________________
એકસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૭ વૃત પુષ્પમિત્ર અને દુબલિકા પુષ્પમિત્ર આરક્ષિતજીના વર્ણનમાં દસ શેર ઘી રોજનું મેળવે તે બધું ધી દુર્બલિકા પુષમિત્રને આપે તે ખાય છતાં દુર્બલિકા પુષ્પમિત્ર સુકલકડી. દુબલિકા પુષ્પમિત્ર બૌદ્ધ મતના હતા, બીહને કહે છે કે તમારા ભક્તો સારા નથી તેથી લૂખું પાકું ખાઈને રહેવું પડે તેથી દુર્બલ થઈ ગયા છે. અહીં ભક્તો ઘણું છે. એક બ્રાહ્મણી જેને ગર્ભ રહ્યો છે. થેલી મુદત થયાં એને ઘણી મરી ગયો છે. સુવાવડને માટે મજૂરી કરે તેમાંથી ડું થોડું મેળવીને ઘી લઈ રાખે. એ ધીની વાકી ફક્ત સુવાવડને માટે રાખેલી. બ્રાહ્મણની જાત, સંકેચવાળી, વિધવા, રાખેલું સુવાવડ માટે, તેમાંથી અપાય? ધૃતપુષ્પમિત્ર ઘર્મલાભ દે કે પેલી બાઈ વાડકી ઊંધી વાળી દે છે. ઘી લાવી આપે તે દૂબલિકા પુષ્પમિત્ર વાપરી જાય, એક ગાથાના વિકલ્પ કેટલા થાય છે ? પૂર્વગત ગાથાના વિકલ્પ સમજવામાં કેટલી મુશ્કેલી, મહેનત, તેની પૂર્વની ધારણ કરવી પડે તે વખતે મગજનું શું થાય? તેથી ઘી ચટ થાય. ઘેર હતું ત્યારે ખાનપાનમાં, ગુલતાનમાં રહેવાવાળો હતો. અહીં સુકાઈ ગયો છે. બૌદ્ધોને આપવાની છૂટ, આમને પાઠ કરવાની ફ્ટ, એક માસ સુધી રાખ્યા. પેલા આપતા ગયા, વધારે દૂબળા થયા. ગુએ પૂર્વની ધારણા બંધ રાખવા કહ્યું. હવે લખું પાકું આપવા માંડયું. એક માસમાં શરીર તૈયાર. સ્વાધ્યાય ધ્યાન જેનોમાં વસે છે. બૌદ્ધોની માન્યતા એ છે કે મને ભોજન કરીને મને ધ્યાન કરવું. મનહર મકાન, શયનાસન હેાય ત્યાં ધ્યાન સારું થાય. ત્યાગ ઉડાવી દીધો આ બતાવવામાં આવ્યું ત્યારે બૌદ્ધોને થયું કે આ જેન લેકમાં ધાન, સ્વાધ્યાય છે. બૌદ્ધ ધર્મને છોડીને જૈન થાય છે.
શુદ્ધ ભાવ કયારે ? જે દસ શેર ઘી ચટ કરી નાંખે એવી ધારણાવાળા પૂર્વના અધિકારી અને તેને માટે બારમું અંગ કરી દીધું, પણ બધા એવા