________________
[ ૨૧
ચુંમાલીસમું] સ્થાનગર સ્થાનાંગસૂત્ર
[ ૨૨૧ થઈ શકશે નહિ, એ વિચાર આવ્યો તેનું સમાધાન મહાવાકયાર્થથી. મહાવાકયાર્થમાં વસ્તુની જેડે બાપની ઉપસ્થિતિ થઈ.
છે એ બધું સંયમને માટે
સર્વથા જીવહિંસા ન કરવી તે શાને માટે ? સંયમને માટે. નદી ઊતરવી, આહાર વગેરે કરવા તે સંયમને માટે, ત્યારે આહારને અંગે રાખ્યું કે છ કારણે આહાર કરવો. બીજામાં ભૂખ્યો થાય ત્યારે ખાવું એમ હતું. જ્યારે અહં છ કારણે કેમ રાખ્યાં? આહાર સંજમને માટે છે. ઇસમિતિ સંયમના પાલનને માટે, તે માટે આહાર. હિંસાનું વર્જન સંજમ માટે. નિહારને અંગે એક હજાર ચોવીસ વિક૯૫ કરવા પડયા. ઠંડિલને અંગે એક હજાર ચોવીસમો કામને, એક હજાર તેવીસ નકામાં. થંડિલ જવું તે સંજમના ખપપૂર્વકનું. વિહાર તે પણ સંજમને માટે. દરેક મહાવ્રતને અંગે પૂછડું લગાડી દીધું છે, કે “અંગીકાર કરીને વિચરું છું.” શંકા-સીધું અંગીકાર કરું છું એમ કહેવું હતું કે, વિચરું છું તે પૂછડું શા માટે? સમાધાન–જે મહાવ્રતોને અંગીકાર કર્યા છે તે ટકવાનાં કયારે? વિહાર થાય ત્યારે. અંગીકાર કરે તે કામનું નથી. અંગીકાર કરીને વિચરે તે જ કામના. મહાવ્રતને અંગીકાર કર્યો છે તે ટકાવને માટે વિહાર કરું છું. વૃદ્ધાવસ્થા વિહાર નહિ કરવાનું કારણ જણાવે છે. એક જગ પર ચાતુર્માસ થાય પછી બે વર્ષ બહાર રહેવું જોઈએ. પ્રમાદને અંગે ભગવાનની છાપ ન મારો. વિહાર એ સંય મને માટે છે. નદી ઊતરવી સંજમને માટે છે. એક પગ આકાશમાં બીજો પગ પાણીમાં. આટલું પાણી હોય તે ઊતરીને જવું. વગર ઊતર્યા જવું તે પણ સંજમને માટે છે. વજવું એ સંજમને માટે, આહારાદિ કરવા તે સંજમને માટે છે. યજ્ઞને અંગે વર્જવું પાપથી બચવા માટે. યજ્ઞમાં હિંસા કરવી શાને? પાપથી બચવા માટે યશ નથી. તે ઋદ્ધિ કે પુત્ર માટે કરે છે. હિંસા વવાનું કયા મુદ્દાઓ કહ્યું? પાપથી બચવા માટે. યજ્ઞમાં હિંસા કરવાની તે દેવો કે