________________
ચોસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૦૬, જીવ શરીરથી જુદે છે અને એક પણ છે. ભિન્નભિન્ન વાદ કેમ શરૂ થાય તે ખ્યાલમાં આવશે. જીવ પરભવથી આ, શરીર બનાવ્યું, તેમાં રહ્યો. મોતી ને છીપ એક નહિ. આત્મા ને શરીર એક નહિ. જીવ શરીરથી નીકળીને હાલ્યો જશે. ભિન્ન ન હેત તે આવીને રહેવું અને મેલીને જવું બનત નહિ. આત્મા જુદી છે તે ચકખું છે. જ્ઞાનસ્વભાવ આત્માને, માટે બળે શરીર અને વેદે આત્મા, ચિંતા કરે આત્મા અને શરીર સૂકાય, આનું તેને, તેનું આને કેમ લાગે છે? બેને સંબંધ છે તેથી શરીર અને આત્મા અત્યારે એકમેક થઈ રહ્યા છે. દૂધમાં પાણી ભળે છે. પાણી જુદુ હતું પણ એકમેક થઈ ગયાં. આગ લાગી ત્યારે પાણી પાણીને ઠેકાણે. પહેલાં પાણી જુદું હતું અને બળ્યા પછી જુ, વચમાં એકમેક થઈને રહ્યાં. દૂધ ને પાણી એકરૂપ હતાં. જીવ ખોળિયામાં વચ્ચે તે ચાલ્યો જાય નહિ ત્યાં સુધી એકરૂપ છે. ભવાતરથી આવેલ તે અપેક્ષાએ ભિન, એનાથી વેદાવું તે અપેક્ષાએ અભિન્ન છે. ભિન્નભિન્ન માનીએ તો પ્રાણાતિપાતવિરતિ કે.
આત્માને ભિન્ન માનવાથી જ મર ગોટાળા
શરીર અને આત્મા જુદા ગણીએ તો પાપ કયાં? શરીરને મારવાથી શરીર હણાય છે, પણ આત્મા હણાતા નથી. પ્રાણાતિપાત જેવી ચીજ ઉડી ગઈ તે પછી પ્રાણાતિપાતવિરમણ ચીજ કયાંથી લાવવી? આત્માને એકરૂપે મનાવવા માટે હણવું ઉડાવી દેવું પડ્યું. તેથી બધી વ્યવસ્થા ખેળવાઈ ગઈ. આત્માને મિત્ર માન્યો તેથી બધી વ્યવસ્થા ખેળવાઈ ગઈ.
પાંચ મહાવ્રતોની જડ પ્રાણાતિપાતવિરમણ
આત્મા ક્યાંથી આવ્યો નથી, જવાને નથી, તો જીવ જેવી ચીજ કયાં રહી? અને પ્રાણાતિપાત વિરમણ કયાં રહ્યું કે પ્રાણાતિપાતવિરમણુના સ્વરૂપમાં ખામી આવવાને લીધે તનવ્યવસ્થા ખેળવાઈ ગઈ.