SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩ ૧ તપિવિધિ—પંચાશક : ૩૬૫ ઃ - - . -- - - --- ચારિત્ર વિનયના સામાયિક આદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી પશુના-પાલન કરવું અને વચનથી પ્રરૂપણ કરવી એમ ત્રણ પ્રકાર છે. આચાર્યાદિ વિષે અપ્રશસ્ત મન-વચન-કાયાનો નિરોધ કરો અને પ્રશસ્ત મન આદિ પ્રવર્તાવવા, અર્થાત્ મનથી દુષ્ટ વિચારો, વચનથી અનુચિત વાણુનો, અને કાયાથી અગ્ય વર્તનને ત્યાગ કરવો અને મનથી આદરભાવ રાખ, વચનથી ગુણેની પ્રશંસા કરવી અને કાયાથી સેવા કરવી એ મન-વચન-કાયા રૂપ વિનય છે. |ઉપચાર એટલે સુખકારી ક્રિયાવિશેષ. એવી ક્રિયાથી થતે વિનય તે ઔપચારિક વિનય છે. ] ઔપચારિક વિનચના સાત પ્રકારે છે. તે આ પ્રમાણે –(૧) અભયાસાસન= આદેશના અર્થી બનીને, અર્થાત્ ક્યારે મને આદેશ કરે અને હું એ આદેશને પાછું એવી ભાવનાથી, સદા આચાર્યની પાસે બેસવું. (૨) છોડનુવર્તન=આચાર્યની ઈચ્છા પ્રમાણે વર્તવું. (૩) કૃતપ્રતિકૃતિ આચાર્યની ભક્તિથી નિર્જરા થશે એટલું જ નહિ, પણ પ્રસન્ન થયેલા આચાર્ય અને શ્રુત ભણાવશે એવી ભાવનાથી આહારાદિ લાવી આપ વગેરે સેવા કરવી. (૪) કારિતનિમિત્તકરણ-આ આચાર્યે મને શ્રુતજ્ઞાન આપ્યું છે ઈત્યાદિ ઉપકારને નિમિત્ત બનાવીને તેમને વિશેષ વિનય કરે અને ભક્તિ કરવી. (૫) દુઃખાગવેષણા :- માંદગી આદિ દુઃખને દૂર કરવાના ઉપાયો કરવા. (૬) દેશકાલજ્ઞાન-દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy