SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૬ ૬ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૦ उक्कोसं तवभूमि, समईओ सावसेसचरणोय । छेअं पणगाई अं, पावइ जा धरह परिआओ ॥ “જે સાધુ મોટા દોષનું સેવન કરીને ઉત્કૃષ્ટ તપભૂમિને ઓળંગી ગયો હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ તપભૂમિને જેટલા પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ ન થઈ શકે, તથા સંપૂર્ણ ચારિત્ર રહિત ન બન્યો હોય, તે સાધુ દેષ પ્રમાણે યથાયોગ્ય પંચક આદિથી આરંભી સંપૂર્ણ પર્યાયને છેદ ન થાય ત્યાં સુધી છેદ પ્રાયશ્ચિત્ત પામે છે.” (૧૯) મૂલ વગેરે પ્રાયશ્ચિત્તના વર્ણનની પ્રતિજ્ઞા - मूलादिसु पुण अहिगत-पुरिसाभावेण नत्थि वणचिंता । एतेसिपि सरूवं, वोच्छामि अहाणुपुव्वीए ॥ २० ॥ આલેચનાદિ સાત પ્રાયશ્ચિત્તની ત્રણદષ્ટાંતથી વિચારણા કરી. પણ મૂલ, અનવસ્થા અને પારસંચિતમાં પ્રસ્તુત ચારિત્રરૂપ પુરુષ ન હોવાથી ત્રણના દષ્ટાંતની વિચારણા નથી. મૂલ વગેરે પ્રાયશ્ચિત્ત ચારિત્રને સર્વથા અભાવ થાય ત્યારે જ થાય છે. [ જેમ મૂળ વિના શાખા ન હોય, પુરુષ વિના ત્રણ ન હોય, તેમ ચારિત્ર વિના અતિચાર પણ ન હોય.] મૂલ આદિ ત્રણમાં અતિચાર ન હોવાથી ત્રણના દષ્ટાંતની ઘટના થઈ શકે નહિ. આથી હવે (વણના દષ્ટાંત વિના) મૂલ આદિ પ્રાયશ્ચિત્તનું પણ સ્વરૂપ ક્રમશઃ કહીશ. (૨૦) + તપભૂમિ એટલે તપ કરવાની મર્યાદા. આદિ, મધ્ય અંતિમ તીર્થકરના શાસનમાં ઉત્કૃષ્ટ (=વધારેમાં વધારે) તપભૂમિ અનુક્રમે ૧૨, ૮ અને ૬ માસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy