Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari
Catalog link: https://jainqq.org/explore/002153/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલ્પચર ો, પ. પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પ. પૂ. શ્રીઅભયદેવસૂરિ રચિત ટીકા સહિત પંચાશક ગ્રંથના ગુજરાતી ભાવાનુવાદ ભાગ ખીજો પૂ. ગ્રુગદિવાકર ા, ધમસુરીશ્વરજી મ ગઢા, ના મુદાયના શ્વા, પૂ. કયાજી મ ભાવાનુવાદકર્તા : મુનિશ્રી રાજશેખર વિજયજી ARNC For Pry & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ 10. T શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ બી દાન-ગેમ-હીરસૂરિ–ગુરુ નમઃ છે : સુગ્રહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત જે પ. પૂ. શ્રી અભયદેવસૂરિ રચિત ટીકા સહિત પંચાશક ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ ભાગ બીજે – અનુવાદક-સંપાદક – સિદ્ધાંતમહોદધિ સ્વ. પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પરમગીતાર્થપ.પૂ. શ્રી હીરસૂરીશ્વરજી ન મ.ના શિષ્યરત્ન પ. પૂગણિવર્ય શ્રી લલિતશેખર છે વિ. મ. ના વિનેય સુનિશ્રી રાજશેખરવિજયજી : પ્રકાશક : પચાશક પ્રકાશન સમિતિ વ્યવસ્થાપક : શાહ શાંતિલાલ ખૂમચંદ સિસેદરા (ગણેશ), સ્ટે. નવસારી (વે. રે.) નકલ ૧૦૦૦ ક મૂલ્ય ૬ રૂપિયા વિ.સં. ૨૦૩૪ ૪ રાજકોટ ના પાક : 3 : જીર્દી * * Jain education International Page #3 -------------------------------------------------------------------------- ________________ -: પ્રાપ્તિસ્થાન : શ્રી પચાશક પ્રકાશન સમિતિ C/o. શાહ શાંતિલાલ ભૂમ સિસોદરા (ગણેશ) સ્ટે. નવસારી પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહાયક માલેગામ જૈન સંઘ ત્રણ હજાર ા. જ્ઞાનખાતામાંથી અહમદનગર જૈન સ°વ એક હજાર રૂા. ચેવલા જૈન સથ એક હજાર રૂપિયા નાસિક જૈન સંઘ ત્રણ હજાર રૂપિયા પાટણ નગીનભાઈ પૌષધશાલા એક હજાર રૂા. - સુદ્રક - કાંતિલાલ ડી. શાહે "" શ્રી માતીશા લાલબાગ ટ્રસ્ટ-મુંબઇએક હજાર રૂા. 55 શ્રી આરાધના ભવન દાદર-મુંબઈ ત્રણ હજાર રૂા. 55 ભરત પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, પાલીતાણા ૩૬૪૨૭૦ ,, 59 "" Page #4 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ સુવિશુદ્ધ સંયમમૂર્તિ પરમેકારી પરમગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય | હરસૂરીશ્વરજી મહારાજના કરકમલમાં.. માં . -રાજશેખરવિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ, મુ. શ્રી રાજશેખર વિ. મ.ના સંપાદિત-અનુવાદિત ગ્રંથો ગ્રંથ સાઈઝ વિષય ૧ ચગશાએ પોકેટબુક મૂળ કલાકે ૨ જ્ઞાનસાર ૩ તત્વાર્થ ગુજરાતી અર્થ સાથે મૂળરાત્રે ૪ ધમબિંદુ ક્રાઉન ૧૬ પેજ પ વીતરાગ સ્તોત્ર , ગુજરાતી અર્થ સાથે મૂળગાથાઓ ૬ હારિભદ્રીય અષ્ટક કુલસ્કેપ ૧૬ પેજી ૭ જ્ઞાનસાર ૮ પ્રશમરતિ ૯ ભવભાવના ક્રાઉન ૧૬ પેજી મૂળર્લોકોને ગુજરાતી ભાવાનુવાદ ૧૦ તવાર્થ છે વિસ્તૃત વિવેચન ૧૧ પંચાશક , સંપૂર્ણ ટીકાને ભાવાઝુવાદ ૧૨ નિત્ય ઉપયોગી , શ્રાવકોને ઉપયોગી વિને સંગ્રહ ઉપરના ૧ થી ૮ નંબર સુધીના ગ્રંથ પૂ. શ્રી સાધુસાધ્વીજીઓને કંઠસ્થ કરવા નીચેના સરનામે જણાવવાથી લેટ મોકલવામાં આવશે. સાધનાસંગ્રહ લહેરચંદ ભેગીલાલ સ્મારક ગ્રંથમાળા ઠે. નગીનભાઈ પૌષધશાળા, પંચાસરા પાસે, મુ, પાટણ, વાયા મહેસાણા (ઉત્તર ગુજરાત) Page #6 -------------------------------------------------------------------------- ________________ બીજા વિભાગમાં આવેલા ૧૧ થી ૧૯ સુધીના પંચાલકે ૧૧ સાધુધર્મ વિધિ પંચાશક ૧૨ સાધુ સામાચારી ૧૩ પિડ વિધિ ૧૪ શીલાંગ વિધિ ૧૫ આલોચના વિધિ ૧૬ પ્રાયશ્ચિત્ત વિધિ ૧૭ કલ્પ ૧૮ ભિક્ષુપ્રતિમા ૧૯ તપવિધિ અનુવાદમાં આધારભૂત ગ્રંથોની નામાવલિ વ્યવહારભાષ્ય ઘનિર્યુક્તિ “હેક૯પ પિંડ નિયુક્તિ નિશીથ પિંડ વિશુદ્ધિ શ્રાદ્ધજીતકલ્પ પ્રવચન સારોદ્ધાર યતિતકલપ યતિદિન ચર્યા દશાશ્રુતસ્કંધ પંચવસ્તુ પ્રકરણ દશવૈકાલિક સંબોધપ્રકરણ આવશયક સૂત્ર પંચકહ૫ ભાગ્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૩૨ છતાં بنا به શ્રતને ۴ ૧૧૨ શુદ્ધિપત્રક સૂચના :-૧૦૪ થી ૧૧૨ પેજ સુધીનું વિવેચન ટીકામાં નથી. ઉપયેગી હોવાથી “પિંડ વિશુદ્ધિ વગેરે ગ્રંથોના આધારે લખ્યું છે. પૃષ્ઠ પંક્તિ અશુદ્ધિ ૫૭૫ મા ૨૩માં આહાર-પાણું. આહાર-પાણી, છતા માથી માંથી શ્રતને બંધાય છે. બંધાય છે.] ૧૧૭ આદેશિક દેશિક ૧૨૯ ઊંચે ૧૩૯ પંચેન્દ્રિય પંચૅપ્રિય भावोवा भावो वा ૧૮૨ અર્થાત [ અર્થાત ૧૮૩ દીધે. હેય, (૨૭) ૧૦૦ નહિ નહિ. પામ્યા પામ્યો ૧૯૭ દશવ, દશ. ૨૦૦ सज्झंमिबि सझंमिवि ૨૦૦ વેદશ્ય વૈધમ્ય ચે ૧૪૬ દીધો હોય, ૧૯૦ ૧૯૦ સે સા ૨૦૩ ૨૩૭ वणो પારાંચિત जह वणो પારાંચિક WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ પક્તિ અપ્રમાદ સવેગ પ્રાયશ્ચિત્ત પૃષ્ઠ ૨૪૭ ૨૫૮ ૨૭૦ ૧૮૮ ૩૧૮ ૩૨૯ ૩૨૯ ૩૦૭ ૩૮૦ ૩૮૪ મા પેજમાં ૧૧મી લાઈનમાં સ'સાનિવેદ પછી નીચેનું લખાણ ઉમેરવું. થાય છે. આમ આ તપાશુભ અધ્યવસાય દ્વારા સૌંસાર નિવેદ આ ગ્રંથમાં આવેલાં દૃષ્ટાંતા દૃષ્ટાંત જ ૧૯ ૨૪ ૧ ૪ : ૭ : ૧૮ ૧૯ ८ ૧૨ અશુદ્ધિ પારાંચિત પારાંચિત बिहिया ચતુમિક साहुणा લે વિષય ગુરુ પ્રત્યે સમર્પણભાવ ઉત્તરગુણાથી રહિત ગુરુ ત્યાજ્ય નથી. ગુરુકુલના ત્યાગ અને ગુરુકુલમાં વાસ અપ્રમાદ એષણા । અર્થાત વિગઈવાળુ માસષમુનિ ચંડરુદ્રાચાય કાગડા તૈલપાત્રધારક રાધાવેધક શુદ્ધિ પારાંચિક પારાંચિક बिहिया ચાતુર્યામિક साहुणो લે. બ્રાહ્મણ બ્રાહ્મી–સુંદરી અણ્ણા. | અર્થાત્ વિગઈવાળુ પૃષ્ઠ હું ३८ ૪૪ ૧૮૯ ૧૯૪ ૨૪૦ ૨૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ૧૧ સાધુધર્મવિધિ પંચાશક વિષય સાધુધર્મ ભાવપ્રધાન છે. સાધુનું સ્વરૂપ ચારિત્રના પાંચ પ્રકાર બાહ્ય ક્રિયા નિરર્થક નથી. જ્ઞાન-દર્શન વિના સામાયિક ન હોય વિશિષ્ટકૃત રહિત પણ ચારિત્રીને જ્ઞાન-દર્શન હેયમાસતુસ મુનિ સાધુધર્મનું સ્વરૂપ અગીતાર્થને પણ શુભ અનુષ્ઠાનેનું પાલન હોય અગીતાર્થ ગીતાર્થની આજ્ઞાનું પાલન શાથી કરે છે ? ૧૩ અંધના સદુ-અસદુ એમ બે પ્રકાર ૧૫ આજ્ઞા પ્રધાન જ શુભ અનુષ્ઠાન સાધુધર્મ છે એનું સમર્થન ૧૬ ગુરુકુલવાસનું વિસ્તૃત વર્ણન ૧૯-૨૭ બીજા સુગુરુની નિશ્રા વિના કુગુરુનો પણ ત્યાગ ન કર ૨૮ એકલા ન વિચરવા સંબંધી વિસ્તૃત વર્ણન ૨૯-૩૮ જાત અને અજાત એમ બે પ્રકારના ક૯પ મૂલગુણેથી જ રહિત ગુરુ ત્યાજ્ય છે–ચંડરુદ્રાચાર્ય ૩૮ કૃતજ્ઞ શિષ્ય સુગુરુને ત્યાગ કરતા નથી ગુરુકુળને છોડનારાઓની નિંદા-કાગડાનું દૃષ્ટાંત ૪૨ Jain ગુરુકુલ ત્યાગીઓનું બહુમાન કરનારાઓને ઉપદેશ ૪૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ૫૫ ૭૫ જિનાજ્ઞામાં રહેલા સાધુઓનું સ્વરૂપ જ્ઞાન-દર્શન–ચારિત્રના સાહચર્યની વિચારણું ૪૮-૫૧ ભાવસાધુનું સ્વરૂપ પર ૧૨ સાધુ સામાચારી પંચાશક સામાચારીના દશ પ્રકાર ઈચ્છાકાર સામાચારી પ૭-૬૫ મિથ્યાકાર સામાચારી ६१-१८ તથાકાર સામાચારી ૬૮-૭૧ આવશ્યક સામાચારી ૭૧-૭૩ સુશ્રાવકો એમ “સુને ઉલ્લેખ કેમ? નધિકી સામાચારી ૭૩-૭૬ આપૃચ્છના સામાચારી ૭૬-૭૯ પ્રતિપૃચ્છા સામાચારી ૭૯-૮૧ છંદના સામાચારી ૮૧-૮૫ નિમંત્રણ સામાચારી ૮૬-૮૮ ઉપસંપદા સામાચારી ૧૩ પિડવિધિ પંચાશક શપિંડનું લક્ષણ અને પિંડના દોષોની સંખ્યા ઉગમશબ્દનો અર્થ અને તેના પર્યાયવાચી શબ્દો સેળ ઉગમ દોષ ૧૦૦ આધાકમ દોષ ૧૦૩-૧૧૨ ૌશિક દોષ ૧૧૩-૧૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ૧૩૦ ૧૩૦ પતિ અને મિશ્રદોષ ૧૧૯-૧૨૧ સ્થાપના અને પ્રાકૃતિકા દેષ ૧૨૧-૧૨૨ પ્રાદુષ્કરણ અને કીત દેશ ૧૨૩-૧૨૪ પ્રામિત્ય અને પરાવર્તિત દોષ ૧૨૪-૧૨૬ અવ્યાહત અને ઉમિન્નદોષ ૧૨૬-૧૨૮ માલાપહત અને આચ્છેદ્ય દેવ ૧૨૮-૧૩૦ અનિષ્ટ અને અધ્યવપૂરક દેષ વિશુદ્ધિકેટિ–અવિશુદ્ધિકોટિરૂપ બે ભેદ ઉત્પાદન શબ્દનો અર્થ અને તેના પર્યાયવાચી શબ્દ ૧૩૧ ઉત્પાદનના સેળ દેનું વર્ણન ૧૩૨-૧૩૯ એષણ શબ્દનો અર્થ અને તેના પર્યાયવાચી શબ્દ ૧૪૦ એષણાના દશ દેનું વર્ણન ૧૪૧-૧૫ર સ્વાધ્યાય-સંયમમાં રત સાધુને જ શુદ્ધપિંડ હોય ૧૫૨ શુદ્ધપિંડને જાણવાના ઉપાયો. ૧૫૫ ભિક્ષાશબ્દને અર્થ સાધુની ભિક્ષામાં જ ઘટે. ૧૫૬ નિષ પિંડ અસંભવિત છે એ મતનું નિરાકરણ ૧૫૭-૧૬૪ સાધુના નિર્દોષ ભિક્ષા આદિ સઘળા આચાર દુષ્કર છે ૧૬૪ આજ્ઞા પ્રમાણે વર્તવા છતાં અશુદ્ધ આહારનું સેવન થાય તો સાધુ નિર્દોષ છે, અન્યથા નહિ. ૧૬૫ કમથી જ થાય છે માટે દેષ નથી એમ માનવામાં આપત્તિ ૧૬૮ કયા દેશે કેનાથી ઉત્પન્ન થાય ૧૬૯ ભોજનમાંડલીના પાંચ દે ૧૭૦–૧૭૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ : વિષય ૧૪ શીલાંવિવિધ પચાશક ૧૭૪ શીલાંગને અથ અને તેની સંખ્યા સવિરતિનું દેશથી ખડન શી રીતે થાય તેના ઉત્તર ૧૭૫ ૧૭૬ અઢાર હજાર શીલાંગાની ઉત્પત્તિ યેાગ વગેરેનું સ્વરૂપ ૧૭૭ અઢાર હજાર શીલાંગેાની ઘટના ૧૭૮ ૧૮૪-૧૮૫ ૧૮૫ મધા જ શીલાંગા હોય તા જ સવવરિત ડાય ૧૭૯-૧૮૮ શીલની અખંડતા અંતરના પરિણામની અપેક્ષાએ છે ૧૮૨ આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત સાધુ અપ્રવૃત્ત છે. આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરે છે ગીતાથ અને ગીતા યુક્ત એ એ જ વિહાર કેમ ? કુંવા જીવ શીલાંગેાતું પાલન કરી શકે તેનુ વર્ચુન ૧૮૯ અપ્રમાદ ઉપર તૈલપાત્ર ધારકનુ દષ્ટાંત અપ્રમાદ ઉપર રાધાવેધકનું દૃષ્ટાંત ૧૮૭ ૧૮૯ ૧૯૪ શાસ્ત્રોક્ત ગુણાથી રહિત સાધુ નથી તેનું સુવણ ના દૃષ્ટાંતથી વિસ્તૃત વણુન ગુણરહિત સાધુનુ વણુ ન શાસ્ત્રોક્ત સાધુગુણેાથી સાધુ બની શકાય અપ્રધાન સાધુ વેશ' સમધી ટીપણુ દ્રવ્યલિંગથી દુઃખના નાશ ન થાય. મહાજન શબ્દના અય પૃષ્ઠ ૧૯૭-૨૦૩ ૨૦૩ ૨૦૪ ૨૦૧ ૨૦૬ ૨૦૮ ૨૦૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ * ૧૨ : ૨૧૦ વિષય ૧૫ આલોચનાવિધિ પંચાશક શ્રાવકોને પણ આલોચના હેય ૨૯ આલોચના શબ્દનો અર્થ આલોચનાથી કર્મક્ષય ૨૧૦-૧૧ અવિધિથી આલોચના લેવાથી શુદ્ધિ ન થાય. ૨૧૧ આલોચનાનો વિધિ ૨૧૨ આલેચનાને કાળ ૨૧૩-૨૧૫ કે સાધુ આલોચના કરવાને એગ્ય છે તેનું વર્ણન ૨૧૫ કેવા ગુરુ પાસે આલોચના કરવી તેનું વર્ણન ૨૧૭ કયા કમથી આલોચના લેવી તેનું વર્ણન ૨૨૦ જે ભાવથી દોષ સેવ્યો હોય તે ભાવ જણાવ શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં આલેચના લેવી. ૨૨૨ જ્ઞાનાચાર આદિ પાંચ આચારના ભેદે. ૨૨૩-૨૨૯ મૂલગુણ-ઉત્તરગુણનું અને તેના અતિચારોનું સ્વરૂપ ૨૦૦-૨૩૪ શિષ્ય કેવા ભાવથી આલોચના કરે. ૨૩૪ ગુરુ શિષ્યને આલોચના કેવી રીતે કરાવે ૨૩૫ શલ્યનું લક્ષણ ૨૩૫ શોદ્ધાર ન કરવાથી થતા વિપાકે ૨૩૫ આલોચના વિના સ્વક૯૫નાથી શુદ્ધિ ન થાય ૨૩૬ જ્ઞાનીએ પણ બીજા પાસે આલોચના લેવી જોઈએ. ૨૩૬-૨૩૮ આચના માટે ગીતાર્થને શોધવાની ક્ષેત્ર-કાળની મર્યાદા ૨૩૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : વિષય પૃષ્ઠ ૨૪૩ આલોચના કરતાં પહેલાં આલોચકને સંવેગ ૨૩૯ આલોચકે સંવેગ ઉત્પન્ન કર્યા પછી કરવાને વિધિ ૨૪૦ સંવેગ ઉત્પન્ન કરવા બ્રાહ્મણનાં બે દાંતે ૨૪૦-૨૪૨ માયા-મદથી મુક્ત બનીને આલોચના કરવી ૨૪૨ સારી રીતે કરેલી આલોચનાનું લક્ષણ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ પંચાશક પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ ૨૪૫ પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર ૨૪૬ પ્રાયશ્ચિત્ત શબ્દનો નિરુક્તિથી થતો અર્થ ૨૪૭ ભાવથી પ્રાયશ્ચિત્ત કેવા જીવને હાય ૨૪૭- ૨૫૦ આચનાદિ સાત પ્રાયશ્ચિત્તની ત્રણ ચિકિત્સા સાથે ઘટના ૨૫૦-૨૫૫ છેદથી અપરાધશુદ્ધિ થવાનું કારણ ૨૫૫ મૂલ આદિ ત્રણ પ્રાયશ્ચિત્તની ત્રણચિકિત્સા સાથે ઘટના ન થાય ૨૫૬ મૂલ અને અનવસ્થાપ્યનું સ્વરૂપ ૨૫૭ પારસંચિકનું સ્વરૂપ ૨૫૮ આગમ આદિ પાંચ વ્યવહાર દષસેવનના કારણે ૨૬૩ વિશિષ્ટ શુભ ભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત છે. ૨૬૪ વિશિષ્ટ શુભભાવનું સ્વરૂપ २६४ બ્રાહ્મીનું દષ્ટાંત ૨૬૫ ૨૬૧ WWW.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાનાં કારણે વિશિષ્ટ શુભભાવ રૂપ પ્રાયશ્ચિત્તથી થતા લાભે પ્રાયશ્ચિત્ત ચગ્ય નથી-ઘટતુ નથી એ મતનુ‘ ખડન વિવિધ પ્રકારે ક્રમબધ સારી રીતે કરેલા પ્રાયશ્ચિત્તનું લક્ષણુ :૧૪ : (૧) આચેલકર કલ્પ (૨) ઔદ્દેશિક કલ્પ (૩) શય્યાતરપિંડ કલ્પ (૪) રાજપિંડ કલ્પ (૫) કૃતિકમ કલ્પ (૬) વ્રત કલ્પ (૭) જયેષ્ઠ કલ્પ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) માકલ્પ (૧૦) પર્યુષણા કલ્પ ૧૭ કલ્પ પંચાશક સ્થિત પત્તું સ્વરૂપ અને તેના શબ્દાર્થ ૨૭૯ ત્રણ પ્રકારનાં ઔષધાની સ્થિત કલ્પ સાથે ઘટના ૨૭૯ ૨૮૦ ૫ના દશ પ્રકાર ૨૦૧ મધ્યમ જિનના સાધુઓની અપેક્ષાએ અસ્થિત સ્થિત કલ્પ પૃષ્ઠ ૨૬૬ ૨૩૭ ૨૨૯-૨૭૪ ૨૭૩ ૨૭૨ ૨૦૧ ૨૮૩૨૯૬ ૨૮૬૨૮૯ ૨૯૦-૨૯૪ ૨૯૫-૨૯૦ ૨૯૯-૩૦૦ ૩૦૧ ૨૦૨-૩૦૪ ૩૦૫-૩૦૬ ૩૦૭=૩૦૮ ૩૦૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ': ૧૫ : વિષય પૃષ્ઠ ૩૧૯ કપોમાં રિત-અસ્થિત એવા ભેદનું કારણ ૩૧૦-૩૧૨ પ્રથમ-મધ્યમ-અંતિમ જિનના સાધુઓનાં દષ્ટાંતે ૩૧૧-૩૧૨ સાધુઓના વક્રતા વગેરે સ્વભાવનું કારણ ૩૧૨ પ્રથમ અંતિમ જિનના સાધુઓને પણ ચારિત્ર હેય ૩૧૩-૩૧૪ માતૃસ્થાન શબ્દનો અર્થ ૩૧૪ દુષમકાળમાં પણ ચારિત્ર છે. ૩૧૫ ભાવરહિત અને ભાવયુક્ત સાધુનું સ્વરૂપ ૩૧૮ ૧૮ ભિક્ષુપ્રતિમા પંચાશક પ્રતિમાની સંખ્યા અને સવરૂપ આવશ્યક નિયુક્તિમાં કહેલી પ્રતિમાઓ ३२० પ્રતિમા ધારણ કરવાને લાયક સાધુનું સ્વરૂપ ૩૨૧–૩૩૧ પ્રતિમાના અભ્યાસ માટે પાંચ તુલના ३२२-२२६ અસંસા વગેરે સાત પ્રકારની ભિક્ષા ૩૨૮ પ્રતિમા સ્વીકારનો ક્ષમાપના વગેરે વિધિ ૩૩૨ પહેલી માસિકી પ્રતિમામાં નિયમો-અભિગ્રહ ૩૩૩-૩૩૮ માસિકી પ્રતિમા પૂર્ણ થયા પછી વિધિ ૩૩૮ સાધુઓને પ્રવેશ મહત્સવ કરવાનું કારણ ૩૩૯ બીછથી સાતમી સુધી પ્રતિમાઓની વિધિનું સૂચન ૩૩૯ ૮ થી ૧૨ એ પાંચ પ્રતિમાનું સ્વરૂપ ૩૩૯-૩૪૩ પ્રતિમાકલ્પથી વિશિષ્ટલાભ નથી એવા મતનું ખંડન ૩૪૩-૩૫૮ અંત-પ્રાત શબ્દોને અર્થ (ટીપ્પણમાં) ૩૫૫ પ્રતિમા ધારીના ધ્યાનનું સ્વરૂપ ૩૫૯ WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : વિષય પૃષ્ઠ પ્રતિમા માટે અયોગ્ય સાધુએ અભિગ્રહ લેવા જોઈએ ૩૫૯ અભિગ્રહ ન કરવાથી દેષ ૩૬ ૦ ૧૯ તપાવિધિ પચાશક બાહાત૫ના ભેદો ૩૬૧ અત્યંતર તપના ભેદ ૩૬૩ પ્રકીર્ણ તપનું સ્વરૂપ ४१७ તીર્થકર નિગમ તપ ३९८ તીર્થકર જ્ઞાનસ્પત્તિ તપ તીર્થકર મોક્ષગમન તપ ૩૭૧ ચાંદ્રાયણ તપ ૭૭૨ તપ કોને સફળ બને તેનું વર્ણન ૩૭૪ શહિણી આદિ તપ મુગ્ધ લોકોને હિતકર છે ૩૭૫ ધાર્મિક અનુષ્ઠાનના ત્રણ પ્રકારે. (ટિપ્પણમાં) ૩૭૫ તપનું સ્વરૂપ ૩૭૬ દેવતાના ઉદ્દેશથી કરાતે તપ ચારિત્રનું પણ કારણ છે. ૩૭૭ સળગસુંદર આદિ વિવિધ તપનું વર્ણન ૩૭૮-૩૮૨ ઉક્ત તપે આગમમાં દેખાતા નથી એવી શંકાનું સમાધાન ૩૮૩ દર્શનશાન ચારિત્ર તપ ૩૮૩ સર્વાંગસુંદર આદિ તપ નિદાન રહિત છે અને મોક્ષનું કારણ છે. વિષયશુદ્ધ આદિ ત્રણ પ્રકારના તપો ૩૮૫ ટીકાકારની પ્રશસ્તિ ૩૮૭ અનુવાદકની પ્રશસ્તિ ૩૮૮ ૩૮૪ WWW.jainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ બીજે વિભાગ ૧૧. સાધુધમ વિધિ પંચાશક શ્રાવકધર્મ કહ્યો. હવે સાધુધર્મને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ભાગવાન મંગલ આદિને નિર્દેશ કરે છે :नमिऊण वद्धमाणं, मोक्खफलं परममंगलं सम्मं । वोच्छामि साहुधम्मं, समासओ भावसारं तु ॥ १ ॥ મોક્ષકલને આપનાર અને પરમ મંગલનું કારણ હોવાથી પરમમંગલરૂપ શ્રી મહાવીર સ્વામીને ભાવથી નમસ્કાર કરીને ભાવપ્રધાન સાધુધર્મને સંક્ષેપથી કહીશ. પ્રશ્ન :- સાધુધર્મ ભાવપ્રધાન કેમ છે ? ઉત્તર :- સાધુધર્મમાં ભાવની જ પ્રધાનતા હોવાથી સાધુધર્મ ભાવપ્રધાન જ છે. શ્રાવકધર્મ માં ( જિનપૂજાદિ) દ્રવ્યની પ્રધાનતા હોવાથી શ્રાવકધમ દ્રવ્યપ્રધાન છે. (૧) સાધુનું સ્વરૂપ :चारित्तजुओ साहू, तं दुविहं देससव्वभेएण । દેસાત્તિ જ તો, રૂવામિ ૩ વંaહ ર . જે ચારિત્રથી યુક્ત હોય તે સાધુ. ચારિત્રના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે ભેદ છે. જેને દેશવિરતિ ચારિત્ર હોય તે સાધુ નથી, કિન્તુ જેને સર્વવિરતિ ચારિત્ર હોય તે જ સાધુ છે. સર્વવિરતિ ચારિત્રના પાંચ પ્રકાર છે. (૨) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨. ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૩-૪ ચારિત્રના પાંચ પ્રકાર :सामाइयस्थ पढमो, छेओवट्ठावणं भवे बीयं ।। परिहारविसुद्धीय, सुहुमं तह संपरायं च ॥ ३ ॥ तत्तो य अहक्खायं, खायं सव्वम्मि जीवलोगम्मि । जं चरिऊण सुविहिया, वञ्चति अणुत्तरं मोक्खं ॥४॥ પહેલું સામાયિક, બીજુ દેપસ્થાપન, ત્રીજું પરિહારવિશુદ્ધિ, ચોથું સૂઢમસં૫રાય અને પાંચમું યથાખ્યાત એમ ચારિત્રના પાંચ પ્રકાર છે. જેનું પાલન કરીને સાધુઓ શ્રેષ્ઠ એવા મોક્ષમાં વર્તમાનકાળે જાય છે, ભૂતકાળમાં ગયા છે અને ભવિષ્યકાળમાં જશે તે યથાખ્યાત ચારિત્ર બધા છમાં પ્રસિદ્ધ છે. પ્રશ્ન :- યથાખ્યાત ચારિત્ર બધા જીવોમાં પ્રસિદ્ધ કેવી રીતે છે? ઉત્તર :- યથાખ્યાત ચારિત્રના કુલભૂત સર્વજ્ઞપણું વગેરે ગુણગણથી યુક્ત તીર્થકર વગેરે ઉત્તમ પુરુષે સર્વ જીમાં પ્રસિદ્ધ હેવાથી યથાખ્યાત ચારિત્ર પણ સર્વ જીવોમાં પ્રસિદ્ધ છે. ચારિત્રના સામાયિક આદિ પાંચ ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) સામાયિક - સમ અને આય એ બે શબ્દોથી સામાયિક શબ્દ બન્યો છે. સમ એટલે રાગાદિ વિષમતાથી રહિત જ્ઞાનાદિગુણે. આય એટલે લાભ. રાગાદિ વિષમતાથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩-૪ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૪ : રહિત જ્ઞાનાદિગુણોને લાભ તે (વ્યાકરણના નિયમ પ્રમાણે પ્રત્યય લાગતાં) સામાયિક. સામાયિક સકલસાવવયોગોની વિરતિરૂપ છે. આ વ્યાખ્યા સામાયિકના ભેદની વિવક્ષા વિના સર્વ સામાન્ય સામાયિકની છે. સામાયિકના ભેદની વિવક્ષા કરવાથી આ (=સર્વસાવદ્યગેની વિરતિ રૂપ) જ સામાયિક શબ્દથી અને અર્થથી ભિન્ન ભિન્ન બની જાય છે. [જેમ કે છેદેપસ્થાપન સામાયિક, પરિહારવિશુદ્ધિ સામાચિક અથત ચારિત્રના છેદો પસ્થાપન વગેરે અને જિનકલ્પિક વગેરે ભેદે પરમાર્થથી તો સવસાવયોગવિરતિરૂપ સામાયિકના જ ભેદ-જુદી જુદી કક્ષાઓ છે.] સામાયિકના ઈવર અને યાવસ્કથિક એમ બે પ્રકાર છે. જે થોડા ટાઈમ સુધી રહે તે ઈવરસામાયિક. ઈવર સામાયિક ભરત અને ઐવિત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જેને મહાવ્રતનું આરોપણ કરવામાં આવ્યું નથી તેવા નવદીક્ષિત સાધુને હોય. જે જીવનપર્યત રહે તે યાવસ્કથિક સામાયિક. આ સામાયિક ભરત–એરવતક્ષેત્રમાં મધ્યમ બાવીશ જિનેશ્વરોના અને મહાવિદેહમાં સર્વતીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને હોય. કારણ કે તેમને બીજુ છેદે પસ્થાપન ચારિત્ર હોતું નથી. (૨) છેદપસ્થાપન -જેમાં પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવતેનું ઉપસ્થાપન-આરોપણ કરવામાં આવે તે છેપસ્થાપન. તેના સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદ છે. ઈવર સામાયિકવાળા નવદીક્ષિતને અપાતું છેદે પસ્થાપન Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૪ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૩-૪ નિરતિચાર છે. અથવા એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થકરના તીર્થમાં જનારા સાધુને અપાતું છેદેપસ્થાપન નિરતિચાર છે. જેમકે–પાશ્વનાથના તીર્થમાંથી મહાવીર સ્વામીના તીર્થમાં જનારા સાધુને પાંચ મહાવ્રતાનું આરોપણ મૂલગુણેને ઘાત કરનારને ફરીથી મહાવ્રતનું આરેપણ કરવામાં આવે તે સાતિચાર છેદેપસ્થાપન છે. (૩) પરિહારવિશુદ્ધિ-તપવિશેષને પરિહાર કહેવામાં આવે છે. જેમાં પરિહાર તપથી વિશુદ્ધિ હોય તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર. તેના નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે ભેદ છે. વર્તમાનમાં પરિહારવિશુદ્ધિનું સેવન કરી રહેલા સાધુઓ નિર્વિશમાનક છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિશમાનક કહેવાય. જેમણે પરિહારવિશુદ્ધિનું સેવન કરી લીધું છે તે સાધુઓ નિર્વિષ્ટકાયિક છે. ચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિષ્ટકાયિક છે. આ ચારિત્રમાં નવ સાધુઓને ગણ હોય છે. તેમાં ચાર પરિવાર તપનું સેવન કરે, બીજા ચાર તેમની સેવા કરે અને એક વાચનાચાર્ય બને. પરિહાર તપના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણેઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શિયાળામાં , છઠ્ઠ , અઠ્ઠમ , , ચાર ઉપવાસ ચોમાસામાં ત્રણ ઉપવાસ , ૪ ઉપવાસ અપાંચ ઉપવાસ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩-૪ ૧૧ સાધુધમવિધિ—પંચાશક ૪૫ : (આ ત્રણ પ્રકારમાંથી જે તપની ભાવના-શક્તિ હોય તે તપ કરે.) પારણે આયંબિલ કરે. તથા સાત પ્રકારની ભિક્ષામાંથી પ્રારંભની બે ભિક્ષા ક્યારે પણ ન લે. બાકીની પાંચ ભિક્ષામાંથી પણ દરરોજ “આજે મારે બે જ ભિક્ષા લેવી–બેથી વધારે ભિક્ષા ન લેવી.” એમ બે ભિક્ષા અભિગ્રહ કરીને ત્રણ ભિક્ષાનો ત્યાગ કરે છે. એ બે ભિક્ષામાં એક પાણીની અને એક આહારની હેય. આ પ્રમાણે છ મહિના સુધી કરે. બાકીના પાંચ સાધુએ છ મહિના સુધી દરરોજ ઉક્ત રીતે બે ભિક્ષાના અભિગ્રહપૂર્વક આયંબિલ કરે. પછી જે વૈયાવચ્ચ કરનારા હતા તે છ મહિના સુધી પરિહાર તપ * સાત ભિક્ષા આ પ્રમાણે છે. (૧) અસંસૃષ્ટા:-વહરાવવા નિમિત્તે વહરાવનારને હાથ અને વાસણ ન ખરડાય તે રીતે વહોરવું. (૨) સંસૃષ્ટા :- વહોરાવવા નિમિત્તે વહેરાવનારને હાથ અને વાસણ ખરડાય તે રીતે વહોરવું. (૩) ઊંધુતા -ગૃહસ્થ પિતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું ભેજન વહેરવું. (૪) અ૯પલેપા:પાત્ર આદિને લેપ ન લાગે તેવી (નિરસ વાલ વગેરે) ભિક્ષા. (૫) અવગૃહીતા :- ભોજન વખતે થાળી વાટકી આદિમાં કાઢીને ભોજન કરનારને આપેલા આહારની ભિક્ષા. (૬) પ્રહીત :–ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે મૂળ વાસણમાંથી ચમચા વગેરેમાં કાલે આહાર ભેજન કરનારને ન આપતાં સાધુને વહેરાવે. અથવા જમનાર પિતાના માટે હાથમાં લીધેલી વસ્તુ સાધુને વહેરાવે. (૭) ઉજ્જિતધર્મા :-ગૃહસ્થને નિરુપયેગી તજી દેવા ગ્ય (વધેલા) આહારની ભિક્ષા. Page #23 -------------------------------------------------------------------------- ________________ : ૬ : ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક ગાથા-૩-૪ કરે અને પરિહાર તપ કરનારા હતા તે તેમની વૈયાવચ્ચ કરે. પછી વાચનાચાર્ય છ મહિના સુધી પરિહાર તપ કરે. બાકીના આઠમાંથી સાત વૈયાવચ્ચ કરે અને એક વાચનાચાર્ય બને. આ પ્રમાણે પરિહાર કલ્પને અઢાર મહિના કાળ છે. આ કલ્પ પૂર્ણ થયા પછી જિનકલ્પને સ્વીકાર કરે અથવા ગચ્છમાં રહે. તીર્થંકર પાસે કે જેણે તીર્થંકર પાસે પરિહારકલ્પનો સ્વીકાર કર્યો હોય તેની પાસે પરિહારકલ્પને સ્વીકાર થઈ શકે છે, બીજા કોઈ પાસે નહિ. પરિહારકલ્પનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથમાંથી જાણું લેવું. પરિહારક૯૫ને પાલન કરનારાઓનું ચારિત્ર પરિહારવિશુદ્ધિ છે. () સુમસં૫રાય – જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સંપૂરાય. કષાએથી સંસારમાં પરિભ્રમણ થાય છે માટે સંપરાય એટલે કષાય. જેમાં કષાય અત્યંત સૂક્ષમ હોય તે સૂમસં પરાય. તેના વિશુદ્ધયમાનક અને ફિલશ્યમાનક એમ બે ભેદ છે. (વિશુદ્ધયમાનક એટલે ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ થતું. ફિલશ્યમાનક એટલે ઉત્તરોત્તર હીન વિશુદ્ધિવાળું થતું) સપક અને ઉપશમ શ્રેણિમાં ચઢતાને વિશુદ્ધયમાનક તથા ઉપશમશ્રેણિમાં પડતાને ફિલશ્યમાનક સૂક્ષમ સંપરાય હોય છે. (આ ચારિત્ર દશમા ગુણસ્થાને હોય છે.) (૫) યથાપ્યાત :-જિનેશ્વરોએ જેવું કહ્યું છે તેવું ચારિત્ર તે યથાખ્યાત. જિનેશ્વરોએ કપાયરહિત ચારિત્રને Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૭ : શ્રેષ્ઠ ચારિત્ર કહ્યું છે. આથી કષાયરહિત ચારિત્ર યથાખ્યાત છે. આ ચારિત્ર ઉપશામક અને ક્ષેપક છદ્મસ્થ વિતરાગને, સચાગી કેવલીને અને અચોગી કેવલીને હેય છે. (૩-૪) ચારિત્રના દેપસ્થાપન વગેરે ભેદે સામાયિકના જ ભેદ હોવાથી આ પ્રકરણમાં છેદેપસ્થાપન વગેરે ચાર ભેદનું વર્ણન નહિ કરે, સામાયિકનું જ વર્ણન કરશે. સામાયિકનું વર્ણન કરવા સામાયિકનું સ્વરૂપ કહે છે - समभावो सामइयं, तणकंचणसत्तुमित्तविसओत्ति । णिरमिस्संग चित्तं, उचियपवित्तिप्पहाणं च ॥ ५ ॥ તૃણ-સુવર્ણ વગેરે જડ પદાર્થોમાં અને શત્રુ-મિત્ર વગેરે ચેતન પદાર્થોમાં સમભાવ તે સામાયિક. અર્થાત્ નિરભિન્કંગ અને ઉચિત પ્રવૃત્તિ પ્રધાન મન સામાયિક છે. નિરભિવંગ એટલે અભિળંગથી રહિત. રાગ-દ્વેષ અભિવૃંગ છે. આથી નિરભિવંગ એટલે રાગ-દ્વેષથી રહિત. ઉચિતપ્રવૃત્તિ પ્રધાન એટલે ઉચિત પ્રવૃત્તિથી ઉત્તમ. રાગશ્રેષથી રહિત અને ઉચિત પ્રવૃત્તિથી ઉત્તમ એવું મન સામાયિક છે. જેઓ કેવળ નિરભિળંગ ચિત્તને સામાયિક માનીને બાહ્ય ક્રિયા નિરર્થક છે એવી કલ્પના કરે છે તેમને ઉપદેશ આપવા ગ્રંથકાર ભગવાને ચિત્તનું “ઉચિત પ્રવૃત્તિપ્રધાન” એ વિશેષણ મૂક્યું છે. કેવળ નિરભિવંગ ચિત્ત સામાયિક નથી, કિંતુ ઉચિત પ્રવૃત્તિપ્રધાન એવું નિરભિવંગ ચિત્ત સામાયિક છે. ચિત્ત નિરભિવંગ બની જાય છે ત્યારે પ્રાયઃ Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૮ : ૧૧ સાધુધમવિધિ-પ‘ચાશક ઉચિત જ પ્રવૃત્તિ થાય છે, કારણ કે ભાવથી અનુચિત પ્રવ્રુ. ત્તિનું કારણ સાભિવંગ ( રાગ-દ્વેષથી યુક્ત ) ચિત્ત છે. અર્થાત્ ભાવપૂર્વક અનુચિત પ્રવૃત્તિ સાભિષ્ણ'ગ ચિત્તનું કાર્ય છે, નિરભિqગ ચિત્તનું નહિ, ચિત્ત નિરભિખ્ખુંગ હાય ત્યારે પ્રાયઃ ઉચિત જ પ્રવૃત્તિ થાય. આનાથી એ સૂચિત કર્યું કે વીતરાગની પાપકારપ્રવૃત્તિ સમભાવરૂપ સામાયિકને ખાધા પડેોંચાડતી નથી. અર્થાત્ વીતરાગની પરાપકાર પ્રવૃત્તિથી સામાયિકના=સમભાવના ભંગ થતા .. ગાથા-ક નથી. (૫) જ્ઞાન-દુન વિના સામાયિક ન હેાય : सति एयम्मि उणियमा, गाणं तह दंसणं च विष्णेयं । एएहि विणा एयं, ण जातु केसिंचि सद्धेयं ॥ ६ ॥ સામાયિક હાય ત્યારે જ્ઞાન અને દર્શન (-સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન) અવશ્ય હાય. કાઇને પણ કથારે ય જ્ઞાનદર્શન વિના સામાયિક ન હોય. આથી ચારે ય જ્ઞાનદર્શન વિના કોઈના પણ સામાયિકની શ્રદ્ધા ન કરવી. (જીવાદિતત્ત્વાને) જાણ્યા વિના અને શ્રદ્ધા કર્યા વિના ઉચિતપ્રવૃત્તિ પ્રધાન નિરભિષ્નગ ચિત્ત મનાવી શકાય નહિ. (૬) * ભાવ વિના અનુચિત પ્રવૃત્તિ નિરભિષ્નંગ ચિત્તથી પણ કત્યારેક થાય. આથી જ નિરભિવંગ ચિત્તથી પ્રાય: ઉચિત પ્રવૃત્તિ થાય છે એમ ‘પ્રાય:' કહ્યું. આના અથ એ થયે કે નિરભિષ્વ ગચિત્તથી કચારેક અનુચિત પ્રવૃત્તિ પણ થાય. પણ તે અનુચત પ્રવૃત્તિ ભાવ વિના થાય. સાભિષ્નગ ચિત્તથી ભાવપૂર્વક અનુચિત પ્રવૃત્તિ થાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક = વિશિષ્ટ પ્રુત રહિત પણ ચારિત્રીને જ્ઞાન-દર્શન હેાય છે – गुरुपारतंतणाणं, सदहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं, मासतुसादीण णिट्टि ॥ ७ ॥ જ્ઞાન-દર્શન વિના સામાયિક ન હોય માટે જ આગમમાં પ્રસિદ્ધ અતિ જડ માસતુસ આદિ સાધુઓને ગુરુપરતંત્રતારૂપ જ્ઞાન અને એ જ્ઞાનને અનુરૂપ દર્શન હોય છે, અર્થાત એવા સાધુઓનો ગુરુ પ્રત્યે સમર્પણભાવ એ જ એમનું જ્ઞાન અને દર્શન છે, એમ સર્વજ્ઞોએ કહ્યું છે. કારણ કે જ્ઞાનનું જે ફલ છે તે ફલ ગુરુપારખંડ્યથી મળે છે. કહ્યું છે કે – यो निरनुबंधदोषात् , श्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । गुरुभक्तो ग्रहरहितः, सोऽपि ज्ञान्येव तत्फलतः ॥ १ ॥ चक्षुष्मानेकः स्यादन्धोऽन्य स्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं, प्राप्नुत एतौ युगपदेव ॥ २ ॥ જે નિરનુબંધ દોષના કારણે અજ્ઞાન હોવા છતાં શ્રદ્ધાળુ છે, પાપભીરુ છે, ગુરુભક્ત છે, કદાગ્રહ રહિત છે, તે પણ જ્ઞાનનું ફળ મળવાનાં કારણે જ્ઞાની છે.” (૧) “જનારા બે પુરુષમાં એક દેખતો હોય અને એક દેખતાના કહ્યા પ્રમાણે વર્તના અંધ હોય, પણ તે બંને એકી સાથે જ ઈષ્ટસ્થળે પહોંચી જાય છે.” (૨) માસતુસમુનિની કથા સંપ્રદાયાનુસાર આ પ્રમાણે છેએક આચાર્ય હતા. તે આચાર્ય ગુણરૂપરના મહાનિધાન Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૭ હતા. મૃતરૂપ મધુરરસના અર્થી શિષ્યરૂપી ભમરાઓ તેમના ચરણકમળની સેવા કરી રહ્યા હતા. સૂત્ર-અર્થ રૂપી પાણી આપવામાં મહામેળ સમાન હતા. શિષ્યોને સૂત્ર-અર્થ આપવામાં થાકતા ન હતા. સંઘ વગેરેના કાર્યોરૂપ ભારને પાર પમાડવામાં વૃષભ સમાન હતા. તેમના દીક્ષિત બનેલા બીજા બંધુ હતા, કે જે વિશિષ્ટશ્રુતથી રહિત હતા, બેસવું, ઊંઘવું વગેરે ઈચ્છા મુજબ કરતા હતા, સ્વાર્થ માં તત્પર હતા. એક વખત તે આચાર્ય કોઈ કાર્ય કરીને થાકી ગયા. પણ મુગ્ધબુદ્ધિ શિષ્યોએ આચાર્ય થાકી ગયા છે માટે હમણું વાચના નહિ લેવી જોઈએ એમ અવસરને જોયા વિના (-ઓળખ્યા વિના) તેમની પાસે વાચના લીધી. ખૂબ જ થાકના કારણે વાચના આપવાને અસમર્થ હોવા છતાં શિખ્યોએ વાચના લેવાથી આચાર્ય ખિન્ન બની ગયા. ખિન્ન બનેલા તેમણે વિચાર્યું કે-આ મારે ભાઈ ધન્ય છે, પુણ્યવાન છે. કારણ કે એ ગુણ રહિત છે, એથી કોઈ જાતની પરાધીનતા વિના સુખપૂર્વક સૂઈ શકે છે. પણ હું અધન્ય છું. કારણ કે મારા પિતાના જ ગુણેએ મને પરાધીન બનાવી દીધું છે. આથી હું સુખે રહી શકતો નથી. તેમણે આવી વિચારણા કરીને જ્ઞાનની અવજ્ઞા કરવાથી ઘર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. અશુભ વિચારણાની આલોચના કર્યા વિના મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી વીને કોઈક સ્થળે સારા કુળમાં જન્મ પામ્યા. સમય જતાં સાધુને સંપર્ક Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૧૧ : થવાથી જૈનધર્મ પામ્યા. સુગુરુની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી આચાર્ય મહારાજ પાસે સામાયિક શ્રુત ભણવાનું શરૂ કર્યું. પણ પૂર્વભવમાં બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી એક પદ પણ ભણી શકતા નથી. શ્રુતજ્ઞાન ઉપર બહુમાન હોવા છતાં અને નિરંતર ભણવા છતાં એક પદ પણ યાદ રહેતું નથી. આથી આચાર્ય મહારાજે તે તપસ્વી સાધુને ભણવામાં (કંઠસ્થ કરવામાં ) અસમર્થ જાણીને માર મા તુર=“રાગ અને દ્વેષ ન કર” એ પ્રમાણે સંક્ષેપમાં સામાયિક શ્રતને અર્થ કહીને મા રુસ મા તુર એ પ્રમાણે કંઠસ્થ કરવાનું કહ્યું. આથી તે મુનિ ભક્તિપૂર્વક મોટેથી ગેખવા લાગ્યા. પણ તેમાં પણ ભૂલી જાય છે. ઘણા પ્રયત્નથી તેને યાદ કરે. યાદ આવે એટલે આનંદમાં આવીને ગોખવા લાગે. આમ છતાં મા જ મા તુસ ના બદલે માર તુજ એમ ગોખવા લાગે. દરરોજ મારતુસ એમ ગોખવાથી રમતિયાળ છેકરાઓએ તેમનું “માસતુસ ” એવું નામ પાડી દીધું. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી માસતુસ એ પણ ભૂલી જાય ત્યારે ગોખવાનું બંધ કરીને શૂન્યચિત્ત બેસી રહેતા. તેમને આ રીતે બેઠેલા જોઇને બાળકો હસીને અહો ! આ માસતુસ મુનિ મૌનપણે બેઠા છે એમ બોલતા. આથી તે મુનિ બાળકોએ મને યાદ કરાવ્યું તે સારું કર્યું એમ માનતા. યાદ કરાવવા બદલ બાળકોને ઉપકાર માનીને ફરી માસતુસ એ પ્રમાણે ગોખવાનું શરૂ કરી દેતા. તેમને માસતુસ એમ ખોટું બોલતા સાંભળીને સાધુઓ આદરથી મા તુસ એમ ગેખો એ પ્રમાણે શિખવાડતા હતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : ૧૧ સાધુધ વિધિ-પોંચાશક ગાથા ૮ થી ૧૦ આથી આનંદ પામીને તે મા સ મા તુસ એમ ગેાખવા લાગતા. પણ ઘેાડીવાર પછી પાછું ભૂલીને માસતુસ એમ ગેાખવા લાગતા. આ પ્રમાણે સામાયિકના અર્થમાં પણ અસમ તેમણે ગુરુભક્તિથી સમય જતાં જ્ઞાનનું કુલ કેવળજ્ઞાન મેળવ્યુ', (૭) સાધુનું સ્વરૂપ કર્યું. હવે સાધુના ધર્મનું સ્વરૂપ કહે છે :धम्मो पुण एयस्सिह, संमाणुट्ठाणपालणारूवो । विहिप डिसेहजुयं तं, आणासारं मुणेयव्वं ॥ ८ ॥ | પ્રતિલેખનાદિ શુભ અનુષ્ઠાનાનુ` પાલન સાધુના ધમ છે. પ્રશ્ન – કેવાં શુભ અનુષ્ઠાના સાધુધમ છે? અર્થાત્ ગમે તે શુભ અનુષ્ઠાના સાધુધમ છે કે અમુક જ પ્રકારનાં શુભ અનુષ્ઠાના સાધુ ધમ છે ? ઃ ઉત્તર :- ધ્યાનાદિ કરવુ અને હિંસાદિ ન કરવું એમ વિધિ-પ્રતિષેધથી યુક્ત અને આપ્તવચનપ્રધાન ( આપ્ત વચન પ્રમાણે થતાં) જ શુભ અનુષ્ઠાને સાધુધર્મ છે, (૮) અગીતાને પણ શુભ અનુષ્ઠાનાનું પાલન હેાય ઃ– अग्गीयस इमं कह, गुरुकुलवासाउ कह तओ गीओ । गीयाणाकरणाओ, कहमेयं णाणतो चेव ॥ ९॥ ॥ चारितओ चिय दर्द, मग्गणुसारी इमो हवइ पायं । एत्तो हिते पवतति, तह णाणातो सदंधोव्व ॥ १० ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૧૩ अंधो गंधोव्व सदा, तस्साणाए तहेव लंघेइ । भीमंपि हु कंतारं, भवकतारं इय अगीतो ॥ ११ ॥ પ્રશ્ન – જેણે આગમનો અભ્યાસ કર્યો નથી તે અગીતાર્થ હોવાથી શુભ અનુષ્ઠાનું પાલન કેવી રીતે કરી શકે? (જ્ઞાન વિના પાલન ન હોય.) ઉત્તર :-ગુરુકુલવાસથી (=ધર્માચાર્યની પાસે રહેવાથી) અગીતાર્થ પણ શુભ અનુષ્ઠાનું પાલન કરી શકે. પ્રશ્ન :-અગીતાર્થ ગુરુકુલવાસથી શુભ અનુષ્ઠાનેનું પાલન કેવી રીતે કરી શકે ? ઉત્તર :- અગીતાર્થ પણ ગુરુકુલવાસથી ગીતાર્થની આજ્ઞા પાળવાના કારણે ગીતાર્થ છે. ગીતાર્થને શુભ અgઠાનોનું પાલન દુષ્કર નથી. પ્રશ્ન - અગીતાર્થ ગીતાર્થની આજ્ઞાનું પાલન શાથી કરે છે? ઉત્તર :-તેવા પ્રકારના જ્ઞાનથી. અગીતાથમાં આગમનું વિશેષ જ્ઞાન ન હોવા છતાં સાવ અજ્ઞાન નથી. એને “આ ગુરુ આગમના જ્ઞાતા છે અને મારા હિતકર છે એવું જ્ઞાન તે છે આ જ્ઞાનથી તે ગીતાની આજ્ઞાનું પાલન કરે છે. જે આ જ્ઞાન પણ ન હોય તે તે ગીતાર્થની આજ્ઞાનું પાલન કરે નહિ. (૯) ચારિત્રી ચારિત્રથી જ પ્રાયઃ અતિશય માર્ગો સારી= Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૧૦-૧૧ મોક્ષમાર્ગને અનુકૂલ વર્તન કરનારો હાય. કારણ કે માર્ગોનુસારિપણું ચારિત્રસ્વરૂપ છે. કહ્યું છે કે :મજુરા સો, your fજનો ક્રિયાને જ Trt afમસંaો તહ ચ પિત્ત | પંચા. ૩- “ચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, પ્રજ્ઞાપનીય, ક્રિયાતત્પર, ગુણરાગી, અને શક્ય આરંભ સંગત હોય છે.* માર્ગનુસારપણું ચારિત્રવરૂપ હેવાથી જેનામાં ચારિત્ર હોય તેનામાં માર્ગનુસારપણું હાય. આથી ચારિત્રી માર્ગાનુસારી હોય. પ્રશ્ન –શું ચારિત્રી ક્યારે ય મોક્ષમાગને પ્રતિકૂળ પ્રવૃત્તિ ન કરે? ઉત્તર :-ક્યારેક અનાગથી -અજ્ઞાનતાથી) મોક્ષમાર્ગને પ્રતિકૂળ પ્રવૃત્તિ પણ કરે. આથી જ અહીં “પ્રાયઃ માર્ગોનુ સારી હોય” એમ “પ્રાય' કહ્યું છે. ચારિત્રી માર્ગાનુસારી હોવાથી ગુર્વાજ્ઞાપાલનાદિ હિતમાં જ પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન – ચારિત્રી માનુસારી હેવાથી જ હિતમાં પ્રવૃત્તિ શાથી કરે છે ? ઉત્તર:- (તળાતો =) તેવા પ્રકારના બોધથી. ચારિત્રીને માર્ગોનુસારિપણાથી “ આ ગુરુ આગમના જ્ઞાતા છે * આને વિસ્તૃત અર્થ ત્રીજા પંચાશકની છઠ્ઠી ગાથાના અનુવાદમાં આપે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા.૧૦-૧૧ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૧૫ : - - અને મારું હિત કરનારા છે.” એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી તે ગુર્વાજ્ઞાપાલન આદિ હિતમાં પ્રવૃત્તિ કરે છે. સાર -ચારિત્રથી માર્ગનુસારપણું, માગનુસારપણાથી તેવા પ્રકારનો બેધ, તેવા પ્રકારના બેધથી ગુર્વજ્ઞાપાલનાદિ હિતમાં પ્રવૃત્તિ. આ વિષય સદધના દષ્ટાંતથી સમજી શકાય છે. સદંધ એટલે સારો અંધ. અંધ સારા અને ખરાબ એમ બે પ્રકારના હોય છે. મદદ કરનાર દેખતાના વચન પ્રમાણે વતે તે અંધ સારો. સ્વમતિ પ્રમાણે વતે તે અંધ ખરાબ. જેમ સદંધ મદદ કરનાર દેખતાના વચન પ્રમાણે વર્તન કરવાથી ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ રૂ૫ હિતમાં પ્રવૃત્તિ કરે છે, તેમ અગીતાર્થ ચારિત્રી પણ માર્ગાનુસારી હોવાથી તેવા પ્રકારના જ્ઞાનથી ગુવજ્ઞાપાલનાદિ હિતમાં પ્રવૃત્તિ કરે છે. (૧૦) સારી આંખવાળાના કહ્યા પ્રમાણે વર્તનાર અંધ તેની પાછળ પાછળ ચાલીને ભયંકર પણ જંગલ સારા આંખવાળાની જેમ ઓળંગી જાય છે, ઓળંગી જાય એટલું જ નહિ, કિધુ સારી આંખવાળાની સાથે જ ઓળંગી જાય છે. તે પ્રમાણે અગીતાર્થ પણ ચારિત્રી ગુજ્ઞાપાલનથી સંસારરૂપ જંગલને ઓળંગી જાય છે. આથી જ્ઞાનનું ફળ મળતું હોવાથી એ જ્ઞાની જ છે. જ્ઞાની હોવાથી અગીતાર્થને પણ શુભ અનુષ્ઠાનેનું પાલન હોય છે. (૧૧). Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : ૧૧ સાધુધમવિધિ પંચાશક ગાથા ૧૨ આઠમી ગાથામાં કહેલ “ આજ્ઞાપ્રધાન જ શુભ અનુષ્ઠાન સાધુ ધર્મ છે” એ વિષયનું આગમવચનથી સમર્થન ઃआणारुणो चरणं, आणाए चिय इमं ति वयणाओ । एत्तोऽणाभोगम्मि वि, पण्णवणिजो इमो होइ ॥ १२ ॥ જેને આપ્તની આજ્ઞા (-ઉપદેશ) ઉપર રુચિ હાય તેને જ ચારિત્ર હાય છે. કારણ કે આખ્તની આજ્ઞાથી જ ચારિત્ર હાય છે, એવું આગમવચન છે. તે આ પ્રમાણે : 66 आणाए श्चिय वरणं, तब्भंगे जाण किं न भग्गं ति । આળ વ તો, જલ્લાપત્તા ઘુળ. તેનું ॥ ૫૦૫ (ઉ. મા.) જિનાજ્ઞાના પાલનમાં જ ચારિત્ર છે. આથી જિનાસાના ભંગ થતાં ખધાના જ ભંગ થાય છે. જિનાજ્ઞાતુ‘ ઉલ્લ‘ઘન કરનાર કાની આજ્ઞાથી અનુષ્ઠાનાદિ કરે ? (અર્થાત્ જે જિનને ન માને તે ગુરુ વગેરેને કેવી રીતે માને ન માને. આથી તેનું જિનાજ્ઞા રહિત અનુષ્ઠાનપાલન નિરથ ક છે.)’ પ્રશ્ન ઃ- આજ્ઞારુચિ જીવ પણ અજ્ઞાનતાથી અસત્ પ્રવૃત્તિ ન કરે ? ઉત્તર ઃ- આજ્ઞારુચિ જીવ પ્રાયઃ અજ્ઞાન ન હાય. છતાં કયારેક કોઈ વિષયમાં અજ્ઞાન થવાથી અસત્ પ્રવૃત્તિ થઈ જાય તે પણ તે પ્રજ્ઞાપનીય-સુખપૂર્વક સમજાવી શકાય તેવા હાય છે. ( આથી તે અસત્ પ્રવૃત્તિથી અટકાવી શકાય છે.) આજ્ઞારુચિ જીવ આજ્ઞાની રુચિના કારણે પ્રજ્ઞાપનીય હાવાથી તેને ચારિત્ર હાય છે. આથી “ આજ્ઞાપ્રધાન શુભ અનુષ્ઠાન ધર્મ છે' એમ કહ્યું છે, (૧૨) www.jainelibrary:org Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાય-૧૩-૧૪ ૧૧ સાધુધમવિધિ-૫'ચાશક : ૧૭ : સાધુ માટે જિનની આજ્ઞા : एसा य परा आणा, पयडा जं गुरुकुलं ण मोत्तव्वं । आचारपढमसुत्ते, एत्तो चिय दंसियं एयं ॥ શિષ્યે ગુરુકુલવાસને ત્યાગ ન કરવા સ્પષ્ટ અને પ્રકૃષ્ટ જિનાજ્ઞા છે. << પ્રશ્ન :- આ આજ્ઞા પ્રકૃષ્ટ કેમ છે ? ઉત્તર :- આ આજ્ઞા પ્રકૃષ્ટ અર્થના સાધનના ઉપાય બતાવનારી છે. માક્ષ પ્રકૃષ્ટ અથ છે. તેનુ સાધન ધમ છે. ધર્મના ઉપાય ગુરુકુલવાસ છે. આ જિનાજ્ઞા ગુરુકુલવાસને બતાવે છે. આમ “ગુરુકુલવાસ ન છેડવા” એવી જિનાજ્ઞા પ્રકૃષ્ટ અથ ના સાધનના ઉપાય બતાવનારી હાવાથી પ્રકૃષ્ટ છે. આ આજ્ઞા પ્રકૃષ્ટ હોવાથી જ આચારાંગના પ્રથમ સૂત્રમાં સુર્ય મે ત્રાસ તેળ મનવવા માય = શ્રીસુધર્માંસ્વામી પેાતાના શિષ્ય શ્રી જમૂસ્વામીને કહે છે કે હું આયુષ્યમાન્ જમ્મૂ ! ગુરુકુલવાસમાં (–ભગવાન પાસે) રહેતા મ* સાંભન્યું છે કે ભગવાને આમ કહ્યુ છે' એમ કહીને ગુરુકુલવાસને ત્યાગ ન કરવાનું કહ્યુ છે. જો આ આજ્ઞા પ્રકૃષ્ટ (=સવ આજ્ઞામાં પ્રધાન) ન હોત તેા અધા આચારના પ્રારંભમાં ગુરુકુલના ત્યાગ નહિ કરવાનુ` કહેત નહિ. (૧૩) ગુરુકુલનું મહત્ત્વ : एयम्मि परीचत्ते, आणा खलु भगवतो परीचत्ता | તીર્થ માને, જો વિ હોવા ચોત્તિ || ૨૪ || १३ ॥ જોઈએ એવી Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૧ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૧૫-૧૬ . ता न चरणपरिणामे, एयं असमंजसं इदं होति । आसन्न सिद्धियाणं, जीवाण तहा य भणियमिणं ।। १५ ।। पाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए, गुरुकुलवासं न मुंचति ॥ १६ ॥ ગુરુકુલના ત્યાગ થતાં ભગવાનની આજ્ઞાને ત્યાગ જ થાય છે. કારણ કે ભગવાનની આજ્ઞા ગુરુકુલના અત્યાગ રૂપ છે, ભગવાનની આજ્ઞાના ત્યાગ થતાં આ લેાક અને પરલેાક એમ ઉભ્રમલેાકના ત્યાગ થાય છે-ઉભયલેાકનુ અહિત થાય છે. પ્રશ્ન :– ભગવાનની આજ્ઞાના ત્યાગથી ઉભયલાકનુ" અતિ ક્રમ થાય ? ઉત્તર :- ભગવાનની આજ્ઞાના ત્યાગ થતાં પેાતાને વશમાં રાખનાર=અયેાગ્ય પ્રવૃત્તિથી રાકનાર કાઇ ન હોવાથી તે ઉભયલેાકની વિરુદ્ધ પ્રવૃત્તિ કરે. આથી ઉભયલેાકનુ અહિત થાય. (૧૪) આથી (–ગુરુકુલના ત્યાગથી ઉક્ત અનથ થતા હોવાથી) ચારિત્રના પરિણામ થતાં નિટમાં મુક્તિગામી સાધુએ પુરુકુલત્યાગ આદિ અાગ્ય પ્રવૃત્તિ કરતા નથી. આગમમાં (વિશેષા॰ ગા॰ ૩૪૫૯) કહ્યુ છે કે-ગુરુકુલમાં રહેલ સાધુ દરાજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનાદિનું ભાજન અને છે= શ્રુતજ્ઞાનાદિ પામે છે, સ્વદČન-પરદર્શીનનુ' સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર અને છે, વારવાર સારાદિ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭-૧૮ ૧૧ સાધુધમવિધિ-૫'ચાશક : ૧ : થવાથી ચારિત્રમાં અતિશય સ્થિર અને છે. આથી જાવજજીવ ગુરુકુલવાસના ત્યાગ નહિ કરનાર સાધુઓ ધન્ય છે-ધર્મરૂપ ધનને મેળવે છે. ( ૧૫-૧૬) ગુરુકુલમાં જ ચારિત્રનું પૂર્ણ પાલન અને ક્ષમાદિની વૃદ્ધિ થાય :– तत्थ पुण संठिताणं, आणाआराहणा समत्तीए । अविगलमेयं जायति, बज्झाभावेवि भावेणं ॥ १७ ॥ कुलवहुणाणादीया, एतो चिय एत्थ दंसिया बहुगा । થૈવ સંઢિયાળ, વંતરીવિસિદ્ધિત્તિ | ૮ || ગુરુકુલમાં રહેલા સાધુઓને યયાશક્તિ આજ્ઞાની આરા ધનાથી જિનપદેશના પાલનથી ચારિત્રનુ’સપૂર્ણ પાલન થાય છે. કારણ કે પૂર્વે કહ્યુ તેમ જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન :-ગુરુકુલમાં પણ કચારેક અપૂણુ ચારિત્રન હેાય ? gating ઉત્તર :-બાહ્યથી હાય, પણ ભાવથી ન હાય. ગુરુકુલમાં રહેનારને પણ માંદગી આદિ પ્રસગે પ્રતિલેખના આદિ બાહ્યક્રિયા પરિપૂર્ણ ન થવાથી ચારિત્ર બાહ્યથી અપૂર્ણ હાવા છતાં ભાવથી(-સુગુરુના ઉપદેશ-શ્રવણુથી થયેલા સ'વેગથી ) સ`પૂર્ણ હાય છે. (૧૭) ગુરુકુલમાં રહેનારને ચારિત્રનુ' પૂ પૂછું પાલન થાય છે માટે જ શિષ્યને ગુરુકુલના ત્યાગ નહિ કરવાના ઉપદેશ આપવા આગમમાં કુલવધૂ, કન્યા વગેરેનાં દૃષ્ટાંતા જણાવ્યાં છે. તે આ પ્રમાણે ઃ Page #37 -------------------------------------------------------------------------- ________________ * ૨૦ : ૧૧ સાધુધમવિધિ-પચાશક ता कुलवधुनाएणं, कज्जे निब्भत्थिपहिषि कहिंचि || યક્ષ પાયમૂરું, આમાંત ન મોત્તë || ૫. વ. ૧૩૫૭ जे माणिया सयय माणयति, जत्तेण कन्नं व निवेशयंति । ते माणप माणरिहे तबस्सी, जिइंदिए सच्चरए स पुजो । વૈ અ૦ ૯ ઉ૦ ૩ ગા૦ ૧૩ ગાથા-૧૮ “ આથી(-ગુરુવચનથી પ્રતિકૂળ વર્તવાથી તીર્થંકરની આજ્ઞાના ભંગ દ્વારા આ લેાક-પરલેાકનું અહિત થાય છે માટે) કાઈ કાય માં ગુરુ ઠપકા આપે કે તરછેાડી નાખે તા પશુ કુલવધૂના દૃષ્ટાંતથી જાવજીવ ગુરુચરણના સાંનિધ્યને ત્યાગ ન કરવા. અર્થાત્ જેમ કુલવધૂ શ્વસુરગૃહમાં પતિ આદિની ગમે તેવી પ્રતિકૂળતા હૈાવા છતાં તેના ત્યાગ કરતી નથી, તેમ શિષ્યે પણ ગુર્વાદિકની પ્રતિકૂળતા વેઠીને પણ ગુરુ પાસે જ રહેવું જોઈ એ ” (૧૩૫૭) ,, “શિસૈાથી અભ્યુત્થાનાદિ સત્કારોથી માન પામેલા જે પુરુ અભ્યુત્થાનાદિથી માન આપનાર શિષ્યાને સતત શ્રુતાપદેશ ( વાચનાદિ), પ્રેરણા આદિથી માન આપે છે, અર્થાત્ શિષ્યા ઉપર ઉપકાર કરે છે, તથા જેમ માતાપિતા કાળજીથી કન્યાને ગુણેાથી અને વયથી માટી કરીને ચાન્ચ યુવાન સાથે તેના લગ્ન કરે છે, તેમ ગુરુ પણ શાસ્ત્રજ્ઞાતા બનેલા શિષ્યને આચાય પદે પણ સ્થાપે છે, આવા માનનીય ગુરુને જે અભ્યુત્થાન આદિથી માન આપે છે તે તપસ્વી, જિતેક્રિય અને સત્ય ખેલનાર સાધુ પૂજ્જ છે.” Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ ૧૧ સાધુધર્મ વિધિ-૫'ચાશક ::૨૧ : પ્રશ્ન :- પ્રસ્તુતમાં સાધુધનુ વધુ ન હેાવાથી ક્ષમાદિની પ્રધાનતા બતાવવી જોઈ એ. કારણ કે સાધુધમ ક્ષમાદિસ્વરૂપ છે. ગુરુકુલ તા માત્ર આશ્રય છે. સાધ્ય તા ક્ષમાદિ ધમ છે. આથી અહીં માત્ર માશ્રયરૂપ ગુરુકુલની પ્રધાનતા બતાવવાના કાઈ અથ નથી. ઉત્તર :- ગુરુકુલમાં જ વિનયથી રહેલા સાધુઓના સાધુધ* સ્વરૂપ ક્ષમાદિર્ગુણા પણ સિદ્ધ થાય છે—વૃદ્ધિ પામે છે. અર્થાત્ ગુરુકુલવાસ વિના ક્ષમાદિ ગુણૢાની સિદ્ધિ ન થતી હેાવાથી ક્ષમાદિર્ગુણૈાથી પણ શુરુકુલનું મહત્ત્વ વધારે છે. ક્ષમાદિચુણે। પણ સિદ્ધ થાય છે એ વાકથમાં રહેલા પશુ શબ્દના અર્થ આ પ્રમાણે છે:- ગુરુકુલમાં વિનયથી રહેલા સાધુઓના કેવળ આ લાકનાં જ કાર્યો સિદ્ધ થાય છે એમ નહિ, કિંતુ ક્ષમાર્ગુિણા પણ સિદ્ધ થાય છે. (૧૮) ક્ષમાદિ દશ પ્રકારના સાધુધ :— खंतीय मद्दवज्जव - मुत्ती तव - संजमे य बोधव्वे | સજ્જ सोयं आकिंचणं च बंभं च जतिधम्मो ॥ १९ ॥ ક્ષાન્તિ, માવ, આજ, મુક્તિ, તપ, સયમ, સત્ય, શૌચ, આકિચન્ય, બ્રહ્મ એમ દશ પ્રકારના સાધુધમ છે. ક્ષાન્તિ=ક્રોધને નિગ્રહ. મા વ=માનના ત્યાગ. આજ વ= માયાના ત્યાગ. મુક્તિ=àાભના ત્યાગ (-સ'તા). તપ= અનશન વગેરે. સયમ=પૃથ્વીકાયાદિત્તુ સરક્ષણ. સત્યસત્ય વચન ખેલવુ'. શૌચ=ભાવથી પવિત્રતા અથવા ચારીના Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૨૦ ત્યાગ. આદિચન્મ સુવર્ણાદિ પરિગ્રહને ત્યાગ. બ્રહ્મા બ્રહ્મચર્ય (૧૯). ગુરુકુલ વિના ક્ષમાદિની સુંદર વિશુદ્ધિ ન થાય - गुरुकुलवासच्चाए, णेयाणं हंदि सुपरिसद्धित्ति । सम्मं णिरूवियध्वं, एयं सति णिउणबुद्धीए ॥ २० ॥ ગુરુકુલને ત્યાગ થતાં સમાદિ સાધુધર્મની સુંદર વિશુદ્ધિ થતી નથી. આ વિષય સદા સૂક્ષમબુદ્ધિથી સમ્યગુ=અવિપરીતપણે વિચારો. પ્રશ્ન :- આ વિષય અવિપરીત પણે વિચારો એટલે કે વિપરીત પણે ન વિચારે. તે કેવી વિચારણા વિપરીત વિચારણા છે? ઉત્તર - ગુરુકુલમાં રહેવાથી એક બીજા પ્રત્યે નેહ, રાષ, વિષાદ વગેરે થાય, અને (ઘણા સાધુઓ હોવાથી) શુદ્ધ ભિક્ષા મેળવવામાં પણ પ્રાયઃ મુકેલી થાય. આથી ગુરુકુલવાસથી ક્ષમાદિની સુંદર વિશુદ્ધિ ન થાય આવી વિચારણા વિપરીત વિચારણા છે. કારણ કે ગુરુકુલમાં લાગતા રાષાથી એકલા રહેવામાં ઘણું વધારે દોષ લાગે. (ઉપદેશમાળામાં) કહ્યું છે કે * અહીં ટીકામાં પ્રકાર ના પ ત્યfફ એમ કહીને આદિ શબ્દથી આ (=૫૭૫માં પેજમાં આવેલા) શ્લોકોનું સૂચન કર્યું છે. આથી ટીકામાં ન હોવા છતાં ઉપમા માંથી તે શ્લેકે અહીં લીધા છે અને તેને અર્થ લખે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૧૧ સાધુધર્મ વિધિ-પ્‘ચાશક इक्कस्स कओ धम्मो, सच्छंद गई मई पयारस्त । किंवा करेह इक्को, परिहरउ कहं अकज्जे वा ॥ १५६ ॥ कत्तो सुत्तत्थागम-पडिपुच्छण-चोयणा व इक्कस्स । विणओ वेयावच्चं, आराहणयावि मरणंते ॥ १५७ ॥ पिल्लिज्जेसणमिक्को, पइन्नपमयाजणाउ निच्च भयौं । काउमणोऽवि अकज्जं, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ उच्चारपासवणवंतपित्तमुच्छाइ मोहिओ इक्को । सहवभाणविद्दत्थो, निक्खिवर व कुणइ उड्डाहं || १५९ || एगदिवसेण बहुआ, सुद्दा य असुद्दा य जीवपरिणामा । દો અસુરો, પદ્મ ગ્રાહક તું || ના : ૨૩ : “ સ્વચ્છંદપણે વર્તવાની બુદ્ધિવાળા એકલાને ધમ કયાંથી ડાય ? એકલા તપ, ક્રિયા વગેરે પણ શું કરે? એકલા અકાય ના ત્યાગ કેવી રીતે કરે? અર્થાત્ એકલેા પ્રમાદી મનીને તપ, ક્રિયા વગેરે કરવા લાયક ન કરે અને ન કરવા લાયક કરે. આથી એકલાને ધમ ન હેાય.” (૧૫૬) “ એકલાને સૂત્ર-અર્થની વાચનાદ્વારા આગમનું જ્ઞાન પણ કથાંથી થાય? પેાતાને ક્રાઇ વિષયમાં શંકા પડે તા છે પણ કોને ? પ્રમાદમાં પડેલા તેને પ્રમાદના ત્યાગની પ્રેરણા પણુ કાણુ કરે? એકલા વિનય-વૈયાવચ્ચ કાના કર ? અર્થાત્ એકલાને આ બધુ ન હોય.” (૧૫૭) “ એકલા એષણાનુ` ઉલ્લ’ઘન કરે, અર્થાત્ અશુદ્ધ આહાર લે, એકલાને એકલી સ્ત્રી વગેરેથી સદા ભચુ રહે, સમુદાયમાં અકાર્ય કરવાની ઈચ્છા થવા છતાં કરી શકે નહિ. [એકલા સસેવન વગેરે અકાય પણ કરી નાખે.] (૧૫૮) Page #41 -------------------------------------------------------------------------- ________________ = ૨૪ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૨૧ “ઝાડ, પેશાબ, ઉલટી, પિત્તમૂછ આદિથી વ્યાકુલ અને હાથમાં રહેલ પાણીના પાત્ર સહિત (કે આહારના પાત્ર સહિત) ઝાડ વગેરે કરે. આથી શાસનની લઘુતાઅપભ્રાજના થાય. તથા સંયમવિરાધના અને આત્મવિરાધના પણ થાય. તેની સાથે બીજે હોય તે આવા સંયોગોમાં તેને સહાય કરે.” (૧૫૯) એક દિવસમાં અનેકવાર શુભ અને અશુભ આમપરિણામ થાય છે. નિમિત્ત પામીને અશુભ પરિણામવાળ બનેલ એકલો સંયમને ત્યાગ કરે.” (૧૬) “સાધુને એકલા રહેવાને સર્વ જિનેશ્વરએ નિષેધ કર્યો છે. એકલા રહેવાથી એક સાધુને એકલો જોઈને બીજાએ પણ એકલા રહેવા લાગે, એમ અનવસ્થા થાય. વિર કપીના આચારોને ભેદ થાય. આથી જ એક અત્યંત આચારસંપન્ન હોય (અપ્રમત્ત હેય) તે પણ થોડા જ કાળમાં તપપ્રધાન સંયમને વિનાશ કરે છે.” (૧૯૧) (૨૦) ગુરુકુલ વિના ક્ષમાદિ ગુણેને અભાવ પણ થાય :खतादभावओ चिय, णियमेणं तस्स होति चाओत्ति । बंभ ण गुत्तिविगमा, सेसाणिवि एव जोइजा ॥ २१ ॥ ક્ષમાદિગુણના અભાવથી જ સર્વથા જ ગુરુકુલને ત્યાગ થાય છે. ક્ષમાદિગુણોથી યુક્ત હોવા છતાં પુષ્ટ (=અનિવાર્ય) કારણથી થતે ગુરૂકુલને ત્યાગ અપેક્ષાએ અત્યાગ જ છે એ, Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૧૧ સાધુધમવિધિ-પંચાશક : ૨૫ : સૂચન કરવા અહીં “સર્વથા જ” એમ કહ્યું છે. કારણિક ત્યાગ સર્વથા ત્યાગ નથી. જ્યારે ક્ષમાદિગુણોના અભાવથી સર્વથા જ ત્યાગ થાય છે. પ્રશ્ન :- ક્ષમાદિગુણના અભાવથી ગુરુકુલને સર્વથા ત્યાગ કેમ કરે છે? ઉત્તર:- સારણ વગેરે સહન ન થવાથી. (ઘનિર્યુક્તિમાં) કહ્યું છે કે जह सागरम्मि मीणा, संखोभं सागरस्स असहंता । निति तओ सुहकामी, निग्गय मेता विणस्संति ।। ११७ ॥ एवं गच्छसमुद्दे, सारणवीई हि चोइया संता । निति तओ सुहकामी, मीणा व जहा विणस्संति ॥ १८ ॥ જેમ સાગરમાં સાગરના ક્ષોભને સહન નહિ કરનારા સુખાભિલાષી મો સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે, અને નીકળતાં જ મરી જાય છે. (૧૧૭) તે રીતે ગચ્છરૂપ સમુદ્રમાં સારણાદિ રૂપ તરંગોથી ઘેરાયેલા સુખાભિલાષી મય જેવા સાધુઓ ગચ્છરૂપ સમુદ્રમાંથી નીકળી જાય છે અને વિનાશ પામે છે- સંયમથી ભ્રષ્ટ થાય છે” (૧૧૮) આનાથી એ સૂચન કર્યું કે કેટલાક સાધુઓને ગુરુ કુળનો ત્યાગ કર્યા પહેલાં જ ક્ષમાદિને અભાવ હોય છે. હવે કેટલાક સાધુઓને ક્ષમાદિને અભાવ ગુરુકુલને ત્યાગ કર્યા પહેલાં હેત નથી, પણ ત્યાગ કર્યા પછી થાય છે એ જણાવે છેઃ- ગુરુકુલના ત્યાગથી બ્રહ્મચર્યની ગુપ્તિ ન રહે WWW.jainelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા- ૨૨ કારણ કે સાધુઓની સહાયતા એ બ્રહ્મચર્યની ગુપ્તિ છે. બ્રહ્મ ચર્યની ગુપ્તિ ( સાધુસહાયતા)ના રહેવાથી બ્રહ્મચર્ય ન રહે એ રીતે બીજા પણ તપ, સંયમ વગેરે ધર્મો ગુપ્તિ (-સાધુ સહાયતા) ન રહેવાથી ન રહે. સાધુઓની અસહાયતા સામાન્યથી બધા વ્રતના ભંગનું કારણ છે. (૨૧) ગુરુકુલવાસથી કર્મનિર્જરારૂપ મહાન લાભઃगुरुवेयावच्चेणं, सदणुट्ठाणसहकारिभावाओ । विउलं फलमिन्मस्स व, विसोवगेणावि ववहारे ॥ २२ ॥ ગુરુકુલમાં રહેનારને અનુકૂળ આહારાદિ લાવી આપવું, માંદગીમાં સેવા કરવી વગેરે રીતે આચાર્યની વૈયાવચ્ચ કરવા દ્વારા આચાર્યના વાચના આપવી, ધર્મોપદેશ આપવો, ગચ્છનું પાલન કરવું વગેરે સદનુષ્ઠાનમાં સહાય કરવાથી કમનિજેરા રૂપ મહાન લાભ થાય છે. પ્રશ્ન:- આચાર્યની વૈયાવચમાત્રથી આટલો લાભ શી રીતે? ઉત્તર:- કઈ વણિકપુત્ર લખપતિના માત્ર વીસમાં ભાગના ધનથી વેપાર કરે તો પણ તેને ઘણે ન થાય. કારણ કે લખપતિના વીસમા ભાગનું પણ ધન ઘણું (પાંચહજાર) થાય. તેવી રીતે આચાર્ય મહાન હોવાથી તેમની વિયાવચ્ચ માત્રથી પણ ઘણે લાભ થાય. કેટલાકે અહીં બીજી રીતે ઘટના કરે છે, તે આ પ્રમાણે - જેમ આંગણે આવેલા શ્રીમંતને માત્ર વિશોપકથી (=કોડિના વીસમાં ભાગથી) સત્કાર કરવામાં આવે, અર્થાત્ આંગણે આવેલા Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૩ ૧૧ સાધુધમ વિધિ-પોંચાશક શ્રીમતના થાડા પણ સત્કાર કરવામાં આવે, તા (શ્રીમતસાથે સંબંધ બંધાય અથવા શ્રીમંત ખુશી થઇને ઘણું આપે અથવા અનેક અનુકૂળતાએ કરી આપે વગેરે રીતે) ઘણા લાલ થાય, તેમ આચાય મહાન હૈાવાથી તેમની વૈયાવચ્ચ માત્રથી ઘણા લાભ થાય. (૨૨) : ૨૭ : ગુરુકુલના ત્યાગથી અનર્થની પ્રાપ્તિ:EET सदंतराया, दोसोऽविहिणा य विविहजोगेसु । हंदि पयटूटतस्सा, तदण्णदिक्खावसाणेसु ॥ २३ ॥ ગુરુકુલના ત્યાગ કરવામાં ગુરુના સ ંસગ થી સાધી શકાય તેવા વૈયાવચ્ચ, તપ, જ્ઞાન, ચારિત્રવિશુદ્ધિ વગેરે ગુણેશના વ્યાઘાત વગેરે થવાથી દાષ લાગે છે. તથા ગુરુની ઉપાસના ન કરવાથી સવિગ્નોની સામાચારીમાં પ્રવીણતા આવતી નથી. આથી *સૂત્રા ગ્રહણુ, પડિલેહણ વગેરેથી આરભી ખીજાને દીક્ષા આપવા સુધીના વિવિધ ચેાગેામાં (અનુષ્ઠાનેામાં) વિધિથી પ્રવૃત્તિ કરે છે, આથી પણ ઢોષ લાગે છે. ભાવાર્થ :- ગુરુકુળના ત્યાગ કરનારને વૈયાવચાદિ ગુણાના વ્યાઘાત આદિ અને વિવિધયેાગેામાં અવિષિથી પ્રવૃત્તિ એ એ કારણેાથી દાષ લાગે છે. અહી આ લાક * જ્ઞાન-ક્રિયામાં સ્વયં કુશળ બન્યા પછી જ બીજાને દીક્ષા આપવાના અધિકાર પ્રાપ્ત થાય છે, આથી ગુરુકુલમાં નહિ રહેનાર ખીજાને દીક્ષા આપવાને અધિકારી નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ::: ૧૧ સાધુધમ વિધિ-પંચાશક અને પરલેાક સ`બધી અનની પ્રાપ્તિરૂપ દોષ લાગે છે. આથી ગુરુકુળના ત્યાગ ન કરવા એ આજ્ઞા પ્રધાન છે એ સિદ્ધ થયું. (૨૩) ગાથા ૨૪ મ ખીજા સુગુરુની નિશ્રા વિના ક્રુગુરુને પણુ ત્યાગ ન કરવા જોઈએ :गुरुगुणरहिओ उ गुरू, न गुरु विहिच्चायमो उ तस्सिडो । अण्णत्थ સામેળ, ૩ શાનિÈતિ ॥ ૨૪ ॥ ન ગુરુના વિશિષ્ટધ અને સદનુષ્ઠાના રૂપ ગુણૢાથી રહિત ગુરુ ગુરુ નથી, સુવ"ના ગુણથી રહિત સુવર્ણ સુવણ નથી તેમ. આથી તેવા ગુરુના આગમાક્ત વિધિથી ત્યાગ જ કરવા જોઇએ. પણ આવા ગુરુના ત્યાગ કરનારે બીજા ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ, નહિ કે એકલા. ખોજા ગુરુની નિશ્રામાં જવાના વિધિ ( આવશ્યકનિયુ*ક્તિમાં ) ( આ પ્રમાણે છેઃ संदिट्ठो संदिट्टुस्स चेव संपज्ञ्जई उ पमाई । चउभंगा एत्थं पुण, पढमा भंगे। हवइ सुद्धो || ७७० || અન્ય આચાયની પાસે જવામાં ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે :– (૧) ગુરુએ ૨જા આપી હાય એથી જાય,અને ગુરુએ જે આચાર્ય પાસે જવાનું કહ્યું હાય તે જ આચાય પાસે જાય. (૨) ગુરુએ રજા આપી હોય એથી જાય, પણ ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હાય તે આચાય પાસે ન જાય, કિંતુ બીજા આચાય પાસે જાય. (૩) ગુરુએ જે આચાય પાસે જવાનુ` કહ્યું હાય Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૫.૨૬ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૨૯ : -- - તે જ આચાર્ય પાસે જાય, પણ ગુરુની રજા વિના જાય, અર્થાત્ ગુરુ હમણાં ન જા એમ કહે છતાં જાય. (૪) ગુરુએ જવાની રજા ન આપી હોય છતાં જાય અને જે આચાર્ય પાસે જવાનું કહ્યું હોય ત્યાં ન જતાં બીજા આચાર્ય પાસે જાય. આમાં પહેલે ભાંગો શુદ્ધ છે.” સર્વથા ગુરુ રહિત ન બનવું એ (આ ગાથાને) ભાવ છે. આ અંગે (ઘનિર્યુક્તિમાં) કહ્યું છે કેएसणमणेसणं वा, कह ते नाहिंति जिणवरमय वा । कुरिणमि व पायाला, जे मुक्का पव्वइयमेत्ता ॥ ४४ ॥ આચાર્યે દીક્ષા આપીને તુરત જેમને છેડી દીધા છે તે સાધુઓ એષણા-અનેષણાને (શુદ્ધ-અશુદ્ધ ભિક્ષાને) તથા જિનેશ્વરના માર્ગને કેવી રીતે જાણશે ? અર્થાત્ નહિ જાણે. જેમ મહાન જંગલમાં માતા આદિથી તજી દેવાયેલાં મૃગ આદિનાં નાનાં બચ્ચાં વિનાશ પામે છે, તેમ તે સાધુઓ વિનાશ પામે છે-સંયમથી ભ્રષ્ટ બને છે.” (૨૪) એકલા વિચરવાનું સૂત્ર વિશિષ્ટ સાધુની અપેક્ષાઓ છે – जंपि य ण वा लभेजा, एकोविच्चादि भासियं सुत्ते । एयं विसेसविसयं, णायव्वं बुद्धिमंतेहिं ॥ २५ ॥ पार्व अणायरंतो, तत्थुत्तं ग य इमं अगीयस्स । अण्णाणी किं काहीचादीसुत्ता उ सिद्धमिणं ॥ २६ ॥ પ્રશ્ન – દશવૈકાલિકમાં (બીજી ચૂલિકા ગા. ૧૦)કહ્યું છે કે Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : ૧૧ સાધુધર્મવિધિ પંચાશક ગાથા ૨૫-૨૬ न वा लभेजा निउणं सहायं, गुणाहि वा गुणओ समं था। पक्को वि पावाइ विधज्जयतो, विहरिज्ज कामेसु असजमाणो॥ કાલષથી જે પિતાનાથી અધિક ગુણવાળે, સમાન ગુણવાળે (કે હીન ગુણવાળ પણ) સંયમના અનુષ્ઠાનોમાં કુશલ એ સહાયક ન મળે તે સૂત્રોક્ત વિવિધ પ્રકારોથી પાપોને (પાપનાં કારણું અસદુ અનુષ્ઠાનેનો) ત્યાગ કરતા અને ઈદ્રિયોના વિષયોમાં આસક્ત ન બનતે એકલો પણ વિચરે. (પણ પાસસ્થાદિને સંગ ન કરે.)” હવે અહીં પ્રશ્ન થાય છે કે જે ગુરુકુલમાં જ રહેવાનું હોય તે દશવૈકાલિકમાં આ પ્રમાણે એકલા વિચારવાનું કેમ કહ્યું? ઉત્તર :- દશવૈકાલિકમાં એકલા વિચારવાનું વિધાન વિશિષ્ટ સાધુને આશ્રયીને છે, નહિ કે બધા સાધુઓને આશ્રયીને. (૨૫) કારણ કે તે ગાથામાં એકલા વિચરનારનું પાપનો ત્યાગ કરતો” એવું વિશેષણ છે. અગીતાર્થ પાપને ત્યાગ કરી શકે નહિ. કારણ કે(દશવૈકાલિક અ. ૪ ગા. ૧૦ માં) કહ્યું છે કેपढम नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही किंषा, नाहीइ छे यपावगं ॥ १० ॥ પહેલાં જીનું સ્વરૂપ, જીવોના સંરક્ષણનો ઉપાય, જીવોના સંરક્ષણનું ફલ વગેરે સંબંધી જ્ઞાન અને પછી દયા એમ દીક્ષિત બધા જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા હોય છે. જીવોનું વરૂપ આદિથી અજ્ઞાન છવ શું કરશે ? અને હિતઅહિતને કેવી રીતે જાણશે ? Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭થી ૩૦ ૧૧ સાધુધ વિધિ-પ’ચાશક : ૩૧ : અગીતાથ પાપના ત્યાગ કરી શકે નહિ એ આ વચનથી સિદ્ધ છે. આથી પૂર્વાક્ત એકલા વિચરવા સંબધી સૂત્ર વિશિષ્ટ સાધુની અપેક્ષાએ છે, કાઇ પણ સાધુની અપેક્ષાએ નહિ. (૨૬) દશવૈકાલિકનું નવા રૂમેન્નાઈત્યાદિ સૂત્ર વિશિષ્ટ સાધુની અપેક્ષાએ છે એનું સમર્થનઃ x जाओ य अजाओ वा, दुविहो कप्पो उ होइ णायव्वो । एकेोवि य दुविहो, समत्तकप्पो य असमत्तो ॥ २७ ॥ गीयत्थो जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ उ । पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो ॥ २८ ॥ ॥ उउबद्धे वासासु, उ सत्त समतो तदूणगो इयरो | અસમત્તાનાચાળ, બોહેવિ બાવું | ૨૦ || एतो पडिसेहाओ, सामण्णणिसेहमोऽवगंतव्वो । एएस अतो वि इमं विसेस विसयं मुणेयव्व ॥ ३० ॥ કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે, એ અને પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. (૨૭) ગીતાથ ના કે ગીતા ની નિશ્રાવાળા સાધુઓના વિહાર જાતકલ્પ છે. અગીતાના કે ગીતા નિશ્રા વિનાના સાધુમાના વિહાર અજાતકલ્પ છે. × વ્યુ ભા ઉ૦ ૪ ગા૦ ૧૫-૧૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : ૧૧ સાધવિધિ-પચાશક ગાથા ૨૦થી૩૦ ચામાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુઓના વિહાર સમાપ્તકલ્પ છે, તેનાથી એછઃ ( ચાર વગેરે) સાધુઓના વિહાર અસમાપ્તકલ્પ છે. ચે માસામાં સાત સાધુએ રહે તે સમાપ્તકલ્પ અને તેનાથી ઓછા (છ વગેરે) રહે તે અસમાપ્તકલ્પ છે. ચાતુર્માસમાં માંદગી આદિ થાય તા બીજા સ્થળેથી સાધુ આવી શકે નહિ, એથી જોઇએ તેટલીસહાયતા મળી શકે નહિ. માટે ચામાસામાં જઘન્યથી સાત સાધુઓને રહેવાનું વિધાન છે. જે સાધુએ અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા છે અર્થાત્ અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાથ છે તેમનું ઉત્સગ થી (=સામાન્યથી) કંઇપણ આભાવ્ય (=માલિકીનું) થતું નથી. અર્થાત્ તેવા સાધુએ જે ક્ષેત્રમાં વિચરતા હોય તે ક્ષેત્ર અને તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહાર-પાણી. વજ્ર-પાત્ર વગેરે કંઈપણુ તેમની માલીકીનુ* થતુ' નથી= તેના ઉપર તેમના હક્ક થતા નથી. આભાન્યની (=માલિકીની) વ્યવસ્થા આ પ્રમાણે છે: * मासो वा चउरो वा, खेत्तं साहम्मियाण आ भवति । सोविय पुत्रपट्टिो, चत्तसमत्तो असोया य ॥ जं इंदखेडखेत्तं, राया वा जत्थ सिद्धिणो जुत्तं । तं मोत्तुमन्नखेत्तं, पंचक्कोसं जती णेय ॥ ૨૮-૨૯ * અ ૩૦ ૪૮૪૦ વગેરેમાં તથા ન્ય॰ ચેાથા ઉદ્દેશામાં ૧૦ મા સૂત્રની ભાષ્યગાથાઓમાં આભાવ્ય પ્રકરણ છે. પણ આ ગાથાઓ તેમાં નથી. વિશિષ્ટ ગીતાર્થાને પૂથ્વા છતા આ બે ગાથાએ ક્યા ગ્રંથામાં છે તે જાણી શકાયું નથી. આ બે ગાથાઓના ભાવ સમજાઇ જવા છતાં અમુક શબ્દોના અર્થ સ્પષ્ટ ન થવાથી અર્થ લખ્યા નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૧૧ સાધુધર્મવિધિ-પચાશક : ૩૩ : - અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાર્થના આભાવ્યને (માલિ કીને)નિષેધ કર્યો હોવાથી તેમના વિહારને નિષેધ થઈ જ ગયે છે. આનાથી પણ, એટલે કે એકલા વિચરનારનું “પાપને ત્યાગ કસ્તે’ એ વિશેષણથી જ નહિ, કિંતુ અહીં કહ્યું તેમ વિહારના નિષેધથી પણ, જલા મેજા એ સુવ વિશિષ્ટસાધુ સંબંધી છે, નહિ કે ગમે તે સાધુ સંબંધી, એમ સિદ્ધ થાય છે. (૩૦) એકલા વિચરવાથી થતા દોષે - एगागियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । मिक्खविसोहिमहव्वय, तम्हा सबितिजए गमणं ॥ ३१ ॥ * એકલા ભિક્ષા જનારને સ્ત્રી, શ્વાન, પ્રત્યેનીક, ભિક્ષાવિશુદ્ધિ અને મહાવ્રત સંબંધી દેશે લાગે છે. તેમાં (૧) સ્ત્રી સંબંધી દે (ઘનિયુક્તિ ભાષ્ય ગાથા ૨૨૨માં) આ પ્રમાણે છેविहया-पउत्थवइया-ऽपयारमलहंति दटुमेगागिं । gિ ચ , મણિએ જ હોલા ૩ | ૨૨૨ / * “વિધવા, જેને પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી, જે સ્ત્રીને બહાર જવા ન દે-ઘર આદિમાં જ રાખે તેવી સ્ત્રી, આ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી સાધુને ઘરમાં એક આવેલો જેને બારણું બંધ કરી દે અને વિષયસેવનની માંગણી કરે. આ વખતે જે સાધુ વિષયસેવન કરે તે સંયમને નાશ થાય અને ન કરે તો તે સ્ત્રી લોકોને (પિતાને દોષ જાહેર ન થાય એ માટે) આ સાધુ મારી ઈજજત લે છે વગેરે છેટું કહે. આથી શાસનની હીલના થાય.” Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૩૨ (૨) એકલાનો શ્વાનથી પરાભવ થાય. (૩) એકલાને સાધુ ઉપર દ્વેષભાવવાળો કઈ પરાભવ કરે. (૪) એકીસાથે ત્રણ ઘરમાંથી ભિક્ષા વહેરાવવા આવે ત્યારે એકલે બધી તરફ ઉપગ ન રાખી શકવાથી ભિક્ષા અશુદ્ધ બને. (૫) અશુદ્ધ ભિક્ષા લેવાથી પહેલા વ્રતનો ભંગ થાય. એકલે હોવાથી કોઈ નિમિત્ત વગેરે સંબંધી પ્રશ્ન પૂછે તે નિઃશંકપણે ( આમ જ થશે એમ જ કાર પૂર્વક) કહે તેથી મૃષાવાદ દેષ લાગે. ઘરમાં છૂટું પડેલું ધન જોઈને લેવાની ઈચ્છા થવાથી અદત્તાદાન દોષ લાગે. સ્ત્રીમુખ નિરીક્ષણ આદિથી મિથુન દોષ લાગે. સ્ત્રીમુખનું નિરીક્ષણ વગેરે કર્યા પછી તેમાં રાગ થવાથી પરિગ્રહ દોષ લાગે. * એકલા ભિક્ષા જનારને આ રીતે દેશે લાગતા હોવાથી બીજાની સાથે ભિક્ષા જવું જોઈએ. જે ભિક્ષા પણ બીજાની સાથે જવું જોઈએ તે વિહાર તે સુતરાં બીજાની સાથે જ કરે જઈએ. બીજાની સાથે વિહાર આદિ કરવાથી આ દેને ત્યાગ કરવામાં પ્રાયઃ સમર્થ બને છે. (૩૧) અગીતાર્થના સ્વતંત્ર વિહારને નિષેધ - गीयत्यो य विहारो, बीओ गीयत्थमीसओ मणिओ। एत्तो तइय विहारो, णाणुण्णाओ जिणवरेहिं ॥ ३२ ॥ જિનેશ્વરાએ એક ગીતાર્થને અને બીજે ગીતાની નિશ્રાવાળા અગીતાનો એમ બે વિહારે કહ્યા છે. ત્રીજે (એક કે અનેક અગીતાને સ્વતંત્ર) વિહાર કહ્યો નથી. એકલા વિચરવાથી થતા રોષે અંગે કહ્યું છે કે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સાધુધર્મ વિધિ-૫ ચાશક सामण्णगजोगाणं, बज्झो गिहिसन्नि मंथुओ होइ । दंसणणाणचरित्ताण महलणं पावप एको ॥ ગાથા-૩૩ : ૩૫ : . ७०१ • એકાકી વિચરનાર (૧) સાધુના વિનય-વૈયાવચ્ચ વગેરે ચેાગેાના લાભથી વાંચિત રહે, (૨) સુખ-દુ:ખ કે લાભાલામ સંબધી પૂછ્યું, છેકરાઓને વ્યાવહારિક ભણાવવુ વગેરે રીતે ગૃહસ્થના વ્યવહારની પંચાતમાં પડે, (૩) જ્ઞાન-દર્શોન-ચારિત્રને મલિન બનાવે. તે આ પ્રમાણેબૌદ્ધ આદિથી આકર્ષાઈને નિપુણ્ યુક્તિ-દૃષ્ટાંતાથી યુક્ત ઔદ્ધદન પશુ સુદર જણાય છે ઇત્યાદિથી કે ઉન્માર્ગની દેશનાથી દશનને લિન બનાવે. લૌકિક પાપશાસ્ત્રના અભ્યાસ કરીને તેમાં બહુમાન થવાથી જ્ઞાનને મલિન બનાવે. હાથ-પગ-મુખાદિનું પ્રક્ષાલન વગેરે નિઃશ કપણે કરીને ચારિત્રને મલિન બનાવે.' (૩૨) દશવૈકાલિકનુ વચન વિશેષ વિષયવાળું છેઃ ता गीयम्मि इमं खलु तदण्णलाभंतराय विसयति । મુત્ત અવતન્ત્ર, નિકળે હૈં સંતનુત્તીર્ ॥ ૨૩ ॥ આ પ્રમાણે આગમવચના સામાન્ય સાધુને એકલા રહેવાના નિષેધ કરનારા હૈાવાથી નવા મેત્તા એ દશવૈકા લિકનું સૂત્ર ગીતા સાધુ સ`ખધી છે, તેમાં પણ બીજો તેવા કોઈ સહાયક સાધુ ન મળે તે જ છે, અર્થાત્ ખીજો તેવા કોઈ સહાયક સાધુ ન મળે તે જ ગીતા સાધુને એકલા વિચરવા સંબધી છે. અગીતાથે તા ીજાની સાથે જ રહેવુ જોઇએ. કારણ કે (પંચકલ્પ ભાષ્યમાં) કહ્યું છે કે Page #53 -------------------------------------------------------------------------- ________________ | ૩૬ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૩૪ कालंमि संकिलिडे, छक्कायदयावरोवि संविग्गो। जयजोगीणमलंभे, पणगन्नयरेण संवसाइ ॥ १७४९ ॥ છકાય જીની દયામાં તત્પર સંવેગી પણ ખરાબ કાળમાં સંવિગ્ન ગીતાર્થને જેગ ન મળે તે પાસા વગેરે પાંચમાથી કોઈ એકની સાથે રહે. (પણ એકલો ન રહે.) આથી નિપુણેએ દશવકાલિકનું ના એના એ સૂત્ર અહીં જણાવેલી આગમયુક્તિથી બીજે તે સહાયક ન મળે તે જ ગીતાર્થ સાધુ સંબંધી છે એમ સમજવું. (૩૩) વ્યાખ્યાન વિના સૂત્રને વિશેષ અર્થ ન સમજાય:जंजह सुत्ते भणियं, तहेव जइ त वियालणा गस्थि । किं कालियाणुओगो, दिट्ठो दिट्टिप्पहाणेहिं ॥ ३४ ॥ જે સૂત્રમાં જેમ કહ્યું હોય તેમ જ અર્થ કરવાનો હોય, અર્થાત જે સૂત્રને માત્ર શબ્દના આધારે જ અર્થ કરવાને હૈય, તેના વિષયવિભાગની કલપના ન કરવાની હોય તો, અર્થાત એને ભાવાર્થ ન વિચારવાનો હોય તે, દષ્ટિપ્રધાન (બૈગમાદિનમાં નિપુણ) શ્રી ભદ્રબાહુસ્વામી વગેરેએ નિર્યુક્તિ આદિ કરીને ઉત્તરાધ્યયન વગેરે કાલિકશ્રતનું વ્યાખ્યાન કેમ કર્યું? અર્થાત્ કોઈપણ સૂત્રનો અર્થ તેના શબ્દ ઉપરથી જ નક્કી ન થાય, કિંતુ તેના આજુબાજુના સંબંધ વગેર ઉપરથી નક્કી થાય. આથી જ સૂત્રનો શે ભાવ છે તે જણાવવા ભદ્રબાહસ્વામી વગેરેએ સૂત્રો ઉપર નિયુક્તિ આદિની રચના કરી છે. [ આથી પ્રસ્તુતમાં દશવૈકાલિકનું Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૧૧ સાધુધર્મવિધિ-વંચાશક : ૩૭ : નવા સ્ટમેન્ના એ સૂત્રનો અર્થ પણ કેવળ શબ્દના આધારે નહિ, કિંતુ આજુ-બાજુને સંબંધ વગેરેના આધારે કરો જોઈએ, આજુ-બાજુનો સંબંધ વગેરેના આધારે એ સૂત્રને અર્થ “બીજે તે સહાયક ન મળે તે જ ગીતાર્થ સાધુ એ પણ વિચરે” એવે છે.] સૂત્રે ઉત્સર્ગ–અપવાદ વગેરે અનેક વિષયોવાળાં હોય છે. તેમાં કયું સૂત્ર કયા વિષયવાળું છે તે તેના નિર્યુક્તિ આદિ વ્યાખ્યાનથી જણાય છે. બૃહકલપભાગ્યમાં કહ્યું છે કે – उस्सग्गसुयं किंची, किंची अवधाइय भवे सुसं। तदुभयमुत्तं किंची, सुत्तस्स गमा मुणेयव्वा । सन्नाइसुत्तस समय-परसमयुस्सग्गमेव अपवाए। हीणाहियजिणथेरे, अज्जाकाले य नाणाई ॥ १२२१ કાઈ સૂત્ર ઉત્સર્ગ સૂત્ર હોય છે, કેઈ અપવાદ સૂત્ર હોય છે, કેઈ સૂત્રમાં પ્રથમ ઉત્સગ જણાવીને પછી અપવાદ જણાવ્યું હોય, કેઈ સત્રમાં પ્રથમ અપવાદ જણાવીને પછી ઉત્સગ જણાવ્યું હોય, એમ સૂત્રના ચાર પ્રકાર છે.” - કોઈ પારિભાષિક સૂત્ર હોય, અર્થાત્ તેમાં રહેલાં કોઈ શબ્દના ચાલુ પ્રસિદ્ધ અર્થ ન થતો હોય, કિંતુ વિશિષ્ટ અપ્રસિદ્ધ અર્થ થતું હોય, જ્યારે કેઈ દેશી ભાષા નિયત સૂત્ર હોય, અર્થાત્ તેમાં રહેલા કેઈ શબ્દને અર્થ અમુક દેશની ભાષા પ્રમાણે થતો હોય, કોઈ સ્વસમય સૂત્ર હોય, અર્થાત તેમાં જૈનદર્શન સંબંધી વર્ણન હોય, કોઈ પરસમય સવ હોય, અર્થાત્ તેમાં બૌદ્ધાદિ પરદશન સંબંધી વર્ણન Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક ગાથા-૩૫ હોય, કેઈ ઉત્સર્ગ સૂત્ર હોય, કેઈ અપવાદ સૂત્ર હોય, કઈ અલ્પ અક્ષરવાળું સૂત્ર હોય, કોઈ ઘણા અક્ષરવાળું સૂત્ર હોય, કોઈ સૂત્ર જિનકલપ સંબંધી હેય, કઈ સૂત્ર સ્થવિર ક૫ સંબંધી હોય, કોઈ સૂત્ર સાધ્વી સંબંધી હોય, કેઈ સૂત્ર કાલ સંબંધી હોય, અર્થાત અમુક અંગોમાં જ અમુક અપવાદ વગેરેનું સેવન કરવું એવા વિધાનવાળું હેય, કોઈ સૂત્ર જ્ઞાન સંબંધી હોય, કોઈ સૂત્ર નયસંબંધી હોય.” (૧૨૨૧) [ આમ અનેક પ્રકારના સૂત્રો હોવાથી કયા સૂત્રને કો અર્થ છે તે નિયુક્તિ આદિ વ્યાખ્યાનથી જણાય છે ] (૩૪) મૂલગુણથી જ રહિત ગુરુ ત્યાજ્ય છે :गुरुगुणरहिओवि इंई, ददुव्वो मूलगुणविउत्तो जो । ण उ गुणमेत्तविहीणोत्ति चंदरुद्दो उदाहरणं ॥ ३५ ॥ આ પ્રસ્તુતમાં જે મૂલગુણાથી રહિત છે તે જ ગુરુના ગુણથી રહિત જાણ, નહિ કે ગુણમાત્રથી રહિત, અર્થાત્ સુંદર આકૃતિ, વિશિષ્ટ ઉપશમ વગેરે (અમુક) ઉત્તર ગુણેથી રહિત પણ જે મૂલગુણેથી યુક્ત હોય તે ગુરુ જ છે. તેથી તેને ત્યાગ ન કરવો. આ વિષે કહ્યું છે કેकालपरिहाणिदोसा, एत्तो इक्काइगुणविहीणेण । अण्णेण वि पधज्जा, दायव्वा सीलवतेण ॥ - “કાલની હાનિ રૂપ દેષના કારણે આમાંથી ( આગમમાં ગુરુના ૧૫ ગુણે જણાવ્યા છે તેમાંથી) એક બે Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૩૯ : વગેરે ગુણે ઓછા હોય, પણ જે મૂલગુણથી યુક્ત હોય તેણે પણ દીક્ષા આપવી.” આ વિષયમાં ચંડરુદ્ર નામના આચાર્યનું દૃષ્ટાંત છે. તે આચાર્ય અતિશય કે ધી હોવા છતાં ઘણા સંવિગ્ન ગીતાર્થ શિષ્યએ તેમનો ત્યાગ કર્યો ન હતો, અને તે શિષ્ય તેમનાં ઉપર બહુમાન રાખતા હતા. તેમને વૃત્તાંત આ પ્રમાણે છે અતિશય વિદ્વાન અને જ્ઞાનાદિ પાંચ આચાર રૂપ રતના રતનાકર સમાન ચંડરુદ્ર નામના આચાર્ય હતા, સાધુઓની આચાર સંબંધી ખલના જેઈને તેમના ધ રૂપી વડવાનલ ભભૂકી ઉઠતા હતા. આથી (સાધુઓને અને પિતાને) સંકુલેશ ન થાય એ માટે ગ૭ની બાજુમાં રહેતા હતા. અર્થાત ગચ્છ જે મકાન આદિમાં હોય તેની બાજુનાં મકાન આદિમાં ગચ્છથી અલગ રહેતા હતા. વિહાર કરતાં કરતાં ઉજજૈની નગરીમાં તે આચાર્ય પધાયો. ગચ્છના નિવાસની બાજુમાં જ જ્યાં કોઈનું આગમન ન થાય તેવા ઉદ્યાનના એકાંત સ્થળમાં રહ્યા. એક વખત રૂપવાન, ઉત્તમ વસ, પુપમાલા વગેરેથી સુશોભિત અને અને ખીલતી યુવાનીવાળા એક શ્રેષ્ઠિપુત્ર વિવાહ થઈ ગયા પછી પોતાના મિત્રની સાથે રમત કરતે કરતે સાધુઓની પાસે આપે. તેના મિત્રોએ મશ્કરીથી તેને આગળ કરીને સાધુઓને કહ્યું: ભવરૂપ જંગલથી કંટાળીને વિરાગી બનેલા અમારા આ મિત્રને જલદી દક્ષા આપે. આ લોકો મશ્કરી કરે છે એમ જાણીને સાધુઓએ વિચાર્યું કે આ લોકોની દવા Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૩૫ આચાર્ય જ છે. અર્થાત અમે મશ્કરી ન કરવાનું કહીશું તે આ જુવાનિયા નહિ માને. એમને આચાર્ય મહારાજ જ પહોંચશે. આમ વિચારીને સાધુઓએ કહ્યું આવું કાર્ય અમારા ગુરુ મહારાજ કરે છે, અમે નહિ. આથી તમે જલદી અમારા ગુરુ પાસે જાઓ. બધા જુવાનિયા ત્યાં ગયા અને ગમ્મતથી સાધુઓને કહ્યું હતું તેમ કહ્યું. આચાર્ય મહારાજે કહ્યું જે દીક્ષા લેવી હોય તે જલદી રાખ લઈ આવે, જેથી તેને લોચ કરું. તેના મિત્રો તો જલદી રાખ લઈ આવ્યા. આચાર્ય મહારાજે નવકાર ગણીને તેને લેચ કરવા માંડ્યો. તેના મિત્ર તે શરમાઈ ગયા. લોચ થઈ ગયા પછી શ્રેષિપુત્રે વિચાર્યું. મેં જાતે જ સાધુપણાને સ્વીકાર કર્યો છે, આથી હું હવે ઘરે કેવી રીતે જઈશ? પછી તેણે મિત્રોને રજા આપીને આચાર્ય મહારાજને કહ્યું – હે ભગવંત! મશ્કરી પણ મારા સારા માટે થઈ. ગરીબાઈથી સંતોષ માનનારા અને સુંદર રાજય મળ્યું. આથી મારા વજન, રાજા વગેરે મને લેવા ન આવે ત્યાં સુધીમાં આપણે બીજે ચાલ્યા જઈએ. નહિ તે આપણે સંકટમાં આવી પડીશું. ગુરુએ કહ્યું જે એમ હોય તો મને રસ્તો બતાવ, અથત અંધારું હોવાથી તે આગળ ચાલીને મને સારે તે બતાવ. જેથી હું તારી પાછળ પાછળ ચાલું. નવતીક્ષિતે માર્ગ બતાવ્યો. બંનેએ બીજે જવા ચાલવા માંડ્યું. નવદીક્ષિત શિષ્ય આગળ ચાલે છે અને ગુરુ પાછળ ચાલે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૫ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૪૧ : વૃદ્ધાવસ્થાને લીધે રાત્રે માર્ગમાં દેખી નહિ શકતા ગુરુ આમ તેમ અથડાય છે. આથી અરે દુષ્ટ ! તે આ કે માર્ગ જે? આમ કહીને ગુસ્સાથી તેના મસ્તકમાં દાંડી ઠેકી દીધે. આમ તે ઉગ્ર ધી હેવાથી રસ્તામાં અથડામણ થાય ત્યારે ક્ષમા માં શ્રેષ્ઠ શિષ્યને મસ્તકમાં દાંડે ઠોકતા ઠકતા જાય છે. આ વખતે શિષ્ય વિચાર્યું કે–ખરેખર ! હું મંદભાગ્ય છું, જેથી મેં પુણ્યવંત આ મહાત્માને કણમાં નાખ્યા. આ ભગવંત સુખપૂર્વક પોતાના ગચ્છમાં રહ્યા હતા, પણ પાપી મેં નિરર્થક તેમને આ મહાન માં નાખ્યા. આવી ભાવના ભાવતા તેને પ્રશસ્ત ધ્યાનરૂપ અતિથી કમ. રૂપ કાકો બળી જવાથી કેવળજ્ઞાન થયું. આથી તે કેવળ જ્ઞાનના પ્રભાવથી ગુરુને સારા રસ્તે લઈ જવા લાગ્યો. પ્રભાત થતાં શિષ્યના મસ્તકને લોહીલુહાણ થયેલું જેઈને આચાર્ય પિતાની નિંદા કરવા લાગ્યા. ખરેખર ! હું અધન્ય છું, પુણ્યહીન છું, રેષરૂપ અગ્નિને શમાવવા મેઘ સમાન શ્રુતજ્ઞાન મારી પાસે ઘણું હોવા છતાં મારે રેષાગ્નિ શમ્ય નહિ. હું પરને ક્ષમાનો ઉપદેશ આપવામાં કુશળ હેવા છતાં રવયં ક્ષમાથી રહિત છું. વર્ષો સુધી સંયમ પાળવા છતાં સર્વ ગુણેમાં પ્રધાન ક્ષમાગુણ મારામાં ન આવ્યો. આ શિષ્ય ધન્ય છે, ગુણવંત છે, અત્યંત ઉત્તમ છે. આજે જ દીક્ષિત થયો હોવા છતાં તેનામાં ક્ષમાને ગુણ કોઈ અપૂર્વ છે. આવી સુંદર ભાવનાથી અપૂર્વ વિલાસ થતાં આચાર્ય શ્રી ચંડરુદ્રસૂરિ પણ કેવલજ્ઞાન રૂપ લક્ષમી પામ્યા. (૩૫) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૨ : ૧૧ સાધુધર્મવિધિ પંચાશક ગાથા ૩૬-૩૭ કૃતજ્ઞ શિષ્યો ગુરુને ત્યાગ કરતા નથી - जे इह होंति सुपुरिसा, कयण्णुया ण खलु तेऽवमन्नति कल्लाणभायणत्तेण गुरुजणं उभयलोगहियं ॥ ३६ ॥ મનુષ્યલોકમાં જે પુરુષે ઉત્તમ અને કૃતજ્ઞ છે તેઓ આ લેક અને પરલોક સંબંધી કલ્યાણના પાત્ર છે. આથી તેવા પુરુષ ઉભયલોકમાં હિતકર (ઉપકાર કરનાર) ગુરુની અવજ્ઞા કરતા જ નથી. ગુરુના ઉપકાર વિષે કહ્યું છે કેनिर्भाग्योऽपि जडोऽप्यनाकृतिरपि प्राज्ञोपहास्योऽपि हि, मूकोऽप्यप्रतिभोऽप्यसन्नपि जनानादेयवाक्योऽपि हि। पादास्पृश्यतमोऽपि सज्जनजनैर्नम्य: शिरोभिर्भवेत , यत्पादवितयप्रसादनविधेस्तेभ्यो गुरुभ्यो नमः ॥ १ ॥ નિર્ભાગ્ય, જડ, બેડોળ, બુદ્ધિશાળીઓમાં હાસ્યપાત્ર, મૂક (બલવાની છટા-આવડત રહિત), પ્રતિભા રહિત, અસજજન, અનાદેયવચન (જેનું વચન માન્ય ન બને તેવ) અને જેના ચરણે જરાય સ્પર્શ કરવા લાયક ન હોય તેવો પણ શિષ્ય જેમના ચરણકમલની કુપા થવાથી સજજન પુરુ ને મસ્તકથી નમવા યોગ્ય બને છે તે ગુરુને નમસ્કાર હો!” (૩૬) - ગુરુકુળને ત્યાગ કરનારાઓની નિંદા - जे उ तह विवजत्था, सम्मं गुरुलाघवं अयाणंता। सग्गाहा किरियरया, पवयणखिसावहा खुद्दा ॥ ३७ ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સાધુધમ વિધિ—પચાશક : ૪૩ ; पायं अद्दिष्णगंठीतमाउ तह दुक्करंपि कुव्वंता । बज्झा व ण ते साहू धंखाहरणेण विष्णेया ॥ ३८ ॥ ગાથા-૩૭-૩૮ જેએ ઉત્તમ અને કૃતજ્ઞ ન હેાવાના કારણે અકલ્યાણનું ભાજન હાવાથી ગુરુની અવજ્ઞા કરે છે, તેએ (વાસ્તવિક) સાધુ નથી. કારણ કે તેવા સાધુએ ગુરુલાઘવને ખરાખર જાણતા નથી. અર્થાત્ ગુરુકુલવાસ અને એકાકી વિહાર એ એમાં વધારે લાભ શામાં છે તે ખરાખર જાણતા નથી. તેવાઓ એમ માને છે કે અનેક સાધુએ હાવાથી અશુદ્ધ આહાર, પરસ્પર સ્નેહ, રાષ વગેરે દાષાના સ ́ભવ હાવાથી ગુરુકુલમાં રહેવામાં બહુ દાષા છે. એકાકી વિહારમાં આ રાષા નહિ હાવાથી ઓછા ઢાષા છે. તેમની આ માન્યતા બરાબર નથી. કારણ કે આ માન્યતા આગમથી બાધિત છે= આગમાથી વિપરીત છે. આ માન્યતા આગમથી બાધિત કેમ છે તે પહેલા જણાવી દીધુ છે. તેવા સાધુઓ નિર્દોષ શિક્ષા, શરીરવિભૂષાનેા ત્યાગ, જીણુ ઉપધિ, આતાપના, માસક્ષમણ વગેરે અનુષ્કાને આગમ પ્રમાણે નહિ, કિંતુ સ્વમતિકલ્પના પ્રમાણે કરે છે. આવા સાધુએ આગમથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા હાવાથી અને એકાકી હાવાથી જૈનશાસનની મર્યાદાઓનુ પાલન કરવામાં અસમથ છે, આથી જૈનશાસ નની અપભ્રાજનાનું કારણ બને છે. આવા સાધુએ પેાતાની મહેતા માનનારા અને ગુરુની અવજ્ઞા કરનારા હાવાથી ક્ષુદ્ર-તુચ્છ છે, અથવા સેાળા લેાકાને પેાતાના પ્રત્યે આક્ર*વામાં તત્પર હોવાથી ક્ષુદ્ર-કૃપણ છે. અથવા ખીજા સાધુ Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : ૧૧ સાધુધર્મ વિધિ-૫'ચાશક એના માન-સમ્રાન ન થાય તેવી ભાવનાવાળા હેાવાથી ક્ષુદ્ર-દૂર છે. (૩૭) આવા સાધુઓએ પ્રાયઃ એકવાર પણ ગ્રંથિને ભેદ કર્યો નથી. કારણ કે મિથ્યાદાટે હાવા છતાં જો એકવાર પશુ ગ્રંથિભેદ કર્યો હાય તા આવી નિર્વિચાર પ્રવૃત્તિ ન કરે પ્રશ્નઃ– તેા પછી માસખમણુ વગેરે દુષ્કર અનુષ્ઠાના કેમ કરે છે ? ગાથા ૩૮ ઉત્તર:- અજ્ઞાનતાથી. (આથી જ) જેમ મિથ્યાદર્શનનાં અનુષ્ઠાના કરનારા તાપસ વગેરે સાધુએ વાસ્તવિક સાધુ નથી, તેમ ગુરુની અવજ્ઞા કરીને અજ્ઞાનતાથી માસખમણુ વગેરે દુષ્કર અનુષ્ઠાના કરનારા જૈન સાધુએ પણ વાસ્તવિક સાધુ નથી. કારણ કે જેમ મિથ્યાર્દષ્ટિ સાધુએ જિનાજ્ઞાથી રહિત છે, તેમ આવા જૈન સાધુએ પણ જિનાજ્ઞાથી રહિત છે. આ વિષયને શાસ્ત્રમાં કાગડાના દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. કાગડાનુ દષ્ટાંત આ પ્રમાણે છે-એક મનાહર વાવડી હતી. તેનુ' પાણી સ્વાદિષ્ટ, શીતલ, સ્વચ્છ અને પદ્મરાગ જેવું સુગંધી હતું. તે વાવડીના કાંઠે કાગડાએ બેઠેલા હતા. તેમાં થાડા કાગડાએ તૃષાવાળા અન્યા હૈાવાથી પાણીને શે।ધવા લાગ્યા. પણ તે વાવડીનું પાણી પીધું નહિ. શેાધતાં શોધતાં આગળ મૃગતૃષ્ણા (આંઝવાના પાણી)નાં સરાવા જોયાં આથી વાવડીને છાડીને તે સરાવરા તરફ ગયા. આ વખતે કાઈ કાગડાએ તેમને કહ્યુ : અરે! સામે જે પાણી દેખાય છે તે સાચુ પાણી નથી, કિંતુ મૃગતૃષ્ણા છે=ઝાંઝવાનું પાણી છે. જો તમારે પાણી પીવાની ઈચ્છા હાય ! આ વાવડીમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૯ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૪૫ : ઉતરીને તેનું પાણી પીઓ. આ સાંભળીને કેટલાક કાગડાઓએ વાવડીમાં ઉતરીને પાણી પીધું. પણ ઘણા કાગડાએ તે તેની અવજ્ઞા કરીને મૃગતૃષ્ણા તરફ ગયા. પાણી નહિ મળવાથી તે કાગડાઓ મૃત્યુ પામ્યા. જેમણે વાવડીનું પાણી પીધું તે કૃતાર્થ બન્યા-જીવ્યા. આ દષ્ટાંતને ઉપનચ આ પ્રમાણે છે – વાવડી સમાન ગુણોનું સ્થાન ગુરુકુલ છે, કાગડાઓ સમાન ધર્માર્થી જીવો છે, પાણું સમાન ચારિત્ર છે, ગુરુકુલની બહાર રહેવું એ મૃગતૃષ્ણાના સરોવર તુલ્ય છે, કાગડાઓને શિખામણ આપનાર કાગડા સમાન કૃપાપરાયણ ગીતાર્થ છે. ચારિત્રને અગ્ય, દયાપાત્ર અને કદાગ્રહથી ગુરુકુલની બહાર રહેનારા સાધુએ મૃગતૃષ્ણાના સરોવર તરફ જનારા કાગડાઓ જેવા છે. ચારિત્રને એગ્ય અને ધર્મરૂપ ધનને મેળવનારા જે થોડા સાધુઓ ગુરુકુલમાં રહ્યા તે વાવડીનું પાણી પીનારા કાગડા જેવા છે. (૩૮) ગુરુકુલ ત્યાગીઓનું બહુમાન કરનારાઓને ઉપદેશ:तेसिं बहुमाणेणं, उम्मग्गणुमोयणा अणिटुफला। तम्हा तिस्थगराणाठिएसु जुत्तोऽत्थ बहुमाणो ॥ ३९ ॥ ગુરુકુલને ત્યાગ કરનારાઓનું બહુમાન (– પક્ષપાત) કરવાથી ઉસાર્ગની (=આગમવિરુદ્ધ આચારની) અનુમોદના થાય છે. આ અનુમોદનાથી દુર્ગતિરૂપ અનિષ્ટ ફળ મળે છે. કહ્યું છે કે – आणाइ अवस॒तं जो उपवूहेइ मोहदोसेणं । જ ગળા સાથ, મિરરકતવિસ્તારમાં પાવે ૨ | india 1 લાખ Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૪૦ થી ૪૩ જે જિનાજ્ઞા પ્રમાણે નહિ વર્તનારની મેહથી પ્રશંસા કરે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના એ ચાર દે પામે છે. આથી પ્રસ્તુતમાં ગુરુકુળમાં રહેવું વગેરે જિનાજ્ઞાનું પાલન કરનારા સાધુઓ બહુમાન કરવા યોગ્ય છે. (૩૯) જિનાજ્ઞામાં રહેલા સાધુઓનું સ્વરૂપते पुण समिया गुत्ता, पियदढधम्मा जिइंदियकसाया। गंमीरा धीमंता, पण्णवणिजा महासत्ता ॥ ४० ॥ उस्सग्गववायाणं, वियाणगा सेवगा जहासत्तिं । भावविसुद्धिसमेता, आणारुतिणो य सम्मति ॥ ४१ ॥ सव्वत्थ अपडिबद्धा, मेवादि गुणणिया य णियमेण । सत्ताइसु होति ददं, इय आययमग्गतल्लिच्छा ॥ ४२ ।। एवंविहा उणेया, सव्वणयमतेण समयणीतीए । भावेण भाविएहि, सइ चरणगुणट्ठिया साहू ॥ ४३ ॥ તીર્થકરની આજ્ઞામાં રહેલા સાધુઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે, સાધુધર્મ પ્રત્યે પ્રેમવાળા હોય છે, વિપત્તિમાં પણ ધર્મ ન મૂકે તેવા દઢ હોય છે, ઇંદ્રિ અને કષાય ઉપર વિજય મેળવનારા હોય છે, ગંભીર હોય છે, અર્થાત્ હર્ષ–દીનતા વગેરે ભાવ મુખાકૃતિ વગેરેથી ન દેખાય તેવા હોય છે. ગંભીરતાનું લક્ષણ આ પ્રમાણે છે - Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૦ થી ૪૩ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૪૭ : यस्य प्रभावादाकाराः, क्रोधहर्षभयादिषु । भावेषु नोपलभ्यन्ते, तद् गांभीर्य मुदाहृतम् ।। જેના પ્રભાવથી કેધ, હર્ષ, ભય વગેરે ભાવોના પ્રસંગે ઉપસ્થિત થવા છતાં એ ભાવના આકારો (મુખાદિ ઉપર) ન દેખાય તે ગંભીરતા છે.” બુદ્ધિમાન હોય છે, મહાસત્ત્વવંત હોય છે, અર્થાત્ આપત્તિમાં પણ ગભરાતા નથી, (૪૦) ઉત્સર્ગ– અપવાદના જાણકાર હોય છે, યથાશક્તિ ઉત્સર્ગ–અપવાદનું સેવન કરનારી હોય છે, અર્થાત્ શક્તિને છુપાવ્યા વિના જે વખતે ઉત્સર્ગ અને અપવાદ એ બેમાંથી જેની જરૂર હોય તેનું સેવન કરે છે, સ્વાગ્રહથી મુક્ત બનીને (આજ્ઞારુચિ ) આગમ ઉપર બહુમાનવાળા હોય છે, (૪૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેમાં પ્રતિબંધ રહિત હોય છે, સર્વ જી, ગુણાધિકજી, દુઃખી છે અને અવિનીત જી ઉપર અનુક્રમે મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યમ્ર ભાવનાવાળા અવશ્ય હોય છે, તેમનામાં આ ભાવનાઓ સામાન્ય કોટિની નહિ, કિંતુ દઢ અતિશય હોય છે, સમિતિ-ગુપ્તિ આદિથી જ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવાની ઈચ્છાવાળા હોય છે. (૪૨) શાસ્ત્રના પરમાર્થને જાણનારાઓએ આવા પ્રકારના (ઉક્ત સમિતિ આદિ ગુણેથી યુક્ત) સદા ચારિત્ર ગુણેમાં રહેલા સાધુઓને સાધુ તરીકે જાણવા. જે આવા નથી તે સાધુ નથી. કહ્યું છે કેसम्वेसिपि नयाणं, बहुषिहवत्त व निसामेत्ता । રાજકિયુ, જળTorrદ નાજ્ઞા વિશેષા. ૩પ૯૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : ૧૧ સાધુધર્મવિધિ-પંચશિક ગાથા ૪૪-૪૫ જ્ઞાન-ક્રિયાનય, સામાન્ય-વિશેષનય, નિશ્ચય-વ્યવહાર નય વગેરે બધા નનું જુદું જુદું (પરસપર વિરોધી) વક્તવ્ય સાંભળીને બધા નયને સંમત “જે ચારિત્રના ગુણેમાં રહેલો છે અર્થાત ક્રિયા અને જ્ઞાનથી યુક્ત છે એ સાધુ છે' એ સિદ્ધાંતનો સ્વીકાર કરે.” (૪૩) જ્ઞાન દર્શન વિના ચારિત્ર ન હોય :णाणम्मि दंसणम्मि य, सति णियमा चरणमेत्थ समयम्मि । परिसुद्धं विण्णेय, णयमयभेया जओ भणियं ॥४४ ॥ णिच्छयणयस्स चरणायविधाए णाणदंसणवहोवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥ ४५ ॥ પ્રશ્ન:- દર્શન-જ્ઞાન–ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ હોવાથી જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં રહેલા હોય તે ભાવસાધુ છે એમ કહેવું જોઈએ, જ્યારે અહીં ચારિત્રમાં (ચારિ. ત્રના ગુણમાં) રહેલા હોય તે સાધુ છે એમ કેમ કહ્યું? ઉત્તર - જ્ઞાન-દર્શન હોય તે જ વિશુદ્ધ ચારિત્ર હોય છે. આથી “ચારિત્રના ગુણમાં રહેલા” એમ કહેવાથી “જ્ઞાન-દર્શનમાં રહેલા” એમ કહેવાઈ જ જાય છે. જ્ઞાન અને દર્શન ચારિત્રને અનુસરનારા છે, અર્થાત્ જ્યાં જ્યાં વિશુદ્ધ ચારિત્ર હોય છે ત્યાં ત્યાં જ્ઞાન-દર્શન અવશ્ય હોય છે. કારણ કે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ જિનપ્રવચનમાં કહ્યું છે કે-(૪૪) નિશ્ચય ( તવવાદી) નયની દષ્ટિએ ચારિત્રને વિઘાત થતાં જ્ઞાન-દર્શનને પણ વિઘાત થાય છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ ૧૧ સાધુધર્મવિધિ-પચાશક : ૪૯ : અર્થાત્ ચારિત્રને અભાવ થતાં જ્ઞાન-દર્શનને પણ અભાવ થાય છે. (આથી જયાં ચારિત્ર ન હોય ત્યાં જ્ઞાન-દર્શન પણ ન હોય. જ્યાં ચારિત્ર હોય ત્યાં જ જ્ઞાન-દર્શન હોય. વ્યવહારનયની દષ્ટિએ ચારિત્રને વિઘાત થતાં જ્ઞાન-દર્શનને વિઘાત થાય કે ન પણ થાય. વ્યવહારનય માને છે કેઅનંતાનુબંધી કષાયના ઉદયથી ચારિત્રને વિઘાત(અભાવ) થાય તો જ્ઞાન-દર્શનને પણ વિઘાત-અભાવ) થાય. પણ જે અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી ચારિત્રને વિઘાત થાય તે જ્ઞાન-દર્શનને વિઘાત ન જ થાય. કારણ કે તેના ઉદય દર્શનનો વિઘાતક નથી. (૪૫). ઉક્ત નિશ્ચયજ્યના મંતવ્યનું સ્પષ્ટીકરણ – जो जहवायं ण कुणति, मिच्छट्टिी तओ हु को अण्णो । वडेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥ ४६ ॥ નિશ્ચયનય માને છે કે જે જીવ આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન કરતો નથી તેનાથી બીજે કયો જીવ મિથ્યાદષ્ટિ છે? અર્થાત્ આતવચન મુજબ ચારિત્રનું પાલન નહિ કરનારથી અધિક કઈ મિથ્યાદષ્ટિ નથી. તે મિથ્યાષ્ટિ હાવાથી મિથ્યાજ્ઞાની પણ છે. પ્રશ્ન:- આપવચન મુજબ ચારિત્રનું પાલન નહિ કરનાર મિથ્યાદષ્ટિ છે તેનું શું કારણ? ઉત્તર:- દર્શનનું ફળ આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન છે. જે વસ્તુનું જે ફળ હોય તે વસ્તુથી તે કુળ ન મળે Page #67 -------------------------------------------------------------------------- ________________ = ૫૦ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૪૭ તે તે વસ્તુ હોવા છતાં પરમાર્થથી નથી જ. આથી પ્રસ્તુતમાં દર્શન હોવાં છતાં જે આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન ન થાય તો પરમાર્થથી દર્શન નથી જ. એટલે આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન ન કરનાર પરમાર્થથી દર્શન રહિત હાવાથી મિથ્યાદષ્ટિ છે. તે પોતે મિથ્યાદષ્ટિ છે એટલું જ નહિ, પણ બીજાના મિથ્યાત્વને પણ વધારે છે. * પ્રશ્ન - આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન ન કરનાર બીજના મિથ્યાત્વને કેવી રીતે વધારે છે? ઉત્તર-એનું અનુચિત આચરણ જોઈને બીજાને શંકા થાય કે આ જીવ જ અનુચિત કરનારો હોવાથી અનુચિત કરે છે કે આપ્તને ઉપદેશ જ આવે છે ? (અથવા જે જિનપ્રવચનમાં જે કહ્યું છે તે સત્ય છે તે આ સત્યને જાણતા હોવા છતાં તે પ્રમાણે કેમ વીતે નથી? આથી આ પ્રવચનમાં જે કહ્યું છે તે ખોટું છે એ વિચાર આવે કે શંકા થાય.) આવી શંકાથી મિથ્યાત્વ વધે. આથી આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન નહિ કરનાર ઉક્ત રીતે બીજાઓના મનમાં શંકા ઉત્પન્ન કરીને તેમનું મિથ્યાત્વ વધારે છે. (૪૬) વ્યવહારનયના મંતવ્યનું સ્પષ્ટીકરણ :एवं च अहिनिषेसा, चरणविघाए ण णाणमादीया । तपडिसिद्धासेवणमोहासदहणभावेहिं ॥ ४७ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથ-૪૮ ૧૧ સાધુધર્મવિધિ-પચાશક : પ૧ : अणभिनिवेसाओ पुण, विवजया होति तविघाओवि । तकजुवलंभाओ, पच्छातावाइभावेण ॥ ४८ ॥ - જેમ નિશ્ચયનય પ્રમાણે ચારિત્રને વિઘાત થતાં જ્ઞાનદર્શનને અવશ્ય વિઘાત થાય છે તેમ, વ્યવહાર નય પ્રમાણે અનંતાનુબંધી કષાયથી થતા “પૃથ્વી આદિની જીવ તરીકે સિદ્ધિ થતી ન હોવાથી પૃથ્વી આદિને આરંભ કરવામાં દેષ નથી ઈત્યાદિ પ્રકારના” અભિનિવેશથી ચારિત્રને વિઘાત થાય તે જ્ઞાન-દર્શનને પણ વિઘાત થાય. પ્રતિષિદ્ધ પૃથ્વી આદિ સંબંધી આરંભ કરવાથી ચારિ ત્રને, અજ્ઞાનતાથી જ્ઞાનને, અને શ્રદ્ધાના અભાવથી દર્શનનો નાશ થાય છે. (૪૭) પણ જે કઈ જાતના અભિનિવેશ વિના અનાગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ થવાથી ચારિત્રને વિઘાત થાય તે ચારિત્રને વિઘાત થવા છતાં જ્ઞાન-દર્શન–હોય છે. કારણ કે તેના જીવમાં પશ્ચાત્તાપ આદિ થવાથી જ્ઞાન-દર્શનનું કાર્ય દેખાય છે. અર્થાત્ જે અનાગ આદિથી પ્રતિષિદ્ધ આચરણ કરે છે તે પોતાની ક્ષતિ બદલ પશ્ચાત્તાપ કરે છે, થયેલી ક્ષતિનું પ્રાયશ્ચિત્ત લે છે. તથા તેનામાં સંવેગ (મોક્ષાભિલાષ કે સંસાર નિવેદ) હોય છે. પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને સંવેગ જ્ઞાનદર્શનનાં કાર્યો છે. જે તેનામાં જ્ઞાનદર્શન ન હોય તે પશ્ચાત્તાપ વગેરે પણ ન હોય. આથી અનાગ આદિથી ચારિત્રને વિઘાત (અતિચારો) થવા છતાં જ્ઞાન-દર્શન હોય છે. (૪૮) Page #69 -------------------------------------------------------------------------- ________________ : ૫ર : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૪૯ ભાવ સાધુનું સ્વરૂપ - તા કોળી, રામુદ્રારિ I पंकयणातादिजुओ, विष्णेओ भावसाहुत्ति ॥ ४९ ॥ ગુરુકુલમાં રહેવું એવી જિનાજ્ઞા છે. ગુરુકુલના ત્યાગમાં નુકશાન છે અને ગુરુકુલમાં રહેવામાં લાભ છે. આથી જે પૂર્વોક્ત ગુરુકુલવાસ રૂ૫ ગુણથી (અથવા ૪૦-૪૧-૪૨ એ ત્રણ ગાથામાં જણાવેલા ગુણેથી) યુક્ત છે, જેમાં સુવિહિત સાધુનાં વસતિશુદ્ધિ આદિ લક્ષણે દેખાય છે, તથા ઔપપાતિક શાસ્ત્રમાં કમલપત્ર વગેરે દષ્ટાંતથી જણાવેલા ભાવે જેમાં છે તે ભાવસાધુ જાણવા. સુવિહિત સાધુનાં વસતિશુદ્ધિ વગેરે લક્ષણે (આ. નિ. વંદન અધ્ય. ગા. ૧૧૪૮માં) આ પ્રમાણે છે. आलएण विहारेणं, ठाणा चंकमणेण य । सको सुविहिओ नालं, भाषावेणइएण य ।। વસતિ, વિહાર, સ્થાન, ગમન, ભાષા અને વિનયએ સુવિહિત સાધુનાં લક્ષણે છે, અર્થાત જેનામાં વસતિશુદ્ધિ વગેરે ગુણે હોય તે સુવિહિત સાધુ છે એમ નિર્ણય કરી શકાય છે. (૧) વસતિશુદ્ધિ :- વસતિનું પ્રમાર્જન વગેરે અરેબર કરવું. અથવા સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત વસતિમાં રહેવું. (૨) વિહાર શુદ્ધિ :- શાક્ત માસકલ્પ આદિ વિધિથી વિહાર કરે. (૩) સ્થાન શુદ્ધિ : Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૧૧ સાધુધમ વિધિ—પચાશક અવિરુદ્ધ સ્થાનમાં કાર્યાત્સગ કરવા. (૪) ગમન શુદ્ધિઃયુગ પ્રમાણુ (=લગભગ ૩ા! હાથ) દૃષ્ટિ રાખીને ચાલવુ (૫) ભાષા શુદ્ધિ શુદ્ધિ :- બરાબર વિચારપૂર્વક ખેલવુ. (૬) વિનય શુદ્ધિ :- આચાર્યોદિના વિનય કરવા. ઔપપાતિક શાસ્ત્રમાં (૧૭મા સૂત્રમાં) કમલપત્ર વગેરેનાં દૃષ્ટાંતા આ પ્રમાણે છે.- ભાવ સાધુઓ કાંસાના પાત્રની જેમ સ્નેહ રહિત, [અર્થાત્ જેમ કાંસાના પાત્રમાં સ્નેહચીકાશ ચાંટે નહિ તેમ સાધુએ સ્નેહ=રાગ રહિત હાય છે] શ'ખની જેમ (રાગાદિ રહિત હાવાથી) નિરજન, જીવની જેમ ( અસ્ખલિતપણે વિહાર કરનારા હાવાથી ) અપ્રતિહત ગતિવાળા, આકાશની જેમ (ગામ વગેરેની અપેક્ષા રહિત હૈાવાથી) નિરાલખન, વાયુની જેમ કેાઈ એક સ્થળે નહિ રહેનારા, શરદઋતુના પાણીની જેમ યુદ્ધ હૃદયવાળા, કમલપત્રની જેમ (કમ રૂપ લેપ લાગતા ન હોવાથી નિરુપલેપ, કાચખાની જેમ પાંચ ઇંદ્રિયાને ગુપ્ત (કાબૂમાં) રાખનારા, પક્ષીની જેમ (પરિવારથી રહિત હાવાથી અને અનિયત સ્થાનમાં રહેનારા હૈાવાથી) મુક્ત, જંગલમાં થતા ખડ્ડી નામના પશુના શિંગડાની જેમ ( રાગાદિથી રહિત હાવાથી) એકાકી, ભાર'ડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની • ૫૩ : ભારડપક્ષીના એ વાનું શરીર એક હેાય છે, ડાક જુદી હાય છે, પગ ત્રણ હૈાય છે, તે મનુષ્યભાષા ખેાલે છે. તે અંતેને જુદી જુદી ઈચ્છા થાય તા મૃત્યુ પામે છે. આથી તે બંને બહુ અપ્રમત્ત રહે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૫૦ જેમ (કષાયાદિ શત્રુ પ્રત્યે) શૂર, વૃષભની જેમ (સ્વીકારેલા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી) બલવાન, સિંહની જેમ (પરિષહ વગેરેથી અજેય હવાથી) અજેય, મેરુપર્વતની જેમ (ઉપસર્ગોથી ચલાયમાન ન થવાથી) સ્થિર, સાગરની જેમ (હર્ષ–શક આદિના પ્રસંગે ઉપસ્થિત થવા છતાં ચિત્ત ચલાયમાન ન થવાથી) ગંભીર, સૂર્યની જેમ (દ્રવ્યથી શરીરનું અને ભાવથી જ્ઞાનનું તેજ) ઝળહળતા તેજવાળા, શુદ્ધ સુવર્ણની જેમ (રાગાદિથી રહિત હેવાથી) વસ્વરૂપવાળા, પૃથ્વીની જેમ બધું (ઉપસર્ગો વગેરે) સહન કરનારા, ઘી નાખેલ અગ્નિની જેમ (જ્ઞાનરૂપ અને તપરૂપ તેજથી) દેદીપ્યમાન હોય છે.” (૪૯) સાધુ ધર્મનું ફળ :एसो पुण संविग्गो, संवेग सेसयाण जणयंतो । कुग्गहविरहेण लहुं, पावइ मोक्खं सयासोक्खं ॥ ५० ॥ - ઉક્તગુણાવાળે ભાવ સાધુ સ્વયં સંવિગ્ન હોય છે અને બીજાને પણ ઉપદેશ અને સારા આચરણથી સંવેગ પમાડે છે. આ સાધુ કુગ્રહ રહિત હોવાથી જલદી શાશ્વત સુખવાળા મેક્ષને પામે છે. (૫૦). Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સાધુસામાચારી પચાશક અગિયારમા પચાશકમાં સાધુધ કહો. હવે સાધુની સામાચારીનું વર્ણન કરવા મંગલ વગેરે કહે છે ઃ नमिऊण महावीरं, सामायारीं जतीण वोच्छामि । વેવકો મથું, મનિમિચ્છામેિàળ ॥ ॥ ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને સાધુઓની ઇચ્છાકાર વગેરે દશ પ્રકારની સામાચારીને કહીશ. આ સામાચારી શબ્દોની અપેક્ષાએ સ'ક્ષેપથી કહીશ, પણ અથની અપેક્ષાએ મહાન અવાળી કહીશ. અર્થાત્ થાડા શબ્દોમાં કહેવા છતાં તે શબ્દમાંથી વિસ્તૃત અર્થ નીકળે તે રીતે કહીશ. સામાચારી એટલે આચાર. (૧) સામાચારીના દશ પ્રકાર ઃફા-મિજ્જા-તારી, ગાપ્તિયા હૈં સિીદિયા ! आपुच्छणा य पडिपृच्छा, छंदणा य णिमंतणा ।। २ ।। उपसंपया य काले, सामायारी भवे दसविद्दा उ । fñ તુ વયાળ, પજ્ઞેયવવળા ક્ષા ॥ ૩॥ || ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવચિકી, નૈષેલિકી, આપૃચ્છના, પ્રતિપુચ્છના, છ'દના, નિમ...ત્રણા અને ઉપસ'પદ્મા એમ સામાચારીના દશ પ્રકાર છે. A Page #73 -------------------------------------------------------------------------- ________________ * ૫૬ = ૧૨ સાધુસામાચારી–પંચાશક ગાથા ૨-૩ - ઈચ્છાકાર :-ઈચ્છાપૂર્વક બીજા પાસે કાર્ય કરાવવું કે બીજાનું કાર્ય કરવું. મિથ્યાકાર :-ભૂલ થતાં ભૂલનો સ્વીકાર કરીને પશ્ચાતાપ પૂર્વક મિચ્છામિ દુક્કડં કહેવું. તથાકાર -ગુરુ જે કંઈ કહે તેનો સ્વીકાર કરે= તહત્તિ કહેવું. આવશયિકી :- આવશ્યક કાર્ય માટે બહાર નીકળવું અને “આવશ્યક કાર્ય માટે બહાર નીકળું છું.” તેના સૂચક તરીકે “આવસૃહિ કહેવું. નૈષિધીકી - અશુભ વ્યાપારનો ત્યાગ કરીને ગુરુના અને દેવના અવગ્રહમાં પ્રવેશ કરે અને તેને સૂચક “નિસહિ” શબ્દ કહે. અહીં ગુરુ અને દેવના અવરહમાં પ્રવેશ સંબંધી નિસાહિનું વર્ણન આવશે. પણ એના ઉપલક્ષણથી ઉપાશ્રયમાં પ્રવેશ આદિ વખતે પણ નિશીહિનો પ્રયોગ કરવો જોઈએ તે જાતે સમજી લેવું.) આપૃચ્છના -કઈ પણ કાર્ય ગુરુને વિનયપૂર્વક બરોબર પૂછીને જ કરવું. પ્રતિપુચ્છના પૂર્વે ગુરુએ જે કાર્ય કરવાની ના કહી હોય તે કાર્ય કરવાની જરૂરિયાત જણાતાં “પૂર્વે આપે * શુદ્ધ શબ્દ આવDિયા છે. એથી આવરિયા (આવચિકી) એમ કહેવું જોઈએ. પણ વર્તમાનમાં આવસિસયાને સ્થાને આવર્સહિ શબ્દ પ્રચલિત બની ગયો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧૨ સાધુ સામાચારી–પંચાશક . પ૭ : આ કાર્ય કરવાની ના કહી હતી, પણ હમણાં મારે આ કાર્ય કરવાની જરૂર હોવાથી જે આપની આજ્ઞા હોય તે કરું” એ પ્રમાણે ગુરુને પૂછવું. અથવા પૂર્વે અમુક સમયે તારે અમુક કામ કરવું એમ કહ્યું હોય તે તે કાર્ય કરતી વખતે “આપે કહેલું તે કાર્ય અત્યારે કરું છું.” એમ પૂછવું=જણાવવું. છંદના – આહાર-પાછું લઈ આવ્યા પછી ગુરુને પૂછીને લાવેલા આહાર-પાણી લેવા માટે સાધુઓને વિનંતિ કરવી. * નિમંત્રણ - આહાર-પાણી લેવા જતાં પહેલાં ગુરુને પૂછીને “હું આપના માટે અશનાદિ લાવું છું” એમ સાધુએને પૂછવું-વિનંતિ કરવી. ઉપસંપદા - જ્ઞાનાદિ ગુણેની આરાધના માટે ગુરુની આજ્ઞાથી અન્ય આચાર્ય આદિ પાસે રહેવું. તે તે કાળે તે તે સામાચારીનું પાલન કરવું જોઈએ. કારણ કે સર્વે અનુષ્ઠાને તેના કાળે કરવાથી સફળ બને છે. અહીં ઈરછાકાર આદિ પ્રત્યેક સામાચારીનું ક્રમશઃ વિસ્તૃત વર્ણન કરવામાં આવશે. (૨-૩) ઈચ્છાકાર સામાચારીનું વર્ણન :अन्भत्थणाइ करणे, व कारणेणं तु दोण्ह वि उचिए । इच्छकारो कत्थइ, गुरुआणा चेव य ठितित्ति ॥ ४ ॥ બીજાની પાસે કોઈ કાર્ય કરાવવું હોય કે બીજાનું કાર્ય કરવું હોય તે ઈચ્છાકાર કર જોઈએ=“જે આપની ઈચ્છા હેય તે કરો” એ અર્થને સૂચક ઈચ્છા શબ્દ બોલો Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા-૪ જોઈએ. અર્થાત્ બીજાની ઈચ્છાપૂર્વક કરાવવું અને કરવું. જોઈએ, અને ઇચ્છાની સ્પષ્ટતા માટે બીજાને કામ કહેતાં પહેલાં અને બીજાનું કામ કરતાં પહેલાં ઈચ્છા શબ્દનો પ્રયોગ કરે અત્યંત જરૂરી છે. પ્રશ્ન :- આનું શું કારણ? ઉત્તર :- કેઇના પણ ઉપર બળાત્કાર ન કરો એવી આતની આજ્ઞા છે અને સાધુઓની મર્યાદા છે. આથી જ્યારે બીજાની પાસે પિતાનું કે બીજાનું કાર્ય કરાવવું હોય ત્યારે “જે તમારી ઈચ્છા હોય તો આ કામ કરો” એમ કહીને ઈચ્છાપૂર્વક કાર્ય કરાવવું જોઈએ, ઈચ્છા વિના બલાકારે નહિ. તે જ પ્રમાણે બીજાનું કાર્ય પિતે કરવું હોય તે પણ જેનું કાર્ય કરવું હોય તેને “હું તમારું આ કાર્ય તમારી ઇચ્છાથી કરું છું.” એમ કહીને તેની ઈચ્છાથી કરવું, તેની ઇચ્છા વિના નહિ. પ્રશ્ન - બીજાની પાસે પોતાનું કે પરનું કાર્ય ગમે ત્યારે કરાવી શકાય કે અમુક જ સંગમાં કરાવી શકાય? ઉત્તર :- માંદગી આદિ સંગોમાં જ બીજાની પાસે પિતાનું કે પરનું કાર્ય કરાવી શકાય, ગમે ત્યારે નહિ. અર્થાત દરેક સાધુએ પોતાનું કાર્ય પોતે જ કરવું જોઈએ, બીજાની પાસે નહિ કરાવવું જોઈએ. માંદગી આદિ વિશિષ્ટ * આ આજ્ઞાનું “કેઈને પણ દુઃખ ન થાય” એ ધ્યેય છે. બળાત્કાર કરવાથી દુ:ખ થાય, માટે તેના ત્યાગની જિનાજ્ઞા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪ ૧૨ સાધુસામાચારી-૫'ચાશક સચાગેા ઉપસ્થિત થતાં પાતે પેાતાનું કાર્ય કરી શકે તેમ ન હાય, કે બીજો કાઇ સાધુ તેનું પેાતાનું કાર્ય સ્વય કરી શકે તેમ ન હાય, તે જ પેાતાનું કે ખીજાનું કાર્ય ખીજા પાસે કરાવવું જોઈ એ. : ૫૯ : પ્રશ્ન :- જરૂર પડતાં ગમે તેની પાસે કાય કરાવી શકાય અને ગમે તેનું કાય કરી શકાય ? કે એમાં કાઈ નિયમ છે ? ઉત્તર ઃ- ચૈાગ્યની પાસે જ કાય કરાવી શકાય અને રાગ્યનું જ કાર્ય કરી શકાય. તેમાં રત્નાધિક સિવાય બીજા પાસે કાય' કરાવવુ' જોઇએ, અર્થાત્ રત્નાધિક પાસે કાય નહિ કરાવવુ' જોઇ એ. કારણ કે તે પૂજય છે. તથા નવદીક્ષિત આદિ સાધુનું કાય કરવુ. જોઇએ. બીજાની પાસે કાર્ય કરાવવામાં ઈચ્છાારના પાલન અંગે ( આવ. નિમાં ) કહ્યુ' છે કે— जइ होज्ज तस्स अनलो, कज्जस्स वियाणई नवा एयं । गेलन्नाईहि व होज्ज बावडी कारणेहिं सो ॥ ६७० ॥ “ પાતે અમુક કાર્ય કરવાને અસમર્થ હાય, અથવા કાયર કેવી રીતે કરવુ તે જાણુતા ન હાય, અથવા પ્લાન આદિની સેવામાં રાકાયેલા હાય, તેા “ જો તમારી ઈચ્છા હાય તા આ કાય કરા” એમ ઈચ્છાકાર સામાચારીનું પાલન કરવા પૂર્વક રત્નાધિક સિવાય બીજા પાસે કાય કરાવે.” * Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૬ : ૧૨ સાધુસામાચારી-૫’ચાશક [આમાં ત્રણુ ખાખતા કહી છે—(૧) કારણ વિના ખીન્ત પાસે કામ ન કરાવે. (૨) ઇચ્છા વિના બીજા પાસે કામ ન કરાવે, (૩) રત્નાધિક પાસે કામ ન કરાવે. ] પાલન અગે બીજાનું કાર્ય કરવામાં ઇચ્છાકારના ( આવ, નિ॰માં ) કહ્યુ છે કે~~ ગાથા-૪ अहवावि विणासंतं, अब्भत्थतं च अन्न दट्ठूणं । અન્નો જો. મનિન્ના, તું સાદું નિTMટ્રીકો || ૬૭૨ || अहय' तुम्भ एय, करेमि कज्जं तु इच्छकारेणं । ६७३ । पूर्वार्धं “ બીજુ કાઈ કાર્ય કરતા હોય, પશુ આવડતના અભાવે તે કાર્યને બગાડતા હોય તે “ જો તમારી ઈચ્છા હાય તા તમારું આ કાર્ય હું કરુ” એમ ઇચ્છાકાર સામાચારીના પાલનપૂર્વક બીજાનું કાર્ય કરે. અથવા એક સમથ સાધુને બીજો અસમર્થ સાધુ પેાતાનું કાય કરી આપવા પ્રાથના કરતા હાય એ જોઈને નિર્જાના અર્શી ત્રીજા સાધુને બીજા સાધુનું કામ કરવાની ભાવના થાય તેા “જો તમારી ઇચ્છા હોય તે। હું તમારુ' આ કામ કરી આપું” એમ કહીને જો તેની ( =બીજા સાધુની ) ઇચ્છા હોય તે તેનું કામ કરી આપે.” [ આમાં ત્રણ ખાખતા કહી છે(૧) એક સાધુ બીજાને ન કહે તે પણ જો તે (=એક સાધુ) જે કામ કરતા હાય તે કામ બગડતું હોય તેા ખીજાએ તેની ઈચ્છાપૂર્વક તેનુ કામ કરી આપવું જોઈ એ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ ૧૨ સાધુ સમાચારી-પંચાશક : ૬૧ ૪ (૨) બીજે સાધુ પિતાને કામ કરી આપવાની પ્રાર્થના ન કરે તો પણ પોતાને દેખાય કે આને અમુક કામ કરી આપવાની જરૂર છે તે એની ઈચ્છા પૂર્વક એની પાસે એ કામની માંગણી કરવી જોઈએ. (૩) બીજાનું કામ પણ તેની (= જેનું કામ કરવું છે તેની) ઈચ્છાથી જ કરવું જોઈએ, ઈરછા વિના બળાત્કારથી નહિ. (૪) બીજા પાસે કાર્ય કરાવવા સંબંધી સ્પષ્ટીકરણ – सइ सामत्थे एसो, णो कायव्वो विणाहियं कजं । अब्भस्थिएण वि विहा, एवं खु जइत्तणं सुद्धं ॥ ५ ॥ જે અમુક કાર્યમાં શક્તિ હોય તે શક્તિને ગપગ્યા વિના તે કાર્ય સ્વયં કરવું જોઈએ, બીજાની પાસે નહિ કરાવવું જોઈએ. હા, જે બીજા કેઈ ન કરી શકે તેવું લાનસેવા, વ્યાખ્યાન વગેરે બીજુ કાર્ય પિતાને કરવું પડે તેમ હોય તે પિતે સમર્થ હોવા છતાં વસ્ત્રપરિકમ (વસ સીવવું) વગેરે કાર્ય બીજાની પાસે કરાવે તે વખતે બીજા સાધુને આપની ઈચ્છા હોય તે આપ મારું વસ્ત્રપરિકમ આદિ કાર્ય કરે, હું ગલાનસેવા આદિ કાર્ય કરીશ” એમ કહેવું. બીજા સાધુએ (જેને કામ કરવાનું કહેવામાં આવે તેણે) પણ ના ન કહેવી જોઈએ. છતી શક્તિએ પોતાનું કામ બીજા પાસે ન કરાવવાથી અને બીજાએ બતાવેલ કામની ના નહિ પાડવાથી સાધુપણું શુદ્ધ બને છે, કારણ કે વીર્યાચારનું પાલન થાય છે. (૫) Page #79 -------------------------------------------------------------------------- ________________ |ઃ ૬૨ ઃ ૧૨ સાધુ સમાચારી-પંચાશક ગાથા-૬ બીજાનું કાર્ય થઈ શકે તેમ ન હોય ત્યારે અને થઈ શકે તેમ હેય ત્યારે એ બંને વખત ઈચ્છાકાર સામાચારીનું પાલન કરવાને ઉપદેશ:कारणदीवणयाइवि, पडिवत्तीइवि य एस कायवो । વાળ વા, તાિ તમિર તહેવ | ૬ | - બીજે સાધુ કાર્ય બતાવે ત્યારે તે કાર્ય થઈ શકે તેમ ન હોય તો “ આ૫નું કાર્ય કરવાની મારી ઈચ્છા છે, પણ હું તે કાર્ય કરવા સમર્થ નથી, અથવા ગુરુએ મને અમુક કાર્ય સોંપ્યું છે” વગેરે કહેવું. અર્થાત્ બીજાનું કાર્ય ન થઈ શકે ત્યારે તે કાર્ય કરવાની પોતાની ઈચ્છા દર્શાવવી અને તે કાર્ય ન થઈ શકવાનું કારણ જણાવવું. અહીં ઈચ્છા દર્શાવવાથી ઇચ્છાકાર સામાચારીનું પાલન થાય છે. [ આનાથી એ સૂચિત થાય છે કે કાર્ય નહિ કરવાનું કારણ ઈચ્છાને અભાવ નથી, કિંતુ તેવા સંયોગો છે. બીજાનું કામ કરવાની ઈચ્છાને ભાવનાને અભાવ સ્વાર્થ પરાયણ તાને સૂચક હેવાથી સાધુ માટે મહાન દૂષણ છે. ] તથા બીજાનું કાર્ય થઈ શકે તેમ હોય તે કાર્ય કરવાની પિતાની ઈચ્છાનો સૂચક ઈચ્છાકાર કરવો જોઈએ-હા કહેવી જોઈએ. અર્થાત્ આપે આ કાર્ય જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હું કરું છું એમ કહેવું જોઈએ. [ આનાથી એ સૂચન કર્યું કે બીજાનું કામ થઈ શકે તેમ હોય તે ના નહીં કહેવી જોઈએ. કામ થઈ શકે તેવું હોવા છતાં ના કહેવી એ સાધુ માટે મહાન દૂષણ છે. ] Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૬૩ બીજા પાસે કામ કરાવવાની જરૂર પડે તો રત્નાધિક સિવાય બીજા પાસે કામ કરાવવું, રત્નાધિક પાસે નહિ, કારણ કે તે પૂજ્ય છે. હા, રત્નાધિકને યોગ્ય તેવું કઈ કાર્ય હોય તો તેની પાસે પણ ઈચ્છાપૂર્વક જ કરાવવું. આ વિષે (આ નિમાં) કહ્યું છે કેराइणियं धज्जेत्ता, इच्छाकार करेज्ज सेसाण । अम्ह एय कज्ज, तुब्भे उ करेह इच्छाए ॥ ६७१ ॥ - રત્નાધિક સિવાય બીજા સાધુઓની પાસે “જે આપની ઈચ્છા હોય તો મારું આ કાર્ય આપ કરો” એમ ઈચ્છાકાર સામાચારીનું પાલન કરે.” (૬૭૧) [ આચાર્ય આદિએ પણ ઇચ્છાકાર કરવો જોઈએ એ વિષે (આવ૦ વિ૦માં) કહ્યું છે કે-] अहवा नाणाईणं, अटाए जा करेज्ज किच्चाणं । वेयावच्च किंचि वि, तत्थ वि तेर्सि भवे इच्छा ॥ ६७६ ॥ અથવા જે જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ માટે કઈ સાધુ આચાર્ય આદિની શરીર દબાવવું વગેરે વૈયાવચ્ચે કરે છે તેમાં પણ આચાર્ય આદિએ ઈચ્છાકાર કરવો જોઈએ. અર્થાત્ આચાર્ય આદિએ તે સાધુની ઈચ્છા જોઈને તેને તે તે કાર્યમાં જોડ જોઈએ, અને તે સાધુએ પણ તેમની (જેની વૈયાવચ્ચ કરવાની હોય તેની) ઈરછાપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ.” (૬) ઈરછાકાર સામાચારીનું ફલ :एवं आणाराहणजोगाओ आमिओगियखओत्ति । उच्चागोयणिबंधो, सासणवण्णो य लोगम्मि ॥ ७ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : ૧૨ સાધુસામાચારી–પંચાશક ગાથા-૮ આ પ્રમાણે ઈરછાકાર સામાચારીનું પાલન કરવાથી પર પ્રત્યે બલાત્કાર નહિ કર જોઈએ એવી આપ્તની આજ્ઞાનું પાલન થાય છે. આપ્તની આ આજ્ઞાના પાલનથી (૧) બીજાને પરાધીન રહેવું પડે તેવાં (નીચગાત્ર વગેરે) કેમેને નાશ થાય છે. (૨) ઉચ્ચગોત્ર કર્મનો બંધ થાય છે, અર્થાત બીજા તરફથી પરાભવ ન થાય અને સત્કારસન્માન થાય તેવાં કર્મોને બંધ થાય છે. (૩) ગુણગ્રાહી લોકોને અહે ! જેને બીજાને અલ્પ પણ ખેદ ન થાય તેની કાળજી રાખનારા હોવાથી તાત્વિક દષ્ટિવાળા છે, એમ જૈન ઉપર બહુમાન થાય છે. આથી ગુણગ્રાહી લોકોમાં જૈન શાસનની પ્રશંસા થાય છે. (૭). સાધુઓની મર્યાદા - आणाबलामिओगो, णिग्गंथाणं ण कप्पती काउं । इच्छा पउंजियव्वा, सेहे तह चेव राइणिए ॥ ८ ॥ આજ્ઞા અને બલાત્કાર કરે એ સાધુઓને આચાર નથી. અર્થાત “આપે આ કાર્ય કરવું જ પડશે” એવી આજ્ઞા કરવી કે આજ્ઞાથી પણ કાર્ય ન કરનાર ઉપર બલાત્કાર કરીને કાર્ય કરાવવું એ સાધુઓને યોગ્ય નથી. કારણ કે તેમ કરવાથી પરને પીડા થાય છે, અને પિતાને આભિયોગિક (= જેનાથી પરને આધીન રહેવું પડે તેવાં) કર્મો બંધાય છે. બીજા પાસે કોઈ કામ કરાવવાની કે બીજાનું કામ . કરવાની જરૂર પડતાં શિક્ષક (નવ દીક્ષિત કે દીક્ષાની ભાવના Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯ ૧૨ સાધુ સામાચારી-પંચાશક : ૨૫ : વાળા શિષ્ય) અને રત્નાધિક પ્રત્યે ઈચ્છાકારને પ્રયોગ કરવો જોઈએ, અર્થાત્ નાનાની કે મોટાની ઈચ્છાપૂર્વક કામ કરાવવું કે કરવું જોઈએ. (૮) અપવાદથી આજ્ઞા અને બલાત્કાર પણ કરાવી શકાય - जोग्गेवि अगाभोगा, खलियम्मि खरंटणावि उचियत्ति । ईसिं पण्णवणिजे, गाढाजोगे उ पडिसेहो ॥ ९ ॥ જે સાધુ ગુણ હોવાથી કલ્યાણને અને ઉપદેશને યોગ્ય છે તે સાધુની અનુપયોગથી સ્કૂલના થાય તો તેને ઠપકો પણ આપવો ઉચિત છે, અર્થાત્ તેને આજ્ઞાથી કે બલાત્યારથી પણ માગ માં લાવવું જોઈએ. હા, એટલું ખ્યાલમાં રાખવું જોઈએ કે તેને બહુ ઠપકે ન આપવું જોઈએ, થોડો ઠપકો આપ જોઈએ. બહુ ઠપકો આપવાથી પ્રાયઃ શ્રેષ-વૈર આદિ દેશે થાય છે. બહુ જ અયોગ્ય જીવને (શેડો પણ) ઠપકો નહિ આપવો જોઈએ. (કિત ઉપેક્ષાભાવ રાખવો જોઈએ.) કારણ કે उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये ।। पयःपानं भुजंगानां, केवलं विषवर्धनम् ॥ १॥ .. જેમ સપને પાન વિષ વધારનારું બને છે : તેમ મૂખને (અચોગ્યને) આપેલો ઉપદેશ પ્રકોપ માટે થાય છે, શાંતિ માટે નહિ.” (૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ = ૧૨ સાધુસામાચારી–પંચાશક ગાથા ૧૦-૧૧ મિથ્યાકાર સામાચારીનું વર્ણન – संजमजोगे अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एतंति वियाणिऊण तं दुक्कडं देयं ॥ १० ॥ સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રના વ્યાપારોમાં નાનીમાટી જે કોઈ ભૂલ થાય તેનું આ ખોટું છે એમ જાણીને મિશ્રાદુક્ત આપવું જોઈએ=ભૂલને સ્વીકાર કરવા પૂર્વક હદયમાં થયેલા અતિશય પશ્ચાત્તાપને જણાવનાર “મિચ્છામિ દુક્કડ” એવું વાક્ય બોલવું જોઈએ. (૧૦). કેવા ભાવથી મિથ્યા દુષ્કત આપવું તે જણાવે છે :सुद्धेणं भावेणं, अपुणकरणसंगतेण तिव्वेणं । एवं तकम्मखओ, एसो से अत्थणाणंमि ॥ ११ ॥ ફરી આ ભૂલ નહિ કરીશ એવા નિર્ણયપૂર્વક તીવ્ર શુભ ભાવથી સંવેગથી મિયા દુષ્કૃત આપવું જોઈએ. આવા ભાવથી મિથ્યા દુષ્કૃત આપવાથી ભૂલ નિમિત્તે બંધાયેલા કર્મોનો નાશ થાય છે. પ્રશ્ન :- અહીં તીવ્ર શબ્દનો શો અર્થ છે ? ઉત્તર – જેટલા (તીવ્ર-મંદ આદિ રૂપ જેટલા પ્રમાણવાળા) ભાવથી ભૂલ કરી હોય તેનાથી અધિક તીવ્ર શુભ ભાવથી મિયા દુષ્કત આપવું જોઈએ એ તીવ્ર શબ્દનો અર્થ છે. જેટલા (તીત્ર-મંદ આદિ રૂપ જેટલા પ્રમાણવાળા) ભાવથી ભૂલ કરી હોય તેનાથી અધિક તીવ્ર શુભ ભાવથી મિથ્યા દુષ્કત આપવામાં આવે તો જ ભૂલથી બંધાયેલા કર્મોનો નાશ થાય. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૨–૧૩ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૬૭ : પ્રશ્ન – તેવા તીવ્ર ભાવ શી રીતે થાય ? ઉત્તર – મિચ્છામિ દુક્કડં પદના અર્થનું જ્ઞાન થતાં તેવા તીવ્ર ભાવ થાય, તે વિના ન થાય. (૧૧) મિચ્છામિ દુક્કડ પદને અર્થ– मित्ति मिउमद्दवत्ते, छत्ति उ दासाण छादणे होति । मेति य मेराइ ठिओ, दुत्ति दुगुंछामि अप्पाणं ॥ १२ ॥ कत्ति क. मे पावं, डत्ति य डेवेमि तं उवसमेणं । एसा मिच्छादुक्कडपयक्खस्त्था समासेणं ॥ १३ ॥ મિચ્છામિ દુક્કડં પદમાં મિ, છા, મિ, ૬, ક અને ડે એમ છ અક્ષરો છે. દરેક અક્ષરનો અર્થ આ પ્રમાણે છે. મિ=મૃદુતા (નમ્રતા). છાત્રનું છાદન કરવું-રોકવા, અર્થાત ફરી ન કરવા. મિ=મર્યાદામાં (ચારિત્રના આચારમાં) રહેલ. દુ-દુષ્કત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે છે:- કાયાથી અને ભાવથી નમ્ર બનીને થયેલી ભૂલ ફરી નહિ કરું એવા ભાવથી ચારિત્રના આચારોમાં રહેલે હું દુષ્કૃત્ય કરનારા મારા આત્માની નિંદા કરું છું. =મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત. હું=ઉપશમથી પાપને ઓળંગી જઉં છું. અર્થાત મેં પાપ કર્યું છે એવી કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા કરેલા એ પાપથી રહિત બની જઉં છું. જ વિનયપૂર્વક કાયાને (કેડથી ઉપરના ભાગને) નમાવવી એ કાયાથી નમ્રતા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૬૮ = ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા-૧૪ મિચ્છામિ દુક્કડ પદના અક્ષરોને સંક્ષેપથી આ અર્થ છે. પ્રશ્ન:– સંપૂર્ણ પદ કે વાક્યને અર્થ જોવામાં આવે છે, પદના પ્રત્યેક અક્ષરનો અર્થ જેવામાં આવતું નથી, આથી પ્રત્યેક અક્ષરનો અર્થ યોગ્ય નથી. ઉત્તર- પ્રત્યેક અક્ષરને પણ અર્થ છે. જે પ્રત્યેક અક્ષરને અર્થ ન હોય તે અક્ષરોના સમુદાયમાં (પદમાં) પણ અર્થ ન હોય. જેમ કે રેતીના પ્રત્યેક કણિયામાં તેલ નથી તે તેના સમુદાયમાં પણ તેલ નથી. તથા પદોને અર્થ સંકેત પ્રમાણે જોવામાં આવે છે. જે પદમાં જે સંકેત હોય તે પદનો તે અર્થ થાય છે એમ વ્યવહારમાં જોવામાં આવે છે. તે પ્રમાણે અક્ષરમાં પણ સંકેત હેવામાં કશે વાંધે નથી. અક્ષરોમાં પણ સંકેત હોય છે. જેમકે–મ એટલે મનન કરવાથી અને ત્ર એટલે રક્ષણ કરનાર હોવાથી મંત્ર કહેવાય છે. અર્થાત જે મનન કરવાથી રક્ષણ કરે તે મંત્ર. અહીં મં અક્ષરમાં મનન એ સંકેત છે, અને ત્ર અક્ષરમાં રક્ષણ કરનાર એવો સંકેત છે. (૧૨-૧૩) - હવે તથાકાર સામાચારીનું વર્ણન શરૂ કરે છે. તેમાં કેવા ગુરુને તહરિ કહેવું =કેવા ગુરુનું વચન માનવું તે જણાવે છે – कप्पाकप्पे परिणिट्टियस्स ठाणेसु पंचसु ठियस्स । संयमतवड्ढगस्स उ, अविगप्पेणं तहकारो ॥ १४ ॥ ક૬૫ અને અક૯૫માં (આચાર અને અનાચારમાં અથવા Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫ ૧૨ સાધુસામાચારી-૫'ચાશક • ૬૯ : જિનાગમમાં જણાવેલ જિનકલ્પ, સ્થવિરકલ્પ વગે૨ે કલ્પમાં અને ચરકાદિ દીક્ષા રૂપ અલ્પમાં, અથવા ગ્રાહ્ય અને અગ્રાહ્યમાં) પૂજ્ઞાનવાળા, પાંચ મહાવ્રતાનુ' બરાબર પાલન કરનાર, પ્રતિલેખનાદિ સચમથી અને અનશનાદિ તપથી પરિપૂર્ણ ગુરુ આગળ કોઈ જાતની શંકા વિના તથાકાર કરવા જોઇએ= આપ આ જે પ્રમાણે કહેા છે તે પ્રમાણે જ છે” એવા અર્થના સૂચક ‘તહત્તિ' શબ્દ ખેલવા જોઈ એ. અહીં કલ્પ-૪૯૫માં પૂર્ણ જ્ઞાનવાળા એ શબ્દોથી જ્ઞાન-સપત્તિ, પાંચ મહાવ્રતાનુ ખાખર પાલન કરનાર એ શબ્દાથી મૂલગુણસ'પત્તિ અને સયમ-તપથી પરિપૂર્ણ એ શબ્દોથી ઉત્તરગુણુસ'પત્તિ કહી છે. આ ત્રણ સ'પત્તિથી યુક્ત ગુરુનુ વચન કાઈ જાતની શંકા વિના માનવુ' જોઇએ અને એ માટે તેના સૂચક તહેત્તિ શબ્દ મેલવા જોઇએ. (૧૪) કન્યારે તત્તિ કહેવું તે જણાવે છે :वायणपडि सुणणाए, उवएसे सुत्तअटुकहणाए । અવિત મેયંતિ તદ્દા, કવિનવેળ તારો ॥ ૧ ॥ સૂત્રની વાચના સાંભળતી વખતે, આચાર સ’બધી ઉપદેશ આપે ત્યારે, અને સૂત્રના અનુ` વ્યાખ્યાન કરે ત્યારે ગુરુ આગળ શિષ્યે કાઈ પણ જાતના સદેહ રાખ્યા વિના આપ આ જે કહે છે) તે સત્ય છે એ જશુાવવા તાત્તિ કહેવુ જોઈએ. [ ઉપલક્ષણથી ગુરુ કાઈ આજ્ઞા કરે, પ્રશ્નના ઉત્તર આપે વગેરે વખતે પણ તદ્ઘત્તિ કહેવુ' જોઈ એ. (૧૫) Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા.૧૬-૧૭ ઉક્ત પ્રકારના ગુરુ ન હોય ત્યારે શું કરવું તે જણાવે છે :इयरम्मि विगप्पेणं, जं जुत्तिखमं तहिं ण सेसम्मि । વિવિવણ વા, જી તરસન્થ ફૂi | ૬ | પૂર્વોક્ત જ્ઞાનસંપત્તિ વગેરે ગુણોથી યુક્ત ગુરુ સિવાયના ગુરુ કહે ત્યારે તહરિ કહેવું કે ન પણ કહેવું. તે ગુરુનું જે વચન યુક્તિયુક્ત હોય તેમાં તહત્તિ કહેવું, પણ જે વચન યુક્તિયુક્ત ન હોય તેમાં તહતિ ન કહેવું. અથવા સંગ્નિ પાક્ષિક ગીતાર્થ યુક્તિયુક્ત કે યુક્તિરહિત જે કંઈ કહે તેમાં તહરિ કહેવું. પણ અગીતાર્થના વચનમાં તહત્તિ ન કહેવું. કારણ કે તે અજ્ઞાન હેવાથી અસત્યવચન કહે એ સંભવ છે. સંવિઝપાક્ષિકનું લક્ષણ (ઉપદેશમાળામાં) આ પ્રમાણે છે – सुद्धं सुसाहुधम्म, कहेइ निंदा य निययमाचारं । सुतवस्सियाण पुरओ, हवइ य सव्वोमरायणिओ ॥५१५ ॥ “સંવિના પાક્ષિક સુસાધુઓના શુદ્ધ આચારનું વર્ણન કરે, પોતાના શિથિલ આચરણની નિંદા કરે, ઉત્તમ તપસ્વીએની સુસાધુઓની આગળ પોતે બધાથી લઘુ બને આજના લિક્ષિત સુસાધુઓથી પણ પિતાને લઘુ માને.” (પ૧૫) આ સિવાય બીજા પણ સંવિન પાક્ષિકનાં લક્ષણે (ઉપદેશમાળામાં) છે. (૧૬) ઉક્ત ગુણસંપન્ન ગુરુના વચનમાં તહત્તિ ન કહેવામાં મિથ્યાત્વ :संविग्गो गुवएस, ण देह दुब्भासियं कडुविवागं । जाणंती तम्मि तहा, अतहक्कारो उ मिच्छत्तं ॥ १७ ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮ ૧૨ સાધુસામાચારી-૫'ચાશક પ્રશ્ન :-જ્ઞાનસપત્તિ આદિ ગુણૢાથી યુક્ત પશુ ગુરુ રાગાદિયુક્ત હાવાથી અને સવિગ્નપાક્ષિક ગુરુ શિથિલ આચારવાળા હાવાથી અસત્ય ઉપદેશ આપે એવા સભવ હાવાથી તેમનુ વચન (એકાંતે) તત્તિ કેમ કરી શકાય ? ઉત્તર :-- સ’વિગ્ન ( =ભવભીરુ ) ગુરુ આગવિરુદ્ધ ઉપદેશ આપવાથી મરિચીના ભવમાં મહાવીર ભગવાનની જેમ કટુ ફળ મળે છે એમ જાણે છે. આથી તે આગમવિરુદ્ધ ઉપદેશ ન આપે, આથી સવિગ્ન અને સવિગ્નપાક્ષિક ગુરુના વચનમાં કોઈ જાતની શકા રાખ્યા વિના તહત્તિ ન કહેવું એ મિથ્યાત્વ છે. કારણુ કે શુદ્ધ પ્રરૂપક તરીકે નિશ્ચિત થયેલા ગુરુના વચનના અસ્વીકાર મિથ્યાત્વ વિના ન થાય.(૧૭) : ૭૧ : આવશ્મિકી સમાચારીનું સ્વરૂપ :कज्जेणं गच्छंतस्स, गुरुणिओएण सुत्तणीईए । आवस्सियति णेया, सुद्धा ગસ્થનોપલો || ૮ || જ્ઞાનાદિ કાર્ય માટે ગુરુની અનુજ્ઞાથી અને આગમાક્ત ઇયોંસમિતિ આદિ વિધિથી વસતિમાંથી નીકળતા સાધુની આવશ્યિકી (અવસહિ) શુદ્ધ જાણવી. કારણ કે તેમાં આયિકી શબ્દના અર્થ ઘટે છે. આવશ્યક કાર્ય માટે વસતિમાંથી નીકળવાની ક્રિયા અને એ ક્રિયાના સૂચક શબ્દો* શુદ્ધ શબ્દ આસ્સિયા કે આવસ્થિકી હેાવા છતાં વર્તમાનમાં પ્રસિદ્ધ બની ગયા હેાવાથી અહીં તે શબ્દ C " આવસહિ ॰ શબ્દ કાઉસમાં લખ્યું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : ૧૨ સાધુસામાચારી-૫'ચાશક ગાથા ૧૯ થી ૨૧ ચાર તે આવશ્યિકી ( આવસહિ ). આવશ્યકી શબ્દના આવા અથ હાવાથી આવશ્યક કાર્ય માટે જ વસતિમાંથી નીકળનાર સાધુની આવશ્યિકી (આવસહિ) શુદ્ધ છે. < અહીં જ્ઞાનાદિ કાય માટે' એમ કહીને નિષ્કારણ અહાર જવાના નિષેધ જણાવ્યેા છે. ગુરુની અનુજ્ઞાથી’ એમ કહીને ગુરુની અનુજ્ઞા વિના મહાર જવાના નિષેધ જણાખ્યા છે. ‘આગમાક્ત વિધિથી' એમ કહીને અવિધિથી જવાના નિષેધ જણાવ્યેા છે, (૧૮) ક્યા કા* માટે બહાર નીકળવુ તે જણાવે છે :कज्जेपि णाणदंसणचरितजोगाण साहगं जं तु । जक्ष्णो सेसमकज्जं, ण तत्थ आवस्सिया सुद्धा ॥ १९ ॥ અહીં સાધુનુ જે કાય જ્ઞાન-દર્શનચારિત્રનુ સાધક હાય તે જ ભિક્ષાટન આદિ કાય છે, બાકીત્તું જે જ્ઞાન-દર્શનચારિત્રનું સાધક ન હૈાય તે અકાય છે. આથી જ્ઞાનાદિ સાધક કાર્ય સિવાય બહાર જનાર સાધુની આવશ્યકી શુદ્ધ નથી. કારણ કે તેમાં આવશ્યિકી શબ્દના અથ ઘટતા નથી. (૧૯). નિષ્કારણ બહાર જનારની આવશ્યિકીનું સ્વરૂપ :-- वहमेतं णिव्विसयं, दोसाय मुसति एव विष्णेयं । મહેરૢિ વયાની, વગેશ ત્રો મારું ! ૨૦ || आवस्सिया उ आवस्सिएहि सव्वेहि जुत्तजोगस्स । एस्सेसो उचिओ, इयरस्स ण चेव णत्थित्ति ॥ २१ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨ ૧૧ સાધુસામાચારી-પંચાશક : ૭૩ : - નિષ્કારણ બહાર જનાર સાધુની આવશ્યકી નિરર્થક હોવાથી માત્ર શબ્દોચ્ચારરૂપ છે. માત્ર શબ્દચ્ચારરૂપ આવયિકી મૃષાવાદ હોવાથી કર્મબંધરૂપ દોષ માટે થાય છે. આ હકીકત નિપુણ પુરુષોએ આગમથી જાણવી. અર્થાત્ આ હકીકત અમે જ નથી કહેતા, કિંતુ આગમમાં પણ કહી છે. ગ્રામાયિક નિર્યુક્તિમાં ( આ૦ નિ ગા. ૨૯૪) આ જ હકીકત વ્યતિરેકથી (વિપરીતપણે) જણાવી છે. (૨૦) તે આ પ્રમાણે :- જે સાધુના કાયાદિગ પ્રતિક્રમણ આદિ આવશ્યકોથી (અવશ્ય કરવા લાયક ક્રિયાથી) યુક્ત છે, અર્થાત્ બહાર જવા સિવાયના સમયે પણ બધી ક્રિયા નિરતિચારપણ કરે છે તે સાધુની ગુર્વાજ્ઞાદિપૂર્વક બહાર જતી વખતે આપશ્ચિકી (બહાર જવાની ક્રિયા અને આવસતિ એ શબ્દચ્ચાર) શુદ્ધ છે. કારણ કે એવા સાધુની પ્રવૃત્તિમાં આવશિક્ષકી શબ્દનો અર્થ ઘટે છે. આનાથી વિપરીત સાધુની આવયિકી અશુદ્ધ છે=માત્ર શબ્દચ્ચારરૂપ છે. કારણ કે તેની પ્રવૃત્તિમાં આવશ્યકી શબ્દનો અર્થ ઘટતે નથી.(૨૧) નિષેધક સામાચારીનું સ્વરૂપ – एवोग्गहप्पवेसे, णिसीहिया तह णिसिद्धजोगस्स । एयस्सेसो उचिओ, इयरस्स ण चेव नस्थिति ।। २२ ॥ જેમ જ્ઞાનાદિ કાર્ય માટે વસતિમાંથી બહાર નીકળતાં આવરિયકી સામાચારી છે, તેમ દેવ-ગુરુના અવગ્રહમાં પ્રવેશ Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : ૧૨ સાધુસામાચારી-પ’ચાશક ગાથા-૨૩-૨૪ કરતાં નૈષેધિકી (નિસીહિ ) સામાચારી છે, અર્થાત્ દેવ—ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતાં અશુભ વ્યાપારના ત્યાગ કરવા જોઇએ અને તેને સૂચક “ નિસીહિ ’ શબ્દ લવા જોઈએ, અશુભ વ્યાપારના ત્યાગ કરનારમાં જ (અવગ્રહમાં પ્રવેશ કરતાં) નૈષધિકી (નિસીહિ) શબ્દના અથ ઘટે છે. અશુભ વ્યાપારને ત્યાગ નહિ કરનારની નૈષધિકી સ’ગત નથી, કારણ કે તેમાં શબ્દના અથ ઘટતા નથી. નૈષધિકી શબ્દના અર્થ આ પ્રમાણે છે :— અશુભ વ્યાપારને ત્યાગ અને તેનેા સૂચક ‘નિસીહિ’ શબ્દ કહેવા તે નૈશ્વિકી. (૨૨) કારણ ઃ— परिभोगो । દેવ-ગુરુના અવગ્રહમાં પ્રવેશનાં નિસીહિ કરવાનું गुरुदेवोग्गदभूमि, जत्तओ चेव होति કુન્નુત્તષ્ઠતાનો સર્, અમ્રિતાનો વા | ૨૩ ॥ एतो ओसरणादिसु, दंसणमेते गयादिओसरणं । सुव्वइ चेयसिहराइए सुस्सावगाणंपि ।। ૧૪ । ગુરુના અને દેવના અવગ્રહની (=રહેવાની) ભૂમિના પરિભાગ સદા આશાતના ન થાય તેની કાળજીથી જ કર વામાં આવે તે ઈષ્ટના સાધક બને છે=કમ ક્ષયનું કારણ અને છે, અન્યથા ( આશાતના ન થાય તેની કાળજી વિના) અનિષ્ટ ક્લના સાધક બને છે= ક`મધનું કારણ બને છે. ગુરુના અવગ્રહનું સ્વરૂપ આવશ્યક સૂત્રમાં (૧૨૨૧મી ગાથાની ટીકામાં) આ પ્રમાણે કહ્યું છેઃ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩-૨૪ ૧૨ સાધુસામાચારી-પંચાશક : ૭૫ : आयप्पमाणमेत्तो, चउहिसिं होइ उग्गहो गुरुणो । “ગુરુ જ્યાં બેઠા હોય ત્યાં ચારે દિશામાં શરીર પ્રમાણ (લગભગ ૩ાા હાથ) ગુરુને અવગ્રહ છે.” દેવના અવગ્રહનું પ્રમાણ કોઈ ગ્રંથમાં જોવામાં આવ્યું નથી. ફક્ત બીજાઓના મુખેથી સાંભળ્યું છે. તે આ પ્રમાણે – થોળ તિષિત (), વોર wwામકિશન જેવા સોનો દિ, તે વિચારે છે ? “જિનને પ્રશસ્ત અવગ્રહ ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ એમ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ ૬૦ હાથ પ્રમાણ, જઘન્ય ૯ હાથ પ્રમાણ, ૯ અને ૬૦ હાથ વચ્ચેને મધ્યમ અવગ્રહ છે. (૨૩) ગુર્નાદિકના અવગ્રહનો પરિગ ગુર્નાદિકની આશાતના ન થાય તેની કાળજીપૂર્વક કરવામાં આવે તે જ ઈષ્ટફલને સાધક બનતો હોવાથી સુશ્રાવકે પણ સમવસરણમાં જાય ત્યારે સમવસરણને કે સમવસરણમાં રહેલ મહેદ્રવજ, ચામર, તરણ વગેરેને દેખતાં જ તથા જિનમંદિરમાં જાય ત્યારે જિનમંદિરના શિખર, કળશ, વિજા વગેરેને દેખતાં જ હાથી, અશ્વ, શિબિકા વગેરે ઉપરથી નીચે ઉતરી જાય છે, એમ આગમોક્ત તે તે કથાઓમાં સંભળાય છે-વાંચવામાં આવે છે. આથી સુસાધુએ ગુર્નાદિકના અવગ્રહમાં પ્રવેશ કરતાં તેમની આશાતના ન થાય તેની કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન:-- અહીં શ્રાવકો એમ ન કહેતાં સુશ્રાવકો એમ “સુ” નો ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તર-સુશ્રાવક સિવાય બીજાઓ ઉક્ત વિધિનું બર Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : ૧૨ સાધુ સામાચારી-પંચા શક ગાથા-૨૫ થી ૨૮ બર પાલન ન કરે એ સંભવ છે એ જણાવવા સુશ્રાવકો એમ કહ્યું છે. (૨૪) કેની નિસાહિ ભાવથી થાય તે જણાવે છે:जो होइ निसिद्धप्पा, मिसीहिया तस्स भावतो होइ । अणिसिद्धस्स उ एसा, वइमेत्तं चेव दडव्वा ॥ २५ ॥ સાવદ્યોગથી નિવૃત્ત બનેલા સાધુની નિશીહિ પરમાથથી થાય છે. સાવદ્યયોગથી નિવૃત્ત નહિ બનેલા સાધુની નિશીહિ શબ્દોચ્ચાર માત્ર છે-નિરર્થક છે. (૨૫). આ પૃચ્છના સામાચારી :आउच्छणा उ कज्जे, गुरुणो गुरुसम्मयस्स वा णियमा । एवं खु तयं सेयं, जायति सति णिजराहेउ ॥ २६ ॥ - જ્ઞાનાદિસંબંધી કેઈપણ કાર્ય ગુરુને (વડિલને) કે ગુરુને જે સંમત હોય તે સ્થવિર વગેરેને પૂછીને કરવું તે આપૃચ્છના સામાચારી છે. સદા જ્ઞાનાદિ કાર્ય ગુરુને કે ગુરુને સંમત વિર વગેરેને પૂછીને કરવાથી કર્મક્ષયનું કારણ બને છે અને એથી કલ્યાણકારી બને છે. (૨૬) ગુરુને પૂછીને કરેલું કાર્ય કલ્યાણકારી કેમ બને છે તે જણાવે છે :सो विहिनाया तस्साहमि तजाणणा सुणायंति । सनाणा पडिवत्ती, सुहमावो मंगलो तत्थ ॥ २७ ॥ इष्टुपसिद्धणुबंधो, धण्णा पावखयपुण्णबंधाओ । સુહાપુરામાગો, ઘર્ષ વિર નરસિદ્વિત્તિ | ૨૮ | WWW.jainelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૭-૨૮ ૧૨ સાધુસામાચારી-પંચાશક : ૭૭ : - ગુરુ કે ગુરુને સંમત સ્થવિર વગેરે વસ્ત્રપ્રક્ષાલનાદિ કાર્યની વિધિના જ્ઞાતા છે. આથી તેમને હું વસ્ત્રપ્રક્ષાલનાદિ અમુક અમુક કાર્ય કરું છું એમ કહેવાથી તેઓ વસ્ત્રપ્રક્ષાલનાદિ કાર્યની વિધિ કહે. જેમકે :મોદૃકુ ૨, પુ ષg gશાય # એનિ ૩૫૮ વસ્ત્રો ધાબીની જેમ પછાડીને ન દેવા, સીની જેમ ધેકાથી પીટીને ન દેવા, ધોયા પછી કપડાં તડકે ન સુકવવા વગેરે... આથી પુછનારને વસ્ત્રપ્રક્ષાલનાદિ વિધિનું જ્ઞાન થાય છે. વિધિનું જ્ઞાન થતાં અહો ! ગુરુએ (અથવા જિનેશ્વરે) આ સુંદર જોયું છે! કારણ કે આવી વિધિથી સકલ છાની રક્ષા કરે છે અને મુમુક્ષુ ઉપર ઉપકાર કરે છે; અન્ય દર્શનવાળાઓએ આવું જોયું નથી, એ બોધ થાય છે. એવા બોધથી આ ગુરુ અને જિન જ આપ્ત છે(-વિશ્વસનીય છે) એવી રુચિ-શ્રદ્ધા થાય છે. આવી શ્રદ્ધા શુભભાવ છે. કાર્યમાં પ્રવૃત્તિ કરનારના શુભભાવ મંગલરૂપ છે-વિદ્ગોને વિનાશ કરે છે. અથવા આ ગાથાને અર્થ આ પ્રમાણે છે ગુરુ શિખ્ય કરવા ધારેલા કાર્યની સિદ્ધિના ઉપાયને જાણનારા છે. આથી કરવા ધારેલું કાર્ય ગુરુને કહેવાથી એ કાર્ય શી રીતે કરવું તે ગુરુ પાસેથી સુંદર જાણવા મળે છે. ગુરુ પાસેથી કાર્ય સંબંધી સુંદર જ્ઞાન થતાં સમ્યક્ ક્રિયાને સ્વીકાર થાય છે, અથૉત્ ગુરુએ જે રીતે કરવાનું કહ્યું હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : ૧૧ સાધુસામાચારી-પંચાશક ગાથા-૨૯ તે રીતે કરવાનો નિશ્ચય થાય છે. આ સ્વીકાર=નિશ્ચય શુભ ભાવ છે. કાર્યમાં પ્રવૃત્તિ કરનારના શુભભાવ મંગલરૂપ છેવિદનવિનાશક છે. [ આથી કાર્ય સારી રીતે સિદ્ધ થાય છે. (૨૭). તેથી (ગુરુને પૂછીને કરવાથી સારી રીતે કાર્યસિદ્ધિ થવાથી) વર્તમાન ભવમાં પાપને ક્ષય અને પુણ્યને બંધ થાય છે. તથા પરભવમાં સુંદર મનુષ્યભવરૂપ શુભગતિ અને તીર્થકર, ધર્મગુરુ આદિનો વેગ થાય છે. આથી (પાપક્ષયપુણ્યબંધ-મનુષ્યભવ-તીર્થંકરાદિ વેગથી ) વાંછિત કાર્યોનો પ્રશસ્ત અનુબંધ થાય છે. અને એ જ રીતે (-વાંછિત કાર્યને અનુબંધની જેમ) સર્વ કાર્યોની સિદ્ધિ-કૃતકૃત્યતા થાય છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. [ આથી ગુરુને પૂછીને કરેલું કાર્ય કલ્યાણકારી બને છે. ] (૨૮) ગુરુને પુળ્યા વિના કેઈ કાર્ય ન થાય :इहरा विवजतो खलु, इमस्स सम्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं, सव्वत्थापुच्छणा भणिया ॥ २९ ॥ ગુરુને પુછળ્યા વિના કાર્ય કરવાથી પૂર્વોક્ત બધા લાભોથી વિપરીત થાય છે-નુકશાન થાય છે. આથી આગમમાં દરેક કાર્યમાં આપૃચ્છના કરવાનું કહ્યું છે. પ્રશ્ન :-કાર્યો સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. તેમાં વિશેષ કાર્યો તે ગુરુને પૂછીને કરવાં જોઈએ. પણ ઉમેષ-નિમેષ, શ્વાસે શ્વાસ વગેરે સામાન્ય કાર્યો કેવી રીતે Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૦થી ૩૨ ૧૨ સાધુસમાચારી–પંચાશક : ૭૯ : પુછી શકાય? કારણ કે તેવાં કાર્યો વારંવાર કરવામાં આવતાં હેવાથી દરેક વખતે પૂછવું અશક્ય છે. ઉત્તર તેવાં કાર્ય (સવારમાં એક વખત) ઈચ્છા બહુલ સંદિસાહું? ઈચ્છા બહલ કરશું એ આદેશથી પુછી લેવામાં આવે છે. (૨૯) પ્રતિપછા સામાચારી - पडिपुच्छणा उ कज्जे, पुव्वणिउत्तस्स करणकालम्मि । wતરાદિ, forદા સમય િ રૂ૦ | પૂર્વે અમુક સમયે તારે અમુક કાર્ય કરવું એમ ગુરુએ શિષ્યને કહ્યું હોય તો શિષ્ય તે કાર્ય કરતી વખતે “આપે કહેલું કાર્ય અત્યારે કરું છું” એમ પૂછવું=જણાવવું તે પ્રતિપૃચ્છા સામાચારી છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. પ્રશ્ન ફરી પૂછવાનું શું કારણ? ઉત્તર :-પૂર્વે કહેલા કાર્ય ઉપરાંત બીજુ પણ કાર્ય કરવાનું હોય અથવા હવે તે કાર્ય કરવાનું ન હોય વગેરે કારણે પહેલાં કહેલું કાર્ય કરતી વખતે ફરી પૂછવું જોઈએ. (૩૦) પ્રતિપૃચ્છા કરવાનાં કારણે कजंतरे ॥ कज्जं, तेणं कालंतरे व कन्जंति । अण्णो वा तं काहिति, कयं व एमाइया हेऊ ॥ ३१ ॥ अहवावि पवित्तस्सा, तिवारखलणाइ विहिपओगेवि । पडिपुच्छणत्ति नेया, तहिं गमणं सउणबुड्ढीए ॥ ३२ ।। Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધુકામાચારી પચાશક ગાથા ૩૩ શિષ્ય કરીવાર પૂછે ત્યારે ગુરુ શ્રીજી' પણ કાર બતાવે, અથવા પહેલાં કહેલું કાય કરવાની હવે જરૂર નથી એમ નિષેધ કરે, અથવા પછી કરજે એમ કહે, અથવા તે કાય બીજો સાધુ કરશે એમ કહે, અથવા તે કાય બીજા સાધુએ કરી લીધુ છે એમ કહે, અથવા પૂર્વે કહેલ કાર્ય અગે વિશેષ સૂચન કરે.... પ્રતિસ્પૃચ્છા કરે....પ્રતિસ્પૃચ્છા કરવાનાં આવાં અનેક કારણેા છે. (૩૧), : ૮. : અથવા, ધારેલું કાર્ય કરવા જતાં અપશુકનથી પાછા ફરવુ પડે તે અપશુકનનું' નિવારણુ કરવાના વિધિ કરવા જોઈએ. તે આ પ્રમાણે :- પ્રથમવાર પાછા ફરવુ પડે તા આઠ શ્વાસેાશ્વાસ પ્રમાણ ( એક નવકાર) અને મીજી વાર ક્વુ પડે તેા સેાળ શ્વાસેાશ્વાસ પ્રમાણુ (એ નવકાર) કાઉસગ્ગ કરવા. ત્રીજી વાર પાછા ફરવુ પડે તે સંઘાટક તરીકે માટા સાધુને લઈ જવા, અથવા તેને પાછળ રાખવા વગેરે વિધિ કરવા. આ રીતે ત્રણ વાર પાછા ફરવું પડે તેા ક્રી ગુરુને પૂછવું એ પ્રતિસ્પૃચ્છા સામાચારી છે. ગુરુને ફ્રી પૂછ્યા પછી શુભ શુકન થતાં કાર્ય માટે જ્યાં જવાનુ હોય ત્યાં જવું. (૩૨) પ્રતિપુચ્છામાં મતાંતર : पुव्वणिसिद्धे अण्णे, परिपृच्छा किल उवडिए कज्जे । एवं िनत्थि दोसो, उस्सग्गाईदि धम्मठिई ॥ ३३ ॥ પદ્િ ॥ ૨૩ || કેટલાક આચાર્યા કહે છે કે પહેલાં ગુરુએ જે કાય * વિજયાતપ્રથાËસૂચનાર્થે : 1 Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૮૧ : કરવાની ના કહી હોય તે કાર્ય કરવાની જરૂરિયાત પડતાં કદાચ ગુરુ રજા આપે એ હેતુથી ફરી તે કાર્ય માટે ગુરુને પૂછવું તે પ્રતિપૃરછા સામાચારી છે. પ્રશ્ન- ગુરુએ જે કાર્યની અનુચિત હોવાથી ના કહી છે તે જ કાર્ય માટે ફરી પૂછવું એમાં દેષ ન લાગે? પૂર્વે જે અનુચિત હતું તે પછી પણ અનુચિત હોય. ઉત્તર- આમાં દોષ નથી, કારણ કે ધર્મવ્યવસ્થા ઉત્સગ અને અપવાદથી છે. પૂર્વે ઉત્સર્ગથી જે કરવા યોગ્ય ન હોય તે જ કાર્ય પછી તે વખતે ઉત્પન્ન થયેલા તેવા બીજા કારણોથી કરવા ગ્ય બને. કહ્યું છે કે :કરાવ દિ સાકરથા, રેરાશાસ્ત્રમશાનગતિ. कार्य यस्यामकार्य स्यात्, कर्म कार्य तु वर्जयेत् ॥ १ ॥ “દેશ, કાળ અને રોગને આશ્રયીને તેવી અવસ્થા ઉત્પન્ન થાય છે, કે જેમાં ન કરવા જેવું કરવા જેવું બને છે અને કરવા જેવું ન કરવું જોઈએ.” આથી જે કાર્ય પૂર્વે અનુચિત હતું તે જ કાર્ય પછી ઉચિત બની જાય એવું બને. એટલે પૂર્વે જે કાર્યની ના, પાડી હોય તે જ કાર્યની પછી તેવા કોઈ કારણથી ગુરુ ૨જા પણ આપે. આમ ફરી પૂછવામાં દેષ નથી. (૩૩). ઇદના સામાચારી :જુવાદિuળ છંદળ, ગુરુવાળા કાર્દિ દોતિ : असणादिणा उ एसा, णेयेह विसेसविसउत्ति ॥ ३४ ॥ Jain Edecation International Page #99 -------------------------------------------------------------------------- ________________ :-૨ : ૧૨ સાધુસામાચારી-૫'ચાશક પૂર્વે લાવેલા અશન આદિની ગુરુની આજ્ઞાથી માલગ્વાન આદિને તેમની ચાગ્યતા પ્રમાણે નિમત્રણા કરવી તે છ'દના સામાચારી છે. હ્યુ` છે કે— ગાથા-૩૫ ત્ત સંસિક ત્તિ ચ, પાદુળ-લમપ નિહાળ-સેઢે ચ । સદાયિં સર્વ્ય, ૩ ચિત્તનું નિĀતેના પ્′૦ ૧૦ ૩૪૪ “ માંડલીમાં ભેાજન નહિ કરનાર સાધુ ગુરુની રજાથી દીક્ષાપર્યોચના ક્રમ પ્રમાણે પ્રાથૂર્ણાંક, તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત એ બધાને પેાતે લાવેલા આહારની “ આમાંથી મને શાલ આપે।” એમ પ્રેમથી નિમ`ત્રણા કરે ” પ્રશ્ન :- આ સામાચારીનુ પાલન ( લાવેલા આહારનૢ' નિમ`ત્રણ) બધા સાધુઓએ કરવુ જોઈ એ ? ઉત્તરઃ- ના. માંડલીમાં àાજન નહિ કરનાર વિશિષ્ટ પ્રકારના સાધુઓએ જ આ સામાચારીનુ પાલન કરવાન’ છે. (૩૪) ધ્રુવા સાધુઓ છંદના કરે તે જણાવે છે जो अत्तलद्धिओ खलु, विसिदुखमगो व पारणाइत्तो । इहरा मंडलिभोगो, जतीण तह एगभतं च ॥ ३५ ॥ જે આત્મવૃશ્વિક (−પેાતાની જ લબ્ધિથી મળેલા માહાર લેનાર) ડાય, જે રૃમ વગેરે વિશિષ્ટ તપ કરતા હાય, જે અસહિષ્ણુતા મદિના કારણે માંડતીથી અલગ મેાજન કરતા હોય, તેજ સાધુ ખીા સાધુઓને છંદના કરે. આ સિવાયના સાધુએ તેા માંડલીમાં જ (બધાની સાથે)Àાજન Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૬ ૧૨ સાધુસામાચારી-પચાશક : ૮૩ : . - - - - કરે છે તથા એકાસણું કરે છે. આથી તેમની પાસે પૂર્વે લાવેલે આહાર ન લેવાથી છંદના ન હોય. (૩૫) આત્મલબ્ધિક વગેરે સાધુને છંદના કેમ હેય તે જણાવે છે - नाणावग्गहे सति, अहिंगे गहणं इमस्स गुण्णायं । दोहवि इटफलं तं, अतिगंभीराण धीराण ॥ ३६ ॥ પ્રશ્ન -પૂર્વોક્ત આત્મલબ્ધિક વગેરે સાધુ પોતાના પૂરતે જ આહાર લાવે. આથી તેમની પાસે અધિક આહાર ન હોવાથી ઈદના કેવી રીતે કરે ? ઉત્તર –આત્મલબ્ધિક વગેરે સાધુઓને બીજા સાધુ એના જ્ઞાનાદિગુણાની વૃદ્ધિ થતી હોય તે પિતાને જરૂર હોય તેનાથી અધિક આહાર લાવવાની છૂટ છે. કારણ કે નિમંત્રણા કરીને આપવાથી અને લેવાથી આપનાર-લેનાર બંનેને ઈષ્ટફલની પ્રાપ્તિ થાય છે. હા, તે બંને અતિગંભીર અને ધીર દેવા જોઈએ. - દાયકમાં ગંભીરતા આ પ્રમાણે જોઈએ:(૧) લેનાર સાધુના ગુણોની વૃદ્ધિ થાય તે આશય હે જોઈએ. (૨) છંદનાથી મારા કર્મોની નિર્જરા થાય તે આશય હે જઈએ. (૩) કીર્તિની અભિલાષા ન લેવી જોઈએ. (૪) પ્રત્યુપકારની (હું આપીશ તે તે મારું કામ કરી આપશે વગેરે) આશા ન હોવી જોઇએ. (૫) આ મારે વજન છે વગેરે આશય પણ ન હૈ જોઈએ. લેનારમાં ગંભીરતા આ પ્રમાણે જોઈએ: Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૮૪ : ૧૨ સાધુ સામાચારી–પંચાશક ગાથા-૩૭ કન - = = આપનારના કર્મોને ક્ષય થાય અને મારા સ્વાધ્યાયાદિ વેગે અવિચ્છિન્ન રહે એ આશય જોઈએ. વિનંતિ કરીશ અને બીજા લેશે તો હું ભૂખ્યો રહીશ એ ભય ન રાખવે એ દાતારની ધીરતા છે. - હું લઈશ તો તેના બદલામાં કંઈ આપવું પડશે વગેરે પ્રકારની શંકા ન રાખવી તે લેનારની ધીરતા છે. (૩૬) કેઈ ન લે તે પણ છંદના કરનારને લાભ:गहणेवि णिजरा खलु, अग्गहणेवि य दुहावि बंधो य । માવો અથ ળિમિત્ત, ગાળામુદ્દો મુદ્દો ય | રૂ૭ || છંદના કરવાથી કઈ પણ સાધુ આહાર લે તે પણ નિર્જરા જ થાય અને ન લે તે પણ નિજ સે જ થાય. તથા છંદના કરવાથી કેઈ પણ સાધુ આહાર લે તો પણ કર્મબંધ થાય અને ન લે તે પણ કમબંધ થાય. પ્રશ્ન- છંદના કરવાથી સાધુ આહાર લે કે ન લે તે પણ નિજરે જ થાય એ વાત બરોબર છે. પણ લે કે ન લે તે કર્મ બંધ થાય એ કેવી રીતે ? ઉત્તર :-નિજ રામાં અને કર્મબંધમાં માત્ર સ્વીકાર અને અસ્વીકાર કારણ નથી, કિંતુ ભાવ–આત્મપરિણામ કારણ છે. શાસ્ત્રદષ્ટિથી શુદ્ધ ભાવ નિર્જરાનું કારણ છે અને શાસ્ત્રદષ્ટિથી અશુદ્ધભાવ કર્મબંધનું કારણ છે. અર્થાત અમુક ભાવ શુદ્ધ છે કે અશુદ્ધ અને નિર્ણય પોતાની મતિ કલ્પનાથી નહિ, કિંતુ શાસ્ત્રદષ્ટિથી કરે. સ્વદષ્ટિથી નહિ, * કે Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૮૫ ઃ કિન્તુ શાસ્ત્રદષ્ટથી જે ભાવ શુદ્ધ હોય તે નિરાનું કારણ છે. અને જે ભાવ (પિતાની દકિટથી શુદ્ધ હોય તે પણ) શાસ્ત્રદષ્ટિથી અશુદ્ધ હોય તે ભાવ કર્મબંધનું કારણ છે. આથી છંદના કરવાથી સાધુ આહાર લે કે ન લે પણ જે શાસ્ત્રષ્ટિથી ભાવ શુદ્ધ હોય તે નિર્જરા થાય અને અશુદ્ધ હોય તે કર્મ બંધ થાય. નિજારા અને કર્મબંધનું કારણ ભાવ છે એ વિશે કહ્યું છે કેपरमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । forfમજે માળે, નિઝામવઢવમાનri | ઓ. નિ. ૭૬ ૧ સંપૂર્ણ આગમાનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનારા સુવિહિતેનું “ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે.” એવું પરમ તત્ત્વ છે. અર્થાત્ આગ મના સારને જાણનારા સુવિહિતો નિશ્ચયનયની દષ્ટિએ , ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણુરૂપ માને છે, બાહ્ય ક્રિયાને નહિ.” 'નિમંત્રણ કરવાથી કોઈ પણ સાધુ ન લે તો પણ નિર્જરા જ થાય એ વિષે (પં.વ.માં) કહ્યું છે કેइच्छेज न इच्छेज, व तह वि य पयओ निमंतए साहू । परिणामविसुद्धीए, उ निज्जरा होअगहिएवि ॥ ३४६ ॥ .. કોઈ સાધુ લે કે ન લે, તે પણ આદરપૂર્વક સાધુ- " ઓને આહારનું નિમંત્રણ કરવું જોઈએ. કારણ કે ન લે છે તે પણ નિમંત્રણ કરતાં થયેલી પરિણામની વિધિથી નિજ થાય છે.” (૩૭) Page #103 -------------------------------------------------------------------------- ________________ = ૮૬ ઃ ૧૨ સાધુ સામાચારી–પંચાશક ગાથા-૩૮ થી ૪૦ નિમંત્રણે સામાચારી :सज्झायादुव्वाओ, गुरुकिच्चे सेसगे असंतम्मि । तं पुच्छिऊण कज्जे, सेसाण णिमन्तणं कुजा ॥ ३८ ॥ સ્વાધ્યાય-ધ્યાન આદિ કરીને થાકી જાય ત્યારે ગુરુનાં (=વડિલનાં) વિશ્રામણ, વસ્ત્રપરિક વગેરે કાર્યો કરે. તે કાર્યો ન હોય તે “આપની આજ્ઞા હોય તો હું સાધુઓ માટે આહારાદિ લાવું” એમ ગુરુની (વડિલની આજ્ઞા લઈને “હું આપના માટે આહારાદિ લાવું છું” એમ સાધુઓને નિમંત્રણ કરે. (૩૮) સાધુએ કોઈને કોઈ કાર્યમાં જોડાયેલા જ રહેવું જોઈએ તેનું કારણ:दुलहं खलु मणुयत्तं, जिणवयणं वीरियं च धम्मम्मि । एयं लभूण सया, अपमाओ होइ कायध्वो ॥ ३९ ॥ दुग्गतरयणायररयणगहणतुल्लं जइणं किच्चं ति । आयतिफलमद्धवसाहणं च णिउणं मुणेयव्वं ॥ ४० ॥ મનુષ્યભવ, જિનવચન અને ચારિત્રધર્મમાં ઉત્સાહ એ ઘણું દુર્લભ જ છે. આથી આ ત્રણ પામીને ક્યારેય ધમકાર્યોમાં પ્રમાદ ન કરવો જોઈએ. આથી સ્વાધ્યાયાદિથી પરિત બનેલા સાધુએ ઉક્ત રીતે નિમંત્રણા કરવી જોઈએ. (૩૯). (૧) સાધુઓનાં કર્તવ્ય મણિઓના ઉત્પત્તિસ્થાને ગયેલા ગરીબના રત્નગ્રહણ તુલ્ય છે, અર્થાત જેમ મણિ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૮૭ : ના ઉત્પત્તિસ્થાને ગયેલા ગરીબની રત્ન લેવાની ઈચ્છા અવિચ્છિન્ન હોય છે-સતત હોય છે, તેમ ચારિત્રને પામેલા સાધુની વૈયાવચ્ચ આદિ સાધુનાં કાર્યો કરવાની ઈચ્છા સતત હોય છે. (૨) સાધુઓનાં કર્તવ્યનું ફળ ભવિષ્યમાં મળે છે. [આનાથી એ સૂચન કર્યું કે રત્નનું ફળ વર્તમાનકાળમાં મળે છે. વર્તમાનકાળ કરતાં ભવિષ્યકાળ અધિક છે. આથી વર્તમાનમાં જ ફળ આપનાર રત્નથી ભવિષ્યમાં અધિકકાળ ફળ આપનારાં સાધુકૃત્યે શ્રેષ્ઠ છે.] સાધુકૃત્યોનાં મનુષ્યભવ, આર્યક્ષેત્ર, આર્યજાતિ વગેરે સાધનો અનિત્ય છે. આ (-આ ગાથામાં કહેલું કે ૩૯-૪૦ એ બંને ગાથામાં કહેલું) બરોબર જાણવું. જાણેલું પણ ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં સતત અપ્રમત્ત રહેવાય. (૪૦) ગુરુને પૂછીને સાધુઓને નિમંત્રણ કરવું જોઈએ. પણ કોઈ કારણ સર ગુરુને પૂછ્યા વિના નિમંત્રણ કરી દીધું તો શું કરવું તે જણાવે છે :इयरेसिं अक्खित्ते, गुरुपुच्छाए णिओगकरणंति । एवमिणं परिसुद्धं, वेयावच्चे तु अकएवि ॥ ४१ ।। ગુરુને પૂછયા વિના ગુરુ સિવાય બાકીના સાધુઓને “હું તમારા માટે આહારાદિ લાવું છું” એમ નિમંત્રણ કરી દીધું હોય તે લાવતાં પહેલાં ગુરુને અવશય પૂછવું જોઈએ. ગુરુને પૂછવાથી બાકીના સાધુઓને કરેલું નિમંત્રણું Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : ૧૨ સાધુસામાચારી-૫'ચાશક નિર્દોષ જ ખને છે. આનું કારણ પ્રસ્તુત પ્રકરણમાં ૨૭ અને ૨૮ એ એ ગાથાઓમાં જણાવી દીધું છે. ગાથા-૪૨ પ્રશ્નઃ– ગુરુને પૂછવાથી સાધુઓને કરેલું નિમંત્રણ નિર્દોષ જ બને છે એમ જકારપૂર્વક કહ્યું. પણ આમાં પ્રશ્ન થાય છે કે નિમંત્રણ આપી દીધા પછી ગુરુને પૂછે અને ગુરુ ના પાડે, અથવા ગુરુ હા પાડે, પણ પેાતાને આહારા દિની પ્રાપ્તિ ન થાય તા આહારાદિ ન મેળવી આપવાથી કરેલું નિમંત્રણુ નિષ્ફળ જવાથી નિર્દોષ કેવી રીતે અને ! ઉત્તર:- આહારાદિ દાન રૂપ વૈયાવૃત્ત્વ ખાદ્યથી ન કરવા છતાં ભાવથી કરેલું જ છે, કારણુ કે ગુર્વાજ્ઞાના પાલનમાં જ મહાન લાભ છે. ગુરુ પણ ગમે તેમ ના ન પાડે, કિંતુ ખાસ મહત્ત્વત્તુ' કારણ હોય તે જ ના પાડે, આમ પુરુને પૂછવાથી સાધુઓને કરેલું નિમંત્રણ નિર્દોષ જ અને છે. ઉપસ પદા સામાચારી : राचसंपया य तिविहा, णाणे तह दंसणे चरिते य । *મળળાને તિવિદ્યા, તુવિદ્દા ય પરિત્તમમ્રાજ્ ॥ ૪૨ ॥ આત્મનિવેદન રૂપ (=જ્ઞાનાદિ માટે ગુરુની રજાથી અન્ય આચાય પાસે જઈને આત્મસમર્પણુ પૂર્વક તેની પાસે રહેવા રૂપ) ઉપસ‘પટ્ટા સામાચારી જ્ઞાનસ'ખ'ધી, દર્શનસ'ખ'ધી અને ચારિત્રસ'ખ'ધી એમ ત્રણ પ્રકારે છે, ઉપ સંપદાના આ ત્રણ લે ઉપસ’પાં આપવાના હેતુના ભેદથી છે. જ્ઞાનહતથી=જ્ઞાન માટે અપાતી ઉપસ‘પદા સાન C Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૮૯ : સંબંધી છે. દશનશુદ્ધિ હેતુથી દર્શનશુદ્ધિ માટે અપાતી ઉપ સંપદા દર્શન સંબંધી છે. ચારિત્રશુદ્ધિ માટે અપાતી ઉપસંપદા ચારિત્ર સંબંધી છે) જ્ઞાનસંબંધી અને દર્શન સંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે. ચારિત્ર સંબંધી ઉપસંપદા બે પ્રકારે છે. (૪૨) મૂળ ત્રણ ઉપસંપદાના અવાંતર ભેદોઃपत्तण-संधण-गहणे, सुत्तत्थोभयगया उ एसत्ति । वेयावच्चे खमणे, काले पुण आवकहियादी ॥ ४३ ॥ - જ્ઞાનસંબંધી ઉપસંપદાના સૂત્ર સંબંધી, અર્થ સંબંધી અને સૂત્ર અર્થ એ બંને સંબંધી એમ ત્રણ ભેદ છે. એ ત્રણે ભેદના પરાવર્તન, અનુસંધાન અને ગ્રહણ એમ ત્રણ ત્રણ ભેદ છે. આથી જ્ઞાનસંબંધી ઉપસંપદાના કુલ (૩૩) ૯ ભેદ છે. દર્શનપ્રભાવક સંમતિતર્ક વગેરે ગ્રંથને આશ્રયીને આ જ નવ ભેદો દર્શનસંબંધી ઉપસંપદાન છે. સૂત્ર=અર્થસૂચક વાક્ય. અર્થસૂત્રનું વ્યાખ્યાન. પરાવર્તન ભૂલાઈ ગયેલું સૂત્રાદિ કૃત યાદ (=ઉપસ્થિત) કરવું. અને સંધાન=કોઈ ગ્રંથમાં અમુક સ્થળે નાશ પામેલ કે વિસ્કૃત થયેલ શ્રુત તે સ્થળે જોડવું. ગ્રહણ નવા શ્રુતને અભ્યાસ કરો . ચારિત્ર ઉપસંપદાના વૈયાવૃત્ત્વ અને તપ એમ બે ભેદ છે. આ બંને ભેદના કાલના પરિમાણની અપેક્ષાએ યાવહથિક અને ઈ-વરકાલિક એમ બે ભેદ છે, વૈયાવચ્ચ માટે Page #107 -------------------------------------------------------------------------- ________________ : : ૧૨ સાધુકામાચારી-૫'ચાશક કે તપ માટે અન્ય આચાય પાસે સ્ત્રજીવનપર્યંત રહેવું તે ચાવકાર્થક, અમુક સમય સુધી રહેવુ તે ઇત્થરકાલિક, (૪૩) ગાથા-૪૪ ઉપસ પદાના ર્વાિધ : संदिट्ठो संदिट्ठस्स चैव संपजई उ एमाई । भंगोएत्थं पुण, पढमो भंगो वह सुद्धो ॥ ४४ ॥ અન્ય આચાય ની પાસે જવામાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે (૧) ગુરુની રજાથી જાય, અને ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હોય તે જ આચાય પાસે જાય. (૨) ગુરુની રજાથી જાય, પશુ ગુરુએ જે આચાય પાસે જવાનુ` કહ્યુ` હોય તે આચાય પાસે ન જાય, કિંતુ ખીજા આચાય પાસે જાય. (૩) ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હાય. તે જ આચાય પાસે જાય, કિંતુ ગુરુની રજા વિના જાય, અર્થાત્ ગુરુએ હમણાં ન જવું એમ કહ્યુ... હોય છતાં જાય. (૪) ગુરુની રજા વિના જાય અને ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યુ... હાય તે સિવાય બીજા આચાય પાસે જાય. આમાં પહેલા ભાંગા શુદ્ધ છે. ( શ્રુતજ્ઞાનના વિચ્છેદ ન થાય=પ્રવાહ ચાલે એ માટે) અપવાદથી બાકીના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. (૪૪) Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫-૪૬ ૧૨ સાધુ સામાચારી-પંચાશક : ૯૧ : પરાવર્તનાદિ પદનો અર્થ - अथिरस्स पुवगहियरस वत्तणा जं इहं थिरीकरणं । तस्सेव पएसंतरणहस्सणुबंधणा घडणा ॥ ४५ ॥ गहणं तप्पढमतया, सुत्तादिसु णाणदंसणे चरणे । वेयावच्चे खमणे, सीदणदोसादिणाऽण्णत्थ ॥ ४६ ॥ જે શ્રુતનો પૂર્વે અભ્યાસ કર્યો હોય, પણ ભૂલાઈ ગયું હોય તે શ્રતને યાદ (=ઉપસ્થિત) કરવું તે પરાવર્તન. પૂર્વે જે ગ્રંથને અભ્યાસ કર્યો હોય તેમાં કોઈ સ્થળે શ્રત નાશ પામી ગયું હોવાથી મૃતનો અભ્યાસ કર્યો હોય, તે વખતે જ તે સ્થળના શ્રતને અભ્યાસ ન થઈ શક્યો હોય, આથી તે સ્થળના શ્રતને અભ્યાસ કરીને તેને પૂર્વે ભણેલા શ્રતમાં જેડી દેવું તે અનુસંધાન. તથા પૂર્વે જે ગ્રંથનો અભ્યાસ કર્યો હોય તે ગ્રંથ યાદ હોય, પણ તેમાં કઈ સ્થળે ભૂલાઈ ગયું હોય. આથી જે સ્થળે શ્રુત ભૂલાઈ ગયું હોય તે સ્થળે યાદ કરીને તે શ્રુત જેડી દેવું તે પણ અનુસંધાન છે. (૪૫). જેને પૂર્વે અભ્યાસ કર્યો નથી તે નવા શ્રુતજ્ઞાનના કે દશનશુદ્ધિના ગ્રંથને સૂત્રથી, અર્થથી કે સૂત્ર-અર્થ બંનેથી અભ્યાસ કરે તે ગ્રહણ. જ જે ગુરુ પાસે અભ્યાસ કર્યો હોય તે ગુરુને એ ગ્રંથને અમુક ભાગ યાદન હેય, અથવા પુરતકને અમુક ભાગ ફાટી ગયે હેય વગેરે કારણથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ :* ૧૨ સાધુ સામાચારી–પંચાશક ગાથા-૪૭ ચારિત્ર સંબંધી ઉપસંપદાના વૈયાવચ્ચસંબંધી અને તપસંબંધી એમ બે ભેદ છે. પ્રશ્ન- પિતાના ગચ્છમાં વિશિષ્ટ જ્ઞાનવાળા કોઈ ન હેય એથી બીજા ગચ્છમાં વિશિષ્ટ જ્ઞાન મેળવવા જાય એ બરાબર છે. પણ વિયાવચ્ચ કરવા અને તપ કરવા બીજા ગચ્છમાં કેમ જાય ? ઉત્તરઃ- (૧) પોતે જે ગચ્છમાં હોય તે ગચ્છમાં (સાધુઓ શિથિલ હેવાથી) સાધુઓના આચારનું બરાબર પાલન ન થતું હોય, (૨) પોતાના ગચ્છમાં બીજા સાધુઓ વિયાવચ્ચ કરનારા હોય એથી વૈયાવચ્ચનો લાભ ન મળતો હોય, (૩) પિતાના ગચ્છમાં બીજા તપસ્વીએ હેય એથી તપ કરે તે સેવા કરનારા ન હોય, આવા આવા કારણેથી વૈયાવરચ કરવા અને તપ કરવા બીજા ગચ્છમાં જાય. (૪૬). ' ચારિત્ર ઉપસંપદામાં અનેક વિકલ્પ - इत्तरियादिविभासा, वेयावच्चम्मि तह य खवगेवि । अविगिट्टविगिटुंमि य, गणिणा गच्छस्स पुच्छाए । ४७ ॥ વિયાવચ્ચ સંબંધી તથા અવિકૃણ અને વિકૃણ તપસંબંધી ઉ૫સંપદામાં ઈવર અને થાકથિક વગેરે વિકલ્પ (વિભાગ) કરવા. તે આ પ્રમાણે : * આનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિયાવર કે તપનું કારણ ન હોય તે પણ ચારિત્રનું સારું પાલન થાય તે માટે પણ બીજા ગરછમાં જાય. Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૯૩ : બીજા ગચ્છમાંથી વૈયાવચ્ચ કરવા આવનાર ઈવ૨ (-થોડા સમય સુધી રહેનાર) કે યાવસ્કથિક (જીવન પર્યંત રહેનાર) હોય એમ બે વિકલ્પ છે. તથા આચાર્યને -જે ગચ્છમાં વૈયાવચ કરવા આવે છે તે ગચ્છના આચાર્યને) વૈયાવચ્ચ કરનાર હોય કે ન હોય એમ બે વિક છે. આચાર્યને વૈયાવચ્ચ કરનાર હોય તે ઈ-વર હોય કે યાવત્રુથિક હોય એમ બે વિકલ્પ છે. તેમાં ઉપસંપદા સવીકારવાને વિધિ આ પ્રમાણે છે - (૧) આચાર્યનો વૈયાવચ્ચ કરનાર ન હોય તે આગ. તુક ઈવર કે યાવસ્કથિક જે હોય તેને સ્વીકાર ક. (૨) વૈયાવચ્ચ કરનાર હોય અને ચાવકથિક હેય તથા ન આવેલે પણ યાવસ્કથિક હેય તે એ બેમાં જે લબ્ધિ સંપન્ન હોય તેને આચાયે પિતાની પાસે રાખવે–પિતાની વૈયાવચ્ચ કરાવવી, બીજે ઉપાધ્યાય આદિને સોંપ-બીજા પાસે ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરાવવી. (૩) જે બંને લબ્ધિસંપન્ન હોય તે રહેલો પિતાની પાસે રાખો અને આગંતુક ઉપાધ્યાયાદિને આપો. (૪) આગંતુક ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવાને રાજી ન હોય તે અને રહેલે રાજી હોય તે રહેલે ઉપાધ્યાયાદિને આપ અને આગંતુક પિતાની પાસે રાખવે. (૫) રહેલો પણ ઉપાધ્યાયાદિની સેવા કરવાનું શરુ ન હોય તે આગંતુકને રજા આપવી=ન રાખવે. WWW.jainelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ : ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા-૪૭ (૬) રહેલ યાવસ્કથિક હોય અને આગંતુક ઈસ્વર હેય તે પણ આ જ પ્રમાણે (અહીં ૨ થી ૫ નંબર સુધીમાં જણાવ્યા પ્રમાણે) ભેદે=વિકપ કરવા. પણ એમાં (અહીં જણાવેલ ૫ નંબરના વિકલ્પમાં) આટલે ફેર છે કે રહેલ ઉપાધ્યાયાદિની વિયાવચ્ચ કરવાને રાજી ન હોય તો પ્રેમથી સમજાવીને તેને (નવો આવેલું રહે ત્યાં સુધી) આરામ આપ જ પ્રેમથી સમજાવવા છતાં ન ઈચ્છે (-ઉપાધ્યાયાદિની સેવા કરવામાં રાજી ન હોય અને આરામ કરવામાં પણ રાજી ન હોય) તે નવા આવેલાને રજા આપવી. (૭) જે રહેલો ઈવર હોય અને આગંતુક યાવસ્કથિક હોય તે રહેલે (એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી) ઉપાયાયાદિને આપ અને આગંતુક પિતાની પાસે રાખવો. બાકીના વિકલ્પ પૂર્વની જેમ સમજવા. (૮) રહેલ અને આગંતુક એ બંને ઈસ્વર હોય તે એકને પિતાની પાસે રાખ અને એક ઉપાધ્યાયાદિને આપ. બાકીના વિકલ્પો પૂર્વની જેમ સમજવા. અથવા બેમાંથી એકને તેની અવધિ સુધી રાખો અને બીજાને રજા આપવી. * અહીં આ ગાથાની આવશ્યક નિર્યુક્તિ (ગાથા નંબર ૭૧૮)ની વૃત્તિમાં અને પંચાશકની વૃત્તિમાં થેડો પાઠભેદ છે. આવશ્યક વૃત્તિને પાઠ ઠીક લાગવાથી તે પ્રમાણે અર્થ લખે છે, Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ ૧૨ સાધુ સામાચારી--પંચાશક : ૯૫ : આ પ્રમાણે વૈયાવચ્ચ સંબંધી ઉપસંપદા સ્વીકારવાના વિક છે. તપસંબંધી ઉપસંપદા સ્વીકારવાના વિકલ્પ આ પ્રમાણે છે : તપસ્વી ઈસ્વર અને માવસ્કથિક એ બે પ્રકારે છે. માણ સમયે જીવનપર્યત અનશન કરનાર યાવકથિક છે. ઈવર -અમુક સમય સુધી તપ કરનાર) તપસ્વીના વિકૃષ્ટ અને અવિકૃષ્ટ એમ બે ભેદ છે. અદૃમ વગેરે (અદૃમના પારણે અમ, ચાર ઉપવાસના પારણે ચાર વગેરે) તપ કરનાર વિકૃષ્ટ તપસ્વી છે. છટ્ઠ સુધી (ઉપવાસના પારણે ઉપવાસ કે કે જૂના પારણે છ) તપ કરનાર અવિકૃષ્ટ તપસ્વી છે. બંને પ્રકારના તપસ્વીને આચાર્ય આ પ્રમાણે કહેવું : જે તું પારણાના સમયે ઢીલો થઈ જતે છે તે તપ ન કર, પ્તિ વયાવચ્ચ આદિમાં ઉદ્યમ કર. કેટલાક કહે છે કે, વિકૃણ તપસ્વી પારણાના સમયે ઢીલો થઈ જતો હોય તે પણ સ્વીકારો. જે માસખમણ વગેરે તપ કરે કે યાવસ્કથિક તપસ્વી હોય તેને તે આવ૫ સ્વીકારો. (જળ જરર પુછાત્ર) હા, એટલું છે કે તેને સ્વીકારતાં પહેલાં આચાર્યે પોતાના ગછને - WWW.jainelibrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : ૧૨ સાધુ સામાચારી--પંચાશક ગાથ.૪૮ પૂછવું જોઈએ. જે ન પૂછે તો સામાચારીને ભંગ થાય.+ કારણ કે (પૂછયું ન હોવાથી) સાધુઓ આચાર્યના કહેવા છતાં તપસ્વીની ઉપધિનું પડિલેહણ વગેરે સેવા ન કરે. સાધુઓને પૂછતાં સાધુઓ કહે કે, અમારે એક તપસ્વી છે એક તપસ્વીની સેવા કરવાની છે, એથી તેની તપસ્યા પૂરી થશે એટલે આનું ઉચિત કરીશું, તે તેને રાખ. પણ જે સાધુઓ તેની સેવા કરવા ન ઈછે તે ન રાખવો. જે ગ૭ તેની પણ વૈયાવચ્ચ કરવાની અનુમતિ આપે તો એને અવશ્ય સ્વીકારે. આ રીતે (સાધુઓની અનુમતિથી) સ્વીકારેલા તેની ઉદ્દવર્તના (શરીર દબાવવું વગેરે) કરવી. જે સાધુઓ તેમાં પ્રમાદ કરે તો આચાર્યે તેમને પ્રેરણા કરવી. (૪૭) સામાચારીના વર્ણનને ઉપસંહાર:एवं सामायारी, कहिया दसहा समासओ एसा । હિંમતવદ્ધા, કથા મહરિસી ! ૪૮ | આ પ્રમાણે સંયમ-તપથી પરિપૂર્ણ અને બાહા-અત્યં. તર ગ્રંથિથી રહિત મહામુનિઓની આ દશ પ્રકારની સામાચારી (સુંદર વ્યવહાર) કહી. (૪૮) + પોતાની અને સાધુઓની એમ બંનેની સામાચારીનો ભંગ થાય. પૂછવું ન હોવાથી પિતાની ઈચ્છાકાર સામાચારીને ભંગ થાય. આચાર્યના કહેવા છતાં તપસ્વીની સેવા ન કરવાથી સાધુઓની તહત્તિ' વગેરે સામાચારીને ભંગ થાય. તપસ્વીને દુષ્યન વગેરે બીજા પણ ઘણું દેષ થાય. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯-૫૦ ૧૨ સાધુસામાચારી-પંચાશક : ૯૭ : - - ------ - -- -- -- - - સામાચારીનું ફળ:एवं सामायारी, जुजता चरणकरणमाउत्ता । સાદુ વેતિ મં, ગામવલંબિવંત ૪૨ / ચરણ-કરણમાં ઉપયુક્ત અને આ સામાચારીને સારી રીતે પાળતા મુનિઓ અનેક ભમાં ઉપાર્જન કરેલાં અનંત કર્મોને ખપાવે છે. મહાવ્રત વગેરે ચરણ (-મૂલગુણ) છે અને પિંડવિશુદ્ધિ વગેરે કરણ (-ઉત્તરગુણ) છે. (૪૯) સામાચારીનું પાલન ન કરવાનું ફળ – जे पुण एयविउत्ता, सग्गहजुत्ता जणंमि विहरति । तेसिं तमणुट्ठाणं, जो भवविरहं पसाहेइ ॥ ५० ॥ - જે સાધુએ આ સામાચારીથી રહિત છે અને અશાસ્ત્રીય અનુષ્ઠાનમાં આગ્રહવાળા બનીને લોકમાં વિચરે છે તે સાધુઓનાં તે (અશાસ્ત્રીય) અનુષ્ઠાને સંસારને ક્ષય કરતા નથી. (૫૦) WWW.jainelibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પિંડવિધિ પંચાશક સામાચારીમાં નિમંત્રણું સામાચારી છે. નિમંત્રણે સામાચારી પિંડગ્રહણના વિધિથી વિશુદ્ધ આહારાદિથી કરવી જોઈએ. આથી હવે પિંડવિશુદ્ધિના વિધિનું પ્રતિપાદન કરવા મંગલ, અભિધેય વગેરે કહે છે :नमिऊण महावीरं, पिंड विहाणं समासओ वोच्छं । समणाणं पाउग्गं, गुरूवएसानुसारेणं ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને સાધુઓને યોગ્ય પિંડ ગ્રહણને વિધિ સંક્ષેપથી તીર્થકર વગેરે ગુરુના ઉપદેશાનુસાર કહીશ. (૧). શુદ્ધ પિંડનું લક્ષણ :सुद्धो पिंडो विहिओ, समणाणं संजमायहेउत्ति । सो पुण इह विण्णेओ, उग्गमदोसादिरहितो जो ॥ २ ॥ તીર્થકર વગેરે ગુરુએ પૃથવીકાયાદિના સંરક્ષણ રૂપ સંયમના પાલન માટે અને શરીરના રક્ષણ માટે શુદ્ધ પિંડ (-આહારાદિ લેવાનું કહ્યું છે. ઉદ્દગમ વગેરે દેથી રહિત પિંડ શુદ્ધ છે. (૨) ઉદ્ગમ વગેરે દેષોની સંખ્યા :सोलस उग्गमदोसा, सोलस उप्पायणाइ दोसा उ । दस एसणाइ दोसा, बायालीसं इय भवंति ॥ ३ ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પિંડવિધિ-પ્‘ચાશક • ૯૯ : આધાકમ વગેરે સેાળ ઉગમ દાષા છે. ધાત્રી વગેરે સાળ ઉત્પાદન દાષા છે. શકિત વગેરે દશ એષણા દાષા છે. આમ કુલ ૪૨ દાષા છે, [આહારના ઉદ્ગમમાં—ઉત્પત્તિમાં ગૃહસ્થથી થતા દાષા ઉદ્ગમ દાષા છે.' આહારના ઉત્પાદનમાં –મેળવવામાં સાધુથી થતા દાષા ઉત્પાદન ઢાષા છે. આહા ૨ની એષણામાં=શુદ્ધ છે કે અશુદ્ધ તેની તપાસ કરવામાં ગૃહસ્થ અને સાધુ બંનેથી લાગતા દોષો એષણા દાષા છે. ગાથા ૪ ઉદ્ગમ શબ્દના અર્થ અને તેના પર્યાયવાચી શબ્દો :तत्थुग्गमो पसूई, पभवो एमादि होंति एगट्ठा सो पिंडस्साहिगओ, इह दोसा तस्सिमे होंति ॥ ४ ॥ '; ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ, ઉદ્ભવ (ઉત્પત્તિ) વગેરે શબ્દ એકાક છે. અર્થાત્ આ બધા શબ્દોના ‘ઉત્પન્ન થવુ” એવા એક જ અથ છે. ઉદ્ગમ ( ઉત્પત્તિ) સચિત્ત, અચિત્ત, મિશ્ર, દ્વિપદ પ્રાણી વગેરે અનેક બ્યા સ'ખ'ધી છે. અહીં એ બધાના ઉદ્ગમ (ઉત્પત્તિ) વિવક્ષિત નથી, કિંતુ પિંડના-મહારાદિના ઉદ્ગમ વિક્ષિત છે. અર્થાત્ અહીં પિંડની ઉત્પત્તિમાં થતા દોષાનુ વણુન હૈાવાથી પિંડના ઉદ્ગમ વિવક્ષિત છે, અન્ય કાઈ વસ્તુના ઉદ્દગમ વિક્ષિત નથી. સાધુ માટે પકાવવું, મૂકી રાખવુ, પ્રકાશ કરવા વગેરે રીતે પિડના ઉદ્ગમને કૃષિત કરે તે ઉદ્દગમ ઢાષા કહેવાય. તે ઢાષા આ ( નીચે) પ્રમાણે છે. (૪) Jäin Education International Page #117 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : ૧૩ પિંડવિધિ—પંચાશક ગાથા ૫-૬ સોળ ઉગમ દેશે - आहाकम्मुद्देसिय, पूईकम्मे य मीसजाए य । ठवणा पाहुडिया या, पाओयर-कीअ-पामिच्चे ॥ ५ ॥ परियट्टए अमिहडुब्भिण्णे मालोहडे इइ य । अच्छेज्जे अणिसठे, अज्झोयरए य सोलसमे ॥ ६ ॥ ૧ આધાકમ, ૨ દેશિક, ૩ પૂતિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાતિક, ૭ પ્રાદુષ્કરણ, ૮ કિત, ૯ પ્રામિત્ય, ૧૦ પાવર્તિત, ૧૧ અભયાહત, ૧૨ ઉદ્દભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આચ્છેદ્ય, ૧૫ અનિરુણ અને ૧૬ અધ્યપૂરક એમ સેળ ઉદ્દગમ દે છે. ' (૧) આધાકમઃ- આધા એટલે પ્રણિધાન, કર્મ એટલે કરવું. સાધુના પ્રણિધાનથી (-સાધુને આપવાના સંકલ્પથી) કરવું તે આધાકમ. આધાક દોષવાળા આહારાદિ પણ આધાકર્મ કહેવાય. (૨) દેશિક - ઉદ્દેશથી બનેલું દેશિક કહેવાય. ઉદ્દેશ એટલે પ્રણિધાન-સંકલ્પ. જે કઈ ભિક્ષા માટે આવશે તેને આપીશું ઈત્યાદિ સંકલ્પથી બનાવેલા આહારાદિ દેશિક છે. પ્રશ્ન - અહીં ઉદ્દેશ (-સંકલ્પ) દેષ છે, અને એ દોષથી બનેલો આહાર ઔદેશિક છે. અહીં દેનું વર્ણન હાવાથી ઉદ્દેશ દેષને ઉલેખ કર જોઈએ, એના બદલે દેશિક (-ઉદેશ દેલવાળાને) ઉલલેખ કેમ કર્યો? Page #118 -------------------------------------------------------------------------- ________________ માથા પર ૧૩ પિંડવિધિ- ચાશક ઉત્તર :-દોષ અને દોષવાળાના અભેદની વિક્ષાથી દોષવાળાના ઉલ્લેખ કર્યો છે. [ અર્થાત્ દોષ અને દોષવાળા અલગ ન હાવાથી જેમ ઉદ્દેશ દોષવાળાને ઔદેશિક કહેવાય તેમ ઉદ્દેશ ઢાષને પણ ઔદેશિક કહેવાય. આથી અહીં ઔદ્દેશિક શબ્દ ઉદ્દેશઢાષના અથ માં છે . આ પ્રમાણે આગળ પશુ બધા દાષા માટે સમજી લેવું. • (૩) પૂતિકઃ- પૂતિ એટલે અશુદ્ધ ક્રમ એટલે કરવું. શુદ્ધ આહારમાં અશુદ્ધ આહાર ભેળવીને શુદ્ધને પણ અશુદ્ધ કરવું તે પૂતિક, પૂતિક્રમ ઢોષવાળા આહારાદ્ધિ પણ પૂર્તિક્રમ કહેવાય. (૪) મિશ્રજાતઃ– જાત એટલે બનેલું. મિશ્રભાવથી બનેલું મિશ્રજાત. અર્થાત્ ( શરૂઆતથી જ) ગૃહસ્થ અને સાધુ (વગેરે) એ બંનેના સંકલ્પ રૂપ મિશ્રભાવથી અનેલા આહારાદિ મિશ્રજાત કહેવાય. : ૧૦૧ : (૫) સ્થાપનાઃ– સ્થાપના એટલે મૂકી રાખવું. સાધુને આપવા માટે અમુક સમય સુધી રાખી મૂકવું તે સ્થાપના ઢાષ. (૬) પ્રાકૃતિકા:- પ્ર=પહેલાં. આ=સાધુના આગમન પ મર્યાદાં. ભૃતા=ધારેલી (કરેલી) ભિક્ષા. સ્વાર્થમાં ક પ્રત્યય લાગતાં પ્રાકૃતિક શબ્દ અને છે, શબ્દાર્થને અનુરૂપ ભાવાથ:- સાધુઓના આગમનના કારણે ( સુપાત્રદાનની બુદ્ધિથી) નક્કી કરેલા સમય પહેલાં વિવાહાદિ પ્રસ’ગ પહેલાનાં ઉપલક્ષણથી નક્કી કરેલા સમય પછી પણુ સમજી લેવું. Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : ૧૩ પિડવિધિ-પંચાશક * ૧૩ પિડવિધિ-ઉંચાશક ગાથી ૫૨ કરીને સાધુને જે ભિક્ષા અપાય તે પ્રાકૃતિકા તિક્ષા. અથવા પ્રાભૂત એટલે ભેટશું. સત્યુને ભેટ આપવા સમાન ભિક્ષા તે પ્રાકૃતિકા ભિક્ષા. ભાવાર્થ ઉપર મુજબ. [ અથવા દુર્ગતિના ભેંટણા સમાન ભિક્ષા તે પ્રાભૂતિકા. ભાવાર્થ ઉપર મુજબ. ] (૭) પ્રાદુષ્કરણ :- પ્રાદુર્ એટલે પ્રકાશ. કરણ એટલે કરવું. સાધુને આપવા પ્રકાશ કરે તે પ્રાદુષ્કરણ દોષ. પ્રાદુષ્કરણ દોષવાળા આહારદિ પણ પ્રાદુક્કરણ કહેવાય. (૮) કત=સાધુ માટે મૂલ્ય આપીને ખરીદેલું. (૯) પ્રામિત્વ=તને પાછું આપીશ એમ કહીને લીધેલું, અર્થાત્ સાધુ માટે ઉછીનું લીધેલું. , (૧૦) પરાવર્તિત ફેરફાર કરેલું અથૉત સાધુને આપવા વસ્તુનો અદલે-બદલો કરે. * પંચાશકની ટીકામાં તથા મત્સ્ય પુર: રાશાજ્યેતન્ન તत्यभिधाय यद् गृहीतं तदपमित्यकमुच्छिन्न भक्ताधेव । fમઈ”ત જ નિર્ચે પ્રતિક્ષાત્ આમ સંસ્કૃત “અપમિત્યક’ શબ્દ ઉપરથી પ્રાકૃતમાં rifમય શબ્દ બન્યો એમ જણાવ્યું છે. શબ્દરત્ન મહોદધિ, શબ્દ ચિંતામણિ વગેરે ગ્રંથોમાં “પ્રામીત્ય' શબ્દ છે. ત્યાં તેનો અર્થ આ પ્રમાણે જણાવ્યું છે-“ ગામ7 7, (ક++મારે રિન, તત્ર સાધુ થમ્) કરજ, દેવું.” ઉછીનું લેવું એ પણ એક પ્રકારનું દેવું છે. એટલે પ્રામીત્ય શબ્દ ઉપરથી પ્રાકૃતમાં પfઇ શબ્દ બનવામાં વાંધો જણાતો નથી. અપમિત્ય અને પ્રામીત્ય એ બંને શબ્દોને “દેવું” ( કરજ) અર્થ થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ ૧૩ પિડવિધિ-પંચાશક : ૧૦૩ : (૧૧) અભ્યાહત=સાધુની સામે (-પાસે) લાવેલું. અર્થાત્ સાધુને વહેરાવવા પિતાના સ્થાનથી બીજા સ્થાને લાવેલું. (૧૨) ઉભિન્ન=સાધુ નિમિત્તે કેઠી વગેરે ઉઘાડવું. (૧૩) માલાપહતસાધુ નિમિત્તે માળ વગેરે સ્થાનમાંથી લાવેલું. (૧૪) આચ્છવ સાધુને આપવા પુત્ર વગેરે પાસેથી ઝુંટવી લેવું. (૧૫) અનિરુણ ઘણા માલિકીની વસ્તુ સઘળા માલિકોની રજા વિના આપે. (૧૬) અધ્યવપૂરક= પોતાના માટે બની રહેલી રાઈમાં પાછળથી સાધુ નિમિત્તે અધિક ઉમેરવું. (૫૬) આધાકર્મ દેશનું સ્વરૂપ :सच्चित्तं जमचित्तं, साहूणहाय कीरए जं च । अचित्तमेव पञ्चति, आहाकम्मं तयं भणियं ॥ ७ ॥ - સાધુઓ માટે સચિત્ત ફલ, બીજ વગેરેને અચિત્ત કરવામાં આવે અને અચિત્ત ચોખા વગેરેને પકાવવામાં આવે તે આધાકર્મ છે. - યદ્યપિ સાધુઓ માટે સચિત્ત પૃથ્વી આદિને અચિત્ત કરીને ઘર, વસ્ત્ર વગેરે બનાવવામાં આવે તે પણ આધાકર્મ કહેવાય, પણ અહીં આહાર સંબંધી દોષને અધિકાર હોવાથી (ગ્રંથકારે) તે કહ્યું નથી. (૭). Page #121 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ ઃ ૧૨ પિડવિધિ-૫ ચાશક વિશેષ વિવરણુ [ આધાક દોષની સ્પષ્ટતા માટે શાસ્ત્રમાં ખતાવેલા કૃત અને નિતિના ચાર ભાંગા સમજવાની જરૂર છે. તે આ પ્રમાણે છે (૧) સાધુ માટે કૃત અને સાધુ માટે નિશ્ચિત, (૨) સાધુ માટે કુત અને ગૃહસ્થ માટે નિશ્ચિત, (૩) ગૃહસ્થ માટે કૃત અને સાધુ માટે નિશ્ચિત. (૪) ગૃહસ્થ માટે કુત અને ગૃહસ્થ માટે નિશ્ચિત, કૃત:- આરભના પ્રારંભ કરે, એટલે કે સચિત્તને અચિત્ત બનાવવાના કે અચિત્તને પકાવવાના પ્રાર'ભ કરે, ત્યારથી આર્ભ પૂર્ણ ન થાય ત્યાં સુધી, એટલે કે સચિત્ત વસ્તુ અચિત્ત ન થાય કે અચિત્ત વસ્તુ રધાઈ ન જાય ત્યાં સુધી, કૃત કહેવાય. અર્થાત્ આર`ભની શરૂઆત તે કૃત. નિતિઃ સચિત્ત વસ્તુ સપૂર્ણ અચિત્ત ખની જાય કે રંધાતી વસ્તુ સપૂણું રધાઈ જાય તે નિશ્ચિત કહેવાય. (૧) સાધુ માટે કૃત અને સાધુ માટે નિતિ:- સાધુના (સાધુને આપવાના) સંકલ્પથી આરભના પ્રાર'ભ કર્યો હાય અને નિશ્ચિંત અને ત્યારે પણ સાધુના સ’કલ્પ હોય. (ર) સાધુ માટે કૃત અને ગૃહસ્થ માટે નિતિઃ * [ ] આવા કાઉંસમાં આપેલુ લખાણ પચાશકની આ ગાથાની ટીકામાં નથી, પણ ઉપયાગી હાવાથી પિડવિશુદ્ધિ વગેરે ગ્રંથાના આધારે આપ્યું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિવરણ ૧૩ પિડવિધિ—પચાશક ૪ ૧૦૫ સાધુના સ’કલ્પથી આરંભના પ્રારંભ કર્યાં હાય, પણ નિશ્ચિત અને ત્યારે ગૃહસ્થના (ગૃહસ્થના ઉપયોગમાં લેવાના) સકલ્પ હાય, જેમકે-સાધુ માટે દૂધ ઉકાળવાની શરૂઆત કરે, પણ તે દરમિયાન મહેમાને તુ" આગમન, વગેરે કારણે એ દૂધ ઉકળતું હાય. ત્યારથી સપૂર્ણ ઉકળી રહે ત્યાં સુધી કે સ ́પૂર્ણ ઉકળી ગયું તે વખતે ગૃહસ્થના ઉપયોગમાં લેવાના સ’કલ્પ કરે. (૩) ગૃહસ્થ માટે કૃત્ત સાધુ માટે નિશ્ચિતઃ– ગૃહસ્થના સ’કલ્પથી આર'ભના પ્રારંભ કર્યો હૈાય પણ નિશ્ચિત અને ત્યારે સાધુના સકલ્પ હાય. જેમકે-ઘરના માણસા માટે દૂધ ઉકાળવાની શરૂઆત કરી હાય, પણ દૂધ ઉકળતું હોય ત્યારે કે સ'પૂર્ણ ઉકળી ગયું તે જ વખતે સાધુ મહારાજ વહેારવા આવવાથી સાધુના સંપથી ચૂલા ઉપરથી નીચે ઉત્તારે. ખીચડી વગેરે ખરાબર રધાઈ ગયા પછી એમ જ ચૂલા ઉપર પડી રહેલ હાય અને સાધુ આવે ત્યારે ચૂલા ઉપરથી ઉતારે તે સાધુ માટે નિષ્ઠિત ન કહેવાય. (૪) ગૃહસ્થ માટે કૃત અને ગૃહસ્થ માટે નિશ્ચિતઃ- ગૃહસ્થના સંકલ્પથી આરભના પ્રારંભ કરે અને નિશ્ચિત અને ત્યારે પણ ગૃહસ્થના સ‘કલ્પ હાય, આ ચાર ભાંગામાં પહેલા અને ત્રીજો ભાંગે। અશુદ્ધ છે, અર્થાત્ તેવેા આહાર સાધુને ન ક૨ે. બીજો અને ચેાથેા લાંગા શુદ્ધ છે, અર્થાત્ તેવે આહાર સાધુને કલ્પે, Page #123 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૬ : ૧૩ પિંડવિધિ-પંચાશક વિશેષ વિવરણ ( ૨ ) કેના માટે બનાવેલે આહાર આધાકમાં કહેવાય એ વિશે સ્પષ્ટતા કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે-જે પ્રવચનથી અને લિંગથી સાધર્મિક હોય તેના માટે બનાવેલ આહાર આધાકર્મ ગણાય. પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ. લિંગ એટલે સાધુવેશ. જે ચતુર્વિધ સંઘમાં હોય અને સાધુનો વેશ પહેર્યો હોય તેના માટે બનાવેલો આહાર આધાકર્મ ગણાય. ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરનાર અને સાધુવેશ ધારણ કરનાર સાધુઓ (અને અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક) પરસ્પર સાધર્મિક ગણાય. આથી ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન ન કરતા હોય અને સાધુવેશ ધારણ ન કરતા હોય તેવા સાધુઓ પ્રવચનથી અને લિંગથી સાધર્મિક ન હોવાથી તેમના માટે બનાવેલો આહાર આધાકર્મ ન ગણાય તેમના માટે બનાવેલે આહાર ઉક્ત પ્રકારના સાધુઓને ક૯પી શકે. ( ૩ ) શાસ્ત્રમાં આધાર્મિક આહારની દુષ્ટતા જણાવતાં કહ્યું છે કે આધાર્મિક આહાર વિષ્ટા, દારુ અને માંસ તુલ્ય છે. આથી તેવા આહારનું ભક્ષણ તે ન કરવું, કિંતુ તેવા આહારથી ખરડાયેલ પાત્ર પણ રાખ વગેરેથી ઘસીને સાફ ક્યા પછી ત્રણ વાર પાણીથી ધોવું, અને સુકાઈ જાય પછી જ તેમાં શુદ્ધ આહાર લે કપે. ભક્ષણ . અને મને કહ્યું ખરડાયેલ Page #124 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિવરણ ૧૩ ડિવિધિ-પંચાશક તથા જે ઘરે આધાર્મિક આહાર બન્યા હોય તે ઘરે ચાર દિવસ સુધી સાધુને ગોચરી જવું ન કપે. જે ઘરમાં આધાર્મિક આહાર બન્યો હોય તે ઘર પ્રથમ દિવસે (=આધાર્મિક આહાર બન્યા હોય તે દિવસે) આધાર્મિક ગણાય, અને પછીના ત્રણ દિવસ પૂતિ ગણાય, આમ ચાર દિવસ સુધી તે ઘરમાં ગોચરી જવું ન કલ્પે. ( ૪ ) આધાર્મિક આહારની ઈચ્છા વગેરેમાં કયા કયા દેશે લાગે તે વિશે શાસ્ત્રમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દેશો કહ્યા છે. (૧) આધાર્મિક આહાર લેવાની ગૃહસ્થ વિનંતિ કરે ત્યારે સાધુ વિનતિને સ્વીકારે ત્યારથી ઉપયોગ કરે ત્યાં સુધી અતિક્રમ દેષ લાગે. અર્થાત વિનંતિ સ્વીકારે, પછી લેવા જવા માટે ઊભે થાય, પાત્રા લે, પાત્રા લઈને ગુરુ પાસે આવીને ઉપયોગ કરે ત્યાં સુધી અતિક્રમ લાગે. તે આહાર લેવા જવા માટે પગ ઉપાડે ત્યારથી માંડી ગૃહસ્થને ત્યાંથી આધાર્મિક આહાર લે નહિ ત્યાં સુધી વ્યતિક્રમ દોષ લાગે. આહાર ગ્રહણ કરે ત્યારથી મુખમાં ન નાખે ત્યાં સુધી અતિચાર દોષ લાગે. મોઢામાં નાખે એટલે અનાચાર દોષ લાગે. (વ્ય ભા૦ ૪૩) - આધાર્મિક આહારના સેવનથી લાગતા દે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે આધાર્મિક આહારના સેવનથી આજ્ઞા. Page #125 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮ : ૧૩ પિંડવિધિ—પંચાશક વિશેષ વિવરણ - - - - - ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દેશે લાગે છે. (૧) આધાર્મિક આહાર ન લેવાની જિનાજ્ઞા હેવાથી, આધાર્મિક આહાર લેવાથી જિનાજ્ઞાને ભંગ થાય. (૨) એક સાધુને આધાર્મિકનું સેવન કરતો જોઈને બીજે સાધુ તેમ કરે, તેને જોઈને ત્રીજે સાધુ તેમ કરે, આમ અનવરથા થાય. (૩) આધાર્મિકનું સેવન સ્વીકારેલ પાંચ મહાવ્રતના પાલનની પ્રતિજ્ઞાથી વિરુદ્ધ વર્તન હોવાથી આધાર્મિક આહાર લેનાર સાધુ ગૃહસ્થને “ આ સાધુઓ અસત્યવાદી છે, કેમ કે પ્રતિજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે છે.” ઈત્યાદિ શંકા ઉત્પન્ન કરાવીને મિથ્યાત્વ પમાડે છે. (૪) વિરાધનાના આત્મ, સંયમ અને પ્રવચન એમ ત્રણ પ્રકાર છે. (૧) આત્મ વિરાધના એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંયમવાળા આત્માની વિરાધના. આધાર્મિક આહાર પ્રાયઃ સ્વાદિષ્ટ અને સિનગ્ધ હોવાથી અધિક ખાવાથી માંદગી થાય. તેથી સ્વાધ્યાય ન થવાથી જ્ઞાનને નાશ થાય, શરીરની અસ્વસ્થતાના કારણે ચારિત્રની શ્રદ્ધામાં ખામી આવવાથી દર્શનને નાશ થાય, અને પ્રતિલેખનાદિ ન કરવાથી ચારિ ત્રને નાશ થાય, આમ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થાય. (૨) ગની ચિકિત્સામાં છ કાયના જીવોની હિંસારૂપ અને વિયાવચ્ચ કરનાર સાધુના જ્ઞાનની હાનિરૂપ સંયમવિરાધના થાય. (૩) લાંબા કાળ સુધી માંદગી રહે, ઘણા સાધુઓ વારંવાર બિમાર થાય, વગેરે Page #126 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિવરણ ૧૩ પિડવિધિ-૫'ચાશક : ૧૦૯ : કારણે વૈદ્ય વગેરે લેાકમાં આ સાધુએ બહુ ખાનારા છે, પેાતાના પેટને પણ જાણતા નથી વગેરે રીતે શાસનની હીલનારૂપ પ્રવચન વિરાધના થાય. ( ૬ ) ગૃહસ્થાને દાનના વિધિ જણાવતાં કહ્યું છે કે-ગૃહસ્થાને આધાકર્મિક આહારના દાનના ઉત્સગથી નિષેધ છે. ગ્લાન, વિશિષ્ટ તપસ્વી, કે વિશિષ્ટ જ્ઞાની વગેરેને તેવા પુષ્ટ કારણસર અપવાદથી જ અશુદ્ધ આહારના દાનની છૂટ છે. શુદ્ધ આહારથી સાધુના નિર્વાહ થઈ શકતા હૈાય ત્યારે આધાર્મિક આહાર આપનાર અને લેનાર અનેને અહિત કારી છે, અને તે જ આહાર ગ્લાનાદિના કારણે આપનાર અને લેનાર તેને હિતકારી છે. જેમ વર રાગવાળા દી ને વૈદ્ય ઘેખર આપે ા આપનાર-લેનાર અંનેનુ અહિત થાય છે, અને ભસ્મક રાગવાળાને વૈદ્ય ઘેખર આપે તા આપનાર લેનાર બંનેનું હિત થાય છે. તેમ અહીં પશુ સમજવુ.. (૭) સાધુએ આહારની શુદ્ધિ માટે કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે શાસ્ત્રમાં કહ્યુ` છે કે-જેમ રાજાની આજ્ઞાના ભંગથી આ લેાકમાં ૪'ડ થાય છે, તેમ જિનાજ્ઞાના ભગથી પરલેાકમાં ફુગતિનાં દુઃખા રૂપ દંડ થાય છે, ધાર્મિક આહારના સેવનથી જિનાજ્ઞાના ભંગ થાય છે. માટે સાધુએ Page #127 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : ૧૩ પિડવિધિ-પંચાશક વિશેષ વિવરણ ગોચરી લેતાં આધાર્મિક આહાર ન આવી જાય તેની અત્યંત કાળજી રાખવી જોઈએ. એ માટે જેમ અત્યંત ભૂખ્યો વાછરડો પિતાના માટે ઘાસ-પાણી લાવનાર અલંકૃત રૂપવતી સ્ત્રી તરફ નહિ જોતાં કેવલ ઘાસ અને પાણી તરફ જ ધ્યાન રાખે છે, તેમ સાધુએ ગોચરી વહરતાં ગોચરીના દોષો તરફ જ લક્ષય રાખવું જોઈએ, અશનાદિમાં લુબ્ધ ન થવું જોઈએ. આધાર્મિક આહાર નહિ વાપરવાના પરિણામવાળો સાધુ ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે છતાં આધાર્મિક આહાર આવી જાય અને વાપરે તે પણ કમથી બંધાતો નથી, ( ૮ ) પ્રશ્ન :- આધાકર્મ વાપરવામાં દોષ કેવી રીતે લાગે ? સાધુ આધાકર્મને આરંભ કરે નહિ, કરાવે નહિ, આરંભ કરનારની પ્રશંસા પણ કરે નહિ, ગૃહસ્થ પોતાની ઈચ્છાથી બનાવે અને સાધુ લે તેમાં દોષ કેવી રીતે લાગે? ઉત્તર :- સાધુને સાવદ્ય મનવચન-કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું એમ પ્રતિજ્ઞા છે. આધાકર્મ લેવામાં સાવદ્ય ( પાપવાળા) કાર્યની અનુ મેદના થાય છે. અનુમોદના ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે-અનિષેધ, ઉપગ અને સંવાસ. (૧) પિતે અધિકારી હોવા છતાં પિતાની નિશ્રામાં રહેલાઓને પાપકાનો નિષેધ ન કરે તો અનિષેધ અનુમોદના. અધિકાર હોવા છતાં નિષેધ ન Page #128 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિવરણ ૧૩ પિડવિધિ-૫'ચાશક * ૧૧૧ : કરે એનુ... શું કારણ ? એનુ` કારણ એ કે ઊંડે ઊંડે પણ તે એને ગમતુ હાય છે. આથી જ નિવિભ્રમનુમતમુ “ જેના નિષેધ ન થાય તે સ`મત છે' એવી લેાકેાક્તિ પ્રસિદ્ધ છે. આને શાસ્ત્રમાં પ્રતિશ્રવાન્નુમત્તિ કહેવામાં આવે છે. સાંભળે છે એનાથી સિદ્ધ થાય છે કે તેના નિષેધ નથી. જે પાપકાયના નિષેધ કરે તે પાપકાર્યો સાંભળે શું કામ? સાંભળે છે એટલે અર્થોપત્તિથી સિદ્ધ થાય છે કે તે એને સ'મત છે. (૨) પાપકાર્થીના નિષેધ કરે, પણ પેાતાના માટે પાપકાય થી બનેલી વસ્તુના ઉપભાગ કરે તે ઉપભાગ અનુમાદના. જેમ કાઇ સ્વયં ચારી ન કરે તા પણુ દાણુચારીનેા માલ વાપરે તે તે ગુનેગાર ગણાય, તેમ પાતે સાવધ કાર્ય ન કરે, તે પણ બીજાએ પેાતાના માટે સાવદ્ય કાયેર્યાંથી તૈયાર કરેલ વસ્તુના ઉપયાગ કરે તેા ઉપભાગ અનુમાદના રૂપ દોષ લાગે, આને શાસ્ત્રમાં પ્રતિસેવનાનુમતિ કહેવામાં આવે છે, (૩) આશ્રિતાને પાપકાચના નિષેધ કરે, પેાતાના માટે પાપથી બનાવેલ વસ્તુના ઉપયાગ ન કરે, છતાં પાપ કરનારાએ સાથે રહે-તેમના ઉપર મમત્વભાવ રાખે તેા સવાસાનુમતિ દ્વાષ લાગે. જેમ કાઇ ચારી ન કરે, ચારીના માલ ન વાપરે, છતાં ચારાના ટોળામાં રહે તા તે ગુનેગાર ગણાય, તેમ પાપ કરનારાઓ સાથે રહે તા સ'વાસાનુમતિ દેષ લાગે, (જીએ ક્રમ પ્રકૃતિ ઉપશમના કરણ ગાથા ૧૯ ની ટીકા.) આ આ ત્રણ પ્રકારની અનુમાદનાને પિડવિશુદ્ધિ વગેર Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨ ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૮ ગ્રંથમાં અનુક્રમે પ્રતિશ્રવણ, પ્રતિસેવન અને સંવાસ એ ત્રણ નામથી જણાવી છે. જે સાધુ પિતાને અધિકાર હોવા છતાં પિતાના આશ્રિતોને આધાર્મિક આહારનો નિષેધ ન કરે તેને પ્રતિશ્રવણનુમતિ દેષ લાગે. આધાર્મિક આહાર પિતે વાપરે તો પ્રતિસેવનાનુમતિ દોષ લાગે. આધાર્મિક આહાર વાપરનારા સાધુઓની સાથે રહે તે સંવાસાનુમતિ દોષ લાગે. આથી એ સિદ્ધ થયું કે સાધુ આધાકર્મિક આહાર વાપરે તો ઉપભેગ કે પ્રતિસેવનારૂપ અનુમોદનાને દોષ લાગે. તથા સાધુ આધાર્મિક આહાર લે તો ગૃહસ્થ વારેવાર આધાકર્ષિક આહાર બનાવે. (એટલે આડકતરી રીતે કરાવવાનો પણ દોષ લાગે.) એક વાર આધાર્મિક આહાર લેવાથી બીજી વાર લેવાનું મન થાય છે, બીજી વાર લીધા પછી ત્રીજી વાર લેવાનું મન થાય છે, અને પછી વારંવાર આધાર્મિક આહાર લેવાની પ્રવૃત્તિ થાય છે. આમ થતાં પરિણામ નિષ્ઠુર બની જાય છે-દોષની સૂગ જતી રહે છે. શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે-વારંવાર આધાર્મિક આહાર વાપરીને તેમાં લાલુપી અને નિર્દય બનેલ સાધુ પ્રાસુક ન મળે તે અપ્રાસુક (=સચિત્ત) આહાર પણ લે. તથા આધાકર્મના પરિણામવાળો સાધુ શુદ્ધ વાપરવા છતાં કર્મથી બંધાય છે. શિક દેશનું સ્વરૂપ :उद्देसिय साहुमाई, ओमच्चए भिक्खवियरणं जं च । उव्वरीयं मीसेउं, तविउं उद्देसियं तं तु ॥ ८ ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિવરણ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૧૩ : ૪ ઔદેશિકના એઘ અને વિભાગ એમ બે ભેદ છે. પિતાના માટે ભાત વગેરે પકાવવાની શરૂઆત કરે ત્યારે તેમાં ભિક્ષા માટે જે કઈ આવે તેને ભિક્ષા આપવા માટે “આટલું પિતાના માટે અને આટલું ભિક્ષા આપવા માટે” એવે વિભાગ કર્યા વિના ભાત વગેરે અધિક નાખે તે એઘ શિક છે. વિવાહ વગેરે પ્રસંગે ભોજનાદિ કર્યા પછી વધેલા આહારાદિને દાન આપવાની બુદ્ધિથી અલગ મૂકી રાખવામાં આવે તે વિભાગ શિક છે. ઓઘ ઔશિકમાં એઘથી=વિભાગ કર્યા વિના અધિક નાખવામાં આવતું હોવાથી તેનું “ઘ” એવું નામ સાર્થક છે. વિભાગ શિકમાં વધેલા આહારાદિનો આટલું દાન માટે એમ વિભાગ કરવામાં આવતું હોવાથી તેનું ‘વિભાગ એવું નામ સાર્થક છે. * પ્રસ્તુત ગાથામાં પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોની અપેક્ષાએ થોડો ફેર હેવાથી ઔદેશિકના બધા પેટા ભેદે સમજાયા પછી આ ગાથાને ભાવાર્થ સમજવામાં સરળતા રહે એ દષ્ટિએ અહીં ગાથાનો ભાવાર્થ લખતાં પહેલાં પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોના આધારે કાઉંસમાં કેશિકના બધા પેટા ભેદે જણાવ્યા છે. મક અધ્યવપૂરકમાં પકાવવાની શરૂઆત કર્યા પછી પાછળથી ઉમેરવામાં આવે છે. ઓઘ શિકમાં પકાવવાની શરૂઆત કરતી વખતે જ અધિક નાખવામાં આવે છે. આમ ઓઘ ઔદેશિકમાં અને અધ્યવપૂરકમાં ભેદ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : ૧૩ પિંડવિધિ-પ'ચાશક વિશેષ વિવરણ વિભાગ ઔદ્દેશિકના ઉદ્દિષ્ટ, કૃત અનેક એમ ત્રણ ભેદ છે. વિવાહાદિના પ્રસગે વધેલા લેાજનને દાન આપવાના ઉદ્દેશથી(=સ`કલ્પથી) તેમાં કેાઈ જાતના સસ્કાર કર્યા વિના જેવા હોય તેવા જ સ્વરૂપમાં મૂકી રાખવામાં આવે તે ઉદ્દિષ્ટ વિભાગ ઔદ્દેશિક છે. વધેલા ભાત આદિમાં દહીં વગેરે નાખીને આપવામાં આવે તે કૃત વિભાગ ઔદ્દેશિક છે. માદકણુ આદિને અગ્નિમાં તપાવીને ગેાળ વગેરે ભેળવીને માદક આદિ બનાવીને આપવામાં આવે તે ફ વિભાગ ઔદ્દેશિક છે. કૃત વિભાગ ઔદ્દેશિકમાં અગ્નિ આદિના આરભ વિના અચિત્ત વસ્તુથી મૂળવસ્તુમાં અવસ્થાંતર કરવામાં આવે છે, જયારે કમ વિભાગ ઔદ્દેશિકમાં અગ્નિ આદિના આરંભથી કે સચિત્ત વસ્તુને પ્રક્ષેપ આદિ આર ભથી મૂળ વસ્તુમાં અવસ્થાંતર કરવામાં આવે છે. ઉષ્ટિ વિભાગ ઔદ્દેશિકમાં આટલું દાન માટે છે એવા ઉદ્દેશ-સ’કલ્પ કરવામાં આગૈા હેાવાથી તેનુ' ‘ષ્ટિ’ એવુ નામ સાથક છે. કુત વિભાગ ઔદ્દેશિકમાં અવસ્થાંતર (ભિન્ન અવસ્થા) કર્યુ. હાવાથી તેનું ‘કૃત’ (–અવસ્થાંતર કરેલું) એવુ નામ સાર્થક છે. ક્રમ વિભાગ ઔદ્દેશિકમાં અગ્નિ આદિના આરંભ હાવાથી આધાકરૂપ ઉદ્દેશ હાવાથી તેનુ ક્રમ” એવું નામ સાર્થક છે, ઉદ્દિષ્ટ, કૃત અને કમ એ ત્રણ ભેદોના પ્રત્યેકના ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ભેદ છે, જે કાઈ (ગૃહસ્થ કે સાધુ–સ'ત) ભિક્ષા માટે આવે તેને આપવાના Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮ ૧૩ પિડવિધિ-પંચાશક ૧૧૫ : સંક૯૫ તે ઉદેશ. પાખંડીને (સંન્યાસી વિશેષને) આપવાનો સંકલ્પ તે સમુદેશ. નિગ્રંથ (જેન સાધુ), શાક્ય (બૌદ્ધ સાધુ), તાપસ (જટાધારી વનવાસી પાખંડી), ગેરક (ગેરુથી રંગેલાં વચ્ચે પહેરનાર ત્રિદંડી), અને આજીવક (ગોશાળાના મતને અનુસરનાર) એ પાંચ શ્રમ ને આપવાને સંક૯૫ તે આદેશ. નિથાને (જેને મુનિઓને) આપવાને સંક૯પ તે સમાદેશ. આમ વિભાગ ઔદેશિકના કુલ (૩૪૪૩) ૧૨ ભેદ છે. ઓશ દેશિક સહિત કુલ ૧૩ ભેદ દેશિક દેષના છે. આ પ્રમાણે પિડનિયુક્તિ આદિમાં વર્ણન છે. જ્યારે અહીં મૂળ ગાથામાં આ દોષના ઉદ્દિષ્ટ ઔદેશિક, કૃત ઔધેશિક અને કર્મ દેશિક એમ ત્રણ ભેદને ઉલ્લેખ કર્યો છે. તે આ પ્રમાણે –] (૧) ઉદિષ્ટ શિક:- દુષ્કાળ વીતી જતાં (ઉપ લક્ષણથી બીજા પણ કાળે) ગૃહસ્થ આપણે સાધુ વગેરેને સદા ભિક્ષા આપવી એમ પિતાની સ્ત્રીને કહે અને એથી તે સ્ત્રી ભિક્ષા આપવા અધિક પકાવે તે દેશિક દેશ છે. આમાં આપણે સદા સાધુ વગેરેને ભિક્ષા આપવી એમ ઉદેશ=વચનનું ઉચ્ચારણું કર્યું હોવાથી આ દોષને ઉદિષ્ટ દેશિક કહેવામાં આવે છે. ગૃહસ્થ આપણે સાધુ વગેરેને નિત્ય ભિક્ષા આપવી એમ શા માટે કહે અને ઉદ્દિષ્ટ ઔદેશિકતું સ્વરૂપ શું છે તે વિષે પિંડનિક્તિમાં આ પ્રમાણે કહ્યું છે – Page #133 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ ૧૩ પિંડવિધિ-પચાશક ગાથા ૮. जीयामु किहधि ओमे, निययं भिक्खावि ता कइवि देमो। हंदि हु नत्थि अदिन्नं, भुज्जइ अकयं म य फलेइ ॥ २२० ॥ सा उ अविसेसिए चिय, नियंमि भत्तमि तंडुले छुहइ । . पासंडीण गिहीण व, जो एही तस्स भिक्खट्टा ॥ २२१ ॥ - “આપણે દુષ્કાળમાં ઘણા કષ્ટથી જીવ્યા છીએ. આથી આપણે નિત્ય પાંચ કે છ ભિક્ષા આપીએ. કારણ કે જે આ જન્મમાં ન આપ્યું હોય તે ભવાંતરમાં ન ભેગવાય, અને આ ભવમાં જે શુભ કર્મ ન કર્યું હોય તેનું ફળ પરલોકમાં મળતું નથી. આ પ્રમાણે ગૃહસ્થ પિતાની સ્ત્રીને (કે ઘરની મુખ્ય સ્ત્રીને) કહે. (૨૨૦) અને તે (ગૃહસ્થ સ્ત્રી) દરરોજ જેટલું ભેજન રંધાતું હોય તેટલું ભજન રાંધવાની શરૂઆત કરે ત્યારે તેમાં ગૃહસ્થ કે સાધુ-સંત જે કોઈ આવે તેને ભિક્ષા આપવા આટલું આપણા માટે અને આટલું ભિક્ષા માટે એ વિભાગ કર્યા વિના ચેખા (વગેરે) અધિક નાખે તે (ઘ) દેશિક છે.” (૨૨૧) પ્રશ્ન - મિશ્રજાત દોષમાં પણ સાધુ આદિને આપવા રાંધતી વખતે ચોખા વગેરે અધિક નાખે છે. આથી તેમાં અને આ દોષમાં કોઈ ભેદ રહેતો નથી. ઉત્તર- આ દેષમાં નિત્ય પાંચ કે છ વગેરે ભિક્ષા આપવાની સૂચના કરે છે અને એથી નિત્ય પાંચ-છ વગેરે નિયત કરેલી ભિક્ષા આપવામાં આવે છે. મિશ્રાતમાં તેમ નથી. અર્થાત આ દેષમાં આટલું આપણા માટે આટલું યાચકે માટે એમ વિભાગ કરવામાં આવે છે. મિશ્રજાતમાં તે વિભાગ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮ ૧૩ હિંડવિધિ -પંચાશક : ૧૧૭ : નથી. આથી જ પાંચ-છ વગેરે નિયત કરેલી ભિક્ષા અપાઈ ગયા પછી અથવા જુદી કરી લીધા પછી બાકીની શિક્ષા કપે છે. જ્યારે મિશ્રજાતથી દૂષિત ભિક્ષા કોઈ પણ રીતે ક૫તી જ નથી. આ દેષને પિડનિર્યુક્તિમાં ઓઘ શિક દેષ કહ્યો છે. અર્થાત્ પિંડનિયુક્તિમાં જેનું ઓઘ દેશિક એવું નામ છે તેનું જ અહીં ઉદ્દિષ્ટ દેશિક એવું નામ છે. પિંડનિર્યુક્તિમાં જેનું ઉદિષ્ટ દેશિક નામ છે તે દોષનું અહીં વર્ણન કર્યું નથી. પિંડનિયુક્તિમાં તેનું વરૂપ આ પ્રમાણે છે :महईइ संखडीए, उवरियं कूरवंजणाईयं । पउरं दट्टण गिही, भणइ इमं देहि पुण्णा ॥ २२८ ॥ મોટી સંખડીમાં=વિવાહાદિના જમણમાં બધા જમી રહ્યા પછી ભાત, શાક વગેરે ઘણું વધેલું જોઈને ગૃહસ્થ પોતાની સ્ત્રી વગેરેને કહે કે, આ ભેજન પુણ્ય માટે શિક્ષાચરોને આપ. આથી તે સ્ત્રી વગેરે તે ભોજન સાધુ આદિને આપવા રાખી મૂકે તે ઉદ્દિષ્ટ દેશિક દોષ છે.” (૨૨૮) સાધુ આદિ માટે રાખી મૂકવામાં (ખુલ્લું રહે, ઢળાઈ જાય, કીડીઓ ચઢે વગેરે રીતે) જીવહિંસાને સંભવ હોવાથી ઉદિષ્ટ આદેશિક આહાર સાધુઓને ન કપે. પ્રશ્ન- ઉદ્દિષ્ટ દેશિક અને સ્થાપના એ બંનેમાં સાધુ આદિને આપવા આહારદિ રાખી મૂકવામાં આવે છે. આથી તે બેમાં ભેદ શું છે ? ઉત્તર- પ્રસ્તુત પંચાશકની દશમી ગાથામાં જણાવ્યા પ્રમાણે, “ સાધુના માગવાથી” ગૃહસ્થ સાધુ માટે Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮ : ૧૩ પિડવિધિ-પચાશક શખી મૂકે તે સ્થાપના દોષ છે. આથી સ્થાપનામાં સાધુના માગવાથી રાખી મૂકે છે, અને ઉદ્દિષ્ટ ઔદ્દેશિકમાં સાધુના માગ્યા વિના રાખી મૂકે છે એ ભેદ છે, ગાથા ૮ પ્રશ્ન:- અહીં પિકનિયુક્તિમાં જણાવેલા ઉષ્ટિ ઔદ્દેશિકનું વર્ણન કર્યું નથી, તથા પિડનિયુક્તિમાં જેતુ' એવ ઔદ્દેશિક નામ છે તેનુ' વર્ષોંન કર્યું, અને તેનું ઉદ્ધ ઔદ્દેશિક નામ આપ્યું. આમ કરવાનું શું કારણ ? ઉત્તર:- પિડનિયુ*ક્તિમાં જેનુ' ઉષ્ટિ ઔદેશિક નામ છે તે દાષમાં અને સ્થાપના દોષમાં “અહું ભેદ નથી.” એવી વિવક્ષાથી એનું વર્ણન ન કર્યુ” અને એધ ઔદ્દેશિકને જ ઉષ્ટિ ઔદ્દેશિક નામ આપ્યું, (૨) કૃત ઔશિક:- વિવાહાદ્ધિ પ્રસ’ગમાં ભાજન પતી ગયા પછી વધેલા ભાત વગેરેને દહીં આદિ સ્વાદિષ્ટ વસ્તુ સાથે ભેળવીને આપે તે (કૃત) ઔદ્દેશિક છે. આમાં કૃત=અવસ્થાંતર કરેલું આપવામાં આવતુ. હાવાથી એને કૃત ઔદ્દેશિક કહેવામાં આવે છે. (૩) કમ ઔદેશિકઃ- માદશૂણુ વગેરેને અગ્નિમાં તપાવીને ગેાળ વગેરે ભેળવીને માદક વગેરે બનાવીને આપે તે (ક) ઔદ્દેશિક છે. આ દોષ અચિત્તને પકાવવા રૂપ આષાકર્મના ઉદ્દેશથી (–સ'કલ્પથી) યુક્ત હાવાથી એને ક્રમ ઔદેશિક કહેવામાં આવે છે. અહીં (મૂળ ગાથામાં) તુ શબ્દના ઉલ્લેખ કરીને ઉક્ત ત્રણ ડાયેના પેટાભેદનું સૂચન કર્યુ... છે. ષ્ટિ, કૃત અને Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ ૧૩ ડિવિધિ-વંચાશક : ૧૧૯ કમ એ ત્રણના પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. (પિંડનિર્યુક્તિમાં) કહ્યું છે કે – उद्देसियं समुइसियं च आएसिय समाएसं । પર્વ ૨ , રવિ એ ૨૨૧ છે. जावंतियमुद्देस, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, निग्गंथाणं समाएसं ॥ २३० ॥ ઉદ્દિષ્ટના ઉદેસ, સમુદ્ય, આદેશ અને સમાદેશ એમ ચાર ભેદ છે. આ જ ચાર ભેદ, કૃત અને કર્મના છે. (૨૨૯) જે કોઈ આવે તેને આપવાનો સંકલપ તે ઉદ્દેશ્ય. પાખંડી. એને આપવાનો સંકલ્પ તે સમુદેસ. પાંચ પ્રકારના શ્રમણોને આપવાનો સંકલ્પ તે આદેશ. નિરોને આપવાને સંકલપ તે સમાદેશ.” (૨૩૦) પતિ અને મિશ્ર દેશનું સ્વરૂપ :कम्मावयवसमेयं, संभाविजति जयं तु तं पूर्य । पढम चिय गिहिसंजयमीसोवखडाइ मीसं तु ॥ ९ ॥ આધાર્મિક આહારના એક અંશથી પણ યુક્ત આહાર પૂતિ થાય છે–પૂતિ દેવવાળો બને છે. પૂતિના ઉપકરણ અને ભક્તપાન એમ બે પ્રકાર છે આધાર્મિક ચૂલે, થાળી, કડછી વગેરે ઉપકરણેના સંયોગવાળો શુદ્ધ પણ આહાર ઉપકરણ પતિ દષવાળો બને છે. અર્થાત્ ગૃહસ્થ પિતાના * પાખંડી વગેરે શબ્દોને અર્થ આ ગાથાના ભાવાનુવાદમાં પિડનિર્યુક્તિના આધારે લખેલા કાઉંસના લખાણમાં આવે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૯ – માટે જ આહાર બનાવ્યું હોય, પણ આધાર્મિક ચૂલા ઉપર બનાવ્યું હોય કે મૂક્યો હોય, અથવા આધાર્મિક થાળી, કડછી આદિમાં લીધું હોય, તે તે આહાર ઉપકરણ પૂતિ દેષવાળા બને છે. આ ધાર્મિક આહાર-પાણીથી મિશ્રિત બનેલ આહાર-પાણ ભક્ત-પાન પતિ ષવાળાં છે. - અહીં આધાર્મિકના ઉપલક્ષણથી અવિશુદ્ધિ કોટિના ઉદ્દગમ દેશે સમજવા. અર્થાત્ અવિશુદ્ધિ કોટિના ઉદ્દગમ દેથી દૂષિત આહારના એક અંશથી પણ યુક્ત શુદ્ધ આહાર પણ પૂતિ દષવાળો બને છે. અવિશુદ્ધિ કેટિના દે પિંડનિર્યુક્તિમાં આ પ્રમાણે છે : आहाकम्मुद्देसियचरिमतियं पूइ-मीसजाए य । बायरपाहुडियावि य, अज्झोयरए य चरिमदुए । २४८ ॥ આધાકમ, વિભાગ સિકના સમુદ્દે સકર્મ, આદેશ કર્મ અને સમાદેશક એ છેલ્લા ત્રણ ભેદ, મિશ્રજાતના પાખંડિમિશ્ર અને યતિમિશ્ન એ છેલ્લા બે ભેદ, અધ્યવપૂરકના પાખંડિ અથવપૂરક અને યતિ અથવપૂરક એ છેલ્લા બે ભેદ, બાદર ભક્ત પાનપૂતિ અને બાદરપ્રાતિકા એમ મૂળ છે ભેદના કુલ દશ ભેદે અવિશુદ્ધિ કોટિના છે.” આ દશમાંથી કોઈ એક પણ દોષથી દૂષિત આહારના એક અંશને પણ સંયોગ થવાથી શુદ્ધ પણ આહાર અશુદ્ધ બને છે–પૂતિ દોષવાળો બને છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૨૧ : પહેલેથી જ ગૃહસ્થ અને સાધુ એ બંનેનું ભેગું બના વ્યું હોય, અર્થાત્ ગૃહસ્થ પોતાના માટે અને સાધુઓ માટે એમ બંને માટે ભેગું બનાવ્યું હોય, તે ગૃહિસંયત મિશ્ર નામને મિશ્રજાત દેષ છે. આદિ શબ્દથી મિશ્રજાતના ગૃહિ-યાવદર્થિક મિશ્ર અને ગૃહિ-પાખંડિમિશ્ર એ બે દે જાણવા. ગૃહસ્થ માટે અને જે કોઈ યાચક આવે તેને આપવા માટે પ્રારંભથી જ ભેગું બનાવ્યું હોય તે ગૃહિયાવર્થિક મિશ્ર છે. ગૃહસ્થ માટે અને પાખંડી-શ્રમણ માટે ભેગું બનાવ્યું હોય તે ગૃહિ-પાખંડિ મિશ્ર છે, (૯) સ્થાપના અને પ્રાણતિકા દેવનું સ્વરૂપ :साहोहासियखीराइठावणं ठवण साहुणट्ठाए । सुहुमेयरमुस्सकणमवसक्कणमो य पाहुडिया ॥ १० ॥ સાધુના માગવાથી સાધુ માટે દૂધ, દહીં વગેરે રાખી મૂકવામાં આવે તે સ્થાપના દોષ છે. પ્રાકૃતિકા દોષના ઉવષ્કણ અને અવqષ્ક એમ બે ભેદ છે. તે બંનેના સૂક્ષમ અને બાદર એમ બે બે ભેદ છે. આથી પ્રાતિકાના સુકુમ ઉવષ્કણ, સૂક્ષમ અવશ્વષ્કણ, બાદર ઉવષ્કણ, બાદર અવqષ્કણ એમ ચાર ભેદ છે. ઉવષ્કણ એટલે ધારેલું કાર્ય જ્યારે કરવાનું હોય તેનાથી મોડું કરવું. અવqષ્કણ એટલે ધારેલું કાર્ય જ્યારે કરવાનું હોય તેના કરતાં વહેલું કરવું. સૂક્ષમ એટલે થોડું. બાદર એટલે ઘણું. થેડું મે ડું કરવું તે સૂક્ષમ ઉવષ્કણ. થોડું વહેલું કરવું તે સૂક્ષમ અવષ્પષ્કણ ઘણું મોડું કરવું Page #139 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨: ૧૩ પિંડવિધિ-પંચાશક - . . . = === = ... તે બાદર ઉવષ્કણું ઘણું વહેલું કરવું તે બાદર અવશ્વષ્કણુ. (૧) સુફલ્મ ઉવશ્ક- સૂતર કાંતતી સ્ત્રી બાળક ખાવાનું માગે ત્યારે બાજુમાં સાધુને વહેરવા આવેલા જોઈને બાળકને સાધુ આવશે ત્યારે આપીશ એમ કહે અને સાધુ આવે ત્યારે આપે. અહીં બાળકને આપવાનું કાર્ય સાધુ નિમિત્તે થોડું મોડું કરવાથી સૂક્ષમ ઉશ્વકણુ દોષ લાગે. (૨) સૂક્ષ્મ અવશ્વકર્ણ - સૂતર કાંતતી સ્ત્રી સાધુ વહોરવા આવવાથી ઊભી થઈને સાધુને વહેરાવે અને ફરી ન ઉઠવું પડે એ માટે બાળકને પણ ખાવાનું આપે. અહીં બાળકને આપવાનું કાર્ય સાધુ નિમિત્તે થોડું વહેલું કરવાથી સૂક્ષમ અવશ્વકણ દોષ લાગે. (૩) બાદર ઉશ્વકણ- સાધુઓ આવવાના હોવાથી સુપાત્ર દાનને લાભ મળે એ દષ્ટિએ વિવાહાદિને પ્રસંગ ધારેલા સમયથી મોડો કરે. (૪) બાદર અવશ્વકણુ-સાધુઓ વિહાર કરી જશે એમ જણને સુપાત્રદાનને લાભ મળે એ દષ્ટિએ વિવાહાદિને પ્રસંગ ધારેલા સમયથી વહેલ કરે. (૧૦) ૨૯ સૂક્ષ્મ પ્રાતિકામાં બાળકને આપ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધોવા વગેરેમાં જીવહિંસા વગેરે દે છે. મોડું આપવામાં બાળકને અંતરાય સંતાપ વગેરે થાય. બાદર પ્રાતિકામાં વિવાહાદિ પ્રસંગ વહેલા-મોડે કરવામાં પ્રસંગમાં જોઇતા સાધન લાવવાની વ્યવસ્થા વહેલી મેડી કરવી પડે. તેમાં અધિક જીવ હિંસાદિ થાય. ઘરના બધા માણસોને તે ઇષ્ટ ન હોય, વિવાહાદિમાં સામો પક્ષ તેમ કરવામાં રાજી ન હોય છતાં કરવું પડે વગેરે અનેક દોષો છે.. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૧ ૧૩ પિંડવિધિ-પંચાશક પ્રાદુષ્કરણ અને ક્રત દેશનું સ્વરૂપ :णीअदुवारं धारे, गवक्खकरणाइ पाउकरणं तु । दव्वाइएहिं किणणं, साहूणट्ठाय कीयं तु ॥ ११ ॥ ઘરનું બારણું નીચું હેય વગેરે કારણે ઘરમાં અંધારું હેય તે સાધુઓ અંધારામાં ભિક્ષા ન લે એથી બારી મૂકવી, દીવો કરવો, મણિ મૂક વગેરે રીતે પ્રકાશ કરે તે પ્રાદુષ્કરણ છે. બારી આદિ કરવાથી અને દીપક આદિ કરવાથી એમ બે રીતે પ્રાદુષ્કરણ થાય છે. [ બંને રીતે જીવહિંસા થતી હોવાથી દેષરૂપ છે. વહેરાવવાની વસ્તુ અંધારાવાળા સ્થાનમાંથી પ્રકાશવાળા સ્થાનમાં લાવવી તે પણ પ્રાદુષ્કરણ છે. અંધકારવાળા સ્થાનમાં ગૃહસ્થ પિતાના માટે દીવા વગેરેથી પ્રકાશ કર્યો હોય તે પણ ત્યાં હારવું ન કલ્પે. કારણ કે તેઉકાયની વિરાધના થાય.] - સાધુ માટે દ્રવ્ય વગેરેથી વેચાતું લેવું તે ક્રીત દેષ છે. તેના સ્વદ્રવ્ય, પારદ્રવ્ય, સ્વભાવ અને પરભાવ એમ ચાર ભેદ છે. - (૧) સ્વદ્રવ્ય કીત - સાધુના પિતાના દ્રવ્યથી વસ્તુએથી લીધેલું સ્વદ્રવ્ય કત છે. તીર્થની શેષ, સુગંધી ચૂર્ણ, રૂપ પરાવર્તન કરવાની ગુટિકા (મંત્રેલ વાસક્ષેપ, ઔષધ) વગેરે આપીને આહારાદિ લે તે સવદ્રવ્ય કત. (૨) પરદ્રવ્ય ક્રીત – ગુરથ સાધુ માટે ધન વગેરે દ્રવ્ય આપીને ખરીદે તે પરદ્રવ્યકત છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૧૨ (૩) સ્વભાવ ક્રીતઃ- સાધુના પેાતાના ભાવથી લીધેલું સ્વભાવ ફ્રીત છે. સારા આહારદ્ધિ મેળવવાના આશયથી ધર્મકથા વગેરે કરીને લેાકાને આકર્ષીને આહારાદિ મેળવે તે સ્વભાવક્રીત છે. (૪) પરભાવ ક્રીત:- સાધુના ભક્ત મ′ખ(=લેાકાને ચિત્રપટ ખતાવીને નિર્વાહૂ કરનાર ભિક્ષુ વિશેષ.) વગેરે પેાતાની કલાના પ્રદર્શન વગેરેથી લેાકાને ખુશ કરીને સાધુ માટે આહારાદિ મેળવે તે પરણાવ ક્રીત છે. [ દ્રક્રીતમાં તીની શેષ વગે૨ે આપ્યા પછી એચિંતી બિમારી થાય તા સાધુએ બિમાર કર્યો એવી વાત લેાકમાં ફેલાવાથી શાસનની હીલના થાય, અથવા માંદા સાજો થાય તે ઘરનાં કાર્યાં, વેપાર વગેરે પાપપ્રવૃત્તિમાં જોડાય વગેરે દાષા છે, સ્વભાવ ક્રીતમાં પેાતાનાં નિમલ અનુષ્ઠાનોને નિષ્ફલ કરવાં વગેરે દાષા છે. પરદ્રવ્ય ક્રીતમાં ખરીદવા વગેરેમાં જીવહિંસા વગેરે દાષા થાય છે. તથા ક્રીત લેનાર ગૃહસ્થે પાપથી મેળવેલા પૈસાના ઉપયાગ કરવાથી પૈસા મેળવવામાં લાગેલા પાપાના ભાગીદાર બને છે. પરભાવ ફ્રીતમાં મ'ખ વગેરે કળાનું પ્રદર્શન કરે વગેરે દ્વારા જીહિંસાદિ દેાષા લાગે. ] (૧૧) પ્રામિત્ય અને પરાવર્તિત દોષનું સ્વરૂપ :– उच्छिंदिउं पामिचं जं साहूणड्डा पल्लट्टिउं च गोरखमाई परियट्टियं भणियं ॥ १२ ॥ दियावेह | । Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૨૫ સાધુને આપવા બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે પ્રાનિત્ય દોષ છે. [ પ્રામિત્યના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકાર છે. ગૃહસ્થ બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે લૌકિક પ્રામિત્વ છે. સાધુઓ પરસ્પર ઉછિની વસ્તુ આપે તે લોકત્તર પ્રાસિત્ય છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે : (૧) વસ્ત્ર (વગેરે) થોડા દિવસ વાપરીને તમને પાછું આપીશ એવી શરતથી લે. (૨) આટલા દિવસ પછી આવું વસ્ત્ર (વગેરે) તમને બીજું આપીશ એમ કહીને લે. લૌકિક પ્રામિત્યમાં ઉછીનું લાવેલું પાછું ન આપી શકે વગેરે કારણે ફલેશ-કંકાસ યાવત્ પ્રાણુનાશ વગેરે દેશે છે. લોકોત્તર પ્રામિત્યના પહેલા પ્રકારમાં વસ્ત્ર મલિન થઈ જાય, એવાઈ જાય, ફાટી જાય વગેરે કારણે પરસ્પર કલેશ વગેરે થાય. બીજા પ્રકારમાં બીજું વસ તેવું ન મળે, કહેલા સમયે ન મળે, જેની પાસેથી લીધું હોય તેને બીજું આપેલું વસ્ત્ર પસંદ ન પડે વગેરે કારણે કલેશાદિ દોષો થાય. આથી લોકોત્તર પ્રાચિત્ય પણ ત્યાજ્ય છે. કોઈ કારણસર પરસ્પર આપ-લે કરવી પડે તે કોઈ શરત વિના અને ગુરુને જણાવીને કરવી જોઈએ. ] સાધુઓનું ગૌરવ-બહુમાન થાય એ માટે કે પિતાની લઘુતા ન થાય એ માટે પિતાની કદરા વગેરે હલકી વસ્તુ Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા-૧૩ : બીજાને આપીને તેની પાસેથી ઉત્તમ ચોખાથી બનાવેલ ભાત વગેરે લાવીને સાધુને આપે તે પરાવર્તિત દોષ છે. [ પરાવર્તિતના લૌકિક અને લોકોત્તર એમ બે ભેદ છે. ગૃહસ્થો પરસપર અદલા-બદલી કરે તે લૌકિક. સાધુઓ પરસ્પર અદલાબદલી કરે તે લોકોત્તર. લૌકિક અને લોકોત્તર બંનેમાં પ્રામિત્યમાં જણાવ્યા મુજબ દેશેનો સંભવ હોવાથી ત્યાજ્ય છે. સાધુઓને કારણસર વસ્ત્રાદિની અદલાબદલી કરવી પડે તો ગુરુને કહીને ગુરુ સમક્ષ કરવી. જેથી કુલેશાદિ દે ન થાય. (૧૨) અભ્યાહત અને ઉદ્દભિન્ન દેશનું સ્વરૂપ :सग्गामपरग्गामा, जमाणिउं आहडं तु तं होइ । छगणाइणोवलितं, उभिदिय जं तमुब्मिणं ॥ १३ ॥ સ્વગામ (=સાધુ જે ગામમાં હોય તે ગામ), પરગામ (=સાધુ જે ગામમાં હોય તે સિવાય બીજું ગામ), દેશ, શેરી, ઘર વગેરે સ્થળેથી સાધુના સ્થાને લાવીને આહારાદિ આપે તે અભ્યાહત દેષ છે. (અભયાહતના આચી અને અનાચી એમ બે ભેદ છે. પૂર્વ પુરુષેએ જે અત્યાહત લેવાની આચરણા કરી હોય તે આચી. તેના ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકાર છે. - (૧) ક્ષેત્રની અપેક્ષાએ જયારે આગળના ભાગમાં જમનારાઓની પંગત બેઠી હોય અને બીજા છેડે આહાર Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ ૧૩ પિડવિધિ-૫'ચાશક વગેરે હાય, તથા સ્ત્રીસĆઘટ્ટ વગેરે કારણે સાધુથી ત્યાં જવાય તેમ ન હેાય, ત્યારે સેા હાથની અંદરથી લાવેલ કલ્પી શકે. ઘરની અપેક્ષાએ સઘાટક એ સાધુઓમાંથી એક સાધુ જે ઘરની ભિક્ષા લેતા હૈાય તે ઘર, અને બીજો સાધુ દાતારની સાધુને ભિક્ષા આપવાની બધી ક્રિયા ખરાખર જોઈ શકે તેવા પાસેના બીજા બે ઘરેા એમ ત્રણ ઘર સુધીનું અભ્યાહત કલ્પી શકે, તેથી આગળના ઘન્નુ' ન કહપે. | : ૧૨૭ : છાણુ વગેરેથી લીંપેલી કાઠી વગેરેના લીંપણુને ઉખેડીને કે દરાજ ન ખુલતા હોય તેવા કબાટ વગેરેને ખેતીને આહારાદિ આપે તે ઉદભન્ન દાષ છે. [ આમાં સાધુને આપ્યા પછી ફરી લીંપણું વગેરેથી અંધ કરવામાં અકાય આદિની વિરાધના, અ`ધ કરવાનું ભૂલી જાય કે માડુ' થાય તે તેમાં ઉંદર વગેરે પેશી જાય તા પચક્રિય જીવેાની વિરાધના, સાધુ નિમિત્તે ઉઘાડવા પછી તેમાં રહેલી ઘી વગેરે વસ્તુ પુત્ર વગેરેને આપે, અથવા તેના ક્રય-વિક્રય કરે, ઈત્યાદિ અનેક દ્રષા થાય. જે કમાટ દરાજ ન ખૂલતા હોય તેને ખાલવામાં આનુમાજી કે પેાલાણું વગેરેમાં રહેલા ક્રરાડિયા, કીડી, ગિાળી વગેરે જીવાના નાશ વગેરે દાષા લાગે. પણ જે જીવિરાધના ન થાય એ હેતુથી ખરણી વગેરેને સામાન્ય કપડું' ખાંધ્યું હોય અને ગૃહસ્થા પેાતાના માટે તેને વારવાર ખાલતા હાય તા, ભરણી ઉપર બાંધેલ કપડું' વગેરે સાધુના માટે છેાડીને તેમાં રહેલી વસ્તુ આપે તે Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮: ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૧૪ કલ્પી શકે. તે જ પ્રમાણે કબાટ દરરોજ ગૃહસ્થો પોતાના માટે ખેલતા હોય તે તેને ઉઘાડીને તેમાં રહેલ વસ્તુ આપે તો કલ્પી શકે. આમ છતાં ગૃહસ્થ બરણી, કબાટ વગેરે ઉઘાડે ત્યારે સાધુએ ત્યાં બરાબર દષ્ટિ રાખવી જોઈએ, જેથી કીડી વગેરે હોય તો ઉચિત કરી શકાય. કબાટ વગેરે ઉપર કીડી વગેરે છ ફરતા હોય તે કબાટ વગેરે ખેલવામાં અને બંધ કરવામાં તે છ ચગદાઈ જવાની ઘણી શક્યતા છે. ] ( ૧૩). માલાપહત અને આચ્છેદ્ય દેવનું સ્વરૂપ :मालोहडं तु भणियं, जं मालादीहि देति घेत्तूणं । જ વાછિંદિર, ઉં સામી મિરાતી | ૨૪ | માળ વગેરે સ્થાનમાંથી લઈને આપે તે માલાપહત દેષ છે. માલાપહતના ઊર્વ, અધે, ઉભય અને તિ એમ ચાર પ્રકાર છે. માળ, શીકું, ખીટી વગેરે ઉપરના સ્થાનમાંથી લઈને આપે તે ઊદ માલાપહત છે. ભોંયરું વગેરે નીચેના સ્થાનમાંથી લઈને આપે તે અધોમાલાપહત છે. જેમાંથી લેતાં પ્રથમ પગ વગેરેથી ઊંચા થવું પડે અને પછી મસ્તક, હાથ વગેરે અંગે નમાવવા પડે તે ઠી, કોઠાર (=માટી કેડી) વગેરેમાંથી લઈને આપે તે ઉભય માલાપહત છે. હાથ લાંબો કરીને કષ્ટપૂર્વક લઈ શકાય તેવા ગોખલા વગેરેમાંથી લઈને આપે તે તિર્યમ્ માલાપહત છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૪ ૧૩ પિડવિધિ-૫ ચાશક [ આમાં તે તે સ્થાનમાંથી લેવામાં પડવા વગેરેના ભય, પડવાથી નીચે રહેલા કીડી વગેરે જીવાની વિરાધના, પડેનારના હાથ વગેરે અંગેા ભાંગી જાય કે પ્રાણ પણ ચાલ્યા જાચ, પરિણામે પ્રવચન હીલના થાય, શીકા વગેરેમાંથી લેવામાં સપદશ આદિની સભાવના, ઊ ચે–નીચે થવામાં શારીરિક કષ્ટ થાય. વગેરે અનેક દોષ હાવાથી માલાપહત સાધુને ન ક૨ે. પશુ શીકા વગેરેમાં રહેલી વસ્તુ દેખાતી હાય, પડવાના ભય ન હાય, શારીરિક કષ્ટ વગેરે દાષાની સભાવના ન હાય તેા કલ્પી શકે. તથા દાદરાના પગથિયાં સુખેથી ચઢી-ઉતરી શકાય તેવા હોય તે માળ ઉપરથી લાવેલું પણ કલ્પે, ઉત્સર્ગ માગે તે માળ ઉપર રહેલી વસ્તુ લેવાની હાય તેા એષણુાશુદ્ધિ થાય તે માટે ગૃહરથ સાથે સાધુ પણ માળ ઉપર જાય. અપવાદથી ગૃહસ્થ માળ ઉપરથી લાવીને આપે તે કલ્પે. ] : ૧૨૯ : માલિક નાકર વગેરેની વસ્તુ તેની પાસેથી મળાત્કારે ઝુટવીને આપે તે આચ્છેદ્ય દોષ છે. તેના નાયક, નૃપ અને ચાર એમ ત્રણ ભેદ છે. [ ઘરના માલિક તે નાયક, ગામ આદિના માલિક તે નૃપ. ઘરના માલિક પેાતાના નાકર, પુત્ર વગેરે પાસેથી ખળાત્કારે ઝુંટવીને આપે તે નાયક આચ્છેદ્ય, નૃપ પાતાના આશ્રિતાની માલિકીની વસ્તુ તેમના પાસેથી બળાત્કારે ઝુ'ટવીને આપે તે નૃપ આચ્છેદ્ય. ચારા € Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : ૧૩ પિંડવિધિ—પચાશક ગાયા ૧૫-૧૬ સાથ વાહના માણસે આફ્રિ પાસેથી લૂટીને આપે તે ચાર આચ્છેદ્ય. આમાં જેની પાસેથી ઝુંટવી લેવામાં આવે તેને ધ્યાન, આહારાદિના અંતરાય, સાધુ પ્રત્યે દ્વેષભાવ વગેરે દાષા થાય. તથા સાધુને અદત્તાદાનના દેોષ લાગે.] (૧૪) અનિષ્ટ અને અધ્યવપૂરક દોષનું સ્વરૂપ :— अणिसिद्धं सामण्णं, गोट्ठिगभत्तादि ददउ एगस्स । सट्टा मूलद्दहणे, अज्झोयर होह पक्खेवो ॥ १५ ॥ અનેકની માલિકીવાળું સામુદાયિક ભાજન વગેરે બધા માલિકાની રજા વિના કાઈ એક આપે તે અનિષ્ટ દોષ છે. [ આમાં પરસ્પર ફ્લેશ વગેરે તથા સાધુ પ્રત્યે દ્વેષ વગેરે થાય. ] પાતાના માટે રાંધવા વગેરેની શરૂઆત કર્યા પછી પાછળથી સાધુ નિમિત્તે અધિક ઉમેરવુ' તે અય્યવપૂરક દોષ છે, [આના યાવદર્થિક, પાખડી અને યતિ એમ ત્રણ ભેદ છે. આ ત્રણના અથ મિશ્રર્દોષમાં જણુાવ્યા મુજખ છે. અધ્યવપૂરકમાં પાછળથી સાધુ નિમિત્તે ઉમેરવામાં અકાય, વનસ્પતિકાય વગેરે જીવાની વિરાધના થાય. ) (૧૫) વિશુદ્ધિકાટિ-અવિશુદ્ધિકેાટિરૂપ એ ભેદઃ कम्मुद्देसियचरमतिय पूइयं मीस चरमपाहुडिया | अज्झोयर अविसोही, त्रिसोहिकोडी भवे सेसा ॥ १६ ॥ આધામ, વિભાગ ઔદ્દેશિકના સમુદ્દેશકમ આદૅશકમ અને સમાદેશકમાં એ છેદ્યા ત્રણ લેક, મિશ્રાત અને અવ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૩૧ પૂરકના પાખંડી અને યતિ એ છેલ્લા બે ભેદ, બાદર ભક્તપાન પતિ અને બાદર પ્રાકૃતિકા એમ મૂળ છે ભેદના કુલ દશ ભેદ અવિશુદ્ધિકોટિ છે. બાકીના બધા ઉદ્દગમ દે વિશુદ્ધિ કોટિ છે.* જે દેથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડયા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ કાઢી લેવા છતાં બાકીને શુદ્ધ આહાર પણ અશુદ્ધ જ રહે-શુદ્ધ ન બને તે દે અવિશુદ્ધિ કટિ છે. જે દેથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડયા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ લઈ લીધા પછી બાકીને શુદ્ધ આહાર શુદ્ધ બને તે દે વિશુદ્ધિ કોટિ છે. કોટિ એટલે ઉદગમ દોનો વિભાગ-પ્રકાર. અવિશુદ્ધિ કેટિ દેષવાળા આહારથી ખરડાયેલ પાત્ર પણ છાણથી (છાણાના ભુકાથી કે રાખ વગેરેથી) બરાબર સાફ કર્યા પછી ત્રણ વાર ધોઈને બરાબર સુકાઈ ગયા પછી જ શુદ્ધ બને અને તેમાં શુદ્ધ આહાર લઈ શકાય. (૧૬) ઉત્પાદન શબ્દને અર્થ અને તેના પર્યાયવાચી શબ્દ :उप्पायण संपायण, णिवत्तणमो य हांति एगट्ठा । थाहारस्सिह पगया, तीए दोसा इमे हेति ॥ १७ ॥ ઉત્પાદન, સંપાદન, નિર્તના એ શબ્દો એકાઈક છે; અર્થાત્ આ ત્રણે શબ્દોને મેળવવું” અર્થ છે. ઉત્પાદન ૪ અહીં ધારણા કરવામાં સરળતા રહે એ દષ્ટિએ પિંડવિથતિમાં બતાવેલા કમથી દેનાં નામ લખ્યા છે. Jäin Education International Page #149 -------------------------------------------------------------------------- ________________ * ૧૩૨ : ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૧૮ થી ૨૧ (=મેળવવુ તે) સચેતન, અચેતન વગેરે અનેક દ્રવ્યસ અધી હાય છે, તેમાં અહીં આહારના ઉત્પાદનના અધિકાર છે. અર્થાત્ ગૃહસ્થને ત્યાંથી આહાર મેળવવા રૂપ ઉત્પાદન અહીં વિક્ષિત છે, તેના ઢાષા આ (નીચેની ગાથામાં કહેવાશે તે) પ્રમાણે છે, (૧૭) ઉત્પાદનના સેાળ ઢાષાનાં નામા : धाती दूतिणिमित्ते, आजीव वणीमगे तिमिच्छा य । कोहे माणे माया, लोभे य हवंति दस एते ॥ १८ ॥ पुव्विपच्छासंथव, विजामंते य चुण्णजोगे य । સૂક્ષ્મય ॥ ॥ उप्पायणयाए दोसा, सोलसमे मूलकम्मे य ॥ १९ ॥ ૧ ધાત્રી, ૨ દૂતી, ૩ નિમિત્ત, ૪ આજીવ, ૫ વનીપક, ૬ ચિકિત્સા, ૭ ક્રોધ, ૮ માન, ૯ માયા, ૧૦ લાભ, ૧૧ પૂર્વ —પશ્ચાત્સ’સ્તવ, ૧૨ વિદ્યા, ૧૩ મત્ર, ૧૪ ચૂ, ૧૫ ચૈાગ, ૧૬ મૂલકમ એમ સાળ દેધ ઉત્પાદનના છે.(૧૮–૧૯) ઉત્પાદનના સાળ દેશનું સ્વરૂપ : तहेव दूतित्तं । धाइत्तणं करेती, पिंडट्ठाए સીયાટ્રિનિમિત્તે વા, નવાર વાળીને | ૨૦ || जो जस्स कोइ भत्तो, वणेइ तं तप्पसंसणेणेव । આવાટ્ટા ક્રુત્તિ ન, મૂઢો મુદુમેયત્તિનિષ્ઠ ।। ૨ ।। આ ધાત્રી આદિ દરેક શબ્દના અર્થ આ શ્લાકની ટીકામાં આપ્યા મુજબ તે તે દોષના વર્ણનની સાથે જાન્યેા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦ થી ૨૪ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૩a : - - - - - - - - - - कोहप्फलसंभावणपडुपण्णो होइ कोहपिंडो उ । गिहिणो कुणदहिमाणं, मायाइ दवावए तह य ॥ २२ ॥ રોમા ઘરવતી, શાહી સંઘર્ષ સુવિ . , कुणइ पउंजइ विजं, मंतं चुगं च जोगं च ॥ २३ ॥ अनमिह कोउगाइ व, पिंडत्थं कुणइ मूलकम्मं तु । साहुसमुत्था एते, भणिया उपायणादोसा ॥ २४ ॥ (૧) ધાત્રી- ધાત્રી એટલે બાલપાલિકા (=બાળકનું રક્ષણ કરનારી ) સ્ત્રી. ધાત્રીના દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી, વસ્ત્રાલંકાર પહેરાવનારી, માડનારી અને ખેાળામાં બેસાડનારી એમ પાંચ પ્રકાર છે. આ પાંચ પ્રકારમાંથી કઈ પણ ધાત્રીનું (બાળકને રમાડવું વગેરે) કાર્ય કરીને સાધુ ભિક્ષા મેળવે તે ધાત્રીદેષ છે. આમાં બાળકને રમાડવાદિથી તેની માતા વગેરે, આકર્ષાઈને સાધુ માટે આધાકર્મ આહાર બનાવે, સાધુ અને બાળકની માતા વગેરેનો પરસ્પર પરિચય વધે, રાગ-૧ ભાવ થાય વગેરે અનેક દે છે.] - (૨) દૂતી - દૂતી એટલે પરસ્પરનો સંદેશો કહેનારી સી. સાધુ ગૃહસ્થાને પરસ્પરના સંદેશા સમાચારો કહીને ભિક્ષા મેળવે તે દૂતી દેષ છે. ( આમાં ગૃહસ્થ સંદેશા પ્રમાણે પ્રવૃત્તિ કરે એથી જીવહિંસા વગેરે દેશે લાગે Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ ક ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૨૦થી ૨૪ (૩) નિમિત્ત:- ભૂત-વર્તમાન ભવિષ્યના સુખદુઃખાતિ સ'ખ'ધી નિમિત્તો કહીને શિક્ષા મેળવવી તે નિમિત્ત દોષ છે. ( આમાં નિમિત્ત સાચુ પડે તે ગૃહસ્થ આકર્ષાઈને આધાક્રમ આહાર વગેરે ઢાષા કરે, નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરીને જીવહિંસાદિ પાપા કરે, યાવત્ મનુષ્ય વગરે પાંચેન્દ્રિય જીવાના ઘાત પણ કરે, નિમિત્ત ખાટુ પડે તા સાધુ પ્રત્યે દ્વેષ કરે, યાવત્ સાધુના વધ કરે, શાસનની હીલના થાય વગેરે અનેક દાષા છે ] (૪) આજીવ← આજીવ એટલે જીવન નિર્વાહ. સાધુ જાતિ, કુલ, ગણુ, ક્રમ અને શિલ્પ એ પાંચમાં ટાઇ પ્રકારે ગૃહસ્થ સાથે પેાતાની સમાનતા બતાવીને ભિક્ષા મેળવીને જીવનના નિર્વાહ કરે તે આજીવ દોષ. , [ જાતિપ્રાણ, ક્ષત્રિય વગેરે. કુલઉગ્ર, ભેાગ વગેરે, ગણુસમુદાય, જેમ કે મલ્લાના સમુદાય, પંડિતાના સમુદાય, નટાના સમુદાય, ક્રમ=ખેતી વગેરે. શિલ્પ=સીવવુ વગેરે કળા, ગૃહસ્થ બ્રાહ્મણ જાતિના હોય તા સાધુ પાતે પણ બ્રાહ્મણુ નતિના છે એમ કહે, અગર બ્રાહ્મણકુલની પ્રશસ્રા કરે, અગર તેવાં વચના બેલે જેથી ગૃહસ્થને એમ લાગે ? આ અમારી જાતિના છે. આથી ગૃહસ્થ જાતિની સમાનતાથી આકર્ષાઈને સારા આહાર આપે. એમ કુલ વિષે પણ સમજવું. મહૂ વગેરેની પાસે મલ્લકુસ્તી સંબધી વાતે એવી રીતે કરે કે જેથી મલને લાગે કે આ સાધુ મલ્લ છે. ખેડૂત વગેરેની પાસે ખેતી સબધી વાતે એવી રીતે કરે કે Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦ થી ૨૪ ૧૩ પિડવિધિ-૫'ચાશક : ૧૩૫ : જેથી તેને એમ લાગે કે આ સાધુ પૂવે ખેડૂત હતા, અથવા ખેતીનુ' સારું જ્ઞાન ધરાવે છે. એ પ્રમાણે શિલ્પમાં પશુ સમજવુ. આમાં પ્રસન્ન અનેલ ગૃહસ્થ આધાક્રમ આદિ ષા લગાડે, તથા સાધુને તે તે જાતિ આદિવાળા ગૃહસ્થ પાસે પેાતે તે તે અતિ આદિના ન હાય તા પણ પાતે તે તે જાતિ આદિના છે એમ બતાવવામાં મૃષાવાદ, માયા આદિ દાષાનુ સેવન કરવુ' પડે, ખેતી આદિના વનમાં સાવદ્ય કાર્યોંની પ્રશ'સાથી અનુમાદના વગેરે દાષા લાગે.) (૫) વનીપકઃ- વનીપક એટલે યાચના કરનાર, જે દાતા ગૃહસ્થ જે સાધુ વગેરેના ભક્ત હાય તે ગૃહસ્થ પાસે તે સાધુ વગેરેની પ્રશંસા કરવા દ્વારા આહારની યાચના કરે તે વનીપક રોષ. [ જેમ કે—ખૌદ્ધ સાધુઓના ભક્તની પાસે બૌદ્ધ સાધુઓની પ્રશંસા કરવી, અને તેમને દાન આપવુ. હિતકર છે વગેરે કહેવુ'. આમાં કુધર્મની અને કુપાત્રદાનની પ્રશંસાથી મૃષાવાદ અને મિથ્યાત્વની સ્થિરતા-વ્રુદ્ધિ, સાવદ્યમાં પ્રવૃત્તની પ્રશસાથી જીવહિંસાદિ પાપાની અનુમાદના વગેરે દોષો લાગે. ] (૯) ચિકિત્સા :- ચિકિત્સા એટલે રાગના ઉપાય. ચિકિત્સાથી ગૃહસ્થને પ્રસન્ન કરીને આહારાદિ મેળવે તે ચિકિત્સા ઢષ છે. ચિકિત્સા ઢાષના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર છે. રોગની દવા બતાવવી, કે વૈદ્ય બતાવવા એ Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : ૧૨ પિવિધિ—પંચાશક ગાથા ૨૦ થી ૨૪ = સૂક્ષ્મ ચિકિત્સા છે. જાતે રોગની દવા આપવી તે બાદર (મોટી) ચિકિત્સા છે. [ આમાં દવા બતાવવા વગેરેથી અપકાય, વનસ્પતિકાય વગેરે જીવોની હિંસા, સારું થયા પછી પાપકાર્યમાં પ્રવૃત્તિ, કદાચ વધારે બિમારી થાય કે મૃત્યુ થાય તે સાધુ પ્રત્યે શ્રેષભાવ, શાસનહીલના વગેરે દેષ લાગે છે (૭) કોપડઃ- ગુસસે થયેલો આ સાધુ અમુક અનર્થ કરશે એવા ભયથી મળેલ પિંડ-આહાર ક્રેપિંડ છે. [ ભાવાર્થ- કોઈ સાધુનો વિદ્યાથી ઉચ્ચાટન કરવું, કેઈને મારી નાખવું વગેરે વિદ્યાસંબંધી પ્રભાવ, શાપ આપ વગેરે તપપ્રભાવ, હજારની સાથે એકલે લડી શકે વગેરે બલ, રાજપ્રિયતા વગેરે જાણીને, અથવા કોઈ સાધુએ ગુસ્સામાં આવીને શાપ આપીને કોઈને મારી નાખ્યું હોય વગેરે અનર્થો જોઈને, પોતે ભિક્ષા નહિ આપે તે કદાચ અનર્થ થશે એવા ભયથી ભિક્ષા આપે, અથવા બ્રાહ્મણ વગેરે પાસેથી માગવા છતાં ભિક્ષા ન મળે તે સાધુ ગુસ્સે થાય, સાધુને ગુસ્સે થયેલ જોઈને ગુસ્સે થયેલે સાધુ અનર્થ કરશે એવા ભયથી ભિક્ષા આપે, તે કેપિંડ છે. ] આ વિષયમાં ક્ષેપક મુનિનું દષ્ટાંત છે.* મલ આ દષ્ટાંત અને માયાદિ ત્રણ કષાયનાં દૃષ્ટાંતને અહીં ટીકામાં માત્ર નામ નિર્દેશ કર્યો છે, દષ્ટાંતોનું વર્ણન નથી. તે દષ્ટાંતિ જિજ્ઞાસુએ પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથમાંથી જોઈ લેવાં. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦ થી ૨૪ ૧૩ પિંડવિધિ—પંચાશક : ૧૩૭ : (૮) માનપિંડઃ- ગૃહસ્થને “આ સાધુએ મારી પાસે માગણી કરી છે તેથી મારે એને નહિ આપવાની ઈચ્છાવાળા (મારા) પરિવાર વગેરેની અવગણના કરીને પણ આપવું” એવા અભિમાનવાળો બનાવીને ભિક્ષા મેળવે તે માનપિંડ છે. અથવા દાતા પરિવાર આ સાધુને અમારે કોઈ પણ રીતે આપવું નથી એવા અભિમાનવાળે બને, અને સાધુ પણ હું અવશ્ય લઈશ એવા અભિમાનવાળે બનીને દાતાના ઘરથી ભિક્ષા મેળવે તે માનપિંડ છે. આ વિષયમાં સેવતિકા સાધુનું દષ્ટાંત છે. (ભાવાર્થ :- જે તમે અમુક અમુક આહાર અમને લાવી આપે તે તમે લબ્ધિવાળા છે એમ અમે માનીએ. એ પ્રમાણે બીજા સાધુઓના કહેવાથી ફુલાઈને સાધુઓએ કહે આહાર લાવે તે માનપિંડ છે. અથવા તમારામાં સારે આહાર લાવવાની જરાય શક્તિ (-લબ્ધિ) નથી એમ બીજા સાધુઓ અપમાન કરે એથી, “ જુઓ, મારામાં સારો આહાર લાવવાની શક્તિ છે” એમ બતાવવા અહંકાથી સારો આહાર લાવે તે માનપિંડ છે. અથવા બીજા સાધુઓ પાસેથી પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને કુલાઈ જાય, એથી “અરે! હું તે જ્યાં જાઉં ત્યાં બધું મેળવી શકું છું.” એમ સાધુઓને કહીને ભિક્ષા માટે જાય, અને કોઈ ગૃહસ્થને એવી રીતે વાત કરે જેથી તે ગૃહસ્થને અહંકાર થાય - આપવાનું પૌરુષ ચઢે) અને તેથી તે સાધુ જે આહાર માગે છે અને એટલે માગે તેટલો આપે તે માનપિંડ છે.] Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૨૦ થી ૨૪ (૯) માયાપિડઃ– લબ્ધિથી વેશપરિવર્તન આદિ કરીને માયાથી ગૃહસ્થને છેતરીને તેની પાસેથી ભિક્ષા મેળવે તે માયાપિડ છે. આ વિષયમાં અષાઢાભૂતિ મુનિનું ષ્ટાંત છે. (૧૦) લાભ પડેઃ- આહારની લાલસાથી ઘણા ઘરોમાં ક્રે તે લેાપિંડ, આ વિષયમાં સિંહકેસરિયા મુનિન્તુ દૃષ્ટાંત છે, [ક્રોધાદિ ચારે પ્રકારના પિંડમાં સાધુના ક્રોધાદિ કષાયનું પાષણ, એક-બીજાને દ્વેષભાવ, શાસનહીલના વગેરે દાષા છે. ] (૧૧) પૂર્વ-પશ્ચાત્સ’સ્તવઃ- સસ્તવ એટલે પ્રશ’સા. સસ્તવના પૂર્વ અને પશ્ચાત એમ બે ભેદ છે. દાતા આહાર આપે એ પહેલાં તેના સાચા-ખાટા ાની પ્રશ'સા (ખુશામત) કરવી તે પૂર્વ સહસ્તવ, અને દાન આપ્યા પછી પ્રશંસા કરવી તે પશ્ચાત્સ`સ્તવ, [ામાં માયા મૃષાવાદ, અસયતની ખુશામત દ્વારા પાપાની અનુમાદના વગેરે દાષા લાગે. ] અથવા 'સ્તવ એટલે પરિચય. માતા, પિતા વગેરે પક્ષના સંબંધ બતાવવા તે પૂર્વ સહસ્તવ, અને શ્વસુર પક્ષના સબંધ બતાવવા તે પશ્ચાત્સ`સ્તવ, [ જેમકે-દાન આપનારી શ્રી વૃદ્ધ હાય તા તમારા જેવી જ મારી માતા હતી વગેર કહે, પ્રૌઢ સ્ત્રી હાય તે। . તમારા જેવી જ મારી મહેન હતી વગેરે કહે, યુતિ હોય તે તારા જેવી જ મારી પુત્રી હતી વગેરે કહે, આમાં માયામૃષાવાદ, પરસ્પર મમત્વભાવ, શાસન હીલના વગેરે ઢાષા થાય. આહાર મેળવવાના કરાદાથી ગૃહસ્થા સાથે પોતાના સ`સારના સાચા સ`ખ ધ કાઢવા એ પણ પૂર્વ-પશ્ચાત્સ`સ્તવ છે. ] Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦થી ૨૪ ૧૩ વિંડવિધિ-ચાશક : ૧૩૯ : ( ૧૨ થી ૧૫ ) વિધા-મત્ર-ચૂણુ-યાગમયેાગવિદ્યા, માત્ર, ચૂર્ણ અને યાગના ઉપચાગ કરીને આહાર મેળવવા તે અનુક્રમે વિદ્યાપ્રયાગ, મંત્રપ્રયાગ, સૂણુ પ્રયાગ અને ચાગ પ્રયોગ ઢાષ છે. જે ડેવીથી અધિષ્ઠિત હાય તે વિદ્યા, અને જે દેવથી અધિષ્ઠિત હોય તે મંત્ર. અથવા હામ, અલિ, જાપ વગેરે સાધનાથી સિદ્ધ થાય તે વિદ્યા, અને હામ વગેરે સાધના વિના (માત્ર પાઠથી) સિદ્ધ થાય તે મ'ત્ર, પગમાં લેપ કરીને આકાશમાં ઉડી શકાય વગેરે જુદા જુદા પ્રયાગોથી જુદી જુદી શક્તિ જેમાં હાય તેવાં ચૂણેણં. જેનાથી વશીકરણ (સ્તંભન) વગેરે થાય તે ચેાગ. [ આમાં ગૃહસ્થની ઈચ્છા વિના આહારાદિ લેવાથી અદત્તા દાન, ગૃહસ્થાને ખબર પડતાં શાસનહીલના વગેરે ઢાષા છે. (૧૬) મૂલક :- જેનાથી દીક્ષાપર્યાયને મૂળથી છેદરૂપ આઠમું પ્રાયશ્ચિત્ત આવે તેવા ગભઘાતાદિ વ્યાપાર તે મૂલ ક. અથવા મૂળ એટલે વનસ્પતિનાં મૂળિયાં, વનસ્પતિનાં મૂળિયાંની ક્રિયા તે મૂલક, આહાર મેળવવાના ઈરાદાથી સૌભાગ્ય માટે મંગલ ગણાતાં વનસ્પતિનાં મૂળિયાંઓથી શ્રીઓને સ્નાન કરાવવું, ગર્ભપાત (કે ગર્ભાધાન) વગેરે કરાવવું એ મૂળકમ દાષ છે, [મામાં ગર્ભપાત આદિ કર્યો પછી બીજાઓને ખબર પડતાં સાધુ પ્રત્યે દ્વેષ, તેથી કદાચ સાધુના વધુ પણ થાય, વનસ્પતિકાય આદિની વિરાધના, પંચેન્દ્રિય ગર્ભ ના ઘાત વગેરે અનેક દોષો છે. ] આ ઉત્પાદન ઢાષા સાધુથી ઉત્પન્ન થાય છે. (૨૦ થી ૨૪) Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : ૧૩ ડિવિધિ-પંચાશક ગાથા ૨૫ એષણશબ્દનો અર્થ અને તેના પર્યાયવાચી શબ્દ :एसण गवेषणण्णेसणा य गहणं च होति एगट्ठा । आहारस्सिह पगया, तीइ य दोसा इमे होति ॥ २५ ॥ - એષણા, ગવેષણ, અનવેષણા, ગ્રહણ આ શબ્દો એકાર્થક છે. અર્થાત આ બધા શબ્દોને એષણા અર્થ છે. એષણા (eતપાસ) અનેક વસ્તુ સંબંધી હોય છે, તેમાં આહારની એષણું (તપાસ) પ્રસ્તુત છે, દ્વિપદ પ્રાણુ વગેરેની એષણા પ્રસ્તુત નથી. એષણાના દે (આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દે) નીચેની ગાથામાં કહેવાશે તે છે. (૨૫) + પિંડ નિર્યુક્તિ વગેરે ગ્રંથમાં એષણશબ્દને દેની તપાસ કરવી એવો અર્થ છે. એષણના ગણેષણું, ગ્રહણષણ અને ગ્રાસિષણે એમ ત્રણ ભેદ છે. ગષણ એટલે ઉદ્દગમ અને ઉત્પાદનના દે. (પિં.વિ.ગા. ૭૬નું અવતરણ) આહાર લેતાં પહેલાં ગષણની=ઉદ્દગમ અને ઉત્પાદનના દોષાની તપાસ કરવી તે ગષણપણું. ગ્રહણ એટલે આહાર ગ્રહણ કરો. આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દોષોની તપાસ તે ગ્રહણપણું. ગ્રાસ એટલે કેળિયે, અર્થાત ભોજન કરવું. ભોજન કરતાં લાગતા દેશોની તપાસ કરવી તે પ્રાપણું. પ્રસ્તુતમાં એપણું શબ્દનો શબ્દાર્થ તપાસ કરવી એ છે, પણ ભાવાર્થ ગ્રહણપણું રૂપ છે. અપેક્ષાએ ગ્રહણપણું અને તપાસ કરવી એ બંનેને એક જ અર્થ છે. કારણ કે ગ્રહણ એટલે આહાર ગ્રહણ કરો. આહારનું ગ્રહણ દોષોની તપાસપૂર્વક કરવાનું છે. આથી જ અહીં એષણ (ઋતપાસ) અને ગ્રહણ એ બંનેને શબ્દાર્થ ભિન્ન હોવા છતાં ભાવાર્થ એક હોવાથી અહીં તે બંનેને એક અર્થ જણાવ્યું છે. કરવી તે માસવાઈ મહેલ છે. કારણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬ થી ૨૯ ૧૩ પિડવિધિ-પંચાશક : ૧૪૧ : એષણાના દશ દેવોનાં નામે – संकिय मक्खिय णिक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥ २६ ।। શંકિત, ઍક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સહિત, દાયક ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છદિત આ દશ એષણના દે છે=આહાર લેતાં તપાસવાના દે છે. ૪ (૨૬). એષણના દશ દેશોનું સ્વરૂપ :कम्मादि संकति तयं, मक्खियमुदगादिणा उ जं जुत्तं । णिक्खित्तं सजियादिइ, पिहियं तु फलादिणा ठइयं ॥२७॥ मत्तगगयं अजोग्गं, पुढवादिसु छोदु देइ साहरियं । दायग बालादीया, अजोग्ग वीयादिउम्मीसं ॥२८॥ अपरिणयं दव्वं चिय, भावोवा दोण्ह दाण एगस्स । लितं वसादिणा छड्डियं तु परिसाडणावं तु ॥२९॥ (૧) શકિત - શંતિ એટલે શંકાવાળું. જે આહા૨માં આધાકર્મ આદિ દોષની શંકા થાય તે આહાર શંકિત દેલવાળો કહેવાય. અથવા જે આહારમાં (ઉદ્દગમના ૧૬, અને એષણાના શંકિત સિવાયના ૯ એમ ૨૫ દેષમાંથી) જે દોષની શંકા પડે તે આહાર લેવાથી (કે વાપરવાથી) તે જ દોષ લાગે. તે * શક્તિ આદિ પ્રત્યેક શબ્દનો અર્થ છેષના સ્વરૂપના વર્ણનમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૨૭ થી ૨૯ [ જેમ કે આહાર શુદ્ધ હોવા છતાં આધાકર્મની શંકા પડે છે તે આહાર લેવામાં આવે કે વાપરવામાં આવે તે આધાકમ દેષ લાગે, ઓશિકની શંકા પડે તે ઓશિક દેષ લાગે......... અહીં ગ્રહણ અને ભજનને આશ્રયીને ચાર ભાંગા છે. તે આ પ્રમાણે –(૧) ગ્રહણ (આહાર લેતી વખતે) અને ભોજન (વાપરતી વખતે) એ બંનેમાં શકિત. (૨) ગ્રહણમાં શક્તિ, ભજનમાં નિઃશંક. (૩) ગ્રહણમાં નિ:શંક, લોજનમાં શકિત. (૪) બંનેમાં નિઃશંક. પહેલા ભાંગાની ઘટના :- કોઈ સાધુને કઈ ઘરે ઘણે આહાર જોતાં આટલો બધો આહાર કેમ છે? કંઈક ગરબડ લાગે છે ! એવી શંકા થઈ, પણ લજજાળુ હેવાથી ગૃહસ્થને વધારે રસાઈ બનાવવાનું કારણ પૂછી શકે નહિ. શંકરપૂર્વક જ તે આહાર વહેરે અને શંકાપૂર્વક જ વાપરે. બીજા ભાંગવાની ઘટના - ઉપર કહ્યું તેમ શંકિત આહાર લાવ્યા પછી જનની શરૂઆત કરતાં પહેલાં બીજા કઈ સાધુ વગેરેના કહેવાથી ખબર પડી જાય કે હું જે ઘરેથી શક્તિ આહાર લાવ્યો છું તે ઘરને આહાર નિષ છે. આથી વાપરતી વખતે નિઃશંક છે. - ત્રીજા ભાંગાની ઘટના - કોઈ સાધુને કોઈના ઘરેથી નિશંક આહાર લાવ્યા પછી કોઈ કારણથી તેમાં શંકા પડે કે હું અમુક ઘરેથી જે આહાર લાવ્યો છું તે કદાચ દોષિત હશે, આવી શકાપૂર્વક આહાર વાપરે. . . Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭ થી ૨૯ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૪૩ : ચેથા ભાંગાની ઘટના – શંકા વિના આહાર લે અને શંકા વિના વાપરે. ગ્રહણ કરતી વખતે શંકિત હોવા છતાં વાપરતી વખતે નિ:શંક બની જાય તો તે આહાર શુદ્ધ ગણાય. આથી ચાર ભાંગામાં પહેલે અને ત્રીજે એ બે ભાંગા અશુદ્ધ છે, બીજે અને એ બે ભાંગા શુદ્ધ છે. ] (૨) પ્રક્ષિત – પ્રક્ષિત એટલે યુક્ત. સચિન પાણી, પૃથ્વી વગેરેથી યુક્ત હોય તે ખાખરો વગેરે આહાર લે તે પ્રક્ષિત દોષ છે. પ્રક્ષિતના સચિત્ત વસ્તુથી ગ્રક્ષિત અને અચિત્ત વસ્તુથી પ્રક્ષિત એમ બે ભેદ છે. તેમાં સચિત્ત વસ્તુથી પ્રક્ષિત આહાર સર્વથા ન ક૫. આહાર, આહાર આપવાનું ભાજન અને આહાર આપનારના હાથ એ ત્રણમાંથી કઈ એક પણ સચિત્તથી પ્રક્ષિત હોય તે ન કપે, ત્રણે સચિતથી પ્રક્ષિત ન હોય તે જ કલપે. અચિત્તથી પ્રક્ષિતમાં લેકનિંદ્ય ચરબી આદિ અચિત્તથી પ્રક્ષિત ન કહપે. પૂર્વકમ અને પશ્ચાત્કર્મ એ બે દેને પણ પ્રક્ષિત દોષમાં સમાવેશ થાય છે. સાધુને વહેરાવવા માટે હાથ અને ભાજન વગેરેને સચિન પાણીથી સાફ કરે વગેરે પર્વ કમ છે. સાધુને વહેરાવ્યા પછી સાધુને વહેરાવવાના નિમિત્તે ખરડાયેલા હાથ, અને ભાજન વગેરેને સચિત્ત પાણીથી સાફ કરે વગેરે પશ્ચાત્કર્મ છે ] Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા ૨૭ થી ૨૯ (૩) નિશ્ચિત :- નિક્ષિપ્ત એટલે મૂકેલું. સચિત્ત વસ્તુ ઉપર કે સચિત્તમિશ્ર વસ્તુ ઉપર મૂકેલ આહાર લેવો તે નિક્ષિપ્ત દોષ છે. [ નિક્ષિપ્તના અનંતર અને પરંપર એમ બે ભેદ છે. સાક્ષાત્ સચિત્ત વસ્તુ ઉપર મૂકેલું હોય તે અનંતર નિક્ષિપ્ત. સચિત્ત વસ્તુ ઉપર રહેલા ભાજન વગેરેમાં મૂકેલું હેય તે પરંપર નિક્ષિપ્ત. જેમ કે-ઘઉં ઉપર ખાખરા વગેરે પડેલું હોય તે અનંતર નિક્ષિપ્ત. ઘઉં ઉપર રહેલા ડબામાં ખાખરા હોય તે પરંપરનિક્ષિપ્ત. અનંતર નિક્ષિપ્ત સર્વથા ન કપે. પરંપર નિક્ષિપ્ત સચિત્તની સાથે સંઘદ્દો ન થાય તેમ યતનાથી (કારણે) લઈ પણ શકાય.) (૪) પિહિત :પિહિત એટલે ઢંકાયેલું. જે આહાર સચિત્ત ફળ આદિથી ઢંકાયેલું હોય, અર્થાત્ જે આહાર ઉપર સચિત્ત ફળ વગેરે પડ્યું હોય તે આહાર લેવાથી પિહિત દેષ લાગે. પિહિતના અનંતર અને પરંપર એમ બે ભેદ છે. જેમ કે-ખાખરા ઉપર સાક્ષાત્ લીંબુ વગેરે સચિત્ત વસ્તુ પડી હોય તો તે અનંતર પિહિત છે. ખાખરા વગેરે ઉપર છાબડી પડી હોય અને તેમાં લીંબુ વગેરે સચિત્ત વસ્તુ હોય તે પરંપર પિહિત છે. અનંતર પિહિત સર્વથા અkપ્ય છે. પરંપરા પિહિત યતનાથી (કારણે) લઈ પણ શકાય.) (૫) સહૃત:- સાધુને આપવા માટે યોગ્ય ન હોય તેવી ભાજનમાં રહેલી ફેતરા વગેરે વસ્તુને સચિત્ત પૃથ્વી આદિ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭ થી ૨૯ ૧૭ પિંડવિધિ—પંચાશક : ૧૪૫ ? ઉપર નાખીને તે ભાજનથી સાધુને આહાર આપે તે સંહત દોષ છે. [ આમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે - (૧) સચિત્તને સચિત્તમાં નાખે. (૨) સચિત્તને અચિત્તમાં નાખે. (૩) અચિત્તને સચિત્ત માં નાખે. (૪) અચિત્તને અચિત્તમાં નાખે. આમાં ચોથા ભાંગાથી યતનાપૂર્વક લઈ શકાય.] (૬) દાયક – ભિક્ષા આપવા માટે અયોગ્ય બાળક વગેરે ભિક્ષા આપે છે તે દાયક દેષ છે. નીચે જણાવેલ જીવો ભિક્ષા આપવા અયોગ્ય છે. अठवत्तमपहु थेरे, पंडे मत्ते य खित्तचित्ते य । दित्ते जक्खाइट्टे, करचरणछिन्नऽन्धणियले य ॥ ४६९ ॥ तहोस गुठिवणी बालवच्छ कंडंति पीसभजती । પરંતt fid, માયા મા કોણ છે ક૭૦ છે એ નિ. ૧ અવ્યક્ત, ૨ અપ્રભુ, ૩ સ્થવિર, ૪ નપુસક, ૫ મત્ત, ૬ ક્ષિચિત્ત, ૭ દચિત્ત, ૮ યક્ષાવિષ્ટ, ૯ કરછિન્ન, ૧૦ ચરણછિન્ન, ૧૧ અંધ, ૧૨ નિગડિત, ૧૩ કુઠી, ૧૪ ગર્ભિણી, ૧૫ બાલવત્સા, ૧૬ ખાંડતી, ૧૭ દળતી, ૧૮ સેકતી, ૧૯ કાંતતી, ૨૦ પિંજતી-આટલા દાયકોના હાથથી ભિક્ષા ન લેવી. આટલા દાયકાના હાથથી ભિક્ષા લેવામાં અપકાય વિરાધના વગેરે રોષને સંભવ છે. આમાં વિકલ્પ છે, અર્થાત્ સામાન્યથી તે આટલા દાયકોના Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ ૩ ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૨૭ થી ૨૯ હાથથી ભિક્ષા ન લેવાય, પણ કયારેક જીવવિરાધનાદિ ઢાષાના સભવ ન હાય તા લઈ પણ શકાય. (૧) અવ્યક્ત :- આઠ વર્ષથી ઓછી વયવાળુ ખાળક અવ્યક્ત કહેવાય. માતાદિની ગેરહાજરીમાં બાળક પાસેથી લેવાથી બાળક વધારે આપી દે તા તેની માતા આદિને સાધુ પ્રત્યે “ બાળક પાસેથી વધારે લઈ ગયા ” ઈત્યાદિ અરુચિભાવ થવાના સંભવ છે. (માતાદિની હાજરીમાં પણ બાળક હાવાથી વહેારાવતાં નીચે પાડે, ઢાળે વગેરે દાષાની સભાવનાથી વિશેષ કારણ વિના તેના હાથથી ન વહેારવું એ ઠીક છે. પણ જો આળક આછુ વહેારાવે (અને ઢાળાવાદિના સભવન હાય ) તે બાળક પાસેથી પણ લઈ શાય (૨) અપ્રભુ :- અપ્રભુ એટલે જે ઘરના માણસ ન ગણાય તે નાકર વગેરે. નાકર વગેરે પાસેથી ભિક્ષા લેવાથી ખાળકમાં જણાવ્યા મુજબ નાકર અને સાધુ એ એમાંથી એક ઉપર કે મને ઉપર દ્વેષ થવાના સ'ભવ છે. (૩) સ્થવિર:- જેની સિત્તેર વષ થી અધિક, મતાંતરે સાઠ વર્ષથી અધિક, 'મર હોય તે સ્થવિર. સ્થવિરના હાથથી લેવાથી (૧) વિરના મુખમાંથી લાળ પડતી હોય તા આપવાના આહારમાં પણ લાળ પડે, તેથી ( સાધુ * આ પ્રમાણે ખીજા દાયકા વિષે પણ સમજવું. અર્થાત્ જે દાયકના હાથથી લેવાથી જે દાષાની સંભાવના શાસ્ત્રમાં જણાવી છે તે દાયકના હાથે લેવાથી તે દાષા લાગે તેમ ન હેાય તેા તે દ્દાયકના હાથથી લઇ શકાય. Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦થી ૨૯ ૧૩ પિડવિધિ-પચાશક * ૧૪૭ : અપવિત્ર છે એવી) લેાકમાં જુગુપ્સા થાય, (૨) હાથ ક'પતા હાય તા આહારાદિ નીચે પડે, આથી છકાયની વિરાધના થાય, (૩) વિર પાતે હેારાવતાં પડી જાય, આથી તેના શરીર નીચે આવી જનારા જીવાની વિરાધના થાય, સ્થવિરને દુઃખ થાય, ઈત્યાદિ અનેક દોષા થાય. (૪) નપુસકેઃ- નપુંસક પાસેથી વાર વાર વહેારવાથી (૧) તેની સાથે અતિપરિચય થતાં સાધુને કે નપુસકને, અથવા બંનેને, વેદના ઉદય થાય, ( જો કે શાસ્ત્રમાં ‘વાર વાર’ શબ્દના પ્રયાગ કર્યો છે. છતાં એક વાર લેવાનું થાય એટલે વારંવાર લેવાનુ પણ થાય. આથી તેની પાસેથી એક વાર પણ લેવાનુ ટાળવું એ હિતાવહ છે. ) (૨) આ સાધુએ નપુ'સકને ત્યાં વહેારવા જાય છે એમ લેાકમાં નિંદા થાય, (૩) અથવા લેાકાને આ સાધુએ પણ નપુસક હશે એવી શકા પડે, ઈત્યાદિ અનેક દાષા છે. (૫) સત્તઃ- મિદરા પીને મત્ત મનેલાના મનેલાના હાથથી લેવાથી (૧) તે સાધુ સાથે આલિંગન કરે, (૨) પાત્રુ‘ ફ્રાડી નાખે, (૩) અથવા ઉલટી કરે, (૪) આથી સાધુનું શરીર કે પાત્ર ખરડાવાથી લેાકમાં “ આ સાધુએ આવા મત્ત પાસેથી શિક્ષા લેતા હૈાવાથી અપવિત્ર છે” એમ શાસનની હીલના થાય, (૫) કદાચ તે દારુના નશામાં સાધુને મારી પણ નાખે, (આપવાની વસ્તુ ઢાળે............ ઈત્યાદિ અનેક દાષા છે. : Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : ૧૩ ડિવિધિ-પ'ચાશક ગાથા ૨૭ થી ૨૯ (૬) ક્ષિતચિત્તઃ- ધનનાશ આદિથી ગાંડા અની ગયેàા. (૭) દીપ્તચિત્તઃ- અનેક વાર શત્રુપરાજય વગેરે કઠીન કાર્યો કરવાથી મારા જેવા કાઈ નથી એમ માનીને છકી ગયેલા. (૮) યક્ષાવિષ્ટઃ- પિશાચના વળગાડવાળે, ક્ષિપ્તચિત્ત આદિ ત્રણના હાથથી વહેારવાથી ‘મત્તમાં’ જણાવ્યા મુજબ યથાસ ́ભવ દોષ લાગે. (૯) કૅરછિ:- જેના હાથ કપાઈ ગયા છે તે કછિન્ન, કરછિન્ન મળ-મૂત્ર આદિનીશકા ટાળ્યા પછી પાણીથી શુદ્ધિ ન કરવાથી પ્રાયઃ અપવિત્ર હાય. આથી તેની પાસેથી લેવાથી (૧) લેાકમાં “ આ સાધુએ આવા અપવિત્રની પાસેથી લેતા હાવાથી અપવિત્ર છે” એમ શાસનહીલના થાય, (૨) હાથ ન હેાવાથી આપતાં આપવાની વસ્તુ કે ભાજન નીચે પડી જાય તે છકાયની વિરાધના થાય. (૧૦) ચરણછિન્ન:- જેના પગ કપાઈ ગયા હોય તે ચરણછિન્ન. તેના હાથથી વહેારવાથી કરછિન્નમાં જણાવ્યા મુજબ યથાસંભવ ાષા થાય. તથા પગ ન હેાવાથી ભિક્ષા આપવા માટે ચાલવામાં પ્રાયઃ તે પડી જાય, તેથી કાયની વિરાધના વગેરે થાય. (૧૧) અંધ:- અંધ દેખી ન શકવાથી વહેારાવવામાં કાયની વિરાધના કરે, તે આ પ્રમાણેઃ- (૧) ચાલવામાં Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭ થી ૨૯ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૪૯ પગવડે, (૨) ખલના થતાં પડી જવાથી, (૩) વહોરાવતાં આહારાદિ સાધુના પાત્રની બહાર નાખવાથી, વિહરાવ્યા પછી ભાજન નીચે મૂકતાં.] એમ અનેક રીતે છ કાચની વિરાધના કરે. (૧૨) નિગડિત - બે પગમાં કે બે હાથમાં બેડી આદિથી બંધાયેલ આ દાયક (પ્રાયઃ) દેહની શુદ્ધિથી રહિત હોય, પડી જાય ઈત્યાદિ અનેક દેશે તેના હાથથી લેવાથી સંભવે. (૧૩) કુઠી:- કેઢિયાના હાથથી લેવાથી (૧) સાધુને પણ કોઢ રેગ થવાને સંભવ છે, (૨) તેનું શરીર અશુચિ વાળું હોય છે. (૧૪) ગર્ભિણી:- ગર્ભવતી બાઈના પાસેથી વહે રવાથી બેસવા-ઉઠવામાં ગર્ભને પીડા થાય. (૧૪) બાલવત્સા - જે સ્ત્રી ધાવણું બાળકને ધવડાવતી હોય, ખોળામાં બેસાડયું હોય, હાથમાં તેડીને રમાડતી હોય તે સ્ત્રી પાસેથી વહોરવાથી નીચે મૂકેલા બાળકને કૂર બિલાડી આદિનો ઉપદ્રવ થાય, અથવા બાળક રડે વગેરે અનેક દે છે. (૧૬–૧૭-૧૮) ખાંડતી-દળતી-સેકતી - સચિત્ત ઘઉં વગેરે ખાંડતી, દળતી (અથવા ધાણા વગેરે વાટતી) અને સેકતી સ્ત્રીના હાથથી લેવાથી ઉઠવા-બેસવા વગેરેમાં Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૦ : ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા ૨૭ થી ૨૯ સચિત્તનો સંઘટ્ટો, વહોરાવ્યા પહેલાં કે પછી હાથ ધોવાથી પૂર્વકમ કે પશ્ચાત્કમ વગેરે દોષ લાગે. (૧૯૨૦) કાંતતી–પી જતી- રૂ કાંતતી અને પી જતી સ્ત્રીના હાથથી લેવાથી થુંકવાળા હાથ ધ્રુવે તે પૂર્વકર્મ, દાન આપ્યા પછી હાથ ધ્રુવે તે પશ્ચાત્કર્મ, અને બેસવાઉઠવામાં ત્યાં પડેલા સચિત્ત કપાસિયા વગેરેને સંઘો થાય ઈત્યાદિ દે લાગે. (આ પ્રમાણે દાયક દષનું વર્ણન પૂર્ણ થયું.) (૭) ઉમિશ્ર - સચિત્ત બીજ, કંદ, વનસ્પતિ વગેરેથી મિશ્ર આહાર આપે તે મિશ્ર દેષ છે. (જેમ કે–ચેવડા વગેરેમાં કાચું મીઠું હોય, ફળના રસમાં કે ટુકડામાં બીજા હાય, ખાંડ વગેરેમાં સચિત્ત અનાજ વગેરેના કણિયા હેય.] (૮) અપરિણુતઃ- (આહારાદિ) આપવાનું દ્રવ્ય કે વરુ અપરિભૂત હેયપૂર્ણ અચિત્ત થયેલ ન હોય, અથવા આપવા માટે બેમાંથી એકનો ભાવ અપરિણત હોય તે અપરિષત દેવ છે. [ ભાવાર્થ- અપરિતના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. સચિત્ત વસ્તુ દ્રવ્ય અપરિણુત છે. દ્રવ્ય અપરિણત અકથ્ય છે. ભાવ અપરિતના દાતુ સંબંધી અને ગ્રાહક * વસ્ત્રશબ્દનો ઉલ્લેખ ટીકામાં કર્યો છે, પણ પિંડનિર્યુક્તિ, પિંડવિશુદ્ધિ પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ નથી. અહીં ભાવ અપરિણતની અપેક્ષાએ અને અપરિણત કહ્યું લાગે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦થી ૨૯ ૧૩ પિડવિધિ-૫'ચાશક : ૧૫૧ : (=લેનાર) સંખ`ધી એમ બે ભેદ છે, આપવાની વસ્તુના માલિક બે કે તેથી વધારે હાય, તેમાંથી એકને આપવાના ભાવ હાય અને બીજાને ન હોય તે તે વસ્તુ દાતુ અપરિણત છે. વસ્તુના ગ્રાહક(-લેનારા) એ સાધુમાંથી એકને તે વસ્તુ નિર્દોષ જણાય અને બીજાને દોષ જણાય તા તે વસ્તુ ગ્રાહક અપરિણત છે. ભાવ અપરિણત વસ્તુ શકિત હેાવાથી તથા તેમાં કલહ વગેરેનેા સંભવ હાવાથી અકલ્પ્ય છે. 1 પ્રશ્ન - અધા માલિકની રજા વિના આપે એ અનિષ્ટ દોષ છે. ભાવ અપરિણતમાં પણ બધા માલિકની રજા– ભાવના નથી. આથી અનિષ્ટ અને ભાવ અપરિણતમાં ભેદ શે! રહ્યો ? ઉત્તર :- અનિષ્ટ્રમાં દાયક હાજર નથી, જ્યારે ભાવ અપરિણતમાં દાયક હાજર છે. આથી એ એમાં હાજરી અને ગેરહાજરીના ભેદ છે, (૯) લિપ્તઃ- લિપ્ત એટલે ખરડાયેલ. ચરખી આદિ નિંદિત દ્રવ્યેાથી ખરડાયેલ દ્રવ્ય લેવાથી લિપ્ત દાષ લાગે છે. ( પિડનિયુ*ક્તિ વગેરે ગ્રંથામાં લિપ્ત શબ્દને દૂધ, દહીં, છાશ, દાળ, કઢી, શાક વગેરે લેપવાળાં-ચીકાશવાળાં દ્રબ્યા એવા અથ કર્યાં છે, અને કહ્યું છે કે-ઉત્સગ થી સાધુએ વાલ, ચણા, ભાત વગેરે અલેપવાળાં દ્રન્ચે લેવાં જોઇએ, દૂધ વગેરે લેપવાળાં દ્રબ્યા ન લેવાં જોઈએ. કારણ કે તેનાથી સાધુઓની ૨સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને પશ્ચા Page #169 -------------------------------------------------------------------------- ________________ = ૧૫૨ : ૧૩ પિડવિધિ—પંચાશક ગાથા ૩૦ બે કમ વગેરે દોષ લાગે છે. આમ છતાં, તેવી શક્તિ ન હોય અને નિરંતર સ્વાધ્યાય આદિ યોગેનો નિર્વાહ થાય વગેરે પુષ્ટ કારણથી લેપવાળાં દ્રવ્ય લેવાં પડે તે સાવશેષ લેવાં, અર્થાત્ ભાજન તદન ખાલી ન થાય તેમ લેવું, થોડું પણ તેમાં રહેવા દેવું, જેથી ખાલી થયેલું વાસણ વગેરે દેવાથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. ] (૧૦) છર્દિતા- છર્દિત એટલે ઢળેલું. આપવાની વસ્તુ નીચે ઢોળતાં ઢાળતાં આપે તે છર્દિત દોષ છે, વિહેરાવતાં દૂધ આદિ ઢોળાય કે તેના છાંટા પડે તો નીચે રહેલા જીની વિરાધના થાય, અથવા નીચે પડેલા છાંટાથી આકર્ષાઈને કીડી વગેરે જ આવે અને ગૃહસ્થના પગ નીચે ચગદાઈ જાય વગેરે રીતે મરી જાય.] (૨૭-૨૮-૨૯). શપિંડ પરમાર્થથી કોને હેય તે જણાવે છે – एयदोसविसुद्धो, जतीण पिंडो जिणेहिऽणुण्णाओ । सेसकिरियाठियाणं, एसो पुण तत्तओ णेयो ॥ ३० ॥ જિનેશ્વરાની સાધુઓને ઉક્ત બેતાલીસ દેથી રહિત શુદ્ધ પિંડ લેવાની આજ્ઞા છે. તથા શુદ્ધપિંડ પરમાર્થથી પિડવિશુદ્ધિ સિવાયની બીજી પ્રતિલેખના, સ્વાધ્યાય વગેરે ક્રિયાઓમાં પણ રત રહેનારા સાધુઓને હોય છે. પ્રતિલેખનાદિ ક્રિયા ઓથી રહિત સાધુઓને બેતાલીસ દેશેને ત્યાગ કરવા છતાં પરમાર્થથી શુદ્ધપિંડ ન હોય. કારણ કે મૂલગુણ વિના ઉત્તરગુણ નકામા છે. (૩૦) Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૧ ૧૩ પિડવિધિ-૫'ચાશક पायं । ઉપર્યુંક્ત વિષયનું આગમપાઠથી સમ॰ન :संपत्ते इच्चाइसु, सुत्तंसु णिदंसियं इमं जतिणो य एस पिंडो, ण य अभह हंदि एयं આગમમાં ( દવે, અ. ૫ ઉ. ૧ ગા. ૧ અને ૩) કહ્યુ છે કે ઃ तु ॥ ३१ ॥ ૩ ૧૫૩ : गवेसप ॥ १ ॥ संपत्ते भिक्खकामि, असंभंतो अमुच्छिओ । इमेण कमजोगेण, भत्तपाणं पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । वज्र्ज्जतो बीअहरियाई, पाणे अ दगमट्टि || ३ || 66 સમ્યક્ રીતે પ્રત્યુપેક્ષણ-પ્રમાન, અને સૂત્ર-અર્થ પેરિસી કર્યા પછી થયેલા ભિક્ષા સમયે આકુળતાથી રહિત (=વિધિપૂર્વક ઉપયોગ કરીને) આહારમાં કે શબ્દાદિ વિષ ચેામાં આસક્ત અન્યા વિના નીચેની ગાથાઓમાં કહેવાશે તે વિધિથી યતિયેાગ્ય આહાર-પાણીની ગવેષણા કરે.” (૧) તથા—— 66 સાધુ આગળના ભાગમાં પૃથ્વી ઉપર સુગ પ્રમાણ (૩।ા હાથ પ્રમાણ) ષ્ટિ રાખીને ચાલે, અને ખીજ વગેરે સત્ર વનસ્પતિ, એઇંદ્રિય વગેરે, અપ્કાય, પૃથ્વીકાય, તે– કાચ અને વાયુકાયા ત્યાગ કરે, અર્થાત્ વનસ્પતિ વગેરે ઉપર ન ચાલે. (૩) ( દશ વૈ,ના) પિંડેષણા અધ્યયનના ઉપર્યુક્ત વગેરે ઘણા સૂત્રોમાં (ગાથાઓમાં ) પ્રતિલેખના, સ્વાધ્યાયાદિ Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા ૩૧ ક્રિયાઓમાં રત રહેનારા સાધુઓને શુદ્ધપિંડ કહ્યો છે. કારણ કે ઉક્ત “સં” ઈત્યાદિ સૂત્રમાં “સંજ” પદનો સમ્યફ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જન અને સૂત્ર-અર્થ પરિસી કર્યા પછી થયેલા ભિક્ષા સમયે આહાર-પાણીની ગવેષણા કરે એવો અર્થ કર્યો છે. આહાર–પાણીની ગવેષણ (-શુદ્ધાશુદ્ધની તપાસ) પિંડની વિશુદ્ધિ માટે કરવાની છે. તથા આગળના ભાગમાં યુગપ્રમાણ દષ્ટિ રાખીને ચાલે વગેરે પણ “ઈર્યા સમિતિવાળાને ભિક્ષાની શુદ્ધિ હોય છે” એ જણાવવા કહ્યું છે. (મૂળ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ -) તથા સાધુને વિશુદ્ધ જ પિંડ લેવાનું કહ્યું છે. અશુદ્ધ પિંડ લેવાથી સાધુપણું રહેતું નથી. (યતિદિનચર્યામાં) કહ્યું છે કેपिंडं असोहयंतो, अचरिती एत्थ संसओ नत्थि । चारित्तम्मि असंते, सव्वा दिक्खा निरस्थियत्ति ॥ २१० ॥ જે પિંડની શુદ્ધ છે કે અશુદ્ધ એવી તપાસ કરતે નથી તે ચારિત્ર રહિત છે એમાં સંશય નથી. ચારિત્ર ન હોય તે સંપૂર્ણ દીક્ષા નકામી છે.” (૨૧૦) અથવા મૂળગાથાના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે – સાધુને જ પિંડ હોય છે, સાધુ સિવાય બીજાને પિંડ ન હેય, અર્થાત્ યતિના આહારને જ પિંડ કહેવાય, બીજાના આહારને નહિ. કારણ કે જ્ઞાનાદિ ગુણેના સમુદાય રૂપ ભાવપિંડનું કારણ હોય તે જ મુખ્ય પિંડ છે. આથી જ યતિભિક્ષા જ પિંડ તરીકે રૂઢ છે. (૩૧) Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૨ ૧૩ પિડવિધિ-૫ ચાશક વિશુદ્ધ પિંડને જાણવાના ઉપાયેા : – * ૧૫૫ : दोसपरिष्णापि हु, एत्थं उवओगसुद्धिमाईहिं । जायति तिविद्दणिमित्तं, तत्थ तिहा वष्णियं जेण ॥ ३२ ॥ પ્રશ્નઃ- આહાર ાષિત છે કે નિર્દોષ તે શી રીતે જાણી શકાય ? કાણુ કે આધાકમ વગેરે દાષા પ્રત્યક્ષ દેખાતા નથી. ઉત્તર:- શાસ્ત્રમાં પરાક્ષ વિષયક જ્ઞાનના અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ, તથા કાયિક-વાચિક-માનસિક એ ત્રણ ઉપાચા કહ્યા છે. અર્થાત્ જે વિષય પ્રત્યક્ષ નથી તેનું જ્ઞાન કરવું હોય તા તે અંગે યથાાગ્ય અતીત-અનાગત-વર્તમાન કાળ સ'ખ'ધી મન-વચન-કાયાથી વિચારણા વગેરે કરવું જોઇએ. વિચારણા વગેરેથી પાણ વિષયનું જ્ઞાન થાય છે. આથી પ્રસ્તુતમાં ઉપયોગથ્થુદ્ધિ, દન, પ્રશ્ન વગેરેથી આહારના ઢાષાનું જ્ઞાન થઈ શકે છે. અહીં ઉપયાગશુદ્ધિ એટલે ભિક્ષા માટે જતી વખતે ભિક્ષાની અનુજ્ઞા માટે કરાતા કાર્યાત્સગની શુદ્ધિ આ કાયાત્સગ સાધુઓમાં પ્રસિદ્ધ છે. દર્શન વિષે (એદનિયુક્તિ ગાથા ૫૪ મીના પૂર્વાર્ધમાં) કહ્યુ છે । - रसवइप विसणपासण, मिअ-अमिअमुवक्खडे तथा गहणं । “ સાધુ સેાડામાં પ્રવેશ કરે અને રસાઈ થાડી બનાવી છે કે ઘણી તે જીએ. થાડી હાય તા થાડુ' અને ઘણી મનાવી હાય તા બનાવી તે પ્રમાણે લે. ,, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પિંડવિધિ-પચાશક : ૧૫૬ : પ્રશ્ન વિષે ( દશવૈ. અ. કહ્યું છે કે ગયા ૩૩ ૧ ગા. ૫૬માં) उग्गमं से अ पुच्छिज्जा, कस्सट्टा केण वा कड ? | सुच्चा निस्संकि सुद्धं, पडिगाहिज्ज संजए ॥ ५६ ॥ જે આહારમાં ઢાષની શકા પડે તે આહારની ઉત્પત્તિ તેના માલિકને કે નાકર વગેરેને પૂછે. તે આ પ્રમાણે-આ કાના માટે મનાવ્યું છે ? કાણે બનાવ્યું છે ? તમારા માટે નથી બનાવ્યું, પણ બીજા માટે મનાવ્યું છે એમ સાંભળીને સાધુ શકા રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરે.” (૩૨) ભિક્ષા શબ્દના અ યતિની ભિક્ષામાં જ ઘટે છે :भिक्वासहो चेवं, अणियतलाभविसउत्ति एमादी | सव्वं चिय उववनं किरियावंतंमि उ जतिमि ॥ ३३ ॥ જેમ પિડ શબ્દના વાસ્તવિક અથ યતિના આહારમાં જ ઘટે છે, તેમ ભિક્ષા શબ્દના અર્થ પણ યતિની ભિક્ષામાં જ ઘટે છે. અર્થાત્ જેમ યતિના જ આહારને પિંડ કહેવાય, તેમ યતિની ભિક્ષાને જ ભિક્ષા કહેવાય, બીજાની ભિક્ષાને નહિ. કારણ કે ભિક્ષા શબ્દના અર્થ આહારાદિની અનિયત (-જુદા જુદા ઘામાંથી તે તે ઘરની સેાઈના માપ પ્રમાણે) પ્રાપ્તિ એવા છે. (પિડૈષણા અ. માં) સંપન્ને મિક્ષ્યજા મિ વગેરે સૂત્રામાં ભિક્ષા શબ્દના “ આહારાદિની અનિયત પ્રાપ્તિ” એવા જે અથ કર્યો છે તે અને ભિક્ષાસ બધી ખીજું પણ જે કંઈ કહ્યુ` છે તે બધું સુસાધુઓની ક્રિયાથી યુક્ત સાધુમાં જ ઘટે છે. ખીજામામાં આહારની અનિયત Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૪ થી ૩૬ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૫૭ : પ્રાપ્તિ વગેરે હોય જ એ નિયમ નથી. આથી ભિક્ષા શબ્દ ભિક્ષા શબ્દનો પ્રયોગ યતિની ભિક્ષામાં જ ઘટે છે ] (૩૩) નિર્દોષ પિંડ અસંભવિત છે એવો બીજાઓને મતઃ अन्ने भणंति समणादत्थं उद्देसियादि संचाए । भिक्खाए अणडणं चिय, विसेसओ सिट्ठगेहेसु ॥ ३४ ॥ धम्मट्ठो आरंभो, सिद्धगिहत्थाण जमिह सव्वो वि । सिद्धोत्ति सेसभोयणवयणाओ तंतणीतीए ॥ ३५ ॥ तम्हा विसेसओ चिय, अकयातिगुणा जतीण भिक्खत्ति । एयमिह जुत्तिजुत्तं संभवभावेण ण तु अन्नं ॥ ३६ ॥ બીજાઓ કહે છે કે-શ્રમણ સાધુ, પાખંડિ અને યાવદર્થિક માટે કરેલા ઔદેશિક, મિશ્રજાત વગેરે આહારને ત્યાગ કરવાથી ભિક્ષાકુલોમાં ભિક્ષા માટે ફરી જ નહિ શકાય, તેમાં પણ વિશિષકુળોમાં તે સુતર નહિ કરી શકાય. (૩૪) કારણ કે આ આયે દેશમાં વિશિષ્ટ સ્મૃતિ વગેરે ગ્રંથને અનુસરનારા ગૃહસ્થ આહાર પકાવવા સંબંધી બધી જ પ્રવૃત્તિ પુણ્ય માટે કરે છે, અર્થાત્ બધે જ આહાર શ્રમણ આદિને આપવાથી થતા પુણ્ય માટે કરે છે. પ્રશ્ન:- આહાર પકાવવા સંબંધી બધી જ પ્રવૃત્તિ પુણ્ય માટે કરે છે એ શી રીતે સિદ્ધ થાય છે? ઉત્તરઃ- ગુણવત્તરોજ મુત-“ ગુરુને આપ્યા પછી બાકીના આહારનું ભજન કરવું” એમ સમૃતિ વચન હોવાથી Page #175 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૩૭ શાસ્ત્રનીતિથી ઉક્ત વિષય સિદ્ધ થાય છે. (૩૫) આથી ગૃહ ના ઘરોમાં “આ સાધુને આ આપવું” ઈત્યાદિ રીતે વિશવથી (-શ્રમણાદિને આપવાના સંક૯પથી અધિક બનાવેલ) જ આહાર હોય છે. જ્યારે સાધુની ભિક્ષા=પિંડ અકૃત-આકારિત-અસંકરિપત છે. “આ સાધુને આ આપવું” ઈત્યાદિ રીતે વિશેષથી (શ્રમણ આદિને આપવાના સંકલ્પથી અધિક બનાવેલ) આહાર થાય છે માટે પિંડ સંક૯પાદિ દોષવાળ હોય છે એ યુક્તિયુક્ત છે. પણ અસંકપિતાદિ ગુણવાળી ભિક્ષા યુક્તિયુક્ત નથી. કારણ કે તે આહાર થતો નથી. (૩૬) ઉપર્યુક્ત મતનું સમાધાન :भष्णति विभिण्णविसयं, देय अहिकिच एस्थ विष्णे यो । उद्देसिगादिचाओ, ण सोवि आरंभविसओ उ ॥ ३७ ॥ ઉપર્યુક્ત મતનું સમાધાન આ પ્રમાણે છે :- પ્રસ્તુતમાં આટલું કુટુંબ આદિ માટે અને આટલું શ્રમણ આદિ માટે એમ પિતાના આહારથી અતિરિક્ત શ્રમણાદિ માટે વધારે આહાર પકાવવાને સંકલ્પ કરીને જે આપવા યોગ્ય અશનાદિ બનાવ્યું હોય તેને આશ્રયીને ઓશિક, મિશ્રજાત વગેરે આહારનો ત્યાગ છે, અર્થાત તે તે બનાવેલા આહારમાં ઔદેશિક, મિશ્રજાત વગેરે દેવો લાગે છે માટે તેનો ત્યાગ કરવામાં આવે છે. પણ પિતાના માટે જે આહાર બનાવે તે આહારને આશ્રયીને ઓશિકાદિ આહારને ત્યાગ નથી, અર્થાત Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૭ ૧૩ પિડવિધિ—પંચાશક : ૧૫૯ ૪ ગૃહસ્થ પિતાના માટે કરાતા આહારમાં “આમાંથી શ્રમણાદિને પણ આપીશું” એમ સંકલ્પ કરે તો તે આહારમાં ઔદુંશિકાદિ દેષ લાગતા નથી, માટે તેનો ત્યાગ કરવામાં આવતો નથી. આ વિષયમાં (હારિભદ્રીય અષ્ટકના) બે લોકો આ પ્રમાણે છે :विभिन्नं देयमाश्रित्य, स्वभोग्याद् यत्र वस्तुनि । संकल्पनं क्रियाकाले, तद् दुष्टं विषयोऽनयोः ॥ ६-६ ॥ स्वोचिते तु यदारंभे, तथा संकल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात् , तच्छुद्धापरयोगवत् ॥६-७ ॥ પિતાના આહારથી અતિરિક્ત (વધારે) આહાર બનાવતી વખતે ભાત વગેરે કોઈ વસ્તુમાં “આટલું કુટુંબ માટે અને આટલું યાવર્થિક માટે કે પુણ્ય માટે” એમ જે સંકલ્પ કરવામાં આવે તે સંકલ્પ દોષવાળો છે, તથા યાવદર્થિક અને પુણ્યાર્થી બનાવેલા પિંડને પણ વિષય છે, અર્થાત્ તેવા સંકલ્પવાળો પિંડ યાવર્થિક છે અને પુણ્યાર્થ છે ભાવાર્થ -આહાર બનાવતી વખતે પિતાના કુટુંબ માટે જેટલો આહાર જોઈએ તેનાથી વધારે આહાર ઉમે* જે કઈ યાચક આવે તેને આપવાના આશયથી બનાવેલો આહાર યાવર્થિક છે. સાધુના ઉદ્દેશ વિના પુણ્ય થાય એ માટે બીજાને આપ વાના આશયથી બનાવેલે આહાર પુણ્યાર્થ છે, એમ દશ૦ અ.૫ ઉ. ૧ ગા. ૪૯ની ટીકામાં જણાવ્યું છે. જ્યારે પ્રસ્તુત પંચાશકની ૩૯ મી ગાથાની ટીકામાં શ્રમણદિને આપવાથી થતા પુણ્ય નિમિત્ત બનાવેલો આહાર પુણ્યાર્થ (ધર્માર્થ) છે એમ જણાવ્યું છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૦ : ૧૩ પિડવિધિ-પચાશક યાવદર્થિક માટે કે રીને આટલુ કુટુંબ માટે અને આટલુ પુણ્ય માટે એમ સકલ્પ કરીને આહાર બનાવવામાં આવે તા તે સંકલ્પ દોષરૂપ છે અને આવા સકલ્પવાળા (યાનદર્થિક કે પુણ્યા' સ કલ્પવાળા) આહાર ત્યાજ્ય છે, ” [૬] “ પણ પેાતાના કુટુબ આદિને જોઈએ તેટલેા આહાર બનાવીને આ આહાર પેાતાના માટે બનાવ્યેા છે. તેમાંથી (=પેાતાના માટે બનાવેલા આહારમાંથી) મુનિઓને ચિત દાન આપીને આત્માને નિલ બનાવીશ” આવા સ'કલ્પ કરે તા તે ઢાષવાળા નથી. કેમ કે તે સકલ્પ શુભભાવરૂપ છે, જેમ મુનિને નમસ્કાર કરવા, તેની સ્તુતિ કરવી વગેરે મુનિ સંબધી શુદ્ધ વ્યાપાર આહારના દૂષણનું કારણુ નથી, અર્થાત્ તેનાથી આહાર દૂષિત બનતા નથી, તેમ મુનિદાન સ'ખ'ધી આ સ’કલ્પથી પણ આહાર દૂષિત બનતા નથી [૭] (૩૭), ગાથા ૩૮ ગૃહસ્થા કેવળ પેાતાના માટે આહાર બનાવે એ સંભવિત છે - संभवइ य एसो वि हु, केर्सिची सूयगादि भावे वि । બવિષેનુવરુંમાગો, તત્ત્વવિસર્છામસિદ્ધીનો ॥ ૩૮ ॥ પુણ્ય માટે જ આહાર મનાવવામાં આવે છે એવુ નથી, કેવળ પેાતાના માટે પશુ આહાર બનાવવામાં આવે છે, અર્થાત્ ખષા જ ગૃહસ્થે શ્રમણ આદિને આપવાના સ`કલ્પથી પેાતાને જોઇએ તેનાથી અધિક આહાર બનાવે છે એવુ નથી, પેાતાના કુટુંબ આદિ માટે જોઇએ તેટલે આહાર હાય છે. કારણું કે કોઈ વિશિષ્ટ કે અનાવનારા પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૬૧ : (=સ્મૃતિ આદિ શાસ્ત્રને માનનારા) લોકોના ઘરોમાં મૃત્યુ આદિના કારણે સૂતક હોય તે પણ સૂતક ન હોય ત્યારે એટલે આહાર બનતે હોય છે એટલે જ આહાર દેખાય છે. જે બધા જ શિeો પુણ્ય માટે આહાર બનાવતા હોય તે દાન ન આપવાનો હોય તેવા (સૂતક વગેરેના) અવસરે એ ( પુણ્યાર્થ) આહાર બનાવે નહિ અથવા અલ્પ બનાવે. પણ તેવું (સૂતકાદિના પ્રસંગે અલપ આહાર બનાવતા હોય તેવું) કેઈ ઘરોમાં જોવામાં આવતું નથી. આનાથી એ સિદ્ધ થયું કે પિતાના કુટુંબાદિ માટે જોઈએ તેટલો આહાર બનાવનારા પણ હોય છે. તથા પિતાના કુટુંબ આદિ માટે જોઈએ તેટલે આહાર બનાવવામાં પણ ગ્ય રીતે દાન થઈ શકે છે. લોકો પોતાના માટે બનાવેલા આહારમાંથી પણ કેળિયા વગેરે જેટલે આહાર સાધુઓને આપતા દેખાય છે. (૩૮) પૂર્વપક્ષમાં ૩૬ મી ગાથામાં “આ સાધુને આ આપવું” ઈત્યાદિ રીતે વિશેષથી (શ્રમણ આદિને આપવાના સંક૯પથી અધિક બનાવેલ) આહાર થાય છે એમ જે કહેવામાં આવ્યું હતું તેનું સમાધાન ૩૭મી અને ૩૮મી એ બે ગાથા માં કર્યું. હવે ૩પમી માથામાં “વિશિષ્ટ ગૃહસ્થો પુણ્ય માટે આહાર બનાવે છે.” એમ જે કહેવામાં આવ્યું છે તેનું સમાધાન કરે છે : Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૨ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૩૯-૪૦ एवंविहेसु पायं, धम्मट्ठा व होइ आरंभो । गिहिसु परिणाममेत्तं, संतंपि य व दुट्ठति ॥ ३९ ॥ અત્યંત માપીને રાઈ ન બનાવવાના કારણે જેમના ઘરમાં સૂતકાદિ હેય કે ન હોય, પણ રેજ પ્રમાણે આહાર દેખાતો હોય તે ગૃહસ્થોના ઘરોમાં પકાવવાની પ્રવૃત્તિ શ્રમણદિને દાન આપવાથી થતા પુણ્ય માટે પ્રાયઃ ન જ હેય. અલબત્ત, તેવા વિશિષ્ટ લોકોને પાકકાલે “જે સાધુ ઓને અપાય તે જ અન્ન અમારું છે” એ ભાવ હોય છે, પણ તે ભાવ સાધુદાન માટે અધિક પકાવવાની ક્રિયાથી રહિત હોય છે. સાધુદાન માટે અધિક પકાવવાની ક્રિયાથી હિત તેવા ભાવ માત્રથી લેવા યોગ્ય પિંડ દૂષિત બનતે નથી. [ હા, જે સાધુદાન માટે પકાવવાની ક્રિયા પણ હોય તેવા ભાવથી પિંડ પ્રષિત બને છે. પણ અહી ઉક્ત ગૃહસ્થામાં તે ભાવ જ હોય છે, સાધુ માટે પકાવવાની ક્રિયા નથી હતી. આથી તેવા ભાવથી પિંડ દૂષિત બને નહિ.] (૩૯) દાનના ભાવમાત્રથી પિંડ દૂષિત ન બને એની સિદ્ધિ : तहकिरियाभावाओ, सद्धामेत्ताउ कुसलजोगाओ। असुहकिरियादिरहियं, तं हंदुचितं तदण्णं व ॥ ४० ॥ ઉક્ત પ્રકારને દાનસંબંધી કેવળ ભાવ (૧) શ્રમણાદિ માટે આરંભ રૂ૫ અશુભ ક્રિયાથી રહિત છે, (૨) કેવળ રુચિ રૂપ છે, (૩) પ્રશસ્ત માનસિક વ્યાપાર છે. આ ત્રણ કાણેથી અશુભ કાયિક ક્રિયા, અરુચિ અને અશુભ મને Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાયા ૪૧-૪૨ ૧૩ પિડવિધિ પચાશક : ૧૬૩ : યાગથી રહિત તે કેવળ દાનભાવ ઉચિત છે-તેનાથી પિડ કૃષિત બનતા નથી. જેમ દાન સમયે કરેલા સાધુવ`દન વગેરેથી પિંડ દૂષિત બનતા નથી, તેમ ઉક્ત પ્રકારના કેવળ દાનપરિણામથી પણ પિડ દૂષિત બનતા નથી. (૪૦) ઉપર્યુક્ત વિષયનું સમર્થન :~ - न खलु परिणाममेत्तं पदाणकाले असक्कियारहियं । गिहिणो तणयं तु जई, दूसइ आणाइ पडिबद्धं ॥ ४१ ॥ સાધુદાનના સમયે દાયકના પ્રક્ષિત, પિહિત વગેરે દ્વારા જીવહિંસા રૂપ અપ્રશસ્ત વ્યાપારથી રહિત માત્ર દાનભાવ સાધુને દુષિત (-દોષવાળા) કરતા નથી. પ્રશ્નઃ-માત્ર દાનભાવ કેવા સાધુને કૃષિત કરતા નથી ? ઉત્તર –આજ્ઞામાં રહેલા સાધુને માત્ર દાનભાવ કૃષિત કરતા નથી. આજ્ઞામાં નહિ રહેલા સાધુને માત્ર દાનભાવ દૂષિત કરે પણ. કારણ કે આજ્ઞા જ દોષને દૂર કરનારી છે. (૪૧) હવે ૩૪મી ગાથામાં પૂર્વ પક્ષમાં વિશિષ્ટ કુળામાં પુછ્યા આહાર બનાવવામાં આવતા હેાવાથી ભિક્ષા માટે નહિ કરી શકાય એમ જે કહ્યું તેનું સમાધાન કરે છે ;सिट्ठावि य के इहं, विसेसओ धम्मसत्थकुसलमती । इय न कुणतिवि अण्डणमेवं भिक्खाइ वतिमेत्तं ॥ ४२ ॥ જેએ ધના અહુ અર્શી નથી કે ધનના વ્યય કરવાનું જાણતા નથી (-કુપચુ છે) તેવા કેટલાક વિશિષ્ટ ( સ્મૃતિ Page #181 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : ૧૩ પિંડવિધિ-પ્‘ચાશક આદિ શાસ્ત્રોને માનનારા) લેાકેા પણ પુછ્યા આહાર બનાવતા નથી. તેમાં પણ ધર્મ શાસ્ત્રોમાં કુશળ બુદ્ધિવાળા લેાકેા તે ખાસ પુણ્ય આહાર મનાવતા નથી. કારણ કે તે લાકા સમજતા હાય છે કે संथरणंमि असुद्धं, दोपहवि गेण्हत देतयार्णाहियं । જ્ઞાન વિટ્ટ તે ં, તં ચૈત્ર ચિ. સંઘને || ૨૨ || “જેમ કાઈ વૈદ્ય વરના રાગીને ધેખર આપે તા આપનાર–લેનાર અનૈને નુકશાન થાય છે, અને ભસ્મક રાગવાળાને ઘેખર આપે તે આપનાર-લેનાર અનેને લાભ થાય છે; તેમ જો શુદ્ધ આહારથી સાધુના નિર્વાહ થઇ શકતા હાય તે અશુદ્ધ આહાર લેનાર-ફ્રેનાર બંનેને અહિતકર છે, તે (-અશુદ્ધ) જ આહાર શુદ્ધ આહારથી નિર્વાહ ન થઇ શકતા હૈાય ત્યારે લેનાર–દેનાર ખ'નેને હિતકર છે ગાથા ૪૩ આથી ભિક્ષા માટે ફ્રી જ નહિ શકાય એમ જે કહ્યું તે વચનમાત્ર છે, અર્થાત્ એવું કથન અશૂન્ય છે, કારણ કે તેને સિદ્ધ કરનારી (-પુણ્યા આહાર થાય છે એ) યુક્તિ એકાંતિક નથી. (૪૨) चिय पसिद्धं । નિર્દોષ ભિક્ષા લેવી એ દુષ્કર છે એવી પરમાન્યતાનું સમાધાન :दुकर अहए, जहधम्मो दुक्करो કુળ લ યશો, મોરવઝત્તે હવે જો તમે અસ’કલ્પિતાદિ ગુણવાળી ભિક્ષા લેવી એ किं * પિંડ વિ. ગા. ૨૧, તિદિ. ગા. ૨૩૫. ચરસ સ ॥ ૪૩ ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૩ ૧૩ પિંડવિધિ-પચાશક * ૧૬૫ : દુષ્કર છે એમ માનતા હૈ। તે તમારી એવી માન્યતા સાચી છે. અસ’કલ્પિતાદિ ગુણવાળી ભિક્ષા જ નહિ, કિંતુ સાધુના સઘળા આચારા દુષ્કર જ છે. કહ્યુ` છે કે ઃतरियच्वो य समुद्दो, बाहाहि भीमो महल्लकल्लोलो । नीसायवालुयाए, चावेयब्बो સાવજો !?!! “ ચારિત્ર માટા માટા તરંગાવાળા અને ( મગર આદિ પ્રાણીઓથી ) ભયંકર સમુદ્રને એ ખાડુથી તરવા સમાન અને સદા તીક્ષ્ણ રેતીના કાળિયા ચાવવા સમાન છે.” ઈત્યાદિ વચનાથી સાધુના સઘળા આચારાને દુષ્કર જ કહ્યા છે. જો સાધુના બધા જ આચારી દુષ્કર છે તેા નિર્દોષ ભિક્ષાગ્રહણુ દુષ્કર હાય એમાં વિચારવાનું જ શું હોય ! પ્રશ્ન:- જે નિર્દોષ ભિક્ષાગ્રહણ દુષ્કર છે તેા સાધુઓ તેના માટે આટલા બધા ( દેષિત ભિક્ષા ન આવી જાય એ માટે જુદા જુદા ઘામાં ક્વુ વગેરે) પ્રયત્ન કેમ કરે છે ? ઉત્તર:- તિધર્મનું ફળ મેાક્ષ છે. માક્ષરૂપ મહાન ફળ ( તદ્દનુરૂપ) મહાન પ્રયત્ન કર્યા વિના મેળવી શકાય નહિ. આથી સાધુએ (નિર્દોષ ભિક્ષા દુષ્કર હાવા છતાં) નિર્દોષ ભિક્ષા લેવાના પ્રયત્ન કરે છે. (૪૩) અશુદ્ધ આહારના ત્યાગ માટે આટલે બધા પ્રયત્ન કરવા ચેગ્ય નથી. કારણ કે ક્રમની પરતત્રતાથી અશુ આહારનુ ભક્ષણ થઈ જાય તે પણ સાધુને દોષ ન લાગે. કેમ કે તેમાં કર્માંના જ અપરાધ છે, સાધુના નહિ. કમવાદીના આવા મતનુ' અહીં સમાધાન કરે છે : Page #183 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : ૧૩ પિડવિધિ—પ’ચાશક भोगंमि कम्मवावारदारतो वित्थ दोसपडिसेहो । ओ आणाजोएण મુળો વિત્તયાય ॥ ૪૪ ॥ ગાયા ૪૪ આજ્ઞાયાગ હાય=આપ્તવચનના સબંધ હાય, અર્થાત્ આપ્તવચન મુજબ પ્રવૃત્તિ કરવા છતાં, અજ્ઞાનતાદિ કરનાર જ્ઞાનાવરણીય આદિ ક્રમના બળથી અશુદ્ધ આહારતું ભક્ષણ થઈ જાય તે અશુદ્ધ આહાર વાપરનાર સાધુ કમ ના બળથી અશુદ્ધ આહાર વાપરે છે માટે નિર્દોષ છે. પણ આજ્ઞાયાગ વિના-આપ્તવચનના સ'ખ'ધ વિના, અર્થાત્ આપ્તવચન મુજબ પ્રવૃત્તિ કર્યા વિના, અશુદ્ધ આહારનું ભક્ષણ કરનાર સાંધુ કમ ના બળથી અશુદ્ધ આહારનું ભક્ષણ કરે છે માટે નિર્દોષ છે એમ માની શકાય નહિ, કેમ કે આપ્તવચન મુજબ પ્રવૃત્તિરૂપ પુરુષાર્થ કરવા છતાં અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય ( કે તેવા સંચાગેામાં ભક્ષણ કરવુ પડે) તેા ક્રમનુ બળ છે એમ માની શકાય. આનાથી એ સિદ્ધ થયું કે જો સાધુ આજ્ઞાયાગવાળા-આપ્તવચનના સંબંધવાળા હાય, અર્થાત્ આપ્તવચન મુજબ પ્રવૃત્તિ કરનાર હાય, તા ક્રમના ખળથી અશુદ્ધ આહારનું' ભક્ષણ કરે તા નિર્દોષ છે. એટલે નિર્દોષતાના કારણમાં મુખ્યતા આજ્ઞાયાગની છે, કમખળની નહિ. અશુદ્ધ આહારનું ભક્ષણ કરનાર સાધુ કર્મ બળથી પણ નિર્દોષ હાય-માની શકાય, પણ જો આજ્ઞાયાગ=માપ્ત વચનના સબંધ હાય તે. એટલે કમ પ્રવર્તાવે છે એટલા માત્રથી અશુદ્ધ આહારનું ભક્ષણ કરનાર નિર્દોષ ન થાય. હા, આપ્તવચનને સંબધ હાય ( આપ્તવચન મુજબ Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૪ ૧૩ પિડવિધિ—પંચાશક : ૧૬૭ : = = પ્રવૃત્તિ હેય) અને જ્ઞાનાવરણીયાદિ કર્મના બળથી અજ્ઞાનતાદિના કારણે અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય તે સાધુ કમબળથી પણ નિર્દોષ છે. જ્યાં આપ્તવચનને સંબંધ હોય ત્યાં દોષ લાગતો નથી. (પિંડનમાં) કહ્યું છે કે ओहो सुओवउत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवलीवि भुंजइ, अपमाण सुयं भवे इहरा ॥ ५२४ ॥ સામાન્યથી શ્રુતના ઉપગવાળે શ્રુતજ્ઞાની સાધુ જે કંઈ રીતે (અજ્ઞાનતાદિથી) અશુદ્ધ આહાર ગ્રહણ કરે તે તે આહારનું ભોજન કેવલજ્ઞાની પણ કરે છે. જે કેવલી તે આહારનું ભોજન ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ બને. (૫૨૪) ભોગમાં પ્રવર્તાવનાર કમ વિચિત્ર છે. તે કર્મ પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એમ બે પ્રકારનું છે. તેમાં પુણ્યાનુબંધી કર્મથી ( અશુદ્ધ આહારાદિના) ભેગમાં પ્રવૃત્તિ કરે તે પણ પરિણામવિશેષથી (અશુદ્ધ આહારના ભાગ પ્રત્યે રાગાભાવ વગેરેથી) દોષ લાગતો નથી.+ ( આ પ્રમાણે અહીં નિર્દોષતાના આજ્ઞાગ-આપ્તવચનસંબંધ અને ભોગપ્રવર્તક પુણ્યાનુબંધી કર્મ એ બે કારણ જણાવ્યાં. જેનામાં આજ્ઞાગ હોય તેનાં ભેગ* નિશીથનિ. ગા. ૬૩૦૬-૬૩૦૭ + આનાથી એ સૂચિત થાય છે કે પાપકાર્ય કરવાનો ભાવ ન હોવા છતાં તેવા સંગેના કારણે પાપકાર્ય થઈ જાય કે કરવું પડે છે, તથા ધર્મકાર્ય કરવાને ભાવ હોવા છતાં ન થઈ શકે, અથવા બરોબર ન થઈ શકે છે, મુખ્યતયા કર્મ કારણ છે, તે સિવાય નહિ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૬૮ : ૧૩ પિડવિધિ—પંચાશક ગાથા ૪૫ - પ્રવર્તક કર્મો પુણ્યાનુબંધી હોય. આથી આજ્ઞાનની પ્રધાનતા છે.J (૪૪) કર્મથી જ થાય છે માટે દોષ નથી એમ સ્વીકારવામાં આપત્તિ :इहराण हिंसगस्सवि, दोसो पिसियादिभोत्तु कम्माओ । जंतस्सिद्धिपसंगो, एयं लोगागमविरुद्धं ॥ ४५ ॥ - બીજા કોઈ રોગ (-કારણ) વિના કેવળ કર્મથી થાય છે માટે દોષ નથી એમ સ્વીકારવામાં માંસ, મદિરા આદિનું ભક્ષણ કરનાર હિંસકને પણ કર્મ બંધ રૂપ દોષ નહિ લાગે. કારણ કે જ્ઞાનાવરણ, ચારિત્રમોહ આદિ કર્મના બળથી હિંસા થાય છે એમ સ્વીકારવામાં હિંસામાં અને માંસાદિના ભક્ષ માં દેષ નથી, એમ સિદ્ધ થાય. પણ એ (હિંસા અને માંસભક્ષણાદિ) લોક અને આગમથી વિરુદ્ધ છે. હિંસા અને માંસભક્ષણાદિ વિશિષ્ટ લેક અને સિદ્ધાંતના વ્યવહારથી બાધિત છે. કહ્યું છે કે – નાહિત વિવિ કાર: રામનુષ્યન્ત-“ આસ્તિકો પ્રાયઃ હિંસાદિને નિર્દોષ માનતા નથી.” આનાથી ગ્રંથકારે એ કહ્યું કે, આજ્ઞાયુક્ત જ નિર્દોષ છે. (ઘનિયુક્તિમાં) કહ્યું છે કેजा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥ ७६० ॥ “વિશુદ્ધ ભાવવાળા અને યતનામાં તત્પર ગીતાર્થને જે Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬-૪૭ ૧૩ પિડવિધિ-૫ ચાશક : ૧૯ • વિરાધના થાય તે નિરારૂપ ફૂલવાળી થાય છે—એક સમયે આંધેલું કમ બીજા સમયે ખપાવી નાખે છે.” [૭૬૦ ] (૪૫) નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ સબંધી પ્રકરણના ઉપસૌંહાર :– ता तहसंप्पो चिय, एत्थं दुट्ठोत्ति इच्छियव्वमिणं । तदभावपरिण्णाणं, उब ओगादीहि ૩ નતીનું ! ૪૬ ॥ પોતાના માટે પશુ પાકના આરંભ હાય છે. આથી પાકકાળે આહારમાં આટલું સાધુ માટે અને આટલું' આપણા માટે એવા સકલ્પ દોષિત છે એમ માનવુ જોઈએ, તથા અમુક આહારમાં આવા સકલ્પ નથી એવુ જ્ઞાન ઉપયેગ આદિથી=ઉપયોગ વખતે નિમિત્તશુદ્ધિ, થાય છે. (૪૬) પ્રશ્ન વગેરેથી || ઉદ્ગમદિ દોષ। કાનાથી થાય છે તે જણાવે છે :गिहिसाहूभयपभवा, उग्गमउपायणेसणा दोसा | પણ તુ મંસહીઇ, થયા અંકોયળાવ ॥ ૪૭ | ઉદ્ગમ દાષા ગૃહસ્થી, ઉત્પાદન દોષો સાધુથી અને અને એષણાદેષાગૃહસ્થ-સાધુ ભયથી થાય છે. ઉદ્ગમ વગેરે દાખે! ગૃહસ્થ વગેરેથી કેમ થાય છે એ પૂર્વોક્ત દાખેાની * ઉપયાગ વખતે નિમિત્તશુદ્ધિ એ શબ્દોના ભાવ આ પ્રમાણે જણાય છે :– ગાચરી જતાં પહેલાં ઉપયોગની વિધિ કરતાં ગુરુના કે પેાતાની ખાલવા આદિમાં સ્ખલના વગેરે અશુદ્ધ નિમિત્તથી અનુમાન થાય કે આજે ગેાચરી અશુદ્ધ્ મળશે. ખાલવામાં અસ્ખલના વગેરે શુદ્ધ નિમિત્તથી ગાચરી શુદ્ધ મળશે એવુ. અનુમાન થાય. કારણ કે કાર્યાંશુદ્ધિમાં નિમિત્ત પણ શુદ્ધ જોઇએ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ક ૧૭૦ ૪ ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા ૪૮ - - - = વ્યાખ્યાના અનુસાર જાણી લેવું. નીચે કહેવાશે તે સંજના વગેરે દેશે ભોજનમાંડલીમાં થનારા છે. (૪૭) ભોજનમાંડલીના પાંચ દોષ :संजोयणापमाणे, इंगाले धूमकारणे चेव । उवगरणभत्तपाणे, सबाहिरभंतरा पढमा ॥ ४८ ॥ સંયોજના, પ્રમાણ (પ્રમાણાધિક્ય), ઈંગાલ, ધૂમ અને કારણ ( કારણભાવ) એ પાંચ ભેજનમાંડલીના દોષે છે. (૧) સંયોજના એટલે આહારાદિમાં વિશેષતા લાવવા (સ્વાદિષ્ટ બનાવવા કે વિભૂષા કરવા) અન્ય દ્રવ્યને સંયોગ કરો તે સંયોજના. તેના ઉપકરણ અને આહાર એમ બે ભેદ છે. તે બંનેના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ છે. (૧) ઉપકરણ સં જના :- ઉપકરણની ગવેષણા કરતે સાધુ (નવા) ચાલપટ્ટાની પ્રાપ્તિ થતાં વિભૂષા નિમિત્તે (નવ) કપડે (કે પાંગરણી) માગીને બહાર પહેરે તે બાહ્ય ઉપકરણસંયેજના, અને મકાનમાં પહેરે તે અત્યંત ઉપકરણ સંજના. (૨) આહાર સંજના :- ભિક્ષામાં ફરતાં દૂધ, દહીં આદિ મળતાં (સ્વાદિષ્ટ બનાવવા) તેમાં ગોળ વગેરે નંખાવે તે બાહા આહાર સંયેજના, અને મકાનમાં તે પ્રમાણે કરે તે અત્યંતર સંજના. આહારની અત્યંતર સંયોજના પાત્રમાં અને મુખમાં એમ બે રીતે થાય છે. પાત્રામાં ખાખરો અને ગોળ-ઘી વગેરે ભેગું કરીને (સવાદિષ્ટ બનાવીને) Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૩ પિડવિધિ-પંચાશક ઃ ૧૭૧ = વાપરે તે પાત્ર અજયંતર સંજના છે, અને મોઢામાં તેમ કરે તે મુખ અત્યંતર સંયોજના છે. (૨) પ્રમાણ-પરિમાણથી અધિક ભોજન કરવું. (૩) ઈગાલ-ચારિત્રરૂપ કાષ્ઠને અંગારા (લસા) જેવું કરવું. (૪) ધૂમ-ચારિત્રરૂપ કાષ્ટને ધૂમાડાવા (મલિન) કરવું. (૫) કારણ-કારણ વિના ભેજન કરવું. (૪૮) પ્રમાણ આદિ ચાર દેશોનું લક્ષણ :बत्तीस - कवल - पमाणं, रागद्दोसेहि धूमइंगालं । वेयावच्चादीया, कारणमविहिंमि अड्यारो ॥ ४९ ॥ પ્રમાણુ પુરુષ માટે ૩૨ કોળિયા અને સ્ત્રી માટે ૨૮ કેળિયા આહારનું પ્રમાણ છે. કેળિયાનું પ્રમાણ કુકડીના છેડા જેટલું સમજવું. કહ્યું છે કે :बत्तीसं किर कवला, आहारो कुच्छि पूरओ भणिओ : पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥ પિંડનિ. ૬૪૨, પંચવ૦ ૭૬૮ બત્રીશ કોળિયા આહારથી પુરુષનું અને અઠાવીસ કોળિયા આહારથી સ્ત્રીનું પેટ ભરાય છે.” અથવા અહીં પેટના ભાગોની અપેક્ષાએ પ્રમાણ છે. अद्धमसणस्स सबंजणस्स कुज्जा दधस्स दो भाए । वाउपवियारणट्ठा, छब्भायं ऊणयं कुज्जा ॥ ઘનિપ૭૮, પિંડનિ ૬પ૦, યતિદિ. ૨૪૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૭૨ : ૧૩ પિંડવિધિ-૫'ચાશક પેટના છ ભાગ કરીને તેના અર્ધો (-ત્રણ) ભાગા શાક વગેરે સહિત બધા ય અશન (-આહાર) માટે કરે, એ ભાગે। પાણી માટે કરે અને વાયુના સ`ચાર માટે છઠ્ઠો ભાગ ઉણેાદરી કરે.” ઈંગાલ અને ધૂમ :- ભાજન સ`ખંધી રાગથી ચારિત્ર રૂપ કાષ્ઠને ઇંગાલ જેવુ-અંગારા જેવુ' કરવું તે ઇંગાલદોષ છે. ભાજન સ’બધી દ્વેષથી ચારિત્ર રૂપ કાષ્ઠને ધૂમાડાવાળું કરવુ' તે ધૂમદોષ છે. [અગ્નિથી કાષ્ઠ પૂશું બની જાય તે અંગાર બને, અને અડધુ બળે તેા ધૂમાડાવાળુ' અને, દ્વેષથી રાગમાં અધિક દાષ છે. માટે આહારના રાગથી ચારિત્ર પૂર્ણ અળીને અગારા બનેલા કાષ્ઠ જેવુ થાય છે, અને દ્વેષથી અડધું ળીને ધૂમાડાવાળા થયેલા લાકડા જેવું થાય છે. સારા આહારની કે તેના દાતાની પ્રશ'સા વગેરે આહારસ બધી રાગ છે, ખરાખ આહારની કે તેના દાતા વગેરેની નિંદા વગેરે આહાર સબધી દ્વેષ છે. ] ગાથા ૪૯ કારણ :– ભાજનના વૈયાવચ્ચ, (–આચાર્યંદિની ભક્તિ) વેદના વગેરે છ કારણે છે. કહ્યુ` છે કે : वेयण - वेयावच्चे, इरियट्टाए य संजमट्टाए । तह पाणवत्तियाए, छट्टु पुण धम्मचिंताए ॥ આધુનિ॰ ૫૮૨, પિંડનિ કર 66 ક્ષુધાવેદનાની શાંતિ, આચાર્યાદિની સેવા-ભક્તિરૂપ Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૭8 : વૈયાવચ્ચ, ઈસમિતિ, સંયમની પ્રતિલેખનાદિ ક્રિયા, પિતાના પ્રાણની રક્ષા, સૂત્ર-અર્થને અભ્યાસ અને ચિંતન એ છ કારણોથી જિનેશ્વરાએ આહાર લેવાનું કહ્યું છે.” પ્રમાણથી અધિક ભજન અને કારણ વિના ભોજનરૂપ અવિધિ કરવામાં દોષ થાય. (૪૯) પ્રસ્તુત પ્રકરણને ઉપસંહાર :एयं णाऊणं जो, सव्वं चिय सुत्तमाणतो कुणति । काउं संजमकाय, सो भवविरहं लहुं लहति ॥ ५० ॥ જે સાધુ આ પિંડવિધાનને જાણીને સર્વજ્ઞવચનને પ્રમાણભૂત કરીને બધું કરે છે–પિંડના બધા દેશોનો ત્યાગ કરે છે, તે સાધુ પોતાની કાયાને સંયમપ્રધાન બનાવીને જલદી સંસારને અંત પામે છે. કારણ કે સર્વજ્ઞ ભગવંતે સંયમપ્રધાન કાયાને સંયમના ઉપાય તરીકે જોઈ છે. અહીં “સર્વજ્ઞવચનને પ્રમાણભૂત કરીને બધું કરે છે” એમ કહીને “મોક્ષાર્થીને સવજ્ઞાનું જ વચન શરણ છે” એમ જણાવ્યું છે. (૫૦) jain Education International Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શીલાંગવિધિ પંચાશક તેરમા પચાશકમાં પિંડવિશુદ્ધિ કહી. પિંડવિશુદ્ધિ શીલાંગ(=ચારિત્રનું અંગ) છે. આથી હવે “શીલાંગ’ પ્રકરણું કહેવા મંગલ, અભિધેય વગેરે જણાવે છે - नमिऊण बद्धमाणं, सीलंगाई समासओ वोच्छं । समणाण सुविहियाणं, गुरुवएसानुसारेणं ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને શુભ અનુષ્ઠાન કરનારા સાધુઓના શીલાંગને સંક્ષેપથી જિનવચનાનુસાર કહીશ. શીલાગે એટલે ચારિત્રના અંગ-વિભાગે, અથવા ચારિત્રનાં કારણે (૧). શીલાંગનું સંખ્યાપરિમાણું – सीलंगाण सहस्सा, अट्ठारस एस्थ होंति णिय मेणं । भावेणं समणाणं, अखंडचारित्तजुत्ताणं ॥ २ ॥ શ્રી જિનપ્રવચનમાં અખંડ ચારિત્રયુક્ત ભાવ સાધુઓને અવશ્ય અઢાર હજાર શીલાગે હોય છે. અહીં ભાવ સાધુઓને એમ કહેવાથી દ્રવ્ય સાધુઓને આ શીલાંગો ન હોય એમ સૂચન કર્યું છે. * ૨ થી ૮ સુધીની ગાથાઓ પ્રસારામાં ક્રમશઃ ૮૩૯ થી ૮૪૬ છે. તથા ૨ થી ૪૪ સુધીની ગાથાઓ પં. વ૦માં ક્રમશ: ૧૧૬૨ થી ૧૨૦૪ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૭૫ : અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે :–અખંડ ચારિત્ર યુક્ત સાધુઓને ભાવથી અવશ્ય અઢાર હજાર શીલાંગો હોય છે. ભાવથી એટલે અંતરના પરિણામથી. બાહાથી તે કલ્પપ્રતિસેવનામાં* ન્યૂન પણ હોય. અવશ્ય એટલે ન્યૂનાધિક નહિ, કિંતુ બરોબર અઢાર હજાર. અખંડચારિત્રયુક્ત એમ કહીને દર્પ પ્રતિસેવનાથી ખંડિત શીલવાળાને અઢાર હજાર શીલા ન હોય એમ જણાવ્યું છે. પ્રશ્નસર્વવિરત સાધુઓ અખંડ ચારિત્રવાળા જ હોય છે. કારણ કે સર્વવિરતિનું ખંડન થાય તે સર્વવિરત કહે. વાય નહિ. તથા “જિયા વેમ ” એ વચનથી પાંચ મહાવ્રતોને સ્વીકાર કરે છે અને ભંગ પણ પાંચે મહાવ્રતને કરે છે, એક વગેરેને નહિ, આથી સર્વવિરતિનું દેશથી ખંડન શી રીતે હોય? ઉત્તર :- તમારી વાત સત્ય છે. પણ સ્વીકારની અપે. ક્ષાએ (પાંચ મહાવ્રતને સ્વીકાર કર્યો છે માટે) સર્વવિરતિપણું છે, પણ પરિપાલનની અપેક્ષાએ આંશિક ખંડન પણ હાય. આથી જ કહ્યું છે કે – सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयओ होति । સઘળાય અતિચાર સંજવલન કષાયના ઉદયથી થાય છે.” * કલ્પપ્રતિસેવના અને દર્પ પ્રતિસેવનાના અર્થ માટે આલોચના પંચાશકની ૧૯ મી ગાથાની ટીકામાં જુએ. Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ ૧૪ શીલાંગવિધિ-પચાશક ગાથા ૩ - અતિચારો ચારિત્રમાં દેશ ખંડન રૂપ જ છે. તથા એક વ્રતના ભંગથી સર્વત્રતોને ભંગ થાય છે એમ જે કહ્યું તે પણ અમુક વિવક્ષાથી છે. તે વિવક્ષા આ છે :छयस्स जाब दाणं, ताव अइक्कमइ नेव एगपि । एगं आइकमंतो, अइक्कमे पंच मूलेणं ॥ છેદનું પ્રાયશ્ચિત આવે ત્યાં સુધી એક પણ મહાવતને સર્વથા ભંગ થતો નથી. મૂળનું પ્રાયશ્ચિત્ત આવે તે એક મહાવ્રતના સર્વથા લંગથી બધા મહાવ્રતનો સર્વથા ભંગ થાય છે.” - આ રીતે જ દશા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન સફલ થાય. અન્યથા (છેદના પ્રાયશ્ચિત્ત સુધી એક પણ મહાવ્રતને સર્વથા ભંગ થતો નથી એમ ન સ્વીકારવામાં આવે તે) મૂલ વગેરે જ પ્રાયશ્ચિત્ત રહે–આલોચનાદિ પ્રાયશ્ચિત્ત ન રહે. વ્યવહાર નયથી અતિચારે છે. નિશ્ચયનયથી તે (આંશિક ભંગ થતાં) સર્વવિરતિને ભંગ જ છે. (૨) અઢાર હજાર શીલાગે કેવી રીતે થાય છે તે જણાવે છે – जोए करणे सण्णा, इंदिय भूमादिसमणधम्मे य । सीलंगसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती ॥ ३ ॥ ચોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, પૃથ્વીકાયાદિ, અને શ્રમણધર્મ એ બધાના સંયોગથી અઢાર હજાર શીલાંગ થાય છે. (૩) * પંચક૯૫ભાષ્ય-૧૩૩ WWW.jainelibrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪-૫ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૭૭ : રોગ વગેરેનું સ્વરૂ૫ :करणादि तिणि जोगा, मणमादीणि उ हवंति करणाई । ત્રા સTI, ૨૩ નો પાઉંટિયા પર છે જ ! भामादी णव जीवा, अजीवकाओ उ समणधम्मो उ । खंतादि दसपगारो, एव ठिए भावणा एसा ॥ ५ ॥ યેગા-કરવું, કરાવવું અને અનુમોદવું. કરણ-મન, વચન અને કાયા. સંજ્ઞા-આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચાર સંજ્ઞાઓ અનુક્રમે વેદનીય, ભય, (વેદરૂપ) મોહ અને લેભ કષાયના ઉદયથી થતા અધ્યવસાય વિશેષરૂપ છે. ઇંદ્રિયઃ-શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, રસના અને સ્પર્શ. (૪) પૃથ્વીકાયાદિ-પૃથ્વી, અ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય, પંચંદ્રિય એ નવ જીવકાય અને દશમે સર્વએ જેને ત્યાજ્ય કર્યો છે તે અવકાય. ત્યાજ્ય અછવકાય આ પ્રમાણે છે :- મહામૂલ્યવાળાં વસ્ત્ર-પાત્ર અને સુવર્ણ–ચાંદી વગેરે, પુસ્તકે, પ્રતિલેખના ન થઈ શકે તેવાં લૂલી વગેરે વસ્ત્રો, બરોબર પ્રતિલેખન ન થઈ શકે તેવાં પ્રાવારક વગેરે વસ્ત્ર, કદરા વગેરેનું તૃણ, બકરી વગેરેનું ચર્મ. આ ત્યાજ્ય અજીવ આગમમાં (પુસ્તપંચક, દુષ્યપંચક, તૃણપંચક, ચર્મપંચક તરીકે) પ્રસિદ્ધ છે. શ્રમણધર્મ-ક્ષમા, માવ, આર્જવ, મુક્તિ (સંતોષ), તપ, સંયમ, સત્ય, શૌચ, આચિન્ય, બ્રહ્મચર્ય. Jain Edu?on International WWW.jainelibrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૮ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૬ થી ૯ ચોગ આદિની મૂળસંખ્યાને પાટી આદિમાં ઉપર નીચે સ્થાપતાં (૩૪૩૪૪૪પ૪૧૦૪૧ ૦=૧૮૦૦૦ ) અઢાર હજાર શીલાંગ થાય છે. તેની ઘટના નીચેની ૬ થી ૯ એ ચાર ગાથામાં બતાવ્યા પ્રમાણે છે. (૫) અઢાર હજાર શીલાંગની ઘટના - ण करेति मणेणाहारसन्न विप्पजदगो उणियमेणं । सोइंदियसंवुडो पुढविकायारंभ खंतिजुओ ॥ ६ ॥ इय मद्दवादिजोगा, पुढविक्काए भवंति दस भेया । आउकायादीसुवि, इय एते पिंडियं तु सयं ॥ ७ ॥ सोइदिएण एयं, सेसेहिवि जं इमं तओ पंच । आहारसण्णजोगा, इय सेसाहिं सहस्सदुगं ॥ ८ ॥ एयं मणेण वइमादिएसु एयंति छस्सहस्साई । ण करइ सेसेहिपि य, एऐ सव्वेवि अट्ठारा ॥ ९ ॥ આહાર સંજ્ઞા રહિત, શ્રોત્રેઢિયના સંવરવાળો (શ્રોત્રે દ્રિયની રાગાદિ દોષવાળી પ્રવૃત્તિને રોકનાર), ક્ષમાયુક્ત, મનથી, પૃથ્વીકાયની હિંસા ન કરે. આ પ્રમાણે શ્રમણધર્મને પહેલે એક ભાગો થયો. (૬) આ જ પ્રમાણે માદવ, આર્જવ વગેરેના સંગથી પૃથ્વીકાયને પૃથ્વીકાયના * આ સ્થાપના મુદ્રિત આવશ્યક સૂત્ર પ્રતમાં અઠ્ઠાઈજેમ્સ સૂત્રમાંથી જોઈ લેવી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬ થી ૯ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૭૯ ઃ સમારંભને આશ્રયીને દશ ભેદે થાય. એ રીતે અપકાય આદિને આશ્રયીને કુલ સે ભેદ થાય. (૭) આ સો ભેદ શ્રોત્રેઢિયના ચોગથી થયા. બાકીની ચક્ષુ વગેરે ચાર ઈદ્રિચેના યોગથી પણ પ્રત્યેકના આ રીતે સે ભેદ થાય. આથી કુલ પાંચસો ભેદે થયા. આ પાંચસે ભેદે આહાર સંજ્ઞાના યોગથી થયા. બાકીની ત્રણ સંજ્ઞાના યોગથી પણ પ્રત્યેકના આ રીતે પાંચસો ભેદે થાય. આથી કુલ બે હજાર ભેદ થયા. (૮) આ બે હજાર ભેદો મનથી થયા. વચન અને કાયાથી પણ પ્રત્યેકના બે હજાર ભેદો થાય. આથી કુલ છ હજાર ભેદો થયા. આ છ હજાર ભેદે ને કરવાથી થયા. ન કરાવવાથી અને ન અનુમોદવાથી પણ પ્રત્યેકના છ હજાર ભેદે થાય. આથી કુલ અઢાર હજાર ભેદે થયા. (૯) પ્રશ્ન :- એક જ વેગથી અઢાર હજાર ભાંગા થાય છે. પણ જે બે વગેરેના સંયોગથી થતા ભગા ઉમેરવામાં આવે તો ઘણા ભાંગા થાય. તે આ પ્રમાણે - વેગમાં (બે વગેરેના સંગથી) ૭, કરણમાં ૭, સંજ્ઞામાં ૧૫, ઈદ્રિયમાં ૩૧, પૃથ્વીકાયાદિમાં ૧૦૨૩, શ્રમણધર્મમાં ૧૦૨૩ ભાંગા થાય. આ બધા ભાંગાઓની સંખ્યાને પરસ્પર ગુણવાથી બે હજાર ત્રણસો ચોરાશી ફોડ (-૩ અબજ ૮૪ ક્રોડ), એકાવન લાખ, ત્રેસઠ હજાર, બસે ને પાંસઠ (૨૩૮૪, ૫૧, ૬૩, ૨૬૫) ભાંગા થાય. તે અહીં અઢાર હજાર જ ભાંગા કેમ કહ્યા ? ઉત્તર – શ્રાવક ધર્મની જેમ કોઈ અમુક ભાંગાથી સર્વવિરતિને સ્વીકાર થતો હોય તે આ ભાંગા કહેવા જોઈએ, પણ તેમ છે નહિ. શીલાંગને કેઈ એક પણ ભાંગાની સત્તા બીજા બધા ભાંગા હોય તો Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૧૦ જ હોય છે. જે અઢાર હજારમાંથી એક પણ ભાગે ન હોય તે સર્વ વિરતિ જ ન થાય. (અર્થાત બધા ભાંગા હેય તે જ સર્વવિરતિ થાય.) આ જ હકીકત દશમી વગેરે ગાથાઓમાં જણાવે છે:एत्थ इमं विष्णेयं, अइदंपज्जं तु बुद्धिमंतेहिं । एकंपि सुपरिसुद्धं, सीलंग सेससम्भावे ॥ १० ॥ બુદ્ધિમાનેએ અઢાર હજાર ભાંગાઓમાં નીચે પ્રમાણે રહસ્ય જાણવું. વિવણિત કોઈ એક શીલાંગ પણ તે સિવાચના બીજા બધા શીલાંગ (ભાંગા) હોય તો જ સુપરિશુદ્ધનિરતિચાર હોય. આ પ્રમાણે આ શીલાંગ સમુદિત જ હેય છે. આથી અહીં બે વગેરેના સંગથી થતા ભાંગા કહ્યા નથી. કિત સર્વ પદના છેલલા ભાંગાના આ અઢાર હજાર ભાંગા કહ્યા છે. જેમ “ત્રિવિધ-ત્રિવિધે ” (મન-વચનકાયાથી ન કરવું, ન કરાવવું અને ન અમેદવું) એના નવ ભાંગા થાય છે, તેમ ગ વગેરે બધા પદના “આહાશદિ ચાર સંજ્ઞાથી રહિત, પાંચ ઈદ્રિયોના સંવર સહિત અને ક્ષમાદિ દશવિધ ધર્મ સંપન્ન પૃથ્વીકામાદિ દશ સંબંધી હિંસાને મન-વચન-કાયાથી ન કરે, ન કરાવે અને ન અનુમોદે” એ છેલા ભાંગાના ૧૮૦૦૦ લે થાય છે. તે અહીં જણાવ્યા છે. (કારણ કે ઉક્ત છેલા ભાંગાથી જ સર્વ વિરતિને સ્વીકાર થાય છે અને તેના ૧૮૦૦૦ ભેદે છે.) શીલાંગના સુપરિશુદ્ધ=નિરતિચાર એવા વિશેષણથી એ જણાવ્યું કે વ્યવહારથી સર્વવિરતિના પાલનમાં કંઈક Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૧-૧૨ ૧૪ શીલાંગવિધિ-પચાશક : ૧૮૧ : શીલાંગ ( સુપરિશુદ્ધ )ન ડાય તે પણ અપરિશુદ્ધ શીલાંગા હાય છે, [ નિશ્ચયનયથી તે એકના પણ અભાવમાં (એકની પણ અપશુિદ્ધિ હૈાય તેા) બધાના અભાવ થાય છે, | આ રીતે જ સજ્વલન કષાયના ઉત્ક્રય ચરિતાર્થ થાય છે. કારણ કે તે ચારિત્રના એક દેશના ભંગનુ' કારણુ છે. આથી જ જે સાધુ “હું લવણનું ભક્ષણ કરું...” એવી ઈચ્છા કરે તેણે “ આહારસ'જ્ઞારહિત, રસને દ્રિયસ'વૃત, સ‘તેાષસ'પન્ન મનથી પૃથ્વીકાયની હિંસા ન કરે” એ ભાંગાના શીલાંગના ભરંગ કર્યો. તેની શુદ્ધિ પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તથી થાય છે. અન્યથા ( જો કાઈ એક શીલાંગના અભાવમાં ખીજા અપરિશુદ્ધ શીલાંગેા ન હોય; બધા જ શીલાંગાના અભાવ થતા હાય તા) તે ભાંગાના ભંગની શુદ્ધિ મૂળ પ્રાયશ્ચિત્તથી જ થાય. (૧૦) ઉપર્યુક્ત વિષયનું સમર્થાંન :— एको वाssयपसोऽसंखेयपएस संगओ जह तु । एतंपि तहा णेयं सतत्तचाओ इहरद्दा उ ॥ ११ ॥ जम्हा समग्गमेयंपि सव्वसावज्जचागविरई उ । तत्तेणेगसरूवं, ण खंड रूवत्तणमुवेइ ॥ ૨ ॥ જેવી રીતે આત્માના એક પણ પ્રદેશ અસ ખ્યાત પ્રદેશાથી યુક્ત જ હોય છે, તેવી રીતે આ શીલાંગ પણ અન્ય સઘળા શીલાંગેાથી યુક્ત જ હોય છે. જો સ્વતત્ર એક શીયાંગ હાય તા તે શીલાંગ સવતિના ન કહેવાય, Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : ૧૪ શીલાંગવિધિ—પંચાશક ગાથા ૧૩થી ૧૫ કારણ કે બધા શીલાંગો સમુદિત (ભેગા મળીને) જ સર્વ વિરતિનાં શીલાંગ બને છે. (૧૧) જેમ પરિપૂર્ણ પ્રદેશવાળે આત્મા છે, તેમ શીલ=ચારિત્ર પણ પરિપૂર્ણ અંગોવાળું હોય તે સર્વવિરતિ બને છે. ચારિત્ર સર્વવિરતિ રૂપે અઢાર હજાર શીલાંગોવાળું જ છે. ચારિત્ર અઢાર હજાર અંગોવાળું ન હોય તેમાંથી એકાદિ અંગ ન્યૂન હોય તે સર્વવિરતિ જ ન કહેવાય, એકાદિ પ્રદેશહીન આત્મા ન હોય, તથા એકાદિ ન્યૂન સે ન કહેવાય તેમ. આથી સર્વવિરતિ એકાદિ શીલાંગથી જૂન ન હોય. (૧૨) શીલની અખંડતા અંતરના પરિણામની અપેક્ષાઓ છે :एयं च एत्थ एवं, विरतीभावं पडुच्च दट्ठव्वं । न उ बज्झपि पवित्ति, जं सा भावं विणावि भवे ॥१३॥ जह उस्सग्गंमि ठिओ, खित्तो उदयंमि केणति तवस्सी । तव्वहपवत्तकायो, अचलियभावोऽपवत्तो तु ॥ १४ ॥ एवं चिय मज्झत्थो, आणाओ कत्थई पयस॒तो । સેનિઝામુદા, અપવો ચેવ નાચવો ? | પ્રસ્તુતમાં અખંડ શીલ બાહ્ય વાચિક કે કાયિક પ્રવૃત્તિને આશ્રયીને નહિ, કિંતુ વિરતિના પરિણામને આશ્રયીને જાણવું. કારણ કે બાહ્ય પ્રવૃત્તિ ભાવ (-પરિણામ) વિના પણ હોય. અર્થાત અમુક વ્યક્તિમાં શીલ અખંડ છે કે ખંડિત છે તેને નિર્ણય તેની બાહ્ય પ્રવૃત્તિ ઉપરથી ન થાય, . Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩ થી ૧૫ ૧૪ શીલાંગવિધિ-પચાશક : ૧૮૩ : કિં'તુ આંતરિક પરિણામથી થાય. અંતરમાં વિરતિના પરિણામ ન હોય તેા પણ શીત્રની બાહ્ય પ્રવૃત્તિ પૂર્ણ હોય એવુ' ખને, તથા અંતરમાં વિતિના પરિણામ હેાવા છતાં ખાદ્ય પ્રવૃત્તિ પૂર્ણ ન હેાય એવુ બને. આ જ હકીકત નીચે જણાવે છે. ) (૧૩) જેમ કે ફાઈએ કાઉસગ્ગમાં રહેલા સાધુને પાણીમાં નાખી દીધા અહીં સાધુની કાયા પાણીના જીવાની હિંસામાં પ્રવૃત્ત હૈાવા છતાં સમભાવના પરિણામ ચલિત ન થયા હાવાથી તે સાધુ પરમાથ થી પાણીના જીવાની હિંસામાં પ્રવૃત્ત નથી. ( એનિમાં) કહ્યુ છે કે ઃ आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो || ७५५ ॥ આત્મા જ અહિંસા છે, અને આત્મા જ હિંસા છે, એ પરમાથ છે. જે અપ્રમત્ત-પ્રયત્નશીલ છે તે અહિંસક છે, અને જે પ્રમત્ત છે તે હિંસક છે. [૭૫૫ (૧૪) તથા सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खेज्जा । મુન્નુ કાયાકો, પુળો વિસોઢી ન ચાવિહ્ II એનિ૪૭ “સ વસ્તુમાં સંયમની રક્ષા કરવી. કારણ કે સયમ વિના ઈષ્ટ (=માક્ષ) ફળની સિદ્ધિ થતી નથી. સંયુમથી પણ આત્માની (-શરીરની) રક્ષા કરવી. કારણ કે શરીર વિના સંયમરક્ષાની પ્રવૃત્તિ ન થઈ શકે. તથા જીત્રતા Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪ : ૧૪ શીલાંગશિવિષ-૫'ચાશક ગાથા ૧૬ રહેલા સાધુ (શરીરની રક્ષા કરતાં લાગેલા) હિંસાદિ ઢાષાની તપ-ચારિત્ર આદિથી વિશુદ્ધિ કરીને તે ઢાષાથી મુક્ત થાય છે, અને તેના પરિણામ વિશુદ્ધ હાવાથી (દ્રવ્ય) હિસા થવા છતાં તે અવિરતિવાળા બની જતા નથી–તેના સયમના સવથા ભ'ગ થતા નથી.” (૪૭) સમભાવમાં રહેલા સાધુ આવા (એનિ॰ની ૪૭ મી ગાથામાં કહેલા) આપ્તવચનથી નવઢીક્ષિત, ગ્લાન, આચાયઆદિ માટે ક્વચિત્ દ્રવ્યહિ...સામાં પ્રવૃત્ત ખનવા છતાં સમભાવના પિરણામના વિચ્છેદ થયા ન હેાવાથી પરમાથ થી અપ્રવૃત્ત જ છે. આ વિષે (આ૰નિ૦માં) કહ્યું છે કે – सालंबणो पडतोऽवि अप्पयं दुग्गमेऽवि धारेह | કૂચ સાહવસેથી, ધારે. નર્ફે અત્તઢમાથું || ૨૨૯૨ || “ જેમ મજબુત વેલડી આદિના આલખનવાળે! જીવ ખાડા આદિમાં પડતાં શરીરને ખચાવી લે છે, તેમ પુષ્ટ અલ'અનથી કરેલું અપવાદનું સેવન માયારહિત સાધુને સ'સારરૂપી ખાડામાં પડતા અચાવી લે છે. અર્થાત્ જે સાધુ કૈાઈ જાતના કપટ વિના ખરેખરા પુષ્ટ કારણથી અપવાદનું સેવન કરે છે તે સાધુનું ચારિત્ર દ્રવ્યહિ સાદિ થવા છતાં શુદ્ધ છે.” [ ૧૧૭૨ ] (૧૫) આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત સાધુ અપ્રવૃત્ત કેમ છે તેનું સમાધાન :आणापरतंतो सो, सा पुण सव्वण्णुवयणओ चेव । वेजगणातेणं एगंतहिया સગીવાળું ! ૬ ! Page #202 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૭થી૧૯ ૧૪ શીલાંગવિધિ-પચાશક : ૧૮૫ : તે (દ્રવ્ય હિંસાદિમાં પ્રવૃત્ત) સાધુ આજ્ઞાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞની હાવાથી જ વૈદ્યના દૃષ્ટાંતથી સ જીવાને એકાંતે હિત કરનારી છે. અર્થાત્ જેમ વૈદ્યકશાસ્ત્ર કાઈનું જ હિત કરતું નથી, કિંતુ એમાં કહ્યા મુજબ જે કાઈ તે તે બધાનું હિત કરે છે; તેમ સજ્ઞની આજ્ઞા પણ કાઈકનું જ હિત કરતી નથી, કિ ંતુ આજ્ઞા પ્રમાણે જે કાઈ વર્તે તે બધાનુ હિત કરે છે. (૧૬) ભાવ વિના હિંસાદિમાં થતી પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરતી નથી :भावं विणावि एवं होति पवती ण वाहते एसा । सन्वत्थ अणमिसंगा, विस्तीभावं સુસાદુમ્સ ॥ ૨૭ ॥ > અવિકૃતિના પરિણામ વિના પશુ આજ્ઞાપરતંત્રતાથી દ્રવ્યહિંસાદિમાં પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર આદિમાં પ્રતિબંધ (રાગભાવ) રહિત હોવાથી સુસાધુના સસાવદ્યથી નિવૃત્તિરૂપ વિરતિના પરિણામને ખંડિત કરતી નથી. (૧૭) આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરે છે ઃउस्सुता पुण बाहति समतिवियप्पसुद्धावि पियमेणं । गीत णिसिद्धपवञ्जणरूवा णवरं णिरणुबंधा ॥ १८ ॥ | इयरा उ अभिणिवेसा, इयरा ण य मूलछि विरहेण । होएसा एत्तो चिय पुत्रवायरिया इमं चाहू ॥ १९ ॥ પણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ પેાતાની મતિકલ્પનાથી નિર્દોષ Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ ૧૪ શીલાં ગવિધિ-પંચાશક ગાથા ૨૦ - - - - હેવા છતાં અવશ્ય વિરતિ માવને ખંડિત કરે છે. સૂત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞા પનીય અને અપજ્ઞાપનીય એમ બે પ્રકારે છે. સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને અન્ય ગીતાર્થ સાધુ “આ પ્રવૃત્તિ સૂત્રવિરુદ્ધ છે માટે તમે ન કરો” એમ કે તો જે સાધુ “આપ કહો છો તે બરોબર છે” એમ સ્વીકાર કરે તે સાધુની સૂવિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞાપનીય છે, તે સિવાયના સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ અપ્રજ્ઞાપનીય છે. તેમાં પ્રજ્ઞાપનીય સત્રવિરુદ્ધ પ્રવૃત્તિ નિરનુબંધ+ છે= અટકાવી શકાય તેવી છે. કારણ કે વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર સાધુ અભિનિવેશ રહિત હોવાથી રોકનાર ગીતાર્થના વચનને સ્વીકાર કરીને સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરે છે. (૧૮) અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ અભિનિવેશવાળી (-અતરવમાં આગ્રહવાળી) હેવાથી સાનુબંધ-અટકાવી ન શકાય તેવી છે. કારણ કે ગીતાર્થના રોકવા છતાં તેના વચનનો સ્વીકાર ન કરવાથી શાસ્ત્રીય પ્રવૃત્તિ ન કરે. આ અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ મૂલથી ચારિત્રને છેદ (અભાવ) થયા વિના ન થાય. આથી જ પૂજ્યપાદ શ્રી ભદ્રબાડુ વામીએ નીચે પ્રમાણે કહ્યું છે.(૧૯) શ્રી ભદ્રબાહુ સ્વામીનું વચન :गीयत्थोय विहारो. बीमा गी प्रथमीमओ भणितो* । જો વિદ્યા, TT TTrો વિવારેf| ૨૦ || + અથવા નિરનુબંધ= અશુભ કર્મના અનુબંધથી રહિત, સાનુબંધ અશુભ કર્મના અનુબંધવાળી. ४ च शब्दात् पूर्वोक्तं च । જ ઓઘનિ, ગા. ૧૨, પ્ર.સા.ગા. ૭૭૦, પંચા. ૧૨ ગા. ૩૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧ ૨૨ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૮૭ ? જિનેશ્વરોએ એક ગીતાનો અને બીજે ગીતાર્થની નિશ્રાવાળા અગીતાને એમ બે વિહાર કહ્યા છે, ત્રીજો (એક કે અનેક અગીતાર્થોનો સ્વતંત્ર) વિહાર કહ્યો નથી. (૨૦) ભદ્રબાહુ સ્વામીના ઉક્ત વચનની પ્રસ્તુતમાં ઘટના :गीयस्स ण उस्सुत्ता, तज्जुत्तस्सेयरस्सवि तहेव । णियमेण चरणवं जं, ण जाउ आणं विलंघेइ ।। २१ ॥ ण य तज्जुत्तो अण्णं, ण णिवारइ जोग्गयं मुणेऊणं । एवं दोण्हवि चरणं, परिसुद्धं अण्णहा णेव ॥ २२ ।। ગીતાર્થ અને ગીતાર્થ યુક્તની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. કારણ કે ગીતાર્થ ચારિત્રી અવશ્ય કક્યારે પણ આપ્તવચનનું ઉલ્લંઘન ન કરે. (૨૧) આજ્ઞા યુક્ત ચારિત્રી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા અન્યને જાણીને રોકે. આથી ગીતાર્થ યુક્તની પણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. આ પ્રમાણે (-ગીતાર્થ આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ અને ગીતાર્થ યુક્ત અગીતાર્થ રોકવાથી તેના વચનનો સ્વીકાર કરે એ પ્રમાણે) ગીતાર્થ અને ગીતાર્થ યુક્ત એ બંનેનું ચારિત્ર નિર્દોષ હેય. અન્યથા, એટલે કે અગીતાર્થ હોવાથી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી અને ગીતાર્થ યુક્ત ન હોવાથી કઈ રોકનાર ન હેવાથી, ચારિત્ર નિર્દોષ ન થાય. આથી ગીતાર્થ અને ગીતાર્થ યુક્ત એ બેને જ વિહાર કહ્યો છે. (૨૨) Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૨૩ ૨૪ ઉપર્યુક્ત વિષયની પ્રસ્તુતમાં ઘટના :ता एव विरतिभावो, संपुण्णो एत्थ होइ णायव्यो । णियमेणं अहारस-सीलंगसहस्सरूवो उ ॥ २३ ॥ આથી આજ્ઞા પરતંત્રની બાહ્ય પ્રવૃત્તિ વિરતિને ખંડિત કરતી નથી એ નિયમથી પ્રસ્તુતમાં અવશ્ય અઢાર હજાર શીલાંગપરિમાણુ જ સર્વવિરતિને ભાવ (-પરિણામ) સંપૂર્ણ જાણ. (૨૩) શીલાગે એકાદિ જૂન ન હોય એનું આગમથી સમર્થન :ऊणतं ण कयाइवि, इमाण संख इमं तु अहिकिञ्च । जं एयधरा सुत्ते, णिहिट्ठा वंदणिजा उ ॥ २४ ॥ શીલાંગોની ૧૮૦૦૦ની સંખ્યામાંથી ક્યારે પણ એક વગેરે શીલાંગ ન્યૂન ન હોય. કારણ કે પ્રતિક્રમણ સૂત્રમાં (અઈજજેસુ સૂત્રમાં) ૧૮૦૦૦ શીલાંગને ધારણ કરનારાએને જ વંદનીય કાા છે, બીજાને નહિ. પ્રતિક્રમણ સૂત્રમાં સ્ટારરાષr (=અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા) ઈત્યાદિ પાઠ છે. એ પાઠ પ્રમાણભૂત છે. (૨૪) શીલાંગનું પાલન કઠીન હોવાથી મહાન જ કઈક તેનું પાલન કરી શકે છે, નહિ કે ગમે તે. આ વિષય અહીં પાંચ ગાથાઓથી જણાવે છે - * મુદ્રિત આવશ્યક સૂત્રની પ્રતમાં (પ્રતિક્રમણ આવશ્યકમાં) “કારણ સારુષાર એ પાઠ છે, અને વર્તમાનમાં આ પાઠ પ્રસિદ્ધ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૫થી૨૯ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૮૯ : ता संसारविरत्तो, अणंतमरणादिरूवमेयं तु । गाउं एयविउत्तं, मोक्खं च गुरूवएसेणं ॥ २५ ॥ परमगुरुणो य अणहे, आणाइ गुणे तहेव दोसे य । मोक्खट्ठी पडिवजिय, भावेण इमं विसुद्धेणं ॥ २६ ॥ विहिताणुट्टाणपरो, सत्तणुरूवामियरंपि संधेतो । _રથ શgવા , વયેતો જન્મવોશેવિ | ૨૭ सव्वस्थ णिरमिसंगो, आणामेत्तंमि सव्वहा जुत्तो । एगग्गमणो धणियं, तम्मि तहाऽमूढलक्खो य ॥ २८ ॥ तह तहलपत्तिधारग-णायगओ राहवेहगगओ वा । एयं चएइ काउं, ण उ अण्णो खुद्दसत्तोत्ति ॥ २९ ॥ આવા શીલનું પાલન કઠીન હેવાથી, જે ગુરુના આજ્ઞાનુસારી ઉપદેશથી સંસારને અનંત જનમ-જરા-મરાદિ રૂપ જાણીને, અને મોક્ષને અનંત જન્મ-જરા-મરણાદિથી રહિત જાણીને, સંસારથી વિરક્ત બન્યો હોય, (૨૫) તથા જિનાજ્ઞાની આરાધનામાં નિરવઘ (-નિર્દોષ) ઉપકાર અને વિરાધનામાં અપકાર થાય છે એમ જાણીને, મોક્ષાર્થી * જેમ કેટલીક દવાઓ રોગને નાશ કરે, પણ શરીરમાં રીએક્ષન કરીને નવી તકલીફ ઊભી કરે. તેથી તેવી દવા નિર્દોષ ન કહેવાય. જ્યારે કેટલીક દવાઓ રીએક્ષન ન કરવાથી નિર્દોષ હોય છે. તેમ જિનાજ્ઞાની આરાધનામાં નિર્દોષ ઉપકાર-લાભ થાય છે. Education International Page #207 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧૯૦ = ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૨૫ થી ૨૯ બનવા પૂર્વક, આલેક આદિની આશંસાથી રહિત વિશુદ્ધ ભાવથી આ ચારિત્રને સ્વીકાર કરીને, (૨૬) યથાશક્તિ આગમાક્ત અનુષ્ઠાન કરવામાં તત્પર હેય, જે અનુષ્ઠાનોને કરવાની શક્તિ ન હોય તે અનુષ્ઠાનને ભાવથી કરતે, અર્થાત ને અનુષ્ઠાનોને કરવાનો ભાવ રાખતું હોય, આગમમાં નહિ કહેલી ક્રિયાઓમાં શક્તિ ન વાપરવાથી (-આગમમાં નહિ કહેલી ક્રિયાઓ ન કરવાથી) ગુણપ્રતિબંધક કવિ પાકોને (કર્મના રસને) ખપાવતો હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં પ્રતિબંધ રહિત હેય, દરેક પ્રકારે આજ્ઞામાં જ ઉદ્યત હાય, આજ્ઞામાં જ અત્યંત એકાગ્રમતવાળો હોય, આજ્ઞામાં અમૂઢલક્ષ હોય, એટલે કે આજ્ઞાસંબંધી સુનિશ્ચિત બોધવાળો હોય, (૨૮) પ્રમાદથી નુકશાન થશે એવું જાણવાથી તલપાત્રધારક અને રાધાવેધકની જેમ અતિશય અપ્રમત્તપણે રહે, તે આ ચારિત્ર પાળવાને સમર્થ બને છે, અન્ય નહિ કારણ કે અન્ય જીવમાં સર્વ અલ્પ હોય છે. તલપાત્રધારકનું દષ્ટાંત - કેઈ નગરમાં શ્રાવકોમાં મુખ્ય એ કોઈ શ્રેષ્ઠ રાજા હતો. તેણે પિતાના પરિવારને અને નગરના ઘણા લોકોને જિનધમ કર્યા, અને દયા વગેરેમાં દઢ કર્યા. પણ કોઈ શ્રેષ્ઠિપુત્ર કઈ પણ રીતે બંધ પામ્યા નહિ. કુગ્રહરૂપ ગ્રહોથી તેના સારા ભાવ દબાઈ છે કારણ કે સમજપૂર્વક આજ્ઞાને સ્વીકાર કર્યો છે.. Page #208 -------------------------------------------------------------------------- ________________ તૈલપાત્રનું દૃષ્ટાંત ૧૪ શલાંગવિષ્ટિ-પચાશક : ૧૯૧ : ગયા હતા. તેણે વિચાર્યુ કે, ( રાગ આદિથી રીખાતા ( દુઃખી જીવાના નાશ કરવા રૂપ) હિંસા પણ ધર્મ જ છે, કેમકે હિંસા કરનાર દુ:ખીઓને દુ:ખમાંથી મુક્ત કરે છે અને સુખરૂપી લક્ષ્મી પમાડે છે, તથા હિ'સા કરી શકાય તેવી છે, આથી હિંસા જ કરવી. ચેાગ્ય છે, પણ દાનાદિ ધમ કરવા ચૈગ્ય નથી. કારણ કે દાનધમ ધન હાય તા થાય. ધન દુલ ભ છે અને તેના વ્યય પણ દુષ્કર છે. તથા એ એમ પણ માનતા હતા કે, અપ્રમાદને શ્રેષ્ઠ માનનાર જૈનશાસન નિરક છે. કારણ કે અપ્રમાદ કરવા અશક છે. અપ્રમાદને દૂષણ આપનાર તે શ્રેષ્ઠિપુત્રને એધ પમાડવા રાજાએ નીચે પ્રમાણે ઉપાય કર્યા. જિનશાસનમાં કુશળ યક્ષ નામના છાત્રને હાથમાં શ્રેષ્ઠ મણિ આપીને તે શ્રેષ્ઠિપુત્રના ઘરે માકલ્યા. રાજાની સૂચના અનુસાર તેણે કહ્યું: હું શ્રેષ્ઠિપુત્ર ! હું અન્ય દેશના વાસી છું, અને રાજાને અત્યંત પ્રિય બન્યું છું. ભિન્ન મેધવાળા (ભિન્ન માન્યતા ધરાવનારા) રાજાને બેધ પમાડવા માટે હું તૈયાર થયા છું. હું અને તું સમાન મેધવાળા (માન્યતાવાળા) છીએ. આપણા એ જેવા શ્રીજો કેાઈ આ નગરમાં નથી. ઈત્યાદિ વિવિધ વાર્તાલાપ દરરાજ કરીને છાત્રે શ્રેષ્ઠિપુત્રને પેાતાના ઉપર પ્રેમવાળા મનાયૈા. પછી વિશ્વાસુ અનેલા શ્રેષ્ઠિપુત્ર દેખે નહિ એ રીતે છાત્રે તે રત્ન તેના રત્નના ભાજનમાં મૂકી દીધું. રત્નને રત્નના ભાજનમાં ખરાખર મૂકીને છાત્ર રાજા પાસે ગયેા. તેણે રાજાને જે પ્રમાણે Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૨ ઃ ૧૪ શીલાંગવિધિ-પંચાશક તલપાત્રનું દષ્ટાંત બન્યું તે પ્રમાણે વૃત્તાંત કહ્યો. રાજાએ જોરદાર ઢઢેરો પીટાવીને જણાવ્યું કે રાજાનું વટીમાં જડેલું રત્ન પડી ગયું છે અને છેવાઈ ગયું છે. તેથી જેને મળ્યું હોય તે આપી દે. આમ ઉદ્ઘોષણા કરવા છતાં મુદ્રિકારત્ન ન મળ્યું એટલે રાજાએ નગરના લોકોને બોલાવ્યા અને કહ્યું કે, હે નગરજન! તમે મારા અધિકારીઓ સાથે જલદી દરેક ઘરે મુદ્રિકારત્વની બરોબર તપાસ કરો. કમશઃ દરેક ઘરે તપાસ કરતાં તેમણે તે જ શ્રેષિપુત્રના ઘરમાં રત્નના ભાજનમાં તે રત્ન જોયું. આથી આ રન રાજાનું જ છે એમ નિર્ણય કરીને દંડપાશિએ (-જેલરેએ) રાજાને અપકારી હોવાથી તેને પકડી લીધો અને ફાંસીના સ્થાને લઈ જવા લાગ્યા. શ્રેષ્ઠિ પુત્રે તેમને કહ્યું કે હું આ ગુના બદલ દંડ ભરવા તૈયાર છું. મારે વધ ન કરો. તેમણે કહ્યું કે દુષ્ટ એવા તને વધુ સિવાય બીજો કોઈ દંડ નથી. પછી તેણે દંડપાશિકોને કહ્યું કે, હું નિર્દોષ હોવા છતાં મને મારવામાં આવે છે. આથી મારે આ વિષયમાં રાજાને કહેવું છે. ત્યારબાદ તેણે યક્ષ છાત્રની પાસે અભ્યર્થના કરી કે, મારા માટે રાજાને કહે કે એને દુષ્કર પણ દંડથી સજા કરો, પણ એને મારી ન નાખે. યક્ષે તેને ઈરાદાપૂર્વક કહ્યું કે તું મૃત્યુ સિવાય બીજા દંડને સહન કરી શકીશ? તેણે કહ્યું: મૃત્યુ સિવાય બીજો દંડ સહન કરવા હું સારી રીતે સમર્થ છું. યક્ષે વિચાર્યું કે, દુષ્કર પણ કાર્ય કરવામાં આનું મન સમર્થ છે. આ પ્રમાણે જાણીને યક્ષે શ્રેષ્ઠિપુત્રના કહ્યા પ્રમાણે રાજાને કહ્યું. રાજાએ કહ્યું: તેલથી અતિશય(=કાંઠા સુધી) Page #210 -------------------------------------------------------------------------- ________________ તૈલપાત્રનું દૃષ્ટાંત ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯૩૪ - ભરેલું પાત્ર હાથમાં લઈને આખા નગરમાં ફરીને તે પાત્ર મારી પાસે લાવવું. પણ જે પાત્રમાંથી તેલનું એક પણ ટીપું ભૂમિ ઉપર પડે તો વધ કરે. યક્ષે રાજાને આદેશ શ્રેષ્ઠિપુત્રને કહ્યો. શ્રેષ્ઠિપુત્રે પણ રાજાના તે આદેશનો સ્વીકાર કર્યો. જે જીવવા માટે કઠીન પણ કાર્યો કરે છે. પછી શ્રેષ્ઠિપુત્ર તેલથી અતિશય ભરેલું પાત્ર લઈને તેના ઘરમાંથી નીકળ્યો. રાજાએ તેની સાથે ખુલ્લી તલવારવાળા સુભટે રાખીને તેને ત્રાસ પમાડ્યો. રસ્તામાં નૃત્ય કરતા નાના નાટકથી યુક્ત અને કામ, હાસ્ય વગેરેને વધારનારા અતિ મનહર ખેલ-તમાસા વગેરે કરાવ્યા. મનને #ભ પમાડવામાં સમર્થ ઘણા મોટા વિડ્યો હોવા છતાં જીવવાની આશાથી શ્રેષ્ઠિપુત્ર વિશેષ અપ્રમાદથી એક પણ બિંદુ નીચે પાડ્યા વિના તેલનું પાત્ર રાજા પાસે લઈ ગયો. આ રીતે તેણે મહાન દુષ્કર કાર્ય કર્યું એટલે રાજાએ તેને પ્રિય ભાષાથી પ્રેરણા કરી કે, હે સૌમ્ય ! જેમ તે એક મૃત્યુના ભયથી આવે અતિદુષ્કર અપ્રમાદ કર્યો, તેમ બીજા લઘુકમી જ અનંતમરણના ભયથી વિશેષરૂપે અપ્રમાદનું સેવન કરે છે. આથી પ્રમાદનો ત્યાગ અશક્ય છે એવી તારી માન્યતા છેટી છે. તથા હિંસા કરવી યોગ્ય છે એવી તારી માન્યતા પણ બરોબર નથી. જે હિંસાથી બીજાને સુખ થતું હોય તો તે મરણથી ભય પામીને કષ્ટનો સ્વીકાર કેમ કર્યો? શ્રેષ્ઠિપુત્રે આ પ્રમાણે રાજાની શિખામણ સાંભબીને પાપનો નાશ કરનાર જૈનશાસનને સ્વીકાર કર્યો. ૧૩ WWW.jainelibrary.org Page #211 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : ૧૪ શીલાંગવિધિ-વંચાશક રાધાવેધકનું દષ્ટાંત રાધાવેધકનું દૃષ્ટાંત :- ગુણેથી મહાન ઈદ્રપુર નામનું નગર હતું. તેમાં લક્ષમીન માલિક ઇદ્રદત્ત નામે રાજા હતા. તેને પ્રેમપાત્ર બાવીશ રાણુઓથી ઉત્પન્ન થયેલા બાવીશ પુત્ર હતા. તે બધા રાજાને પ્રાણથી પણ અધિક પ્રિય હતા. તે રાજાને ત્રેવીસમી મંત્રીની પુત્રી રાઈ હતી. રાજાએ તેને લગ્ન કરતી વખતે જ જોઈ હતી, ત્યાર પછી જોઈ ન હતી. હવે કોઈક વખતે ઋતુસ્નાતા બનેલી તે રાણીને રાજાએ જોઈ, અને પાસે રહેલાઓને પૂછ્યું કે આ યુવતિ કેણુ છે અને કોની છે? પાસે રહેલાઓએ કહ્યું કે, હે દેવ! આ આપની દેવી છે. આથી રાજા એક રાત તેની સાથે રહ્યો. આ વખતે તે રાણીને ગર્ભ રહ્યો. તેને તેના પિતા મંત્રીએ પહેલાં કહી રાખ્યું હતું કે, જ્યારે તને ગર્ભ રહે ત્યારે તારે મને જણાવવું. તેથી તેણે મંત્રીને પિતાને ગર્ભ રહ્યાની વાત કરી, અને રાજા પિતાની સાથે જે દિવસે રહ્યો હતો તે દિવસ અને મુહૂર્ત સુધી રાજાએ પોતાની સાથે વાત કરી હતી તે બધું મંત્રીને કહા. રાજાને ખાતરી કરાવવા માટે મંત્રીએ તે બધું પત્રમાં લખી લીધું. મંત્રીએ પુત્રીનું બરોબર પાલન કર્યું. સમય થતાં બાળકને જન્મ થશે. તે જ દિવસે તેના ઘરમાં અગ્નિક, પર્વતક, બહુલી અને સાગર નામના ચાર દાસીપુત્રોને જન્મ થયો. રાજપુત્રનું સુરેંદ્રદત્ત નામ કર્યું. ઉંમર લાયક થતાં કલાચાર્ય પાસે કલાઓ શીખે. તે કળા શીખતે હતો ત્યારે તે ચાર દાસીપુત્રો તેને હેરાન કરતા હતા. છતાં Page #212 -------------------------------------------------------------------------- ________________ - - - રાધાવેધકનું દેહાંત ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯૫૦ તેનું ભાવમાં કલ્યાણ થવાનું હોવાથી તેણે તેની દરકાર ન કરી. કળાએ શીખતા બીજા બાવીશ રાજપુત્રો કલાચાર્યને મારતા હતા અને ગાળો આપતા હતા. કલાચા તેમને માય એટલે તેમણે પિતાની મા પાસે ફરિયાદ કરી. આથી બાવીસ રાણીઓએ કલાચાર્ય ઉપર ગુસ્સે થઈને ગાળાથી ત્રાસ પમાડ્યો. આથી કલાચા મૂખ બાવીશ રાજકુમારની ઉપેક્ષા કરી. આ તરફ મથુરાનગરીને માલિક પર્વતક નામે રાજા હિતે. તેને નિવૃતિ નામે કન્યા હતી. યુવાનીથી ખીલી ઉઠેલી તે પુત્રીને રાજાએ કહ્યું કે, તું મનગમતા પતિ સાથે લગ્ન કર. તે રાજાની રજા લઈને ઇદ્રપુર નગર તરફ ચાલી. ઈદ્રપુર નગરના રાજાના સુંદર ગુણોવાળા રાજપુત્રો ઘણા છે એમ જાણી વિશ્વાસુ માણસની સાથે તે ઈંદ્રપુર આવી. (તેના આગમનથી) ખુશ થયેલા ઇંદ્રદર રાજાએ નગરમાં ઉત્સવ કર્યો. નિવૃત્તિએ રાજાને કહ્યું કે, જે કુમાર રાધાવેધ કરશે તે મારો પતિ થશે, અન્ય નહિ. આ સાંભળીને રાજાએ મંડપ કરાવ્યું. ત્યાં એક સ્તંભમાં આઠ ચકો અને તેની ઉપર પુતળી કરાવી. નીચે રહેલાએ બાણથી તે પુતળીની આંખ વીંધવી. ત્યારબાદ સૈન્ય અને પુત્રોથી સહિત રાજા મંડપમાં બેઠે. મંડપના એક ભાગમાં અલંકાર વગેરેથી વિભૂષિત નિવૃતિ બેઠી. સામંત રાજાઓ વગેરે પણ પિતપોતાના સ્થાને બેસી ગયા. પછી રાજાએ શ્રીમલિ નામના મોટા પુત્રને હે પુત્ર! આ પૂતળીને વીંધીને આ કન્યાને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૯૬ : ૧૪ શીલાંગવિધિ-૫'ચાશક રાધાવેધકનું દૃષ્ટાંત અને રાજ્યને ગ્રહણ કર, એમ આજ્ઞા કરી, તે અશિક્ષિત હાવાથી ભયથી તેનું શરીર ધ્રુજવા માંડયું. આથી તે પૂતળીને વીંધી શકયો નહિ. એ પ્રમાણે બીજા પણ રાજકુમારા પુતળીને વીંધી શકયા નહિ. પેાતાના પુત્રાની અજ્ઞાનતા જાણી રાજા તે જ ક્ષણે હાથ ઉપર ગાલ મૂકીને જમીનમાં ષ્ટિ રાખીને શાક કરવા લાગ્યા. મત્રીએ રાજાને આપ દીન ક્રમ છે.? એમ પૂછ્યું'. રાજાએ કહ્યું: આ દુષ્ટ પુત્રાએ મને લેકમાં અપકીર્તિવાળા કર્યો. આથી મત્રીએ રાજાને કહ્યું કે, આપના બીજો પણ એક પુત્ર છે. આપ તેની પાસે રાધાવેધ કરાવા. મારા બીજો પુત્ર કાંથી ? એમ રાજાએ પૂછ્યું એટલે મત્રીએ મારી પુત્રીના પુત્ર છે એમ કહીને રાજાને તે પત્ર મતાન્યેા. ખાતરી થતાં ખુશ થયેલા રાજાએ હું અમાત્ય ! મારા પુત્રને લઈ આવ એમ કહ્યું. મ`ત્રીએ પણ રાજાને તે પુત્ર દેખાડયો. રાજાએ સપુત્રામાં ઉત્તમ એવા તેને આલિંગન કરવા પૂર્વક મસ્તકમાં સૂંઘીને કહ્યું: મહાન અદ્ભુત પુતળીને વીંધીને કન્યા અને રાજ્યને લે. ‘પિતા જે આજ્ઞા કરે તે કરવા તૈયાર છું’ એમ કહીને તે તુવેદની વિદ્યાથી પુતળીને વીંધવા હાજર થયા. તે ચાર દાસી પુત્રાએ, ખાવીશ રાજપુત્રાએ, અને ખુલ્લી તલવાર લઈને ઊભેલા એ માણસાએ તેને વિવિધ પ્રકારના ઉપદ્રવ કર્યો. કલાચાર્યે પણ કહ્યું: હે વત્સ ! જો પુતળીને નહિં વીંધે તેા ખુલ્લી તલવાર લઇને ઊભેલા આ એ ભયકર માણસે તારુ' મસ્તક છેદી નાખશે. તેથી તેણે Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૦-૩૧ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯૭૦ બધા ઉપદ્રની દરકાર કર્યા વિના બરોબર લક્ષ્ય રાખીને ચકેના અંતરને જાણીને તુરત પુતળીને વીંધી નાખી. આથી વાજિંત્રો વાગ્યાં. લોકોએ તેની પ્રશંસા કરી. તેણે રાજા વગેરે લોકોને ખુશ કર્યો, અને કન્યા સાથે લગ્ન કર્યું. (૨) ઉક્ત વિષયની પ્રસ્તુતમાં યોજના - एत्तो चिय णिद्दिटुं, पुव्वायरिएहि भावसाहुत्ति । हंदि पमाणठियट्ठो, तं च पमाणं इमं होइ ॥ ३० ॥ सत्थुत्तगुणो साहू, ण सेस इह णे पइण्ण इह हेऊ ।। अगुणत्ता इह णेयो, दिढतो पुण सुवणं व ॥ ३१ ॥ શીલ દુર્ધર હોવાથી ભદ્રબાહુ સવામી વગેરે પૂર્વાચાર્યોએ ભાવસાધુનો નિર્ણય અનુમાન પ્રમાણુથી થાય છે એમ (દશવ. નિ. ગા. ૩૫૦ માં) કહ્યું છે. તે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે :- (૩૦) “જે શાસ્ત્રોક્ત ગુણેથી સહિત છે તે સાધુ (ભાવ સાધુ) છે, જે શાઍક્ત ગુણથી રહિત છે તે સાધુ નથી, અર્થાત્ દ્રવ્ય સાધુ છે.” આ અમારી પ્રતિજ્ઞા=પક્ષ છે. “શાસ્ત્રોક્ત ગુણેથી રહિત હોવાથી” એ પક્ષમાં હેતુ છે. સુવર્ણની જેમ એ દષ્ટાંત છે. અર્થાત્ જેમ સુવર્ણના ગુણોથી રહિત સુવર્ણ તાવિક સુવર્ણ નથી, તેમ સાધુના શાસ્ત્રોક્ત ગુણેથી રહિત સાધુ તાવિક સાધુ નથી. અહીં “સુવર્ણની જેમ” એ વ્યતિરેક દષ્ટાંત છે. તેને - પ્રયોગ આ પ્રમાણે છે -દ્રવ્યસાધુ તાત્વિક ( ભાવ) સાધુ - Page #215 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૮ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૩૨ નથી. કેમ કે તારિક સાધુના ગુણોથી રહિત છે. જે તાવિક વસ્તુ હોય તે પિતાના ગુણોથી રહિત ન હોય. જેમ તારિક સુવર્ણ. દ્રવ્યસાધુ તાવિક સાધુના ગુણેથી રહિત છે. આથી તે તાત્વિક સાધુ નથી. અહીં દ્રવ્ય સાધુ સાધુ નથી એમ સિદ્ધ કરવા દ્વારા અથપત્તિથી (કાવ્યસાધુ સાધુ નથી એનો અર્થ એ થયો કે ભાવસાધુ સાધુ છે. જે શાસ્ત્રોક્ત ગુણેથી યુક્ત હોય તે ભાવસાધુ છે. આમ અર્થપત્તિથી) જે શાસ્ત્રોક્ત ગુણોથી સહિત છે તે સાધુ છે એમ સિદ્ધ કર્યું છે. (૩૧) સુવર્ણના ગુણે :विसघाइ-रसायण-मंगलटु-विणए पयाहिणावत्ते । गरुए अडज्झ-कुत्थे, अट्ट सुवण्णे गुणा होति ॥ ३२ ॥ સુવર્ણ વિષઘાતી, રસાયન, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકુસ્ય હાય છે. આ પ્રમાણે સુવર્ણમાં વિષઘાત વગેરે આઠ ગુણ છે. વિષઘાતી=વિષને નાશ કરનાર. રસાયન=વૃદ્ધાવસ્થાને અટકાવનાર, અર્થાત્ વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાંતિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય. મંગલાથ મંગલનું કારણ છે, માંગલિક કાર્યોમાં તેને ઉપયોગ થાય છે. વિનીત કડાં, કેયૂર વગેરે આભૂષણે થાય છે. પ્રદક્ષિણાવર્ત =અગ્નિના તાપથી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ગુરુ=સારયુક્ત Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૩-૩૪ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯ : - - - - - - - છે. અદાહ્ય= સારયુક્ત હોવાથી અગનથી ન બળે. અકુસ્ય= તેમાં દુધ ન હોય (૩૨) સુવર્ણના આઠ ગુણે જેવા સાધુના આઠ ગુણ – इय मोहविसं घायइ सिवोवएसा रसायणं होति । गुणो य मंगलट्ट', कुणति विणीयो य जोग्गत्ति ॥३३॥ मग्गणुसारि पयाहिण, गंभीरो गरुयो तहा होइ । શાળા કરો, સીજમાવે છે રૂ૪ . સુવર્ણની જેમ સાધુ પણ વિષઘાતી, રસાયન, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાદ્ય અને અકુસ્ય છે. વિષઘાતી=મોક્ષમાર્ગને ઉપદેશ આપીને અન્ય જીવોના મિાહરૂપ વિષને નાશ કરે છે. રસાયન=મોક્ષમાર્ગને ઉપદેશ આપીને અજર-અમર બનાવે છે. મંગલાર્થ=સ્વગુણેથી મંગલનું કાર્ય કરે છે, અર્થાત્ વિનેને વિનાશ કરે છે. વિનીતરાગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે. પ્રદક્ષિણાવર્ત=માર્ગોનુસારી (મોક્ષમાર્ગ રૂપ તારિવક માગને અનુસરનાર) છે. ગુરુ ગંભીર (અતુચ્છ ચિત્તવાળો) હેય છે. અદાહ્ય ધરૂપી અગ્નિથી ન બળે. અકુસ્ય=સદા શીલ-રૂપ સુગંધ હોવાથી (દુર્ગુણોરૂપ) દુગધ ન હોય. (૩૩-૩૪) * દશ. નિ. ગા. ૩૫૧. WWW.jainelibrary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ = ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૩૫થી૩૭ ઉપર્યુક્ત વિષયની પ્રસ્તુતમાં યોજના :एवं दिढतगुणा, सज्झमिबि एत्थ हेति णायव्वा । न हि साहम्माभावे, पायं जं होइ दिट्ठतो ॥ ३५ ॥ સુવર્ણ દષ્ટાંતના વિષઘાત વગેરે ગુણે તાત્વિક સાધુરૂપ સાયમાં પણ હોય છે. કારણ કે સર્વથા (સાધ્ય સાથે) સમાનતા ન હોય તે પ્રાયઃ દષ્ટાંત ન હોય. વધસ્ય દષ્ટાંત પણ હોય છે એ જણાવવા અહીં “પ્રાય' શબ્દને ઉલેખ કર્યો છે. [ શાસ્ત્રોક્ત ગુણેથી રહિત સાધુ સાધુ નથી, નકલી સુવર્ણની જેમ. અહીં નકલી સુવર્ણ વૈધમ્ય દષ્ટાંત છે. ન્યાયની भाषामा यत्र यत्र वन्यभावस्तत्र तत्र धूमाभाव: जलहदवत्. અહીં દૂર વૈદચ્ય =વ્યતિરેકી દષ્ટાંત છે. ] (૩૫) કેવા સેનામાં ઉક્ત આઠ ગુણ હેય તે જણાવે છે – चउकारणपरिसुद्धं, कसछेयत्तावताडणाए य । जं तं विसघातिरसायणादिगुणसंजुयं होइ ॥ ३६ ॥ જે સેનું કષ, છેદ, તાપ અને તાડના રૂપ કારણેથી (-પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય તે સેનું વિષઘાત, રસાયણ વગેરે અસાધારણ આઠ ગુણોથી યુક્ત હોય. ઉક્ત પરીક્ષાઓથી નિર્દોષ સિદ્ધ ન થાય તેમાં ઉકત ગુણે ન હેય. " કષ=કસોટી ઉપર ઘસવું. છેકછીણી આદિથી કાપવું. તાપ અગ્નિમાં તપાવવું. તાડના કૂટવું. (૩૬) તાત્વિક સાધુમાં કષ વગેરેની ઘટના :इयरम्मि कसाईया, विसिट्ठलेसा तहेगसारतं । अवगारिणि अणुकंपा, बसणे अइणिच्चलं चित्तं ॥ ३७ ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮ ૧૪ શીલાંગવિધિ-પંચાશક ૨૦૧ (તાવિક) સાધુમાં કષ વગેરેથી શુદ્ધિ આ પ્રમાણે છે – તેજલેશ્યા વગેરે વિશિષ્ટલેશ્યા કષશુદ્ધિ છે. કારણ કે નિમલતાની અપેક્ષાએ સુવર્ણ અને સાધુમાં સમાનતા છે. અર્થાત્ જેમ કષથી શુદ્ધ સેનું નિર્મલ હોય છે તેમ તેજેલેશ્યા આદિ શુભ લેશ્યાથી યુક્ત સાધુ નિર્મલ હોય છે. શુદ્ધભાવની જ પ્રધાનતા એ છે શુદ્ધિ છે. આમાં સમાનતા પ્રસિદ્ધ છે. (જેમ છેદ શુદ્ધિવાળા સુવર્ણમાં શુદ્ધિની પ્રધાનતા હોય છે, તેમ છેદશુદ્ધિવાળા સાધુમાં શુદ્ધભાવની જ પ્રધાનતા હોય છે.) અપકારી પ્રત્યે અનુકંપા એ તાપશુદ્ધિ છે. કારણ કે વિકારાભાવની અપેક્ષાએ સુવર્ણ અને સાધુમાં સમાનતા છે. અર્થાત્ જેમ તાપશુદ્ધ સોનું અગ્નિમાં બળવા છતાં વિકાર ન પામે, તેમ તાપશુદ્ધ સાધુ અપકારી પ્રત્યે પણ કેધાદિ વિકારને ન પામે. રેગાદિમાં અત્યંત નિશ્ચલતા એ તાડના શુદ્ધિ છે. આમાં પ્રસ્તુત સ્વરૂપની પ્રધાનતા છે. અર્થાત્ જેમ તાડના શુદ્ધ સુવર્ણમાં સુવર્ણના આઠ ગુણે હોય છે તેમ તાડના શુદ્ધ સાધુમાં શાક્ત સાધુના ગુણે હોય છે. (૩૭) નામ અને આકૃતિમાત્રથી સાધુ ન બની શકાય - तं कसिणगुणोवेयं, होइ सुवण्णं ण सेसयं जुत्ती । णवि णामरूवमेत्तेण एवमगुणो भवति साहू ॥ ३८ ॥ જેમ પૂર્વોક્ત આઠ ગુણોથી યુક્ત સેનું તાત્વિક સેનું છે, ગુણોથી રહિત સેનું તાવિક સેનું નથી, કેમકે તે ચુક્તિ (-નકલી) સુવણે છે. તેમ શાસ્ત્રોક્ત સાધુના ગુણોથી Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૨ : ૧૪ શીલાંગવિધિ—પંચાશક ગાથા ૩૯થી૪૧ રહિત સાધુ નામમાત્રથી કે આકારમાત્રથી તારિક સાધુ ન કહેવાય. (૩૮). સેનાના રંગમાત્રથી સોનું ન બને :जुत्तीसुवण्णगं पुण, सुवण्णवणं तु जदिवि कीरेजा । ण हु होति तं सुवणं, सेसेहि गुणेहऽसंतेहिं ॥ ३९ ॥ સુવર્ણ ન હોવા છતાં બીજા પ્રત્યેના સંગથી સુવર્ણ જેવું હોય તે યુક્તિ (–નક્કી) સુવર્ણ છે. યુક્તિ સુવર્ણ અસલી સુવર્ણના જેવું પીળું કરવામાં આવે તે પણ બાકીના વિષઘાત વગેરે ગુણો ન હોવાથી તાત્વિક સુવર્ણ ન બને. (૩૯) સાધુને ગુણોથી યુક્ત તાત્વિક સાધુ છે - जे इह सुते भणिया, साहुगुणा तेहि होइ सो साहू । वण्णेणं जुत्तिसुवण्णगव्व संते गुणणिहिम्मि ॥ ४० ॥ જેમ પીળું સેનું વિષઘાતાદિ ગુણ હોય તે શુદ્ધ (–તાવિક) સુવર્ણ બને છે, તેમ આપ્તપ્રણીત શીલાંગ પ્રતિપાદક સૂત્રમાં આપ્ટેએ કહેલા સાધુના ગુણોથી યુક્ત હોય તે તાવિક સાધુ છે. (૪૦) ભિક્ષા માટે ફરવા માત્રથી સાધુ ન કહેવાય :जो साहू गुणरहिओ, भिक्खं हिंडेति ण होति सो साहू । वण्णेणं जुत्तिसुवण्णगव्वऽसंते गुणणिहिम्मि ॥ ४१ ॥ * દ. વ. નિ. ગા. ૩૫૩ થી ૩૫૭. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૨ ૧૪ શીલાંગવિધિ—પંચાશક : ૨૦૩ : જેમ વિષઘાતાદિ ગુણોથી રહિત યુક્તિ સુવર્ણ પીળા વર્ણ માત્રથી તાત્વિક સોનું ન કહેવાય, તેમ જે સાધુ સાધુન: ગુણોથી રહિત હોવા છતાં ભિક્ષા માટે ફરે છે તે શિક્ષા માટે ફરવા માત્રથી તાત્વિક સાધુ ન કહેવાય. (૪૧) ગુણરહિત સાધુનું વર્ણન :उद्दिट्टकडं भुंजति, छकायपमद्दणो घरं कुणति । पञ्चक्खं च जलगते, जो पियइ कहं णु सो साहू ॥४२॥ જે ઈરાદાપૂર્વક આધાકર્મ વગેરે આહારનું ભેજન કરે છે, પૃથ્વીકાયાદિ છ કાયનો આરંભ કરે છે, દેવઆદિના બહાને ઘર બનાવે છે, તથા ઈરાદાપૂર્વક પાણી માં રહેલા અપકાયના જીવોને પીએ છે-ઉપયોગ કરે છે તે કોઈ પણ રીતે તાવિક સાધુ નથી.+ (૪૨). * અહીં ભાવ આ પ્રમાણે જણાય છે - બીજે નિર્દોષ વસતિ મળતી હોવા છતાં મંદિરની બાજુમાં મકાન હોય તે મંદિરની રક્ષા થાય વગેરે બહાને મંદિરની બાજુમાં પિતાના માટે મકાન બનાવે કે ભાડાથી લે અને તેમાં રહે. દ. વૈ.માં નિર્દોષ વસતિ મળવા છતાં મૂર્છાથી તેમ કરે એવા ભાવનું જણાવ્યું છે. + દશર્વ. નિ. ગા. ૩૫૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૪૩-૪૪ - - સાધુસંબંધી કા વગેરે પરીક્ષા વિષે મતાંતર :अने उ कसादीया, किलx एते एत्थ होति णायव्या । एताहि परिक्खाहि, साहुपरिक्खेह कायव्वा ॥ ४३ ॥ બીજા આચાર્યો કહે છે કે, સાધુના અધિકારમાં કષ વગેરે ક્રમશઃ આધાકદિ આહારનું ભોજન વગેરે છે. અહીં (-સાધુ પરીક્ષાના અધિકારમાં) અનંતરોક્ત કષ આદિ પરીક્ષાઓથી સાધુની પરીક્ષા કરવી. (૪૩) સૂક્ત સાધુ ગુણોથી સાધુ બની શકાય – तम्हा जे इह सुत्ते, साहुगुणा तेहि होइ सो साहू । તમુifમુદ્ધિ મોરબ્રિતિ | સાધુના ગુણોથી રહિત સાધુ નથી માટે આપ્તપ્રણીત આગમમાં કહેલા ગુણોથી તાત્વિક સાધુ બને છે. પ્રશ્નઃ- સાધુના ગુણેથી તાવિક સાધુ બને છે એમ ન કહેતાં આપ્તપ્રત આગમમાં કહેલા સાધુગુણેથી તાત્ત્વિક સાધુ બને છે એમ કેમ કહ્યું ? ઉત્તર- જે મોક્ષની સાધના કરે મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરે તે સાધુ. મોક્ષની પ્રાપ્તિ ગુણમાત્રથી ન થાય, * વિજેચાત્તાવારસૂનાર્થ: FOT ' Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૫-૪૬ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૨૦૫ : - અર્થાત્ માત્ર દ્રવ્યગુણોથી ન થાય, કિંતુ અત્યંત સુવિશુદ્ધ ગુણથી થાય, (આપ્તપ્રત આગમાક્ત જ સાધુગુ અત્યંત સુવિશુદ્ધ છે.) આથી અહીં આપ્તપ્રત આગમમાં કહેલા સાધુના ગુણેથી તાત્વિક સાધુ બને છે એમ કહ્યું છે. (૪૪) પ્રસ્તુત વિષયનું અનુસંધાન :अलमेत्थ पसंगेणं, सीलंगाई हवंति एमेव । भावसमणाण सम्म, अखंडचारित्तजुत्ताण ॥ ४५ ॥ શીલાંગના પ્રકરણમાં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. અખંડ ચારિત્રયુક્ત ભાવસાધુઓના શીલાંગો ઉક્ત રીતે વાસ્તવિક સંપૂર્ણ પણે (અઢારે હજાર પૂરા, એક પણ ન્યૂન નહિ) હોય છે. (૪૫) શીલાંગયુક્ત સાધુઓને મળતા ફળનું વર્ણન :– इय सीलंगजुया खलु, दुक्खंतकरा जिणेहि पण्णत्ता । भावपहाणा साहू, ण तु अण्णे दव्वलिंगधरा ।। ४६ ॥ ઉક્ત રીતે સંપૂર્ણ શીલાંગોથી યુક્ત અને શુભ અધ્યસાચાની પ્રધાનતાવાળા સાધુઓ જ દુઃખન (અથવા દુઃખના કારણ સંસારને કે કર્મોને ) નાશ કરે છે, નહિ કે દ્રવ્યલિંગધારીએ; એમ જિનેશ્વરોએ કહ્યું છે. દ્રવ્યલિંગથારી Page #223 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬ : ૧૪ શીલાંગવિધિ-૫'ચાશક ગાથા ૪૭થી૪૯ એટલે ભાવથી રહિત હાવાથી અપ્રધાન સાધુવેશ ધારણ કરનાર. (૪૬) દ્રવ્યલિ’ગધારીએ ક્રિયાબળથી દુઃખના નાશ કરનારા ન ખને ? એ પ્રશ્નનુ` સમાધાન : संgoगाव हि किरिया, भावेण विणा ण होति किरियत्ति । गियफल विगलत्तणओ, गेवेज्जुववायणाएणं ॥ ४७ ॥ ॥ आगोहेणाणंता, मुका गेवेजगेषु उ सरीरा । ण य तत्थासं पुण्गाइ साहुकिरियाह उत्रवाओ ॥ ४८ ॥ ता तसोऽवि पत्ता, एसा ण उ दंसणंपि सिद्धति । एवमसग्गहजुत्ता, एसा વુદ્દાળ વ્રુત્તિ ॥ ૧ ॥ * અહીં અપ્રધાન શબ્દના ગંભીર અ છે. કેટલીક વખત સાધુવેશ પણ ભાવનું કારણ બનવા દ્વારા દુઃખના નાશનું કારણ બને છે, આથી સાધુવેશના પ્રધાન સાધુવેશ અને અપ્રધાન સાધુવેશ એમ બે ભેદ છે. જેને ભવદેવ આદિની જેમ સાધુવેશ ભાવનું કારણ બને તેને સાધુવેશ પ્રધાન સાધુવેશ છે. જેને સાધુવેશ ભાવનું કારણુ ન બને તેને સાધુવેશ અપ્રધાન સાધુવેશ છે. પ્રધાન સાધુવેશ ધરનારા અને અપ્રધાન સાધુવેશ ધરનારા એ બંને ભાવશૂન્ય હેાય છે. પશુ પ્રધાન સાધુવેશધારી સાધુવેશના પ્રતાપથી ભાવ પામે છે, અને દુ:ખાના અંત કરે છે. જ્યારે અપ્રધાન સાધુવેશધારી ભાવ પામતા નથી, એથી દુઃખાના નાશ કરી શકતા નથી. . Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭થી૪૯ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૨૦૭ : સંપૂર્ણ પણ વિરતિરૂપ ક્રિયા સમ્યક્ત્વાદિરૂપ પ્રશસ્ત ભાવ વિના ક્રિયા બનતી નથી. કેમકે તે ક્રિયા સ્વફલથી રહિત છે. આ વિષયમાં ગ્રેવેયકમાં ઉત્પત્તિરૂપ દષ્ટાંત છે, અર્થાત શૈવેયકમાં ઉત્પત્તિરૂપ દષ્ટાંતથી સ્વફલથી રહિત કિયા પરમાર્થથી ક્રિયા નથી એની સિદ્ધિ થાય છે. (૪૭) તે આ પ્રમાણે- ઓઘ આજ્ઞાથી (સમ્યગ્દર્શન વિના કેવળ આપ્તના ઉપદેશથી) એ ભૂતકાળમાં ચૈવેયક વિમાનમાં અનંતા શરીર મૂક્યા છે. કહ્યું છે કે - एगमेगस्स णं भंते ! मणूसस्स गेवेज्जगदेवत्ते केवइया કિંજયા ? ! તા= “હે ભગવંત એક એક મનુષ્યને વેયક દેવપણામાં ભૂતકાળમાં કેટલી દ્રવ્યું દિયે થઈ છે ? હે ગૌતમ! અતી થઈ છે” (પ્રજ્ઞાપના ઇંદ્રિયપદ સૂત્ર ૩૧) અસંપૂર્ણ સાધુક્રિયાથી ગ્રેવેયકમાં ઉત્પત્તિ ન થાય. (૪૮) રૈવેયકમાં અનતા શરીર મૂક્યા છે અને અસંપૂર્ણ સાધુ ક્રિયાથી શૈવેયકમાં ઉત્પત્તિ ન થાય એથી સિદ્ધ થાય છે કે, સંપૂર્ણ સાધુ કિયા અનંતવાર પ્રાપ્ત થઈ છે. સંપૂર્ણ ચાધુક્રિયા અનંતવાર પ્રાપ્ત થવા છતાં, અસ્કિયાના ફલરૂપ મોક્ષની વાત તે દૂર રહી, કિંતુ મોક્ષના કારણભૂત સમ્યકુત્વની પણ પ્રાપ્તિ ન થઈ. (ઘ) આજ્ઞાગમાં પણ જે Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૫૦ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હોય તો અનંતવાર સાધક્રિયાની પ્રાપ્તિ અને અનંતવાર શ્રેયકમાં ઉત્પત્તિ ન થાય. અનતવાર ગ્રેવેયકોમાં ઉત્પત્તિ થઈ ઈત્યાદિ કારણથી અતત્વમાં અભિનિવેશવાળી=પ્રશસ્ત ભાવરહિત સાધુક્રિયા વિદ્વાનોને અભિમત નથી. (૪૯) પ્રકરણને ઉપસંહાર :– इय णियबुद्धोइ इमं, आलोएऊण एत्थ जइयव्वं । अचंतभावसारं भवविरहत्थं महजणेणं ॥ ५० ॥ મહાજનોએ ઉક્ત રીતે ભાવશૂન્ય ક્રિયા તત્વથી ક્રિયા નથી એમ સ્વબુદ્ધિથી વિચારીને સંસારને નાશ કરવા, કરી ક્રિયામાં નહિ, કિંતુ અતિશય ભાવયુક્ત ક્રિયામાં, પ્રયત્ન કરો. કારણ કે ભાવયુક્ત ક્રિયા વિના સંસારને ક્ષય ન થાય. મહાજન એટલે વિશિષ્ટ લક. વિશિષ્ટ લોકો જ સંસારક્ષયની ઈચ્છાવાળા બને માટે અહીં “મહાજનેએ” એમ કહ્યું છે. (૫૦) S - Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આલોચના વિધિ પંચાશક શીલાગે કહ્યાં. શીલાંગોમાં કોઈ કારણથી અતિચારે લાગતાં તેની શુદ્ધિ માટે આલેચના કરવી જોઈએ. આથી હવે આલોચનાને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ, અભિધેય વગેરે કહે છે - नमिऊण तिलोगगुरुं वीरं सम्मं समासओ वोच्छं । आलोयणाविहाणं जतीण सुत्ताणुसारेणं ॥ १ ॥ ત્રણ લોકના અનુશાસક (=સત્ય ઉપદેશ આપનાર) શ્રી મહાવીર સ્વામીને વિધિપૂર્વક નમસ્કાર કરીને સાધુ સંબંધી આલેચનાવિધિને સંક્ષેપથી આગમાનુસાર કહીશ. આલેચનાવિધિ એટલે અતિચારે જણાવવાનું વિધિ. પ્રશ્ન- અહીં “સાધુ સંબંધી આલોચનાવિધિ” એમ કહ્યું તે શ્રાવકોને આલોચના ન હોય? ઉત્તરઃ- શ્રાવકોને પણ આલોચના હોય. (અહીં સાધુના આચારોનું પ્રકરણ હોવાથી સાધુ સંબંધી એમ કહ્યું છે.) શ્રાવકોને પણ આલોચના હેાય એ પહેલા પંચાશકમાં (નવમી ગાથામાં) જણાવી દીધું છે એટલે અહીં ફરી કહેતા નથી. (૧) Page #227 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૦ : ૧૫ આલેાચનાવિધિ-પચાશક ગાથા ૨-૩ આલેાચના શબ્દના અર્થ : आलोयणं अकिच्चे, अभिविहिणा दंसणंति लिंगेहिं । वइमादिएहि सम्मं, गुरुणो आलोयणा णेया ॥ २ ॥ વજ્ઞાતિ | આલેાચના એટલે પેાતાના દુષ્કૃત્યેનુ' વચન આદિથી ગુરુ (=મલેાચનાચા) પાસે વિશુદ્ધભાવથી સ પૂર્ણ પણે ( કંઇપણુ છુપાવ્યા વિના) પ્રકાશન. (૨) દુષ્કૃત્યાના સેવનથી બંધાયેલાં કર્મો ભાગવવાં જ પડે છે. આથી આલાચનાથી શે! લાભ થાય ? એ શંકાનું સમાધાન :आसेवितेऽविsकिच्चेऽणाभोगादीहि होति संवेगा | अणुतावो तत्तो खलु, एसा सफला मुणेयच्चा ॥ ३ ॥ અજ્ઞાનતા આદિથી દુષ્કૃત્યનુ સેવન કરવા છતાં આલેચનામાં સ`વેગથી તે બદલ પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપ દુષ્કૃત્યાથી ખધાયેલાં કર્મોના ક્ષયનુ` કારણુ છે. પશ્ચાત્તાપના કારણે આલેચના સાક છે. દુષ્કૃત્યનાં કારણા આ પ્રમાણે છે : सहसाऽणाभोगेण व, भीषण व पेल्लिएण व परेणं । વસમેળાયે વ, મૂઢેળ ય રાખવોàહૈિં। આ. નિ. ૮૦૦ “ સહસા, અજ્ઞાનતા, ભય, પરની પ્રેરણા, આપત્તિ, રાગ, માહ અને રાગ-દ્વેષથી દુષ્કૃત્યનુ સેવન થાય છે.” (૩) Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪થી૭ ૧૫ આલેાચનાવિધિ-૫'ચાશક : ૨૧૧ : પશ્ચાત્તાપથી આલોચનાની સફળતાનુ કારણુ :– जइ संकिलेसओ इह, बंधो वोदाणओ तहा विगमो । तं पुण इमीइ नियमा, विहिणा सह सुप्पउत्ताए || ४ || જેમ રાગાદિરૂપ ચિત્તમલિનતાથી દુષ્કૃત્યના સેવનમાં અશુભ કર્મોના અધ થાય છે, તેમ પશ્ચાત્તાપરૂપ ચિત્તવિશુદ્ધિથી દુષ્કૃત્યથી અંધાયેલાં અશુભ કર્મોના ક્ષય થાય છે. સદા હવે કહેવાશે તે વિધિથી ભાવપૂર્વક કરેલી આલેાચનાથી અવશ્ય ચિત્તવિશુદ્ધિ થાય છે. (૪) અવિધિથી આલેાચના કરવાથી વિશુદ્ધિ ન થાય ઃइरा विवञ्जवि हु कुवेज्जकिरियादिणायतो यो । अवि होज्ज तत्थ सिद्धी, आणाभंगा न उण एत्थ ||५|| तित्थगराणं आणा, सम्मं विहिणा उ होइ कायन्त्रा । तरुपऽण्णहा ૩ હળે, મોઢા તિરંજિòમોત્તિ // ક્॥ बंधो य संकिलेसा, ततो ण सोऽवेति तिब्वतरगाओ । ईसिमलिणं ण वत्थं, सुज्झर नीलीरसादीहिं ॥ ७ ॥ કુવૈદ્યે કરેલી રાગચિકિત્સા તથા અવિધિએ કરેલી વિદ્યા સાધના વગેરેની જેમ અવિધિથી આલેાચના કરવાથી વિશુદ્ધિ ન થવાથી નિષ્ફલતા કે અનથ થાય છે, કદાચ પુણ્યપ્રતાપથી કુવૈદ્યની ચિકિત્સામાં આાગ્યની પ્રાપ્તિરૂપ સિદ્ધિ થાય, અવિધિથી કરેલી આલેચનામાં ઈષ્ટસિદ્ધિ ન થાય. પશુ Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ ક ૧૫ આલેાચનાવિધિ-પ'ચાશક કેમકે અવિધિથી આલેાચના કરવામાં આજ્ઞાભ'ગ(=આપ્તા પદેશનુ અપાલન) છે, (૫) હવે કહેવાશે. તે વિધિપૂર્વક ભાવથી આલેાચના કરવી એવી તીર્થંકરાની આજ્ઞા છે. અજ્ઞાનતાથી તે જિનાજ્ઞાનું પાલન ન કરવાથી અત્યંત સંક્લેશ= ચિત્તની મલિનતા થાય છે. (૬) તે સફૂલેશથી અશુભમ ના અધ થાય છે. તથા દુષ્કૃત્યસેવનના કારણભૂત સક્લેશની અપેક્ષાએ અવિધિથી આલેાચનામાં સફ્લેશ તીવ્રતર હાય છે. અર્થાત્ જેટલા તીવ્ર સફ્લેશથી દુષ્કૃત્યસેવન થાય છે, તેના કરતાં અવિધિથી આલેાચના કરવામાં કરેલા આજ્ઞાભ'ગથી થયેલ સલેશ વધારે તીવ્ર હાય છે. એટલે આછા સક્લેશથી થયેલ ક્રમ ખંધ અધિક સફ્લેશથી દૂર ન થાય. જેમ અલ્પ મલિન વજ્ર અધિક મલિન કરનાર નીલીરસ(તેવું કાઈ મલિન દ્રવ્ય), લેાહી આદિથી શુદ્ધ ન થાય, તેમ ઓછા સક્લેશથી દુષ્કૃત્યસેવનથી થયેલ કમબંધના તેનાથી (=દુષ્કૃત્યના સેવનથી થયેલ કમ ખંધથી) અધિક ક્રમ ખ ધનુ' કારણુ બનનારા આજ્ઞાભંગથી થયેલા સક્લેશથી ક્ષય ન થાય. (૭) ગાથા ૮ આલાચના કરવાને વિધિ : एत्थं पुण एस विही, अरिहो अरिहंमि दलयति कमेणं । आसेवणादिणा खलु, सम्मं दव्वादिसुद्धीए ॥ ८ ॥ ચૈાગ્યે ચૈગ્ય ગુરુ પાસે આસેવનાદિના ક્રમથી જ આકુટ્રિકા વગેરે જેવા ભાવથી દુષ્કૃત્યનુ' સેવન કર્યું તે ભાવ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૩ : જણાવવા પૂર્વક પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં આલોચના કરવી જોઈએ. [ આ દ્વાર ગાથા છે. આમાં યોગ્ય, યોગ્ય ગુરુ પાસે, કમ, ભાવ પ્રકાશન, અને દ્રવ્યાદિ શુદ્ધિ એ પાંચ દ્વાર છે. એ પાંચ દ્વારનું ૧૨ મી ગાથાથી ક્રમશઃ વર્ણન કરશે. (૮) આલોચનાને કાળ :कालो पुण एतीए, पक्खादी वणितो जिणिदेहि । पायं विसिट्टगाए, पुव्यायरिया तथा चाहू ॥ ९ ॥ જિનેશ્વરોએ વિશેષ આલોચનાને કાળ પ્રાયઃ પક્ષ, ચાર માસ વગેરે કહ્યું છે. પૂર્વાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ તે જ પ્રમાણે કહ્યું છે. સામાન્ય આલેચના તે પ્રતિદિન (સવાર-સાંજ ) બે પ્રતિક્રમણમાં કરાય છે. આથી પક્ષ વગેરે કાળ વિશેષ આલેચનાને છે. કઈ વિશેષ અપરાધ થયેલ હોય તે ક્યારેક તે જ વખતે આલોચના કરે, માંદગીમાંથી તુરત ઊભો થયો હોય, લાંબા (=ઘણા દિવસે સુધી) વિહાર હેય વગેરે કારણે પક્ષ વગેરેમાં આલોચના ન કરે. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. (૯) Page #231 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૪ : ૧૫ આલેાચનાવિધિ-પચાશક ગાથા ૧૦-૧૧ શ્રી ભદ્રબાહુ સ્વામીનું વચન :*पक्खियचाउम्मासे, आलोयण णियमसो उ दायव्वा । गहणं अभिग्गहाण य, पृव्वग्गहिए णिवेएउं ॥ १० ॥ પૂનમ કે ચૌદશરૂપ પખ્ખી પમાં કે ચેામાસી પ માં આલેચના અવશ્ય કરવી જોઈએ. તથા પૂર્વે લીધેલા અભિગ્રહા ગુરુને જણાવીને (નવા) અભિગ્રહેા લેવા જોઇએ. પુખ્ખી-ચામાસી સિવાયના કાળમાં આલેાચના કરવી જ જોઇએ એવા નિયમ નથી. (૧૦) પુખ્ખી આદિમાં આલેાચના કરવાનું કારણ :जीयमिणं आणाओ, जयमाणस्सवि हु दोससन्भावा । पन्हुसणपमायाओ, जलकुंभमला दिणाएणं ॥ ૧ ॥ અતિચારા ન લાગ્યા હૈાય તે પણ એઘથી પખ્ખી વગેરેમાં આલેાચના કરવી એવી પૂત્ર મુનિએની આચરણા છે. પખ્ખી વગેરેમાં આલેાચના કરવી એવી જિનાજ્ઞા છે. જેમ પાણીના ઘડા દરરાજ ધાવા છતાં તેમાં (સૂક્ષ્મ) કચરા રહી જાય છે, ઘરને દરાજ સાફ કરવા છતાં ( સૂક્ષ્મ ) કચરા રહી જાય છે, તેમ સયમમાં ચતનાવાળાને પણ * આવશ્યક સૂત્રમાં કાયોત્સર્ગ અધ્યયનમાં આ ગાથા છે. પણ તે (૨૩૨) ભાષ્યગાથા છે. જ્યારે અહીં ટીકામાં શ્રી ભદ્રબાહુસ્વામીનું વચન છે એમ કહ્યું છે તે વિચારણીય છે. ભાષ્યની રચના શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરી નથી. અથવા તે ગાથા નિયુક્તિની હાય, પણ લેખકદોષ આદિના કારણે ભાષ્યગાથા તરીકે લખાઈ ગઈ હેાય. તથા તે ગાથામાં વિલય ના હન્માવે એ પાઠના સ્થાને શ્વારમાપ્તિચત્તેિ' એવા પાઠ છે, Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨-૧૩ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૫ : વિરમૃતિ અને પ્રમાદથી (સૂમ) અતિચારો લાગવાને સંભવ છે. કહ્યું છે કે – जह गेहं पतिदियहंपि सोहियं तहवि पक्ख संधीसु । सोहिज्जा सविसेसं, एवं इहयंपि णायव्वं ॥ જેવી રીતે ઘરને પ્રતિદિન સાફ કરવા છતાં પાક્ષિક (વગેરે) સમયે છિદ્રો વગેરેમાં વિશેષરૂપે સાફ કરવામાં આવે છે તેવી રીતે આલોચના વિષયમાં પણ જાણવું.” [ આ રીતે આચરણ, જિનાજ્ઞા અને દેષસંભવ એ ત્રણ કારણેથી પખી વગેરેમાં આલોચના કરવી જોઈએ. (૧૧) ગે” એ પહેલા દ્વારનું વિવરણ :संविग्गो उ अमाई, मइमं कप्पट्टिओ अणासंसी । વપિન્નો સો, કાળારૂ દુતાવી | ૨ || तविहिसमुस्सुमो खलु, अभिग्गहासेवणादिलिंगजुतो । आलोयणापयाणे, जोग्गो भणितो जिणिदेहि ॥ १३ ॥ જિનેશ્વરોએ સંવિન, અમાયાવી, વિદ્વાન, ક૯૫સ્થિત, અનાશંસી, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાલુ, આજ્ઞાવંત, દુષ્કૃતતાપી, આલોચનાવિધિ સમુત્સુક અને અભિગ્રહ-આસેવનાદિ લિંગયુક્ત સાધુને આલોચના કરવાને યોગ્ય કહ્યો છે. (૧) સંવિગ્ન એટલે સંસારભારુ. સંસારભીને જ દુષ્કર કાર્ય કરવાના ભાવ થાય છે. આલોચના દુષ્કર કાર્ય Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : ૧૫ આલેાચનાવિધિ-૫'ચાશક ગાથા ૧૨-૧૩ છે. કહ્યું છે કે-ઋષિ રાચા ૨૫૨૪ાં, ન ચ રુચિં વઢે =‘રાજા કદાચ રાજ્યના ત્યાગ કરે, પણ પેાતાનુ' દુરિત ન કહે.” (૨) અમાયાવી:- માયાવી જીવ દુષ્કૃત્યેા ખરાખર ન કહી શકે. (૩) વિદ્વાનઃ- અબુધ જીવ આલેચનાદિના સ્વરૂપને ખરાખર ન સમજી શકે, (૪) ૩૫સ્થિતઃ સ્થવિકલ્પ, જાત કલ્પ, સમાપ્ત કલ્પ વગે૨ે કલ્પમાં રહેલ. કલ્પરહિત સાધુને અતિચારની જુગુપ્સા જ ન થાય. ( આથી આલેાચના ન કરે.) - (૫) અનાશસી :— પેાતાના સ્વાર્થ માટે આચાય આદિને સાધી લેવાની આશ ંસાથી રહિત, અથવા સાંસાકિ ફૂલની આશ’સાથી રહિત. આશસાવાળા જીવની સંપૂર્ણ આલેાચના ન થાય. કારણ કે આશંસા જ અતિચાર રૂપ છે. ( ત્રીજી બધી આલેચના કરવા છતાં આશ`સાની આલેાચના કરવાની બાકી જ રહે છે, ) (૬) પ્રજ્ઞાપનીયઃ- સુખપૂર્વક સમજાવી શકાય તેવા. અપ્રજ્ઞાપનીય જીવ પેાતાનું માનેલું છે।ડે નહિ એથી દુષ્કૃત્યથી રકી શકાય નહિ. * વિરકલ્પના જાતકલ્પ અને સમાપ્ત કલ્પ એ બે પેટા ભેદે છે. જાતકપ અને સમાપ્તકલ્પની સમજૂતિ માટે ૧૧મા પચાશકની ૨૭-૨૮ ગાથાએ જુએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪-૧૫ ૧૫ આલેાચનાવિધિ-પચાશક : ૨૧૭ : (૭) શ્રદ્ધાલુઃ- ગુરુ વિશે શ્રદ્ધાવાળા જીવ ગુરુએ કહેલી શુદ્ધિની (=પ્રાયશ્ચિત્તની) શ્રદ્ધા કરે છે. (૮) આજ્ઞાવ‘તઃ- આપ્તના ઉપદેશ પ્રમાણે વનાર. આવે! જીવ પ્રાયઃ દુષ્કૃત્ય કરે જ નહિ. (૯) દુષ્કૃતતાપી:- અતિચારાનું સેવન થતાં પદ્મા ત્તાપ કરવાના સ્વભાવવાળા. દુષ્કૃતતાપી જીવજ આલેાચના કરવાને સમથ અને છે. (૧૦) આલેાચનાવિધિ સમુત્યુ- આલાચનાની વિધિની લાલસાવાળા, અર્થાત્ આલેાચનાની વિધિને અતિશય રાગી. આવા જીવ કાળજીથી આલેાચનામાં અવિધિને ત્યાગ કરે છે. (૧૧) અભિગ્રહ-આસેવનાદિ લિંગયુક્તઃ- આલે ચનાની ચાગ્યતાના સૂચક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નિયમા લેવા, બીજાને તે નિયમા લેવડાવવા, લેનારાઓની અનુમાદના કરવી વગેરે લક્ષણેાથી યુક્ત. (૧૨-૧૩) .. (6 ચેગ્ય ગુરુ પાસે ” એ ખીન્ન દ્વારનું વર્ણન :-~~ आयारवमोहारवववहारोवीलए पकुच्ची य । णिज्जव अवायदंसी, अपरिस्सावी य बोद्धव्व ॥ १४ ॥ तह पर हियम्मि जुत्तो, विसेसओ सुहुमभावकुसलमती । भावाणुमाणवं तह, जोग्गो आलोयणायरिओ ।। १५ ।। Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૮ : ૧૫ આલોચનાવિધિ-પંચાશક ગાથા ૧૪-૧૫ આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપત્રીક, પ્રકુવી, નિયપક, અપાયદશી, અપરિશ્રાવી, પરહિત, વિશેષ સૂક્ષમભાવ કુશલમતિ અને ભાવાનું માનવાન આલેચનાચાર્ય આલોચના આપવાને યોગ્ય છે. (૧) આચારવાનઃ- જેમાં જ્ઞાનાદિ પાંચ આચારનું જ્ઞાન અને પાલન હોય તે આચારવાન. આવા ગુરુ ગુણી હોવાથી તેમનું વચન શ્રદ્ધા કરવા યોગ્ય છે. (૨) અવધારવાનઃ- આલેચકે કહેલા અપરાધોની અવધારણ કરનાર, અર્થાત્ ધારી રાખનાર. આવા ગુરુ બધા અપરાધમાં બરાબર પ્રાયશ્ચિત્ત આપી શકે. (૩) વ્યવહારવાના- આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત એ પાંચ વ્યવહારમાંથી કોઈ એક વ્યવહારવાળા. આવા ગુરુ (બીજાની) શુદ્ધિ કરવામાં (પ્રાયશ્ચિત્ત આપવામાં) સમર્થ બને છે. [અવધારણા રહિત અને વ્યવહાર રહિત એ બંને બરાબર શુદ્ધિ ન કરાવી શકે. પણ બરાબર શુદ્ધ ન કરાવી શકવાનું કારણ બંનેમાં અલગ છે. અવધારણું રહિત હોય તે આલોચકે કહેલા જે અતિચારે યાદ ન રહે તેનું પ્રાયશ્ચિત્ત આપવાનું રહી જાય, અથવા જેવા સ્વરૂપે કહ્યું હોય તેવા સ્વરૂપે યાદ ન રહે એટલે જેટલું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તેટલું ન આપે–વધારે ઓછું આપે. વ્યવહાર રહિત હોય તે કોને કયા અપરાધમાં કેટલું પ્રાયશ્ચિત્ત આપવું તેનું જ્ઞાન ન હોય એટલે જેટલું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તેટલું ન આપી શકે. ] Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪-૧૫ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૯ : (૪) અપત્રીકા- લજજાથી અતિચારોને છુપાવતા શિષ્યને તેવા ઉપદેશથી લજજારહિત બનાવે. આવા ગુરુ આલેચકના અત્યંત ઉપકારી બને છે. (૫) પ્રકુવી - કહેલા અતિચારોની પ્રાયશ્ચિત્ત આપીને વિશુદ્ધિ કરાવનારા. કોઈ પૂર્વોક્ત આચારવાન વગેરે ગુણોવાળા હોય, પણ પ્રાયશ્ચિત્ત ન આપે એવા હોય. આથી અહીં પ્રકુટ્વિ=પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધિ કરાવનારા એમ કહ્યું. (૬) નિર્યાપક- સાધુનું પ્રાયશ્ચિત્ત પૂરું કરાવનારા. આવા ગુરુ તેવું કંઈક કરે જેથી સાધુ મોટું પણ પ્રાયશ્ચિત્ત કરવા સમર્થ બને. આથી જ આવા ગુરુ મહાન ઉપકારી છે. () અપાયદશી - આ લોક સંબંધી દક્ષિ, દુબ. લતા વગેરે અનર્થોને જેનારા, અથવા અતિચારવાળા (શલ્ય સહિત મરનારા) જીવોના પરલોક સંબંધી દુર્લભધિ વગેરે અનર્થો બતાવનારા. આથી જ આવા ગુરુ આલોચકના ઉપકારી છે. (૮) અપરિશ્રાવીઃ- આલોચકે કહેલા દુષ્કૃત્યે બીજાને નહિ કહેનારા. આલોચકના દુષ્કૃત્યો બીજાને કહેનારા આલેચકની લઘુતા કરે છે. (૯) પરહિતોરાત:- પરહિતમાં તત્પર. જે પરહિતમાં તત્પર ન હોય તે બીજાઓની અવજ્ઞા કરે છે. (૧૦) વિશેષ સમભાવ કુશલમતિ :- બીજા આચાર્યોની અપેક્ષાએ વિશેષથી લૌકિક શાસ્ત્રના સૂક્ષમ પદાર્થોને સૂક્ષમતાથી જાણનારા. આથી જ– Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૦ : ૧૫ આલેચનાવિધિ-૫'ચાશક ગાથા ૧૬-૧૭ (૧૧) ભાવાનુમાનવાન :- બીજાના ચિત્તમાં રહેલા ભાવાના તેની ચેષ્ટા વગેરેથી નિશ્ ય કરનારા. આવા ગુરુ બીજાના ભાવના અનુસાર પ્રાયશ્ચિત્ત આપવાને સમર્થ બને છે. ઉક્ત ગુણુસમૂહથી રહિત ગુરુ શુદ્ધિ કરવાને સમ મનતા નથી. (૧૪–૧૫) ‘ક્રમ’ એ ત્રીજા દ્વારનું વર્ણન :दुविहेणऽणुलोमेणं, आसेवणवियडणाभिहाणेणं । आसेवणाणुलोमं, जं जह आसेवियं वियडे ॥ १६ ॥ आलोयणाणुलोमं, गुरुगडवराहे उ पच्छओ विथडे । पणगादिणा कमेणं, जह जब पच्छित्तवुड्ढी उ ॥ १७ ॥ આસેવન અને આલેચના એ એ ક્રમથી આલેાચના કરે, જે ક્રમથી દાષાનું સેવન કર્યુ” હાય તે ક્રમથી દોષા કહે તે આસેવના ક્રમ, (૧૬) પહેલાં નાના અતિચારી કહીને પછી મેાટા અતિચારા કહે, એટલે કે પચક આદિ પ્રાય શ્ચિત્તના ક્રમથી જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય તેમ તેમ ઢાષા કહે તે આલેચના ક્રમ. જેમ કે-સૌથી નાના અતિચારમાં પ્‘ચક' પ્રાયશ્ચિત્ત આવે, તેનાથી માટા અતિચારમાં ‘ દશક ' પ્રાયશ્ચિત્ત આવે, તેનાથી માટા અતિચારમાં પ‘ચઢશક' પ્રાયશ્ચિત્ત આવે. આથી પહેલાં પચકપ્રાયશ્ચિત્તવાળા, પછી દશક પ્રાયશ્ચિત્તવાળા, અને પછી પોંચદશક પ્રાયશ્ચિત્તવાળા ઢાષા કહે. આમ પ્રાયશ્ચિત્તવૃદ્ધિના ક્રમથી દાષા કહે તે આલેાચના ક્રમ, " ' Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮થી૨૦ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૨૧ ? ગીતાર્થ આલોચનાક્રમથી આલેચના કરે. કારણ કે તે આલોચનાકમ જાણી શકે છે. અગીતાર્થ આસેવનાક્રમથી આલોચના કરે. કારણ કે તેને આલોચનાક્રમનું જ્ઞાન નથી, અને આસેવનાક્રમથી દોષોને બરાબર યાદ રાખી શકે (૧૭) ભાવ પ્રકાશન” એ ચોથા દ્વારનું વિવરણ :तह आउट्टियदप्पप्पमायओ कप्पओ व जयणाए । कज्जे वाऽजयणाए, जहट्टियं सव्वमालोए ॥ १८ ॥ આકુટ્ટિકાથી (ઈરાદાપૂર્વક), ૬૫થી (કૂદવું વગેરેથી), પ્રમાદથી ( મઘાદિ કે સ્મૃતિભ્રંશ), યથાશક્તિ સંયમની રક્ષારૂપ જયણાપૂર્વક કપથી (=વિશિષ્ટ આલંબનથી), કે જેનાથી સંભ્રમ થઈ જાય તેવા ઓચિંતી આગ લાગવી વગેરે પ્રસંગે સારાસારનો ( કૃત્યાકૃત્યને) વિભાગ કર્યા વિના અયતનાથી કર્યું હોય, આમ જે ભાવથી જે રીતે દેષસેવન કર્યું હોય તે બધું સાચા સ્વરૂપમાં ગુરુને કહે, અર્થાત્ કંઈ પણ છુપાવ્યા વિના જે દેષ જે રીતે સેવે તે રીતે કહે. (૧૮) વ્યાદિ શુદ્ધિ” એ પાંચમા દ્વારનું વિવરણ :दव्वादीसु सुहेसुं, देया आलोयणा जतो तेसु । होति सुहभाववुड्ढी, पाएण सुहा उ सुहहेऊ ॥ १९ ॥ दव्वे खीरदुमादी, जिणभवणादी य होइ खेत्तम्मि । पुण्णतिहिपभितिकाले, सुहोवओगादि भावे उ ॥ २० ॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૨ : ૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૨૧ सुहदव्वादिसमुदए, पायं जं होइ भावसुद्धित्ति । ता एयम्मि जएज्जा, एसा आणा जिणवराणं ॥ २१ ॥ પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં આલોચના કરવી જોઈએ. કારણ કે પ્રાયઃ શુભ પદાર્થો જ શુભતું કારણ બનતા હોવાથી પ્રશસ્ત દ્રવ્યાદિમાં આલેચના કરવાથી શુભભાવની વૃદ્ધિ થાય છે. કેઈકને શુભદ્રવ્યાદિ હોવા છતાં શુભભાવની વૃદ્ધિ ન થાય. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. (૧૯) દ્રવ્યમાં વડલે, ચંપક, અશોક વગેરે પ્રશસ્ત છે. કહ્યું છે કે- ગુજurinતકુ સ્વરમાતી, માઢg="દ્રવ્યમાં સુંદર વદિવાળા વડલા વગેરેની નીચે (પાસે) આલોચના કરે.” ક્ષેત્રમાં જિનાલય વગેરે પ્રશસ્ત છે. કહ્યું છે કેउच्छुवणे सालिवणे, चेइहरे चेव होइ खेत्तम्मि । गंभीरसाणुणाए, पयाहिणावत्त उदगे य ॥ “ક્ષેત્રમાં શેરડીનું ખેતર, ડાંગરનું ખેતર, જિનમંદિર અને જેમાં ઊંડું પાણી હેય, શબને પડઘો પડતે હોય, પાછું જમણ તરફથી ગોળ ફરતું હોય તેવા જળાશયને પ્રદેશ શુભ છે.” કાળમાં પૂનમ વગેરે શુભ તિથિના દિવસે શુભ છે. શુભ તિથિએ આ છે – Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૨-૨૩ ૧૫ આલેચનાવિધિ—પંચાશક : ૨૨૩ : पडिकूलेऽवि य दिवसे, वज्जेजा अट्टमिं च नवमिं च । छठिं च चउत्थिं बारसिं च दोण्हपि पक्खाणं ॥ આલોચનામાં (વેગ વગેરેથી) પ્રતિકૂલ દિવસે અને બંને પક્ષની આઠમ, નોમ, છઠ, ચોથ અને બારસ એ પાંચ તિથિઓને ત્યાગ કર.” (અર્થપત્તિથી તે સિવાયની શુભયોગાદિવાળી તિથિઓ શુભ છે.) ભાવમાં શુભ અધ્યવસાય અને નિમિત્ત શાસ્ત્રમાં કહેલા શુભ ભાવે શુભ છે. (૨૦) શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાનો યોગ થતાં પ્રાયા ભાવની શુદ્ધિ થાય છે, માટે શુભ દ્રવ્યાદિને અનુસરવાને પ્રયત્ન કરે એવી જિનેશ્વરની આજ્ઞા છે. (૨૧) આલોચનીય દેને નિર્દેશ :आलोएयव्या पुण, अइयारा सुहुमबायरा सम्मं । નાગાથારાવિયા, પંધિલ્લો ૫ વિomો | ૨૨ છે. - જ્ઞાનાદિ આચાર સંબંધી નાના-મોટા અતિચારોની આલેચના કરવી જોઈએ. તે આચારના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એમ પાંચ ભેદ છે. (૨૨) જ્ઞાનાચારના ભેદ – काले विणए बहुमाणे उवहाणे तहा अणिण्हवणे । वंजणअस्थतदुभए, अट्टविहो णाणमायारो ॥ २३ ॥ Jäin Education International Page #241 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ : ૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૨૩ જ્ઞાનાચારના કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહવ, વ્યંજન, અર્થ અને તદુભાય એ આઠ પ્રકાર છે. (૧) કાલ -સ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય કરો. એ કાલ સંબંધી જ્ઞાનાચાર છે. અકાળે ભણવાથી ઉપદ્ર થાય. (૨) વિનય જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં પુસ્તકાદિ સાધનોને ઉપચાર રૂપ વિનય કરે. (૩) બહુમાન - જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધન પ્રત્યે આંતરિક પ્રેમ. (૪) ઉપધાન તપ પૂર્વક અધ્યયન, ઉદ્દેશા વગેરેનો અભ્યાસ કરે. (૫) અનિલંવ :-શ્રુતને કે શ્રુતદાતા ગુરુને અલાપ ન કર. [ અમુક શ્રુતનું જ્ઞાન હોવા છતાં (ઈષદના કારણે) હું નથી જાણતો એમ કહેવું તે શ્રતને અપલા૫ છે. શ્રતદાતાને ગુરુ તરીકે ન માનવા-ન કહેવા તે ગુરુનો અપલાપ છે.) (૬) વ્યંજના - સૂત્રો અને અક્ષરે જેવા સવરૂપે હોય તેવા સ્વરૂપે લખવા-બાલવા, અર્થાત્ હું લખવું–બોલવું નહિ. (૭) અર્થ- જે સૂત્રાદિને જે અર્થ હોય તે સૂવાદિનો તે અર્થ કરે–ાટે અર્થ ન કરો. * તત્વાર્થ અ. ૬ સ. ૧૧ શ્રી હરિભદ્રસુરિટીકા. Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૨૫ ઃ (૮) તમય - સૂત્ર અને અર્થ એ બંને ખોટાં લખવાં કે બોલવાં નહિ. આ આચારોના પાલનથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે, અન્યથા વિરાધના થાય તથા આલોક સંબંધી અનર્થો થાય છે, જ્ઞાનાચાર એટલે જ્ઞાનની આરાધના કરનારાઓને જ્ઞાન સંબંધી વ્યવહાર. (૨૩). દર્શનાચારના ભેદ :णिसंकिय-णिकंखिय-णिबितिगिच्छा अमूढदिट्टी य । उबवूहथिरीकरणे, वच्छल्लपमावणे अट्ठ ॥ २४ ॥ દર્શનાચારના નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકાર છે. (૧) નિઃશકિત - જિનવચનમાં શંકા ન કરવી. (૨) નિકાંક્ષિત - અન્ય દર્શનની ઈચ્છા ન કરવી, (૩) નિર્વિચિકિત્સા:- (ધર્મના) ફલની શંકા ન કરવી. (૪) અમૂઢદષ્ટિ:- કુતીર્થિકોની ઋદ્ધિ (-ચમકારાદિથી વૃદ્ધિ) જેવા છતાં મુંઝાવું નહિ. (૫) ઉપબૃહણ - ધર્મોના ગુણેની પ્રશંસા કરવી. (૬) સ્થિરીકરણ - ધર્મમાં પ્રમાદ કરનારાઓને ધર્મ માં જોડવા. Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૬ : ૧૫ આલેચનાવિધિ-પચાશક ગાથા ૨૫ (૭) વાત્સલ્ય :- સાધર્મિકનું બહુમાનપૂર્વક કાર્યોં કરવું. (૮) પ્રભાવના :- શ્રુતજ્ઞાન આદિથી શાસનપ્રભાવના કરવી દન (-જિનવચનની શ્રદ્ધા) હોય ત્યારે થતે દશ ન સ'ખ'ધી વ્યવહાર તે દશનાચાર છે. (૨૪) ચારિત્રાચારના ભેદે ઃ पणिहाणजोगजुत्तो, पंचहि समितिहिं तीहिं गुत्तीहि । एस चरित्तायारो, अडविहो होइ णायव्वो ॥ २५ ॥ પ્રણિધાન એટલે મનની શુભ એકાગ્રતા. યાગ એટલે વ્યાપાર. મનની શુભ એકાગ્રતારૂપ વ્યાપાર કે મનની એકાગ્રતાની પ્રધાનતાવાળા વ્યાપાર તે પ્રણિધાન યાગ. અથવા ×ચેાગ એટલે મનના નિરાધ‚ પ્રણિધાન અને મને નિરાધથી યુક્ત તે પ્રણિધાનયેાગયુક્ત, જે જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં પ્રણિધાન +અને યાગથી યુક્ત છે તે જીવ આઠ પ્રકારના ચારિત્રાચાર છે. * દર્શનાચારના આઠ ભેદેનું વિસ્તૃત વર્ણન નવમાં યાત્રાપ ચાશકની બીજી ગાથામાં છે. × યાગનરાધ અવસ્થામાં શુભ મનની એકાગ્રતા ન હેાય, પણુ સમિતિ-ગુપ્તિ રૂપ ચારિત્રાચાર હોય છે. આથી અહીં યાગશબ્દને ખીજો અર્થ કર્યો છે. ત્યાં મનાનિરોધ રૂપ યાગ હાય છે. + અહીં ‘ અને ’શબ્દ કે' અર્થમાં છે. કારણ કે શુભમનની એકાગ્રતા અને મને નિરાધ અને સાથે કદી ન હેાય. Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬ ૧૫ આલેચનાવિધિ-૫'ચાશક અથવા પનિદાળનોયનુત્તો એ પદમાં શબ્દના સમિતિ-ગુપ્તિ સાથે અન્વય કરવાથી અ થાય— પ્રશિયાન અને યાગથી યુક્ત તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તથી યુક્ત જીવ આઠ પ્રકારના ચારિત્રાચાર છે. : ૨૨૭ : અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ચારિત્રાચાર હેાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત જીવને ચારિત્રાચાર કહેલ છે. રહેલા યુક્ત નીચે પ્રમાણે આ ગાથાની ઉક્ત વ્યાપ્યા વૃદ્ધ (-પ્રાચીન) પુરુષાએ કહી છે. ખીજાએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ પ્રણિધાન અને યાગથી યુક્ત તથા સમિતિ આદિથી આળખાતા આવા આચાર ચારિત્રાચાર છે. (આ વ્યાખ્યામાં વષૅ.' પદથી જીવ નહિં, કિંતુ આચારનું ગ્રહણ કર્યુ' છે. ) ચારિત્ર હાય ત્યારે થતા ચારિત્રસબંધી વ્યવહાર તે ચારિત્રાચાર. (૨૫) તપાચારના ભેદો :बारसविहंमिवि तवे, सब्मिंतरवाहिरे कुसलदिडे | अगिलाइ अणाजीवी, णायन्चो सो तवायारो ॥ २६ ॥ ॥ ॥ જે જીવ સર્વજ્ઞપ્રરૂપિત છ પ્રકારના અભ્ય'તર અને છ પ્રકારના ખાદ્ય એમ ખાર પ્રકારના તપમાં ખેદ× રહિત x अग्लान्या=न राजवेष्टिकल्पेन, यथाशक्त्या वा । ૬. વૈતિ. ગા. ૧૮૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૮ : ૧૫ આલેાચનાવિધિ-પ્’ચાશક ગાથા ૨૭ નિઃસ્પૃહપણે પ્રવૃત્તિ કરે છે તે જીવ ખાર પ્રકારના તપાચાર છે. અહીં જીવથી કરાતા તપ તપાચાર હૈાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી જીવને તપ કહ્યો છે, તપ સબધી વ્યવહાર તે તપાચાર, ક્રાણુરૂપ અભ્યંતર શરીરને જ તપાવવાથી અને સમ્યગ્દષ્ટિથી તપરૂપે એળખાતા પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારને તપ અભ્યંતર છે. બાહ્ય શરીરને પણ તપાવવાથી અને મિથ્યાદષ્ટિએથી પણ તપ રૂપે એળખાતા હેાવાથી અનશનાર્દિ છ પ્રકારના તપ બાહ્ય છે. (૨૬) વીર્યાચારના ભેદો : अणिगूहियबल विरिओ, परक्कमइ जो जह्नुत्तमाउत्तो । जुंजइ य जहत्थामं, યસ્ત્રો વીરિયો ॥ ૨૭ || જે જીવ ખલ અને વીય ને છુપાવ્યા વિના ઉપચાગ પૂર્ણાંક આગમ પ્રમાણે ધક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, અને ખલ પ્રમાણે, એટલે કે શક્તિનુ ઉલ્લ્લંઘન કર્યો વિના, આત્માને ધમક્રિયામાં જોડે છે તે જીવ વીર્યાચાર છે. અહીં જીવની પ્રવૃત્તિ વીર્યાચાર હેાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી જીવને જ વીર્યાચાર કહ્યો છે. + દુન્યવી આશંસાથી તપ કરનાર તપના આવી (=ર્દુન્યવી સ્વાર્થ માટે તપને ઉપયોગ કરનાર) છે. અને નિ:સ્પૃહપણે તપ કર્નાર તપને અનાવી છે. આથી અનાવી શબ્દના ભાવાર્થ નિઃસ્પૃહ એવા છે. ૬. વૈ. નિ. ગા. ૧૮૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૮ ૧૫ આલેાચનાવિધિ-પચાશક [ કોઈ પણ ધર્મ પ્રવૃત્તિ યથાશક્તિ કરવાની છે. યથા શક્તિના શક્તિને ગેાપવવી નહિ અને અતિ ખેંચીને શક્તિનું ઉલ્લંઘન ન કરવું એમ બે અર્થ છે. આ ગાથામાં એ બંનેનું સૂચન કર્યુ” છે. “ ાનિવૃવિિિો ” એ પદથી શક્તિને છુપાવવાના અને “ સસ્થામં 1 એ પદથી શક્તિનું ઉલ્લઘન કરવાના નિષેધ કરી છે. ] ૨૨૯ : વૃદ્ધપુરુષા પરમ અને સુંદ્ગદ્ એ એ પટ્ટાના ઉક્ત અથથી ભિન્ન અથ કરીને આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ- જ્ઞાનાદિ આચાર શીખતી વખતે અલ અને વીય ને - ગેાપવ્યા વિના પ્રવૃત્તિ કરે, અર્થાત્ ખલ અને વીય ને ગેાપળ્યા વિના જ્ઞાનાાદ આચારને શીખે, પછી ( સુંન = ) યથાશક્તિ જ્ઞાનાદિ આચારાને આચરે. ખલ એટલે શરીરશક્તિ. વીય એટલે ચિત્તના ઉત્સાહ. * ( ૨૭) પાંચ આચારા કહ્યા. હવે પ્રસ્તુતમાં તેની યોજના કરે છે:एयम्मि उ अइयारा, अकालपढणाइया णिरवसेसा । अपुण करणुञ्जरणं, संवेगाऽऽलोइयव्वति ॥ २८ ॥ થેપાડજોયત્તિ ઉક્ત પાંચ આચારામાં અકાળે વાચના, વાચનાદાતાના વિનય ન કરવા વગેરે સૂક્ષ્મ અને બાદર (નાના અને માટા) જે કાઇ અતિચારા લાગ્યા હાય તે બધાની આ ઢાષાને ફી નિહું કરું એવા પરિણામવાળા બનીને” સંવેગથી=મવભયપૂર્વક આલેાચના કરવી. (૨૮) * જ્ઞાનાદિ પાંચ આચારાના વિસ્તૃત બેધ માટે જુએ ૬. વૈ. નિ. ગા. ૧૮૨ થી ૧૮૭ની ટીકા Page #247 -------------------------------------------------------------------------- ________________ : २३० : १५ माढायनाविधि-पाश ॥२॥ २८ थी ३४ બીજી રીતે અતિચારેને નિર્દેશઃअहवा मूलगुणाणं, एते एव तह उत्तरगुणाणं । एएसिमह सरूवं, पत्तेयं संपवक्खामि ॥ २९ ॥ અથવા મહાવ્રત વગેરે મૂલગુણના અને પિડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણના અતિચારોની ઉક્ત રીતે આલેચના કરવી. હવે મૂલગુણ અને ઉત્તરગુણ એ બંનેના અતિચારોનું २१३५ मत मस ४डीश. (२८) મૂલગુણ-ઉત્તરગુણનું અને તેમના અતિચારાનું સ્વરૂપ :पाणातिपातविरमणमादी णिसिभत्तविरहपज्जंता । समणाणं मूलगुणा, तिविहं तिविहेण णायव्वा ॥ ३० ॥ पिंडविसुद्धादीया, अभिग्गहता य उत्तरगुणत्ति । एतेसि अइयारा, एगिदियघट्टणादीया ॥ ३१ ॥ पुढवादिघट्टणादी, पयलादी तुच्छऽदत्तगहणादी । गुत्तिविराहणकप्पट्टममत्तदियगहियभुत्तादी ॥ ३२ ॥ भोगो अणेसणीएऽसमियत्तं भावणाणऽभावणया । जहसत्तिं चाकरणं, पडिमाण अभिग्गहाणं च ॥ ३३ ॥ एते इत्थऽइयारा, असद्दहणादी य गरुयभावाणं । आभोगाणाभोगादिसेविया तह य ओहेणं ॥ ३४ ॥ સાધુઓના પ્રાણાતિપાત વિરમણથી રાત્રિભોજન વિરમણ સુધીનાં વ્રતે મૂલગુણ છે. સાધુના એ મૂલગુણને સ્વીકાર Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા૩૦-૩૧ ૧૫ આલેચનાવિધિ-પ'ચાશક : ૨૩૧ : ત્રિવિધ–વિવિધે=કરવા, કરાવવા અને અનુમાદવા રૂપે મનવચન-કાયાથી પ્રાણાતિપાત આદિત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞાથી થાય છે. (૩૦) પિડવિશુદ્ધિથી અભિગ્રહ સુધીના ગ્રુષ્ણેા ઉત્તરગુણા છે. (નિશીથનિયુઍંક્તિમાં) કહ્યુ છે કે— पिंडस्स जा विसोही, समिईओ भाषणा तवो दुविहो । ક્રિમા સમિમહાવિ ચ, સત્તત્તુળમો થયાળાદિ મહા ખેતાલીસ પિડવિશુદ્ધિ, ખાડ સમિતિ, પચીસ વ્રત ભાવના, માહ્ય-અભ્યતર એ એ પ્રકારના તપના છ છ ભેટા, ખાર પ્રતિમા, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચાર અભિગ્રહ (કુલ ૧૦૩) ઉત્તર ગુણ્ણા છે.× (૬૫૩૪) મૂલગુણ=ધ રૂપ કલ્પવૃક્ષના મૂળ સમાન. ઉત્તરગુણ=ચારિત્ર રૂપ કલ્પવૃક્ષના શાખાદિસમાન, પ્રાણાતિપાત વિરમણુ આદિના એકેદ્રિયસ ઘટ્ટન વગેરે અતિચાર છે. (૩૧) ધ્રૂo || ♦ અહીં ત્રણ ગુપ્તિના સમિતિમાં સમાવેશ કરીને આઠ સમિતિ કહી છે. × આધુનિયુક્તિ વગેરે ગ્રંથામાં નીચે મુજબ ઉત્તરગુણા જણાવ્યા છે— ૧૨ ૫ पिंडविसोही समिई, भावेण पडिमा य इंदियनिरोहो | ત્રિજૈન પુસ્તીનો, મિના ચૈત્ર પંતુ । ભા, ગા. ૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૨ : ૧૫ આલોચનાવિધિ-પંચાશક ગાથા ૩૨ પૃથ્વી–અપ–તેલ-વાયુ - વનસ્પતિ– બેઈદ્રિય- તેઈદ્રિયચઉરિંદ્રિય-પંચેંદ્રિય જી સંબંધી સંઘટ્ટન, પરિતાપ અને વિનાશ એ પહેલા મૂલગુણના અતિચારો છે. નિદ્રાસંબંધી મૃષાવાદ વગેરે બીજા વ્રતના અતિચારે છે. જેમ કે બેઠા બેઠા (કે ઊભા ઊભા) ઉંઘતા સાધુને કોઈ પૂછે કે તમે ઉંઘે છે? તે નથી ઉંઘતે એમ જે કહે તેને મૃષાવાદને અતિચાર લાગે. તેવી રીતે વર્ષાદ વરસતે હોય ત્યારે વર્ષાદ આવે છે? એમ કઈ પૂછે તે (પૂરી તપાસ કર્યા વિના કે બીજા કોઈ હેતુથી) વર્ષાદ નથી આવતે એમ જે કહે તેને મૃષાવાદને અતિચાર લાગે. આ અતિચારો સુક્ષ્મ છે. આ જ અતિચાર અભિનિવેશથી સેવે તે બાદર (=મોટા) છે. બીજાએ નહિ આપેલી તુચ્છ=અસાર વસ્તુ લેવી વગેરે ત્રીજા વ્રતના અતિચારો છે. નહિ આપેલ તૃણ, પથ્થરના નાના ટુકડા, રાખ, નાળિયેરની કાચલી (કે માટીની કુંડી) વગેરે લેવું તે સૂકમ અતિચાર છે. સાધર્મિક (–સાધુ) આદિના શિષ્ય આદિ સારભૂત દ્રવ્યનું (રજા વિના) ગ્રહણ કરવું તે બાદર અતિચાર છે. ગુદ્ધિવિરાધના વગેરે ચોથા વ્રતના અતિચારે છે. સ્ત્રી આદિથી સંસક્ત વસતિમાં રહેવું વગેરે સૂક્ષમ અતિચાર છે. સંકુલેશથી હસ્તકર્મ કરવું વગેરે બાદર અતિચાર છે. કહપસ્થ એટલે બાળક. બાળક વગેરેમાં મમત્વ વગેરે પાંચમા વ્રતના અતિચારો છે. શય્યાતર વગેરેના બાળક Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૨-૩૩ ૧૫ આલેાચનાવિધિ-પચાશક : ૨૩૩ : ઉપર શય્યાતર આદિના સબધથી મમત્વ ભાવ રાખવા, શય્યાત્તર આદિની વસ્તુઓનુ' કાગડો, થાન, ગાય આદિથી રક્ષણ કરવુ એ સૂક્ષ્મ અતિચાર છે. સુવણુ આદિ (કિંમતી ઝવેરાત), બહુ ધન, વજ્ર વગેરે રાખવું તે ખાદર અતિચાર છે. દિવસે લાવેલુ અશનાદિ દિવસે વાપરવું, દિવસે લાવેલુ અશનાદિ રાતે વાપરવું, રાતે લાવેલુ અશનાર્દિ દિવસે વાપરવું, રાતે લાવેલુ' અશનાદિ રાતે વાપરવું એ છઠ્ઠા વ્રતના અતિચારા છે. (૩૨) અકલ્પ્ય અશનાદિનું ભાજન કરવું, એષણા સિવાય ચારł સમિતિમાં પ્રયત્નના કાળજીને અભાવ, મહાવ્રતાનું રક્ષણ કરનારી પચીશ ભાવનાએ અથવા ખાર અનુપ્રેક્ષા ન ભાવવી, યથાશક્તિ માસિકી આÊિ ભિક્ષુપ્રતિમા, કૂબ્યાદિ અભિગ્રહે અને વિવિધ તપતુ' સેવન ન કરવું તે અનુક્રમે પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, અભિગ્રહ અને તપ રૂપ ઉત્તરગુણુના અતિચારા છે. (૩૩) * આગલા દિવસે લાવીને ખીજા દિવસે વાપરવું. + અહીં ગુપ્તિના અતિચારાના અલગ નિર્દેશ નથી, તથા ઉત્તર ગુણાનું પ્રતિપાદન કરનારી જે સાક્ષિગાથા રીકામાં છે તેમાં ત્રણ ગુપ્તિના સમિતિમાં સમાવેશ કરીને સમિતિના આઠે ભેદ વિક્ષિત છે. આથી અહીં ચાર સમિતિના ઉપલક્ષણથી ત્રણ ગુપ્તિ પણ સમજી લેવી. Page #251 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૪ : ૧૫ આચનાવિધિ-પંચાશક ગાથા ૩૫ આ (અનંતરોક્ત) અતિચારો મૂલગુણ - ઉત્તરગુણ સંબંધી છે. તદુપરાંત જીવાદિ પદાર્થોની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે પણ અતિચારો છે. આ અતિચારો અનંતરોક્ત પૃથ્વી સંઘટ્ટન આદિ અતિચારની અપેક્ષાએ મોટા છે. કારણ કે આ અતિચારો સુધર્મરૂપ મહાવૃક્ષના મૂળસમાન સમ્યકૂવને દૂષિત કરે છે. ઉક્ત બધા અતિચારો આગ, અનાભાગ, સહસાકાર, ભય, રાગ-દ્વેષ વગેરેથી થાય છે. આગ આ અકર્તવ્ય છે એવું જ્ઞાન. અનાગ=આ અકર્તવ્ય છે એવા જ્ઞાનનો અભાવ. (ત મનઃ ) આમ અનેક અતિચારો અનેક રીતે થતા હોવાથી સંપૂર્ણ પણે આલોચના કરવી જોઈએ. (૩૪) આલોચના કેવી રીતે કરવી તે જણાવે છે:संवेगपरं चित्तं, काऊण तेहि तेहि सुत्तेहि । सल्लाणुद्धरणविवागदंसगादीहि आलोए ॥ ३५ ॥ આલેચકે શયને ઉદ્ધાર ન કરવામાં થતા વિપાકોને =દુષ્ટ પરિણાને દર્શાવનારાં અને શલ્યને ઉદ્ધાર કરવામાં થતા લાભને દર્શાવનાર તે તે પ્રવચનપ્રસિદ્ધ સૂત્રોથી ચિત્તને સંવેગપ્રધાન (=સવભયપ્રધાન અથવા મોક્ષ તરફ સંવેગવાળું દોડનારું) બનાવીને આલોચના કરવી જોઈએ. અથવા આ ગાથાને અર્થ આ પ્રમાણે છે : Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૬થી ૩૮ ૧૫ આલેચનાવિધિ—પંચાશક ૨૩૫ : ગુરુ શલ્યનો ઉદ્ધાર ન કરવામાં થતા દુષ્ટ પરિણામે દર્શાવનાર અને શલ્યને ઉદ્ધાર કરવામાં થતા લાભને દર્શાવનારાં તે તે પ્રવચનપ્રસિદ્ધ સૂત્રથી શિષ્યના ચિત્તને સંવેગપ્રધાન બનાવીને તેની પાસે આલોચના કરાવે. (૩૫) શલ્યનું લક્ષણ :सम्म दुचरितस्सा, परसक्खिगमप्पगासणं जं तु । एयमिह भावसल्लं, पण्णत्तं वीयरागेहिं ॥ ३६ ॥ ગીતાર્થ પાસે દુષ્કતનું ભાવથી પ્રકાશન ન કરવું એ ભાવશલ્ય છે એમ જિનાએ કહ્યું છે. (૩૬) શદ્ધાર ન કરવાથી થતા વિપાકે :णवि तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणति वेतालो। जंतं व दुप्पउत्तं, सप्पो व पमादिओ कुद्धो ॥ ३७ ॥ जं कुणइ भावसल्लं, अणुद्वितं उत्तिमढकालम्मि । તુવીરં, શidiાવિત્ત ૨ | ૨૦ | વિષ, દુકસાધિત (- અવિધિથી સાધેલ) રાક્ષસ, દુપ્રયુક્ત (-અવિધિથી ઉપયોગ કરેલ) શતક્ની વગેરે યંત્ર, છંછેડવાથી ગુસ્સે થયેલે સર્પ જે નુકશાન ન કરે તે નુકશાન પંડિતમરણ સમયે નહિ કરેલે ભાવશયને ઉદ્ધાર કરે છે. પંડિતમરણ (અનશન) સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવાથી ધિ(-જિનધર્મ પ્રાપ્તિ) દુર્લભ બને છે, અને અનંત સંસાર થાય છે.* * ઓઘ નિ ૮૦૫-૮૦૫, સંધ પ્રઢ આલોચના. ૨૯-૩૦ શ્રાદ્ધ ઝ૦ ૩૬-૩૭. Page #253 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૨ : ૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૩૯ સમ્યક્ત્વ સહિત ચારિત્રથી ભ્રષ્ટ અનેલે જીવ ઉત્કૃષ્ટથી ( દેશેાન ) અધ પુદ્ગલપરાવત જેટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાવશલ્યના ઉદ્ધાર કરવામાં થતા લાભેને દર્શાવનારાં સૂત્રેા આ પ્રમાણે છે : आलोयणापरिणओ, सम्मं काऊण सुविहिओ कालं । ક્રોસ તિળિ મલૈ, ચંદન હમેક્સ નિરાળું || આનિ ૮૦૯ “ આલેચનાના પરિણામવાળા સાધુ સમાધિમરણુ પામીને ફરી ઉત્કૃષ્ટ=ખત્યંત સારી આરાધના કરીને ત્રણ ભવા કરીને મેક્ષ પામે છે. ” ( એક સમાધિમરણવાળા ભવ, બીજો દેવભવ, ત્રીજો અત્યંત સારી આરાધનાવાળા ભવ) આવાં બીજાં પશુ સૂત્રેા છે. (૩૭–૩૮ ) અવિધિથી શુદ્ધિ કરવા છતાં શલ્ય દૂર ન થાય ઃ— आलोयणं अदाउ, सति अण्णम्मिवि तहऽप्पणो दाउ | जेवि ह करेंति सोहि तेऽवि ससल्ला विणिदिट्ठा ॥ ३९ ॥ हु જે આલેાચના કર્યા વિના સ્વકલ્પનાથી શુદ્ધિ કરે છે તેમને, તથા જે ખીજા ગીતાથ હાવા છતાં લાદિના કારણે ગીતાથ પાસે આલેાચના ન કરતાં જાતે જ આલેાચના કરીને પ્રાયશ્ચિત્તના સ્વીકાર આદિથી શુદ્ધિ કરે છે તેમને પણુ જિનાએ ભાવશલ્ય સહિત કહ્યા છે. આનાથી એ જણાવ્યું કે ખીજા હોય તેા બીજા પાસેજ આલેાચના લેનાર શુદ્ધ થાય છે. કહ્યું છે કે . Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૦ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૩૭ ? छत्तीसगुणसमन्नागएण तेणवि अवस्स कायव्वा । परसक्खिया विसोही सुटुवि ववहारकुसलेणं ॥ જે છત્રીસ ગુણેથી યુક્ત હોય, અને સારી રીતે વ્યવહારકુશળ હોય તેણે પણ અવશ્ય પસાક્ષીએ વિશુદ્ધિ કરવી જોઈએ.” જે અન્ય ન હોય તો જાતે આલેચના કરે તે પણ શુદ્ધ થાય છે, પણ તેણે સિદ્ધોની સાક્ષી કરીને આલેચના કરવી જોઈએ. (ઓઘનિ, ગાથા ૭૧ માં) કહ્યું છે કેસિદ્ધારાના ચ= બીજાનો યોગ ન થાય તો છેવટે સિદ્ધોની સાક્ષીએ આલોચના કરે. તથા આ ગાથાથી એ પણ જણાવ્યું છે કે ગીતાથ મળશે ત્યારે તેમને જણાવીશ એવા ભાવથી જાતે જ પ્રાયશ્ચિત્ત લઈને પ્રાયશ્ચિત્તને પૂર્ણ કરનાર ગીતાર્થ શુદ્ધ થાય છે. (૩૯) જાતે શલ્ય ઉદ્ધરનાર શલ્યસહિત છે એ વિષય દષ્ટાંતથી જણાવે છે – किरियण्णुणावि सम्मपि रोहिओ वणो ससल्लो उ । होइ अपत्थो एवं, अवराहवणोऽवि विण्णेओ ॥ ४० ॥ જેમ ઘણુચિકિત્સાને સંપૂર્ણપણે જાણનાર પણ જે શરીરમાં થયેલા ખરાબ પરૂ આદિરૂપ શલ્યવાળા ત્રણને વધવા દે-જુનું થવા દે અર્થાત્ દૂર ન કરે તે તે ત્રણ પરિણામે મરણનું કારણ હોવાથી તેના માટે અહિતકર જ છે. નિશીથ ભાવ ૩૮૬૨, ઓઘ નિ ૭૯૫, શ્રાદ્ધ જીત્ર ૧૬. Page #255 -------------------------------------------------------------------------- ________________ = ૨૩૮ ૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૪૧ બને છે તેમ, જેણે ભાવશલ્ય અન્યને જણાવ્યું નથી તેના માટે ચારિત્રરૂપ શરીરમાં રહેલા અતિચાર રૂપ ત્રણ પણ અનંત મરણાદિનું કારણ હોવાથી અહિતકર જ બને છે. કારણ કે પરમાર્થથી તેને ઉદ્ધાર થયો નથી. બીજાને જણવવું એ જ શલ્યોદ્વાર છે. (૪૦) ગીતાર્થ દુર્લભ હેય તે શું કરવું તે જણાવે છે - सल्लुद्धरणनिमित्तं, गीयस्सऽन्नेसणी उ उकोसा । जोयणसयाइ सत्त उ, बारस वरिसाइ कायया ॥ ४१ ॥ આચના માટે ગીતાર્થ ગુરુની ઉત્કૃષ્ટથી (ક્ષેત્રથી) સાત યોજન સુધી અને (કાળથી) બાર વર્ષ સુધી તપાસ કરવી જોઈએ. અહીં આલોચનાચાર્યના ગુણેથી યુક્ત ગીતાર્થની શોધ કરવી એમ ન કહેતાં ગીતાર્થની શોધ કરવી એમ જે કહ્યું તેનાથી એ જણાવ્યું કે-સઘળા ગુણેથી યુક્ત આલોચનાચાર્ય ન મળે તે જે કેવળ સંવિગ્ન ગીતાર્થ હોય તે પણ આલોચનાચાર્યું છે. કારણ કે સંભળાય છે કે- અપવાદથી ગીતાર્થ, સંવિન પાક્ષિક, સિદ્ધપુત્ર અને પ્રવચન દેવતાને ચોગ ન હોય તો સિદ્ધો પાસે પણ આલોચના કરવી. કારણ કે શલ્ય સહિત મરણ સંસારનું કારણ છે. કહ્યું છે કે - સંવિને નાથે જ રથમા રાહત*= “સંવિગ્ન ગીતાર્થનો યોગ ન થાય ગીતાર્થ પાસસ્થાદિ પાસે, ગીતાર્થ પાસત્યાદિને યોગ ન થાય તે સારૂપિક પાસે Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૨થી૪૫ ૧૫ અલેચનાવિધિ-પંચાશક : ૨૩૯ :. - - આલોચના કરવી.” [ તેને યોગ ન થાય તે ગીતાર્થ પશ્ચાદ્ભૂત પાસે આલોચના કરવી. તેના અભાવે પ્રવચનદેવતાને પ્રસન્ન કરીને તેની પાસે કે મહાવિદેહ ક્ષેત્રમાંથી શ્રી સીમંધર સ્વામી પાસેથી મંગાવીને આલોચના કરવી. તેમ ન બને તે અરિહંત પ્રતિમા સમક્ષ આલોચના કરવી. પ્રતિમાને ચોગ ન હોય તે ઈશાન ખૂણાની સન્મુખ રહીને શ્રી અરિહંત-સિદ્ધોની સમક્ષ આલોચના કરવી. ! (૪૧) આલોચના કરનારે આલેચના કરતાં પહેલાં કેવો સંગ ઉત્પન્ન કરવો જોઈએ તે જણાવે છે - मरिउं ससल्लमरणं, संसाराडविमहाकडिल्लम्मि । .. सुचिरं भमंति जीवा, अणोरपारंमि ओइष्णा ॥ ४२ ॥ उद्धरियसव्वसल्ला, तित्थगराणाइ सुत्थिया जीवा । भवसयकयाइ खविडं, पावाइ गया सिवं थामं ।। ४३ ॥ सल्लुद्धरणं च इमं, तिलोगबंधूहि दंसियं सम्मं । आवतहमारोग्गफलं, धणोऽहं जेणिमं णायं ॥ ४४ ॥ ता उद्धरेमि सम्मं, एयं एयस्स णाणरासिस । કારિ વસેલું, ગાળો તાળવિવા. ૪૫ / છ શત્યસહિત મરીને અનાદિ-અનંત સંસારરૂપ અતિશય ગહન જંગલમાં પ્રવેશ કરે છે. અને તેમાં અત્યંત લાંબા કાળ સુધી ભટકે છે. (૪૨) જિનાજ્ઞામાં સારી રીતે રહેલા છ આલોચના કરીને તેનાથી સેંકડો ભવનાં કર્મો શ્રાદ્ધજી૩૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : ૧૪ આલોચનાવિધિ-પંચાશક ગાથા ૪૬ - - ખપાવીને સિદ્ધિસ્થાનને પામે છે. (૪૩) યુક્તિ-યુક્ત આ આલોચના જિનેશ્વરોએ કહી છે. તેથી એ અવશ્ય ભાવારેગ્ય આપનારી છે. મેં આલોચના જાણું તેથી હું ધન્ય છું. (૪૪) આથી હું નિદાન રહિત બનીને ભયંકર ફળ આપનાર સંપૂર્ણ ભાવશલ્યને જ્ઞાનકુંજ ગુરુ સમક્ષ વિધિપૂર્વક પ્રગટ કરીને દૂર કરું. (૪૫) ઉક્ત પ્રકારને સંવેગ ઉત્પન્ન કરીને શું કરવું તે જણાવે છે – इय संवेग काउं, मरुगाहरणादिएहि चिंधेहिं । दढमपूणकरणजुत्तो, सामायारिं पउंजेजा ॥ ४६ ॥ જેનું મરણ નજીકમાં છે તેણે પણ શુદ્ધિ કરવી જોઈએ એવું જણાવનારાં કે શલ્ય રાખવાથી થતા દેશોને જણાવનારાં શાસ્ત્ર પ્રસિદ્ધ બ્રાહ્મણ-પીઠ-મહાપીઠ આદિનાં દષ્ટાંતથી અનં. ત૨ ચાર ગાથાઓ માં જણાવ્યો તેવા સંવેગને (-શુભ અધ્યવસાય વિશેષને) ઉત્પન્ન કરીને અને આ અપરાધ ફરી નહિ કરું એવા દઢ પરિણામવાળા બનીને આલોચના કરે, અને આલોચનાની ( આલોચનાચાર્યને) વંદન કરવું, આસન પાથરવું વગેરે વિધિ કરે. બ્રાહ્મણનું દૃષ્ટાંત આ પ્રમાણે છે - પાટલીપુત્ર નગરમાં ત્રિલોચન નામનો બ્રાહ્મણ હતા. તે વેદ અને વેદાંગનાં રહસ્યોને સારી રીતે જાણનારાઓમાં શિરોમણિ હતું. તેની પાસે એક બ્રાહ્મણના છોકરાએ આવીને તેને પ્રણામ કરીને Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૪૧ : કહ્યું કે:- મેં અજ્ઞાનતાથી પરસ્ત્રીનું સેવન કર્યું છે. મારા તે પાપની શુદ્ધિ કરો. તેના ભાવની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણે કહ્યું કે હે બ્રાહ્મણપુત્ર! ખીલેલા કેસુડાના કુલ જેવી તપેલી સ્ત્રીના આકારની લોઢાની પૂતળીનું આલિંગન કર. કારણ કે આ અપરાધમાં આ સિવાય બીજું પ્રાયશ્ચિત્ત નથી. પાપથી ભય પામેલા તેણે આ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો. આથી બ્રાહ્મણે તેના ભાવને (આને સાચો પશ્ચાત્તાપ થયો છે એ ભાવને જાણીને આ સિવાય બીજું પ્રાયશ્ચિત્ત આપ્યું. અથવા (બીજી રીતે) બ્રાહ્મણનું દષ્ટાંત આ પ્રમાણે છેવેદના અર્થોમાં કુશળ કોઈક બ્રાહ્મણ હતા. પોતે માનેલાં શાસ્ત્રોથી થયેલા બેધથી તે ધર્મ કરવા માટે તાપસ બન્યા. હવે તે તાપસ આશ્રમમાં રહીને તપ કરે છે, કંદમૂલનું ભક્ષણ કરે છે, અત્યંત કષ્ટમય અનુષ્ઠાન કરે છે. એક વખત સ્નાન આદિ માટે નદીના કાંઠે ગયેલા તેણે માછીમારોને મસ્યામાંસનું ભક્ષણ કરતા જોયા. આથી તેને મર્યમાંસ ખાવાની ઈચ્છા થઈ. માછીમારો પાસે મસ્યામાંસ માગીને ખાધું. તેનું અજીર્ણ થવાથી ઉગ્ર જવર રોગ થયો. તેની ચિકિત્સા માટે તેણે વૈદ્યને બોલાવ્યો. વિઘે તેને તે શું ખાધું છે? એમ પૂછ્યું. શરમથી તેણે કહ્યું : કંદમૂલ અને ફલને આહાર કરનારા તાપસે જે ખાય છે તે મેં ખાધું છે. તેણે માંસભક્ષણની વાત કરી નહિ. વૈદ્ય તેના કહેવા મુજબ વાયુના વિકારથી તાવ આવેલો છે એમ Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૨ : ૧૫ આલેાચનાવિધિ-પચાશક નિય કરીને તેના ઉપાચા કર્યાં, પણ તાવ મટ્યો નહિ. ફ્રી વૈદ્ય તે શું ખાધું છે એમ પૂછ્યું, તાપસે પૂર્વ મુજબ જ કહ્યું. આથી શ્વે પૂર્વ મુજબ જ ઉપાચા વિશેષરૂપે કર્યો. પણ લાભ થયા નહિ. એક વખત વેદનાથી ઘેરાયેલા તે મૃત્યુરૂપ રાક્ષસથી ભય પામ્યા, અર્થાત્ કદાચ હવે હું મરી જઇશ એવા ભય થયા. આથી શરમ મૂકીને વૈદ્યને મત્સ્યમાંસના ભક્ષણની વાત કરી. આથી વૈધે તેને કહ્યુઃ આટલા દિવસ સુધી તે રાગનું કારણ ન કહ્યુ' એ ઘણું અપેાગ્ય કર્યું. છતાં હુમાં પણ વર રાગનું કારણ કહ્યું એ સારું કર્યું. આથી હવે હું રાગના નાશ કરીશ. પછી વૈધે તેના ચૈાગ્ય ઉપાચા કરીને તેનું શરીર રાગની પીડાથી રહિત, પુષ્ટ અને અત્યંત તેજસ્વી બનાવ્યું. (૪૬) ગાથા ૪૭ માયા-મથી મુક્ત બનીને આલાચના કરવી જોઈએ :जह बालो जंपतो, कजमकज व उज्जुयं भणति । तं तह आलोइजा, मायामय विप्पमुको उ ॥ ४७ ॥ જેમ માતા આદિની પાસે મેલતું બાળક સરળપણે કાયર કે અકાય કહે છે-કઈ પણ છુપાવ્યા વિના જેવું હાય તેવુ' કહે છે, તેમ સાધુ માયા અને મદથી મુક્ત અનીને કહેવા જેવા કે નહિ કહેવા જેવા અપરાધ ગુરુને જણાવે, માયા અને મદથી યુક્ત સાધુ બરાબર આલેાચના Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૮-૪૯ ૧૫ આલેાચનાવિધિ-૫'ચાશક : ૨૪૩ : ન કરી શકે. આથી અહીં માયા-મદથી મુક્ત ’ એમ કહ્યુ છે. (૪૭) • સારી રીતે કરેલી આલાચનાનું લક્ષણ :-- आलोयणासुदाणे, लिंगमिणं बिंति मुणियसमयस्था | વચ્છિન્ન ળમુનિત,ગળયં ચૈવ ઢોસા || ૪૮ || ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું[=અપરાધ નિમિત્તે ગુરુએ જે દ'ડ આપ્યા હાય તેને ગુરુના કહ્યા પ્રમાણે પૂરા કરવા, તથા જેની આલાચના કરી છે તે ષનું ફી સેવન ન કરવુ. એને સિદ્ધાંતના અર્થાને જાણનારાઓ સારી રીતે કરેલી આલેાચનાનું લક્ષણ કહે છે. અર્થાત્ જે સાધુ ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે છે અને જેની આલા ચના કરી છે તે દાષાનુ' ફરી ( ભાવથી) સેવન કરતા નથી તેણે આલેચના સારી રીતે કરી છે એમ જાણી શકાય છે. (૪૮) કેવી રીતે કરેલી આલાચના શુદ્ધિ કરનારી બને છે તે જણાવે છેઃइय भावपहाणाणं, आणाए सुट्ठियाण होति इमं । गुणठाणसुद्धिजणगं, सेसं तु विवञ्जयफलंति ॥ ४९ ॥ જે સવેગની પ્રધાનતાવાળા છે અને જિનાજ્ઞામાં સારી રીતે રહેલા છે તેમણે કરેલી આલેાચના પ્રમત્તાદિ ગુણસ્થાનામાં નિમ લતા કરનારી છે, અર્થાત્ સ'વેગપ્રધાન * સમાધ પ્ર૦ આલેાચના૦ ૨૫, આધિન ૮૦૨ નિશીથ ભાષ્ય ૩૮૬૩, શ્રાદ્ધ૭૦ ૧૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : ૧૫ આલેાચનાવિધિ-પ'ચાશક મનીને અને જિનાજ્ઞામાં સારી રીતે રહીને કરેલી આલાચના શુદ્ધિ કરનારી મને છે. તે સિવાય કરેલી આલાચના શુદ્ધિ તા ન કરે, બલ્કે અશુદ્ધિ કરે. (૪૯) ઉપસ་હારઃ लडूण माणुसतं, दुलहं चइऊण लोगसण्णाओ । लोगुत्तमसण्णाए, अविरहियं होति जतितन्वं ॥ ५० ॥ ચુલ્લકાદિ ષ્ટાંતાથી દુર્લભ મનુષ્યભવ મેળવીને, ભવા ભિનંદી લેાકેાની મનેાવૃત્તિરૂપ લેાકસ જ્ઞાનેા અર્થાત્ અકૃત્યના કારણભૂત પિણામાના ત્યાગ કરીને, મુમુક્ષુલેાકેાની મને વ્રુત્તિરૂપ લેાકેાત્તમ સંજ્ઞામાં, અર્થાત્ અતિચારાની વિશુદ્ધિ કરવા દ્વારા જિનાદેશાનુસારી લેાકેાત્તમ સંજ્ઞામાં, સતત પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે નિર્વાણુરૂપ કલ્યાણને આના સિવાય બીજો કાઈ ઉપાય નથી, આ જ એક ઉપાય છે. ગાથા ૫૦ જીવ મનુષ્યભવ પામીને જ માક્ષરૂપ કાને સાધવા માટે સમથ અને છે. આથી અહીં ‘મનુષ્ય ભવ ’ મેળવીને એમ કહ્યુ` છે, (૫૦) re Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૬. પ્રાયશ્ચિત્તવિધિ પંચાશક આલેચનાવિધિ કહ્યો. ઉક્તવિધિથી અતિચારની આલોચના કર્યા પછી તેની શુદ્ધિ માટે ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે. આથી હવે પ્રાયશ્ચિત્ત પ્રકરણને આરંભ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે :नमिऊण वद्धमाणं, पायच्छित्तं समासतो वोच्छं । आलोयणादि दसहा, गुरुवएसाणुसारेणं ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને આલેચનાદિ દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ગણધરભગવંત વગેરેના વચનાનુસાર કહીશ. પણ વ્યવહાર ભાષ્ય વગેરે ગ્રંથોની જેમ વિસ્તારથી નહિ, કિંતુ સંક્ષેપથી કહીશ. પ્રાયઃશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત્ત. જિતિ સંજ્ઞા : એ પાઠ હેવાથી અને જે પ્રત્યય ભાવ અર્થમાં હેવાથી અહીં ચિત્ત શબ્દ શુદ્ધિ પર્યાયવાચી છે. પ્રશ્ન - પ્રાયઃ શુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત્ત એમ પ્રાયઃ કેમ કહ્યું? ઉત્તર - ભાવપૂર્વક કરેલું પ્રાયશ્ચિત્ત શુદ્ધિનું કારણ બને છે, ભાવ વિના નહિ. આથી અહીં પ્રાયઃ એમ કહ્યું છે. (૧). Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨ પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર:आलोयण पडिकमणे, मीस विवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवट्ठया य पारंचिए चेव ॥ २ ॥ પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત એમ દશ પ્રકાર છે. આલોચના -ગુરુને સ્વદે વિધિપૂર્વક કહેવા. પ્રતિક્રમણ :- પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે જવું, દેની વિરુદ્ધ જવું તે પ્રતિક્રમણ. દેથી પાછા ફરીને ગુણામાં જવું, અથત “મિચ્છામિ દુક્કડ” આપવું, તે પ્રતિક્રમણ છે. મિશ્ર:- આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવાં. વિવેક - દેષિત ભજનાદિનો ત્યાગ. વ્યુત્સગ- કાયોત્સર્ગ કર. તપ:- કમને બાળે તે નીવિ વગેરે તપ છે. છેદ - તપથી અપરાધશુદ્ધિ ન થઈ શકે તેવા સાધુના અહોરાત્ર પંચક” આદિ ક્રમથી દીક્ષા પર્યાયનો છેદ કરે. મૂલ – મૂળથી (બધા) દીક્ષાપીયને છેદીને ફરીથી મહાવ્રતા આપવાં. Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૪ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક અનવસ્થાપ્ય :- અધિક દુષ્ટ પરિણામવાળા સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલા તપ પૂરા ન કરે ત્યાં સુધી તેને છતા ન આપવાં, પારાંચિત :- પ્રાયશ્ચિત્તોના કે અપરાધાના પારનેઅતને પામે, અર્થાત્ જેનાથી અધિક કાઈ પ્રાયશ્ચિત્ત કે અપરાધ નથી, તે પાાંચિત. : ૨૪૭ ક મૂળ ગાથામાં આરોયળ વગેરે મધા પદો પ્રથમા વિભક્તિમાં એકવચનાંત છે. અનુસ્વારના અભાવ તથા પદ્માંતે ‘એ’ વગેરે પ્રાકૃતના કારણે છે. (૨) પ્રાયશ્ચિત્ત શબ્દને નિરુક્તિથી ( પદભેદથી ) થતા અર્થ ઃपावं छिंदति जम्हा, पायच्छित्तंति भण्णई तेण । पाएण वावि चित्तं, सोहयती तेण पच्छित्तं ॥ ३ ॥ પાપને ‰à તે પાપછિંદ્, પ્રાકૃતના કારણે પાપચ્છિદ્ શબ્દનું પાયછિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને-મનને નિમલ કરે તે પ્રાયશ્ચિત્ત.+ ( ૩ ) ભાવથી પ્રાયશ્ચિત્ત કાને હેાય તે જણાવે છે:भव्वस्साणारुणो, संवेगपरस्स वष्णियं एयं । उवउत्तस्स जहत्थं, सेसस्स उ दव्वतो वरं ॥ ४ ॥ સભ્ય, આજ્ઞારુચિ, ( = આગમ ઉપર બહુમાનવંત ( + આ નિ॰ ગા૦ ૧૫૦૮. Page #265 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૮ ૧૨ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા પર = સમ્યગ્દષ્ટિ), સંવિગ્ન (= ચારિત્રી) અને સર્વ અપરાધમાં ઉપગવાળા જીવનું પ્રાયશ્ચિત્ત યથાર્થ છે શુદ્ધિ કરનારું છે, આનાથી અન્ય જીવનું પ્રાયશ્ચિત્ત ભાવરહિત હોવાના કારણે અપ્રધાન હોવાથી કેવળ દ્રવ્યથી હોય છે, એમ આગમમાં કહ્યું છે. (૪) ઉપર્યુક્ત વિષયનું સમર્થન.सत्थत्थबाहणाओ, पायमिणं तेण चेव कीरंतं । एवं चिय संजायति, वियाणियव्वं बुहजणेणं ॥ ५ ॥ दोसस्स जं णिमित्तं, होति तगो तस्स सेवणाए उ । ण उ तक्खउ ति पयर्ड, लोगंमिवि हंदि एवंति ॥ ६ ॥ શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી (= શાસ્ત્રોક્ત આજ્ઞાને ભંગ કરવાથી) પ્રાયઃ પાપ થાય છે, આથી શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી જ ( શાસ્ત્રોક્ત આજ્ઞાને ભંગ કરીને જ) કરાતું વિશુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રનિષિદ્ધ અનુષ્ઠાનની જેમ પાપરૂપ જ થાય છે; એમ બુધજનોએ જાણવું Twifજ vv (ઘ નિ૦ ૭૪૯) ઈત્યાદિ વચન પ્રમાણે અપ્રમત્તને હિંસાદિ થવા છતાં પાપ ન થાય. આથી અહીં “પ્રાય” કહ્યું છે. a આને ટુંકમાં ભાવાર્થ આ પ્રમાણે છે:- શાસ્ત્રોક્ત આજ્ઞાના ભંગથી પાપ લાગે છે. આથી પ્રાયશ્ચિત્ત પણ જે આજ્ઞાન ભંગથી કરવામાં આવે તો તે પ્રાયશ્ચિત્ત પણ પાપરૂપ બને છે, અર્થાત્ દ્રવ્ય પ્રાયશ્ચિત્ત બને છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા૫-૬ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૪૯ : બુધજનો એટલે શાસ્ત્રના જાણકાર લોકો. શાસ્ત્રના જ્ઞાનરહિત લોકો બુદ્ધિદેષના કારણે ગમે તેમ કરતું હોય તેને પણ સારું જ માને. અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે – શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી (= શાસ્ત્રજ્ઞાના ભંગથી) પ્રાયઃ દ્રવ્ય પ્રાયશ્ચિત્ત થાય છે. આથી શાક્ત અર્થની વિરાધના કરીને કરાતું પ્રાયશ્ચિત્ત દ્રવ્ય પ્રાયશ્ચિત્ત જ થાય છે. કોઇની તેવી યોગ્યતાના કારણે શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી કરાતું પ્રાયશ્ચિત્ત દ્રવ્ય પ્રાયશ્ચિત્ત ન પણ થાય. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. વિચાખચષે ગુi એ બે પદોને અર્થ ઉપર મુજબ જ છે. (૫) દેષનું જે નિમિત્ત હોય તેના સેવનથી જ દોષ થાય છે, પણ દેશને ક્ષય થતું નથી. આ વિષય સામાન્ય લોકમાં પણ રોગાદિ દષ્ટાંતથી પ્રસિદ્ધ છે, અર્થાત્ રોગનું જે કારણ હોય તેના સેવનથી રોગ થાય, કિંતુ રોગને નાશ ન થાય ઈત્યાદિરૂપે લોકમાં દેષના નિમિત્તના સેવનથી દેષ થાય અને દેષ ક્ષય ન થાય એ બે વિષય પ્રસિદ્ધ છે. તેમ પ્રસ્તુતમાં શાસ્ત્રોક્ત અર્થની વિરાધના પાપનું કારણ છે. આથી શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી પાપ થાય અને ષિક્ષય ન થાય. આથી શાસ્ત્રોક્ત અર્થની વિરાધના ( શાસ્ત્રજ્ઞાનો ભંગ) કરીને કરેલું પ્રાયશ્ચિત્ત પાપરૂપ થાય છે = દ્રવ્ય પ્રાયશ્ચિત્ત થાય છે. તથા ભવ્ય, આજ્ઞારુચિ, Page #267 -------------------------------------------------------------------------- ________________ : २५० : १६ प्रायश्चित्तविधि-प्रयाश गाथा ७थी ११ સ'વિગ્ન અને સર્વ અપરાધામાં ઉપયોગવાળાનુ' પ્રાયશ્ચિત્ત ભાવથી થાય છે, કારણ કે શાસ્ત્રાક્ત અર્થની વિરાધના नथी. ] (६) आयश्चित्त प्रयुमिठित्सा तुझ्यछे :दव्ववणाहरणेणं, जोजितमेतं विदूहि समयंमि । भाववणतिगिच्छाए, सम्मति जतो इमं भणितं ॥ ७ ॥ શ્રી ભદ્રખાહુ સ્વામીએ કાર્યાત્સગ નિયુક્તિરૂપ શાસ્ત્રમાં (૧૪૧૯ થી ૧૪૨૪ એ છ ગાથાઓમાં) દ્રવ્યત્રણના દૃષ્ટાંતથી ચારિત્રાતિચાર રૂપ ભાવત્રણની ચિકિત્સા સાથે સાથે સારી રીતે ઘટના કરી છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ નીચે પ્રમાણે उ छे. (७) ॥ શ્રી ભદ્રબાહુસ્વામીએ કાનિ॰માં કહેલી છ ગાથાઓ :दुविहो कायम्मि वणो, तब्भव आगंतुगो य णायव्वो । आगंतुगस्स कीरति, सल्लुद्धरणं ण इयरस्स || ८ || तणुओ अतिक्खतुंडो, अमोणितो केवलं तयालग्गो । उद्धरिडं अवउज्झइ, सल्लो ण मलिञ्जइ वणो उ ।। ९ ।। लग्गुद्धियम्मि बीऐ, मलिञ्जई परमदूरगे सल्ले । उद्धरणमलणपूरण, दूरयरगए उ तइयंमि ॥ १० ॥ मा वेअणा उ तो उद्धरित गालिति सोणिय चउत्थे । रुज्झइ लहुति चेट्ठा, वारिजइ पंचमे वणिणो ॥ ११ ॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨ ૧૩ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૫૧ : रोहेइ वर्ण छटे, हितमितभोजी अभुंजमाणो वा । तत्तियमेत्तं छिज्जति, सत्तमए पूइमंसादी ॥ १२ ॥ तहविय अठायमाणे, गोणसखइयादि रप्पुए वावि । कीरति तदंगछैदो, सअहितो सेसरक्खट्ठा ॥ १३ ॥ શરીરમાં તદુદ્દભવ અને આગંતુક એમ બે પ્રકારે ત્રણ હોય છે. તદુભવ એટલે શરીરમાંથી ઉત્પન્ન થયેલ. જેમ કે ગાંઠ વગેરે. આગંતુક એટલે કાંટા આદિથી થયેલ. તેમાં આગંતુક વણના કાંટા આદિ શલ્યને ઉદ્ધાર કરવામાં આવે છે, તદુદ્દભવ ત્રણનો શોદ્ધાર કરવામાં આવતું નથી. (૮) જે શલ્ય બહુ જ કૃશ (અલ૫) હોય, તીક્ષણમુખવાળું ન હોય, અથતુ શરીરને ભેદીને બહુ અંદર ન ગયું હોય, લોહીવાળું ન હોય; કેવળ ચામડીને જ લાગેલું હોય, તે શલ્યમાં માત્ર કાંટા વગેરે શલ્યને ખેંચીને બહાર કાઢવામાં આવે છે, ત્રણનું મર્દન કરવામાં આવતું નથી. અર્થાત્ શલ્ય અલ્પ હોવાના કારણે વ્રણ અ૫ હોવાથી શલ્યનો ઉદ્ધાર કરે એ જ એની ચિકિત્સા છે. (૯) જે શલ્ય શરીરમાં પ્રથમ પ્રકારના શલ્યથી કંઈક દઢ લાગેલું હોય, પણ બહુ ઊંડું ન ગયું હોય તેવા બીજા પ્રકારના શલ્યમાં શયને ઉદ્ધાર અને ત્રણનું મર્દન કરવામાં આવે છે, પણ કમલ -કાનને મેલ) પૂરવામાં આવતા નથી. એનાથી કંઈક વધારે ઊંડા ગયેલા ત્રીજા Page #269 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૨ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૧૪ પ્રકારના શલ્યમાં શલ્ય દ્વાર, ત્રમર્દન અને કર્ણ મલપૂરણ એ ત્રણે કરવામાં આવે છે. (૧૦) ચોથા પ્રકારના શ૯૫માં વૈદ્યો ત્રણમાંથી શયન ઉદ્ધાર કરીને વેદના ન થાય તેટલા માટે કેટલુંક લોહી કાઢે છે. પાંચમા પ્રકારના શલ્યમાં વૈદ્ય શદ્વાર કરીને ત્રણ જલદી રુઝાઈ જાય તેટલા માટે ત્રણવાળાને ચાલવા વગેરેની ક્રિયા કરવાને નિષેધ કરે છે. (૧૧) - છઠ્ઠા પ્રકારના શલ્યમાં ત્રણવાળે જીવ ચિકિત્સા પ્રમાણે પથ્ય અને અલપ ભજન કરીને અથવા સર્વથા ભજનનો ત્યાગ કરીને ત્રણને રુઝવે છે. સાતમા પ્રકારના શલ્યમાં શલ્યોદ્ધાર કર્યો પછી શલ્યથી દૂષિત થયેલ માંસ, મેદ વગેરેને કાઢી નાખવામાં આવે છે. (૧૨) | સર્ષ, ઘ વગેરેએ શરીરમાં સે માર્યો હોય તેવા વ્રણમાં કે વલભીક રોગમાં (-રોગવિશેષમાં) ઉક્ત ચિકિત્સાથી ત્રણ ન રુઝાવાથી બાકીના અંગોના રક્ષણ માટે દૂષિત અંગને હાડકાં સહિત છેદ કરવામાં આવે છે.(૧૩) ભાવત્રનું સ્વરૂપ ? मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स । अबराहसल्लाभो, भाववणो होइ णायव्यो ॥ १४ ॥ મૂલગુણ-ઉત્તરગુણ સ્વરૂપવાળા અને જીવનું સંસારસાગરથી રક્ષણ કરનારા પરમ ચારિત્રરૂપ પુરુષને પૃથ્વીકાય સંઘટ્ટ આદિ અતિચાર રૂપ શયથી થયેલ ભાવવણ હોય છે. (૧૪) Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫થી ૧૮ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૫૩ : ભાવવ્રણને સુમબુદ્ધિથી જાણવાની આવશ્યકતા :एसो एवंरुवो, सविगिच्छो एत्थ होइ विण्णेओ । सम्मं मावाणुगतो, णिउणाए जोगिबुद्धीए ॥ १५ ॥ પ્રાયશ્ચિતના અધિકારમાં ઉક્ત સ્વરૂપવાળા ભાવવ્રણને હવે કહેવાશે તે ચિકિત્સા સહિત અને રહસ્ય સહિત બરાબર જાણવું જરૂરી છે. પણ ગમે તેવી બુદ્ધિથી નહિ, કિંતુ ગીઓની સૂક્ષમબુદ્ધિથી જાણવું જોઈએ. કારણ કે ગીઓ જ આધ્યાત્મિક અર્થનું વિવેચન કરવામાં ચતુર ચિત્તવાળા હોય છે. (અર્થાત્ આ ભાવવ્રણ ભૌતિક દૃષ્ટિથી બરાબર ન સમજી શકાય, આધ્યાત્મિક દૃષ્ટિથી જ સમજી શકાય. માટે આધ્યાત્મિક દષ્ટિવાળા બનીને આ ભાવવ્રણને સમજવું જરૂરી છે.] (૧૫) ભાવવ્રણની ચિકિત્સા :भिक्खायरियादि सुज्झति, अध्यारो कोइ वियडणाए उ । बितिओ उ असमितो मित्ति कीस सहसा अगुत्तो वा ॥ १६ ॥ सदादिएसु रागं, दोसं व मणे 'गओ तइयगम्मि । गाउं अणेसणिज्ज, भत्तादि विगिंचण चउत्थे ॥ १७ ॥ उस्सग्गेण विसुज्झति, अइयारो कोइ कोइ उ तवेणं । तहविय असुज्झमाणे, छेयविसेसा विसोहंति ॥ १८ ॥ ભિક્ષાબ્રમણ, સ્વાધ્યાય ભૂમિમાં જવા* આદિથી થયેલ કોઈક અત્યંત સૂક્ષમ અતિચાર આચનાથી જ દૂર થાય બસો ડગલાની ઉપર” એ સ્વયં સમજી લેવું. Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક ગાથા ૧૫થી૧૮ છે. ભિક્ષાશ્રમજી આદિથી થયેલ અત્યંત સૂક્ષ્મ અતિચાર પ્રથમ શયતુમ છે. આવાચના પ્રથમ શલ્યમાં માત્ર શજ્યેષ્ઠાર સમાન છે. જેમ પ્રથમ શલ્યમાં શયાદ્વાર સિવાય બીજે કાઈ ઉપાય જરૂરી નથી, તેમ આમાં પણ આવેાચના સિવાય બીજા કાઈ પ્રાયશ્ચિત્તની જરૂર નથી. "" સમિતિ-ગુપ્તિ આદિના ભંગ રૂપ બીજા પ્રકારના અતિચાર “અરે! હું નિષ્કારણ સમિતિ-ગુપ્તિમાં પ્રમાદવાળા કેમ બનું છું ? સમિતિ-ગુપ્તિના લગ થવામાં પુષ્ટ કારણ કાઈ જ નથી. આવા પ્રકારના પશ્ચાત્તાપ સહિત મિચ્છામિદુક્કડ' આપવા રૂપ પ્રતિક્રમણ ચિકિત્સાથી દૂર થાય છે. પ્રતિક્રમણ ચિકિત્સા બીજા પ્રકારના શચેાદ્ધારમાં ત્રમન તુલ્ય છે. (૧૬) ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદ્રિ વિષયેામાં માત્ર મનથી રાગ-દ્વેષ કરનાર મુનિ ત્રીજી ત્રણમદન-કણુ મલપૂરણ સમાન મિશ્ર નામની ચિકિત્સાથી શુદ્ધ થાય છે. મનેાગત રાગાદિશલ્ય આલેાચના-પ્રતિક્રમણુ એ ઉભયને ચેગ્ય છે. અનેષણીય ભેજનાદિ ગ્રહણ રૂપ ચાથા શલ્યસમાન અતિચારમાં. આ ભાજનાદિ અશુદ્ધ છે એમ જાણીને તેને પરઠવવા રૂપ લેાહી કાઢવા સમાન વિવેક નામની ભાવ. ચિકિત્સાથી શુદ્ધ થાય છે. (૧૭) Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૫૫ : પાંચમા શલ્ય સમાન અશુભ સ્વપ્ર વગેરે કોઈ અતિચાર કિયાનિષેધ સમાન કાર્યોત્સર્ગ નામની ભાવચિકિત્સાથી દૂર થાય છે. છઠ્ઠા શલ્ય સમાન પૃથ્વીકાયસં ઘટ્ટ વગેરે અતિચાર હિતમિત ભોજન કે ભેજનત્યાગ સમાન નવી આદિ તપ રૂપ ભાવચિકિત્સાથી દૂર થાય છે. તપથી પણ અતિચારશલ્ય કે અતિચારશલ્યથી થયેલ ભાવવ્રણ દૂર ન થાય તે તેને બગડી ગયેલ માંસાદિના છેદ સમાન પાંચ અહોરાત્ર આદિ દીક્ષા પર્યાયના છેદરૂપ ભાવચિકિત્સાથી દૂર કરે છે. (૧૮) છેદથી અપરાધશુદ્ધિ થવાનું કારણ:छिजति दसियभावो, तहोमरायणियभावकिरियाए । संवेगादिपमावा, सुज्झइ णाता तहाणाओ ॥ १९ ॥ દીક્ષાપર્યાયને ઓછો કરવાથી, અર્થાત્ સાધુની લઘુતા કરવાથી, સાધુના દૂષિત અધ્યવસાય દૂર થાય છે. કારણ કે લઘુતા કરવાથી તે સાધુમાં સંવેગ, નિવેદ વગેરે ગુણો ઉત્પન્ન થાય છે. લઘુતાથી થયેલા સંવેગ-નિર્વેદ આદિ ગુણોના પ્રભાવથી થતા આપ્તપદેશના પાલનથી બુદ્ધિમાન સાધુ શુદ્ધ થાય છે. તેવા પ્રકારના અપરાધની શુદ્ધિ માટે ભગવાનને આ ઉપાય ઈષ્ટ છે. (યતિજી, ગા. ૨૭૬) કહ્યું WWW.jainelibrary.org Page #273 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૬ ૬ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૦ उक्कोसं तवभूमि, समईओ सावसेसचरणोय । छेअं पणगाई अं, पावइ जा धरह परिआओ ॥ “જે સાધુ મોટા દોષનું સેવન કરીને ઉત્કૃષ્ટ તપભૂમિને ઓળંગી ગયો હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ તપભૂમિને જેટલા પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ ન થઈ શકે, તથા સંપૂર્ણ ચારિત્ર રહિત ન બન્યો હોય, તે સાધુ દેષ પ્રમાણે યથાયોગ્ય પંચક આદિથી આરંભી સંપૂર્ણ પર્યાયને છેદ ન થાય ત્યાં સુધી છેદ પ્રાયશ્ચિત્ત પામે છે.” (૧૯) મૂલ વગેરે પ્રાયશ્ચિત્તના વર્ણનની પ્રતિજ્ઞા - मूलादिसु पुण अहिगत-पुरिसाभावेण नत्थि वणचिंता । एतेसिपि सरूवं, वोच्छामि अहाणुपुव्वीए ॥ २० ॥ આલેચનાદિ સાત પ્રાયશ્ચિત્તની ત્રણદષ્ટાંતથી વિચારણા કરી. પણ મૂલ, અનવસ્થા અને પારસંચિતમાં પ્રસ્તુત ચારિત્રરૂપ પુરુષ ન હોવાથી ત્રણના દષ્ટાંતની વિચારણા નથી. મૂલ વગેરે પ્રાયશ્ચિત્ત ચારિત્રને સર્વથા અભાવ થાય ત્યારે જ થાય છે. [ જેમ મૂળ વિના શાખા ન હોય, પુરુષ વિના ત્રણ ન હોય, તેમ ચારિત્ર વિના અતિચાર પણ ન હોય.] મૂલ આદિ ત્રણમાં અતિચાર ન હોવાથી ત્રણના દષ્ટાંતની ઘટના થઈ શકે નહિ. આથી હવે (વણના દષ્ટાંત વિના) મૂલ આદિ પ્રાયશ્ચિત્તનું પણ સ્વરૂપ ક્રમશઃ કહીશ. (૨૦) + તપભૂમિ એટલે તપ કરવાની મર્યાદા. આદિ, મધ્ય અંતિમ તીર્થકરના શાસનમાં ઉત્કૃષ્ટ (=વધારેમાં વધારે) તપભૂમિ અનુક્રમે ૧૨, ૮ અને ૬ માસ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧-૨૨ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક : ૨૫૭ ૩ મુલ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ :-- पाणातिवातपभितिसु, संकष्पकएसु चरणविगमम्मि | બાપટ્ટે દ્વારા, પુળનયનળ તુ મૂતિ ॥ ૨ ॥ સકલ્પપૂર્વક ( જાણી જોઈને ઈરાદાપૂર્વક આવેશથી ) કરેલા પ્રાણવધ, મૃષાવાદ આદિ અપરાધામાં ચારિત્રને . અભાવ થતાં ચારિત્રના પરિણામ રહિત બનેલા સાધુમાં ઢાષની શુદ્ધિ માટે ક્રીથી મહાત્રતાનું આરોપણ કરવું એ મૂલ નામનુ` પ્રાયશ્ચિત્ત છે. (૨૧) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ ઃ— साहम्मिगादितेयादितो तहा चरणविगमसंकेसे | णोचियतवेऽकयम्मी, ठविजति वसु अणवट्ठो ॥ २२ ॥ આગમમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને ચાગ્ય દોષના વર્ણનમાં કહ્યું છે તે રીતે સાધર્મિક, અન્યધાર્મિક વગેરેની ઉત્તમ વસ્તુની ચારી, હસ્તતાડન આદિ કરવાથી ચારિત્રને અભાવ થાય તેવા દુષ્ટ અધ્યવસાયેા થતાં દોષ પ્રમાણે આગમમાં કહેલ તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી જેને તે '', * અહીં ટીકામાં જ્ઞાતિનાખ્યસામિપ્રચ: એવા પાઠ છે. પણ્ યતિજીતકલ્પ, બૃહત્કલ્પ વગેરેમાં અન્યષામિવ’એવા પાઠ છે અને તે સંગત છે. + જેને ત્રતામાં સ્થાપવામાં ન આવે તે અનવસ્થાપ્ય એમ અનવસ્થાપ્ય શબ્દની વ્યુત્પત્તિ છે. ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૮ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક ગાથા ૨૩ પ્રાયશ્ચિત્ત અને આપવામાં ન આવે તે અનવસ્થાપ્ય છે. અનવસ્થાપ્ય સાધુ અલગ ન હોવાથી અનવસ્થાપ્ય સાધુનું પ્રાયશ્ચિત્ત પણ અનવસ્થાપ્ય કહેવાય છે. સાધર્મિક=સાધુ, અન્ય ધાર્મિક્ર=પતીર્થિક સાધુ કે ગૃહસ્થ, હસ્તતાડન એટલે પેાતાને, સ્વપક્ષની કાઈ વ્યક્તિને કે પરપક્ષની કાઇ વ્યક્તિને ઘારપરિણામથી મણનિરપેક્ષપણે લાત, મુઠી, લાકડી સ્માદિથી માપવું. ( ચિંતજીતકલ્પમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને ચેાગ્યના વર્ણનમાં ) કહ્યુ છે કે : उक्कोसं बहुसो वा, पउट्ठचित्तो य तेणियं कुणइ । पहरइ जो अ सपक्खे, निरवेक्खो घोरपरिणामो || (યતિજી ૨૮૨) “જે સાધુ ક્રેષ, લાભ આદિથી કલુષિત ચિત્તવાળા બનીને સાધર્મિકની કે અન્ય ધાર્મિકની શિષ્ય, ઉત્કૃષ્ટ ઉપધિ, આહાર, શય્યા આદિ વસ્તુની ચેારી કરે, અથવા પેાતાને, સ્વપક્ષની વ્યક્તિને કે પરપક્ષની વ્યક્તિને ઘેરપરિણામથી મરણનિરપેક્ષપણે લાત, મુડી, લાકડી આદિથી મારે તે અનવસ્થાપ્ય છે.” (૨૨) પારાંચિત પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ :अण्णोऽण्णोमृढदुट्टातिकरणतो तिब्वसंकिलेसंमि । तवसाऽतियारपारं, अंचति दिक्खिजः ततो य ॥ २३ ॥ જે સાધુ અન્યાન્યકારકતા, મૂઢતા (=પ્રમત્તતા), દુષ્ટતા અને તીથંકરાદિની આશાતના કરવાથી તીત્ર સશ્ર્લિષ્ટ પરિ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પ‘ચાશક ગ્રામ થતાં જધન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી શાસ્ત્રાક્ત ઉપવાસ આદિ તપથી અતિચારના પારને પામે= શુદ્ધ અને પછી તેને દીક્ષા આપવામાં આવે તે પારાંચિક. પારાંચિક સાધુ અને પ્રાયશ્ચિત્તના અભેદથી પારાંચિક સાધુનુ' પ્રાયશ્ચિત્ત પણ પારાંચિક કહેવાય. : ૨૫૯ : ભાવાર્થ :- પાાંચિકના આશાતના પારાંચિક અને પ્રતિસેવના પાાંચિક એમ બે ભેદ છે. તીથ કર, પ્રવચન, શ્રુત, આચાય, ગણુધર, તપસ્વી વગેરેની વારંવાર આશાતના કરનાર આશાતના પાાંચિક છે. પ્રતિસેવના પારાંચિકના દુષ્ટ, પ્રમત્ત અને અન્યાન્યકારક એમ ત્રણ ભેદ છે. દુષ્ટના ક્લાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. તે ખ'નેના સ્વપક્ષ અને પરપક્ષ એમ બે ભેદ છે. શ્રમણને ઘાત કરનાર સ્વપક્ષ કષાયદુષ્ટ છે. શ્રમણી સાથે અબ્રહ્મનુ સેવન કરનાર સ્વપક્ષ વિષયદુષ્ટ છે. રાજના વધ કરનાર પરપક્ષ કષાયદુષ્ટ છે. રાણી સાથે અબ્રહ્મનું સેવન કરનાર પરપક્ષ વિષદુષ્ટ છે. ત્યાનહિં નિદ્રાવાળા સાધુ મૂઢ પાાંચિક છે. અન્યોન્ય એટલે પરસ્પર. પરસ્પર 'નેના વેદ વિકાર વધે તેવી મૈથુનક્રિયા કરનાર અન્યાન્ય કારક છે, અર્થાત્ પુરુષ (ગૃહસ્થ કે સાધુ) સાથે તેવી મૈથુન ક્રિયા કરનાર સાધુ અન્યાન્યકારક છે. (૨૩) પારાંચિકના સ્વરૂપમાં મતાંતર : अण्णेसिं पुण तब्भव - तदण्णवेक्खाइ जे अजोगत्ति । ચરસ તે મે વજી, હિંગવિત્તિમે મારી હૈં ॥ ૨૪ || Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૦ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૫ - બીજા આચાર્યોના મતે જે છ વલિંગભેદ, ચિત્યભેદ, પ્રવચનને ઉપઘાત વગેરેથી આ ભવમાં અને અન્યભવમાં ચારિત્રને અયોગ્ય બને તે જ પારાચિક કહેવાય છે. સ્વલિંગભેદ એટલે મુનિઘાત અને શ્રમણી સાથે ભોગ. ચૈત્યભેદ એટલે જિનપ્રતિમાને અને ત્યદ્રવ્યને (-દેવદ્રવ્ય) વિનાશ. સવલિંગભેદ અને ચિત્યભેદ કરનારા આ ભવમાં અને અન્ય ભવમાં ચારિત્રને અચોગ્ય બને છે. કારણ કે તેમને બેધિની પ્રાપ્તિ થતી નથી. (સંબોધ પ્ર. દેવાધિમાં) કહ્યું છે કે :संजइचउत्थभंगो, चेहयदव्वे य पवयणुड्डाहे । रिसिघायणे चउत्थे, मूलग्गी बोहिलाभस्स ॥ १०५ ॥ “સાધ્વીના ચોથા વ્રતનો ભંગ, ચિત્યદ્રવ્યનો વિનાશ, પ્રવચનનો ઉપઘાત અને ઋષિઘાત એ ચાર બોધિલાભના મૂળમાં અગ્નિ સમાન છે, અર્થાત્ એ ચારથી જિનમની પ્રાપ્તિ થતી નથી.” (૨૪) ઉપર્યુક્ત મતાંતરનું સમર્થન :आसयविचित्तयाए, किलिट्ठयाए तहेव कम्माणं । अस्थस्स संभवातो, णेयंपि असंगयं चेव ॥ २५ ॥ પરિણામની વિચિત્રતાથી મોહનીય આદિ કર્મોને નિરુપક્રમ બંધ થવાથી આ ભવમાં અને પરભવમાં ચારિત્રની અપ્રાપ્તિ ઘટી શકે છે. આથી અન્ય આચાર્યોનો મત પણ સંગત જ છે. (૨૫) Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬૨૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પોંચાશ* : ૨૬૧ : પરિણામની વિચિત્રતાથી મતાંતરનું સમર્થન કર્યું. હવે પ્રાયશ્ચિત્તની વિચિત્રતાથી મતાંતરનું સમર્થન કરે છે. :आगममाई य जतो, ववहारो पंचद्दा विणिद्दिट्ठो । आगम सुय आणा धारणा य जीए य पंचम ॥ २६ ॥ एयाणुसारतो खलु, विचित्तभेयमिह वण्णियं समये । आसेवणादि भेदा, तं बुण सुत्ताउ णायव्वं ॥ २७ ॥ આગમમાં આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારના વ્યવહાર છે. વ્યવહાર એટલે પ્રાયશ્ચિત્ત આપવાના આચારા (=રીતા). આગમ:- જેનાથી અર્ધો જણાય તે આગમ, કેવલજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, ચૌદ, દેશ અને નવ પૂર્વી એ પાંચ આગમ છે. આગમ પ્રાયશ્ચિત્તના વ્યવહારનું કારણ હાવાથી વ્યવહાર કહેવાય છે. શ્રુતઃ- અંગ અને અંગસિવાયનું શ્રુતજ્ઞાન. ( અર્થાત્ નિશીથ, કલ્પ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ વગેરે શ્રૃતગ્રંથાના આધારે પ્રાયશ્ચિત્ત આપવું તે શ્રુતવ્યવહાર. ) આજ્ઞા: એક ગીતાથ અન્ય સ્થળે રહેલા ગીતાથ પાસે પેાતાની આલાચના કરવાની હાય ત્યારે પાતે ત્યાં ન જઈ શકવાથી અગીતાર્થને ગૂઢ (=સાંકેતિક) ભાષામાં પોતાના અતિચારા કહીને અન્ય સ્થળે રહેલા તાથ Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૨ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૬-૨૭ પાસે જવા આજ્ઞા કરે, તે આચાર્ય પણ ગૂઢ ભાષામાં કહેલા અતિચારો સાંભળીને પોતે ત્યાં જાય, અથવા અન્ય ગીતાથને ત્યાં મોકલે, અથવા આવેલા અગીતાર્થને જ સાંકેતિક ભાષામાં આલોચના કહે. ધારણ- ગીતાર્થ ગુરુએ શિષ્યને દ્રવ્યાદિ, પુરુષ અને પ્રતિસેવનાને જાણીને જે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત અનેકવાર આપ્યું હોય, શિષ્ય તેને યાદ રાખીને તેવા જ દ્રવ્યાદિમાં તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે. જીત - ગીતાર્થ સંવિગ્નએ પ્રવર્તાવેલો શુદ્ધ વ્યવહાર. પૂર્વના મહાપુરુષો જે અપરાધોમાં ઘણા તપથી પ્રાયશ્ચિત્ત આપતા હતા, તે અપરાધમાં વર્તમાન કાળ દ્રવ્યાદિની અને સંઘયણ–ધીરજ-બળ આદિની હાનિ થવાથી ઉચિત બીજા કેઈ ઓછા તપથી પ્રાયશ્ચિત્ત આપવું તે જીતવ્યવહાર અથવા કોઈ આચાર્યના ગચ્છમાં કારણસર કોઈ અપરાધમાં સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તથી જુદું (ઉચિત) પ્રાયશ્ચિત્ત આપવાની પ્રવૃત્તિ શરૂ થઈ હોય, પછી બીજાઓએ પણ તે પ્રમાણે જ ચલાવ્યું હોય તે જીત વ્યવહાર. (૨૬). પ્રતિસેવા, પુરુષ વગેરેના ભેદથી આ પાંચ પ્રકારના વ્યવહારના અનુસાર આગમમાં અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આગમમાંથી જાણું લેવું. Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬-૨૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૬૩ - - - - - - - - - - - - = આગમ વ્યવહારીઓ (આલેચના કરનારના ભાવને ) પ્રત્યક્ષ જાણતા હોવાથી અપરાધ સમાન હોવા છતાં ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપતા હેવાથી પ્રાયશ્ચિત્ત ભિન્ન ભિન્ન હોય છે. શ્રુતવ્યવહારીઓ વગેરે મૃત આદિના આધારે પ્રાયશ્ચિત્ત આપતા હોવાથી પ્રાયશ્ચિત્ત અનેક પ્રકારનું થાય છે. તથા પ્રતિસેવા, વ્યાદિ, પુરુષ અને વખતના ભેદથી પ્રાયશ્ચિત્ત અનેક પ્રકારનું થાય છે. પ્રતિસેવાના (=દોષ સેવનના) + આકુટ્ટિકા, દર્પ, પ્રમાદ અને કલ્પ એમ ચાર પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ દ્રવ્યાદિ ચાર ભિન્ન ભિન્ન હોય છે. પુરુષના (== સેવનારના) આચાર્ય, ઉપાધ્યાય, વૃષભ, ભિક્ષુ, ક્ષુલ્લક (=વાન સાધુ) એમ પાંચ ભેદ છે. વખતના એટલે કે એક વાર, બે વાર, ત્રણ વાર એમ કેટલીવાર દોષનું સેવન કર્યું તેના અનેક ભેદે છે. આ રીતે પ્રકારે વિચિત્ર (=અનેક) હોવાથી અન્ય આચાર્યોને મત અસંગત નથી. (૨૭) * આકુફ્રિકા=ઈરાદાપૂર્વક દોષ સેવવાને ઉત્સાહ. દપ= દેડવું, કૂદવું, ઓળંગવું વગેરે અથવા હાસ્યજનક વચનાદિ. પ્રમાદ પ્રતિલેખના–પ્રમા ને આદિમાં અનુપયેગ. ક૯૫=પુષ્ટ કારણથી ગીતાર્થ ઉપયોગ પૂર્વક યતનાથી દોષને સેવે. (યતિજી ગા૦ ૨૫૦ સુતક ગા. ૭૪.) ૪ શારીરિક વિશિષ્ટ બળવાળા ગીતાર્થ સાધુને વૃષભ કહેવામાં આવે છે. તે સમુદાયના સાધુઓને વસ્ત્ર–પાત્ર આદિ મેળવી આપે છે. માસકલ્પ યોગ્ય અને ચાતુર્માસ યોગ્ય ક્ષેત્રની તપાસ કરે છે. આપત્તિના પ્રસંગે પ્રાણના ભેગે પણ સાધુ-સાધ્વીનું રક્ષણ કરે છે. તથા વૃદ્ધ અવસ્થાવાળા વૃષભ સાધુ સાધ્વીઓને વિહારમાં સહાયક બને છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૮થી ૩૧ - - - પ્રાયશ્ચિત્તના વિષયમાં પરમાર્થ :एयं च एत्थ तत्तं, असुहज्झवसाणओ हवति बंधो । आणाविराहणाणुगमेयपि य होति दट्टव्वं ॥ २८ ॥ सुहमावा तब्विगमो, सोऽविय आणाणुगो णिओगेण । पच्छित्तमेस सम्मं, विसिट्टओ चेव विष्णेओ ॥ २९ ॥ પ્રાયશ્ચિત્તના વિષયમાં પરમાર્થ (eતત્વ)નીચે મુજબ છે. અશુભ અધ્યવસાયથી અશુભ કર્મને બંધ થાય છે. અશુભ અધ્યવસાય જિનાજ્ઞાનું પાલન ન કરવાથી થાય છે. (૨૮) શુભભાવથી અશુભ કર્મને નાશ થાય છે. શુભભાવ જિનાજ્ઞાને અનુસરવાથી જ થાય છે. અર્થાત્ જે ભાવ જિનાજ્ઞાસુસારી છે તે જ શુભ છે, જે ભાવ જિનાજ્ઞાનુસારી નથી તે અશુભ જ છે. વિશિષ્ટ શુભભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત છે.(૨૯) વિશિષ્ટ શુભભાવનું સ્વરૂપ :असुहज्झवसाणाओ, जो सुहभावो विसेसओ अहिगो । सो इह होति विसिट्ठो, ण ओहतो समयणीतीए ॥ ३० ॥ इहरा बंभादीणं, आवस्सयकरणतो उ ओहेणं । पच्छित्तंति विसुद्धी, ततो ण दोसो समयसिद्धो ॥ ३१ ॥ પ્રાયશ્ચિત્તરૂપે વિવક્ષિત જે શુભભાવ અકૃત્યસેવનના કારણ અશુભ ભાવથી અધિક હોય, અર્થાત્ જેટલા પ્રમાણુના અશુભ ભાવથી અપરાધ થયો હોય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા બ્રાહ્મીનું દષ્ટાંત ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-ઉંચાશક : ૨૬૫ ઃ થાય, તેને અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ જાણો, નહિ કે સામાન્યથી ગમે તેવા શુભભાવને. (૩૦) ગમે તે સામાન્ય પણ શુભ ભાવ પ્રાયશ્ચિત્ત હોય તો બ્રાહ્મી, સુંદરી આદિનું આવશ્યક (-પ્રતિક્રમણ) કરવાથી જ સામાન્ય શુભ ભાવથી પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત, એનાથી કમનો નાશ થઈ ગયે હોત, અને કર્મનાશ થવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીપણાની પ્રાપ્તિ રૂપ દેષ ન થયો હોત. આથી ગમે તેવો શુભભાવ શુદ્ધિનું કારણ નથી. બ્રાહ્મીનો વૃત્તાંત નીચે મુજબ સાંભળવામાં આવે છે. મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિ નગરીમાં વાના નામને ચક્રવર્તી હતું. તેણે વૈરાગ્ય થવાથી ચાર ભાઈઓ સાથે વસેન નામના તીર્થંકર પાસે દીક્ષા લીધી. તે મૃતરૂપ સમુદ્રના પારને પામ્યા એટલે તેમને ગચ્છપાલનના અધિકારી બનાવ્યા. પાંચ સે સાધુઓ સાથે તે પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. બાહુ નામના તેમના ભાઈ લબ્ધિસંપન્ન હતા. તે અશન આદિથી સાધુઓની વૈયાવચ્ચ કરવામાં ઉદ્યમી હતા. સુબાહુ નામના ભાઈ સવાધ્યાય આદિથી થાકેલા સાધુઓની વિશ્રામણ-સેવા કંટાળ્યા વિના સદા કરતા હતા. પીઠ અને મહાપીઠ નામના બે બંધુઓ સ્વાધ્યાયરૂપ રમણીય મોટા બગીચામાં રમતા હતા, અર્થાત્ સવાધ્યાયમાં લીન રહેતા હતા. એક વખત આચાર્ય બાહ અને સુબાહુની ભાવથી પ્રશંસા કરી. અહે! સાધુઓના નિર્વાહમાં તત્પર આ બંને સાધુઓને Page #283 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૬ ઃ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૩૨-૩૩ ધન્ય છે ! આ સાંભળીને પીઠ અને મહાપીઠે વિચાર્યું કે, અહા ! આચાર્ય લૌકિક વ્યવહાર પ્રમાણે બાલે છે. જે કામ કરે તેની જ પ્રશંસા થાય છે, માટે પણ જે કામ ન કરે તે તેને તૃણ સમાન પણ ન માને; આ લૌકિક વ્યવહાર છે. આવી વિચારણાથી તે બંનેએ સ્ત્રીકર્મ બાંધ્યું. તે પાંચ મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને એક શ્રીનાભિપુત્ર થયા અને બીજા ચાર નાભિપુત્રના સંતાન થયા. તેમાં એક ભરત, બીજા બાહુબલી, ત્રીજા બ્રાહ્મી, ચોથા સુંદરી થયા. તે બધા કર્મથી મુક્ત બનીને માક્ષલક્ષમીને પામ્યા. (૩૧) વિશિષ્ટ શુભ ભાવ ઉત્પન્ન કરવાનાં ત્રણ કારણે :ता एयंमि पयत्तो, कायन्वो अप्पमत्तयाए उ । सति बलजोगेण तहा, संवेगविसेसजोगेण ।। ३२ ॥ एतेण पगारेणं, संवेगाइसयजोगतो चेव । अहिगयविसिट्ठभावो, तहा तहा होति णियमेणं ॥ ३३ ।। વિશિષ્ટ જ શુભભાવ શુદ્ધિનું નિમિત્ત છે માટે અપ્રમતતા, નાના-મોટા અતિચારો સંબંધી સ્મરણશક્તિ, અતિ શય ભવભય-આ ત્રણના વેગથી (જીવનમાં આ ત્રણને કેળવીને) વિશિષ્ટ શુભ ભાવ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવા જોઈએ, (૩૨) Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૪-૩૫ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૦૭૪ આ રીતે, એટલે કે બત્રીશમી ગાથામાં કહ્યું તેમ અપ્રમત્તતા અને સમરણશકિતના ચોગથી તથા અતિશય ભવભયના યોગથી આત્મવીર્થોલ્લાસ પ્રગટે છે, અને તેનાથી વિશુદ્ધિને હેતુ વિશિષ્ટ શુભભાવ અવશ્ય થાય. પ્રશ્ન:- અહીં એટલે બત્રીસમી ગાથામાં કહ્યું તેમ એ અર્થ છે. બત્રીસમી ગાથામાં અપ્રમત્તતા, સ્મરણશકિત અને અતિશય ભવભય એ ત્રણેને ઉલેખ છે. આથી પા પાસે એમ કહેવામાં અતિશય ભવભય પણ આવી જાય છે. છતાં અહીં રંગરૂપ જગતો એમ કહીને અતિશય ભવભયને ફરી સાક્ષાત્ ઉલ્લેખ કેમ ? ઉત્તર-વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાના આ ત્રણ કારણેમાં અતિશય ભવભય એ મુખ્ય કારણ છે એ જણાવવા તેને અહીં ફરી સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે. (૩૩) વિશિષ્ટ શુભભાવરૂપ પ્રાયશ્ચિત્તથી થતા લાભો :तत्तो तविगमो खलु, अणुबंधावणयणं व होजाहि । जं इय अपुव्वकरणं, जायति सेढी य विहियफला ॥ ३४ ॥ एवं निकाइयाणवि, कम्माणं भणियमेत्थ खवर्णति । तंपि य जुजइ एवं, तु भावियव्वं अओ एयं ॥ ३५ ॥ વિશિષ્ટ શુભભાવથી અશુભભાવથી બંધાયેલાં કર્મોનો નાશ જ થાય, અથવા અશુભભાવથી બંધાયેલાં કર્મોના WWW.jainelibrary.org Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૮ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાક ગાથા ૩૪૩૫ અનુખ ધના વિચ્છેદ થાય. કારણ કે વિશિષ્ટ શુભભાવથી અપૂવ કરણ નામનું આઠમુ· ગુણસ્થાન, ઉપશમશ્રેણિ અને *ક્ષપકશ્રેણિ થાય છે. અપૂર્વ કરણ ગુણુસ્થાનમાં પૂર્વે ન થયા ડાય તેવા વિશિષ્ટ શુભ અધ્યવસાયા થાય છે, અને તેનાથી અપૂર્વ સ્થિતિઘાત વગેરે થાય છે. શાસ્ત્રમાં ઉપશમશ્રેણુિનું ફળ અનુત્તર દેવલાકનુ་× સુખ અને ક્ષપકશ્રેણનું ફળ માક્ષ જણાવવામાં આવ્યું છે. (૩૪) આગમમાં “ તથના ૩ નિહાળવિ '' (=તપથી નિકાચિત પણ કર્મના ક્ષય થાય છે.) એ વચનથી નિકાચિત પણ જ્ઞાનાવરણીયાદિ ક્રમોનેા ક્રમોના ક્ષય થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ આ રીતે વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ અને શ્રેણિની ઉત્પત્તિ દ્વાશ ઘટે છે, આ શુભભાવરૂપ પ્રાયશ્ચિત્ત નિકાચિત પણ કર્મોના ક્ષયનું કારણ હાવાથી અશુભકમના ક્ષયનું અને અનુખ'ધના વિચ્છેદનું કારણ છે એ બરાબર વિચારવું. એક ભવમાં વધારેમાં વધારે બે વાર ઉપશમશ્રેણી હાય. બે વાર ઉપશમણિ માંડનાર તે ભવમાં નિયમા ક્ષેપકશ્રેણિ ન માંડે. એકવાર ઉપશમશ્રેણિ માંડનાર તે જ ભવમાં ક્ષપકણિ માંડી શકે એવા કાર્મીગ્રંથિક મત છે. જ્યારે સદ્ધાંતિક મતે એકવાર પણ ઉપશમશ્રેણિ માંડનાર તે ભવમાં ક્ષપકણ ન માંડી શકે. કારણ કે સિદ્ધાંતના મતે એક ભવમાં એક જ શ્રેણિ હેય. ( પ્રવ॰ સારા॰ વગેરેના આધારે. ) × ભવક્ષયથી ઉપશમશ્રેણિથી પડનાર નિયમા અનુત્તર દેવલાકમાં ઉત્પન્ન થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૬-૩૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ર૯ : નિકાચિત-ઉપશમનાદિ કરણ ન લાગી શકે તે રીતે ગાઢ બંધાયેલાં. (૩૫) આગમોક્ત અનુષ્ઠાનમાં પ્રાયશ્ચિત્ત યોગ્ય નથી એવા કોઇના મતનું પ્રતિપાદન – विहियाणुट्ठाणंमी, एन्थं आलोयणादि जं भणियं । तं कह पायच्छित्तं, दोसाभावेण तस्सित्ति ॥ ३६ ॥ अह तंपि सदोसं चिय, तस्स विहाणं तु कह णु समयम्मि । न य णो पायच्छित्तं, इमंपि तह कित्तणाओ उ ॥ ३७ ।। આગમત ભિક્ષાચ આદિ અનુષ્ઠાનમાં આલોચના, કાયોત્સર્ગ વગેરે જે પ્રાયશ્ચિત્ત આગમમાં કહેલ છે તે ઘટતું નથી. કારણ કે આગમોક્ત ભિક્ષાચર્યા વગેરે અનુષ્ઠાને નિર્દોષ છે. અર્થાત્ દેશમાં પ્રાયશ્ચિત્ત હોય, જ્યારે આ અનુષ્ઠાને નિર્દોષ છે. આથી તેમાં પ્રાયશ્ચિત્ત ન હોય. આગમમાં (આવશ્યક ભાષ્ય ગાથામાં) આગમત અનુષ્ઠાનેમાં પ્રાયશ્ચિત્તનું વચન આ પ્રમાણે છે :भत्ते पाणे सयणासणे य अरहंतममणसेज्जासु । उच्चारे पासवणे, पणवीसं होति ऊसासा ॥ २३४ ॥ આહાર-પાણી નિમિત્તે અન્ય ગામ વગેરેમાં ગયેલા સાધુઓ જે ત્યાં આહાર-પાણીની વાર હોય તે ઈરિયાવહિયા પડિક્કમીને સ્વાધ્યાયાદિ કરે. ભિક્ષાથી આવીને પણ ઈરિયાવહિયા પડિક્કમે. એ પ્રમાણે શય્યા ( સંથારો કે Page #287 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૦ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૩૮ વસતિ) અને આસન માટે ગમનાગમનમાં પણ સમજવું. જિનમંદિર અને સાધુઓની વસતિમાં ગયેલા સાધુઓ ઇરિયાવહિયા પ્રતિક્રમણ કરીને બેસે. સ્થડિલ કે માત્રુ પર. ઠવવા એક હાથ જેટલું દૂર ગયા હોય તે પણ પરઠવીને ઇરિયાવહિયા પ્રતિક્રમણ કરે. માત્રકમાં રહેલા જીવાદિથી સંસક્ત આહાર આદિ પરઠવવાનું હોય તો જે પરઠવે તે ઈરિયાવહિયા કરે. સ્વાસ્થાનથી સે હાથથી અધિક જવાનું થાય તો ઈરિયાવહિયા કરે. આમાં પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ કરે.” (૩૬). હવે તમે કહેશે કે આગામેક્ત પણ અનુષ્ઠાન સદષ= અતિચાર સહિત છે, તો પ્રશ્ન થાય છે કે શાસ્ત્રમાં તેનો ઉપદેશ કેમ છે? અર્થાત્ શાસ્ત્રમાં સદોષનો ઉપદેશ ઘટે નહિ. શાસ્ત્રમાં નિર્દોષ અનુષ્ઠાનોને ઉપદેશ હોય, સદોષ અનુષ્ઠાનોને નહિ. હવે કદાચ તમે કહેશો કે આલોચનાદિ વગેરે પણ પ્રાયશ્ચિત્ત જ નથી, તે તેમ કહેવું પણ ઠીક નથી. કારણ કે આગમમાં આલોચના વગેરેનું પ્રાયશ્ચિત્ત તરીકે વર્ણન છે. તે આ પ્રમાણે : आलोयण पडिकमणे, मीस विवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवट्ठया य पारंचिए चेव ॥ १४१८ ॥ [ આ ગાથા આ નિની છે. તેનો અર્થ આ પંચાશકની બીજી ગાથાના ભાવાર્થ મુજબ છે.] (૩૭) ઉપર્યુક્ત મતનું નિરાકરણ :भण्णइ पायच्छित्तं, बिहियाणुट्ठाणगोयरं चेयं । तत्थवि य किंतु सुहुमा, विराहणा अस्थि तीइ इमं ॥ ३८ ॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૭૧? - - - - - અહીં ઉત્તર આ પ્રમાણે છે–પ્રાયશ્ચિત્ત છે=ઘટે છે, અને એ પ્રાયશ્ચિત્ત આગમોકત અનુષ્ઠાને સબંધી છે. પણ આગમત ક્રિયામાં પણ જે સૂક્ષમ વિરાધના (૬ખંડના) થાય છે તેની શુદ્ધિ માટે એ આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે. [ અર્થાત્ આગમક્ત અનુષ્ઠાન કર્યું માટે પ્રાયશ્ચિત્ત આવ્યું એમ નથી, કિંતુ આગમત ક્રિયામાં સૂક્ષ્મ વિરાધના થઈ માટે પ્રાયશ્ચિત્ત આવ્યું. એટલે વસ્તુતઃ તે વિરાધનાનું પ્રાયશ્ચિત્ત છે, આગમોક્ત અનુષ્ઠાનેનું નહિ. ] અહી પાઘfછત્ત પ્રાયશ્ચિત્ત છે=ઘટે છે એમ કહીને છત્રીસમી ગાથામાં પ્રાયશ્ચિત્ત ઘટતું નથી એમ જે કહ્યું હતું તેનું “ આગમત અનુષ્ઠાનમાં થતી સૂક્ષમ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત છે” એ યુક્તિથી નિરાકરણ કર્યું. તથા વિદિયાળુટ્ટાગોચર શું = પ્રાયશ્ચિત્ત આગમત અનુષ્ઠાન સંબંધી છે” એમ કહીને સાડત્રીસમી ગાથામાં “હવે જે તમે કહેશે કે આગમત અનુષ્ઠાનો સદેષ છે” ઈત્યાદિ જે કહ્યું છે તેનું નિરાકરણ કર્યું છે. કારણ કે અનુષ્ઠાન સ્વરૂપે શુદ્ધ હોવાથી અનુષ્ઠાન કરવા માત્રથી પ્રાયશ્ચિત્ત નથી, કિંતુ તેમાં થતી સૂક્ષ્મ વિરાધનાથી છે. આથી હવે જે તમે કહેશે કે અનુષ્ઠાનો સદેષ છે ઈત્યાદિ પ્રશ્નને સ્થાન જ રહેતું નથી. આનો સાર એ આવ્યું કે અનુષ્ઠાને સ્વરૂપે તે શુદ્ધ છે. એટલે અનુષ્ઠાન કરવા સંબંધી પ્રાયશ્ચિત નથી, કિંતુ અનુષ્ઠાન કરવામાં થયેલી સૂક્ષમ વિરાધના સંબંધી પ્રાયશ્ચિત છે. ] (૩૮) WWW.jainelibrary.org Page #289 -------------------------------------------------------------------------- ________________ : २७२ : १६ प्रायश्चित्तविधि-५ याश आया थी४३ - ઉપયોગવાળાને પણ સૂક્ષ્મ વિરાધના કેમ હેય તેનું સમાધાન :सवावस्थासु जओ, पायं बंधो भवत्थजीवाणं । भणितो विचित्तमेदो, पुवायरिया तथा चाहू ॥ ३९ ॥ (उपयोगाणा. पण सूक्ष्म विराधना होय छे.) કારણ કે આગમમાં સંસારમાં રહેલા જીને સરાગ અવસ્થા, વીતરાગ અવસ્થા વગેરે પ્રાયઃ સઘળી અવસ્થાઓમાં અનેક પ્રકારના કર્મબંધ કહ્યો છે. આ અમે જ કહીએ છીએ એમ નથી, કિંતુ પૂર્વાચાર્યો પણ તે પ્રમાણે કહે છે. અગ અવસ્થામાં કર્મબંધ ન થાય એટલા માટે અહીં “प्राय: सबजी अवस्था सामा" मेम प्रायः यु छ. (36) પૂર્વાચાર્યોએ કહેલ અનેકવિધ બંધ:सत्तविहबंधगा होति पाणिणो भाउबजियाणं तु । तह सुहुमसंपराया, छविहबंधा विणिदिट्ठा ॥ ४० ॥ मोहाउपवजाणं पगडीणं ते उ बंधगा भणिता । उवसंतखीणमोहा, केवलिणो एगविहबंधा ॥ ४१ ॥ ते पुण दुसमयठितियस्स बंधगा ण पुण संपरायसस । सेलेसीपडिवण्णा, अबंधया होति विण्णेया ॥ ४२ ॥ अपमत्तसंजयाणं, बंधठिती होति अट्ठ उ मुहुत्ता । उक्कोसेण जहण्णा, भिण्णमुहुत्तं तु विण्णेया ॥ ४३ ॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૪ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૭૩ : जे उ पमत्ताणाउट्टियाइ बंधंति तेसि बंधठिती । संवच्छराणि अट्ट उ, उकोसियरा मुहुरंतो ॥ ४४ ॥ (સામાન્યથી સંસારના બધા જ પ્રતિસમય) આયુષ્ય સિવાય સાત કર્મોને બંધ કરે છે. કારણ કે આયુષ્ય એકભવમાં એક જ વાર (અને તેમાં પણ અંતમુહૂત સુધી જ) બંધાય છે. દશમા ગુણસ્થાને રહેલા જીવો મેહ અને આયુષ્ય સિવાય છ કર્મોને બંધ કરે છે. ઉપશાંતમોહ, ક્ષીણમેહ અને સગી કેવલી એ ત્રણ બેઝ સમયની સ્થિતિવાળા એક સાતા વેદનીય કર્મ ને બંધ કરે છે. તેમને યોગનિમિત્તક બંધ હોય છે, કષાયનિમિત્તક નહિ. કારણ કે કષાયોને સર્વથા ઉદય ન હોય. શિશી અવસ્થાને પામેલા જીવોને એક પણ કર્મને બંધ ન હોય. (૪૦થી૪૨) પ્રકૃતિબંધની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં બંધ કહ્યો. હવે તેને સ્થિતિબંધની અપેક્ષાએ કહે છે - સાતમા ગુણસ્થાને રહેલા અપ્રમત્ત સાધુઓને ઉત્કૃષ્ટથી આઠ મુહૂર્ત અને જઘન્યથી અંતમુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. (૪૩) છઠ્ઠા ગુણસ્થાને રહેલા પ્રમત્ત સાધુઓમાં જે સાધુએ ઈરાદા વિના= ઉત્સાહ વિના પ્રાણાતિપાત આદિ વિરાધનામાં વર્તતા હોય ત્યારે તેઓ જે કમને બંધ કરે છે તેમને ઉત્કૃષ્ટથી આ પહેલા સમયે બંધાય અને બીજા સમયે ઉદયમાં આવે એમ સાતવેદનીયની બે સમયની સ્થિતિ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૪ ૩ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પ‘ચાશક આઠ વર્ષ અને જઘન્યથી અ'તર્મુહૂત પ્રમાણુ સ્થિતિમધ થાય છે. (૪૪) ગાથા ૪૫ ઉપર્યુ ક્ત વિષયની પ્રસ્તુત વિષયમાં યેાજના :– ता एवं चिय एयं, विहियाणुडाणमेत्थ हवइत्ति | कम्मा णुबंध छेयमहं आलोयणादिजुयं ॥ ४५ ॥ સર્વ અવસ્થાઓમાં કમ ખધ છે. કર્મ બંધથી વિરાધના જાણી શકાય છે. (કારણ કે વિરાધના વિના કમ બંધ ન હોય) છદ્મસ્થ વીતરાગને પણ દ્રવ્યથી સૂક્ષ્મ વિરાધના હૈાય છે એ શાસ્ત્રસ'મત છે કારણ કે શાસ્ત્રમાં છદ્મસ્થ વીતરાગને ચારે મનાયેાગ વગેરે હોય છે એમ કહ્યુ છે. આથી વિરાધનાની શુદ્ધિ કરવી જરૂરી હાવાથી આલેચક્રિ પ્રાયશ્ચિત્ત સહિત આગમાક્ત અનુષ્ઠાનેા કર્મના અનુબંધને છંદનારાં અને નિર્દોષ મને છે. ( અર્થાત્ આગમાક્ત અનુષ્ઠાના આલેાચનાદિ પ્રાયશ્ચિત્ત વિના કર્મના અનુબંધને છેદનારાં અને નિર્દોષ અનતાં નથી, કિંતુ આલેાચનાદિ પ્રાયશ્ચિત્ત સહિત હૈાય તા * છદ્મસ્થ વીતરાગને પણ ચાર મનેયાગ, ચાર વચનયોગ અને ઔદારિક કાયયેાગ એમ નવ યાગ ાય છે. આમાં અસત્ય અને મિશ્ર મનાયેાગ તથા વચનયોગ પણ છે. આથી છદ્મસ્થ વીતરાગથી પણ અજ્ઞાનતાના કારણે અસત્ય કે મિશ્ર વિચારાઈ જવાય કે ખેાલી જવાય એની સ‘ભાવના છે. કાયાથી અતિચારવાળી પ્રવૃત્તિ થાય. આમ છતાં રાગ-દ્વેષ વગેરે દાષા ન હેાવાથી એ બધું દ્રવ્યથી થાય, ભાવથી નહિ. આથી અહીં છદ્મસ્થ વીતરાગને પણ દ્રવ્યથી સૂક્ષ્મ વિરાધના હાય એમ કહ્યું છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬-૪૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૭૫ : કર્મના અનુબંધને છેદનાશ અને નિર્દોષ બને છે. આમ અહીં આલેચના સહિત એ વિશેષણની મુખ્યતા છે.] (૪૫) પ્રસ્તુત વિષ્યમાં મતાંતર અને તેનું નિરાકરણ:विहिताणुट्ठाणतं, तस्सवि एवंति ता कहं एयं । पच्छित्तं णणु भण्णति, समयंमि तहा विहाणाओ ॥ ४६ ॥ પ્રશ્ન:- આગમેક્ત અનુષ્ઠાને આલોચનાદિ પ્રાયશ્ચિત્ત સહિત હોય તો કર્મ સત્તાને છેદનારાં બને છે એમ માનવાથી આલેચનાદિ પ્રાયશ્ચિત્ત પણ આગમત અનુષ્ઠાન=કરવા યોગ્ય ક્રિયા બને. આમ બને તે તે પ્રાયશ્ચિત્ત કેમ કહેવાય ? [ અર્થાત્ જેમ ભિક્ષાચર્યાદિ આગમાક્ત અનુષ્ઠાન હોવાથી વિશય (Eશુદ્ધિ કરવા લાયક) છે, વિશોધક (શુદ્ધિ કરનાર) નથી; તેમ પ્રાયશ્ચિત્ત પણ જે આગમક્ત અનુષ્ઠાન બને તે વિશેષ્ય કહેવાય, વિશેધક ન કહેવાય. જે વિશેધક હોય= શુદ્ધિનું કારણ હોય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રાયશ્ચિત્ત આગાક્ત અનુષ્ઠાન બને તે વિશેધક ન બનવાથી પ્રાયશ્ચિત્ત ન કહેવાય.] ઉત્તર:- શાસ્ત્રમાં આલોચનાદિને પ્રાયશ્ચિત્ત રૂપ=વિશેધક રૂપે કહેલ હોવાથી આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કહેવાય. (૪૬) પ્રાયશ્ચિત્ત આગમત છે એની સિદ્ધિ :विहियाणुट्ठाणं चिय, पायच्छित्तं तदण्णहा ण भवे । समये अभिहाणाओ, इत्थपसाहगं णियमा ॥ ४७ ॥ પ્રાયશ્ચિત્ત પણ આગમાક્ત જ અનુષ્ઠાન છે. કારણ કે આગમમાં ભિક્ષાચય આદિ અનુષ્ઠાનની જેમ પ્રાયશ્ચિતનું Page #293 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૬ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પ'ચાશક ગાથા ૪૮-૪૯ પણ વિધાન છે. જો પ્રાયશ્ચિત્ત આગમાક્ત અનુષ્ઠાન ન હોય તે। શુદ્ધિરૂપ ઇષ્ટ અર્થનું સાધન જ બને. જે ઈં અનુ સાધક ન હાય તે હિંસાદિની જેમ આગમાક્ત પણ ન હેાય. પ્રાયશ્ચિત્ત ઈષ્ટ અથનું સાધક છે માટે આગમાક્ત છે. (૪૭) પ્રાયશ્ચિત્ત આગમાક્ત છે એનું સમન ઃ~~ सव्वावि य पव्वज्जा, पायच्छित्तं भवंतरकडाणं । પાવાળું માળે, તા થી નથિ ઢોરોત્તિ || ૪૮ || પ્રાયશ્ચિત્ત જ શું કામ ? સ ́પૂર્ણ જ દીક્ષા ભવાંતરમાં કરેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે=શુદ્ધિનું કારણ છે. આથી પ્રત્રયારૂપ પ્રાયશ્ચિત્ત આગમાક્ત હોવાથી (પ્રત્રજ્યાના એક દેશ રૂપ પ્રસ્તુત) પ્રાયશ્ચિત્તને આગમાક્ત માનવામાં ફાઈ ઢાષ નથી. (૪૮) સારી રીતે કરેલા પ્રાયશ્ચિત્તનું લક્ષણ :— चिण्णस्स णवरि लिंगं, इमस्स पाएणमकरणया तस्स । दोसस्स तहा अण्णे, नियमं परिसुद्धए विति ॥ ४९ ॥ îl, વિંતિ ॥ ॥ જે દોષનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યુ હોય તે દેષ પ્રાયઃ ફ્રી ન સેવવે એ સારી રીતે (=શુદ્ધ) કરેલા પ્રાયશ્ચિત્તનું લક્ષણ * આ ગાથાના ટીકામાં બીજો અર્થ પણ કર્યો છે, પણ તેના ૪૬મી ગાથાના અર્થ સાથે સંબધ હાવાથી તે સબધ બતાવવા વિસ્તૃત લખવું પડે તેમ હેાવાથી અને એ અર્થ ગૌણુરૂપ હેાવાથી અહીં લખ્યા નથી. Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાયા ૫૦ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પોંચાશક છે. અર્થાત્ જે દોષનું પ્રાયશ્ચિત્ત સ્વીકારે તે દોષને જે જીવ ફરી ન સેવે તેનું પ્રાયશ્ચિત્ત શુદ્ધ છે=સારી રીતે કરેલું છે એમ જાણી શકાય છે. શુદ્ધ પ્રાયશ્ચિત્તવાળા જીવ પણ જેનું પ્રાયશ્ચિત્ત કર્યું છે. એ દોષ ( સચાગાદિવશાત્) સેવે એવું અને માટે અહીં ‘પ્રાયઃ ' કહ્યુ છે. અહી... ખીજા આચાર્યોને પ્રાયઃ એ વિશેષણ ઈષ્ટ ન હાવાથી તેઓ જેનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું હોય તે દોષ જતા રહે અને ફરી ન કરે તેા જ શુદ્ધ પ્રાયશ્ચિત્ત છે એમ કહે છે. છે ત બીજાએ મળે ખિચમં મુિદ્રપ વિંતિ એ પટ્ટાને અથ આ પ્રમાણે કરે છે :- કેટલાક આચાર્યાં (જે દોષનું સેવન કર્યુ” હોય તે) દોષની વિશુદ્ધિ માટે સ`સારપ ત તે દોષ નહિ કરવાના નિયમને શુદ્ધ પ્રાયશ્ચિત્ત કહે છે. કારણુ કે ( નિયમ કરવાથી ) તે દેષનું ફી કયારે ય સેવન થતું નથી. (૪૯) : ૨૭૭ : ઉક્ત મતાંતર પણ સંગત છે તેનું પ્રતિપાદન :—— णिच्छयणएण संजमट्ठाणापातंमि जुञ्जति इमंपि । तह चैव पयट्टाणं, भवविरहपराण साहूणं ।। ५० ।। || || નિશ્ચયનના મતે, અર્થાત્ પરિણામની દૃષ્ટિએ, ચારિત્રની શુદ્ધિવિશેષરૂપ સંચમસ્થાનથી પતન ન થાય ત્યારે સયમથી પતિત નહિ બનનારા અને સ`સારક્ષય માટે તત્પર સાધુઓને આશ્રયીને અન્ય આચાર્યોના મત પણ ઘટે છે. (૫૦) * Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ક૯૫ પંચાશક સોળમા પંચાશકમાં પ્રાયશ્ચિત્તનું વર્ણન કર્યું. સ્થિત વગેરે કપમાં રહેલા સાધુઓ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે અને તેને પૂર્ણ કરે છે. આથી હવે સ્થિત વગેરે ક૯૫નું સ્વરૂપ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે કહે છે :नमिऊण महावीरं, ठियादिकप्पं समासओ वोच्छं । पुरिमेयरमज्झिमजिण विभागतो वयणनीतीए ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પહેલા, છેલ્લા અને મધ્ય બાવીશ જિનેને આશ્રયીને સ્થિત અને અસ્થિત કને આચારોને બૃહત્ક૯પ આદિ સૂત્રોના આધારે સક્ષે પથી કહીશ. અહીં મય જિનના ઉ૯લેખના ઉપલક્ષણથી મહાવિદેહ ક્ષેત્રના જિનને ઉલ્લેખ પણ સમજી લે. કારણ કે ગ્રંથકાર ભગવંત ૪૦ મી ગાથામાં પૂર્વ વિનિr=“બાવીશ જિનના સાધુઓના આચારે પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રના જિનના સાધુઓના આચારો હોય છે” એમ કહેશે. (૧) રિતક૫નું સ્વરૂપ અને તેને શબ્દાર્થ – दसदोहओ उ कप्पो, एस उ पुरिमेयराण ठियकप्पो । सययासेवणभावा, ठियकप्पो णिच्चमजाया ॥ २ ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૯૫-૫ચાશક કલ્પના સામાન્યથી આચેલ દશ પ્રકારને આ કલ્પ પહેલા અને આને આશ્રયીને સ્થિત ( =નિયત ) તેમને એનું આચરણુ સદા કરવાનું એટલે નિત્ય મર્યાદા.* (૨) ગાથા ૩-૪ : ૨૭૯ : વગેરે દશ પ્રકાર છે. છેલ્લા જિનના સાધુકહેવાય છે. કારણ કે હાય છૅ. સ્થિતકલ્પ સ્થિતકલ્પનું નિત્ય આચરણ કરવાનુ... કારણુ :— ततिओसहकप्पोऽयं, जम्हा एगंततो उ अविरुद्धो । सययंपि कजमाणो, બાળાકો ચૈવ તેસિ || રૂ ।। આ સ્થિતકલ્પ ત્રીજા ઔષધ સમાન હોવાના કારણે પહેલા અને છેદ્યા જિનના સાધુએને સદા કરવાની આજ્ઞા હાવાથી સદા કરવામાં આવે તા પણ એકાંતે હિતકર છે. કારણ કે તે શુભ છે. પ્રશ્ન :- પહેલા અને છેલ્લા જિનના સાધુઓને જ આની સદા કરવાની આજ્ઞા કેમ? ઉત્તર :- આનું કારણુ સરળતા, જડતા વગેરે છે. આનું વણુન આગળ આવશે. (૩) ત્રણ પ્રકારનાં ઔષધે :— वाहिमवणे भावे, कुणइ अभावे तयं तु पढमंति । बितियमवणेति न कुणति, तइयं तु रसायणं होति ॥ ४ ॥ * આચાર, વ્યવહાર, વ્યવસ્થા, મર્યાદા, કલ્પ, સામાચારી આ બધા શબ્દોના લગભગ સમાન અર્થ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૩૯૫–૫ચાશક ગાથા પ કાઈ રાજાને પુત્ર ઉપર અત્યંત પ્રેમ હતા. આથી તેણે પુત્ર સદા નીરાગી રહે એ માટે આયુર્વેદમાં કુશળ અનેક વૈદ્યોને ખેલાવીને મારા પુત્રને રાગેા ન થાય તેવા ઉપાય રા એમ કહ્યું. વદ્યોએ તેના વચનને તે રીતે જ સ્વીકાર કર્યાં. ત્યાર પછી રાજાની આજ્ઞા મુજમ ઔષધેા અનાવીને રાજાની પાસે આવ્યા. રાજાએ દરેક વૈદ્યને ઔષધના ગુણા પૂછ્યા. વૈદ્યોએ પણ ક્રમશઃ રાજાને ઔષધના ગુણ્ણા કહ્યા. તે આ પ્રમાણે :– પહેલું ઔષધ રાગહાય તા દૂર કરે છે, પણ રાગ ન હોય તા નવા રાગ ઉત્પન્ન કરે છે. બીજી ઔષધ રાગ હાય તા દૂર કરે છે અને રાગ ન હાય તા નવા રાગ ન કરે. ત્રીજી ઔષધ રાગ હાય તા રાગ દૂર કરીને પુષ્ટિ વગેરે ગુણ કરે છે તથા રાગ ન હોય તે નવા રાગ ન કરે, અને રસાયણ અને છે=પુષ્ટિ આદિ ગુણુ કરે છે. (૪) : ૨૮૦ : ઉક્ત દૃષ્ટાંતની પ્રસ્તુતમાં યાજનાઃ – एवं एसो कप्पो, दोसा भावेऽवि सुंदरभावाओ खलु, ફ્રાપ્તિરસાયાં कंजमाणो उ । ક્ષેત્રો || ૧ || ત્રીજા ઔષધની જેમ સ્થિતકલ્પ દોષ ન લાગ્યા હાય તા પણ આચરવામાં આવે તેા શુભ હાવાથી જ ચારિત્રરૂપ શરીરમાં પુષ્ટિ કરવાથી રસાયણુ સમાન અને છે, (૫) Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨ ૧૭ ક૯૫-પંચાશક : ૨૮૧ કલ્પના દશ પ્રકાર :કાવેરસિદ-ણિજ્ઞા–રાયવિંદ- દિm . વય-ઝેટ્ટ-ટિમળે, મા- ઘોળણો | ૬ | કહપના આગેલ, ઓશિક, શાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિકમણ, માસ અને પર્યુષણ એમ દશ પ્રકાર છે. આચેલક્ય=વસ્ત્રનો અભાવ. દેશિક=ઉદેશથી (=સાધુના સંકલપથી) તૈયાર થયેલ, અર્થાત્ આધાકર્મ. શય્યાતર વસતિથી સંસારસાગરને તરે તે શય્યાતર, અર્થાત્ સાધુને મકાન આપનાર, શય્યાતરને પિડ=ભિક્ષા તે શય્યાતરપિંડ. રાજપિંડ રાજાની ભિક્ષા. કૃતિકર્મ=વંદન. વ્રત=મહાવ્રતે. જચેષ્ઠ=રનાધિક. પ્રતિક્રમણ આવશ્યક કરવું. (માસ એક સ્થાને એક માસ સુધી રહેવું.) પર્યુષણ=સર્વથા એક સ્થાને રહેવું. સામાન્યથી આ દશ કલ૫ સાધુઓની ચગ્યતા મુજબ વિધિ-નિષેધથી સ્થિત (-નિયત) અને અસ્થિત (અનિયત) હોવાથી ઓઘકલ્પ કહેવાય છે. વિશેષથી આ દશ કલ્પ પહેલા અને છેલલા જિનના સાધુઓને સ્થિત (-નિયત) હોવાથી તેમને આશ્રયીને સ્થિતકલ્પ છે. | બાવીસ જિનના સાધુઓને છ ક૯૫ અસ્થિત અને ચાર ક૯૫ સ્થિત છે.] (૬) * બ. ક. ગા. ૬૩૬૪, પ્ર. સાવ ગા. ૬૫૦ થી ૬૫૮. Page #299 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ ઃ ૧૭ ક૫-પંચાશક ગાથા ૭ થી ૧૦ અસ્થિતકલ્પનું પ્રતિપાદન :छसु अढिओ उ कप्पो, एतो मज्झिमजिणाण विण्णेयो । णो सययसेवणिज्जो, अणिचमेरासरूवोत्ति ॥ ७ ॥ आचेलकुदेसिय-पडिकमण-रायपिंड-मासेसु । पज्जुसणाकप्पंमि य, अट्ठियकप्पो मुणेयव्वो ॥ ८ ॥ બાવીસ જિનના સાધુઓને નીચે કહેવાશે તે છે ક૯૫ અસ્થિત(અનિયત) છે. કારણ કે તે છ અનિયત મર્યાદાવાળા હેવાથી સદા આચરવાના હેતા નથી. અર્થાત્ તે સાધુઓ આ છનું કયારેક પાલન કરે છે અને ક્યારેક પાલન કરતા નથી. (૭) આચેલક્ય, દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકલ્પ અને પયુંષણ ક૯પ આ છ કપ મધ્યમ જિનના સાધુઓને અસ્થિત છે. (૮) મધ્યમ જિનના સાધુઓના ચાર સ્થિતકનું વર્ણન:सेसेसु ठियकप्पो, मज्झिमगाणंपि होइ विष्णेओ । चउसु ठिता छसु अठिता, एत्तो चिप भणियमेयं तु ॥ ९ ॥ सिजायरपिंडंमि य, चाउजामे य पुरिसजेठे य ।। कितिकम्मस्स य करणे, ठियकप्पो मज्झिमाणं पि ॥ १० ॥ બાકીના શયાતરપિંડ આદિ ચાર ક૫ મધ્યમ જિનના સાધુઓને પણ સ્થિત જ છે. આથી જ આગમમાં રજુ Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૧-૧૨ : ૨૮૩ : ૧૭ ૬૯૫-૫'ચાશક ટિતા ઇસુ મટિમા= “મધ્યમજિનના સાધુએ ચાર કલ્પમાં સ્થિત છે અને છ કલ્પમાં અસ્થિત છે” એમ કહ્યુ` છે. (૯) શય્યાતરપિંડ, ચાર મહાવ્રતા, પુરુષજ્યેષ્ઠતા, અને કૃતિકમ એ ચાર મધ્યમજિનના સાધુઓને પણ સ્થિતકલ્પ છે. (૧૦) આચેલકથનુ* સ્વરૂપ – दुविहा एत्थ अचेला, संतासंतेसु होइ विष्णेया । तित्थगर संत चेला, संताऽचेला भवे सेसा ॥ ११ ॥ ॥ ॥ आचेलको धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, होइ सचेलो अचेलो य ॥ १२ ॥ અહી વસ્ર ન ડાય ત્યારે અચેલક અને વસ્રા હાવા છતાં ચેલક એમ એ પ્રકારે અચેલક (=વસ્ત્ર રહિત) છે. તીથ કરી ઇંદ્રે આપેલું દૈવષ્ય ન હોય ત્યારે અચેલક અને છે. સાધુઓ વચ્ચે હોવા છતાં અચેલક છે. (૧૧) પહેલા અને છેલ્લા જિનના સાધુઓને અચેલક (=વસ્ત્રના અભાવવાળા) ચારિત્રધમ હાય છે, પ્રશ્ન :- શું પહેલા – છેલ્લા જિનના સાધુઓ સથા વસ્ત્રરહિત હાય છે? ઉત્તર ઃ- ના. તે સાધુએ વસ્રસહિત હાવા છતાં શ્વેત અને ખાડિત વગેરે વસ્રા હાવાથી વઅરહિત છે એમ કહેવાય. વસ્ત્રા જેવાં જોઇએ તેવાં ન હાય તા વચ્ચે હૈાવા છતાં વસ્ત્રા નથી એવા વ્યવહાર દેખાય છે. (વિશેષામાં) કહ્યુ` છે કે Page #301 -------------------------------------------------------------------------- ________________ = ૨૮૪ : ૧૭ ક૯૫-પંચાશક ગાથા ૧૧૧૨ जह जलमवगाहतो, बहुचेलोऽधि सिरवेढियकडिल्लो । भन्नइ नरो अचेलो, तह मुणओ संतचेलाऽवि ॥ २६०० ॥ तह थोवजुन्नकुच्छिय-चेलेहिवि भन्न अचेलोत्ति । जह तूर सालिय ! लहु', दे पोत्ति नग्गिया मोत्ति ॥२६०१ ।। જેમ પાણીથી પલળે નહિ એટલે પહેરેલાં વસ્ત્રો મસ્તક ઉપર મૂકીને પાણીમાં ચાલતે માણસ તેની પાસે ઘણું વસ્ત્રો હોવા છતાં વસ્ત્રરહિત કહેવાય છે = વસ્ત્રરહિત બનીને નદી ઉતર્યો એમ કહેવાય છે, તે રીતે મુનિએ વસ્ત્ર સહિત હોવા છતાં અ૫, જીરું અને મલિન વસ્ત્રો હોવાથી વસ્ત્રરહિત કહેવાય છે. (૨૬૦૦) તથા કોઈ સ્ત્રીએ જુનાં વસ્ત્રો પહેર્યા હોવા છતાં વણકર તેનાં નવાં વસ્ત્રો જલદી બનાવતા ન હોય તો તે વણકરને કહે છે કે- હે વણકર ! હું નાન ફરું છું. માટે ઉતાવળથી બનાવીને મારી સાડી જલદી આપ; તે રીતે સાધુઓ અ૫-જીણું–મલિન વચ્ચે હોવાથી વરહિત કહેવાય છે.” (૨૦૦૧) મધ્યમ જિનના સાધુઓને સચેલક કે અચેલક ધર્મ હેય છે. પ્રશ્ન:- પહેલા-છેલ્લા અને મધ્યમ જિનના સાધુઓમાં વસ્ત્રો માટે આ ભેદ કેમ છે? * અલ્પશબ્દથી અલ્પમૂલ્યવાળાં, અલ્પસંખ્યા, પ્રમાણપત વગેરે અર્થ લઈ શકાય. Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩ ૧૭ ક૯૫-પંચાશક : ૨૮૫ ઃ – ઉત્તર – મધ્યમ જિનના સાધુઓ ત્રાજુ અને પ્રાણ હેવાથી તેમને બહુમૂલ્ય વગેરે વિવિધ અને અ૫મૂલ્યાદિવાળા એમ બંને પ્રકારનાં વસ્ત્ર પહેરવાની અનુજ્ઞા છે. [ આથી જ્યારે બહુમૂલ્ય વગેરે વિવિધ વસ્ત્ર પહેરે ત્યારે સચેલક અને અપમૂલ્યાદિવાળાં વસ્ત્રો પહેરે ત્યારે અલક હોયપહેલા જિનના સાધુઓ ઋજુ અને જડ હેવાથી તથા છેલ્લા જિનના સાધુઓ જડ અને વક્ર હોવાથી તેમને બહુમૂલ્યાદિવાળાં વસ્ત્રો પહેરવાની અનુજ્ઞા નથી, કિંતુ શ્વેત અને માનેપેત વગેરે વસ્ત્રો પહેરવાની અનુજ્ઞા છે. આથી તેમનો ચારિત્ર ધર્મ અલક છે. (૧૨) સવસ્ત્ર પણ વસ્ત્ર રહિત કેમ ? એનું સમાધાનઃવા-મિહિલ, કામિદ્દ રૂ વઢુિં . लोगागमणीतीए, अचेलगत्तं तु पञ्चयतो ॥ १३ ॥ વસ્ત્રો હોવા છતાં અપમૂલ્યવાળાં અને ખંડિત વચ્ચે હોય તે વસ્ત્રરહિત છે એ બાબત લોકવ્યવહાર અને આગામવચન એ બંનેથી સમજી શકાય છે. લોક જીર્ણ વચ્ચે હોવા છતાં વિશિષ્ટ કાર્યના સાધક ન હોવાના કારણે ન હોવા તુલ્ય હોવાથી વા નથી એમ સમજે છે. આગમવચનથી પણ વસ્ત્રો હોવા છતાં અવશ્ય વરહિત કહેવાય છે. (ઉત્તરા પરિ૦ અ૦માં) કહ્યું છે કેपरिजुन्नेहिं वत्थेहिं, होक्खामित्ति अचेलए । अदुवा सचेलए होक्खं, इइ भिक्खू न चिंतप! ६० ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૬ ઃ ૧૭ ક૯પ-પંચાશક ગાથા ૧૪થી૧૬ અતિજીવાથી અચેલક બનીશ અથવા ચેલક બનીશ એમ સાધુ ન વિચારે.” ભાવાર્થ – “મારી પાસે અતિજીર્ણ વસ્ત્રો હોવાથી થોડા દિવસ ટકશે. આથી હું વસ્રરહિત બની જઈશ એમ સાધુ ન વિચારે. અથવા મને અતિજીણું વસ્ત્રવાળે જોઈને કેઈ શ્રાવક સુંદર વસ્ત્રો આપશે એમ સાધુ ન વિચારે. અર્થાત્ અતિજીણું વસવાળો સાધુ અન્ય વચ્ચે નહિ મળે એવી સંભાવના કરીને દીનતા ન કરે, અને મળશે એવી સંભાવના કરીને હર્ષ ન પામે.” (૧૩) ઔદેશિક કલ્પનું સ્વરૂપ - उद्देसियं तु कम्मं, एत्थं उदिस्स कीरते तंति । एस्थवि इमो विभागो, णेओ संघादवेक्खाए ॥ १४ ॥ संघादुद्देसेणं, ओघाइहि समणमाइ अहिकिच्च । कडमिह सव्वेसि चिय, ण कप्पड पुरिमचरिमाणं ॥ १५ ॥ मज्झिमगाणं तु इंदं, कडं जमुदिस्त तस्स वत्ति । नो कप्पड़ सेसाण उ, कप्पइ तं एस मेरत्ति ॥ १६ ॥ અહીં સાધુને ઉદ્દેશીને કરવામાં આવે તે દેશિક એવી વ્યુત્પત્તિથી ઔદેશિક એટલે આધાકર્મ. શિકના ૨૯ અહીં એટલે સ્થિત-અસ્થિત ક૯પના વિચારમાં. ગોચરીના દેના વિચારમાં તે પહેલા આધાકર્મ અને બીજો ઔદેશિક દેષ છે. એટલે ત્યાં શિકનો બીજો અર્થ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪થી૧૬ ૧૭ ૪૯૫-૫ચાશક વિષયમાં પહેલા વગેરે જિનના સ`ઘ અને શ્રમણુ વગેરેને આશ્રયીને ગ્રાહ્ય-અગ્રાહ્યના વિભાગ નીચે પ્રમાણે છે. (૧૪) : ૨૮૭ : સામાન્યથી કે વિશેષથી સંઘ (સાધુ-સાધ્વીના સમુદાય), સાધુ, સાધ્વી, ઉપાશ્રય કે કોઈ એક સાધુને ઉદ્દેશીને અનાવેલું. આધાકમાં પહેલા અને છેલ્લા જિનના બધા જ સાધુએને ન પે. અહીં (બૃહત્) કલ્પસૂત્રની ગાથા પ્રમાણે છે :— આ संघं समुद्दिसित्ता, पढमो बीओ य समणसमणीओ । તો સ્લપ વસ્તુ, પથ્થો નવુત્તિન્ન | બ્રૂક || ૪૯ ]/ जड़ सव्वं उद्दिसिउं, संघं कारेइ दोहवि न कप्पो । સવા સત્વે સમળા, સમળી યા તથઈવ સદૈવ ॥ जर पुण पुरिमं संघ, उद्दिस्सइ मज्झिमस्स तो कप्पे મશ્ર્વિમ પટ્ટેિ પુ, રો વિ ચિંચો || ૪૬ / । एमेव समणवग्गे, समणीवग्गे य पुग्धउद्दिट्ठे । માિમનાનું હવે, તૈત્તિર્યં હોય ન પે ॥ ૪૭ || “ આધાકમ બનાવનારના મુખ્ય ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે ઃ- (૧) કેાઈ સ ંઘને (-સાધુ-સાર્વીના સમુદાયને) ઉદ્દેશીને, (૨) કાઈ સાધુઓને યા સાધ્વીઓને ઉદ્દેશીને, (૩) કાઈ ઉપાશ્રયને ઉદ્દેશીને, (૪) ઢાઇ અમુક એક સાધુને ઉદ્દેશીને આધાકમાં કરે. તેમાં સાંઘ, સાધુ, સાધ્વી અને ઉપાશ્રય સ`ખ'ધી આધાકમના સામાન્યથી અને વિશેષથી Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ફ૯૫-૫ચાશક ગાથા ૧૪થી૧૬ એમ એ ભેદ છે. (૧) કાઈ અમુક જિનના સંઘ (=સાધુસાધ્વીના સમુદાય) એમ વિશેષ વિના સર્વસામાન્ય સઘને ઉદ્દેશીને કરે એ સામાન્યથી સઘ સબધી આધાકમ છે. (૨) પ્રથમ, મધ્યમ કે અંતિમ જિનના સધ એમ વિશેષથી કાઇ અમુક સઘને ઉદ્દેશીને કરે એ વિશેષથી સ`ઘસ ખ’શ્રી આધાક્રમ છે. (૩) અમુક જિનના સાધુઓ એવા વિભાગ કર્યા વિના સર્વ સામાન્ય સાધુએને ઉદ્દેશીને કરે એ સામા ન્યથી સાધુ સ`બધી આધામ છે. (૪) પ્રથમ, મધ્યમ કે અ`તિમ જિનના સાધુઓ એમ વિશેષથી કાઈ અમુક સાધુએને ઉદ્દેશીને કરે તે વિશેષથી સાધુસ‘બધી આધાકમ છે. એવી રીતે સાધ્વી સબંધી અને ઉપાશ્રયસંધી આધાકમના પણ સામાન્યથી અને વિશેષથી એ બે ભેદ સમજી લેવા, (૫૩૪૪) : ૨૮૮ : આધાક્રમના ઉક્ત પ્રકારામાં કલ્પ્ય-અકલ્પ્યને વિધિ આ પ્રમાણે છે:- (૧) સામાન્યથી સધને ઉદ્દેશીને બનાવેલુ પચયામિક (-પાંચ મહાવ્રતવાળા) અને ચતુર્યામિક (=ચાર મહાવ્રતવાળા) એ અને પ્રકારના સઘને ન કહ્યું. જેમકેઋષભદેવ અને અજિતનાથ જિનના સઘ (=માધુ-સાધ્વીનેા સમુદાય) ભેગેા થયા હૈાય ત્યારે સામાન્યથી સધને ઉદ્દેશીને કરેલું. આધાકમાં પચયામિક કે ચાનુયાર્મિક કાઈ પણ સાધુ-સાધ્વીને ન ક૨ે સામાન્યથી સાધુએને ઉદ્દેશીને બનાવેલું પણ પચયામિક અને ચાતુર્યામિક એ બંને પ્રકારના સાધુઓને ન કલ્પે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫-૧૬ ૧૭ ક૫-પંચાશક : ૨૮૯ : (૩) તેવી રીતે સામાન્યથી સાધ્વીને ઉદ્દેશીને બનાવેલું બધી સાધ્વીઓને ન કપે. (૫૩૪૫) સામાન્ય શિક સંબંધી આધાકને કમ્યાકય વિધિ કહ્યો. હવે વિશેષ અદેશિક સંબંધી કપ્યાલય વિધિ આ પ્રમાણે છે :- (૧) ઋષભદેવના સંઘને ઉદેશીને બનાવેલું મધ્યમ જિનની સંઘને કલ્પ. (૨) મધ્યમજિનના સંઘને ઉદેશીને બનાવેલું મધ્યમ અને ઋષભદેવ એ બંને જિનના સંઘને ન કરે. (૧) એવી રીતે છેલ્લા જિનના સંઘને ઉદ્દેશીને બનાવેલું મધ્યમ જિનના સંઘને કહપે. (૨) મધ્યમ જિનના સંઘને ઉદ્દેશીને બનાવેલું મધ્યમ અને અંતિમ એ બંને જિનના સાધુઓને ન કલ્પે.” (પ૩૪૬) એ પ્રમાણે પહેલા જિનના સાધુઓને કે સાધ્વીઓને ઉદેશીને બનાવેલું મધ્યમજિનના સાધુ-સાધ્વીઓને ક૯પે. મધ્યમ જિનના સાધુઓને કે સાધ્વીઓને ઉદ્દેશીને બનાવેલું પહેલા અને મધ્યમ એ બંને જિનના સાધુ-સાધ્વીઓને ન કરે. એવી રીતે અંતિમ અને મધ્ય જિન સંબંધી પણ સમજવું. તથા ઉપાશ્રય અને એક સાધુને આશ્રયીને પણ સમજી લેવું. (૧૫) મધ્યમ જિનના સાધુઓમાં જે સંધ આદિને ઉદેશીને બનાવેલું હોય તે સંઘ આદિને ન કહપે. બાકીના સાધુઓને તે કપે. કારણ કે તે સાધુઓ ઋજુ અને પ્રાણ હોવાથી Page #307 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૦ : ૧૭ ક૯૫-પંચાશક ગાથા ૧૭ તથા લોકો પણ પ્રજ્ઞાપનીય હોવાથી જિનેશ્વરેએ તેમના માટે આવી મર્યાદા કરી છે. (૧૬) શય્યાતરપિંડનું સ્વરૂપ - सेज्जायरोत्ति भण्णति, आलयसामी उ तस्स जो पिंडो । सो सव्वेसि ण कप्पति, पसंगगुरुदोसभावेण ॥ १७ ॥ શય્યાતર એટલે સાધુઓના આશ્રયને માલિક. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર, વસ્ત્ર, પાત્ર, રહરણ, કંબલ એ ચાર સોઈ, અસ્ત્ર, નખ કાપવાનું સાધન-નરેણી, કાનને મેલ કાઢવાનું સાધન એ ચાર એમ બાર પ્રકારને શય્યાતરપિંડ છે. કહ્યું છે કે :- ઝરણા ઘરથા, ભૂજા કયા તિજ્ઞ=“અશનાદિ ચાર, વસ્ત્રાદિ * પ્રજ્ઞાપનીય એટલે ઋજુ અને પ્રાપ્ત. જેમ કે સાધુ પૂછે કે આ આહાર કેના માટે બનાવ્યો છે? તો સરળતાથી જે હોય તે કહી દે. સાધુ માટે બનાવ્યો હોય અને સાધુ કહું કે સાધુ માટે બનાવેલ આહાર સાધુને ન કપે, તે તુરત સમજી જાય અને ફરી કઈ સાધુ માટે (નિષ્કારણુ) આહાર ન બનાવે. પણ છેલ્લા જિનના તીર્થમાં લેકે અપ્રજ્ઞાપનીય વક્ર અને જડ હોવાથી આ આહાર કોના માટે બનાવ્યો છે એમ સાધુ પૂછે તે સાધુ માટે આહાર બનાવ્યો હોવા છતાં આજે અમારા ઘરે મહેમાન છે, આજે અમુક તહેવાર છે, આજે અમારા બાળકની વર્ષગાંઠ છે આમ જુઠું બેલીને સાધુને પણ વ્યામોહ પમાડે. (બ. ક. ગા. પ૩પ૭ વગેરે.) ૪ બ. ક. ગા૩૫૩૪, નિ ગાળ ૧૧૫૩. Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ ૧૭ ક૫-પંચાશક : ર૯૧ : ચાર અને સાઈ આદિ ચાર એમ બાર પ્રકારને શય્યાતર પિંડ છે.” આ સિવાય તૃણ, પાટિયું વગેરે શય્યાતરપિંડ નથી. પહેલા, છેલા, મધ્ય અને મહાવિદેહમાં રહેલા એ બધા જિનના સાધુઓને શય્યાતરપિંડ ન કપે. શય્યાતરના મકાનમાં રહેલા કે બીજાના મકાનમાં રહેલા એ બધા સાધુઓને શય્યાતરપિંડ ન કપે. [ પ્રશ્ન- બીજાના મકાનમાં રહેલા સાધુઓને શય્યાતર પિંડ ન કપે એ કેવી રીતે ? ઉત્તર :- સાધુ જેના મકાનમાં સવારનું પ્રતિક્રમણ કરે અગર નિદ્રા કરે તે શય્યાતર ગણાય. આથી જેના મકાનમાં સવારનું પ્રતિક્રમણ અગર નિદ્રા કરી હોય તેને શય્યાતર કરે અને દિવસે બીજાના મકાનમાં રહે તે દિવસે શય્યાતરના મકાનમાં ન રહેવા છતાં તેને પિડ ન કપે. અથવા મકાન નાનું હોવાના કારણે એક જ આચાર્યના સાધુઓ જુદા જુદા મકાનમાં ઉતર્યા હોય ત્યારે જ્યાં આચાર્ય રહ્યા હોય તે મકાનનો માલિક શય્યાતર થાય. અહીં જે સાધુઓ શયાતરના મકાનમાં ન રહ્યા હોય તેમને પણ શય્યાતરપિંડ ન કલ્પે.] કહ્યું છે કે:-(બ. ક. મા. ૩૫૪૧, નિ છે. ૧૧૬૦) पुरपच्छिमवज्जेहिं, अविकम्म जिणवरेहि लेसेणं । भुत्तं विदेहएहि य, न य सागरियस्स पिंडो उ ॥ પહેલા- છેલ્લા જિનને છોડીને મધ્યમ અને મહાવિદેહના જિનાએ આધાકર્મ ભોજનની આંશિક અનુજ્ઞા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૯૨ : ૧૭ ક૯૫-પંચાશક ગાથા ૧૮ આપી છે, પણ શય્યાતરપિડની અનુજ્ઞા જરા ય નથી આપી.” શ ભાવાર્થ:- મધ્યમ અને મહાવિદેહના જિનના સાધુઓમાં જેને ઉદ્દેશીને બનાવ્યું હોય તેને જ ન કપે, બીજા સાધુને કપે એ દષ્ટિએ મધ્યમ અને મહાવિદેહને જિનેએ આધાકર્મની કથંચિત્ અનુજ્ઞા આપી છે, પણ શાતર પિંડની જરા ય અનુજ્ઞા આપી નથી.” પ્રશ્ન – શય્યાતરપિંડને નિષેધ કરવાનું શું કારણ? ઉત્તર- શય્યાતરપિંડ લેવામાં મોટા દે થાય છે. (૧૭) શયાતરપિંડ લેવામાં લાગતા દોષે – તિર્થંકરહિટ્ટો, જugriઈ રૂમો િવ ા ા ા. अविमुत्ति यऽलाघवया, दुल्लहसेजा विउच्छेओ ॥ १८॥ અજ્ઞાત ભિક્ષાનું પાલન, ઉદ્દગમની અશુદ્ધિ, અવિમુક્તિ, અલાઘવતા, દુર્લભશય્યા અને વ્યવછેદ- આ દેશે થવાના કારણે તીર્થકરોએ શય્યાતરપિંડને નિષેધ કર્યો છે. (૧) અજ્ઞાતભિક્ષાનું અપાલન :- અજ્ઞાત એટલે અપરિચિત અપરિચિતની ભિક્ષા તે અપરિચિત ભિક્ષા. સાધુએ પ્રાયઃ “આ સાધુ પૂર્વે રાજા હતો” ઈત્યાદિ પિતાની ઓળખાણ વિના જ ભિક્ષા મેળવવી જોઇએ. (દશ) અ૦ ૯ ઉ૦ ૩ ગા૦ ૪ માં) કહ્યું છે કેકન્નચરં$ વર વિગુણં=“ સાધુ પરિચય કર્યા વિના અજ્ઞાત Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮ ૧૭ ક૯૫-પંચાશક : ર૯૩ : પણે ફરીને ગૃહસ્થોનું વધેલું નિર્દોષ લાવેલું ભજન કરે.” નજીકમાં રહેવાના કારણે અતિપરિચય થવાથી શય્યાતરને સાધુઓની ઓળખાણ થાય. એથી અજ્ઞાતપિંડ લેવામાં અજ્ઞાતભિક્ષાનું પાલન ન થાય. (ર) ઉદ્દગમની અશુદ્ધિ- ઉદગમની અશુદ્ધિ એટલે ઉદગમના દોષથી પિંડ અશુદ્ધ બને. (બુ. ક. ગા. ૩૫૪૩, નિ. ગા. ૧૧૬૨) કહ્યું છે કે - बाहुल्ला गच्छस्स उ, पढमालियपाणयाइकज्जेसु । सज्झायकरण आउट्टिया करे उग्गमेगयरं ॥ १ ॥ સાધુઓ ઘણા હોવાના કારણે પ્રથમાલિકા(=નવકારશીની ગોચરી), પાણી, ઔષધ આદિ કાર્યોમાં વારંવાર જવાથી તથા સાધુ બને સ્વાધ્યાય અને ક્રિયામાં તત્પર જઈને આકર્ષણ થવાથી શય્યાતર ઉદ્દગમ દોષમાંથી કઈ દે લગાડે.” (૩) અવિમુક્તિ - અવિમુક્તિ એટલે ગૃદ્ધિ=લેલુપતા. સાધુ આહારની લોલુપતાના કારણે શય્યાતરનું ઘર મૂકે નહિ, અર્થાત્ વારંવાર શાતરના ઘરે આવે (બ ક ગા. ૩૫૪૫ નિગાટ ૧૧૬૪) કહ્યું છે કે – भावे उक्कोसपणीयगेहितो तं कुलं न छड्डेह । पहाणादी कज्जेसु व, गतोवि दूरं पुणो एति ॥ १ ॥ ખીર વગેરે ઉત્કૃષ્ટ અને ઘી વગેરે નિધ દ્રવ્યમાં ગુદ્ધિના કારણે શયાતરના કુલને છેડે નહિ અથવા જિન Page #311 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૪ : ૧૭ કલ૫-પંચાશક ગાથા ૧૯ સ્નાત્ર, રથયાત્રા વગેરે મહોત્સવ પ્રસંગે કે કુલ, ગણ અને સંઘના કાર્યોમાં દર ગયો હોય તો પણ ફરી તે કુલમાં આવે.” (૪) અલાઘવતા- અલાઘવતા એટલે ભાર, વિશિષ્ટ આહાર મળવાથી શરીર પુષ્ટ થવાથી શરીરને ભાર થાય, શયાતર અને તેના સંબંધીઓ પાસેથી ઉપાધિ અધિક મળવાથી ઉપધિને ભાર થાય. (૫) દુલભશસ્યા – જે આશ્રય આપે તેને આહાર પણ આપવો પડે એ ભય ઉત્પન્ન થવાથી શખ્યા વસતિ દુર્લભ બને. (૬) વ્યવછેદ - અધિક મકાન વગેરે હશે તે આપવું પડશે એવા ભયથી (વેચી દે, તેમાં કંઈ રાખી મૂકે, પાડી નાખે વગેરે રીતે) અધિક મકાન વગેરે ન રાખે. આથી વસતિને વિચછેદ થાય. અથવા વસતિને વિરછેદ થવાથી આહાર-પાણુ, શિખ્ય વગેરેને વિરદ થાય. (૧૮) ઉપર્યુક્ત દે શય્યાતર સિવાય બીજા ગૃહસ્થને પિંડ લેવાથી પણ પ્રાયઃ થાય. આથી શય્યાતરપિડને નિષેધ કરવામાં ભાવાર્થ શું છે તે અન્ય આચાર્યોના મત બતાવવા દ્વારા જણાવે છે – पडिबंधनिरागरणं, केई अण्णे अगहियगहणस्स ।। तस्साउंटणमाणं, एत्थऽवरे बैंति भावत्थं ॥ १९ ॥ કેટલાક આચાર્યો કહે છે કે-સાધુ અને શય્યાતરનો અત્યંત ઉપકાર્ય–ઉપકારક ભાવથી નેહ ન થાય એ શયાતરપિંડના નિષેધનો ભાવાર્થ છે. કેટલાક આચાર્યો કહે છે Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦૧૭ ક૫-પંચાશક : ૨૫ : કે-સાધુઓ શય્યાતરપિંડ ન લે તે શાતરને અહો ! આ સાધુઓ નિસ્પૃહ છે, આથી વસતિદાન આદિથી પૂજ્ય છે એવો ભાવ ઉત્પન્ન થાય એ શય્યાતરપિંડના નિષેધનો ભાવાર્થ છે. કેટલાક આચાર્યો કહે છે કે–ભગવાનની આજ્ઞા (એ જ) શયાતર પિંડના નિષેધને ભાવાર્થ છે. (૧૯) રાજાનું સ્વરૂપ :मुदितादिगुणो राया, अट्ठविहो तस्स होति पिंडोत्ति । पुरिमेयराणमेसो, वाघायादीहि पडिकुट्ठो ॥ २० ॥ જે મુદિત અને અભિષિક્ત હોય તે રાજા. મુદિત એટલે શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલ. અભિષિક્ત એટલે જેને રાજ્યાભિષેક થયો હોય તે. (બુ. ક. ગા. ૬૩૮૨, નિ. ગા. ૨૪૯૮) કહ્યું છે કેमुदिओ मुद्धभिसित्तो, मुदिओ जो होइ जोणिसुद्धो उ। अहिसित्तो उ परेहिं, सयं व भरहो जहा राया ॥ १ ॥ જે મુદિત અને મસ્તકે અભિષિક્ત હોય તે રાજા. મુદિત એટલે નિશુદ્ધ, અર્થાત્ જેના માતા-પિતા રાજવં. શીય હોય છે. જેના મસ્તકે રાજાએ કે પ્રજાએ રાજયાભિ પેક કર્યો હોય, અથવા જેણે ભરત રાજાની જેમ જાતે જ સ્વમસ્તકે રાજ્યાભિષેક કર્યો હોય તે અભિષિક્ત.” અહીં (૧) મુદિત હોય, અભિષિક્ત હોય. (૨) મુદિત હોય, અભિષિક્ત ન હોય. (૩) મુદિત ન હય, અભિષિક્ત Page #313 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૬ : ૧૭ ૪૫–૫ચાશક હાય. (૪) મુદિત ન હેાય, અભિષિક્ત ન હાય. આમ ચાર ભાંગા થાય છે. પ્રથમ ભાંગામાં રાજપિડ લેવામાં દાખે। ન લાગે તેા પણ રાજપના ત્યાગ કરવા. બાકીના ત્રણ ભાંગામાં તા ઢાષાના સ'ભવ છે જ. ગાથા ૨૧ રાજપિંડના નીચે (૨૨ મી ગાથામાં ) કહેવાશે તે આઠ પ્રકાર છે. જિનાએ પહેલા-છેલ્લા જિનના સાધુઓને વ્યાઘાત આદિ દ્વેષાના કારણે આ આઠ પ્રકારના રાજિપ'ડ લેવાના નિષેધ કર્યાં છે. (૨૦) રાજપિંડ લેવામાં લાગતા દેજે! :~~ ईसरपमितीहि तर्हि, वाघातो खद्धलोहुदाराणं । दंसणसंगो गरहा, इयरेसि ण अप्पमादाओ ॥ २१ ॥ રાજપિંડ લેવામાં વ્યાઘાત, લુબ્ધતા, એષાઘાત, આસક્તિ, ઉપઘાત અને ગા (વગેરે) દાષા થાય છે. (૧) વ્યાઘાતઃ– રાજકુલમાં ભાગિક, તલવર, માંડલિક ગેરે પેાતાના પરિવાર સહિત જતા-આવતા હૈાય. આથી સાધુઓને રાજકુલમાં પેસવા-નીકળવામાં વ્યાઘાત થાય= મહુવાર લાગે. અથવા પેસવા-નીકળવામાં બહુવાર લાગવાથી ભિક્ષા અને સ્વાધ્યાયાદિ કાર્ધામાં વ્યાઘાત થાય, અર્થાત્ ભિક્ષામાં બહુ વાર લાગે તથા જેટલી વધારે વાર લાગે તેટલે। સ્વાધ્યાય પણ આમ થાય. અથવા માણસે વગેરેની અડફેટમાં આવી જવાથી શરીર અને પાત્રાના Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧ ૧૭ કલ્પ-પંચાશક : ર૯૭ : વ્યાઘાત થાય, અર્થાત્ પડી જવાથી કે ધક્કા વગેરેથી શરીરને વાગે અને પાત્રા કુટી જાય. અથવા (આ મુંડિયા સામે મળ્યા એટલે) અમંગળ થયું એવી બુદ્ધિથી કોઈ સાધુને મારે. ભેગિક=ગામને અધિપતિ. તલવર=કોટવાળ કે તળાટી, અથવા રાજાએ પ્રસન્નતાથી બક્ષીસ આપેલ સુવર્ણ તલવરપટ્ટે મસ્તકે ધારણ કરનાર. માંડબિકરો =મંડળને અધિપતિ. (૨) લુબ્ધતા. (૩) એષણાઘાત - રાજકુલમાં ઘણે આહાર વગેરે મળવાથી લોલુપતા થાય. એથી એષણાને ઘાત થાય, અર્થાત્ દેષિત ગોચરી પણ લાવે. (૪) આસક્તિ – સુંદર શરીરવાળા હસ્તિ, અશ્વ, સ્ત્રી, પુરુષ વગેરેને જોવામાં આસક્તિ થાય. તેથી આમવિરાધના થાય. (૫) ઉપઘાત - સાધુ ઉપર ચારક (=જાસુસ), ચેર, અભિમાર (=ખૂન કરનાર), કામુક (=પરસ્ત્રીગમન કરનાર) ઇત્યાદિ તરીકે શંકા થવાથી રાજા ગુસ્સે થઈને કુલ, ગણ અને સંધ વગેરેને (મારી નાખે, દેશપાર કરે, કે હેરાન કરે ઈત્યાદિ રૂપે) ઉપઘાત કરે. (૬) ગહ –નિઘ પણ રાજદાન આ સાધુઓ લે છે. એમ નિદા થાય. સ્મૃતિને માનનારાઓ રાજદાનને નિંદ્ય માને છે. કહ્યું છે કે – * આ કેટવાળ છે કે તળાટી છે એને સૂચક પટ્ટકે જેની આસપાસ નજીકમાં નગરાદિ નથી તે મંડબ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૪૯૫-૫ચાશક राट्प्रतिग्रहृदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! | स्विन्नानामिव बीजानां, पुनर्जन्म न विद्यते ॥ १ ॥ : ૨૯૮ : ગાથા ૨૨ “હું યુધિષ્ઠિર ! રાજદાન લેવાથી બળી ગયેલા બ્રાહ્મણેાને રધાયેલા બીજની જેમ ફરી જન્મ નથી=ક્રી બ્રાહ્મણુકુલમાં જન્મ ન થાય.” અથવા નિંદા થાય. સાધુઓ આસક્તિ રહિત હોય છે. જયારે આ સાધુએ તે જેણે કદી સુખ જોયું નથી તેવા માણસની જેમ હસ્તિ, અશ્વ આદિમાં આસક્તિ કેમ કરે છે ? એવી નિંદા થાય. પ્રશ્ન :- આ દેષા મધ્યજિનના પણ સાધુઓને લાગવાના સભવ છે તેા તેમને રાજિષડ લેવાની છૂટ કેમ ? ઉત્તર:- તે સાધુએ ઋજુ અને પ્રાન હાવાના કારણે અપ્રમત્ત હોવાથી ઉક્ત દોષને દૂર કરી શકે છે. પહેલાઈંટ્વા જિનના સાધુઓ ક્રમશઃ ઋજી-જડ અને વક્ર-જડ હાવાથી તે દાષાને દૂર કરી શકતા નથી. (૨૧) રાજપિંડના આઠ પ્રકાર :~ असणादीया चउरो, वत्थं पायं च कंबलं चैव । વાણંછાનું જ તદ્દા, દૈવિદ્દો રાવિંડો ૩ || ૨૨ ॥ અશન, પાન, ખાક્રિમ, સ્વાદિમ એ ચાર, તથા વસ્ત્ર, પાત્ર, કમલ અને રજોહરણુ એ ચાર એમ આઠ પ્રકારના રાપિડ છે. (૨૨) Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૩-૨૪ ૧૭ ક૯૫-પંચાશક : ૨૯૯ : - કતિકર્મનું સ્વરૂપઃकितिकम्मं ति य दुविहं, अब्भुट्ठाणं तहेव वंदणगं । समणेहि य समणीहि य, जहारिहं होति कायव्वं ॥ २३ ॥ કૃતિકમેના અત્યુત્થાન અને વંદન એમ બે પ્રકાર છે. સાધુ અને સાધ્વીઓએ ચારિત્રપર્યાયની વૃદ્ધિ પ્રમાણે બંને પ્રકારનું કૃતિકર્મ કરવું જોઈએ. અભ્યથાન એટલે (આચાયદિ પધારે ત્યારે) ઊભા થવું. વંદન એટલે દ્વાદશાવત વગેરે.+ (૨૩). પર્યાયવૃદ્ધ પણ સાધ્વી નાના સાધુને વંદન કરે :सव्वाहिं संजईहिं, कितिकम्मं संजयाण कायव्वं । पुरिसोत्तमोत्ति धम्मो, सव्वजिणाणपि तित्थेसु ॥ २४ ॥ અ૯૫ પર્યાયવાળી કે અધિક પર્યાયવાળી બધી સાધ્વીઓએ આજના દીક્ષિત પણ સાધુને વંદન કરવું જોઈએ. કારણ કે સર્વજિનોના તીર્થોમાં ધર્મ (=પ્રવચન) પુરુષે પ્રવર્તાવેલ હાવાથી પુરુષપ્રધાન છે. સાધુએ સ્ત્રીઓને વંદન કરે નીચે પ્રમાણે દે થાય છે. + વંદનના ફેટાવંદન, ભવંદન અને દ્વાદશાવર્ત વંદન એમ ત્રણ પ્રકાર છે. રસ્તામાં સાધુ સામે મળે વગેરે સમયે મસ્તક નમાવીને બે હાથ જોડીને મથgણ વંામ કહેવું એ ફેટાવંદન છે. ખમાસમણા આપવા પૂર્વક અભૂઢિઓ સૂત્રથી કરાતું વંદન થોભવંદન છે. દ્વાદશાવર્તથી =બે વાંદણાથી કરાતું વંદન દ્વાદશાવર્ત વંદન છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૦ : ૧૭ કહ૫-પંચાશક ગાથા ૨૫-૨૬ - -- तुच्छत्तणेण गव्वो, जायइ न य संकए परिभवेणं । अन्नोवि होज्ज दोसो, थियासु माहुजहिज्ञासु ॥ . ४. १४०० સાધુ સ્ત્રીને વંદન કરે તો તુચ્છતાના કારણે સ્ત્રીને ગર્વ થાય. ગર્વિષ્ઠ બનેલી સ્ત્રી સાધુને અનાદર બુદ્ધિથી જુએ. તેથી સાધુથી જરાય ગભરાય નહિ. તથા સ્ત્રીઓ માદવથી ( નમ્રતાથી) આકર્ષાય છે. આથી તેમને વંદન કરવાથી તેની સાથે (રાગાદિ રૂપ) ભાવથી સંબંધ થાય.” (૨૪) યથા પર્યાયવૃદ્ધિ વંદન ન કરવામાં થતા દોષે – एयस्स अकरणंमी, माणो तह णीयकम्मबंधोत्ति । . पवयणखिसाऽयाणग, अबोहि भववुड्ढि अरिहंमि ॥ २५ ॥ વંદન ને વંદન ન કરવામાં અહંકાર થાય છે. એ અહંકારથી નીચગોત્ર કર્મને બંધ થાય છે. આ પ્રવચનમાં વિનય કહેવામાં આવ્યો નથી, કારણ કે સાધુઓ યથાયોગ્ય વંદન કરતા નથી, એવી શાસનનિંદા થાય. અથવા આ સાધુઓ અજ્ઞાન છે, કારણ કે લેકરૂઢિનું પણ પાલન કરતા નથી; એવી શાસનનિદા થાય. શાસનનિદા થવાથી જ બાધિની પ્રાપ્તિ ન થાય તેવા કર્મો બંધાય છે, તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. (૨૫) વ્રતનું સ્વરૂપ:पंचवतो खलु धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, चउन्चतो होति विण्णेओ ॥ २६ ॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦થી ૨૯ ૧૭ ક૯૫-પંચાશક ૩૦૧ : णो अपरिग्गहियाए, इत्थीए जेण होइ परिभोगो । ता तविरईए चिय, अबभविग्इत्ति पण्णाणं ॥ २७ ॥ दुण्हवि दुविहोवि ठिओ, एसो आजम्ममेव विष्णेओ । इय वइमेया दुविहो, एगविहो चेव तत्तेणं ॥ २८ ॥ પહેલા- છેલ્લા જિનના સાધુઓને પાંચ મહાવ્રતવાળે જ ચરિત્રધર્મ હોય છે. મધ્યમ જિનના સાધુઓને ચરર મહાવ્રતવાળો ચારિત્ર ધમ હોય છે. (૨૬) કારણ કે મધ્યમ જિનના સાધુઓ પ્રાણ હોવાથી, સ્ત્રીને સ્વીકાર કર્યા વિના પરિભંગ ન થઈ શકતો હોવાથી પરિગ્રહવિરતિ કરવાથી અબ્રહાની વિરતિ થઈ જ જાય છે; એમ સમજે છે. (૨૭) પહેલાછેલ્લા અને મધ્યમ એ બંને પ્રકારના જિનોના સાધુઓને અનુક્રમે પાંચ મહાવ્રતરૂપ અને ચાર મહાવ્રતરૂપ એ બંને પ્રકારને કલ્પ સ્થિત છે. કારણ કે બંનેમાં ત્યાગ કરવા લાયક સમાન છે. તથા આ કલ્પ જીવનપર્યત હોય છે. આ ક૯૫ પાંચ મહાવ્રતરૂપ અને ચાર મહાવ્રતરૂપ એમ વચનભેદથી બે પ્રકારનો હોવા છતાં પરમાર્થથી ઉક્ત ( =બંનેમાં ત્યાગ કરવા લાયક સમાન છે એ) યુક્તિથી એક રૂપ જ છે. (૨૮) જ્યેષનું સ્વરૂ૫:उवठावणाइ जेट्ठो, विष्णेओ पुरिमपच्छिमजिणाणं । पव्वजाए उ तहा, मज्झिमगाणं णिरतियारो ॥ २९ ॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૨ : ૧૭ કલ૫-પંચાશક ગાથા ૩૦-૩૧ પહેલા- છેલ્લા જિનના સાધુઓમાં ઉપસ્થાપનાથી જ્યેષ્ઠ જાણ, અર્થાત્ જેની વડી દીક્ષા પહેલી થાય તે માટે બને. મધ્ય જિનના સાધુઓમાં જેની દીક્ષા પહેલી થઈ હોય તે મેટો બને. વડી દીક્ષા કે દીક્ષા જેની પહેલી થઈ હોય તે મોટે ગણાય, પણ તેનું ચારિત્ર (છેદાદિ) અતિચાર રહિત હોય છે. જે ચારિત્ર (છેદાદિ) અતિચારવાળું બને તે લડી દીક્ષાથી કે દીક્ષાથી મોટે ન ગણાય. કારણ કે તેની પૂરની વડી દીક્ષા કે દિક્ષા અપ્રમાણ છે, ફરીથી વડી દીક્ષા કે દીક્ષા આપવામાં આવે તે જ પ્રમાણ છે. ઉપસ્થાપના એટલે પાંચ મહાવ્રતનું આરોપણ (૨૯) ઉપસ્થાપનાને ગ્ય જીવનું સ્વરૂપ – पढिए य कहिइ अहिगइ, परिहर उवठावणाइ कप्पोत्ति । छकं तीहि विसुद्धं, सम्मं णवएण भेएण ॥ ३० ॥ (આચારંગસૂત્રનું) શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણુને બરાબર સમજી લે ત્યારે મન-વચન-કાયાથી વિશુદ્ધ રીતે ( નિર્દોષ થાય તેમ) છ જવનિકાયને (અથવા છ અવતાને) નવપ્રકારે ભાવથી ત્યાગ કરતે જીવ ઉપસ્થાપનાને યોગ્ય છે. નવા પ્રકાર મન-વચન-કાયાથી કરવું કરાવવું-અમેદવું. (૩૦) બેની સાથે ઉપસ્થાપના કરવામાં નાના-મોટા નિયમ :पितिपुत्तमाइयाणं, समग पत्ताण जेट्ठ पितिपमिई । थेवंतरे विलंबो, पण्णवणाए उवट्ठवणा ॥ ३१ ॥ Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૧ ૧૭ ૩૯૫-૫ચાશક : ૩૩ : પિતા-પુત્ર, રાજા–પ્રધાન, માતા-પુત્રી, રાણી-મ ત્રીસ્ત્રી વગેરે સાથે ઉક્ત અધ્યયનને ખરાખર સમજીને વડીઢીક્ષાને ચેાગ્ય બની જાય તેા પિતા, રાજા, માતા, રાણી વગેરે જ્યેષ્ઠ અને. જો પિતા-પુત્ર વગેરેને થાડુ' અતર હાય, એટલે કે પુત્ર વગેરે વડીદીક્ષાને ચાગ્ય બની જાય અને પિતા વગેરે એ દિવસ વગેરે થાડા સમય પછી ચાગ્ય અને તેમ હોય, તેા પુત્ર વગેરેની વડીદીક્ષામાં વિલખ કરવા. પિતા વગેરે ચેાગ્ય અની જાય એટલે 'નેની સાથે જ વડીદીક્ષા કરવી. જો પિતાદિની ઘેાડી રાહ જોયા વિના પુત્રાદિને વડી દીક્ષા આપવામાં આવે તેા પુત્ર આદિની અપેક્ષાએ પિતા આદિની લઘુતા કરવાથી પિતા આદિને અસમાધિ થાય, પિતા આદિ ઉત્પત્રજિત અને વગેરે દાષા થાય. આ ઢાષા ન થાય એટલા માટે પિતાદિને થાડી વાર હાય તા રાહ જોઇને અનેની સાથે વડીીક્ષા કરવી. હવે જો વધારે અંતર હાય, એટલે કે પિતા વગેરે બહુ દિવસેા પછી વડીદીક્ષાને ચેાગ્ય અને તેમ હોય, તેા પિતા વગેરેને સમજાવવું કે-તારા પુત્ર મહાત્રતારૂપ લક્ષ્મીને પામે અને બીજાએથી માટા અને તેમાં તારા જ અભ્યુદય છે ( તારું જ ગૌરવ છે.) આથી તારે એની વડી દીક્ષા રાકવી નહિં જોઇએ. આવી રીતે સમજાવીને પુત્ર આદિની વડીીક્ષા કરવી પશુ સમજાવવા છતાં ન માને તે તે ચેાગ્ય અને ત્યાં સુધી રાહ જોવી. Page #321 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૪ : ૧૭ ક૯પ-પંચાશક ગાથા ૩૨થી૩૪ . બે રાજા વગેરેને સાથે વડી દીક્ષા આપવામાં આવે ત્યારે જે (ગુરુની )૯ નજીકમાં હોય તે માટે બને આમ બંને રીતે (=વડી દીક્ષાથી અને દીક્ષાથી) જેe ક૯૫ બધા (=પહેલા-છેલા-મધ્ય જિનના) સાધુઓને સ્થિત છે. (૩૧) પ્રતિક્રમણનું સ્વરૂપ :सपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥ ३२ ॥ गमणागमणविहारे, सायं पाओ य पुरिमचरिमाणं । णियमेण पडिकमणं, अइयारो होउ वा मा वा ॥ ३३ ॥ मज्झिमगाण उ दोसे, कहंचि जायम्मि तक्खणा चेव । दोसपडियारणाया, गुणावहं तह पडिक्कमणं ॥ ३४ ॥ * ટીકામાં નાના પુત્ ચરા તૂuથrગને તરા ચથssa# ચેતિ ! એ પાઠ છે. આમાં કઈ અપેક્ષાએ નજીક એને ખુલાસો નથી. નિશીથ (ગા૦ ૩૭૭૦), વ્ય. ભા. ઉ. ૪ ગા. ૩ર૪, પંચવસ્તુ (ગા૬૩૬) વગેરેમાં મુહરણ ભાઇને ન ત ો વગેરે પાઠ છે. આને ભાવ એ છે કે વડીદીક્ષાની ક્રિયા વખતે જે ગુરુની નજીક (પહેલો) ઊભો હોય તે મોટો બને અને તેના પછી ઊભે હોય તે ના બને. અને જે એક જમણી બાજુ અને એક ડાબી બાજુ એમ રહ્યા હોય તે બંનેને સમાન રાખવા નાના-મોટા ન કરવા. Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૨થી૩૪ ૧૭ ક૫-પંચાશક : ૩૦૫ : પહેલા-છેલા જિનના સાધુઓએ સવાર-સાંજ બંને વખત છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ. મધ્યમ જિનના સાધુઓએ કારણ હોય ( દેવ લાગે) ત્યારે પ્રતિ ક્રમણ કરવું જોઈએ. તે સાધુઓ કારણ ન હોય તે સદા પણ પ્રતિક્રમણ ન કરે. (૩૨) પહેલા-છેલા જિનના સાધુઓએ અતિચાર લાગે કે ન લાગે, પણ ગમન, આગમન, અને વિહારમાં તથા સવાર-સાંજ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. તે સાધુઓ અનુક્રમે 28 જુ-જડ અને વક્ર-જડ હોવાથી અતિચાર ન લાગે તે પણ ત્રીજા ઔષધના દષ્ટાંતથી પ્રતિક્રમણ તેમને લાભ કરે છે. ગમન=આહાર આદિ માટે ઉપાશ્રયમાંથી જવું. આગમન=ઉપાશ્રયમાં આવવું. વિહાર=બીજા ગામમાં જવું કે સવાધ્યાય આદિ માટે બીજા મકાનમાં જવું. ગમન આદિ ત્રણમાં માત્ર ઈરિયાવહિયા-પડિક્રમણ રૂપ પ્રતિક્રમણ છે. (આવનિમાં) કહ્યું છે કેगमणागमणविहारे, सुत्ते वा सुमिणदंसणे राओ । नाधा नहसंतारे, इरियावहिया पडिक्कमणं ॥ १५३३ ॥ ગમન, આગમન, વિહાર, સૂત્રનું અધ્યયન, રાત્રે સ્વપ્નદર્શન અને નાવથી નદી ઉતરવામાં ઈરિયાવહિયા પડિક્રમણ કરવું જોઈએ.” * ગમન આદિ ત્રણેમાં “સે હાથથી દૂર” એમ સમજવું. કારણ કે સે હાથની અંદર ગમન આદિમાં ઈરિયાવહિયા કરવાનું વિધાન નથી. ૨૦. Page #323 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૬ : ૧૭ ક૬૫-પંચાશક ગાથા ૩૫ _ _ અહીં સૂત્રના અધ્યયનમાં પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ અને શત્રે સવપ્ન-દર્શનમાં એકસો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાન્સગ છે. બાકીના ગમન આદિ કાર્યોમાં ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરવું. અહીં સવાર-સાંજનું પ્રતિક્રમણ છ આવશ્યક રૂપ છે. (વિશેષામાં કહ્યું છે કેसमणेण सावपण य, अवस्सकायव्वयं हवह जम्हा । अंतो अहोनिसस्स य, तम्हा आवस्सयं नाम ॥ ८७३ ॥ સાધુએ અને શ્રાવકે દિવસના અને રાતના અંતે અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક” એવું નામ છે.” (૩૩) મધ્યમ જિનોના સાધુઓને કથંચિત (=કઈ રીતે) દોષ લાગતાં તે જ સમયે કરેલું પ્રતિક્રમણ ગચિકિત્સાના ઉદાહરણથી લાભ કરે છે, અર્થાત્ જેમ રોગ ઉત્પન્ન થતાં જ તેની ચિકિત્સા કરવામાં આવે તો લાભ થાય છે, તેમ દેષ ઉત્પન્ન થતાં જ પ્રતિક્રમણ કરવામાં આવે તે અતિચારની વિશુદ્ધિરૂપ લાભ થાય છે. મધ્યમ જિનેના સાધુઓ ઋજુ-પ્રાણ હેવાથી તેમને પ્રાયઃ દેષ લાગતો નથી એ જણાવવા અહીં “કથંચિત્ ” કહ્યું છે. (૩૪) માસક૯૫નું વર્ણન :पुरिमेयरतित्थयराण मासकप्पो ठिओ विणिदिवो । मज्झिमगाण जिणाणं, अट्टियओ एस विण्णेओ ॥ ३५ ॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૬ ૧૭ કલ૫-પંચાશક - ૩૦૭ : માસક૫ એટલે ચાતુર્માસ સિવાયના શેષકાળમાં એક સ્થાને એક માસ સુધી રહેવાને આચાર. પહેલા છેલ્લા જિનના સાધુઓને માસક૯પ સ્થિત છે અને મધ્યમ જિનોના સાધુઓને અથિત છે. મધ્ય જિનના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ હેવાથી એક સ્થાને માસથી વધારે સમય રહે તે પણ દોષ ન થાય. (૩૫) પહેલા-છેલ્લા જિનના સાધુઓને માસક૯૫નું પાલન ન કરવામાં લાગતા દે:पडिबंधो लहुयत्त, ण जणुवयारो ॥ देसविण्णाणं । णाणाराहणमेए, दोसा अविहारपक्वम्मि ॥ ३६ ॥ પહેલા-છેલ્લા જિનના સાધુઓને માસક૫નું પાલન ન કરવામાં પ્રતિબંધ અને લઘુતા થાય તથા જપકાર, દેશવિજ્ઞાન અને આજ્ઞારાધના એ ત્રણ ન થાય એ દેશે લાગે છે. (૧) પ્રતિબંધ - એક જ સ્થળે માસથી વધારે રહેવામાં શય્યાતર આદિ પ્રત્યે રાગભાવ થાય. (૨) લઘુતા - આ સાધુઓ વઘર છોડીને અન્ય ઘર વગેરેમાં આસક્ત છે એમ લાકમાં શંકા (અથવા માન્યતા) ઉત્પન્ન થવાથી લઘુતા થાય. (૩) જન૨કા૨ - જુદા જુદા દેશમાં રહેલા ભવ્ય લોક ઉપર ઉપદેશદાન આદિથી ઉપકાર ન કરી શકાય. અથવા મૂળગાથાના જુવાનો પદનું જનોઈવાર: Page #325 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૮ ૯ ૧૭ ક૯૫-પંચાશક ગાથા ૩૭ એવું રૂપ કરવાથી જેનોપચાર ન થઈ શકે એવો અર્થ થાય. દેશાંતરમાં રહેલા સાધુઓનો વંદનાદિ પૂજા રૂપ ઉપચાર ન થઈ શકે. અથવા દેશાંતરમાં રહેલા લોકો સાધુઓને વંદનાદિ પૂજા રૂપ ઉપચાર ન કરી શકે. અથવા જનોપચાર એટલે સાધુઓનો વ્યવહાર. માસકલ્પ ન કરવામાં સાધુઓને વ્યવહાર (આચારપાલન) ન થાય. (૪) દેશવિજ્ઞાન :- જુદા જુદા દેશના વિવિધ પ્રકારના લૌકિક અને લોકોત્તર વ્યવહારનું જ્ઞાન ન થાય. (૫) આજ્ઞારાધના – જિનાજ્ઞાનું પાલન ન થાય. જિનાજ્ઞા આ પ્રમાણે છે-મજૂળ માન, સન્ન કુife ના ૩ વિદા' (પ. વ. ગા. ૮૯૬) = “આગમમાં (શેષ કાળમાં) માસકલ્પ સિવાય બીજો વિહાર કહ્યો નથી.” (૩૬) માસકલ્પ દ્રવ્યથી ન થઈ શકે તે પણ ભાવથી અવશ્ય કરવો જોઈએ:कालादिदोसओ पुण, णदव्वओ एस कीई णियमा । भावेण उ कायव्वो, संथारगवच्चयाईहिं ॥ ३७ ।। કાલ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવના દોષોથી બાહાથી માસક૯૫ ન થઈ શકે તે પણ શયનભૂમિ, મકાન, શેરી વગેરે બદલીને ભાવથી અવશ્ય કરવું જોઈએ. (દુષ્કાલ આદિના કારણે) ભિક્ષા દુર્લભ બને એ કાળદોષ છે. સંયમને અનુકૂળ ક્ષેત્ર ન મળે વગેરે ક્ષેત્રદોષ છે. શરીરને અનુકૂળ આહાર આદિ ન મળે એ દ્રવ્યદોષ છે. માંદગી, જ્ઞાનાદિની હાનિ વગેરે ભાવદોષ છે. (૩૭) Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮થી૪૦ ૧૭ કલ૫-પંચાશક : ૩૯ : પર્યુષણ કલ્પનું વર્ણન:पजोसवणाकप्पोऽपेवं पुरिमेयराइमेएणं । उकोसेयरभेओ, सो णवरं होइ विण्णेओ ॥ ३८ ॥ चाउम्मासुक्कोसो, सत्चरि राइंदिया जहण्णो उ । थेराण जिणाणं पुण, णियमा उक्कोसो चेव ॥ ३९ ॥ दोसासइ मज्झिमगा, अच्छंति उ जाव पुन्धकोडी वि । इहरा उ ण मासंपि हु, एवं खु विदेहजिणकप्पे ॥ ४० ॥ .. માસકલ્પની જેમ પર્યુષણાકલ્પ પણ પહેલા-છેલ્લા અને મધ્યમ જિનના સાધુઓના ભેદથી સ્થિત અને અસ્થિત એમ ભિન્ન છે. પણ આમાં માસક૯પથી આટલી વિશેષતા છે કે પર્યુષણક૯૫ના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે. (૩૮) અષાઢ (સુ. ૧૫)થી કાર્તક (સુ. ૧૫) સુધી ચાર મહિના ઉત્કૃષ્ટ પયુંષણાક૯પ છે. ભાદરવા સુદ ૫ થી કાર્તક (સ. ૧૫) સુધી ૭૦ દિવસ જઘન્ય પયુંષણાકલ્પ છે. આ બે ભેદ વિકલ્પીઓને હોય છે. જિનકલ્પીઓ અપવાદ રહિત હોવાથી તેમને એક ઉત્કૃષ્ટ જ હોય છે. (૩૯) મધ્યમ જિનના સાધુઓ દોષ ન લાગે તે એક ક્ષેત્રમાં પૂર્વ કેડ વર્ષો સુધી પણ રહે, અને દેષ લાગે તે એક મહિને પણ ન રહે. મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને આ દશ કલ્પ મધ્યમ જિનના સાધુઓની જેમ હોય છે. (૪૦) Page #327 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : ૧૭ ક૫-પંચાશક ગાથા ૪૧થી૪૩ કલ્પમાં સ્થિત-અસ્થિત વિભાગ સહેતુક છે:एवं कप्पविभागो, तइओसहणातओ मुणेयव्यो । भावस्थजुओ एत्थ उ, सव्वत्थवि कारणं एयं ॥ ४१ ॥ पुरिमाण दुन्विसोझो, चरिमाणं दुरणुपालओ कप्पो । मज्झिमगाण जिणाणं, सुविसोझो सुहणुपालो य ॥ ४२ ॥ उजुजडा पुरिमा खलु, णडादिणायाउ होति विष्णेया । वक्कजडा उण चरिमा, उजुपण्णा मज्झिमा भणिया ।। ४३।। અહીં દશે કપિમાં આ રીતે સ્થિત અને અસ્થિત એવો જે વિભાગ છે તે ત્રીજા ઔષધના દષ્ટાંતથી રહસ્યચુક્ત છે સહેતુક છે, ગમે તેમ નથી. એમાં હેતુ નીચે મુજબ છે. (૪૧) પહેલા જિનના સાધુઓનું ચારિત્ર દુર્વિધ્ય છે, અર્થાત બહુ જ કષ્ટથી (અતિચારોની) શુદ્ધિ કરાવી શકાય છે. કારણ કે તે સાધુઓ ઋજુ-જડ હોવાથી તેમને વિસ્તારથી ઘણા ઉપદેશથી સમસ્ત હેય સંબંધી જ્ઞાન થાય ત્યારે અતિચાર દૂર થાય. છેલ્લા જિનના સાધુઓનું ચારિત્ર દુઃખાનુપાલ્ય છે. અથૉત્ બહુ જ કષ્ટથી પાલન કરાવી શકાય છે. કારણ કે તે સાધુઓ વક-જડ હોવાથી બહાનું કાઢીને હેય પણ આચરે, મધ્યમ જિનના સાધુઓનું ચારિત્ર સુવિધ્ય અને સુખાનુપાલ્ય છે. તે સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ હેવાના કારણે ઉપદેશ પ્રમાણે પાલન કરતા હોવાથી સુવિશે છે, તથા પ્રાણ Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૧થી૪૩ ૧૭ કલ૫-પંચાશક : ૩૧૧ : હેવાના કારણે ઉપદેશ આપવા માત્રથી બધા હેય સંબંધી તર્ક=વિચાર કરીને તેને ત્યાગ કરી શકતા હોવાથી સુખાનુપાલ્ય છે. (૪૨) પહેલા જિનના સાધુઓ ઋજુ-જડ છે. ઋજુ એટલે સરળ. જડ એડલે વિશિષ્ટ તક =વિચાર કરવાની શક્તિથી રહિત હેવાથી માત્ર કહેલું જ સમજનારા. આ વિષયમાં નટ, હાથી વગેરેનાં દષ્ટાંત છે. નટનું દષ્ટાંત આ પ્રમાણે છે – પહેલા જિનના કોઈ સાધુઓ સ્પંડિલભૂમિથી ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યુંઃ આટલા મોડા કેમ આવ્યા? સરળ હોવાથી તેમણે કહ્યું. અમે નૃત્ય કરતા નટને જોવા ઉભા રહ્યા હતા. આથી ગુરુએ તેમને હવે નૃત્ય કરતા નટને જેવા ઉભા ન રહેવું એમ શિખામણ આપી. તેમણે તેને સ્વીકાર કર્યો. ત્યારબાદ ફરી એક વખત તે સાધુએ સ્થ ડિલભૂમિથી મોડા આવવાથી ગુરુએ તેનું કારણ પૂછ્યું એટલે તેમણે કહ્યું : અમે નૃત્ય કરતી નટીને જેવા ઉભા રહ્યા હતા. ગુરુએ મેં તમને પહેલાં આમ કરવાની ના કહી હતી એમ કહ્યું ત્યારે જડ હોવાથી તેમણે કહ્યું : આપે ત્યારે નટ જેવાને નિષેધ કર્યો હતો, નટીને જેવાને નહિ. નટને જેવાને નિષેધ કરવામાં નટનિરીક્ષણ રાગને હેત છે એ કારણ છે. આથી નટને જેવાના નિષેધમાં નટીને જોવાનો નિષેધ સુતરાં થઈ જાય છે એમ તે સાધુઓ સમજી શકતા નથી. Page #329 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ : ૧૭ કલ૫-પંચાશક ગાથા ૪૪. છેલ્લા જિનના સાધુઓ વક્ર અને જડ છે. વક્ર એટલે શઠ= સરળ નહિ. તેમના વિષયમાં પૂર્વોક્ત નટનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે - તે સાધુઓ સ્થડિલભૂમિથી મોડા આવ્યા એટલે ગુરુના પૂછવાથી તેમણે કહ્યું : અમે નટ જેવાને ઉભા રહ્યા હતા. ગુરુએ તેને નિષેધ કર્યો. ફરી એક વખત તેમ બનતાં ગુરુએ પૂછ્યું એટલે વકે હેવાથી બીજા ઉત્તરે આપ્યા, સીધો જવાબ ન આપે. (કડક થઈને) આગ્રહથી પૂછયું એટલે નટી જેવા ઉભા રહ્યા હતા એમ કહ્યું. ગુરુએ ઠપકે આખ્યો એટલે જડ હેવાથી બોલ્યા કે અમે નટ જ ન જે એમ સમજ્યા હતા. મધ્યમ જિનના સાધુઓ ઋજુ અને પ્રાણ છે. તેમના વિષયમાં પણ ઉપર્યુક્ત નટ દષ્ટાંત છે. સ્પંડિલભૂમિથી મોડા આવવાથી ગુરુએ પૂછયું એટલે સરળ હોવાથી કહ્યું કે નટને જોવા ઉભા રહ્યા હતા. આથી ગુરુએ તેનો નિષેધ કર્યો. ફરી એકવાર નટીને જોઈને પ્રાજ્ઞ હોવાથી વિચાર કર્યો કે નટની જેમ નદી નહિ જોવી જોઈએ, કારણ કે રાગનું કારણ છે. (૪૩) સાધુઓના આવા સ્વભાવનું કારણ:कालसहावाउ चिय, एए एवंविहा उ पाएण । होति अओ उ जिणेहि, एएसि इमा कया मेरा ॥ ४४ ॥ કાળના પ્રભાવથી જ સાધુઓ પ્રાયઃ આવા (=સરળતાજડતાદિના) સ્વભાવવાળા હોય છે. આથી જિનેશ્વરેએ એમની આ સ્થિત-અસ્થિત કલ્પ રૂપ મર્યાદા કરી છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૫થી૪૭ : ૩૧૩ : અહી પ્રાયઃ આવા સ્વભાવના હોય છે એના અથ એ છે કે, માટા ભાગના સાધુએ આવા સ્વભાવવાળા હાય છે, પશુ મા જ આવા સ્વભાવવાળા હાતા નથી. [આના ફલિતાથ એ થયો કે, પહેલા-છેલ્લા જિનના સાધુઓમાં પશુ કાઈ ઋજી-પ્રાપ્ત હોય અને મધ્યમજિનના સાધુમાં પણ કાઈ ઋજી—જડ કે ૧૪-જડ હોય. } (૪૪) ૧૭ ૪૯૫-૫'ચાશક ઋજી-પ્રાન ાને ઋ-પ્રાન હોવાના કારણે ચારિત્ર હાય, પણ ઋજી-જડ વગેરેને ચારિત્ર યાગ્ય નથી એ પ્રશ્નનું સમાધાન :– एवंविहाणवि इहं, चरणं दिडुं तिलोगणाहेहिं । નીશાળ ચિત્તે માળે, ગદ્દા પત્તિ મુદ્દો ૩ ॥ ૧ ॥ अथिरो उ होइ इयरो, सहकारिवसेण ण उण तं इणइ । નળા નાયર્ કર, વર્બ્સ ૫૩ સૂયર્ ર્ત્તર્ષિ ! ૪૬ ॥ इय चरणम्मि ठियाणं, होइ अणाभोगभावओ खलणा । ण उ तिब्वसंकिलेसा, णऽवेति चारितभावोऽवि ॥ ४७ ॥ સરળતા જડતા આદિથી યુક્ત પણ જે જીવા પ્રત્રજ્યાને ચૈાગ્ય છે તેમને ચારિત્ર હોય એમ જિનાએ જોયું છે. કારણ કે સ્થિર (=કાયમ રહેનાર) અને અસ્થિર (ઝ્યારેક થનાર) એમ બે પ્રકારના ભાવ છે તેમાં સ્થિરભાવ તે ઋજી-જડ વગેરેને શુદ્ધ જ હાય છે, (૪૫) અસ્થિર ભાવ તેવા પ્રકારની સામગ્રીથી અશુદ્ધ થાય છે. પણ તે અશુદ્ધ ભાવ ચારિત્રને ઘાત કરતા નથી. વજા અગ્નિથી ઉષ્ણુ અને Page #331 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૪ : ૧૭ ક૫-પંચાશક ગાથા ૪૮થી ૫૦ છે, પણ ઉણુ બનવા છતાં વજી પણાને છેડતું નથી. વા. પણું સ્થિરભાવ છે. ઉષ્ણુતા અસ્થિરભાવ છે. (૪૬) તે રીતે ચારિત્રમાં રહેલાઓને વિસ્મૃતિ થવાથી ખલના થાય છે=અતિચાર લાગે છે, પણ તીવ્ર સંક્લેશથી ચારિત્રના પરિ ણામનો નાશ થતું જ નથી. કારણ કે તીવ્રસંફલેશ નથી. વક-જડ ને પણ ચારિત્ર હેય:चरिमाणवि तह णेयं, संजलणकसायसंगयं चेव । माइट्ठाणं पायं, असइंपि हु कालदोसेणं ॥ ४८ ॥ [ ક ળ મળત્ત, સમુદ્રમાવાસ દિ વિomજે ! लिगमिवि भावेणं, सुत्तविरोहा जओ भणियं ॥ ४९ ॥ सव्वेवि अइयारा, संजलणाणं तु उदयो होति । मूलच्छेज पुण होइ बारसण्हं कसायाणं ॥ ५० ॥ જેમ પ્રથમ જિનના સાધુઓની વિસ્મૃતિથી થતી સ્કૂલના ચારિત્રબાધક નથી, તેમ છેલ્લા જિનના સાધુઓનું દુષમાં કાલના પ્રભાવથી પ્રાયઃ અનેકવાર પણ થતું માતૃસ્થાન ચારિત્રનું બાધક નથી. કારણ કે તે સંજવલન કષાય સંબંધી જ છે, નહિ કે અનંતાનુબંધી આદિ કષાયો સંબંધી. માતૃસ્થાન શબ્દનો અર્થ - માતા સ્ત્રી હોય છે. આથી માતાનું સ્ત્રીઓનું સ્થાન=આશ્રય તે માતૃસ્થાન, સ્ત્રીઓ પ્રાય: માયાને આશ્રય લે છે માયા કરે છે, તથા સ્ત્રીપણું પ્રાયઃ માયાના કારણે મળે છે. આથી માતૃસ્થાન એટલે Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૮થી૫૦ ૧૭ ૬૯૫-૫ચાશક * ૩૧૫ ક એટલે માયા. અથવા માતૃ એટલે માયા, અને સ્થાન એટલે વિશેષ, માયાવિશેષ તે માતૃસ્થાન, અથવા માટ્ઠાળ પદનુ માચિસ્થાન એવુ* રૂપ કરવાથી માયાવીઓનુ` સ્થાન (=આશ્રય) તે માયિસ્થાન, માયાવીએ માયાના આશ્રય લે છે=કરે છે. આથી માયિસ્થાન એટલે માયા. કાઈમાં તે (=અનેકવાર માતૃસ્થાન) હાય જ નહિ, આથી ‘પ્રાયઃ' કહ્યું છે. (૪૮) જો માયા અન'તાનુખ શ્રી આદિ કષાયા સ‘બધી હાય તે એ માયારૂપ અપ્રશસ્ત અય્યવસાયથી સાધુપણું ન રહે, રજોહરણાદિ ટ્રબ્યલિંગ હોવા છતાં ભાવથી=પરિણામની અપેક્ષાએ સાધુપણું ન રહે. અન્ય કષાયા સખ'શ્રી માયાથી ભાવથી સાધુપણું માનવામાં સૂત્ર સાથે વિાષ આવે છે. કારણ કે આગમમાં કહ્યુ` છે કે– (૪૯) બધા જ અતિચારી સંજવલન કાયના જ ઉડ્ડયથી થાય છે. અન તાનુખ ધી આદિ ચાર કષાયેાના ઉદયથી ચારિત્રના મૂળથી નાશ થાય છે. આથી સજવલન સમ`ધી માયા ચારિત્રના નાશ ન કરે, તે હાય તા પણ છેલ્લા જિનના સાધુએને ચારિત્ર હાય, દુખમાકાળમાં પણ ચારિત્ર છે. કેટલાક। દુષમાકાળમાં અતિચાર ખડું હાવાથી ચારિત્ર જ નથી એમ માને છે. તે ખરેખર નથી. કારણ કે વ્યવહારસૂત્રમાં એવું માનનારાઓને ઠપકા આપીને (=પ્રાયશ્ચિત્ત આપીને) આ વિષયમાં સમાધાન જણુાવ્યું છે, તે આ પ્રમાણે ઃ Page #333 -------------------------------------------------------------------------- ________________ • ૩૧૬ ૧૭ ૪૯૫-૫ચાશક केसिंचिय आपसो, दंसणनाणेहि बट्टए तित्थं । वोच्छिन्नं च चरितं वयमाणे भारिया चउरो || + ગાથા ૪૮થી૫૦ “ વત માનમાં જ્ઞાન-દર્શનથી શાસન પ્રવતે છે, ચારિત્રના વિચ્છેદ થયા છે; એમ જે કહે તેને ચતુરુ પ્રાયશ્ચિત્ત છે.” ण विणा तित्थं णियंठेहिं, नातित्थया य नियंठया । રાયસંગમો જ્ઞાત્ર, તાય ટુ ખુલ=ના વ્ય.ભા ઉ. ૧૦ ગા. ૩૮૯ “ સાધુએ વિના શાસન ન હોય, અને શાસન વિના સાધુએ ન હાય. જ્યાં સુધી છકાય જીવેાની રક્ષા થાય ત્યાં સુધી શાસન અને સાધુએ એ ખરે રહેવાના. ” जो भणइ नत्थि धम्मो, न य सामइयं न चेष य वयाई । सो समण संघबज्झो, कायच्बो समणसंघेणं । “ચારિત્ર ધર્મ નથી, સામાયિક નથી, ત્રતા નથી એમ જે કહે તેને શ્રમણુસ ંઘે શ્રમણસ ઘમાંથી બહાર કરવા.” પૂર્વ કાળના સાધુઓની અપેક્ષાએ ક્રુષ્ણમાકાળના સાધુએ હીનક્રિયાવાળા અને હીનપરિણામવાળા હોવા છતાં તેમનામાં સાધુપણું છે. કહ્યુ` છે કેઃ + મુદ્રિતપ્રતમાં વ્યવહારસૂત્રના દશમા ઉદ્દેશામાં નીચે પ્રમાણે બે ગાથા છે, सोहीए य अभावे, देताण य करेंतगाण अभावे । વધુ સંદ્ જાહે, તિર્થં સમ્મત્તનાને | ૨૨ || दोसु उ वोच्छिन्नेसुं अट्ठविहं देतया करेंता य ॥ વિ ...ટ્રીયંતિ વયમાળે માયા ચો || રૂ ૪ || Page #334 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૭ ક ગાથા ૪૮થી૫૦ ૧૭ ૬૯૫-૫ચાશક सत्थपरिण्णा छक्काय अहिगमो पिंड उत्तरज्झाए | હવે પસંદે શોથે, નોધે મોદી ય પુવણરની વ્ય, ભા.૬,૧ ગા. ૧૬૯ “ પૂવે. (આચાર’ગનું) શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણાવ્યા પછી ઉપસ્થાપના થતી હતી, જ્યારે હુમલુાં (≠વે નું) ષડ્ જીવનિકાય અધ્યયન ભણાવ્યા પછી ઉપસ્થાપના કરાવવામાં આવે છે. પૂર્વે આચાર'ગ (પિંડૈષણા અ૦) ભણવાથી પિંડગ્રહણની અનુજ્ઞા મળતી હતી, હમણાં દશવૈકાલિક (પિ'ડેષણા અ.) ભણવાથી પિગ્રહણની અનુજ્ઞા મળે છે, પૂવે આચારગ ભણ્યા પછી ઉત્તરાધ્યયન ભણાવવામાં આવતું હતું. હમણાં દશવૈકાલિક ભણ્યા પછી ઉત્તરાધ્યયન ભણાવવામાં આવે છે. પૂર્વે કલ્પવૃક્ષેાથી જીવનનિર્વાહ થતા હતા. હમણાં આંખ વગેરેના વૃક્ષેાથી જીવનનિર્વાહ થાય છે, પૂર્વે અતુલખળવાળા ખળદા હતા. હમણાં અલ્પબળવાળા મળઢાથી લેાકા કામ ચલાવે છે. પૂર્વ ખેડૂતા ચક્રવર્તીના ગૃહપતિરત્નની જેમ તે જ દિવસે ધાન્ય તૈયાર કરી શકતા હતા. હમણાં તેવા ખેડૂતા ન હેાવા છતાં લેાક બીજા ખેડૂતાથી જીવનનિર્વાહ કરે છે, પૂર્વ સહસ્રચેાધી વગેરે ચૈાહાએ હતા. હમણાં અલ્પમળવાળા અને અલ્પ પરાક્રમવાળા ચાન્દ્રાએથી રાજાએ શત્રુ ઉપર આક્રમણુ કરીને રાજ્યનું પાલન કરે છે, પૂર્વે છ મહિનાનું પ્રાયશ્ચિત્ત હતું. હમણાં તેના સ્થાને પંચકલ્યાણક, દશકલ્યાણક વગેરે પ્રાયશ્ચિત્ત છે. વાવડી પૂર્વ કાળથી ઉતરતી ઢોટિની હાવા છતાં લેાકા ઉપર ઉપકાર કરે છે. તેવી રીતે વત માન કાળમાં પૂર્વ કાળના સાધુએથી ઉતરતી કાટિના સાધુઓ હોવા છતાં તેમનામાં સાધુપણુ` છે.’(૫૦) પણ Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮ : ૧૭ કલ્પ-પંચાશક ગાથા પ૧-૫૨ બાહ્યથી સાધુ હોય, પણ ભાવથી સાધુ ન હોય તેવાઓનું સ્વરૂપ :एवं च संकिलिट्ठा, माइट्टाणंमि णिचतल्लिच्छा । आजीवियमयगत्था, मूढा णो साहुणो णेया ॥ ५१ ॥ સંજવલન સિવાયના કષાયનો ઉદય થાય તે સાધુપણું ન હેય. આથી જે સંજવલન સિવાયના કષાયના ઉદયથી સંફિલણ ચિત્તવાળા છે, સદા માયામાં તત્પર છે, ગૃહસ્થ નિર્ગુણ તરીકે જાણી ગયા હોવાથી કે ધનરહિત હોવાથી અમારે જીવનનિર્વાહ કેવી રીતે કરશું એમ આજીવિકાના ભયથી વ્યાકુલ બનેલા છે, અને પરલોકની સાધનાથી વિમુખ બનીને કેવળ આ લોકમાં જ પ્રતિબદ્ધ બનવાથી મૂઢ છે, તે છો સાધુ નથી. (૫૧) ભાવસાધુનું સ્વરૂપ – संविग्गा गुरुविणया, णाणी दंतिदिया जियकसाया। भवविरहे उज्जुत्ता, जहारिहं साहुणो होति ॥ ५२ ॥ જે સંવિસ છે, સંવિગ્ન હોવાથી જ ગુરુવિનીત છે, ગુરુવિનીત હેવાથી જ જ્ઞાની છે, જ્ઞાની હોવાથી જ જિતેંદ્રિય, જિતકષાય અને દેશ, કાલ આદિની અપેક્ષાએ યથાયોગ્ય સંસારને ક્ષય કરવામાં ઉદ્યત બનેલા છે, તે સાધુ છે. સંવિગ્ન=સંસારભરુ. ગુરુવિનીત=સંસારને તરવાને ઉપાય બતાવનારા ગુરુને વિય કરનારા. જ્ઞાની=સુપ્રસન્ન બનીને ગુરુએ આપેલા શ્રુતજ્ઞાનવાળા. (૨) Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભિક્ષુપ્રતિમા પચાશક સ્થિત-અસ્થિત ક૯૫ કહ્યો. હવે કપની સમાનતાની અપેક્ષાએ પ્રતિમાકલ્પનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે णमिऊण वद्धमाणं, भिक्खुपडिमाण लेसओ किंपि । वोच्छं सुत्ताएसा, भवहियट्ठाइ पयडत्थं ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને ભવ્યના હિત માટે દશાશ્રુતસ્કંધ સૂત્રના અનુસારે ભિક્ષુ પ્રતિમાઓનું સ્પષ્ટ અર્થ સમજાય તે રીતે સંક્ષેપથી કંઈક વર્ણન કરીશ. ભિક્ષુપ્રતિમા=સાધુઓની વિશિષ્ટ પ્રતિજ્ઞા. (૧) પ્રતિમાની સંખ્યા અને સ્વરૂપ “बारस भिक्खूपडिमा, ओहेणं जिणवरेहि पण्णत्ता । सुहभावजुया काया, मासाइया जओ भणियं ॥ २ ॥ - જિનેશ્વએ સામાન્યથી માસિકી વગેરે બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. વિશેષથી તો વજન મધ્યા, યવમયા, ભદ્રા વગેરે તથા ક્સસસસકિકા વગેરે ઘણું પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ વિશિષ્ટ ક્રિયાવાળા સાધુના પ્રશસ્ત અપવસાયથી યુક્ત સાધુની કાયા રૂપ છે. વ્યવહારસૂત્ર નવમો ઉદ્દેશે. Page #337 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૦ ૧૮ ભિક્ષુપ્રતિમા-૫'ચાશક પ્રશ્ન :- પ્રતિમા સાધુના અભિગ્રહ વિશેષરૂપ છે. આથી પ્રતિમા એટલે સાધુના વિશેષ પ્રકારના અભિગ્રહ એમ કહેવુ જોઈએ. તેના ખલે શુભભાવયુક્ત સાધુની કાયાને પ્રતિમા કેમ કહી ? ગાથા ૩ ઉત્તર :– ( વિશિષ્ટ સામÌદિવાળી) કાયાથી તેવા પ્રકારના ગુણાના (=અભિગ્રહ વગેરેનેા) ચાગ થાય છે. આથી તે (=પ્રતિમાધારી) સાધુએ બીજા સાધુએથી તેવી કાયાની અપેક્ષાએ પ્રધાન=મુખ્ય છે એનુ' સૂચન કરવા અહીં શુભભાવયુક્ત સાધુની કાયાને પ્રતિમા કહી છે. સામાન્યથી સાધુઓની પ્રતિમા ખાર છે. કારણુ કે આવશ્યક નિયુક્તિમાં (વારસદ મિવુપરિમાદિ એ પદના વણુ નમાં) નીચે પ્રમાણે કહ્યુ છે, (૨) - આવશ્યકનિયુંક્તિમાં કહેલી પ્રતિમાએ! :– मासाई सत्चंता, पढमावितइयसत्तराइदिणा । દારૂ પાર્થ, મિત્રવૃત્તિમાળ વારસનું ॥ ૩ ॥ એક માસથી આરભી ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાતમાસ સુધી સાત પ્રતિમાએ છે. તે આ પ્રમાણે ઃમાસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી ચતુર્માસિકી, પંચમાસિકી, ષમાસિકી અને સપ્તમાસિકી ત્યારબાદ પહેલી, બીજી અને ત્રીજી (=પહેલેથી ગણવામાં આવે તે આઠમી, નવમી અને દશમી) એ ત્રણ પ્રતિમા સસરાત્રિક્રિના છે. અગિયારમી અને ખારસી અનુક્રમે અહારાત્રિકી અને રાત્રિકી છે. આમ કુલ બાર સાધુપ્રતિમાએ છે. (૩) Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪થીર ૧૮ ભિક્ષુપ્રતિમા-૫'ચાશક પ્રતિમા ધારણ કરવાને લાયક સાધુનું સ્વરૂપ :पडिवजह एयाओ, संघयणधिईजुओ महासत्तो । पडिमाउ भावियप्पा, सम्मं गुरुणा अणुण्णाओ ॥ ४ ॥ गच्छे च्चिय णिम्माओ, जा पुव्वा दस भवे असंपृण्णा | णवमस्स तइयवत्थू, होह जहण्णो सुयाहिगमो ॥ ५ ॥ वोसचतदेहो, उवसग्गसहो उवसग्गसहो जहेव जिणकप्पी । एसण अभिग्गहीया, भत्तं च अलेवडं तस्स ॥ ६ ॥ * ૩૨૧ : ૧ સઘયયુક્ત, ૨ ધૃતિયુક્ત, ૩ સાત્ત્વિક, ૪ ભાવિ. તાત્મા, ૫ ઘડાયેલ, ૬ ઉત્કૃષ્ટથી કઈક ન્યૂન દશપૂર્વી અને જઘન્યથી નવમા પૂર્ણાંની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણુનાર, ૭ વ્યુત્ક્રઇકાય, ૮ ત્યક્તાય, હું જિનકલ્પીની જેમ ઉપસર્ગ - સહિષ્ણુ, ૧૦ અભિગ્રહવાળી એષણા લેનાર, ૧૧ અલેપ આહાર લેનાર, અને ૧૨ અભિગ્રહવાળી ઉપધિ લેનાર સાધુ આ પ્રતિમાઓના સ્વીકાર કરે છે. (૧) સંઘયણુયુક્ત ઃ- પ્રથમના ત્રણ સંઘયણેામાંથી કાઈ એક સંઘયણવાળા. આવા મજબૂત સંઘયણવાળા પરીહે સહન કરવામાં અત્યંત સમથ અને છે. (૨) શ્રૃતિયુક્ત :-કૃતિ એટલે ચિત્તની સ્વસ્થતા, ધૃતિયુક્ત જીવ રતિ-અતિથી પીડાતા નથી. ૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ - ૩૨૨ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪થી ૬ (૩) સાત્ત્વિક :- સારિક જીવ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં હર્ષ—વિષાદ ન પામે. (૪) ભાવિતાત્મા :-ગુરુની કે (જે ગુરુએ પ્રતિમાને સ્વીકાર કર્યો હોય તે) તે વખતે સ્થાપિત આચાર્યની અથવા ગચ્છની આગમાનુસાર અનુજ્ઞા મેળવીને જેણે ચિત્તને સદભાવનાથી ભાવિત બનાવ્યું હોય તે, અથવા જેણે (પ્રતિમાના સ્વીકાર પહેલાં) પ્રતિમાને અભ્યાસ કર્યો હોય તે, પ્રતિમાને અભ્યાસ પાંચ તુલનાઓથી થાય છે. તે આ પ્રમાણે :तवेण सत्तेण सुत्तेण, एगत्तण बलेण य । तुलणा पंचहा बुत्ता, पडिमं पडिवज्जओ ।। પ્રતિમાને સ્વીકાર કરનારની તપથી, સવથી, સૂત્રથી, એકવથી અને બલથી એમ પાંચ તુલના છે. ( તુલના એટલે પ્રતિમા સ્વીકારવાની યોગ્યતા આવી છે કે નહિ તેની પરીક્ષા કે ચકાસણી. અથવા ગ્યતા કેળવવાને ઉપાય.] (૧) તપથી - ઉપવાસ વગેરે તપ કરે. કહ્યું છે કેचउभत्तेहिं जाउं, छठेहिं अट्टमेहिं दसमेहिं । बारस चोद्दसमेहि य, धीरावि इमं तुलितऽप्पं ।। ધીર પુરુષો પણ સુધા ઉપર વિજય મેળવવા ઉપવાસ, છટ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ અને છ ઉપવાસથી આત્માની તુલના કરે છે.” + દશાશ્રુ અ. ૭, નિ. ગા. ૮ ની ચુર્ણિ. Page #340 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪થી ૬ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૨૩ : एकेक्कं ताव तवं, करेह जह तेण कीरमाणेणं । हाणी न होइ जइआ, वि होज्ज छम्मासुवस्सग्गो । પિરિસી વગેરે (ક્રમશઃ ચઢિયાત) એક એક તપ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી કરાતા તપથી વિહિત અનુષ્ઠાનોની હાનિ ન થાય. તથા દેવ વગેરે આહાર અનેષણય કરી નાખવે ઈત્યાદિ ઉપસર્ગ છ મહિના સુધી કરે તે પણ છે મહીના સુધી ઉપવાસ કરે, પણ અષણીય આહાર ન લે. (૨) સવથી – સવતુલના પાંચ કાયોત્સર્ગથી થાય છે. તે આ પ્રમાણેઃपढमा उपस्सयंमी, बीया बाहिं तइय चउक्कम्मि । सुण्णहरम्मि चउत्थी, तह पंक्षमिया मसाणंमि ॥ १३९५ आसु थोवं थोवं, पुव्यपवत्तं जिणे सो निहं । मृसगफासाइ तहा, भयं च सहसुभवं अजियं ॥ १३९६ ५. १. બાકીના સાધુઓ સૂઈ જાય ત્યારે ભય ઉપર વિજય મેળવવા માટે પહેલી પ્રતિમા ( =કાઉસગ) ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં, ચોથી શૂન્યઘરમાં અને પાંચમી શ્મશાનમાં કરે. (૧૩૫) આ પ્રતિમાઓમાં તે મુનિ પૂર્વે જેટલી નિદ્રા હતી તેમાંથી ડી ડી નિદ્રા સમાધિ રહે તેમ છે તે ઓછી કરે. તથા ઉંદરરપ આદિમાં સહસા થયેલા પૂર્વે નહિ જીતેલા ભયને છતે.(૧૩૯૬) * બ. ક. ૧૩૩૦, ૫. વ. ૧૩૯૦. Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૪ : ૧૮ ક્ષુભિપ્રતિમા-૫'ચાશક ગાથા ૪થીદું (૩) સ્ત્રથી :- સૂત્રને અતિશય પરિચિત (=રૂઢ) કરવા તે સૂત્રતુલના છે. કહ્યુ છે કે: - अह सुत्तभावणं सो, एगग्गमणो अणाउलो भयवं । कालपरिमाणहे, सब्भत्थं सव्वहा कुणइ ॥ १३९८ ॥ ઈ मेहाइच्छन्नेसुं, उभओ कालमहवा उवसग्गे । તૈયાર મિલથે, નાનપુ ાનું વિના છારું || ૪૦૨ ૫. વ * “ પ્રતિમાકલ્પને સ્વીકારવાની ભાવનાવાળા તે ભગવંત કાલનું પરિમાણ જાણવા માટે બાહ્યથી વ્યાકુલતા રહિત અને આંતરથી એકાગ્રચિત્તે સૂત્રના દૃઢ અભ્યાસ કરે. અર્થાત્ સૂત્રના એવા ઢ અભ્યાસ કરે કે જેથી સૂત્રના પાઠથી આટલે પાઠ કર્યો માટે આટલા કાળ થયા એમ સમય જાણી શકે. સૂત્રપાઠથી સુહૂત વગેરે સ્થૂલ જ કાળ જાણી શકે એમ નહિ, કિંતુ ઉચ્છવાસ વગેરે સૂક્ષ્મ કાળ પણ જાણી શકે. (૧૩૯૮) વાદળા વગેરે હાય ત્યારે પણ અમુક ક્રિયા શરૂ કરવાના સમય થઇ ગયા છે, અમુક ક્રિયા પૂરી કરવાના (બંધ કરવાના) સમય થઇ ગયા એમ ક્રિયાના પ્રારભ અને સમાપ્તિ એ એ કાળને, દેવ વગેરે રાત ઢાય તે દિવસ અતાવે ઈત્યાદિ દેવકૃત વગેરે ઉપસ્રગ માં સત્ય જે કાળ હોય તે કાળને, પ્રતિલેખના અને પ્રતિક્રમણ વગેરેના કાળને, ભિક્ષા અને વિહારના કાળને, છાયા વિના પણ સૂત્રપાઠથી જાણી શકે”, (૧૪૦૧). (૪) એકત્વથી: એકવતુલના આ પ્રમાણે છે :पगत्तभावणं तह, गुरुमाइसु दिट्टिमाइपरिहारा । માથે નિમ્મમત્તો, તત્ત ચિપ્તિ કાળ || ૨૪૦૨ || Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪થી૬ ૧૮ શિક્ષુ પ્રતિમા–પંચાશક : ૩૨૫ : एगो आया संजोगियं तु सेसं इमस्स पारणं । दुक्खनिमित्तं सव्वं, हिओ य मज्झत्थभावो सो ॥१४०३॥पं.व. નીચેની ગાથામાં કહેવાશે તે પરમાર્થને હૃદયમાં ધારણ કરીને મમત્વભાવથી રહિત બનીને ગુરૂ આદિ વિશે તેમની સામે દૃષ્ટિ કરવી, તેમની સાથે બોલવું વગેરેનો ત્યાગ કરીને એકવ ભાવનાને અભ્યાસ કરે. (૧૪૦૨) આત્મા એકલો જ છે. સંગથી થયેલ શરીર વગેરે બધી વસ્તુઓ પ્રાયઃ આત્માના દુખનું કારણ છે. મધ્યસ્થ ભાવવાળો આત્મા હિતકર છે. (૧૪૦૩). (૫) બલથી – બલથી તુલના શારીરિક અને માનસિક એમ બે પ્રકારે છે. કાન્સગ કરવાનું સામર્થ્ય એ શારીરિક બલ અને ધૃતિ એ માનસિક બળ છે. કહ્યું છે કે - इअ एगत्तसमेओ, सारीरं माणसं च दुविहंपि । भावइ बलं महप्पा, उस्सग्गधिईसरूवं तु । १४०६ पं. व. । આ પ્રમાણે એકત્વભાવથી યુક્ત બનેલા તે મહાત્મા કાયોત્સર્ગરૂપ શારીરિક અને ધૃતિરૂપ માનસિક એ બન્ને બળનો અભ્યાસ કરે.” (૧૪૦૬) આ બળ અભ્યાસથી થાય છે. (દશાશ્રઅ. ૭ની ચૂર્ણિમાં) કહ્યું છે કે - पमेव य देहबलं, अभिक्ख-आसेवणाइ त होइ ।। लंखगमल्ले उपमा, आसकिसोरे व जोगविए ॥ १॥ એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી શરીરબળ પણ થાય છે. આ વિષયમાં સંખક, મલ્લ, અશ્વ, બાળક Page #343 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૬ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪થી ૬ અને યોગના જાણકારોના દષ્ટાંત છે, અર્થાત્ જેમ લંબક વગેરે અભ્યાસથી પોતપોતાની ક્રિયામાં પ્રવીણ થાય છે તેમ અભ્યાસથી શરીરબળ થાય છે.” (૫) ઘડાયેલ - ગ૭માં જ રહીને પ્રતિમાકલ્પના આહારાદિ સંબંધી પરિકર્મમાં (=અભ્યાસમાં કે તુલનામાં) ઘડાઈ ગયો હોય. કહ્યું છે કે - पडिमाप्पियतुल्लो, गच्छे श्चिय कुणइ दुविह परिकम्मं । आहारोवहिमाइसु, तहेव पडिवज्जए कप्पं ॥ १४११ पं.व. ॥ “ પ્રતિમાકલ્પ સમાન તે મહાત્મા ગચ્છમાં જ રહીને આહાર સંબંધી અને ઉપધિસંબંધી એમ બે પ્રકારનું પરિકમ કરે છે, પછી પ્રતિમાકલ્પનો સ્વીકાર કરે છે.” (૧૪૧૧) આહારાદિ સંબંધી પરિકમ પછી જણાવવામાં આવશે. પરિકમનું કાલપરિમાણ આ પ્રમાણે છે – પ્રારંભની સાત પ્રતિમાઓમાં જે પ્રતિમાનો જેટલો કાળ છે તેટલો જ કાળ તેના પરિકર્મનો છે. તથા વષકાળમાં આ સાત પ્રતિમા એને સ્વીકાર ન કરે, અને પ્રતિકર્મ પણ ન કરે. પહેલી બે એક જ વર્ષમાં કરે. ત્રીજી-ચોથી એક એક વર્ષમાં કરે, બાકીની ત્રણ એક વર્ષે પ્રતિકર્મ અને બીજા વર્ષે સ્વીકાર એમ બે બે વર્ષોમાં કરે. આમ કુલ નવ વર્ષોમાં પ્રારંભની સાત પ્રતિમા પૂરી થાય. (૬) શ્રત – સંપૂર્ણ દશ પૂર્વધરનું વચન અમોઘ હોય છે, અર્થાત્ એમની દેશનાથી કેઈ ને કોઈ ધર્મ પામે જ. આથી તે ધર્મદેશના વડે ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતા Page #344 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪થી૬ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૨૭ : – હેવાથી તીર્થવૃદ્ધિ કરે છે. આથી સંપૂર્ણ દશપૂર્વધર પ્રતિમાદિકલપને સ્વીકાર ન કરે. આથી અહીં ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વધર પ્રતિમા ધારણ કરવાને ચગ્ય છે એમ કહ્યું છે. તથા જઘન્યથી પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વ સંબંધી આચાર નામની ત્રીજી વસ્તુથી જૂન શ્રુતજ્ઞાન જેને હોય તે અતિશયરહિત જ્ઞાનવાળા હોવાથી કાલાદિને ન જાણું શકે. આથી તે પ્રતિમાદિકપને ધારણ ન કરી શકે. (૭) વ્યુત્કૃષ્ટ કાયઃ-રેગનો ઉપાય કરવો વગેરે કાયાની સેવાથી રહિત. (૮) ત્યક્ત કાય - કાયાના મમત્વભાવથી રહિત. (દશાશ્ર. અ. ૭ ની ચૂર્ણિમાં) કહ્યું છે કે – अण्णो देहाउ अहं, नाणत्तं जस्स एवमुवलद्धं । सो किंचि आहिरिकं, न कुणइ देहस्स भंगेऽपि ॥ ९ ॥ દેહથી હું ભિન્ન છું એમ દેહથી આત્માનો ભેદ જેણે જે છે તે દેહ નાશ થાય તો પણ શરીરમાં થયેલા રાગાદિને જરા પણ પ્રતીકાર કરતા નથી.” (૯) ઉપસર્ગ સહિષ્ણુ-જિનકલ્પીની જેમ દેવકૃત વગેરે ઉપસર્ગોને સહન કરનાર. (૧૦) અભિગ્રહવાળી એષણ લેનાર - એષણાના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે - Page #345 -------------------------------------------------------------------------- ________________ • ૩૨૮ ક ૧૮ ભિક્ષુપ્રતિમા-૫‘ચાશક ગાથા ૪થીદ સેવા संसट्टमसंसट्टा, उद्धड तह अप्पलेवडा उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया || પ્ર. સા. ૭૩૮ “ અસ’સુષ્ટા, સ ́ષ્ટા, ઉષ્કૃતા, અપલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉજ્જિતધર્મો એમ સાત એષણાઓ છે. તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હૈાવાથી એ ક્રમ છે. મૂળ ગાથામાં છટ્ઠાભ’ગ ન થાય પહેલાં કહી છે. ” એટલા માટે સા (૧) અસ’સુષ્ટાઃ- ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી. (૨) સસૃષ્ટા :- ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી.+ (૩) ઉધૃતા :- ગૃહસ્થે પેાતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને તે બીજા વાસણથી જ લેવા. (૪) અપલેપાઃ– અહીં અપ શબ્દ અભાવ અથ માં છે, લેપ રહિત પૌઆ વગેરે લેવું. (૫) અવગૃહીતા:-@ાજન વખતે ખાવાની ઈચ્છાવાળાને થાળી આદિમાં આપેલુ' લેાજન તે થાળી આદિથી જ લેવું. + ગૃહસ્થના પહેલાંથી જ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લે તા તેને ધાવા વગેરેથી પશ્ચાત્કમ દોષ સાધુને ન લાગે. આથી અસ સથી સ*સૃષ્ટ ભિક્ષા વિશેષ શુદ્ધ છે. એ પ્રમાણે ઉદ્દતા આદિમાં પણ પૂર્વ એષણાની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ યથાયાગ્ય સ્વયં સમજી લેવી. Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪થી૬ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૨૯ : (૬) પ્રગૃહીતા -ભેજન વખતે ખાવાની ઈચ્છાવાળાને આપવા માટે પીરસનારે કે ખાનારે હાથ આદિથી લીધું હેય તે ભોજન લેવું. (૭) ઉજ્જિતધર્મા - જે આહાર સારે ન હેવાથી તજવા લાયક હોય અને બીજા મનુષ્ય વગેરે પણ ઈચ્છે નહિ તે આહાર લેવો. અથવા જેમાંથી અર્ધો ભાગ તજી દીધો હોય તે આહાર લેવો. પ્રતિમાને અભ્યાસ કરનાર આ સાતમાંથી પ્રારંભની બે એષણ ક્યારે પણ ન લે. બાકીની પાંચમાંથી પણ દરરોજ પાણીમાં એક અને આહારમાં એક એમ બે એષણાને જ અભિગ્રહ હોય. અર્થાત પાંચમાંથી અમુક કેઈ એક એષણાથી આહાર લે, અને અમુક કોઈ એક એષણાથી પાણી લેવું બાકીની એષણાને ત્યાગ એમ દરરોજ અભિગ્રહ કરે. (૧૧) અલેપ આહાર લેનાર - લેપ રહિત=ચીકાશ રહિત વાલ ચણ વગેરે લે. (૧૨) અભિગ્રહવાળી ઉપાધિ લેનાર - પિતાની બે એષણાથી જ મળેલી ઉપાધિ લે પિતાની એષણા એટલે પ્રતિમાકલ્પને ગ્ય એષણ પિતાની બે એષણાથી પ્રતિમા કલ્પને યોગ્ય ઉપધિ ન મળે તે તેવી ઉપાધિ ન મળે ત્યાં સુધી યથાકૃત (સાંધવું, સીવવું વગેરે પરિકર્મ ન કરવું પડે તેવી) ઉપાધિ લે. તેવી ઉપાધિ મળતાં યથાકૃત ઉપધિને ત્યાગ કરે. Jain Eation International Page #347 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૦ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪થી ૬ उवगरणं सुद्धसणमाणअयं जमुचियं सकप्पस्त । तं गिण्हइ तयभावे, अहागडं जाय उचियं तु ॥ १३८२ ।। जाए उचिए य तयं, वोसिरइ अहागडं विहाणेण । [ vrTffeત, પિvળે તૈfજ તે તમં ૧૮૮૩ વ. બે પ્રકારની એષણાથી સ્વકપને(=પ્રતિમાકલ્પને) યોગ્ય વસ્ત્રાદિ ઉપકરણ લે, સવકલ્પને ચગ્ય ન મળે તે સ્વકપને યોગ્ય ન મળે ત્યાં સુધી યથાકૃત લે. (૧૩૮૨) વિકલપને ચોગ્ય મળી જતાં યથાકૃત ઉપકરણ આગમોક્ત વિધિ મુજબ પરઠવી દે. ઉપકરણના ત્યાગમાં નિસ્પૃહ હોવાથી આજ્ઞામાં રત તેને પાછળથી મેળવેલા (પ્રતિમાક૫ની તુલના વખતે મેળવેલા પ્રતિમાક૯૫ પ્રાગ્ય) ઉપકરણ સાથે મૂળ (=પ્રતિમાકપની તુલના પહેલાના) ઉપકરણ પણ હાય.” પ્રતિમાક૯પમાં ઉપધિની ચાર એષણામાંથી અંતિમની બે એષણા હેય છે. ચાર એષણ આ પ્રમાણે છે :- (૧) સૂતર વગેરેનું બનેલું ઉદ્દિષ્ટ જ વસ્ત્ર લઈશ, (૨) પ્રેક્ષિત જ વસ્ત્ર લઈશ, (૩) પરિભક્તપ્રાય જ ખેસ વગેરે વસ્ત્ર લઈશ, () તે પણ ઉઝિતધર્મ જ વસ્ત્ર લઈશ. ( અર્થાત્ ઉદિષ્ટા, પ્રેક્ષિતા, પરિભુક્તપ્રાયા અને ઝિતધમાં એમ ચાર પ્રકારની વસ્ત્ર એષણ છે. ઉદિષ્ટ એટલે કહેલું. હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું કહ્યું હોય તેવું જ વસ્ત્ર ગૃહ પાસેથી લેવું તે ઉદિશ એષણા. (૨) પ્રેક્ષિત એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે વસ્ત્ર જોઈને માગે તે પ્રેક્ષિતા એષણ. (૩) ઉપભુક્ત પ્રાય Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭થી૧૧ ૧૮ ભિક્ષપ્રતિમ-પંચાશક : ૩૩૧ : ઉપર એટલે ગાય કે તe એટલે ગૃહસ્થ લગભગ ઉપયોગ કરી લીધું હોય તેવું વસ્ત્ર. ઉપમુક્તપ્રાય વસ્ત્ર લેવું તે ઉ૫ભુક્તપ્રાયા એષણા. (૪) ઉઝિતધર્મ એટલે ગૃહસ્થને પિતાના ઉપયોગમાં લેવાનું ન હોય=કોઈને આપી દેવાનું હોય કે તજી દેવાનું હોય તેવું વસ્ત્ર. ઉઝિતધર્મ વસ્ત્ર લેવું તે હજિઝતધમાં એષણા. બૃહત્કપ ગાથા ૬૦માં ઉપમુક્તપ્રાયા એષણાના સ્થાને અંતરા એષણ કહી છે. અંતરા એટલે વચ્ચે. ગૃહસ્થ નવું વસ્ત્ર પહેરીને જુનું વસ્ત્ર મૂકી દેવાની ઈચ્છા કરે, પણ હજી મૂકયું ન હોય, તેટલામાં વચ્ચે ( મૂકવાની ઈચ્છા અને મૂકવું એ બેની વચ્ચે) જ જુનું વસ્ત્ર માગે તે અંતરા એષણા.) गच्छे विणिक्खमित्ता, पडिवजइ मासियं महापडिमं । दत्तेग भोयणस्सा, पाणस्सवि एग जा मासं ॥ ७ ॥ आईमज्झवसाणे, छग्गोयरहिंडगो इमो यो । ગાકારાવાસી, જ સુઇ શા || ૮ || जायण-पुच्छा- ऽणुण्णावण-पण्हवागरणभासगो चेव । आगमणवियडगिहरुक्खमूलगावासयतिगोत्ति ॥ ९ ॥ पुढवीकट्ठजहऽस्थिण्णसारसाई ण अग्गिणो बीहे । દારુ પાય, Isamg તgિ a | ૨૦ | जत्थऽत्थमेइ सुरो, न तओ ठाणा पयंपि संचरइ । पायाइ ण पक्खालइ, एसो वियडोदगेणावि ॥ ११ ॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૨ ઃ ૧૮ ભિક્ષુ પ્રતિમા–પંચાશક ગાથા ૭ दुट्ठऽस्सहत्थिमाई, तो भएणं पयपि णोसरई । एमाइणियमसेवी, विहरइ जाऽखंडिओ मासो ॥ १२ ॥ પરિકમમાં ઘડાઈ ગયેલા તે મહાત્મા ગચ્છમાંથી નીકળીને ગચ્છને છોડીને માસિકી (માસપ્રમાણ) મહાપ્રતિજ્ઞા રૂપ મહાપ્રતિમાને સ્વીકાર કરે. તેમાં વિધિ આ પ્રમાણે છે - જે પ્રતિમા સ્વીકારનાર આચાર્ય હોય તે બીજા સાધુને આચાર્યપદે સ્થાપીને શરદ્દ ઋતુમાં શુભ દ્રવ્યાદિને યોગ થાય ત્યારે માસિકી પ્રતિમાનો સ્વીકાર કરે તથા ગચ્છમાંથી નીકળતાં પહેલાં સકળ સાધુઓને બેલાવીને ક્ષમાપના કરે. કહ્યું છે કે – खामेइ तओ संघ, सबालवुड्ढे जहोधियं एवं । अच्चंत संविग्गो, पुवविरुद्धे विसेसेण ॥ १४१५ ।। जंकिंचि पमाएणं, न सुटु मे वट्टियं मए पुधि । तं भे खामेमि अहं, निस्सल्लो निक्कसाओत्ति ॥ १४१६ पं०१० ॥ ત્યારબાદ અત્યંત સંવિગ્ન બનીને સબાલ-વૃદ્ધ સકલ (શ્રમણ) સંઘને નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે યથેચિત ખમાવે. પૂર્વે જેમની સાથે વિરોધ થયો હોય તેમને વિશેષરૂપે ખમાવે. (૧૪૧૫) પૂર્વે મેં પ્રમાદથી તમારા પ્રત્યે જે કંઈ સારું આચરણ ન કર્યું હોય તે બદલ નિઃશલ્ય અને કષાયરહિત હું તમને ખમાવું છું.” (૧૪૧૬) Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭ ૧૮ ભિક્ષુપ્રતિમા-પંચાશક : ૩૩૩ : માસિકી પ્રતિમામાં નિયમેકઅભિગ્રહ (૧) ભજનની દત્તિ એક જ હેય. અવિચ્છિન્નપણે(=ધાર તૂટ્યા વિના) એક વખતે પાત્રમાં જેટલું પડે તે એક દત્તિ. (૨) પાણીની પણ એક જ દત્તિ હોય. (૩) આ સાધુને કેટલી દતિ છે તે ક્યાં ખબર ન પડી હોય ત્યાંથી ભિક્ષા લે. (૪) પૂર્વોક્ત સાત એષણામાં પ્રારંભની બે એષણા સિવાય પાંચ એષણામાંથી કોઈ એક એષણાથી આહાર લે. (૫) લેપ રહિત આહાર લે. (૬) જે આહારને ભિખારી વગેરે યાચક લેવાની ઈચ્છાવાળા ન હોય તે આહાર લે. [ અર્થાત ભિખારી વગેરે જ્યારે લેવા આવતા હોય ત્યારે ન લે. તે સિવાયના કાળમાં લે જેથી તેમને અંતરાય ન થાય. (જુઓ દ.શ્ર અ. હની ચૂર્ણિ]. (૭) જે આહારને માલિક એક જ હોય તે આહાર લે. [અનેકની માલિકીવાળો આહાર લેવાથી જે આપે તે સિવાયના બીજાઓને અપ્રીતિ થવાનો સંભવ છે.] * પ્રતિમાધારીને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહ હોય છે. તેમાં અહીં આપેલા નંબરમાં ૬ સિવાય ૧ થી ૭ નંબર સુધી દ્રવ્યાભિગ્રહ છે. ૬ અને ૮ નબર ભાવ અભિગ્રહ છે. ૯ નંબર ક્ષેત્ર અભિગ્રહ છે. ૧૦ નંબર ભાવ અભિગ્રહ છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૪ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૮ (૮) ગર્ભિણું, નાના બાળકવાળી અને બાળકને ધવડાવતી સ્ત્રીના હાથે ન વહોરે. [ સાતમી ગાથાને ભાવાર્થ પૂર્ણ થશે. ] (૯) એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તે લે. (૭) (૧૦)દિવસના આદિ, મધ્ય કે અંતકાળે ભિક્ષા માટે ફરે. (૧૧) છ ગોચરભૂમિથી ગોચરી લે. જેમ ગાય ઊંચનીચ ઘાસને ચરતી ફરે છે, તેમ સાધુ ઊંચ-નીચ ઘરોમાં ભિક્ષા માટે ફરે તે ગોચર. છ ગોચરભૂમિ આ પ્રમાણે છેપિટા, અર્ધપેટા, ગેમૂત્રિકા, પતંગવીથિકા, શબૂકવૃત્તા અને અને ગત્વા પ્રત્યાગતા. (૧) પેટા- પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચાર શ્રેણિઓથી ઘરોના વિભાગ કરીને તેની વચ્ચેનાં ઘર છોડી ચાર દિશામાં કપેલી ચાર લાઈનમાં જ ગોચરી જવું. * પંચવસ્તુ ગ્રંથમાં ૩૦૧ મી ગાથામાં મિક્સરસા એ પદમાં આદિ, મધ્ય અને અંતને અનુક્રમે ભિક્ષાકાળ થયા પહેલાં, ભિક્ષાકાળ વખતે અને ભિક્ષાકાળ વીતી ગયા પછી એમ અર્થ કર્યો છે. દશાશ્રુતસ્કંધ ગ્રંથમાં અન્ય ભિક્ષાચરે વગેરેને અપ્રીતિ ન થાય એટલા માટે જે ભિક્ષાચરો ભિક્ષાકાળ પહેલાં કરતા હોય તે ભિક્ષાકાળ વખતે ગોચરી માટે ફરે, જે ભિક્ષાચરે ભિક્ષાકાળ વખતે ફરતા હોય તો ભિક્ષાકાળ પહેલાં કે ભિક્ષાચરે ભિક્ષા લઈ જાય પછી ભિક્ષા માટે ફરે ઈત્યાદિ Jain જણાવ્યું છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭થી૧૨ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૩૫ : (૨) અધપેટા - પેટાની જેમ ચાર શ્રેણિની કહપના કરી બેદિશાની બે શ્રેણિમાં જવું. (૩) ગમૂત્રિકા – ચાલતે બળદ મૂતરે ત્યારે મૂતરની જમીનમાં જેવી આકૃતિ થાય તેવી આકૃતિ પ્રમાણે ગોચરી જવું. અર્થાત્ સામસામી રહેલી ઘરની શ્રેણિઓમાં પહેલાં ડાબી શ્રેણિના પહેલા ઘરમાં, પછી જમણ શ્રેણિના પહેલા ઘરમાં, પછી ડાબી શ્રેણિના બીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના બીજા ઘરમાં, પછી ડાબી શ્રેણિના ત્રીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના ત્રીજા ઘરમાં, એમ અનુક્રમે સામસામેની બંને શ્રેણિઓના ઘરોમાં જવું. (૪) પતંગવીથિકા- પતંગની જેમ અનિયત ક્રમથી ગમે તેમ ગોચરી માટે ફરવું. (૫) શબૂકવૃત્તા – શંખની જેમ ગોળાકારે ગોચરી માટે ફેવું. આના જમણું તરફથી શરૂઆત કરીને ફરવું અને ડાબી તરફથી શરૂઆત કરીને ફરવું એમ બે ભેદ છે. (૬) ગન્હાપ્રત્યાગતા - ઘરની એક લાઈનમાં જઈને તેની સામેની બીજી લાઈનથી ઉપાશ્રય તરફ પાછા આવવું. અથત ઉપાશ્રયની એક તરફની ગૃહશ્રેણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં તે શ્રેણિ પૂરી કરીને તેની સામેની શ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં ઉપાશ્રય તરફ પાછા આવવું. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૩૬ : ૧૮ ભિક્ષુ પ્રતિમા–પંચાશક ગાથા ૮-૯ [ અહીં તથા દશાશ્રુતસ્કંધમાં છ ગોચરભૂમિથી ભિક્ષા લે એમ કહ્યું છે. પણ આવશયકચૂર્ણિમાં આઠ ગોચર ભૂમિથી ભિક્ષા લે એમ જણાવ્યું છે. પંચવસ્તુ (ગા. ૩૦૦) અને પ્ર. સા. (ગા. ૭૪૫) વગેરેમાં જવી, ગન્હા-પ્રત્યાગતા, ગેમૂત્રિકા, પતંગવીથિકા, પેટા, અર્ધપેટા, અત્યંતરશખૂકા અને બાહોશંબૂકા એ ક્રમથી આઠ ગોચરભૂમિ કહી છે. અહીં શબૂકવૃત્તાના જે બે પ્રકાર બતાવ્યા છે તે અનુક્રમે અત્યંતરસંબૂકો અને બાહ્યબૂકા છે. ઋજરી એટલે ઉપાશ્રયના એક તરફની ગૃહણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ફરવું.) (૧૨) જે ગામ વગેરેમાં આ પ્રતિમાધારી છે એમ લોકોને ખબર પડી જાય ત્યાં એક અહોરાત્ર જ રહે, જ્યાં તેવી ખબર ન પડે ત્યાં એક કે બે અહોરાત્ર રહે. (૮) (આઠમી ગાથાનો ભાવાર્થ પૂર્ણ થયો.) (૧૩) સંથારો, ઉપાશ્રય આદિની યાચના, સ્વઅર્થ સંબંધી શંકાની કે ઘર આદિ સંબંધી શંકાની પૃછા, તૃણ, કષ્ટ આદિની અનુજ્ઞા, સૂત્રાદિ સંબંધી પ્રશ્નને એક કે બે વાર ઉત્તર આ ચાર પ્રસંગે જ બોલે, તે સિવાય મૌન રહે. (૧૪) સાધુને ત્યાગ કરવા લાયક દોષથી રહિત ધમશાલા, ખુલ્લું ઘર અને કાર વગેરે વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાને રહે. (૯) [નવમી ગાથાને અર્થ પૂર્ણ થયો.] WY Page #354 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮થી૧૨ ૧૮ ભિક્ષુપ્રતિમા-પંચાશક : ૩૩૭ ૨ (૧૫) કારણવશાત્ સૂવું પડે તેા પેાલાણુ રહિત પૃથ્વીશિલા, કાષ્ઠની પાટ કે કાણા વગેરેથી રહિત પાથરેલા ઘાસ વગેરેના સથારા એ ત્રણ સંથારા ઉપર શયન કરે. કહ્યુ` છે કે— मालियं णं भिक्खुपडिमं पडिवण्णस्स कप्पंति तओ संथारगा अहिट्टितप, तं जहा पुढविसिलं वा, कटुसिलं वा, अहसंथडमेष ટ્રુત્તિરૂં TM (દશાશ્રુ॰ અ૦૭)=“માસિકી પ્રતિમાધારીને સૂવા માટે પૃથ્વીશિલા, કાષ્ઠશિલા અને યથા'સ્તૃત ( કુશાદિ ઘાસના સચારા) એમ ત્રણ સથારા કલ્પે.” (૧૬) અગ્નિથી ભય ન પામે. અર્થાત્ ઉપાશ્રયમાં આગ લાગે તા પણ તેમાંથી નીકળે નહિ. કાઈ હાથ પકડીને બેચે તા નીકળે. (૧૭) કાષ્ઠ, કાંટા, કાંકરા વગેરે પગમાં ખેંચી ગયું હોય તા ન કાઢ. આંખમાં ધૂળ વગેરે પડે તેા ન કાઢે. (૧૦) (૧૮) સૂર્યાસ્ત થાય ત્યારે પાણીમાં કે જમીનમાં જ્યાં હાય ત્યાંથી એક પણ પગલું આગળ ન વધે, સૂર્યોદય સુધી ત્યાં જ રહે. (૧૯) હાથ, પગ, માહુ' વગેરે શરીરનાં અંગાને પ્રાસુક પાણીથી પણ સાફ ન કરે. સ્થવિરકલ્પી સાધુએ પુષ્ટ કારણુ હોય તેા હાથ વગેરે સાફ કરે, પણ પ્રતિમાકલ્પી કાઈ પણ રીતે સાફ ન કરે એવું સૂચન કરવા પ્રાસુક પાણીથી પણ એમ “વિ=પણું ”શબ્દના પ્રયોગ કર્યાં છે, (૧૧) २२ Page #355 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૮ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૧૩ (૨૦) દુષ્ટ અશ્વ, હાથી, સિંહ, વાઘ વગેરે આવે તે મરણભયથી એક પગલું પણ ખસે નહિ. મારવા માટે આવી રહેલ અશ્વ વગેરે દુષ્ટ પ્રાણુ સાધુ ખસી જાય તે પણ વનસ્પતિ વગેરેની વિરાધના કરે, એથી પ્રતિમા ધારી સાધુ ખસે નહિ. અદુષ્ટ પ્રાણ સાધુ ખસી જાય તે માગથી જ જાય. આથી વનસ્પતિ આદિની વિરાધના ન થવાથી અદુષ્ટ પ્રાણુ આવે તે પ્રતિમા ધારી ખસી જાય. (૨૧) છાંયડામાંથી તડકામાં અને તડકામાંથી છાંયડામાં ન જાય. આવા અભિગ્રહનું પાલન કરતા તે મહાત્મા માસ પૂર્ણ થાય ત્યાં સુધી એક ગામથી બીજા ગામ ફરતા રહે છે. (૧૨) માસ પૂર્ણ થયા પછી વિધિઃपच्छा गच्छमईई, एवं दुम्मासि तिमासि जा सत्त । णवरं दत्तिविवड्ढी, जा सत्त उ सत्तमासीए ॥ १३ ॥ માસિકલ્પ પૂર્ણ થયા પછી ઠાઠ-માઠથી ગચ્છમાં પ્રવેશ કરે. તેને વિધિ આ પ્રમાણે છે – જે ગામમાં ગ૭ હાય તેના નજીકના ગામમાં તે આવે આચાર્ય તેની પ્રવૃત્તિની (= આગમનની) તપાસ કરે. અર્થાત્ મહિનો પૂર્ણ થયો હાવાથી પ્રતિમાધારી સાધુ નજીકના ગામમાં આવ્યા છે કે નહિ તેની તપાસ કરાવે. પછી પ્રતિમારૂપ મહાન તપ પૂર્ણ કરીને સાધુ અહીં આવ્યા છે એમ રાજા વગેરેને જણાવે. પછી રાજા વગેરે લેક કે (રાજા વગેરે ન હોય તે) Page #356 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪-૧૫ ૧૮ ભિક્ષુપ્રતિમા-પંચાશક : ૩૩૯ શ્રમણ સંઘ તેની પ્રશંસા કરવા પૂર્વક તેને ગચ્છમાં પ્રવેશ કરાવે. પ્રશ્ન - રાગ-દ્વેષથી પર એવા સાધુને આ રીતે ઠાઠમાઠથી પ્રવેશ કરાવવાનું શું કારણ? ઉત્તર :- આમાં તેના તપનું બહુમાન, બીજાઓની શ્રદ્ધાવૃદ્ધિ અને શાસનપ્રભાવના એમ ત્રણ કારણે છે. દ્વિમાસિક, ત્રિમાસિકી, યાવત્ સપ્તમાસિકી સુધી આ જ વિધિ છે. પણ ક્રમશ: એક એક દત્તિની વૃદ્ધિ થાય છે. બીજી પ્રતિમામાં બે, ત્રીજી પ્રતિમામાં ત્રણ, યાવત્ સાતમી પ્રતિમામાં સાત દક્તિ છે. (૧૩) આઠમી પ્રતિમાનું સ્વરૂપ - तत्तो य अट्ठमी खलु, हवह इहं पढमसत्तराईदी । तीइ चउत्थचउत्थेण पाणएणं अह विसेसो ॥ १४ ॥ उत्ताणग पासल्ली, सजी वावि ठाणगं ठाउं । सहउवसग्गे, घोरे, दिवाई तत्थ अविकंपो ॥ १५ ॥ ત્યારબાદ પહેલી સપ્તરાત્રિદિના રૂપ આઠમી પ્રતિમા ધારણ કરે. તેમાં પૂર્વોક્ત સાત પ્રતિમાઓથી નીચે મુજબ વિશેષતા છે : (૧) એકાંતરે વિહાર ઉપવાસ કરે. * સાત રાત-દિવસ પ્રમાણુવાળી ત્રણ પ્રતિમાઓને અલગ જુથ ગણીને એ ત્રણની અપેક્ષાએ આ પહેલી છે, અને પહેલેથી આઠમી છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ . ૩૪૦ : ૧૮ ભિક્ષુપ્રતિમા-૫ંચાશક ગાથા ૧૬-૧૭ (૨) પારણે આયખિલ કરે, (૩) વ્રુત્તિના નિયમ નથી. (૪) ગામની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે, કે પલાઠી વાળીને બેસે એ ત્રણ સ્થિતિમાંથી કોઇ એક સ્થિતિમાં રહીને દેવ-મનુષ્ય-તિય "ચ વગેરેના ઉપસર્ગને મનથી અને કાયાથી ચલિત બન્યા વિના સહન કરે, (૧૪–૧૫) નવમી પ્રતિમાનું સ્વરૂપ : दोच्चावि एरिसच्चिय, बहिया गामाइयाण णवरं तु । उकडलंगडमाई, दंडाययओन्न ठाऊणं ॥ ૬ ॥ મીજી સસરાત્રિદિના પ્રતિમા પણ પહેલી સપ્ત રાત્રિક્રિના પ્રતિમા જેવી જ છે. કારણ કે તેમાં તપ, પારણું અને ગામની બહાર રહેવું એ બધુ' સમાન છે. પશુ આટલી વિશેષતા છે કે, ઉટુક આસને (ઢેકા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે) બેસે, વાંકા લાકડાની જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે ( મસ્તક કે પગ અદ્ધર રહે) તે રીતે સૂવે, લાકડીની જેમ લાંબા થઈને સૂવે-આ ત્રણમાંથી કાઈ એક સ્થિતિમાં રહીને ઉપસર્વાં સહન કરે. (૧૬) દશમી પ્રતિમાનું સ્વરૂપ ઃ तच्चावि एरिसच्चिय, णवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवा वि हु, ठाएजा अंबखुज वा ॥ १७ ॥ વ્યવસ્તુનો ૫ / Page #358 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮ ૧૮ ભિક્ષુપ્રતિમા-૫'ચાશક • ૩૪૧ : ત્રીજી સપ્તરાત્રિદિન પ્રતિમા પણ તપ, પારણું અને ગામની મહાર એ બધું સમાન હાવાથી પહેલી સપ્તરાત્રિદિન પ્રતિમા જેવી જ છે, પણ આટલી વિશેષતા છે કેગાઢાહિકા આસને બેસે. પેન અને ઢકા એક બીજાને અડે અને પગના તળિયાના આગળના ભાગ જ જમીનને અડે, (પાછળના ભાગ અદ્ધર રહે) તે રીતે બેસવું એ ગેાદાહિકા આસન છે. અથવા વીરાસને બેસે, ભૂમિ ઉપર પગ રાખીને સિહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. આ ત્રણમાંથી કાઈ એક સ્થિતિમાં રહે. આ પ્રમાણે આ ત્રણ પ્રતિમા એકવીસ દિવસે પૂ થાય. (૧૭) અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ :— एमेव अहोराई, छटुं भत्तं अपाणगं णवरं । ગામળગાળ માહૈિ, વાયાયિવાણિજ્ ટાળ || ૮ || એ જ રીતે અગિયારમી એક અહારાત્ર પ્રમાણવાળી પ્રતિમા છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છે : (૧) ચાવિહાર છઠ્ઠના તપ હોય છે, જેમાં છ સેાજ નના ત્યાગ થાય તે છઠ્ઠ. એ ઉપવાસમાં ચાર લેાજના અને આગળ પાછળના દિવસે એકાસણું કરવાનું હાવાથી એક એક લેાજનના એમ છ ભેાજનના ત્યાગ થાય છે, Page #359 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ર : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૧૯-૨૦ - - - II (૨) ગામ કે નગરની બહાર હાથ લાંબા કરીને (અથત કાયોત્સર્ગ મુદ્રાએ) રહે છે. (૩) આ પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય છે. કારણ કે અહોરાત્ર પછી છઠ્ઠ કરવામાં આવે છે. કહ્યું છે કે - અહiા તષ્ઠિ, wwછા છટ્ટ : (દશાશ્ર. અ. ૭)= અહેરાત્રિકી પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય. અહેરાત્ર પછી છઠ્ઠ કરે. (૧૮). બારમી પ્રતિમાનું સ્વરૂપ :एमेव एगराई, अहममसेण ठाण बाहिरओ। લીવરમારો, નિમિષાથી વિટ્ટી / ૬ . साहट्ट दोवि पाए, वाघारियपाणि ठायइ हाणं । वाघारिलंबियभुओ, अंते य इमीइ लद्धित्ति ॥ २० ॥ અહેરાત્રિી પ્રતિમાની જેમ જ રાત્રિી પ્રતિમા છે. તેમાં વિશેષતા નીચે મુજબ છે. (૧) (ચોવિહાર) અમનો તપ હેય. (૨) ગામ વગેરેની બહાર કંઈક વળીને કાયોત્સર્ગ મુદ્રાએ રહે, અથવા નદી વગેરેના કાંઠાના વિષમસ્થાનમાં કાયોત્સર્ગ મુદ્રાએ રહે. (૩) કેઈ એક પદાર્થ ઉપર નેને મીંચ્યા વિના રિથરદષ્ટિ રાખે, Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧-૨૨ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : 8૪૩ : - (૪) શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં રાખે, અર્થાત્ એક પણ અંગને જરાય હલાવે (૫) બધી ઈન્દ્રિયો ઉપર કાબૂ રાખે. (૬) સમ્યફપાલનથી આ પ્રતિમા પૂર્ણ થતાં લબ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે - एगराइयं च णं भिक्खुपडिम सम्म अणुपालेमाणस्स इमे तओ ठाणा हियाउ भवन्ति, तं जहा-ओहिनाणे वा समु. प्पजेजा, मणपज्जवनाणे वा समुप्पज्जेजा, केवलनाणे वा કરમુcoung agwwwા (દશાશ્રુ અ૦ ૭). = “એકરાત્રિકી પ્રતિમાનું પાલન કરનારને અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.” (૭) રાત્રિ પછી અઠ્ઠમનો તપ કરવાનો હોવાથી આ પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. કહ્યું છે કે- પાવા હિં, પછા સમં ક (દશાશ્રુટ અ. ૭) = “ એકરાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. કારણ કે રાત્રિ પછી અઠ્ઠમ કરે.” (૧૯-૨૦) આ પ્રતિમાકલ્પ વિશિષ્ટ લાભનું કારણ નથી એવો પૂર્વ પક્ષ :आह ण पडिमाकप्पे, सम्मं गुरुलाघवाइचिंतत्ति । गच्छाउ विणिक्खमणाइ ण खलु उवगारंग जेण ॥ २१ ॥ तत्थ गुरुपारतंतं, विणओ सज्झाय सारणा चेव ।। वेयावञ्चं गुणवुड्ढि तहय णिकत्ति संताणो ॥ २२ ॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ • ૩૪૪ ક ૧૮ ભિક્ષુપ્રતિમા–પચાશક ગાથા ૨૩-૨૪ दत्ते गाइगहोऽवि हु, तहसज्झायाइऽभावओ ण सुहो । अंताइणोऽवि पीडा, धम्मकायस्स ण सुसिलिङ्कं ॥ २३ ॥ एवं पडिमाकप्पो, चिंतिज्जंतो उ निउणदिट्ठीए । ગતમાનવિમૂળો, જ્જ હો વિવિટ્ટમુળદ્દે ? ।। ૨૪ ॥ પ્રતિમાકલ્પમાં ગુરુલાઘવ (=અધિક-અલ્પ લાભ) વગેરેની ખરાખર વિચારણા કરવામાં આવી નથી. તે આ પ્રમાણે ગચ્છવાસ ગુરુ છે=અધિક લાભનું કારણુ છે. કારણ કે તે સ્વ-પર ઉભયના હિતનુ કારણ છે, ગચ્છમાંથી નીકળવુ' એ લઘુ છે = અપલાભનું. કારણ છે, કારણ કે તેનાથી માત્ર પેાતાને જ લાભ થાય છે. તપ વગેરે ગચ્છવાસમાં અને ગચ્છમાંથી નીકળવામાં એ મનેમાં સમાન છે. ગચ્છમાંથી નીક ળવુ, ધર્માંના ઉપદેશ ન આપવા વગેરે લાભકારી નથી. (૨૧) કારણ કે ગચ્છવાસમાં ગુરુપારત'ત્ર્ય, વિનય, સ્વાધ્યાય, સ્મારણા, વૈયાવચ્ચ, ગુણવૃદ્ધિ, શિષ્યસસિદ્ધિ અને શિષ્યપરપરા આટલા લાભા થાય છે. ગચ્છમાંથી નીકળવાથી આ લાલા ન થાય. -: (૧) ગુરુપારત’ત્ર્ય= આચાર્યાધીનતા. આ સઘળા અન ચાંનું કારણ સ્વચ્છંદતાને અટકાવનાર છે. (૨) વિનયવિનયને લાયકના વિનય કરવા, આ માનરૂપ પતાને ભેદી નાખનાર વાસમાન છે. (૩) સ્વાધ્યાય=વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય. આ મતિરૂપ આંખને નિર્મલ બનાવવા અજન સમાન છે, Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૩-૨૪ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક: ૩૪૫ : (૪) મારણા=વિકૃત કાર્યો યાદ કરાવવાં. આ કર્મ રૂપ શત્રુ સામે લડવા તૈયાર થયો હોય, પણ શો ભૂલી ગયે હોય, તેને પુરુષાર્થરૂપ અમોઘ શસ્ત્ર યાદ કરાવવા તુલ્ય છે. (૫) વૈયાવચ્ચ=ભેજન આદિથી (આચાર્યાદિને સંયમમાં) ટેકો આપ. આ તીર્થકરપદ આદિ સુંદર ફલ આપનાર વિશિષ્ટ પુણ્યરૂપ મહાવૃક્ષના અવિનાશી બીજ સમાન છે. (૬) ગુણવૃદ્ધિ=પિતાના જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ. આ અનુપમ આનંદરૂપ રસને આપનાર શેરડીના સાંઠાની પુષ્ટિ તુલ્ય છે. (૭) શિષ્યસંસિદ્ધિ સારા ગુણે હેવાથી શિષ્યની પ્રાપ્તિ થાય. આ ફલની પરંપરા ચલાવવામાં સમર્થ ધાન્યની ઉત્પત્તિતુલ્ય છે. (૮) શિષ્ય પરંપરા=શિષ્ય-પ્રશિષ્યાદિનો વંશ ચાલે. આ સંસારરૂપ ખાડામાં પડેલા જીવોને ખાડામાંથી નીકળવા પગથિયાની શ્રેણિ સમાન છે. (૨૨) જેમ ગચ્છમાંથી નીકળવું એ (વિશેષ) લાભકારી નથી, તેમ એકદતિ વગેરે અભિગ્રહ પણ (વિશેષ) લાભકારી નથી. કારણ કે સ્વાધ્યાય-ધ્યાન વગેરે યે નિરંતર થતા નથી. સ્વાધ્યાય વગેરે ગે ગચ્છમાં જ નિરાબાદપણે સારી રીતે થાય છે. કારણ કે અનેક દત્તિ લેવાના કારણે કાયાને ટેકો મળે છે. વાલ-ચણ વગેરે હલકું ભેજન પણ Page #363 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૬ ૧૮ ભિક્ષપ્રતિમા–પંચાશક ગાથા ૨૫૨૬ લાભકારી નથી. કારણ કે તેનાથી ધર્મસાધન કાયાને પીડા= બાધા થાય છે, ધર્મ સાધન શરીરને પીડા થાય એ યોગ્ય નથી. (ધર્મ સંગ્રહણિ ગ્રંથમાં) કહ્યું છે કેभाविय जिणषयणाणं, ममसरहियाण णथि उ विसेतो । अप्पाणंमि परंमि य, तो वज्जे पीडमुभओऽवि ॥ ११०६ ।। જિનવચનથી ભાવિત અને મમત્વરહિત જીવોને સ્વ અને પરમાં વિશેષતા નથી. આથી તે સ્વ-પર ઉભયની પીડાને ત્યાગ કરે.” (૨૩) આ રીતે સૂકુમબુદ્ધિથી જ વિચાર કરતાં પ્રતિમાક૯૫ પરમાર્થથી રહિત હોવાથી વિશિષ્ટ લાભનો હેતુ નથી. જેમ પંચાગ્નિ તપ વગેરે પરમાર્થ રહિત હોવાથી વિશિષ્ટ લાભનું કારણ નથી તેમ આ પ્રતિમાક૯૫ પરમાર્થથી રહિત હોવાથી વિશિષ્ટ લાભનું કારણ નથી. (૨૪) પૂર્વ પક્ષનું સમાધાન :भण्णइ विसेसविसओ, एसो ण उ ओहओ मुणेयव्वो । दसपुव्वधराईणं, जम्हा एयस्स पडिसेहो ॥ २५ ॥ વરઘુવોલિનિરછા-વત્યંતરવિણસમા तह गुरुलाघवचितासहिओ तकालवेक्खाए ॥ २६ ॥ ઉક્ત પૂર્વપક્ષનું સમાધાન આ પ્રમાણે છે :-પ્રતિમાક૯૫ સર્વ સાધારણ બધા સાધુઓ માટે નથી, કિંતુ વિશેષ સાધુ માટે છે. કારણ કે દશપૂર્વધર, અગિયાર પૂર્વધર વગેરેને Page #364 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭-૨૮ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૪૭ : છે જિ નિમો જ પુcવા રામ સવંgust (પ્રસ્તુત પંચાશક ગાથા ૫) એ વચનથી તેનો નિષેધ કર્યો છે. દશ પૂર્વ ધાર વગેરે ગ૭માં જ રહીને ઉપકાર કરે છે. આથી પ્રતિમાક૫માં ગુરુ-લાઘવને વિચાર નથી એમ કહેવું અયુત છે. (૨૫) પ્રતિમાક૫ પ્રસ્તુતરોગની ચિકિત્સામાં તેનાથી વિશેષ કાગની ચિકિત્સા કરવા તુલ્ય છે. અર્થાત્ જેમ કેઈ પુરુષની એક રોગની ચિકિત્સા થઈ રહી હોય, તેમાં વચ્ચે પ્રસ્તુત રાગથી અધિક કણકારી અન્ય અવસ્થા (=રોગ) થાય તે તે ખતે પહેલાં તેની ચિકિત્સા કરવી જોઈએ. તેવી રીતે અહીં જેણે સ્થવિરક૯૫નાં બધાં અનુષ્ઠાન કરી લીધાં છે તેને તે કાલની અપેક્ષાએ પ્રતિમાકલ્પ સ્વીકાર એ વધારે ચોગ્ય છે. આથી તેવા સાધુને તે વખતે પ્રતિમાક૯૫ ગુરુ છેઃ અધિક લાભકારી છે, જ્યારે ગચ્છવાસ લઘુ છે અલ્પ લાભકારી છે. જેણે સ્થવિરકુપનાં બધાં અનુષ્ઠાને કર્યા નથી તેને સ્થવિરકલ્પ જ ગુરુતર છે અધિક લાભનું કારણ છે. આથી પ્રતિમાકલ્પને સ્વીકારવાના કાળની અપેક્ષાએ પ્રતિમા કહ૫ ગુરુલાઘવની વિચારણાથી યુક્ત છે. (૨૬) ઉક્ત અર્થનું દષ્ટાંતથી સમર્થન:णिवकरलूयाकिरिया,-जयणाए हंदि जुत्तरूवाए । દિલદાર છેarg વસતીહ ત છે ર૭ | एवं चिय कल्लाणं, जायह एयस्स इहरहा ण भवे । .. सव्वस्थावस्थोचियमिह कुसलं होइऽणुट्ठाणं ॥ २८ ॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૮ : ૧૮ ભિક્ષુપ્રતિમા-પચાશક જેમ રાજાના હાથમાં વાયુથી થયેલા સૂતા નામના રાગને મત્રથી દૂર કરવાના ચાગ્ય પ્રયત્ન થઈ રહ્યો હાય તે દરમિયાન રાજાને તુરત મારી નાખનાર સર્પદંશ, વિસૂ ચિકા વગેરે અન્ય અવસ્થા (=રાગ) થાય અને તે લૂતા રાગની ક્રિયાથી દૂર થઈ શકે તેમ ન હાય તા વૈદ્યો તેનાથી થતા અનથને દૂર કરવામાં સમથ એવી સપશ વગેરેના સ્થાનમાં છેદ, શેક વગેરે ચિકિત્સા કરે છે, અને ચાલી રહેલી લતા રાગને મંત્રથી દૂર કરવાની ક્રિયા અધ કરે છે. (૨૭) કારણ કે તેમ કરવાથી જ ( =લૂતા રોગની ક્રિયાને છેડીને સપશાદિની છેદાદિ ક્રિયા કરવાથી જ) રાજાનું કલ્યાણુ= આરાગ્ય થાય. અન્યથા સર્પદંશ (આદિ)થી રાજાનું મૃત્યુ થવાથી કલ્યાણુ ન થાય. પ્રશ્ન ઃ થઈ રહેલી કૃતારાગની ક્રિયાથી લાભ ક્રમ ન થાય ? ઉત્તર ઃ- ( સા..... ) આ લાકમાં સર્વત્ર (=સર્વ સ્થાને, સČકાળમાં, કે સઘળા પુરુષામાં) અવસ્થાને ઉચિત કાર્ય કલ્યાણુનું કારણ મને છે. આથી સર્પ શ આદિમાં છેદાદિ કરવુ' એ જ કલ્યાણનું કારણ છે, લૂતારાગની ક્રિયા નહિ. (૨૮) ગાથા ૨૯ ....... ઉક્ત દૃષ્ટાંતની પ્રસ્તુતમાં ઘટના – इय कम्मवाहिकिरियं सह कुणमाणस्स तहा, पव्वज्जं भावओ पवण्णस्स । एयमवत्थंतरं णेयं ॥ २९ ॥ તદ્દા, યમવસ્થતાં હોય ૨૧ Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૦થી૩૨ ૧૮ ભિક્ષુપ્રતિમા-૫ ચાશક : ૩૪૯ : તેવી રીતે ભૂતાદિરાગની ચિકિત્સા સમાન ક્રમ રાગની પ્રત્રજ્યા રૂપ ચિકિત્સાના ભાવથી સ્વીકાર કરનાર અને સદા તેને જ સ્થવિર ૪૯૫ની અવસ્થાને ઉચિત રીતે કરતા સાધુની મંત્રથી ભૂતાદિ રાગને દૂર કરવા સમાન સ્થવિકલ્પની ક્રિયાથી અસાધ્યુ, સપશાદિ સમાન છેઃ-દાહ વગેરે વિશેષ ચિકિત્સા તુલ્ય પ્રતિમાકલ્પથી જ દૂર થાય તેવી, સર્પદંશાદિ સમાન તીવ્રતર ક્રવિપાકરૂપ અન્ય અવસ્થા (=રાગ) જાણવી. (૨૯) ' પ્રતિમાકલ્પ ગુરુલાઘવના વિચારથી યુક્ત છે એ વિષયમાં બીજી યુક્તિ :तह सुत्तवुढिभावे, गच्छे सुत्थंमि दिक्खभावे य । पडिवज्जइ एयं खलु, ण अण्णा कप्पमवि एवं ॥ ३० ॥ इहरा ण सुत्तगुरुया, तयभावे ण दसपृच्विप डिसेहो । एत्थं सुजुत्तिजुत्तो, गुरुलाघवचितबज्झमि ॥ ३१ ॥ अप्पपरिचाएणं, बहुतरगुणसाहणं जहि होइ । सा गुरुलाघव चिंता, जम्हा णाओववण्णत्ति ॥ ३२ ॥ તથા ગચ્છમાં મહુશ્રુત સાધુ હાવાથી સૂત્રની વૃદ્ધિ થતી હાય ( અથવા પ્રતિમાકલ્પ સ્વીકારનારને કંઈક ન્યૂન વંશપૂર્વથી અધિક શ્રુત ભણાવવાની શક્તિન હોય ), ગચ્છમાં ખાલ, વૃદ્ધ, ગ્લાન વગેરે ન હેાવાથી ગચ્છ ખાષા રહિત હોય, અથવા ખાલ વગેરેની સેવા કરનાર હાય અને આચાય આદિ ગચ્છપાલનમાં તત્પર હોય, એથી ગચ્છ ખાધારહિત Page #367 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૦ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૩૦થી૩૨ હાય, દીક્ષા લેનાર કોઈ ન હોય ત્યારે જ પ્રતિમાકલપને સ્વીકાર કરે છે. અન્યથા (= ગચ્છમાં સ્વાઈની વૃતિ, (૨) ગ૭ બાધારહિત (૩) દીક્ષા લેનારને અભાવ આ ત્રણ મુદ્દા ન હોય તે) પૂર્વોક્ત સંહનન, ધૃતિ વગેરે બધી રીતે ચગ્યતા હોવા છતાં પ્રતિમાક૫ને સ્વીકાર ન કરે. આથી આ કલ્પ શુરુલાઘવની વિચારણાથી રહિત નથી. (૩૦) ગચ્છમાં કૃતવૃદ્ધિ ન થતી હોય (અથવા પ્રતિમાક૯૫ સ્વીકારનાર કંઈક ન્યૂન દશ પૂર્વથી અધિક ભણી શકે તેમ હાય) છતાં પ્રતિમાક૯૫ને સ્વીકાર કરવામાં આવે તે શ્રતગૌરવ ન થાય. પણ તેમ છે નહિ. આથી શ્રતગૌરવ છે. મૃતગૌરવ છે એમાં બીજી પણ યુક્તિ છે કે-સંપૂર્ણ દશ પૂર્વધરને પ્રતિમાક૯પને નિષેધ કર્યો છે. જે મૃતગૌરવ ન હોય તો દશપૂર્વધરને તેને નિષેધ ન કરે. દશપૂર્વધર શ્રતપ્રદાન આદિમાં સમર્થ હોવાથી પ્રવચનને ઉપકારી હોવાથી તેને પ્રતિમાક૯પને નિષેધ છે. આથી પૂર્વપક્ષની દષ્ટિએ ગુરુલાઘવની વિચારણાથી રહિત પ્રતિમા–કપમાં દશપૂર્વધરને પ્રતિમાક૯પને નિષેધ સુયુક્તિયુક્ત છે. આથી પ્રતિમાકલ્પ ગુરુલાઘવની વિચારણાથી રહિત નથી. (૩૧) - જે વિચારણામાં અ૫ લાભ જતો કરીને ઘણો લાભ થતું હોય તે ગુરુલાઘવની વિચારણા ન્યાયસંગત છે. અર્થાત્ જે વિચારણામાં અલ્પ લાભ જતો કરીને ઘણે ગૌરવ શબ્દના માન, વૃદ્ધિ વગેરે અનેક અર્થો છે. અહીં પ્રકરણાનુસાર ૩૩ મી ગાથાની અવતરણિકાના આધારે વૃદ્ધિ અર્થ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૩-૩૪ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૫૧ : - - લાભ થતું હોય તે જ વિચારણા વાસ્તવિક ગુરુલાઘવની વિચારણા છે. આવી વિચારણા પ્રતિમાકલ્પમાં છે. માટે તે ગુરુલાઘવની વિચારણાથી રહિત નથી. (૩૨) ૩૦મી ગાથામાં ગરછમાં સ્વાર્થની વૃદ્ધિ થતી હોય, ગછ બાધા રહિત હેય, અને પ્રવજ્યા લેનાર કેઈ ન હોય તે પ્રતિમાક૫ સ્વીકારે એમ ત્રણ મુદ્દા કહ્યા હતા. તેમાં પહેલા મુદાનું સમર્થન ૩૧-૩૨ એ બે ગાથામાં કર્યું. હવે ૩૩-૩૪ એ બે ગાથામાં “ગ૭ બાધા રહિત હોય તે જ” એ બીજા મુદ્દાનું સમર્થન કરે છે - वेयावच्चुचियाणं, करणणिसेहेणमंतरायंति । तंपि हु परिहरियव्वं, अइसुहुमो होउ एसोत्ति ॥ ३३ ॥ ता तीए किरियाए, जोग्गयं उवगयाण णो गच्छे । हंदि उवेक्खा णेया, अहिगयरगुणे असंतमि ॥ ३४ ॥ - પ્રતિમાકલ્પ સ્વીકારનારા સાધુઓ વૈયાવચ્ચ કરતા નથી. આથી વૈયાવચ્ચ કરવામાં સમર્થ સાધુ પ્રતિમાકપ સ્વીકારે તે ગચ્છમાં રહેલા વિયાવરચને યોગ્ય બાલ, એલાન આદિને વિયાવચ્ચને અંતરાય થાય. પ્રતિમાક૯૫ અતિસુંદર થાય એ માટે પ્રતિમાક૯૫ સ્વીકારનારે અતિસહમ દોષને પણ ત્યાગ કર જોઈએ. વિયાવચ્ચને અંતરાયરૂપ દોષ માનસિષ રહિત હોવાથી (=વૈયાવચ્ચ કરવાની ભાવનાથી સહિત હોવાથી કેવળ કાયિક દેષ હેવાથી ) અતિસૂક્ષમ જ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૫૨ : ૧૮ ભિક્ષુ પ્રતિમા–પંચાશક ગાથા ૭૫ છે. આથી પ્રતિમાક૯પ સરકારનારે તે અંતરાયને પણ ત્યાગ કર જોઈએ [ આથી ગચ્છમાં વૈયાવચ્ચ કરનાર હોય ઈત્યાદિ કારણોથી ગ૭ બાધા રહિત હોય તો જ પ્રતિમા ક૯૫ સ્વીકારે એમ શાસ્ત્રવિધાન છે. ] (૩૩) આથી ગચ્છના સાધુઓ સૂત્રાર્થદાન, ગ્લાનાદિ વિયાવચ્ચ વગેરે ક્રિયા કરવાને સમર્થ હોય તે પ્રતિમાક૯૫ સ્વીકારનારે ગચ્છની ઉપેક્ષા કરી નથી. હા, ગ૭માં કઈ વિશેષ લાભ થાય તેવું કાર્ય હાય (અને તે કાર્ય તેનાથી જ થઈ શકે તેમ હોય) તે તે કાર્ય કર્યા વિના પ્રતિમાને સ્વીકાર કરે તે તે ગ૭ની ઉપેક્ષા કરે છે, તે સિવાય નહિ. આમ ક૯૫ સ્વીકારવામાં ગચ્છની ઉપેક્ષા ન થતી હોવાથી પ્રતિમાને કલ્પ ગુરુલાઘવની વિચારણાથી યુક્ત જ છે. (૩૪) પ્રવજ્યા લેનાર કેઈ ન હોય તે” એ મુદ્દાનું સમર્થન - परमो दिक्खुवयारो, जम्हा कप्पोचियाणवि णिसेहो। सइ एयंमि उ भणिओ, पयडो चिय पुव्वसूरीहिं ॥ ३५ ॥ દિક્ષા મોક્ષસુખનું કારણ હોવાથી ભવ્યજીવને દીક્ષા આપીને ઉપકાર કરે એ બીજા ઉપકારની અપેક્ષાએ પ્રધાન ઉપકાર છે. કારણ કે શ્રી ભદ્રબાહસ્વામી વગેરે પૂર્વચાર્યોએ (નિશીથ ભાવે ગા. ૨૪૧૫ વગેરેમાં) સંઘયણ, ત આદિ રૂપ સંપત્તિથી યુક્ત હોવાથી પ્રતિમાકપને સ્વીકાર કરવાને યોગ્ય સાધુઓને પણ જે દીક્ષાને ઉપકાર થતો હોય તે પ્રતિમાકલપની સ્પષ્ટ ના કહી છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૬-૩૭ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૫૩ : કપને સ્વીકાર કર્યા પછી દીક્ષા ન આપી શકાય. તેથી કપનો સ્વીકાર કરતી વખતે કોઈ દીક્ષા લેવા આવેલા હોય તે કલપસ્વીકારને મૂકીને (=અપસ્વીકાર સર્વથા ન કરે કે મેડ કરે) પણ દીક્ષા આપે. કારણ કે કલ્પવીકારથી દીક્ષાદાન અધિક લાભનું કારણ છે. દીક્ષાદા પરમ ઉપકારક છે (૩૫) દીક્ષાદાન હોય ત્યારે કલ્પસ્વીકારને સ્પષ્ટ નિષેધ:अब्भुजयमेगयरं, पडिवजिउकामु सोऽवि पन्चावे । . गणिगुणसलदिओ खलु, एमेव अलद्धिजुत्तो वि ॥ ३६ ॥ પાદપિપગમન આદિ અયુદત મરણ અને પ્રતિમાકલ્પ આદિ અચુદ્યત વિહાર એ બેમાંથી કોઈ એકને સવીકાર કરવાની ઈચ્છાવાળા પણ ગણીગુણેથી અને સ્વલબ્ધિથી યુક્ત સાધુ કપાદિના સ્વીકાર વખતે દીક્ષા લેવા આવેલા ચોગ્ય જીવને દીક્ષા આપે. જે લબ્ધિથી યુક્ત ન હોય તે પણ જે લબ્ધિવાળા આચાર્યની નિશ્રાવાળો હોય તે અવ શ્વ દીક્ષા આપે. (૩૨) ૨૯ મી ગાથામાં કર્મવ્યાધિની પ્રવજ્યારૂપ ચિકિત્સાને ભાવથી સ્ત્રીકાર કરનાર સાધુની અન્ય અવસ્થાને (=રોગને) નિર્દેશ કર્યો છે. તે કયા કારણથી થાય છે તે જણાવે છે - तं चावत्थंतरमिह, जायइ तह संकिलिट्ठकम्माओ । पत्थुयनिवाहिदट्ठाइ जह तहा सम्ममवसेयं ॥ ३७ ॥ + અહીં લબ્ધિ એટલે જેને દીક્ષા આપવાની છે તેને સયમનાં ઉપકરણે પૂરાં પાડવાં, સંયમનું પાલન કરાવવું વગેરેની શક્તિ રૂપ લબ્ધિ વિવક્ષિત છે. ૨૩. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ : ૧૮ ભિક્ષુપ્રતિમા-પ‘ચાશક જેમલતા રાગવાળા રાજાને સર્પદંશ વગેરે અન્ય અવસ્થા થાય છે તેમ, સાધુને પ્રત્રજ્યામાં પ્રતિમાકલ્પ રૂપ વિશિષ્ટ ચિકિત્સાથી ખપી શકે તેવા અશુભકમથી અન્ય અવસ્થા ડાય. આ વિષય અરામર જાણવા. (૩૭) સાધુની અન્ય અવસ્થાનું કે અન્ય અવસ્થાજનક કર્મીનું સ્વરૂપ તથા તે અને પ્રતિમાક૫થી જ દૂર કરી શકાય છે તે જણાવે છે :अहिगय सुंदर भावस्स विग्घजणगंति संकिलिट्ठ च । તદ્દ વેવ તું વિજ્ઞ, હ્તો શિવ નમ ળ્યું || ૨૮ || ગાથા ૩૮ અન્ય અવસ્થા કે તેના જનક ક્રમ સામાન્ય (=સ્થવિર કપરૂ૫) પ્રત્રજ્યામાં વ્યાઘાત કરનાર છે અને એથી જ અશુભ છે. આ અન્ય અવસ્થા કે તેના જનક ક્રમ સામાન્ય પ્રત્રજ્યામાં વ્યાઘાત કરનારા ડાવાના કારણે અશુભ હાવાથી પ્રતિમાકલ્પના સ્વીકારથી જ દૂર કરી શકાય છે. પ્રશ્ન :-પ્રત્રજ્યાનું પાલન કરતા સાધુને અન્ય અવસ્થા કે તેના જનક કલિષ્ટ કમ હાય છે, અને તે પ્રતિમાપથી જ દૂર કરી શકાય છે એ કેવી રીતે જાણી શકાય ? ઉત્તર :-આપ્તે કહેલા પ્રતિમાપથી જ એ (=અન્ય અવસ્થા કે તેના જનક ક્રમ છે અને તે 'ને પ્રતિમા કલ્પથી જ દૂર કરી શકાય છે એ) જાણી શકાય છે. કારણુ કે આપ્તા નિરથ ક કંઈ ન કહે, આશ્તા નિરથ ક કહે તા તેમના આક્ષપણામાં (=વિશ્વસનીયપણામાં) ખામી આવે. (૩૮) Page #372 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૯થી૪૧ ૧૮ ભિક્ષુપ્રતિમા-પ‘ચાશક: ૩૫૫ ૩ પૂર્વે ૨૧મી ગાથામાં “ ગચ્છમાંથી નીકળવું વગેરે લાભકારી નથી.” ઇત્યાદિ જે રૂણા કહ્યાં હતાં તે બધાનુ આ પ્રમાણે સમાધાન કર્યુ. હવે ૨૩મી ગાથામાં “હેલ* ભાજન કરવુ પણ લાભકારી નથી. કારણ કે તેનાથી ધર્મસાધન શરીરને પીડા થાય છે. ધમ સાધન શરીરને પીડા થાય એ ચેાગ્ય નથી.” એમ જે કહ્યું હતું, તેનુ' સમાધાન કરે છેઃ एशो अईव णेया, सुसिलिट्ठा धम्मकायपीडावि । आंताइणो सकामा, तह तस्स अदीणचित्तस्स ॥ ३९ ॥ न. हु पडड़ तस्स भावो, संजमठाणा उ अविय वड्डेह । ળ ય સાચવાયલોને દુ, સયમાને હોર્ તોત્તેશિ ॥ ૪૦ il चित्ताणं कम्माणं, चित्तो चिय होइ खवणुवाओऽवि । अणुबंधछेयणाई, सो उण एवंति णायव्वो ॥ ४१ ॥ અન્ય અવસ્થા જનક અશુભકમના ક્ષય પ્રતિમાકલ્પથી જ થાય છે. માટે અંત-પ્રાંત લેાજન કરનાર પ્રતિમા ધારીની કાયાની પીડા પણ અત્યંત સંગત છે. કારણ કે તે પીડા સકામ અને માનસિક દીનતાથી રહિત છે. (૩૯) તે પીડામાં દીનતા નથી તેનું કારણ – કાયપીડા હોવા છતાં પ્રતિમાધારીના ભાવા સયમ સ્થાનથી (=સ્વીકૃત અંત=વધેલું. પ્રાંત=તાળું નહિ, ઘણા વખત થઈ ગયા હેાય તેવું કે રાત વીતી ગયેલું. Page #373 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૬ : ૧૮ મિશુપતિમા-પંચાશક ગાથા ૪૨ ચારિત્રની શુતિ વિશેષથી) પડતું નથી, બલકે વધે છે. ભાવ ન પડે તે કાયા પડવા છતાં કોઈ પણ જાતનું દૂષણ લાગતું નથી. (૪૦) - કુલિઇ, કુલિખતર, કૂલિષ્ઠતમ એમ વિચિત્ર પ્રકારના જ્ઞાનાવરણીયાદિ કર્મોના અનુબંધના નાશને અને સર્વથા નાશનો ઉપાય પણ સ્થવિરકલ૫, પ્રતિમાક૫ ઈત્યાદિ વિચિત્ર જ હેય. અને તે ઉપાય કાયપીડાને સહન કરવારૂપ પ્રતિમાકલ્પાદિના સેવનથી જ થાય. આથી કાયપીડા સુસંગત છે. (૪૧) પ્રતિમાકલ્પથી વિચિત્ર કર્મોને ક્ષય થાય છે એ કેવી રીતે જાણ્યું? એ પ્રશ્નનું સમાધાન :इहरा उ गाभिहाणं, जुजइ सुत्तमि हंदि एयस्स । एयंमि अवसरंमी, एसा खलु तंतजुत्तित्ति ॥ ४२ ॥ જે પ્રતિમાક૯૫ વિના જ વિચિત્ર કર્મોનો ક્ષય થત હોય તે સત્રમાં સ્થવિર કલપનાં સઘળાં કર્તવ્ય પૂર્ણ થઈ જાય ત્યારે પ્રતિમાકલ્પના સ્વીકારનું કથન અસંગત બને. આ શાસ્ત્રીય યુક્તિ છે. અર્થાત્ અનંતરક્ત શાસ્ત્રીય યુક્તિથી પ્રતિમાક૫ની નિષતાને નિર્ણય થાય છે. સ્થવિરકલ્પનાં સઘળાં અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યારે પ્રતિમા ક૯૫ સ્વીકારવાનું આપ્ટેએ કહ્યું હોવાથી પ્રતિમાકલ્પ કર્મ સૂચનું કારણ છે એમ જાણી શકાય છે. આથી પ્રતિમાકલા Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાયા ૪૩-૪૪ ૧૮ ભિક્ષુપ્રતિમા–પ’ચાશકઃ ૩૫૭ : પરમાથ રહિત છે એમ (૨૪મી ગાથામાં) જે કહ્યુ` હતુ` તેનુ સમાષાન કર્યું. (૪૨) ' પ્રતિમાકલ્પ પરમાર્થ રહિત છે એ દૂષણનું મતાંતરથી સમાધાન :अण्णे भणति एसो, विहियाणुट्ठाणमागमे भणिओ । पडिमाकप्पो सिडो, दुक्करकरणेण विष्णेओ ॥ ४३ ॥ બીજા આચાર્યો કહે છે કે-આ પ્રતિમાકલ્પ સ્થવિર કલ્પની અપેક્ષાએ દુષ્કર કરવાના હેતુથી આગમમાં કહ્યો છે. આગમમાં કહ્યો હોવાથી તે વિહિતાનુષ્ઠાન-ઉચિત ક્રિયારૂપ છે, ઉચિત ક્રિયારૂપ હાવાથી શ્રેષ્ઠ છે. (૪૩) અન્ય આચાર્યોના આ સમાધાનથી સતાષ નહિ પામેલા ગ્રંથકાર આ વિશે સ્પષ્ટીકરણ કરે છેઃविहियाणुट्टापि य, सदागमा एस जुजई एवं 1 जम्हा ण जुत्तिवाहियविसओऽवि सदागमो होइ ॥ ४४ ॥ પ્રતિમાપ ઉચિત કૃત્ય હાવા છતાં અમે ૨૬ મી વગેરે ગાથાઓમાં કહ્યું તે યુક્તિ પ્રમાણે સદાગમથી સંગત થાય છે. ( કાઈ પણ વિષય આગમમાં કહ્યો હોય, પણ યુક્તિથી બાધિત હાય તા સરંગત ન થાય, આગમમાં કહ્યો હાય અને યુક્તિથી અબાધિત હોય તા સંગત થાય એમ * સદાગમ, આપ્તવચન, આપ્તાપદેશ, સુંદર સિદ્ધાંત, જિનવચન, જિનાગમ વગેરે શબ્દો એકાક છે, Page #375 -------------------------------------------------------------------------- ________________ • ૩૫૮ ૧૮ ભિક્ષુપ્રતિમા-પચાશક ગાથા ૪૫-૪૬ કહેવાના આશય છે.) કારણ કે જેમાં કહેલું યુક્તિથી ખાષિત હોય તે સદાગમ ન ડાય. જેમાં કહેલું યુક્તિથી અમાષિત હોય તે જ સદાગમ છે. જેમાં કહેલુ યુક્તિથી ખાધિત હાય તે દુરાગમ છે. અમે પ્રતિમાકલ્પ આગમાક્ત છે એટલુ જ કહ્યુ નથી, કિંતુ માગમાક્ત છે એમ કહેવા સાથે યુક્તિથી પણ ઘટે છે એમ જણાવ્યું છે, આથી અમે પહેલાં જે સમાધાન જણાવ્યું છે તે અન્ય આચાર્ચીના સમાધાનથી વધારે સુંદર છે. (૪૪) માત્ર આગમથી જ અર્થના નિર્ણય ન થઈ શકે :जुतीए अविरुद्धो, सदागमो साऽवि तयविरुद्धत्ति । इय अण्णोष्णाणुगयं, उभयं पडिवत्तिहेउत्ति ॥ ४५ ॥ જે યુક્તિથી અખાધિત હોય તે સદાગમ છે. યુક્તિ પણ સદાગમથી અવિરુદ્ધ હાય, સદાગમથી વિરુદ્ધ યુક્તિ યુક્તિ જ નથી. આમ સઢાગમ અને યુક્તિ અને પરસ્પર સંકળાચેલા છે. પરસ્પર સ'કળાયેલા સદાગમ અને યુક્તિ અનિર્ણયનુ કારણ છે. અર્થાત્ યુક્તિથી અબાધિત સત્તાગમ અને સદાગમથી વિરુદ્ધ યુક્તિ એ ખ'નેથી અથ ના નિણુ ય થઈ શકે, કોઈ એકથી નહિ. (૪૫) પ્રતિમાધારીના ધ્યાનનું સ્વરૂપ : कयमेत्थ पसंगेणं, झागं पुण णिश्चमेव एयस्स । सुत्तस्थाणुसरणमो रागाइविणासणं परमं ॥ ४६ ॥ ॥ Page #376 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૭–૪૮ ૧૮ ભિક્ષુપ્રતિમા-પચાશક: ૩૫૯ પ્રતિમાકલ્પના દૂષણુના સમાધાનમાં પ્રાસંગિક ગ્રંથન આટલું ખસ છે. પ્રતિમાધારીને સક્રા સૂત્ર અને અના ચિંતનરૂપ ધ્યાન હોય છે. આ ધ્યાન રાગ, દ્વેષ અને માહના વિનાશ કરનાર છે, અને માક્ષનુ કારણ હાવાથી પ્રધાન છે. (૪૬) પ્રતિમા માટે અયેાગ્ય સાધુએ અભિગ્રહે લેવા જોઈએ ઃएया पवजियव्वा, एवासि जोग्गयं उवगएणं । सेसेणऽवि कायव्या, केइ पइण्णा विसेसत्ति ॥ ४७ ॥ || जे जंमि जंमि कालंमि, बहु मया पवयणुष्णइकरा य । મત્રો નો વિમુદ્ધા, આયાવળટાળમા || ૪૮ || 1 પ્રતિમાસ્વીકારની ચેાન્યતાને પામેલા સાધુએ પ્રતિમાએ સ્વીકારવી જોઈ એ. તેની ચાગ્યતાથી રહિત સાધુએ પણ કાઈક અભિગ્રહા કરવા જોઇ એ. (૪૭) જે જે કાળમાં નિવદ્ય વ્યાપારવાળા જે અભિગ્રહો ગીતાર્થીને બહુમાન્ય હાય અને અદ્ભુત હોવાના કારણે પ્રશંસાનું કારણ હાવાથી શાસનપ્રભાવનાનું કારણ હાય તે અભિગ્રહા ભાવ અને ક્રિયા એ મનેથી સ્વીકારવા જોઇએ. જેમકે-ઠંડી વગેરે સહન કરવું, ઉત્કટુંક વગેરે માસને રહેવું, વિવિધ દ્રવ્યાદિ અભિગ્રહા કરવા વગેરે, (૪૮) Page #377 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૦ = ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪૯-૫૦ - અભિગ્રહ ન કરવાથી દેષ લાગે – एएसिं सइ विरिए, जमकरणं मयपमायओ सो उ । होअइयारो सो पुण, आलोएयवओ गुरुणो ॥ ४९ ॥ છતી શક્તિએ મદ અને પ્રમાદથી અભિગ્રહ ન કરવા તે અતિચાર છે. શુદ્ધિ માટે તે અતિચાર ગુરુ પાસે પ્રકાશિત કર જોઈએ. (૪૯) ઉપસંહાર :इय सव्वमेवमक्तिहमाणाए भगवओ पकुव्वंता । सयसामथऽणुरूवं, अइया काहिति भवविरहं ॥ ५० ॥ આ બધા અભિગ્રહને ઉક્ત રીતે સવશક્તિ અનુસાર જિનાજ્ઞાથી અવિપરીત પણે કરનારા છ જલદી સંસારને ક્ષય કરશે. (૫૦) Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તપેિિવધ પચાશક અઢારમા પચાશકમાં સાધુની પ્રતિમા કહી. તે તપરૂપ છે. આથી હવે તપનું સ્વરૂપ જગુાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર માઁગલ વગેરે જણાવે છે : > णमिण वद्धमाणं तवोवहाणं समासओ वोच्छं । सुतमणिएण विद्दिणा, सपरेसिमणुग्गहट्ठाए ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને સ્વ-પરના ઉપકાર માટે માગમમાં કહ્યા પ્રમાણે સંયમરૂપ કાયાને ટેકારૂપ તપનું સક્ષેપથી વણ્ન કરીશ. (૧) ખાદ્યુતપના ભેદા अणसणमृणोयरिया, वित्तीसंखेवणं रसचाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होह ॥ २ ॥ - બાહ્ય તપના અનશન, ઊણેાદરી, વૃત્તિસક્ષેપ, સત્યાગ, કાયલેશ અને સલીનતા એમ છ ભેદ છે. અનશન :- અનશન એટલે ભેજન ન કરવું. તેના સાવકથિક અને ઈવર એમ બે ભેદ છે. યાવત્કથિકના પાદ ગમન, ઇંગિતમજી અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. પાદપેાગમનમાં પરિપદ (=હલન-ચલન વગેરે) અને પ્રતિક્રમ (=શરીરસેવા)ને સર્વથા અભાવ હાય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઃ ૧૯ તપિવિધિ-પંચાશક ગાથા ૨ ચારે આહારનો ત્યાગ હેાય છે. ઇગિતમારણમાં પણ તે જ પ્રમાણે હોય, પણ નિયત કરેલા દેશમાં ફરવા આદિની છૂટ હોય છે. ભક્ત પરિજ્ઞામાં (ફરવા આદિની છૂટ ઉપરાંત) પ્રતિકર્મ હોય છે તથા ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ હેય છે. ઉપવાસથી છ માસ સુધીનું અનશન ઈવર છે. ઊણેદરી :- અ૯૫ આહાર ખાવાથી પિટ પૂરું ન ભરવું તે ઊણેદરી. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. એાછું ખાવું એ દ્રવ્ય ઊદરી છે. બત્રીશ કોળિયા પૂર્ણ આહાર છે. આથી બત્રીશ કેળિયાથી એક વગેરે કેળિયા જેટલે આહાર ઓછો લેવાથી દ્રવ્ય ઊંદરીના અનેક પ્રકાર છે. કષાને ત્યાગ ભાવ ઊણોદરી છે. વૃત્તિસંક્ષેપ - વૃત્તિ-ભિક્ષાચર્યા. સંક્ષેપ=અપ કરવી. ભિક્ષાચર્યાને અલ્પ કરવી, અર્થાત્ દ્રવ્યાદિ અભિગ્રહ લેવા, તે વૃત્તિસંક્ષેપ છે. તે આ પ્રમાણે - લેપવાળું કે લેપરહિત જ દ્રવ્ય લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ છે. ગામમાં જ, પરગામમાં જ, કે આટલા ઘરમાં જ લઈશ વગેરે ક્ષેત્ર અભિગ્રહ છે. દિવસના પહેલા, મશ્ય કે પાછલા ભાગમાં જ લઈશ વગેરે કાલ અભિગ્રહ છે. મૂળ ભજનમાંથી હાથ કે ચમચા વગેરેમાં લીધું હોય, કે થાળી વગેરેમાં મૂકયું હોય તે જ લઈશ, ગાયન કરતાં કે રુદન કરતાં આપે તો જ લઈશ ઈત્યાદિ ભાવ અભિગ્રહ છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩ ૧૯ તવિધિ-પંચાશક : ૩૬૩ : રસત્યાગ – દૂધ, દહીં આદિ બધા કે અમુક રસનો ત્યાગ. કાયફલેશ :- ઉચિત રીતે કાયાને કષ્ટ આપવું તે કાયફલેશ. વીરાસન, ઉત્કટુકાસન, ગાદેહિકાસન વગેરે આસને રહેવું, શીત, પવન અને તાપ વગેરે સહન કરવું, મસ્તકને લોન્ચ કરવો વગેરે અનેક પ્રકારે કાયલેશ તપ છે. સલીનતા - સંલીનતા એટલે સંવર કરો-રોકવું. તેના ઇંદ્રિય, કષાય, યોગ અને વિવિક્તચય એમ ચાર પ્રકાર છે. એમાં પ્રથમના ત્રણને અર્થ પ્રસિદ્ધ છે. સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલથી રહિત નિર્દોષ સ્થાનમાં રહેવું તે વિવિક્તચર્યા છે. આ તપ કરાતું હોય ત્યારે લોકોથી પણ જણાતું હોવાથી અને સ્થૂલદષ્ટિવાળા કુતીર્થિકોમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હોવાથી આ બાહ્ય તપ છે. (૨) અત્યંતરતપના ભેદ – पायच्छित्तं विणओ, वेयावच्च तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि य, अभिंतरओ तवो होइ ॥ ३ ॥ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ અત્યંતર તપના ભેદો છે. પ્રાયશ્ચિત્ત - પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ અને આલેઅનાદિ ભેદે પહેલાં (સેળમાં પંચાશકમાં) કહેલ છે. વિનય - જેનાથી કર્મો દૂર કરાય તે વિનય. તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને ઉપચાર એમ સાત ભેદ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૪ ૧૯ તપિવિધિ-પંચાશક ગાથા ૩ મતિ આદિ જ્ઞાનની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં જણાવેલા અર્થોનું ચિંતન, અને ગુરુ પાસે વિધિપૂર્વક લઈને અભ્યાસ કરે એમ પાંચ પ્રકારે જ્ઞાન વિનય છે. જેઓ દર્શનગુણમાં અધિક (=વિશુદ્ધ શ્રદ્ધાવાળા) હોય તેમને વિનય કરે એ દર્શનવિનય છે. દર્શન વિનયના શુશ્રષા અને અનાશાતના એમ બે ભેદ છે. તેમાં શુશ્રુષાના દશ ભેદ છે. તે આ પ્રમાણે - (૧) સત્કાર-સ્તુતિ કરવી વગેરે. (૨) અભ્યસ્થાન=આવે ત્યારે ઊભા થવું વગેરે. (૩) સન્માન=વસ્ત્રાદિ આપવું. (૪) આસનાભિગ્રહ=આવે ત્યારે કે ઊભા હોય ત્યારે આસન આપવું, આસન ઉપર બેસવાની વિનંતિ કરવી વગેરે. (૫) આસનાનું પ્રદાન તેમની ઈચ્છાનુસાર તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. (૬) કૃતિકર્મ=વંદન કરવું. (૭) અંજલિગ્રહ=દર્શન થતાં અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા. (૮) આગછદgગમન=આવે ત્યારે સામા જવું. (૯) સ્થિતપણું પાસન-બેઠા હોય ત્યારે પગ દબાવવા વગેરે સેવા કરવી. (૧૦) ગચ્છદનગમન-જાય ત્યારે થોડા માગ સુધી તેમની સાથે જવું. અનાશાતના વિનયના પંદર ભેદ છે. તે આ પ્રમાણે - તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંગિક, ક્રિયા અને પાંચ જ્ઞાન એ પંદરને આશાતના ત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરે. (ધર્મ=ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ)ક્રિયા એટલે આસ્તિક્ય. Page #382 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩ ૧ તપિવિધિ—પંચાશક : ૩૬૫ ઃ - - . -- - - --- ચારિત્ર વિનયના સામાયિક આદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી પશુના-પાલન કરવું અને વચનથી પ્રરૂપણ કરવી એમ ત્રણ પ્રકાર છે. આચાર્યાદિ વિષે અપ્રશસ્ત મન-વચન-કાયાનો નિરોધ કરો અને પ્રશસ્ત મન આદિ પ્રવર્તાવવા, અર્થાત્ મનથી દુષ્ટ વિચારો, વચનથી અનુચિત વાણુનો, અને કાયાથી અગ્ય વર્તનને ત્યાગ કરવો અને મનથી આદરભાવ રાખ, વચનથી ગુણેની પ્રશંસા કરવી અને કાયાથી સેવા કરવી એ મન-વચન-કાયા રૂપ વિનય છે. |ઉપચાર એટલે સુખકારી ક્રિયાવિશેષ. એવી ક્રિયાથી થતે વિનય તે ઔપચારિક વિનય છે. ] ઔપચારિક વિનચના સાત પ્રકારે છે. તે આ પ્રમાણે –(૧) અભયાસાસન= આદેશના અર્થી બનીને, અર્થાત્ ક્યારે મને આદેશ કરે અને હું એ આદેશને પાછું એવી ભાવનાથી, સદા આચાર્યની પાસે બેસવું. (૨) છોડનુવર્તન=આચાર્યની ઈચ્છા પ્રમાણે વર્તવું. (૩) કૃતપ્રતિકૃતિ આચાર્યની ભક્તિથી નિર્જરા થશે એટલું જ નહિ, પણ પ્રસન્ન થયેલા આચાર્ય અને શ્રુત ભણાવશે એવી ભાવનાથી આહારાદિ લાવી આપ વગેરે સેવા કરવી. (૪) કારિતનિમિત્તકરણ-આ આચાર્યે મને શ્રુતજ્ઞાન આપ્યું છે ઈત્યાદિ ઉપકારને નિમિત્ત બનાવીને તેમને વિશેષ વિનય કરે અને ભક્તિ કરવી. (૫) દુઃખાગવેષણા :- માંદગી આદિ દુઃખને દૂર કરવાના ઉપાયો કરવા. (૬) દેશકાલજ્ઞાન-દેશ Page #383 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૬ : ૧૯ તપવિધિ-પંચાશક ગાથા ૩ - - અને કાળને જાણીને તે તે દેશ અને કાલ પ્રમાણે આચાર્યાદિની જરૂરિયાતને સમજીને સેવા કરવી. (૭) સર્વત્રામતિ-સવ કાર્યો તેમની અનુમતિથી-રજા લઈને કરવાં.* (૩) વૈયાવૃત્ય - વ્યાવૃત્ત એટલે અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળ. વ્યાવૃત્તને-અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળાને ભાવ કે કિયા તે વૈયાવૃત્યુ. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગલાન, શિક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ એ દશનું વિયાવૃત્ય કરવું એ વૈયાવૃત્યના દશ ભેદ છે. (૪) સ્વાધ્યાયઃ- સુરસારી રીતે. આ મર્યાદાથી, અર્થાત્ કાળ વગેરે જ્ઞાનાચારના પાલનપૂર્વક. અધ્યાય એટલે ભણવું. સારી રીતે મર્યાદાથી ભણવું તે સ્વાધ્યાય. તેના વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ ભેદો છે. " (૫) ધ્યાન- અંતમુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા તે દયાન. તેના આત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર ભેદ છે. આમાં પહેલા બે ધ્યાન સંસારનાં અને છેલ્લા બે મોક્ષનાં કારણ છે. આથી છેલ્લા બે જ કપરૂપ છે. * અહીં ટીકામાં જણાવેલા વિનયના આ ભેદ અને પેટભેદ દશવૈકાલિક નિર્યુક્તિની ૪૮ મી ગાથાની ટીકામાં છે. તદુપરાંત દશ. નિ. ગાય ૩૨૫-૩૨૬ (અ. ૯)માં તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી એ તેરને આશાતના ત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરે એમ વિનયના (૧૩*૪=) બાવન ભેદ જણાવ્યા છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ નથા ૪-૫ ૧૯ તપેવિવિધ-પચાશક : ૩૬૭ ; (૬) ઉત્સગ :-ઉત્સગ એટલે ત્યાગ કરવા. તેના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તે બનેના ચાર ચાર ભેદ છે. દ્રવ્ય ઉત્સગના ચાર ભેદ આ પ્રમાણે છે. ગણુ(પ્રતિમાકલ્પ આદિ સ્વીકારવાના કાળે ગણના ત્યાગ કરવા), દેહ(–સ‘લેખના કાળે દેહના ત્યાગ કરવા), આહાર(-અશુદ્ધ આહારના ત્યાગ કરવા.), ઉધિ(અતિરિક્ત વસ્રાદિને ત્યાગ કરવા) ક્રોધાદિ ચાર કષાયાના ત્યાગ એ ચાર પ્રકારના ભાવ ઉત્સગ છે. આ છ પ્રકારના તપ લેકમાં પ્રાય તપ તરીકે એળખાતા નથી, અન્યદેશનીએથી ભાવથી કરાતા નથી, માક્ષપ્રાપ્તિનું અંતરંગ કારણ છે, આથી અભ્ય ́તર છે. (૩) પ્રકી` તપનું સ્વરૂપ : ** एसो बारसभेओ, सुत्तनिबद्धो तवो मुणेयश्वो । વિશેષો ૩ મો, ફળો મેમેત્તિ | ૪ || तित्थयरणिग्गमाई सव्वगुणपसाहणं तवो होइ । भव्वाण हिओ णियमा, विसेसओ पढमठाणीणं ॥ ५ ॥ આ ખાર પ્રકારના તપ સૂત્રમાં કહેલા છે. જેના મા બાર પ્રકારના તપમાં સમાવેશ થાય છે, પણ સૂત્રમાં સાધુપ્રતિમા આદિની જેમ સ્પષ્ટરૂપે ઉલ્લેખ નથી તે તવિશેષ પ્રકીશું તપ છે. પ્રકીર્ણાંક તપના સૂત્રમાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ ન હાવા છતાં સૂત્રવિરુદ્ધ નથી, કારણ કે ખાર પ્રકારના તપમાં તેના સમાવેશ થઈ જાય છે. આ પ્રકીય તપ હવે પછીની ગાથાઓમાં કહેવાશે, પ્રકીણુ કે તપના તીથ નિગમ, Page #385 -------------------------------------------------------------------------- ________________ • ૩૬૮ : ૧૯ તપેાવિધિ-પ‘ચાશક ગાથા ૬-૭ આ આ તીયકર જ્ઞાન, તીથકર નિર્વાણ વગેરે અનેક ભેદો છે. તપમાં તીથ કરની પ્રવ્રજ્યા આદિત્તુ' આલમન છે. લખન અતિશય શુભભાવરૂપ છે. આથી આ તપ આલેાક સખ'ધી વગેરે ઉપકાર કરનાર હાવાથી સર્વ ગુણેાન સાયક છે અને એથી જ ભવ્ય જીવાતુ' અવશ્ય હિત કરે છે. તેમાં પણ અવ્યુત્પન્ન બુદ્ધિવાળા (-ધર્મના સબંધમાં બહુ અજ્ઞાન) જીવાનુ' વિશેષ હિત કરે છે. તપ એકાંતે હિતકર હાવાથી આલખન વિના પણ અત્યંત શુભ ભાવ થતા હૈાવાથી સર્વ પ્રકારનું તપ હિતકર જ છે. (૪-૫) તીર્થંકરનિગમ તપનું વષઁન :तित्थयरणिग्गमो खलु, ते जेण तवेण णिग्गया सच्वे । ओसप्पिणीह सो पुण, इमीइ एसो विणिदिट्ठो ॥ ६ ॥ બધા તીથ કરીએ જે તપ કરીને દીક્ષા લીધી તે તીથ કર નિગમ તપ છે. આ અવસર્પિણીમાં તે તપ નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે છે. (૬) । सुमइ त्थ णिश्चभत्तेण णिग्गओ वसुपृञ्जजिणो चउत्थेण । पासो मल्लीविय अट्टमेण सेसा उ छठेणं ॥ ७ ॥ સુમતિનાથ ભગવાને એકાસણું, વાસુપૂજ્ય ભગવાને ઉપવાસ, પાર્શ્વનાથ અને મન્નિનાથ ભગવાને અઠ્ઠમ, બાકીના વીશ તીર્થંકરાએ છઠ્ઠું કરીને દીક્ષા લીધી હતી. (૭) Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮-૯ ૧૯ તપેવિધિ-પંચાશક : ૩૯ : તીર્થકરનિગમ તપ કરવાને વિધિ :उसभाइकमेणेसो, कायव्यो ओहओ सइ बलम्मि । गुरुआणापरिसुद्धो, विसुद्धकिरियाइ धीरेहिं ॥ ८ ॥ સાત્વિક જીવેએ ઉત્સથી શક્તિ હોય તો ઋષભાદિ જિનના કમથી આ તપ કરવો જોઈએ. શક્તિ ન હોય તે કમ વિના પણ કરવામાં દેષ નથી. તથા આ તપ ગુરુની આજ્ઞા પ્રમાણે અને નિરવદ્ય અનુષ્ઠાનથી કર જોઈએ. (૮) તીર્થકરનિર્ગમ તપન વિધિમાં મતાંતર:अण्णे तम्मासदिणेसु, बैंति लिंगं इमस्स भावंमि । तप्पारणसंपत्ती, तं पुण एयं इमेसिं तु ॥ ९ ॥ બીજા આચાર્યો કહે છે કે-ઋષભાદિ જિનાના દીક્ષાતપના જે મહિના અને જે તિથિએ છે તે મહિનાઓમાં અને તે તિથિઓમાં આ તપ કરવો જોઈએ. જેમકે-ઋષભદેવના દીક્ષાતમાં ચૈત્ર વદ આઠમના દિવસે જ છઠ્ઠ કર જોઈએ, શ્રી મહાવીર સ્વામીના દીક્ષાતપમાં માગશર વદ દશમના દિવસે જ છઠ્ઠ કર જોઈએ, આ રીતે બીજા તીર્થકરના દીક્ષાતપ માટે પણ સમજવું. તથા પારણામાં ઋષભાદિ જિનેનું જે દ્રવ્યથી પારણું થયું હતું તે દ્રવ્યની પ્રાપ્તિ થવી એ તપ સારી રીતે થયે છે એનું લક્ષણ છે. અર્થાત્ ઋષભાદિ તીર્થકરાએ ૨૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૦ : ૧૯ તપવિધિ—પંચાશક ગાથા ૧૦થી૧૩ જે દ્રવ્યથી પારણું કર્યું હતું તે દ્રવ્યથી પારણું કરવું જોઈએ.] ઋષભાદિ તીર્થકરોએ કયા દ્રવ્યથી પારણું કર્યું હતું તે નીચે પ્રમાણે છે. (૯) ઋષભાદિ જિનેના પારણામાં દ્રવ્ય :उसमस्स उ इक्खुरसो, पारणए आसि लोगनाहस्स । सेसाणं परमण्णं, अमयरसरसोवमं आसी ॥ १० ॥ શ્રી ઋષભદેવના પારણામાં ઈશ્નરસ હતો અને બાકીના જિનાના પારણામાં અમૃતરસના જેવી સ્વાદિષ્ટ ખીર હતી. (૧૦) તે તે જિનને પ્રથમભિક્ષા કેટલા કાળે મળી તેનું વર્ણન :संवच्छरेण भिक्खा, लद्धा उसमेण लोगनाहेण । सेसेहि बीयदिवसे, लद्धाओ पढमभिक्खाओ ॥ ११ ॥ લેકનાથ શ્રી ઋષભદેવને પહેલી ભિક્ષા એક વર્ષે મળી. બીજા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પહેલી ભિક્ષા મળી. (૧૧) તીર્થકર જ્ઞાનોત્પત્તિ નામના તપનું વર્ણન :– तित्थंकरणाणुप्पत्तिसण्णिओ तह वरो तवो होइ । पुव्वोइएण विहिणा, कायव्वो सो पुण इमोत्ति ॥ १२ ॥ अट्ठमभत्ततमि य, पासोसहमल्लिरिडनेमीणं । वसुपुजस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥ १३ ॥ Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪થી ૧૬ ૧૯ તપવિધિ—પંચાશક : ૩૭૧ ઃ उसमाइयाणमत्थं जायाइं केवलाइ णाणाई । एयं कुणमाणो खलु, अचिरेणं केवलमुवेइ ॥ १४ ॥ તીર્થકર જ્ઞાનત્પત્તિ નામને બીજે તપ છે. તે પૂર્વોક્ત વિધિથી કરે, અર્થાત્ ઋષભાદિ જિનના ક્રમથી, ગુરુની આજ્ઞા પ્રમાણે અને નિરવદ્ય અનુષ્ઠાન વડે કરે. તથા મતાંતરથી જે મહિનાઓમાં જે દિવસોમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય તે મહિનાઓમાં તે દિવસમાં તપ કરે. આ તપ નીચે પ્રમાણે છે. (૧૨) શ્રી પાર્શ્વનાથ, ઋષભદેવ, મલ્લિનાથ અને નેમિનાથ એ ચાર જિનેને અમના અંતે. શ્રી વાસુપૂજય જિનને ઉપવાસમાં અને બાકીના જિનોને છઠ્ઠના તપમાં કેવલજ્ઞાન થયું હતું. (૧૩) ષભાદિ જિનેને આ તપમાં કેવલજ્ઞાન થયું હતું માટે આ તપ કરનાર જલદી કેવલજ્ઞાન પામે છે. (૧૪) તીર્થકર મેક્ષગમન તપનું વર્ણન – तित्थयरमोक्खगमणं, अहावरो एत्थ होइ विण्णेओ। जेण परिनिन्वुया ते, महाणुभावा तओ य इमो ॥ १५ ॥ निव्वाणमंतकिरिया, सा चोद्दसमेण पढमनाहस्स । सेसाण मासिएणं वीरजिणिदस्स छदेणं ॥ १६ ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૨ : ૧૯ તપેાવિધિ-પચાશક અચિંત્ય શક્તિવાળા શ્રી તીથકરા જે તપથી માક્ષમાં ગયા તે તીથર માક્ષગમન નામના અન્ય તપ છે. તે તપ આ પ્રમાણે છે. (૧૫) અતક્રિયા એટલે માથ. શ્રી આદિનાથ છ ઉપવાસથી, શ્રી વીરજિન છઠ્ઠથી અને ખાકીના જિના માસખમણુથી માક્ષમાં ગયા હતા. (૧૬) ગાથા ૧૭-૧૮ તીર્થ"કરાનું નિર્વાણસ્થાન :— अट्ठावयचंपोज्जिन्त पावासंमेय सेलसिहरेसु । उसभवसु पुजनेमीवीरो सेसा य सिद्धिगया ॥ १७ ॥ શ્રી આદિનાથ, વાસુપૂજ્ય, નૈમિનાથ અને વીરજિન અનુક્રમે અષ્ટાપદ પત, ચ‘પાનગરી, ઉજયંત (=ગિરનાર) પત અને પાવાપુરીનગરીમાં અને ખાકીના જિનેા સમ્મતશિખર પર્વત ઉપર માક્ષ પામ્યા છે. (૧૭) ચાંદ્રાયણુ તપનું વર્ણન :— चंदायणाह य तहा, अणुलोमविलोमओ तवो अवरो । મિત્રવા વહાણ છુટો, વિક્ષેત્રો યુન્ટ્રિાftfă ॥ ૨૮ ।। અનુક્રમથી અને વિપરીત ક્રમથી શિક્ષાની કે કાળિયાની વૃદ્ધિ હાનિથી ચાંદ્રાયણુ તપ થાય છે. આગમમાં બીજા પણ ભદ્રા, મહાભદ્રા, સતાભદ્રા, રત્નાવલી, કનકાવલી, લઘુસિંહમહાસિંહનિષ્ક્રીડિત, આય'ખિલ નિષ્ક્રીડિત, વર્ધમાન, Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯-૨૦ ૧૯ તપોવિધિ-પંચાશક : ૩૭૩ ? ગુણરત્નસંવત્સર, સપ્તસપ્તતિકા આદિ ચાર પ્રતિમા, કલ્યાણ વગેરે તો પ્રસિદ્ધ છે. (૧૮) ચાંદ્રાયણ પ્રતિમાના યવમળ્યા અને વજમણા એમ બે ભેદ છે. તેમાં પહેલાં યવમધ્યાપ્રતિમા જણાવે છે - सुकमि पडिवयाओ, तहेव बुड्ढीइ जाव पण्णरस । पंचदसपडिवयाहिं तो हाणी किण्हपडिवक्खे ॥ १९ ॥ શુકલપક્ષમાં એકમના દિવસે એક શિક્ષા કે એક કેળિયા જેટલે, બીજના દિવસે બે ભિક્ષા કે બે કોળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક શિક્ષા કે કળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર મિક્ષા કે કેળિયા જેટલો આહાર કરે. વદપક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કેળિયા જેટલે, બીજના દિવસે ચૌદ ભિક્ષા કે ચૌદ કેળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે કેળિયાની હાનિ કરતાં કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે એક કેળિયા એટલે આહાર લે એ યવમળ્યા પ્રતિમા છે. (૧૯) વજમધ્યા પ્રતિમાનું સ્વરૂપ – किण्हे पडिवइ पणरस, इगेगहाणी उ जाव इको उ । અમદણપવિયા, યુદ્ધ પછાણ ગુમાર | ૨૦ || કૃષ્ણ પક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે કોળિયા એટલે આહાર લે. પછી ક્રમશઃ એક એક દિવસે એક Page #391 -------------------------------------------------------------------------- ________________ * ૩૭૪ : ૧૯ તપેાવિધિ-પચાશક એક ભિક્ષા કે કાળિયાની હાનિ કરતાં કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે કાળિયા જેટલે આહાર લેવા. શુકલપક્ષમાં એકમના દિવસે પણ એક ભિક્ષા કે કાળિયા જેટલે આહાર લેવા. પછી ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે ઢાળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર ભિક્ષા કે કાળિયા જેટલેા આહાર લેવા તે વામળ્યા પ્રતિમા છે. (૨૦) ગાથા ૨૧-૨૨ ભિક્ષા અને કાળિયાનું પ્રમાણ :एत्तो भिक्खामाणं, एगा दत्ती विचित्तरूवावि । कुवकुडिअंडयमेत्तं, कवलस्सवि होइ विष्णेयं ॥ २१ ॥ એકવાર ભાજન નાખવું તે દૃત્તી છે. એક દત્તી એક ભિક્ષા છે. એક વાર નાખેલું ભેાજન (દાળ-ભાત વગેરે ભેગુ કરવાથી) અહુ જ અલ્પ અપ અનેક દ્રવ્યેાવાળું હાય તે પણ એક વ્રુત્તિ=એક ભિક્ષા ગણાય. કુકડીના ઈંડા જેટલું કાળિયાનું પ્રમાણુ છે. (૨૧) આ તપ કાને સફળ બને તે જણાવે છે : एवं च कीरमाणं, सफलं परिसुद्धजोगभावस्स । નિદિપળસ ધૈયું, ચરસ ન તારસોર્ ॥ ૨૨ ॥ નિર્દોષ ક્રિયાવાળા, નિર્દોષ ભાવવાળા અને અતિશય મહાર’ભ રૂપ કે કલહરૂપ અધિકરણથી રહિતને આ તપ સફળ બને છે=માક્ષાદિ ફળ આપનારુ થાય છે. બીજાને આ તપ તેવું સફળ ખનતું નથી. અર્થાત્ આ તપથી અધિ Page #392 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦થી૨૫ ૧૯ તપોવિધિ—પંચાશક : ૩૭પ : કરણથી રહિતને જેવું ફળ મળે છે તેવું ફળ અધિકરણથી યુક્તને મળતું નથી. (૨૨) રોહિણી આદિ વિવિધ તપને નિર્દેશ – ઝmવિ વરિય વિત્ત, તા તા તેવા િ सुद्धजणाण हिओ खलु, रोहिणिमाई मुणेयवो ॥ २३ ॥ લેકરૂઢિ પ્રમાણે હિણી આદિ દેવતાને ઉદ્દેશીને કરવામાં આવતા રહિણું આદિ બીજા પણ વિવિધ તપ છે. આ તપ* વિષયાભ્યાસ રૂપ હોવાથી મુગ્ધ લોકોને અવશ્ય હિતકર છે. (૨૩) દેવતાઓને નામનિર્દેશ – रोहिणि अंबा तह मंदउष्णया सव्वसंपयासोक्खा । सुयसंतिसुरा काली, सिद्धाईया तहा चेव ॥ २४ ॥ एमाइदेवयाओ, पडुच्च अवऊसगा उ जे चित्ता । બનાસપઢિા , તે સરે રેવ તિ તો | રજ . * સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ એમ ત્રણ પ્રકારે ધર્મનાં અનુષ્ઠાને છે તેમાં પહેલા કરતાં બીજું અને બીજાથી ત્રીજું શ્રેષ્ઠ છે. માતા-પિતાદિ પ્રત્યે વિનય વગેરેને સતત અભ્યાસ–પ્રવૃત્તિ તે સતતાભ્યાસ. શ્રી અરિહંત રૂપ વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ, અર્થાત્ અરિહંતની પૂજા વગેરે પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. ભાવને અભ્યાસ =પરિશીલન તે ભાવાભ્યાસ. અર્થાત સંસાર પ્રત્યે વૈરાગ્યપૂર્વક સમ્યગ દર્શનાદિભાવનું પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. વ્યવહાર નથી સતતાભ્યાસ વગેરે ત્રણે અનુષ્કાને ધર્મરૂપ છે. નિશ્ચયનયથી ભાવાભ્યાસ જ ધર્મરૂપ છે. (ઉ૦ ૫૦ ગાથા ૯૪ વગેરે) Page #393 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૬ ૧૯ તપવિધિ—પંચાશક ગાથા ૨૬ રોહિણી, અંબા, મંદપુયિકા, સર્વ સંપત્, સર્વસૌખ્યા, મૃતદેવતા, શાંતિદેવતા, કાલી, સિદ્ધાયિકા આ નવ દેવતા છે. (૨૪) આ નવ વગેરે દેવતાની આરાધના માટે જે વિવિધ તપ જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે, તે બધા તપ છે. તેમાં રેવિણ તપમાં સાત વર્ષ અને સાત મહિના સુધી રોહિણી નક્ષત્રના દિવસે ઉપવાસ કરે અને વાસુપૂજિનની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરવી અંબા તપમાં પાંચ પાંચમમાં એકાસણું વગેરે તપ કરે અને નેમિનાથ ભગવાનની તથા અંબિકા દેવીની પૂજા કરવી. મૃતદેવતા તપમાં અગિયાર અગિયારમાં ઉપવાસ, મૌનવ્રત અને શ્રુતદેવતાની પૂજા કરવી. બાકીના તપો રૂઢિ પ્રમાણે જાણી લેવા. (૨૫) તપનું સ્વરૂપ:जत्थ कसायणिरोहो, बभं जिणपूयणं अणसणं च । सो सव्वो चेव तवो, विसेसओ सुद्धलोयंमि ॥ २६ ॥ જે તપમાં કષાયને નિરોધ થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, જિનપૂજા અને ભજનો ત્યાગ થાય તે સર્વ તપ છે, તે સર્વ મુઘલોકોમાં વિશેષરૂપે તપ છે. પહેલીવાર તપમાં પ્રવૃત્તિ કરનાર મુશ્કેલેક અભ્યાસના કારણે કર્મક્ષય માટે પણ તપમાં પ્રવૃત્તિ કરે, તે શરૂઆતથી જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવા સમર્થ બનતું નથી. કારણ કે અજ્ઞાન છે મોક્ષ વગેરેના યથાર્થ જ્ઞાનથી રહિત છે. જ્યારે સદબુદ્ધિ જીવો Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૭થી ૨૯ ૧૯ તપેાવિધિ-પચાશક : છછ : ધમ આ તપતું વિધાન માલ માટે જ છે એવી બુદ્ધિથી તપ કરે છે. કહ્યું છે કે- મોક્ષાચૈવ તુ ધટતે વિશિષ્ટમતિહત્તમ: પુરુષ: (તત્ત્વાર્થ સંબંધકારિકા ગા૦ ૫ ઉત્તરાધ) વિશિષ્ટ મતિમાન પુરુષ માક્ષ માટે જ પ્રયત્ન કરે છે (=મેાક્ષ માટે જ કરે છે.) આગમાક્ત વિધિથી જ તપ કરવાથી માક્ષ માટે પ્રયત્ન થાય. કારણુ કે આગમ સિવાય ખીજા આલંબનમાં નાભાગ કારણ છે. | અર્થાત્ આગમ સિવાય બીજું આલમન લેવામાં અજ્ઞાનતા કારણ છે. જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં માક્ષ માટે પ્રયત્ન ન થઈ શકે. માટે આગમનુ આલંબન લઈને આગમાક્ત વિધિથી જ તપ કરવા જોઇએ.) (૨૬) દેવતાના ઉદ્દેશથી (=દેવતાની આરાધના માટે) કરાતા આ તપ સર્વથા નિષ્ફળ છે કે કેવળ આ લાકનુ" જ ફળ આપે છે. એવું નથી, કિંતુ ચારિત્રનુ પણ કારણ છે એ જણાવે છે : 2; एवं पडिवत्तीए, एत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहियं बहवो, पत्ता जीवा महाभागा ॥। २७ ॥ सव्वंगसुंदरी तह, णिरुजसिहो परमभृसणो चेव । आयइजणगो सोहग्गकप्परुक्खो तन्नोऽवि ॥ २८ ॥ पढिओ तवोविसेसो, अण्णेद्दिवि तेहि तेहि सत्थेहिं । मग्गपडिवत्तिहेऊ, हंदि विणेयाणुगुण्णेणं ।। ૨૧ ।। શુભ અનુષ્ઠાનામાં ( ધર્મક્રિયામાં) વિઘ્ના ન આવે ઈત્યાદિ હેતુથી સાધર્મિક દેવતાઓની તપ રૂપ આરાધનાથી Page #395 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૮ : ૧૯ તપોવધિ-પંચાશક ગાથા ૩૦ અને છવીસમી ગાથામાં જણાવેલા સ્વરૂપવાળા તપથી માર્ગનુસારી ભાવ=મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય પામીને ઘણા મહાનુભાવ જીવ આપ્તપદિષ્ટ ચારિત્રને પામ્યા છે. (૨૭) બીજા પણ ગ્રંથકારોએ જુદા જુદા ગ્રંથમાં સર્વાંગસુંદર, નિરુશિખ, પરમભૂષણ, આપતિજનક, સૌભાગ્યકલ્પવૃક્ષ વગેરે જુદા જુદા તપ કહ્યા છે. આ તપ નવા અભ્યાસી જીની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ છે. મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ વ્યવહારથી મોક્ષમાર્ગ જ છે. કોઈક નવા અત્યાસી જીવ એવા હોય છે કે જે પ્રારંભમાં અભિ વૃંગવાળા અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, અર્થાત્ અભિવંગથી= સંસારસુખના રાગ આદિથી અનુષ્ઠાનમાં જોડાય છે, પણ પછી (મોક્ષ આદિનું જ્ઞાન થતાં) અભિવંગ રહિત અનુષ્ઠાન પામે છે. આથી તેવા જીવોને આ તપ મોક્ષમાર્ગ પમાડનાર બને છે. જે તપથી સર્વ અંગો સુંદર થાય તે સવાંગસુંદર. જે તપનું મુખ્ય ફલ રોગનાશ છે તે નિજ શિખ. જે તપથી ઉત્તમ આભૂષણે મળે તે પરમભૂષણ. જે તપ ભવિષ્યમાં (પરલેકમાં) ઈફલ આપે તે આપતિજનક. જે તપ સૌભાગ્ય મેળવવામાં ક૯પવૃક્ષ સમાન છે તે સૌભાગ્યક૯પવૃક્ષ (૨૮-૨૯). સર્વાંગસુંદર તપનું વર્ણન - अटुववासा एगंतरेण विहिपारणं च आयाम । सव्वंगसुंदरो सो, होइ तवो मुक्तपक्खमि ॥ ३० ॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૧થી૩૪ ૧૯ તપેવિધિ—પંચાશક : ૩૭૯ : खमयादभिग्गहो इह, सम्मं पूया य वीयरागाणं । दाणं च जहासत्ति, जइदीणाईण विण्णेयं ॥ ३१ ॥ શુક્લ પક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે પ્રત્યાખ્યાન સંબંધી સ્પર્શન આદિ વિધિ પૂર્વક આયંબિલ કરવું એ સર્વાંગસુંદર તપ છે. (૩૦) આ તપમાં ક્ષમા, નમ્રતા, સરળતા આદિને નિયમ, ભાવથી જિનપૂજા અને સાધુ-ગરીબ વગેરેને યથાશક્તિ દાન કરવું.(૩૧) નિરજશિખ તપનું વર્ણન :एवं चिय निरुजसिहो, गवरं सो होइ किण्हपक्वमि । तह य गिलाणतिगिच्छामिग्गहसारो मुणेयव्वो ॥ ३२ ॥ | સર્વાંગસુંદરની જેમ નિજશિખ તપ છે. પણ તે વદમાં કરવો. અર્થાત્ વદપક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે આયંબિલ કરવું એ નિરજશિખતપ છે. આ તપમાં લાનની વૈયાવચ્ચ કરવાનો નિયમ કરે. (૩૨) પરમભૂષણ તપનું વર્ણન :बत्तीसं आयाम, एगंतरपारणेण सुविसुद्धो । तह परमभूसणो खलु, भूसणदाणप्पहाणो य ॥ ३३ ॥ એકાંતરે બત્રીશ નિર્દોષ આયંબિલ કરવાં તથા જિનને તિલક આદિ આભૂષણે ચઢાવવાં એ પરમભૂષણ તપ છે. (૩૩) આયતિજનક તપનું વર્ણન – एवं आयइजणगो, विष्णेओ णवरमेस सव्वत्थ । अणिमूहियबलविरियस्स होइ सुद्धो विसेसेणं ॥ ३४ ॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૦ : ૧૯ તપિવિધિ-પંચાશક ગાથા ૩૫થી૭ પરમભૂષણ તપની જેમ એકાંતરે બત્રીસ આયંબિલ કરવાં એ આયતિજનક તપ છે. પણ આ તપમાં આટલી વિશેષતા છે કે સર્વ ધર્મકાર્યોમાં બલ અને વીર્યને નહિ ગોપવનારને આ તપ વિશેષ શુદ્ધ થાય છે. (૩૪) સૌભાગ્ય કલ્પવૃક્ષ તપનું વર્ણન:चित्ते एगंतरओ, सव्वरसं पारणं च विहिपुव्वं । सोहग्गकप्परुक्खो, एस तवो होइ गायब्वो ॥ ३५ ॥ दाणं च जहासत्ति, एत्थ समत्तीइ कप्परुक्खस्स । ठवणा य विविहफलहरसंगामियचित्तडालस्स ॥ ३६ ॥ ચૈત્રમાસમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે ગુરુદાન આદિ વિધિપૂર્વક સર્વ વિગઈવાળું ભોજન કરવું એ સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ છે. (૩૫) આ તપ પૂર્ણ થાય ત્યારે યથાશક્તિ સાધુ આદિને દાન આપવું તથા વિવિધ ફળોના ભારથી લચી પડેલી વિવિધ શાખાઓવાળા સોનેરી ચોખાના કલ૫વૃક્ષની સ્થાપના કરવી. (૩૬) મુગ્ધજીને આ તપથી લાભ :एए अवऊसणगा, इट्टप्फलसाहगा य सहाणे । अण्णत्थजुया य तहा, विष्णेया बुद्धिमंतेहिं ॥ ३७ ॥ આ તપની આરાધના મુગ્ધ નવા અભ્યાસી જીવોને ઈષ્ટફલ આપે છે અને તપ અવર્થ યુક્ત છેઅયુક્ત નામવાળા છે. તપના નામના અર્થો અઠ્ઠાવીસમી ગાથામાં જણાવ્યા છે. (૩૭) Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮ ૧૯ તપેવિધિ-પંચાશક : ૩૮૧ : ઈન્દ્રિય વગેરે તપને નિદેશ :इंदियविजओवि तहा, कसायमहणो य जोगसुद्धीए । एमादओऽवि णेया, तहा तहा पंडियजणाओ ॥ ३८ ॥ ઇદ્રિયવિજય, કષાયમથન અને યોગશુદ્ધિ વગેરે પણ તપ છે, કયા તપનો શે વિધિ છે અને કો તપ કેટલો કરવાનો છે તે તપની આચરણાના અનુભવી પાસેથી જાણી લેવું. ઇંદ્રિયજય અને કષાયમથન તપને નામ પ્રમાણે અર્થ પ્રસિદ્ધ છે. જેનાથી મન-વચન-કાયાના વ્યાપારો નિર્દોષ બને તે ગશુદ્ધિ તપ. આ તપનું સ્વરૂપ આચરણાથી જાણી લેવું. તે આ પ્રમાણે - ઇદ્રિયવિજયમાં એક ઇદ્રિયને આશ્રયીને પુરિમ, એકાસણું, નીવિ, આયબિલ અને ઉપવાસ એ પાંચ તપની એક ઓળી કરવી. એ પ્રમાણે બીજી ચાર ઇંદ્રિયોને આશ્રયીને એક એક ઓળી કરવી. આમ ઈદ્રિયવિજય તપમાં પચીશ દિવસે થાય. કષાયમથન તપમાં એક કષાયને આશ્રયીને એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ ચાર તપની એક ઓળી કરવી. એ પ્રમાણે બીજા ત્રણ કષાયને આશ્રયીને ત્રણ ઓળી કરવી. આમ કષાયમથન તપમાં સેળ દિવસે થાય. યોગશુદ્ધિ તપમાં નિવિ, આયંબિલ અને ઉપવાસ એ ત્રણની એક ઓળી એવી ત્રણ ઓળી એક એક યોગને આશ્રયીને કરવી. આ તપમાં નવ દિવસે થાય. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તપૈાવિધિ-પચાશક આદિ શબ્દથી અષ્ટકમસૂદન, તીથ કર . માતૃ, સમવસરણુ તપ, નીશ્વર, પુ'ડરીક, અક્ષયનિધિ, સવ સૌષ્ચસ પત્તિ વગેરે તપેા સમજવા. તેના વિધિ વગેરે આ પ્રમાણે છે. અષ્ટ કર્યુંસૂદન તપમાં ક્રમશઃ ઉપવાસ, એકાસણું, એક દાણાનું ઠામ ચેાવિહાર આયખિલ, એકલઠાણું, એકત્તિ આયખિલ, નીવિ, આયંબિલ, આઠ કાળિયાનું એકાસણુ એ આઠ તપની એક એળી એવી આઠ આળી કરવી. આમ આ તપ ૬૪ દિવસે પૂર્ણ થાય. ભાદરવા માસમાં તીથ કરની માતાની પૂજાપૂર્વક સાત એકાસણાથી તીથ કર માતૃતપ થાય છે. ભાદરવા માસમાં જ સમવસરણની પૂજાપૂર્ણાંક એકાસણું, નીવિ, આયખિલ અને ઉપવાસ એ ચાર માંથી શક્તિ પ્રમાણે કાઈ એક તપ ૧૬ દિવસ સુધી કરવા. એ પ્રમાણે ચાર ભાદરવા માસમાં ચાસમ દિવસેાથી આ તપ પૂર્ણ થાય. અમાવાસ્યામાં પટમાં આલેખેલા નદીશ્વર જિનચૈત્યની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કાઈ તપ કરવા એ નીશ્વર તપ છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી પુંડરીક ગણધરની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કાઈ તપ કરવા એ પુડરીક તપ છે. જિોખમ સમક્ષ કળશ સ્થાપીને તેમાં પ્રતિદિન એક મુઠી ચેાખા નાખવાથી જેટલા દિવસે તે કળશ ચાખાથી પૂર્ણ ભરાય તેટલા દિવસ એકાસણુ' વગેરે તપ કરવે। એ અક્ષયનિધિ તપ છે. એક એકમ, એ બીજ, ત્રણ ત્રીજ, એમ યાત્ પંદર પૂર્ણિમામાં ઉપવાસ કરવા એ સવ સૌખ્યુસપત્તિ તપ છે. આ પ્રમાણે બીજા પણ તપા છે. (૩૮) : ૩૮૨ : ગાથા ૩૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૯-૪૦ ૧૯ તપેવિધિ-પંચાશક : ૩૮૩૯ આ તપ આગમમાં દેખાતા નથી એવી શંકાનું સમાધાન :चित्तं चित्तपयजुयं, जिणिंदवयणं असेससत्तहियं । परिसुद्धमेत्थ किं तं, जं जीवाणं हियं णथि ॥ ३९ ॥ જિનાગમ અંગકૃત અને અંગબાહ્યશ્રુત આદિ ભેદોથી અનેક પ્રકારનું છે, વિવિધ અર્થોનું પ્રતિપાદન કરનાર પદોથી યુક્ત છે, ભવ્ય જીવની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગને સ્વીકારવાના ઉપાને જણાવનાર હોવાથી સઘળા જીને ઉપકારક છે, સુવાની જેમ કષ, છેદ અને તાપથી નિર્દોષ છે, આ પ્રમાણે આ જિનાગમમાં જેને જે હિતકર ન હોય તે શું છે? અર્થાત્ જિનાગમમાં જે કંઈ છે તે બધું ય જીવને હિતકર છે. આથી આ ત૫ (વર્તમાનકાળમાં) દેખાતા આગમમાં ઉપલબ્ધ થતો ન હોય તે પણ ઉપલબ્ધ છે એમ સમજવું. કારણ કે આ તપ તેવા પ્રકારના લોકોને હિતકર છે. (૩૯) દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનું વર્ણન :सव्वगुणपसाहणमो, णेओ तिहि अट्ठमेहि परिसुद्धो । दंसणनाणचरित्ताण एस रेसिमि सुपसत्थो ॥ ४० ॥ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિમિત્તે ત્રણ અઠ્ઠમોથી તાપવિશેષ થાય છે. આ તપ સર્વગુણેને લાવનાર, નિર્દોષ અને અતિ શય શુભ છે. આમાં એક અઠ્ઠમ દર્શનગુણની શુદ્ધિ માટે છે. એ પ્રમાણે બીજા બે અઠ્ઠમ જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ માટે છે. (૪૦) Page #401 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૪ : ૧૯ તપેાવિધિ-૫'ચાશક ગાથા ૪૧થી૪૩ સર્વાંગસુંદર આદિતામાં જીવ ( મને સુંદર શરીર મળે ઇત્યાદિ ) નિદાન સહિત પ્રવૃત્તિ કરે છે, આથી આ તપેા કરવા ચાગ્ય નથી એવી શંકાને દૂર કરવા આ તામાં પ્રવૃત્તિ કરનાર જીવ નિદાન રહિત છે તે જણુાવે છે :एएसु वट्टमाणो, भावपवित्तीह बीयभावाओ । सुद्धा सयजोगेणं, अणियाणो भवविरागाओ ॥ ४१ ॥ મનવાળો ॥ ૪o ।। આ તપામાં પ્રવૃત્તિ કરતા જીવ બહુમાનપૂર્વક ક્રિયા કરે છે આથી નિદાન રહિત છે. કારણ કે ખહુમાનપૂર્વકની ક્રિયાથી શુભ અધ્યવસાય થાય છે. શુભ અધ્યવસાયથી એધિમીજ અને સંસારનિવેદ વગેરેનું કારણ થાય છે. જે સસાર નિવેદ વગેરેનું કારણ હાય તે ધિ આદિની માગણીની જેમ નિદાન નથી. ઉક્ત તપા કાઈક જીવાને સંસારનિવેદ આદિના હેતુઓ હાવાથી નિદાન રહિત છે. (૪૧) આ તા નિદાન રહિત હાવાથી જ મેાક્ષનું કારણ છે એ વિષય અન્ય આચાર્યના મતથી જણાવે છે: विसयसरूवणुबंधेहि तह य सुद्धं जओ अणुट्ठाणं । ન્ત્રિાળનું મળિયું, સોડિજિ નોમöfમ ॥ ૪૨ ॥ एयं च विसयसुद्धं, एगंतेणेव जं तओ जुत्तं । आरोग्गबोहिला भाइपत्थणाचित्ततुति ॥ ४३ ॥ Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૨-૪૩ ૧૯ તપવિધિ-પંચાશક : ૩૮૫ : અન્ય દર્શનીઓએ પણ અધ્યાત્મશાસ્ત્રોમાં વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. આથી આ તપે વિષયાદિથી શુદ્ધ હોવાથી નિદાન રહિત છે. વિષય શુદ્ધ - વિષય એટલે તપનું આલંબન. જેમ કે તીર્થકર નિગમ તપનું તીર્થંકરની પ્રવજ્યા આલંબન છેઃ નિમિત્ત છે. જે તપમાં વિષય શુદ્ધ હોય તે ત૫ વિષયશુદ્ધ છે. સ્વરૂપશુદ્ધ- જે તપનું આહારત્યાગ, બ્રહ્મચર્ય, જિનપૂજા, સાધુદાન આદિ સ્વરૂપ શુદ્ધ હોય તે તપ સવરૂપ શુદ્ધ છે. અનુબંધથદા- જે તપના પરિણામને ભંગ ન થાય, બલકે ઉત્તરોત્તર વધે એ તપ અનુબંધ શુદ્ધ છે. (૪૨) અનંતરાદ્ધ તપ સર્વ દેથી રહિત તીર્થકરના આલંબનવાળું હવાથી (=તીર્થકરોએ કહ્યો હોવાથી) વિષયશુદ્ધ છે. આથી એ તપ માગણીથી યુક્ત હોવા છતાં મારાદિરામં રમાદિકરમુર હિંતુ “મેક્ષને, મોક્ષનું કારણ બધિલાભને અને બે ધિલાભનું કારણ ઉત્કૃષ્ટ સમાધિન=સમતાને આપે.” એવી માગણીની પ્રધાનતાવાળા ચિત્ત સમાન હોવાથી સંગત છે. અર્થાત્ જેમ આવી માગણી નિદાન નથી, તેમ આ તપનો વિષય અરિહંત હોવાથી આ ત૫ નિદાન નથી. (૩) ૨૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૯ : ૧૯ તપેવિધિ-પંચાશક ગાથા ૪૪ ભાવશુદ્ધિથી તપ કરવાનો ઉપદેશ :ઘણા ઘણો જુદો, ળિયાળો હો માવિક I तम्हा करेह सम्मं, जह विरहो होइ कम्माणं ॥ ४४ ॥ અનંતરોક્ત તપ સદાગમથી વાસિત ચિત્તવાળા જીવને પૂર્વોક્ત યુક્તિથી નિદાન રહિત નિર્દોષ થાય છે. આથી ભાવશુદ્ધિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને વિરહ નાશ થાય તે રીતે આ ત૫ જ કરો. અહીં વિરહ શબ્દના પ્રયોગથી આ પ્રકરણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કર્યું છે એનું સૂચન કર્યું છે. કારણ કે વિરહ શબ્દ તેમની કૃતિનું ચિહ્યું છે. (૪૪) ઓગણસમા પંચાશકની ટીકા પૂર્ણ થઈ. તાંબરમાં મુખ્ય આગમવેદી પુરુષમાં શ્રેષ્ઠ અને ચૌદ (૧૪૦૦) પ્રકરણના પ્રણેતા સુગ્રહીતનામધેય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલા “પંચાશક' નામના પ્રકરણની " શિષ્યહિતા' નામની આ ટીકા સમાપ્ત થઈ. છે, Page #404 -------------------------------------------------------------------------- ________________ ટીકાકારની પ્રશસ્તિ જેમના ગયા પછી પેાતાના તેવા ખીજો આશ્રય નહિ પામતી શ્રુત અને સંયમ એ એ લક્ષ્મીદેવીએ દુર્ગાસ્થતિમાં રહે છે તે સાધુઓના સ્વામી શ્રી વર્ધમાનસૂરિ થયા. [ શ્રી ષધ માનસૂરિના સ્વર્ગવાસ પછી સાધુએમાં શ્રુત અને સચમમાં શિથિલતા આવી હતી એવા કે શ્રી વર્ષ માનસૂરિમાં શ્રુત અને સયમ સુંદર (=સર્વોત્કૃષ્ટ) હતાં એવા ભાવ છે.] (૧) તેમના શિષ્ય પ્રશસનીય અનેક શાસ્ત્રોની રચના કરનારા, સદા કાઈપણુ જાતની મદદ વિના વિહાર કરનારા અને ચંદ્રકુળ રૂપ આકાશમાં ચંદ્ર સમાન શ્રી જિનેશ્વર નામના સૂરિ થયા. (૨) તેમના બીજા પણ પાંડિત્ય અને ચારિત્રના ગુણાથી અનુપમ, શબ્દાદિના લક્ષણેાનું પ્રતિપાદન કરનાર નિર્દોષ ગ્રંથના (વ્યાકરણના) પ્રણેતા, ક્ષમાવતામાં શ્રેષ્ઠ બુદ્ધિસાગર નામના શિષ્ય પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતા. (૩) તે એના શ્રેષ્ઠ શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિના વચનથી તે એના જ શિષ્ય ગ્રંથના અથ એધમાં અતિશય મૂઢ બુદ્ધિવાળા અભયદેવસૂરિએ આ વૃત્તિ રચી છે. (૪) મારા શાસ્ત્રોના અર્થ સંબધી તેવે ખેધ નથી, મારી તેવી વાક્પટુતા નથી, અને આ ગ્રંથ ઉપર પૂર્વપુરુષાએ રચેલી ટીકા નથી, છતાં મે. આ ટીકા રચી તેનું કારણ સ્વામીનું વચન છે, અર્થાત્ શ્રી જિનચ'દ્રસૂરિના વચનથી મે‘ આ ટીકા રચી છે. (૫) આ ટીકામાં બુદ્ધિમ'દતાના કારણે કઈ પણ વિરુદ્ધ લખાયું હોય તે મારા ઉપર કૃપા કરીને વિદ્વાનાએ સુધારી Page #405 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૮ : અનુવાદકની પ્રશરિત લેવું. જ્ઞાનાવરણથી સહિત નિપુણુમતિવાળાની પણ પ્રાયઃ મતિ મુંઝાઈ જાય તે મારા જેવાની મતિ કેમ ન મુંઝાય? (૬) અગિયાર સે ચોવીસ (૧૧૨૪) વર્ષે ધોળકા શહેરમાં ધનપતિ બકુલ અને બંદિકની વસતિમાં આ ટીકા પૂર્ણ થઈ છે. (૭) સંઘમાં શ્રેષ્ઠ અને વર્તમાનકાલીન વિદ્વાનોમાં મુખ્ય વિદ્વાન શ્રી દ્રોણાચાર્યે અણહિલ પાટણ શહેરમાં આનું સંશોધન કર્યું છે. (૮) અનુવાદકની પ્રશસ્તિ સુગ્રહીત નામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પ. પૂ. આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિ રચિત ટીકા સહિત પંચાશક ગ્રંથને સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરાથપરાયણ મુનિશ્રી લલિતશેખરવિજયજીના શિષ્ય મુનિ શ્રી રાજશેખરવિજયજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. સમય વિ. સં. ૨૦૩૩ કા. સુ. ૫, બુધવાર સ્થળ. માલેગામ (મહારાષ્ટ્ર) જૈન ઉપાશ્રય. Page #406 -------------------------------------------------------------------------- ________________ છે શુગદિવાર આ. હાની શશી છે પૂ. મુ. શ્રી રાજશેખર વિ. સાક્ષા સંપાદિત, અનુવાદિત ગ્રંથો ગ્રંથ સાઈઝ વિષય 1 ગશાસ્ત્ર પોકેટબુક મૂળ લેકે 2 જ્ઞાનસાર 3 તત્વાર્થ ગુજરાતી–મૂળસૂત્રો 4 ધર્મબિંદુ ક્રાઉન 16 પેજી 5 પંચસૂત્ર | by 6 વીતરાગ સ્તોત્ર , , ગુજરાતી અર્થ–મૂળગાથા છ હારિભદ્રીય અષ્ટક ફુલસ્કેપ 16 પેજી 8 જ્ઞાનસાર 9 પ્રશમરતિ 10 ભવ ભાવના ડાઉન 16 પેજી મૂળશ્લોકો ગુજરાતી ભાવાનુવાદ છે છે. 11 તત્ત્વા: વિસ્તૃત વિવેચન છે૧૨ પંચાશક , સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ છે નિત્ય ઉપયોગી સાધના સંગ્રહ ,, શ્રાવકને ઉપયોગી વિષયોનો સંગ્રહ છે ઉપરના 1 થી 9 નંબર નુધીના ગ્રંથે પૂજય શ્રી સાધુ સાધ્વીજ છે. મહારાજોને કંઠસ્થ કરવા સ્વાધ્યાય કરવા નીચેના સરનામે જણાવવાથી ભેટ મા કલવામાં આવશે. લહેરચંદ ભેગીલાલ સમારક ગ્રંથમાળા ઠે. નગીનભાઈ પૌષધશાળા, પંચાસરા પાસે, | મુ. પાટણ વાયા મહેસાણા (ઉત્તર ગુજરાત) Private Personal Use Only