________________
૪૦૨ ]. સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ન સમજે તેનું મૃષાવાદવિરમણ કયાં ટકે? ધર્મના આગમને મૃષાવાદ ટાળી શકે નહિ. પેટ પાળવાનું ઉપકરણ કમંડલુ. જીવને બચાવવાનું ઉ૫રાણ નહિ. કાળીએ કસાઈ મીણનાં પુતળાં બનાવીને મારે તે પણ કસાઈ
અદત્તાદાનવિરતિને અંગે વિચાર કરીએ તે અદામાં તે જિંદગી કાઢવી છે. શાસ્ત્રો, મૂર્તિ અને તીર્થો શ્વેતાંબરના ચોરવા છે. દિગંબરને દિશા એ જ વસ્ત્ર છે. કહે તમારી જડ વસ્ત્રવાળામાં છે. દિશાને પણ વસ્ત્ર માનીને રાખે છે. કાળીઓ કસાઈ મીણના પૂતળા બનાવીને મારે તે પણ કસાઈ. શ્વેતાંબર મત કહેતા નથી પરંતુ જૈનદર્શન કહીએ છીએ. કોઈ ચીજ ગીરવે મેલી હોય ને રાતેરાત ઉઠાવી લાવે તે ચોરી છે. તમે અર્પણ કરી તેને પુરાવો લા. તમારી અપેક્ષાએ એક તીર્થ નથી. તમારા તીર્થ કર તે જમીનને અડતા નથી. અદ્ધર અદ્ધર પૂજા કરવી છે. જમીનને અડેલાને પૂજે છે કેમ? તમારા મતથી મિથ્યાત્વી ઠરે છે.
એ બહ્મચર્ય કેવું ? બ્રહ્મચર્યને અંગે વિચારીએ તો સ્ત્રીની જ ૫ર સાધુને રહેવું શેભતું નથી. સ્ત્રીની આગળ નાગા ઊભા રહેવું. સ્ત્રીને અડે નહિ તે ભકિત થાય નહિ, આવા બ્રહ્મચર્યના પાલક શી રીતે? મહાવીર વીતરાગ થયા તે બૈરીની ભેળા બેઠા ન હતા. •
પરિગ્રહની વિરતિ કેટલી ? પરિગ્રહવિરતિ–લૂગડાં છોડવાં અને જેડે ને જોડે પંડિત, ભકતે એને ભક્તાણી રાખવી છે. પરિગ્રહની વિરતિ કેટલી ? પાંચે મહાવતે પલાયન કરી જાય છે. સમિતિ રહેતી નથી. પ્રાણાતિપાતવિરમણ રૂપી નબીરે જ્યાં ખસ્યા ત્યાં પિાલ નીકળી ગઈ. આથી પહેલા મહાવ્રત તરીકે પ્રાણાતિપાતવિરમણને કેમ રાખ્યું તે ખ્યાલમાં આવી જશે. જૈનદર્શનની અંદર કપ, છેદ અને તાપની શુદ્ધિ વિશુદ્ધપણે રહી,