Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 516
________________ ૪૮૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો કે-જે વિનયાચાર છે, તે બહુમાનપૂર્વકને હવે જોઈએ.બહુમાન હોય અને વિનયાચાર ન હોય, તે સમજવું કેસમજ, શક્તિ, સામગ્રી આદિની કઈ એવી ઉણપ છે, કે જેને લઈને વિનયાચાર નથી; બાકી આ બહુમાનવાળે વિનય કર્યા વિના રહે નહિ. કાંતિક દેવ મહા સમજુ હોય છે. તેઓ સદા તત્ત્વસ્વરૂપની વિચારણામાં રમણ કરનારા હોય છે. આમ છતાં પણ, તેઓ ભગવાનના કલ્યાણકાદિના ઉત્સવાદિમાં, દેશનામાં કે બીજે ક્યાં ય જતા નથી. એટલે શું એમ માનવું કે–તેમના હૈયામાં ભગવાન અને ભગવાને કહેલા માર્ગ પ્રત્યે શ્રદ્ધા નથી ? ના, એમ નથી જ. એ દેવાની સ્થિતિ જ એવી હોય છે કે-એ સદા સુખશય્યામાં પિસ્યા રહે. ભગવાન અને ભગવાનના માર્ગ પ્રત્યે તે એમના હૈયામાં ભારે બહુમાન હોય છે. બહુમાનના આ વર્ણનથી વિનયાચારની ઉપેક્ષા નથી જ કરવાની. વિનયાચારની જે ઉપેક્ષા કરે છે અને તેને બહુમાનના નામે જે બચાવ કરે છે, તે તે બહુમાનથી રહિત છે–એટલું જ નહિ, પણ તેવા લોકે ખરી રીતિએ તો માર્ગનું અપમાન કરનાર છે. એવા દંભિઓ તે, દુર્લભધિ બની જઈને સંસારમાં ભટકનારા બની જાય છે. શ્રી ઉપધાન તપઃ ચેથે જ્ઞાનાચાર ઉપધાન નામને છે. “ઉપ' એટલે ગુરૂની સમીપે રહીને “ધાન” એટલે વિધિપૂર્વકના તપશ્ચરણને આચરવાપૂર્વક શ્રતને ધારણ કરવું. અર્થાતુ-વિધિપૂર્વક તપશ્ચરણને આચરતા રહેવા સાથે, સદ્ગુરૂની સમીપે રહીને, સદ્ગુરૂ દ્વારા શ્રતને ધારણ કરવું જોઈએ. આમાં તપની વિશેષતા હેઈને, આને શ્રી ઉપધાન તપ તરીકે ઓળખાવાય છે. આ નવકાર

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592