SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે સમજવીઃ- ‘નમોસ્થુળ અરિહંતાળ ભવંતાળું' તેમાં ‘નમ: અસ્તુ ાં અમ્ય: માવă: એમ પાંચ પદો છે. તેનો ક્રમશઃ અર્થ આ પ્રમાણેતેમાં ‘નમસ્' પૂજા કરવી એવા અર્થમાં અવ્યય છે. પૂજા દ્રવ્ય અને ભાવથી સંકોચ-નમ્રતા કરવી. તેમાં હાથ, મસ્તક, પગ, વગેરે શરીરના અવયવો નમાવવા રૂપ દ્રવ્ય-સંકોચ, અને વિશુદ્ધ મનનો ચૈત્યવંદનમાં યોગ કરવો, તે ભાવ-સંકોચ, ‘ઋસ્તુ' = થાઓ આ પ્રાર્થના આશયની વિશુદ્ધિ કરનાર હોવાથી ધર્મવૃક્ષનું બીજ છે. ‘f' = વાક્યાલંકારમાં, ‘અતંત્મ્ય:' અતિશયવાળી પૂજાને યોગ્ય તે અર્હન્ત, કહેલું છે કેઃ‘વંદન, નમસ્કાર વગેરે લાયક પૂજા તથા સત્કારને યોગ્ય તથા સિદ્ધિગતિને પામવા યોગ્ય છે. તેથી તેઓને અર્હન્ત કહેલા છે. (આ.નિ. ૯૨૧) આ એક વ્યાખ્યા હવે બીજી વ્યાખ્યા કહે છે હેમ વ્યાકરણનાં ‘મુત્યુ-દ્વિષાદ મંત્રિશત્રુ સ્તુત્યું' | 、 | ૨ | ૨૬ ॥ કૃતિવર્તમાનતૃણ્ શત્રુને હણ્યા તેથી ‘અર્હન્ત’ તે શત્રુઓ મિથ્યાત્વમોહનીય આદિ સમ્પૂરાયિક કર્મબંધના કારણો અનેક ભવનાં જન્મમરણ સુધી મહાન સંકટોને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત મિથ્યાત્વાદિ કર્મ-શત્રુઓને હણવાથી તેઓ ‘અરિહન્ત' કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા ‘રજને હણવાથી અર્હન્ત, અહિં રજ એટલે ચાર ઘાતિકર્મો મેઘ-સમૂહથી ઢંકાઈ ગયેલા કિરણો અને સુર્યપ્રકાશ વાદળમાં હોવા છતાં પ્રગટરૂપે દેખાતા નથી, તેમ ચાર ઘાતી કર્મો રૂપી રજથી ઢંકાઈ ગયેલા આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરૂપ સ્વભાવ હોવા છતાં પણ તે ગુણો અત્યારે આત્મામાં પ્રગટ જણાતા નથી; આ આત્મગુણોને ઢાંકનારા ઘાતિકર્મો રૂપ ધૂળનો નાશ કરવાથી તેઓ ‘અર્હન્ત' કહેવાય. ચોથી વ્યાખ્યા- તેઓથી કંઈ પણ ‘રહસ્' એટલે છાનું નથી માટે ‘અર્હન્ત’ કહેવાય. તે આ પ્રમાણે - ભગવંતના જ્ઞાન-દર્શન ગુણો તેને આવરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતા સર્વથા નાશ પામ્યા પછી, કોઈથી હણાય. નહિ, તેવું સંપૂર્ણ, અનંત, અદ્ભૂત કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. તે બંનેથી તેઓ સંપૂર્ણ જગતને એકી સાથે હંમેશા જાણે અને દેખે છે, તેથી તેઓને કંઈપણ છાનું નથી. આ પ્રમાણે તેઓને કંઈપણ ગુપ્ત-રહસ્ય ન હોવાથી અર્હન્ત કહેવાય. આ વ્યાખ્યાઓમાં વ્યાકરણના ‘પુષોવરાવ:’ સૂત્રથી ત્રણ અર્હત્ શબ્દની સિદ્ધિ થાય છે— એમ સમજવું અથવા તેઓ સર્વવેદી હોવાથી તેઓને એકાંતરૂપ એવો પર્વત-ગુફાનો કોઈ દેશ અંત કે મધ્ય ભાગ નથી. કોઈ વસ્તુ તેમનાથી છાની ન હોવાથી તેઓ ‘અરહોન્તર' કહેવાય. અથવા ‘સમ્ય:' એટલે રાગ ક્ષીણ થવાથી કોઈ પણ પદાર્થમાં આસક્તિ વગરના, અથવા રાગ-દ્વેષના કારણભૂત ગમતા કે અણગમતા પદાર્થોના વિષય-સંપર્કમાં આવવા છતાં પોતાના વીતરાગાદિ સ્વભાવનો ત્યાગ ન ક૨ના૨, અથવા ‘અરિહંતાણં' એમ પણ પાઠ સમજવો, તેમાં કર્મરૂપી શત્રુને હણનારા. કહેલું છે કે – ‘આઠેય પ્રકારનું કર્મ તે સર્વ જીવોને શત્રુરૂપ છે, તે અરિને હણનારા હોવાથી તેઓ અરિહન્ત કહેવાય (આ. નિ. ૯૨૯) વળી સૂત્રોમાં ‘અનંતાનં' એમ પણ પાઠાન્તર છે. કર્મબીજ ક્ષીણ થયેલું હોવાથી ‘મોહમ્ય:' જેને સંસારરૂપ અંકુર ફરી ઉગવાનો નથી, અર્થાત્ સંસારમાં ફરી જન્મ પામવાના નથી, તેઓ ‘અરુહંત' કહેવાય. તે માટે કહેલું છે કે: 'જેમ બીજ સર્વથા બળી ગયું હોય, તો તેમાંથી અંકુર પ્રગટ થતો નથી તેમ કર્મબીજ સર્વથા બળી જવાથી ભવરૂપી અંકુરો પ્રગટ થતાં નથી, અર્થાત્ જન્મ થતા નથી. (તત્ત્વાર્થ કારિકા-૮) - – વ્યાકરણકારો તો એક જ ‘અત્' શબ્દનાં જ પ્રાકૃતમાં ત્રણ રૂપો માને છે. અર્હત્, અરિહંત અને (૧. હેમ વ્યાકરણનાં ‘દૂત્વ: સંયોને' સૂત્રોના આધારે પ્રાકૃતમાં જોડાક્ષરની પૂર્વના સ્વર હ્રસ્વ થાય માટે ‘નમોડ્યુ’ ને બદલે ‘નમુત્યુ' પણ બને છે.)
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy