SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ९५८ एवं क्रमशोऽभ्यासावेशाद् ध्यानं भजेत् निरालम्बम् ।। समरसभावं यातः, परमानन्दं ततोऽनुभवेत् ટીકાર્થ:- આ પ્રમાણે વિક્ષિત ચિત્તથી યાતાયાત ચિત્તનો અભ્યાસ કરવો, તેનાથી આગળ શ્લિષ્ટ ચિત્તનો, ત્યાર પછી સુલીનનો, એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન સુધી પહોંચવું. તેનાથી સમરસભાવની પ્રાપ્તિ, ત્યાર પછી પરમાનંદનો અનુભવ થાય છે. પ | સમરસભાવની પ્રાપ્તિ જેવી રીતે થાય છે, તે જણાવે છે -- ९५९ बाह्यात्मानमपास्य, प्रसत्तिभाजाऽन्तरात्मना योगी । सततं परमात्मानं, विचिन्तयेत् तन्मयत्वाय ટીકાર્થઃ-આત્મ-સુખાભિલાષી યોગીએ અંતરાત્મા વડે બાહ્ય પદાર્થની ઈચ્છાવાળા બહિરાત્મભાવનો ત્યાગ કરીને પરમાત્મ-સ્વરૂપ મેળવવા માટે સતત-લગાતાર પરમાત્માનું ચિંતન કરવું. // ૬ // બે આર્યાથી આત્માના બહિરાદિ સ્વરૂપને કહે છે -- ९६० आत्मधिया समुपात्तः, कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको, भवत्यन्तरात्मा तु ૫ ૭ | ९६१ વિદ્ રૂપાનમયો, નિષોપાધવનંત શુદ્ધ પ્રત્યક્ષોનન્તપુન:, પરમાત્મા તિતસ્ત: | ૮ | ટીકાર્થ :- શરીર, ધન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિકને મારાપણાની-મમતાબુદ્ધિથી ગ્રહણ કરે, તેને અહીં બહિરાત્મા કહેલો છે અને શરીર તો મારે રહેવાનું ઘર છે. હું રહેનાર માલિક છું. શરીર તો રહેવા પૂરતું ભાડુતી ઘર છે, પુદ્ગલ-સ્વરૂપ સુખ-દુ:ખના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક ન કરનાર અંતરાત્મા ગણાય. સત્તાથી કેવળજ્ઞાન સ્વરૂપ, આનંદમય, સમગ્ર બાહ્ય ઉપાધિથી રહિત, સ્ફટિક સરખો નિર્મળ, ઈન્દ્રિયોથી ન જાણી શકાય તેવો, અનંતા ગુણવાળો, આવા પ્રકારનો પરમાત્મ સ્વરૂપ આત્મા તેના જાણકારોએ કહેલો છે. // ૭-૮ || બહિરાત્મા અને અંતરાત્માના ભેદજ્ઞાનથી જે લાભ થાય, તે કહે છે -- ९६२ पृथगात्मानं कायात्, पृथक् च विद्यात् सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽऽत्मनिश्चये न स्खलेद् योगी (तन्मध्यारोप्यात्मनि, साक्षीण्यास्ते सुखेन जडबुद्धिः । व्यक्ताक्षेपः सम्यक्, प्राप्नोति पुनः पदं परमम् ॥) ટીકાર્થ :- આત્માને શરીરથી જુદો અને શરીરને આત્માથી જુદું યથાર્થપણે હંમેશાં માનવું, બંનેનો ભેદ સમજનાર યોગી આત્મ-સ્વરૂપે પ્રગટ કરવામાં અલના પામતો નથી. // ૯ / તે આ પ્રમાણે -- ९६३ अन्त:पिहितज्योतिः, सन्तुष्यत्यात्मनोऽन्यतो मूढः । तुष्यत्यात्मन्येव हि, बहिर्निवृत्तभ्रमो ज्ञानी | ૨૦ || ટીકાર્થ :- જેની આત્મજ્યોતિ કર્મોની અંદર ઢંકાઈ ગઈ છે તેવા અજ્ઞાની જીવો આત્માના પ્રતિપક્ષભૂત પુદ્ગલ પદાર્થોમાં આનંદ માને છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં સુખની ભ્રાન્તિથી નિવૃત્ત થએલા યોગીઓ પોતાના
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy