________________
૧૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સુશ્રાવકે પણ નથી જ-એમ નહિ; એવા ભાગ્યશાલિઓ ચ છે; પરન્તુ શ્રાવકસમાજના મોટા ભાગમાં જે અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોત, તે આજે પણ ભગવાનનું શાસન કેઈ અજબ પ્રકારના પ્રભાવને પ્રસાર કરનારું બનેલું હોત. ઘણે ભાગ જે એ હેત, તો ચતુવિધ શ્રીસંઘની જાહેજલાલી કઈ જૂદી જ જોવાને મળત. આ પ્રસંગ લેવાને હેતુઃ
શ્રી અભયકુમારના આ પ્રસંગને આપણે એટલા માટે પહેલાં લીધું છે કે–શ્રી અભયકુમારે દીક્ષા લીધા બાદ જે પરિસ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે પરિસ્થિતિમાંથી શ્રી હલ -વિહલને સેચનક હાથી મળવાને પ્રસંગ બન્યો છે. સેચનક હાથીને મહારાજા શ્રી શ્રેણિકે પોતાને પટ્ટહસ્તિ જ બનાવ્યું હતું, પણ સંગ એવા ઉભા થયા કે એમણે તે હાથી હલ્લ–વિહલને આપી દીધો. એ વાત ઉપર આવવાને માટે જ આ વાત છે. રાજ્ય લેવું કે નહિ ?”—એને ભગવાનને પૂછીને નિર્ણય
કરવાનો વિચાર : હવે શ્રી અભયકુમારે કર્યું શું ? તે સમયે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા હતા, એટલે શ્રી અભયકુમારે ભગવાનને પૂછીને જ, “પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ ?”—એને નિર્ણય કરવાને વિચાર રાખે.
આથી એમ સમજતા નહિ કે-ભગવાન કહે તે રાજ્ય લેવું, એ શ્રી અભયકુમારને વિચાર હતો !
ભગવાન તે વળી રાજ્યને ગ્રહણ કરવાનું કહેતા હશે ?