SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ દ્વાદશાવર્ત વંદનથી અઢાર હજાર સાધુઓને વંદના કરી છે તેથી આશાતનાઓ પણ સાધુ અનુસાર યથાસંભવ શ્રાવકને પણ જાણવી. એ પ્રમાણે વંદન કરીને અવગ્રહમાં જ રહેલો અતિચારોની આલોચના કરવાની ઈચ્છાવાળો શિષ્ય, શરીરને કાંઈક નમાવવા પૂર્વક ગુરુને આ પ્રમાણે કહે છે—‘ફાવારેળ સંવિસહ, વેવસિયં આનોમિ' આપની ઇચ્છાથી આજ્ઞા કરો, દિવસમાં થએલા અતિચારોને આપની પાસે પ્રગટ કરું. અહિં દિવસ તથા ઉપલક્ષણથી રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સંવત્સરી સંબંધી અતિચારો પણ તે સમય માટે સમજી લેવા. આતોષવામિ' એમાં આ મર્યાદા-વિધિપૂર્વક અથવા સર્વપ્રકારે અને હોમિ આપની પાસે પ્રગટ કરી સંભળાવું છું. અહીં દિવસ વગેરેની આલોચનામાં કાળ-મર્યાદા આ પ્રમાણે છે-દિવસના મધ્યભાગથી આરંભીને રાત્રિના મધ્યભાગ સુધી દેવસિક, અને રાત્રિના મધ્યભાગથી આરંભીને દિવસના મધ્યભાગ સુધી રાત્રિક અતિચારોની આલોચના થઈ શકે છે. અર્થાત્ દેવવિસ કે રાઈ પડિક્કમણ તે પ્રમાણે થઈ શકે છે અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક આલોચના-પ્રતિક્રમણ તો તે પખવાડિયું, ચતુર્માસ કે વર્ષ પૂર્ણ થાય ત્યારે થઈ શકે છે. હવે અહીં ‘આતોĒ= આલોચના કરો એમ ગુરુ-વચન સાંભળી તેને સ્વીકારતો શિષ્ય ‘ફર્જી આલોમિ' એમ શિષ્ય કહે તેમાં રૂચ્છ આપની આજ્ઞા સ્વીકારું છું અને આલોચવાની સ્વીકૃતિનો ક્રિયા દ્વારા પ્રકાશ કરું છું.- આ પ્રમાણે પ્રાથમિક કથન રજૂ કરીને શિષ્ય સાક્ષાત આલોચના કરવા માટે આ પાઠ બોલેઃ— = = ‘નો મે વેસિઓ અફસરો જ્ગો, ાડ્યો, વાસો, માળત્તિઓ, સ્મુત્તો, કમ્મો, ગળો, અભિન્ગો, વ્રુન્દ્રાઓ, વૃિિતિઓ ગળાયો મળિછિદ્મવ્યો, અસાવા-પાળો, નાળે હંસળે, चरित्ताचरित्ते, सुए, सामाइए, तिन्हं गुत्तीणं चउण्हं कसायाणं पञ्चण्हमणुव्वयाणं तिहं गुणव्वयाणं चउन्हं सिक्खावयाणं बारसविहस्स सावगधम्मस्स जं खंडिअ जं विराहियं, तस्स मिच्छा मि તુવર્ડ' | આ સૂત્રપાઠની વ્યાખ્યા આ પ્રમાણે નો-મે-યો મા = મેં જો કોઈ ફેવસિજોતિચારો તમ દિવસ સંબંધી વિધિનું ઉલ્લંઘન કરવા રૂપ અતિચાર ો': કર્યો હોય, તે અતિચાર પણ સાધન-ભેદે અનેક પ્રકારે થાય. માટે કહે છે– ‘ાઓ, વાઞો, માસિો= શરીર વચન કે મન દ્વારા ખોટી પ્રવૃત્તિ કરવા રૂપ અતિચાર થયો હોય, ઉસ્સુત્તો = સૂત્ર વિરુદ્ધ વચન બોલવાથી થયેલો અતિચાર સમ્મો = તેમાં ક્ષાયોપશમિક ભાવ તે માર્ગ, તેનું ઉલ્લંઘન કરવું તે ઉન્માર્ગ અથવા આત્મસ્વરૂપ ક્ષાયોપશમિક ભાવનો ત્યાગ કરી મોહનીય આદિ ઔયિક ભાવમાં પરિણામ પલટાય, તે રૂપ ઉન્માર્ગથી થએલ અતિચાર તથા ‘અપ્પો =‘અલ્પ્ય અહીં કલ્પ = ન્યાય વિધિ-આચાર, અર્થાત્ ચરણ કરણનો વ્યાપાર, તેથી વિપરીત એ અકલ્પ તાત્પર્ય કે સંયમના કાર્યોને યથાર્થ સ્વરૂપે ન કરવાથી થએલા અતિચારને : = સામાન્યથી નહિ કરવા યોગ્ય કાર્યો કરવાથી થએલા અતિચાર ઉપર જણાવેલાં ઉત્સૂત્ર વિગેરે પ્રકારો કાર્યથી નહિ કરવા યોગ્ય કાર્યો કરવાથી થએલો અતિચાર ઉપર જણાવેલાં ઉત્સૂત્ર વિગેરે પ્રકારો કાર્ય કારણરૂપે પરસ્પર સંબંધવાળા છે. જેમ કે— ઉત્સૂત્ર હોય માટે જ ઉન્માર્ગ થાય. ઉન્માર્ગ હોય માટે જ અકલ્પ થાય અને અકલ્પ હોય માટે અકરણીય થાય. આ પ્રમાણે કાયિક અને વાચિક અતિચારનું = =
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy