________________
કબીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
-
૩૫૫
સામાન્ય ભાવનાથી પણ ઝટ પ્રવૃત્તિ થાય અને મુક્તિની સાધનાની ભાવના એના કરતાં જોરદાર હોય તે ય તેમાં ઝટ પ્રવૃત્તિ ન થઈ શકે–એ શક્ય છે; પરન્ત, ખરી વાત એ છે કે–આપણાં કર્મો તેવાં છે કે નહિ, તેનું આપણને જ્ઞાન નથી. આપણાં તેવાં પણ કર્મો ક્યારે હલકાં બન્યાં કે બનશે, તે આપણે જાણી શકતા નથી. આથી, એના આધારે બેસી ન રહેવાય. રેજ મુક્તિની સાધનાની ભાવનાને, મુનિપણાની ભાવનાને, વેગ આપવાનો પ્રયત્ન કર્યા કરે. એ ભાવનામાં અને એ પ્રયત્નમાં પણ કર્મોને નિર્જરવાની તાકાત છે. એ ભાવનાને વેગ આપવા પ્રયત્ન કરતે કરતે એક દહાડે ઠેકાણું પડી જાય, પણ કર્મોના નામે લમણે હાથ દઈને બેસી રહે, તે વળે શું? જ વિચાર કર, વારંવાર વિચાર કરે કે- આટલા બધા મુનિઓ મુનિપણાનું પાલન કરે છે અને હું કેમ મુનિપણાનું પાલન કરી શકું નહિ ?” એટલે ચરણ—કરણનાગને પામવાને માટે તે, ખૂબ જ લાલાયિત તથા પ્રયત્નશીલ બની જવું જોઈએ.