Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 582
________________ ૫૪૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરી શકાય, તેવા સુયોગ્ય, એટલે કે-ગણધરનામકર્મને નિકાચિત કરીને આવેલા અને ભગવાનની પાસે દીક્ષિત બનેલા આત્માઓને જ ભગવાન ગણધર પદે સ્થાપે છે. એ આત્માઓ પિતાની મતિથી દ્વાદશાંગીની રચના કરે છે. તે પછી ભગવાન અનુજ્ઞા આપે છે, માટે જ દ્વાદશાંગીની છઘસ્થ પિતાની મતિથી રચના કરેલી હોવા છતાં પણ, દ્વાદશાંગીને શ્રી અરિહન્ત પરમાત્માઓનાં જ વચને તરીકે માન્ય કરવામાં આવે છે. ૨૭–ટીકારચના અંગે સ્પષ્ટીકરણ : ટીકાની રચનાનો હેતુ : આ રીતિએ, સમુન્નત જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ચાવીસ વિશેષણ દ્વારા સરખામણી કરીને, ટીકાકાર મહર્ષિ, પિતે આ સૂત્રની ટીકા રચવાને માટે કેમ ઉત્સાહિત બન્યા છે, તેનું સ્પષ્ટીકરણ કરે છે. વૃત્તિને તેઓ નાડિકા તરીકે ઓળખાવે છે. જયકુંજર ઉપર ચઢવાને માટે નાડિકા જરૂરી ગણાય છે. હાથી ઉપર ચઢવાને માટે દેરડાનું આલંબન લેવું પડે છે, તે સમુન્નત જયકુંજર ઉપર ચઢવાને માટે દેરડાનું આલંબન લેવું પડે, એમાં નવાઈ નથી. એ જ રીતિએ, શ્રી ભગવતીજી સૂત્રને સુલભતાથી બોધ થાય,

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592