________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદવિરતિ કહ્યું તે જ વ્યાજબી છે. અહીં સાચી, જુહી, મિશ્ર કે વ્યવહાર તરીકે છે કે કેમ તે જોવાનું નથી. મારી ભાષા મોક્ષની વિરાધનાવાળી ન હોવી જોઈએ. સત્યવ્રત અંગીકાર અશક્ય. વિરાધના ટાળવી તે જરૂર. આથી મૃષાવાદથી વિરતિ રાખવું પડયું. સત્યની વ્યાખ્યા પદાર્થોને અંગે છે, મોક્ષને આરાધવાવાળાની અપેક્ષાઓ નથી. પ્રતિપાદનના મુદ્દાએ સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર છે. ભાષા અને વાદળ ફરક નથી.
સત્ય ભાષા, સત્ય વચન મોક્ષની આરાધનાને માટે લીધું. મારધનવાળી ભાષા તે જ સત્ય. વાગ્યપણને અંગે લઈએ, પદાર્થોના સ્વરૂપ પ્રમાણેની ભાષા તે સત્ય. સંત શબ્દની વ્યુત્પત્તિ કરતાં સતથી મુનિઓ જણવ્યા. સતથી પદાર્થો જણાવ્યા; મુનિઓ વ્યંગથી જણ વ્યા. મેક્ષની આરાધનાવાળા પદાર્થોના પ્રતિપાદનની અપેક્ષાએ સત્ય. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર કોને કહેવાં તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન : ૩૯ પિતાને મળ્યું તેવું બીજાને પણ મેળવાવવું
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રણિધિ વગેરે ચાર ભાવનાના ભેદો જણાવ્યા. તે પછી વિનિયોગ નામને પાંચમે ભેદ જણાવે છે, તેની અંદર સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે પિતાને મળ્યું તેવું બીજાને મેળવાવવું.
એ એક જ ભાવના સમ્યગ્દર્શન થાય ત્યારથી છવની એ સ્થિતિ હોય છે કે મને ન મળેલું હોય પણ બીજાને મળે. ચોથે ગુણઠાણે એક મિથ્યાદર્શનશલ્ય ગયું છે, તેથી તેના આત્માને સમ્યગ્દર્શન થયું હોય છે. તેથી