________________
છત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૪૧ પંચૅચિપણમાં છે તે ભવ્ય હોય તો તે જાતિભવ્ય હેય જ નહિ. જાતિભવ્યને ત્રસાદિકપણાની સામગ્રી હોય જ નહિ. ત્રસાદિકપણાની સામગ્રી મળી છે તે જાતિભવ્ય નથી. તે ભવ્ય હેય તે ખરેખર મોક્ષગામી ભવ્ય છે. જે આપણે ભવ્ય છીએ તે મનુષ્યપણામાં હેવાને લીધે જાતિભવ્ય-નામના ભવ્ય નથી.
કેવા જાતિભવ્ય કહેવાય ? જાતિભવ્ય-આત્મામાં લાયકાત છે. દરિયાના તળિયે રહેલો પત્થર મૂર્તિને લાયક છે. કોઈ દહાડે મજૂર એને દવાના નથી. એની મૂર્તિ બનવાની નથી. બહારના પત્થર અને એ પત્થરમાં તફાવત નથી. દરિયાની ખાણના પત્થરની મૂર્તિ બનાવાની નથી. જાતિભવ્યમાં ને ભવ્યોમાં ફરક નથી. સિદ્ધમહારાજને સામગ્રી મળી, કાર્ય થયું. તેવી સામગ્રી જેને મળવાની નથી. છે લાયક પણ ત્યાં પડી રહેવાના છે તેવા જ જાતિભવ્ય કહેવાય.
મગ અને કેરડું મગ મગ અને કેરડું મને બંનેને સંયોગો સરખા મળ્યા, કેરડુને સ્વભાવ છે કે પાણી મરે નહિ, પચે નહિ. તેમ જીવ કેટલાક એવા છે કે જેમાં સમ્યગ્દર્શન વગેરે પ્રવેશ ન કરી શકે.
વિલંબ કરે તેટલાં ખાસડાં ખાવાનાં હવે મૂળ વાત પર આવે. જે મનુષ્ય પોતાનામાં ભવ્યપણું છે એમ એક્કસ કરી શકે, તો આ કર્યા સિવાય મોક્ષ નથી. જે મેસે જવું છે એમ છે તે ખરા ખાધા કરે, ખાસડાં ખાવાં એ નકામાં. ખત્તા ખાઈને કરવું પડશે તેના કરતાં પહેલું કરવું તે સારું નહિ? મેક્ષની ઇચ્છા થઈ એટલે ભવ્યપણું. મેક્ષગામીપણું, ભવ્યપણું છે એમ નિશ્ચય થાય તો વિલંબ કરે તેટલાં ખાસડાં ખાવાનાં. ભભવ સાથે આવનારી ચીજ તે તે મેળવવી.
ભાવ ચઢિયાતે કેમ તે તે સમજાય ત્યારે જ જે વસ્તુ આપણી પાસે ન હોય, તે મેળવવી હોય તે તે વસ્તુ