________________
૧૮૪]
સ્થાનાંગસૂત્ર
( [ વ્યાખ્યાન કાર્ય. તે કાર્ય કૃષ્ણજીએ કર્યું. ગજસુકુમાલજી ઉપર કેવો રાગ હશે ! પહેલાં દેવતા પાસેથી તપ કરી લેવાયા. આટલે પ્રેમ છતાં પણ જે વખતે કહ્યું મારે દીક્ષા લેવી છે, તે વખતે વરઘોડો કાઢવા તૈયાર વિરતિને કેટલા ચાહવાવાળા હતા. કારસી કરી શકતા ન હતા. રાણીઓ મહેણું મારતી હતી કે તમારે કાંઈ કરવું નથી, બીજાને દીક્ષા અપાવવી છે. દેવતા પાસેથી માગેલે, જેની સગાઈની પતે ચિંતા કરી, પરણાવવા માટે દુનિયાની નીતિ ઉપર પગ મૂળે, તે ગજસુકુમાલજી દીક્ષાની વાત કરે તે વખતે બધો પ્રેમ ગણતરીમાં નહિ, હિસાબમાં નહિ. જેને અંગે આવું કર્યું તેને છોડું શી રીતે ? તીવમાં તીવ્ર અસર ધર્મની હતી. ધર્મ કરવાનું નામ પડ્યું કે બધું બસ. માખી ચાહે તેટલી ધમધમ કરે, તેલનું ટીપું પડે એટલે સાફ ચાહે જેટલો પ્રેમ, વિવાહને માટે જુલમને અમલ, તે પણ જ્યારે ત્યાગની, ધર્મની વાત આવી ત્યાં તેમાંનું એક છે પણ આગળ કર્યું નહિ. ત્યાગની વાત આવી ત્યારે વાજાં વગડાવ્યાં. કૃષ્ણ મહારાજની સ્થિતિ કેવી હેવી જોઈએ?
જમને કેવાય પણ જતિને ન દેવાય દીક્ષા થઈ ગઈ. ગજસુકમાલજીના સસરાને પગથી માથા સુધી આગ સળગી. જોકે આજકાલ આગ સળગે છે, પણ તે તરત બુઝાઈ જાય છે. એના એ વળી બે ચાર માસ થઈ જાય ત્યારે “
મિચ્છામિ સુ ” કાંઈ જોઈતું કરતું મંગાવજે કહે છે. ગજસુકુમાલજીના સસરાને ઘાસને અગ્નિ ન હતા, ક્રીને અગ્નિ હતા. દીક્ષા લીધાને મુદત થઇ ગઇ ત્યાં દાઝ હલાય નહિ. અંગારા મસાણની ચિતામાંથી લાવી ભરી દીધા. જમને દેવામાં છેડે લાવે છે. મિલે “જમને દેવાય, જતિને ન દેવાય” તે સાચું કરી દેખાડયું. મરે તે કબૂલ પણ સાધુપણામાં રહેવું ન જોઈએ. તેથી માથે અંગારા મૂક્યા. તેને મારવામાં બાકી શું રાખ્યું? આપણને એક ડાંસ, મચ્છર કરડે તો કેવું ન થાય, તે તે તો કાઉસગમાં, શી સ્થિતિ થાય છે તો પછી તે મહાત્મા