SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો પ્રકાશ, શ્લો.૨૦૮-૨૨૧ ૪૮૭ ટીકાર્થઃ- જેના આયુષ્યનો નિર્ણય કરવો હોય તેનું નામ ૐકાર સહિત છ ખૂણાવાળા યંત્રની વચ્ચે લખવું. તે યંત્રોના ખૂણામાં સેંકડો અગ્નિજ્વાળાથી યુક્ત રકાર સ્થાપન કરવો. અનુસ્વાર-સહિત અકારાદિ છ સ્વરો પડખે ફરતા સ્થાપવા, બહારના ખૂણામાં સાથિયાની આકૃતિ “સ્વ” અક્ષર-સહિત કરવી. ચારે બાજુ વિસર્ગ-સહિત ‘ય’ કાર સ્થાપન કરવો. તે “યઃ કાર ઉપર ચારે બાજુ વાયુપુરથી આવૃત્તિ સંલગ્ન ચાર રેખા કરવી. આવા પ્રકારના યંત્રની કલ્પના કરીને, પગ, હૃદય, મસ્તક અને સંધિ-સ્થાનમાં સ્થાપન કરવાં. ત્યાર પછી સૂર્યોદય સમયે સૂર્યને પાછળ રાખી, પશ્ચિમ દિશા સન્મુખ રાખી, પોતાના કે બીજાના આયુષ્યનો નિર્ણય કરવા માટે પોતાની છાયાનું અવલોકન કરવું. છાયા પૂર્ણ દેખાય, તો એક વર્ષ સુધી મરણ નથી. જો કાન ન દેખાય તો બારમે વર્ષે મરણ સમજવું. હાથ, અંગુલિ, બંધ, કેશ, પડખાં, નાસિકા જોવામાં ન આવે, તો અનુક્રમે દશ, આઠ, સાત, પાંચ, ત્રણ અને એક વર્ષે મરણ થાય-તેમ સમજવું. મસ્તક કે હડપચી ન દેખાય, તો છ મહિને, ડોક ન દેખાય, તો એક મહિને, આંખો ન દેખાય, તો અગીયાર દિવસે મરણ થાય, હૃદય છિદ્રયુક્ત દેખાય, તો સાત દિવસ અને બે છાયા દેખાય, તો તે જ સમયે યમરાજાનો પરોણો બને. // ૨૦૮ થી ૨૧૫.// ६७८ इति यन्त्रप्रयोगेण, जानीयात् कालनिर्णयम् । यदि वा विद्यया विद्याद्, वक्ष्यमाणप्रकारया ॥२१६ ॥ ટીકાર્થ:- યંત્ર-પ્રયોગનો ઉપસંહાર કરતાં વિદ્યાથી કાલ-જ્ઞાન જણાવે છે આ પ્રમાણે યંત્ર-પ્રયોગથી કાલનિર્ણય જાણવો અથવા તો આગળ કહીએ તે વિદ્યાથી કાલ-નિર્ણય કરવો. | ૨૧૬ ll સાત શ્લોકોથી તે વિદ્યા કહે છે -- ६७९ પ્રથમં ચર્ચા ચૂડાયા, ‘વ’ શબ્દમ, ‘' રમતિષે. | ‘f' નેત્રે હવે ‘પ' , નાસ્થળે દાક્ષર તત: | ૨૨૭ છે ટીકાર્થ - પ્રથમ ચોટલીમાં હા શબ્દ, મસ્તક પર નેત્ર પર ઉલ, હૃદયમાં ઉં, નાભિકમળમાં દા, સ્થાપન કરવા. // ૨૧૭ || ६८० ___ "ॐ जुं सः ॐ मृत्युंजयाय ॐ वज्रपाणिने शूलपाणिने हर हर दह दह स्वरूपं दर्शय दर्शय हुं फट्" अनया विद्ययाऽष्टाग्र-शतवारं विलोचने । स्वच्छायां चाभिमन्त्र्याकँ, पृष्ठे कृत्वाऽरुणोदये ॥२१८ ॥ ६८१ परच्छायां परकृते, स्वच्छायां स्वकृते पुनः । सम्यक्तत्कृतपूजः सन्नुपयुक्तो विलोकयेत् ॥२१९ ॥ ६८२ संपूर्णां यदि पश्येत् तामावर्षं न मृतिस्तदा મ-ગ-નાન્ચમાવે, ત્રિ-બ્રિતિઃ પુન: ૨૨૦ | ६८३ કોરમાવે તfમ:, માષેિ વાટે: પુનઃ | अष्टाभिर्नवभिर्वाऽपि, तुन्दाभावे तु पंचषैः ॥२२१ ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy