SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૧૯૬ : ૧૪ શીલાંગવિધિ-૫'ચાશક રાધાવેધકનું દૃષ્ટાંત અને રાજ્યને ગ્રહણ કર, એમ આજ્ઞા કરી, તે અશિક્ષિત હાવાથી ભયથી તેનું શરીર ધ્રુજવા માંડયું. આથી તે પૂતળીને વીંધી શકયો નહિ. એ પ્રમાણે બીજા પણ રાજકુમારા પુતળીને વીંધી શકયા નહિ. પેાતાના પુત્રાની અજ્ઞાનતા જાણી રાજા તે જ ક્ષણે હાથ ઉપર ગાલ મૂકીને જમીનમાં ષ્ટિ રાખીને શાક કરવા લાગ્યા. મત્રીએ રાજાને આપ દીન ક્રમ છે.? એમ પૂછ્યું'. રાજાએ કહ્યું: આ દુષ્ટ પુત્રાએ મને લેકમાં અપકીર્તિવાળા કર્યો. આથી મત્રીએ રાજાને કહ્યું કે, આપના બીજો પણ એક પુત્ર છે. આપ તેની પાસે રાધાવેધ કરાવા. મારા બીજો પુત્ર કાંથી ? એમ રાજાએ પૂછ્યું એટલે મત્રીએ મારી પુત્રીના પુત્ર છે એમ કહીને રાજાને તે પત્ર મતાન્યેા. ખાતરી થતાં ખુશ થયેલા રાજાએ હું અમાત્ય ! મારા પુત્રને લઈ આવ એમ કહ્યું. મ`ત્રીએ પણ રાજાને તે પુત્ર દેખાડયો. રાજાએ સપુત્રામાં ઉત્તમ એવા તેને આલિંગન કરવા પૂર્વક મસ્તકમાં સૂંઘીને કહ્યું: મહાન અદ્ભુત પુતળીને વીંધીને કન્યા અને રાજ્યને લે. ‘પિતા જે આજ્ઞા કરે તે કરવા તૈયાર છું’ એમ કહીને તે તુવેદની વિદ્યાથી પુતળીને વીંધવા હાજર થયા. તે ચાર દાસી પુત્રાએ, ખાવીશ રાજપુત્રાએ, અને ખુલ્લી તલવાર લઈને ઊભેલા એ માણસાએ તેને વિવિધ પ્રકારના ઉપદ્રવ કર્યો. કલાચાર્યે પણ કહ્યું: હે વત્સ ! જો પુતળીને નહિં વીંધે તેા ખુલ્લી તલવાર લઇને ઊભેલા આ એ ભયકર માણસે તારુ' મસ્તક છેદી નાખશે. તેથી તેણે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy