________________
પાંસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૧૩ અહિંસાને લાભ કયારે મળે? ધર્મના ત્રણ ભેદ જણાવીએ. “અહિ સા એટલે હિંસા ન કરવી. તે' એ જૈન શાસ્ત્રની વ્યાખ્યા નથી. હિંસા ન કરી તેનું નામ અહિંસા લઈ લઈએ તે સુક્ષ્મ એકૅક્રિય ઘણું જ અહિંસાવાળા. બીજા ઘણું છે તો હિંસાવાળા જ એક જાનવર જાનથી મારે છે. સે વર્ષ સુધી માર્યો જાય તે જગતમ અનંતા છો છે તેમાંના ત્રણ લાખ સાઠ હજારની હિંસા, બાકી બીજાની અહિંસા વધી કસાઈની સદ્દગતિ થવાનીને? અસંખ્યાતા, અનંતા ફાયદામાં ત્રણ લાખ સાઠ હજારની હિંસા એ આટા ભેગું લૂણ, જ્યારે હિંસા ન કરવી તેનું નામ અહિંસા માનીએ તો. હિંસાની નિવૃત્તિ કરવી, તેના પચ્ચકખાણું કરવા તે અહિંસા, “દિક્ષાનિવૃત્તિઃ અસિ” માનવામાં એકેદ્રિય કે કસાઈઓ અહિંસક ગણવાના નહિ, અહિંસાને લાભ જેઓ હિંસાના પચ્ચકખાણ કરે તે મેળવી શકે.
વાણીઓ અને ગરાસીએઅવિરતિના પાપને માટે શાસ્ત્રો તપાસવા તેના કરતાં પ્રત્યક્ષ દાખલે લેવાની જરૂર છે, એક શેઠિઓના ગરાસિયા પાસે રૂપિયા પાંચસો લેણા. વેપારીને રિવાજ છે કે ઉઘરાણું કરીને ટકેર તો કરે. આપ ન આપે તે જુદી વાત. તળાવ પર મળે તે ટકર, કેમ ઠાકોર ! શું ધાર્યું છે? એક વર્ષ ગરાસિઓ બહારગામ ગયેલો છે. પરાક્રમ કર્યું, પાંચસે રૂપિયા રાજાએ આપ્યા. એ રૂપિયા લઈને ગરાસિઓ જાય છે. વાણિયો મળે. વાણિયો કહે કેમ ઠાકોર ! ગરાસિયો વિચાર કરે છે કે ઘરે લઈ જઈશ તે વેડફાઈ જશે, જંગલમાં બેસીને ગણી આપ્યા. ચોર લેકે તાળાં તેડીને ચોરી કરે.
જ્યારે વેપારી કાળજાં કાપીને ચોરી કરે. પેલાએ પાંચમાંથી કેડી જમા ન કરી. છ માસ, વરસ, બે વરસ ગયાં ત્યાં સુધી કાંઈ કહેવું નાહ. ગરાસિઓ જાણે છે કે રૂપિયા વળી ગયા છે તેથી કાંઈ બોલતો