્થકરો અને ત્રીશ ચક્રવર્તીઓ હોય છે. ધાતકીખંડમાં અને પુષ્પકરાઈ ખંડમાં તેનાથી બમણા સમજવા. તિચ્છલોકથી ઉપર નવસો યોજન ન્યૂન સાત રાજ-પ્રમાણ ઊર્વલોક છે. તેમાં સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત નામના બાર દેવલોકો છે. તેના ઉપર નવ રૈવેયક, તેના ઉપર વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત પૂર્વાદિદિશાના ક્રમે અને વચ્ચે સર્વાર્થસિદ્ધ, તેના ઉપર બાર યોજન દૂર પીસ્તાલીશ લાખ લાંબી-પહોળી ઈષપ્રાગભારા નામની પૃથ્વી અને તેજ સિદ્ધશિલા. તેના પણ ઉપરના ભાગમાં ત્રણ ગાઉથી આગળ ચોથા ગાઉના છઠ્ઠા ભાગમાં લોકના છેડા સુધી સિદ્ધો રહેલા છે. તેમાં સમભૂતલ પરણિતળથી સૌધર્મ અને ઈશાન એ બે દેવલોક સુધી દોઢ રાજ, સનકુમાર અને Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ માહેન્દ્ર સુધી અઢી રાજ, સહસ્રાર દેવલોક સુધી પાંચ રાજ, અચ્યુત સુધી છ રાજ, લોકાન્ત સુધી સાત રાજ સમજવા. સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનના આકાર ચંદ્રમંડલ સરખા ગોળ છે. તેમાં દક્ષિણાર્ધના ઈન્દ્ર શક્ર અને ઉત્તરાર્ધના ઈન્દ્ર ઈશાન છે. સનકુમાર અને માહેન્દ્ર પણ એ જ પ્રમાણે. તેમાં દક્ષિણાર્ધના સનત્કુમાર અને ઉત્તરાર્ધના ઈન્દ્ર માહેન્દ્ર, ત્યાર પછી, ઉર્ધ્વલોકના મધ્યભાગમાં લોકપુરુષના કોણી સરખા સ્થાનમાં રહેલ બ્રહ્મલોક તેના ઈન્દ્ર બ્રહ્મદ્ર, તેના એક દેશમાં વાસ કરનાર એવા સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ નામના લોકાન્તિક દેવો છે. તેના ઉપર લાન્તક અને તે નામના જ લાન્તકેન્દ્ર છે. તેના ઉપર મહાશુક્ર, તે નામના જ ઈન્દ્ર, તેના ઉપર સહસ્રાર, તે નામના જ ઈન્દ્ર, તેના પણ ઉપર સૌધર્મ, અને ઈશાન માફક ચંદ્રાકારવાળા આનત, પ્રાણત કલ્પો, તેમાં પ્રાણતવાસી તે નામના બે કલ્પના એક જ ઈન્દ્ર, તેના ઉપર આગળ પ્રમાણે ચંદ્રાકાર સરખા ગોળ આરણ અને અચ્યુત કલ્પ, ત્યાં અચ્યુતકલ્પવાસી તે જ નામના બે કલ્પના એક ઈન્દ્ર, ત્યાર પછીના દેવલોકના દેવો સર્વે અહમિન્દ્રો છે. તેમાં પહેલાં બે કલ્પો, ઘનોદધિ અને ઘનવાતના આધારે રહેલા છે. તેના ઉ૫૨ આકાશના આધારે રહેલા છે. તેમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્ક્વૅિશ, પારિષઘ, આત્મ-રક્ષક, લોકપાલ, અનિક, પ્રકીર્ણક, આભિયોગિક, કિલ્બિષિક એવા દેવના દશ વિભાગો છે, તેમાં ઈન્દ્રએ સામાનિક આદિ નવેના સ્વામી છે. સામાનિક દેવો પ્રધાન, પિતા, ગુરુ, ઉપાધ્યાય, વડીલો માફક હોય, માત્ર ઈન્દ્રપણાથી રહિત હોય છે, ત્રાયસિઁશ મંત્રી અને પુરોહિતના સ્થાન સરખા, પારિષઘો મિત્ર સરખા, આત્મરક્ષક દેવો અંગરક્ષકો સરખા, લોકપાલો કોટવાળ અને દૂતકાર્ય કરનારા, અનિક દેવો સૈનિક-કાર્ય કરનારા, તેના અધિપતિઓ સેનાધિપતિનું કાર્ય કરનાર, તે પણ અનિકમાં જ લેવા, પ્રકીર્ણક દેવો એટલે નગરજનો અને દેશવાસીઓ સરખા, આભિયોગિક દેવો દાસ - સેવક સરખા આજ્ઞા ઉઠાવનારા, કિલ્બિષિક એ અન્ત્યજ સરખા અસ્પૃશ્ય હોય છે. વ્યંતર અને જ્યોતિષ્ક દેવલોકમાં ત્રાયસિઁશ અને લોકપાલો હોતા નથી. તે સિવાયના વિભાગો ત્યાં હોય છે. - સૌધર્મ દેવલોકમાં બત્રીશ લાખ વિમાનો, ઈશાનમાં અઠ્ઠાવીસ લાખ, સનકુમારમાં બાર લાખ, માહેન્દ્રમાં આઠ, બ્રહ્મલોકમાં ચાર, લાન્તકમાં પચાસહજાર, મહાશુક્રમાં ચાલીશહજાર, સહસ્રારમાં છ હજાર, આનત અને પ્રાણતના ચારસો, આરણ-અચ્યુતના ત્રણસો વિમાનો છે. પહેલા ત્રણ ત્રૈવેયકમાં એક્સો દશ, વચલા ત્રણ ત્રૈવેયકમાં એક્સો સાત, ઉપરના ત્રિકમાં એક્સો વિમાનો છે. અનુત્તરનાં પાંચ જ વિમાનો છે. એ પ્રમાણે ૮૪૯૭૦૨૩ સર્વ વિમાનો છે. વિજ્યાદિક ચાર અનુત્તર-વિમાનવાસી દેવોને છેલ્લાં બે ભવો બાકી છે અને સર્વાર્થસિદ્ધના દેવોને તો હવે એક છેલ્લો ભવ છે. આ સૌધર્મ દેવલોકથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધીના દેવો આયુષ્યસ્થિતિ, પ્રભાવ, સુખ, કાન્તિ, લેશ્યાં, વિશુદ્ધિ, ઈન્દ્રિયના વિષયો, અધિજ્ઞાનથી આગળ આગળથી ઉત્તરોત્તર અધિક અધિક એટલે ચિડયાતા ચડિયાતા હોય છે. ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનથી હીન અને હીનતર હોય છે. શ્વાસોચ્છ્વાસ તો સર્વ જઘન્ય સ્થિતિવાળા ભવનપતિ આદિક દેવોને સાત સ્તોક પછી હોય અને આહાર એક ઉપવાસ જેટલા સમય પછી હોય. પલ્યોપમ- સ્થિતિવાળા દેવોનો ઉચ્છ્વાસ એક દિવસની અંદરનો અને બેથી નવ દિવસનો આહારગ્રહણનો સમય હોય છે. જે દેવનું જેટલાં સાગરોપમનું આયુષ્ય હોય, તેને તેટલા પખવાડિએ ઉચ્છ્વાસ લેવાનો હોય અને તેટલા હજાર વર્ષે આહાર લેવાનો હોય. દેવતાઓ ઘણે ભાગે શાતાવેદનીયવાળા હોય અને કદાચ અશાતા થાય, તો માત્ર અંતર્મુહૂર્ત કાળ જેટલી જ હોય, વધારે ન હોય. Page #490 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૬ ૪૩૯ દેવીઓની ઉત્પત્તિ બીજા ઈશાન દેવલોક સુધી જ હોય અને દેવી આ ખાસ ટેવલોક સધી જ હોય અને દેવીઓનું જવું તો બા૨માં અશ્રુત દેવલોક સુધી હોય. અન્યમતવાળા તાપસો જ્યોતિષ દેવલોક સુધી, ચરક અને પરિવ્રાજકો પાંચમાં બ્રહ્મલોક સુધી, પંચેન્દ્રિય તિર્યંચો આઠમા સહસ્રરકલ્પ સુધી, મનુષ્ય શ્રાવકો બારમા અશ્રુત દેવલોક સુધી, જિનેશ્વર, ભગવંતનું ચારિત્ર-લિંગ અંગીકાર કરનાર મિથ્યાદેષ્ટિ યથાર્થ સમાચારી પાલન કરનાર નવમાં રૈવેયક સુધી, ચૌદપૂર્વધરો, બ્રહ્મલોક ઉપરથી સર્વાર્થસિદ્ધ સુધી, અવિરાધિત વ્રતવાળા સાધુઓ અને શ્રાવકો જઘન્યથી સૌધર્મ દેવલોક સુધી જાય. ભવનવાસી આદિથી બીજા ઈશાન દેવલોકો સુધીના દેવો શરીરથી સંભોગ-સુખ ભોગવનારા હોય. તે દેવો સંકિલષ્ટ-કર્મવાળા મનુષ્યોની માફક મૈથુનસુખમાં ગાઢ પ્રસક્ત બની તીવ્રપણે તેમાં તલ્લીન બને છે અને કાયાના પરિશ્રમથી સર્વ અંગોને સ્પર્શ સુખ મેળવી પ્રીતિ પામે છે. બાકીના પછીના ત્રીજા-ચોથા કલ્પવાસી દેવો-દેવીઓના સ્પર્શથી સુખ, પાંચમા છઠ્ઠાના દેવો દેવીઓનાં રૂપ જોવાથી, સાતમા આઠમાનાં દેવો દેવીઓનાં શબ્દ સાંભળવાથી તૃપ્ત થાય. નવમાંથી બારમા સુધીના ચાર દેવલોકનાં દેવો દેવીનું મનથી ચિંતન કરે, એટલે તૃપ્તિ થઈ જાય. ત્યાર પછીના દેવો કોઈ પણ પ્રકારે મૈથુન સેવનારા ન હોય, પણ પ્રવીચાર કરનાર દેવો કરતાં પ્રવીચાર ન કરનારા દેવો અનંતગણું સુખ ભોગવનારા હોય. આ પ્રમાણે અધોલોક, તિલોક અને ઉર્ધ્વલોક એમ ત્રણ ભેદવાળો લોક સમજાવ્યો. આ લોકના મધ્યભાગમાં એક રાજ-પ્રમાણ લાંબી-પહોળી, ઉપર-નીચે મળી ચૌદ રાજલોક-પ્રમાણ ત્રસનાડી છે. જેમાં ત્રસ અને સ્થાવર જીવો છે. ત્રસનાડીની બહાર એકલા સ્થાવરજીવો જ હોય છે. | ૧૦૫ || લોકનું વિશેષ સ્વરૂપ સમજાવે છે. ४३२ निष्पादितो न केनापि, न धृतः केनचिच्च सः । स्वयंसिद्धो निराधारो, गगने किन्त्ववस्थितः ॥ १०६ ॥ અર્થ : તે લોક કોઈએ બનાવ્યો નથી અને તેને કોઈએ ધારણ કર્યો નથી, કિન્તુ તે સ્વયંસિદ્ધ, નિરાધાર આકાશમાં રહેલો છે. || ૧૦૬ . ટીકાર્થ ઃ આ લોકને કોઈએ પણ બનાવ્યો નથી, કોઈએ ધારણ કરી રાખ્યો નથી. સ્વયંસિદ્ધ, આધાર વગરનો આકાશમાં રહેલો છે. પ્રકૃતિ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મા, પુરુષ આદિમાંથી કોઈએ પણ આ લોક બનાવ્યો નથી. પ્રકૃતિ અચેતન હોવાથી તેમાં કર્તાપણું સંભવે નહિ. ઈશ્વરાદિકને પ્રયોજન ન હોવાથી તેમનું પણ કર્તાપણું નથી. “ક્રીડા માટે લોક બનાવ્યો’ એમ જો કહેતા હો તો, તેમ પણ નથી, કારણકે ક્રીડા તો રાગી કુમાર સરખાને જ હોય, ક્રીડા-સાધ્ય પ્રીતિ તો તેમને શાશ્વતી છે. ક્રીડા-નિમિત્તે થવાવાળી પ્રીતિ તેમને જો માનતા હો, તો તેઓને પહેલા અતૃપ્તિ હતી તેમ માનવું પડે. જો કૃપાથી તેમણે લોક ઉત્પન્ન કર્યો, તેમ માનો તો આખું જગત સુખી જ હોય, દુઃખી ન હોય. સુખ-દુઃખ કર્મની અપેક્ષાવાળું છે એમ કહેતા હો, તો પછી કર્મ એ જ કારણ છે અને તેમ માનવામાં તેમની સ્વતંત્રતાનો નાશ થાય છે. જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા, કોઈ રંક, નિરોગી, રોગી, સંયોગી, વિયોગી, ધનવાન, દરિદ્ર, આવી ભાવોની વિચિત્રતામાં અને તે પણ કર્મથી બનતી હોવાથી ઈશ્વરાદિકની જરૂર રહેતી નથી. હવે કદાચ કહેશો કે વગર પ્રયોજને તેઓએ જગત નિર્માણ કર્યું છે, તો તે પણ અયુક્ત છે. પ્રયોજન વગર બાળક પણ કોઈ પ્રવૃત્તિ કરતો નથી. તેથી નક્કી થયું કે, આ લોક કોઈએ ઉત્પન્ન કર્યો નથી. તેમ જ કોઈથી પણ આ લોક ધારણ કરાતો Page #491 -------------------------------------------------------------------------- ________________ ४४० યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ નથી. કેટલાકો એમ માને છે કે, “શેષનાગ, કૂર્મ, વરાહ આદિ આ લોકને ધારણ કરે છે તેમને પૂછવું કે, તો પછી “શેષનાગ આદિકને કોણ ધારણ કરે છે.?' જવાબ મળે કે આકાશ, તો પછી આકાશને કોણ ધારણ કરે છે ? પોતે જ સ્વયં પ્રતિષ્ઠિત છે.” એમ કહે,ત્યારે તેને કહેવું કે, “લોક પણ તે જ પ્રમાણે છે’ આમ હોવાથી નિરાધાર છે. શંકા કરી કે, “આધાર વગરના તેને રહેવાનું ક્યાં ?' જવાબ મળ્યો કે, ગગનમાં. અવસ્થિત સ્વરૂપવાળા આકાશને વિષે જ આ લોક પ્રતિષ્ઠિત થએલો છે. આ વિષયને લગતા શ્લોકનો અર્થ કહેવાય છે – શંકા કરી કે “લોક-વિચારણાને ભાવના કેવી રીતે કહેવાય ? જવાબ આપે છે કે, “તેથી પણ નિર્મમત્વ પરિણામ થાય છે તે સાંભળો-સુખના કારણભૂત એવા કોઈક ભાવમાં વારંવાર મન મૂછ પામતું હોય તો આ લોક-ભાવનાથી અત્યંત વેરવિખેર કરી શકાય છે. “પૃથ્વી, દ્વીપો, સમુદ્રો વિગેરે ધર્મધ્યાનના વિષયભૂત છે” – એમ ધ્યાનશતકમાં કહેલું છે. તેના વગર લોક-ભાવના ભાવી શકાય નહિ. જિનેશ્વરોએ કહેલ લોકરૂપ પદાર્થનો અશકિત નિશ્ચય થયા પછી અતીન્દ્રિય મોક્ષમાર્ગને વિષે જીવો શ્રદ્ધા રાખ. એ પ્રમાણે લોક ભાવના જણાવી | ૧૦૬ || હવે ત્રણ શ્લોકથી બોધિ-દુર્લભ ભાવના જણાવે છે– ४३३ अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात् त्रसत्वं वा, तिर्यक्त्वं वा, कथञ्चन ॥ १०७ ॥ અર્થ : અકામ નિર્જરારૂપ પુણ્યના ઉદયથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું મહાકષ્ટથી પ્રાપ્ત થાય છે. / ૧૦૭ | ટીકાર્થ : અકામનિર્જરા રૂપ પુણ્યથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું કોઈ રીતે પ્રાપ્ત થાય છે. પર્વતની નદીમાં વાંકોચૂકો પત્થર ગબડતાં ગબડતાં, ઘસાતાં ઘસાતાં, આપોઆપ વગર પ્રયત્ન ગોળ અને સરખો બની જાય છે, તેવી રીતે આવી પડેલાં દુઃખો વગર ઈચ્છએ સહન કરી ભોગવીને ખપાવ્યાં, તે રૂપ અકામનિર્જરા અર્થાત, આત્માની સાથે ચોટેલા કર્મો ખરી પડવારૂપ, આ પુણ્ય પ્રકૃતિ સ્વરૂપ નથી, પણ કર્મની લઘુતારૂપ પુણ્ય એટલે કે, અકામનિર્જરાથી જીવ એકેન્દ્રિય જાતિ સાથે કાયમ રહેનાર સ્થાવરપણું, તે રૂપ પર્યાય છોડીને બેઈન્દ્રિયપણાની સાથે રહેનાર ત્રાસપણાને, કે પંચેન્દ્રિય તિર્યચપણાને પામે છે. / ૧૦૭ તથા– ४३४ मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र, कथञ्चित्कर्मलाघवात् ॥ १०८ ॥ અર્થ : તેમાં પણ વિશેષ કર્મની લઘુતાથી મનુષ્ય જન્મ, આર્યદેશ, આર્યજાતિ, સર્વ ઈન્દ્રિયોની સુંદરતા અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે. // ૧૦૮ | ટીકાર્થ : વળી વિશેષ પ્રકારે વધારે અકામનિર્જરા થવાથી કોઈપણ પ્રકારે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘૂંસરીના છિદ્રમાં ખીલી પરોવાઈ જાય તે ન્યાયે મનુષ્યપણું તથા શક, યવન આદિ અનાર્યદેશ સિવાયના મગધાદિ આર્યદેશમાં જન્મ થાય. આર્યદેશ પ્રાપ્ત થવા છતાં અન્યજ આદિ હલકી જાતિથી રહિત ઉત્તમ જાતિ-કુળમાં જન્મ થવો, ઉત્તમ-જાતિ-કુળ મળવા છતાં સર્વ ઈન્દ્રિયોથી સંપૂર્ણતા, તેમાં સર્વઈન્દ્રિયોની Page #492 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૭-૧૦૯ *** ૪૪૧ સંપૂર્ણતા-પટુતા સાથે લાંબુ આયુષ્ય ત્યારે જ હોય, જો અશુભ કર્મ ઓછાં થાય તો, ઉપલક્ષણથી પુણ્યની વૃદ્ધિ થાય, તો જ તે સર્વેની પ્રાપ્તિ થાય છે. ટૂંકા આયુષ્યવાળો આ લોક કે પરલોકનું કાર્ય કરવા સમર્થ બની શકતો નથી. વીતરાગ ભગવંતે પણ ‘હે આયુષ્યમાન ગૌતમ !' એમ બોલતાં બીજા ગુણોમાં લાંબા આયુષ્યની અધિકતા જણાવી છે. ॥ ૧૦૮ || તથા – ४३५ प्राप्तेषु पुण्यतः श्रद्धाकथक श्रवणेष्वपि तत्त्वनिश्चयरूपं तद् बोधिरत्नं सुदुर्लभम् 1 ॥ શ્૰૧ ॥ અર્થ : વળી પુણ્યના પ્રબળ ઉદયથી ધર્મશ્રદ્ધા, ધર્મકથક અને ધર્મશ્રવણની પ્રાપ્તિ થવા છતાં જિનકથિત તત્ત્વોના નિશ્ચયરૂપ બોધિરત્નનો યોગ સુદુર્લભ છે. II ૧૦૯ | - ટીકાર્થ : કર્મની લઘુતા અને પુણ્ય એટલે શુભકર્મના ઉદયથી ધર્માભિલાષ રૂપ શ્રદ્ધા, ધર્મોપદેશ કરનાર ગુરુ, તેના વચનનું શ્રવણ કરવાપણું પ્રાપ્ત કરવા છતાં પણ તત્ત્વનાં નિશ્ચયસ્વરૂપ અથવા તત્ત્વરૂપ, દેવ ગુરુ અને ધર્મનો દૃઢ અનુરાગ, તે રૂપ બોધિ-સમ્યક્ત્ત્તરત્ન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. સ્થાવ૨પણાથી ત્રસપણું આદિ દુર્લભ, તેથી બોધિરત્ન દુર્લભ છે. ‘સુ' શબ્દ એટલા માટે કહેલો છે કે— મિથ્યાદષ્ટિઓ પણ ત્રસપણું આદિથી શ્રવણ-ભૂમિકા સુધી અનંતી વખત પહોંચે છે, પણ બોધિરત્ન પ્રાપ્ત કરી શકતા નથી. મોક્ષવૃક્ષના બીજભૂત હોય, તો આ સમ્યક્ત્વ છે. આંત૨ શ્લોકના અર્થ કહેવાય છે— આ જૈન પ્રવચનમાં રાજ્ય મળવું, ચક્રવર્તી થવું કે ઈન્દ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી, પણ બોધિરત્ન પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ કહેલું છે. સર્વ જીવોએ જગતના સર્વ ભાવો પહેલાં અનંત વખત પ્રાપ્ત કરેલા છે, પણ કદાચિત્ હજુ બોધિરત્ન મેળવ્યું નથી. કારણકે ભવભ્રમણ ચાલુ છે અને અનંતાનંત પુદ્ગલપરાવર્તોનો કાળ ગયા પછી અહીં અર્ધપુદ્ગલ-પરાવર્ત બાકી રહે, ત્યારે સર્વ સંસારના શરીરધારી જીવોને સર્વ કર્મોની અંતઃકોટાકોટી સ્થિતિ બાકી રહે ત્યારે કોઈક જીવ ગ્રંથિનો ભેદ કરીને ઉત્તમ બોધિરત્ન પ્રાપ્ત કરે છે. કેટલાક જીવો યથાપ્રવૃત્તકરણ કરવા વડે ગ્રન્થિની નજીકના પ્રદેશમાં આવે છે પરંતુ બોધિ પ્રાપ્ત કર્યા વગર પાછા ફરી જાય છે, કેટલાક બોધિ પ્રાપ્ત કરે છે, પણ પાછા સીદાય છે અને ફરી ભવચક્રમાં ભ્રમણ કરે છે. કુશાસ્ત્રોનું શ્રવણ, મિથ્યાદૃષ્ટિઓ સાથેનો સંગ, ખરાબવાસના, પ્રમાદ સેવવો એ વગેરે બોધિના વિઘ્નો સમજવા. જો કે ચારિત્ર પ્રાપ્તિ દુર્લભ કહેલી છે પણ તે બોધિ-પ્રાપ્તિમાં સફળ છે, નહિંતર નિષ્ફળ સમજવી. અભવ્યજીવો પણ ચારિત્ર પ્રાપ્ત કરીને ત્રૈવેયક દેવલોક સુધી જાય છે. પરંતુ બોધિ વગર નિવૃત્તિ-સુખ તેઓ પામી શકતા નથી. બોધિરત્ન ન પ્રાપ્ત કરનાર ચક્રવર્તી પણ રંક જેવો છે અને બોધિરત્ન પ્રાપ્ત કરનાર રંક પણ ચક્રવર્તીથી પણ અધિક છે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ જીવો ભવમાં ક્યાંય પણ અનુરાગ કરતાં નથી. તેઓ મમતા વગરના હોવાથી અર્ગલા વગરની મુક્તિની આરાધના કરે છે. જે કોઈએ પહેલાં આ મુક્તિપદની પ્રાપ્તિ કરેલી છે, વળી જેઓ આગળ પ્રાપ્ત કરશે અને વર્તમાનમાં પણ જેઓ પ્રાપ્ત કરે છે તે સર્વે પણ અનુપમ પ્રભાવ અને વૈભવ સ્વરૂપ બોધિને પામીને. ઉત્તમ બોધિની ઉપાસના કરો, સ્તુતિ કરો, શ્રવણ કરો, બીજાનું શું પ્રયોજન છે ? બારમી બોધિ-ભાવના જણાવી. || ૧૦૯ || નિર્મમત્વના કારણભૂત ભાવનાનો ઉપસંહાર કરતા સમતાના ચાલુ અધિકાર સાથે તેને જોડે છેઃ— Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ४३६ भावनाभिरविश्रान्त-मिति भावितमानसः । निर्ममः सर्वभावेषु समत्वमवलम्बते અર્થ : આ પ્રમાણે અનિત્યાદિ ભાવનાઓથી નિરંતર ભાવિત મનવાળો નિર્મમ આત્મા જગતના તમામ પદાર્થોમાં સમતાભાવને ધારણ કરે છે || ૧૧૦ || ટીકાર્થ : નિરંતર ભાવનાઓ વડે ભાવિત કરેલા મનવાળો સર્વ ભાવો વિષે મમતા વગરનો બની સમભાવનું અવલંબન કરે છે. || ૧૧૦ //. સામ્યનાં ફલને બતાવે છે– ४३७ विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्नि-र्बोधिदीपः समुन्मिषेत् ॥ १११ ॥ અર્થ : શબ્દાદિ વિષયોથી વિરક્ત અને સમતાગુણથી વાસિત ચિત્તવાળા યોગીઓનો કષાયરૂપ અગ્નિ ઉપશાંત બને છે, બોધિ પ્રદીપનો ઉદય થાય છે. જે ૧૧૧ // ટીકાર્થ : વિષયોથી વિરક્ત બનેલા સમતાધારી ચિત્તવાળા યોગી પુરુષોના કષાય-અગ્નિ ઓલવી જાય અને સભ્યત્વ-દીપક પ્રગટે છે || ૧૧૧ || એ પ્રમાણે ઈન્દ્રિયોના જયથી કષાય-જય, મનની શુદ્ધિથી ઈન્દ્રિય-જય, રાગ-દ્વેષના જય વડે મન શુદ્ધિ, મમતા વડે રાગ-દ્વેષનો જય અને ભાવના-હેતુસ્વરૂપ નિર્મમત્વથી સમતાનું પ્રતિપાદન કર્યું હવે આગળનું પ્રકરણ પ્રતિપાદન કરે છે. ४३८ समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥ ११२ ॥ અર્થઃ યોગી સમત્વનું આલંબન લઈને ધ્યાન કરે, કેમ કે સમતા વિના ધ્યાન કરવામાં આત્મા પોતે જ વિટંબણા પામે છે. || ૧૧૨ // ટીકાર્થ : ત્યાર પછી યોગી-મુનિ પોતાના ચિત્તમાં દૃઢપણે સમતાનું અવલંબન કરી આગળ કહીશુ તેવા ધ્યાનનું અવલંબન કરે. જો કે ધ્યાન અને સમતા બંને એક જ છે. તો પણ વિશેષ પ્રકારની સમતા. તે ધ્યાન કહેવાય છે. વારંવાર અભ્યાસ કરવા યોગ્ય સામ્ય તે ધ્યાન-સ્વરૂપ છે. એ જ વાત વ્યતિરેક એટલે આવે છે. અનુપ્રેક્ષા આદિ બલથી પ્રાપ્ત કરવા યોગ્ય સમતા વગર ધ્યાન શરૂ કરવામાં આવે. તો આત્મા વિડંબના પામે છે, તે આ પ્રમાણે :- જેણે ઈન્દ્રિયોને ગોપવી નથી, તેમ જ મનની શુદ્ધિ કરી નથી. રાગ-દ્વેષને જીત્યા નથી, જેણે નિર્મમત્વ હજુ પ્રગટાવ્યું નથી, જેણે સમતાનો અભ્યાસ કર્યો નથી. ગતાનુગતિકપણાથી જે મૂઢ પુરુષો ધ્યાન શરૂ કરે છે, તેઓ બંને લોકનાં માર્ગથી ચૂકી જાય છે. યથાવિધિ ધ્યાન કરવામાં આવે, તો આત્માની વિડંબના થતી નથી, ઉર્દુ આત્મહિતકારી થાય છે || ૧૧૨ || તે જ વાત કહે છે४३९ मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥ ११३ ॥ Page #494 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૧૦-૧૧૫ ४४३ અર્થ : મોક્ષ કર્મક્ષયથી થાય છે અને કર્મક્ષય આત્મસ્વરૂપના જ્ઞાનથી થાય છે, તે જ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે અને તે ધ્યાન આત્મહિતકારક છે. || ૧૧૩ || - ટીકાર્થ: આત્માનું પોતાનું નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરવા સ્વરૂપ મોક્ષ, એ આત્મસ્વરૂપ રોકનાર કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. તે સિવાય નહિ, એ વિવાદ વગરની વાત છે. તે કર્મક્ષય આત્મજ્ઞાનથી જ હોય છે, આ વાતમાં પણ વિવાદ નથી. તે આત્મજ્ઞાન ધ્યાનથી જ સિદ્ધ થાય છે. પર પદાર્થના યોગનો ત્યાગ અને આત્મસ્વરૂપ યોગની વ્યવસ્થા, તે બે વડે ધ્યાન સાધી શકાય છે. માટે ધ્યાન એ આત્માનું હિત કરનાર છે. તે ૧૧૩ | શંકા કરી, કે પહેલાં અર્થની પ્રાપ્તિ માટે અને અનર્થના પરિવાર માટે સામ્ય જણાવ્યું. હવે ધ્યાન એ આત્મહિત કરનાર કહો છો-તો આમાં પ્રધાનતા કોની ?' સમાધાન કરે કે બંનેની પ્રધાનતા છે, તેમાં તફાવત નથી, તે જ વાત કહે છે– ४४० न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योऽन्यकारणम् ॥ ११४ ॥ અર્થ : સમતા વિના ધ્યાન અને ધ્યાન વિના સમતા નિષ્કમ્પ-સ્થિર થતા નથી તેથી (સમતા અને ધ્યાન) તે બન્ને એકબીજાના હેતુરૂપ કહ્યા છે || ૧૧૪ || ટીકાર્થ: સામ્ય વગર ધ્યાન નથી અને ધ્યાન વગર સામ્ય નથી. એ પ્રમાણે તો એકનો આશ્રય બીજો અને બીજાનો આશ્રય પહેલો થશે ? ના” એમ નથી, સામ્ય વગર ધ્યાન થઈ શકે, પણ સ્થિરતાવાળું ન થાય. આ કારણે ઇતરેતરાશ્રય દોષનો અભાવ છે. એમ હોવાથી આ બંને એકબીજાના કારણપણે રહેલા છે. || ૧૧૪ || સામ્યની વ્યાખ્યા પહેલાં સમજાવી ગયા છીએ હવે ધ્યાનના સ્વરૂપની વ્યાખ્યા કરે છે– ४४१ मुहूर्तान्तर्मन:स्थैर्य ध्यानं छद्मस्थयोगिनाम् । धर्म्यं शुक्लं च तद् द्वेधा, योगरोधस्त्वयोगिनाम् ॥ ११५ ॥ અર્થ : એક અંતમુહર્ત જેટલી મનની સ્થિરતા પ્રાપ્ત થાય, તે છદ્મસ્થ યોગીઓનું ધ્યાન, ધર્મ અને શુકલના ભેદથી બે પ્રકારનું છે. અયોગી કેવલી ભગવંતને યોગનિરોધ રૂપ ધ્યાન હોય છે. // ૧૧૫ // ટીકાર્થ : છદ્મસ્થ યોગીઓને અંતર્મુહૂર્ત કાળ સુધી જે મનની સ્થિરતા રહેવી, તે ધ્યાન કહેવાય. તે ધ્યાનના બે પ્રકાર છે. એક ધર્મધ્યાન અને બીજુ શુક્લધ્યાન અને અયોગીઓને તો યોગનો નિરોધ એ ધ્યાન હોય છે. અહિં ધ્યાન કરનારા બે પ્રકારના હોય છે. એક યોગવાળા અને બીજા યોગ વગરના અયોગીઓ. યોગવાળા પણ બે પ્રકારના, છબસ્થો અને કેવલીઓ, તેમાં છદ્મસ્થ યોગીઓના ધ્યાનનું આ લક્ષણ છે. અંતર્મુહૂર્ત કાળ સુધી એક આલંબનમાં ચિત્તની સ્થિતિ. એકાગ્રતાપૂર્વક ચિત્તનો નિરોધ અંતર્મુહૂર્તકાળ સુધી કરવો તેનું નામ ધ્યાન, તે ધ્યાન છબસ્થ યોગીઓને બે પ્રકારનું હોય. ધર્મ-ધ્યાન અને શુકલ ધ્યાન. તેમાં દશ પ્રકારના ધર્મથી યુક્ત અથવા ધર્મ વડે પ્રાપ્ત કરવા યોગ્ય, તે ધર્મ-ધ્યાન, સમગ્ર કર્મ-મળના ક્ષયનું કારણ હોવાથી શુક્લ, ઉજ્જવળ, પવિત્ર, નિર્મળ, તે શુક્લધ્યાન, અથવા શુક્લનો બીજા પ્રકારે અર્થ સમજાવે છે. – ૩ અથવા તેના કારણભૂત આઠ પ્રકારનાં કર્મ, વ્ર = શોકને વર્તમતિ = Page #495 -------------------------------------------------------------------------- ________________ ४४४ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નાશ કરે તે શુક્લ, સંયોગી કેવલીઓને તો મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરવો-નિગ્રહ કરવો અર્થાતુ, યોગો રોકવા રૂપ ધ્યાન સમજવું. સયોગી કેવલીઓને તો યોગ-નિરોધ-સમયે જ ધ્યાનનો સંભવ છે, તેથી જુદુ ન જણાવ્યું. તેઓ તો કંઈક ન્યૂન પૂર્વકોટી સુધી મન, વચન અને કાયાના યોગ-વ્યાપારયુક્ત જ વિચરે છે. નિર્વાણ - સમયે યોગ - નિરોધ કરે છે. || ૧૧૫ . શંકા કરી કે, “છબસ્થ યોગીઓને જો અંતર્મુહૂર્ત કાળ ધ્યાનની એકાગ્રતા રહે, તો ત્યાર પછી શું થાય?' તે કહે છે– ४४२ मुहूर्तात्परतश्चिन्ता, यद्वा ध्यानान्तरं भवेत् । बह्वार्थसंक्रमे तु स्याद् दीर्घाऽपि ध्यानसंततिः ॥ ११६ ॥ અર્થ: એક અંતર્મુહૂર્ત બાદ ચિંતવન અથવા અન્ય આલંબનનું ધ્યાન થાય છે. તથા અનેક પદાર્થોના ચિંતનથી ધ્યાનની પરંપરા દીર્ધકાળ પર્યત પણ રહે છે. // ૧૧૬ || ટીકાર્થ : એક પદાર્થમાં મુહૂર્તકાળ ધ્યાન ટકી રહ્યા પછી ચિંતા થાય, અગર બીજા પદાર્થનું આલંબન કરે, પરંતુ એક પદાર્થમાં મુહૂર્તકાળથી વધારે ધ્યાન ન હોય, કારણ કે તેનો તેવા પ્રકારનો સ્વભાવ છે. એવી રીતે એક અર્થથી બીજા અર્થનું આલંબન કરે, વળી ત્રીજા પદાર્થનું આલંબન લઈ ધ્યાન કરે, એમ ચોથાનું, એવી રીતે લાંબા કાળ સુધી ધ્યાનની શ્રેણિ ચાલુ રહે. મુહુર્તકાળ પછી પ્રથમ ધ્યાન સમાપ્ત થયા પછી બીજા અર્થનું આલંબન કરે-એવી રીતે ધ્યાનની વૃદ્ધિ કરવા માટે ભાવના ભાવવી. || ૧૧૬ || તે જ વાત કહે છે– મૈત્રી આદિ ચાર ભાવનાઓ ४४३ मैत्रीप्रमोदकारूण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्म्यध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ११७ ॥ અર્થ : હવે મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ કહે છે : મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થભાવનાને આત્મામાં સ્થાપન કરવી, કેમ કે ભાવનાઓ ધર્મધ્યાનને અખંડ રાખવાનું રસાયણ છે. ટીકાર્થ : ધર્મધ્યાન તૂટી જતું હોય તો તેને સાંધવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના વચમાં જોડી દેવી, કારણકે, જરાથી જર્જરિત શરીરવાળાને રસાયન ઉપકાર કરનાર થાય, એમ મૈત્રી આદિ ભાવનાઓ ધ્યાન માટે રસાયણરૂપ છે. બિમિકાબૂ નેદને (મિ) મેતિ-તિસ્થતિ રૂત્તિ મિત્રમ, એટલે સ્નેહ કરે તે મિત્ર, તેનો ભાવ તે મૈત્રી, જગતના તમામ જીવ સંબંધી સ્નેહ-પરિણામ કરવા, તે મૈત્રી (૧), પોતાના કરતાં અધિક ગુણવાળાઓ ઉપર પ્રસન્નતા રાખવી, મુખનો ચેહરો પ્રફુલ્લ રાખવો, તેમના પ્રત્યે હૃદયમાં ભક્તિ - અનુરાગ પ્રગટાવવો, તે પ્રમોદ (૨), દીન, દુઃખી, અનાથ, અપંગ, અશરણ જીવો પ્રત્યે કરુણા કરવી, તે કારુણ્ય અથવા અનુકંપા (૩), રાગ-દ્વેષના મધ્યભાગમાં રહેલો તે મધ્યસ્થ અર્થાત્ રાગ-દ્વેષ વગરની વૃત્તિવાળો, તેનો ભાવ તે માધ્યશ્મ કે ઉપેક્ષા. તે ચારે ભાવનાઓને આત્મા વિષે જોડે, શા માટે ? ધર્મધ્યાન તૂટી જતું હોય તો બીજા ધ્યાન સાથે સંધાન કરવા માટે, જેમ વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલા નિર્બળ શરીરને રસાયન-ઔષધ તાકાત આપે છે, તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તૂટતા ધર્મ ધ્યાનને ટેકો આપી ઉપકાર કરે છે. // ૧૧૭ | Page #496 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૧૬-૧૨૦ ૪૪૫ તે ચાર ભાવના પૈકી પ્રથમ મૈત્રીનું સ્વરૂપ કહે છે – ४४४ मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥ ११८ ॥ અર્થ : “જગતના કોઈપણ જીવ પાપાચરણ ન કરો અને કોઈપણ આત્મા દુઃખી ન થાઓ, આ આખું ય વિશ્વ મુક્ત થાઓ – મોક્ષને મેળવો” આવી બુદ્ધિને મૈત્રી કહે છે ! ૧૧૮ || ટીકાર્થ : “જગતના કોઈ પણ પ્રાણી પાપો ન કરો, તેમ જ કોઈ પણ દુઃખી ન થાઓ, જગતના તમામ જીવો સંસારમાંથી છૂટી મુક્તિ સુખ પામો” આવા પ્રકારની મતિ ભાવના તે મૈત્રી કહેવાય. ઉપકારી કે અપકારી કોઈપણ દુઃખના કારણભૂત પાપો ન કરો. પાપો કરવાનો નિષેધ કરવાથી કોઈ પણ દુઃખી ન થાઓ, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક એમ ચારે ગતિના પર્યાયોને પામનારા જગતના એકેએક પ્રાણી સંસારદુઃખથી કાયમના મુક્ત બની મોક્ષ સુખ પ્રાપ્ત કરો. કહેલા સ્વરૂપવાળી મતિ તે મૈત્રી કહેવાય છે. કોઈ એકનો મિત્ર હોય તે મિત્ર નથી. એમ તો હિંસક વાઘ આદિને પણ પોતના બચ્ચાં ઉપર મૈત્રી હોય છે, માટે સમગ્ર પ્રાણી-વિષયક મૈત્રી જાણવી. એવી રીતે અપકારી પ્રાણીઓ પ્રત્યે પણ મિત્રતા રાખી, મન,વચન અને કાયા વડે જેમના ઉપર મેં અપકાર કર્યો હોય, તેમને સર્વને હું નમાવું છું. આ મૈત્રી ભાવના. || ૧૧૮ છે. હવે પ્રમોદ-ભાવનાનું સ્વરૂપ કહે છે– ४४५ अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । Thપુ પક્ષપાત યઃ સ પ્રમોઃ પ્રર્તિતઃ છે ૨૨ છે. અર્થ : સર્વદોષોને દૂર કરનારા તથા સઘળા પદાર્થના સ્વરૂપને જોનારા ગુણવાન પુરૂષોના ગુણોનો પક્ષપાત કરવો, તેને પ્રમોદ કહ્યો છે. || ૧૧૯ || ટીકાર્થઃ પ્રાણી વધાદિક સર્વ દોષો દૂર કર્યા હોય, પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણવાના સ્વભાવવાળા હોય, આમ બે વસ્તુ કહીને જ્ઞાન અને ક્રિયા બંને સંયુક્ત હોય, તેને મોક્ષહેતુ કહેલો છે. પુષ્યકાર ભગવંતે ના-વિશ્વરિયાદિ મોવલ્લો' – જ્ઞાન અને ક્રિયાથી બંનેથી મોક્ષ થાય છે. આવા પ્રકારના ગુણવંત મુનિઓના લાયોપશિમકાદિ આત્મિક ગુણો તથા શમ, દમ - ઈન્દ્રિયોનું દમન, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્યાદિ ગુણોમાં જે પક્ષપાત કરવો, તેઓ પ્રત્યે વિનય, વંદન, સ્તુતિ, ગુણાનુવાદ, વેયાવચ્ચ આદિ કરવા વડે અને બીજાએ અને પોતે કે બંનેએ કરેલી પૂજાથી ઉત્પન્ન થએલો, સર્વ ઈન્દ્રિયોથી પ્રગટ થતો મનનો ઉલ્લાસ, તે પ્રમોદ કહેલો છે. || ૧૧૯ | પ્રમોદભાવના કહી, હવે કારુણ્યભાવનાનું સ્વરૂપ કહે છે– ४४६ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥ १२० ॥ અર્થ : દીન-દુઃખી, ભયભીત અને જીવનની યાચના કરનાર જીવોના દુઃખોના પ્રતિકારમાં પરાયણ બુદ્ધિને કરૂણા કહેવાય છે. / ૧૨૦ || ટીકાર્થ : દીન, દુઃખી, ભય પામેલા, જીવિતની યાચના કરનારાઓ ઉપર તેમનાં દુઃખ દૂર કરવાની Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ - બુદ્ધિ કારુણ્ય-ભાવના કહેવાય. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 44 મતિ - શ્રુતઅજ્ઞાન-વિભંગજ્ઞાનના બળથી ખોટાં હિંસક શાસ્ત્રોની રચના કરી પોતે તો સંસારમાં ડૂબે છે અને બીજા અનુયાયીઓને પણ ડૂબાડનારા થાય છે. તે બિચારા દયાનું સ્થાન હોવાથી દીન, તથા નવા નવા વિષયો ઉપાર્જન કરનારા, પૂર્વે ઉપાર્જન કરેલા વિષયોને ભોગવવાની તૃષ્ણા, તે રૂપ અગ્નિમાં બળી જળી રહેલા દુ:ખીઓ, હિત-પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવાને બદલે વિપરીત વર્તન કરનારા, ધન ઉપાર્જન કરવું, રક્ષણ કરવું, ભોગમાં ખરચવું કે નાશ થઈ જાય તેથી પીડાવાળા દુઃખીઓ વિષે, તથા વિવિધ દુ:ખથી પીડાતા અનાથ, શંક, બાળક, વૃદ્ધ, સેવકો તથા સર્વથી ભય પામતા તેમના વિષે, વૈરિઓથી પરાભવ પામેલા, રોગોથી સબડતા હોય, મૃત્યુના મુખમાં સૂતેલા સરખા જીવિતની યાચના - પ્રાર્થના કરતા હોય, પ્રાણોનું રક્ષણ માગતા હોય, આવા પ્રકારના દિનાદીક. જેઓ કુશાસ્ત્રો રચનારાઓ હોય, તે બિચારા ખોટા ધર્મની સ્થાપના કરી કેવી રીતે દુઃખથી છૂટશે ? ભગવાન મહાવીર સરખા પણ મરીચિના ભવમાં ઉન્માર્ગની દેશનાથી કોટાકોટી સાગરોપમ કાળ સુધી ભવમાં ભટક્યા, તો પછી પોતાના પાપની પ્રતિકારશક્તિ વગરના બીજાઓની કઈ વલે થશે ? વિષયો પેદા કરવા, ભોગવવા અને તેમાં જ તલ્લીન હૃદયવાળા, અનંતા ભવમાં અનુભવેલા વિષયોમાં હજુ પણ અતૃપ્ત મનવાળા ભવાભિનંદી આત્માઓને પ્રશમ-અમૃતથી તૃપ્ત બનાવી વીતરાગદશા કેવી રીતે પમાડવી ? બાળ, વૃદ્ધાદિકો પણ વિવિધ ભયના કારણથી ભયભીત માનસવાળા બનેલાને એકાંતિક આત્યંતિક ભય-વિયોગના અધિકારી કેવી રીતે બનાવવા ? તથા મત્યુમુખમાં સૂતેલા, પોતાના ધન, સ્ત્રી, પુત્રાદિકના વિયોગને સન્મુખ દેખતા મરણાંતિક વેદના અનુભવતા પ્રાણીઓને સકલ ભયથી રહિત જિનેશ્વરનાં વચનામૃતનો છંટકાવ કરી કેવી રીતે જન્મ, જરા, મૃત્યુ વગરના નિર્ભય સ્થાનને પમાડું ? આ પ્રકારે દુઃખના પ્રતિકાર કરનારી બુદ્ધિ કરવી, સાક્ષાત્ દુઃખનો પ્રતિકાર કરવો એમ નહિ, કારણ કે સર્વજીવોને વિષે દુઃખનો પ્રતિકાર કરવો અશક્ય છે. આવા પ્રકારની બુદ્ધિને કારુણ્ય-ભાવના કહેલી છે. જે અશક્ય પ્રતિકાર વિષયવાળી બુદ્ધની કરુણા-સર્વ જંતુઓને સંસારથી મુક્ત કરી પછી હું મોક્ષે જઈશ.' તે વાસ્તવિક કરુણા નથી,પણ માત્ર વાણીનો વિલાસ છે. સંસારીઓએ એ પ્રમાણે કરવું શક્ય નથી, તેમ મુક્તિમાં મારે પહોંચાડવા, તે કાર્ય પણ પોતાના માટે અશક્ય જ છે. એક તો સંસાર ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે અને સર્વ સંસારીઓને મુક્તિનો અભાવ છે, માટે આ તો માત્ર ભદ્રિક જીવોને છેતરનારું સૌગતોનું-બુદ્ધનું કારુણ્ય સમજવુ. ઉપર પ્રમાણે જણાવેલી કરુણા કરતો હિતોપદેશ આપે, દેશ અને કાળની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, દવા આપી તેવાઓના ઉપર ઉપકાર કરે છે. ॥ ૧૨૦ હવે માધ્યસ્થ-ભાવનાનું સ્વરૂપ કહે છેઃ— ४४७ क्रूरकर्मसु निःशङ्कं, देवतागुरुनिन्दिषु 1 आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १२१ ॥ અર્થ : નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ-ગુરની નિંદા કરનારા અને આત્માની પ્રશંસા કરનારા જીવોની ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થ કહ્યું છે. ॥ ૧૨૧ ॥ ટીકાર્થ : નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ અને ગુરુઓની નિંદા કરનારા, આત્મપ્રશંસા કરનારા એવા જીવો તરફ જે ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થ-ભાવના કહેલી છે Page #498 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૨૧-૧૨૩ ४४७ અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરનારા, મદિરાદિનું પાન કરનારા, પરસ્ત્રી-સેવન આદિ ન સેવવા યોગ્યનું સેવન કરનારા, ઋષિહત્યા, બાળહત્યા, સ્ત્રી હત્યા, ગર્ભહત્યા આદિ કૂરકાર્ય કરનારા અને વળી પાપનો ભય ન રાખનારા હોય, તેવા પણ કેટલીક વખત પાપ કર્યા બદલ પશ્ચાત્તાપ પામી સંવેગ પામનારા હોય છે, તો તેઓ ઉપેક્ષા કરવા લાયક નથી. માટે કહે છે કે ચોત્રીશ અતિશયવાળા વીતરાગદેવો, તેમને કહેલાં અનુષ્ઠાનોનું પાલન કરનારા અને ઉપદેશ કરનારા તેવા ગુરુ મહારાજની રાગ, દ્વેષ, અજ્ઞાન અને પહેલાના ભરમાવેલાપણાથી નિંદા કરનારાઓને વિષે તેવા પ્રકારના હોવા છતાં કોઈ પ્રકારે વૈરાગ્યદશા પામેલા. હોય, આત્મદોષ દેખનારા હોય, તે ઉપેક્ષા કરવા લાયક નથી, માટે કહે છે કે, સદોષવાળા હોવા છતાં પોતાના આત્માની પ્રશંસા કરનારા-પોતાના આત્માને સારો માનનારા હોય તેવાઓને વિષે મગરોલિયો પત્થર પુષ્કરાવર્ત મેઘથી પલાળી શકાતો નથી, તેમ ક્રૂર કર્મ કરનારા, દેવતા અને ગુરુઓની નિંદા કરનારા આત્મ-પ્રશંસકોને ઉપદેશ આપી માર્ગે લાવવા અશક્ય છે, તેથી તેવાઓ પ્રત્યે ઉપેક્ષા-માધ્યDભાવના રાખવી. || ૧૨૧ || જે કહેલું હતું કે, ધર્મધ્યાનને ટેકો આપવા માટે - તેનું વિવેચન કરે છે– ४४८ आत्मानं भावयन्नाभि-र्भावनाभिर्महामतिः । त्रुटितामपि संधत्ते विशुद्धध्यानसंततिम् ॥ १२२ ॥ અર્થ : મહાબુદ્ધિવાન આત્મા આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતો તૂટેલી વિશુદ્ધ ધ્યાનની પરંપરાને સાધે છે, અખંડ બનાવે છે. મેં ૧૨૨ / ટીકાર્થ : મૈત્રી આદિ આ ભાવનાઓ વડે આત્માને વિચારતો મહામતિવાળો ઉત્તમ આત્મા તૂટેલી વિશુદ્ધ-ધ્યાન શ્રેણીને જોડી દે છે. || ૧૨૨ || ધ્યાન સાધવા માટે કેવા પ્રકારના સ્થાનની જરૂર રહે તે કહે છે– ___ ४४९ तीर्थं वा स्वस्थताहेतुं, यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी, विविक्तं स्थानमाश्रयेत् ॥ १२३ ॥ અર્થ: આસનોના અભ્યાસને સાધનારા યોગીપુરુષે તીર્થ અથવા સ્વસ્થતાના કારણભૂત ગુફા આદિ વિજન સ્થાનનો આશ્રય કરવો. || ૧૨૩ // ટીકાર્થ : તીર્થકર ભગવંતોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણરૂપ કલ્યાણકભૂમિઓ, તેવા સ્થાનના અભાવમાં મનની શાંતિ રહે તેવા પર્વતની ગુફા વિગેરે સ્ત્રી, પશ, નપુંસકાદિથી રહિત સ્થાન ધ્યાન કરવા માટે પસંદ કરે છે. કહેલું છે કે – “પતિઓ માટે હંમેશા યુવતિ, પશુ, નપુંસક, કુશીલ આદિથી રહિત એકાંત સ્થાનનો આશ્રય કરવાનું કહેવું છે” અને વિશેષથી તો ધ્યાનકાળમાં તેવા સ્થાનનો આશ્રય કરવો. જેઓએ પોતાના યોગો સ્થિર કરેલા હોય અને જેમનું ધ્યાનમાં મન નિશ્ચલ હોય, તેવા મુનિઓને વસતિવાળા ગામમાં કે શૂન્ય અરણ્યમાં કશો તફાવત નથી. તેથી ધ્યાન કરનારે જ્યાં સમાધિ રહે અને મન, વચન તથા કાયાના યોગોની એકાગ્રતા રહે તો, ભૂત અને પ્રાણીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં ધ્યાન કરવું.” સ્થાન પ્રાપ્ત થાય, તે કાળ ધ્યાન માટે કહેલો છે. ધ્યાન કરનાર માટે દિવસ કે રાત્રિનો કોઈ નિયમિત કાળ ગણેલો નથી. ધ્યાનની સિદ્ધિ માટે યોગી યોગ્ય એકાંત સ્થાનનો આશ્રય કરે છે. કેવા પ્રકારનો યોગી? આગળ જેનાં લક્ષણો કહીશું, તેવા કાયાનાં વિશિષ્ટ આસનો કરવાના અભ્યાસવાળો યોગી વિવિક્ત Page #499 -------------------------------------------------------------------------- ________________ ४४८ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ (એકાંત) સ્થાનનો આશ્રય કરે, તે સંબંધ સમજી લેવો. / ૧૨૩ || હવે આસનોને કહે છે– ४५० पर्यङ्कवीरवज्राब्ज-भद्रदण्डासनानि च । उत्कटिका गोदोहिका कायोत्सर्गस्तथासनम् ॥ १२४ ॥ અર્થ : પર્યકાસન-વીરાસન-વજાસન-કમળાસન-ભદ્રાસન-દંડાસન-ઉત્કટિકાસન-ગોદોતિકાસન અને કાયોત્સર્ગાસન || ૧૨૪ || ટીકાર્થ : ૧, પર્યકાસન, ૨. વીરાસન, ૩. વજાસન, ૪. કમળાસન, ૫. ભદ્રાસન, ૬. દંડાસન, ૭. ઉત્કટિકાસન, ૮. ગોદોહિકાસન, ૯. કાયોત્સર્ગાસન. આ નામના આસનો કહેલાં છે. | ૧૨૪ / ક્રમપૂર્વક દરેક આસનોની વ્યાખ્યા સમજાવે છે– ४५१ स्याज्जङ्घयोरधोभागे, पादोपरि कृते सति । પર્વ નિમિત્તાન-ફિત્તરપાવિક છે. ૨૨૧ છે અર્થ : બે સાથળનો નીચેના ભાગ પગ ઉપર સ્થાપન કરીને નાભિની નજીકમાં જમણો-ડાબો હાથ ક્રમસર ચત્તો રાખવો તેને પર્યકાસન કહેવાય || ૧૨૫ | ટીકાર્થ : જંધાના નીચેના ભાગમાં એટલે ઢીંચણ પાસે બે પગની ગોઠવણી કર્યા પછી નાભિ પાસે ડાબો હાથ જમણા ઉપર ચત્તો રાખવો, તે પર્યકાસન કહેવાય. શાશ્વત પ્રતિમાઓને અને શ્રી મહાવીર ભગવંતના નિર્વાણ સમયે જે પ્રમાણે પર્યકાસન હતું, તે પ્રમાણે આપણે સમજવું. પાતંજલો જાન હાથને લાંબા કરી સૂવું તેને પર્યક કહે છે. // ૧૨૫ / હવે વીરાસન કહે છે४५२ वामोऽर्हिर्दक्षिणोरूर्ध्वं वामोरूपरि दक्षिणः । क्रियते यत्र तद्वीरोचितं वीरासनं स्मृतम् ॥ १२६ ॥ અર્થ : ડાબો પગ જમણા સાથળ ઉપર અને જમણો પગ ડાબા સાથળ ઉપર સ્થાપન કરવો તે વીરપુરુષોને ઉચિત વીરાસન કહેવાય || ૧૨૬ || ટીકાર્થ : ડાબો પગ જમણા સાથળ ઉપર અને ડાબા સાથળ ઉપર જમણો પગ જેમાં કરાય, તે તીર્થકર આદિ વીર પુરુષોને ઉચિત હોવાથી વીરાસન. કાયરોને આ આસન ન હોય. બે હાથ આગળ સ્થાપન કરવાના છે, તે પર્યકાસન માફક સ્થાપન કરવા. કેટલાકો આને પદ્માસન પણ કહે છે. એક સાથળ ઉપર એક પગ આરોપણ કરવામાં અર્ધપદ્માસન કહેવાય. || ૧૨૬ / વજાસન કહે છે– ४५३ पृष्ठे वज्राकृतीभूते दोर्ध्या वीरासने सति । गुह्णीयात् पादयोर्यत्रा-ङ्गष्ठौ वज्रासनं तु तत् ॥ १२७ ॥ અર્થ : ઉપર જણાવેલ વીરાસન કર્યા બાદ પીઠના સ્થાનથી વજાકારે રહેલા બે હાથથી બેય પગના Page #500 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૨૪-૧૩૦ ૪૪૯ અંગુઠાને જેમાં ગ્રહણ કરાય તેને વજાસન કહેવાય || ૧૨૭ / ટીકાર્થ : પૂર્વ બતાવેલી રીત પ્રમાણે વીરાસન કર્યા પછી વજની આકૃતિ માફક પાછળ બંને હાથ રાખી તે વડે બંને પગના અંગુઠા પકડવા અર્થાત્ પીઠ પાછળ હાથ કરી વીરાસન પર રહેલા ડાબા પગના અંગુઠાને ડાબા હાથથી અને જમણા પગના અંગુઠાને જમણા હાથથી પકડવા, તેને વજાસન કહે છે. કેટલાક તેને વેતાલાસન કહે છે, સંતાતરે વીરાસન કહે છે / ૧૨૭ II ४५४ सिंहासनाधिरूढस्या-सनापनयने सति । तथैवावस्थितिर्या-तामन्ये वीरासनं विदुः ॥ १२८ ॥ અર્થ : સિંહાસન ઉપર ચડેલાને આસન દૂર કર્યા બાદ જે સ્થિતિ રહે, તેને બીજા મતકારો વીરાસન કહે છે || ૧૨૮ || ટીકાર્થ : સિંહાસન કે ખુરશી ઉપર બેઠેલા હોય, પગ નીચે ભૂમિને સ્પર્શતા હોય, ત્યાર પછી કોઈક સિંહાસન કે ખુરશી ખેંચી લે અને જે સ્થિતિ સિંહાસનના ટેકા વગરની હોય, તે પ્રમાણે રહેવું, તે વીરાસન. સિદ્ધાન્તકારો કાયક્લેશ નામના તપના પ્રકરણમાં આ આસન જણાવે છે. પાતંજલો વીરાસનની વ્યાખ્યામાં એક પગ ઉપર ઉભા રહીને, બીજો પગ વાંકો વાળી અદ્ધર રાખવો તે કહે છે. || ૧૨૮ | પદ્માસન કહે છે– ४५५ जङ्घाया मध्यभागे तु, संश्लेषो यत्र जङ्घया । पद्मासनमिति प्रोक्तं तदासनविचक्षणैः ॥ १२९ ॥ અર્થ : જેમાં ડાબી જંધાને જમણી જંઘા સાથે ભેગી કરવી તેને આસનના જાણકાર પુરૂષો પાસન કહે છે. || ૧૨૯ |. ટીકાર્થ : એક જંઘાના મધ્યભાગમાં બીજી જંઘા વડે જ સંશ્લેષ કરવો, તેને આસનના જાણકારો પદ્માસન કહે છે || ૧૨૯ છે. ભદ્રાસન કહે છે– ४५६ संपुटीकृत्य मुष्काग्रे, तलपादौ तथोपरि ।। पाणिकच्छपिकां कुर्या-द्यत्र भद्रासनं तु तत् ॥ १३० ॥ અર્થ : જેમાં પગના તળિયાને મુશ્કેની આગળ સંપૂટ કરીને તેની ઉપર હાથના આંગળા એકબીજામાં ગોઠવવા તેને ભદ્રાસન કહેવાય છે ૧૩૦ || ટીકાર્થ : પગના બંને તળિયાં સામ-સામાં એકઠાં કરી અંડકોશ આગળ રાખી પગના તળીયા પર બંને હાથના આંગળાં એક-બીજામાં ભીડાવી ગોઠવવાં, તે ભદ્રાસન કહેવાય. પાતંજલ ભદ્રાસનનું લક્ષણ આ પ્રમાણે કહે છે - પગનાં તળિયાને વૃષણની સમીપમાં સંપટરૂપ બનાવીને તેના ઉપર બે હાથને આંગળીઓ માંહોમાંહે રાખી ગોઠવીને રાખવા. તે ૧૩૦ || દંડાસન કહે છે Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ યોગશાસ્ત્રનો ગુરાનુવાદ ४५७ श्लिष्टाङ्गुली श्लिष्टगुल्फौ, भूश्लिष्टोरू, प्रसारयेत् । यत्रोपविश्य पादौ तद् दण्डासनमुदीरितम् ॥ १३१ ॥ અર્થ : જેમાં ભૂમિ ઉપર બેસીને આંગળીઓ, બે ઢીંચણ અને બે સાથળયુક્ત પગને પહોળા કરવા, તેને દંડાસન કહ્યું છે કે ૧૩૧ / ટીકાર્થ : પગની અંગુલીઓ એકઠી રાખી ઘુંટીઓ એકઠી રાખી ભૂમિને સ્પર્શ કરે, તેમ સાથે બેસીને પગ લાંબા કરે, તે દંડાસન કહેવાય. પાતંજલ આ પ્રમાણે કહે છે– બેસીને આંગળીઓ જોડાએલી રહે, ઘુંટીઓ પણ જોડેલી હોય, સાથળ ભૂમિને સ્પર્શ કરતા હોય, પગ લાંબા કરે, તેવા દંડાસનનો અભ્યાસ કરો. / ૧૩૧ || હવે ઉત્કટિકાસન અને ગોદોહિકાસન કહે છે– ४५७ पुतपाÓिसमायोगे प्राहुरुत्कटिकासनम् पार्ष्णभ्यां भुवस्त्यागे तत्स्याद्गोदोहिकासनम् ॥ १३२ ॥ અર્થ : પુત્ત(કુલા) અને પાનીના સંયોગથી ઉત્કટિકાસન થાય એમ કહ્યું છે તથા પાની દ્વારા ભૂમિનો ત્યાગ કરવો તે ગોદોતિકાસન થાય / ૧૩૨ // ટીકાર્થ : કેડની નીચેના કુલાઓને પગની પાની સાથે નીચે ભૂમિ ઉપર અડકાવીને રાખવા, તે ઉત્કટિકાસન કહેવાય, જે આસનમાં પ્રભુ મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કહેલું છે કે “ભિકા બહાર ઋજુવાલિકા નદીના કિનારે વૈશાખ શુદિ દશમીના દિવસે ત્રીજા પહોરે છ૪તપમાં શાલવૃક્ષ નીચે ઉત્કટિકાસને રહેલા હતા, ત્યારે કેવલજ્ઞાન થયું” એ જ આસનમાં બે પાનીઓ ભૂમિનો ત્યાગ કરે અને ગાય દોહનાર જે આસને બેસે, તે પ્રમાણેનું આસન ગોદોતિકાસન કહેવાય છે. પ્રતિમાકલ્પી મુનિઓએ આ આસન કરવાનું હોય છે. / ૧૩૨ || હવે કાયોત્સર્ગ કહે છે– ४५९ प्रलम्बितभुजद्वन्द्व-मूर्ध्वस्थस्यासितस्य वा । स्थानं कायानपेक्षं, यत् कायोत्सर्गः, स कीर्तितः ॥ १३३ ॥ અર્થ : બે હાથ લાંબા લટકતા રાખીને ઊભા, બેઠા કે સૂતાં કાયાની દરકાર વિનાના થવું તે કાયોત્સર્ગાસન છે. તે ૧૩૩ / ટીકાર્થ : ઊભા, બેઠાં કે સૂતાં બે હાથ લાંબા લટકતા રાખીને, કાયાની દરકાર વગરના રહેવું તે કાયોત્સર્ગાસન. જિનકલ્પીઓ તથા છદ્મસ્થ તીર્થકરોને આ આસન હોય છે. તેઓ ઉભા ઉભા જ કાયોત્સર્ગ કરે છે. સ્થવિરકલ્પીઓ તો ઉભા, બેઠાં અને ઉપલક્ષણથી સૂતા સૂતા જેમ સમાધિ ટકે તેમ યથાશક્તિ કાયોત્સર્ગ કરે. એ પ્રમાણે સ્થાન, ધ્યાન, મૌનક્રિયા સાથે કાયાનો ત્યાગ, તે કાયોત્સર્ગ. અહીં જે આસનો બતાવ્યા તે તો દિશા માત્ર સમજવાં. આ સિવાય બીજાં પણ અનેક આસનો છે. તે આ પ્રમાણે- આમ્રના આકારપણે રહેવું તે આમ્રકુબ્બાસન. જેમ ભગવાન મહાવીર એકરાત્રિવાળી પ્રતિમા ધારણ કરીને રહેલા હતા, ત્યારે અધમ અસુર સંગમે વીશ ઉપસર્ગો કર્યા, તેને પ્રભુએ સમતા-પૂર્વક સહન કર્યા, તથા એક પડખે સૂઈ રહેવું તે ઉર્ધ્વમુખવાળાને, નીચા મુખવાળાને કે તિરસ્કૃ મુખવાળાને હોય છે. તથા દંડ માફક Page #502 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૩૧-૧૩૪ ૪૫૧ લાંબા સૂઈ જવું. શરીર સીધું કરેલું હોય અને બંને જંઘા તથા સાથળો લાંબા કરીને કે પહોળા કરીને સ્થિર રહેનારને હોય છે. તથા લંગડાશીયપણું તે કહેવાય છે, જેમાં મસ્તક અને બે પાનીઓ ભૂમિને સ્પર્શ કરે અને શરીર ભૂમિને અડકે નહિ. તથા સમસંસ્થાન, જે પાનીનો આગળનો ભાગ અને પગ વડે બંને વાળવા પૂર્વક પરસ્પર દબાવવું તે, તથા દુર્યોધાસન તે કહેવાય, જેમાં ભૂમિ પર મસ્તક સ્થાપન કરીને પગ ઊંચે રાખીને રહેવું, તે કપાલીકરણ એમ પણ કહેવાય છે. તે પ્રમાણે રહીને જો બે જંઘાનું પદ્માસન કરે, તો દંડપદ્માસન કહેવાય. તથા સ્વસ્તિકાસન તે કહેવાય, જેમાં ડાબો વાળેલો પગ જમણી જંઘાની વચ્ચે સ્થાપન કરે અને જમણો વાળેલો પગ ડાબી જંઘામાં વચ્ચે સ્થાપન કરે, યોગપટ્ટકના યોગથી જે થાય તે સોપાશ્રયાસન, તથા ક્રૌંચનિષદન, હંસ-નિષદન, ગરુડ-નિષદન આદિ આસનો, તે તે પક્ષીઓની બેઠક માફક બેસવું. તેવા આકારવાળા આસનો સમજવા. આ પ્રમાણે આસનનો વિધિ વ્યવસ્થિત નથી. // ૧૩૩ | ४६० जायते येन येनेह, विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥ १३४ ॥ અર્થ જે જે આદરેલા આસનથી મનની સ્થિરતા થાય, ધ્યાનના સાધનભૂત તે તે આસનનું સેવન કરવું. / ૧૩૪ / ટીકાર્થ: ચરબીવાળા કે ચરબી વગરના, બળવાળા કે બળ વગરના પુરુષોને જે જે આસન કરવાથી મનની સ્થિરતા થાય, તેવાં તેવાં આસનો કરવા, જે માટે કહેલું છે કે “શાન્ત કરેલ છે પાપો જેમણે એવા કર્મ-રહિત મુનિઓએ સર્વ પ્રકારના દેશમાં, કાળમાં અને ચેષ્ટામાં વર્તતા હતા ત્યારે ઉત્તમ કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, તેથી શાસ્ત્રમાં દેશ, કાળ અને ચેષ્ટા એટલે આસનનો નિયમ નથી. જે પ્રમાણે યોગોમાં સારૂ ટકે, તે પ્રમાણે પ્રયત્ન કરવો. આમ કહેવાથી આસનોનું કથન કરવું નિરર્થક નથી. (ધ્યાનશતક ૪૦-૪૧) પ્રતિમાકલ્પીઓને આસનો નિયમથી કરવાનું વિધાન છે તથા બાર ભિક્ષુ-પ્રતિમાઓની અંદર આઠમી પ્રતિમામાં પણ આસનનો નિયમ કહેલ છે, તે આ પ્રમાણે : ઊર્ધ્વમુખ એટલે ચત્તો અથવા પાસું વાળીને સુવે, અથવા સરખો બેસે કે સુવે- એ પ્રમાણે સૂતો, બેઠો કે ઉભો રહીને દેવોના, મનુષ્યોના કે તિર્યંચોના ઘોર ઉપસર્ગોને મન અને શરીરથી ચલાયમાન થયા સિવાય નિશ્ચલપણે સહન કરે. આઠમી પ્રતિમામાં આ પ્રમાણે સાત અહોરાત્ર પ્રમાણ કાળ ગાળી બીજી એટલે નવમી પ્રતિમા (જેમાં ચોથભક્ત તપને પારણે આયંબિલ અને ગામ વિગેરેની બહાર રહેવું ઈત્યાદિ) આઠમી માફક કરે. વિશેષ એટલો છે કે, આ પ્રતિમામાં ઉત્કટ એટલે મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-વાંસાથી અદ્ધર રહીને અથવા “લંગડ’ એટલે વાંકા લાકડાની જેમ કેવળ પીઠ-વાંસાના આધારે (મસ્તક, પગ જમીનને ન સ્પર્શે તેમ અથવા દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે, દશમીમાં આ પ્રમાણે-ત્રીજી એટલે દશમી પ્રતિમા પણ એ એના જેવી જ છે. માત્ર તેમાં બેસવાની રીત ગાયને દોહ્યાની જેમ પગનાં આંગળનાં આધારે ઉભડક બેસવાનું છે. અથવા વીરાસનથી એટલે સિંહાસન ઉપર પગ નીચે લટકતા રાખીને ખુરશી પર બેઠા પછી ખુરશી કે સિંહાસન ખેંચી લેવામાં આવે, છતાં એ જ પ્રમાણે બેસી રહે તેમ, અથવા આમ્ર-કેરીની જેમ વક્ર શરીરે બેસવાનું છે. એમાંથી કોઈપણ આસને આ પ્રતિમા વહન કરી શકાય. (પંચાશક ૧૮/૧૫-૧૭) || ૧૩૪ || હવે આસનો ધ્યાનમાં સાધન જે પ્રમાણે બને છે, તે બે શ્લોકોથી કહે છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ४६१ सुखासनसमासीनः, सुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो, दन्तैर्दन्तानसंस्पृशन् ॥ १३५ ॥ ४६२ प्रसन्नवदनः पूर्वा-भिमुखो वाप्युदगमुखः । अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥ અર્થ : સુખાસનમાં બેઠેલા, બે હોઠને બીડનારા, નાસિકાના - નાકના અગ્રભાગ ઉપર બે નેત્રોને સ્થાપન કરનાર, દાંતોથી દાંતને સ્પર્શ ન કરનાર, પ્રસન્ન મુખવાળા, પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ રહેલા, શુભ સંસ્થાનવાળા અને અપ્રમત્ત એવા ધ્યાન કરનાર પુરૂષે ધ્યાનયોગમાં ઉદ્યમવંત બનવું. [ ૧૩૫૧૩૬ || ટીકાર્થ : લાંબા સમય સુધી સમાધિથી બેસી રહેવાય, તેવા આસને બેસી, સારી રીતે ઓઇ-પલ્લવ જોડેલા રાખી, નાસિકાના અગ્રભાગ પર બંને દૃષ્ટિ સ્થાપન કરી, ઉપરના દાંતોને નીચેના દાંતોનો સ્પર્શ ન થાય તેવી રીતે દાંતોને રાખી, (પરસ્પર દાંતોનો સ્પર્શ કરવાથી મન અસ્થિર થાય છે) રજોગુણ અને તમોગુણ રહિત, ભૂકુટિના વિક્ષેપો વગરનું પ્રસન્ન મુખ રાખીને પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ બેસી અગર પ્રભુ-પ્રતિમા સન્મુખ બેસી “પ્રમાદ-રહિત' એમ કહેવાથી તેવો ધ્યાનનો મુખ્ય અધિકારી જણાવે છે, કહેલું છે કે- “અપ્રમત્ત સંયતને ધર્મધ્યાન હોય છે.” સરળ અથવા મેરુદંડ માફક શરીર નિશ્ચલ રાખી ધ્યાન કરવાનો ઉદ્યમ કરે. આ પ્રમાણે યતિ અને શ્રાવક વિષયક ધ્યાનસિદ્ધિના સાધનભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયનું કથન કર્યું, બીજું સમગ્ર ધ્યાનના ભેદો વિગેરે આગળના આઠ પ્રકાશો દ્વારા પ્રકટ કરેલ છે. || ૧૩૫૧૩૬ !! એ પ્રમાણે પરમહંત શ્રીકુમારપાલ મહારાજાને સાંભળવાની ઈચ્છા થવાથી આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય રચેલ, જેને “અધ્યાત્મ ઉપનિષદ્ નામનો પટ્ટબંધ થયો છે, પોતે રચેલા સ્વોપજ્ઞ વિવૃત્તિવાળા તે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશનો આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિએ કરેલો અનુવાદ પૂર્ણ થયો (૪) Page #504 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ પ્રાણાયામ : ૐ સર્વજ્ઞ પરમાત્મા શ્રી જિનેન્દ્ર ભગવંતને નમસ્કાર થાઓ. અહિં પાતંજલ આદિ અન્ય મતોના યોગાચાર્યોએ:- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ યોગનાં આઠ અંગો મોક્ષનાં અંગ તરીકે સ્વીકારેલાં છે. (પાતા. ૨/૨૯) પરંતુ જૈનદર્શનકારો વાસ્તવિક રીતે પ્રાણાયામને મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં સ્વીકારતા નથી. કારણ કે, તે અભ્યાસ વગર અસમાધિ કરાવનાર થાય છે. કહેવું છે કે :- અભિગ્રહ કરનાર પણ શ્વાસોચ્છવાસ રોકી શકતો નથી, તો પછી બીજી ચેષ્ટા કરનાર શ્વાસોચ્છવાસ કેવી રીતે રોકે? (હઠયોગના અભ્યાસ સિવાય તે રોકી શકાય નહિ) તેમ કરવાથી તત્કાલ મરણ થવાનો સંભવ છે. સૂક્ષ્મ ઉચ્છવાસ પણ શાસ્ત્રવિધિ પ્રમાણે જયણાપૂર્વક લેવો જોઈએ. (આ.નિ.૧૫૨૪) આમ હોવા છતાં પણ દેહ-આરોગ્ય, તેમજ કાલજ્ઞાનાદિકમાં પ્રાણાયામ ઉપયોગી હોવાથી અમે પણ અહિ તે વિષય કહીએ છીએ - ४६३ प्राणायामस्ततः कैश्चिद्, आश्रितो ध्यानसिद्धये । शक्यो नेतरथा कर्तुं, मनः-पवननिर्जयः ॥ १ ॥ ટીકાર્થ:- આસન-જય કર્યા પછી ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામનો પતંજલિ આદિ યોગાચાર્યોએ આશ્રય કરેલો છે. પ્રાણાયામ તે કહેવાય, જેમાં મુખ અને નાસિકાની અંદર ફરતા વાયુને સર્વ પ્રકારે રોકવો-તેની ગતિનો છેદ કરવો, એ પ્રમાણે કરવામાં ન આવે તો, મન અને પવનનો જય કરી શકાતો નથી. // ૧ // પ્રશ્ન કર્યો કે પ્રાણાયામથી પવનનો વિજય કરી શકાય, તે વાત સ્વીકારી લઈએ, પણ મનનો વિજય કેવી રીતે બને? તેના સમાધાનમાં જણાવે છે કે – ४६४ मनो यत्र मरुत्तत्र, मरुद्यत्र मनस्ततः । अतस्तुल्यक्रियावेतौ, संवीतौ क्षीरनीरवत् ॥ २ ॥ ટીકાર્થ-જ્યાં મન છે, ત્યાં પવન છે અને જ્યાં પવન છે, ત્યાં મન છે. આ કારણે સમાન ક્રિયાવાળા તે બંને દૂધ-પાણી ન્યાયે એક સાથે મળીને જ રહેનારા છે.ll ૨ /. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ સમાન ક્રિયા સમજાવે છે – ४६५ एकस्य नाशेऽन्यस्य स्यान्, नाशो वृत्तौ च वर्तनम् । ध्वस्तयोरिन्द्रियमति-ध्वंसान्मोक्षश्च जायते ॥ ३ ॥ ટીકાર્થ - મન અગર પવન બેમાંથી ગમે તે એકના નાશમાં બીજાનો નાશ થાય છે, એકની પ્રવૃત્તિ થાય, તો બીજાની પણ થવાની જ, મન અને પવનના વિનાશમાં ઈન્દ્રિય અને મતિનો નાશ થાય છે અને ઈન્દ્રિય અને મતિના નાશમાં મોક્ષ થાય છે. // ૩ /. પ્રાણાયામનું લક્ષણ તથા તેના ભેદો કહે છે४६६ प्राणायामो गतिच्छेदः, श्वास-प्रश्वासयोर्मतः । रेचकः पूरकश्चैव, कुम्भकश्चेति स त्रिधा ॥ ४ ॥ ટીકાર્થ-બહારના વાયુને ગ્રહણ કરવો, તે શ્વાસ, ઉદરના કોઠામાં રહેલા વાયુને બહાર કાઢવો, તે નિઃ શ્વાસ અગર પ્રશ્વાસ કહેવાય. તે બંનેની ગતિનો છેદ કરવો અર્થાત્ રોકવા, તે પ્રાણાયામ. તેના રેચક ૧., પૂરક ૨. અને કુંભક ૩. એવા ત્રણ પ્રકાર છે. | ૪ | બીજા આચાર્યોના મતે તેના સાત પ્રકારો જણાવે છે – ४६७ प्रत्याहारस्तथा शान्तः, उत्तरश्चाधरस्तथा एभिर्भेदैश्चतुर्भिस्तु, सप्तधा कीर्त्यते परैः ટીકાર્થ:- ઉપર કહેલા ત્રણ પ્રકાર સાથે પ્રત્યાહાર ૪, શાંત ૫, ઉત્તર ૬ અને અધર, આ ચાર મેળવતાં પ્રાણાયામના સાત પ્રકારો પણ કેટલાક કહે છે. // પી. હવે ક્રમસર દરેકનાં લક્ષણ કહે છે४६८ यत् कोष्ठादतियत्नेन, नासा-ब्रह्म-पुराननैः । बहिः प्रक्षेपणं वायोः, स रेचक इति स्मृतः ॥ ६ ॥ ટીકાર્થઃ-નાસિકા અને તાળવા પરના બ્રહ્મપ્ર વડે અને મુખવડે અતિ પ્રયત્નપૂર્વક કોઠામાંથી વાયુને બહાર ફેંકવો, તે રેચક પ્રાણાયામ કહેવાય. દા તથા - ४६९ समाकृष्य यदापानात्, पूरणं स तु पूरकः नाभिपद्मे स्थिरीकृत्य, रोधनं स तु कुम्भकः ॥ ७ ॥ ટીકાર્થ:- બહારના વાયુને ખેંચીને કોઠામાં ગુદા સુધી પૂરવો, તે પૂરક અને તેને નાભિ-કમળમાં કુંભ માફક સ્થિર કરવો, તે કુંભક કહેવાય. ૭ તથા - ૪૭૦ સ્થાનાત્ સ્થાનાન્તરોર્ષ, પ્રત્યાહાર: પ્રવર્તિતઃ | तालु-नासाऽऽननद्वारैह्व - निरोधः शान्त उच्यते ॥ ८ ॥ ટીકાર્થ:- નાભિ આદિ સ્થાનથી હૃદયાદિક બીજા સ્થાનમાં વાયુને ખેંચી જવો, તે પ્રત્યાહાર અને તાળવું, Page #506 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૧-૧૩ ૪૫૫ નાસિકા અને મુખના દ્વારો વડે વાયુને રોકવો તે શાંત. શાંત અને કુંભકમાં એટલો તફાવત સમજવો કે કુંભકમાં નાભિકમળમાં પવનને રોકવો પડે છે, જ્યારે શાંતમાં તેવો નિયમ નથી, પણ નીકળવાના દ્વારેથી પવનને રોકવો. | ૮ || તથા - ४७१ आपीयोर्ध्वं यदुत्कृष्य, हृदयादिषु धारणम् । उत्तरः स समाख्यातो, विपरीतस्ततोऽधरः ॥ ९ ॥ ટીકાર્થ - બહારના વાયુનું પાન કરીને ઊંચે ખેંચીને હૃદયાદિકમાં ધારણ કરવો તે ઉત્તર કહેવાય અને ઊર્ધ્વદિશાથી નીચે લઈ જવો તે અધર કહેવાય. શંકા કરી કે રેચક આદિકમાં પ્રાણાયામ કેવી રીતે સંભવે? કારણ કે પ્રાણાયામ તો શ્વાસ-પ્રશ્વાસની ગતિને રોકવા રૂપે છે, તેના સમાધાનમાં કહે છે કે, રેચકમાં કોઠાના વાયુને વિરેચન કરી બહાર નાસિકાના દ્વાર આગળ જ રોકવો, અંદર આકર્ષવો નહીં. તે જ શ્વાસ-પ્રશ્વાસની ગતિ વિચ્છેદરૂપ પ્રાણાયામ કહેવાય. તથા પૂરકમાં બહારના વાયુને ધીમે ધીમે ગ્રહણ કરીને કોઠામાં ધારણ કરવો, તેમાં પણ શ્વાસ-પ્રશ્વાસ રોકવો કે પૂરવો નહીં. એટલે ગતિવિચ્છેદ રૂપ પ્રાણાયામ થયો, તેવી જ રીતે કુંભકાદિકમાં પણ સમજવું. // ૯ // રેચક આદિનાં ફળો કહે છે - ४७२ रेचनादुदरव्याधेः, कफस्य च परिक्षयः पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते विकसत्याशु हत्पा, ग्रन्थिरन्तविभिद्यते વન-શૈર્યવિવૃદ્ધિ, મનાલ્ મવતિ પુરમ્ | ૨૨ | ४७४ प्रत्याहाराद् बलं कान्ति - र्दोषशान्तिश्च शान्ततः । उत्तराधरसेवातः, स्थिरता कुम्भकस्य तु ॥ १२ ॥ ટીકાર્થ: રેચક પ્રાણાયામથી ઉદરના વ્યાધિનો તથા કફ રોગનો નાશ થાય છે. પૂરકના યોગથી શરીર પુષ્ટ થાય છે, તેમ જ સર્વ વ્યાધિઓનો નાશ થાય છે. કુંભક પ્રાણાયામથી હૃદય-કમળ તત્કાલ વિકસ્વર થાય છે અને અંદરની ગાંઠ ભેદાય છે. શારીરિક બલની વૃદ્ધિ થાય છે, વાયુ સ્થિર રહી શકે છે. પ્રત્યાહાર પ્રાણાયામથી શરીરમાં બળ, કાંતિ, ઉત્પન્ન થાય છે. શાંત નામના પ્રાણાયામથી વાત, પિત્ત અને કફ અથવા ત્રિદોષ-સન્નિપાત તાવની શાંતિ થાય છે. ઉત્તર અને અધર પ્રાણાયામના સેવનથી કુંભકની સ્થિરતા થાય છે. ૧૦-૧૨ / આ પ્રાણાયામથી એકલા પ્રાણનો જય થાય છે, એમ નહીં, પરંતુ પાંચ પ્રકારના વાયુઓના જયના કારણભૂત છે, તે વાત કહે છે – ४७५ प्राणमपान-समानावुदानं व्यानमेव च प्राणायामैर्जयेत् स्थान-वर्ण-क्रियाऽर्थबीजवित् ॥ १३ ॥ ટીકાર્થ:- શ્વાસ નિઃ શ્વાસ આદિ ઘણો વ્યાપાર કરે તે પ્રાણવાયુ, મૂત્ર, વિષ્ટા, ગર્ભાદિકને બહાર લાવે તે અપાન વાયુ, ખાધેલા પીધેલા જળાદિક પદાર્થોને પરિપક્વ કરી, તેમાંથી ઉત્પન્ન થયેલા રસને યથાયોગ્ય સ્થાને પહોંચાડે તે સમાન વાયુ, રસાદિકને ઊંચે લઈ જનાર ઉદાનવાયુ, આખા શરીરમાં વ્યાપીને રહેનાર વ્યાનવાયુ, આ પાંચ વાયુનાં સ્થાનો, વર્ણ, ક્રિયા, અર્થ અને બીજને જાણનાર યોગી એ રેચકાદિ પ્રાણાયામોથી જય ४७३ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ મેળવે. ॥ ૧૩ II તેમાં પ્રાણનાં સ્થાનાદિ જણાવે છે – ४७६ प्राणो नासाग्रन्नाभि-पादाङ्गुष्ठान्तगो हरित् गमागमप्रयोगेण, तज्जयो धारणेन वा 1 ।। ૪ । ટીકાર્થ :- પ્રાણવાયુ નાસિકાના અગ્રભાગ પર હૃદયમાં, નાભિમાં અને પગના અંગૂઠા સુધી પ્રસરીને રહેલો છે. તેમાં જાય છે, તે સ્થાન. નવા ઉગેલા તૃણ સરખા લીલા વર્ણવાળો છે. રેચક અને પૂરક પ્રયોગ વડે ધારી રાખવાથી તેના પર જય મેળવી શકાય છે. અર્થ અને બીજ હવે કહીશું. ॥ ૧૪ ॥ હવે ગમાગમ પ્રયોગ, તથા ધારણ કહે છે – ४७७ नासादिस्थानयोगेन पूरणाद् रेचनान्मुहुः I गमागमप्रयोगः स्याद्, धारणं कुम्भनात् पुनः || શ્← | ટીકાર્થ :- નાસિકાદિ સ્થાનમાં વારંવાર વાયુ પૂરવાથી અને રેચક કરવાથી ગમાગમ પ્રયોગ થાય છે અને તે વાયુને તે તે ઠેકાણે રોકવાથી કુંભક કરવાથી ધારણ નામનો પ્રયોગ થાય છે. ।। ૧૫ । અપાનવાયુનાં વર્ણ-સ્થાનાદિ બતાવે છે – ૪૭૮ अपानः कृष्णरुग्मन्या-पृष्ठ- पृष्ठान्तपाष्णिगः जेयः स्वस्थानयोगेन, रेचनात् पूरणान्मुहुः । ॥ ૬૬ ॥ ટીકાર્થ :- અપાનવાયુનો વર્ણ કાળો છે. ડોકની પાછલી નાડીમાં પીઠ, ગુદા અને પગનો પાછલો ભાગ જે પાની તેમાં જે જાય, તે અપાનવાયુ, તેને પોતપોતાના સ્થાનમાં વારંવાર રેચક અને પૂરણ વડે જિતવા. ॥ ૧૬॥ સમાન વાયુના વર્ણાદિ કહે છે – ४७९ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ शुक्लः समानो हन्नाभि-सर्वसन्धिष्ववस्थितः जेयः स्वथानयोगेनासकृद् रेचन- पूरणात् । ।। ૧૭ ॥ ટીકાર્થ :- સમાનવાયુનો વર્ણ ઉજ્જવલ છે, નાભિ અને સર્વ સાંધાઓને વિષે તેને રહેવાનું સ્થાન છે. પોતપોતાના સ્થાનમાં વારંવાર રેચક અને પૂરક-કુંભક કરી તેનો જય કરવો. ॥ ૧૭। હવે ઉદાન વાયુના વર્ણ, સ્થાનાદિ કહે છે ४८० ४८१ रक्तो हत्कण्ठ- तालु- भ्रूमध्य-मूर्धनि संस्थितः उदानो वश्यतां नेयो, गत्यागतिप्रयोगतः I ॥ ૨૮ ૫ ટીકાર્થ :- ઉદાનવાયુ લાલ વર્ણવાળો છે, તે હૃદય, કંઠ, તાળવુ અને ભૃકુટિના મધ્યભાગમાં તથા મસ્તકમાં રહે છે. ગતિ-આગતિના પ્રયોગથી તેને વશ કરવો. ॥ ૧૮ । ગતિ-આગતિનો પ્રયોગ જણાવે છે – नासाकर्षणयोगेन, स्थापयेत् तं हृदादिषु 1 વત્તાનુવૃષ્યમાાં ૨, હા-હા વશ નયેત્ ॥ ૧ ॥ ટીકાર્થ ઃ- નાસિકા વડે બહારના પવનને ખેંચીને તે ઉદાન વાયુને હૃદયાદિક સ્થાનોમાં સ્થાપન કરવો. વાયુ Page #508 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૧૪-૨૪ ૪પ૭. બીજા સ્થાનમાં ચાલ્યો જાય, તો જોરથી તે તે સ્થાને વારંવાર રોકીને અર્થાત કુંભક કરીને કેટલોક વખત રાખે, વળી રેચક કરી દેવો, એટલે નાસિકાના એક દ્વારથી ધીમે ધીમે બહાર કાઢી નાખવો, વળી તેજ દ્વારથી અંદર ખેંચી કુંભક કરવો. આ પ્રકારે તે તે વાયુને વશ કરી જય મેળવવો. // ૧૯ // હવે વ્યાનના સ્થાનાદિ કહે છે - ४८२ सर्वत्वग्वृत्तिको व्यानः, शककार्मुकसन्निभः । __ जेतव्यः कुम्भकाभ्यासात्, सङ्कोच-प्रसृतिक्रमात् ॥ २० ॥ ટીકાર્થ:- વ્યાન વાયુનો વર્ણ વિવિધ રંગવાળા ઈન્દ્રધનુષ સરખો છે. ચામડીના સર્વસ્થાનોમાં તે રહેલો છે. સંકોચ અને ફેલાવું (પૂરક અને રેચક) ના ક્રમે કુંભકના અભ્યાસથી તે વશ કરવા યોગ્ય છે. | ૨૦ પાંચે વાયુનાં ધ્યાન કરવા યોગ્ય બીજો બતાવે છે - ४८३ प्राणा-ऽपान-समानोदान-व्यानेष्वेषु वायुषु । यँ मैं वँ रौं लौँ बीजानि, ध्यातव्यानि यथाक्रमम् ॥ २१ ॥ ટીકાર્થઃ-પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુનાતે તે સ્થાને જય કરવા માટે પૂરક, કુંભક અને રેચક કરતી વખતે પ્રાણાદિ વાયુના “ આદિ બીજોનું ધ્યાન કરવું. એટલે કે પ્રાણ વાયુનો જય કરતી વખતે મેં બીજ, અપાન વાયુનો જય કરતી વખતે પૈ', સમાનનું બીજ “વૈ', ઉદાનનું બીજ “રીં', વ્યાનનું બીજ ‘લ'નું ધ્યાન કરવું. એટલે “” આદિ અક્ષરોની આકૃતિની કલ્પના કરી તેનો જાપ પૂરક, કુંભક અને રેચક કરતી વખતે કરવો. // ૨૧ હવે ત્રણ શ્લોકો વડે પ્રાણાદિ જયના લાભો કહે છે - ४८४ प्राबल्यं जाठरस्याग्ने - र्दीर्घश्वास-मरुज्जयौ । लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत् ॥ २२ ॥ ટીકાર્થ:- પ્રાણવાયુને જિતવાથી એટલે સ્વાધીન કરવાથી જઠરાગ્નિની પ્રબળતા, લાંબો શ્વાસ ચાલે, દમન ચડે, વાયુ જય એટલે – સર્વ વાયુઓ પ્રાણાધીન હોવાથી તેના જયમાં સર્વ પ્રકારના વાયુનો જય થાય છે. વળી શરીર હલકું અને સ્કૂર્તિવાળું બને છે. // ૨૨ . તથા – ४८५ रोहणं क्षतभङ्गादेः, उदराग्नेः प्रदीपनम् । व!ऽल्पत्वं व्याधिघातः, समानाऽपानयोर्जये ॥ २३ ॥ ટીકાર્થ:- સમાન અને અપાન વાયુ વશ કરવાથી ઘા, ગુમડાં આદિનાં છિદ્રો રૂઝાઈ જાય છે, હાડકાંની તડો પૂરાઈ જાય છે આદિ શબ્દથી તેવા પ્રકારનાં બીજા શારીરિક દુઃખો મટી જાય છે. ઉદરનો અગ્નિ વૃદ્ધિ પામે છે. મલ-મૂત્રાદિ અલ્પ થાય અને વ્યાધિનો વિનાશ થાય છે. તે ૨૩ | તથા – ४८६ उत्क्रान्तिर्वारिपङ्काद्यैश्चाऽबाधोदाननिर्जये जये व्यानस्य शीतोष्णासङ्गः कान्तिररोगिता ॥ २४ ॥ ટીકાર્થઃ- ઉદાનવાયુ વશ કરવાથી ઉત્કાન્તિ એટલે મરણ-સમયે દશમા દ્વારથી પ્રાણત્યાગ કરી શકાય છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ४८७ જળ અને કાદવમાં ચાલે, તો પણ તેનાથી સ્પર્શાય નહિ તથા કાંટા કે અગ્નિમાં ઉપદ્રવ પામ્યા વગર સીધા માર્ગ માફક ચાલી શકે તથા વ્યાન વાયુ વશ કરવાથી ઠંડી-ગરમીની અસર ન થાય, શરીરની કાંતિ વૃદ્ધિ પામે અને આરોગ્યતા પ્રાપ્ત કરે. || ૨૪ || દરેક પ્રાણ જિતવાનાં જુદાં ફલ બતાવીને સર્વ વાયુ જિતવાનું સામટું ફલ બતાવે છે - यत्र यत्र भवेत् स्थाने, जन्तो रोगः प्रपीडकः तच्छान्त्यै धारयेत् तत्र, प्राणादिमरुतः सदा ॥ २५ ॥ ટીકાર્ય - જીવને શરીરના જે જે ભાગમાં પીડા કરનાર રોગ થયો હોય, તે તે રોગની શાંતિ માટે તે તે ઠેકાણે પ્રાણાદિ વાયુઓને હંમેશાં રોકી રાખવા. / ૨૫ // આગળ જણાવેલનો ઉપસંહાર કરીને હવે આગળ સાથે સંબંધ જોડતાં કહે છે - ४८८ एवं प्राणादिविजये, कृताभ्यासः प्रतिक्षणम् । धारणादिकमभ्यस्येत्, मनःस्थैर्यकृते सदा ॥ २६ ॥ ટીકાર્થ:- આ પ્રમાણે પ્રાણાદિ વાયુનો વિજય કરવા માટે વારંવાર અભ્યાસ કરીને મનની સ્થિરતા કરવા માટે ધારણા આદિકનો અભ્યાસ કરવો. ૨૬ + હવે ધારણા આદિની વિધિ પાંચ શ્લોકોથી સમજાવે છે - ४८९ उक्तासनसमासीनो, रेचयित्वाऽनिलं शनैः आपादाङ्गुष्ठपर्यन्तं, वाममार्गेण पूरयेत् पादाङ्गष्ठे मनः पूर्वं, रुद्ध्वा पादतले ततः पाणी गुल्फे च जङ्घायां, जानुन्यूरौ गुदे ततः ॥ २८ ॥ ४९१ लिङ्गे नाभौ च तुन्दे च, हृत्कण्ठ-रसनेऽपि च । तालु-नासाग्र-नेत्रे च, भ्रुवोर्भाले शिरस्यथ ॥ २९ ॥ ४९२ एवं रश्मिक्रमेणैव, धारयन्मरुता सह स्थानात् स्थानान्तरं नीत्वा, यावद् ब्रह्मपुरं नयेत् ॥ ३० ॥ ४९३ ततः क्रमेण तेनैव, पादाङ्गष्ठान्तमानयेत् नाभिपद्मान्तरं नीत्वा, ततो वायुं विरेचयेत् ॥ ३१ ॥ ટીકાર્ય - ચોથા પ્રકાશના અંતે બતાવેલ આસને બેસી ધીમે ધીમે પવન રેચક એટલે બહાર કાઢી, ડાબી નાસિકાથી પવન અંદર ખેંચીને પગના અંગુઠા ઉપર મનને રોકવું. (‘મન ત્યાં પવન' એ ન્યાયે પવન પણ તે સ્થળે રોકાય) પછી ક્રમસર પગનાં તળીયા ઉપર, પાનીમાં, પગની એડીમાં, જંઘામાં, ઘૂંટણમાં, સાથળમાં, ગુદામાં, ત્યાર પછી લિંગમાં, નાભિમાં, ઉદરમાં, હૃદયમાં, કંઠમાં, જીભ ઉપર, તાળવામાં, નાસિકાના ટેરવા ઉપર, નેત્રમાં, ભૂકુટિમાં, કપાળમાં અને મસ્તકમાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં, વાયુની સાથે મનને છેવટે બ્રહ્મરંધ્ર પર્યત લઈ જવું, ત્યાર પછી તે જ ક્રમથી પાછા ફરીને પગના અંગુઠામાં મન સાથે પવનને લાવીને ત્યાંથી નાભિ-કમલમાં લઈ જઈ વાયુનો રેચક કરવો. // ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ / હવે ચાર શ્લોકોથી ધારણાનું ફલ કહે છે - ४९० Page #510 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૨૫-૩૮ ४९४ ४९५ ४९६ पादाङ्गुष्ठादौ जङ्घायां, जानूरु-गुद-मेह धारितः क्रमशो वायुः, शीघ्रगत्यै बलाय च नाभौ ज्वरादिघाताय, जठरे कायशुद्धये ज्ञानाय हृदये कूर्म - नाड्यां रोग - जराच्छिदे कण्ठे क्षुत्तर्षनाशाय, जिह्वाग्रे रससंविदे गन्धज्ञानाय नासाग्रे रूपज्ञानाय चक्षुषोः भाले तद्रोगनाशाय, क्रोधस्योपशमाय च ब्रह्मरन्ध्रे च सिद्धानां साक्षाद् दर्शनहेतवे ४९७ अभ्यस्य धारणामेवं, सिद्धीनां कारणं परम् चेष्टितं पवमानस्य जानीयाद् गतसंशयः ૫ ૩૨ 1 ॥ ३३ 1 ૫ ૨૪ नाभेर्निष्कामतश्चारं हृन्मध्ये न यतो गतिम् तिष्ठतो द्वादशान्ते तु विद्यात् स्थानं नभस्वतः 11 11 1 ॥ રૂપ 11 ટીકાર્થ :- પગના અંગુઠામાં, જંઘામાં, ઘૂંટણમાં, સાથળમાં, ગુદામાં, લિંગમાં અનુક્રમે વાયુને ધારી રાખવાથી શીઘ્રગતિ અને બળ-પ્રાપ્તિ થાય છે. નાભિમાં વાયુ ધા૨ણ ક૨વાથી તાવ વગેરેનો ઘાત કરે છે, જઠરમાં ધારણ કરવાથી મળ સાફ થઈ શરીર શુદ્ધ રહે છે. હૃદયમાં ધારી રાખવાથી જ્ઞાન-વૃદ્ધિ થાય છે. કૂર્મનાડીમાં પવન ધારી રાખવાથી રોગ અને જરાનો નાશ થાય-વૃદ્ધાવસ્થામાં શરીર યુવાનિની માફક કામ આપે, કંઠમાં ધા૨ણ ક૨વાથી ભૂખ-તરસ લાગે નહિં, લાગી હોય તો શાંત થાય, જીભના ટેરવા ઉપર વાયુ ધારી રાખવાથી સર્વ પ્રકારના રસનું જ્ઞાન થાય. નાસિકાના અગ્રભાગ પર ધારણ કરવાથી ગંધનું જ્ઞાન થાય. ચક્ષુમાં ધારી રાખવાથી રૂપનું જ્ઞાન, કપાળમાં ધારી રાખવાથી કપાળના રોગનો નાશ તથા ક્રોધની શાંતિ થાય અને બ્રહ્મરંધ્રમાં વાયુને રોકવાથી સાક્ષાત્ સિદ્ધનાં દર્શન થાય. ॥ ૩૨-૩૩-૩૪-૩૫|| ધારણાનો ઉપસંહાર કરી પવનનું ચેષ્ટિત કહે છે - ४९८ 11 ૪૫૯ I તા ૩૬ 11 ટીકાર્ય :- સિદ્ધિઓના પરમ કારણરૂપ ધારણાનો આ પ્રમાણે અભ્યાસ કરીને સંશય-રહિત પવનનું સ્વરૂપ જાણવું. ॥ ૩૬ ॥ તે આ પ્રમાણે – ४९९ I ॥ ૨૭ 11 ટીકાર્થ :- નાભિથી પવનનું નીકળવું, તે ચાર, હૃદય મધ્યમાં જવું, તે ગતિ, દ્વાદશાન્ત એટલે બ્રહ્મધ. બ્રહ્મરંધ્રમાં રહેવું, તે પવનનું સ્થાન સમજવું. ॥ ૩૭ || તે ચાર વગેરેના જ્ઞાનનું ફળ કહે છે – ५०० તબ્બાર-ગમન-સ્થાન-જ્ઞાનાભ્યાસયોગતઃ 1 जानीयात् कालमायुश्च शुभाशुभफलोदयम् ૫ ૨૮ 11 ટીકાર્થ :- તે વાયુના ચાર, ગમન અને સ્થાનના જ્ઞાનના અભ્યાસ-યોગે શુભ કે અશુભ ફળના ઉદયવાળો કે કાળ અને આયુષ્ય જાણી શકાય છે. આ યથાસ્થાને આગળ જણાવીશું. ॥ ૩૮ II ત્યાર પછી કરવા યોગ્ય જણાવે છે - Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५०१ ततः शनैः समाकृष्य, पवनेन समं मनः । योगी हृदयपद्मान्तर्विनिवेश्य नियन्त्रयेत् || રૂ? || ટીકાર્થ:- ત્યાર પછી ધીમે ધીમે પવન સાથે મનને ખેંચીને યોગીએ તેને હૃદય-કમળમાં પ્રવેશ કરાવીને ધારણ કરી રોકી રાખવું. / ૪૦ || પવન અને મન જ્યારે હૃદયમાં રહેલાં હોય, તેનું ફળ કહે છે - ५०२ ततोऽविद्या विलीयन्ते, विषयेच्छा विनश्यति । विकल्पा विनिवर्तन्ते, ज्ञानमन्तर्विजृम्भते ॥ ४० ॥ ટીકાર્ય - હૃદય-કમળમાં મનને ધારી રાખવાથી અજ્ઞાન-મિથ્યાત્વનો નાશ, પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાની નિવૃત્તિ, સંકલ્પ-વિકલ્પો ચાલ્યા જાય છે અને આત્મામાં જ્ઞાનનો વધારો થાય છે. તે ૪૦ || મન અને પવન હૃદયમાં સ્થિર કરવાથી સ્વરૂપ-જ્ઞાન પ્રગટે છે. ५०३ क्व मण्डले गतिर्वायोः, संक्रमः क्व व विश्रमः ? का च नाडीति जानीयात्, तत्र चित्ते स्थिरीकृते ॥ ४१ ॥ ટીકાર્ય -વાયુની ગતિ કયા મંડળમાં છે? કયા તત્ત્વમાં સંક્રમ-પ્રવેશ અને ક્યાં જઈ વિશ્રામ પામે છે? અત્યારે કઈ નાડી ચાલે છે? આ સર્વ હૃદયમાં પવન અને મનને સ્થિર કરવાથી જાણી શકાય છે. / ૪૧ | તેના મંડલો કહે છે५०४ मण्डलानि च चत्वारि, नासिकाविवरे विदुः । પૌ-વી -વાયવ્યાપારડ્યાનિ યથોત્તરમ્ ૪ર છે ટીકાર્ચ - પાર્થિવ, વારુણ, વાયવ્ય અને આગ્નેય આ ચાર મંડલો અનુક્રમે નાસિકાના વિવરમાં રહેલાં જાણવાં. || ૪૨ // પાર્થિવ-મંડલનું સ્વરૂપ કહે છે - ५०५ पृथिवीबीजसंपूर्णं, वज्रलाञ्छनसंयुतम् चतुरस्त्रं द्रुतस्वर्ण-प्रभं स्याद् भौममण्डलम् ॥ ४३ ॥ ટીકાર્ય :- ક્ષિતિલક્ષણ પૃથિવી-બીજ, તે વડે જેનો મધ્યભાગ વ્યાપ્ત છે, ચાર ખૂણાવાળું ખૂણામાં વજના લાંછનથી યુક્ત, તપાવેલા પ્રવાહી સુવર્ણના વર્ણ સરખું પાર્થિવ-મંડલ છે. જે ૪૩/l પાર્થિવ-બીજ “અ' અક્ષર છે, કેટલાક ‘લ’ અને ‘ક્ષ' પણ કહે છે. હવે વારુણ-મંડલનું સ્વરૂપ કહે છે -- ५०६ स्यादर्धचन्द्रसंस्थानं, वारुणाक्षरलाञ्छितम् । चन्द्राभममृतस्यन्द-सान्द्रं वारुणमण्डलम् ॥ ४४ ॥ ટીકાર્ય - અષ્ટમીના અર્ધચંદ્રાકાર સરખું વારુણના ‘વ’ કાર ચિહ્નથી યુક્ત, ચંદ્ર સરખું ઉજ્જવલ અને અમૃત ઝરવા વડે કરીને તેની બહુલતાવાળું વારુણ-મંડલ સમજવું. ૪૪ હવે વાયવ્યમંડલનું સ્વરૂપ કહે છે – Page #512 -------------------------------------------------------------------------- ________________ पायमो प्राश, Reो.3&-५१ ૪૬૧ ५०७ स्निग्धाञ्जनघनच्छायं, सुवृत्तं बिन्दुसंकुलम् । दुर्लक्षं पवनाक्रान्तं चञ्चलं वायुमण्डलम् ॥ ४५ ॥ ટીકાર્થ:- તેલ-મિશ્રિત અંજન સરખું ગાઢ શ્યામ-કાંતિવાળું, ગોળાકાર, બિન્દુઓનાં ચિહ્નોથી વ્યાપ્ત, દુઃખે ४२री जी शय तेj, यारे मा ५वन-9ी०४ '4' १२था मामेj, यंय, वायुमंडल छ. ।। ४५॥ હવે આગ્નેય-મંડલનું સ્વરૂપ કહે છે - ५०८ ऊर्ध्वज्वालाचितं भीम, त्रिकोणं स्वस्तिकान्वितम् । स्फुलिङ्गपिङ्गं तद्वीजं, ज्ञेयमाग्नेयमण्डलम् । ॥ ४६ ॥ ટીકાર્થ:- ઊંચે પ્રસરતી જ્વાલાથી યુક્ત, ભયાનક, ત્રણ ખૂણાવાળું, ખૂણામાં સાથિયાના ચિહ્નથી યુક્ત, मग्निना या स२५ पीपाववाणुं भने मनिनावी४.२६' थी. युत माग्नेय मंडल पुं. ४६॥ અશ્રદ્ધાવાળાના બોધ માટે કહે છે - ५०९ अभ्यासेन स्वसंवेद्यं, स्यान्मण्डलचतुष्टयम् । क्रमेण संचरंस्तत्र, वायुर्जेयश्चतुर्विधः ॥ ४७ ॥ ટકાર્થ:- આ વિષયનો અભ્યાસ કરવાથી અનુભવ દ્વારા ચારે મંડળો જાણી શકાય છે. અહીં ચારે મંડળમાં સંચાર थतो वायुमंडलाना महोथी यार प्रा२नो थाय छे. ते मस२४ छ. ॥ ४७॥ ५१० नासिकारन्ध्रमापूर्य, पीतवर्णः शनैर्वहन् । कवोष्णोऽष्टाङ्गलः स्वच्छो, भवेद् वायुः पुरन्दरः ॥ ४८ ॥ ટીકાર્થ - પૃથિવી-તત્ત્વનો પુરંદર નામનો વાયુ પીળા વર્ણવાળો, કંઈક ઉષ્ણ અને કંઈક શીત-સ્પર્શવાળો, १८७, धीमे धीमे वहन थतो, नसिना विवरने पूरीने 16 मग ५२ पाउन थाय छे. ॥ ४८ ।। तथा - ५११ धवलः शीतलोऽधस्तात्, त्वरितत्वरितं वहन् । द्वादशाङ्गलमानश्च, वायुर्वरुण उच्यते ॥ ४९ ॥ ટીકાર્ય :- ઉજ્જવલ વર્ણવાળા, ઠંડા સ્પર્શવાળા, નીચે ઉતાવળા બાર અંગુલ-પ્રમાણ વહન થતા વાયુને ४णतत्पनी १२ वायु छे. ।। ४८।। तथा - ५१२ उष्णः शीतश्च कृष्णश्च, वहन् तिर्यगनारतम् । षडङ्गलप्रमाणश्च, वायुः पवनसंज्ञितः ॥ ५० ॥ ટીકાર્થ - પવન નામનો વાયુ કંઈક ઉષ્ણ અને કંઈક ઠંડો, કાળા વર્ણવાળો હમેશા છ અંગુલ-પ્રમાણ તિ पउन थायछ.।। ५०॥ तथा ५१३ बालादित्यसमज्योतिरत्युष्णश्चतुरङ्गुलः आवर्तवान् वहन्नूचं, पवनो दहनः स्मृतः । Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५१६ ટીકાર્ય - અગ્નિતત્ત્વસ્વરૂપ દહન નામનો વાયુ ઉગતા સૂર્ય-સમાન લાલ વર્ણવાળો, અતિ ઉષ્ણ સ્પર્શવાળો, વંટોળીયા માફક ઉચે ચાર અંગુલ વહન થતો કહેલો છે. જે ૫૧ // કયા વાયુમાં કયું કાર્ય કરવું? તે કહે છે – ५१४ इन्द्रं स्तम्भादिकार्येषु, वरुणं शस्तकर्मसु वायुं मलिनलोलेषु, वश्यादौ वह्निमादिशेत् ॥ ५२ ॥ ટીકાર્થ:- પુરંદર વાયુ વહે, ત્યારે સ્તંભનાદિક કાર્યો, વરુણ વાયુમાં સારાં કાર્યો કરવાં, મલિન અને ચપળ કાર્યો પવન-વાયુમાં, વશીકરણ આદિ કાર્યો અગ્નિ નામનો વાયુ ચાલતો હોય ત્યારે કરવાં. પર હવે પ્રારંભ કરેલા કાર્યમાં કાર્યપ્રશ્ન સમયે જે વાયુ વહન થતો હોય, તેનું ફલ ચાર શ્લોકોથી કહે છે - ५१५ છત્ર-ચાર-હત્ય-રામ- રાતિસંપદ્દમ્ | मनीषितं फलं वायुः, समाचष्टे पुरन्दरः ॥५३ ॥ રામ-રીન્યવિસંપૂ, પુત્રદ્ધનનબન્યુમિઃ | સોરે વસ્તુના વાપિ, યોગ વરુપ: ક્ષાત્ | ૨૪ | ५१७ कृषि-सेवादिकं सर्वमपि सिद्धं विनश्यति मृत्युभी: कलहो वैरं, त्रासश्च पवने भवेत् ५१८ भयं शोकं रुजं दुःखं, विघ्नव्यूहपरम्पराम् संसूचयेद् विनाशं च, दहनो दहनात्मकः ॥ ५६ ॥ ટીકાર્થ -પુરંદરનામનો વાયુ વહન થતો હોય તે વખતે કોઈ પ્રશ્ન કરે તો અગર પોતે કાર્યારંભ કરે તો, છત્ર, ચામર, હાથી, ઘોડા, આરામ, રામ, રાજ્યાદિ સંપત્તિની અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જળતત્ત્વ અગર વર્ણવાયુ વહેતો હોય, ત્યારે પ્રશ્ન કરે કે કાર્યારંભ કરે તો તરત વલ્લભ સ્ત્રી, સંપૂર્ણ રાજ્યાદિ, પુત્ર, સ્વજન, બંધુઓ અને સારભૂત ઉત્તમ વસ્તુઓની સાથે યોગ કરાવે. પ્રશ્ન કે કાર્યારંભ સમયે પવન નામનો વાયુ વહેતો હોય, તો તૈયાર થયેલી ખેતી, સેવા આદિ સર્વ કાર્ય ફળ દેવાની તૈયારીમાં હોય તો, તે નિષ્ફળ થાય છે અને મહેનત છૂટી પડે છે તથા મૃત્યુ-ભય, કજિયો, વૈર અને ત્રાસ થાય છે. દહન-સ્વભાવવાળો અગ્નિ નામનો વાયુ વહેતો હોય, ત્યારે પ્રશ્ન કે કાર્યારંભ કરે તો ભય, શોક, રોગ, દુઃખ વિદ્ગ-સમૂહની પરંપરા અને ધન-ધાન્યાદિનો વિનાશ સૂચવે છે. પ૩-૫૪-૫૫-૫૬ //. આ ચારે વાયુનું અતિસૂક્ષ્મ ફળ બતાવે છે - ५१९ शशाङ्क-रविमार्गेण, वायवो मण्डलेष्वमी । विशन्तः शुभदाः सर्वे, निष्कामन्तोऽन्यथा स्मृताः ॥ ५७ ॥ ટીકાર્થ:- ચંદ્ર અને સૂર્ય એટલે ડાબી અને જમણી નાડીમાં આ ચારે મંડળમાં પ્રવેશ કરતા પુરંદરાદિક સર્વ વાયુઓ શુભફળ અને બહાર નીકળતા અશુભ ફળ આપનાર થાય છે. | પ૭ II પ્રવેશ અને નિર્ગમમાં શુભ તથા અશુભપણાનું કારણ કહે છે – Page #514 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.પર-૬૩ ૪૬ ૩ ५२० प्रवेशसमये वायु वो मृत्युस्तु निर्गमे । उच्यते ज्ञानिभिस्तादृक्, फलमप्यनयोस्ततः ॥५८ ॥ ટીકાર્થ:- વાયુ જ્યારે મંડળમાં પ્રવેશ કરે છે, ત્યારે તે જીવ કહેવાય છે અને બહાર નીકળે ત્યારે, તે મૃત્યુ કહેવાય. આ કારણે બંનેનું ફળ જ્ઞાનીઓએ તેવા પ્રકારનું કહેલું છે. અર્થાત વાયુ પૂરકરૂપે મંડળમાં પ્રવેશ કરે, નાસિકાની અંદર ગ્રહણ કરતો હોય, ત્યારે જો કોઈ પ્રશ્ન કરે કે કાર્યારંભ કરે તો તે કાર્ય સિદ્ધ થાય અને રેચકરૂપે મંડળ બહાર નીકળે ત્યારે પ્રશ્ન કરે કે કાર્ય-પ્રારંભ કરે તો તે કાર્ય સિદ્ધ ન થાય. ને પ૮ . હવે નાડીના ભેદથી પવનનું શુભ, અશુભ અને મધ્યમપણું બે શ્લોકોથી કહે છે – ५२१ पथेन्दोरिन्द्र-वरुणौ, विशन्तौ सर्वसिद्धिदौ । रविमार्गेण निर्यान्तौ, प्रविशन्तौ च मध्यमौ ॥ ५९ ॥ ५२२ दक्षिणेन विनिर्यान्तौ, विनाशायाऽनिलाऽनलौ । નિ:સન્તી વિશાન્ત , મધ્યમવિતરે તુ / ૬૦ || ટીકાર્થ:-ચંદ્ર-ડાબી નાડીના માર્ગે પ્રવેશ કરતાં પુરંદર અને વરુણ વાયુ સર્વ સિદ્ધિઓ આપનાર થાય છે અને સૂર્ય-જમણી નાડીના માર્ગે અર્થાત જમણી નાસિકાના વિવરમાંથી નીકળતા અને પ્રવેશ કરતા તે બંને વાયુઓ મધ્યમ ફળ આપનાર થાય છે. જમણી નાસિકામાંથી નીકળતા પવન અને દહન વાયુ દરેક કાર્યના વિનાશક અને ડાબી નાસિકામાંથી નીકળતા કે પ્રવેશ કરતા તે બંને વાયુ મધ્યમ ફળ આપનાર થાય છે. ૫૯-૬૦ નાડીઓ કહે છે५२३ રૂ ૨ fiાના વૈવ, સુષુ તિ નાડિવ: | શશિ-સૂર્ય-શિવાનં, વામ-લક્ષUT-મધ્યયઃ | દૂર છે ટીકાર્થ-ડાબી બાજુએ રહેલી નાડીને ઈડાનાડી કહે છે અને તેમાં ચંદ્રનું સ્થાન છે. જમણી નાડીને પિંગલા અને તેમાં સૂર્યનું સ્થાન છે. બંનેની વચમાં રહેલી સુષુણ્ણા નાડી છે, તેમાં મોક્ષનું સ્થાન માનેલું છે. I ૬૧ | આ ત્રણેમાં વાયુ-સંચારનાં ફળ બે શ્લોકોથી જણાવે છે – ५२४ पीयूषमिव वर्षन्ती, सर्वगा त्रेषु सर्वदा वामाऽमृतमयी नाडी, संमताऽभीष्टसूचिका ॥ ६२ ॥ ५२५ वहन्त्यनिष्टशंसित्री, संही दक्षिणा पुनः । सुषुम्णा तु भवेत् सिद्धि-निर्वाणफलकारणम् ॥ ६३ ॥ ટીકાર્ચ - શરીરનાં સર્વ ગાત્રોમાં નિરંતર અમૃત વૃષ્ટિ કરતી હોય, તેમ મનોવાંછિત કાર્યને સૂચવનારી ડાબી નાડીને અમૃતમય માનેલી છે. તથા વહન થતી જમણી નાડી અનિષ્ટ ફળ સૂચવનારી છે. તથા કાર્ય-નાશ કરનારી છે તથા સુષુણ્ણા નાડી અણિમાદિ આઠ મહાસિદ્ધિઓ તથા મોક્ષના કારણરૂપ છે. આનો પરમાર્થ એ સમજવો કે સુષુણ્ણા નાડીમાં ધ્યાન કરવાથી ટૂંકા કાળમાં એકાગ્રતા થવા પૂર્વક લાંબા સમય સુધી તે ધ્યાન-સંતતિ ટકી રહે છે અને તેથી થોડા કાળમાં ઘણાં કર્મોનો નાશ થાય છે. અને નિર્જરા મેળવી શકાય છે. આ કારણથી તેમાં મોક્ષનું સ્થાન માનેલું છે. વળી સુષુણ્ણા નાડીમાં પવનની ગતિ ઘણી મંદ હોય છે, તેથી મન પણ સહેલાઈથી સ્થિર થાય છે. મન અને પવન સ્થિર થવાથી સંયમ સહેલાઈથી સાધી શકાય છે. ધારણા, ધ્યાન અને સમાધિ એક જ સ્થળે Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરવામાં આવે, તેને સંયમ કહે છે. આ સંયમ સિદ્ધિઓનું કારણ છે, માટે જ આ નાડીને મોક્ષનું કારણ ગણેલું છે. || ૬૨-૬૩ //. ડાબી અને જમણી નાડી વહન થતી હોય, ત્યારે કયાં કયાં કાર્યો કરવાં, તે જણાવે છે - ५२६ वामैवाभ्युदयादीष्ट-शस्तकार्येषु संमता दक्षिणा तु रताहार-युद्धादौ दीप्तकर्मणि ॥६४ ॥ ટીકાર્થ:- યાત્રા, દાન, વિવાહ, નવીન વસ્ત્રાભરણ પહેરવાં, ગામ-નગર-ગૃહ-પ્રવેશ, સ્વજન-મેળાપ, શાંતિક, પૌષ્ટિક, યોગાભ્યાસ, રાજદર્શન, નવીન મૈત્રી કરવી, બીજ-વપન વગેરે અભ્યદય અને ઈષ્ટ કાર્યોના પ્રારંભકાળે ડાબી નાડી અને ભોજન, યુદ્ધ, મંત્ર-સાધના, દીક્ષા, સેવાકર્મ, વેપાર, ઔષધ, ભૂત-પ્રેતાદિ સાધના બીજાં પણ તેવાં રૌદ્રાકાર્યોમાં સૂર્યનાડી સારી જાણવી. / ૬૪ / ફરી પણ ડાબી જમણી નાડીના વિષય-વિભાગ કહે છે - ५२७ वामा शस्तोदये पक्षे, सिते कृष्णे तु दक्षिणा । त्रीणि त्रीणि दिनानीन्दु-सूर्ययोरुदयः शुभः ॥ ६५ ॥ ટીકાર્થ:- શુક્લપક્ષમાં સૂર્યોદય-સમયે ડાબી નાડીનો ઉદય શ્રેષ્ઠ છે અને કૃષ્ણપક્ષમાં સૂર્યોદય સમયે જમણી નાડીનો ઉદય શ્રેષ્ઠ છે. આ બંને નાડીનો ઉદય ત્રણ દિવસ સુધી શુભ માનેલો છે. વધારે સ્પષ્ટતા આગળ કરવામાં આવશે. || ૬૫ || ઉદયનો નિયમ કહીને અસ્તનો નિયમ કહે છે - ५२८ शशाङ्केनोदये वायोः, सूर्येणास्तं शुभावहम् उदये रविणा त्वस्य, शशिनाऽस्तं शिवं मतम् ॥ ६६ ॥ ટીકાર્થ:- જે દિવસે ચંદ્ર સ્વરમાં વાયુનો ઉદય શરૂ થાય અને સૂર્ય સ્વરમાં તેનો અસ્ત થાય, તે શુભ ગણાય તથા જે દિવસે સૂર્યનાડીમાં પવનનો ઉદય ચાલુ થાય અને ચંદ્રનાડીમાં અસ્ત થાય, તે પણ કલ્યાણકારી માનેલ છે. ૬૬ | એ જ હકીકત વિસ્તારથી ત્રણ શ્લોકો વડે સમજાવે છે - ५२९ सिते पक्षे दिनारम्भे, यत्नेन प्रतिपदिने वायोर्वीक्षेत संचारं, प्रशस्तमितरं तथा || ૬૭ | ५३० उदेति पवनः पूर्व, शशिन्येष त्र्यहं ततः संक्रामति त्र्यहं सूर्ये, शशिन्येव पुनस्त्र्यहम् ॥ ६८ ॥ ५३१ वहेद् यावद् बृहत्पर्व, क्रमेणानेन मारुतः । कृष्णपक्षे पुनः सूर्योदयपूर्वमयं क्रमः ॥६९ ॥ ટીકાર્ય - અજવાળિયા પક્ષના પડવાના દિવસે સૂર્યોદયના પ્રારંભ-સમયે યત્નપૂર્વક પ્રશસ્ત કે અપ્રશસ્ત વાયુના સંચારને જોવો. પ્રથમ ચંદ્રનાડીમાં પવન વહેવો શરૂ થાય છે. તે ૧-૨-૩ ત્રણ દિવસ સુધી સૂર્યોદય વખતે વહન થશે. પછીના ૪-૫-૬ એમ ત્રણ દિવસ સૂર્યોદય-વખતે સૂર્યનાડીમાં વહન થશે. ફરી ત્યા પછીના ૭-૮૯ એમ ત્રણ દિવસ ચંદ્રનાડીમાં પવન વહન થશે. એવી રીતે પૂર્ણિમા સુધી આ જ ક્રમથી પવન ચાલુ રહેશે, Page #516 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૬૪-૭૪ ૪૬૫ એટલે ૧૦-૧૧-૧૨ સૂર્યનાડીમાં, ૧૩-૧૪-૧૫ ચંદ્રનાડીમાં પવન સૂર્યોદય-સમયે વહન થશે. અંધારિયા પક્ષમાં પ્રથમ ૧-૨-૩ સૂર્યનાડીમાં પવન ચાલુ વહે છે. પછીના ૪-૫-૬ ત્રણ દિવસ ચંદ્રનાડીમાં તેવી રીતે અમાવાસ્યા-પર્યંત ક્રમસર ચાલુ વહે છે. આ વાયુનું વહન આખા દિવસનું ન સમજવું, પરંતુ સૂર્યોદય-સમય માટે છે. પછી તો અઢી અઢી ઘડીએ ચંદ્રનાડીમાં અને સૂર્યનાડીમાં પલટાયા કરે. કહેલા નિયમમાં ફેરફાર થાય તો તેનું ફલ અશુભ દુઃખદાયક સમજવું. || ૬૭-૬૮-૬૯ || ५३२ આ ક્રમમાં ફેરફાર કે પલટો થાય, તો તેના ફળ માટે બે શ્લોકો કહે છેत्रीन् पक्षानन्यथात्वेऽस्य, मासषट्केन पञ्चता पक्षद्वयं विपर्यासेऽभीष्टबन्धुविपद् भवेत् ५३३ 1 भवेत् तु दारुणो व्याधिरेकं पक्षं विपर्यये द्वित्र्याद्यहर्विपर्यासे, कलहादिकमुद्दिशेत् ।। ૭ । ટીકાર્થ ઃ- પૂર્વે કહેલ ચંદ્ર-સૂર્યનાડીનો ફેરફાર ત્રણ પખવાડિયા સુધી ચાલુ રહે, તો તે છ મહિનામાં મૃત્યુ પામે. બે પખવાડિયા વિપરીત ચાલે તો, સ્નેહ-બંધુને આપત્તિ આવે. એક પખવાડિયું તેમ ચાલે તો, ભયંકર વ્યાધિ ઉત્પન્ન થાય અને જો બે ત્રણ દિવસ વિપરીત ચાલે તો, લહ-ક્લેશાદિ પેદા થાય. ॥ ૭૦-૭૧ ॥ તથા - ५३४ I ।। ૧૨ ।। ટીકાર્થઃ- આખો દિવસ અને રાત્રિ સૂર્યનાડીમાં જ પવન ચાલુ રહે તો ત્રણ વરસમાં મરણ થાય. તે પ્રમાણે બે રાત્રિ-દિવસ પવન સતત પવન રહે તો બે વર્ષે મરણ થાય અને આખા ત્રણ રાત્રિ-દિવસ ચાલુ રહે તો, એક વર્ષે મરણ થાય અને જો ચંદ્રનાડીમાં તેટલો વખત પવન ચાલુ રહે તો, રોગ ઉત્પન્ન થાય. II ૭૨ ॥ તથા - एकं द्वे त्रीण्यहोरात्राण्यर्क एव मरुद् वहन् वर्षैस्त्रिभिर्द्वाभ्यामेकेनाऽन्तायेन्दौ रुजे पुनः ५३५ 1 || ૭૦ ॥ । मासमेकं वावेव, वहन् वायुर्विनिर्दिशेत् अहोरात्रावधिं मृत्युं, शशाङ्के तु धनक्षयम् ॥ ૭૨ ॥ ટીકાર્થ ઃ- એક મહિના સુધી સૂર્યનાડીમાં જ પવન ચાલ્યા કરે તો, એક દિવસ-રાત્રિમાં તેનું મૃત્યુ થાય, તેટલો જ વખત ચંદ્રનાડીમાં પવન વહેવાનો ચાલુ રહે તો ધન-નાશ થાય. II ૭૩ | તથા - ५३६ वास्त्रिमार्गगः शंसेत्, मध्याह्नात् परतो मृतिम् दशाहं तु द्विमार्गस्थः, संक्रान्तौ मरणं दिशेत् I || ૭૪ ।। ટીકાર્થ :- ઈડા, પિંગલા અને સુષુમ્યા એ ત્રણે નાડીમાં જો પવન સાથે ચાલે તો બે પહોર પછી મૃત્યુ થાય. ઈંડા અને પિંગલા બંને નાડીમાં સાથે ચાલે તો, દસ દિવસમાં મરણ થાય. ॥ ૭૪ ॥ તથા - Page #517 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ५३७ दशाहं तु वहन्निन्दावेवोद्वेग-रुजे मरुत् । इतश्चेतश्च यामार्धं, वहन् लाभाऽर्चनादिकृत् ॥ ७५ ॥ ટીકાર્થ:- જો દશ દિવસ સુધી નિરંતર ચંદ્રનાડીમાં જ પવન ચાલે તો, ઉદ્વેગ અને રોગ માટે થાય અને સૂર્ય અને ચંદ્ર એક એક નાડીમાં વારા ફરતી અર્ધ અર્ધ પહોર ચાર ચાર ઘડી સુધી પવન વહન થાય તો, લાભ અને પૂજાદિકની પ્રાપ્તિ થાય. // ૭૫ // તથા – ५३८ विषुवत्समयप्राप्तौ, स्पन्देते यस्य चक्षुषी । अहोरात्रेण जानीयात्, तस्य नाशमसंशयम् ॥ ७६ ॥ ટીકાર્થ:- સરખા રાત્રિ-દિવસ હોય અર્થાત્ બરાબર બાર કલાકનો દિવસ અને રાત્રિ પણ બરાબર બાર કલાકની હોય, એક પણ ઓછું-વતું ન હોય, તે વિષુવત દિવસ કહેવાય. વરસમાં એવા બે જ દિવસ આવે છે. તેવા સમયે જેની આંખો ફરકે, તે એક રાત્રિ-દિવસમાં મૃત્યુ પામે. તેમાં સંશય ન રાખવો. ફરકવું એ પણ વાયુનો વિકાર છે, તેથી ચાલુ અધિકારનો ભંગ થતો નથી. / ૭૬ || તથા - ५३९ पंचातिक्रम्य संक्रान्तीर्मुखे वायुर्वहन् दिशेत् । મિત્રાર્થાનીનિસ્તે નોડનમ્ સંસ્કૃતિ વિના ! ૭૭ છે ટીકાર્ય :- પવન એક નાડીમાંથી બીજી નાડીમાં જાય તેને અહિં સંક્રાન્તિ કહે છે. તેવી ઉપરા ઉપર પાંચ સંક્રાન્તિ ગયા પછી છઠ્ઠી સંક્રાન્તિ વખતે પવન મુખેથી વહન થાય તો, મિત્ર અને ધનની હાનિ, નિસ્તેજ થવાપણું, ઉદ્વેગ, દેશાત્તર-ગમન આદિ મૃત્યુ સિવાયના સર્વ અનર્થનું સૂચન સમજવું. || ૭૭ી. તથા - ५४० संक्रान्तीः समतिक्रम्य, त्रयोदश समीरणः । प्रवहन् वामनासायां, रोगोद्वेगादि सूचयेत् ॥ ७८ ॥ ટીકાર્થ:- પૂર્વે કહેલા લક્ષણવાળી તેર સંક્રાન્તિ ઉલ્લંઘન થયા પછી પવન જો ડાબી નાસિકામાંથી ચાલે તો તે રોગ તથા ઉદ્વેગ આદિ થશે – તેમ સૂચવે છે. તે ૭૮ || તથા - ५४१ मार्गशीर्षस्य संक्रान्ति-कालादारभ्य मारुतः । वहन् पञ्चाहमाचष्टे, वत्सरेऽष्टादशे मृतिम् ॥ ७९ ॥ ટીકાર્થ:- માગશર મહિનાના પ્રથમ દિવસથી આરંભી સંક્રાન્તિ-કાળથી એક જ નાડીમાં પાંચ દિવસ સુધી પવન વહ્યા કરે, તો તે દિવસથી અઢારમે વર્ષે મરણ થશે-એમ જાણવું. . ૭૯ll તથા - ५४२ शरत्संक्रान्तिकालाच्च, पञ्चाहं मारुतो वहन् । ततः पञ्चादशाब्दानाम्, अन्ते मरणमादिशेत् ॥ ८० ॥ Page #518 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૭૫-૮૭ ૪૬૭ ५४६ ટીકાર્થ:- આસો મહિનાના પ્રથમ દિવસથી આરંભીને એક જ નાડીમાં પાંચ દિવસ સુધી પવન ચાલુ રહે તો પંદર વર્ષને અંતે મરણ થાય, એમ કહેવું. // ૮૦ તથા – ५४३ श्रावणादेः समारभ्य, पञ्चाहमनिलो वहन् । अन्ते द्वादशवर्षाणां, मरणं परिसूचयेत् ५४४ वहन् ज्येष्ठादिदिवसाद, दशाहानि समीरणः दिशेन्नवमवर्षस्य, पर्यन्ते मरणं ध्रुवम् । ૧ ૮૨ | ५४५ आरभ्य चैत्राद्यदिनात्, पञ्चाहं पवनो वहन् । पर्यन्ते वर्षषट्कस्य, मृत्युं नियतमादिशेत् ॥ ८३ ॥ आरभ्य माघमासादेः, पञ्चाहानि मरुद् वहन् । संवत्सरत्रयस्यान्ते, संसूचयति पञ्चताम् ટીકાર્થ :- શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક નાડીમાં પવન ચાલે તો તે બાર વરસ પછી મરણ સૂચવે છે. જેઠ મહિનાના પ્રથમ દિવસથી દસ દિવસ એક જ નાડીમાં વાયુ ચાલે તો નવમે વર્ષે નક્કી તેનું મૃત્યુ થાય, ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક જ નાડીમાં પવન વહન થયા કરે તો છ વર્ષને અંતે નક્કી મરણ થાય. મહા મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક જ નાડીમાં પવન ચાલે તો ત્રણ વર્ષને અંતે તેનું મરણ થશે-એમ સૂચવે છે. / ૮૧-૮૨-૮૩-૮૪ તથા - ५४७ सर्वत्र द्वित्रिचतुरान्, वायुश्चेद् दिवसान् वहेत् । अब्दभागैस्तु ते शोध्या, यथावदनुपूर्वशः ॥ ८५ ॥ ટીકાર્થ:- જે જે મહિનામાં પાંચ દિવસ પવન ચાલે છે તેમ કહ્યું તેમાં એક જ નાડીમાં બે ત્રણ કે ચાર દિવસ જો વાયુ ચાલે, તો આગળ જણાવેલા વર્ષના પાંચ ભાગો કરી તેમાંથી ચાર દિવસ પવન ચાલે, તો એક ભાગ ઓછો કરવો, ત્રણ દિવસ પવન ચાલે, તો તે વર્ષોમાંથી બે ભાગ ઘટાડવા-એમ યથાયોગ્ય ક્રમસર સમજી લેવું, જેમ પાંચ દિવસ લાગલગાટ વાયુ ચાલે, તેમાં સાત મહિના, છ દિવસ ઘટાડવાથી ચૌદ વર્ષ, ચાર મહિના, ચોવીશ દિવસે મૃત્યુ થાય. એ મહિનાઓમાં પણ આ પ્રમાણે ગણતરી સમજી લેવી. / ૮૫ ll હવે બીજા પ્રકારથી વાયુ-નિમિત્તે થતું કાલજ્ઞાન જણાવે છે - ५४८ अथेदानीं प्रवक्ष्यामि, कश्चित् कालस्य निर्णयम् । सूर्यमार्ग समाश्रित्य, स च पौष्णेऽवगम्यते ॥ ८६ ॥ ટીકાર્થ :- હવે હું હમણાં કંઈક કાલ-જ્ઞાનનો નિર્ણય કહીશ. તે કાલ-જ્ઞાન સૂર્યમાર્ગને આશ્રયીને પોષણ કાળમાં જાણી શકાય છે. || ૮૬ // પૌષણ કાળનું સ્વરૂપ કહે છે - ५४९ जन्मऋक्षगते चन्द्रे, समसप्तगते रवौ पौष्णनामा भवेत् कालो, मृत्युनिर्णयकारणम् ॥ ८७ ॥ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ટીકાર્ય - જન્મ નક્ષત્રમાં ચન્દ્રમાં હોય અને પોતાની રાશિથી સાતમી રાશિએ સૂર્ય હોય તથા ચંદ્રમાએ જેટલી જન્મરાશિ ભોગવી, તેટલી જ સૂર્ય સાતમી રાશિ ભોગવી હોય, ત્યારે પૌષ્ણ નામનો કાળ કહેવાય, તે પૌષ્યકાળ મૃત્યુનો નિર્ણય કરવામાં કારણભૂત છે. એટલે તે કાળમાં મૃત્યુનો નિર્ણય કરી શકાય છે. [ ૮૭ | તેવા કાળમાં સૂર્ય નાડીમાં પવન ચાલે, તે દ્વારા કાલ-જ્ઞાન કહે છે५५० दिनार्धं दिनमेकं च, यदा सूर्ये मरुद् वहन् । चतुर्दशे द्वादशेऽब्दे, मृत्यवे भवति क्रमात् ॥८८ ॥ ટીકાર્થ:- તે પૌષ્ણકાળમાં જો અર્થો દિવસ સૂર્યનાડીમાં પવન ચાલુ રહે, તો ચૌદમે વર્ષે અને આખો દિવસ ચાલે, તો બારમે વર્ષે મૃત્યુ થાય. // ૮૮ / તથા - ५५१ तथैव च वहन् वायुः, अहोरात्रं द्वयहं त्र्यहम् । दशमाऽष्टम-षष्ठाब्देष्वन्ताय भवति क्रमात् ॥ ८९ ॥ ટીકાર્થ:- તેવી જ રીતે તે પૌષ્ણકાળમાં એક રાત્રિ-દિવસ, બે કે ત્રણ દિવસ સૂર્યનાડીમાં પવન ચાલે, તો અનુક્રમે દશમે, આઠમે કે છકે વર્ષે મૃત્યુ થાય / ૮૯ો તથા - ५५२ वहन दिनानि चत्वारि, तुर्येऽब्दे मृत्यवे मरुत् । साशीत्यहःसहस्रे तु, पञ्चाहानि वहन् पुनः ॥ ९० ॥ ટીકાર્થ: તે જ પ્રમાણે ચાર દિવસ સુધી સૂર્યનાડીમાં પવન ચાલુ રહે, તો ચોથે વર્ષે અને પાંચ દિવસ ચાલુ રહે, તો એક હજાર, એંશી દિવસે એટલે ત્રણ વર્ષે મૃત્યુ થાય. // ૯૦ || તથા - ५५३ एकद्वित्रिचतुःपंच-चतुर्विंशत्यहःक्षयात् षडादीन् दिवसान् पञ्च, शोधयेदिह तद् यथा ॥ ९१ ॥ ટીકાર્ય - એક સૂર્યનાડીમાં છ, સાત, આઠ, નવ, દસ દિવસ સુધી પવન વહેવાનો ચાલુ રહે, તો ૧૦૮૦ દિવસોમાંથી એક ચોવીશી, બે ચોવીશી, ત્રણ ચોવીશી, ચાર ચોવીશી અને પાંચ ચોવીશી અનુક્રમે ઘટાડે ! ૯૧ ૫. હવે ચાર શ્લોકો વડે વિસ્તારથી સમજાવે છે५५४ षटकं दिनानामध्यर्कं, वहमाने समीरणे जीवत्यहां सहस्रं षट्पञ्चाशदिवसाधिकम् ॥ ९२ ॥ ટીકાર્ય - સૂર્યનાડીમાં છ દિવસ પવન ચાલુ રહે તો એક ચોવીશી ઓછી કરવાથી ૧૦૫૬ દિવસ જીવે. | ૯૨ | તથા - Page #520 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૮૮-૯૮ ५५५ ५५६ 1 ।। ૧૨ । -- ટીકાર્ય :- સાત દિવસ લાગલગાટ પવન ચાલ્યા જ કરે, તો એક હજાર ને આઠ દિવસ તથા આઠ દિવસ ચાલે તો નવસો છત્રીસ દિવસ તે જીવે. II ૯૩ II તથા - ५५७ सहस्त्रं साष्टकं जीवेद्, वायौ सप्ताहवाहिनि सषट् त्रिंशन्नवशतीं, जीवेत्त्वष्टाहवाहिनि 1 ।। ૧૪ ।। ટીકાર્થ :- નવ દિવસ સુધી સતત પવન સૂર્યનાડીમાં વહ્યા કરે, તો આઠસો ચાલીશ દિવસ જીવે, નવસો છત્રીશમાંથી ચાર ચોવીશી–૯૬ બાદ કરતાં આ સંખ્યા આવે છે. ।। ૯૪ । તથા - ५५८ एकत्रैव नवाहानि, तथा वहति मारुते अह्नामष्टशतीं जीवेच्चत्वारिंशद्दिनाधिकाम् 1 ।। ૧૫ । ટીકાર્થઃ- તેવી જ રીતે પૌષ્ણ કાળમાં એક નાડીમાં દશ દિવસ વાયુ વહન થાય, તો સાતસો વીશ દિવસ જીવે. આઠસો ચાલીશમાંથી પાંચ ચોવીશી=૧૨૦ બાદ કરતાં આ જ સંખ્યા આવે. ॥ ૯૫ ॥ તથા - તથા - तथैव वा प्रवहत्येकत्र दश वासरान् विंशत्यभ्यधिकामह्नां, जीवेत् सप्तशतीं ध्रुवम् ५६० ' ।। ૧૬ ॥ ટીકાર્થ :- ૧૧-૧૨-૧૩-૧૪-૧૫ દિવસ સુધી એક નાડીમાં પવન સતત ચાલુ રહે, તો અનુક્રમે સાતસો વીશમાંથી અનુક્રમે ૧-૨-૩-૪-૫ ચોવીશીના દિવસો બાદ કરવા. II ૯૬ II એ જ વાતને સ્પષ્ટ સમજાવે છે - ५५९ ૪૬૯ एकद्वित्रिचतुः पंच- चतुर्विंशत्यहः क्षयात् एकादशादिपञ्चाहान्यत्र शोध्यानि तद् यथा एकादश दिनान्यर्क- नाड्यां वहति मारुते षण्णवत्यधिकान्यह्नां षट् शतान्येव जीवति 1 ।। ૧૩ । ટીકાર્થ ઃ- પૌષ્ણ કાળમાં સૂર્યનાડીમાં અગીયાર દિવસ વાયુ સતત ચાલ્યા કરે, તો તે છસો છન્નુ દિવસ જીવે. સાતસો વીશમાંથી એક ચોવીશી બાદ કરવાથી એટલી સંખ્યા આવે. ॥ ૯૭ तथैव द्वादशाहानि, वायौ वहति जीवति दिनानां षट्शतीमष्टचत्वारिंशत्समन्विताम् 1 11 82 11 ટીકાર્થ :- તે જ પ્રમાણે બાર દિવસ વાયુ વહન ચાલુ રહે, તો છસો અડતાલીશ દિવસ જીવે. ઉપલી સંખ્યામાંથી બે ચોવીશી=૪૮ બાદ કરતાં આ સંખ્યા આવે. ॥ ૯૮ ॥ તથા - Page #521 -------------------------------------------------------------------------- ________________ ४७० ५६१ તથા - I ।। ૧૧ । ટીકાર્થ :- તે જ પ્રમાણે તે૨ દિવસ સુધી સૂર્યનાડીમાં સતત પવન ચાલુ રહે, તો પાંચસો છોત્તેર દિવસ જીવે, છસો અડતાલીશમાંથી ત્રણ ચોવીશી=૭૨ ઘટાડવાથી આટલી સંખ્યા બાકી રહે. ॥ ૯૯ ॥ ५६२ t चतुर्दश दिनान्येवं, प्रवाहिणि समीरणे अशीत्यभ्यधिकं जीवेद्, अह्नां शतचतुष्टयम् || શ્૦૦ || ટીકાર્થ :- તે જ પ્રમાણે ચૌદ દિવસ પવન ચાલુ રહે, તો ચારસો એંશી દિવસ જીવે. છસો અડતાળીશમાંથી ચાર ચોવીશી=૯૬ બાદ કરવાથી આટલી સંખ્યા બાકી રહે. ।। ૧૦૦ તથા - ५६३ त्रयोदश दिनान्यर्क - नाडीचारिणि मारुते जीवेत् पञ्चशतीमह्नां षट्सप्ततिदिनाधिकाम् ५६४ तथा पंचदशाहानि यावद् वहति मारुते जीवेत् षष्टिदिनोपेतं, दिवसानां शतत्रयम् ' ||‰‰ ॥ : ટીકાર્થ ઃ- તે પ્રમાણે પંદ૨ દિવસ સુધી પવન ચાલુ રહે, તો ત્રણસો સાઠ દિવસ તે જીવે. ચારસો એંશીમાંથી પાંચમી ચોવીશી ઓછી કરતાં એટલે એકસો વીશ દિવસ બાદ કરતાં તેટલી સંખ્યા આવે. II ૧૦૧ || તથા - યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५६६ एकद्वित्रिचतुः पञ्च- द्वादशाहक्रमक्षात् षोडशाद्यानि पञ्चाहान्यत्र शोध्यानि तद् यथा ' ॥ ધ્ર્ ॥ ટીકાર્થ :- સોળથી માંડી પાંચ દિવસ પર્યંત સૂર્યનાડીમાં પવન ચાલે, તો અર્થાત્ સોળ, સત્તર, અઢાર, ઓગણીશ અને વીશ દિવસ સુધી એક સૂર્યનાડીમાં પવન સતત ચાલ્યા કરે, તો ત્રણસેં સાઠ દિવસોમાંથી એક દિવસે એક બા૨, બીજે દિવસે બે બાર, ત્રીજા દિવસે ત્રણ બાર, ચોથા દિવસે ચાર વખત બાર અર્થાત્ ૧૨૪૪=૪૮ અને પાંચમા દિવસે પાંચ વખત બાર (૫૪૧૨=૪૦) એમ ક્રમસ૨ બાદ કરતાં બાકી રહેલા દિવસો સુધી તે જીવે. ।। ૧૦૨ ॥ તે હવે સમજાવે છે ५६५ 1 प्रवहत्येकनासायां, षोडशाहानि मारुते जीवेत् सहाष्टचत्वारिंशतं दिनशतत्रयीम् ॥ ૬૦૨ ॥ -- ટીકાર્થ :- લાગલગાટ સોળ દિવસ સુધી પિંગલા કે ગમે તે એક નાસિકામાં પવન વહ્યા કરે, તો તે ત્રણસો અડતાલીશ દિવસ જીવે. ૩૬૦માંથી એક બા૨-૧૨ બાદ કરતાં તેટલી સંખ્યા આવે. ॥ ૧૦૩ || તથા - वहमाने तथा सप्तदशाहानि समीरणे अह्नां शतत्रये मृत्युश्चतुर्विंशतिसंयुते || ૬૦૪ ॥ ટીકાર્ય :- તે જ પ્રમાણે સત્તર દિવસ એક નાડીમાં પવન વહેતો રહે, તો ત્રણસેં ચોવીશ દિવસ તે જીવતો રહે. ૩૪૮માંથી બે બાર–૨૪ બાદ કરતાં તેટલા જ રહે. ।। ૧૦૪ ।। Page #522 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૯૯-૧૧૦ ૪૭૧ તથા - ५६७ पवने विचरत्यष्टादशाहानि तथैव च नाशोऽष्टाशीतिसंयुक्ते, गते दिनशतद्वये || ૨૦ || ટીકાર્થઃ- અઢાર દિવસ પવન ચાલુ રહે, તો બસો અઠયાસી દિવસે મૃત્યુ થાય. ૩૨૪માંથી ત્રણ બાર=૩૬ બાદ કરતાં તેટલી સંખ્યા બાકી રહે. / ૧૦૫ II તથા - ५६८ विचरत्यनिले तद्वद्, दिनान्येकोनविंशतिम् । चत्वारिंशद्युते याते, मृत्युदिनशतद्वये | ૨૦૬ || ટીકાર્થ:-પૂર્વની જેમ ઓગણીશ દિવસ વાયુ ચાલે, તો બસો ચાલીશ દિવસ જીવે. બસો અડ્યાશીમાંથી ચાર ગુણા બાર-૪૮ બાદ કરવાથી તેટલા દિવસની સંખ્યા આવે.// ૧૦૬ // તથા - ५६९ विंशतिं दिवसानेकनासाचारिणि मारुते साशीतौ वासरशते, गते मृत्युर्न संशयः | ૨૦૧૭ | ટીકાર્થ - એક જ નાડીમાં વીસ દિવસ સુધી પવન ચાલ્યા કરે, તો એકસો એંશીમા દિવસે નક્કી મૃત્યુ થાય. બસો ચાલીશમાંથી પાંચ બાર=૬૦ બાદ કરતાં એટલા જ દિવસ બાકી રહે. તે ૧૦૭ || તથા - ५७० एकद्वित्रिचतुःपञ्च-दिनषट्क क्रमक्षयात् । एकविंशादिपञ्चाहान्यत्र शोध्यानि तद् यथा ॥१०८ ॥ ટીકાર્થ:- એકવીશથી માંડી પચ્ચીસ દિવસ સુધી સૂર્યનાડીમાં પવન ચાલુ રહે, તો ક્રમસર એક, બે, ત્રણ, ચાર અને પાંચ છક્કા બાદ કરવા. ૧૦૮ II તે ક્રમ સમજાવે છે – ५७१ एकविंशत्यहं त्वर्क - नाडीवाहिनि मारुते । चतुःसप्ततिसंयुक्ते, मृत्युदिनशते भवेत् ॥१०९ ॥ ટીકાર્થ:- આગળ કહેલ પૌષ્ણકાળમાં એકવીસ દિવસ સુધી સૂર્યનાડીમાં પવન ચાલતો હોય, તો એકસો ચુમોતેર દિવસે તેનું મૃત્યુ થાય. એકસો એંશીમાંથી એક છક્કો બાદ કરતાં તેટલા જ બાકી રહે. // ૧૦૯ II તથા - ५७२ द्वाविंशतिदिनान्येवं, स द्विषष्टावहःशते षदिनोनैः पंचमासैस्त्रयोविंशत्यहानुगे ટીકાર્થ :- પ્રમાણે બાવીસ દિવસ પવન ચાલે, તો એકસો બાસઠ દિવસ જીવે, ત્રેવીસ દિવસ પવન એક નાડીમાં ચાલે, તો છ દિવસ ન્યૂન પાંચ મહિના જીવે. બે અને ત્રણ છક્કા અનુક્રમે બાદ કરવાથી તેટલી સંખ્યા બાકી રહે. || ૧૧૦. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ તથા - ५७३ तथैव वायौ वहति, चतुर्विंशतिवासरीम् । विंशत्यभ्यधिके मृत्युर्भवेद् दिनशते गते ॥१११ ॥ ટીકાર્થ:- ચોવીશ દિવસ સુધી તે પ્રમાણે વાયુ એક નાડીમાં વહન ચાલુ રહે, તો એકસો વીસ દિવસે મૃત્યુ થાય. એકસો ચુમ્માલીશમાંથી ચાર છક્કા=૨૪ બાદ કરવાથી તેટલી સંખ્યા આવે. / ૧૧૧ // તથી – ५७४ पंचविंशत्यहं चैवं, वायो मासत्रये मृतिः मासद्वये पुनर्मृत्यु, षड् विंशतिदिनानुगे || ૨૨૨ | ટીકાર્થ:-પચ્ચીશ દિવસ વાયુ ચાલુ રહે, તો ત્રણ મહિને મૃત્યુ થાય, એકસો વશમાંથી પાંચ છક્કા=૩૦ ઓછા કરવાથી તેટલા જ બાકી રહે તથા છવ્વીસ દિવસ વાયુ વહન થાય તો બે મહિને મૃત્યુ થાય. // ૧૧૨I/ તથા – . ५७५ सप्तविंशत्यहवहे, नाशो मासेन जायते मासार्धेन पुनर्मृत्युरष्टाविंशत्यहानुगे ટીકાર્થ:સત્તાવીશ દિવસ પવન ચાલુ રહે, તો એક મહિને મૃત્યુ થાય. અઠ્ઠાવીસ દિવસ પવન ચાલે તો પંદર દિવસે મૃત્યુ થાય. / ૧૧૩ તથા – ५७६ નશિ, મૃતિઃ ચઢશનિ ! ___त्रिंशद्दिनीचरे तु स्यात्, पञ्चत्वं पंचमेऽदिने ॥११४ ॥ ટીકાર્થ:- ઓગણત્રીસ દિવસ વાયુ ચાલે તો દશમે દિવસે મરણ અને ત્રીસ દિવસ સુધી વાયુ ચાલુ રહે, તો પાંચમે દિવસે મૃત્યુ થાય. // ૧૧૪ . તથા - ५७७ एकत्रिंशदहचरे, वायौ मृत्युदिनत्रये । द्वितीयदिवसे नाशो, द्वात्रिंशदहवाहिनि ॥११५ ।। ટીકાર્ય - એકત્રીસ દિવસ પવન વહે, તો ત્રણ દિવસે અને બત્રીસ દિવસ પવન વહે, તો બે દિવસે મૃત્યુ સમજવું. / ૧૧પ હવે સૂર્યનાડીના ચારનો ઉપસંહાર કરી ચંદ્રનાડીના ચારને કહે છે - ५७८ त्रयस्त्रिंशदहचरे, त्वेकाहेनापि पञ्चता एवं यदीन्दुनाड्यां स्यात्, तदा व्याध्यादिकं दिशेत् ॥ ११६ ॥ ટીકાર્થ એ પ્રમાણે સૂર્યનાડીમાં તેત્રીશ દિવસ સુધી પવનચાલુ રહે, તો એક જ દિશામાં મૃત્યુ થાય. ચંદ્રનાડી એટલે ડાબી નાસિકામાં એ પ્રમાણે પવન ચાલુ રહે તો મૃત્યુ ન થાય, પરંતુ પૂર્વોક્ત વિધિ પ્રમાણે વ્યાધિ, મિત્રનાશ, મહાભય, સ્વદેશ-વિરહ, ધન-પુત્રાદિકનો નાશ, રાજ-વિનાશ, દુકાળ આદિ થાય. / ૧૧૬ | Page #524 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૧૧૧-૧૨૨ ૪૭૩ ઉપસંહાર કરતાં કહે છે – ५७९ अध्यात्मं वायुमाश्रित्य, प्रत्येकं सूर्य-सोमयोः । વધ્યાલયોન, નાનીથાતું, વત્નનિયમ્ | ૭ | ટીકાર્થ :- શરીરની અંદર રહેલા વાયુને આશ્રીને સૂર્ય-ચંદ્રના વાયુનો અભ્યાસ કરી કાલનો નિર્ણય જાણવો. || ૧૧૭ || બાહ્ય કાલ-લક્ષણ જણાવે છે५८० आध्यात्मिकविपर्यासः, सम्भवेद् व्याधितोऽपि हि । तन्निश्चयाय बध्नामि, बाह्यं कालस्य लक्षणम् ॥११८ ॥ ટીકાર્થ - કદાચ વ્યાધિ કે રોગ ઉત્પન્ન થવાથી પણ શરીર સંબંધી વાયુનો ફેરફાર થઈ જાય છે, માટે કાલજ્ઞાનનો નિશ્ચય કરવા કાલનું બાહ્ય લક્ષણ બાંધું છું. / ૧૧૮ ५८१ नेत्र-श्रोत्र-शिरोभेदात्, स च त्रिविधलक्षणः । निरीक्ष्यः सूर्यमाश्रित्य, यथेष्टमपरः पुनः ॥११९ ॥ ટીકાર્થ :- નેત્ર, કાળ અને મસ્તકના ભેદથી ત્રણ પ્રકારના લક્ષણને જણાવનારા આ બાહ્ય કાળને સૂર્યને અવલંબીને જોવો અને તે સિવાય અન્ય કાળના ભેદને પોતાની ઈચ્છા પ્રમાણે જોવો. | ૧૧૯ || તેમાં નેત્ર લક્ષણ કહે છે५८२ वामे तत्रेक्षणे पद्मं, षोडशच्छदमैन्दवम् जानीयाद् भानवीयं तु, दक्षिणे द्वादशच्छदम् ॥१२० ॥ ટીકાર્થ :- ડાબા નેત્રમાં સોળ પાંખડીવાળું ચંદ્ર વિકાસી કમળ વિચારવું. જમણા નેત્રમાં બાર પાંખડીવાળું સૂર્ય-વિકાસી કમળ ભાવવું. તે ૧૨૦ ५८३ खद्योतद्युतिवर्णानि, चत्वारि च्छदनानि तु । प्रत्येकं तत्र दृश्यानि, स्वाङ्गलीविनिपीडनात् ॥१२१ ॥ ટીકાર્થ - ગુરુના ઉપદેશાનુસાર પોતાની અંગુલીઓથી આંખ દબાવીને દરેક કમળની ચાર પાંખડીઓ ઝળહળતી દેખવી. // ૧૨૧ ||. તેમાં - ५८४ सोमाधो भूलताऽपाङ्ग-घ्राणान्तिकदलेषु तु । નઈ મામૃત્યુ, પત્રિ-યુમૈમાતઃ | ૨૨૨ . ટીકાર્થ:-ચંદ્ર સંબંધી કમળમાં હેઠળની ચાર પાંખડીઓ ન દેખાય, તો છ મહિને ભૃકુટી પાસેની પાંખડી ન દેખાય, તો ત્રણ મહિને, આંખના ખૂણા તરફની પાંખડીઓ ન દેખાય, તો બે મહિને અને નાસિકા તરફની પાંખડીઓ ન દેખાય, તો એક મહિને મૃત્યુ થાય.૧૨૨ તથા – Page #525 -------------------------------------------------------------------------- ________________ ४७४ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५८५ अयमेव क्रमः पद्ये, भानवीये यदा भवेत् । દ્રશ-પગ્ન-ત્રિ-કિર્તિ, #મામૃત્યુપ્તતા મવેત્ | ૨૨૩ ૫ ટીકાર્થઃ- એ જ ક્રમ પ્રમાણે સૂર્ય સંબંધી કમળની પાંખડીઓ ન દેખાય, તો અનુક્રમે દશ, પાંચ, ત્રણ અને બે દિવસે મૃત્યુ થાય.// ૧૨૩ // તથા - ५८६ एतान्यपीड्यमानानि, द्वयोरपि हि पद्मयोः । दलानि यदि वीक्षेत, मृत्युर्दिनशतात् तदा ॥१२४ ॥ ટીકાર્ચ - આંગળીઓથી દબાવ્યા વગર જ જો બંને કમળોની પાંખડીઓ દેખાય, તો સો દિવસે મૃત્યુ સમજવું. || ૧૨૪] હવે બે શ્લોકોથી કાનથી થતા આયુષ્ય-જ્ઞાનને જણાવે છે - ५८७ ध्यात्वा हृद्यष्टपत्राब्ज, श्रोत्रे हस्ताग्रपीडिते न श्रूयेताग्निर्घोषो, यदि स्वः पञ्च वासरान् ॥१२५ ॥ ५८८ दश वा पञ्चदश वा, विंशति पञ्चविंशतिम् । तदा पञ्च-चतुस्त्रिद्वयेकवर्षेः मरणं कमात् || ૧૨૬ | ટીકાર્થ:- હૃદયમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવીને તર્જની આંગળીથી બંને કાન દબાવીને જો પોતાનો અગ્નિ શબ્દ પાંચ દિવસ ન સાંભળે, તો પાંચ વર્ષે, જો દશ દિવસ ન સંભળાય, તો ચાર વર્ષે, જો પંદર દિવસ ન સાંભળે, તો ત્રણ વર્ષે, જો વીશ દિવસ ન સંભળાય, તો બે વરસે અને પચ્ચીસ દિવસ ન સંભળાય, તો એક વર્ષે મૃત્યુ થાય. // ૧૨૫-૧૨૬ // તથા - ५८९ एक-द्वि-त्रि-चतुः-पंच-चतुर्विंशत्यहःक्षयात् । षडादि-षोडशदिनान्यन्तराण्यपि शोधयेत् ૨૨૭ છે. ટીકાર્થ:- છ દિવસથી માંડી, સોળ દિવસ સુધી કાનમાં અગ્નિ શબ્દ ન સંભળાય, તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ ચોવીશી પ્રમાણ દિવસો ઘટાડવાથી કાળ-જ્ઞાન જાણી શકાય. તે આ પ્રમાણે-પાંચ દિવસ કાનમાં શબ્દ ન સાંભળે, તો પાંચ વર્ષે મૃત્યુ થાય, એ વાત પહેલાં કહી ગયા છીએ. ત્યાર પછી છઠ્ઠા દિવસે અગ્નિ શબ્દ ન સાંભળે તો પાંચ વર્ષના દિવસોમાંથી એક ચોવીશી બાદ કરવાથી સત્તરસો છોત્તેરમા દિવસે મૃત્યુ પામે. સાતમા દિવસે ન સાંભળે, તો આગળની કહેલી સંખ્યામાંથી બે ચોવીશી એટલે અડતાલીશ ઓછા કરતાં સત્તરો અઠ્ઠાવીસ દિવસે મૃત્યુ થાય. આઠમા દિવસે પણ ન સંભળાય તો બાકી રહેલી સંખ્યાવાળા દિવસોમાંથી ત્રણ ચોવીશી=૭૨ દિવસો ઘટાડવાથી સોળસો છપ્પન દિવસે મૃત્યુ થાય. નવમા દિવસે પણ ન સાંભળે, તો આગળના વધેલા દિવસોમાંથી ચાર ચોવીશી-૯૬ દિવસો ઓછા કરવાથી પંદર સો સાઠ દિવસે મૃત્યુ થાય. દશમા દિવસે પણ ન સંભળાય તો બાકી રહેલા તે દિવસોમાંથી પંચ ચોવીશી=૧૨૦બાદ કરતાં ૧૪૪૦ દિવસ એટલે ચાર વર્ષે મૃત્યુ થાય. આ પ્રમાણે અગીયાર આદિ સોળ દિવસો એકવીશ દિવસો સુધી અગ્નિ શબ્દ ન સંભળાય, તો તે પ્રમાણે ચોવીશીઓ ઘટાડવી, અને કાલ-જ્ઞાન જાણવું. / ૧૨૭ || Page #526 -------------------------------------------------------------------------- ________________ पांयमो प्रश, मो. १२३-१३४ ४७५ ५९० ब्रह्मद्वारे प्रसर्पन्ती, पञ्चाहं धूममालिकाम् । न चेत् पश्येत्तदा ज्ञेयो, मृत्युः संवत्सरस्त्रिभिः ॥१२८ ॥ ટીકાર્ય :- બ્રહ્મરશ્વમાં ફેલાતી ગુરુના ઉપદેશથી જોવા લાયક એવી ધૂમરેખાને જો પાંચ દિવસ સુધી ન જુએ, तोत्र वर्षमा मृत्यु थाय. ।। १२८ ।। અન્ય પ્રકારે કાલ જ્ઞાન ૬ શ્લોકો દ્વારા કહે છે५९१ प्रतिपद्दिवसे काल-चक्रज्ञानाय शौचवान् । आत्मनो दक्षिणं पाणिं, शुक्लपक्षं प्रकल्पयेत् ॥१२९ ॥ ટીકાર્થ :- પડવાને દિવસે પવિત્ર થઈ, કાલચક્ર જાણવા માટે, પોતાના જમણા હાથને શુક્લપક્ષ તરીકે ४८. ।। १२८॥ तथा - ५९२ अधो-मध्योर्ध्वपर्वाणि, कनिष्ठाङ्गलिगानि तु । क्रमेण प्रतिपत्षष्ठेयकादशी: कल्पयेत् तिथीः ॥१३० ॥ अवशेषाङ्गलीपर्वाण्यवशेषतिथीस्तथा पंचमी-दशमी-राकाः, पर्वाण्यङ्गुष्ठगानि तु ॥१३१ ॥ ટીકાર્ચ - કનિષ્ઠ આંગળીના નીચેના પર્વને પડવો, મધ્ય પર્વને ષષ્ઠી તિથિ, ઉપરના પર્વને એકાદશી કલ્પવી. અંગુઠા સિવાય, બાકીની આંગળીઓનાં પર્વોને બાકીની તિથિઓ કલ્પવી. અંગુઠાનાં પર્વોને પંચમી, शमी, पूर्णिमा तिथिमो ५वी. ॥ १3०-१३१ ।। ५९४ वामपाणिं कृष्णपक्षं, तिथीस्तद्वच्च कल्पयेत् । ततश्च निर्जने देशे, बद्धपद्मासनः सुधीः ॥१३२ ॥ प्रसन्नः सितसंव्यानः, कोशीकृत्य करद्वयम् । ततस्तदन्तः शून्यं तु, कृष्णं वर्णं विचिन्तयेत् ॥१३३ ॥ ટીકાર્થ તથા ડાબા હાથને અંધારીયા પક્ષની અને જમણા હાથની માફક આંગળીઓમાં તિથિઓની કલ્પના કરવી. ત્યારપછી બુદ્ધિશાળી નિર્જન સ્થળમાં જઈને પદ્માસને બેસે અને પ્રસન્નતાપૂર્વક સફેદ ખેસ પહેરી બે હાથને કમળના ડોડાકારે રાખી, તે હાથની અંદર કાળા વર્ણનું એક બિન્દુ ચિંતવવું. // ૧૩૨-૧૩૩ / तथा - ५९६ उद्घाटितकराम्भोजस्ततो यत्राङ्गलीतिथौ । वीक्ष्यते कालबिन्दुः, स काल इत्यत्र कीर्त्यते ॥१३४ ॥ ટીકાર્થઃ- ત્યારપછી હસ્તકમળ ખુલ્લું કરતા જે આંગળીમાં કલ્પેલી તિથિમાં કાળું બિન્દુ દેખાય, તે અહીં કાલनिनाविषयमा स-तिथि सम४वी. ॥ १३४॥ કાલ-જ્ઞાન વિષયક બીજા ઉપાયો કહે છે - ५९५ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५९७ क्षुत-विण्मेद-मूत्राणि, भवन्ति युगपद् यदि । मासे तत्र तिथौ तत्र, वर्षान्ते मरणं तदा ॥१३५ ॥ ટીકાર્થ:- જે મનુષ્યને એકી સાથે છીંક, વિષ્ટા, વિર્યસ્રાવ અને મૂત્ર થઈ જાય, તો તેનું તે વર્ષના અંતે, તે જ મહિને અને તે જ દિવસે મૃત્યુ થાય.// ૧૩૫ /. તથા - ५९८ रोहिणी शशभृल्लक्ष्म, महापथमरुन्धतीम् । ध्रुवं च न यदा पश्येद्, वर्षेण स्यात् तदा मृतिः ॥१३६ ॥ (“અરુન્ધત ઘુવં ચૈવ, વિષ્ણસ્ત્રી પાનિ | क्षीणायुषो न पश्यन्ति, चतुर्थं मातृमण्डलम् ॥ अरुन्धती भवेत् जिह्वा, ध्रुवो नासाग्रमुच्यते । તારા વિષ્ણુપર્વ છો , મૂવી ચામાતૃમાનમ્ ) ટીકાર્ય :- રોહિણી નક્ષત્ર, ચંદ્રલાંછન, છાયા પથ-આકાશ માર્ગ, અરુંધતી (વશિષ્ઠ-ભાર્યા), ધ્રુવ, બે આંખનો મધ્ય ભાગ (નાસાગ્રો, આ સર્વેને કે એકલાને સારી નજરવાળો ન દેખે તો એક વર્ષમાં મૃત્યુ થાય. લૌકિકો પણ કહે છે કે - “ક્ષીણ થયેલા આયુષ્યવાળા અરુંધતી એટલે જિલ્લા, ધ્રુવ એટલે નાસાગ્ર ભાગ, વિષ્ણુનાં ત્રણ પગલાં આકાશ) અને ચોથું બે આંખનો મધ્યભાગ ન દેખી શકે. અરુંધતી એટલે જીભ, ધ્રુવ એટલે નાસિકાનો અગ્ર ભાગ, તારા એટલે આકાશ અને ભૂ એટલે બે આંખનો મધ્યભાગ સમજવો. તે ૧૩૬ // स्वप्ने स्वं भक्ष्यमाणं श्व-गृध्र-काक-निशाचरैः । उह्यमानं खरोष्ट्राद्यैर्यदा पश्येत् तदा मृतिः ॥१३७ ॥ ટીકાર્થ:- શ્વાન, ગીધ, કાગડા, રાત્રે રખડનાર નિશાચર આદિ વડે પોતાને ભક્ષણ કરાતો કે ગધેડા, ઉંટ, કૂતરા, વરાહ આદિ વડે ઉંચકાતો કે ખેંચાતો સ્વપ્રમાં દેખે તો એક વર્ષે મૃત્યુ થાય. વર્ષની અનુવૃત્તિ આગલા શ્લોકથી ચાલી આવે છે. // ૧૩૭ / તથા – ६०० रश्मिनिर्मुक्तमादित्यं, रश्मियुक्तहविर्भुजम् ।। यदा पश्येद् विपद्येत, तदैकादशमासतः ॥१३८ ॥ ટીકાર્થ:- બીજાઓ કિરણ-સહિત સૂર્યને દેખતા હોય, ત્યારે પોતે સૂર્યને કિરણ વગરનો જુએ અને અગ્નિને કિરણ-સહિત દેખે, તો અગીયાર મહિને મૃત્યુ થાય. // ૧૩૮ !! તથા - ६०१ वृक्षाग्रे कुत्रचित् पश्येद्, गन्धर्वनगरं यदि । पश्येत् प्रेतान् पिशाचान् वा, दशमे मासि तन्मृतिः॥१३९ ॥ ટીકાર્થઃ- કોઈક સ્થાને કે વૃક્ષની ટોચે ખરેખર નગર સરખું ગંધર્વ-નગર કે પ્રેત, પિશાચોને સાક્ષાત દેખે, તો દસમે મહિને મૃત્યુ થાય. / ૧૩૯ll Page #528 -------------------------------------------------------------------------- ________________ पांयभो प्रकाश, सो. १३५ - १४६ तथा - ६०२ I ॥ १४० ॥ ટીકાર્થ :- स्वप्नभां भे उसटी, भूत्र, विष्टा अथवा सोनुं, ३युं दुखे, तो नव महिनाथी अधिक न 29.1198011 तथा - ६०३ स्थूलोऽकस्मात् कृशोऽकस्मादकस्मादतिकोपनः । अकस्मादतिभीरुर्वा, मासानष्टैव जीवति ટીકાર્થ :- જે વગર કારણે અકસ્માત જાડો થઈ જાય કે દુર્બળ-પાતળો થઈ જાય, અકસ્માત્ બીકણ કે ક્રોધી स्वभाववाणी अर्ध भय, तो ते साठ ४ महिना भवे ॥ १४१ ॥ तथा - ६०४ छर्दिर्मूत्रं पुरीषं वा, सुवर्ण रजतानि वा स्वप्ने पश्येद्यदि तदा मासान् नवैव जीवति ६०५ ६०६ समग्रमपि विन्यस्तं, पांशौ वा कर्दमेऽपि वा स्याच्चेत्खण्डं पदं सप्तमास्यन्ते म्रियते तदा । ।। १४२ ।। ટીકાર્થઃ- પૃથ્વી ૫૨ ધૂળ કે કાદવમાં આખું પગલું સ્થાપન કરવા છતાં તે પગલું અખંડ ન પડતાં ખંડિત પડ્યું होय, तो ते सात महिने मृत्यु पामे ॥ १४२ ॥ तथा - ६०८ तारां श्यामां यदा पश्येत्, शुष्येदधरतालु च न स्वाङ्गुलित्रयं मायाद्, राजदन्तद्वयान्तरे ।। १४१ ।। ४७७ 1 ।। १४३ ।। गृध्रः काकः कपोतो वा, क्रव्यादोऽन्योऽपि वा खगः 1 निलीयेत यदा मूर्धिन, षण्मास्यन्ते मृतिस्तदा ।। १४४ ।। ટીકાર્થ:- જો આંખની કીકી તદ્દન અંજનવર્ણ સરખી શ્યામ દેખાય તથા હોઠ અને તાળવું સુકાય, મુખ પહોળું કરેલું હોય ત્યારે નીચેના અને ઉ૫૨ના દાંત વચ્ચે પોતાની ત્રણ આંગળી ન સમાય. ગીધ, કાગડો, કબૂતર કે માંસ खानार डोई पक्षी माथा पर जेसी भय, तो छ महिनाना अंते मृत्यु थाय ॥ १४३-१४४ ।। ६०७ प्रत्यहं पश्यताऽनभ्रे ऽहन्यापूर्य जलैर्मुखम् विहिते पूत्कृते शक्र - धन्वान्तस्तत्र दृश्यते यदा न दृश्यते तत्तु, मासैः षड्भिर्मृतिस्तदा परनेत्रे स्वदेहं चेत्, न पश्येन्मरणं तदा I ।। १४५ ।। 1 ।। १४६ ।। ટીકાર્થ :- હંમેશાં વાદળ વગરના દિવસે મુખમાં પાણી ભરીને આકાશ સામે પીચકારી માફક કોગળો કરી ઉછાળે, એમ કેટલાક દિવસ જોતા કે પાણીમાં ઈન્દ્રધનુષ જેવો આકાર દેખાય છે, જ્યારે તે આકાર ન દેખાય, તો છ મહિને મૃત્યુ થશે - એમ જાણવું તથા બીજાની આંખમાં પોતાનું શરીર દેખાય નહિં, તો પણ છ મહિને મૃત્યુ सम४. ॥ १४५-१४६ ॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ ४७८ तथा - ६०९ 1 ।। १४८ ।। कूर्परौ न्यस्य जान्वोर्मूर्येकीकृत्य करौ सदा रम्भाकोशनिभां छायां, लक्षयेदन्तरोद्भवाम् विकासि च दलं तत्र, यदैकं परिलक्ष्यते तस्यामेव तिथौ मृत्युः, षण्मास्यन्ते भवेत् तदा ટીકાર્થ :- બંને જાનુઓ ઉપર બંને હાથની કોણીઓ સ્થાપન કરી હાથના બંને પંજાઓ મસ્તક ઉપર એકઠા કરી બંને હાથના આંતરામાં કેળના ડોડાના આકાર સરખી ઉત્પન્ન થતી છાયાને હંમેશાં જોયા કરતાં જે દિવસે ડોડાનું એક પત્ર ખીલેલું દેખાય, તો તે દિવસે તે તિથિએ છ મહિના પછી તેનું મરણ થાય. II ૧૪૭-૧૪૮ ॥ इन्द्रनीलसमच्छायाः, वक्रीभूताः सहस्रशः मुक्ताफलालङ्करणाः, पन्नगाः सूक्ष्ममूर्तयः दिवा संमुखमायान्तो, दृश्यन्ते व्योम्नि सन्निधौ न दृश्यन्ते यदा ते तु षण्मास्यन्ते मृतिस्तदा ६११ I ।। १४९ ।। 1 ।। १५० ।। ટીકાર્થ ઃ- વાદળા વગરના ઉઘાડા તડકાવાળા સ્વચ્છ દિવસે ઈન્દ્રનીલરત્ન સરખી કાંતિવાળા, વાંકા-ચૂંકા, હજારો મોતીના અલંકારવાળા, સૂક્ષ્મ આકૃતિવાળા સર્પો આકાશમાં સન્મુખ આવતા દેખાય જ્યારે તેવા સર્પો ન हेजाय, त्यारे समभ्धुं छ महिनाना अंते भरा थशे. ।। १४८-१५० ।। तथा - ६१० ६१२ ६१३ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ स्वप्ने मुण्डितमभ्यक्तं, रक्तगन्धस्त्रगम्बरम् 1 पश्येद् याम्यां खरे यान्तं, स्वं योऽब्दार्थं स जीवति ।। १५१ ।। ટીકાર્થ ઃ- જે મનુષ્ય સ્વપ્રમાં પોતાનું મસ્તક મુંડાવેલું, તેલથી મર્દન કરાવેલું. રાતા પદાર્થથી શરીર પર લેપ કરેલ, રાતી માળા પહેરેલ, લાલ વસ્ત્ર ધારણ કરેલ, ગધેડા પર બેસી દક્ષિણ દિશા તરફ જતો પોતાને દેખે, તે અર્ધું વર્ષ भुवे ॥ १५१ ॥ ६१४ घण्टानादो रतान्ते चेद्, अकस्मादनुभूयते पञ्चता पञ्चमास्यन्ते, तदा भवति निश्चितम् ६१५ 1 ।। १४७ ॥ 1 ।। १५२ ।। ટીકાર્થ :- તથા જેને વિષય-સેવન કર્યા પછી અકસ્માત્ ઘંટાના નાદ સરખો નાદ સંભળાય, તે નક્કી પાંચ महिने पंयत्व पामे ॥ १५२ ॥ तथा - शिरो वेगात् समारुह्य, कृकलासो व्रजन् यदि दध्याद् वर्णत्रयं पञ्च-मास्यन्ते मरणं तदा 1 ।। १५३ ।। ટીકાર્થ :- કાચું(કી)ડો ઝડપથી જેના મસ્તક પર ચડીને જો ચાલ્યો જાય અને જતાં જતાં ત્રણ વર્ણ ધારણ કરે - विविध प्रहारनी येष्टाओो रे, तो पांय महिने तेनुं मृत्यु थाय ॥ १५३ ॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ पांयमो प्राश, श्लो. १४७ - १६२ ६१६ તો ટીકાર્થ :- જો નાસિકા વાંકી થઈ જાય, બે આંખો ગોળ બની જાય, બે કાન પોતાના સ્થાનથી ભ્રષ્ટ થાય, यार महिने मृत्यु थाय. ॥ १५४ ॥ तथा - ६१७ I ।। १५५ ॥ ટીકાર્થ :- જો સ્વપ્રમાં કાળા અને કાળા પરિવારવાળા લોહદંડ ધારણ કરનાર માણસને દેખે, તો ત્રણ મહિને मृत्युथाय ॥ १५५ ॥ तथा - ६१८ ६१९ ६२० 1 ।। १५६ ।। 1 ।। १५७ ।। ટીકાર્થ :- જો ચંદ્રમાને ઉષ્ણ, સૂર્યને શીતળ, પૃથ્વી અને સૂર્યમંડલમાં છિદ્રો જુએ, જીભને કાળી, મુખને લાલકમળ સરખું દેખે, તાળવું કંપે, મનમાં અતિશોક થાય, શરીરના વર્ણો અનેક જાતના થયા કરે અને અકસ્માત્ नाभिथी हेडडी उत्पन्न थाय. खावा लक्षावाणानुं जे महिनामां मृत्यु थाय ॥ १५६-१५७॥ तथा - ६२१ वक्रीभवति नासा चेद्, वर्तुलीभवतो दृशौ 1 स्वस्थानाद् भ्रश्यतः कर्णौ, चतुर्मास्यां तदा मृतिः ।। १५४ ।। ६२२ ६२३ कृष्णं कृष्णपरीवारं, लोहदण्डधरं नरम् यदा स्वप्ने निरीक्षेत मृत्युर्मासैस्त्रिभिस्तदा ६२४ इन्दुमुष्णं रविं शीतं, छिद्रं भूमौ वावपि जिह्वां श्यामां मुखं कोकनदाभं च यदेक्षते तालुकम्पो मनः शोको, वर्णोऽङ्गोऽनेकधा यदा नाभेश्चास्मिकी हिक्का, मृत्युर्मासद्वयात् तदा ४७७ ।। १५९ ।। जिह्वा नास्वादमादत्ते, मुहुः स्खलति भाषणे श्रोत्रे न शृणुतः शब्द, गन्धं वेत्ति न नासिका स्पन्देते नयने नित्यं दृष्टवस्तुन्यपि भ्रमः नक्तमिद्रधनुः पश्येत्, तथोल्कापतनं दिवा न च्छायामात्मनः पश्येद्, दर्पणे सलिलेऽपि वा अनब्दां विद्युतं पश्येत्, शिरोऽकस्मादपि ज्वलेत् ॥ १६० ॥ हंस - काक- मयूराणां, पश्येच्च क्वापि संहतिम् शीतोष्ण - खर- मृद्वादेरपि, स्पर्शं न वेत्ति च 1 1 ।। १६१ ।। अमीषां लक्ष्मणां मध्याद्, यदैकमपि दृश्यते जन्तोर्भवति मासेन, तदा मृत्युर्न संशयः I ।। १५८ ।। 1 ।। १६२ ।। ટીકાર્થ :- જો જીભ સ્વાદ જાણી શકે નહિં, બોલતાં બોલતાં વારંવાર સ્ખલના થાય, કાન શબ્દ ન સાંભળે, નાસિકા ગંધ ન પારખે, નિરંતર નેત્રો ફરક્યા કરે, દેખેલી વસ્તુમાં પણ ભ્રમ થાય, ,રાત્રે ઈન્દ્રધનુષ્ય દેખે, દિવસે ઉલ્કા પડતી દેખે, દર્પણમાં કે પાણીમાં પોતાનું પ્રતિબિંબ ન દેખે, વાદળા વગરની વિજળી દેખે, અકસ્માત મસ્તક Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બળે. હંસ, કાગડા અને મોરના સમૂહને ક્યાંય પણ દેખે, વાયુના ઠંડા, ગરમ, કઠોર કે કોમળ સ્પર્શને જાણી શકે નહિ, આ સર્વ કહેલાં લક્ષણોમાંથી એક પણ દેખાય, તો નિઃસંદેહપણે તે એક મહિને મૃત્યુ પામે. | ૧૫૮-૧૬૨ // તથા -- ६२५ शीते हकारे फूत्कारे, चोष्णे स्मृति-गतिक्षये । अङ्गपञ्चकशैत्ये च, स्याद् दशाहेन पञ्चता ॥१६३ ॥ ટીકાર્થ:-પહોળા કરેલા મુખના વાયુ સાથે “હકાર અક્ષર બોલતાં જે વાયુ નીકળે, તે ઠંડો હોય. હોઠ પહોળા કરી વાયુ બહાર કાઢી ફૂત્કાર કરે તે વાયુ ગરમ હોય, સ્મરણનો અને ગતિનો ભ્રશ થાય, શરીરનાં પાંચ અંગો ઠંડા થઈ જાય, તો દશ દિવસમાં મૃત્યુ થાય. / ૧૬૩ !! તથા - ૬ ૨૬ अर्थोष्णमर्धशीतं च, शरीरं जायते यदा ज्वालाऽकस्मज्ज्वलेद् वाऽङ्गे, सप्ताहेन तदा मृतिः ॥ १६४ ॥ ટીકાર્થ:- જો અર્થ શરીર ઠંડુ અને અધું ઉનું હોય તથા અકસ્માતુ વગર કારણે શરીરમાં જ્વાલા બળ્યા કરે, તો સાત દિવસમાં મૃત્યુ થાય. // ૧૬૪ || તથા - ६२७ स्नातमात्रस्य हृत्पादं, तत्क्षणाद् यदि शुष्यति । दिवसे जायते षष्ठे, तदा मृत्युरसंशयम् ॥१६५ ॥ ટીકાર્ય - સ્નાન કર્યા પછી તરત જ જો હૃદય તથા પગ સૂકાઈ જાય, તો નક્કી તેનું છઠ્ઠા દિવસે મૃત્યુ થાય. || ૧૬૫ || તથા – ६२८ जायते दन्तघर्षश्चेत्, शवगन्धश्च दुःसहः । विकृता भवति च्छाया, त्र्यहेन म्रियते तदा ॥१६६ ॥ ટીકાર્થ:- દાંતને કડકડ કકડાવતો હોય; મડદા સરખી શરીરમાંથી દુર્ગધ નીકળતી હોય અને જો વારંવાર શરીરના રંગો બદલાયા કરતા હોય, તો ત્રીજા દિવસે મરણ થાય. || ૧૬૬ | તથા - ६२९ न स्वनासां स्वजिह्वां न, न ग्रहान् नामला दिशः । नापि सप्त ऋषीन् यहि, पश्यति म्रियते तदा ॥१६७ ।। ટીકાર્થઃ- જે માણસ પોતાની નાસિકાને, પોતાની જીભને, આકાશમાં ગ્રહોને, નક્ષત્રોને, તારાઓને નિર્મળ દિશાઓને, સપ્તર્ષિ તારાઓની શ્રેણીને ન દેખી શકે, તે બે દિવસમાં મૃત્યુ પામે. // ૧૬૭ તથી - Page #532 -------------------------------------------------------------------------- ________________ ६३३ પાંચમો પ્રકાશ, શ્લો.૧૬૩-૧૭૬ ४८१ ६३० प्रभाते यदि वा सायं, ज्योत्स्नावत्यामथो निशि । प्रवितत्य निजौ बाहू, निजच्छायां विलोक्य च ॥१६८ ॥ ६३१ शनैरुक्षिप्य नेत्रे स्वच्छायां पश्येत् ततोऽम्बरे । न शिरो दृश्यते तस्यां, यदा स्यान्मरणं तदा ॥१६९ ॥ ६३२ नेक्ष्यते वामबाहुश्चेत्, पुत्र-दारक्षयस्तदा यदि दक्षिणबाहुर्नेक्ष्यते भ्रातृक्षयस्तदा ॥१७० ॥ अदृष्टे हृदये मृत्युं, उदरे च धनक्षयः गुह्ये पितृविनाशस्तु, व्याधिरूरुयुगे भवेत् ॥१७१ ॥ ६३४ अदर्शने पादयोश्च, विदेशगमनं भवेत् । अदृश्यमाने सर्वाङ्गे, सद्यो मरणमादिशेत् ॥१७२ ॥ ટીકાર્થ - પ્રભાતે કે સંધ્યા સમયે અગર અજવાળી રાત્રિમાં પ્રકાશમાં ઉભા રહી, પોતાના બે હાથ કાઉસ્સગ્ગ માફક લાંબા રાખી, પોતાનો પડછાયો ખુલ્લી આંખ રાખી જોયા કરવો. ત્યાર પછી ધીમે ધીમે નેત્રોને છાયા ઉપરથી ઉપાડી ખુલ્લાં નેત્રથી ઉંચે આકાશ તરફ નજર કરવી અને પોતાનો પડછાયો ઉપરના આકાશમાં જોવો. તેમાં જો મસ્તક ન દેખાય તો પોતાનું મરણ સમજવું જો તે ઉપરની આકૃતિમાં ડાબો હાથ ન દેખાય તો પુત્રનો કે સ્ત્રીનો નાશ થાય, જો જમણો હાથ ન દેખાય તો ભાઈનું મરણ, હૃદય ન દેખાય તો પોતાનું મરણ, પેટનો ભાગ ન જણાય તો ધનનો નાશ, ગુહ્ય સ્થાન ન દેખાય તો પોતાના પૂજ્ય-વર્ગ પિતા-આદિકનો નાશ. બે સાથળ ન દેખાય તો વ્યાધિ થાય. પગ ન દેખાય તો પરદેશગમન થાય. આખું શરીર ન દેખાય તો તત્કાળ મરણ થાય. ।। १६८-१७२॥ બીજા પ્રકારે કાલજ્ઞાન કહે છે – ६३५ विद्यया दर्पणाङ्गष्ठ-कुड्यासिष्ववतारिता । विधिना देवता पृष्टा, ब्रूते कालस्य निर्णयम् ॥१७३ ।। सूर्येन्दुग्रहणे विद्या, नरवीरे ! ठठेत्यसौ । साध्या दशसहस्रयाऽष्टोत्तरया जपकर्मतः ॥१७४ ।। अष्टोत्तरसहस्रस्य, जपात् कार्यक्षणे पुनः । देवता लीयतेऽस्यादौ, ततः कन्याऽऽह निर्णयम् ॥१७५ ॥ ६३८ सत्साधकगुणाकृष्टा, स्वयमेवाथ देवता त्रिकालविषयं ब्रूते, निर्णयं गतसंशयम् ॥१७६ ॥ ટીકાર્થ:- ગુરુએ કહેલી વિધિ પ્રમાણે વિદ્યા વડે દર્પણ, અંગુઠા, ભીંત, તરવારમાં અવતારેલ દેવતા पूछवाथी मायुष्यनो निए[य छ - सूर्यग्रह, यंद्रग्रडा डोय त्यारे 'ॐ नरवीरे ! ठः ठः स्वाहा' मे. विद्या દસ હજાર અને આઠ વખત જાપ કરીને સાધવી. પછી કાર્યપ્રસંગે એક હજાર અને આઠ વાર તે વિદ્યાનો જાપ કરીને દર્પણાદિકમાં દેવતાનું ચિત્ર દોરવું. ત્યાર પછી દર્પણાદિકમાં એક કુંવારી નિર્દોષ કન્યા પાસે જોવરાવી. Page #533 -------------------------------------------------------------------------- ________________ ४८२ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કન્યા દ્વારા દેવતાને પૂછી કાલનો નિર્ણય કરવો અથવા ઉત્તમ પ્રકારના સાધકના ગુણથી આકર્ષાયેલ તે દેવતા पोताना भेणे ४ नि:सं त्रि.विषय आयुष्य-निय ४९॥वे. ॥ १७३-१७६ ।। ६३९ अथवा शकुनाद् विद्यात्, सज्जो वा यदि वाऽऽतुरः। स्वतो वा परतो वाऽपि, गृहे वा यदि वा बहिः ॥१७७ ॥ ६४० अहि-वृश्चिक-कृम्याखु-गृहगोधा-पिपीलिकाः यूका-मत्कुण-लूताश्च, वल्मीकोऽथोपदेहिकाः ॥ १७८ ॥ ६४१ कीटिका धृतवर्णाश्च, भ्रमर्यश्च यदाऽधिकाः । उद्वेग-कलह-व्याधि-मरणानि तदाऽऽदिशेत् ॥१७९ ॥ ટીકાર્થ:- અથવા નિરોગી હોય કે રોગી હોય, પોતાથી કે પરથી, ઘરમાં કે બહાર, શકુનથી શુભાશુભનો निय सपो. सर्प, वीछी, ४२भीयi, २, गिरोदी, 1मी, ठूओ, भiz3, रोणीया, २।३31, 345, ધીમેલ, ભમરીઓ જ્યારે એકદમ વધારે પ્રમાણમાં નીકળી પડે તો ઉદ્વેગ, ક્લેશ, વ્યાધિ, મરણને સૂચવનારાં सम४qi.|| १७७-१७८।। બીજા પ્રકારે શકુન કહે છે६४२ उपानद्-वाहन-च्छत्र-शस्त्रच्छायाङ्ग-कुन्तलान् । चञ्च्वा चुम्बेद् यदा काकस्तदाऽऽसन्नैव पंचता ॥१८० ॥ ६४३ अश्रुपूर्णदृशो गावो, गाढं पादैर्वसुन्धराम् । खनन्ति चेत् तदानीं स्याद्, रोगो मृत्युश्च तत्प्रभोः ॥ १८१ ॥ र्थ :- ५२५i, tथी, पो. वगैरे वाइन, छत्र, थियार, ५७७।यो, शरीर, उशने 512137 यांयथा ચુંબન કરે તો તે વખતે તેના સ્વામીનું નજીકમાં મૃત્યુ થાય. અશ્નપૂર્ણ નેત્રવાળી ગાયો પગથી ગાઢપણે પૃથ્વીને मोद, तोते समये तेना स्वामीने रोग मृत्यु थाय. ।। १८०-१८१. ॥ અન્ય પ્રકારે કહે છે – ६४४ अनातुरकृते ह्येतत्, शकुनं परिकीर्तितम् ___ अधुनाऽऽतुरमुद्दिश्य, शकुनं परिकीर्त्यते ॥१८२ ॥ ટીકાર્થ :- રોગ વગરના હોય તેને માટે આ શકુન જણાવ્યાં, હવે રોગીને ઉદેશીને શકુન કહેવાય छ. ॥ १८२ ॥ રોગીના શકુનોમાં થાન સંબંધી શકુનો ત્રણ શ્લોકોથી કહે છે - दक्षिणस्यां वलित्वा चेत्, श्वा गुदं लेढ्युरोऽथवा । लाङ्गलं वा तदा मृत्यु :, एक-द्वि-त्रिदिनैः क्रमात् ॥ १८३ ॥ ६४६ शेते निमित्तकाले चेत्, श्वा संकोच्याखिलं वपुः । धूत्वा कर्णौ वलित्वाऽङ्ग, धुनोत्यथ ततो मृतिः ॥१८४ ॥ ६४५ Page #534 -------------------------------------------------------------------------- ________________ पांयभो प्राश, श्लो. १७७-१८४ ६४७ ६४९ ટીકાર્થઃ- રોગી જ્યારે પોતાના આયુષ્ય સંબંધી શકુનો જોતો હોય ત્યારે, જો શ્વાન દક્ષિણ દિશા તરફથી વળી ગુદા ચાર્ટ અથવા છાતી ચાટે કે પૂંછડી ચાટે તો ક્રમસર એક, બે, ત્રણ દિવસે મૃત્યુ થાય. રોગી નિમિત્ત-કાલે જો કૂતરાને આખું શરીર સંકોચી સૂતેલો દેખે અથવા કાનને ટટાર કરી શરીર વાળી ધૂણાવે, તો મૃત્યુ પામે, અથવા મુખ પહોળું કરી લાળ મૂકતો આંખો મીંચી, શરીર સંકોચી શ્વાન સૂઈ જાય, તો રોગીનું નક્કી મૃત્યુ થાય. ૧૮૩ १८५॥ ६५१ હવે બે શ્લોકોથી કાગડાનાં શકુનો જણાવે છે - ६४८ यद्यातुरगृहस्योर्ध्वं, काकपक्षिगणो मिलन् त्रिसन्ध्यं दृश्यते नूनं, तदा मृत्युरुपस्थितः महानसेऽथवा शय्यागारे काकाः क्षिपन्ति चेत् चर्मास्थि रज्जुं केशान् वा, तदाऽऽसन्नैव पंचता ટીકાર્થ :- જો રોગીના મકાન ઉપર સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ કાગડાઓનો સમુદાય એકઠો થતો દેખાય, તો નક્કી મૃત્યુ આવી પહોંચ્યું છે - એમ સમજવું તથા રોગીના રસોડામાં તથા સૂવાના ઘરમાં अगडाजो याम, हाड, छोरडी डे डेश सावी झेंडे, तो नकम्मां पंयत्व भएावं. ।। १८६-१८७ ।। હવે નવ શ્લોકોથી ઉપશ્રુતિને આશ્રયી કાલજ્ઞાન કહે છે – - ६५० अथवोपश्रुतेर्विद्याद्, विद्वान् कालस्य निर्णयम् प्रशस्ते दिवसे स्वप्न - काले शस्तां दिशं श्रितः पूत्वा पंचनमस्कृत्याऽऽचार्यमंत्रेण वा श्रुती गेहाच्छन्नश्रुतिर्गच्छेत्, शिल्पि - चत्वरभूमिषु चन्दनेनार्चयित्वा क्ष्मां, क्षिप्त्वा गन्धाक्षतादि च सावधानस्ततस्तत्रोपश्रुतेः शृणुयाद् ध्वनिम् अर्थान्तरापदेश्यश्च, सरूपश्चेति स द्वा विमर्शगम्यस्तत्राद्यः, स्फुटोक्तार्थोऽपरः पुनः यथैष भवनस्तम्भः, , पंच- षड्भिरयं दिनैः पक्षैर्मासैरथो वर्षेर्भक्ष्यते यदि वा न वा मनोहरतरश्चासीत्, किन्त्वयं लघु भक्ष्यते अर्थान्तरापदेश्या स्याद्, एवमादिरुपश्रुतिः एषा स्त्री पुरुषो वाऽसौ, स्थानादस्मान्न यास्यति दास्यामो न वयं गन्तुं गन्तुकामो न चाप्ययम् ६५२ ६५३ ६५४ यदि व्यात्तमुखो लालां, मुञ्चन् संकोचितेक्षणः 1 अङ्ग संकोच्य शेते श्वा, तदा मृत्युर्न संशयः ६५५ ।। १८५ ।। ६५६ 1 ।। १८६ ।। I ।। १८७ ।। I ।। १८८ ।। 1 ।। १८९ ॥ I ।। १९० ।। 1 ॥। १९१ ॥ ४८७ I ॥। १९२ ॥ 1 ।। १९३ ।। I ॥ १९४ ॥ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ६५७ 1 विद्यते गन्तुकामोऽयम्, अहं च प्रेषणोत्सुकः तेन यास्यत्यसौ शीघ्रं स्यात् सरूपेत्युपश्रुतिः ।। ૧૧ । " कर्णोद्घाटनसंजातोपश्रुत्यन्तरमात्मनः 1 ।। ૬ ।। - कुशलाः कालमासन्नम् अनासन्नं च जानते ટીકાર્થ :- અથવા વિદ્વાન પુરુષોએ ઉપશ્રુતિથી આયુષ્ય-કાળનો નિર્ણય કરવો. તે જ કહે છે – ભદ્રા આદિ અપયોગ ન હોય, તેવા શુભ દિવસે એક પહોર રાત્રિ ગયા પછી શયનકાળે ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરવું. પંચનમસ્કાર કે સૂરિમંત્રથી કાનને પવિત્ર બનાવી ઘરમાંથી નીકળતા રસ્તામાં કોઈનો શબ્દ કાનમાં ન પડે, તેમ કાનને આંગળીથી ઢાંકી રાખવો અને શિલ્પ-કારીગરોના ઘર તરફ કે ચૌટા અગર બજાર તરફ પૂર્વે કહેલી દિશાવાળી ભૂમિમાં જવું. ત્યાં ભૂમિનું ચંદનથી અર્ચન કરીને સુગંધી ચૂર્ણ, અક્ષતોથી વધાવી સાવધાન થઈ કોઈ મનુષ્યોનો શબ્દ થતો હોય તો કાન માંડીને સાંભળવો. તે શબ્દો બે પ્રકારના હોય છે. એક અર્થાન્તરાપદેશ્ય અને બીજો સ્વરૂપ-ઉપશ્રુતિ. પહેલા પ્રકારનો શબ્દ સંભળાય, તો તેનો બીજો અર્થ કલ્પવો અને બીજો સ્વરૂપઉપશ્રુતિ જેવો શબ્દ સાંભળ્યો હોય તેવો જ અર્થ ગ્રહણ કરવો. અર્થાન્તર પ્રદેશ ઉપશ્રુતિ વિચાર તર્ક કરવાથી જાણી શકાય છે, જેમકે આ મકાનનો થાંભલો પાંચ કે છ દિવસે કે તેટલાં પખવાડીયાં કે મહિના કે વર્ષો પછી ભાંગશે કે નહિં ભાંગે. આ ઘણો મનોહર હતો, પણ આ નાનો છે, તેથી ભાંગી જશે. આ પ્રમાણે બીજા પદાર્થના નિમિત્તથી પ્રથમ ઉપશ્રુતિ થાય છે. આ સાંભળી પોતાના આયુષ્યનો તેટલા દિવસે, પક્ષે, માસે કે વર્ષે મૃત્યુનો નિર્ણય કરી લેવો. હવે બીજી સ્વરૂપ-ઉપશ્રુતિ કહે છે - ‘આ પુરુષ કે સ્ત્રી આ સ્થાનેથી નહિં જાય અથવા અમે જવા દઈશું નહિં. તે જવા માટે ઈચ્છા પણ કરતો નથી.’ ‘તે જવાની ઈચ્છાવાળો છે અને હું મોકલવા પણ ઈચ્છા રાખું છું, તેથી તે એકદમ જશે.’ આ સ્વરૂપ ઉપશ્રુતિ કહેવાય. આથી સમજવાનું કે જવાનું સાંભળે, તો મરણ નજીક છે અને રહેવાનું સાંભળે તો મરણ નજીકમાં નથી. આ પ્રમાણે કાન ખુલ્લા કરી સાંભળેલી ઉપશ્રુતિ પ્રમાણે ચતુર મનુષ્યો પોતાનું મરણ નજીક કે દૂર છે, તે જાણી લે. ।। ૧૮૮-૧૯૬ ।। હવે શનૈશ્વર-પુરષથી કાલ-જ્ઞાન ચાર શ્લોકો વડે કહે છે - ६५९ ६५८ ६६० ६६१ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ६६२ शनिः स्याद् यत्र नक्षत्रे, तद् दातव्यं मुखे ततः 1 चत्वारि दक्षिणे पाणौ, त्रीणि त्रीणि च पादयोः ॥ १९७ ॥ चत्वारि वामहस्ते तु क्रमशः पंच वक्षसि त्रीणि शीर्षे दृशोर्द्वे द्वे, गुह्य एकं शनौ नरे निमित्तसमये तत्र, पतितं स्थापना - क्रमात् जन्म नामक्षं वा, गुह्यदेशे भवेद् यदि दृष्टं श्लिष्टं ग्रहैर्दुष्टैः, सौम्यैरप्रेक्षितायुतम् 1 સપ્તસ્યાપિ તવા મૃત્યુઃ, વા થા રોજ્ઞિળ: પુનઃ ?।। ૨૦૦ ॥ 1 ।। ૧૮ ૫ I ।। ૧૧૧ ॥ ટીકાર્થ ઃ- શનૈશ્વર પુરુષની આકૃતિ બનાવી, નિમિત્ત જાણવાના સમયે જે નક્ષત્રમાં શનિ હોય, તે નક્ષત્ર મુખમાં મૂકવું, ત્યારપછી ક્રમસર આવતાં ચાર નક્ષત્રો જમણા હાથમાં સ્થાપન કરવાં, ત્રણ ત્રણ નક્ષત્રો બે પગમાં, ચાર ડાબા હાથમાં, પાંચ છાતીમાં ત્રણ મસ્તકમાં, બબ્બે બંને નેત્રમાં, એક નક્ષત્ર ગુહ્યભાગમાં સ્થાપન કરવાં. નિમિત્ત જોવાના સમયે સ્થાપનાના અનક્રમથી જન્મ-નક્ષત્ર કે નામનક્ષત્ર જો ગહ્યસ્થાનમાં આવ્યું હોય Page #536 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૧૯૫-૨૦૭ ૪૮૫ અને દુષ્ટ ગ્રહોની તેના ઉપર દૃષ્ટિ પડતી હોય, અથવા તેની સાથે મેળાપ થતો હોય અને સૌમ્ય ગ્રહોની દૃષ્ટિ કે મેળાપ ન થતો હોય તો તે માણસ સાજો-સારો હોય તોપણ તે તરત મૃત્યુ પામે, તો પછી રોગી પુરુષની તો વાત જ શી કરવી ? ।। ૧૯૭-૨૦૦ પૃચ્છા-લગ્નના અનુસારે કાલ-જ્ઞાન કહે છે - ६६३ पृच्छायामथ लग्नास्त चतुर्थदशमस्थिताः 1 ग्रहाः क्रूराः शशी षष्ठाष्टमश्चेत् स्यात् तदा मृतिः ॥ २०१ ॥ ટીકાર્થ:- આયુષ્યના પ્રશ્ન-સમયે ક્રૂરગ્રહો લગ્નમાં ચોથે, સાતમે કે દશમા સ્થાને રહેલા હોય તથા ચંદ્ર છત્રે કે આઠમે સ્થાને રહેલો હોય, તો મૃત્યુ થાય. II ૨૦૧ ॥ ६६४ पृच्छायाः समये लग्नाधिपतिर्भवति ग्रहः 1 यदि वास्तमितो मृत्युः, सज्जस्यापि तदा भवेत् ॥ २०२ ॥ ટીકાર્થ :- આયુષ્યના પ્રશ્ન-સમયે જો લગ્નાધિપતિ મેષાદિ રાશિમાં, મંગલ શુક્રાદિ હોય અથવા ચાલતા લગ્નના અધિપતિ ગ્રહનો અસ્ત થયેલો હોય, તો તે સાજો હોય તો પણ તેનું ત્યારે મૃત્યુ થાય. II ૨૦૨ ॥ लग्नस्थश्चेच्छशी सौरिः, द्वादशो नवमः कुजः ६६५ 1 अष्टमोऽर्कस्तदा मृत्युः स्यात् चेन्न बलवान् गुरुः ॥ २०३ ॥ ટીકાર્થ:- આયુષ્યના પ્રશ્ન-સમયે ચંદ્રમાં લગ્નમાં રહેલો હોય, બારમે શનિ રહેલો હોય, નવમે મંગલ, આઠમે સૂર્ય રહેલો હોય અને ગુરુ બલવાન ન હોય, મરણ થાય. | ૨૦૩૫ તથા -- I रवि: षष्ठस्तृतीयो वा, शशी च दशमस्थितः यदा भवति मृत्युः स्यात्, तृतीये दिवसे तदा पापग्रहाश्चेदुदयात्, तुर्ये वा द्वादशेऽथवा दिशन्ति तद्विदो मृत्युं तृतीये दिवसे तदा ટીકાર્થ :- તે પ્રમાણે સૂર્ય ત્રીજો કે છઠ્ઠો અને ચંદ્ર દશમે રહેલો હોય, તો ત્રીજા દિવસે મૃત્યુ સમજવું. જો પાપગ્રહો લગ્નથી ચોથે કે બારમે હોય, તો તેના જાણકાર પુરુષો તેનું ત્રીજા દિવસે મૃત્યુ જણાવે છે. II ૨૦૪ ॥ ૨૦૬ ॥ ૨૦૫ ॥ ६६६ ६६७ તથા -- ६६८ ६६९ उदये पंचमे वाऽपि, यदि पापग्रहो भवेत् अष्टभिर्दशभिर्वा स्याद्, दिवसैः पंचता तदा धनुर्मिथुनयोः सप्तमयोर्यद्यशुभा ग्रहाः । तदा व्याधिर्मृतिर्वा स्यात्, ज्योतिषाद्वेति निर्णय I ૫૨૦૪ ॥ I ૫૨૦૬ ॥ ॥ ૨૦૭ ॥ ટીકાર્થ :- પ્રશ્ન-સમયે ચાલતા લગ્ન અથવા પાપગ્રહ પાંચમે હોય, તો આઠ કે દશ દિવસે મૃત્યુ થાય તથા સાતમા સ્થાનમાં રહેલા ધનુ રાશિ અને મિથુન રાશિમાં જો અશુભ ગ્રહો આવ્યા હોય, તો વ્યાધિ કે મૃત્યુ થાય. Page #537 -------------------------------------------------------------------------- ________________ ४८६ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ भावा .२नो निययोतिष 1930नो छ.।। २०६-२०७।। હવે યંત્રદ્વારથી કાલ-જ્ઞાન આઇ શ્લોકો વડે કહે છે -- ६७० अन्तस्थाधिकृतप्राणि-नामप्रणवगर्भितम् कोणस्थरेफमाग्नेय-पुरं ज्वालाशताकुलम् ॥२०८ ॥ सानुस्वारैरकाराद्यैः, षट्स्वरैः पार्श्वतो वृतम् स्वस्तिकाङ्कबहिःकोणं स्वाक्षरान्तः प्रतिष्ठितम् ॥२०९ ॥ ६७२ चतुः पार्श्वस्थगुरुयं, यन्त्रं वायुपुरावृतम् कल्पयित्वा परिन्यस्येत्, पाद-हृच्छीर्ष-सन्धिषु ॥२१० ॥ ६७३ सूर्योदयक्षणे सूर्य, पृष्ठे कृत्वा ततः सुधीः स्व-परायुर्विनिश्चेतुं, निजच्छायां विलोकयेत् ॥२११ ॥ ६७४ पूर्णां छायां यदीक्षेत, तदा वर्षं न पंचता कर्णाभावे तु पंचत्वं, वर्षंादशभिर्भवेत् ॥२१२ ॥ ६७५ हस्ताङ्गलि-स्कन्ध-केश-पार्श्व-नासाक्षये क्रमात् । दशाष्ट-सप्त-पंच-त्र्येकवर्मरणं दिशेत् ॥२१३ ॥ ६७६ षण्मास्या म्रियते नाशे, शिरसश्चिबुकस्य वा । ग्रीवानाशे तु मासेनैकादशाहेन दृक्क्षये ॥२१४ ।। ६७७ सच्छिद्रे हृदये मृत्यु :, दिवसैः सप्तभिर्भवेत् । यदि च्छायाद्वयं पश्येद्, यमपाश्र्वं तदा व्रजेत् ॥२१५ ॥ यः "IALI यः हे मध्ये यन्त्रमिदम्। शां. खं. संपू. मध्ये यन्त्रमिदम्। Page #538 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો.૨૦૮-૨૨૧ ૪૮૭ ટીકાર્થઃ- જેના આયુષ્યનો નિર્ણય કરવો હોય તેનું નામ ૐકાર સહિત છ ખૂણાવાળા યંત્રની વચ્ચે લખવું. તે યંત્રોના ખૂણામાં સેંકડો અગ્નિજ્વાળાથી યુક્ત રકાર સ્થાપન કરવો. અનુસ્વાર-સહિત અકારાદિ છ સ્વરો પડખે ફરતા સ્થાપવા, બહારના ખૂણામાં સાથિયાની આકૃતિ “સ્વ” અક્ષર-સહિત કરવી. ચારે બાજુ વિસર્ગ-સહિત ‘ય’ કાર સ્થાપન કરવો. તે “યઃ કાર ઉપર ચારે બાજુ વાયુપુરથી આવૃત્તિ સંલગ્ન ચાર રેખા કરવી. આવા પ્રકારના યંત્રની કલ્પના કરીને, પગ, હૃદય, મસ્તક અને સંધિ-સ્થાનમાં સ્થાપન કરવાં. ત્યાર પછી સૂર્યોદય સમયે સૂર્યને પાછળ રાખી, પશ્ચિમ દિશા સન્મુખ રાખી, પોતાના કે બીજાના આયુષ્યનો નિર્ણય કરવા માટે પોતાની છાયાનું અવલોકન કરવું. છાયા પૂર્ણ દેખાય, તો એક વર્ષ સુધી મરણ નથી. જો કાન ન દેખાય તો બારમે વર્ષે મરણ સમજવું. હાથ, અંગુલિ, બંધ, કેશ, પડખાં, નાસિકા જોવામાં ન આવે, તો અનુક્રમે દશ, આઠ, સાત, પાંચ, ત્રણ અને એક વર્ષે મરણ થાય-તેમ સમજવું. મસ્તક કે હડપચી ન દેખાય, તો છ મહિને, ડોક ન દેખાય, તો એક મહિને, આંખો ન દેખાય, તો અગીયાર દિવસે મરણ થાય, હૃદય છિદ્રયુક્ત દેખાય, તો સાત દિવસ અને બે છાયા દેખાય, તો તે જ સમયે યમરાજાનો પરોણો બને. // ૨૦૮ થી ૨૧૫.// ६७८ इति यन्त्रप्रयोगेण, जानीयात् कालनिर्णयम् । यदि वा विद्यया विद्याद्, वक्ष्यमाणप्रकारया ॥२१६ ॥ ટીકાર્થ:- યંત્ર-પ્રયોગનો ઉપસંહાર કરતાં વિદ્યાથી કાલ-જ્ઞાન જણાવે છે આ પ્રમાણે યંત્ર-પ્રયોગથી કાલનિર્ણય જાણવો અથવા તો આગળ કહીએ તે વિદ્યાથી કાલ-નિર્ણય કરવો. | ૨૧૬ ll સાત શ્લોકોથી તે વિદ્યા કહે છે -- ६७९ પ્રથમં ચર્ચા ચૂડાયા, ‘વ’ શબ્દમ, ‘' રમતિષે. | ‘f' નેત્રે હવે ‘પ' , નાસ્થળે દાક્ષર તત: | ૨૨૭ છે ટીકાર્થ - પ્રથમ ચોટલીમાં હા શબ્દ, મસ્તક પર નેત્ર પર ઉલ, હૃદયમાં ઉં, નાભિકમળમાં દા, સ્થાપન કરવા. // ૨૧૭ || ६८० ___ "ॐ जुं सः ॐ मृत्युंजयाय ॐ वज्रपाणिने शूलपाणिने हर हर दह दह स्वरूपं दर्शय दर्शय हुं फट्" अनया विद्ययाऽष्टाग्र-शतवारं विलोचने । स्वच्छायां चाभिमन्त्र्याकँ, पृष्ठे कृत्वाऽरुणोदये ॥२१८ ॥ ६८१ परच्छायां परकृते, स्वच्छायां स्वकृते पुनः । सम्यक्तत्कृतपूजः सन्नुपयुक्तो विलोकयेत् ॥२१९ ॥ ६८२ संपूर्णां यदि पश्येत् तामावर्षं न मृतिस्तदा મ-ગ-નાન્ચમાવે, ત્રિ-બ્રિતિઃ પુન: ૨૨૦ | ६८३ કોરમાવે તfમ:, માષેિ વાટે: પુનઃ | अष्टाभिर्नवभिर्वाऽपि, तुन्दाभावे तु पंचषैः ॥२२१ ॥ Page #539 -------------------------------------------------------------------------- ________________ ४८८ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ६८४ ग्रीवाऽभावे चतुस्त्रिव्येकमासैम्रियते पुनः । कक्षाभावे तु पक्षण, दशाहेन भुजक्षये ॥२२२ ॥ વિનૈઃ ન્યઠ્ઠમ: ચતુર્થાથ તુ હૃક્ષયે | शीर्षाभावे तु यामाभ्यां, सर्वाभावे तु तत्क्षणात् ॥ २२३ ॥ ટીકાર્થઃ- આ વિદ્યા વડે એકસો આઠ વખત પોતાનાં બે નેત્રોને અને છાયાને મંત્રી સૂર્યોદય-સમયે સૂર્યને પાછળ રાખી, એટલે પશ્ચિમ-સન્મુખ પોતાનું મુખ રાખી, બીજા માટે બીજાની અને પોતાને માટે પોતાની છાયા સારી રીતે તેની પૂજા કરી ઉપયોગ-પૂર્વક અવલોકન કરે, જો છાયા સંપૂર્ણ જોવામાં આવે, તો આ ચાલુ વર્ષમાં મરણ ન થાય. પગ, જંઘા, ઘુંટણ ન દેખાય, તો અનુક્રમે ત્રણ વર્ષે, બે વર્ષે અને એક વર્ષે મૃત્યુ થાય. સાથળ ન દેખાય તો દશ મહિને, કમર ન દેખાય તો, આઠ કે નવ મહિને અને ઉદર ન દેખાય, તો પાંચ-છ મહિને મરણ થાય. ડોકન દેખાય, તો ચાર, ત્રણ, બે કે એક મહિને મરણ થાય, બગલ ન દેખાય તો, પંદર દિવસે અને ભુજા ન દેખાય, તો દશ દિવસે મરણ થાય તે છાયામાં ખભા ન દેખાય, તો આઠ દિવસે, હૃદય ન દેખાય, તો ચાર પહોર પછી, મસ્તક ન દેખાય, તો બે પહોરે અને સર્વથા શરીર ન દેખાય, તો તરત જ મરણ થાય. // ૨૧૮-૨૨૩/ કાલજ્ઞાનના ઉપાયોનો ઉપસંહાર કરે છે -- ६८६ एवमाध्यात्मिकं कालं, विनिश्चेतुं प्रसङ्गतः । बाह्यस्यापि हि कालस्य, निर्णयः परिभाषितः ॥२२४ ॥ ટીકાર્થઃ- આ પ્રમાણે પવનાભ્યાસરૂપ આધ્યાત્મિક કાલ-જ્ઞાનનો નિર્ણય કરતાં પ્રસંગોપાત્ત બાહ્ય કાલજ્ઞાનનો પણ નિર્ણય જણાવ્યો. // ૨૨૪|| હવે જય-પરાજયના જ્ઞાનનો ઉપાય કહે છે -- ६८७ को जेष्यति द्वयोर्युध्ये ?, इति पृच्छत्यवस्थितः ।। जयः पूर्वस्य पूर्णे स्याद्, रिक्ते स्यादितरस्य तु ॥२२५ ॥ ટીકાર્થ:- આ બેના યુદ્ધમાં કોનો જય થશે? એમ પ્રશ્ન કર્યો, ત્યારે સ્વાભાવિક પવન પૂરક થતો હોય તો એટલે શ્વાસ અંદર લેવાતો હોય, તો જેનું પ્રથમ નામ બોલાયું હોય, તેનો જય અને જો નાડીમાંથી પવન બહાર નીકળતો હોય તો, બીજાનો જય થાય. // ૨૨૫. રિક્ત અને પૂર્ણ નાડીનું લક્ષણ કહે છે -- ६८८ यत् त्यजेत् संचरन् वायुस्तद्, रिक्तमभिधीयते । संक्रमेद् यत्र तु स्थाने, तत् पूर्णं कथितं बुधैः ॥२२६ ॥ ટીકાર્થ:-ચાલતા પવનને બહાર કાઢવો, તે રિક્ત કહેવાય અને નાસિકામાં પવન પ્રવેશ કરે, તેને પંડિતોએ પૂર્ણ કહેલ છે. // ૨૨૬ || બીજા પ્રકારે કાલ-જ્ઞાન કહે છે -- ६८९ प्रष्टाऽदौ नाम चेज्ज्ञातुः, गृह्णात्यन्वातुरस्य तु _स्यादिष्टस्य तदा सिद्धिः, विपर्यासे विपर्ययः ॥२२७ ॥ ટીકાર્થ:- પ્રશ્ન કરતી વખતે જાણકારનું નામ પ્રથમ બોલાય અને રોગીનું નામ ત્યાર પછી બોલાય તો ઈષ્ટ Page #540 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો. ૨૨૨-૨૩૨ ૪૮૯ સિદ્ધિ થાય, રોગીનું નામ પ્રથમ બોલાય અને જાણકા૨નું નામ પછી બોલે, તો વિપરીત ફળ સમજવું. જેમ કે, હે વૈદ્ય ! આ દરદી સાજો થશે કે ?' તો રોગીની તબીયત સુધરી જાય, અને રોગી માણસ સારો થશે કે નહિ ? વૈદ્ય!' તો વિપર્યાસ બોલવામાં વિપરીત ફળ સમજવું અર્થાત્ મૃત્યુ થાય. II ૨૨૭॥ તથા -- वामबाहुस्थिते दूते, समनामाक्षरो जयेत् दक्षिणबाहुगेत्वाज, विषमाक्षरनामकः ।।૨૨૮ ।। ટીકાર્થ :- યુદ્ધમાં કોનો જય થશે ? એ પ્રશ્ન કરનાર ડાબી બાજુ ઉભો હોય, તો જે યુદ્ધ કરનારનું નામ બેકી અક્ષરવાળું હોય, તેનો જય થાય અને જમણી બાજુ ઉભો રહી પ્રશ્ન કરે તો એકી અક્ષરના નામવાળાનો જય સમજવો. ॥ ૨૨૮ ॥ તથા ६९० ६९१ ६९२ 1 || ૨૨૧ ૫ ટીકાર્થ:- ભૂત આદિના વળગાડવાળા અને સર્પાદિકથી ડંખ પામેલા માટે પણ પૂર્વે કહેલ વિધિ જ માંત્રિકોએ જાણવો. ॥ ૨૨૯ તથા -- भूतादिभिर्गृहीतानां दृष्टानां वा भुजङ्गमैः विधि: पूर्वोक्त एवासौ, विज्ञेयः खलु मान्त्रिकैः ६९३ I || ૨૨૦ || ટીકાર્થ :- પહેલાં ૪૪મા શ્લોકમાં કહેલા વાણ-મંડળ વડે ડાબી નાડી પૂર્ણ વહન થતી હોય, તો એ સમયે આરંભેલ કાર્ય અવશ્ય પાર પડે. ॥ ૨૩૦ || તથા -- 1 पूर्णा संजायते वामा, विशता वरुणेन चेत् कार्याण्यारभ्यमाणानि, तदा सिध्यन्त्यसंशयम् ६९४ નય-નીવિત-નામાવિ-હાર્યાનિ નિચ્છિતાપિ । निष्फलान्येव जायन्ते, पवने दक्षिणास्थिते ॥ ૨૩૨ ૫ ટીકાર્થ ઃ- જો વાણ મંડળના ઉદયમાં પવન જમણી નાસિકામાં વહેતો હોય, તો વિજય, જીવિત, લાભ આદિ સમગ્ર કાર્યો નિષ્ફળતામાં જ પરિણમે છે. ॥ ૨૩૧ || તથા -- ज्ञानी बुद्ध्वाऽनिलं सम्यक्, पुष्पं हस्तात् प्रपातयेत् । मृत - जीवित-विज्ञाने, ततः कुर्वीत निश्चयम् ।।૨૩૨ ૫ ટીકાર્થ :- જીવિત અને મરણનો ચોક્કસ નિર્ણય ક૨વા માટે જ્ઞાની પુરુષે પવનને બરાબર જાણીને હાથથી પુષ્પ નીચે પાડીને તેનો નિર્ણય કરવો. ॥ ૨૩૨ નિર્ણયને જ જણાવે છે -- Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ ६९५ त्वरितो वरुणे लाभः चिरेण तु पुरन्दरे । जायते पवने स्वल्पः, सिद्धोऽप्यग्नौ विनश्यति ॥२३३ ॥ ટીકાર્થઃ- (પ્રશ્નનો ઉત્તર આપનારને) વરુણ-મંડળનો ઉદય ચાલતો હોય, તરત લાભ થાય, પુરંદર-પૃથ્વી મંડળ ચાલતું હોય, તો લાંબા કાળ, પવન-મંડળ ચાલતું હોય, તો અલ્પ લાભ થાય અને અગ્નિ-મંડળ ચાલતું હોય તો, સિદ્ધ થયેલ કાર્યનો પણ વિનાશ થાય. ૨૩૩ // તથા -- ६९६ आयाति वरुणे यातः, तत्रैवास्ते सुखं क्षितौ । प्रयाति पवनेऽन्यत्र, मृत इत्यनले वदेत् 1. ૨૩૪ છે. ટીકાર્થ :- ગ્રામાન્તર ગયેલા માટે વરુણ-મંડળ ચાલુ હોય ત્યારે પ્રશ્ન કરે, તો તે શીધ્ર પાછો આવશે. પુરંદરમંડલમાં તે જ્યાં ગયો છે, ત્યાં સુખી છે, પવન-મંડળમાં ત્યાંથી બીજે ગયો છે અને અગ્નિમંડળમાં મૃત્યુ પામ્યાનો જવાબ આપવો. || ૨૩૪ || તથા -- ६९७ दहने युद्धपृच्छायां, युद्धं भङ्गश्च दारुणः मृत्युः सैन्यविनाशो वा, पवने जायते पुनः ॥२३५ ॥ ટીકાર્થ:- અગ્નિમંડળમાં યુદ્ધ-વિષયક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભયંકર યુદ્ધ, હાર મળે, પવન મંડળમાં પ્રશ્ન કરે, તો જેના માટે પ્રશ્ન કર્યો હોય, તેનું મરણ અગર સૈન્ય-વિનાશ થાય. / ૨૩૫ //. તથા -- ६९८ महेन्द्रे विजयो युद्धे, वरुणे वांछिताधिकः रिपुभङ्गेन सन्धिर्वा, स्वसिद्धिपरिसूचकः ॥२३६ ॥ ટીકાર્થ:- મહેન્દ્ર-મંડળ એટલે પૃથ્વીતત્ત્વમાં પ્રશ્ન કરે, તો યુદ્ધમાં વિજય, વારુણ-મંડળમાં મનોવાંછિત કરતાં અધિક લાભ તથા શત્રુભંગ કે સુલેહ વડે પોતાની સિદ્ધિ સૂચવે છે. ll ૨૩૬ // તથા -- ६९९ भौमे वर्षति पर्जन्यो, वरुणे तु मनोमतम् । पवने दुर्दिनाम्भोदा, वह्नौ वृष्टिः कियत्यपि ॥२३७ ॥ ટીકાર્થ - વરસાદ-વિષયક પ્રશ્ન પાર્થિવ-મંડળમાં કરે, તો વરસાદ થશે. વરુણ-મંડળમાં પ્રશ્ન કરે, તો મનોવાંછિતથી અધિક વરસાદ વરસે, પવન-મંડળમાં વાદળાંઓથી અંધકાર ઘેરાય, પણ વરસે નહીં અને અગ્નિમંડળમાં થોડો વરસાદ થાય. ! ૨૩૭ તથા -- ७०० वरुणे सस्यनिष्पत्तिः, अतिश्लाध्या पुरन्दरे । मध्यस्था पवने च स्यात् न स्वल्पाऽपि हुताशने ॥२३८ ॥ ટીકાર્થઃ- ધાન્ય નિષ્પત્તિ-વિષયક વરુણ-મંડળમાં પ્રશ્ન કરે, તો ધાન્ય-નિષ્પત્તિ થાય. પુરંદર-મંડલમાં ઘણી જ Page #542 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ, શ્લો. ૨૩૩-૨૪૩ ૪૯૧ સારી ઉત્પત્તિ થાય, પવન-મંડળમાં મધ્યમ પ્રકારની, કોઈક સ્થળે થાય. કોઈક સ્થળે ન થાય અને અગ્નિમંડળમાં થોડું પણ ધાન્ય ન પાકે. || ૨૩૮ || તથા -- ७०१ महेन्द्र-वरुणौ शस्तौ, गर्भप्रश्ने सुतप्रदौ । समीर-दहनौ स्त्रीदौ, शून्यं गर्भस्य नाशकम् ॥२३९ ॥ ટીકાર્થ:- ગર્ભ-વિષયક પ્રશ્નમાં મહેન્દ્ર અને વરુણ-મંડલ શ્રેષ્ઠ છે. તેમાં પ્રશ્ન કરે, તો પુત્ર પ્રાપ્તિ થાય, વાયુ અને અગ્નિ-મંડળમાં પુત્રી આપનાર તથા સુષુણ્ણા નાડીમાં પ્રશ્ન કરે તો ગર્ભનો નાશ થાય. // ૨૩૯ | તથા -- ७०२ गृहे राजकुलादौ च, प्रवेशे निर्गमेऽथवा पूर्णांगपादं पुरतः, कुर्व तः स्यादभीप्सितम् ॥२४० । ટીકાર્થ:-ઘરમાં કે રાજકુળાદિમાં પ્રવેશ નિર્ગમન કરતાં જે તરફની નાસિકાના છિદ્રમાંથી પવન વહેતો હોય, તે પગ પ્રથમ ઉપાડવાથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થાય. // ૨૪૦ || તથી -- ७०३ गुरु बन्धु-नृपामात्याः, अन्येऽपीप्सितदायिनः । पूर्णांगे खलु कर्तव्याः, कार्यसिद्धिमभीप्सता ॥२४१ ॥ ટીકાર્ય - કાર્યસિદ્ધિની અભિલાષાવાળાએ ગુરુ, વડીલો, બંધુ, રાજા, પ્રધાન કે બીજાઓ ઈચ્છિત આપનાર મનુષ્યોને પૂર્ણાગ તરફ રાખવા. અર્થાત જે નાસિકાના છિદ્રમાંથી પવન વહેતો હોય, તે તરફ તેઓને રાખી પોતે બેસવું. . ૨૪૧ || - તથા -- ७०४ आसने शयने वाऽपि, पूर्णांगे विनिवेशिताः । वशीभवन्ति कामिन्यो, न कार्मणमतः परम् ॥२४२ ॥ ટીકાર્થઃ- આસન અને શયન વખતે પણ જે તરફથી નાસિકાનો પવન જમણી કે ડાબી બાજુ વહેતો હોય તે તરફ બેસાડેલી સ્ત્રીઓ સ્વાધીન થાય છે, આ સિવાય બીજું કોઈ કામણ નથી. || ૨૪૨ || તથા -- ७०५ अरि-चौराऽधमर्णाद्याः, अन्येऽप्युत्पातविग्रहाः । વર્તવ્ય નુ વિતા, નય-નામ-સુદ્યાર્થિfમ. એ ર૪રૂ છે ટીકાર્થ:- જય, લાભ અને સુખના અર્થીઓએ શત્રુ, ચોર અને દેણદાર વગેરેને તથા બીજા પણ ઉત્પાત, ટંટો વગેરેથી દુઃખ આપનારાઓને ખાલી અંગ તરફ અર્થાત્ જે બાજુ નાસિકામાં પવન ન ચાલતો હોય, તે તરફ રાખવા. આથી તેઓ દુઃખ આપી શકતા નથી. || ૨૪૩ || તથા -- Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ७०६ प्रतिपक्षप्रहारेभ्यः, पूर्णाङ्गं योऽभिरक्षति न तस्य रिपुभिः शक्तिः बलिष्ठैरपि हन्यते ૫૨૪૪ ।। ટીકાર્થ :- શત્રુઓના પ્રહારોથી જે પોતાનાં પૂર્ણાંગનું રક્ષણ કરે છે, તેની શક્તિનો નાશ કરવા બળવાન શત્રુ પણ સમર્થ થઈ શકતો નથી. ॥ ૨૪૪ ॥ તથા -- ७०७ ७०८ મતાંતર કહે છે -- ७०९ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ वहन्तीं नासिकां वामां, दक्षिणां वाऽभिसंस्थितः पृच्छेद् यदि तदा पुत्रो, रिक्तायां तु सुता भवेत् सुषुम्णावाहभागे द्वौ शिशू रिक्ते नपुंसकम् संक्रान्तौ गर्भहानिः स्यात्, समे क्षेममसंशयम् 1 ।। ૨૪૬ ।। ટીકાર્થ :- ડાબી અથવા જમણી નાસિકા વહેતી હોય, તે સન્મુખ ઉભો રહી ગર્ભ-વિષયક પ્રશ્ન પૂછે, તો પુત્રજન્મ જણાવવો અને ખાલી નાસિકા તરફ ઉભો રહી પ્રશ્ન કરે, તો ગર્ભવતી પુત્રીને જન્મ આપશે-એમ કહેવું. જો સુષુમ્હા નાડીમાં પવન વહેતો હોય, ત્યારે પ્રશ્ન કરે, તો બે બાળકોનો જન્મ, શૂન્ય આકાશમંડળમાં પવન જવા પછી પ્રશ્ન કરે તો નપુંસક જન્મે, શૂન્ય મંડળમાંથી બીજી નાડીમાં સંક્રમણ કરતા તત્ત્વના વહનમાં પ્રશ્ન કરે, તો ગર્ભની હાનિ અને સંપૂર્ણ તત્ત્વના ઉદય પછી સામો રહી પ્રશ્ન કરે તો નિઃસંદેહપણે ક્ષેમ-કુશળ થાય. || ૨૪૫-૨૪૬॥ चन्द्रे स्त्री: पुरुष: सूर्ये, मध्यभागे नपुंसकम् प्रश्नकाले तु विज्ञेयमिति कैश्चित् निगद्यते । ७१२ 1 ॥ ૨૪૬ ॥ 1 ૫૫ ૨૪૭ ૨૫ ટીકાર્થ :- કોઈક આચાર્ય ચંદ્રસ્વર ચાલતાં સન્મુખ રહી પ્રશ્ન કરે, તો પુત્રી, સૂર્યસ્વરમાં પુત્ર, સુષુમ્હા નાડીમાં નપુંસકનો જન્મ કહે છે. II ૨૪૭ ७१० यदा न ज्ञायते सम्यक्, पवनः संचरन्नपि पीत-श्वेतारुण - श्यामैर्निश्चेतव्यः स बिन्दुभिः 1 ૫૨૪૮ ॥ ટીકાર્થ :- એક મંડળમાંથી બીજા મંડળમાં જતા પુરંદરાદિ પવનને સારી રીતે ન જાણી શકાય, તો પીળા, શ્વેત, લાલ અને શ્યામ બિન્દુઓ વડે તેનો નિશ્ચય કરવો. ॥ ૨૪૮ ॥ બિન્દુ જોવાનો ઉપાય બે શ્લોકોથી કહે છે - -- ७११ अङ्गुष्ठाभ्यां श्रुती मध्याङ्गुलीभ्यां नासिकापुटे अन्त्योपान्त्याङ्गुलीभिश्च, पिधाय वदनाम्बुजम् कोणावक्ष्णोर्निपीडयाद्याङ्गुलीभ्यां श्वासरोधत: यथावर्णं निरीक्षेत, बिन्दुमव्यग्रमानसः ટીકાર્થ :- બે અંગુઠા વડે બે કાન, બે વચલી આંગળી વડે બે નાસિકા-છિદ્રો, ટચલી અને અનામિકા આંગળીઓથી વદન-કમળ ઢાંકીને, તર્જનીથી આંખના ખૂણાઓ દબાવીને શ્વાસોચ્છ્વાસને રોકી રાખી શાંત ૫૨૧૦ ॥ 1 ૫૫ ૨૪૧ ॥ I Page #544 -------------------------------------------------------------------------- ________________ पांयमी प्राश, श्लो. २४४ - २५८ वित्तथी भृकुटिमां के वर्गना जिन्दुखो जाय, ते भेवां ॥ २४९-२५० ॥ બિન્દુશાનથી પવનનો નિશ્ચય કહે છે - -- ७१३ 1 ।। २५१ ।। टीअर्थ :- भे पीजुं जिन्दु हेजाय, तो पुरंधर वायु, घोणा जिन्दुथी वहुए वायु, डृष्ण (नीलुं) बिन्दु हेपाय, तो पवन वायु, लास जिन्दु जाय तो अग्नि-वायु छे - खेम भावु . ।। २५१ ॥ અણગમતી ચાલતી નાડી રોકી, બીજી ઈષ્ટ નાડી ચલાવવાનો ઉપાય કહે છે -- ७१४ 1 निरुरुत्सेद् वहन्तीं यां, वामां वा दक्षिणामथ तदङ्गं पीडयेत् सद्यो, यथा नाडीतरावहेत् ।। २५२ ।। ७१५ 1 ટીકાર્થ :- વહેતી ડાબી કે જમણી નાડી રોકવાની અભિલાષાવાળાએ બેઠાં કે સૂતાં તે તરફના અંગને પડખું ફેરવી દબાવવાથી તત્કાલ દબાવે, તો બીજી નાડી શરૂ થાય, આગલી બંધ થાય. II ૨૫૨ I अग्रे वामविभागे हि, शशिक्षेत्रं प्रचक्षते पृष्ठ दक्षिणभागे तु, रविक्षेत्रं मनीषिणः लाभालाभ सुखं दुःखं, जीवितं मरणं तथा विदन्ति विरलाः सम्यग्, वायुसञ्चारवेदिनः ।। २५३ ।। ७१६ पीतेन बिन्दुना भौमं सितेन वरुणं पुनः कृष्णेन पवनं विद्याद्, अरुणेन हुताशनम् 1 ।। २५४ ।। ટીકાર્થ :- વિદ્વાનો શરીરના ડાબા વિભાગમાં ચંદ્રક્ષેત્ર, જમણા વિભાગમાં પાછળ સૂર્યનું ક્ષેત્ર જણાવે છે. સારી રીતે વાયુ-સંચારના જાણકારો કોઈક જ હોય છે અને તેઓ જ લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત અને भराने भागी शडे छे. ।। २५३-२५४ ॥ -- નાડીની શુદ્ધિ પવનના સંચારથી જાણી શકાય છે, તે કહે છે अखिलं वायुजन्मेदं, सामर्थ्यं तस्य जायते ७१७ कर्तुं नाडीविशुद्धियः, सम्यग् जानात्यमूढधीः I ।। २५५ ।। ટીકાર્ય :- જે તીક્ષ્ણ બુદ્ધિવાળો સારી રીતે નાડીનું વિશુદ્ધિકરણ જાણે છે, તેને વાયુથી ઉત્પન્ન થતું સર્વ સામર્થ્ય आप्त थाय छे ।। २५५ ॥ હવે નાડી-શુદ્ધિ કરવાનું ચાર શ્લોકોથી જણાવે છે ७१८ ७१९ ७२० ४८३ नाभ्यब्जकर्णिकारूढं, कला-बिन्दु - पवित्रितम् । रेफाक्रान्तं स्फुरद्भासं, हकारं, परिचिन्तयेत् तं ततश्च तडिद्वेगं स्फुलिंगार्चि: शताञ्चितम् रेचयेत् सूर्यमार्गेण, प्रापयेच्च नभस्तलम् अमृतैः प्लावयन्तं तम्, अवतार्य शनैस्ततः चन्द्राभं चन्द्रमार्गेण नाभिपद्मे निवेशयेत् ।। २५६ ।। I ।। २५७ ।। 1 ।। २५८ ।। Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ७२१ निष्क्रमं च प्रवेशं च, यथामार्गमनारतम् । कुर्वन्नेवं महाभ्यासो, नाडीशुद्धिमवाप्नुयात् ॥२५९ ॥ ટિકાર્થ:-નાભિકમળમાં આરૂઢ થયેલો કળા અને બિન્દુથી પવિત્ર, રફથી દબાએલ, પ્રકાશમાન હકારને ચિંતવવો=ઈ. ત્યાર પછી વીજળી સરખા વેગવાળા સેંકડો અગ્નિના કણીયાઓ-જ્વાળાઓથી યુક્ત હું ને સર્યનાડીના માર્ગે રેચક-બહાર કાઢી. આકાશમાં ઉંચે પ્રાપ્ત કરવો. એવી રીતે આકાશમાં તેને અમૃતથી ભીંજાવી. ધીમે ધીમે નીચે ઉતારી, ચંદ્ર સરખા ઉજ્જવળ હું ને ચંદ્રનાડીના માર્ગે પ્રવેશ કરાવી, નાભિ-કમળમાં સ્થાપન કરવો. આ પ્રમાણે કહેલ માર્ગે નિરંતર માઅભ્યાસી પુરુષ નિષ્ક્રમણ અને પ્રવેશ કરતાં નાડીશુદ્ધિ પામે છે. | ૨૫૬ - ૨પ૯ . નાડીસંચાર-જ્ઞાનનું ફળ કહે છે -- ૭રર નાડીશુદ્ધાવિતિ પ્રજ્ઞ , સમ્પન્નગ્રાશન: | स्वेच्छया घटयेद् वायु, पुटयोस्तत्क्षणादपि ॥२६० ॥ ટીકાર્થ:- વિચક્ષણ પુરુષો નાડી શુદ્ધિનાં અભ્યાસમાં કુશળતા મેળવી પોતાની ઈચ્છા પ્રમાણે તત્કાળ એક બીજા નાસિકાના છિદ્રમાં, નાડીમાં કે તત્ત્વમાં અદલાબદલી કરી શકે છે. // ૨૬૦ || ડાબી જમણી નાડીમાં રહેતા પવનનું કાલમાન કહે છે -- ૭૨૩ द्वे एव घटिके सार्धे , एकस्यामवतिष्ठते તામુત્યુપરાં નાડીમ, મધતિકૃતિ માસ્ત: ૫ ર૬? . ७२४ षट्शताभ्यधिकान्याहु :, सहस्राण्येकविंशतिम् । અહોરાત્રે નરિ સ્વસ્થ, પ્રાણવાયોમા મમ્ ! રદ્દર | ટીકાર્થ:- એક નાડીમાં અઢી ઘડી એટલે દ0 મિનિટ સુધી વાયુ-વહન ચાલુ રહે છે. ત્યાર પછી તે નાડીનો ત્યાગ કરીને બીજી નાડીમાં પવન ચાલુ થાય છે. એ પ્રમાણે વારાફરતી બદલાયા કરે છે. સ્વસ્થ નિરોગી પુરુષમાં એક રાત્રિ-દિવસ મળી એકવીશ હજાર, બસો-૨૧૬૦૦ પ્રાણવાયુનું શ્વાસોચ્છવાસનું જવું-આવવું થાય છે. // ૨૬૧ - ૨૬૨ . વાયુ-સંચાર ન જાણનારને તત્ત્વો નિર્ણય કરવાનો અધિકાર નથી, તે કહે છે -- ૭ર૬ મુઘીર્થ સરિશ્ય, સંન્તિમપિ વેત્તિ ન | तत्त्वनिर्णयवार्ता स, कथं कर्तुं प्रवर्तते? ॥२६३ ॥ ટીકાર્ય -મુગ્ધ કે અલ્પ બુદ્ધિવાળો જે પુરુષ પવન-સંચારને પણ જાણતો નથી, તે તત્ત્વ-નિર્ણયની વાર્તા કરવા માટે કેવી રીતે પ્રવર્તી શકે? ર૬૩/l. હવે આઠ શ્લોકોથી વધવિધિ કહે છે -- पूरितं पूरकेणाधो-मुखं हृत्पद्ममुन्मिषेत् કáશ્રોતો મવેત્ તથ્ય, મુશ્મન પ્રોધિતમ્ | ર૬૪ ૫ ૭૨૬ Page #546 -------------------------------------------------------------------------- ________________ पांयमो प्राश, दो.२५८-२७३ ૪૯૫ ७२८ ७३० ७२७ आक्षिप्य रेचकेनाथ, कर्षेद् वायुं हृदम्बुजात् । ऊर्ध्वश्रोतः पथग्रन्थि, भित्त्वा ब्रह्मपुरं नयेत् ॥२६५ ॥ ब्रह्मरन्ध्रात् निष्क्रमय्य, योगी कृतकुतूहल: समाधितोऽर्कतूलेषु, वेधं कुर्याच्छनैः शनैः ॥२६६ ॥ ७२९ मुहुस्तत्र कृताभ्यासो, मालतीमुकुलादिषु स्थिरलक्षतया वेधं, सदा कुर्यादतन्द्रितः ॥२६७ ॥ दृढाभ्यासस्ततः कुर्याद्, वेधं वरुणवायुना कर्पूरागुरु कुष्ठादि-गन्धद्रव्येषु सर्वतः ॥ २६८ ॥ ७३१ एतेषु लब्धलक्षोऽथ, वायुसंयोजने पटुः पक्षिकायेषु सूक्ष्मेषु, विदध्याद् वेधमुद्यतः । ॥ २६९ ॥ ७३२ पतङ्गभृङ्गकायेषु, जाताभ्यासो मृगेष्वपि अनन्यमानसो धीरः, संचरेद् विजितेन्द्रियः ।। ॥ २७० ॥ ७३३ नराऽश्व-करिकायेषु, प्रविशन् नि:सरन्निति । कुर्वीत संक्रमं पुस्तोपलरूपेष्वपि क्रमात् ॥२७१ ॥ ટીકાર્થ - પૂરક ક્રિયા વડે વાયુને અંદર પૂરતાં હૃદય-કમળનું મુખ નીચું થઈ સંકોચાય છે. તે જ હૃદય-કમળ કુંભક કરવાથી વિકસ્વર થઈ ઊંચા મુખવાળું થાય છે. ત્યાર પછી હૃદય-કમળથી વાયુને રેચક કરવા દ્વારા ખેંચવો તે વાયુને ઉંચે ચડાવી વચ્ચેના માર્ગની ગ્રંથિને ભેદીને બ્રહ્મપ્રમાં લઈ જવો. ત્યાં સમાધિ થઈ શકે છે. કુતૂહલ કરવાની કે જોવાની ઈચ્છાથી યોગીઓએ તે પવનને બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢી સમતાથી આકડાનાં રૂ ઉપર ધીમે ધીમે વેધ કરવો. એટલે કે પવનને તે આકડાનાં રૂ ઉપર સ્થાપન કરવો. વારંવાર તેના ઉપર તેવો લેવા-મૂકવાનો અભ્યાસ કરી અર્થાત્ બ્રહ્મરંધ્રમાં લઈ જવો, પાછો બહાર કાઢવો. પછી માલતી, જાઈ, જુઈ, ચંબેલી આદિનાં પુષ્પો ઉપર લક્ષ્ય સ્થિર રાખી ઉપયોગની સાવધાનતાથી વેધ કરવો. એ પ્રમાણે હંમેશાં દઢ અભ્યાસ કરતાં કરતાં જ્યારે વરુણ-મંડળમાં વાયુ ચાલતો હોય, ત્યારે કપૂર, અગુરુ, સુગંધી ચૂર્ણ, કુષ્ઠાદિ દ્રવ્યોમાં વેધ કરવો. એ પ્રમાણે સર્વ પર જય મેળવી ઉપર જણાવેલા સર્વેમાં વગર પરિશ્રમે વાયુને જોડવામાં પ્રવીણ બની નાના નાના પક્ષીઓની કાયામાં વેધ કરવાનો પ્રયત્ન કરવો. પતંગિયાં, ભમરા આદિની કાયામાં અભ્યાસ કર્યા પછી, મૃગલા આદિકને વિષે પણ અભ્યાસવાળા બનવું. પછી એકાગ્ર ચિત્તવાળો પૈર્ય-યુક્ત અને ઈન્દ્રિયોને જિતનારો પુરુષ મનુષ્ય, ઘોડા, હાથી વગેરેની કાયામાં પ્રવેશ-નિર્ગમન કરતો અનુક્રમે પાષાણ મૂર્તિ પુતલી, દેવમૂર્તિમાં પણ प्रवेश अरे. ॥ २६४ - २७१॥ કહેલી વાતનો ઉપસંહાર કરતાં બાકીનું કહેવા યોગ્ય જણાવે છે -- ७३४ एवं परासुदेहेषु, प्रविशेद् वामनासया जीवद्देहे, प्रवेशस्तु, नोच्यते पापशङ्कया ॥ २७२॥ ટીકાર્થ:- એ પ્રમાણે મૃત્યુ પામેલાઓના નિર્જીવ દેહમાં ડાબી નાસિકાથી પ્રવેશ કરવો. બીજાના પ્રાણનો નાશ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ થવાના ભયથી, પાપની શંકાથી જીવતાના શરીરમાં પ્રવેશ કરવાનું કહેતા નથી. કારણ કે, શસ્ત્ર-ઘાતાદિ માફક તે પાપ-સ્વરૂપ હોવાથી, તે કહેવા લાયક નથી. બીજાનો ઉપઘાત કર્યા વગર જીવતા પુરુષના શરીરમાં પ્રવેશ કરવો અસંભવિત છે. તે આ પ્રમાણે સમજવું. બીજાના નિર્જીવ દેહમાં પ્રવેશ કરવાની વિધિ -- બ્રહ્મરંધ્રથી બહાર નીકળી બીજાની કાયાના અપાન-ગુદાના માર્ગે પ્રવેશ કરવો. ત્યાં પહોંચી નાભિકમળનો આશ્રય લઈ સુષુણ્ણા નાડી દ્વારા હૃદયકમળમાં જવું. ત્યાં જઈ પોતાના વાયુએ તેના પ્રાણના સંચારને રોકવો, તે વાયુ ત્યાં સુધી રોકવો કે દેહી ચેષ્ટા વગરનો થઈ નીચે પડી જાય. અંતર્મુહૂર્તમાં તે દેહમાંથી મુક્ત થતાં પોતાની ઈન્દ્રિયોની ક્રિયા પ્રગટ થવા યોગે યોગ-વિષયનો જાણકાર પોતાના દેહ માફક સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે. બુદ્ધિશાળી તે અર્ધો કે આખો દિવસ બીજાના શરીરમાં ક્રીડા કરે અને પછી આ જ વિધિએ ફરી પોતાના શરીરમાં પ્રવેશ કરે' ૨૭૨ || બીજાના શરીરમાં પ્રવેશ કરવાનું ફલ કહે છે -- ७३५ क्रमेणैवं परपुर-प्रवेशाभ्यासशक्तितः विमुक्त इव निर्लेपः, स्वेच्छया संचरेत् सुधीः ॥२७३ ।। ટીકાર્થ:- બુદ્ધિશાળી પુરુષ આ પ્રમાણે બીજાના શરીરમાં પ્રવેશ કરવાની અભ્યાસ-શક્તિ ઉત્પન્ન થવાથી મુક્ત થયેલા માફક નિર્લેપ રહી ઈચ્છાનુસાર વિચરી શકે. II ૨૭૩ // - એ પ્રમાણે પરમાહિત કુમારપાળ રાજાને સાંભળવાની ઈચ્છા થવાથી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ રચેલ, જેને અધ્યાત્મ ઉપનિષદ્' નામનો પટ્ટબંધ થયો છે, તેવા પોતાના રચેલા શ્રી યોગશાસ્ત્રના પોતે બનાવેલ વિવરણના આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલા અનુવાદમાં પાંચમો પ્રકાશ પૂર્ણ થયો. (૫) Page #548 -------------------------------------------------------------------------- ________________ પરકાય-પ્રવેશ પારમાર્થિક નથી. ७३६ इह चायं परपुर-प्रवेशश्चित्रमात्रकृत् सिध्येन वा प्रयासेन, कालेन महताऽपि हि जित्वाऽपि पवनं नाना-करणैः क्लेशकारणैः नाडीप्रचारमायत्तं, विधायापि वपुर्गतम् अश्रद्धेयं परपुरे, साधयित्वाऽपि सङ्क्रमम् विज्ञानैकप्रसक्तस्य, मोक्षमार्गो न सिध्यति 1 ॥ ૨ "I ટીકાર્થ :- અહીં આ પરકાય-પ્રવેશની હકીકત કહી છે, તે માત્ર આશ્ચર્ય કરનાર છે. તેમાં ૫૨માર્થ કશો નથી અને લાંબા કાળ સુધી પ્રયાસ કરવાથી સિદ્ધ થાય કે ન પણ થાય, માટે મુક્તિની અભિલાષાવાળાએ તેવા પ્રયાસો કરવા યુક્ત નથી. ક્લેશોના કારણભૂત અનેક કારણો વડે તથા આસનાદિક વડે શરીરમાં રહેલા પવનનો જય કરીને, નાડી–સંચારને સ્વાધીન કરીને બીજાઓને માનવામાં ન આવે તેવા બીજાના શરીરમાં પ્રવેશ કરવાનું કાર્ય સિદ્ધ કરીને તેવા પાપ વિજ્ઞાનમાં આસક્ત થયેલાને મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. III ૧-૨-૩|| ७३७ ७३८ છઠ્ઠો પ્રકાશ ૭૪૦ ॥ શ્ 1 ।। ૨ ॥ ‘કેટલાક પ્રાણાયામથી ધ્યાન-સિદ્ધિ માને છે.' એમ પહેલાં કહેલું છે, તે વાતનું બે શ્લોકોથી ખંડન કરે છે – तन्नाप्नोति मनःस्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । ७३९ प्राणस्याऽऽयमने पीडा, तस्यां स्यात् चित्तविप्लवः ॥ ४ 11 1 पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः चित्तसंक्लेशकरणात्, मुक्ते : प्रत्यूहकारणम् ॥ ૬ ॥ ટીકાર્થ :- પ્રાણાયામથી કદર્થના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કારણ કે પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરની પીડા અને તેથી મનની અસ્થિરતા થાય છે. પૂરક, કુંભક અને રેચન-ક્રિયા કરતાં પરિશ્રમ કરવો પડે છે. તેમ કરવાથી મનનો સંક્લેશ થાય અને મન-સંક્લેશ એ મુક્તિનું વિઘ્ન છે. II ૪-૫ || ' इन्द्रियैः सममाकृष्य, विषयेभ्यः प्रशान्तधीः धर्मध्यानकृते तस्मात्, मनः कुर्वीत निश्चलम् હવે અહિં શંકા કરી કે ‘પ્રાણાયામથી મનની ચંચળતા થાય તો બીજો એવો કયો માર્ગ છે. જેથી મનની ચંચળતા ન થાય.' પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે પ્રાણાયામ પછી કેટલાક પ્રત્યાહાર જણાવે છે, તે દુષ્ટ નથી. તેમ જણાવતાં કહે છે -- ७४१ 1 ॥ ૬ ॥ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ **** ટીકાર્થ :- :- શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ પાંચે વિષયોમાંથી ઈન્દ્રિયો સાથે મનને બરાબર ખેંચીને અતિશય શાંત બુદ્ધિવાળો જિતેન્દ્રિય આત્મા ધર્મધ્યાન કરવા માટે પોતાનું મન નિશ્ચલ કરે. બાહ્ય વિષયોથી ઈન્દ્રિયો સાથે મનને ખેંચી લેવું, તે પ્રત્યાહાર કહેવાય. અભિધાન ચિંતામણિ કોશમાં અમે કહેલું છે કે ‘વિષયોથી ઈન્દ્રિયોને ખેંચી લેવી, (અભિધાન ચિ. શ્લો.૮૩) તે પ્રત્યાહાર કહેવાય.' મનને નિશ્ચલ બનાવવું - એટલે પ્રત્યાહાર પછી ધારણા જણાવવા માટે ઉપક્રમ કર્યો. II ૬ || ધારણાનાં સ્થાનો કહે છે ७४२ 1 નામિ-ય-નાસાગ્ર-માન-બ્રૂ-તાનું-વૃષયઃ मुखं कर्णौ शिरश्चेति, ध्यानस्थानान्यकीर्तयन् ।। ૭ । ટીકાર્થ :- નાભિ, હૃદય, નાસિકાનો અગ્રભાગ, ભાલ, ભૃકુટી, તાલવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવા માટે ધારણા કરવાનાં સ્થાનો કહેલાં છે. ધ્યાનના નિમિત્તભૂત ધારણાનાં સ્થાનો સમજવાં. ॥ ૭॥ ધારણાનું ફલ કહે છે ७४३ -- एषामेकत्र कुत्रापि, स्थाने स्थापयतो मनः उत्पद्यन्ते स्वसंवित्तेः बहवः प्रत्ययाः किल 1 ॥ ૮ 1 ટીકાર્થ :- ઉપર કહેલાં સ્થળોમાંથી કોઈ પણ એક સ્થળે મન વધારે સમય સ્થાપન કરવાથી નક્કી પોતાને અનુભવવાળા જ્ઞાનની અનેક પ્રતીતિ ઉત્પન્ન થાય. પ્રત્યયો આગળ કહીશું. | ૮ || એ પ્રમાણે ૫૨માર્હત્ કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છાથી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રચના કરેલા ‘અધ્યાત્મ ઉપનિષદ્’ નામના પટ્ટબંધવાળા યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વિવૃત્તિમાં આ. હેમસાગરસૂરિએ કરેલો છઠ્ઠા પ્રકાશનો અનુવાદ પૂર્ણ થયો. (૬) Page #550 -------------------------------------------------------------------------- ________________ સાતમો પ્રકાશ ७४६ ધ્યાન-વિધિ કરવાની ઈચ્છાવાળાનો ક્રમ કહે છે -- ७४४ ध्यानं विधित्सता ज्ञेयं, ध्याता ध्येयं तथा फलम् । सिध्यन्ति न हि सामग्री, विना कार्याणि कर्हिचित् ॥ १ ॥ ટીકાર્થઃ- ધ્યાન કરવાની ઈચ્છાવાળાએ ધ્યાતા, ધ્યેય તથા ફળ જાણવાં જોઈએ. કારણ કે કદાપિ સામગ્રી वगर िसिद्धथत नथी.. ॥ १॥ છ શ્લોકોથી ધ્યાન કરનારનું લક્ષણ બતાવે છે -- ७४५ अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् परमप्यात्मवत् पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥ २ ॥ उपतापमसम्प्राप्तः, शीतवाताऽऽतपादिभिः पिपासुरमरीकारि, योगामृतरसायनम् ७४७ रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदूषितम् आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥ ४ ॥ ७४८ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः । संवेगहुदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ॥ ६ ॥ ७५० सुमेरुरिव निष्कम्पः, शशीवाऽऽन्ददायकः । समीर इव निःसङ्गः, सुधीर्ध्याता प्रशस्यते ॥ ७ ॥ ટીકાર્થ - પ્રાણના નાશમાં પણ સંયમ-ધુરાને ન છોડનાર, બીજા જીવોને પોતાની માફક જોનાર, પોતાના આત્મસ્વરૂપથી ન ખસનાર, ઠંડી, વાયરો કે તાપથી ઉપતાપ ન પામનાર, અજરામર કરનાર યોગામૃતરસાયનનું પાન કરવાની અભિલાષાવાળો, રાગ-દ્વેષ-મોહાદિકથી નહીં. દબાએલ, ક્રોધાદિક કષાયોથી અદૂષિત, આત્મામાં રમણતા કરનાર, સર્વ કાર્યોમાં મનને નિર્લેપ રાખનાર, કામભોગોથી વિરક્ત બનેલો, પોતાના દેહના વિષયમાં પણ મમતા વગરનો, સંવેગરૂપ દ્રહમાં સ્નાન કરતો. શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, તૃણ અને મણિ આદિમાં સમભાવનો આશ્રય કરતો, નિંદા અને સ્તુતિમાં સમાનભાવ ધારણ કરનાર, રાજા અને રંક બનેલો, મેરુ પર્વત માફક અડોલ, ચંદ્ર માફક આનંદ આપનાર, ७४९ Page #551 -------------------------------------------------------------------------- ________________ ७५३ ५०० યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ પવન માફક સંગ વગરનો, આવા ગુણવાળો બુદ્ધિમાન ધ્યાતા ધ્યાન કરવાની યોગ્યતાવાળો ગણાય. / -૭ ભેદ કહેવા દ્વારા ધ્યેયનું સ્વરૂપ કહે છે -- ७५१ पिण्डस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् ।। चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्याऽऽलम्बनं बुधैः ॥ ८ ॥ ટીકાર્થ -પંડિત પુરુષોએ ધ્યાનના આલંબનરૂપ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવાં ચાર પ્રકારનાં ध्येयो मानेला . म पिंड सेटवे शरीर, तेमा २४, ते पिंडस्थ ध्यान. ।। ८ ।। પિંડસ્થ ધ્યેયને ધારણાના ભેદોથી કહે છે -- ७५२ पार्थिवी स्यादथाग्नेयी, मारुती वारुणी तथा । तत्त्वभूः पञ्चमी चेति, पिण्डस्थे पञ्च धारणाः ॥ ९ ॥ ટીકાર્થઃ- પિંડસ્થ ધ્યેયમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વ આ પાંચ ધારણાઓ કરવાની छ. ॥ ८॥ તેમાં પાર્થિવી ધારણાને ત્રણ શ્લોકોથી સમજાવે છે -- तिर्यग्लोकसमं ध्यायेत्, क्षीराब्धि तत्र चाम्बुजम् । सहस्त्रपत्रं स्वर्णाभं, जम्बूद्वीपसमं स्मरेत् ॥ १० ॥ ७५४ तत्केसरततेरन्तः, स्फुरत् पिङ्गप्रभाञ्चिताम् । स्वर्णाचलप्रमाणां च, कर्णिकां परिचिन्तयेत् ॥ ११ ॥ श्वेतसिंहासनासीनं, कर्मनिर्मूलनोद्यतम् । आत्मानं चिन्तयेत्तत्र, पार्थिवी धारणेत्यसौ ॥ १२ ॥ ટીકાર્થ :- એકરાજ-પ્રમાણ તિસ્કૃલોક જેવડો ક્ષીરસમુદ્ર મનમાં ચિંતવવો, તેમાં લાખ યોજન પ્રમાણ જંબૂઢીપ-સમાન સુવર્ણ કાંતિવાળું અને હજાર પાંખડીવાળું કમળ ચિંતવવું. તેવા કમળના મધ્યભાગમાં કેસરાઓ છે, તેની અંદર દેદીપ્યમાન પીળી કાન્તિવાળી સ્વર્ણાચલ પ્રમાણવાળી એટલે કે લાખ યોજન ઊંચી કર્ણિકાપીઠિકા ચિતવવી. તે કર્ણિકા ઉપર ઉજ્જવળ સિંહાસન છે, તેના ઉપર બેસી કર્મોને મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરતા પોતાના શાંત આત્માને ચિંતવવો. આ પાર્થિવી ધારણા કહેવાય. / ૧૦-૧૧-૧૨ // હવે છ શ્લોકોથી આગ્નેયી ધારણા કહે છે -- ७५६ विचिन्तयेत् तथा नाभौ, कमलं षोडशच्छदम् । कर्णिकायां महामन्त्रं, प्रतिपत्रं स्वरावलीम् ॥ १३ ॥ रेफ-बिन्दु-कलाक्रान्तं, महामन्त्रे यदक्षरम् । तस्य रेफाद् विनिर्यान्ती, शनै—मशिखां स्मरेत् ॥ १४ ॥ ७५८ स्फुलिंगसन्ततिं ध्यायेत्, ज्वालामालामनन्तरम् । ततो ज्वालाकलापेन, दहेत् पद्मं हदि स्थितम् ॥ १५ ॥ ७५५ ७५७ Page #552 -------------------------------------------------------------------------- ________________ સાતમો પ્રકાશ, શ્લો.૧-૨૮ ૫૦૧ ७५९ तदष्टकर्मनिर्माण-मष्टपत्रमधोमुखम् । दहत्येव महामन्त्र-ध्यानोत्थः प्रबलानलः ॥ १६ ॥ ७६० ततो देहान बहिायेत्, त्र्यस्त्रं वह्निपुरं ज्वलत् । लाञ्छितं स्वस्तिकेनान्ते, वह्निबीज-समन्वितम् ॥ १७ ॥ ७६१ देहं पद्मं च मन्त्रार्चि-रन्तर्वह्निपुर बहिः । कृत्वाऽऽशु भस्मसाच्छाम्येत्, स्यादाग्नेयीति धारणा ॥ १८ ॥ ટીકાર્થઃ- તેમજ નાભિમાં સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું, તેની કર્ણિકામાં મર્ણ મહામંત્ર સ્થાપન કરવો અને દરેક પાંખડીમાં અનુક્રમે 5, મા, રૂ, રૂં, ૩, ૪, ગ – 7, 7, , , , ૩ૌ, , ઝ: અનુક્રમે સ્થાપન કરવા. મહામંત્ર “' માં રેફ, બિન્દુ અને કળાથી દબાએલ જે હકાર અક્ષર છે, તેના રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધૂમશિખાનું સ્મરણ કરવું. પછી તેમાંથી નીકળતા અગ્નિના કણીયા ચિંતવવા, પછી નીકળતી અનેક અગ્નિજ્વાલા ચિંતવવી. ત્યાર પછી અગ્નિજ્વાલા-સમૂહથી હૃદયમાં રહેલ આઠ પાંખડીવાળું આઠ કર્મ સ્થાપેલ કમળ બળતું ચિંતવવું. તે કમળની આઠ પાંખડીઓમાં ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય - એ આઠ કર્મો અનુક્રમે સ્થાપન કરવાં. તે આંઠે પાંખડીઓનાં મુખ નીચા રાખેલાં હોય તેમ ચિંતવવાં. “ ' મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલ મહાપ્રબળ. અગ્નિ આઠ કર્મરૂપ અધોમુખવાળા કમળને બાળી નાખે છે – એમ ચિંતવવું, પછી શરીરની બહાર સળગતો ત્રણ ખૂણાવાળો અગ્નિકુંડ અને સાથિયાના ચિહ્નથી યુક્ત અગ્નિબીજ કાર સહિત ચિંતવવો. