SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા–૧૨–૧૩ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૬૭ : પ્રશ્ન – તેવા તીવ્ર ભાવ શી રીતે થાય ? ઉત્તર – મિચ્છામિ દુક્કડં પદના અર્થનું જ્ઞાન થતાં તેવા તીવ્ર ભાવ થાય, તે વિના ન થાય. (૧૧) મિચ્છામિ દુક્કડ પદને અર્થ– मित्ति मिउमद्दवत्ते, छत्ति उ दासाण छादणे होति । मेति य मेराइ ठिओ, दुत्ति दुगुंछामि अप्पाणं ॥ १२ ॥ कत्ति क. मे पावं, डत्ति य डेवेमि तं उवसमेणं । एसा मिच्छादुक्कडपयक्खस्त्था समासेणं ॥ १३ ॥ મિચ્છામિ દુક્કડં પદમાં મિ, છા, મિ, ૬, ક અને ડે એમ છ અક્ષરો છે. દરેક અક્ષરનો અર્થ આ પ્રમાણે છે. મિ=મૃદુતા (નમ્રતા). છાત્રનું છાદન કરવું-રોકવા, અર્થાત ફરી ન કરવા. મિ=મર્યાદામાં (ચારિત્રના આચારમાં) રહેલ. દુ-દુષ્કત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે છે:- કાયાથી અને ભાવથી નમ્ર બનીને થયેલી ભૂલ ફરી નહિ કરું એવા ભાવથી ચારિત્રના આચારોમાં રહેલે હું દુષ્કૃત્ય કરનારા મારા આત્માની નિંદા કરું છું. =મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત. હું=ઉપશમથી પાપને ઓળંગી જઉં છું. અર્થાત મેં પાપ કર્યું છે એવી કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા કરેલા એ પાપથી રહિત બની જઉં છું. જ વિનયપૂર્વક કાયાને (કેડથી ઉપરના ભાગને) નમાવવી એ કાયાથી નમ્રતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy