Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 542
________________ ૫૦૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વિરાધના ન ગણાય પણ આરાધના ગણાય, એમ આપે કહ્યું તે સમજાયું નહિ. એનું વિશેષ સ્પષ્ટીકરણ થાય તો સારું. એ માટે એક ઉદાહરણ જ જોઈએ. કેઈ એક રાજા ગાઢ મિથ્યાદષ્ટિ હત; અને જે મિથ્યાત્વમાં તે દઢ હતું, તેવી જ તેની રાણ સમ્યકત્વમાં દઢ હતી. રાજા અને રાણી વચ્ચે એ બાબતમાં કેટલીક વાર વાતો થતી, પણ રાજા રાણીને તેણીની માન્યતાથી ચળાવી શકતો નહિ, તેમ રાણી રાજાને પણ તેની માન્યતાથી ચળાવી શકતી નહિ. બન્ને પતિપિતાને માન્ય ધર્મને અનુસરનારાં ત્યાગીઓની પ્રશંસા કર્યા કરતાં. એમાં, એક વાર કેઈ સંન્યાસિની એ નગરમાં આવી. બાલબ્રહ્મચારિણી, બુદ્ધિશાલિની અને બેધ દેવામાં કુશળ એવી તે સંન્યાસિનીએ નગરમાં આવીને ભારે આકર્ષણ જમાવ્યું. રાજા અને સઘળે ય નગરલોક એના તરફ વળી ગયે. જૈન સાધુ-સાધ્વી એ નગરમાં આવે, તો તેમને આહાર-પાણી મળવાં પણ મુશ્કેલ પડી જાય, એવી સ્થિતિ પેદા થઈ જવા પામી. રાણીના હૈયાની વેદનાને પાર રહ્યો નહિ. અધુરામાં પૂરું રાજા રાણીની પાસે વારંવાર એ જ સંન્યાસિનીની વાત કરતો એટલું જ નહિ, પણ એ જૈન સાધુસાધ્વીની ભેગાભેગી નિન્દા પણ કરતો. રાણીને માટે આ ઘણું જ અસહ્ય હતું, પણ તેણીને ઉપાય નહોતો. એથી તે ખમી ખાતી. એ માત્ર એટલું જ કહેતી કે-“અવસરે આપને બતાવીશ.” રાણી તે રેજ એ જ વિચાર કર્યા કરતી હતી કે-“હવે કરવું શું?” એક બહુ સામર્થ્યસમ્પન્ન મુનિને વેગ થતાં, તેણીએ એ જ વાત કહી કે કોઈ પણ ઉપાયે આ સંન્યાસિનીની અસરમાંથી આ નગરના લોકોને છોડાવો. અત્યારે

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592