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલ અગ્નિજ્વાલા અને બહારના અગ્નિકુંડની જ્વાલા એ બંને વડે કરી દેહ અને આઠ કર્મનું ચિંતવેલ કમળ બાળીને એકદમ ભસ્મસાત્ બનાવી આપોઆપ શાંત થવું - તે આગ્નેયી ધારણા સમજવી. મહામંત્ર સિદ્ધચક્રમાં રહેલ બીજરૂપ 'મર્દ ' સમજવો. || ૧૩ થી ૧૮ || હવે બે શ્લોકોથી વાયવી ધારણા કહે છે -- ततस्त्रिभुवनाभोगं, पूरयन्तं समीरणम् । चालयन्तं गिरीनब्धीन्, क्षोभयन्तं विचिन्तयेत् ॥ १९ ॥ ७६३ तच्च भस्मरजस्तेन, शीघ्रमुख़्य वायुना । दृढाभ्यासः प्रशान्ति तम्, आनयेदिति मारुती ॥ २० ॥ ટીકાર્થ - ત્યાર પછી ત્રણ ભુવનના અવકાશ-વિસ્તારને પૂરી દેતા, પર્વતોને કંપાયમાન કરતા, સમુદ્રોને ક્ષોભ પમાડતા - ખળભળાવતા વાયુને ચિંતવવો. આની પહેલાં શરીરને તથા કમળને બાળી રાખ કરી નાખેલ તે રજને તેવા વાયુ વડે જલ્દી ઉડાડી નાખીને દઢ અભ્યાસ વડે પાછો વાયુને શાંત કરવો – એ મારુતી નામની ત્રીજી ધારણા જાણવી. || ૧૯-૨૦| હવે બે શ્લોકોથી વારુણી ધારણા કહે છે -- ७६४ स्मरेद् वर्षत्सुधासारैः, घनमालाकुलं नभः ।। ततोऽर्धेन्दुसमाक्रान्तं, मण्डलं वरुणाङ्कितम् ॥ २१ ॥ ७६२ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ७६५ 1 नभस्तलं सुधाम्भोभिः, प्लावयेत् तत्पुरं ततः तद्रजः कायसम्भूतं, क्षालयेदिति वारुणी ।। ૨ ।। ટીકાર્થ :- અમૃત સ૨ખી વૃષ્ટિ વરસાવનાર મેઘ-પંક્તિઓથી વ્યાપ્ત આકાશ ચિંતવવું, પછી અર્ધ ચંદ્રાકાર કલા અને બિન્દુયુક્ત વરુણ-બીજ વૈં યાદ કરવું. તે વરુણ બીજથી ઉત્પન્ન થયેલ અમૃત સરખા જળથી આકાશને પૂર્ણ કરી પૂર્વે શરીરથી ઉત્પન્ન થએલ રજ જે આકાશમાં ઉડાડી હતી, તેને પાણીથી ધોઈ નાખવી અને પછી વરુણમંડલને શાંત કરવું, તે વારુણી ધારણા સમજવી. ॥ ૨૧-૨૨૫ ७६६ હવે તત્ત્વભૂ ધારણા ઉપસંહાર સાથે ત્રણ શ્લોકોથી કહે છે -- सप्तधातुविनाभूतं, पूर्णेन्दुविशदधुतिम् सर्वज्ञकल्पमात्मानं, शुद्धबुद्धिः स्मरेत् ततः ततः सिंहासनारूढं सर्वातिशयभासुरम् विध्वस्ताशेषकर्माणं, कल्याणमहिमान्वितम् स्वाङ्गगर्भे निराकारं, संस्मरेदिति तत्त्वभूः ७६७ ७६८ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ७७० 1 साभ्यास इति पिण्डस्थे, योगी शिवसुखं भजेत् ॥ २५ ॥ ટીકાર્થ 1 :- ચાર ધારણા ચિંતવ્યા પછી બારીક બુદ્ધિવાળા યોગીપુરુષે સાત ધાતુ રહિત પૂર્ણ ચંદ્ર સરખા નિર્મલ કાંતિવાળા સર્વજ્ઞ સરખા પોતાના આત્માને ચિંતવવો. ત્યાર પછી સિંહાસન પર આરૂઢ થએલા સર્વ અતિશયોથી સુશોભિત, સર્વ કર્મોને નાશ કરનારા, કલ્યાણકારી પ્રભાવવાળા પોતાના દેહમાં રહેલ નિરાકાર આત્માને સ્મરણ કરવો - એ તત્ત્વભૂ નામની ધારણા જાણવી. આ પિંડસ્થ ધ્યાન વિષે અભ્યાસ કરનાર યોગી મોક્ષસુખનો અધિકારી બને છે. | ૨૩-૨૪-૨૫|| હવે ત્રણ શ્લોકોથી પિંડસ્થ ધ્યેયનો મહિમા કહે છે -- ७६९ 1 ॥ ૨૨ ॥ 1 ।। ૪ ।। ७७१ अश्रान्तमिति पिण्डस्थे, कृताभ्यासस्य योगिनः 1 प्रभवन्ति न दुर्विद्या - मन्त्रमण्डलशक्तयः शाकिन्यः क्षुद्रयोगिन्यः, पिशाचाः पिशिताशनाः । त्रस्यन्ति तत्क्षणादेव, तस्य तेजोऽसहिष्णवः दुष्टाः करटिनः सिंहाः, शरभाः पन्नगा अपि जिघांसवोऽपि तिष्ठन्ति, स्तम्भिता इव दूरतः ।। ૬ ।। ॥ ૨૭ ॥ I ૫ ૨૮ ॥ ટીકાર્થ ::- આ પ્રમાણે નિરંતર પિંડસ્થ-વિષયક અભ્યાસ કરનાર યોગી પુરુષને ઉચ્ચાટન, મારણ, સ્તંભન, વિદ્વેષણ આદિ દુષ્ટ વિદ્યાઓ, મંત્ર, મંડલ, શક્તિઓ પરાભવ કરી શકતી નથી. શાકિનીઓ, નીચ યોગિનીઓ, (જોગણીઓ) પિશાચો, માંસાહારીઓ તેના તેજને સહન નહીં કરતાં તરત જ ત્રાસ પામે છે તથા દુષ્ટ હાથીઓ, સિંહો, શરભો, સર્પો અને મારવાની ઈચ્છાવાળાઓ પણ સ્તંભિત થએલા હોય તેમ દૂર ઉભા રહે છે. ।। ૨૬-૨૭-૨૮ ॥ એ પ્રમાણે ૫૨માર્હત કુમારપાળ મહારાજાને શ્રવણ કરવાની અભિલાષાથી આચાર્ય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીએ રચેલા, જેને ‘અધ્યાત્મ ઉપનિષદ્' નામનો પટ્ટબંધ થયો છે, તેવા યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણના આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રીહેમસાગરસૂરિએ કરેલા ગૂર્જરાનુવાદમાં સાતમો પ્રકાશ પૂર્ણ sul. 11911 Page #554 -------------------------------------------------------------------------- ________________ આઠમો પ્રકાશ હવે પદસ્થ ધ્યેયનું લક્ષણ કહે છે -- ७७२ यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं, ध्यानं सिद्धान्तपारगैः ॥ १ ॥ ટીકાર્થ - પવિત્ર મંત્રાક્ષરાદિ-પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરાય, તેને સિદ્ધાંતકારો પદસ્થ ધ્યાન કહે છે. || ૧ | ત્રણ શ્લોકોથી વિશેષ જણાવે છે -- ७७३ तत्र षोडशपत्राढ्ये, नाभिकन्दगतेऽम्बुजे । स्वरमालां यथापत्रं, भ्रमन्ती परिचिन्तयेत् ॥ २ ॥ ৩৩৪ चतुर्विंशतिपत्रं च, हदि पद्मं सकर्णिकम् । वर्णान् यथाक्रमं तत्र, चिन्तयेत् पञ्चविंशतिम् ॥ ३ ॥ ૭૭૬ वक्त्राब्जेऽष्टदले वर्णाष्टकमन्यत् ततः स्मरेत् । संस्मरन् मातृकामेवं, स्यात् श्रुतज्ञानपारगः ॥ ४ ॥ ટીકાર્થ :- તે ધ્યાનમાં નાભિ-કંદ રહેલા સોળ પાંખડીવાળા એક કમળમાં દરેક પાંખડી પર અનુક્રમે ભ્રમણ કરતી “મ, , , , ૩, ૪, 8 , , , , ,ગં, મઃ' આ સોળ સ્વરની માળા ચિતવવી. હૃદયને વિષે કર્ણિકા સહિત ચોવીશ પાંખડીવાળા કમળમાં ક્રમસર સ્થાપેલા ઘા પર છા ગ ઢપત થરથના વમમ એ પચીસ વ્યંજનોને ચિંતવવા પ્રથમના ચોવીશને પાંખડીઓમાં અને એ કારને કર્ણિકામાં ચિંતવવો તથા આઠ પાંખડીવાળા મુખકમળમાં ય ર ન વ શ ષ સ દ એ બાકી રહેલા આઠ વર્ણોને આઠ પાંખડીઓમાં સ્મરણ કરવા. આ પ્રમાણે માતૃકાક્ષરોને ચિંતવતો-ધ્યાન કરતો યોગી શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. // ૨-૩-૪ || તેનું ફલ કહે છે -- ७७६ ध्यायतोऽनादिसंसिद्धान्, वर्णानेतान् यथाविधि । नष्टादिविषये ज्ञानं, ध्यातुरुत्पद्यते क्षणात् ॥ ५ ॥ ટીકાર્ય - અનાદિ સિદ્ધ એવા એ વર્ણોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને ગુમાવેલું, નાશ પામેલું, ખોવાએલું, ભૂત, વર્તમાન અને ભાવિ-કાળનું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. કહેવું છે કે, “જાપ કરવાથી ક્ષયરોગ, ખોરાકની અરુચિ, અગ્નિની મંદતા, કુષ્ઠરોગ, ઉદરરોગ, ખાંસી, દમ વગેરે પર જય મેળવે છે અને અદ્ભુત વાણી બોલનાર થાય છે. તેમજ મોટાઓ તરફથી પૂજા અને પરલોકમાં ઉત્તમ ગતિ અને ઉત્તમ નેતા પદ પ્રાપ્ત Page #555 -------------------------------------------------------------------------- ________________ ५०४ → हुरे छे.” ॥ ५ ॥ ७७८ -1 ७७७ પ્રકારાંતરથી બાર શ્લોકો વડે પદમયી-મંત્રમયી દેવતાનું સ્વરૂપ ધ્યેયપણે જણાવે છે अथवा नाभिकन्दाधः, पद्ममष्टदलं स्मरेत् स्वरालीकेसरं रम्यं, वर्गाष्टकयुतैर्दलैः दलसन्धिषु सर्वेषु, सिद्धस्तुतिविराजितम् दाग्रेषु समग्रेषु, माया-प्रणव- पावितम् तस्यान्तरन्तिमं वर्णम्, आद्यवर्णपुरस्कृतम् रेफाक्रान्तं कला-बिन्दु-रम्यं प्रालेयनिर्मलम् अर्हमित्यक्षरं प्राण- प्रान्तसंस्पर्शिपावनम् स्वं दीर्घं प्लुतं सूक्ष्मम्, अतिसूक्ष्मं ततः परम् ग्रन्थीन् विदारयन् नाभि-कन्द- हृद्- घण्टिकादिकान् । सुसूक्ष्मध्वनिना मध्य-मार्गयायि स्मरेत् ततः 1 ॥ ९ 11 ॥ १० ॥ ७७९ ७८० ७८१ ७८२ ७८३ ७८४ ७८५ 1 1 अथ तस्यान्तरात्मानं, प्लाव्यमानं विचिन्तयेत् बिन्दुतप्तकलानिर्यत्-क्षीरगौरामृतोर्मिभिः ततः सुधासरःसूत-षोडशाब्जदलोदरे आत्मानं न्यस्य पत्रेषु, विद्यादेवीश्च षोडश स्फुटस्फटिक भृङ्गार-क्षरत् क्षीरसितामृतैः आभिराप्लाव्यमानं स्वं, चिरं चित्ते विचिन्तयेत् ॥ १३ ॥ अथास्य मन्त्रराजस्या-भिधेयं परमेष्ठिनम् अर्हन्तं मूर्धनि ध्यायेत्, शुद्धस्फटिकनिर्मलम् तद्ध्यानावेशतः ‘सोऽहं', 'सोऽहम्' इत्यालपन् मुहुः 1 निःशङ्कमेकतां विद्याद्, आत्मनः परमात्मना ततो नीरागमद्वेषम्, अमोहं सर्वदर्शिनम् सुरार्च्य समवसृतौ, कुर्वाणं धर्मदेशनाम् ध्यायन्नात्मानमेवेत्थम्, अभिन्नं परमात्मना लभते परमात्मत्वं, ध्यानी निर्धूतकल्मषः ।। १४ ।। ।। १५ ।। 1 ॥ १७ ॥ ટીકાર્થ :- અથવા નાભિકંદની નીચ આઠ પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તે કમળની આઠ પાંખડીઓમાં મનોહર કેસરાઓ રૂપ સોળ સ્વર-શ્રેણિ પ્રથમ પાંખડીમાં ચિંતવવી. બાકીની સાત પાંખડીઓમાં ક્રમસ૨ આ वर्शोना वर्गो स्थापन झरी चिंतववा. १ क ख ग घ ङू, २ च छ ज ज्ञ ञ, उ ट ठ ड ढ ण, ४ त थ द ध न, ५ प फ ब भ म य र ल व ७ श ष स ह. खेड पांजीमां सर्व स्वरो भने उडेला वर्गो ७ पांगडीमां चिंतववा. ते ७८६ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ७८७ ७८८ 1 ॥ ६ 11 I ॥ ७ 11 I ॥ ८ 11 1 ॥ ११ ॥ 1 ।। १२ ।। 1 ॥ १६ ॥ Page #556 -------------------------------------------------------------------------- ________________ આઠમો પ્રકાશ, શ્લો. ૧-૨૨ ૫૦૫. પાંખડીઓના આંતરામાં હું કાર રૂપસિદ્ધની સ્તુતિ ચિંતવવી અને સમગ્ર પાંખડીઓના ઉપરના ભાગમાં ૐ દી સ્થાપન કરવા. તે કમલના મધ્યભાગમાં પહેલો વર્ણ ૩ છેલ્લો દરેફ કલા અને બિન્દુ સહિત હિમ સરખો ઉવલ ‘મ સ્થાપન કરવો. આ ‘સર્ટ'મનથી સ્મરણ કરતાં જ પવિત્ર કરનાર છે. તેને પ્રથમ હ્રસ્વ ઉચ્ચારનાદ મનમાં કરવો, પછી દીર્ઘ, પ્લત, સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ નાદ કરવો, પછી તે નાદ નાભિ, કંઠ અને હૃદયની ઘંટિકાદિકને વિદારણ કરતો સૂક્ષ્મ ધ્વનિવાળો થઈ તે સર્વના મધ્યમાં થઈ આગળ જનારો થાય છે – એમ ચિતવવું. પછી તે નાદના બિન્દુથી તપેલી કળામાંથી નીકળતા દૂધ સરખા ઉજ્જવલ અમૃતના કલ્લોલ વડે અંતરાત્માને સિંચાતો-ભીંજાતો ચિંતવવો. પછી એક અમૃત સરોવરની કલ્પના કરવી અને તેમાં ઉત્પન્ન થએલ, સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું, તેમાં વચ્ચે પોતાનું સ્થાપન કરી પાંખડીઓમાં સ્થાપન કરેલી સોળ વિદ્યાદેવીઓને ચિતવવી. પછી દેદીપ્યમાન સ્ફટિકરત્નના ભંગાર કળશમાંથી ઝરતા દૂધ સરખા ઉવલ અમૃત વડે પોતાને લાંબા કાળ સુધી સિચાતો મનમાં ચિતવે. ત્યાર પછી હવે શુદ્ધ સ્ફટિક સરખા નિર્મલ મંત્રરાજના નામવાળા ગર્દત પરમેષ્ઠિને મસ્તક વિષે ધ્યાનમાં ચિંતવે. ધ્યાનના વેગથી ‘સોડદં તોડ્યું એટલે કે “તે વીતરાગ તે જ હું, તે જ હું એ પ્રમાણે વારંવાર બોલતાં એમનિઃશંકપણે આત્માની અને પરમાત્માની એકતા ચિંતવે. પછી રાગ-દ્વેષ-મોહ-રહિત, સર્વદર્શી, દેવોથી પૂજનીય, સમવસરણમાં ધર્મ-દેશના કરતા પરમાત્માની સાથે અભેદસ્વરૂપે ધ્યાન કરતા ધ્યાની પુરૂષો પાપકર્મોનો નાશ કરી પરમાત્મપણાને પામે છે. તે ૬- ૧૭ || ફરી પણ બીજા પ્રકારે પદમયી દેવતાને પાંચ શ્લોકો વડે કહે છે -- ७८९ यद्वा मन्त्राधिपं श्रीमान्, ऊर्ध्वाधो-रेफ-संयुतम् । ના-વિદ્-સમાન્તમ્, નહિતયુક્ત તથા ૫ ૨૮ ७९० कनकाम्भोजगर्भस्थं, सान्द्रचन्द्रांशुनिर्मलम् । गगने सञ्चरन्तं च, व्याप्नुवन्तं दिशः स्मरेत् ॥ १९ ॥ ७९१ ततो विशन्तं वक्त्राब्जे, भ्रमन्तं भूलतान्तरे स्फुरन्तं नेत्रपत्रेषु, तिष्ठन्तं भालमण्डले || ૨૦ | ७९२ निर्यान्तं तालुरन्ध्रेण, स्रवन्तं च सुधारसम् स्पर्धमानं शशाङ्केन, स्फुरन्तं ज्योतिरन्तरे ७९३ सञ्चरन्तं नभोभागे, योजयन्तं शिवश्रिया सर्वावयवसंपूर्णं, कुम्भकेन विचिन्तयेत् . ર૨ | ટીકાર્થ:- અથવા ઉપર અને નીચે રેફયુક્ત તેમ જ કલા અને બિન્દુથી દબાએલ અનાહત સહિત મંત્રાધિપ ‘મને સુવર્ણ-કમળમાં રહેલ, ગાઢ ચંદ્ર-કિરણો સરખા નિર્મલ આકાશમાં સંચાર કરતો, દિશાઓમાં વ્યાપેલો સ્મરણ કરવો. ત્યાર પછી મુખ-કમળમાં પ્રવેશ કરતા, ભૂકુટિમાં ભ્રમણ કરતા, નેત્રપત્રમાં સ્કુરાયમાન થતા, ભાલ-મંડલમાં રહેતા, તાળવાના છિદ્રમાંથી બહાર નીકળતા, અમૃતરસ ઝરતા, ઉજ્જવલતામાં ચંદ્ર સાથે સ્પર્ધા કરતા, જ્યોતિષમંડલમાં વિશેષ પ્રકાશ પામતા, આકાશ-પ્રદેશમાં સંચરતા, મોક્ષલક્ષ્મી સાથે જોડતા, સર્વ અવયવોથી સંપૂર્ણ એવા મ' મંત્રાધિરાજને બુદ્ધિમાન યોગીઓએ કુંભક કરીને ચિંતવવો કહેલું છે કે -- अकारादि-हकारान्तं, रेफमध्यं सबिन्दुकम् तदेव परमं तत्त्वं, यो जानाति स तत्त्ववित् ॥१॥ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ આ કાર જેની આદિમાં છે, zકાર જેના અંતમાં છે અને બિન્દુ સહિત રેફ જેના મધ્યમાં છે, તે જ ‘મ' પરમતત્ત્વ છે અને તે જાણનાર તત્ત્વનો જાણકાર ગણાય છે. || ૧૮ - ૨૨ //. મંત્રરાજના ધ્યાન સંબંધી ફળ કહે છે -- ७९४ महातत्त्वमिदं योगी, यदैव ध्यायति स्थिरः । तदैवानन्दसम्पद्भूः, मुक्तिश्रीरुपतिष्ठते ટીકાર્થઃ- જે યોગી સ્થિરચિત્તે આ મહાતત્ત્વ સ્વરૂપ ‘મનું જ્યારે ધ્યાન કરે છે, તે જ વખતે તેને આનંદસંપત્તિના કારણ-સ્વરૂપ મોક્ષલક્ષ્મી સમીપમાં આવી હાજર થાય છે. તે ૨૩ // ત્યાર પછીની વિધિ કહે છે -- ७९५ रेफ-बिन्दु-कलाहीनं, शुभ्रं ध्यायेत् ततोऽक्षरम् । ततोऽनक्षरतां प्राप्तम्, अनुच्चार्यं विचिन्तयेत् ॥ २४ ॥ ટીકાર્થઃ- ત્યાર પછી રેફ, બિન્દુ, કલાથી હીન ઉજ્જવલzવર્ણનું ધ્યાન કરવું અને ત્યાર પછી તેને અક્ષર ન હોય, તે સ્વરૂપે તેમ જ મુખે ઉચ્ચારી ન શકાય તેવી રીતે ચિંતવવો. || ૨૪ / પછી -- ७९६ निशाकरकलाकारं, सूक्ष्मं भास्करभास्वरम् । अनाहताभिधं देवं, विस्फुरन्तं विचिन्तयेत् ॥ २५ ॥ ટીકાર્થ - (બીજના) ચંદ્રની કળા આકાર સરખા, સૂર્યની પ્રજા માફક તેજસ્વી, અનાહત નામના દેવને (અનુચ્ચાર્ય અને અનક્ષરતાની આકૃતિ પામેલા) દકાર વર્ણને સ્કુરાયમાન થતો ચિંતવવો. / રપ/l ७९७ तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेद् वालाग्रसन्निभम् ।। क्षणमव्यक्तमीक्षेत, जगज्जोतिर्मयं ततः ॥ २६ ॥ ટીકાર્થ:- ત્યાર પછી તે જ અનાહતને અનુક્રમે વાળાગ્ર સરખો સૂક્ષ્મ ચિંતવવો, પછી ક્ષણવાર આખું જગત નિરાકાર જ્યોતિર્મય છે – એમ જોવું. . ર૬ . એ પ્રમાણે -- ७९८ प्रच्याव्यमानसंलक्ष्याद्, अलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षम्, अन्तरुन्मीलति क्रमात् ॥ २७ ॥ ટીકાર્થ - પછીતે લક્ષ્યથી મનને (ધીમે ધીમે) દૂર કરીને અલક્ષ્યમાં સ્થિર કરતાં ક્ષય ન થાય તેવી અને ઈન્દ્રિયોની ન જાણી શકાય તેવી જ્યોતિ ક્રમસર અંદર ઉત્પન્ન થાય છે. || ર૭ II. ચાલુ વિષયનો ઉપસંહાર કરે છે -- ७९९ इति लक्ष्यं समालम्ब्य, लक्ष्याभावः प्रकाशितः । निषण्णमनसस्तत्र, सिध्यत्यभिमतं मुनेः ॥ २८ ॥ ટીકાર્થ:- આ પ્રમાણે લક્ષ્યનું આલંબન લઈ નિરાલંબ-સ્વરૂપ લક્ષ્યાભાવને પ્રકાશિત કર્યો. તેવા અલક્ષ્યનિરાલંબમાં મનને સ્થાપન કરનાર મુનિનું મન ઈચ્છિત કાર્ય ફળીભૂત થાય છે. . ૨૮ Page #558 -------------------------------------------------------------------------- ________________ આઠમો પ્રકાશ, શ્લો. ૨૩-૩૪ ૫૦૭ આ પ્રમાણે અનાહત-અવ્યક્ત મંત્રરાજ કહ્યો. પૂર્વે જણાવેલ લક્ષ્ય-આલંબન ગ્રહણ કરી તેમાં આગળ વધતાં ક્રમે ક્રમે તેવાં આલંબનનો ત્યાગ કરી નિરાલંબન સ્થિતિમાં નિશ્ચલ બનતાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. તેથી પ્રથમ સાલંબન ધ્યાન, પછી નિરાલંબન ધ્યાન ગ્રહણ કરવું. હવે બીજા પ્રકારે પરમેષ્ઠિ-વાચક પદમયી-મંત્રમયી-દેવતાને બે શ્લોકોથી કહે છે तथा हृत्पद्ममध्यस्थं, शब्दब्रह्मैककारणम् स्वर - व्यञ्जनसंवीतं, वाचकं परमेष्ठिनः ૨૦૦ ।। ૨ । I मूर्धसंस्थितशीतांशु-कलामृतरसप्लुतम् कुम्भकेन महामन्त्रं, प्रणवं परिचिन्तयेत् || ૨૦ | ટીકાર્થ :- તથા હૃદય-કમળમાં રહેલા વચન-વિલાસ સ્વરૂપ શબ્દ-બ્રહ્મની ઉત્પત્તિનું અપૂર્વ કારણ સ્વરો, વ્યંજનો મળેલા હોય તેવા પરમેષ્ઠિપદના વાચક, મસ્તકમાં રહેલા, ચંદ્રકલામાંથી નીકળતા, અમૃતરસથી ભીંજાતા મહામંત્ર ૐૐ કાર પ્રણવને કુંભક એટલે શ્વાસોચ્છ્વાસને રોકી ચિંતવવો. ॥ ૨૯-૩૦ તેના ધ્યેયપણામાં બીજા પ્રકારો જણાવે છે -- ८०२ ८०९ पीतं स्तम्भेऽरुणं वश्ये, क्षोभणे विद्रुमप्रभम् 1 कृष्णं विद्वेषणे ध्यायेत्, कर्मघाते शशिप्रभम् ।। ૨ ।। ટીકાર્થ :- સ્તંભન કરવામાં પીળા ૐ કારનું, વશીકરણ કરવામાં લાલ, ક્ષોભ પમાડવામાં પરવાળાની કાંતિ સરખા, વિદ્વેષણમાં કાળા, કર્મોનો નાશ કરવામાં ચંદ્ર-કાંતિ સમાન ઉજ્જવલ ૐ કારનું ધ્યાન કરવું. જોકે કર્મનો નાશ કરવાની ઈચ્છાવાળાએ ચંદ્રકાન્તિ સરખા ઉજ્જવલ ૐ પ્રણવનું ધ્યાન કરવું યોગ્ય છે, તો પણ તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સામગ્રીના કારણે પીત આદિ ધ્યાનો પણ કોઈક વખત ઉપકારક થાય છે, માટે અહિં તે કહેલું છે. . ॥ ૩૧ | બીજા પ્રકારે પદમય પંચપરમેષ્ઠિ દેવતાની સ્તવના કરે છે -- ८०३ तथा पुण्यतमं मन्त्रं, जगत् त्रितयपावनम् योगी पञ्चपरमेष्ठि- नमस्कारं विचिन्तयेत् 1 ॥ ૨૨ ॥ ટીકાર્થ :- તથા ત્રણ જગતને પવિત્ર કરનાર, મહાપવિત્ર, પંચપરમેષ્ઠિ નમસ્કાર-મંત્રને યોગીએ વિશેષ પ્રકારે ચિંતવવો. ॥ ૩૨ ॥ ત્યાર પછી -- ૮૦૪ अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् 1 आद्यं सप्ताक्षरं मंत्रं, पवित्रं चिन्तयेत् ततः ॥ ૨૩ ॥ ટીકાર્થ :- આઠ પાંખડીવાળું સફેદ કમળ તેની કર્ણિકામાં સ્થાપન કરેલો સાત અક્ષરવાળો પવિત્ર મંત્ર નમો અરિહંતાણં ચિંતવવો. ।। ૩૩ ।। ८०५ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् चूलापादचतुष्कं च विदिक्पत्रेषु चिन्तयेत् ૪ । ટીકાર્થ :- પછી સિદ્ધાદિક ચાર મંત્રપદો અનુક્રમે ચારે દિશાઓની પાંખડીઓમાં અને ચૂલાનાં ચાર પદો I ।। Page #559 -------------------------------------------------------------------------- ________________ ૮૦૭ ૫૦૮ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ વિદિશાની પાંખડીઓમાં ચિંતવવાં. નમો સિદ્ધાપ પૂર્વદિશામાં નમો નારાજ પદ દક્ષિણ દિશામાં, નમો - ૩યા પદ પશ્ચિમદિશામાં નમો નો સબૂદૂપ પદ ઉત્તરદિશામાં તથા વિદિશાની ચાર પાંખડીઓમાં અગ્નિખૂણામાં પણ પંઘ નમુક્ષરો નૈૐત્યમાં સવ્વપાવપૂVIો , વાયવ્યમાં મંતાઈ વસલ્વેસિં, ઈશાનમાં પઢમં વડું મi, આ પ્રમાણે પંચપરમેષ્ઠિ-નમસ્કારનું ધ્યાન કરવું. / ૩૪ તેનું ફલ કહે છે -- ८०६ त्रिशुद्ध्या चिन्तयंस्तस्य, शतमष्टोत्तरं मुनिः ।। भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥ ३५ ॥ ટીકાર્થ:- મન, વચન અને કાયાની શુદ્ધિથી એકાગ્રતાપૂર્વક તેનો એકસો આઠ વખત જાપ કરનાર મુનિ ભોજન કરવા છતાં પણ એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે જ. // ૩૫ | તથા -- एनमेव महामन्त्रं, समाराध्येह योगिनः त्रिलोक्याऽपि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥ ३६ ॥ ૮૦૮ कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रं समाराध्य, तिर्यंचोऽपि दिवं गताः ॥३७ ॥ ટીકાર્થ આ પ્રમાણે આ મહામંત્રને સારી રીતે આરાધીને યોગીપુરુષો શ્રેષ્ઠ લક્ષ્મીના અધિકારી બન્યા છતાં ત્રણે લોક વડે પૂજાય છે. હજારો પાપો કરીને, સેંકડો જંતુઓને હણીને, તિર્યંચ સરખા પ્રાણીઓ પણ આ મંત્રનું સુંદર આરાધન કરી સ્વર્ગે ગયા છે. બળદના જીવ-કમ્બલ-શમ્બલ, ક્રોધ કરનાર સિંહ, ચંડકોશિયો સર્પ ઈત્યાદિક દેવલોક ગયા છે. તે ૩૬-૩૭ || બીજા પ્રકારે પંચપરમેષ્ઠિ-વિદ્યા કહે છે -- ८०९ गुरुपंचकनामोत्था, विद्या स्यात् षोडशाक्षरा । जपन् शतद्वयं तस्याः, चतुर्थस्याऽऽप्नुयात् फलम् ॥ ३८ ॥ ટીકાર્ય :- ગુરુ પરમેષ્ઠિ એટલે પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થએલ “નમ:' પદ અને વિભક્તિ વગરનાં તેમનાં નામો “મસ્વિંતસિદ્ધમા૩વાસીદુ' આ પ્રમાણે સોળ અક્ષરવાળી વિદ્યાનો જાપ બસો વખત કરે, તો એક ઉપવાસનું ફળ મેળવે. || ૩૮ | તથી -- ८१० शतानि त्रीणि षड्वर्णं, चत्वारि चतुरक्षरम् । पंचावण जपन् योगी, चतुर्थफलमश्नुते ॥ ३९ ॥ ટીકાર્થઃ- “અરિહંત સિદ્ધ એ છ અક્ષરી વિદ્યા ત્રણસો વખત, અરિહંત' એ ચાર અક્ષરી વિઘા ચારસો વખત, મસિ ૩ એ પંચાક્ષરી વિદ્યા અથવા 4 કાર મંત્રનો જાપ કરનાર યોગી એક ઉપવાસનું ફળ મેળવે છે. અહિ ઉપવાસ માત્ર ફલ જણાવ્યું, તે સામાન્ય ભદ્રિક આત્માઓને માટે થોડું જ કહેલું છે, મુખ્ય ફળ તો સ્વર્ગ અને અપવર્ગ-મોક્ષ છે. | ૩૦ || એ જ કહે છે -- Page #560 -------------------------------------------------------------------------- ________________ આઠમો પ્રકાશ, શ્લો.૩૫-૪૫ ૫૦૯ ८११ प्रवृत्तिहेतुरेवैतद्, अमीषां कथितं फलम् । फलं स्वर्गापवर्गों तु, वदन्ति परमार्थतः ॥ ४० ॥ ટીકાર્થ:- આ સર્વ મંત્રોનો જાપનું ફળ ઉપવાસ જણાવ્યું, તે તો બાળ જીવોને જાપમાં જોડવા માટે સમજવું. ५२भार्थथी तो स्वसिने अपवर्ग मां छ.।। ४०।। બીજા પ્રકારે પદમયી-દેવતાનું ધ્યાન કહે છે -- ८१२ पंचवर्णमयी पंच-तत्त्वाविद्योद्धृता श्रुतात् । अभ्यस्यमाना सततं, भवक्लेशं निरस्यति ॥ ४१ ॥ अर्थ :- विद्यावा नमना पूर्वथा उद्धरेली पाय वाणी, पांय तत्व स्व३५ “हाँ हाँ हुँ ह्रौँ हः असि आ उसा नमः" विधानो निरंतर ॥५४३, तो संसारना सेशने ६२ ४३ छ. ।। ४१ ॥ तथा -- ८१३ मङ्गलोत्तमशरण-पदान्यव्यग्रमानसः चतुःसमाश्रयाण्येव, स्मरन् मोक्षं प्रपद्यते ॥ ४२ ॥ ટીકાર્થ:-મંગલ, ઉત્તમ અને શરણ આ ત્રણ પદો અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચાર પદોની સાથે એકઠાં કરીને એકાગ્ર મનથી સ્મરણ કરે તો મોક્ષ પામે છે. તે આ પ્રમાણે -- __चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं । चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो । चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि । यानो समायो। ४२वो भेटले सरिता या२नो सम४वो. ॥ ४२ ।। હવે અર્ધા શ્લોકથી વિદ્યા અને બાકીના અર્ધા શ્લોકથી મંત્ર કહે છે -- ८१४ मुक्तिसौख्यप्रदां ध्यायेद्, विद्यां पञ्चदशाक्षराम् । सर्वज्ञाभं स्मरेन्मन्त्रं, सर्वज्ञानप्रकाशकम् ॥ ४३ ॥ अर्थ :- मुस्ति-सुप मापन॥२ ५४२ १२वाणी ॥ "ओं अरिहंत-सिद्ध-सयोगिकेवली स्वाहा" विधान ध्यान २ तथा सर्व शान 15 सर्वशतुल्य 'ओं श्री ही अहँ नमः" नामना मंत्रनु स्म२९ ४२j. ॥ ४३।। સર્વજ્ઞ તુલ્ય કહ્યું, તે વિચારે છે -- ८१५ वक्तुं न कश्चिदप्यस्य, प्रभावं सर्वतः क्षमः समं भगवता साम्यं, सर्वज्ञेन बिभर्ति यः ॥ ४४ ॥ ટીકાર્થઃ- જે સર્વજ્ઞ ભગવંત સાથે સામ્ય ધારણ કરે છે, એવા કોઈ પણ આ વિદ્યા અને મંત્રના પ્રભાવને સર્વ अरे वा समर्थ नथी.. ।। ४४ ।। ८१६ यदीच्छेद् भवदावाग्ने :, समुच्छेदं क्षणादपि । स्मरेत् तदाऽऽदिमन्त्रस्य, वर्णसप्तकमादिमम् ॥ ४५ ॥ Page #561 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ टीअर्थ :- भे लव-हावाग्निने क्षावारमां उच्छेवा ईच्छता हो, तो प्रथम मंत्रना पहेला सात अक्षरो 'नमो अरिहंताणं तेनुं स्मरण रो. ॥। ४५ ।। હવે એક શ્લોકથી બે મંત્રો કહે છે ८१७ ૫૧૦ टीडार्थ :- उर्म निर्घातन डरनार यांय वर्शवाणा 'नमो सिद्धाणं' मंत्र तथा सर्व अझरना अभयने आपनार वर्णोनी श्रेणीवाणा “ओ ँ नमो अर्हंते केवलिने परमयोगिने विस्फुरदुरुशुक्लध्यानाग्निनिर्दग्धकर्मबीजाय प्राप्तानंत चतुष्टयाय सौम्याय शान्ताय मङ्गल - वरदाय अष्टादशदोषरहिताय स्वाहा ।" खा मंत्रनुं ध्यान ४२. ॥ ४६ ॥ ફલ સહિત બીજા દૂ↑ કાર મંત્રને દશ શ્લોકોથી કહે છે -- ८१८ ८१९ ८२० ८२१ ८२२ ८२३ ८२४ ८२५ पंचवर्णं स्मरेन्मंत्रं, कर्मनिर्घातकं तथा । वर्णमालाञ्चितं मन्त्रं, ध्यायेत् सर्वाभयप्रदम् ॥ ४६ ॥ ८२६ ८२७ 1 ध्यायेत् सिताब्जं वक्त्रान्तरष्टवर्गी दलाष्टके ॐ नमो अरिहंताणं इति वर्णानपि क्रमात् केसरालीं स्वरमयीं, सुधाबिन्दुविभूषिताम् कर्णिकां कर्णिकायां च, चन्द्रबिम्बात् समापतत् ।। ४८ ।। सञ्चरमाणं वक्त्रेण, प्रभामण्डलमध्यगम् सुधादीधितिसंकाशं, मायाबीजं विचिन्तयेत् ततो भ्रमन्तं पत्रेषु सञ्चरन्तं नभस्तले ध्वंसयन्तं मनोध्वान्तं, स्रवन्तं च सुधारसम् तालुरन्ध्रेण गच्छन्तं, लसन्तं भ्रूलतान्तरे त्रैलोक्याचिन्त्यमाहात्म्यं ज्योतिर्मयमिवाद्भुतम् इत्यमुं ध्यायतो मन्त्रं, पुण्यमेकाग्रचेतसः वाग्मनोमलमुक्तस्य, श्रुतज्ञानं प्रकाशते 1 ॥ ५२ ॥ 1 मासैः षड्भिः कृताभ्यासः, स्थिरीभूतमनास्ततः । निःसरन्तीं मुखाम्भोजात्, शिखां धूमस्य पश्यति ॥ ५३ ॥ संवत्सरं कृताभ्यासः, ततो ज्वालां विलोकते ततः सञ्जातसंवेगः, सर्वज्ञमुखपङ्कजम् स्फुरत्कल्याणमाहात्म्यं, सम्पन्नातिशयं ततः भामण्डलगतं साक्षादिव सर्वज्ञमीक्षते ॥ ५४ ॥ 1 ।। ४७ ।। I ।। ४९ ।। ' ।। ५० ।। I ॥ ५१ ॥ I ।। ५५ ।। 1 ततः स्थिरीकृतस्वान्तः, तत्र सञ्जातनिश्चयः मुक्त्वा संसारकान्तरम्, अध्यास्ते सिद्धिमन्दिरम् ॥ ५६ ॥ Page #562 -------------------------------------------------------------------------- ________________ આઠમો પ્રકાશ, શ્લો.૪૬-૬૦ ૫૧૧ ટીકાર્થ :- મુખની અંદર આઠ પાંખડીવાળું શ્વેતકમળ ચિંતવવું. આઠ પાંખડીઓમાં આઠ વર્ગો ૨ મ મા રૂરૂં उ ऊ ऋऋ ल ल ए ऐ ओ औ अं अः,२ क ख ग घ ङ, ३ च छ ज झ ञ,४ ट ठ ड ढ ण, ५ त थ द ध न,६ પણ વ મ ૫, ૭યરત ૩, ૮ શ ષ સ હ અનુક્રમે સ્થાપવા તથા ‘ નમો રિહંતાઈ' આ આઠ અક્ષરોમાંથી એક એક અક્ષર એક એક પાંખડીમાં ક્રમસર સ્થાપવો. કમળના કેસરામાં ચારે બાજુ ફરતા મ મ વગેરે સોળ સ્વરો સ્થાપન કરવા અને વચલી કર્ણિકાને ચંદ્રબિંબથી પડતાં અમૃત-બિન્દુઓથી વિભૂષિત કરવી. પછી કિર્ણિકામાં મુખે કરી સંચરતા-કાંતિ-મંડલના મધ્યભાગમાં રહેલા ચંદ્ર સરખા ઉજ્જવલ હીં માયાબીજને ચિંતવવું. પછી દરેક પાંખડીઓમાં ભ્રમણ કરતા, આકાશતલમાં સંચરતાં, મનની મલિનતાનો નાશ કરતા, અમૃતરસ ઝરતા તાલુકના માર્ગે જતા, ભૃકુટીની અંદર શોભતા, ત્રણ લોકમાં અચિન્ત મહિમાવાળા, જ્યોતિ માફક અદ્ભુત રૂપવાળા આ પવિત્ર મંત્રનું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરતાં મન અને વચનની મલિનતા દૂર થઈ શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી સ્થિર મનવાળા બની છ મહિના સુધી તેની સાધના કરનાર પોતાના મુખકમળમાંથી નીકળતી ધૂમ-શિખાને દેખે છે, એક વરસ સુધી ધ્યાન કરનાર સાધક જ્વાલા દેખે છે અને પછી વિશેષ સંવેગ પામેલો સર્વજ્ઞનું મુખ-કમલ દેખે છે. ત્યાર પછી આગળ વધતા વધતા અભ્યાસથી કલ્યાણ કરનાર, મહિમાવાળા અતિશયોથી યુક્ત પ્રભામંડળમાં રહેલા જાણે સાક્ષાત્ સર્વજ્ઞ જ હોય, તેમ સર્વજ્ઞનાં દર્શન કરે છે. પછી તે સર્વજ્ઞના સ્વરૂપ વિષે સ્થિર મન કરીને તેવો આત્મા સંસાર-અટવીનો ત્યાગ કરીને સિદ્ધિ-મંદિરમાં આરૂઢ થાય છે. // ૪૭ – પ૬ // માયાબીજ ફૂલૈં જણાવ્યું, હવે ‘’ વિદ્યા કહે છે -- ८२८ शशिबिम्बादिवोद्भूतां, स्रवन्तीममृतं सदा ।। વિદાં “ફર્વી' રૂતિ માન, થેન્ ન્યાપારમ્ | ૧૭ છે ટીકાર્થ:- ચંદ્ર બિંબથી જ ઉત્પન્ન થએલી હોય તેવી ઉજ્જવલ, નિરંતર અમૃત ઝરતી, 'સ્વ' નામની વિદ્યાને પોતાના લલાટ-સ્થાનમાં સ્થાપન કરી સાધકે કલ્યાણ માટે તેનું ધ્યાન કરવું. // પ૭ || તથા -- ८२९ क्षीराम्भोधेर्विनिर्यान्ती, प्लावयन्ती सुधाम्बुभिः ।। भाले शशिकलां ध्यायेत्, सिद्धिसोपानपद्धतिम् ॥ ५८ ॥ ટીકાર્ય - ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતજળથી ભીંજવતી, મોક્ષરૂપ મહેલના પગથિયાની શ્રેણી સરખી ચંદ્રકળાનું સાધકે લલાટના વિષે ધ્યાન કરવું. // પ૮ // આના ધ્યાનનું ફલ કહે છે -- ८३० अस्याः स्मरणमात्रेण, त्रुट्यद्भवनिबन्धनः । प्रयाति परमानन्द-कारणं पदमव्ययम् ટીકાર્ય - સાધક ચંદ્રકળાના સ્મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મોને તોડતો પરમાનંદના કારણરૂપ શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. આ પ૯ છે તથા -- ८३१ नासाग्रे प्रणवः शून्यम्, अनाहतमिति त्रयम् । . ध्यायन् गुणाष्टकं लब्ध्वा, ज्ञानमाप्नोति निर्मलम् ॥ ६० ॥ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ ટીકાર્થ:- નાસિકાના અગ્રભાગ પર પ્રણવ , શૂન્ય ૦ અને અનાહત દૃ આ ત્રણનું ધ્યાન કરનાર અણિમાદિ આઠ સિદ્ધિઓ મેળવીને નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. II ૬૦ ८३२ शङ्ख-कुन्द-शशाङ्काभान्, त्रीनमून् ध्यायतः सदा । समग्रविषयज्ञान-प्रागल्भ्यं जायते नृणाम् ॥६१ ॥ ટીકાર્થ :- શંખ, મોગરાનાં ફૂલ અને ચંદ્રમાં સરખું ઉજ્જવલ પ્રણવ, શૂન્ય અને અનાહત આ ત્રણેનું નિરંતર ધ્યાન કરનારા મનુષ્યને દરેક વિષયના જ્ઞાનમાં નિષ્ણાતપણું ઉત્પન્ન થાય છે. / ૬૧ | तथा -- ८३३ द्विपार्श्वप्रणवद्वन्द्वं, प्रान्तयोर्मायया वृतम् 'सोऽहं' मध्ये विमूर्धानं, 'अहलींकारं विचिन्तयेत् ॥ ६२ ॥ ટીકાર્થ:- બે પડખે, બંને આ પ્રણવ, છેડાના બંને ભાગમાં કારથી વીંટેલા, વચમાં તો હૃઅને તેના મધ્ય माम अली ॥२- ध्यान २j, ही औं आँ सो अली हंओं आँ ही भा प्रभारी तिवj. ॥ १२ ॥ तथा ८३४ कामधेनुमिवाचिन्त्य-फलसम्पादनक्षमाम् । अनवद्यां जपेद् विद्यां, गणभृद्वदनोद्गताम् ॥६३ ॥ ટીકાર્થ:- કામધેનુ માફક અચિન્ય ફલ આપવામાં સમર્થ, ગણધર ભગવંતના મુખમાંથી ઉત્પન્ન થયેલી निषि विद्यानो ५४२वो. ते माप्रमाणे ओँ जोग्गे मग्गे तच्चे भूए भव्वे भविस्से अन्ते पक्खे जिणपासे स्वाहा । || 3 || तथा८३५ षट्कोणेऽप्रतिचक्रे फट्'इति प्रत्येकमक्षरम् ।। सव्ये न्यस्येद् 'विचक्राय, स्वाहा' बाह्येऽपसव्यतः ॥ ६४ ॥ ८३६ भूतान्तं बिन्दुसंयुक्तं , तन्मध्ये न्यस्य चिन्तयेत् । 'नमो जिणाणं' इत्याद्यैः, औं पूर्वैर्वेष्टयेद् बहिः ॥६५ ॥ सर A stiane नमो अणतोMAS "तकुसलाण नमो नि gane मा आगासगाना ॐOMANKA विउलमीण ममा मोहिजिणा MRAAनमो बी396 बुझ 'हराण नमो मन पन्हसमणा नमो पा लक्ष्मी मग नमो चरस चारणाणं पमा स्वाहा। 8 POSसपुष्वीर्ण - संप मध्ये यन्त्रमिदम,प.३५१ BI - संपू.मध्ये यन्त्रमिदम् ,पृ.३११ । Page #564 -------------------------------------------------------------------------- ________________ खामो प्रद्वाश, सो. ६१-६७ ८३७ ही ८३८ धृति पत्ताणं भणडा लमदीणं 9. परमोडिजिणाणं 心 去 बीजबुजणं सब्धा राणार्व 6 ॐ नमो ॐ नमो " h 社 Jala क्रा चय E अष्टुंगमहान अनंतोहिजिणाप आगासगाम पदैर्यलयं ਜਸੀ तँ नमो सम्बोहिजिणाणं Str जिणाणं, € 링 नमो सभिन्न सोया नमो लक्ष्मी नमो 湯 इति हसमणाणं सपुष्वणं पन्हस प्रवीण बुद्धि एवं चत्वारि यन्त्राणि चतसृषु पूर्वादिदिक्षु ध्येयानि ॥ स्वाहा UT ता - हे. मध्ये यन्त्रमिदम्, पृ. ३०६/ पूर्वाशाभिमुखः पूर्वम् अधिकृत्याऽऽदिमण्डलम् । एकादश शतान्यष्टाक्षरं मन्त्रं जपेत् ततः ટીકાર્ય :- छ जुगावाणा खेड यंत्रमां 'अप्रतिचक्रे फट्,' जे छ अक्षरमांथी खेड रोड अक्षर हरे भूणामां भूस्वा, जहार 'अप्रतिचक्रे ! स्वाहा' अवणी रीते मेथी खेड खेड अक्षर हरेड जूसा पासे स्थापवो. पछी ॐ नमो जिणाणं " ओं नमो ओहिजिणाणं, ओं नमो परमोहि जिणाणं, ॐ नमो सव्वोसहि-जिणाणं, आँ नमो अणंतोहिजिणाणं, औं नमो कुठुबुद्धीणं, ओं नमो बीजबुद्धीणं, ओं नमो पदानुसारीणं, औं नमो संभिन्नसोआणं, आँ नमो उज्जुमदीणं, ओं नमो विउलमदीणं, ॐ नमो दसपुव्वीणं, ॐ नमो चउदसपुव्वीणं, नमो अगमहानिमित्त कुसलाणं, ओं नमो विउव्वणइड्डिपत्ताणं, ओ नमो विज्जाहराण ! ॐ नमो चारणाणं, ओं नमो पण्णासमणाणं, ॐ नमो आगासगामीणं, औँ ज्सौं श्री ही धृति कीर्ति बुद्धि लक्ष्मी स्वाहा । આ પદોથી પાછલું વલય પૂરવું. પછી પરમેષ્ઠિ મહામંત્રના પાંચ પદોને પાંચ આંગળીમાં સ્થાપન કરવા વડે सली राय छे. औं नमो अरिहंताणं ह्रीँ स्वाहा अंगूठे ओं नमो सिद्धाणं ह्रीँ स्वाहा तनी खांगजी विषे, मोरया हैं स्वाहा मध्यमा मांगणी विषे, ओं नमो उवज्झायाणं हैं स्वाहा अनामिका सांगणी विषे ने नमो लोए सव्वसाहूणं हूँ स्वाहा निष्ठा सांगणीने विषे स्थापन पुरीने यंत्रना मध्यमां जिन्दु-सहित * કારને સ્થાપન ક૨વો. એમ ત્રણ વખત આંગળીઓમાં સ્થાપન કરી પછી તે યંત્રને મસ્તક ઉપર પૂર્વ, દક્ષિણ, पश्चिम ने उत्तर हिशाना लागमां स्थापन उरी ४५ रे - चिंतववो ॥ ६४-६५ ॥ तथा -- अष्टपत्रेऽम्बुजे ध्यायेद्, आत्मानं दीप्ततेजसम् 1 प्रणवाद्यस्य मन्त्रस्य, वर्णान् पत्रेषु च क्रमात् ॥ ६६ ॥ ४ ॥ ६७ ॥ ૫૧૩ मो Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ८३९ ૮૪૦ ८४१ पूर्वाशाऽनुक्रमादेवम्, उद्दिश्यान्यदलान्यपि अष्टरात्रं जपेद् योगी, सर्वप्रत्यूहशान्तये ८४२ अष्टरात्रे व्यतिक्रान्ते, कमलस्यास्य वर्तिनः निरूपयति पत्रेषु, वर्णानेताननुक्रमम् भीषणाः सिंह- मातङ्ग-रक्षः प्रभृतयः क्षणात् शाम्यन्ति व्यन्तराश्चान्ये, ध्यानप्रत्यूहहेतवः मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकाङ्क्षिभिः યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 1 ।। ૬ ।। 1 યા ૬૧ ।। 1 ।। ૨ ।। ટીકાર્થ :- આઠ પાંખડીવાળા કમળને વિષે ઝળહળતા તેજવાળા આત્માને ચિંતવવો અને અે કાર પૂર્વક પ્રથમ મંત્રના આઁ નમો અરિહંતાાં આઠ વર્ણીને ક્રમપૂર્વક દરેક પાંખડીઓ પર એકએક સ્થાપન કરવા. પ્રથમ પાંખડી પૂર્વદિશા તરફની ગણવી, તેમાં ઓ મૂકવો. પછી અનુક્રમે બાકીના અક્ષરો મૂકી કમળમાં રહેલા તે આઠ અક્ષરવાળા મંત્રનો અગીઆરસો વખત જાપ કરવો. જેમ પૂર્વદિશામાં પ્રથમ પાંખડીએ અે તે જ ક્રમે બીજી બીજી પાંખડીઓને બીજી દિશા અને વિદિશાઓમાં સ્થાપન કરી સર્વ પ્રકારના ઉપદ્રવની શાંતિ માટે યોગીએ આઠ દિવસ સુધી આ અષ્ટાક્ષરી વિદ્યાનો જાપ કરવો. જાપ કરતાં કરતાં આઠ રાત્રિ પસાર થયા પછી કમળની અંદર રહેલી પાંખડીઓને વિષે તે અષ્ટાક્ષરી વિદ્યાના વર્ણો ક્રમસર દર્શન આપશે. ધ્યાનમાં ઉપદ્રવ કરનાર ભયંકર સિંહ, હાથી, રાક્ષસ, બીજા પણ ભૂત, વ્યંતર, પ્રેત, સર્પાદિ સર્વે તેના પ્રભાવથી શાંત થઈ જાય. આ નમો અરિહંતાણં મંત્રનું આ લોક સંબંધી ફળની ઈચ્છાવાળાએ માઁ કાર-સહિત ધ્યાન કરવું, પરંતુ મોક્ષના અર્થીઓએ તો પ્રણવ-રહિત પદનું ધ્યાન કરવું. ‘* નમો અરિહંતાનં’ પ્રણવવાળો મંત્ર છે. II ૬૬ - ૭૧ || હવે એક શ્લોકથી મંત્ર અને વિદ્યા કહે છે -- ८४३ प्रसीदति मनः सद्यः, पापकालुष्यमुज्झति प्रभावातिशयादस्याः, ज्ञानदीप: प्रकाशते 1 || ૭૦ ॥ चिन्तयेदन्यमप्येनं मन्त्रं कर्मोघशान्तये 1 स्मरेत् सत्त्वोपकाराय, विद्यां तां पापभक्षिणीम् ॥ ७२ ॥ ટીકાર્થ :- શ્રીમદ્ ૠમા-િવર્ધમાનાન્તવ્યો નમ: આવા પ્રકારના આ મંત્રને પણ કર્મ-સમુદાયની શાંતિ માટે ચિંતવવો અને સર્વ જીવોના ઉપકાર માટે તે પાપભક્ષિણી વિદ્યાનું સ્મરણ કરવું. પાપભક્ષિણી વિદ્યા આ પ્રમાણે જાણવી -- "औं अर्हन्मुखकमलवासिनि ! पापात्मक्षयंकारि ! श्रुतज्ञानज्वालासहस्त्रज्वलिते ! सरस्वती ! मत्पापं हन हन વહ વહ ક્ષા શા ાઁ ક્ષા ક્ષઃ ક્ષીરધવને ! અમૃતસંભવે ! વં વં હૈં હૂઁસ્વાહા !'' ! ૭૨ ॥ આનું ફલ કહે છે ૮૪૪ 1 ।। ૧૨ ।। ટીકાર્થ :- આ વિદ્યાના પ્રભાવથી મન તત્કાલ પ્રસન્ન થાય છે, પાપની મલિનતા છૂટી જાય છે અને જ્ઞાનદીપક પ્રગટે છે. II ૭૩ ॥ તથા -- Page #566 -------------------------------------------------------------------------- ________________ मा भो प्रश, ed.६८-८१ ૫૧૫ ८४५ ज्ञानवृद्धिः समाम्नातं, वज्रस्वाम्यादिभिः स्फुटम् ।। विद्यावादात् समुद्धृत्य, बीजभूतं शिवश्रियः ॥ ७४ ॥ ८४६ जन्मदावहुताशस्य, प्रशान्तिनववारिदम् गुरूपदेशाद् विज्ञाय, सिद्धचक्रं विचिन्तयेत् ॥ ७५ ॥ ટીકાર્થ - વજસ્વામી આદિ પૂર્વના જ્ઞાની પુરુષોએ વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધાર કરી પ્રગટ મોક્ષલક્ષ્મીના બીજભૂત માનેલું, જન્મ-મરણના દાવાનળને ઓલવવા માટે નવીન મેઘ-સમાન સિદ્ધચક્રને ગુરુના (उपशथी सीने (भक्षय भाटे) तिवj. ।। ७४-७५।। तथा -- ८४७ नाभिपद्मे स्थितं ध्यायेद्, 'अकारं विश्वतो मुखम् । 'सि' वर्णं मस्तकाम्भोजे, 'आ' कारं वदनाम्बुजे ॥ ७६ ॥ ८४८ 'उ' कारं हृदयाम्भोजे, 'सा' कारं कण्ठपङ्कजे । सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ॥ ७७ ॥ ટીકાર્થ:- નાભિ-કમળમાં રહેલ સર્વવ્યાપી ગ કારનું, મસ્તક-કમળ પર રહેલા સિ વર્ણને, વદન-કમળમાં આ કારને, હૃદય-કમળમાં ૩ કારને અને કંઠ-કમળમાં સા કારને ચિંતવવા તથા સર્વ પ્રકારના કલ્યાણ કરનાર अन्य बी0क्षरोनुं ५५५ स्म२५॥ ४२j. 'अ सि आ उ सा' अन्य की 'नमः सर्वासिध्धेभ्यः' ।। ७६-७७॥ ८४९ श्रुतसिन्धुसमुद्भूतम्, अन्यदप्यक्षरं पदम् । अशेषं ध्यायमानं स्यात्, निर्वाणपदसिद्धये ॥ ७८ ॥ ટીકાર્ય :- ઉપસંહાર કરતાં કહે છે કે – શ્રુત-સમુદ્રમાંથી ઉત્પન્ન થએલા બીજા પણ અક્ષરોનું તથા પદોનું એ प्रभो ४३j ध्यान निवा५हने भेगवी मापना२ थाय छे. ।। ७८ ।। jछ -- ८५० वीतरागो भवेद् योगी, यत् किञ्चिदपि चिन्तयेत् । तदेव ध्यानमाम्नातम्, अतोऽन्ये ग्रन्थविस्तराः ॥ ७९ ॥ ८५१ एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च विश्लेषं क्रमशः कुर्यात्, लक्ष्मी (क्ष्यी ) भावोपपत्तये ॥ ८० ॥ ટીકાર્થ:- જે કોઈ પણ અક્ષર, પદ, વાક્ય, શબ્દ, મંત્ર, વિદ્યાનું ચિંતન કરતાં યોગી પુરૂષ રાગ-દ્વેષાદિકથી રહિત બને, તેને જ ધ્યાન માનેલું છે. આ સિવાય ગ્રંથ-વિસ્તારના ભયથી અમો તેવા બીજા પદાદિ અહિં કહેતા નથી. જિજ્ઞાસુઓએ બીજા ગ્રંથોથી જાણી લેવા. લક્ષીભાવ મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ માટે આ પ્રમાણે મંત્ર અને વિદ્યાઓના વર્ષો અને પદોને વિષે ક્રમશઃ વિભાગ વિચારવા. [ ૭૯-૮૦ माशीवाह -- ८५२ इति गणधरधुर्याविष्कृतादुद्धतानि, प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यमूनि । हृदयमुकुरमध्ये धीमतामुल्लसन्तु, प्रचितभवशतोत्यक्लेशनि शहेतोः ॥ ८१ ॥ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ટીકાર્થ:- એ પ્રમાણે મુખ્ય ગણધર ભગવંતે પ્રગટ કરેલા પ્રવચનરૂપ સમુદ્રમાંથી ઉદ્ભરેલાં તત્ત્વરૂપ આ રત્નો અનેક ભવોમાં ઉત્પન્ન થએલા ફ્લેશોના નાશ કરવા માટે બુદ્ધિશાળી પુરૂષોનાં હૃદયરૂપ દર્પણમાં ઉલ્લાસ પામો. // ૮૧ || એ પ્રમાણે પરમાઈત શ્રી કુમારપાળ ભૂપાલે સાંભળવા ઈચ્છેલ, આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલ, અધ્યાત્મોપનિષદ્' નામના પટ્ટ બંધવાળા, સ્વોપજ્ઞ વિવરણવાળા યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશનો આ. શ્રી આનંદસાગરસૂરિજીના શિષ્ય આ. શ્રી હેમસાગરસૂરિજીએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. If ૮૧ Page #568 -------------------------------------------------------------------------- ________________ હવે સાત શ્લોકો વડે રૂપસ્થ ધ્યાન કહે છે -- ८५३ ८५४ मोक्षश्रीसन्मुखीनस्य, विध्वस्ताखिलकर्मणः चतुर्मुखस्य निःशेष- भुवनाभयदायिनः इन्दुमण्डलसङ्काश-च्छत्रत्रितयशालिनः लसद् भामण्डलाभोग-विडम्बितविवस्वतः दिव्यदुन्दुभिनिर्घोष - गीतसाम्राज्यसम्पदः रणद् द्विरेफझङ्कार-मुखराशोकशोभिनः सिंहासननिषण्णस्स, वीज्यमानस्य चामरैः सुरासुरशिरोरत्न-दीप्रपादनखद्युतेः दिव्यपुष्पोत्कराकीर्णासंकीर्णपरिषद्भुवः उत्कन्धरैर्मृगकुलैः, पीयमानकलध्वनेः शान्तवैरेभसिंहादि- समुपासितसन्निधेः प्रभोः समवसरण -स्थितस्य परमेष्ठिनः सर्वातिशययुक्तस्य, केवलज्ञानभास्वतः अर्हतो रूपमालम्ब्य ध्यानं रूपस्थमुच्यते I ॥ ७ "I ટીકાર્થ :- મોક્ષલક્ષ્મી પામવાની સન્મુખ બનેલા, જેમણે સમગ્ર કર્મનો વિનાશ કર્યો છે, દેશના સમયે ચાર મુખવાળા, ત્રણ ભુવનના સમગ્ર જીવોને અભયદાન આપનારા અને દેશના દ્વારા અપાવનારા, ચંદ્રમંડળ સરખા ઉજ્જવલ ત્રણ છત્રોથી શોભાયમાન, સૂર્યમંડલ સરખી પ્રભાનું અનુકરણ કરતા ભામંડળવાળા, દિવ્ય દુંદુભિના શબ્દોવાળું ગીત તે સ્વરૂપ સામ્રાજ્ય-સંપત્તિવાળા, ગુંજારવ કરતા ભમરાના ઝંકારથી મુખર અશોકવૃક્ષથી શોભાયમાન, સિંહાસન ઉપર બિરાજમાન, ચામરો વડે વીંજાતા, દેવોના અને અસુરોના મુગુટોના રત્નોની કાન્તિ વડે જેમના પગના નખની કાંતિ વિશેષ ઝળકી રહેલી છે, દિવ્ય પુષ્પોના ઢગલાથી પર્ષદાની ભૂમિ પથરાઈ ગઈ છે, ઊંચી ડોક કરીને મૃગ-ટોળાંઓ જેમના મધુર ઉપદેશનું પાન કરી રહેલા છે, સિંહ અને હાથી, સર્પ અને નોળીયા, વાઘ અને હ૨ણ આદિ જન્મ-વૈરવાળા પ્રાણીઓ, પોતાનું વૈર ભૂલીને જેમની નજીક બેસી ગયા છે, એવા સમવસરણમાં બેઠેલા, સર્વાતિશયોથી યુક્ત કેવળજ્ઞાનથી શોભતા, એવા પરમેષ્ઠી અરિહંત પ્રભુનું खासंजन सई के ध्यान उखु, ते उपस्थ ध्यान हेवाय ॥ १थी ७ ॥ ८५५ ८५६ ८५७ નવમો પ્રકાશ ८५८ ८५९ 1 ॥ १ ॥ 1 ॥ २ ॥ I ॥ ३ 1 11 ४ 11 I ॥ ५ 11 1 ॥ ६ 11 11 Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ બીજા પ્રકારે ત્રણ શ્લોકથી રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ જણાવે છે -- ८६० राग-द्वेष-महामोह-विकारैरकलङ्कितम् शान्तं कान्तं मनोहारि, सर्वलक्षणलक्षितम् ॥ ८ ॥ ८६१ तीथिकै रपरिज्ञात-योगमुद्रामनोरमम् अक्ष्णोरमन्दमानन्द-नि:स्यन्दं दददद्भुतम् ॥ ९ ॥ जिनेन्द्रप्रतिमारूपम्, अपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन्, रूपस्थध्यानवान् भवेत् ॥ १० ॥ ટીકાર્થ:- રાગ, દ્વેષ અને મહામોહ-અજ્ઞાનાદિના વિકારથી રહિત, શાન્ત, કાન્ત, મનોહર, આલ્હાદક, સર્વ લક્ષણોથી યુક્ત, અન્ય દર્શનકારોએ નહીં જાણેલ, યોગ-ધ્યાનમુદ્રાથી મનોરમ-મનને આનંદ પમાડનારા, નેત્રને અખૂટ આનંદરસ અને અભુત સ્થિરતા આપનાર જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું રૂપનું નિર્મળ ચિત્તથી, આંખ મીંચ્યા વગર એકી નજરથી ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાળો કહેવાય છે. || ૮-૯-૧૦ || પછી -- ८६३ योगी चाभ्यासयोगेन, तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मानम्, अवलोकयति स्फुटम् ॥ ११ ॥ ८६४ सर्वज्ञो भगवान् योऽयम्, अहमेवाऽस्मि स ध्रुवम् । एवं तन्मयतां याति, सर्ववेदीति मन्यते ॥ १२ ॥ ટીકાર્થ:- રૂપસ્થ ધ્યાનના અભ્યાસ કરવાના યોગે તન્મયપણું પામી યોગી પોતાને પ્રગટપણે સર્વજ્ઞ સરખો થયેલો દેખે છે. “સર્વજ્ઞ ભગવંત જે છે, તે નક્કી હું, પોતે જ છું આ પ્રમાણે સર્વજ્ઞ ભગવંતમાં તન્મયતા, પામેલો યોગી સર્વજ્ઞ મનાય છે. તે ૧૧-૧૨ / કેવી રીતે? તે કહે છે -- ८६५ वीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन् । रागिणं तु समालम्ब्य, रागी स्यात् क्षोभणादिकृत् ॥ १३ ॥ ટીકાર્ય - વીતરાગ દેવનું ધ્યાન કરનાર પોતે વીતરાગ થઈ કર્મોથી મુક્ત બને છે અને રાગી દેવોનું આલંબન લેનાર કે તેમનું ચિંતન કરનાર કામ, ક્રોધ, હર્ષ, શોક, રાગ-દ્વેષાદિ દોષો પામી સરાગદશાવાળો બને છે. || ૧૩|| કહેલું છે કે -- ८६६ येन येन हि भावेन, युज्यते यन्त्रवाहक: । तेन तन्मयतां याति, विश्वरूपो मणिर्यथा ॥१४ ॥ ટીકાર્થ:- સ્ફટિકરત્ન પાસે જેવા જેવા વર્ણવાળી વસ્તુ રાખવામાં આવે, તેવા વર્ણવાળું તે દેખાય છે, સ્ફટિક સરખા આપણા નિર્મળ આત્માને જેવા જેવા ભાવનું આલંબન ગ્રહણ કરાવીએ તેવા તેવા ભાવની તન્મયતાવાળો આત્મા થાય છે. તે ૧૪ || આ પ્રમાણે સધ્યાન કહીને હવે અસધ્યાન છોડવાનું કહે છે -- Page #570 -------------------------------------------------------------------------- ________________ નવમો પ્રકાશ, શ્લો.૧-૧૬ ૫૧૯ ८६७ नासध्यानानि सेव्यानि, कौतुकेनापि किन्त्विहा । સ્વના વૈવ ગાયને, સેવ્યનાનિ તાનિ વત્ | ૫ | ટીકાર્થ:- આપણી પોતાની ઈચ્છા ન હોય, તો પણ કૌતુકથી પણ ખરાબ ધ્યાનોનું અવલંબન લેવું નહિં, કારણ કે, તે સેવન કરવાથી નક્કી પોતાના વિનાશ માટે જ થાય છે. // ૧૫|| કેવી રીતે? ८६८ सिध्यन्ति सिद्धयः सर्वाः, स्वयं मोक्षावलम्बिनाम् । सन्दिग्धा सिद्धिरन्येषां, स्वार्थभ्रंशस्तु निश्चितः ॥ १६ ॥ ટીકાર્ય -મોક્ષનું આલંબન ગ્રહણ કરનાર યોગી પુરુષોને અષ્ટ મહાસિદ્ધિ આદિ અને પરંપરાએ મોક્ષફળની પણ સિદ્ધિ આપોઆપ આવી મળે છે અને સંસાર-સુખના અભિલાષીઓને ફળ મેળવવામાં સંદેહ છે. કે ઈષ્ટ લાભ થાય કે ન પણ થાય, પણ સ્વાર્થભ્રંશ તો નક્કી થાય જ. // ૧૬ //. એ પ્રમાણે પરમાત કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છા થવાથી આ. શ્રી હેમચંદ્રસૂરિજીએ રચેલા, જેને “અધ્યાત્મોપનિષદ્' નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રના પોતે કરેલા વિવરણના નવમાં પ્રકાશનો આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલો ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. || ૯ || Page #571 -------------------------------------------------------------------------- ________________ હવે રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ કહે છે ८६९ દશમો પ્રકાશ == अमूर्त्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः 1 निरञ्जनस्य, सिद्धस्य, ध्यानं स्याद् रूपवर्जितम् ॥ १ "I ટીકાર્થ :- દેહરહિત હોવાથી આકૃતિ વગરના, જ્ઞાનાનંદ-સ્વરૂપ નિરંજન નિરાકાર સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન, તે રૂપાતીત ધ્યાન કહેવાય. ॥ ૧ ॥ ८७० इत्यजस्त्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बन: तन्मयत्वमवाप्नोति, ग्राह्य-ग्राहक-वर्जितम् 1 ॥ શ્ 11 ટીકાર્થ :- એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું આલંબન લઈને નિરંતર તેનું ધ્યાન કરનાર યોગી ગ્રાહ્ય-ગ્રાહક (અર્થાત્ લેવું કે લેનાર તેવા) - ભાવ વગરનું તન્મયપણું પામે છે. ॥ ૨ ॥ अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा ८७१ 1 ध्यातृ-ध्यानोभयाभावे, ध्येयेनैक्यं यथा व्रजेत् માર્ "I ટીકાર્થ :- તે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં તન્મય બનેલો યોગી જ્યારે ગ્રાહ્ય-ગ્રાહકભાવ વિનાનું તન્મયપણું પામે છે, ત્યારે તેને કોઈ પણ આલંબન રહેલું ન હોવાથી તે યોગી સિદ્ધ પરમાત્માના આત્મામાં તન્મય બની જાય છે અને ધ્યાન કરનાર અને ધ્યાન એ બંનેના અભાવમાં ધ્યેય-સ્વરૂપ સિદ્ધ પરમાત્માની સાથે એકરૂપ બની જાય 9.113 11 તાત્પર્ય કહે છે -- ८७२ सोऽयं समरसीभावः, तदेकीकरणं मतम् आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि 1 11 8 11 ટીકાર્થ :- રૂપાતીત ધ્યાન કરનાર યોગી પુરુષના મનનું સિદ્ધ પરમાત્માના નિરંજન નિરાકાર આત્મા સાથે એકીકરણ-તન્મયતા તે સમરસીભાવ કહેવાય, તે જ વાસ્તવિક એકીકરણ માનેલું છે કે જેથી આત્મા અભેદરૂપે પરમાત્મામાં લીન બને છે. । ૪ ।। સાર કહે છે -- ८७३ अलक्ष्यं लक्ष्यसम्बन्धात्, स्थूलात् सूक्ष्मं विचिन्तयेत् । सालम्बाच्च निरालम्बं तत्त्ववित्, तत्त्वमञ्जसा ॥ પ્ 11 ટીકાર્થ :- પ્રથમ પિંડસ્થ વગેરે લક્ષ્યવાળાં ધ્યાન દ્વારા નિરાલંબનરૂપ અલક્ષ્ય ધ્યાનમાં પ્રવેશ ક૨વો, સ્થૂલ -- Page #572 -------------------------------------------------------------------------- ________________ દશમો પ્રકાશ, શ્લો.૧-૯ ૫૨૧ ❖ ધ્યેયો ગ્રહણ કરી અનુક્રમે અનાહત કલા આદિ સૂક્ષ્મ ધ્યેયોનું ચિંતન કરવું અને રૂપસ્થ આદિ સાલંબન ધ્યેયોથી સિદ્ધ પરમાત્મા સ્વરૂપ નિરાલંબન ધ્યેયમાં જવું. આ ક્રમથી ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે, તો તત્ત્વનો જાણકાર યોગી પુરુષ અલ્પકાળમાં તત્ત્વની પ્રાપ્તિ કરે છે. ।। ૫ ।। પિંડસ્થ આદિ ચારે પ્રકારનાં ધ્યાનનો ઉપસંહાર કરે છે -- ८७४ एवं चतुर्विधध्याना - मृतमग्नं मुनेर्मनः साक्षात्कृतजगत्तत्त्वं, विधत्ते शुद्धिमात्मनः I ॥ ૬ "I ટીકાર્થ ઃ- આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનામૃતમાં તરબોળ બનેલા યોગી મુનિનું મન જગત્નાં તત્ત્વોનો સાક્ષાત્કાર કરીને અનુભવજ્ઞાન મેળવીને આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. || ૬ || ८७५ પિંડસ્થ આદિ ક્રમ વડે ચાર ધ્યાન કહીને, તે જ ધર્મધ્યાનના બીજા પ્રકારે ભેદો કહે છે -- आज्ञाऽपाय- विपाकानां संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन, धर्म्यं ध्यानं चतुर्विधम् ।। ૭ ।। ટીકાર્થ :- ૧. આજ્ઞાવિચય, ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય અને ૪. સંસ્થાનવિચય, એ વગેરેનું ચિંતન કરવાથી ધ્યેયના ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું પણ કહેલું છે. II ૭ II તેમાં પ્રથમ આજ્ઞાવિચય ધ્યાન કહે છે -- ८७६ - आज्ञां यत्र पुरस्कृत्य (समाश्रित्य ), सर्वज्ञानामबाधिताम् । तत्त्वतश्चिन्तयेदर्थान्, तदाज्ञाध्यानमुच्यते ॥ ૮ " ટીકાર્થ :- અહિં આજ્ઞા એટલે પ્રામાણિક-આમ પુરુષનું વચન અર્થાત્ સર્વજ્ઞનું દ્વાદશાંગીરૂપ પ્રવચન બીજાં પ્રમાણોથી બાધા ન પામે, એક બીજા વચનોમાં પરસ્પર વિરોધ ન આવે, કોઈ પણ અન્ય દર્શનથી ખંડિત ન થઈ શકે, તેવી આજ્ઞાને આગળ કરી જે ધ્યાન કરવું-જીવાદિક પદાર્થોને ચિંતવવા, તે આજ્ઞાધ્યાન કહેવાય. II ૮ I આજ્ઞાનું અબાધિતપણું કેવી રીતે ? તે વિચારે છે ८७७ सर्वज्ञवचनं सूक्ष्मं हन्यते यन्न हेतुभिः तदाज्ञारूपमादेयं, न मृषाभाषिणो जिना: ।। ૧ ।। ટીકાર્થ :- સર્વજ્ઞ ભગવંતે કહેલું સૂક્ષ્મ વચન છે, જે હેતુ કે યુક્તિઓ વડે ખંડિત કરી શકાતું નથી કે ખંડિત થતું નથી. તેમણે જે કહેલું છે, તેમાં ફેરફાર હોય જ નહિં. કારણ કે, વીતરાગ સર્વજ્ઞ ભગવંતો કદાપિ ફેરફારવાળું બોલે જ નહિ. આ રૂપે તેમની આજ્ઞાનો સ્વીકાર, તે આજ્ઞારૂપ ધ્યાન કહેવાય. અહીં આ વિષયને લગતા આંતરશ્લોકોના અર્થ કહેવાય છે -- આપ્ત એટલે પક્ષપાત રાખ્યા વગર, પ્રામાણિકપણે યથાર્થ કહેનારા પુરુષોનાં વચન તે આમ્રવચન, બે પ્રકારનું છે. પ્રથમ આગમ-વચન, બીજું હેતુ-યુક્તિવાદ વચન. શબ્દોથી જ પદ અને તેના અર્થોની સ્વીકૃતિ કરાવનાર આગમો, અને બીજાં પ્રમાણો, હેતુઓ, યુક્તિઓની સરખામણી કે મદદથી પદાર્થોની સત્યતા સ્વીકારવી, તે હેતુવાદ કહેવાય. નિર્દોષ એવા આ બંને એક સરખા નિઃશંકપણે પ્રમાણભૂત ગણાય છે. કારણ કે, નિર્દોષ કારણના આરંભવાળું પ્રમાણ-લક્ષણ કહેલું છે. રાગ, દ્વેષ અને મોહ એ દોષો કહેવાય અને અરિહંત Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ભગવંતોમાં તે દોષી હોતા જ નથી. નિર્દોષ હેતુથી ઉત્પન્ન થએલું વચન હોવાથી અરિહંતોનું વચન પ્રમાણભૂત ગણાય. નયો અને પ્રમાણોથી સિદ્ધ થએલું અને આગળ-પાછળ કોઈપણ સ્થાને જેનો કોઈપણ આગમના વચનનો વિરોધ આવે નહિ, કોઈપણ અન્ય મત કે બળવાન શાસનો વડે જેનો પ્રતિકાર કરી શકાય નહિ, તેવા અંગ, ઉપાંગ, પ્રકીર્ણક, મૂળ, છેદ આદિ ઘણા ભેદરૂપ, નદીઓના સમાગમ-સ્થાનરૂપ સમુદ્ર-સ્વરૂપ, અનેક મહાસામ્રાજ્ય-લક્ષ્મીથી શોભાયમાન, દુર્ભવ્યોને પ્રાપ્ત થવું દુર્લભ, ભવ્યાત્માઓને અત્યંત સુલભ, મનુષ્યો અને દેવો વડે “ગણિપિટક પણે હંમેશાં સ્તુતિ કરતું, દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય, સ્વસ્વરૂપે સત્, પરસ્વરૂપે અસત પદાર્થોની પ્રતીતિ કરાવનાર આગમ તેના આધારે સ્યાદ્વાવાદ-ન્યાયયોગથી આજ્ઞાનું આલંબન લઈને પદાર્થ-ચિંતન કરવું, તે “આજ્ઞાવિચય' નામનું ધર્મધ્યાન કહેવાય. / ૯ / હવે અપાયરિચય કહે છે -- ૮૭૮ રાસ-દ્વેષ-ઋષાયાદ:, ગાયનાન્ વિચિન્તયેત્ | यत्रापायांस्तदपाय-विचयध्यानमिष्यते ॥ १० ॥ ટીકાર્થ:- જે ધ્યાનની અંદર રાગ, દ્વેષ અને ક્રોધાદિ કષાયો, વિષયો, પાપસ્થાનકોથી ઉત્પન્ન થતાં દુઃખો, કષ્ટો, હેરાનગતિ આદિ વિચારાય, તે “અપાયરિચય ધર્મધ્યાન કહેવાય. // ૧૦ તેનું ફલ કહે છે -- ८७९ ऐहिकामुष्मिकापाय-परिहारपरायणः । ___ततः प्रतिनिवर्तेत, समन्तात् पापकर्मणः ॥ ११ ॥ ટીકાર્ય - રાગ, દ્વેષ, કષાયાદિથી ઉત્પન્ન થતાં ચારે ગતિ સંબંધી દુ:ખોનો વિચાર કરવાથી આ લોક અને પરલોકનાં દુ:ખદાયક કષ્ટોનો પરિહાર કરવા તત્પર બની શકાય છે અને તેથી સર્વ પ્રકારનાં પાપકર્મોથી પાછા હઠાય છે. આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે -- વીતરાગ જિનેશ્વરનું શાસન નહીં પામેલા પરમાત્માના સ્વરૂપથી અજાણ, નિવૃતિમાર્ગના પરમકારણ સ્વરૂપ યતિમાર્ગનું સેવન જે આત્માઓએ કરેલું નથી, તેવા આત્માઓને સંસારમાં હજારો પ્રકારની આપત્તિઓ ઉત્પન્ન થાય છે. સંસારની માયામાં અને મોહાંધકારમાં જેઓનું મન પરાધીન બનેલું છે, તેઓએ કયું પાપ નથી કર્યું? અને કયું કષ્ટ સહન નથી કર્યું? એટલે સર્વ પાપો કર્યા છે અને સર્વ પ્રકારનાં ચારે ગતિનાં દુ:ખો ભોગવ્યાં છે. નારકી, તિર્યંચ, મનુષ્ય ગતિમાં જે જે દુ:ખ ભોગવ્યું-એમાં મારો પોતાનો જ પ્રમાદ અને મારું જ દુષ્ટચિત્ત કારણ છે. “હે પ્રભુ! આપનું શ્રેષ્ઠ સમ્યક્ત પ્રાપ્ત કરવા છતાં પણ મન, વચન અને કાયાની દુષ્ટચેષ્ટાઓ કરવા વડે મેં મારા મસ્તક ઉપર અગ્નિ સળગાવ્યો છે.” મુક્તિમાર્ગ સ્વાધીન હોવા છતાં પણ તે આત્મા! તે પોતે જ ખોટા માર્ગો શોધવા દ્વારા તારા આત્માને દુઃખોની ગર્તામાં ધકેલ્યો છે. જેમ રાજ્ય મળવા છતાં પણ મૂર્ખશિરોમણિ માણસ ભિક્ષા મેળવવા શેરીએ શેરીએ ભ્રમણ કરે, તેમ મોક્ષનું સુખ સ્વાધીન છતાં સંસારના ક્લેશ માટે હજુ તે ભ્રમણ કરે છે ! આ પ્રમાણે પોતાને અને બીજાને માટે ચાર ગતિના દુઃખની પરંપરા-વિષયક “અપાયરિચય' નામનું ધર્મધ્યાન યોગીએ વિચારવું. // ૧૧ || હવે વિપાક-વિચય નામનું ધર્મધ્યાન કહે છે -- Page #574 -------------------------------------------------------------------------- ________________ દશમો પ્રકાશ, શ્લો.૧૦-૧૩ ૫ ૨૩ ૮૮૦ प्रतिक्षणसमुद्भूतो, यत्र कर्मफलोदयः चिन्त्यते चित्ररूपः स, विपाकविचयो मतः ॥ १२ ॥ ८८१ या सम्पदाऽर्हतो या च, विपदा नारकात्मनः । एकातपत्रता तत्र, पुण्याऽपुण्यस्य कर्मणः ॥ १३ ॥ ટીકાર્ય - ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા કર્મફળનો ઉદય વિવિધ પ્રકારે ચિંતવવો, તે ‘વિપાક-વિચય' ધર્મધ્યાન કહેવાય. તે જ વાત વિચારતાં જણાવે છે કે અરિહંત ભગવંત સુધીની જે સંપત્તિઓ તેમ જ નરકના આત્મા સુધીની જે વિપત્તિઓ તે બે, બંને સ્થળે અનુક્રમે પુણ્ય અને પાપનું જ માત્ર એક છત્ર સામ્રાજ્ય સમજવું. આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે - દ્રવ્ય, ક્ષેત્રાદિની સામગ્રીથી વિચિત્ર પ્રકારના કર્મનાં શુભાશુભ ફળ અનુભવાય છે, તે જ કર્મનું ફળ માનેલું છે. તેમાં સ્ત્રી-આલિંગન, પુષ્પમાળાનો ભોગ, મનગમતા ખાદ્ય પદાર્થો આદિના ભોગ અનુભવવા રૂપ શુભ પુણ્યકર્મનો ઉદય અને સર્પ, હથિયાર, અગ્નિ, ઝેર આદિ પ્રતિકૂળતાવાળા પદાર્થોથી જે દુઃખાનુભવ થાય, તે અશુભ પાપકર્મનું ફળ સમજવું. આ દ્રવ્ય-સામગ્રી કહી. દેવવિમાન, હવેલી, બંગલા, મહેલ, (એરકંડીશન ફૂલેટ), બાગ, બગીચામાં રહેવાથી શુભ પુણ્યનો ઉદય અને સ્મશાન, જંગલ, રણ વગેરેમાં અશુભ પાપનો ઉદય, કાળની વિચારણામાં બહુ ઠંડી નહીં, બહુ ગરમી ન હોય તેવા વસંત અને શરદ ઋતુના આનંદદાયક કાળમાં શુભ પુણ્યોદય અને ઉનાળા કે બહુ ઠંડીના ગ્રીષ્મ ઋતુ કે હેમંત ઋતુમાં ભ્રમણ કરવું પડે, તે અશુભ પાપોદય. ભાવ સંબંધી વિચારતાં મનની પ્રસન્નતા થાય, સંતોષ, સરળતા, નમ્રતા આદિ શુભ પુણ્યોદય અને ક્રોધ, અભિમાન, કપટ, લોભ, રૌદ્રપણું વગેરે ભાવો અશુભ પાપોદય સમજવો. ઉત્તમ જાતિના દેવ થવું, યુગલીયાની ભોગભૂમિમાં મનુષ્યપણે થવું, ભવ-વિષયક શુભ પુણ્યોદય, વળી કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ આદિ ભાવો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને પણ થાય છે. આ પ્રમાણે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી જીવોનાં કર્મો પોતપોતાને યોગ્ય ફળ આપે છે અને તે કર્મો આઠ જ પ્રકારનાં આ પ્રમાણે છે – જેમ આંખવાળા મનુષ્યને આંખે પાટો બાંધ્યો હોય, તેમ સર્વજ્ઞ-સ્વરૂપ એવા જીવનું હંમેશાં જ્ઞાન ઢંકાઈ જાય, તે જ્ઞાનાવરણીય કર્મનું ફલ સમજવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન જેનાથી અવરાઈ જાય, તે જ્ઞાનાવરણ કર્મનું ફળ સમજવું. પાંચ પ્રકારની નિદ્રા, ચક્ષુ, અચ, અવધિ અને કેવળ એમ ચાર દર્શનને રોકનાર કર્મ, તે દર્શનાવરણીય કર્મનો ઉદય છે. જેમ સ્વામીનાં દર્શન કરવાની ઈચ્છાવાળાને અહિં પહેરેગીર રોકતો હોવાથી દર્શન પામી શકતો નથી, તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી પોતે પોતાને પણ દેખી શકતો નથી. વેદનીયકર્મ મધ ચોપડેલી તલવારની ધાર ચાટવા સરખું, સુખ-દુઃખના અનુભવ કરવાના સ્વભાવ સરખું કહેલું છે. મધનો સ્વાદ મધુર લાગે છે, પણ ચાટતાં ધારથી જીભ કપાય છે, ત્યારે દુઃખાનુભવ સહેવો પડે છે. મદિરાપાન કરવા સરખું મોહનીય કર્મ વિચક્ષણ પુરુષો જણાવે છે કે જેનાથી મૂઢ બનેલા આત્માઓને કાર્યાકાર્યનાં વિવેકનો ખ્યાલ રહેતો નથી, તે કર્મ પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય અનુક્રમે મિથ્યાદષ્ટિપણાનું ફળ અને વ્રત-પચ્ચખ્ખાણને રોકવા રૂપ ફળ આપનાર છે. કેદખાના માફક જીવને પોતાના સ્થાનમાં ધારી રાખનાર મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવતા એમ આયુષ્યકર્મ ચાર પ્રકારનું છે. વિવિધ પ્રકારના ચિત્રામણ કરનાર સરખું જીવોના શરીરમાં ગતિ, જાતિ, શરીર, સંસ્થાન, સંઘયણ આદિ અનેક વિચિત્રતા કરનાર હોય તો નામકર્મનો ઉદય સમજવો. દૂધ ભરવા અને મદિરા ભરવા માટે ભાજન ઘડનાર કુંભાર સરખું ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ આપનાર ગોત્રકર્મ જાણવું. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આદિ લબ્ધિઓ જે કારણે ફળીભૂત થતી નથી, તે ભંડારી સરખું અંતરાયકર્મ જાણવું. આ પ્રમાણે કર્મની આઠ મૂળ પ્રકૃતિઓના વિપાકોના વિચાર કરતો ‘વિપાક-વિચય' નામનું ધર્મધ્યાન કરે છે. તે ૧૨-૧૩ ll Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ હવે સંસ્થાન-વિચય ધર્મધ્યાનનું સ્વરૂપ કહે છે ८८२ 1 ? अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पत्ति-व्ययात्मनः आकृतिं चिन्तयेद् यत्र, संस्थानविचयः स तु ।। ૪ ।। ટીકાર્થ :- આદિ, અંત વગરના, ઉત્પત્તિ, સ્થિતિ, નાશ સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવસ્વરૂપ લોક તે સંબંધી ક્ષેત્રભૂમિઓ, સમુદ્રો, દ્વીપો ઈત્યાદિકની આકૃતિઓ વિચારવી, તે ‘સંસ્થાન-વિચય' ધર્મધ્યાન કહેવાય. || ૧૪ || લોકધ્યાન ક૨વાનું ફળ કહે છે -- ८८३ नानाद्रव्यगतानन्त- पर्यायपरिवर्तने યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ' सदासक्तं मनो नैव, रागाद्याकुलतां व्रजेत् ॥ ૧ ॥ ટીકાર્થ :- વિવિધ પ્રકારના દ્રવ્યમાં રહેલા અનંતા પર્યાયો પરિવર્તન પામતા હોવાથી તેવા દ્રવ્ય સંબંધી વારંવાર વિચારણા કરવાથી તેમાં મન આકુળતા પામતું નથી, રાગ-દ્વેષાદિવાળું થતું નથી. આ વિષયને લગતા આંત૨ શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે -- જો કે પહેલાં અનિત્યાદિ ભાવનાના પ્રસંગે લોકભાવનામાં સંસ્થાન-વિચય ઘણા વિસ્તારથી કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના ભયથી અહિં વિશેષ વર્ણન કરવાની જરૂર નથી. પ્રશ્ન કર્યો કે લોકભાવના અને સંસ્થાનવિચય એમાં ફરક કયો છે ? જેથી બંને જુદા જણાવ્યા ? લોકભાવના એ તો વિચાર કરવા માત્ર છે અને લોકાદિ મતિ તે સ્થિર સ્વરૂપ છે અને તેથી તે ‘સંસ્થાન-વિચય' ધર્મધ્યાન કહેવાય છે. ૧૫ ધર્મધ્યાનનું સ્વરૂપ અને વિશેષતા કહે છે -- ८८४ धर्मध्याने भवेद् भावः, क्षायोपशमिकादिकः ભેશ્યા: મવિશુદ્ધા:, મ્યુ:, પીત-પદ્મ-સિતા:પુન:॥ ૬ ॥ ટીકાર્થ -- જ્યારે ધર્મધ્યાન પ્રવર્તતું હોય, ત્યારે આત્મસ્વરૂપ એવા ક્ષાયોપશમિક, આદિ કહેવાથી ઔપશમિક અને ક્ષાયિક ભાવ આત્મામાં હોય છે, પણ પૌદ્ગલિક-સ્વરૂપ ઔયિક ભાવનો ઉદય હોતો નથી. કહેલું છે કે, “અપ્રમત્ત સંયતને તથા ઉપશાંત કષાયવાળાને તથા ક્ષીણ કષાયવાળાને ધર્મધ્યાન હોય છે. (તત્ત્વાર્થ ૯/૩૭-૩૮) ધર્મધ્યાન સમયે ક્રમપૂર્વક વિશુદ્ધ ત્રણ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે - પીતલેશ્યા, તેનાથી વધારે નિર્મળ પદ્મલેશ્યા, તેનાથી પણ અત્યંત વિશુદ્ધ શુક્લલેશ્યા. II ૧૬ ॥ ચારે પ્રકારના ધર્મધ્યાનનું ફળ કહે છે - -- ८८५ अस्मिन् नितान्तवैराग्य- व्यतिषङ्गतरङ्गिते जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतीन्द्रियम् । । ।। ૧૩ ।। ટીકાર્થ :- અત્યંત વૈરાગ્યરસ-પૂર્ણ આ ધર્મધ્યાનમાં જ્યારે એકાગ્ર બની ગયો હોય, ત્યારે ઈન્દ્રિયોના વિષય વગરનું આત્મિક સુખ જીવ અનુભવે છે. કહેલું છે કે - “વિષયોમાં અનાસક્તિ, આરોગ્ય, અનિષ્ઠુરતાકોમળતા-કરુણતા, શુભગંધ, મૂત્ર અને પુરીષ અલ્પ હોય, શરીરની કાંતિ, વદનની પ્રસન્નતા, સ્વરમાં સૌમ્યતા, આ વગેરે યોગની પ્રવૃત્તિનાં શરૂઆતનાં ચિહ્નો સમજવાં. ॥ ૧૭ ॥ ચાર શ્લોકોથી પરલોકનું ફળ કહે છે - Page #576 -------------------------------------------------------------------------- ________________ દશમો પ્રકાશ, શ્લો.૧૪-૨૪ ८८६ ८८७ ८८८ ८८९ त्यक्तसङ्गास्तनुं त्यक्त्वा, धर्मध्यानेन योगिनः ग्रैवेयकादिस्वर्गेषु भवन्ति त्रिदशोत्तमाः महामहिमसौभाग्यं, शरच्चन्द्रनिभप्रभम् प्राप्नुवन्ति वपुस्त, स्रग्भूषाऽम्बरभूषितम् विशिष्टवीर्यबोधाढ्यं, कामार्त्तिज्वरवर्जितम् निरन्तरायं सेवन्ते, सुखं चानुपमं चिरम् इच्छासम्पन्नसर्वार्थ-मनोहारि सुखामृतम् निर्विघ्नमुपभुञ्जानाः, गतं जन्म न जानते ८९१ I ।। ૨ ।। -- ८९२ 1 ।। ૧૧ ।। I ૫ ૨૬ ॥ -- ટીકાર્થ :- સર્વ સંગનો ત્યાગ કરનાર તે યોગી પુરુષો ધર્મધ્યાન વડે શરીરનો ત્યાગ કરી ત્રૈવેયક આદિ વૈમાનિક દેવલોકમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે, ત્યાં આગળ મહાન મહિમા, મહાન સૌભાગ્ય, શરચંદ્ર સરખી આહ્લાદક કાંતિ અને પુષ્પમાળા, આભૂષણો અને વસ્ત્રોથી શોભાયમાન વૈક્રિય શરીર પ્રાપ્ત કરે છે. I ॥ ૨૦ ॥ વિશિષ્ટ પ્રકારની શરીર-શક્તિ, નિર્મળ ત્રણ જ્ઞાનવાળા, કામજ્વરની પીડાથી રહિત, અંતરાય વગરનું અનુપમ સુખ લાંબા કાળ સુધી ભોગવે છે. ઈચ્છા થતાંની સાથે જ સર્વ પ્રકારના મનોહર પદાર્થોની પ્રાપ્તિવાળું, વિઘ્ન વગરનું સુખામૃત ભોગવતા તે દેવો ગયેલા જન્મને જાણતા નથી. ।। ૧૮ -૨૧॥ ત્યાર પછી ८९० ૫૨૫ दिव्यभोगावसाने च, च्युत्वा त्रिदिवतस्ततः उत्तमेन शरीरेणाऽवतरन्ति महीतले दिव्यवंशे समुत्पन्नाः, नित्योत्सवमनोरमान् भुञ्जते विविधान् भोगान्, अखण्डितमनोरथाः ततो विवेकमाश्रित्य, विरज्याशेषभोगतः ध्यानेन ध्वस्तकर्माणः, प्रयान्ति पदमव्ययम् 1 ।। ૪ ।। ટીકાર્ય :- દિવ્ય ભોગો પૂર્ણ થયા પછી અને દેવલોકથી ચ્યવ્યા પછી તે ભાગ્યશાળી ઉત્તમ શરીર ધારણ કરવા પૂર્વક મનુષ્યલોકમાં અવતાર પામે છે. હંમેશાં જ્યાં મનોહર ઉત્સવો ઉજવાતા હોય તેવા ઉત્તમ દિવ્ય વંશવાળા કુળમાં જન્મેલા અખંડિત મનોરથવાળા વિવિધ પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત કરેલા ભોગો અનાસક્તિથી ભોગવે છે. ત્યાર પછી વિવેકનો આશ્રય કરી સંસારના સમગ્ર ભોગથી વિરક્ત બની ઉત્તમ ધ્યાન કર્મનો વિનાશ કરી શાશ્વત સ્થાનમાં પ્રયાણ કરે છે. ॥ ૨૨ - ૨૪॥ સમગ્ર 1 ।। ૨ ।। 1 ॥ ૨૨ ॥ – એ પ્રમાણે ૫૨માર્હત કુમારપાળ ભૂપાલને સાંભળવાની અભિલાષાથી આ. શ્રી હેમચંદ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મ ઉપનિષદ્’, નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રના પોતે રચેલ વિવરણમાં દશમા પ્રકાશનો આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. (૧૦) Page #577 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ હવે અગિયારમા પ્રકાશમાં ધર્મધ્યાનનો ઉપસંહાર કરતા શુક્લધ્યાન કહે છે -- स्वर्गापवर्गहेतुः, धर्मध्यानमिति कीर्तितं तावत् अपवर्गैकनिदानं, शुक्लमतः कीर्त्यते ध्यानम् ८९३ 1 ।। ૧ " ટીકાર્થ :- સ્વર્ગના કારણભૂત અને પરંપરાએ મોક્ષના કારણભૂત ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવ્યા પછી, હવે મોક્ષના અદ્વિતીય કારણભૂત શુક્લધ્યાનનું સ્વરૂપ કહેવાશે. શુક્લધ્યાનના ચાર ભેદો પૈકી છેલ્લા બે ભેદોની અપેક્ષાએ મોક્ષનું અસાધારણ કારણ સમજવું. શુક્લધ્યાનના શરૂઆતના બે ભેદો તો અનુત્તર વિમાનમાં ગમન કરવાના કારણભૂત છે કહેલું છે કે – “શુભ આસવ, સંવર, નિર્જરા, વિપુલ દેવસુખો એ ઉત્તમ ધર્મધ્યાનનાં શુભાનુબંધી ફળો સમજવાં, શુક્લધ્યાનના ચાર ભેદો પૈકી પ્રથમના બે ભેદોનું ફલ અપૂર્વ તેજ-વિશેષ, અપૂર્વ સુખાનુભવ, અનુત્તર દેવતાનું સુખ ભોગવે છે અને છેલ્લા બે ભેદોનું ફળ પરિનિર્વાણ-મોક્ષ થાય છે. (ધ્યાનશતક ૯૩-૯૪) || ૧ || - શુક્લધ્યાનના અધિકારીનું નિરૂપણ કરે છે -- ८९४ इदमादिसंहनना एवालं पूर्ववेदिनः कर्तुम् I स्थिरतां न याति चित्तं, कथमपि यत् स्वल्पसत्त्वानाम् ॥ ૨ ।। ટીકાર્થ::- વજઋષભ નારાચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા જ શુક્લધ્યાન કરવા માટે સમર્થ હોય છે. તે વગરના અલ્પસત્ત્વવાળા કોઈપણ પ્રકારે ચિત્તની સ્થિરતા કરવા સમર્થ બની શકતા નથી. સમગ્ર શ્રુતથી પૂર્વ એટલે પ્રથમ રચના થયેલી હોવાથી પૂર્વ અને તેને ધારણ કરનારા કે પૂર્વને જાણનાર તે પૂર્વવેદી કહેવાય . આ પ્રાયિક વચન સમજવું, કારણ કે માસતુષ, મરુદેવી આદિ પૂર્વધર ન હોવા છતાં પણ તેમને શુક્લધ્યાનનો સંભવ માનેલો છે. આદિ સંઘયણ વડે સ્થિરતા ટકાવી શકાય છે - એ હેતુ જણાવ્યો. ॥ ૨ ॥ એ જ વાત વિચારતાં કહે છે કે -- ८९५ - धत्ते न खलु स्वास्थ्यं, व्याकुलितं तनुमतां मनो विषयैः । शुक्लध्याने तस्माद्, नास्त्यधिकारोऽल्पसाराणाम् ॥ ૩ ॥ ટીકાર્થ વિષયોથી આકુળ-વ્યાકુળ થયેલાં મનુષ્યોનાં મન સ્વાસ્થ્ય ધારણ કરતાં ન હોવાથી અલ્પ સત્ત્વવાળાઓને શુક્લધ્યાન ધ્યાવાનો અધિકાર નથી. કહેલું છે કે - ‘પોતાને કોઈ હથિયા૨થી છેદે, ભેદે હણે, બાળે તો પણ દૂર ઉભેલા પ્રેક્ષકની માફક જે જોયા કરે અને વર્ષા, વાયરો, ઠંડી, ગરમી આદિ દુઃખોથી જે કંપતો નથી, શુક્લધ્યાનમાં આત્મા લીન બનેલો હોય, ત્યારે આંખથી કંઈ દેખે નહીં, કાનથી કાંઈ પણ સાંભળે નહીં, તેમ જ પાષાણની મૂર્તિ માફક ઈન્દ્રિયો સંબંધી કંઈ પણ જ્ઞાન ન થાય અને જે પોતાના ધ્યાનમાં સ્થિરતા Page #578 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૧-૬ 2124, 11311 શંકા કરી કે, પ્રથમ સંઘયણવાળાને જ શુક્લધ્યાનમાં અધિકાર કહો છો, તો અત્યારે તો છેલ્લાં સેવાર્તસંઘયણવાળા પુરુષો છે, તેમને શુક્લધ્યાનનો ઉપદેશ આપવાનો કયો અવસર છે ? તેના સમાધાનમાં કહે છે -- अनवच्छित्त्याम्नायः समागतोऽस्येति कीर्त्यतेऽस्माभिः । दुष्करमप्याधुनिकैः, शुक्लध्यानं यथाशास्त्रम् ८९६ 11 8 11 ટીકાર્થ :- જો કે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અત્યારના જીવો માટે શુક્લધ્યાન ધ્યાવું, તે અત્યંત દુષ્કર છે, તો પણ શુક્લધ્યાનના સંબંધમાં પરંપરાથી જે આમ્નાય ચાલતો આવ્યો છે, તે પરંપરા તૂટી ન જાય. તે માટે હું તેનું સ્વરૂપ કહું છું. ॥ ૪ ॥ શુક્લધ્યાનના ભેદો કહે છે ८९७ -- ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यं श्रुताविचारं च सूक्ष्मक्रियमुत्सन्नक्रियमिति भेदैश्चतुर्धात् ૫૨૭ 1 ॥ ધ્ 11 ટીકાર્ય ::- ૧. પૃથવ્રુવિતર્ક સવિચાર શુક્લધ્યાન, ૨. એકત્વવિતર્ક અવિચાર શુક્લધ્યાન ૩. સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ શુક્લધ્યાન, ૪. વ્યુપરતક્રિય અનિવર્તિ શુક્લધ્યાન. અહીં નાનાત્વ એટલે વિવિધ-જુદી જુદી બાબતોની વિચારણા શાની ? વિતર્ક એટલે શ્રુત-દ્વાદશાંગી-ચૌદપૂર્વ, વિચાર એટલે મનનો વિચાર એવો અર્થ ન કરતાં વિશેષે કરી ચાર એટલે ચાલવું-એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ચાલવું-જવું, તે વિચાર એટલે કે પરમાણુ, હૃયણુક આદિ પદાર્થ,વ્યંજન એટલે શબ્દ, યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, તેઓમાં સંક્રાન્તિ એટલે તેઓમાં આવી પ્રવેશવું અને નીકળવું. ॥ ૫ ॥ શુક્લધ્યાનના પ્રથમ ભેદની વિશેષ વ્યાખ્યા કહે છે -- ८९८ एकत्र पर्यायाणां, विविधनयानुसरणं श्रुताद् द्रव्ये । अर्थ-व्यञ्जन-योगान्तरेषु संक्रमणयुक्तमाद्यं तत् ॥ ૬ II ટીકાર્થ :- એક પરમાણુ આદિ દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, વિલય, મૂર્તત્વ, અમૂર્તત્વાદિ પર્યાયો, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયોએ કરી પૂર્વગત શ્રુતાનુસારે ચિંતન કરવું, તે ચિંતન, દ્રવ્ય, વ્યંજન એટલે શબ્દ, મન, વચન, કાયાના યોગોના કોઈ પણ એક યોગમાં સંક્રમણ થવું, જેમકે એક દ્રવ્યના ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉ૫૨ આવવું, શબ્દ-ચિંતનથી દ્રવ્ય ઉપર આવવું, મનોયોગથી કાયયોગમાં કે વચનયોગમાં આવવું, એવી રીતે કાયના યોગથી મનોયોગ કે વચનયોગમાં સંક્રમણ કરવું, તે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ. કહેલું છે કે :- ‘પૂર્વગત શ્રુતાનુસાર એક દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ પર્યાયોની વિવિધ નયાનુસારે વિચારણા કરવી અને સવિચાર એટલે પદાર્થ, શબ્દ કે ત્રણ યોગો પૈકી એક યોગથી ગમે તે બીજા યોગમાં પ્રવેશ કરવો, નીકળવું તે વિચાર, આ પ્રમાણે રાગ-રહિત મુનિને પૃથક્ક્સ વિતર્ક સવિચાર શુક્લધ્યાન હોય છે. (ધ્યાનશતક ૭૭-૭૮)” પ્રશ્ન કર્યો કે - પદાર્થ, શબ્દ કે ત્રણે યોગોમાં સંક્રમણ થવાથી મનનું સ્વૈર્ય કેવી રીતે ગણાય ? અને મનની સ્થિરતા વગર ધ્યાન કેવી રીતે ગણાય ? સમાધાન કરે છે કે, એક દ્રવ્ય વિષયક મનની સ્થિરતા ઉત્પન્ન થયેલી હોવાથી ધ્યાનપણું સ્વીકારવામાં વાંધો નથી. | ૬ | | શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છે -- Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ८९९ . एवं श्रुतानुसाराद्, एकत्ववितर्कमेकपर्याये । અર્થ- ન-ચોગાન્તરેશ્વસંમમિચ7 | ૭ | ટીકાર્ય :- આ એકત્વવિતર્ક અવિચાર નામના શુક્લધ્યાનના બીજા ભેદમાં પૂર્વધર ઉત્તમ મુનિવરોનાં શ્રુતાનુસાર કોઈપણ એક જ ધ્યેય રાખવાનું હોય છે. પરમાણુ, જીવ, જ્ઞાનાદિ ગુણ, ઉત્પાદ આદિ કોઈ પણ એક પર્યાય, શબ્દ કે અર્થ, ત્રણમાંથી કોઈ પણ એક યોગ ધ્યેય તરીકે હોય છે; પણ જુદા જુદા હોતા નથી. એક જ ધ્યેય રાખવાનું હોવાથી વિચરણ હોતું નથી. પદાર્થ, શબ્દ, ત્રણે યોગોમાં સંક્રમણ ન થાય, તેવા સ્વરૂપવાળું, કહેલું છે કે “પવન વગરના સ્થળમાં રહેલ સુરક્ષિત સ્થિર દીપક સમાન નિષ્કપ આ ધ્યાન હોય છે. આ ધ્યાનમાં એક ધ્યેય ઉપરથી પોતાની જાતિના કે બીજા કોઈ પણ ધ્યેય ઉપર જવાનું - વિચરણ હોતું નથી, પણ ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ કોઈ પણ એક પર્યાયમાં ધ્યાન હોય, પણ ધ્યાનાંતરમાં જવાનું ન હોય. પૂર્વગત શ્રતના આલંબનથી એક ગમે તે ધ્યાન હોય, પણ વિચરણ ન હોય, એટલે આ ધ્યાન નિર્વિકલ્પક હોય છે, આ ધ્યાન બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તેમાં યથાખ્યાત ચારિત્ર હોય છે. (ધ્યાનશતક-૭૯-૮૦) આ બંને ભેદોમાં શુક્લલેશ્યા હોય. // ૭ || ત્રીજો ભેદ કહે છે -- ९०० निर्वाणगमनसमये, केवलिनो दरनिरुद्धयोगस्य । सूक्ष्मक्रियाप्रतिपाति, तृतीयं कीर्तितं शुक्लम् ॥ ८ ॥ ટીકાર્ય - મોક્ષે જવાના અત્યંત નજીકના કાળમાં સર્વજ્ઞ કેવલી ભગવંત મન, વચન અને કાયાની બાદરયોગની પ્રવૃત્તિઓ રોકે છે, માત્ર શ્વાસોચ્છવાસની સૂક્ષ્મ ક્રિયા રહે છે. તેથી પાછા ફરવાનું હોતું નથી. એ સૂક્ષ્મ ક્રિયા મટીને હવે કદાપિ ફ્યૂલક્રિયા થવાની નથી. માટે તેનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે. આત્મા વેશ્યા અને યોગરહિત બનતો જાય છે. શરીર-પ્રવૃત્તિથી આત્મા છૂટતો જાય છે. સર્વે કર્મો, તેજસ-કાર્પણ શરીર, આયુષ્ય, વચન, કાયાથી નિર્મલ આત્મા છૂટો પડતો જાય છે. // ૮ || ભુપતક્રિય અનિવર્તિ નામનો ચોથો ભેદ કહે છે -- ९०१ केवलिनः शैलेशी-गतस्य शैलवदकम्पनीयस्य ।। उत्सन्नक्रियमप्रतिपाति, तुरीयं परमशुक्लम् ॥ ९ ॥ ટીકાર્થ - મેરુપર્વત માફક અડોલ શૈલેશીકરણમાં રહેલા કેવલીને ઉત્સનક્રિય અપ્રતિપાતિ નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ હોય છે. તેનું બીજું નામ સુપરતક્રિય-અનિવર્તિ રાખેલું છે. // ૯I ચારે પ્રકારમાં યોગ-સંખ્યાનું નિરૂપણ કરે છે -- ९०२ एक-त्रियोगभाजामाद्यं स्यादपरमेकयोगानाम् । तनुयोगिनां तृतीयं, निर्योगाणां चतुर्थं तु ॥ १० ॥ ટીકાર્થ:- પહેલો પૃથક્વેવિતર્ક સવિચાર નામનો ભેદ ભંગિક શ્રુત ભણેલાને હોય છે અને તે મન વગેરે એક યોગવાળા કે ત્રણે યોગવાળાને હોય છે. બીજું એત્વવિતર્ક અવિચાર ધ્યાન, મન વગેરે યોગોમાંથી કોઈ પણ એક યોગવાળાને બીજા યોગમાં સંક્રમ થવાનો અભાવ હોવાથી ત્રીજું સૂક્ષ્મક્રિય અનિવર્તિ સૂક્ષ્મ કાયયોગમાં હોય, પણ બાકીના વચન અને મનોયોગમાં હોય નહીં. ચોથું વ્યુત્સત્રક્રિય અપ્રતિપાતિ યોગરહિત અયોગી Page #580 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૭-૧૩ ૫ ૨૯ કેવલીઓને શૈલેશીકરણમાં રહેલાને હોય. મન, વચન, કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારનો હોય. તેમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરવાળા જીવને વીર્યપરિણતિ-વિશેષ કાયયોગ છે. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં ભાષાવર્ગણાનાં પુદ્ગલ દ્રવ્યોના ટેકાથી જીવનો વ્યાપાર તે વચનયોગ, તે જ દારિક, વૈક્રિય અને આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં મનોવર્ગણાનાં દ્રવ્યોની મદદથી જીવનો વ્યાપાર, તે મનોયોગ. / ૧૦|| શંકા કરી કે ‘શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં મન છે જ નહીં. કારણ કે કેવલી ભગવંતો મન વગરના હોય છે. ધ્યાન તો મનની સ્થિરતાને ગણેલું છે, તો આ ધ્યાન કેવી રીતે બને?” તેના સમાધાનમાં કહે છે -- ९०३ छद्मस्थितस्य यद्वत्, मनः स्थिरं ध्यानमुच्यते तज्ज्ञैः। निश्चलमङ्गं तद्वत्, केवलिनां कीर्तितं ध्यानम् ॥ ११ ॥ ટીકાર્થ:- જેમ જ્ઞાનીઓ છદ્મસ્થોના મનની સ્થિરતાને ધ્યાન કહે છે, તેમ કેવલિઓના અંગની નિશ્ચલતા, તે તેમનું ધ્યાન કહેલું છે. શંકા કરી કે “ચોથા પ્રકારના શુક્લધ્યાનમાં કાયયોગનો નિરોધ કરેલો હોવાથી તે હોતો નથી. યોગપણાનો અર્થ ધ્યાન-શબ્દથી પણ થાય છે.' / ૧૧ || શંકા કરી કે ચોથા શુક્લધ્યાનમાં કાયયોગનો વિરોધ કરેલો હોવાથી કાયયોગ પણ હોતો નથી. ધ્યાન શબ્દની વાગ્યતા કેવી રીતે હોય? તે કહે છે -- ९०४ पूर्वाभ्यासात् जीवो-पयोगतः कर्मजरणहेतोर्वा । शब्दार्थबहुत्वाद् वा, जिनवचनाद् वाऽप्ययोगिनो ध्यानम् ॥ १२ ॥ ટીકાર્થ:- જેમ કુંભારનું ચક્ર પહેલાં ભમાવવા માટે દંડાદિકથી ભમાવી વેગ ઉત્પન્ન કરાય છે અને પછી દિંડાદિકના અભાવમાં પૂર્વે આપેલા વેગથી વગર દડે પણ ભ્રમણ ચાલુ રહે છે, તેવી રીતે મન વગેરે સર્વ યોગો બંધ થવા છતાં પણ અયોગીઓને પૂર્વના અભ્યાસથી ધ્યાન હોય છે તથા જો કે દ્રવ્યથી યોગો હોતા નથી, તો પણ જીવના ઉપયોગરૂપ ભાવમનનો સદ્ભાવ હોવાથી યોગીઓને ધ્યાન હોય છે અથવા ધ્યાનકાર્યનું ફળ કર્મનિર્જરા અને તેનો હેતુ ધ્યાન, જેમ કે, અપુત્ર હોય તો પણ પુત્રનું કાર્ય કરનાર પુત્ર કહેવાય છે. ભવ સુધી રહેનારા ભવોપગ્રાહી કર્મની નિર્જરા આ ધ્યાનથી થાય છે અથવા એક શબ્દના ઘણા અર્થ થાય છે. જેમક હરિ શબ્દના ઘણા અર્થ થાય છે હરિ એટલે સૂર્ય, મર્કટ, ઘોડો, સિંહ, ઈન્દ્ર, કૃષ્ણ એવા એક શબ્દના અનેક અર્થો થાય છે. એ પ્રમાણે ધ્યાન શબ્દના પણ ઘણા અર્થો થાય છે. તે આ પ્રમાણે “ચ્ચે રિન્તાયામ્' “ચ્ચે વાયા -નિરોધે' ત્વેિજ' એટલે “લૈં' ધાતુ ચિન્તા, વિચાર-ધ્યાન કરવું-કાયયોગના-નિરોધ અર્થમાં અને અયોગિપણામાં પણ કહેલો છે. વ્યાકરણકારો અને કોશકારો દ્વારા નિપાતો તથા ઉપસર્ગો, તેમ જ ધાતુઓ તે ત્રણના અનેક અર્થો થાય છે. પાઠ એ જ એનું દષ્ટાંત છે અથવા જિનાગમથી અયોગીને પણ ધ્યાન કહેલું છે. કહેલું છે કે - “આગમ, યુક્તિ, સંપૂર્ણ શ્રદ્ધા એ અતીન્દ્રિય પદાર્થોની સત્તા સ્વીકારવા માટે પ્રમાણભૂત છે. // ૧૨ !! આટલી હકીકત જણાવ્યા છતાં શુક્લ-ધ્યાનના ચાર પ્રકારની વિશેષ સમજ આપે છે -- ९०५ आद्ये श्रुतावलम्बन-पूर्वे पूर्वश्रुतार्थसम्बन्धात् । पूर्वधराणां छद्मस्थ-योगिनां प्रायशो ध्याने ॥ १३ ॥ ટીકાર્ય - શુક્લધ્યાનના ચાર પ્રકાર પૈકી પ્રથમના બે પ્રકારો પૂર્વધર છદ્મસ્થ યોગીને શ્રુતજ્ઞાનના અવલંબનથી, પૂર્વશ્રુતના અર્થના સંબંધથી ઘણે ભાગે હોય છે, ઘણે ભાગે પૂર્વધરોને હોય છે - તેમ કહેવાથી અપૂર્વધર એવા “માષતુષ' મુનિ અને મરુદેવી માતાને પણ શુક્લધ્યાનનો સદુભાવ ગણાવેલો છે. મેં ૧૩| Page #581 -------------------------------------------------------------------------- ________________ ५३० तथा - ९०६ 1 सकलालम्बनविरह-प्रथिते द्वे त्वन्ति समुद्दिष्टे निर्मलकेवलदृष्टि - ज्ञानानां क्षीणदोषाणाम् ।। १४ । ટીકાર્થ ઃ- શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારો જેમના સર્વ દોષો ક્ષય પામેલા હોય, તેવા નિર્મળ કેવલજ્ઞાન दर्शनवाणाने उसा छे ॥ १४ ॥ तथा -- ९०७ तत्र श्रुताद् गृहीत्वैकम्, अर्थमर्थाद् व्रजेच्छब्दम् शब्दात् पुनरप्यर्थं, योगाद् योगान्तरं च सुधीः सङ्क्रामत्यविलम्बितम्, अर्थप्रभृतिषु यथा किल ध्यानी व्यावर्तते स्वयमसौ, पुनरपि तेन प्रकारेण इति नानात्वे निशिताभ्यासः सञ्जायते यदा योगी आविर्भूतात्मगुणः, तदैकताया भवेद् योग्यः उत्पाद -स्थिति-भङ्गादि-पर्यायाणां यदेकयोगः सन् ध्यायति पर्ययमेकं तत् स्यादेकत्वमविचारम् त्रिजगद्विषयं ध्यानादणुसंस्थं धारयेत् क्रमेण मनः विषमिव सर्वाङ्गगतं, मन्त्रबलान्मान्त्रिको दंशे अपसारितेन्धनभरः, शेषः स्तोकेन्धनोऽनलो ज्वलितः तस्मादपनीतो वा, निर्वाति यथा मनस्तद्वत् I ॥ २० ॥ ટીકાર્થ :- તે શુક્લધ્યાનના પ્રથમ પ્રકારમાં શ્રુતજ્ઞાનમાંથી કોઈ એક પદાર્થ ગ્રહણ કરીને તેના વિચારમાંથી શબ્દના વિચારમાં જવાનું થાય. વળી શબ્દથી પદાર્થના વિચારમાં આવવાનું થાય, તેમ જ ગમે તે એક યોગમાંથી બીજા યોગમાં જવાનું આવવું થાય. જે પ્રમાણે ધ્યાની પુરુષ વગર વિલંબે અર્થ વગેરેમાં સંક્રમણ કરે છે, તે જ પ્રમાણે ફરી પણ પોતે ત્યાંથી પાછા ફરે છે. આ પ્રમાણે જ્યારે યોગી અનેક પ્રકાર વિષયક સૂક્ષ્મ અભ્યાસવાળો થાય છે, ત્યારે આત્મગુણ પ્રગટ કરી શુક્લધ્યાનથી એકતાને યોગ્ય થાય છે. એક યોગવાળો બની પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ આદિ પર્યાયો તેમાંથી એક પર્યાયનું જ ધ્યાન કરે, તે એકત્વ-અવિચાર શુક્લ-ધ્યાન કહેવાય. મંત્ર જાણનાર મંત્રના બલથી આખા શરીરમાં વ્યાપેલા ઝેરને એક ડંખના સ્થાનમાં લાવી મૂકે છે, તેમ ત્રણ જગતના વિષયવાળા મનને ધ્યાનના બળે એક ૫૨માણું વિષયક ક્રમપૂર્વક ધ્યાન કરે, સળગતા અગ્નિમાં નવાં લાકડાં ન ઉમેરવાથી અગર બળતાં લાકડાં ખેંચી લેવાથી બાકીનો અગ્નિ ઘટતો ઘટતો આપોઆપ ઓલવાઈ भय, तेम भनने पए। विषय३प ईन्धन न भणवाथी आपोआप शांत थई भय छे. ॥ १५-२० ॥ હવે બીજા ધ્યાનનું ફલ કહે છે ९१३ ९०८ ९०९ ९१० ९११ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ९१२ -- 1 ।। १५ ।। 1 ॥ १६ ॥ । ।। १७ ।। । ॥ १८ ॥ 1 ॥ १९ ॥ ज्वलति ततश्च ध्यान- ज्वलने भृशमुज्ज्वले यतीन्द्रस्य । निखिलानि विलीयन्ते, क्षणमात्राद् घातिकर्माणि ॥ २१ ॥ Page #582 -------------------------------------------------------------------------- ________________ अगियारभो अश, .१४-30 ૫૩૧ ટીકાર્થઃ- ત્યાર પછી ધ્યાનાગ્નિ અત્યંત ઉત્કટપણે પ્રજ્વલિત થવાના યોગે ઉત્તર મુનિવરનાં સમગ્ર ઘાતિક ક્ષણવારમાં બળી ભસ્મ થઈ જાય છે. ર૧ || घातिर्भाना नामो डेछ -- ९१४ ज्ञानावरणीयं दृष्ट्यावरणीयं च मोहनीयं च ।। विलयं प्रयान्ति सहसा, सहान्तरायेण कर्माणि ॥ २२ ॥ ટીકાર્થ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, એ ત્રણે કર્મો અંતરાય સાથે એકદમ વિલય-નાશ પામે छ. ॥ २२॥ ઘાતિકર્મનો ક્ષય થવાથી ફળ જણાવે છે -- ९१५ संप्राप्य केवलज्ञान-दर्शने दुर्लभे ततो योगी । जानाति पश्यति तथा लोकालोकं यथावस्थम् ॥ २३ ॥ ટીકાર્થ તેવા પ્રકારના ધ્યાનાંતરમાં વર્તતા યોગીને ત્યાર પછી દુર્લભ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવે જેવી અવસ્થામાં લોક અને અલોક છે, તે પ્રમાણે યથાર્થ લોકાલોકને જાણે અને દેખે છે. ૨૩ / ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા તીર્થકર ભગવંતના અતિશયોને ચોવીશ આર્યાઓથી કહે છે -- ९१६ देवस्तदा स भगवान्, सर्वज्ञः सर्वदर्श्यनन्तगुणः । विहरत्यवनीवलयं, सुरासुरनरोरगैः प्रणतः ॥ २४ ॥ ९१७ वाग्ज्योत्स्नयाऽखिलान्यपि, विबोधयति भव्यजन्तुकुमुदानि । उन्मूलयति क्षणतो, मिथ्यात्वं द्रव्य-भावगतम् ॥ २५ ॥ तन्नामग्रहमात्राद्, अनादिसंसारसम्भवं दुःखम् । भव्यात्मनामशेषं, परिक्षयं याति सहसैव ॥ २६ ॥ ९१९ अपि कोटीशतसंख्याः, समुपासितुमागताः सुर-नराद्याः ।। क्षेत्रे योजनमात्रे, मान्ति तदाऽस्य प्रभावेन ॥ २७ ॥ त्रिदिवौकसो मनुष्याः, तिर्यञ्चोऽन्येऽप्यमुष्य बुध्यन्ते। निजनिजभाषानुगतं, वचनं धर्मावबोधकरम् ॥ २८ ॥ ९२१ आयोजनशतमुग्रा, रोगाः शाम्यन्ति तत्प्रभावेण ।। उदयिनि शीतमरीचाविव तापरुजः क्षितेः परितः ॥ २९ ॥ ९२२ मारीति-दुर्भिक्षातिवृष्टयनावृष्टि-डमर-वैराणि । न भवन्त्यस्मिन् विहरति, सहस्त्ररश्मौ तमांसीव ॥ ३० ॥ ટીકાર્થ:- કેવલજ્ઞાન પામ્યા પછી સર્વજ્ઞ સર્વદર્શી અરિહંત ભગવંત અનંતગુણનિધાન તે દેવાધિદેવ અનેક સુરો, અસુરો અને નાગકુમાર દેવો વડે પ્રણામ કરાતા પૃથ્વીમંડળમાં વિચરે છે. વળી પોતાની વાણીરૂપ ચંદ્રકિરણની જ્યોત્સા વડે ભવ્ય જીવો રૂપી ચંદ્ર-વિકાસી કમળોને પ્રતિબોધ કરે છે અને તેમનામાં રહેલા દ્રવ્ય, ભાવ મિથ્યાત્વરૂપ અંધકારને ક્ષણવારમાં મૂળથી ઉખાડી મૂકે છે. તેમના નામ ગ્રહણ કરવા માત્રથી અનાદિ સંસારમાં ९२० Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ९२६ ઉત્પન્ન થયેલ ભવ્ય જીવોનાં સમગ્ર દુઃખો એકદમ નાશ પામે છે. વળી તે ભગવંતની ઉપાસના કરવા માટે આવેલા દેવો, મનુષ્યો અને તિર્યંચો સેંકડો ક્રોડોની સંખ્યામાં આવેલા હોય, તે સર્વે તેમના પ્રભાવથી એક યોજનમાત્ર ક્ષેત્રમાં નિરાબાધપણે સમાઈ જાય છે. ધર્મનો અવબોધ કરનારાં તેમનાં વચનને દેવો, મનુષ્યો, તિર્યંચો કે બીજા કોઈ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. તેઓ જે જે ક્ષેત્રમાં વિચરતા હોય, તેની ચારે બાજુના સો સો યોજન ફરતા, ચંદ્રનો ઉદય થવાથી જેમ તાપ શાન્ત થાય, તેમ તેમના પ્રભાવથી ઉગ્ર રોગો શાન્ત થાય છે. સૂર્યના ઉદયમાં જેમ અંધકાર ન હોય, તેમ આ ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય, ત્યાં ત્યાં મરકી, દુકાળ, અતિવૃષ્ટિ, अनावृष्टि, युद्ध, वै२ मा ७५द्रवो न होय. ।। २४ -30 ।। ९२३ मार्तण्डमण्डलश्री-विडम्बि भामण्डलं विभोः परितः । आविर्भवत्यनुवपुः प्रकाशयत् सर्वतोऽपि दिशः ॥ ३१ ॥ ९२४ सञ्चारयन्ति विकचान्यनुपादन्यासमाशु कमलानि । भगवति विहरति तस्मिन्, कल्याणीभक्तयो देवाः ॥ ३२ ॥ ९२५ अनुकुलो वाति मस्त, प्रदक्षिणं यान्त्यमुष्य शकुनाश्च ।। तरवोऽपि नमन्ति भवन्त्यधोमुखाः कण्टकाश्च तदा ॥ ३३ ॥ आरक्तपल्लवोऽशोक-पादपः स्मेरकुसुमगन्धाढ्यः । प्रकृतस्तुतिरिव मधुकर-विरुतैर्विलसत्युपरि तस्य ॥ ३४ ॥ षडपि समकालमृतवो, भगवन्तं तं तदोपतिष्ठन्ते स्मरसाहायककरण, प्रायश्चित्तं ग्रहीतुमिव ॥ ३५ ॥ अस्य पुरस्तात् निनदन्, विजृम्भते दुन्दुभिर्नभसि तारम् । कुर्वाणो निर्वाण-प्रयाणकल्याणमिव सद्यः ॥ ३६ ॥ ९२९ पञ्चापि चेन्द्रियार्थाः, क्षणान्मनोज्ञी भवन्ति तदुपान्ते । को वा न गुणोत्कर्ष, सविधे महतामवाप्नोति ? ॥ ३७ ॥ ९३० अस्य नखा रोमाणि च, वर्धिष्णून्यपि न हि प्रवर्धन्ते । भवशतसञ्चितकर्मच्छेदं दृष्ट्वेव भीतानि ॥ ३८ ॥ ९३१ शमयन्ति तदभ्यर्णे, रजांसि गन्धजलवृष्टिभिर्देवाः ।। उन्निद्रकुसुमवृष्टिभिरशेषतः सुरभयन्ति भुवम् ॥ ३९ ॥ ९३२ छत्रत्रयी पवित्रा, विभोरुपरि भक्तितस्त्रिदशराजैः । गङ्गास्रोतस्त्रितयीव, धार्यते मण्डलीकृत्य ॥ ४० ॥ ટીકાર્થ:- સૂર્યમંડલની શોભાને અનુસરતું, સર્વ દિશાઓને પ્રકાશિત કરતું, ભગવંતના શરીરની પાછળ ભામંડળ પ્રગટ થાય છે. ભગવંત જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હોય ત્યારે, કલ્યાણ કરનારી ભક્તિવાળા દેવો પગલે પગલે તેમને પગ સ્થાપન કરવા માટે તરત સુવર્ણ કમલોનો સંચાર કરાવે છે તથા પવન અનુકૂલ વાય છે. ९२७ ९२८ Page #584 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૩૧-૪૭ ૫૩૩ પક્ષીઓ ભગવંતની જમણી બાજુથી પ્રદક્ષિણા આપે છે, વૃક્ષો નીચા થઈ નમન કરે છે, તે વખતે કાંટા ઉંધા થાય છે. લાલ કુંપળયુક્ત, વિકસિત પુષ્પોની ગંધવાળો, મધુકર-ભ્રમરોના શબ્દો વડે સ્વાભાવિક સ્તુતિ કરતો હોય તેવો અશોકવૃક્ષ, ભગવંતની ઉપર શોભી રહેલો હોય છે. તે સમયે, કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત લેવા જાણે આવી હોય, તેવી રીતે છએ ઋતુઓ એક સામટી પ્રભુની આગળ પ્રગટ થાય છે. જાણે મોક્ષ-કલ્યાણક ઉજવવા માટે હોય, તેમ આ ભગવંતની આગળ મધુર શબ્દ કરતો દેવદુંદુભિ આકાશમાં પ્રગટ થાય છે. તે ભગવંતની પાસે પાંચે ઈન્દ્રિયોના પ્રતિકૂળ પદાર્થો પણ ક્ષણવારમાં મનોહર બની અનુકૂળ થાય છે. ‘મહાપુરુષોના સાંનિધ્યમાં ગુણોત્કર્ષ કોણ ન પામે ?' અર્થાત્ સર્વ પામે. સેંકડો ભવોનાં સંચિત કરેલાં કર્મોનો ઉચ્છેદ થયેલો જોઈને ભય પામ્યા હોય, તેમ વધવાના સ્વભાવવાળા, પ્રભુના નખ અને રોમ અહિં વૃદ્ધિ પામતા નથી. તે ભગવંતની પાસે દેવો સુગંધી જળની વૃષ્ટિ કરવા વડે કરીને ઉડવાના સ્વભાવવાળી ધૂળને શાંત કરે છે અને ખીલેલાં પુષ્પોની વૃષ્ટિથી સમગ્ર ભૂમિને સુગંધીવાળી કરે છે, ઈન્દ્ર મહારાજાએ ભક્તિથી ગંગા નદીના ત્રણ પ્રવાહોને જાણે વર્તુલાકા૨ બનાવ્યા હોય તેમ ત્રણ પવિત્ર છત્રોને ભગવંતે મસ્તક ઉપર ધારણ કર્યાં હોય છે. || ૩૧ - ૪૦ || ९३३ ९३४ ९३५ ९३६ ९३७ ९३८ ९३९ अयमेक एव नः प्रभुरित्याख्यातुं बिडौजसोन्नमितः । अङ्गुलिदण्ड इवोच्चै-श्चकास्ति रत्नध्वजस्त अस्य शरदिन्दुदीधिति - चारूणि च चामराणि धूयन्ते । वदनारविन्दसम्पाति - राजहंसभ्रमं दधति ॥ ૪૨ ।। ॥ ૪૨ ॥ 1 प्राकारास्त्रय उच्चैः, विभान्ति समवसरणस्थितस्यास्य । कृतविग्रहाणि सम्यक् चारित्र - ज्ञान- न-दर्शनानीव चतुराशावर्तिजनान्, युगपदिवानुग्रहीतुकामस्य चत्वारि भवन्ति मुखान्यङगानि च धर्ममुपदिशतः ।। ૪૪ ૫ अभिवन्द्यमानपादः, सुरासुरनरोरगैस्तदा भगवान् सिंहासनमधितिष्ठति, भास्वानिव पूर्वगिरिशृङ्गम् तेजःपुञ्जप्रसर- प्रकाशिताशेषदिक्क्रमस्य तदा त्रैलोक्यचक्रवर्तित्व-चिह्नमग्रे भवति चक्रम् I 11 84 11 ।। ૪o ॥ I ૫ ૪૬ ।। ભુવનપતિ-વિમાનતિ-જ્યોતિ:પતિ-વાનમન્તરાઃ વિષે । तिष्ठन्ति समवसरणे, जघन्यतः कोटिपरिमाणाः ।। ૪૭ ।। ટીકાર્થ :- ‘આ અમારા એક જ સ્વામી છે. એ કહેવા માટે જાણે ઈન્દ્ર મહારાજાએ અંગુલિરૂપ દંડ ઊંચો કર્યો હોય, તેમ રત્નજડિત ધ્વજ પ્રભુની પાસે શોભી રહેલો છે. આ પ્રભુને શરદ ઋતુના ચંદ્ર સરખા મનોહર ચામરો વિંજાય છે, તે ભગવંતના મુખકમળ પાસે આવતા રાજહંસોના વિભ્રમને ધારણ કરે છે. આ સમવસરણમાં રહેલા ત્રણ ઉંચા ગઢો જાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રે ત્રણ શરીર ધારણ કર્યાં હોય તેમ સારી રીતે શોભે છે. ચારે દિશામાં રહેલા લોકોને એકી વખતે ઉપકાર કરવા માટેની ઈચ્છાથી હોય તેમ ધર્મોપદેશ કરતા ભગવંતને ચાર શરીરો અને ચાર મુખો થાય છે. તે સમયે દેવો, અસુરો, મનુષ્યો અને ભવનપતિ દેવો વડે અભિવંદન કરાતા ચરણવાળા Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ભગવંત ઉદયાચળના શિખર પર જેમ સૂર્ય શોભે તેમ સિંહાસન પર બિરાજમાન થાય છે. તે અવસરે તેજસમૂહનો ફેલાવો કરી સમગ્ર દિશા-સમૂહને પ્રકાશિત કરતું અને ત્રણ લોકના ધર્મચક્રવર્તીના ચિહ્નરૂપ ધર્મચક્ર પ્રભુ આગળ રહેલું હોય છે. ભવનપતિ, વૈમાનિક, જ્યોતિષ્ક અને વાનર્થાતર એમ ચારે નિકાયના દેવો સમવસરણની અંદર ભગવાનની પાસે જઘન્યથી કોટી સંખ્યા-પ્રમાણ રહે છે. મેં ૪૧ - ૪૭ | કેવલજ્ઞાની તીર્થકર ભગવંતના અતિશયોનું સ્વરૂપ કહીને હવે સામાન્ય કેવલીઓનું સ્વરૂપ કહે છે -- ९४० तीर्थंकरनामसंज्ञं, न यस्य कर्मास्ति सोऽपि योगबलात् ।। उत्पन्नकेवलः सन् सत्यायुषि बोधयत्युर्वीम् ॥ ४८ ॥ ટીકાર્થ:- જેઓને તીર્થંકર નામકર્મ નથી, તેઓ પણ યોગના બલથી કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યા પછી જો આયુષ્યકર્મ બાકી રહેલું હોય, તો જગતના જીવોને ધર્મનો પ્રતિબોધ કરે છે. ll ૪૮ ત્યાર પછી કરવા યોગ્ય કહે છે - ९४१ सम्पन्नकेवलज्ञान-दर्शनोऽन्तर्मुहूर्त्तशेषायुः अर्हति योगी ध्यानं, तृतीयमपि कर्तुमचिरेण ॥ ४९ ॥ ટીકાર્થ - કેવલજ્ઞાન, કેવલદર્શન, પ્રાપ્ત કરેલ યોગીનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે તે તત્કાલ ત્રીજું શુક્લધ્યાન કરવા યોગ્ય થાય છે. અંતર્મુહૂર્ત એટલે મુહૂર્તની અંદરનો સમય સમજવો. | ૪૯ il શું સર્વ યોગીઓ સરખી રીતે ત્રીજું ધ્યાન શરૂ કરે? કે તેમાં કંઈ વિશેષ હોય? તે કહે છે -- ९४२ आयुःकर्मसकाशाद्, अधिकानि स्युर्यदाऽन्यकर्माणि । तत्साम्याय तदोपक्रमेत योगी समुद्धातम् ॥ ५० ॥ ટીકાર્થ:- જો બાકી રહેલાં ભવોપગ્રાહી કર્મની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં અધિક હોય, ત્યારે તે કર્મો સાથે ભોગવાય, તે માટે તે યોગી કેવલિ સમુદ્યાત નામનો પ્રયત્ન-વિશેષ કરે. આયુષ્યકર્મ જેટલી જ જો બાકીનાં કર્મની સ્થિતિ બાકી હોય તો, ત્રીજા ધ્યાનની શરૂઆત કરે, પણ આયુષ્યકર્મ કરતાં બીજા કર્મોની સ્થિતિ લાંબી હોય. ત્યારે સ્થિતિ-ઘાત, રસ-ઘાત આદિ માટે સમુદઘાત નામનો પ્રયત્ન-વિશેષ કરે છે. કહેવું છે કે - “જે કેવલિ ભગવંતને જો આયુષ્યકર્મ કરતાં અધિક સ્થિતિવાળું કર્મ હોય, તે ભગવંત તેને સરખા કરવાની અભિલાષાથી કેવલિ-સમદઘાત નામનો પ્રયત્ન કરે છે. પ્રશમરતિ-ર૭૩) સમુધાત એટલે સમ્યફ પ્રકારે જેનો પ્રાદુર્ભાવ બીજી વખત ન થાય તેવી રીતે પ્રબળપણે ઘાત કરવો - જીવા પ્રદેશોને શરીરની બહાર કાઢવા. ૫૦ || તે સમુદ્ધાતની વિધિ બતાવે છે -- ९४३ ઇ-પદે સ્થાન ચ, સમય નિર્માય | तुर्ये समये लोकं, नि:शेषं पूरयेद् योगी ટીકાર્ય - ધ્યાનસ્થ કેવલી ભગવંત ધ્યાનના બળથી પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે. એટલે કે પ્રથમ સમયે આત્મપ્રદેશો શરીરની બહાર કાઢતાં જ લોક-પ્રમાણ ઊંચો અને નીચો તથા સ્વદેહ-પ્રમાણ પહોળો આત્મપ્રદેશોનો દંડ કરે છે તથા બીજે જ સમયે તે દંડમાંથી કમાડની જેમ પહોળાં કમાડ થઈ જાય છે. એટલે આત્મપ્રદેશો આગળ-પાછળ લોકમાં એવી રીતે ફેલાય છે, જેથી પૂર્વ-પશ્ચિમ અગર ઉત્તર-દક્ષિણ કમાડની આકૃતિ માફક ગોઠવાઈ જાય છે. ત્રીજા સમયે તેમાંથી જ આત્મ-પ્રદેશો એવી રીતે ફેલાવે છે કે જેથી Page #586 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૪૮-પર ૫૩૫ મંથાન-રવૈયાના આકારની માફક ગોઠવાઈ જાય છે. એવી રીતે ઘણો લોક પૂરાઈ જાય છે. ચોથે સમયે તે યોગી આંતરા પૂરી નાંખીને આખા લોકો પોતાના આત્મ-પ્રદેશોથી વ્યાપ્ત કરી નાખે છે એમ ઘણો લોક પૂરતાં અનુશ્રેણી સુધી ગમન થવાથી લોકના ખૂણાઓ પણ આત્મ-પ્રદેશોથી પૂરી નાખે છે. એટલે ચાર સમયમાં સમગ્ર લોકાકાશને જીવ-પ્રદેશોથી પૂર્ણ કરવામાં આવે છે જેટલા આત્મ પ્રદેશો છે તેટલાજ સમગ્ર લોકાકાશના પ્રદેશો છે. એટલે દરેક આકાશ-પ્રદેશે એક એક આત્મપ્રદેશ ગોઠવાઈ જાય છે. “લોક પૂરણ કર્યો એમ શ્રવણ કરવાથી બીજાઓ આત્માને વિભુપણે એટલે સર્વવ્યાપી માનનારાઓ ઉત્પન્ન થયા. તેઓનો અર્થવાદ આ પ્રમાણે છે કે “સર્વ બાજુ ચક્ષુવાળો, સર્વત્ર મુખવાળો, સર્વ બાજુ બાહુવાળો, સર્વત્ર પાદવાળો' (શ્વેતાશ્વતરો-૩૧૩) વગેરે. // ૫૧ | હવે ચાર સમયમાં શું શું કરે છે, તે કહે છે -- ९४४ समयैस्ततश्चतुर्भिः, निवर्तते लोकपूरणादस्मात् । विहितायुःसमकर्मा, ध्यानी प्रतिलोममार्गेण ॥ ५२ ॥ ટીકાર્થ:-ચાર સમયે સમગ્ર લોક પૂરવાનું કામ સમાપ્ત કરી આયુ-સ્થિતિ જેટલાં બાકીનાં કર્મોને સરખાં ગોઠવી ધ્યાની મુનિ અવળા ક્રમથી લોક પૂરવાના કાર્યથી પાછા ફરે અર્થાત્ પાંચમે સમયે લોકમાં ફેલાયેલા કર્મવાળા આત્મપ્રદેશોને સંહરણ કરી સંકોચી લે. છઠ્ઠા સમયે મંથાન આકાર સમેટી લે, ગાઢ સંકોચ કરવાથી સાતમે સમયે કમાડ-આકાર સંકોચી લે, આઠમે સમયે દંડ સંકોચી શરીરમાં જ રહે. સમુદ્ધાત સમયે મન અને વચનના યોગો વ્યાપાર વગરના જ હોય છે. ત્યાં તે બંને યોગોનું તેવું કોઈ પ્રયોજન નથી, માત્ર એકલા કાયયોગનો જ વ્યાપાર હોય છે. તેમાં પણ પહેલા અને આઠમા સમયમાં ઔદારિક કાયાની પ્રધાનતા હોવાથી ઔદારિક કાયયોગ જ હોય છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં વળી ઔદારિક શરીરથી બહાર આત્માનું ગમન થવાથી કાર્પણ વીર્યનો પરિણંદ થવાથી ઔદારિક-કાશ્મણ મિશ્ર યોગ હોય છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં ઘણા આત્મપ્રદેશો દારિક શરીરના વ્યાપાર વગરના અને તે શરીરથી બહાર હોવાથી તેના શરીરની સહાય વગરનો એકલો કાર્પણ કાયયોગ હોય છે. કહેવું છે કે - પહેલા અને આઠમા સમયે ઔદારિક શરીરનો વ્યાપાર હોવાથી ઔદારિક કાયયોગ માનેલો છે તથા બીજા, છઠ્ઠા તથા સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ, માનેલો છે. ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં કાર્પણ કાયયોગ અને આ ત્રણે સમયમાં પણ આત્મા નક્કી અનાહારી હોય છે. (પ્રથમ. ૨૭૬-૨૭૭) સમુદ્યાતનો ત્યાગ કરી જરૂર પડે તો ત્રણે યોગનો વ્યાપાર કરે છે. જેમ કે અનુત્તર-દેવે કોઈક તેવો મનથી પ્રશ્ન પૂછ્યો હોય, તો સત્ય કે અસત્ય મૃષા મનોયોગની પ્રવૃત્તિ કરે, એ પ્રમાણે કોઈકને આમંત્રણ કરવા આદિમાં તેવા જ વચનયોગનો વ્યાપાર કરે, બીજા બે ભેદોનો વ્યાપાર ન કરે, બને પણ દારિક કાયયોગો ફલક પાછું અર્પણ કરવા આદિકમાં વ્યાપાર કરે. ત્યાર પછી અંતર્મુહૂર્ત માત્ર કાળમાં યોગનિરોધ શરૂ કરે છે. અહીં ત્રણ પ્રકારના યોગો બે પ્રકારવાળા છે. સૂક્ષ્મ અને બાદર. તેમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછીનો ઉત્તરકાળ જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દેશોન પૂર્વકોટિ. તેટલા કાળ સુધી સયોગીકેવલી ભગવંત વિચરી અનેક ભવ્યોને પ્રતિબોધ કરે છે અને જ્યારે તેમનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત બાકી રહે છે, ત્યારે તેઓ પ્રથમ બાદર કાયયોગથી બાદરવચન અને મનોયોગ રોકે છે, ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગને રોકે છે. બાદર કાયયોગ હોય, ત્યારે સૂક્ષ્મ યોગ રોકવા અશક્ય છે. દોડતો માણસ ધ્રૂજારીને રોકી શકતો નથી. તેથી સર્વ બાદર-યોગોનો નિરોધ કર્યા પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચન અને મન યોગોનો નિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ ક્રિયા અનિવર્તિ શુક્લધ્યાન કરતો પોતાના આત્માથી જ સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે || પર / Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ એ જ હકીકત ત્રણ આર્યાથી કહે છે |-- ९४५ ९४६ ९४७ ९४९ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ श्रीमानचिन्त्यवीर्यः, शरीरयोगेऽथ बादरे स्थित्वा अचिरादेव हि निरुणद्धि, बादरौ वाङ्मनसयोगौ सूक्ष्मेण काययोगेन, काययोगं स बादरं रुन्ध्यात् तस्मिन् अनिरुद्धे सति, शक्यो रोद्धुं न सूक्ष्मतनुयोगः ॥ ५४ ॥ 1 वचन- मनोयोगयुगं, सूक्ष्मं निरुणद्धि सूक्ष्मात् तनुयोगात् । विदधाति ततो ध्यानं, सूक्ष्मक्रियमसूक्ष्मतनुयोगम् तदनन्तरं समुत्सन्न-क्रियमाविर्भवेदयोगस्य अस्यान्ते क्षीयन्ते, त्वघातिकर्माणि चत्वारि ટીકાર્ય :- કેવલજ્ઞાનાદિક લક્ષ્મીવાળા અને અચિત્ત્વ શક્તિવાળા તે યોગી બાદ કાયયોગમાં રહેલા બાદર વચન અને મનોયોગો ઘણા અલ્પકાળમાં રોકે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગને રોકે, બાદર તનુયોગ રોકાયા સિવાય સૂક્ષ્મતત્તુયોગ રોકી શકાતો નથી, પછી સૂક્ષ્મ તનુયોગથી સૂક્ષ્મ વચન અને મનોયોગો રોકે છે. ત્યાર પછી સૂક્ષ્મ તનુયોગ વગરનું સૂક્ષ્મ ક્રિયા અનિવર્તિ નામનું ધ્યાન કરે છે. સમુચ્છિન્ન-ક્રિય એવું તેનું બીજું નામ પણ કહેલું છે. II ૫૩-૫૪-૫૫ ९४८ लघुवर्णपञ्चकोगिरण-तुल्यकालमवाप्य शैलेशीम् क्षपयति युगपत् परितो, वेद्यायुर्नाम - गोत्राणि 1 " કરૈ ॥ ॥ ૧ ॥ औदारिक-तैजस-कार्मणानि संसारमूलकरणानि हित्वेह ऋजुश्रेण्या, समयेनैकेन याति लोकान्तम् ॥ ૬ ॥ ।। ૭ ।। ટીકાર્થ :- ત્યા૨ે પછી અયોગીને સમુત્સન્નક્રિય પ્રગટ થાય છે – એટલે સર્વ ક્રિયા બંધ થાય છે. આના અંતમાં ચાર અઘાતિ કર્મોનો ક્ષય થાય છે. ત્યાર પછી ‘ઞ ર્ ૩ ઋતૃ’ એ પાંચ હ્રસ્વાક્ષર બોલાય, તેટલો કાળ તે ટકે છે. મેરુ પર્વત સ૨ખી સ્થિર અવસ્થા પામીને એકી સામટા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારે કર્મો ખપાવી નાખે છે. II ૫૬-૫૭ || ત્યાર પછી -- ९५० 1 ॥ ૧૮ ॥ ટીકાર્થ :- સંસા૨ના મૂળ કારણભૂત ઔદારિક, તૈજસ અને કાર્યણ લક્ષણ શરીરોનો ત્યાગ કરીને વિગ્રહ વગરની એક ઋજુશ્રેણીથી બીજા આકાશ-પ્રદેશનો સ્પર્શ કર્યા સિવાય એક જ સમયમાં એટલે કે બીજા સમયનો પણ સ્પર્શ કર્યા સિવાય લોકના છેડે રહેલા સિદ્ધક્ષેત્રમાં સાકાર ઉપયોગ-સહિત જાય છે. કહેલું છે કે “આ પૃથ્વીતલ પર છેલ્લા શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધિ પામે છે. (આ.નિ.૯૫૯) | ૫૮ । શંકા કરી કે, જીવ ઉપર જતાં લોકાન્તની ઉપર આગળ કેમ જતો નથી ? અગર દેહ ત્યાગની ભૂમિની નીચે કે તિર્કો કેમ જતો નથી, તે કહે છે – ९५१ नोर्ध्वमुपग्रहविरहाद्, अधोऽपि वा नैव गौरवाभावात् । योगप्रयोगविगमात् न तिर्यगपि तस्य गतिरस्ति || ૧૨ | Page #588 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ, શ્લો.પ૩-૬ ૧ ૫૩૭ ટીકા :- જેમ મત્સ્યને ગતિમાં સહાયક જલ, તેમ જીવને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય પદાર્થ આગળ ન હોવાથી લોકના છેડા પછી તે ન હોવાથી જીવ ઊર્ધ્વમાં જઈ શકતો નથી, તેમ જ અધોગમનના કારણભૂત તેમાં વજન ન હોવાથી નીચે જતો નથી. કાયાદિ યોગો અને તેની પ્રેરણા તે બંનેનો અભાવ થવાથી તિર્થો પણ જતો નથી. || ૫૯ || અહીં કર્મથી મુક્ત થયેલાને ઉપર જવાનો પ્રદેશ મર્યાદિત હોવાથી ગતિ ન થવી જોઈએ, તેમ કહેનાર પ્રત્યે કહે છે -- ९५२ लाघवयोगाद् धूमवदलाबुफलवच्च सङ्गविरहेण । बन्धनविरहादेरण्डवच्च सिद्धस्य गतिरुव॑म् ॥ ६० ॥ ટીકાર્થઃ- ભારેપણાના પ્રતિપક્ષભૂત હલકાપણું તેવા પરિણામના યોગથી ધૂમાડા માફક સિદ્ધની ઊર્ધ્વગતિ હોય છે તથા સંગરહિત થવાથી તથાવિધ પરિણામથી તુંબડા ઉપર માટીના કાદવના ઉપરા ઉપર આઠ લેપો કર્યા હોય, તેવું વજનદાર ભારી માટીના સંગવાળું તુંબડું પાણીમાં તળીયે ડુબી જાય, પણ પાણીમાં ભીંજાવાથી ક્રમસર આઠે માટીના લેપ દૂર થાય, ત્યારે હલકું તુંબડું આપોઆપ પાણીની સપાટી ઉપર સ્વાભાવિક આવી જાય, તેની માફક સિદ્ધનો જીવ આઠે કર્મોના લેપના ભારથી મુક્ત થવાથી તેવી પરિણતિથી આપોઆપ લોકાન્ત સુધી પહોંચી જાય છે. એરંડી સીંગના બંધનમાંથી છૂટેલ એરંડ ફલની માફક કર્મબંધથી છૂટેલ સિદ્ધની ઊર્ધ્વગતિ હોય છે. // ૬૦ અને ત્યાર પછી -- ९५३ सादिकमनन्तमनुपमम्, अव्याबाधं स्वभावजं सौख्यम्। प्राप्तः सकेवलज्ञान-दर्शनो मोदते मुक्तः ॥ ६१ ॥ ટીકાર્થ :- આદિ સહિત હોય તે સાદિક, સંસારમાં કદાચિત પણ આવા સુખનો અનુભવ કર્યો નથી, માટે સાદિક સુખ, આ સિદ્ધિસુખનો હવે કદાપિ અંત આવવાનો ન હોવાથી અનંત સુખ, સાદિનું અનંતપણું કેવી રીતે? એમ કહેતા હો તો ઘટાદિકના નાશમાં તેમ દેખાતું હોવાથી, ઘટાદિકનો નાશ સાદિ છે, ઘણા આદિના વ્યાપારથી તેનો નાશ ઉત્પન્ન થયો હોવાથી ક્ષયનો અભાવ હોવાથી અનંત, પરંતુ ક્ષય થવા છતાં ફરી તેમાંથી ઘટ ઉત્પન્ન થવાનો પ્રસંગ હોવાથી, અનંત ન કહેવાય. અનુપમ એટલે કોઈ પણ ઉપમાનના અભાવવાળું સુખ, દરેક જીવોનાં અતીત કાળનાં, વર્તમાનકાળનાં અને ભવિષ્યકાળનાં સાંસારિક સુખો એકઠાં કરીએ તો એક સિદ્ધના સુખનો અનંતમો ભાગ છે. તેમના સુખમાં કોઈ પણ પ્રકારની વચ્ચે બાધા હોતી નથી, શરીર અને મનની બાધાના કારણોનો અભાવ હોવાથી અવ્યાબાધ. સ્વભાવથી થવાવાળું સુખ, આત્મસ્વરૂપ માત્રથી જ થનારૂં સિદ્ધોનું સુખ છે. આવા પ્રકારનું સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ, સ્વાભાવિક સુખ પામેલ કેવલજ્ઞાનદર્શનવાળો મુક્ત આત્મા પરમાનંદ ભોગવનાર થાય છે. આમ કહેવાથી કેટલાક કહે છે કે, “સુખ આદિ ગુણોથી રહિત અને જ્ઞાન-દર્શનરહિત મુક્તાત્મા હોય છે. તેમના મતને પરાસ્ત કર્યો. વૈશેષિક દર્શનવાળા કહે છે કે બુદ્ધિ આદિ નવ ગુણો હોય છે તેમના મતને પરાસ્ત કર્યો. વૈશેષિક દર્શનવાળા કહે છે કે – “બુદ્ધિ આદિ નવ ગુણો આત્માના વિશેષગુણોનો અત્યંત ઉચ્છદ, તે મોક્ષ' અથવા તો પ્રદીપનું નિર્વાણ થવું, તેના સરખા અભાવમાત્ર સ્વરૂપ મોક્ષ કહેનારાઓને દૂર કર્યા. બુદ્ધિ આદિ ગુણોના ઉચ્છેદરૂપ કે આત્માના ઉચ્છેદરૂપ મોક્ષ ઈચ્છવા યોગ્ય હોતો નથી. ક્યો વિવેકી બુદ્ધિશાળી પુરુષ પોતાના ગુણોના ઉચ્છેદવાના આત્માના ઉચ્છંદવાળા મોક્ષને ઈચ્છે? માટે અનંત-જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય સ્વરૂપવાળો સર્વ પ્રમાણથી સિદ્ધ એવો જ મોક્ષ યુક્ત Page #589 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૫૩૮ છે. || ૬૧ || એ પ્રમાણે ૫૨માર્હત શ્રી કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છા થવાથી આ. શ્રી હેમચન્દ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રને વિષે પોતે જ રચેલ વિવરણના અગીઆરમા પ્રકાશનો આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ સંવત-૨૦૨૨, પ્રથમ શ્રાવણ શુદિ છઠ અને શનિવાર, તા. ૨૩-૭-૬૬ના દિવસે મુંબઈ, પાયધુની નમિનાથજીના ઉપાશ્રય મધ્યે પૂર્ણ કર્યો. Page #590 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ શાસ્ત્રની શરૂઆતમાં જે કહેલું હતું કે - પોતાના અનુભવથી પણ તેનો વિસ્તાર કરવા માટે પ્રસ્તાવના કરે ९५४ श्रुतसिन्धोर्गुरुमुखतो, यदधिगतं तदिह दर्शितं सम्यक् । अनुभवसिद्धमिदानी, प्रकाश्यते तत्त्वमिदममलम् ॥ १ ॥ ટીકાર્થ:- આગમાદિ શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રથી તથા ગુરુ મહારાજના મુખકમળથી મેં જે કાંઈ જાણ્યું કે સાંભળ્યું, તે અહીં અગ્વિઆર પ્રકાશમાં વિસ્તારથી સારી રીતે બતાવ્યું. હવે મને પોતાને અનુભવથી સિદ્ધ થએલું યોગ વિષયકનિર્મલ તત્ત્વ તેને પ્રકાશિત કરું છું.. ૧// હવે ઉત્તમ પદવી પર આરૂઢ થવા માટે ચાર પ્રકારવાળું ચિત્ત જણાવે છે -- ९५५ इह विक्षिप्तं यातायातं, श्लिष्टं तथा सुलीनं च । चेतश्चतुःप्रकारं, तज्ज्ञचमत्कारकारि भवेत् ટીકાર્થ:- અહીં વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એમ ચાર પ્રકારવાળું ચિત્ત, તે વિષયના જાણકારને ચમત્કાર કરનારું થાય છે. યોગાભ્યાસના અધિકારમાં ચિત્ત ચાર પ્રકારનું છે, તેની ક્રમસર વ્યાખ્યા કહે છે -- ९५६ विक्षिप्तं चलमिष्टं, यातायातं च किमपि सानन्दम् । प्रथमाभ्यासे द्वयमपि, विकल्पविषयग्रहं तत् स्यात् ॥ ३ ॥ ટીકાર્થ - વિક્ષિપ્ત ચિત્ત એટલે આમતેમ ભટકતું મન. ઘડીક બહાર જાય, ઘડીક અંદર સ્થિર થાયતે યાતાયાત મન, તે કંઈક આનંદદાયક આત્મામાં થોડી સ્થિરતા થએલી હોવાથી, શરૂઆતના અભ્યાસીઓને આ બંને પ્રકારનાં મન હોય છે અને તેમનો વિષય વિકલ્પ ગ્રહણ કરવાનો હોય છે. વિકલ્પ એટલે બાહ્ય પદાર્થ ગ્રહણ બંનેમાં હોય છે. / ૩ //. તથા -- ९५७ श्लिष्टं स्थिरसानन्दं, सुलीनमतिनिश्चलं परानन्दम् । तन्मात्रकविषयग्रहम्, उभयमपि बुधैस्तदाम्नातम् ॥ ४ ॥ ટીકાર્થઃ-શ્લિષ્ટ નામનો મનનો ત્રીજો પ્રકાર સ્થિરતાયુક્ત અને આનંદવાળો છે, તથા સુલીન નામનો ચોથો પ્રકાર નિશ્ચલ અને પરમાનંદયુક્ત છે. આ બંને મન પોતપોતાને લાયક વિષય જ ગ્રહણ કરે છે, પણ બાહ્ય પદાર્થને નહીં, તેથી પંડિતોએ નામ પ્રમાણે જ તેના ગુણો માનેલા છે. તે ૪. ત્યાર પછી -- Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ९५८ एवं क्रमशोऽभ्यासावेशाद् ध्यानं भजेत् निरालम्बम् ।। समरसभावं यातः, परमानन्दं ततोऽनुभवेत् ટીકાર્થ:- આ પ્રમાણે વિક્ષિત ચિત્તથી યાતાયાત ચિત્તનો અભ્યાસ કરવો, તેનાથી આગળ શ્લિષ્ટ ચિત્તનો, ત્યાર પછી સુલીનનો, એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન સુધી પહોંચવું. તેનાથી સમરસભાવની પ્રાપ્તિ, ત્યાર પછી પરમાનંદનો અનુભવ થાય છે. પ | સમરસભાવની પ્રાપ્તિ જેવી રીતે થાય છે, તે જણાવે છે -- ९५९ बाह्यात्मानमपास्य, प्रसत्तिभाजाऽन्तरात्मना योगी । सततं परमात्मानं, विचिन्तयेत् तन्मयत्वाय ટીકાર્થઃ-આત્મ-સુખાભિલાષી યોગીએ અંતરાત્મા વડે બાહ્ય પદાર્થની ઈચ્છાવાળા બહિરાત્મભાવનો ત્યાગ કરીને પરમાત્મ-સ્વરૂપ મેળવવા માટે સતત-લગાતાર પરમાત્માનું ચિંતન કરવું. // ૬ // બે આર્યાથી આત્માના બહિરાદિ સ્વરૂપને કહે છે -- ९६० आत्मधिया समुपात्तः, कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको, भवत्यन्तरात्मा तु ૫ ૭ | ९६१ વિદ્ રૂપાનમયો, નિષોપાધવનંત શુદ્ધ પ્રત્યક્ષોનન્તપુન:, પરમાત્મા તિતસ્ત: | ૮ | ટીકાર્થ :- શરીર, ધન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિકને મારાપણાની-મમતાબુદ્ધિથી ગ્રહણ કરે, તેને અહીં બહિરાત્મા કહેલો છે અને શરીર તો મારે રહેવાનું ઘર છે. હું રહેનાર માલિક છું. શરીર તો રહેવા પૂરતું ભાડુતી ઘર છે, પુદ્ગલ-સ્વરૂપ સુખ-દુ:ખના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક ન કરનાર અંતરાત્મા ગણાય. સત્તાથી કેવળજ્ઞાન સ્વરૂપ, આનંદમય, સમગ્ર બાહ્ય ઉપાધિથી રહિત, સ્ફટિક સરખો નિર્મળ, ઈન્દ્રિયોથી ન જાણી શકાય તેવો, અનંતા ગુણવાળો, આવા પ્રકારનો પરમાત્મ સ્વરૂપ આત્મા તેના જાણકારોએ કહેલો છે. // ૭-૮ || બહિરાત્મા અને અંતરાત્માના ભેદજ્ઞાનથી જે લાભ થાય, તે કહે છે -- ९६२ पृथगात्मानं कायात्, पृथक् च विद्यात् सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽऽत्मनिश्चये न स्खलेद् योगी (तन्मध्यारोप्यात्मनि, साक्षीण्यास्ते सुखेन जडबुद्धिः । व्यक्ताक्षेपः सम्यक्, प्राप्नोति पुनः पदं परमम् ॥) ટીકાર્થ :- આત્માને શરીરથી જુદો અને શરીરને આત્માથી જુદું યથાર્થપણે હંમેશાં માનવું, બંનેનો ભેદ સમજનાર યોગી આત્મ-સ્વરૂપે પ્રગટ કરવામાં અલના પામતો નથી. // ૯ / તે આ પ્રમાણે -- ९६३ अन्त:पिहितज्योतिः, सन्तुष्यत्यात्मनोऽन्यतो मूढः । तुष्यत्यात्मन्येव हि, बहिर्निवृत्तभ्रमो ज्ञानी | ૨૦ || ટીકાર્થ :- જેની આત્મજ્યોતિ કર્મોની અંદર ઢંકાઈ ગઈ છે તેવા અજ્ઞાની જીવો આત્માના પ્રતિપક્ષભૂત પુદ્ગલ પદાર્થોમાં આનંદ માને છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં સુખની ભ્રાન્તિથી નિવૃત્ત થએલા યોગીઓ પોતાના Page #592 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ, શ્લો.૧-૧૬ → આત્મસ્વરૂપમાં જ આનંદ પામે છે. ॥ ૧૦ ॥ તે જ કહે છે -- ९६४ 1 पुंसामयत्नलभ्यं, ज्ञानवतामव्ययं पदं नूनम् यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ॥ ૧ ॥ ટીકાર્થ :- જો આત્માને વિષે આત્મજ્ઞાન માત્રને જ તેઓ ઈચ્છતા હોય, તો તેવા આત્મજ્ઞાનવાળા પુરુષોને ૫રમાત્મ સ્વરૂપ અવ્યયપદ વગર પ્રયત્ને પ્રાપ્ત થાય છે. ।। ૧૧ । તે જ સ્પષ્ટ કરતા કહે છે ९६५ श्रयते सुवर्णभावं, सिद्धरसस्पर्शतो यथा लोहम् आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति I ।। ૨ ।। ટીકાર્થ :- જેમ સિદ્ઘરસના સ્પર્શથી લોહ સુવર્ણપણાને પામે છે, તેમ આત્મધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. ।। ૧૨ । આ જ સુજ્ઞાન છે, તે કહે છે -- ९६६ ९६७ जन्मान्तरसंस्कारात्, स्वयमेव किल प्रकाशते तत्त्वम् 1 सुप्तोत्थितस्य पूर्व-प्रत्ययवत् निरुपदेशमपि अथवा गुरुप्रसादाद्, इहैव तत्त्वं समुन्मिषति नूनम् गुरुचरणोपास्तिकृतः, प्रशमजुषः शुद्धचित्तस्य બંને જન્મમાં ગુરુ-મુખ-દર્શનની અનિવાર્યતા કહે છે -- ९६८ ૫૪૧ ।। ૪ ।। ટીકાર્થ:- નિદ્રામાંથી જાગેલાને સૂતાં પહેલાં અનુભવેલાં કાર્યો કહ્યા સિવાય સ્વયં પોતાને યાદ આવે છે, તે જ પ્રમાણે યોગીઓને જન્મ-જન્માન્તરના સંસ્કારથી ઉપદેશ વગર આપમેળે તત્ત્વ પ્રગટ થાય છે. એટલે જે યોગીએ જન્માન્તરમાં આત્મજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય, તેને નિદ્રાથી જાગેલાની માફક આત્મજ્ઞાન થાય છે. અથવા જન્માન્તરના સંસ્કાર સિવાય ગુરુના ચરણની સેવા કરનારા, શાંત રસવાળા, નિર્મળ ચિત્તવાળા યોગીને ગુરુકૃપાથી અહીં જ નક્કી આત્મજ્ઞાન-સ્વરૂપ તત્ત્વ પ્રાપ્ત થાય છે. ।। ૧૩-૧૪ || तत्र प्रथमे तत्त्व-ज्ञाने संवादको गुरुर्भवति दर्शयिता त्वपरस्मिन्, गुरुमेव सदा भजेत् तस्मात् ।। ૧૨ ।। 1 यद्वत् सहस्रकिरणः, प्रकाशको निचिततिमिरमग्नस्य । तद्वद् गुरुरत्र भवेद्, अज्ञानध्वान्तपतितस्य 1 ॥ ૧ ॥ ટીકાર્થ ઃ- આગલા જન્મમાં પ્રથમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરાવનાર ગુરુ હોય છે અને બીજા ભવમાં પણ તત્ત્વજ્ઞાન બતાવનાર ગુરુ જ હોય છે, તે કારણે તેમની હંમેશાં સેવા કરવી. ।। ૧૫ ।। ગુરુની સ્તુતિ કરે છે -- ९६९ ॥ ૬ ॥ ટીકાર્થ :- જેમ ગાઢ અંધકારમાં રહેલા પદાર્થને સૂર્ય પ્રકાશિત કરે છે, તેમ અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા આત્માને આ ભવની અંદર તત્ત્વોપદેશ સમજાવનાર-પ્રકાશિત કરનાર ગુરુ છે. II ૧૬ ।। તેથી -- Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ९७० प्राणायामप्रभृति-क्लेशपरित्यागतस्ततो योगी । उपदेशं प्राप्य गुरोः, आत्माभ्यासे रतिं कुर्यात् ॥ १७ ॥ ટીકાર્થ:- પ્રાણાયામ વગેરે ક્લેશનો ત્યાગ કરીને યોગી ગુરુનો ઉપદેશ પામી આત્મસ્વરૂપ સમજવાના अभ्यासमा लासवाणो थाय. ॥१७॥ पछी -- ९७१ वचन-मन:-कायानां, क्षोभं यत्नेन वर्जयेत् शान्तः । रसभाण्डमिवात्मानं, सुनिश्चलं धारयेत् नित्यम् ॥ १८ ॥ ९७२ औदासीन्यपरायण-वृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव । यत् सङ्कल्पाकुलितं चित्तं नासादयेत् स्थैर्यम् ॥ १९ ॥ ટીકાર્થ - મન, વચન અને કાયાનો ક્ષોભ (ચંચળતા) પ્રયત્નપૂર્વક છોડીને, પ્રવાહી રસભરેલા ભાજન માફક, આત્માને સ્થિર અને શાંત બનાવી હંમેશાં અતિ નિશ્ચલપણે ધારી રાખવો. બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનભાવપરાયણ યોગીએ એવા પ્રકારની કોઈ વિચારણા ન કરવી કે જેનાથી સંકલ્પ-વિકલ્પથી આકુળ-વ્યાકુળ બનેલું यित्त स्थैर्य नपामे. ।। १८-१८॥ વ્યતિરેક એટલે ઉલટાવીને કહે છે -- ९७३ यावत् प्रयत्नलेशो, यावत् सङ्कल्पकल्पना काऽपि । तावन्न लयस्यापि, प्राप्तिस्तत्त्वस्य कातु कथा ? ॥ २० ॥ ટીકાર્ય - જ્યાં સુધી યોગવિષયક કોઈપણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કોઈ સંકલ્પવાળી કલ્પના ચાલુ છે, ત્યાં सुधी दयनी प्रतियता नथी, तो पछी तत्पनी था तो ज्यांची डोय ? ।। २० ।। ઔદાસીન્યનું ફલ કહે છે – ९७४ यदिदं तदिति न वक्तुं, साक्षाद् गुरुणाऽपि हन्त ! शक्येत । औदासीन्यपरस्य, प्रकाशते तत् स्वयं तत्त्वम् ॥ २१ ॥ ટીકાર્થ :- “આ પરમાત્મ તત્ત્વ છે' એમ સાક્ષાત્ ગુરુ પણ કહેવા સમર્થ નથી, તે પરમતત્ત્વ પરમાત્મતત્ત્વ ઔદાસીન્યમાં તલ્લીન બનેલા યોગીને આપમેળે પ્રગટ થાય છે. || ૨૧ // ઉદાસીનતામાં રહેવાથી પરમતત્ત્વમાં લીન થવાય અને ઉન્મનીભાવ પ્રાપ્ત થાય, તે ચાર શ્લોકોના કલાપકથી 53 छ -- एकान्तेऽतिपवित्रे, रम्ये देशे सदा सुखासीनः आ-चरणाग्रशिखाग्रात्, शिथिलीभूताखिलावयवः ॥ २२ ॥ ९७६ रूपं कान्तं पश्यन्नपि, शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि, भुञ्जानो रसान् स्वादून् ॥ २३ ॥ ९७७ भावान् स्पृशन्नपि, मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः, प्रणष्टविषयभ्रमो नित्यम् ॥ २४ ॥ ९७५ Page #594 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ, શ્લો.૧૭-૩૦ ९७८ 1 ।। ૧ ।। ટીકાર્થ:- એકાંત અતિ પવિત્ર રમણીય સ્થાનમાં હંમેશાં લાંબો વખત બેસી શકાય તેવા ધ્યાનને અનુરૂપ કોઈ સુખાસને બેઠેલો, પગના અંગુઠાથી મસ્તકના અગ્રભાગ સુધી ઢીલા રાખેલા અવયવવાળો, મનોહર રૂપ જોતો હોવા છતાં, મધુર મનોહર વાણી સાંભળતો હોવા છતાં, સુગંધી પદાર્થોની સુગંધ સુંધતો હોવા છતાં પણ સ્વાદિષ્ટ રસવાળાં ભોજન ખાતો હોવા છતાં કોમળ સ્પર્શને પ્રાપ્ત કરવા છતાં આ ઈન્દ્રિયોના વિષયોથી વૃત્તિ ન વારવા છતાં પણ ઉદાસીનતામાં નિર્મમત્વ ભાવમાં ઉપયુક્ત, નિરંતર વિષયાસક્તિથી રહિત, બાહ્ય અને અંતરથી સર્વથા ચિંતાથી અને ચેષ્ટાથી રહિત થયેલા યોગી તન્મયભાવને પ્રાપ્ત કરી અત્યંત ઉન્મનીભાવને મેળવે || ૨૨ - ૨૫|| છે. बहिरन्तश्च समन्तात्, चिन्ताचेष्टापरिच्युतो योगी तन्मयभावं प्राप्तः, कलयति भृशमुन्मनीभावम् ઈન્દ્રિયોના વેગને ન રોકવાનું પ્રયોજન કહે છે -- ९७९ ९८१ गृणन्तु ग्राह्याणि, स्वानि स्वानीन्द्रियाणि नो रुन्ध्यात् । न खलु प्रवर्तयेद् वा, प्रकाशते तत्त्वमचिरेण ॥ ૬ ॥ ટીકાર્થ :- પોતપોતાના વિષયો ગ્રહણ કરતી ઈન્દ્રિયોને રોકવી નહીં, તેમ જ વિષયોમાં પ્રવર્તાવવી નહીં. એમ કરતાં અલ્પકાળમાં જ તત્ત્વ પ્રગટ થશે. વીતરાગ સ્તોત્રમાં અમે કહેલું જ છે કે – “આપે ઈન્દ્રિયોને નિવારી નથી કે છૂટી મૂકી નથી. આમ ઉદાસીનપણે ઈન્દ્રિયોનો જય કર્યો છે. (વીત.૧૪/૨)|| ૨૬ ।। -- ९८० 1 મનનો જય પણ સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે બે આર્યાથી જણાવે છે - चेतोऽपि यत्र यत्र, प्रवर्तते नो ततस्ततो वार्यम् अधिकीभवति हि वारितम्, अवारितं शान्तिमुपयाति ॥ मत्तो हस्ती यत्नात् निवार्यमाणोऽधिकीभवति यद्वत् । अनिवारितस्तु कामान्, लब्ध्वा शाम्यति मनस्तद्वत् ॥ ૮ ॥ ૨૭ ।। ૫૪૩ ટીકાર્થ :- ચિત્ત પણ જ્યાં જ્યાં પ્રવર્તતું હોય, ત્યાં ત્યાં તેનું નિવારણ ન કરવું, નિવા૨ણ ક૨વાથી વધારે દોડે છે અને અનિવારિત મન તરત શાન્ત થઇ જાય છે. મદોન્મત્ત હાથી પ્રયત્નપૂર્વક રોકવાથી વધારે તોફાન કરે છે અને અનિવા૨ણ કરેલા તે વિષયો પ્રાપ્ત કરીને શાન્ત થઇ જાય છે, તેની માફક મન પણ તે પ્રમાણે વિષય-પ્રાપ્તિથી શાન્ત થઇ જાય છે. ॥ ૨૭-૨૮॥ જે પ્રમાણે મન સ્થિર થાય છે, તે બે આર્યાથી જણાવે છે- ९८२ ९८३ ' यह यथा यत्र यतः, स्थिरीभवति योगिनश्चलं चेतः 1 तर्हि तथा तत्र ततः, कथञ्चिदपि चालयेन्नैव ૫ ૨૧ ॥ अनया युक्त्याऽभ्यासं विदधानस्यातिलोलमपि चेतः । अङ्गुल्यग्रस्थापितदण्ड इव स्थैर्यमाश्रयति 11 30 11 ટીકાર્થ:- જ્યારે, જેવી રીતે, જે સ્થાને અને જેનાથી યોગીનું ચંચળ ચિત્ત નિશ્ચલ થાય, ત્યારે, તે રીતે, ત્યાં જ તેનાથી લગાર પણ ચલાવવું નહિ. આ યુક્તિથી અભ્યાસ કરનારનું મન અતિ ચપળ હોય, તો પણ આંગળીના ટેરવા પર સ્થાપિત કરેલ દંડ માફક થૈર્યનો આશ્રય કરે છે. ॥ ૨૯-૩૦ બે આર્યાથી ઇન્દ્રિય-જય-વિધિ કહે છે- Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ९८४ निःसृत्यादौ दृष्टिः, संलीना यत्र कुत्रचित् स्थाने । तत्रासाद्य स्थैर्य, शनैः शनैर्विलयमाप्नोति ૫ રૂ૨ છે. ९८५ सर्वत्रापि प्रसृता, प्रत्यग्भूता शनैः शनैर्दृष्टिः परतत्त्वामलमुकुरे, निरीक्षते ह्यात्मनाऽऽत्मानम् ॥ ३२ ॥ ટીકાર્ચ - શરૂઆતમાં દષ્ટિ નીકળીને ગમે તે સ્થાનમાં લીન થાય, પછી સ્થિરતા પામીને ત્યાં ધીમે ધીમે વિલય પામે છે અર્થાતુ પાછી હઠે છે, એમ સર્વ જગ્યા પર ફેલાએલી અને ધીમે ધીમે પાછી ફરેલી દષ્ટિપરમતત્ત્વ સ્વરૂપ સ્વચ્છ દર્પણમાં આત્મા વડે આત્માને દેખે છે. // ૩૧-૩૨ || ત્રણ આર્યાથી મનોવિજયની વિધિ કહે છે-- ९८६ औदासीन्यनिमग्नः, प्रयत्नपरिवर्जितः सततमात्मा । भावितपरमानन्दः, क्वचिदपि न मनो नियोजयति ॥ ३३ ॥ ९८७ करणानि नाधितिष्ठन्त्युपेक्षितं चित्तमात्मना जातु । ग्राह्ये ततो निजनिजे, करणान्यपि न प्रवर्तन्ते _ રૂ૪ || ९८८ नात्मा प्रेरयति मनो, न मनः प्रेरयति यहि करणानि । उभयभ्रष्टं तर्हि, स्वयमेव विनाशमाप्नोति ટીકાર્ય - નિરંતર ઉદાસીનભાવમાં તલ્લીન બનેલા, પ્રયત્ન રહિત પરમાનંદ-દશાથી ભાવિત બનેલા યોગી કોઇ પણ સ્થાનમાં મન ન જોડે. આમ આત્મા વડે ઉપેક્ષા કરાએલું મન કદાપિ ઇન્દ્રિયોનો આશ્રય કરતું નથી. ઇન્દ્રિયોને મન પ્રેરતું નથી અને મનના ટેકા વગર પોતપોતાના વિષયો ગ્રહણ કરનાર ઇન્દ્રિયો પણ પ્રવર્તિ શકતી નથી, જ્યારે આત્મા મનને પ્રેરણા કરતો નથી અને મન જ્યારે ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે બંને બાજુથી ભ્રષ્ટ થએલું મન પોતાની મેળે જ આપોઆપ વિનાશ પામે છે. . ૩૩-૩૪-૩૫ // મનોવિજયનું ફળ કહે છે-- ९८९ नष्टे मनसि समन्तात्, सकले विलयं च सर्वतो याते । निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायिदीप इव ॥ ३६ ॥ ટીકાર્થ - મનવિષયક કાર્યકારણભાવ કે પ્રેરક-પ્રેર્યભાવ બંને બાજુથી નષ્ટ થયા પછી, એટલે ભસ્મથી ઢંકાએલ અગ્નિની માફક ચારે બાજુથી તિરોહિત બનેલું તથા ચિંતા, સ્મૃતિ આદિ સાથે વર્તતું હોય તે સકલ મન, જલપ્રવાહમાં તણાતા અગ્નિ-કણીયા માફક ક્ષય પામે છે, ત્યારે વાયરા વગરના સ્થાનમાં રહેલા દીપકની માફક આત્મામાં કર્મની કળા વિનાનું નિષ્કલંક તત્ત્વજ્ઞાન ઉદય પામે છે. | ૩૬ / તત્ત્વજ્ઞાન થયાની નિશાની કહે છે-- ९९० મૃદુત્વના, સ્વેતન-મન-વિવર્ગનેનાપ | स्निग्धीकरणमतैलं, प्रकाशमानं हि तत्त्वमिदम् ॥ ३७ ॥ ટીકાર્થ-જ્યારે કહેલા પ્રકારનું તત્ત્વજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે વગર પરસેવાથી અને મર્દન કર્યા વગર વિના કારણે શરીર કોમળ થાય છે, તેલ મર્દન કર્યા વગર ચીકાશદાર થાય છે. આ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની નિશાની સમજવી. || ૩૭ ! Page #596 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ, શ્લો. ૩૧-૪૩ બીજી પણ નિશાનીઓ કહે છે- ९९१ 4 ॥ ૨૮ ॥ ટીકાર્થ :- મનનું શલ્ય નાશ પામવાથી, મનરહિત થવાથી ઉન્મનીભાવ ઉત્પન્ન કરવા વડે કરીને શરીર છત્રની માફક સ્તબ્ધપણાનો ત્યાગ કરીને બીડેલી છત્રી માફક શિથિલ બની જાય છે. II ૩૮ शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् अमनस्कतां विनाऽन्यद् विशल्यकरणौषधं नास्ति ९९२ 1 अमनस्कतया सञ्जायमानया नाशिते मनः शल्ये शिथिलीभवति शरीरं, छत्रमिव स्तब्धतां त्यक्त्वा ૫ ૩૧ ॥ : ટીકાર્થ ઃ- શલ્યરૂપ, નિરંતર કલેશ આપનાર અંતઃકરણને માટે અમનસ્કભાવ-ઉન્મનીભાવ સિવાય બીજું કોઇ વિશલ્ય કરનાર ઔષધ નથી. ॥ ૩૯ || અમનસ્ક-ઉન્મનીભાવનું ફલ કહે છે- ९९३ 1 कदलीवच्चाविद्या, लोलेन्द्रिय-पत्रला मनः कन्दा अमनस्कफले दृष्टे, नश्यति सर्वप्रकारेण ॥ ૪૦ ॥ ટીકાર્થ : :- ચપળ ઇન્દ્રિયોરૂપી પાંદડાંવાળી, મનરૂપ કંદવાળી, અવિદ્યારૂપ કેળ અમનસ્ક ફળ દેખવાથી સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને એક વખત ફળ આવ્યા પછી તેનો નાશ થાય છે. તેને બીજી વખત ફલ લાગતાં નથી, તેમ અમનસ્ક ફળ દેખ્યા પછી બીજાં કર્મ લાગતા નથી. ॥ ૪૦ મનના જયમાં અમનસ્કતા એ જ મોટું કારણ છે, તે કહે છે- ९९४ अतिचञ्चलमतिसूक्ष्मं, दुर्लक्षं वेगवत्तया चेतः 1 अश्रान्तमप्रमादाद्, अमनस्कशलाकया भिन्द्यात् ॥ ૪૬ ॥ ટીકાર્થ :- ચિત્ત અતિચંચળ, અતિબારીક અને વેગવાળું હોવાથી દુ:ખે કરીને રોકી શકાય તેવું છે. તેવા મનને વીસામો લીધા વગર અપ્રમત્તપણે અમનસ્કરૂપ શલાકા વડે વીંધી નાખવું. અમનસ્ક એ જ શલાકા-હથીઆરવિશેષ. || ૪૧ || ફરી અમનસ્કના ઉદયમાં યોગીઓને ફલ જણાવે છે- ९९५ તથા- ९९६ ૫૪૫ विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् I अमनस्कोदयसमये, योगी जानात्यसत्कल्पम् ॥ ૪૨ ॥ ટીકાર્થ ઃ- અમનસ્કના ઉદયકાળે યોગી પોતાનું શરીર પારાની માફક વિખરાઇ ગયું હોયછૂટું પડી ગયું હોય, બળીને ભસ્મ થઇ ગયું હોય, ઉડી ગયું હોય, ઓગળી ગયું હોય તેમ અવિધમાન સરખું એટલે કે પોતાની પાસે શરીર નથી-તેમ જાણે છે. ॥ ૪૨ ।। समदैरिन्द्रियभुजगै रहिते विमनस्कनवसुधाकुण्डे मग्नोऽनुभवति योगी, परामृतास्वादमसमानम् 1 ॥ ૪૨ ॥ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ९९८ ९९७ रेचक-पूरक-कुम्भक-करणाभ्यासक्रमं विनाऽपि खलु। स्वयमेव नश्यति मरुद्, विमनस्के सत्ययत्नेन ॥ ४४ ॥ ટીકાર્થ :- મદોન્મત્ત ઇન્દ્રિયરૂપી સર્પ વગરના, ઉન્મનીભાવરૂપ નવીન અમૃતકુંડમાં મગ્ન બનેલો યોગી અનુપમ ઉત્કૃષ્ટ તત્ત્વામૃતના સ્વાદનો અનુભવ કરે છે તથા અમનસ્કની પ્રાપ્તિ થવાથી રેચક, પૂરક, કુંભક અને આસનના અભ્યાસક્રમ સિવાય પણ આપમેળે-પ્રયત્ન વગર પવન નાશ પામે છે. // ૪૩-૪૪ . તથા-- चिरमाहितप्रयत्नैरपि, धर्तुं यो हि शक्यते नैव । सत्यमनस्के तिष्ठति, स समीरस्तत्क्षणादेव ટીકાર્થ:- જે વાયુ ઘણા દીર્ધકાળના પ્રયત્ન વડે કરીને પણ ધારણ કરી શકાતો નથી, તે અમનસ્કભાવની પ્રાપ્તિ થવાના યોગે ક્ષણવારમાં એક સ્થાને થોભાવી શકાય છે. ૪૫ // તથા-- ९९९ जातेऽभ्यासे स्थिरताम्, उदयति विमले च निष्कले तत्त्वे । मुक्त इव भाति योगी, समूलमुन्मूलितश्वासः ॥ ४६ ॥ ટીકાર્થ:- આ ઉન્મનીભાવના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થવાના યોગે તથા નિર્મલ અર્થાત્ કર્મજાલ વગરનું તત્ત્વ ઉદય પામવાના યોગે મૂલમાંથી શ્વાસોચ્છવાસનું ઉમૂલન કરી યોગી મુક્ત જેવો શોભે છે. / ૪૬ / તથા-- १००० यो जाग्रदवस्थायां, स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः, स हीयते न खलु मुक्तिजुषः ॥ ४७ ॥ ટીકાર્ય - જાગૃત અવસ્થામાં આત્મસ્વરૂપમાં રમણ કરતો યોગી લય નામની ધ્યાનની અવસ્થામાં રહેલો હોય, ત્યારે સૂતેલા જેવો રહે છે. શ્વાસોચ્છવાસ વગરની લયાવસ્થામાં તે સિદ્ધના જીવો કરતાં લગાર પણ ઉતરતો નથી. // ૪૭ || તથી १००१ जागरणस्वप्नजुषो, जगतीतलवर्तिनः सदा लोकाः । तत्त्वविदो लयमग्नाः, नो जाग्रति शेरते नापि ॥ ४८ ॥ १००२ भवति खलु शून्यभावः, स्वजे विषयग्रहश्च जागरणे ।। एतद् द्वितयमतीत्यानन्दमयमवस्थितं तत्त्वम् ॥ ४९ ॥ ટીકાર્થ:- આ પૃથ્વીતલ વિષે નિરંતર જાગૃતિ અને સ્વપ્રદશા અનુભવ કરતા લોકો રહેલા છે, પણ લયમાં મગ્ન થયેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી કે સૂતા પણ નથી. તથા સ્વપ્રદશામાં ખરેખર શૂન્યભાવ હોય છે અને જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયના વિષયોનું ગ્રહણ અને જ્ઞાન થાય છે. આ બંને અવસ્થાનું ઉલ્લંઘન થયા પછી આનંદમય તત્ત્વ રહેલું છે. // ૪૮-૪૯ . હવે ઓલંભો આપતા સર્વ ઉપદેશનો સાર જણાવતા કહે છે કે-જી Page #598 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ, શ્લો.૪૪-૫૩ ૫૪૭ १००३ कर्माण्यपि दुःखकृते, निष्कर्मत्वं सुखाय विदितं तु । न ततः प्रयतेत कथं, निष्कर्मत्वे सुलभमोक्षे ? ॥ ५० ॥ ટીકાર્ય - કર્મો દુઃખ માટે થાય છે, એટલે દુઃખનું કારણ આપણે પોતે કરેલાં પાપકર્મ છે, અને કર્મરહિત થવું તે સુખને માટે છે-એ વિહિત છે, તો પછી નિષ્કર્મરૂપ સુલભ મોક્ષમાર્ગ વિષયક પ્રયત્ન કેમ કરવામાં ન આવે? | ૫૦ અથવા તો-- १००४ मोक्षोऽस्तु माऽस्तु यदि वा, परमानन्दस्तु वेद्यते स खलु। यस्मिन् निखिलसुखानि, प्रतिभासन्ते न किञ्चिदिव ॥ ५१ ॥ ટકાર્થઃ-મોક્ષ થાઓ, અગર ભલે ન થાઓ અથવા મોક્ષ વહેલો થાવ કે લાંબા કાળે થાવ, પરંતુ ધ્યાનથી થતો પરમાનંદ તો અહીં અનુભવાય છે, કે જેની આગળ આ જગતનાં તમામ સુખો તણખલા-તુલ્ય ભાસે છે. / ૫૧ || એ જ હકીકતનું સ્પષ્ટીકરણ કરતા જણાવે છે કે-- १००५ मधु न मधुरं नैताः, शीतास्त्विषस्तुहिनद्युतेः, अमृतममृतं नामैवास्याः फले तु सुधा मुधा तदलममुना संरम्भेण, प्रसीद सखे मनः फलमविकलं त्वय्येवैतत् प्रसादमुपेयुषि ટીકાર્ય -આ ઉન્મનીભાવનાં ફળ આગળ મધુ એ મધુર નથી, ચંદ્રની કાંતિ શીતળ નથી, અમૃત તે તો નામ કહેવા પૂરતું છે અને સુધા પણ ફલમાં નિષ્ફળ છે, માટે હે મન મિત્ર! આવા (પરિણામે દુઃખ આપનાર) પ્રયાસથી સર્યું, હવે તું મારા પર પ્રસન્ન થા, કેમકે પરમાનંદ ફળની પ્રાપ્તિ તારા પ્રસન્ન થવાથી જ થાય છે. / ૫૧પર છે. પોતાના જાતિ અનુભવવાળા ઉન્મનીભાવ સંબંધી ઉપદેશ આપનાર ગુરુઓની વ્યતિરેક પ્રકારે સ્તુતિ કરે १००६ सत्येतस्मिन्नरतिरतिदं गृह्यते वस्तु दूरादप्यासन्नेऽप्यसति तु मनस्याप्यते नैव किञ्चित् । पुंसामित्यप्यवगतवतामुन्मनीभावहेता विच्छाबाढं न भवति कथं सद्गुरुपासनायाम् ? ॥ ५३ ॥ ટીકાર્થ-જ્યાં સુધી મનની હાજરી છે, ત્યાં સુધી અરતિના કારણરૂપ વ્યાધ્રાદિ અને રતિના કારણરૂપ સ્ત્રી આદિ વસ્તુ નજીક ન હોય અને દૂર હોય તો પણ સુખ-દુઃખના કારણરૂપ શેયસ્વરૂપે) ગ્રહણ કરાય છે અને મનની ગેરહાજરીમાં અરતિ કે રતિ આપનારી વસ્તુ કંઇ પણ ગ્રહણ કરી શકાતી નથી. સુખ-દુ:ખો મન સંબંધી વૃત્તિ ઉપર આધાર રાખનારાં છે, પણ વિષયોની પ્રાપ્તિ કે વિષય-ભોગથી ઉત્પન્ન થનારાં નથી. આ રીતે જ્ઞાન પામેલા પુરુષોને ઉન્મનીભાવના કારણભૂત સદ્ગુરુઓની ઉપાસના કરવાની અત્યન્ત અભિલાષા કેમ નહિ થતી હોય? || પ૩ I. હવે અમનસ્કપણાના ઉપાયભૂત આત્મ-પ્રસન્નતા એક શ્લોકથી કહે છે-- Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ १००७ तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयन, तैस्तैस्तत्तदुपायमूढ ! भगवन्नात्मन् ! किमायास्यसि? । हन्तात्मानमपि प्रसादय मनाग, येनासतां सम्पदः । साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ ५४ ॥ ટીકાર્થ:- યથાર્થ પરમાનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય ન જાણનાર હે મૂઢાત્મન્ ! તું આ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરીને, અપરમેશ્વર-સ્વરૂપ ગમે તે દેવ પાસે જઈ ઇષ્ટ પદાર્થોની ભેટ ધરવી, માનતા માનવી, તેમની સેવા, પૂજા, ભક્તિ આદિ ઉપાયથી ધન, યશ, વિદ્યા રાજ્ય, સ્વર્ગ આદિની પ્રાર્થના કરીને રોગ, દરિદ્રતા, તુચ્છ ઉપદ્રવ આદિ અનર્થ-પરિહારરૂપ કારણે તારા આત્માને શા માટે પરેશાન કરે છે? તે આત્મ ભગવન્! (ભાવિમાં પૂજ્ય બનનાર હોવાથી) અત્યાર સુધી અજ્ઞાનથી, કયા ઉપાયથી આ કે બીજા પરમેશ્વરને પ્રસન્ન કરવા? તેમાં તું ઠગાયો છે, માટે રજોગુણ અને તમોગુણ દૂર કરવા પૂર્વક અર્થાતુ આ લોક કે પરલોકની સાંસારિક સુખાભિલાષા દૂર કરીને શાશ્વત સુખના સ્વામી તારા આત્માને જ ક્ષણ માત્ર પ્રસન્ન કર, જેથી કરીને બીજી લૌકિક સંપત્તિ કે અનર્થ-પરિહારરૂપ સમૃદ્ધિઓની વાત તો દૂર રાખીએ અર્થાત તે આનુષંગિક ફળ તો મળવાનું છે જ, પરંતુ પરમજ્યોતિ જ્ઞાનસ્વરૂપ કેવલ-જ્ઞાન-સમૃદ્ધિનું સ્વામીપણું તને પ્રગટ થાય. ભાવાર્થ એ સમજવો કે, આખા જગતને પ્રસન્નતા કરવાના પ્રયત્ન વગર એક માત્ર પોતાના આત્માની પ્રસન્નતા વડે સહેલાઇથી પરમેશ્વરપણાની સંપત્તિઓ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તે સિવાયનો સર્વ પ્રયત્ન નિષ્ફલ સમજવો. આવા પ્રકારની સામ્રાજ્યસંપત્તિમાં ઉન્મનીભાવ કે અમનસ્કભાવ સુલભ બને છે. | ૫૪ || હવે પહેલાં પ્રતિજ્ઞા કરી હતી કે શ્રુત-સમુદ્ર અને ગુરુના મુખથી અને પોતાના અનુભવથી જે જાણ્યું ઇત્યાદિ, તેનો નિર્વાહ અર્થાત યોગશાસ્ત્ર ગ્રંથની રચના પૂર્ણ થતાં તેનો ઉપસંહાર કરે છે-- १००८ या शास्त्रात् सुगुरोर्मुखादनुभवाच्चाज्ञायि किञ्चित् क्वचित्, योगस्योपनिषद् विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनाद्, आचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ ५५ ॥ તથા વિવરણના અંતમાં-- १००९ श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं, तत्त्वज्ञानामृतजलनिधेर्योगशास्त्रस्य वृत्तिम् स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद्, यावज्जैनप्रवचनवती भूर्भुवःस्वस्त्रयीयम् १०१० संप्रापि योगशास्त्रात्, तद्विवृतेश्चापि यन्मया सुकृतम् । तेन जिनबोधिलाभ-प्रणयी भव्यो जनो भवतात् ॥ २ ॥ ટીકાર્થ - બાર અંગરૂપ આગમાદિ શાસ્ત્રો, આગમ અને બીજાં શાસ્ત્રોની યથાર્થ સુંદર વ્યાખ્યા કરનારા ગીતાર્થ ગુરુઓના મુખારવિંદના ઉપદેશથી, તથા મારા પોતાના અનુભવથી યોગનું જે અલ્પ રહસ્ય જાણવામાં આવ્યું, તે યોગરુચિવાળી પંડિતોની પર્ષદાના ચિત્તને ચમત્કાર કરનાર હોવાથી શ્રીચૌલુક્યવંશમાં થએલા કુમારપાલ મહારાજાની અતિશય પ્રાર્થનાથી આચાર્ય શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્ર નામના ગ્રંથસ્વરૂપે વાણીના માર્ગમાં Page #600 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ, શ્લો.૫૪-૫૫ સ્થાપન કર્યું. ૫૫ ॥ કુમારપાળ મહારાજાને યોગની ઉપાસના પ્રિય હોવાથી, તેઓએ બીજાં પણ યોગશાસ્ત્રો જાણ્યાં હતાં, તેથી પહેલાં રચાએલાં યોગશાસ્ત્ર કરતાં નવીન ભાત પાડે તેવું વિલક્ષણ યોગશાસ્ત્ર સાંભળવાની તેમની ઇચ્છાથી અને પ્રાર્થનાથી વચનનો અવિષય હોવા છતાં પણ યોગના સારભૂત ‘અધ્યાત્મ ઉપનિષદ્' નામનો ગ્રંથ રચી આચાર્ય શ્રીહેમચંદ્રે વાણીના માર્ગમાં સ્થાપન કર્યો. ૫૪૯ સ્વોપજ્ઞ વિવરણનો ઉપસંહા૨ ક૨તાં જણાવે છે કે, શ્રીચૌલુકયવંશમાં જન્મેલા કુમારપાળ મહારાજાએ કરેલી પ્રાર્થનાથી પ્રેરાએલા મેં તત્ત્વજ્ઞાનના અમૃતસમુદ્ર સરખા પોતે રચેલા યોગશાસ્ત્રની વિવરણરૂપ આ રચના કરી છે, તે સ્વર્ગ, મર્ત્ય અને પાતાલરૂપ ત્રણે લોક જ્યાં સુધી જૈનપ્રવચનમય રહે, ત્યાં સુધી જયવંતી વર્તો ‘આ યોગશાસ્ત્ર અને તેની વિવૃતિની રચના કરી મેં જે કંઇ પણ સુકૃત-પુણ્યોપાર્જન કર્યું હોય, તેનાથી ભવ્યજન જિનબોધિ-લાભના પ્રણયી અધિકારી બનો.' १०११ इति परमार्हतश्रीकुमारपाल भूपालशुश्रूषिते आचार्य श्रीहेमचन्द्रविरचिते । अध्यात्मोपनिषन्नाम्नि संजातपट्टबन्धे श्रीयोगशास्त्रे द्वादशप्रकाशः ॥ ર્ 11 એ પ્રમાણે પ૨માર્હત કુમારપાળ ભૂપાળને સાંભળવાની ઇચ્છા થવાથી આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયો હતો, તે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વિવૃતિના બારમાં પ્રકાશનો આગમોદ્વારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જનારાનુવાદ પૂરો થયો. (૧૨) Page #601 -------------------------------------------------------------------------- ________________ श्लो . به ९० » १०७ له سه له مر १०० مر १२५ ه ه ه ه અકારાદિ શ્લોકોના ક્રમ પ્રકાશ ૧ થી ૪ प्र. श्लो. १०१ अपि प्रदत्तसर्वस्वात् अपि वंशक्रमायातां अपौरुषेयं वचन अप्यौषधकृते जग्धं अप्राप्नुवन्नन्यभक्ष्य अबन्धूनामसौ बन्धु अभ्युत्थानं तदालोके अमन्दानन्दजनने अमी भोजनतस्त्याज्या अयं लोक: परलोको अयमात्मैव चिद्रूपः अयमात्मैव संसार: अलीकं ये न भाषन्ते अल्पादपि मृषावादा अवद्यत्यागतः सर्व अशनीयन् सदा मांसं अशौचमाश्रवविधि असंयमकृतोत्सेकान् असत्यतो लघीयस्त्व असत्यवचनं प्राज्ञः असत्यवचनाद्वैर असन्तोषमविश्वास असन्तोषवतः सौख्यं असूनृतस्य जननी अस्ततन्त्रैरतः पुंभि अकलङ्कमनोवृत्तेः अकामनिर्जरारूपात् अकृत्वा नियमं दोषा अङ्गार-भ्राष्ट्रकरणं अङ्गार-वन शकट अजीर्णे भोजनत्यागी अथवा पञ्चसमिति अदान्तैरिन्द्रियहयै अदेवे देवबुद्धिर्या अदेशा-ऽकालयोश्चर्यां अधिरोढुं गुणश्रेणिं अनतिव्यक्तगुप्ते च अनन्तकायाः सूत्रोक्ता अनर्था दूरतो यान्ति अनशनमौनोदर्यं वृत्तेः अनादानमदत्तस्या अनिरुद्धमनस्कः सन् अनुमन्ता विशसिता अनेकजन्तुसङ्घात अन्तरङ्गारिषड्वर्ग अन्तर्मुहूर्तात् परतः अन्नं प्रेत-पिशाचाद्यैः अन्यैस्तेनार्जितं वित्तं अपारे व्यसनाम्भोधौ अपास्ताशेषदोषाणां ه ه __ ه ه مر ९ » سه प سه م له ५८ سه १०६ ११४ » » » Page #602 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૧ થી ૪ ૫૫૧ اس ११७ ५१ » مر ل س م × ه بلہ » » لله له » » له م » » م » ه سه س له له سه له अहिंसासूनृता-ऽस्तेय १ अहिंसादुःखदावाग्नि २ अहो योगस्य माहात्म्यं अह्रो मुखेऽवसाने च आकर: सर्वदोषाणां आत्मवत् सर्वभूतेषु आत्माज्ञानभवं दुःख आत्मानं भावयन्नाभि आत्मानमात्मना वेत्ति आत्मायत्तमपि स्वान्तं आत्मैव दर्शन-ज्ञान आप्लावयति नाम्भोधि आमगोरससंपृक्त आमगोरससंपृक्त आर्त रौद्रमपध्यानं आर्द्रः कन्दः समग्रोऽपि आलोच्यावग्रहयाच्या आसनादीनि संवीक्ष्य आसनाभिग्रहो भक्त्या इति संक्षेपतः सम्यग् इति स्मृत्यनुसारेण इत्यनित्यं जगद्वृत्तं इत्याहोरात्रिकी चर्या इत्वरात्तागमोऽनात्ता इन्द्रत्वेऽपि हि संप्राप्ते इन्द्रियैर्विजितो जन्तुः इन्द्रोपेन्द्रादयोऽप्येते इह लोके परलोके __ ३ ईर्या-भाषै-षणा-ऽऽदान १ उत्पद्यमानः प्रथम उत्सर्गादानसंस्तारा उत्सर्पयन् दोषशाखा उदुम्बर-वट-प्लक्ष उपसर्गप्रसङ्गेऽपि उलूक-काक-मार्जार एक उत्पद्यते जन्तु एकस्यापि हि जीवस्य एकस्यैकं क्षणं दुःखं एकैककुसुमक्रोडा एताश्चारित्रगात्रस्य एतेष्वेवामनोज्ञेषु एवं विषय एकैक: एवं व्रतस्थितो भक्त्या एष्वर्थेषु पशून् हिंसन् ऐश्वर्यराजराजोऽपि औषध्यः पशवो वृक्षा कटिस्थकरवैशाख कण्टको दारुखण्डं च कनकच्छेदसंकाश कन्या-गो-भूम्यलीकानि कफ विपुण्मलामर्श कफ - मूत्रमलप्रायं कम्पः स्वेदः श्रमो मूछ करोति विरतिं धन्यो कर्म जीवं च संश्लिष्टं कल्लोलचपला लक्ष्मीः कषाया विषया योगाः कायवाङ्मनसां दुष्ट कुतूहलाद् गीत-नृत्त कुणिर्वरं वरं पङ्गु سه م مر » مر سد له » १५५ سه پہ ४७ مر ر » مر س २ ل س » » » » » » १५१ له لس ७८ سد » Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ » २ " سه १४० لله १३९ ل ८७ ه الله १२७ الله ३ १२९ الله १२८ مع 89644. Mou الله १२४ ه ه ه ३४ ه कुलघाताय पाताय कुष्टिनोऽपि स्मरसमान् कृतसङ्गः सदाचारै कृतापराघेऽपि जने केचिन्मांसं महामोहा कोटीश्वरो नरेन्द्रत्वं कोदण्ड-दण्ड-चक्राऽसि कौटिल्यपटवः पापा क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य क्रोधवतेस्तदह्राय क्रोधाद् बन्धच्छविच्छेदो क्षमया मृदुभावेन क्षान्त्या क्रोधो मृदुत्वेन क्षीणोति योगः पापानि गृहिणोऽपि हि धन्यास्ते घोरान्धकाररुद्धाक्षैः चतुर्वर्गेऽग्रणीर्मोक्षो चतुष्पर्ध्या चतुर्थादि चराचराणां जीवानां चारणाशीविषावधि चिखादिषति यो मांसं चिरायुषः सुसंस्थाना चौर्य्यपापद्रुमस्येह च्युत्वोत्पद्य मनुष्येषु छिन्नाच्छिन्नवन-पत्र जगदाक्रममाणस्य जङ्घाया मध्यभागे तु जन्तुमिश्रं फलं पुष्पं जन्म-दीक्षा-ज्ञान जलक्रीडा-ऽऽन्दोलनादि जातिलाभकुलैश्वर्य जायते येन येनेह जिनधर्मविनिर्मुक्तो जिनो देवः कृपा धर्मो ज्ञानचारित्रयोर्मूलं ज्ञेया सकामा यमिना ततः प्रतिनिवृत्तः सन् ततश्च सन्ध्यासमये ततो माध्याह्निकी पूजा तत्कालकृतदुष्कर्म ततो गुरूणामभ्यर्णे तत्रोपतापक: क्रोधः तदवश्यं मनःशुद्धिः तदार्जवमहौषध्या तदिन्द्रियजयं कुर्याद् तप:श्रुतपरीवारां तपस्विनो मनःशुद्धि तप्यमानांस्तपो मुक्तौ तस्याजननिरेवास्तु तिलेक्षु-सर्षपैरण्ड तिलव्रीहि-यवैर्माषै तिसृभिर्गुप्तिभिर्योगान् तीर्थं वा स्वस्थताहेतुं तृप्तो न पुत्रैः सगरः त्यक्तसङ्गास्तनुं त्यक्त्वा त्यक्तात-रौद्रध्यानस्य त्यक्त्वा चतुर्विधाहार त्यजन् दुःशीलसंसर्ग त्रयीतेजोमयो भानु त्रसरेणुसमोऽप्यत्र ه ११३ ه ه م १४ ११० ه १८ ه १०५ ه ६९ ه १२३ १५४ ه १०२ १८ ه له १२९ १५० ७२ سه سر سہ १४३ १४९ ५५ ३ بہ Page #604 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૧ થી ૪ ૫૫૩ १० ३ २ १०६ ३१ » ९७ به لم سه له ९ سه له १०३ سه م م سه به ه مد ه १०८ ७३ » ه » ه » » م له به له الله يه दन्त-केश-नखा-ऽस्थित्वम् दमो देवगुरूपास्ति दशमासांस्तु तृप्यन्ति दशस्वपि कृता दिक्षु दानं चतुर्विधाहार दिग्व्रते परिमाणं यत् दिवसस्याष्टमे भागे दिवसे वा रजन्यां वा दिव्यौदारिककामानां दीपिका खल्वनिर्वाणा दीप्यमाने तपोवह्नौ दीनेष्वार्तेषु भीतेषु दीर्घदर्शी विशेषज्ञः दीर्घमायुः परं रूप दीर्यमाणः कुशेनापि दःस्थां भवस्थिति स्थेम्रा दुर्गतिप्रपतत्प्राणि दूरे परस्य सर्वस्य देवोपहारव्याजेन देवैस्तु भुक्तं पूर्वाह्ण दोषाणां कारणं मद्यं दौर्भाग्यं प्रेष्यतां दास्य द्विचत्वारिंशता भिक्षा द्वौ मासौ मत्स्यमांसेन धन-धान्यस्य कुप्यस्य धनहीनः शतमेकं धर्मप्रभावतः कल्पद्रुमा धर्मविनैव भुञ्जीत धर्मो नरकपाताल ध्यातव्योऽयमुपास्योऽय | न जानाति परं स्वं वा ३ न ज्वलत्यनलस्तिर्यग् न देवान्न गुरूनापि न धर्मो निर्दयस्यास्ति नपुंसकत्वं तिर्यक्त्वं नमो दुर्वाररागादि न यत् प्रमादयोगेन न याति कतमा योनि नवनीत-वसा-क्षौद्र नवस्रोतःस्रवद्वित्र न सत्यमपि भाषेत न साम्येन विना ध्यानं नाकृत्वा प्राणिनां हिंसां नाट्याट्टहास-सङ्गीता नाप्रेक्ष्य सूक्ष्मजन्तुनि नाऽऽसक्त्या सेवनीया नासावेधोऽङ्कनं मुष्क निगोदेष्वथ तिर्यक्षु नितम्बिन्यः पतिं पुत्रं निद्राच्छेदे योषिदङ्ग निपतन् मत्तमातङ्ग निरर्थिकां न कुर्वीत निरालम्बा निराधारा निर्मातुं क्रूरकर्माणः निष्पादितो न केनापि नैवाहुतिर्न च स्नानं न्यायसम्पन्नविभवः न्याय्ये लोकततो पक्षं संज्वलनः प्रत्याख्यानो ४ पङ्गु-कुष्ठि-कुणित्वादि २ له به سه سه ر ر به له ८६ سه سه १३१ ه سه له ه م ه به ه سه ه १०६ » ५६ ه م » ४७ س له १३० 6 » به به Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ २ - १ १२ مم 0 ه له ७४ له १०७ به १० سه १५२ × १२४ سه ८८ مر ه » ६२ » १३२ مر १२७ » पतितं विस्मृतं नष्टं पन्नगे च सुरेन्द्रे च पयस्यगाधे विचरन् परार्थग्रहणे येषां परिग्रहमहत्त्वाद्धि परिग्रहारम्भमग्ना परिषहोपसर्गेभ्यो पर्यंङ्क-वीर-वज्रा-ऽब्ज पश्य सङ्गमको नाम पापभीरुः प्रसिद्धं च पापा: कादम्बरीपान पितुर्मातुः स्वसुर्धातु पुतपाणिसमायोगे पूर्वमप्राप्तधर्मापि पृष्ठे वज्राकृतीभूते प्रणिहन्ति क्षणार्धेन प्रलम्बितभुजद्वन्द्व प्रविश्यविधिना तत्र प्रसन्नवदनः पूर्वाभिमुखो प्राणभूतं चरित्रस्य प्राणसन्देहजननं प्राणी प्राणितंलोभेन प्राप्तः स कल्पेष्विन्द्रत्व प्राप्तुं पारमपारस्य प्राप्तेषु पुण्यतः श्रद्धा प्रायश्चित्तं वैयावृत्यं प्रियं पथ्यं वचस्तथ्यं प्रेष्यप्रयोगानयने बन्धनाद् भावतो गर्भाद् बहिरन्तविपर्यासः ब्रह्मस्त्रीभ्रूणगोघात ब्राह्म मुहूर्ते उत्तिष्ठेत् ब्रूयाद् भियोपरोधाद्वा भक्षयन्माक्षिकं क्षुद्र भवस्य बीजं नरक भावनाभिरविश्रान्त भावनाभिर्भावितानि भीरोराकुलचित्तस्य भूतात्तवन्नरीनति भूयांसोऽपि हि पाप्मानः भोगोपभोगयोः संख्या मक्षिकामुखनिष्ठ्यूतं मदिरापानमात्रेण मद्यं मांसं नवनीतं मद्यपस्य शवस्येव मद्यपानरसे मग्नो मधुनोऽपि हि माधुर्य मधुपर्के च यज्ञे च मन:कपिरयं विश्व मनःक्षपाचरो भ्रम्यन् मनःशुद्धिमबिभ्राणा मनःशुद्ध्यै च कर्तव्यो मनस्यन्यद्वचस्यन्यत् मनोगुप्त्यैषणादाने मनोरोधे निरुध्यन्ते मनोवाक्कायकर्माणि मन्त्रसंस्कृतमप्यद्या मन्मनत्वं काहलत्वं महानिशायां प्रकृते महाव्रतधरा धीरा » ५१ » १३३ १२३ س » १३६ १०४ ه ९६ ه ه ه ه » » مہ ३ ९५ १३३ Page #606 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૧ થી ૪ . ૫૫૫ २ ३ २ २६ ८९ ه سه २५ ه له ه سه س ه ه ११८ ५० १०८ ه م ه ه ه ه ه ه ه ه १३६ ه २४ ه ه १०१ ه ه ११६ ११५ ه ه १११ ه १ ७० मां स भक्षयिताऽमुत्र मांसविश्रं सुरामिश्र मांसाशने न दोषोऽस्ती मांसास्वादनलुब्धस्य मा कार्षीत् कोऽपि पापानि मातेव सर्वभूताना मानुष्यमार्यदेशश्च मित्र-पुत्र-कलत्राणि मिथ्यादृष्टिभिराम्नातो मिथ्योपदेशः सहसा म्रियस्वेत्युच्यमानोऽपि मिष्टान्नान्यपि विष्ठासा मुहूर्तात् परतश्चिन्ता मुहूर्तान्तर्मन:स्थैर्य मुष्णन्ति विषयस्तेना मेधां पिपीलिका हन्ति मैत्री-प्रमोद-कारुण्य मैत्र्यादिवासितं चेतः मोक्षः कर्मक्षयादेव यः कर्मपुद्गलादान यः सद् बाह्यमनित्यं च यकृच्छकृन्मलश्लेष्म यज्ञार्थं पशवः सृष्टाः यत् प्रातस्तन्न मध्याह्ने यत्रान्यत्वं शरीरस्य यथावदतिथौ साधौ यथावस्थिततत्त्वानां यन्त्रपीडा निर्लाञ्छन यन्त्र-लाङ्गल-शस्राग्नि या देवे देवताबुद्धि ه ये चक्रुः क्रूरकर्माणः येन येन ह्युपायेन ये भक्षयन्ति पिशितं ये भक्षयन्त्यन्यपलं ये वासरं परित्यज्य ये स्त्री-शस्त्रााऽक्षसूत्रादि योगः सर्वविपद्वल्ली यो देह-धन-बन्धुभ्यो योनियन्त्रसमुत्पन्नाः यो भूतेष्वभयं दद्याद् यो यः स्याद्वाधको रक्तजाः कृमयः सूक्ष्मा रक्षो-यक्षोरग-व्याघ्र रक्ष्यमाणमपि स्वान्तं रजनीभोजनत्यागे रम्यमापातमात्रे यत् रसा-ऽसृग्-मांस-मेदोऽस्थि रागादितिमिरध्वस्त रागादिध्वान्तविध्वंसे रुचिर्जिनोक्ततत्त्वेषु रोग-मार्गश्रमौ मुक्त्वा लाक्षामनः शिलानीली लावण्यपुण्यावयवां लोकातिवाहिते मार्गे लोको जगत्त्रयाकीर्णो लोभसागरमुढेल वञ्चकत्वं नृशंसत्वं वने निरपराधानां वने पद्मासनासीनं वरं ज्वलदयःस्तम्भ ५० ه ه » ११७ » » ७५ » » ३ » » ८० مع ०) سه १२० الله ८० سه १३२ الله १०७ १०० ه ३३ २ م ه ه ه १०४ w6 م ه २२ س مه سه له له ওও سه १४५ به له ८२ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ له २ .० » » ६ ५८ ه m WW ه ७७ ه 0 ه १२२ ه ه ه م له ४ سه له ४ .३१ الله ७६ वरं वराकश्चार्वाको वशास्पर्शसुखास्वाद वामोंऽह्रिर्दक्षिणोरूर्ध्व वारुणीपानतो यान्ति वासरे च रजन्यां च वासरे सति ये श्रेय विक्रमाक्रान्तविश्वोऽपि विदधत्यङ्गशैथिल्यं विनय-श्रुत-शीलानां विनेन्द्रियजयं नैव विमुक्तकल्पनाजालं विरतिं स्थूलहिंसादे विलग्नश्च गले वालः विलास-हास-निष्ठ्यूत विवेकः संयमो ज्ञानं विश्वस्तो मुग्धधीर्लोकः विषयेभ्यो विरक्तानां विषा-ऽस्त्र-हल-यन्त्रा वीतराग-यति-श्राद्ध वृषभान् दमय क्षेत्रं वेत्रासनसमोऽधस्ता वैरिघातो नरेन्द्रत्वं व्ययमायोचितं कुर्वन् व्यसनात् पुण्यबुद्ध्या वा व्रतानि सातिचाराणि शकटानां तदङ्गानां शकटोक्ष-लुलायोष्ट्र शङ्का काङ्क्षा विचिकित्सा २ शतावरी विरूढानि शत्रौ मित्रे तृणे स्त्रैणे शम-शील-दयामूलं शम-संवेग-निर्वेदा शयना-ऽऽसन-निक्षेपा शरीरं देहिनां सर्व शरीराद्यर्थदण्डस्य शरीरेण सुगुप्तेन शुचिः पुष्पा-ऽऽमिष-स्तोत्रै शुभार्जनाय निर्मिथ्यं शोचन्ति स्वजनानन्तं श्रुताम्भोधेरधिगम्य श्रूयते प्राणिघातेन श्रूयते ह्यन्यशपथा श्रोत्रिय: श्वपचः स्वामी श्लिष्टाङ्गली श्लिष्टगुल्फौ षण्ढत्वमिन्द्रियच्छेदं षण्मासांच्छागमांसेन संज्ञादिपरिहारेण संपुटीकृत्य मुष्काग्रे संबन्ध्यपि निगृह्येत संयमः सूनृतः शौचं संयुक्ताधिकरणत्व संवत्सरं तु गव्येन संसजज्जीवसङ्घातं संसर्गेऽप्युपसर्गाणां संसारबीजभूतानां संसारमूलमारम्भा संसारे दुःखदावाग्नि सकृदेव भुज्यते यः स संकल्पयोनिनानेन सङ्गाद् भवन्त्यसन्तोऽपि له ४४ » १११ لله १०९ - ० » سه » ११४ لله ૪૬ مع ५५ سه ११३ १३८ لله ८९ ८६ لله १०३ ११० س १०४ ३ سه سه २ १०९ Page #608 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૧ થી ૪ ૫૫૭ ३ ا لسلہ ३ । ११२ ११८ » १२८ » १३५ ९९ » لله १४८ س ९२ م ३१ १३४ ه م ه ه ه م सचित्तस्तेन सम्बद्धः सचित्ते क्षेपणं तेन सतामपि हि वामभ्रू सत्यां हि मनसः शुद्धौ सदोषमपि दीप्तेन सद्दर्शनेन मिथ्यात्वं सद्यःसंमूच्छितानन्त सन्ध्यायां यक्षरक्षोभिः सन्निधौ निधयस्तस्य समत्वमवलम्ब्याथ समस्तलोकाकाशेऽपि समानधार्मिकेभ्यश्च सम्यक्त्वमूलानि सर:-कूपादिखनन सरागोऽपि हि देवश्चेद् सर्वज्ञो जितरागादि सर्वभावेषु मूर्छाया सर्वलोकविरुद्धं यद् सर्वसावद्ययोगानां सर्वस्वहरणं बन्धं सर्वातिशययुक्तस्य सर्वात्मना यतीन्द्राणा सर्वाभिलाषिणः सर्व सर्वेषामाश्रवाणां तु सामायिकव्रतस्थस्य साम्यं स्याद् निर्ममत्वेन सारिका-शुक-मार्जार सिंहासनाधिरूढस्या सुखासनसमासीनः सूर्याचन्द्रमसावेतौ सोऽथावश्यकयोगानां स्तेनानुज्ञातदानीता स्त्रीरम्याङ्गेक्षण-स्वाङ्ग स्त्रीशस्त्रेणापि चेत् स्त्री-षण्ढ-पशुमद्वेश्मा स्त्रींसम्भोगेन यः स्थैर्य प्रभावना भक्तिः निहन्ति जन्तवो स्पर्शे रसे च गन्धे च स्मृत्यन्तर्धानमूर्ध्वा स्याज्जङ्घयोरधोभागे स्युः कषायाः क्रोध-मान स्वदाररक्षणे यत्न स्वपति या परित्यज्य स्वयं परेण वा ज्ञातं स्वाख्यातः खलु धर्मोऽयं । हन्ता पलस्य विक्रेता हरिणो हारिणी गीति हविर्यच्चिररात्राय हास्य-लोभभय-क्रोध हिंसा विघ्नाय जायेत हनाभिपद्मसंकोच ३ १६ ه ه ه ه ه ه ه ه ه ه م له ४ لله Page #609 -------------------------------------------------------------------------- ________________ अखिलं वायुजन्मेदं अग्रे वामविभागे हि अङ्गमृदुत्वनिदानं अङ्गुष्ठाभ्यां श्रुती अतिचञ्चलमतिसूक्ष्मं अथ तस्यान्तरात्मानं अथवा गुरुप्रसादा अथवा नाभिकन्दाध अथवा शकुनाद् विद्यात् अथवोपश्रुतेर्विद्याद् अथास्य मन्त्रराजस्या अथेदानीं प्रवक्ष्यामि अदर्शने पादयोश्च अद्दष्टे हृदये मृत्यु अधोमध्योर्ध्वपर्वाणि अध्यात्मं वायुमाश्रित्य अनन्यशरणीभू अनया युक्त्याऽभ्यासं अनया विद्ययाऽष्टाग्र अनवच्छित्त्याम्नायः अनातुरकृते ह्येतच्छकुनं अनाद्यन्तस्य लोकस्य अनुकूलो वाति मरुत् अन्तः पिहितज्योतिः अन्तस्थाधिकृतप्राणि અકારાદિ શ્લોકોના ક્રમ પ્રકાશ ૫ થી ૧૨ प्र. ५ ५ १२ ५ १२ ८ १२ ८ ५ ५ ८ ५ ५ ५ १० १२ ५ 5 ११ ५ 2 or 2 J १० ११ १२ ५ श्लो. २५५ २५३ 2 x x x x w z v x w २४९ ४१ ११ १४ ६ १७७ १८८ १४ ८६ १७२ २७१ १३० ११७ ३ ३० २१८ ४ अपसारितेन्धनभरः अपानः कृष्परुग् मन्या अपि कोटीशतसङ्ख्या अभिवन्द्यमानपादः अभ्यस्य धारणामेवं अभ्यासेन स्वसंवेद्यं अमनस्कतया संजायमानया अमीषां लक्ष्मणां मध्याद् अमुञ्चन् प्राणनाशेऽपि अमूर्तस्य चिदानन्द अमृतैः प्लावयन्तं अयमेक एव नः प्रभु अयमेव क्रमे पद्मे अरि-चौरा - ऽधमर्णाद्या अर्थान्तरापदेश्यश्च अर्धोष्णमर्धशीतं च अर्हमित्यक्षरं प्राण अलक्ष्यं लक्ष्यसम्बन्धात् अवशेषाङ्गुलीपर्वाण्य अश्रद्धेयं परपुरे अश्रान्तमिति पिण्डस्थे १८२ १४ अश्रुपूर्णदृश गाव ३३ अष्टपत्रेऽम्बुजे ध्या अष्टपत्रे सिताम्भोजे १० २०८ अष्टरात्रे व्यतिक्रान्ते प्र. श्लो. or 5 or ov 5 5 2 ११ ११ ११ १२ ५ ७ १० ५ 5 ov ११ ५ ८ १० ५. ६ ७ E2 w 2 5 1 & 2 w ८ ८ ८ २० १६ २७ ४५ ३६ ४७ ३८ १६२ २ १ २५८ ४१ १२३ २४३ १९१ १६४ a s ९ ५ १३१ m ३ २६ १८१ ६६ ३३ ६९ Page #610 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૫ થી ૧૨ પપ૯ १७५ ५ १० ११ १५६ ५२ १४९ ४२ २०६ ६८ १३४ अष्टोत्तरसहस्रस्य अस्मिन्नितान्तवैराग्य अस्य नखा रोमाणि च अस्य पुरस्तान्निनदन् अस्य शरदिन्दुदीधिति अस्याः स्मरणमात्रेण अहि-वृश्चिक-कृम्याखु आक्षिप्य रेचकेनाथ आज्ञां यत्र पुरस्कृत्य आज्ञापायविपाकानां आत्मधिया समुपात्तः आद्ये श्रुतावलम्बन आध्यात्मिकविपर्यासः आपीयोर्ध्वं यदुत्कृष्य आयाति वरूणे यातः आयुःकर्मसकाशा आयोजनशतमुग्रा आरक्तपल्लवोऽशोक आरभ्य चैत्राद्यदिनात् आरभ्य माघमासादेः आसने शयने वाऽपि इच्छासंपन्नसर्वार्थ इडा च पिङ्गला चैव इति गणधरधुर्या इति नानात्वे निशिता इति यन्त्रप्रयोगेण इति लक्ष्यसमालम्ब्य इत्यजस्त्रं स्मरन् योगी इत्यमुं ध्यायतो मन्त्रं इदमादिमसंहनना : : : : : : : : : : 3 3 3 : : : : : : : : : : : : : : इन्दुमंडलसंकाश इन्दुमुष्णं रवि शीतं इन्द्रं स्तम्भादिकार्येषु इन्द्रनीलसमच्छाया इन्द्रियैः सममाकृष्य इह चायं परपुर इह विक्षिप्तं यातायातं उकारं हृदयाम्मोजे उक्तासनसमासीनो उत्क्रान्तिर्वारि-पङ्काधै उत्पादस्थितिभङ्गादि उदये पञ्जमे वाऽपि उदेति पवनः पूर्वं उद्घाटितकराम्भोज उपतापमसंप्राप्तः उपानद्-वाहनच्छत्र उष्णः शीतश्च कृष्णश्च ऊरोरभावे दशभिर्मासै ऊर्ध्वज्वालाचितं भीमं एकं द्वे त्रीण्यहोरात्रा एकत्र पर्ययाणां एकत्रिंशदहचरे एकत्रियोगभाजा एकत्रैव नवाहानि एक-द्वि-त्रि-चतुःपञ्च एक-द्वि-त्रि-चतुःपञ्च एक-द्वि-त्रि-चतुःपञ्च एक-द्वि-त्रि-चतुःपञ्च एक-द्वि-त्रि-चतुःपञ्च | एकविंशत्यहं त्वर्क 5 3 3 w w4v 1433 9 3 3 3 34343333333 ५० २२१ १५ १०२ १०८ १२७ १०९ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ک ک ک . २२५ ه ه ک ک ک ک २५० ک २७३ ا ک د د १२१ د د د د ا ه لا ३८ २४१ २२४ १४४ २४० एकस्य नाशेऽन्यस्य एकादश दिनान्यर्क एकान्तेऽतिपवित्रे एकोनत्रिंशदहगे एतान्यपीड्यमानानि एतेषु लब्धलक्षोऽथ एनमेव महामन्त्रं एवं क्रमशोऽभ्यासा एवं चतुर्विधध्याना एवं च मन्त्रविद्यानां एवं परासुदेहेषु एवं प्राणादिविजये एवं रश्मिक्रमेणैव एवमाध्यात्मिकं कालं एषामेकत्र कुत्रापि एषा स्त्री पुरुषो वाऽसौ ऐहिकामुष्मिकापाय औदारिकतैजस औदासीन्यनिमग्न औदासीन्यपरायण कण्ठे क्षुत्तर्षनाशाय कदलीवच्चाविद्या लोलेन्द्रिय १२ कनकाम्भोजगर्भस्थं करणानि नाधितिष्ठत्यु.. कर्णोद्घाटनसंजातो कर्माण्यपि दुःखकृते कामधेनुमिवाचिन्त्य कोटीका घृतवर्णाश्च कूर्परौ न्यस्य जान्वो कृत्वा पापसहस्त्राणि कृषिसेवादिकं सर्व कृष्णं कृष्णपरीवारं केवलिनः शैलेशीगतस्य ११ केसरालीं स्वरमयीं ८ को जेष्यति द्वयोर्युद्धे कोणावक्ष्णोनिपीड्याद्या क्रमेणैवं परपुर क्व मण्डले गतिर्वायोः क्षीराम्भोधेर्विनिर्यान्तीं क्षुतविण्मेदमुत्राणि खद्योतद्युतिवर्णानि गुरुपञ्चकनामोत्था गुरु-बन्धु-नृपा-ऽमात्या ५ गृध्रः काकः कपोतो वा ५ गृहे राजकुलादौ च ५ गृह्णन्तु ग्राह्याणि स्वानि १२ ग्रन्थीन् विदारयन् नाभि ग्रीवाऽभावे चतुस्त्रिद्वये घण्टानादो रतान्ते चे चतुःपार्श्वस्थगुरुयं चतुराशावर्तिजनान् चतुर्दश दिनान्येवं चतुर्विंशतिपत्रं च चत्वारि वामहस्ते तु चन्दनेनार्चयित्वा मां चन्द्रे स्त्री पुरुषः चिद्रूपानन्दमयो नि:शेषो चिन्तयेदन्यमप्येनं चिरमाहितप्रयत्नैरपि १२ चेतोऽपि यत्र यत्र प्रवर्त्तते १२ २६ २२२ १५२ २१० १०० III. 3 v 32 १९८ १९० २४७ 434 vi 3 - Page #612 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૫ થી ૧૨ ૫૬૧ ४० ११ ११ १२ छत्र-चामर-हस्त्यश्व छात्रयी पवित्रा विभोरुपरि छद्मस्थितस्य यद्वन्मनः छदि मूत्रं पुरीषं वा छिनाच्छिन्नवन-पत्र जन्मऋक्षगते चन्द्रे जन्मदावहुताशस्य जन्मान्तरसंस्कारात् जय-जीवित-लाभादि जागरणस्वप्नजुषो जगती जायते दन्तघर्षश्वेच्छ जित्वाऽपि पवनं नाना जिनेन्द्रप्रतिमारूप जिह्वा नाऽऽस्वादमादत्ते ज्ञानवद्भिः समाम्नातं ज्ञानावरणीयं दृष्टया ज्ञानी बुद्धवाऽनिलं सम्यक् ज्ञेयं नानात्वश्रुत ज्वलति ततश्च ध्यान तं ततश्च तडिद्वेगं तच्च भस्मरजस्तेन तच्चार-गमन-स्थान ततः क्रमेण तेनैव ततः शनैः समाकृष्य ततः सिंहासनारूढं ततः सुधासरः सूत ततः स्थिरीकृतस्वान्त ततस्त्रिभुवनाभोगं ततो देहाद् बहिर्ध्यायेत् ततो नीरागमद्वेष ५ ततो भ्रमन्तं पत्रेषु ततोऽविद्या विलीयन्ते ततो विवेकमाश्रित्य ततो विशन्तं वक्त्राब्जे तत्केसरततेरन्तः तत्र श्रुताद् गृहीत्वैक तत्र प्रथमे तत्त्वज्ञाने तत्र षोडशपत्राढ्ये तथा पञ्चदशाहानि तथा पुण्यतमं मन्त्रं तथा हृत्पद्ममध्यस्थं तथैव च वहन् वायु तथैव द्वादशाहानि तथैव वायौ प्रवहत्ये तथैव वायौ वहति तदनन्तरं समुत्सन्नक्रिय तदष्टकर्मनिर्माण तदेव च क्रमात् सूक्ष्म तद्धयानावेशतः सोऽहं तन्नाप्नोति मनः स्वास्थ्यं तन्नामग्रहमात्रा तस्यान्तरन्तिमं वर्ण तांस्तानापरमेश्वरादपि परान् १२ तारां श्यामां यदा पश्येत् ५ तालुकम्पो मन:शोको तालुरन्ध्रेण गच्छन्तं तार्थंकरनामसंज्ञं न यस्य ११ तिर्यग्लोकसमं ध्यायेत् तीथिकैरपरिज्ञात तेजः पुञ्जप्रसरप्रकाशिता ११ 32 4 vs v. 3 33 349 vvw 3 2 3 9 1 3 3 9 v v 9 9 । Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ १० ५ २०७ १८ ११६ ९९ ५ 34 vs 3 3 २३३ १८३ ५ ११ १२६ ७५ त्यक्तसङ्गास्तनुं त्यक्त्वा त्रयस्त्रिंशदहचरे त्रयोदश दिनान्यर्क त्रिजगद्विषयं ध्याना त्रिदिवौकसो मनुष्या त्रिशुद्धया चिन्तयस्तस्य त्रिन् पक्षानन्यथात्वे त्वरितो वरुणे लाभ दक्षिणस्यां वलित्वा चेत् दक्षिणेन विनिर्यान्तौ दण्डकपाटे मन्थानकं च दलसन्धिषु सर्वेषु दश वा पञ्जदश वा दशाहं तु वहन्निन्दा दहने युद्धपृच्छायां दिनार्धं दिनमेकं च दिनैः स्कन्धक्षयेऽष्टा दिवा संमुखमायान्ती दिव्यपुप्पोत्कराकीर्णा दिव्यभोगावसाने च दिव्यवंशे समुत्पन्ना दुष्टा करटिनः सिंहाः द्दढाभ्यासस्ततः कुर्या द्दष्टं श्लिष्टं ग्रहैर्दुष्टैः देवस्तदा स भगवान् देहं पद्मं च मन्त्रार्चि द्वाविशतिं दिनान्येवं द्विपार्श्वप्रणवद्वन्द्वं द्वे एव घटिके सार्धे धत्ते न खलु स्वास्थ्यं धनुर्मिथुनयोः सप्तमयो धर्मध्याने भवेद्भावः धवल: शीतलोऽधस्तात् ध्यात्वा ह्यद्यष्ट पत्राब्जं ध्यानं विधित्सता ज्ञेयं ध्यायतोऽनादिसंसिद्धान् ध्यायन्नात्मानमेवेत्थ ध्यायेत्सिताब्जं वक्त्रा न च्छायामात्मनः पश्येद् नभस्तलं सुधाम्भोभिः नरा-ऽश्व-करिकायेषु नरेन्द्रे वा दरिद्रे वा नष्टे मनसि समन्तात्सकले न स्वनासां स्वजिह्वां न नाडीशुद्धाविति प्राज्ञः नात्मा प्रेरयति मनो नानाद्रव्यगतानन्त नाभिपद्मे स्थितं ध्याये नाभिह्यदयनासाग्र नाभेनिष्क्रामतश्चारं नाभ्यब्जकर्णिकारूढं नाभौज्वरादिघाताय नासद्ध्यानानि सेव्यानि नासाकर्षणयोगेन नासाग्रे प्रणवः शून्य नासादिस्थानयोगेन नासिकारन्ध्रमापूर्य निःसृत्यादौ दृष्टिः संलीना निमित्तसमये तत्र निर्यान्तं तालुरन्ध्रेण ८८ २२३ ه ه ه ه ه د د د د د د لا 39 vvv 1 9 3 94 142 v I 3 1 vs Is v १५० २६८ २०० که لاک و مه ११० ६२ Page #614 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૫ થી ૧૨ ૫૬૩ १२ २५ ८ ५ ५ ६७ २५२ २५९ २०२ २०१ १७० ه ک ک ک ११९ 0 6 ا १२ 2 3 ११२ २४४ ک ک ७७ १२९ १४५ २७० ५९ १२ ک ک ک ک २१९ निर्वाणगमनसमये निशाकरकलाकारं निषिषित्सेद् वहन्तीं यां निष्क्रमं च प्रवेशं च नेक्ष्यते वामबाहुश्वेत् नेत्र-श्रोत्र-शिरोभेदात् नोर्ध्वमुपग्रहविरहा पञ्चवर्णं स्मरेन्मन्त्रं पञ्चवर्णमयी पञ्चतत्त्वा पञ्चविंशत्यहं चैवं पञ्चातिक्रम्य संक्रान्तीर्मुखे पञ्चापि चेन्द्रियार्था क्षणात् पतङ्ग-भृङ्गकायेषु पथेन्दोरिन्द्र-वरुणौ परच्छायां परकृते पवने विचरत्यष्टा पादाङ्गुष्टादौ जङ्घायां पादाङ्गुष्ठे मनः पूर्व पापग्रहाश्चेदुदयात् पार्थिवी स्यादथाग्नेयी पिण्डस्थं च पदस्थं च पीतं स्तम्भेऽरुणं वश्ये पीतेन बिन्दुना भौम पीयूषमिव वर्षन्ती पुंसामयत्नलभ्यं पूत्वा पञ्चनमस्कृत्या पूरणे कुम्भने चैव पूरितं पूरकेणाधोमुखं पूर्णां छायां यदीक्षेत पूर्णां संजायते वामा २१७ पूर्वाभ्यासाज्जीवोपयोगतः ११ पूर्वाशानुक्रमादेव पूर्वाशाभिमुखः पूर्व पृच्छायाः समये लग्ना पृच्छायामथ लग्नाऽस्त ५ पृथगात्मानं कायात्पृथक् च पृथिवीबीजसंपूर्ण प्रच्याव्य मानसं लक्ष्या ८ प्रतिक्षणसमुद्भूतो प्रतिपक्षप्रहारेभ्यः प्रतिपद्दिवसे कालचक्र प्रत्यहं पश्यताऽनभ्रे प्रत्याहारस्तथा शान्त प्रत्याहाराद् बलं कान्ति ५ प्रथमं न्यस्य चुडायां प्रभाते यदि वा सायं प्रवहत्येकनासायां प्रवृत्तिहेतुरेवैत प्रवेशसमये वायुर्जीवो प्रष्टाऽऽदौ नाम चेज्ज्ञातु प्रसन्नः सितसंव्यानः प्रसीदति मनः सद्यः प्राकारास्त्रय उच्चैविभान्ति प्राणमपानसमाना प्राणाऽपानसमानोदान प्राणायामपभृतिक्लेश प्राणायामस्ततः कैश्चि प्राणायामो गति च्छेदः प्राणो नासाग्रहन्नाभि प्राबल्यं जाठरस्याऽग्ने १६ १०३ ४० 3 3 3 333 v 3 3 ا و و ک ک ک २२७ १३३ ८ २५१ ه ک ک ६२ ک ک ک ک 3 34 3 3 3 1 २ ६ २१२ ک २३० Page #615 -------------------------------------------------------------------------- ________________ ५६४ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ २५ ४३ २६३ २६७ ६ २२६ १९२ 1 vrri I visi 143 1 3 २४८ १४६ बहिरन्तश्च समन्ताच्चिन्ता १२ बालादित्यसमज्योति बाह्यात्मानमपास्य प्रसत्ति १२ ब्रह्मद्वारे विसर्पन्ती ब्रह्मरन्ध्रानिष्क्रमय्य भयं शोकं रुजं दुःखं ५ भवति खलु शून्यभावः स्वप्ने १२ भवेत्तु दारुणो व्याधिरेकं ५ भाले तद्रोगनाशाय भावान् स्पृशन्नपि मृदू १२ भीषणः सिंहमातङ्गरक्षः भुवनपतिविमानपतिज्योति: भूतादिभिर्गृहीतानां भूतान्तं बिन्दुसंयुक्तं भौमे वर्षति पर्जन्यो मङ्गलोत्तमशरण मण्डलानि च चत्वारि मत्तो हस्ती यत्नान्निवार्य मधु न मधुरं नैताः मनो यत्र मरुत्तत्र मनोहरतरश्चासीत् मन्त्रः प्रणवपूर्वोऽयं महातत्त्वमिदं योगी महानसेऽथवा शय्यागारे महामहिमसौभाग्यं महेन्द्र-वरुणौ शस्तौ महेन्द्रे विजयो युद्धे मारीतिदुर्भिक्षातिवृष्ट्य मार्गशीर्षस्य संक्रान्ति मार्तण्डमण्डल श्री मासमेकं रवावेव मासैः षड्भिः कृताभ्यासः ८ २१ मुक्तिसौख्यप्रदां ध्याये मुग्धधीर्यः समीरस्य मुहुस्तत्र कृताभ्यासो मूर्धसंस्थितशीतांशु मोक्षश्रीसम्मुखीनस्य मोक्षोऽस्तु माऽस्तु यदिवा १२ यत् कोष्ठादतियत्नेन यत् त्यजेत् संचरन् वायु यत् पदानि पवित्राणि यत्र यत्र भवेत् स्थाने यथैष भवनस्तम्भ यदा न ज्ञायते सम्यक् यदा न द्दश्यते तत्तु यदिदं तदिति न वक्तुं यदि व्यात्तमुखो लालां यदीच्छेद्भवदावाग्नेः यद्यातुरगृहस्योर्ध्वं यद्वत्सहस्रकिरणः प्रकाशको १२ यद्वा मन्त्राधिपं धीमा यहि यथा यत्र यतः यातेऽभ्यासे स्थिरता यावत्प्रयत्नलेशो यावत् या शास्त्रात्सुगुरोर्मुखादनुभवा १२ या संपदाऽर्हतो या च १० योगी चाभ्यासयोगेन यो जाग्रदवस्थायां १२ रक्तो हृत्-कण्ठ-तालु रविः षष्ठः तृतीयो वा रश्मिनिर्मुक्तमादित्यं रागद्वेषकषायाद्यै रागद्वेश महामोहविकारै रागादिभिरनाक्रान्तं १२ vr vs 32.13 0 2 3 14 143 v १८७ १९ २३९ २३६ 30 3 3 3 २०४ १३८ W Y 93 Y Page #616 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ શ્લોકોના ક્રમ, પ્રકાશ ૫ થી ૧૨ रामा-राज्यादिसंपूर्णैः रूपं कान्तं पश्यन्नपि चकपूरककुम्भक रेचनादुदरख्याधेः रेफ-बिन्दु-कलाक्रान्तं रेफ-बिन्दु - कलाहीनं रोहणं क्षत-भङ्गादे रोहिणीं शशभृल्लक्ष्म लग्नस्थश्चेच्छशी सौरिः लघुवर्णपञ्चकोगिरण लाघवयोगाद् धूमवद् लाभालाभौ सुखं दुःखं लिङ्गे नाभौ च तुन्दे वक्तुं न कश्चिदप्यस्य वक्त्राब्जेऽष्टले वर्णा वक्रीभवति नासा चेद् वचनमनःकायानां क्षोभं वचनमनोयोगयुगं सूक्ष्मं वरुणे सस्यनिष्पत्ति वहन् ज्येष्ठादिदिवसा वहन्तीं नासिकां वामां वहन्त्यनिष्टशंसित्री वहन् दिनानि चत्वारि वहमाने तथा सप्त वहेद्यावद् बृहत्पर्व वाग्ज्योत्स्नयाऽखिलान्यपि वामपाणि कृष्णपक्षं वामावाहस्थिते दूते वामा शस्तो क्षे वामे तत्रेक्षणे पद्मं वामैवाभ्युदयादीष्ट वायुस्त्रिमार्गगः शंसेत् विंशतिं दिवसानेक ५ १२ १२ ५ ८ ५ ५. ५ ११ ११ ५. ५ ८ ८ ५ १२ ११ ५ ५ ५ ५ ५ ११ ५ ५ ५ ५. ५ ५ ५४ २३ ४४ १० १४ २८ २३ १३६ २०३ ५७ ६० २५४ २९ ४४ ४ १५४ १८ ५५ २३८ ८२ २४५ ६३ ९० १०४ ६९ २५ १३२ २२८ ६५ १२० ६४ ७४ १०७ विकसत्याशुहृत्पद्मं विकासि च दलं तत्र विक्षिप्तं चलमिष्टं याता विचरत्यनिले तद्वद्दि विचिन्तेयत्तथा नाभौ विद्यते गन्तुकामोऽय विद्यया दर्पणाऽङ्गुष्ठ विरतः कामभोगेभ्यः विशिष्टवीर्यबोधाढ्यं विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीन विषुवत्समयप्राप्तौ वीतरागो विमुच्येत वृक्षाग्रे कुत्रचित् पश्येद् शङ्खकुन्दशशाङ्का शतानि त्रीणि षड्वर्णं शनिः स्याद्यत्र नक्षत्रे शनैरुत्क्षिप्य नेत्रे शमयन्ति तदभ्यर्णे रजांसि शरत्संक्रान्तिकालाच्च शल्यीभूतस्यान्तः करणस्य शशाङ्क - रविमार्गेण शशाङ्केनोदये वायोः शशिबिम्बादिवोद्भूतां शाकिन्यः क्षुद्रयोगिन्यः शान्तवैरेभ-सिंहादि शिरो वेगात् समारुह्य शीते हकारे फुत्कारे शुक्लः समानो हन्नाभि शेते निमित्तकाले चेत् श्रयते सुवर्णभावं सिद्धरस श्रावणादेः समारभ्य श्रीमानचिन्त्यवीर्यः श्रुतसिन्धुसमुद्भूत ५ ५ १२ ५ ७ ५ ७ १० १२ ५ ९ ५ ८ ८ ५. ५ ११ ५ १२ ५ ५ ८ ७ ९ ५ ५ १२ 5 ११ ૫૬૫ * ११ १४८ ३ १०६ १३ १९५ १७३ ५ २० ४२ ७६ १३ १३९ ६१ ३९ १९७ १६९ ३९ ८० ३९ ५७ ६६ ५७ २७ ६ १५३ १६३ १७ १८४ १२ ८१ ५३ ७८ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ १२ 8 ه 9 ک 3 3 3 २६२ ه ا ک مه 8 ३५ २१४ 3 3 ७८ و & ک ک • # ک # 3 १० श्रुतसिन्धोर्गुरुमुखतो श्लिष्टं स्थिरसानन्दं श्वेतसिंहासनासीनं षट्कं दिनानामध्यर्कं षट्कोणेऽप्रतिचक्रे षट्शताभ्यधिकान्याहुः षडपि समकालमृतवो षण्मास्या म्रियते नाशे संक्रान्ती: समतिक्रम्य संक्रामत्यविलम्बितमर्थ संचरन्त नभोभागे संचरमाणं वक्त्रेण संचारयन्ति विकचान्य संपन्नकेवलज्ञानदर्शनो संपूर्णां यदि पश्येत् संप्राप्य केवलज्ञान संवत्सरं कृताभ्यास सकलालम्बनविरहप्रथिते सच्छिद्रे हृदये मृत्यु सत्येतस्मिन्नरति-रतिदं सत्साधकगुणाकृष्टा सप्तधातुविनाभूतं सप्तविंशत्यहवहे नाशो समग्रमपि विन्यस्तं समदैरिन्द्रियभुजगै समयैस्ततश्चतुर्भि समाकृष्य यदाऽपानात् सर्वज्ञवचनं सूक्ष्म सर्वज्ञो भगवान् योऽय सर्वत्र द्वित्रिचतुरान् सर्वत्रापि प्रसृता प्रत्यग् सर्वत्वग्वृत्तिको व्यानः Wom सर्वातिशययुक्तस्य सहस्रं साष्टकं जीवेद्वायौ सादिकमनान्तन्मनुपम सानुस्वारैरकाराद्यैः सिंहासननिषण्णस्य सितपक्षे दिनारम्भे सिद्धादिकचतुष्कं च सिद्धन्ति सिद्धयः सर्वाः सुमेरुरिव निष्कम्पः सुषुम्णावाहभागे द्वौ सूक्ष्मेण काययोगेन सूर्येन्दुग्रहणे विद्यां सूर्योदयक्षणे सूर्य पृष्ठे सोमाधोभूलताऽपाङ्ग सोऽयं समरसीभाव स्फुट-स्फटिकभृङ्गार स्फुरत्कल्याणमाहात्म्यं स्फुलिङ्गसन्ततिं ध्यायेत् स्थानात् स्थानान्तरोत्कर्षः स्थूलोऽकस्मात् कृशो स्नातमात्रस्य हृत्-पादं स्निग्धाञ्जन-घनच्छायं स्पन्देते नयने नित्यं स्मरेद् वर्षत् सुधासारै स्यादर्धचन्द्रसंस्थानं स्वप्ने मुण्डितमभ्यक्तं स्वप्ने स्वं भक्ष्यमाणं स्वर्गापवर्गहेतुर्धर्म स्वाङ्गगर्भे नराकारं हंस-काक-मयूराणां हस्ता-ऽङ्गलि-स्कन्ध-केश ا ا १० و २१५ د ५३ १७६ د १४१ १६५ د mm د ४५ & : : 3 x 3 9 3 3 3 9 3 mrr १५९ १४२ د د ४३ د د ه ه م १५१ د १३७ ११ ه ه १२ १६१ ه ه ५ २१३ Page #618 -------------------------------------------------------------------------- ________________ गादातासाधगावाहनामगावहतासाधनादा मिानश्चरशानिनश्चमानिानश्चयनिान विधान विधिप्रतिनिधिरक्षितविधि aga LejaarjaJalala! mar w arengtober योजशारभ angrance Mr.vaultedmasaaglin.an alance mymavalke at gonegi sam. Almonामामालनमा aulamvaralafourtheles MarathiThurs Rajarts Created by 09427470773 09879554578