SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૮-૨૩ ૨૦૧ ** અર્થ : શસ્ત્રાદિથી જીવોને હણનારો, માંસને વેચનાર, માંસનો પકાવનાર, માંસ ખાનાર, માંસને ખરીદનાર, માંસભક્ષણની અનુમોદના કરનાર અને મહેમાનને માંસ આપનાર આ બધા જ શાસ્ત્રમાં ઘાતકો કહ્યાં છે. | ૨૦ || ટીકાર્ય : શસ્ત્રાદિકથી પ્રાણ હરણ કરનાર, માંસ વેચનાર, માંસની વાનગી બનાવનાર, માંસ ખાનાર, ખરીદ કરનાર, તેની અનુમોદના કરનાર, અતિથિ આદિકને માંસ આપનાર આ સર્વે સીધા કે આડકતરા સાક્ષાત્ કે પરંપરાએ પ્રાણીના પ્રાણોનું હરણ કરનાર હિંસક જ છે. એમ મનુમુનિએ કહેલ છે. || ૨૦ || કહેલું જ સિદ્ધ કરે છે— १९२ अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी संस्कर्ता चोपहर्ता च, સ્વાશ્રુતિ ધાતાઃ 1 ॥ ૨ ॥ (મનુ સ્મૃ. ૫/૫૧) અર્થ : “જીવ ઘાતકની અનુમોદના ક૨ના૨, અંગોનો વિભાગ કરનાર, જીવોને હણનાર, માંસને વેચના૨-ખરીદનાર, માંસને પકાવનાર, બીજાને માંસ આપનાર અને માંસનુ ભક્ષણ કરનાર, આ બધા જ હિંસક છે” | ૨૧ ॥ ટીકાર્થ : હણનારની અનુમોદના કરનાર અંગના વિભાગ કરનાર, મારનાર, લેનાર, વેચનાર, માંસ પકાવનાર, પીરસનાર, ખાનાર આ સર્વે ઘાતકો છે. | ૨૧ || તેના અનુસંધાનમાં બીજો શ્લોક કહે છે— १९३ “नाऽकृत्वा प्राणिनां हिंसा, मांसमुत्पद्यते क्वचित् । ન ચ પ્રાળિવધ: સ્વયં-સ્તસ્માત્માંસ, વિવર્નયેત્” ॥ ૨૨ ॥ (મનુ સ્મૃ. ૫/૪૮) અર્થ : વળી, પ્રાણીઓની હિંસા વગ૨ માંસ ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ પ્રાણીવધ સ્વર્ગ આપનાર નથી, તેથી માંસનો ત્યાગ કરવો. ૨૨ || ટીકાર્થ : અતિશય દુઃખ આપનારી હિંસા કર્યા વગર, પ્રાણીનો ઘાત કર્યા વગર માંસ ઉત્પન્ન થઈ શકતું નથી. તેમજ પ્રાણીવધ સ્વર્ગ આપનાર થતો નથી, પણ નરકના દુઃખનું કારણ છે, માટે માંસનો ત્યાગ કરવો ॥ ૨૨ ॥ હવે બીજાનો ત્યાગ કરી માંસ-ભક્ષણ કરનાર જ વધકાર છે, તેની સાબિતી કરતા કહે છે– १९४ ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये 1 त एव घातका यन्न वधको भक्षकं विना ॥ २३ ॥ અર્થ : જે પાપીઓ પોતાના માંસની પુષ્ટિ માટે બીજાના માંસનો આહાર કરે છે, તેઓ જ ખરા હિંસક છે, કેમ કે ખાનાર વિના વધ કરનાર હોતો નથી. II ૨૩ || ટીકાર્થ : પોતાના માંસની પુષ્ટિ માટે જેઓ બીજાનું માંસ ખાય છે, તે જ ખરેખર પરમાર્થથી ઘાતકો છે, નહિં કે હણનાર, લેનાર, વેચનાર, કારણકે ભક્ષણ કરનાર વિના વધ કરનાર હોતા નથી તેથી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy