SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ = ૧૨ સાધુસામાચારી–પંચાશક ગાથા ૧૦-૧૧ મિથ્યાકાર સામાચારીનું વર્ણન – संजमजोगे अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एतंति वियाणिऊण तं दुक्कडं देयं ॥ १० ॥ સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રના વ્યાપારોમાં નાનીમાટી જે કોઈ ભૂલ થાય તેનું આ ખોટું છે એમ જાણીને મિશ્રાદુક્ત આપવું જોઈએ=ભૂલને સ્વીકાર કરવા પૂર્વક હદયમાં થયેલા અતિશય પશ્ચાત્તાપને જણાવનાર “મિચ્છામિ દુક્કડ” એવું વાક્ય બોલવું જોઈએ. (૧૦). કેવા ભાવથી મિથ્યા દુષ્કત આપવું તે જણાવે છે :सुद्धेणं भावेणं, अपुणकरणसंगतेण तिव्वेणं । एवं तकम्मखओ, एसो से अत्थणाणंमि ॥ ११ ॥ ફરી આ ભૂલ નહિ કરીશ એવા નિર્ણયપૂર્વક તીવ્ર શુભ ભાવથી સંવેગથી મિયા દુષ્કૃત આપવું જોઈએ. આવા ભાવથી મિથ્યા દુષ્કૃત આપવાથી ભૂલ નિમિત્તે બંધાયેલા કર્મોનો નાશ થાય છે. પ્રશ્ન :- અહીં તીવ્ર શબ્દનો શો અર્થ છે ? ઉત્તર – જેટલા (તીવ્ર-મંદ આદિ રૂપ જેટલા પ્રમાણવાળા) ભાવથી ભૂલ કરી હોય તેનાથી અધિક તીવ્ર શુભ ભાવથી મિયા દુષ્કત આપવું જોઈએ એ તીવ્ર શબ્દનો અર્થ છે. જેટલા (તીત્ર-મંદ આદિ રૂપ જેટલા પ્રમાણવાળા) ભાવથી ભૂલ કરી હોય તેનાથી અધિક તીવ્ર શુભ ભાવથી મિથ્યા દુષ્કત આપવામાં આવે તો જ ભૂલથી બંધાયેલા કર્મોનો નાશ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy