Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala
Author(s): Sha Ratanchand Shankarlal
Publisher: Sha Ratanchand Shankarlal

View full book text
Previous | Next

Page 629
________________ લેખાંક આઠમે વર્ષભરમાં લાગેલા દોષથી અને થયેલા કલેશેથી આત્માને મુક્ત બનાવનારું વાર્ષિક પર્વ ભગવાન શ્રી જિનેશ્વરદેવના જે કોઈ ઉપકારી છે જ નહિ. શ્રીપર્યુષણ નામનું વાર્ષિક પર્વ, વર્ષભરમાં લાગેલા નાના મોટા દોષોથી મુક્ત બનવા માટેનું પર્વ છે, મોક્ષના સાધક બનવાના માર્ગે ચઢેલો આત્મા જ્યાં સુધી અમુક વિશિષ્ટ અવસ્થાને પામતે નથી ત્યાં સુધી તે દોષવાન બનવા સંભવ રહે છે. પરંતુ જે આત્માઓ કેવળ મોક્ષમાર્ગની જ આરાધનામાં પોતાના મન, વચન, કાયાના ગોને સમર્પીિ ચૂક્યા હોય છે તે આત્માઓ દેષથી બચવાની કાળજી રાખ્યા જ કરે છે, દોષથી બચવાની કાળજી રાખવા છતાં પણ દોષ લાગી જ એ સંભવિત હોવાના કારણે લાગેલા દોષનું નિવારણ થઈ જાય, એ માટે પ્રતિક્રમણનું વિધાન કરવામાં આવ્યું છે રેજ સૂર્યોદય પહેલાં પ્રતિક્રમણ એ માટે કરવાનું છે કે, રાત્રિમાં લાગેલા દોષોનું નિવારણ થઈ જવા પામે અને રેજ સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણ એ માટે કરવાનું છે કે, દિવસમાં લાગેલા દોષનું નિવારણ થઈ જવા પામે. આ રીતીએ રોજ સવારે રાત્રિના દોષથી અને રોજ સાંજે દિવસના ષોથી મુક્ત બનવાની પ્રવૃત્તિ ચાલુ રાખવા

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644