SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૮ : ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા-૪ જોઈએ. અર્થાત્ બીજાની ઈચ્છાપૂર્વક કરાવવું અને કરવું. જોઈએ, અને ઇચ્છાની સ્પષ્ટતા માટે બીજાને કામ કહેતાં પહેલાં અને બીજાનું કામ કરતાં પહેલાં ઈચ્છા શબ્દનો પ્રયોગ કરે અત્યંત જરૂરી છે. પ્રશ્ન :- આનું શું કારણ? ઉત્તર :- કેઇના પણ ઉપર બળાત્કાર ન કરો એવી આતની આજ્ઞા છે અને સાધુઓની મર્યાદા છે. આથી જ્યારે બીજાની પાસે પિતાનું કે બીજાનું કાર્ય કરાવવું હોય ત્યારે “જે તમારી ઈચ્છા હોય તો આ કામ કરો” એમ કહીને ઈચ્છાપૂર્વક કાર્ય કરાવવું જોઈએ, ઈચ્છા વિના બલાકારે નહિ. તે જ પ્રમાણે બીજાનું કાર્ય પિતે કરવું હોય તે પણ જેનું કાર્ય કરવું હોય તેને “હું તમારું આ કાર્ય તમારી ઇચ્છાથી કરું છું.” એમ કહીને તેની ઈચ્છાથી કરવું, તેની ઇચ્છા વિના નહિ. પ્રશ્ન - બીજાની પાસે પોતાનું કે પરનું કાર્ય ગમે ત્યારે કરાવી શકાય કે અમુક જ સંગમાં કરાવી શકાય? ઉત્તર :- માંદગી આદિ સંગોમાં જ બીજાની પાસે પિતાનું કે પરનું કાર્ય કરાવી શકાય, ગમે ત્યારે નહિ. અર્થાત દરેક સાધુએ પોતાનું કાર્ય પોતે જ કરવું જોઈએ, બીજાની પાસે નહિ કરાવવું જોઈએ. માંદગી આદિ વિશિષ્ટ * આ આજ્ઞાનું “કેઈને પણ દુઃખ ન થાય” એ ધ્યેય છે. બળાત્કાર કરવાથી દુ:ખ થાય, માટે તેના ત્યાગની જિનાજ્ઞા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy