Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 562
________________ પર૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન જૈન શાસનમાં એવા કોઈ રસ હાઇ કે સંભવી શકે નહિ. અંકુશની ઉપમા યોગ્ય જ છે : સ્યાદ્વાદને જે અંકુશની ઉપમા આપવામાં આવી છે, તે ચેાગ્ય જ છે. વચન ઉપર સ્યાદ્વાદના અંકુશ આવશ્યક છે. જે વચન ઉપર સ્યાદ્વાદના અંકુશ છે, તે જ વચન વસ્તુતઃ સાચું વચન છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં જેમ જ્ઞાનનયથી વર્ણન છે, તેમ ચરણનયથી પણ વર્ણન છે; જેમ દ્રવ્યાસ્તિકનયથી વર્ણન છે, તેમ પર્યાયાસ્તિકનયથી પણ વર્ણન છે; અને જેમ નિશ્ચયનયથી વર્ણન છે, તેમ વ્યવહારનયથી પણ વર્ણન છે. એ દરેક વર્ણના સાચાં એટલા જ માટે છે કે-એ બધાં ય ઉપર સ્યાદ્વાદ રૂપ અંકુશ છે. આપણે તા, એ નયાની વાતને પરસ્પરની અપેક્ષાએ જ વિચારી છે. પરસ્પર કેવી અપેક્ષા રહેલી છે, તેનું તેના તેના પ્રસંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટીકરણ સ્યાદ્વાદ રૂપ અંકુશને જ આભારી છે. જૈન શાસ્ત્રાનું એકે એક વાકય સ્યાદ્વાદ રૂપી અંકુશથી યુક્ત છે અને એથી શ્રી જૈન શાસ્ત્રાના એક પણ વાકયને મિથ્યાત્વી તરીકે તે જ વર્ણવી શકે, કે જેની બુદ્ધિ મિથ્યાત્વથી ભ્રમિત થવા પામી હોય. પ્રત્યક્ષપણે સ્વાત્ પદ હોય અગર ન પણ હાય, તેા પણ સ્યાદ્વાદીનું વચન સ્થાત્ પદ્મથી લાંછિત જ છે–એમ સમજવું જોઇએ. એ વાત સાચી છે કે– મિથ્યાદૃષ્ટિ જીવ આ સ્વરૂપે સમ્યક એવા શ્રુતના કથનને પણુ, મિથ્યા શ્રુત રૂપે ગ્રહણ કરનારો અને; પણ એટલા માત્રથી જ આ શ્રુતને મિથ્યાત્વી કહી શકાય નહિ; કારણ કે—મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ શ્રુતને મિથ્યા રૂપે ગ્રહણ કરે, એમાં દોષ સમ્યક્

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592