SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ - બુદ્ધિ કારુણ્ય-ભાવના કહેવાય. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ 44 મતિ - શ્રુતઅજ્ઞાન-વિભંગજ્ઞાનના બળથી ખોટાં હિંસક શાસ્ત્રોની રચના કરી પોતે તો સંસારમાં ડૂબે છે અને બીજા અનુયાયીઓને પણ ડૂબાડનારા થાય છે. તે બિચારા દયાનું સ્થાન હોવાથી દીન, તથા નવા નવા વિષયો ઉપાર્જન કરનારા, પૂર્વે ઉપાર્જન કરેલા વિષયોને ભોગવવાની તૃષ્ણા, તે રૂપ અગ્નિમાં બળી જળી રહેલા દુ:ખીઓ, હિત-પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવાને બદલે વિપરીત વર્તન કરનારા, ધન ઉપાર્જન કરવું, રક્ષણ કરવું, ભોગમાં ખરચવું કે નાશ થઈ જાય તેથી પીડાવાળા દુઃખીઓ વિષે, તથા વિવિધ દુ:ખથી પીડાતા અનાથ, શંક, બાળક, વૃદ્ધ, સેવકો તથા સર્વથી ભય પામતા તેમના વિષે, વૈરિઓથી પરાભવ પામેલા, રોગોથી સબડતા હોય, મૃત્યુના મુખમાં સૂતેલા સરખા જીવિતની યાચના - પ્રાર્થના કરતા હોય, પ્રાણોનું રક્ષણ માગતા હોય, આવા પ્રકારના દિનાદીક. જેઓ કુશાસ્ત્રો રચનારાઓ હોય, તે બિચારા ખોટા ધર્મની સ્થાપના કરી કેવી રીતે દુઃખથી છૂટશે ? ભગવાન મહાવીર સરખા પણ મરીચિના ભવમાં ઉન્માર્ગની દેશનાથી કોટાકોટી સાગરોપમ કાળ સુધી ભવમાં ભટક્યા, તો પછી પોતાના પાપની પ્રતિકારશક્તિ વગરના બીજાઓની કઈ વલે થશે ? વિષયો પેદા કરવા, ભોગવવા અને તેમાં જ તલ્લીન હૃદયવાળા, અનંતા ભવમાં અનુભવેલા વિષયોમાં હજુ પણ અતૃપ્ત મનવાળા ભવાભિનંદી આત્માઓને પ્રશમ-અમૃતથી તૃપ્ત બનાવી વીતરાગદશા કેવી રીતે પમાડવી ? બાળ, વૃદ્ધાદિકો પણ વિવિધ ભયના કારણથી ભયભીત માનસવાળા બનેલાને એકાંતિક આત્યંતિક ભય-વિયોગના અધિકારી કેવી રીતે બનાવવા ? તથા મત્યુમુખમાં સૂતેલા, પોતાના ધન, સ્ત્રી, પુત્રાદિકના વિયોગને સન્મુખ દેખતા મરણાંતિક વેદના અનુભવતા પ્રાણીઓને સકલ ભયથી રહિત જિનેશ્વરનાં વચનામૃતનો છંટકાવ કરી કેવી રીતે જન્મ, જરા, મૃત્યુ વગરના નિર્ભય સ્થાનને પમાડું ? આ પ્રકારે દુઃખના પ્રતિકાર કરનારી બુદ્ધિ કરવી, સાક્ષાત્ દુઃખનો પ્રતિકાર કરવો એમ નહિ, કારણ કે સર્વજીવોને વિષે દુઃખનો પ્રતિકાર કરવો અશક્ય છે. આવા પ્રકારની બુદ્ધિને કારુણ્ય-ભાવના કહેલી છે. જે અશક્ય પ્રતિકાર વિષયવાળી બુદ્ધની કરુણા-સર્વ જંતુઓને સંસારથી મુક્ત કરી પછી હું મોક્ષે જઈશ.' તે વાસ્તવિક કરુણા નથી,પણ માત્ર વાણીનો વિલાસ છે. સંસારીઓએ એ પ્રમાણે કરવું શક્ય નથી, તેમ મુક્તિમાં મારે પહોંચાડવા, તે કાર્ય પણ પોતાના માટે અશક્ય જ છે. એક તો સંસાર ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે અને સર્વ સંસારીઓને મુક્તિનો અભાવ છે, માટે આ તો માત્ર ભદ્રિક જીવોને છેતરનારું સૌગતોનું-બુદ્ધનું કારુણ્ય સમજવુ. ઉપર પ્રમાણે જણાવેલી કરુણા કરતો હિતોપદેશ આપે, દેશ અને કાળની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, દવા આપી તેવાઓના ઉપર ઉપકાર કરે છે. ॥ ૧૨૦ હવે માધ્યસ્થ-ભાવનાનું સ્વરૂપ કહે છેઃ— ४४७ क्रूरकर्मसु निःशङ्कं, देवतागुरुनिन्दिषु 1 आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १२१ ॥ અર્થ : નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ-ગુરની નિંદા કરનારા અને આત્માની પ્રશંસા કરનારા જીવોની ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થ કહ્યું છે. ॥ ૧૨૧ ॥ ટીકાર્થ : નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ અને ગુરુઓની નિંદા કરનારા, આત્મપ્રશંસા કરનારા એવા જીવો તરફ જે ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થ-ભાવના કહેલી છે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy