SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩૪-૩૭ ३६ लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । નન્નુરક્ષાર્થમાલોચ, તિરીયાં, મતા સતામ્॥ ૨૬ ॥ અર્થ : જે માર્ગમાં લોકોની અવર-જવર થતી હોય, તેમ જ સૂર્યના કિરણો જેના ઉપર પડતાં હોય તેવા માર્ગમાં જીવોની રક્ષા માટે નીચે નજર કરીને ગતિ કરવી. તેને ઈર્યાસમિતિ માનેલી છે. ।। ૩૬ || ૫૫ ટીકાર્થ : ઈર્યા સમિતિ - ત્રસ અને સ્થાવર જંતુમાત્રને અભયદાન દેવા માટે દીક્ષિત થએલ મુનિ જરૂર કરે. માટે જતાં-આવતાં જીવોની રક્ષા માટે, તેમ જ પોતાના શરીરની રક્ષા માટે પગના અગ્રભગમાંથી માંડી ધુંસરા પ્રમાણ ક્ષેત્ર સુધી નજર કરીને ચાલે તે ઈર્યા એટલે ગતિ, તેમાં સમ્યક્ પ્રવૃત્તિ કરવી. તે ઈર્યાસમિતિ કહ્યું છે કે: ‘યુગમાત્ર ભૂમિને જોતા બીજ, લીલોતરી, જીવો, જળ, પૃથ્વીકાયને વર્જતો મુનિ જમીન પર ચાલે, ખાડા-ટેકરા ઠુંઠા, કાદવને છોડતો પરાક્રમ હોય તો તેવા માર્ગમાં સંક્રમણ કરી ચાલે (દશ. ૫-૧ ૩-૪) ગતિ માર્ગમાં કરાય છે, તેથી તેની વિશેષિત કરતા કહે છે કે લોકોના હાલવા-ચાલવાથી અત્યંત ખુંદાયેલા અને જે માર્ગ ઉપર સૂર્યના કિરણો સ્પર્શ કરતા હોય અર્થાત્ માર્ગ બરાબર દેખાતો હોય, પહેલા વિશેષણથી બીજાએ વાપરેલા માર્ગને જતાં મુનિએ છકાય જીવની વિરાધના ન થાય ખોટા માર્ગે પણ ન જવું તે કહે છે. તેવા પ્રકારના માર્ગમાં રાત્રે જતા ઉડીને આવી પડતા સંપાતિમ, જીવોની વિરાધના થાય. તેનો પરિહાર કરવા માટે બીજું વિશેષણ કહ્યું. આવા પ્રકારના ઉપયોગવાળા મુનિને ચાલતા ચાલતાં કદાચ પ્રાણિનો વધ થાય તો પણ પ્રાણવધનું પાપ ન લાગે. કહ્યું છે કેઃ— ઇર્યા સમિતિમાં ઉપયોગવાળો ચાલવા માટે પગ ઊંચો કરે, તેમ કરતાં કદાચ કોઈ બેઇન્દ્રિયાદિ જીવ તે યોગને પામીને મરી જાય તો શાસ્ત્રમાં તે નિમિત્તે સૂક્ષ્મ પણ કર્મબંધ કહેલો નથી. કારણકે સર્વભાવપૂર્વક નિરવદ્ય ઉપયોગથી તે પ્રવર્તે છે. તેમજ, અજયણા અને અવિધિથી પ્રવૃત્તિ કરનારથી જીવ ન પણ મરે, અથવા મરી જાય તો તેને નક્કી હિંસાનું પાપ લાગે અને જે સમ્યક્ પ્રકારના ઉપયોગવાળો અને જયણાનો પ્રયત્ન તેને નક્કી હિંસાનું પાપ લાગે અને જે સમ્યગ્ પ્રકારના ઉપયોગવાળો અને જયણાનો પ્રયત્ન કરનાર હોય તેનાથી કદાચ હિંસા થઈ જાય તો પણ તેને હિંસાથી કર્મ બંધ થતો નથી (ઓઘ. નિ. ૭૪૮-૭૪૯) || ૩૬ || હવે ભાષાસમિતિ કહે છે– ३७ अवद्यत्यागत: सर्व-जनीनं मितभाषणम् I प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥ ३७ 11 અર્થ : નિર્દોષ, સર્વને હિતકારી, પ્રમાણસર પ્રિય એવી રીતે સાવધાનીપૂર્વક બોલાય, તે ભાષાસમિતિ કહેવાય. || ૩૭ || ટીકાર્થ : ભાષાસમિતિ - ‘વાક્યશુદ્ધિ નામના અધ્યયનમાં પ્રતિપાદન કરેલા ભાષાદોષો, જેમ કે ‘તુ ધૂર્ત, માંસ ખાનાર, ચોર, નાસ્તિક છો' આદિ દુર્વચનનો નિષ્કપટભાવે ત્યાગ કરવો. વચનશુદ્ધિવાળી ભાષા બોલવી. સર્વ લોકોને હિતકારી હોય, થોડું પણ એવા પ્રકારનું બોલે જેથી ઘણાં પ્રયોજન સાધનારી બને, તેવા પ્રકારનું બોલવાનું કહ્યું છે કેઃ— “મધુર બુદ્ધિવાળું અલ્પ, કાર્ય સૂઝે તેટલું, ગર્વ વગરનું, ઉદાર આશયવાળું પ્રથમ બુદ્ધિથી ગોઠવેલું અને ધર્મયુક્ત હોય, તે જ વચન બોલવું.” (ઉપદેશ-૮૦) આ પ્રકારે જે બોલવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy